Tag Archives: Health

સ્તન આકર્ષણ મહા કર્ષણ

કુચાકર્ષણ મહા કર્ષણ

એક તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. સારા નસીબે રુદન કામ કરી20130513-123131.jpg જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહીં શીખવાનું શરુ કરે છે. આમ એક બાળકનો પૃથ્વી પર અવતરણ થવાની સાથે સર્વાઇવલનો પહેલો અનુભવ એની માતાના સ્તન સાથેની ઓળખ સાથે થતો હોય છે. આમ ઉરજની ઓળખ પહેલી ઓળખ કાયમ ઉરમાં જડાઈ જાય છે. આખી જિંદગી એનું આકર્ષણ મહા કર્ષણ તરીકે દિલોદિમાગ પર છવાઈ જતું હોય છે. પીનપયોધર હાઈ estrogen લેવલ દર્શાવે છે જે ઉચ્ચ ફળદ્રુપતા સાથે જોડાયેલ છે. પીનપયોધરા કોને ના ગમે?

સ્વ. રાજકપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ ચિત્રપટમાં અભિનેત્રી મંદાકિનીનાં ઉરમંડન સાથે એના કુચાગ્ર બહુ કલાત્મક રીતે દર્શાવવામાં સફળ થયેલા. એમની ફિલ્મોની તમામ અભિનેત્રીઓ જબરજસ્ત સ્તનવૈભવ ધરાવતી અને તે કલાત્મક રીતે જતાવવામાં રાજકપૂર જબરા નિષ્ણાત હતા. ઉંમર નિદર્શન, ફલદ્રુપતાની નિશાની, માતાની યાદ સાથે એના દ્વારા પોષણ મળતું બધી ભેગું થઈને સ્તન કાયમ માટે દિમાગમાં જડાયેલા રહેતા હોય છે.

આદિવાસી સમાજો જ્યાં સ્ત્રીઓ ટૉપલેસ ફરતી હોય છે ત્યાં ઉરોજ વિષે ખાસ દેખીતું આકર્ષણ હોતું નથી તેવું કહેવાય છે, ત્યાં સ્તન ફક્ત દુધના કૅન તરીકે ઓળખાતા હોય છે. આવા સમાજોમાં પણ સંસર્ગ પહેલાની રમત તરીકે કુચાગ્ર મર્દન તો થતું જ હોય છે. સ્તન મર્દન સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. કામોત્તેજના સમયે સ્તનવૈભવમાં(volume) વધારો થાય છે તેવું Masters and Johnson નું કહેવું છે.

બાળક જ્યારે માતાને ધાવતું હોય છે ત્યારે માતા પણ બાળકના માથે હાથ ફેરવતી હોય છે, એને લાડ કરતી હોય છે, એને પંપાળતી હોય છે. આ સમયે માતા અને બાળક બંનેના બ્રેનમાં વિશ્વાસનું જનક, પ્રેમનું જનક બ્રેન કેમિકલ ઑક્સિટોસિન સ્ત્રાવ વધી જતો હોય છે જે માતા અને બાળક સાથે સામાજિક જોડાણ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો આપતું હોય છે. Oxytocin is often referred to as the “cuddling hormone” . માતાને વહાલ ઊભરાઈ જાય તો તરત એના બાળકને ખોળામાં લઈને સ્તનપાન કરાવતી હોય છે. બાળક સ્તનપાન કરતું બંધ થઈ જાય ત્યારે પણ વહાલ ઊભરાય ત્યારે છાતી સાથે જડી દેવાનો એક શિરસ્તો ઊભો થઈ જાય છે.

Oxytocin નું એક બીજું મહત્વનું કામ છે milk let-down response દૂધ નીચે ઉતારવાનું. ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ગાય કે ભેંસના થાનમાં દૂધ ભરેલું હોય પણ આંચળોમાં નીચે એકદમ આવતું નથી. દેશી ગાયો અને ભેંસોમાં ખાસ આ પ્રૉબ્લેમ હોય છે. એનું બચ્ચું એને વળગાડો એટલે ગાય કે ભેંસના બ્રેનમાં Oxytocin સ્ત્રવે પછી દૂધ આંચળોમાં નીચે આવે, પછી એનું બચ્ચું ખસેડી ગાયને દોહવાનું શરુ થતું હોય છે. બચ્ચું કોઈ કારણસર મરી ગયું હોય કે બીજા કોઈ કારણસર દૂધ થાનમાં ભરેલું હોય છતાં આંચળોમાં નીચે ઊતરતું નથી ત્યારે પશુપાલકો પશુને Oxytocin ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે તરત દૂધ નીચે ઊતરી આવે છે.

ઘણી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી વખતે ચરમસીમાએ પહોચી જતી હોય છે તેવું પણ કહેવાય છે. સ્ત્રી સમાગમ વખતે ઉત્તેજિત થાય ત્યારે એના clitoris, vagina, cervix ત્રણેનું પ્રતિનિધિત્વ કરતા નકશા (sensory maps )એના parietal cortex માં ઝબૂકવા લાગે છે. ઘણી સ્ત્રીઓમાં કુચાગ્ર મર્દન સમયે આ ત્રણે નકશા સામટાં ઝબૂકવા લાગે છે તેવું FMRI વડે જાણવા મળેલું છે. આમ પુરુષો માટે તો ખરા જ સ્ત્રીઓ માટે પણ સ્તન જાતીય જીવનમાં ખૂબ મહત્વના હોય છે. પુરુષોને એવરેસ્ટ જેવો ઉન્નત ઉરજવૈભવ જોવો ગમતો હોય છે તો સ્ત્રીને પણ તે એવો ધરાવે છે તે બતાવવાનું ગમતું હોય છે સીના તાન કે…

20130513-152313.jpg

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

ફેસબુક વળગણ ( Hard Truths About Human Nature)

ફેસબુક વળગણ  ( Hard Truths About Human Nature)

 

 

કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે  દુનિયા ફેસબુક પાછળ  પાગલ  થઈ ગઈ છે. આશ્ચર્યજનક  આંકડા જણાવે છે કે આશરે ૮૦૦  મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત  આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ  લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ  કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક  યુઝર છે. ચીન  વસ્તીમાં નંબર વન ભલે હોય  પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ  જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ  અને ભૂખે મરતાં દેશ  જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન  લોકોને અતિપાગલ  માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક  રહસ્ય  સમજવા જેવું છે.

 

 

ફેસબુક  ઘેનની પાછળ  જવાબદાર  રહસ્યમય  પ્રવાહીનું નામ  છે, dopamine. ડોપામીન  એક  બ્રેઈન  કેમિકલ  છે જે આનંદદાયક ભાવનાઓ  સાથે  જોડાયેલું છે.  આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ  કે ગાંજાનો નશો કરીએ  ડોપામીનનાં આનંદદાયક  નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ  રસ્તે ડોપામીન  રીલીઝ  થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર  ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ  ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.

 

 

 કરુણ વાતો અને દુઃખદ  ઘટનાઓ પણ  મિત્રો સાથે શેર કરીએ છીએ  એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ  અને સહાનૂભુતિ જે oxytocin  હેપીનેસ  આપે છે જે love hormone  તરીકે ઓળખાય છે. સંકટ સમયે  stress hormone cortisol  જે પીડા આપે છે તેનું  શમન  કરવાનું કામ મિત્રોના લાગણીશીલ  પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી  પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે.  મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.

 

 

૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર  ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ  રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી  ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.

 

 

ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.

 

 

ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર  ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ   જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.

 

 

Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો  દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક  કારણો  ફેસબુક યુઝ  કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે  ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક  જમાનામાં  રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.

 

 

ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ  વિભાગ ખૂબ જટિલ  ચિંતન મનન  કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં  આવેલું કલ્પના અને લાગણીઓનું  નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ  દુઃખદ  ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન,   આવું ઘણું બધું પુષ્કળ  પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.

 

 

તો મિત્રો કોકેન  લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.

 

 

Ref :-

 

** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.

 

 

**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.

 

 

 

 

 

 

 

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ તણાવ ઓછો કરે છે, સરસ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે. ગંધ એટલે સુગંધ અને દુર્ગંધનું ભાવનાઓ સાથે જોડાણ થઈ જતું હોય છે. મંદિરમાં જઈને ઘણાને શાંતિ મળતી હોય તેનું કારણ મંદિરમાં ફેલાવાતી ધૂપદીપની સુગન્ધ સાથે પવિત્ર શાંતિની ભાવનાનું કંડીશનિંગ હોય છે. સ્મેલ અને ઈમોશન્સની ક્ષમતાનાં મૂળિયા બ્રેઈનમાં એક ખાસ માળખામાં હોય છે જેને લીમ્બીક સીસ્ટમ કહેતા હોય છે. હિપોકેમ્પસ એરિયા નવી સ્મૃતિઓ ઘડવાનું કામ કરતું હોય છે. ટૂંકમાં સુગંધ મૅમરી ઘડવામાં અને તેને ફરી રિકોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. નાં સમજાયું? સીધું સાદું સમજાવું કે ભણવા બેસો તો દાખલા તરીકે ચમેલીની સુગંધ ધરાવતી અગરબત્તી સળગાવો, અને પરીક્ષા આપવા જાવ ત્યારે ચમેલીની સુગંધવાળું અત્તર કે તેલ લગાવીને જાઓ. અરે ભાઈ પરીક્ષા ખંડમાં કોઈ અગરબત્તી સળગાવવા ના દે. આમ લાગણીઓ સાથે જે તે સુગંધ જોડાયેલી હોય છે. આમ જેની સૂંઘવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ હોય તેવા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. અને જે લોકો ગંભીર તણાવના માનસિક રોગથી પીડાતા હોય તેવા લોકોની સૂંઘવાની શક્તિ જતી રહી હોય છે. સૂંઘવાની શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે તેને Anosmia કહે છે, ઘ્રાણેન્દ્રિયનો અભાવ. Alzheimer , Parkinson જેવા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનું શરૂઆતના લક્ષણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જવી હોય છે.

ઓસ્ટ્રેલીયન સાયકોલોજીસ્ટ John Prescott કહે છે માઈન્ડ અને બોડીનાં અર્થપૂર્ણ જોડાણના લીધે આનંદદાયક સુગંધ પીડા સહન કરવામાં મદદરૂપ બને છે. ખાસ તો મીઠી સુગંધ દુખ અને પીડા ઓછી કરે છે. મને યાદ છે અમે નાના હતા ત્યારે કશું વાગે તો મારા ‘બા’ એક ચમચી ખાંડ ખવડાવી દેતા. જો કે એમને આ બધી ખબર નહિ હોય મને પણ આજ સુધી નહોતી. એવું પણ હોય કે ગળ્યું ખાઈને એના સ્વાદમાં પીડા ભૂલી જવાય.

ખાસ સુગંધને ત્વરિત ઇનસ્ટંટ રીલેક્ષ થવા પણ વાપરી શકાય છે. Sensory psychologist Pamela Dalton કહે છે એક ખાસ પ્રકારની સુગંધ પસંદ કરો જે હવામાં ફેલાતી હોય ત્યારે શાંત થવા માટે ધ્યાન કરો. આ પ્રક્રિયાને વારંવાર દોહરાવો. થોડા વખત પછી ભલે તમે ધ્યાનમાં ના બેસો પણ ફક્ત આ સુગંધ તમને તણાવમુક્ત બનાવી શાંત કરી દેશે.

Bryan Raudendush , વેસ્ટ વર્જીનીયાનાં સાયકોલોજીસ્ટનાં રિસર્ચ પ્રમાણે પીપરમીન્ટની સ્મેલ સવારે જાગીએ ત્યારે બ્રેઈનમાં જે એરિયા એક્ટીવ થઈ જતો હોય છે તેને એક્ટીવ કરવામાં ગમે ત્યારે કારણભૂત બનતી હોય છે. આ સ્મેલની અસર તળે કસરતબાજ વધુ પુશ અપ કરતા માલૂમ પડ્યા છે.

સુગંધ વિષે અગાઉ એક લેખ લખી ચૂક્યો છું. દરેક માનવીની એક યુનિક ગંધ હોય છે અને આ ગંધનું કારણ હોય છે જેતે માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ. અને આ યુનિક ઈમ્યુન સીસ્ટમનું કારણ છે Histocompatibility complex જિન્સનું ઝૂમખું. આમ આપણી odorprint આપણી ફિંગરપ્રિન્ટ જેટલી જ યુનિક હોય છે. એટલે સ્ત્રીને એવા પુરુષની ગંધ પ્રિય લાગશે જેની ગંધ તેની પોતાની ગંધ કરતા સાવ અલગ જ હોય.

એટલે Love At First Sight, નહિ પણ Love At First Smell વધુ સાચું છે. સાયકોલોજીસ્ટ Rachel Herz વિષે અગાઉ હું લખી ચૂક્યો છું. સ્મેલ શાસ્ત્રના આ પ્રકાંડ pundit પાસે એમની ખાસ મિત્ર Estelle Campenni કબૂલ કરે છે કે પહેલી વાર એ એના પતિને મળી અને તેની ગંધ એને એટલી બધી ગમી ગયેલી કે એણે નક્કી કરી દીધેલું કે લગ્ન આની સાથે જ કરીશ. એ કોઈ કોલોન કે લક્સ સાબુની ગંધ નહોતી. Sexual attraction remains one of life’s biggest mysteries. ઘણીવાર એવું લાગતું હોય કે જીવનસાથી ઊંચો હોવો જોઈએ, કે પત્નીને સરસ રસોઈ બનાવતા આવડવી જોઈએ, કે છોકરો પૈસાવાળો જોઈએ, કે પતિદેવ સલમાનખાન જેવી બોડી ધરાવતા હોવા જોઈએ. આવું બધું મળવા છતાં પણ ભંગાણ થઈ જતા હોય છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે સેકસુઅલ વિશ્વમાં ગંધ રહસ્યમય પરિબળ છે.

કોઈ પણ જાતની ગંધ નાકની અંદર રહેલા chemoreceptor નામના સેન્સરી સેલને ઉત્તેજિત કરે છે. એનાથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો બ્રેઈનમાં પહોંચે છે. બ્રેઈન આ તરંગોનું વિશ્લેષણ કરે છે અને સ્પેસિફિક ગંધમાં ભાષાંતર કરે છે, અને આપણને ગંધનો અનુભવ થાય છે. રસપ્રદ વાત એ છે કે સ્મેલ બીજી સેન્સીસ કરતા કંઈક વધુ છે. એનું જોડાણ બ્રેઈનના એવા વિભાગ સાથે છે જ્યાં લાગણીઓ અને શીખવાની પ્રક્રિયાનું પ્રોસેસિંગ થતું હોય છે જેને આપણે લીમ્બીક સીસ્ટમ કહીએ છીએ. લીમ્બીક સિસ્ટમમાં amygdala અને hippocampus સમાયેલા છે જે બિહેવિયર, મૂડ અને સ્મરણ શક્તિ માટે ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આમ બીજી ઇન્દ્રિયો કરતા ઘાણેન્દ્રિય વધારે સેન્સીટીવ છે.

Melissa એક હેઈર ડ્રેસર છે. બચપણમાં માથામાં વાગ્યું હશે અને એની ઘાણેન્દ્રિય બંધ થઈ ગઈ. એણે કોઈ પણ જાતની ગંધની અનુભૂતિ થતી નથી. રસોઈ બળી જાય તો પણ એને ખ્યાલ આવતો નથી. એના માટે ઘરમાં બીજાની મદદ લેવી પડે છે. ઘરમાં બધે સ્મોક ડીટેકટર લગાવી રાખ્યા છે. સ્મેલ સેન્સ જવાની સાથે ટેસ્ટ સેન્સ પણ જતી રહી છે. મેલીસાની સ્મેલ સેન્સ જતા રહેવાનું કારણ હેડ ઇન્જરી હતું. MRI દ્વારા થયેલા પરીક્ષણો મુજબ બ્રેઈનના olfactory bulb પર થયેલી ઈજાના કારણે ૮૮ % , subfrontal region પર થયેલી ઈજાના કારણે ૬૦% અને temporal lobe પર થયેલી ઈજાને કારણે ૩૨% લોકો anosmia વડે પીડાતા હોય છે.

ઓરેન્જની સ્મેલ બેચેની દૂર કરે છે. Cedar, Lavender અને Vanilla ની સ્મેલ ટૅન્શન ઓછું કરે છે. લેમન અને જાસ્મિનની સુગંધ ચિંતન શક્તિ વધારે છે. ક્રૉસવર્ડ પઝલ્સ ઉકેલવા હોય તો બે ટીપાં લીંબુનો રસ ચાખી લો. કસરત કરતા પીપરમિન્ટ બોડી લોશન લગાવો. જાસ્મિન ઊંઘ સરસ લાવે છે. Rosemary અને ગ્રેપફ્રુટ જોમ જુસ્સો વધારે છે. તજ અને વેનીલાની ગંધ સર્જનાત્મકતા વધારે છે.

ઘણા માણસોને ખૂબ ચિંતા હોય છે કે એમના મુખમાંથી ખરાબ વાસ તો નહિ આવતી હોય ને? વારંવાર હાથ મુખ આગળ લઈ જઈને કોઈ ના જુએ તેમ ચેક કરતા હોય છે. Olfactory Reference Syndrome વડે પીડાતા લોકોને વહેમ હોય છે કે એમની ગંધ ખરાબ છે અને આસપાસના લોકોને ગમતી નહિ હોય. આવા સિન્ડ્રોમથી પીડાતા લોકો વારંવાર સ્નાન કરતા હોય છે, deodorants, માઉથવોશ, પર્ફ્યૂમ, મિંટ યુક્ત ચ્યુંઈંગ ગમ વગેરેનો અતિશય ઉપયોગ કરતા હોય છે. નજીકના અંગત લોકોને એમની ગંધ માટે વારેવારે પૂછતાં હોય છે. એકલાં રહેવાનું પસંદ કરતા હોય છે, સામાજિક સંબંધો ઓછા રાખતા હોય છે. કપડા વારંવાર બદલાતા હોય છે.

પ્યારા મિત્રો આમ ગંધનું, સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. પહેલી નજરનો પ્રેમ થવાનું કારણ નજર નહિ પણ એકબીજાની યુનિક ગંધ હોય છે. કારણ રૂપાળા અગણિત ચહેરા આસપાસ રોજ જોતા હોઈએ જ છીએ પણ પ્યાર થઈ જતો નથી.

રેફ:- Rachel Herz is the author of The Scent of Desire and on the faculty at Brown University.

હું છું, મારા Genes.

હું છું, મારા Genes.

કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.

Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.

થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.

પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”

આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.

મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.

Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeres ચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણ ધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.

Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે.
ADHD
Depression
Bipolar disorder
Anxiety
Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.

૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.

ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.

બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ

શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.

નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?

આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.

આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.

આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.

કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.

પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.

આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.

Read more about EMOTIONAL CONTAGION here…

સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે.Hard Truths About Human Nature.
સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે

માનસિક અને શારીરિક રીતે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક દેખાતો હોય છે. પુરુષ એ રીતે ઈવૉલ્વ થયેલો હોય છે કે એને યુવાન, ક્લિઅર સ્કિન, સિમેટ્રીકલ ચહેરા સાથે શરીર ધરાવતી સ્ત્રી તરફ જવાનું એને પહેલું પસંદ આવતું હોય છે. સમય માપવાની રેતીવાળી શીશી જોઈ છે ? સુંદર ચહેરો અને hourglass ફિગર ધરાવતી નારી એટલે તંદુરસ્ત અને ફળદ્રુપ જે પુરુષને હંમેશા એના જીન પાસ કરવા મહત્તમ યોગ્ય લાગતી હોય છે. આ સરળ યુનિવર્સલ ગુણવત્તા સરહદો, સંસ્કૃતિઓ અને પેઢીઓ સુધી ફેલાયેલી પહેલી પસંદગી હોય છે.images (14)

સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે તે પણ એટલું જ સત્ય છે. આજે પશ્ચિમની નારી પાતળી બનવા ખૂબ જહેમત કરતી જોવા મળે છે ત્યાં સત્ય એ છે કે પુરુષના એક દ્ગષ્ટિપાત માટે તમામ સંસ્કૃતિની નારી ખાય છે અથવા નથી ખાતી. ખોરાકની ઉપલબ્ધતા સાથે શરીરની સાઇઝની ગુણવત્તા નક્કી થતી હોય છે. એક ૭-ઇલેવન, મેકડોનાલ્ડ, બર્ગરકિંગ કે તાકોબેલ  વગર પાંચ માઈલ પસાર કરી શકતા નાં હોવ, જ્યાં ખાવાનું અઢળક વેચાતું હોય ત્યાં પાતળી પરમાર મોસ્ટ વેલકમ. સહારન, આફ્રિકન જેવા કલ્ચર કે જ્યાં ખોરાકની અછત હોય ત્યાં ચરબીથી લથપથ સ્ત્રીઓ બ્યૂટિફૂલ ગણાતી હોય છે.

મોટાભાગની સ્ત્રીઓની પહેલી પસંદગી તેમના કરતા વધુ ઊંચાઈ સાથે સિમેટ્રીકલ ફીચર ધરાવતા પુરુષો હોય છે. હેલ્થી અને પૅરસાઇટ વગરના સંભાવિત સાથીની આ નિશાની છે. છતાં સ્ત્રી હાઈ સ્ટૅટ્સ, સત્તા અને ધનવાન વ્યક્તિને પણ પ્રથમ પસંદગી આપતી હોવાથી કોઈ ઓછી ઊંચાઈ ધરાવતા ભાઈ પ્રાઇવેટ જેટ વિમાન ધરાવી એમની હાઇટ વધારતા પગ જોડી શકે છે. બૅંગકોંગ, મલૅશિયામાં ગરીબી ખૂબ છે. ઍવરિજ સામાન્ય આવક ધરાવતો અમેરિકન પુરુષ જે મકાન અને કાર ધરાવતો હોય તે એમને માટે તો સારો એવો પૈસાદાર ગણાય જે અમેરિકન સ્ત્રી માટે ગરીબ ગણાતો હોય. અમેરિકન ડોસલાં આરામથી મલૅશિયન સ્ત્રીઓની પહેલી પસંદ બની જતા હોય છે.

“Beauty is in the eye of the beholder.” આ ઉક્તિ પ્રાચીન ગ્રીસ વખતની આજે પણ ચલણમાં છે. તો શા માટે આપણ દરેકનો ટેસ્ટ જુદો જુદો અને વિવિધ હોય છે ? શારીરિક  આકર્ષણના વૈજ્ઞાનિક અભ્યાસ સારા એવા મદદરૂપ થતા હોય છે કે સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ અને યુનિક હોય છે.  હા તો મિત્રો સુંદરતા જોનારની આંખોમાં નહિ, પણ જોનારના orbito –frontal cortex માં હોય છે તેવું neuroscience laboratory University college Londonનું કહેવું છે. આપણાં દરેકનો સુંદરતા વિશેનો એક ઇન્ટરનલ કૉન્સેપ્ટ હોય છે. કોઈ સારું સંગીત સાંભળતા હોય ત્યારે બ્રેનમાં જે ભાગ સક્રિય થતા હોય તેજ ભાગ કોઈ સુંદર દ્ગશ્ય કે ચિત્રો જોતા સક્રિય થતા હોય છે.

images (17)આપણાં અગાઉના અનુભવો મુજબ બ્રેન રિઍક્ટ કરતું હોય છે. જો મને ક્લૅસિકલ સંગીત અદ્ભુત લાગતું હોય અને ધમાલિયું રૉક સંગીત ઓછું પસંદ આવતું હોય તો ક્લૅસિકલ સંગીત સાંભળતી વખતે બ્રેનમાં રહેલા રિવૉર્ડ અને પ્લેઝર વિભાગ વધુ સક્રિય થવાના, રોક મ્યૂઝિક વખતે ઓછા.  Beauty is in the eye of the beholder, or more accurately in their medial orbito-frontal cortex. This part of the brain activates when we experience beauty either as art or as music.

મોટાભાગે એવું મનાતું હોય છે કે સુંદર ચહેરો, સુંદર વાળ અને ઘાટીલું બદન એટલે બ્યૂટિફૂલ કે હૅન્ડસમ. પણ શારીરિક આકર્ષકતા આનાથી કંઈક વધારે હોય છે. બધા કહેવાતા રૂપાળાં લોકો આકર્ષક હોતા નથી. ક્રિયાશીલ જોમવાળી શારીરિક આકર્ષકતા થોડી જુદી હોય છે. આમાં વ્યક્તિની ભાવ વાહકતા, અભિવ્યક્તિ, પ્રમાણબદ્ધ સુંદર શરીરની મોહકતા સાથે બૉડી લૅંગ્વિજ ઉમેરીને જે ડાઇનેમિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ ઊભી થાય છે તેની સામે કહેવાતી સુંદરતા પણ ઝાંખી પડી જતી હોય છે. ચાલવાની રીત, બોલવાની વાતો કરવાની છટા, ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા, ખાસ તો હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા બધું ભેગું મળીને આકર્ષકતામાં વધારો કરી દેતું હોય છે.

બોલીવુડમાં આપણે જોઈએ છીએ કે ઓછા રૂપાળાં લાગતા અભિનેતાઓ મોટાભાગે ચૉકલેટી રૂપાળાં અભિનેતાઓ કરતા એમની આગવી છટાને લીધે વધુ સફળ થયેલા છે. એટલે સુંદરતા એટલે ફક્ત ગોરી ચામડી સમજી લેવું ખોટું છે. મતલબ સુંદર હોવું એટલે આકર્ષક હોવું તેવું સમજી લેવું વધારે પડતું છે. સ્ટૅટિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ સાથે ડાઇનેમિક એક્સપ્રેસિવ સ્ટાઇલ ભળી જાય ત્યારે વ્યક્તિમાં એક charisma ઊભો થતો હોય છે. આવી charismatic  વ્યક્તિઓમાં ઇમોશનલ અને સોશિઅલ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ ડેવલપ થયેલી હોય છે.

સુંદરતાના કોઈ માપતોલ હોતા નથી તેવું પણ કહેવામાં આવતું હોય છે. કારણ ઘણા પુરુષોને સોનેરી વાળ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય તો ઘણાને કાળા વાળ ધરાવતી. ઘણી સ્ત્રીઓને ગોરા પુરુષો ગમતા હોય તો ઘણી સ્ત્રીઓ ઘઉંવર્ણ ધરાવતા પુરુષને પસંદ કરતી હોય. આમ દરેકની પસંદ અલગ હોવાથી કહેવાય કે સુંદરતાનાં કોઈ માપતોલ હોતા નથી. છતાં સુંદરતા વિષે અમુક માન્યતાઓ બધે સામાન્ય સહજ સરખી હોય છે. સિમેટ્રીક ચહેરો દરેક કલ્ચરમાં સરખો સુંદર લાગતો હોય છે. આમાં પણ મૅથ(ગણિત) છે. ચહેરાના બંને બાજુના માપતોલ સરખાં હોય તે ચહેરો વધુ સુંદર લાગતો હોય છે.

ક્લિઅર સ્કિન યુનિવર્સલ પહેલી પસંદ હોય છે. પુરુષત્વ સૂચિત ચોરસ જડબા પુરુષો માટે અને હાઈ ચીક બૉન્સ સ્ત્રીઓ માટે વૈશ્વિક પસંદગી હોય છે. સેન્ટ્રલ આફ્રિકામાં ગોળમટોળ ભારેખમ સ્ત્રીઓ પહેલી પસંદ હોય છે. ઇથિઓપિયામાં સુર્માં અને મૂર્સી સ્ત્રીઓ એમના હોઠ પર બહુ મોટી પ્લેટ પહેરતી હોય છે. મ્યાનમારની kareni અને padaung  સ્ત્રીઓ  ડોકમાં રિંગ્સ પહેરતી હોય છે. ડોક આમ એટલી લાંબી થઈ ગઈ હોય કે પછી રીંગ વગર ચાલે નહિ.Neck_Elongation

Men, on average, tend to be attracted to women who are shorter than they are, have a youthful appearance, and exhibit features such as a symmetrical face, full breasts, full lips, and a low waist-hip ratio. Women, on average, tend to be attracted to men who are taller than they are, display a high-degree of facial symmetry, masculine facial dimorphism, and who have broad shoulders, a relatively narrow waist, and V-shaped torso.images (16)

 

 

 

 

 

ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.

Solitude
Solitude (Photo credit: Lady-bug)
ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.
    આધુનિક જીવન ખૂબ ઝડપી બની ગયું છે. મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં લોકોનું જીવન અતિશય ફાસ્ટ હોય છે. સવારે છોકરા સુતા હોય અને બાપ નોકરી પર જવા નીકળી જતા હોય તે  છેક રાત્રે છોકરા ઊંઘી ગયા હોય ત્યારે પાછાં આવે. વળી રજાને દિવસે બીજા અનેક પેન્ડીંગ કામ બાકી હોય. એક સંબંધી ન્યુયોર્ક જોબ કરવા જતા હતા. એમની દિનચર્યા હું જોતો હતો. રહેતા અહીં એડીસનમાં અને જોબ છેક ન્યુયોર્કમાં. આવા અનેક લોકો હશે, કેમકે ન્યુયોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડતું હોય. સવારે પાંચ વાગે જાગી જતા. શ્રીમતી અને બાળકો ઊંઘતા હોય, જાતે ચા ગેસ પર મૂકી ફટાફટ તૈયાર થવા લાગી જતા. એડીસન ટ્રેઇન સ્ટેશને કાર મૂકીને ટ્રેઇન પકડવાની. રાત્રે મોડા આવતા અને ઘણી વાર બહુ મોડું થયું હોય તો કંપનીના ખર્ચે લીમોઝીન મૂકવા આવતી. શનિરવી રજા હોય ત્યારે પણ નવરાં જોયા નહિ. મુંબઈની લાઇફ પણ ખૂબ ફાસ્ટ ગણાય છે.
   અહીં અમેરિકામાં ભારતીય બહેનો પણ ખૂબ વ્યસ્ત લાઇફ જીવતી હોય છે. જોબ કરતી હોય, બાળકોને લેવા મૂકવા જવાનું, ઘરકામ, રસોઈ, શોપિંગ, શનિરવી ઘરની સાફ સફાઈ, એક્સ્ટ્રા ઇન્કમ માટે એક્સ્ટ્રા કામ પણ કરવાના. જેવા કે પેઈંગ ગેસ્ટ ઘરમાં રાખવાના, તેમની ખાવાપીવાની વ્યવસ્થા જાળવવાની, બેબી સીટીંગ, કોઈ વળી ઘરમાં કેશ કર્તન કળાનો પણ ઉપયોગ કરી સસ્તા ભાવે સેવા આપતા હોય, મંદિરે જવાનું, સાસબહુની સીરીયલો જોવાની, ઘેર ઘેર ફરીને પાછાં ધાર્મિક પરિવારોના પ્રચાર પણ કરવાના  આવું તો અનેક.
   એક ઈમેલ સેકન્ડના દસમાં ભાગે આખી દુનિયામાં ફરી વળી હોય તેવા જમાનામાં નવરાં લોકો પણ નવરાં હોતા નથી.
     આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઓવરલોડેડ ફીલ કરતા હોઈએ છીએ, એક  માનસિક પ્રેસર ઊભું થતું હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે ” ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ”. એકાંતનો આનંદ માણવાનું જરૂરી બની જતું હોય છે.
     એકાંત અને એકલતા લગભગ સરખાં લાગતા હોય છે. બહારથી બંને એક સરખાં લાગતા હોય છે. Loneliness એ નકારાત્મક લાગણી છે જે દુનિયાથી વખુટા પડી ગયાની અનુભૂતિ કરાવે છે. લાગે છે કંઈક ખૂટી રહ્યું છે. એકલતાનું  એક કડવું સત્ય એ પણ છે કે લોકોની ભીડ વચ્ચે પણ એકલતા લાગતી હોય છે. એકલતાનું  આ વરવું સ્વરૂપ કહેવાય.
    Solitude, એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય. આવા એકાંતમાં આપણે અંતરમાં ખાંખાંખોળા કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ  છીએ, વિકાસ કરી શકીએ છીએ, કશું સર્જનાત્મક વિચારી શકીએ છીએ. પોતાની જાત સાથે નજીક આવી શકીએ છીએ. શાંતિના અનુભવ દ્વારા અંતરની અમીરી પામવા એકાંતમાં રહેવું જરૂરી બની જતું હોય છે. આમ એકાંત આપણને તરોતાજા કરી નાખે, ઉત્સાહ અને એનર્જી વડે ભરી દેતું હોય છે.
   Loneliness એટલે જાણે સજા, લાગણી વગરનું, નિષ્ઠુરતા, વખુટા પડી જવું, સદભાવ કે મિત્રભાવ ગુમાવવો. એકાંત આપણે પસંદ કરીએ છીએ અને એકલતા બીજા લોકોએ આપણી ઉપર લાદી દીધી હોય તેમ લાગે છે. એકાંતમાં રહેવું પોતાની જાતે પસંદ કરેલી એકલતા છે.
  દરેકને એકાંતની પળોની જરૂર હોય છે. ફાસ્ટ લાઇફમાં પાછાં ફરવા રીચાર્જ થવા એકાંતમાં થોડો સમય ગાળવો મહત્વનો છે. Solitude restores body and mind. Loneliness depletes them.
    માનવજાત સામાજિક પ્રાણી સાથે એકાકી પણ છે. આધુક જીવન શૈલીમાં પણ ઘણા બધા કામ એકલાં કરવા પડતા હોય છે. રાતે સૂઈ જઈએ ત્યારે આપણે એકલાં હોઈએ છીએ. આ પૃથ્વી પર માણસ એકલો આવે છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો મૃત્યુ પામતો હોય છે. પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.
     સંબંધોની  સુગંધ પામતું કોણ રોકી રહ્યું છે? કોણ રોકી રહ્યું છે આપણી સર્જનાત્મકતાને? કોણ અટકાવી રહ્યું છે મનની શાંતિ? આ તણાવ યુક્ત જીવન શૈલીમાં આશ્ચર્યજનક ઉત્તર છે, એકાંતનો અકાળ. આજે આપણે એકાંતની ક્ષણનાં દુષ્કાળથી પીડાઈએ છીએ. એકાંત એક જાતનું ટૉનિક છે, જે બીજા લોકો સાથે સમૃદ્ધપણે જોડી શકે છે. સાંપ્રત સમયમાં આપણે ઊંચા  મન સાથે જીવી રહ્યા હોઈએ તેવું નથી લાગતું? ૧૯૫૦માં  હતી તેના કરતા આજે દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ છે. શહેરી વિસ્તાર વધી ગયા છે. શહેરી વિસ્તરમાં પણ ભીડ ખૂબ વધી ગઈ છે. હું ૧૯૭૨મા વડોદરા ભણવા ગયેલો ત્યારે રાત્રે આઠ વાગ્યા પછી શહેર સુમસામ થઈ જતું, આજે આખી રાત ચહલપહલ જોવા મળે છે. નવી ગ્લોબલ ઈકોનોમીનાં કારણે લોકો આખી દુનિયા સાથે જોડાઈ ગયા છે. સેલફોન આજે અનિવાર્ય શારીરિક અંગ જેવા બની ગયા છે. હાથપગ કે કાન વગરનું શરીર તમે કલ્પી શકો?  તેમ સેલફોન વગરનો માણસ કે સેલફોન વગરનું શરીર પણ કલ્પી ના શકો. ઉત્ક્રાન્તિના પરિબળો ભવિષ્યમાં કાન પાસે સેલફોન ડીવાઈસ ઉગાડી નાં દે તો નવાઈ નહિ. સેલફોન નહિ તો સેલફોન મૂકવાની કોથળી પેલાં કાંગારું જેવું જરૂર ઉગાડી દેશે. કાંગારુના પેટે એના અવિકસિત બચ્ચા માટે કોથળી હોય છે.
  કોઈ ધર્મ હવે શાંતિ મળે તેવા સ્થળ પ્રોવાઈડ કરી શકે તેમ નથી. ઉલટાના મંદિરોતો કોલાહલ વધારવાના કારખાના બની ગયા છે. મેગાચર્ચ અને મેગામંદિર સામાજિક મેળાવડાનું સ્થાન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા બની ગયા છે. સેલફોન,સ્માર્ટફોન, ઈન્ટરનેટ , કોમ્પ્યુટર વગેરે સંપર્ક વધારવાના સાધનો છે, પણ એનાથી સાચો સ્પર્શ આપણે ગુમાવી બેઠાં છીએ. આધારભૂત, અસલ સર્જનાત્મક એકાંતવાસ આપણે ગુમાવી ચૂક્યા છીએ. અમુક સમય પૂરતા એકલાં પડવું કે રહેવું  ખરેખર આપણાં જીવનને એડજસ્ટ કરે છે. આપણને આરામ આપી આપણી શક્તિઓને ફરીથી રીચાર્જ કરે છે. મહાવીર, બુદ્ધ, જીસસ, મહંમદ, લાઓ ત્ઝું જેવા અનેક મહાપુરુષો અમુક સમય માટે સમાજથી દૂર એકાંતવાસમાં જતા રહેલા. એટલાં બધા રીચાર્જ થઈને એક નવી ચેતના સાથે પાછાં ફરેલા કે જેતે સમયના આખા સમાજની જીવનશૈલી બદલી નાખેલી. મહાવીર ૧૨ વર્ષ અને  બુદ્ધ ૬ વર્ષ સમાજથી દૂર એકાંતમાં રહેલા.
  મધર નેચરે રાત્રે ઊંઘવાનું આપીને આપણને સાચું એકાંત પૂરું પાડ્યું છે. સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યું છે. ઊંઘની ટીકડીઓનું વધેલું વેચાણ દર્શાવે છે કે આ રાત્રી એકાંતવાસ ખતરામાં છે. સાચો એકાંતવાસ ગુમાવીને માનવ આજે એકલો પડી ગયો છે. એકલવાયા અનુભવ કરવો ડીપ્રેશનનું કારણ બની શકે તેમ છે. માનવ સામાજિક પ્રાણી છે, સમૂહમાં રહેવા ટેવાયેલો છે. ૨૦મિ સદીની ત્રણ પ્રસિદ્ધ મહિલાઓ Judy Garland , Marilyn Monroe , અને Princess Diana ત્રણે જાણીતી એકલતા અનુભવતી મહિલાઓ હતી. હજારોની  ભીડ વચ્ચે ઘેરાએલી  રહેતી  આ સ્ત્રીઓ એકલી હતી. Loneliness isn’t  about being alone , it’s about  not feeling connected. સામાજિક જોડાણ અને દબાણપૂર્વક આવું જોડાણ રદ કરવાના પુરાવા ચીમ્પાન્ઝીમાં સમૂહમાં પણ નોંધાયેલા છે. સામાજિક નિયમોનો  ભંગ કરવા બદલ સામાજિક બહિષ્કાર કરવો, નાત બહાર મૂકવા દરેક માનવ સમાજમાં સામાન્ય હતું. ગુજરાતમાં હોકાપાણી બંધ એવું પણ કહેવાતું. જે કેદીઓ ગંભીર ગુનામાં સપડાયેલા હોય તેમને બીજા કેદીઓ સાથે પણ રાખતા નથી, સાવ એકલાં રહેવાનું હોય છે.
    સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે. જેવી રીતે ભૂખ લાગી હોય અને ખોરાક મળે ત્યારે બ્રેઈનના જે એરિયા એક્ટીવ થતા હોય છે તેવી જ રીતે અને તેટલા પ્રમાણમાં પેલાં રીવોર્ડ એરિયા સહકાર પામતા સક્રિય થતા હોય છે. આમ ખોરાક મળે તે અગત્યનું છે સાથે  સહકાર પ્રાપ્ત થાય કે સામાજિક સંબંધ વધે તે પણ તેટલું જ અગત્યનું છે. જ્યારે શારીરિક દર્દ થાય ત્યારે બ્રેઈનના જે ભાગ સક્રિય થાય છે તેજ ભાગ સામાજિક બહિષ્કાર થાય ત્યારે અને સહકાર નાં મળે ત્યારે સક્રિય થતા હોય છે. આમ  અસહકાર મળે તેનું દુખ અને શારીરિક પીડા બંનેનું દર્દ બ્રેઈન માટે સરખું જ છે. FMRI વડે થયેલા બ્રેઈન સ્કેનીંગ આ બધું સારી રીતે દર્શાવે છે. અરે પરિચિત વ્યક્તિનો ફોટો જોઇને પણ હ્યુમન બ્રેઈન જુદી રીતે પ્રતિભાવ આપતું હોય છે. ” કોઈ મને પસંદ કરે છે” બહુ સ્પષ્ટ પણે ન્યુરલ વાયરિંગ માટે અગત્યની કૅટેગરી છે. લગ્ન વ્યવસ્થા આમ સામાજિક જોડાણ વધારવાનો ઉપાય માત્ર છે. ભલે દોષપૂર્ણ હોય પણ એકાદ વાર લગ્ન કરેલા હોય અને એકલાં રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા નાં હોય તેમનો મરણ આંક ૬૫ ટકા વધુ હોય છે. અને જેઓ લગ્ન કરીને સાથે રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા જ ના હોય તેમનો મરણાંક ૨૨૦ ટકા વધુ હોય છે. યુ.એસ.એ.માં ૩૧મિલિયન લોકો એકલાં રહે છે, ૧૦૦ મિલિયન કરતા વધુ લોકો ડિવોર્સ લઈને કે વિધવા કે વિધુર તરીકે એકલાં રહે છે. એક મીલીયન એટલે દસ લાખ ગણવા.
     આમ સામાજિક જોડાણ અગત્યનું છે તેમ એકાંત પણ અગત્યનું છે. એના વગર આપણે રીચાર્જ થઈ શકીએ નહિ. માટે ઘણા લોકો અમુક સમય માટે મૌન પાળતા હોય છે. મૌન પણ  ભીડ વચાળે એકાંત મેળવવાનો ઉપાય છે. જેને દિવસમાં ખૂબ બોલવાની જરૂર પડતી હોય તેવા લોકોએ અમુક સમય મૌન પાળવું જરૂરી બની રહે જેથી  ફરી બોલવા માટે બેટરી રીચાર્જ થઈ જાય. મોદી સરકાર રોજ બે કલાક મૌન પાળે છે તેવું સંભળાયું હતું. મોરારીબાપુ અઠવાડીએ એક દિવસ મૌન પાળે છે. મેહરબાબા મૌનની મજામાં એટલાં બધા ગર્ત થઈ ગયેલા કે ફરી કદી બોલ્યા જ નહિ. આજે બોલીશ કાલે બોલીશ એવા વચનો  આપીને પણ કદી બોલી શક્યા નહિ. એકલવાયા અનુભવ કરવો જોખમી છે, હતાશા પેદા કરે છે  તો સામે સ્વૈચ્છિક એકાંતવાસ સારો છે તમને રીચાર્જ કરે છે, વધારે જીવંત બનાવે છે, સ્વની વધારે નજીક લઈ જાય છે, તણાવ મુક્ત કરે છે, આ ફાસ્ટ જિંદગીમાં ફરીથી કૂદી પડવાનું બળ આપે છે. તો ચાલો ગણગણીએ
 “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.”

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

ભયથી અભય તરફ.(Hard Truths About Human Nature).

One of several versions of the painting "...
Image via Wikipedia

ભય થી અભય તરફ

       અરે! એમાં બીવાનું શું ? કોઈ વ્યક્તિ સામાન્ય વસ્તુથી ડરે ત્યારે આપણે આવું ઉચ્ચારીયે છીએ. પણ આવું ઉચ્ચારનાર પણ કોઈ વસ્તુથી ડરતો તો હોય છે. “મને નાનપણમાં કૂતરાની ખૂબ બીક લાગતી, આમ તો હું કૂતરાથી બીતો નહિ, પણ એકવાર શ્વાન મહાશય કરડી ગયા અને પછી જે ઇન્જેક્શન લેવા પડ્યા ત્યારથી કૂતરાંની બહુ બીક લાગે છે,” આવું મારા એક મિત્રે મને જણાવ્યું, ત્યારે મને કોઈ નવાઈ લાગી નહિ.  જો કે મને પણ નાનપણમાં કૂતરાનો ડર જરૂર લાગતો.

ડર સ્વાભાવિક છે. ડર  સર્વાવલ માટે જરૂરી પણ છે. ડર લાગે નહીતો તો તમે ભાગો નહિ. અને સામે કોઈ સાપ કે હિંસક પ્રાણી હોય તો ? જીવ ગયો સમજો. આમ ડરના જરૂરી હૈ. પણ ઘણીવાર કારણ વગર ડર લાગે ત્યારે વિચારવું જરૂરી છે. ઘણીવાર સ્પિસિફિક ફોબિઆ બેસિક anxiety disorder ગણાય છે. ડૉગ ફોબિઆ, જ્યારે પણ કૂતરાને જોઈએ ત્યારે ખૂબ ડર લાગે, હાર્ટની ધડકન  વધી જાય, પરસેવો વળી જાય, ધ્રુજારી ફરી વળે, શ્વાસ ઝડપી અને ટૂંકા થઈ જાય.

આમ જ્યારે કોઈ પ્રસંગ એવો ઊભો થાય, કે કોઈ આવી ભયજનક પરિસ્થિતિનો સામનો થાય જેમ કે કોઈ કૂતરું કરડી જાય પછી કાયમ તેનો ભય લાગે, આમ ફોબિઆ ક્રિએટ થતો હોય છે. ઘણીવાર માબાપ કાયમ ચેતવતા હોય કે ફલાણા ભાઈના કૂતરાથી સાવધ રહેવું. જોકે એમાં એમનો ઇરાદો ચેતવવાનો હોય છે, પણ ઘણીવાર આવી રીતે અતિશય ચેતવણી પણ ફોબિઆ ઊભો કરવામાં મદદ કરતી હોય છે.

Agoraphobia એટલે જાહેર જગ્યા, પબ્લિક પ્લેસ કે માર્કેટ પ્લેસનો ડર. ફોબિઆ જાત જાતના હોય છે. પક્ષીના પીંછાનો પણ ફોબિઆ હોય છે. અરે ગભરુ એવા કબૂતરનો પણ ફોબિઆ હોય છે. અરે શ્વેત અને અશ્વેત લોકોના ફોબિઆ પણ જુદા જુદા હોય છે. આમ તો પાંચ  પ્રકાર ફોબીઆના પાડેલા છે.

  ૧) Animal Type. ( કૂતરા, સાપ, ઉંદર, વંદો અને બીજા પ્રાણીઓ).

            ૨) Natural -environment type . (વાવાઝોડા, વરસાદ, પાણી, કુદરતી તોફાનો).

            ૩) Blood -injection injury type .

            ૪) Situational type. (એર ટ્રાવેલ કે એલિવેટર).

            ૫) આ લિસ્ટમાં નાં હોય તે બધા.

          આફ્રિકન અમેરિકન લોકોમાં શ્વેત લોકો કરતા કૂતરાં, સાપ, ઉંદર અને કરોળિયાનો ડર વધારે હોય છે. સામાજિક ફિઅર જેવા કે મૂર્ખાં દેખાશું, કોઈ કામમાં સફળ નહિ થવાય, અને લોકો ટીકા કરશે તેવા ફોબિઆ અશ્વેત લોકોમાં વધુ જોવા મળ્યા છે. કૂતરાથી સાવચેત રહોના પાટિયા પણ એના ડરમાં વધારો કરતા હોય છે.

કબૂતર સાવ ગભરુ દેખાતું હોય છે, અને હોય પણ છે. છતાં એનો ડર લાગતો હોય તેવી એક વિદેશી મહિલાને ટીવી ઉપર જોએલી. કબૂતર જોઇને ચીસાચીસ કરી મૂકે. જે વસ્તુનો ભય લાગતો હોય તેનો સામનો કરવો તે પણ ઉપાય બની શકે. આ બાઈને પહેલા તો કબૂતરના ફોટા બતાવીને ટેવ પાડવામાં આવી કે કબૂતર કોઈ ભય માટે કારણરૂપ નથી. ફોટા જોઇને પણ ચીસો પડતી હતી. ધીમે ધીમે કબૂતર નજીક લઇ જવાતી. આમ ધીમે ધીમે માંડ માંડ કબૂતરનો ભય દુર થયો. વિમાની અકસ્માતમાંથી બચ્યા હોય તેમને પણ ઘણીવાર વિમાનમાં બેસવાનો ડર લાગતો હોય છે.  ફોબિઆનું લિસ્ટ બહુ લાંબુ છે.

ડર લાગે ત્યારે Adrenalin ફ્લો વધી જતો હોય છે. હવે કારણવગર ડર લાગતો હોય ત્યારે એના ફ્લોને કંટ્રોલ કરવાથી ડર ઓછો થઈ જતો હોય છે. આ હૉર્મોન્સ સ્ત્રાવ વધી જાય તો નુકશાન કારક છે. કોઈ વાર મોત પણ મળી જાય. એનું નિવારણ કરવા,

 ૧) સૌ પ્રથમ તમારા હાથ અને પગના સ્નાયુને તંગ બની ગયા હોય તેને ઢીલાં છોડી દો,

 ૨) થોડા ઊંડા શ્વાસ લો,

 ૩) ધ્યાન બે આંખો વચ્ચે કેન્દ્રિત કરો,

 ૪) એક હાથ કપાળ ઉપર મૂકો, અને

૫) બીજો હાથ માથા પાછળ નીચે રાખો.

             આટલું કરવાથી ઝડપથી શાંત થઈ જવાશે. ડર ઓછો થઈ જશે, બેચેની ઓછી થઈ જશે તણાવ મુક્ત થવું હોય તો પૂર્વની ઘણી બધી ટેક્નિક બહુ કામ લાગી જાય છે. પશ્ચિમના મેડિકલ સાયન્સ મુજબ રોગના કારણો શોધો, એની ઍક્ટિવ દવા શોધો. વંઠેલ બીમારીઓમાં મન મક્કમ રાખી લડાયક ખમીર રાખો. જ્યારે પૂર્વના આરોગ્ય વિષયક જ્ઞાન મુજબ, શારીરિક  ઘટકોમાં બૅલન્સ ખોરવાય અને શક્તિ પ્રવાહ ક્યાંક રોકાય તો બીમારીઓ આવતી હોય છે. ઉપાયમાં હર્બલ દવાઓ, થોડી આસનો જેવી હલનચલન, ખાવાપીવામાં પરેજી. અને મેડીટેશન.

આપણું નાનું મગજ જેવું કે amygdala અથવા hypothalamus કોઈ ભયજનક મુશ્કેલી આવે ત્યારે સચેત થઈ જતા હોય છે, અને સર્વાઇવલ માટે શું કરવું, ભાગવું કે લડવું તે સૂચવતા હોય છે. એના માટે જે કામ લાગે તેવા હૉર્મોન્સનો સ્ત્રાવ કરતા હોય છે. પણ ઘણીવાર આ બ્રેન સેન્ટર કારણ વગર વધારે સેન્સિટિવ બની જતા હોય છે. આપણાં જુના અનુભવોને વર્તમાનમાં લાવીને હાયપર સેન્સિટિવ બની જતા હોય છે અને આપણે તણાવ ,બેચેની અને ભય પામતા હોઈએ છીએ. ખરેખર સાપ સામે આવે કે વાઘ આવે તો ભય લાગે તે સ્વાભાવિક છે, પણ સાપનો ફોટો કે ટીવી શો જોઇને પણ ધ્રુજારી વછૂટી જાય તે અસ્વાભાવિક છે.

પ્રાણીઓને કોઈ ભયજનક મુશ્કેલી આવે તો બ્લડ પ્રેશર વધી જાય અને સ્ટ્રેસ હૉર્મોન્સ એમને ભાગવા માટે સૂચવે સાથે એક્સ્ટ્રા એનર્જી આવી જાય, અને ભયજનક મુશ્કેલી ટળી જતા નૉર્મલ બની જતા હોય છે. જ્યારે  આપણે માનવપ્રાણીઓ સદાય સ્ટ્રેસમાં જીવતા હોઈએ છીએ, અને નૉર્મલ બનતા નથી. જેથી સ્ટ્રેસ હૉર્મોન્સનું નિવારણ જલદી થતું નથી. હાઈ બ્લડ પ્રેશર માટે પ્રાણીઓને રોજ એક ટેબ્લેટ ખાવી પડતી નથી, આપણે ખાવી પડતી હોય છે. ખેર ધ્યાન મેડીટેશન આપણાં મનને ઓવર રિએક્ટ કરવામાંથી બચાવે છે, માનસિક ઇમ્બૅલન્સ કરેક્ટ કરે છે. આપણાં ગુસ્સાને કાબુમાં કરે છે. માનસિક મુશ્કેલીઓ સામે જે ડર હોય છે તેને કંટ્રોલ કરે છે. આમ ઈમ્યુન સિસ્ટમમાં પણ વધારો થાય છે અને ક્રૉનિક  કે વંઠેલ રોગો સામે લડી પણ શકાય છે.

     અમેરિકામાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના John Kabat-Zinn નામના એક સંશોધકે ધ્યાનનો એક પ્રોગ્રામ ડિવલપ કર્યો છે. નામ આપ્યું છે Mindfulness-Based Stress Reduction Therapy (MBSR). બુદ્ધના અનાપાનસતી કે વિપશ્યના ધ્યાન કહો કોઈ ફરક નથી. આ મેડીટેશનમાં મહત્વનું છે શ્વાસ ઉપર ફોકસ કરવું અને મન બીજે ભટકતું હોય ભૂત કે ભવિષ્યમાં એને વર્તમાનમાં સ્થિત કરવું.  Richard Davidson અને તેના સાથીઓ દ્વારા ૨૦૦૩માં એક સ્ટડી થયેલો તે મુજબ તંદુરસ્ત લોકોના એક સમૂહને આઠ અઠવાડિયા આ પ્રકારે ધ્યાન કરાવતા તેમના બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિની પૅટર્ન બદલાઈ ગઈ હતી. એમના બ્રેનના ડાબી બાજુના ભાગ વધારે સક્રિય બન્યા હતા. એમના શરીરમાં antibody વધ્યા હતા. એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ સામે વધી હતી.

   ધ્યાનથી બીજો એક ફેરફાર ધ્યાનમાં આવ્યો છે કે બ્રેનના hippocampus વિભાગના ગ્રે મૅટરમાં વધારો થયેલો, જે વિભાગ મૅમરી અને લર્નિગ માટે મહત્વના હોય છે, અને amygdale વિભાગના ગ્રે મૅટરમાં ઘટાડો નોંધાયો જે pre-cortical alarm system માટે ઇનિશિએટર છે. આનાથી એવું તારણ નીકળે કે meditation increases conscious control over emotional, behavioral, and attentional response to threat.

  Chris Brown અને તેના સાથીઓ (University of Manchester) જણાવે છે કે માઈન્ડફુલનેસ ધ્યાન પ્રયોગથી જ્યારે કોઈ દર્દ થાય તેવું બને જેવું કે સામાન્ય ઇલેક્ટ્રિક શૉક લાગે કે કોઈ ગરમ વસ્તુને હાથ લાગી જાય ત્યારે prefrontal કૉર્ટેક્સમાં થતી અસામાન્ય હલચલ ઓછી કરે છે. એનાથી જે લોકો નિયમિત ધ્યાન કરતા હોય તેમને દર્દ બીજા લોકો કરતા ઓછું થતું હોય છે.

બીજો એક મોટો ફેરફાર ધ્યાન કરતા એ થતો હોય છે કે બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિ જમણા વિભાગથી ડાબા વિભાગ તરફ સક્રિયતા દાખવતી હોય છે જેના લીધે પૉઝિટિવ લાગણીઓ જેવી કે પ્રેમ અને કરુણામાં વધારો થતો હોય છે.

Simple Breath Awareness Meditation Instructions:

                #  આરામદાયક શાંત, કોઈ દખલ ના કરે તેવી જગ્યા પસંદ કરવી.

#  આસન ઉપર કરોડરજ્જુ સીધી રહે તેમ બેસવું.

#  શ્વાસ અંદર જાય અને બહાર જાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

#  શ્વાસને નૉર્મલ વહેવા દેવો, એના લયમાં કોઈ ફેરફાર કરવો નહિ.

   એની જાતે  કોઈ   ફેરફાર થાય તે જોતા રહેવું.

#  મન બીજે જતું રહે તે પણ જોવું અને મૃદુતાથી પાછું વાળીને ફરી શ્વાસ    ઉપર કેન્દ્રિત  કરવું.

#  શ્વાસોચ્છવાસને ઑબ્ઝર્વ કરવાનું ૧૫-૨૦ મિનિટ ચાલુ રાખવું. 

કારણ વગરના ભય નાબૂદ કરવા માટે ધ્યાન બહુ મદદરૂપ થાય છે. તણાવમુક્ત રહેવા માટે પણ મદદરૂપ થાય છે. ધ્યાન બ્રેનની કસરત છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર નથી. ધ્યાન કહેવાતા ધર્મથી પરે છે. બાવાઓ ધ્યાન કરતા નથી, ખાલી કથાઓ કરે છે. “Meditation is the medicine for mind, anybody can use It.” ઔષધ તો ફક્ત ઔષધ છે. કોઇપણ બીમાર એને વાપરી શકે છે. અમુક ઔષધ બીમાર ના હોવ છતાં ઈમ્યુન સિસ્ટમ વધારવા લોકો વાપરતા હોય છે, જેમકે ચ્યવનપ્રાશ. મેડિસિન ઉપર ધર્મનું લેબલ કોઈ મારતું નથી. ડિપ્રેશન, ચિંતા, ફોબિઆ મનની બીમારી છે. મહાવીરે આખી જિંદગીમાં ક્યારેય પ્રાર્થના કરી નથી. ઉપરના રિસર્ચ રિપૉર્ટ ઉપરથી સમજાય છે કે ધ્યાન કરતા બુદ્ધ અને મહાવીરે અભયના સૂત્રો આપ્યા. પ્રેમ અને કરુણા વડે જગને જીતવાનો દાખલો આપ્યો. Amygdala માં થતી કારણ વગરની કલ્પનાઓ દ્વારા રચાતી વિવિધ છબીઓને (ભગવાન) નકારી, નિર્ગ્રંથ બન્યા, અભય પામ્યા.

ભય થી અભય તરફ.(Hard Truths About Human Nature).

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”