Category Archives: વિવાદ

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

અમુક સંપ્રદાયોમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ ફરમાવેલી હોય છે. તામસિક ખોરાક ગણાય છે. લસણ ડુંગળી  ખાનારો તામસિક ગણાય. ખોરાક માત્ર ખોરાક હોય છે એમાં જાતજાતના ન્યુટ્રિશન હોય છે. ઘી દુધને સાત્વિક ખોરાક ગણવામાં આવે છે. અને ઘી જેવી જ સરખી ધરાવતું માંસ તામસિક ગણાય છે. લસણ ડુંગળી ખાધા પછી ખાસ તો મોઢામાંથી લસણ ડુંગળીની તીવ્ર વાસ આવતી હોય છે. કદાચ એના લીધે પણ મનાઈ ફરમાવેલી હોઈ શકે. બીજું એક માઈન્ડમાં કંડીશનિંગ થઈ જાય કે લસણ ડુંગળીની વાસ આવે તો ખરાબ ગણાય, બાકી કાયમ લસણ ડુંગળી ખાનારા કુટુંબમાં એની વાસ કોઈને ખરાબ લાગતી નથી.

માનવીના પરસેવાની ગંધમાં તેની જેન્ડર, જિનેટિક સુસંગતતા અને એની રીપ્રોડક્ટીવ અવસ્થા વિશેની અદ્ભુત માહિતી સંગ્રહાયેલી હોય છે. દરેક માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ માટે કારણભૂત જિન્સનું જૂથ માનવીની યુનિક ગંધ માટે પણ જવાબદાર હોય છે. આપણે અચેતનરૂપે શરીરની ગંધ શ્વાસમાં લઈએ છીએ અને તેના ઉત્પાદક પ્રત્યે આકર્ષાઈએ છીએ. શરીરની ગંધ પાછળ આમ સેકસુઅલ સિલેક્શન થિયરી જ કામ કરતી હોય છે. We sniff out the best mates. એરેન્જ મેરેજમાં આ લાભ જતો કરવો પડતો હોય છે.

આપણી નાસિકા નીચે આનાથી પણ વધુ રંધાતું હોય છે એવું સંશોધકો માનતા હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમને ધ્યાનમાં લઈને આપણે આપણાં લાઇફ પાર્ટનરની તંદુરસ્તીને નજરઅંદાઝ ના કરી શકીએ. એના પોષણયુક્ત ખોરાક લેવાની આદત વડે જાણી શકીએ કે એની તંદુરસ્તી કેવી હશે. સારી તંદુરસ્તી ઉત્તમ ફર્ટીલીટી અને મજબૂત  સ્ટેમિના દર્શાવે છે. પ્રાણી જગતમાં ઢગલો પુરાવા છે કે તંદુરસ્ત ખોરાક ખાવાવાળા સેક્સમાં વધુ ઊતરતા હોય છે. Meadow voles-એક જાતના ઉંદરમાં નર અને માદા એવા પાર્ટનરની ગંધ પસંદ કરે છે જે હાઈ પ્રોટીનયુક્ત ખોરાક ખાતા હોય છે. જે પ્રાણીઓને જે તે દિવસમાં ખોરાક ઉપલબ્ધ થતો નથી તે દિવસે એટ્રેક્ટીવ ગંધ ઓછી પેદા કરતા હોય છે. આ બધું જીવવિજ્ઞાનીઓ સંશોધનો બાદ કહેતા હોય છે.

તો પછી સ્ટ્રોંગ સ્મેલ મારતા હેલ્ધી ખોરાક લીધા પછી શું થતું હશે? જેવા કે લસણ…

સંશોધકોએ એક ગ્રૂપને ગાર્લિક ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ સ્લાઈસ એક અઠવાડિયા માટે રોજ ખાવાની સૂચના આપેલી. અને ત્યાર પછી બીજા અઠવાડીએ સાદી ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ ખવડાવેલી. આ સમયે દરેકે એક પેડ બગલમાં પહેરી રાખવાના હતા. પછી થોડી સ્ત્રીઓને પેલાં પેડ સૂંઘીને કઈ ગંધ એટ્રેક્ટીવ લાગી તે જણાવવાનું હતું. પુરુષો તો એના એજ હતા, પણ જ્યારે તે લોકો ગાર્લિક ચીઝ બ્રેડ ખાતા હતા તે સમયે બગલમાં પહેરેલા પેડની ગંધ સ્ત્રીઓને વધુ એટ્રેક્ટીવ અને સુખદાયી લાગેલી અને તે જ પુરુષોએ જે અઠવાડીએ સાદી ચીઝ લગાવેલી બ્રેડ ખાધેલી તે સમયના પહેરેલા પેડની ગંધ ઓછી એટ્રેક્ટીવ લાગેલી. આ પ્રાથમિક પરિણામો માનવામાં ના આવે તેવા હતા અને લસણનો ખાવામાં ઉપયોગ શરીરની ગંધ માટે હકારાત્મક છે તે માનવું પડે એવું  થયું.

વૈજ્ઞાનિકોનું માનવું થયું કે લસણ એના antioxidants વડે શરીરની ગંધ પર પ્રભાવી બને છે, જે ખરાબ ગંધ વિરુદ્ધ રક્ષણાત્મક બને છે અને બીજું લસણ એન્ટીબાયોટીક ગુણ પણ ધરાવે છે જે બગલમાં પેદા થતી ખરાબ ગંધ ઓછી કરે છે. બંને રીતે જોઈએ તો લસણનો ઉપયોગ અને તેના વડે પેદા થતી શરીરની ગંધ તમારા હેલ્ધી મેટાબોલીઝમની જાહેરાત કરે છે. ચાલો સીધી રીતે લસણ ખાવાથી મુખમાંથી આવતી ગંધ અપ્રિય લગતી હશે પણ તેના પેટમાં પચ્યા પછી અને લોહીમાં ભળ્યા પછી તેના વડે શરીરને પ્રાપ્ત થતી આડકતરી ગંધ અપ્રિય નહિ પણ ખુબ પ્રિય લાગે તેવી હોય છે, જે તમારી સારી તંદુરસ્તીની ચાડી ખાતી હોય છે. અને સારા તંદુરસ્ત લાઇફ પાર્ટનર કોને ના ગમે??

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

શું આપણે આઝાદ થયા છીએ?

શું આપણે આઝાદ થયા છીએ?

આઝાદીને ૬૫ વર્ષ વીતી ગયા. શું આપણે આઝાદ થયા છીએ? સ્વતંત્ર થયા છીએ? એક દિવસ એવો જતો નથી કે કોઈ રાજકર્તા કે ધર્મકર્તાનું સ્કેન્ડલ બહારા ના પડે. રોજ કોઈને કોઈ રાજકારણી,  કે ધર્મકારણીનું નાનું કે મોટું ગમે તે પ્રકારનું  કૌભાંડ બહાર પડતું જ હોય છે. અને જો કોઈ કૌભાંડ બહાર પડ્યા વગરનો દિવસ જાય તો એવું લાગે કે આજે સૂર્ય ઊગવાનો નથી કે શું? પ્રજા પણ જાણે ટેવાઈ ગઈ છે. થોડો ઊહાપોહ અને જાણે બીજા કૌભાંડ બહાર પડવાની રાહ જોતી હોય તેવું લાગતી હોય છે જેથી બે ચાર દિવસ જે મસાલો વાતો કરવાનો પૂરો પડ્યો, પછી હતા ત્યાંને ત્યાં. ધર્મગુરુઓ વેપારી બની ચૂક્યા છે અને હવે તો હિંસક પણ બનવા લાગ્યા છે. પ્રજામાં વિરોધ કરવાની હવે શક્તિ જ જાણે બચી નથી. આ લોકો કોઈ પણ હદે જઈ  શકે છે. નિર્મળબાબા કરોડો લોકોને રોજ મૂરખ બનાવતા હતા, જાણે દેશનું બુદ્ધિધન ઘાસ ચરવા ગયું છે. અને ખરેખર એવું લાગે છે કે હવે બુદ્ધિ અને તર્ક કઈ બલા છે તેવું પુછાય તો નવાઈ નહિ લાગે. કોઈ મારા જેવો વિરોધ કરે તો રેશનાલીસ્ટ કે સો કોલ્ડ બુદ્ધિવાદી કહીને ગાળ દેવામાં આવે છે. બુદ્ધિયુક્ત કે તર્કયુક્ત સવાલ પૂછો તો લાગણીવિહીન સમજી લેવાય છે. છે ને હસવા જેવી વાત? ગુરુ હવે ગેન્ગસ્ટરનો પર્યાય બનવા લાગ્યો છે. સેવાભાવી ટ્રસ્ટના નામે આશ્રમો ખોલીને બેસી જવાય છે. જેથી ઇન્કમ ટૅક્સમાં રાહત મળે, અને ધાર્મિક ટ્રસ્ટ હોય એટલે પછી કઈ પૂછવાનું રહે નહિ. ધાર્મિક વડાઓને વાદે દેશના કહેવાતા સેવકો પણ આશ્રમો ખોલીને બેસી જાય છે. સાબરમતી, વર્ધા અને પવનારના આશ્રમો ટુરિસ્ટ લોકો માટે હવે ફક્ત જોવાના સ્થળ રહી ગયા છે. ધર્મ, મોક્ષ, પરલોક, આત્મકલ્યાણનાં નામે આપણે પલાયનવાદ સિવાય કશું શીખ્યા નથી.

 

ભૂતકાળના મીનીસ્ટરો પર આજે કેસ ચાલતા હોય છે. સાબિત ના થાય ત્યાં સુધી પાછો ગુનેગાર ગણાય  નહિ, આમ હજારો ગુનેગારો રાજકાજ કર્યા કરતા હોય છે. એક પણ પક્ષ ઉપર ભરોસો કરાય તેવું રહ્યું નથી. સત્તા વગરના પક્ષો ડાહી ડાહી વાતો કરતા હોય છે. શાસક પક્ષની શક્ય વગોવણી કરતા હોય છે. એમાં માત્ર તમે ફાવી ગયા અને અમે રહી ગયા તે જ ભાવના હોય છે. આ દેશને લૂંટવાનો અમારો વારો ક્યારે આવશે તેની જ રાહ જોવાતી હોય છે. પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. પ્રજા પાસે કોઈ ચોઈસ હોતી નથી. પ્રજા બચારી અખતરા કર્યા કરતી હોય છે. એકને ઉતારી બીજાને ગાદી બેસાડે, બીજાને ઉતારી પહેલાને ગાદી બેસાડે.

 

દિલ્હીનાં તખ્ત પર પૃથ્વીરાજ બેસે, અકબર બેસે, અંગ્રેજ બેસે કૉંગ્રેસ બેસે કે ભાજપા પ્રજાને કોઈ ફરક પડતો નથી. એમનું ગાડું ગબડે જાય તો પત્યું. જે લડાઈઓ છે તે તખ્ત કબજે કરવાની ઇચ્છા ધરાવનારાઓની છે. તખ્ત કબજે કરવા નાં છુટકે ક્યાંક બિન સત્તાધારીઓ પ્રજાને હલાવે છે. તે પણ જરૂર પૂરતી. તખ્ત મળી ગયું વાર્તા પૂરી.  ક્યાંક કોઈ રાણો પ્રતાપ, કોઈ ગોવિંદસિંહ કે શિવાજી એકલાં એકલાં ઝઝૂમે છે.  રાણા પ્રતાપનું ક્ષેત્ર મર્યાદિત હતું. એક વણિક  પ્રજાને હાથમાં તેગ અને દેગ આપી , કચ્છ-કડુ-કિરપાણ  આપી બહાદુર બનાવવી  કોઈ નાનીસુની વાત નહોતી. પણ  ગુરુ ગોવિંદસિંહને એમના સમૂહ પૂરતો રસ વધુ હતો. એમને એમના શીખોમાં જ રસ હતો. આખા દેશની પ્રજાને જાગૃત કરવાનો વિચાર આવ્યો નહોતો. કારણ તે ધાર્મિક ગુરુ હતા. અને આવ્યો હોત તો પણ અલગ અલગ ચોકામાં વહેંચાયેલી પ્રજા માનત કે કેમ? ખાલસા પંથની સ્થાપના સમયે એમણે જાહેર કરી દીધેલું કે હવે આપણે શીખ છીએ અને હવેથી કોઈએ હિંદુ અને મુસ્લિમ રિવાજો પાળવાની જરૂર નથી. આમ તેઓ હિંદુ નથી તે આડકતરી રીતે કહી દીધું હતું.

 

શિવાજી માટે દક્ખણમાં બધું સમાઈ જતું હતું. દખ્ખણ પણ મર્યાદિત હતું, મહારાષ્ટ્ર પૂરતું. આ બળવાન મહાપુરુષોએ આખા દેશને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જણાતું નથી. એમના ક્ષેત્રો એમના પૂરતા મર્યાદિત હતા. પૈસા ખૂટ્યા તો શિવાજી બે વાર ગુજરાતને(સુરત) લૂંટી ગયા હતા. છતાં આપણે એમના માટે ગર્વ અનુભવીએ છીએ કે આ માણસે ધર્માન્ધતાને ખાળી હતી. એના રાજ્યમાં ક્યારેય કોઈ મુસલમાનને તકલીફ પહોચી નહોતી.  અંગ્રેજો આખા હિન્દુસ્તાનને કબજે કરીને બેસી ગયેલા હતા. ૧૮૫૭ના બળવાને આપણે ક્રાંતિ કહીશું? કે જે રાજાઓના રાજ્યો અંગ્રેજોએ ખાલસા કર્યા હતા તેમની સત્તા પાછી મેળવવાની લડાઈ માત્ર હતી? ૧૮૫૭નાં વિપ્લવવાદીઓને બહાદુર ગણાતાં શીખોનો સાથ જરાય નહોતો મળ્યો. ઉલટાની એ લોકોએ અંગ્રેજ ફોજોને મદદ કરેલી. ખાબોચીયાઓમાં વહેંચાયેલા રાજાઓ ઉદાસીન રહ્યા. રોટી અને કમળ વહેંચીને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.  સદીઓથી સુસ્ત રહેલી પ્રજાને જગાડવી બહુ મુશ્કેલ કામ છે. કાલ્પનિક પરલોકની ચિંતામાં આ પ્રજા એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે આ લોકમાં જે થવું હોય તે થાય આપણે શું એવો રવૈયો લોહીમાં વણાઈ ગયો છે. ગુજરાતમાં આ વિપ્લવની અસર નહિવત્ હતી. જે અસર હતી તે મધ્ય ભારતમાં હતી. વડોદરાના ખંડેરાવ  જેવા અનેક રાજાઓએ નાનાસાહેબ પેશ્વા આણી મંડળીને સાથ નાં આપ્યો. કૌવત વગરના રાજા-પ્રજાના સૈન્ય શિસ્તબદ્ધ હોશિયાર અંગ્રેજોમાં સામે હારી ગયા.

 

આઝાદીની લડત સમયે આખા દેશને જગાડવાનો પ્રયત્ન  જરૂર થયો હતો, પણ એ કોઈ ફ્રેંચ રેવોલ્યુશન જેવી મહાન ક્રાંતિ હતી કે જેણે આખા યુરોપને ઝકઝોળી નાખ્યો હતો? કે ખાલી સત્તાપરિવર્તન હતું? વિદેશી લુટારાઓના હાથમાંથી દેશી લુટારાઓના હાથમાં થયેલું સત્તાપરિવર્તન માત્ર હતું?  પ્રૉબ્લેમ એ હતો કે તે સમયે શસ્ત્ર અહિંસાનું અપનાવેલું હતું. સર્વાઈવલ માટે લડવું એને હિંસા ના કહેવાય. ૨૦૦ મિલિયન(૨૦૦૦ લાખ) વર્ષથી મેમલ સર્વાઈવલ માટે લડતા આવ્યા છે. નૉર્મલ હિંસા કરતા આવ્યા છે. સર્વાઈવલ માટે નૉર્મલ હિંસા આપણા જિન્સમાં સમાયેલી છે. એક નાના નોળિયો(મંગૂસ) સિંહ સામે થઈ જતો હોય છે જીવ પર આવી જાય ત્યારે. સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ કરવી હોય તો પુષ્કળ ધન, સશ્ત્રો, પુરવઠો જોઈએ. સાથે સાથે જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવનારા સેનાપતિઓ અને પૂરતું આયોજન જોઈએ. જે આપણી શક્તિ બહારનું હતું. ધાર્મિક અતિરેકે યોદ્ધાઓની ખેતી ભારતમાં લગભગ બંધ જેવી હતી. જ્યાં સુધી આઝાદીની લડત ચાલતી રહી પ્રજાના અવચેતનમાં હિંસા જમા થતી રહી. અંગ્રેજો સામે હિંસા કરી હોત તો તે નૉર્મલ હતું. તમને કોઈ લાઠી મારે તો ભલે અહિંસાનું વ્રત લીધું હોય મારનાર ઉપર ક્રોધ તો ચડે જ છે. અને આ સમાચાર જાણી એમાં પ્રત્યક્ષ ભાગ ના લેનારાને પણ મારનારા પર ક્રોધ ચડે જ છે.  ૧૦ લાખ ભારતીય હિંદુ મુસ્લિમ અંગ્રેજો સામે લડ્યા હોત…મર્યા હોત તો દેશ આજે જુદો હોત. બસ આઝાદી મળી ગઈ અને હિંસા ભડકી ઊઠી. એને શરુ થતા ગાંધીજી પણ રોકી શક્યા નહિ. છેવટે ધર્મ આડે આવી જ ગયો. ધર્મના નામે દુનિયાના સૌથી મોટા પડેલા ભાગલા અને હત્યાઓ એટલે ભારતની આઝાદીનું પરિણામ..  ૧૦ લાખનું બલિદાન લીધા પછી હિંસાનો અગ્નિ બુઝાયો.

ઘેટાના ટોળાં હિંસા કરી શકે ક્રાંતિ નહિ. આપણી સહિષ્ણુતા મજબૂરી છે. આપણે કમજોર છીએ માટે સહનશીલ છીએ, સમજદાર છીએ, સાલસ અને સરળ છીએ. આપણે કમજોર છીએ માટે અહિંસક છીએ. રાજકર્તાનો ટેકો મળે તો આપણે હિંસક બનતા વાર કરીએ તેવા નથી. આપણે બિનસાંપ્રદાયિકતાનાં ગીતો ગાઈએ છીએ કેમકે આપણે ડરપોક છીએ. આપણે સાંપ્રદાયિક છીએ કેમકે આપણે કમજોરી મહેસુસ કરીએ છીએ. બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ધમાલ મચાવે છે પણ આપણે વખોડી શકતા નથી. એ સમયે આપણી ડરપોક બિનસાંપ્રદાયિકતા ચુપ રહેવાનું મુનાસિબ સમજે છે. મોદીના ઝનૂની ભક્તો અને ઝનૂની વિરોધીઓ જરા તમારી અંદર ટટોળી જુઓ તો પેલો ડર તો અંદર નથી બેઠો ને?

 

અવતારવાદની થીયરીએ એક જબરદસ્ત ભ્રમ ઊભો કરી નાખ્યો છે.  એક ભ્રમ દૂર કરવા એનાથી મોટો ભ્રમ પાળવો મને તો યોગ્ય લાગતું નથી. પ્લસીબો અસલી દવાની જગ્યા ક્યારેય ના લઈ શકે. હંગામી રાહત કે દિલાસો જરૂર આપે.   વિધાતા પર વિશ્વાસ રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ભજન કરો, આરતી ઉતારો, દુખ સારું, સુખમાં છકી જવાય, દુઃખમાં પ્રભુ સાંભરે માટે દુખ સારું, ગયા જનમના કર્મ ભોગવીએ છીએ માટે ચુપચાપ સહન કરો આવતા જન્મે સુખ જ સુખ છે. ગેસનો બાટલો ૬૦ રૂપિયાથી ક્રમશઃ ૪૦૦ રૂપિયા પહોચી જાય, નો પ્રૉબ્લેમ. આપણે તો  સહનશીલ  કહેવાઈએ. સહન કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે તેનો કોઈ ઉપાય નથી. ભૂખ્યાજનો ક્રાંતિ કરી શકે નહિ. એમને ખાવાની પડી હોય છે સુધારાની નહિ. પેટમાં અન્ન  ના પડ્યું હોય તો બ્રેઈન બંધ થઈ જતું હોય છે. મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી. ધરાયેલા લોકો હતા.  ખુદ ગાંધીજી જેવા અપરિગ્રહી માણસને પણ બિરલા જેવા સાથ આપતા હતા. અનેક નામી અનામી લોકો ફંડ આપતા હતા. અમુક રાજામહારાજાઓ પણ ખાનગીમાં ફંડ આપતા હતા. ગોંડલનાં મહારાજા ભગવતસિંહ ગુપ્ત રીતે ગાંધીજીને મદદ કરતા હતા તેવું વાંચેલું છે.  ૧૮૫૭નો બળવો કોણે કરેલો? ..સાધન સંપન્ન પેશ્વા અને ઝાંસીની રાણી જેવા લોકોએ કરેલો. દુર્ભાગ્યે સફળ ના થયા. આઝાદીની ચળવળ શરુ કરનારા કોણ હતા? લગભગ મોટાભાગના બૅરિસ્ટર અને વકીલો હતા, બુદ્ધિજીવી હતા, ચિંતકો હતા. એમાય આજના જમાનામાં તો ગરીબનું કામ જ નથી કે કશું નવું સુધારાનું કામ કરી શકે.

 

બુદ્ધિજીવી, ભણેલા ગણેલા લોકોએ રાજકારણમાં રસ લેવો જ પડશે. પ્રજાએ પણ આવા લોકોને ચૂંટણી લડવા મજબૂર કરવા પડશે. એક તો પહેલા ઘરડા ગાડાં વાળે તે કહેવત કોરાણે મૂકી દેવી પડશે. યુવાન લોકોને સત્તા સોંપવી પડશે. ઉંમર વધતા પુરુષના શરીરમાંથી testosterone લેવલ નીચું જવા માંડતું હોય છે. લગભગ ૪૨ વર્ષ પછી આ મર્દાનગી હોર્મોન્સ ઓછું થવા લાગતું હોય છે. માણસ સ્વભાવે ઢીલો પડતો જાય છે. આક્રમકતા માટે જવાબદાર આ હોર્મોન ઓછું થવાથી સખત નિર્ણય લેવામાં માણસ નબળો પડે છે. સત્તાધીશોએ મોટાભાગે આકરાં નિર્ણય લેવા જ પડતા હોય છે. આપણી કબરમાં પગ લટકાવી બેઠેલી નેતાગીરી પછી કઈ રીતે કસાબને ફાંસી આપી શકે? ઘરડા માણસને બધાને ખુશ રાખવાની પડી હોય છે. રાજીવ ગાંધી સિવાય ભારતે ક્યારેય યુવાન વડોપ્રધાન જોયો નથી. અને યુવાન રાષ્ટ્રપતિ તો જોયો જ નથી. ઘડપણ માણસને નાહિંમત બનાવી દેતું હોય છે.  એક વર્લ્ડ  ટ્રેડ  સેન્ટર અને એમાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કરવા અમેરિકા આખા અફઘાનિસ્તાનને ધમરોળી નાખે છે. ઓબામા લાદેનને પારકા પ્રદેશમાંથી ઊચકી લેવડાવે છે. આપણી બીમાર વૃદ્ધ નેતાગીરી ખંધાર જઈને માનવતાના શત્રુઓને સામે ચાલીને મૂકી આવવામાં ગર્વ અનુભવે છે. એ પ્લેઇનમાં  માર્યા ગયેલા જસ્ટ મેરીડ યુવાનની વિધવાને મળવાનું સૌજન્ય આપણો  સરખું ચાલી ના શકતો વડોપ્રધાન દાખવી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં એક  કહેવત છે મોઢું વાઘનું અને પૂંઠ શિયાળની. એ યુવાન વિધવાને મળવાનું સૌજન્ય દાખવે છે બીલ ક્લીન્ટન. વડાપ્રધાન માટે ૩૫ થી ૫૮ વર્ષની ઉંમરનો નિયમ રાખવો જોઈએ. જે માણસ ઝડપથી ચાલી શકતો ના હોય તે ઝડપથી શું નિર્ણય લેવાનો હતો? પુરુષની જેમ ઉંમર વધતી જાય તેમ testosterone ઓછું થતું જાય સાથે સાથે સ્ત્રૈણ હાર્મોન્સનું જોર વધતું જતું  હોય છે.  રાજાના માથે એક સફેદ વાળ દેખાય અને યુવરાજને ગાદી સોંપી દેતા. એ રિવાજ ખોટો નહોતો.

 

સંભવામિ યુગે યુગે નિત્ય ગાયા કરતી પ્રજા પાસેથી તમે ક્રાંતિની આશા કઈ રીતે રાખી શકો?

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

કરીએ કદર કસરતની

 

કરીએ કદર કસરતની
આપણ ગુજરાતીઓના દિલમાં હનુમાનજી વસેલા છે પણ અખાડો નહિ. આપણે હનુમાનજીને તેલ ચડાવી તેલનો બગાડ કરીએ છીએ પણ જાતે તેલ માલીશ કરીને હનુમાનજી જેવું શરીર સૌષ્ઠવ કેળવવાનું વિચારતા નથી. આપણે ગુજરાતીઓ અખાડાપ્રેમી પ્રજા નથી. આપણે કસરતના દીવાના જરાય નથી. આપણાં યુવાનોને માણેકચંદ ખાવામાં ખૂબ રસ પડે પણ પ્રો. માણેકરાવનાં અખાડામાં જવામાં જરાય રસ નો પડે. એવા કેટલાય  ગુજરાતી યુવાનો હશે જેમણે ક્યારેય અખાડો જોયો નહિ હોય., અને એવો મરાઠી યુવાન ભાગ્યેજ જોવા મળશે જેણે અખાડો ના જોયો હોય. ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રજા અખાડાપ્રેમી છે. હરિયાણા પંજાબની પ્રજા પણ ખૂબ અખાડાપ્રેમી છે. અમદાવાદમાં સારા એવા પ્રમાણમાં અખાડા છે કારણ અમદાવાદમાં થોડો સમય મરાઠા રાજ કરી ગયા હતા. વડોદરામાં ગલીએ ગલીએ એક અખાડો હોય જ. જ્યાં જ્યાં ગાયકવાડનું રાજ તપતું હતું તે દરેક ગામમાં એક અખાડો,એક પ્રાથમિક શાળા અને એક લાઇબ્રેરી હોવી જ જોઈએ તે સરકારી નિયમ હતો. અમારું માણસા ગાયકવાડની આણ નીચે નહોતું. માટે આજે પણ ત્યાં અખાડો નથી. આઝાદી પછી વિજાપુર તાલુકો હોવાથી પિતાશ્રીને વકીલાત કરવા વિજાપુરમાં વસવું પડેલું. વિજાપુર ગાયકવાડી ગામ હોવાથી ત્યાં અખાડો હતો. એક  સરસ મજાની વિશાલ લાઇબ્રેરી હતી. અમારા પુરાણી સાહેબ અમને તે અખાડામાં લઈ જતા. દંડ બેઠક મરાવતા, કુસ્તીના દાવપેચ શીખવતા. પુરાણી ભાઈઓએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં મહત્વનો ફાળો આપેલો પણ કસરત પ્રત્યે સ્વાભાવિક ઉપેક્ષાએ ધીમે ધીમે પુરાણી ભાઈઓની મહેનત માથે પડી હતી. વડોદરાનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર હજુ અંબુભાઈ પુરાણીની યાદ આપતું ઊભુ છે. વડોદરામાં હજુ પણ પ્રોફેસર માણેકરાવનો અખાડો ઊભો છે. એમની યાદમાં એક રોડનું નામ પ્રોફેસર માણેકરાવ રોડ પણ આપેલું છે.
મારા પિતાશ્રી પોતે અખાડીયન હતા. અમને સૂર્ય નમસ્કાર કરાવતા. વાંચવાનો અને કસરત કરવાનો શોખ અમને પિતાશ્રી તરફથી મળેલો. સૂર્યનમસ્કાર સારી કસરત છે.એમાં અમુક આસનો, દંડ, બેઠક, સ્ટ્રેચિંગ બધું ભેગું આવી જાય. પણ સલમાનખાન જેવું બોડી બનાવવું હોય તો સૂર્યનમસ્કાર નો ચાલે. આપણે સલમાનખાનના ઉઘાડા શરીરને જોઈ ખુશ  થનારી પ્રજા છીએ પણ એના જેવી મહેનત કરી શરીર બનાવવાવાળી નહિ. દારાસિંહ અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ બોલીવુડમાં હતા પણ એમની કોઈ અસર કે પ્રેરણા જોવા નહોતી મળતી. સલમાનખાન આવ્યા પછી અને તેના પછીના મોટાભાગના  અભિનેતાઓ શરીર બનાવીને આવવા માંડ્યા પછી યુવાનોમાં જિમ જવાનો શોખ વધ્યો હશે. ભારતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં આદિ શંકરાચાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. નાગા બાવાઓની એક આખી જમાત ઊભી કરી હતી જે શસ્ત્રો વાપરવામાં પણ નિષ્ણાત હતી. વિજાપુરમાં ખાક ચોક તરીકે ઓળખાતું એક મંદિર હતું. ત્યાં કાયમ ધૂણો ધખતો અને ત્યાં આવતા બાવાઓ કસરત કરતા, કુસ્તી પણ કરતા. અમે નાના બાળકો ત્યાં જોવા પણ જતા. ગોસ્વામી અટક લખાવતો યુવાન જો માયકાંગલો હોય તો તે આદિ શંકરાચાર્યનું અપમાન કહેવાય. આર્યસમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી પોતે પહેલવાન હતા. પાખંડીઓનાં સ્વર્ગ સમાન ગુજરાતમાં આ ગુજરાતના રત્નને સભાનપણે ઉપેક્ષિત કરાયા છે પણ હરિયાણાએ એમનું ખૂબ માન જાળવ્યું છે.
ગાંધીજીને પણ કસરત પ્રત્યે અણગમો હતો. અખાડામાં તો ગુંડાઓ જાય તેવો પૂર્વગ્રહ ધરાવતા હતા. અહિંસાને અખાડા પ્રત્યે સ્વાભાવિક અણગમો હોય. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં અહિંસક ધર્મનું પ્રભુત્વ  વધ્યું હતું. અહિંસાનો અતિરેક કુમારપાળ રાજાના સમયમાં થઈ ગયેલો. માથામાં પડેલી ‘જુ’ મારવાની પણ મનાઈ હતી. “યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા ઘેંટા.”  અહિંસા આવી અખાડાનું ઉઠમણું થઈ ગયું. ધર્મોની આપણાં સમાજ ઉપર ભારે અસર હોય છે. ગુજરાતમાં જૈન ધર્મ,  વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયનું ખૂબ જોર છે. આ ત્રણેમાંથી એકેય અખાડાપ્રિય નથી. નાગાબાવાઓ ગિરનારમાં છુપાઈ ગયા છે. વડોદરામાં પોળે પોળે અખાડા હોવા છતાં એમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ વધુ જોવા મળે. છતાં એકંદરે વડોદરામાં કસરત પ્રત્યે પ્રેમભાવ સારો એવો જોવા મળે. એનું મૂળ કારણ ગાયકવાડ રાજાઓ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડ પોતે જબરા મલ્લ હતા. આખા વડોદરા રાજ્યમાંથી મજબૂત અને પહેલવાન જેવા માણસો ભેગાં કરતા. રાજના ખર્ચે ટ્રેનિંગ અપાતી અને એમની સાથે મહારાજા જાતે કુસ્તીમાં ઊતરતા. અતિશયોક્તિ હોઈ શકે પણ એવું કહેવાતું કે ખંડેરાવ મહારાજા તાંબા કે પિત્તળની કથરોટ હાથ વડે ચીરી નાખતા.
વડોદરા ગયા પછી હું મીસેકો જિમમાં જતો. મીસેકો જિમના નાયડુ સાહેબ બોડી બિલ્ડરોની સ્પર્ધા પણ યોજતા. મીસેકોના પહેલવાનો એમના મસલ્સનાં ટુકડે ટુકડા બતાવી સ્પર્ધા જીતી જતા. મને નકલ ઉપર પુશ અપ કરવાનો શોખ હતો. બહુ સમયથી છોડી દીધા છે છતાં હું આજે પણ રોડ ઉપર કે રફ રસ્તા કે પ્લાસ્ટર કે ટાઈલ્સ પર નકલ ઉપર પુશ અપ કરી શકું છું. નકલ એટલે હાથનો પંજો નહિ, મુઠ્ઠી જમીન પર મૂકીને કરવામાં આવતા પુશ અપ. ઘણા યુવાનોને સામાન્ય કસરત, બોડી બિલ્ડિંગ માટે કરવામાં આવતી વેઇટ લીફટીંગની કસરતો વિષે સમજ જરાય હોતી નથી. વડોદરામાં અભ્યાસ કર્યા બાદ હું થોડા વર્ષ માણસા રહેલો. તે સમયે પી.એસ.આઈ. ની જોબ માટે ઘણા બધા અમારા રાજપૂત યુવાનોએ એપ્લાય કરેલું. એમાં પ્રથમ લેખિત પરીક્ષા હતી અને એમાં પાસ થાય પછી ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો. આ બધા માણસા કૉલેજના મેદાનમાં દોડવાની પ્રેક્ટીસ કરવા જતા. આમાં ઘણા બધા યુવાનો તો આમજ રમવા સમય પસાર કરવા જતા, તેઓને કોઈ ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો નહિ. સાંજે બધા ભેગાં થઈએ તો ઘણા કહે આજે તો ૫૦ કિલો વજન ઊચકી કસરત કરી, કોઈ કહે આજે ૬૦-૭૦  કિલો ઊચકી કસરત કરી. મને સાંભળી ખૂબ નવાઈ લગતી કે આટલું  બધું વજન ઊચકી આ લોકો કઈ કસરત કરતા હશે? એક દિવસ હું જાતે જોવા ગયો. આ મિત્રો એક બારની બે બાજુ પ્લેટો ભરાવી ઊચકતા ખભે સુધી લાવીને ફેંકી દેતા, કસરત પૂરી. મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું આ કસરત ના કહેવાય. ચાલો હું બતાવું તેમ કરો. મેં ખાલી પાંચ પાંચ અને ઘણાને તો ખાલી અઢી અઢી કિલો વજનની  પ્લેટો ભરાવીને બાયસેપ અને ટ્રાયસેપ માટે દસ દસના ત્રણ સેટ મરાવ્યા. આટલું ઓછું વજન જોઇને તે લોકો હસતા હતા મારી ઉપર. મેં કહ્યું એકવાર સેટ મારો તો ખરા પછી કહેજો. પછી મેં દરેકને બે બાજુ પાંચ પાંચ કિલોની પ્લેટો ભરાવી કૉલેજમાંથી એક બેંચ મંગાવી બેન્ચપ્રેસ મરાવી. આટલું જ વજન ઉચકાવી ફક્ત દસ દસ બેઠકો મરાવી. બીજા દિવસે પુચ્છ્યું,  કેવું છે ભાઈઓ?  બધા કહે તમે શું કરાવ્યું યાર? હલાતું પણ નથી. છાતીનાં મસલ્સ તો પહેલીવાર એવા દુખે છે  કે ના પૂછો વાત. મેં કહ્યું ૬૦-૭૦ અને ઘણાં તો ૧૦૦ કિલો ઊચકીને કસરત કરતા હતા ને બધા? ૫-૧૦ કિલોમાં ફટ ગઈ? વર્કઆઉટ કોને કહેવાય તે જ ખબર હોતી નથી. પી.એસ.આઇની લેખિત પરીક્ષામાં તે સમયે લગભગ બધા પાસ થઈ ગયા હતા, પણ કસરતના અભાવે ફક્ત એક જ ભાઈ ફીજીકલ ટેસ્ટમાં પાસ થયેલા. કારણ તે ભાઈ કૉલેજની બાસ્કેટબોલની ટીમમાં હતા. આજે તે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આશરે દસેક યુવાનોએ લેખિતમાં પાસ હોવા છતાં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જોબ ગુમાવી હતી.
જિમમાં આધુનિક વેઇટ લીફટીંગ કરીને કરવામાં આવતી કસરતોમાં પરિણામ જલદી મળે છે. પણ તે પ્રમાણે સારા પ્રોટીન યુક્ત પૌષ્ટિક ખોરાક પણ ખાવા પડે. નહીતો મસલ્સ વધીને વજન વધવાના બદલે વજન ઓછું થતું જાય. હા અતિશય વજન હોય અને વજન ઓછું કરવા કસરત કરતા હોવ તો જુદી વાત છે. છતાં સપ્રમાણ ખોરાક તો જરૂરી જ હોય છે. આવા વર્કઆઉટમાં મસલ્સ જલદી વધે તેમ છોડી દેતા મસલ્સ ઊતરી પણ જલદી જાય. માટે વર્કઆઉટ લાંબા સમય નિયમિત કરવા જરૂરી છે. યુવાનીમાં પાંચ વર્ષ સતત વર્ક આઉટ કરો તો પછી બોડી સરસ જામી જાય. જૂની અખાડાની કસરતોમાં મગદળ ફેરવવા, દંડ બેઠક મારવી, કુસ્તી કરવી મુખ્ય હતા. હવેના આધુનિક સાધનોની મદદ વડે થતા વર્કઆઉટમાં શરીરના દરેક મસલ્સ માટે અલાયદી વજન ઊચકીને કરવાની કસરત હોય છે. આમાં તમે જો દરેક મસલ્સને અનુરૂપ પ્રમાણસર કસરત ના કરો તો શરીર પણ સપ્રમાણ વધે નહિ. મતલબ તમે બાવડાં મજબૂત બતાવવા ખાલી બાયસેપ અને ટ્રાયસેપ જ માર્યા કરો અને સોલ્ડરની કસરત ઓછી કરો તો પરિણામ સામે જ હોય છે. મારા જાત અનુભવથી મેં એવા યુવાનો જોયા છે જેમના શરીરના ઉપરના અંગ ચેસ્ટ, બાયસેપ, બેક, સોલ્ડર, સિક્સ પેક બધું ઊડીને આંખે વળગે તેવું હોય પણ પગ જુઓ તો પાતળા હોય. થાઈ, પગની પીંડીઓ બધું સાવ પાતળું હોય. વર્કઆઉટ કરતા યુવાનોમાં આ ખામી મેં મોટાભાગે જોઈ છે. શરીરના ઉપરના ભાગો માટે પાગલની જેમ વર્ક આઉટ કરતા યુવાનો શરીરના નીચેના ભાગો માટે ઉપેક્ષા કરતા હોય છે. બાયસેપ વધારવાની સૌને પડી હોય છે. કેમકે ટૂંકી બાયની ટીશર્ટ  પહેરી રોફ  જમાવી શકાય. પહેલી નજર બાવડાં ઉપર જતી હોય છે.
મસલ્સને રીકવર થતા ૨૪ થી ૪૮  કલાક જોઈતાં હોય છે માટે જો ભારે વજન ઊચકીને વર્કઆઉટ કરતા હોવ તો એક દિવસ વચમાં વર્કઆઉટ કર્યા વગર જવા દેવો હિતાવહ છે. આમ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરવો શરીર માટે ઉત્તમ છે. રોજ કરવો હોય તો એક દિવસ શરીરના ઉપરના ભાગનો અને બીજા દિવસે નીચેના મતલબ પગ અને થાઈ વગેરે માટે વર્કઆઉટ કરવો ઉત્તમ ગણાય. વોર્મ અપ કર્યા વગર કોઈ દિવસ વર્ક આઉટ શરુ કરાય જ નહિ. વર્કઆઉટ વખતે મસલ્સને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન  જોઈએ. એટલે શરીરને ગરમ કરવાની કસરતો પહેલી કરવી જોઈએ. જેથી કોશોને પૂરતો ઓક્સિજન મળવાનું શરુ થઈ જાય. ગુજરાતમાં ખૂબ ગરમી હોય છે. આ બધી કસરતો દોઢ બે કલાક કાઢી નાખે. ખૂબ પરસેવો થતો હોય છે. માટે વચમાં વચમાં થોડા થોડા પ્રમાણમાં પાણી પીતાં રહેવું પણ હિતાવહ છે. આવી ભારે કસરતોમાં કમરમાંથી બેન્ડ થઈને વજન ક્યારેય ના ઊચકવા. સ્પાઈનલ કોર્ડનું ધ્યાન રાખીને વજન ઊચકવું,  નહીતો કાયમ માટે બેકપેઈન થઈ જવાની સંભાવના વધી જાય છે. શાકાહારી મિત્રોએ સારા એવા પ્રમાણમાં દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. મસલ્સ માટે પ્રોટીન મહત્વના છે માટે કઠોળ ખૂબ ખાવા પડે. જિમમાં હાજર નિર્દેશકની સલાહ સૂચન મુજબ કસરત કરવી યોગ્ય છે.
સ્ટ્રેસ, તણાવ દૂર કરવા જો  સિગારેટ પીતાં હોઈએ કે એક પેગ શરાબનો મારતા હોઈએ તો એના કરતા થોડા દંડ બેઠક મારી લેવા સારા. સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત બહુ ઊચી ચીજ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો કમજોર દેખાય છે તેનું મુખ્ય કારણ કસરત પ્રત્યે ઉપેક્ષા છે. હિંસા કરવા માટે નહિ પણ હિંસાથી બચવા તો કસરત કરો?  

 

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

હમણાં એક સમાચાર વાંચ્યા કે એક છોકરીની સરેઆમ છેડતી થઈ, એના કપડાં ખેંચવામાં આવ્યા. એનો વીડીઓ કોઈએ ઉતારી લીધેલો. ખેર એમાં જેનો વાંક હોય તે કોર્ટ અને પોલીસ શોધી કાઢશે. પણ મધ્યપ્રદેશના ઉદ્યોગ પ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું કે મહિલાઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરતી હોવાથી આવું થાય છે. સમાજ વિચલિત થાય છે. બોલો આ મહાશયને શું કહેવું?? આ પહેલા પણ છોકરીઓના કપડાં બાબતે આવા મારઝૂડના બનાવો બનેલા છે, સંસ્કૃતિ રક્ષકોએ છોકરીઓના ચોટલા ઝાલી ખૂબ મારેલી છે.

એક વસ્તુતો છે જ કે ભારતની મહિલાઓ સાવ યુરોપિયન કે અમેરિકન જેવા ટૂંકા કે સેક્સી કપડાં પહેરતી નથી. ગુજરાતમાં સાડી માન્ય પહેરવેશ હતો અને આજે પણ છે જ. ઉત્તર ભારતમાં પંજાબ બાજુ સલવાર કુર્તા પહેરાય છે. હવે તમે કહો કે સાડી સેક્સી લાગે કે સલવાર કુર્તા?? બેશક સાડી જ. સાડી-બ્લાઉઝ તો વેસ્ટર્ન લોકોને પણ સેક્સી લાગે છે. સલવાર કુર્તા ખૂબ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શરૂમાં ગુજરાતમાં સલવાર કુર્તા માટે પણ વિરોધ નોંધાએલો છે. આજે વેરી લો કટ ચોલી પહેરીને યુવાન સ્ત્રીઓ ગરબા ગાવા જાય છે ત્યારે સંસ્કૃતિ રક્ષકોના ભવા ચડી જાય તેમને ખબર નહિ હોય કે આપણી દાદીમાઓ કાપડા પહેરતી તેમાં બરડા પાછળ ખાલી દોરી જ બાંધવામાં આવતી હતી. આજે પણ રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં  ગ્રામ્ય વિસ્તારમાં આવા પાછળ ફક્ત કાપડની બનાવેલી દોરી(કસ) જ હોય તેવા બ્લાઉઝ પહેરેલી મહિલાઓ જોવા મળશે. એ મહિલાઓને સેક્સી કપડાં શું કહેવાય તેનો જરાય અણસાર નહિ હોય.

આપણાં દેશમાં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા. સંત્રી બંદૂકો લઈ ઉભા હોય તો જેલમાં પણ વ્યવસ્થા સારી દેખાય છે. સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય, પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત બની નથી શકતો, જેટલો વિવાહવાળો મતલબ એરેન્જ મૅરેજ વાળો. વિવાહ જીવનભરની વ્યવસ્થા છે. એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતિકતાઓ પેદા કરવી પડી. એક પુરુષને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબૂર કરી દઈએ, તો યૌન સંબંધ તો થઈ શકે, પણ હ્રદયનો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો. અને આ ભાઈલો પાડોશીની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો? પાડોશીની પત્ની ટૂંકા સ્કર્ટમાં સારી લાગે પોતાની પત્ની નહિ. પાડોશી પુરુષો ભયભીત થવાના. એટલે બધા પુરુષો ભેગાં થઈ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય. જે સ્ત્રીઓની માલિકી કોઈની નહિ, અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે. આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામની સેનાનું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા. ત્યારે રામની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઈ ગયેલા.

હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીરના સમયમાં દરેક ગામમાં નગરવધુ હતી. ગામની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા. તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામની પત્ની, વધૂ, વહુ. કારણ સુંદરતમ સ્ત્રીને વરવા માટે પછી પુરુષો વચ્ચે હરીફાઈ પેદા થાય. ઝંઝટ પેદા થાય. એટલે આખું ગામ જ પતિ બની જતું. આખું ગામ ઉપયોગ કરી શકે. વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે. અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું. એ કોઈ એક માણસને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય. આમ્રપાલી અને અજાતશત્રુની કથા લોકો જાણે છે. મંદિરોમાં દેવદાસીની પ્રથા આવી. પૂજારીઓ શું કામ બાકી રહે? પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને. હિન્દુસ્થાનની સાથે સાથે ગ્રીક મંદિરોની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.

મર્યાદા પુરુષના મનમાં હોવી જોઈએ, સ્ત્રીના કપડાં તો ગૌણ બાબત છે. વિક્ટોરિયન જમાનામાં બ્રિટનમાં સ્ત્રીઓ પગની પાની પણ દેખાવા દેતી નહોતી. ત્યારે તે જમાનાના પુરુષોને ભૂલમાં સ્ત્રીના પગની પાની કે અંગૂઠો દેખાઈ જાય તો પણ ઉત્તેજિત થઈ જતા હતા. શું બુરખા પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતા? મિત્ર ધ્રુવ ત્રિવેદીએ એક દાખલો નોંધ્યો છે-સાલ અને રાજ્ય ની ખબર નથી,  ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટમાં ગયો આરોપીઓ એ એવી દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચારિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દેવા જોઈએ. કોર્ટનો ચુકાદો એવો હતો કે  કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચારિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો. અહી બીચ ઉપર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે કોઈ જોતું પણ નથી. છતાં અહી મહિલાઓએ ડ્રેસકોડ પ્રમાણે ઑફિસમાં કપડાં પહેરીને જવાનું હોય છે. અહી પણ બળાત્કાર થતા હોય છે પણ તેનું કારણ ટૂંકા કપડાં નથી હોતા. અહી સ્ત્રીને સેક્સી કે સુંદર લાગે છે તેવું મોઢે કહેનારો બસમાં કે ટ્રેનમાં સીટ પાછળ હાથ લંબાવીને કોઈ જુવે ના રીતે અભદ્ર અડપલાં કરતો નથી. મર્યાદા ઉભય પક્ષે હોવી જોઈએ. પણ હરદમ સ્ત્રીઓનો જ વાંક કાઢવો તે તો બેશરમી જ કહેવાય.

પાંચ પાંચ પતિઓ બેઠાં હોય અને વૃદ્ધ વડીલોની હાજરીમાં જ્યાં સ્ત્રીના કપડાં ખેંચાતા હોય ત્યાં કહેવાતા ચોખલિયા વૃદ્ધો અને યુવાનો પાસેથી ઊલટા ચોર કોટવાલ કો ડાટે સિવાય શું અપેક્ષા રાખી શકો??

વૈશ્યા એ કોઈ સ્ત્રીઓનો શોધેલો કૉન્સેપ્ટ નથી. સન્ની લિયોન(મૂળ ભારતીય પોર્ન સ્ટાર) એ કોઈ સ્ત્રીનું સર્જન નથી, સન્ની લિયોન પુરુષોની બીમાર માનસિકતાનું સર્જન છે. સ્ત્રીનું અદભૂત સર્જન તો એનું બાલક હોય છે.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature.300px-Socrates-Alcibiades[1]

એક નાના બાળકને છોડી માતા જતી રહે તો એને મોટા કરવાની જવાબદારી પિતાના માથે આવી પડે અને પિતા છોડીને જતો રહે તો માતાના માથે તમામ જવાબદારી આવી પડે. આ બધું એકલાં એકલાં કરવું ખૂબ તકલીફ આપે તેવું હોય છે. અને બાળક  મોટું ના થાય તો ઉત્ક્રાંતિનો હેતુ સરે પણ નહિ. બંને જણા એ બાળકમાં ટ્રાન્સ્ફર કરેલા જેનિસ અવર્થે જાય. બેમાંથી એક જણાએ પણ જવાબદારી નિભાવી બાળકને મોટું તો કરવું જ પડે. પણ એમાં બાળકના સર્વાઇવલનો રેટ બહુ ઓછો થઈ જાય. એમાં વળી માનવ બાળક ખૂબ નબળું બીજા પ્રાણીઓના બચ્ચાની સરખામણીએ. આમ ધીમે ધીમે જોડે રહેવાનો સમય વધતો ચાલ્યો. એમાં પાછું બીજું બાળક આવી જાય એટલે પાછું જોડે રહેજો રાજ વધી જવાનું. આમ ધીમે ધીમે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું.

પ્રાચીન ભારતમાં લગ્નવિધિમાં ૧) શિલા અરોહાણમ, ૨) લજ્જા હોમમ્મ, ૩) સપ્તપદી વગેરે મહત્વની વિધિ હતી. તે સમયે પણ દેવતાઓનો ત્રાસ ઓછો નહોતો. આ દેવતાઓ કદાચ સમાજના બહુ મોટા આગેવાનો હોવા જોઈએ. છોકરી જન્મી તો મોટી થાય ત્યારે પહેલો ટેસ્ટ કરવાનો અધિકાર આ ત્રણ દેવતાઓનો રહેતો. આ આર્યમાન, વરુણ અને પુષણ દેવતાઓ બહુ પાવરફુલ હતા. છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ થાય ત્યાં સુધી આ ત્રણ દેવતાઓની કેદમાં ગણાતી. સમૂહની તમામ માદાઓને ભોગવવાનો પહેલો હક ઍલ્ફા નરનો હોય છે. ઘણા  રાજામહારાજાઓ એમના હરમમાં પુષ્કળ સ્ત્રીઓ ભેગી કરતા.

ચીનમાં રાજા પહેલીવાર એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણે એવો રિવાજ હતો. એટલે જ્યારે વર કન્યાનો હાથ એના પિતા આગળ માંગે તો પિતા કન્યાનો હાથ આપવા તૈયાર તો થઈ જાય પણ પેલાં દેવતાઓ સહેલાઈથી છોડે નહિ. કન્યા ઉપરનો દાવો જતો કરે નહિ. દેવતાઓના પાશમાંથી કન્યાને મુક્ત કરવા એવો ચોક્કસ સમય મુહૂર્ત પસંદ કરવાનું કે દેવતાઓના ચોકીદાર ઊંઘતા  હોય. કન્યા ફૂલનો હાર એકબીજાને પહેરાવીને કે એક્સ્ચેન્જ કરીને વરને સંમતિ આપે કે દેવતાઓના પાશમાંથી મુક્ત કરો. દેવતાઓ મારા વાલા એકદમ છોડે નહિ, ગુસ્સે થાય અટૅક પણ કરે.

એક ઊંચી ખસે નહિ તેવી શિલા ઉપર આરોહણમ કરી લેવાનું. વરુણ પાછો પાણીનો દેવ ઊંચી ખસે નહિ તેવી શિલા યોગ ગણાય. હવે વરકન્યાની મદદમાં કન્યાનો ભાઈ દોડતો આવે. દેવતાઓને ઘીમાં લથબથ ચોખા આપો લજ્જા હોમમ્મ, છોડો મારી બહેનને હું તમને ચોખા મમરા ઘી બધું આપું છું. એકવાર નહિ ત્રણ વાર ઘણી જગ્યાએ ચાર વાર. વરકન્યાના હાથ પકડાવી  અગ્નિની આજુબાજુ ફરીને દેવતાઓને પાછાં કન્ફ્યુજ કરવા પડે. આટલી લાંચ આપ્યા પછી પણ વરુણ કન્યાના વાળ પકડી રાખે, તો વર સેંથામાં સિંદૂર પૂરીને મુક્ત કરાવે. અને પછી સપ્તપદી દ્વારા એકબીજાને સાથ સહકારના વચન અપાય. સમાજના ઍલ્ફા નેતાની પકડમાંથી કન્યાને છોડાવવાની વિધિ સિમ્બૉલિક રીતે લગ્નવિધિમાં પ્રવેશી હોવી જોઈએ.

સમજો લગ્નવ્યવસ્થા એ મનૉગમીની શરૂઆતનું પ્રાથમિક ચરણ છે. મૂળભૂત મોટાભાગના મૅમલ પૉલીગમસ હોય છે. વધારે સ્ત્રીઓ સાથે લગ્નો કરીને પણ પુરુષો પૉલીગમી આચરતા હોય છે. એક સ્ત્રી સાથે ડિવોર્સ  લઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ એકજાતની પૉલીગમી જ થઈ.છતાં એક સ્ત્રી સાથે હોય ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો નહિ કે રાખી શકાય નહિ તેવા કાયદા મનૉગમીની તરફેણ કરતા હોય છે.

ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ શરુ થયું નહોતું એટલે સંતાનો આખા સમાજના સંતાનો કહેવાતા. દ્વાપરયુગમાં જોડલા બનાવીને રહેવાનું શરુ થયું એટલે સંતાનો માબાપ વડે ઓળખવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને કળિયુગમાં લગ્નવ્યવસ્થા સરસ રીતે આકાર પામી ચૂકી હતી તો સંતાનો માતાપિતા વડે ઓળખાતા તો થઈ ગયા સાથે સાથે કાકા, મામા, કાકી, મામી માસામાસી સંબંધો શરુ થઈ ગયા. ભીષ્મ આ બધું જ્ઞાન આપે છે તે દ્વાપરયુગ હજુ ચાલુ હતો અને ભીષ્મ કળિયુગની વાતો પણ કરતા હોય છે. રામ ત્રેતાયુગમાં થયા પણ એમના સીતા સાથે લગ્ન થયા અને એકબીજા પ્રત્યે કમિટમન્ટ પણ દર્શાવે છે. હવે ભીષ્મના કહ્યા પ્રમાણે ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ હતું નથી તો સમજો આ બધી વાતો અને યુગના ઉલ્લેખો એક વર્તુળમાં  સિમ્બૉલિક છે. સમાજનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ કૉમ્પ્લેક્સિટિ વધતી જાય છે.

પશ્ચિમમાં લગ્નવ્યવસ્થા તૂટતી જાય છે. એક રીતે એવું પણ કહી શકાય કે તે સમાજમાં ખુલ્લાપણું વધતું જાય છે, ઑપન્નેસ વધતી જાય છે. હવે તે સમાજ કલિયુગ તરફથી દ્વાપરયુગ તરફ કદાચ ત્રેતાયુગ તરફ પ્રયાણ કરી રહ્યો તેમ લાગે છે. ભારતમાં લીવ ઇન રિલેશનશિપને માન્યતા કાયદા દ્વારા આપી દેવાઈ છે. શહેરોમાં એનું પ્રમાણ વધતું જાય છે. અત્યંત ધીમી ગતિએ ભારતીય સમાજ પણ દ્વાપરયુગ તરફ વધી રહ્યો છે. ભીષ્મ પિતામહે બેચાર શ્લોકમાં ઇવલૂશન ઑવ હ્યુમન પેઅર બૉન્ડિંગનું વર્ણન કરી નાખ્યું. પણ જેમ જેમ પેઅર-બૉન્ડિંગ વિકાસ થતો ગયો તેમ એમાં બીજી વ્યક્તિઓની દખલનો વિકાસ કે ઇવલૂશન ઘટતું ગયું. pair-bonding મજબૂત થતું ગયું તેમ માલિકી ભાવના પણ વધતી ચાલી. માલિકી ભાવના વધતી ચાલી તેમ બીજાઓની દખલ ગમે નહિ તે સ્વાભાવિક છે. આ બીજાઓ એટલે જુના મિત્રો અને મહેમાનો પણ હોઈ શકે. આજે પણ કોઈ મિત્ર પરણી જાય તો જુના મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખતો હોય છે, અને જુના મિત્રો કહેતા પણ હોય છે કે સાલો પરણ્યા પછી બદલાઈ ગયો છે.

સૉક્રેટિસ એની પત્ની ઝેન્થીપીને એના ખાસ મિત્ર Alcibiades ને સોંપી દેવા માટે જાણીતો છે. ગ્રીક અને રોમન કલ્ચરમાં આવા અનેક દાખલાઓ છે.   “इष्टान्मित्रान्विभवान्स्वास्चदारान्” જરૂરિયાત સમયે સાચો મિત્ર એને કહેવાય જે પોતાની સ્ત્રી પણ સોંપી દે, આવું ફેમસ ઋષિ સનત્કુમાર ઉદ્યોગપર્વમાં કહે છે. સાચા મિત્રની છ ક્વૉલિટી યુધિષ્ઠીર વર્ણવે છે, જેમાંની છઠ્ઠી ઉપર કહી તે છે. સ્ત્રીને મિત્રોમાં શેઅર કરવી સહજ હતું જેમ આજે ફેસબુક પર ફોટા શેઅર કરીએ છીએ.

પાણિની વ્યાકરણ માટે પ્રખ્યાત છે.  द्वयोर्मित्रयोरंपत्यम्द्वैमित्री અહીં પાણિની કહે છે ગ્રામ-ધર્મ મુજબ એક મિત્ર બીજા મિત્રને એની સ્ત્રી સોંપે અને તે સ્ત્રી ગર્ભવતી થાય અને જે સંતાન થાય તેને द्वैमित्री કહેવાય અને તેની પાલન પોષણની જવાબદારી બંને મિત્રોની ગણાય. ૧૯મી સદી સુધી મિત્ર અથવા મહેમાનની સેવામાં પત્ની મોકલવી આમ વાત હતી. આમાં મહેમાનોની સેવામાં દાસીઓ, નોકરાણીઓ મોકલવાનું પણ સામાન્ય હતું.

imagesCA5GJDC8મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ સુદર્શન એમની પતિને કહે છે ગૃહસ્થ ધર્મ મુજબ મહેમાનને ક્યારેય અસુખ પેદા થવું ના જોઈએ, મહેમાનની ઇચ્છા સમાગમ કરવાની થાય તો મહેમાનને આનંદિત રાખવાના તારા અને મારા ધર્મ મુજબ સમાગમની ના પાડવી નહિ. હવે સુદર્શન ઘરમાં હતા નહિ અને કોઈ મહેમાન આવ્યા હશે તેમની ઇચ્છા સમાગમની પૂરી કરવામાં આવેલી જાણી ઋષિ સુદર્શન એમની પત્નીના આભારી થયેલા કે તે ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવ્યો છે.

ભીષ્મે કહેલી બીજી સ્ટોરી જુઓ- ગૌતમ ઋષિ બહાર ગયેલા હતા. એમની પત્ની સાથે ઇન્દ્ર આવીને સમાગમ કરી ગયો. ઋષિ ગુસ્સે થયા અને એમના પુત્રને એની માતાને મારી નાખવા આજ્ઞા કરી ગુસ્સામાં આશ્રમ છોડી તપસ્યા કરવા વનમાં ગયા. ગુસ્સો શમતા પાછાં આવ્યા તો પુત્રે માતાને મારી નહોતી અને પિતાને સમજાવ્યા કે વિવેકબુદ્ધિ રાખી વિચારો કે માતાએ ફક્ત આતિથ્ય ધર્મનું પાલન કર્યું છે. ઋષિ શાંત પડી ગયા.

ત્રીજી સ્ટોરી રામાયણના ગૌતમ ઋષિની જુઓ એમને એમની પત્નીને અહલ્યાને શિલા પથ્થર બનાવી દીધેલી. ચોથી સ્ટોરી જુઓ જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાએ તો કોઈ સમાગમ પણ નહોતો કર્યો ખાલી ચિત્રરથ ગંધર્વ સામે કામાંધ નજરે ફક્ત જોએલું જ. પણ ઋષિ ગુસ્સે થયા અને પુત્ર પરશુરામને આજ્ઞા કરીને રેણુકાનું મસ્તક હણાવી નાખ્યું. આ બધી વાર્તાઓ હકીકતમાં બની કે નહિ તે જવાદો, મૂળ વાત છે જેમ પેર-બોન્ડીંગ વધતું ગયું તેમ વિશ્વાસઘાત શબ્દનું મહત્વ વધતું ચાલ્યું. બેવફાઈ પતિ તો ઠીક પુત્ર દ્વારા પણ સહન કરવામાં આવતી નહિ. પાચમી વાર્તા રામની જુઓ રામને ખબર હતી કે સીતા પવિત્ર છે છતાં અગ્નિપરીક્ષા લીધી હતી.

આમ જોઈએ તો બધા યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ બધા ઘણીવાર સંગાથે ચાલતા હોય છે.

વધુ પછી—

ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

Man with the golden arm

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?Hard Truths About Human Nature.

જાતીય શોષણ કોઈનું પણ થાય છોકરો હોય કે છોકરી બાળક હોય કે યુવાન, તેઓ મોટાભાગે આ વાત છુપાવતા હોય છે. અનિચ્છાએ સર્જાતા કોઈ પણ વચ્ચેના જાતીય સંબંધને શોષણ જ કહેવાય. નાના બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓ કશું બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી. મોટેરાં એમની વાત સાચી નહીં માને તેવો ડર હોય છે અને સાથે સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિની આપેલી ધમકી પણ કામ કરી જતી હોય છે. છતાં એવું જાણવામાં આવ્યું છે કે છોકરીઓના થયેલા જાતીય શોષણ વધુ બહાર આવી જાય છે છોકરાઓના ઓછા બહાર આવે છે.
Penn State sex abuse scandal હમણાં બહુ ચગ્યું હતું. ફૂટબોલ કોચ Jerry Sandusky પંદર વર્ષમાં આશરે દસ છોકરાઓનું યૌન શોષણ કરી ચૂક્યા હતા. યૌન શોષણ ખાલી છોકરીઓનું જ થાય તેવું નથી હોતું. છોકરાઓનું પણ યૌન શોષણ થતું હોય છે પણ જલદી બહાર નથી આવતું. Karyl Mcbride , Ph.D. કહે છે એમને છોકરાઓ પાસેથી એમના થયેલા યૌન શોષણ વિશેની માહિતી કઢાવતા તકલીફ પડતી હોય છે. એક તો લોકો માનવા તૈયાર હોતા નથી કે જાતીય શોષણ થયું છે, બીજું સમજવું મુશ્કેલ કે અજુગતું લાગતું હોય છે કે પુખ્ત વયના લોકો નાના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવી શકે છે. અમેરિકાની જેલોમાં યૌન શોષણના ગુનામાં સંડોવાયેલા કેદીઓના થયેલા અભ્યાસ મુજબ છોકરા છોકરીઓના યૌન શોષણમાં વધારો નોંધાયો છે અને એમાં પણ છોકરાઓના શોષણ થયા હોવા છતાં એમના રિપોર્ટ બહુ નોંધાતાં નથી તેવી હકીકત પણ સામે આવી છે.
એક તો એક નાનું બાળક એના પર થયેલા યૌન શોષણ વિષે વાત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતું હોય છે. એક તો પોતે ગિલ્ટી ફીલ કરતું હોય છે, બીજું શોષણ કરનારાની ધમકી સામે ઊભી હોય છે, અને બીજો ડર હોય છે કે કોઈ એમની વાત માનશે નહિ. વધારામાં એમના કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તે ઇચ્છતાં હોતા નથી. આ કારણો સામાન્ય છે, પણ ભોગ બનનાર છોકરાઓ માટે થોડા વધારાના કારણો જોઈએ કે કેમ છોકરાઓ જલદી જણાવતા નથી.
૧) આપણાં કલ્ચરમાં પુરુષો શોષિત થવા માટે સર્જાયા નથી તે વાત માનસિકતામાં ઘૂસેલી હોય છે. એટલે પહેલું તો identity of manhood પર ખતરો લાગી જાય છે. જો હું શોષિત હોઉં તો પુરુષ હોઈ શકું ખરો?
૨) પુરુષપ્રધાન સમાજમાં પુરુષ માટે મદદ માંગવી નબળાઈની નિશાની ગણાય. મુશ્કેલ પરિસ્થિતિમાંથી લડીને બહાર આવવાનું  હોય મદદ માંગવાની ના હોય. ફેમિલી થેરાપીસ્ટ Terry Real  મેલ ડિપ્રેશન પર લખતા આ માનસિકતા વિષે એમના પુસ્તકમાં (I Don’t Want To Talk About It) સારી એવી ચર્ચા કરે છે.
૩) જેમ કેટલાક લોકોને Hemophobia હોય છે, તેમ આપણી સંસ્કૃતિને Homophobia લાગેલો  છે. આપણો સમાજ મહદંશે હોમોફોબીક છે. એટલે જ્યારે કોઈ છોકરાનું યૌન શોષણ થાય છે ત્યારે એની sexual idenity પર સવાલ ઊભો થઈ જતો હોય છે. છોકરાઓને સવાલ સતાવતો હોય છે કે જો તે પુરુષ હોવા છતાં બીજા પુરુષ દ્વારા યૌન શોષણ ભોગ બને તો એનો અર્થ  શું તે gay છે ? અમેરિકામાં ૮-૧૦ વર્ષના શોષિત છોકરાઓ દ્વારા આવા સવાલ એમની સારવાર કરનારને પૂછવામાં આવેલા છે. લોકો મને ‘ગે’ તો સમજી નહિ લે ને? આવો સવાલ ઊઠતા નાના છોકરાઓ ચુપ રહીને સહન કરવાનું શીખી લે છે નહિ કે ફરિયાદ કરવાનું. gay નું લેબલ લગાવતા આપણાં સમાજને જરાય વાર લાગતી નથી.  બસ આ લેબલના ડરે છોકરાઓ છોકરીઓના પ્રમાણમાં વધુ ચુપ રહેતા જોવા મળ્યા છે. હેમોફોબિયા એટલે લોહી જોઇને ચક્કર આવી જાય, ગભરાઈ  જવાય અને હોમોફોબિઆ એટલે gay અને લેસ્બીયન લોકો પ્રત્યે નેગેટિવ નફરતની લાગણી.
૪)જ્યારે યંગ છોકરાના genital એરિયાને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે erection થતું હોય છે જે દેખાતું હોય છે, આવું ફીમેલ વીકટીમમાં  થતું નથી, એટલે કે દેખાતું નથી.  સ્પર્શ બંનેને છોકરો હોય કે છોકરી આનંદ અર્પતો હોય છે, અને કારણમાં ગ્રેટ કન્ફ્યૂજન પેદા થતું હોય છે. ” Did I want this?” ” If it feels good, is it my fault?” ” If there is pleasure, I must be the one in the wrong.”
૫) સ્ત્રીઓ દ્વારા પણ છોકરાઓનું યૌન શોષણ થતું હોય છે. કોઈ ઉંમરલાયક સ્ત્રી દ્વારા કોઈ છોકરાનું જાતીય  શોષણ થાય તો એને લકી માનવામાં આવતો હોય છે. અને એમાં શોષણ કરનાર પોતે બાળકની માતા હોય તો તમે કલ્પના કરી શકો કે રિપોર્ટ કરવો કેટલો મુશ્કેલ, પેલાં નાના બાળક માટે તારાજી ઊભી કરવાની? આવા દાખલા ભારતમાં બહાર આવવું મુશ્કેલ છે. અમેરિકામાં સ્ત્રી દ્વારા છોકરાઓના યૌન શોષણનાં દાખલા બહાર આવી જાય છે. એમાં મોટાભાગે છોકરાઓ મોટા થઈ ગયા પછી કેસ કરતા હોય છે. એમાં પૈસા પડાવવાની દાનત પણ હોય છે. છતાં એમની નાની ઉમરમાં પુખ્ત સ્ત્રી દ્વારા યૌન શોષણ થયું હોય છે તે હકીકત ભૂંસાઈ નથી જવાની. ન્યુયોર્કમાં એક પંજાબી મહિલા શિક્ષિકાએ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓનું યૌન શોષણ કરેલું. વર્ષો વીતી ગયા. છોકરાઓ યુવાન થઈ ગયા અને પોલીસમાં ભરતી પણ થઈ ગયેલા. ત્યાર પછી પેલી મહિલા ટીચર પર કેસ કરેલો. એને જેલમાં જવું પડેલું.
૬) અસહાયતા અને અગાઉ જણાવ્યું તેવા કન્ફયુઝન ફીલિંગ્સનો પ્રભાવ ઓછો કરવા છોકરાઓ એમનું શોષણ થયું છે તે કહેવા કે માનવા તૈયાર થતા નથી.
જો હું બીગ ટફ guy હોઉં તો મારી સાથે આવું બન્યું નથી, આ લાગણી છોકરાઓની હોય છે. અસહાયતાની લાગણીને જીતવા વધુ અગ્રેસીવ બનતા હોય છે. અથવા તો ડ્રગ કે આલ્કોહોલ લઈને લાગણીઓ પ્રત્યે numb બનતા હોય છે. છેવટે ડીપ્રેશનમાં ફસાઈ જતા હોય છે. છોકરાઓને વધુને વધુ realistic બને તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમની સાથે પણ યૌન શોષણ થઈ શકે છે તેને બહાર લાવવું જોઈએ તેવું ઠસાવવું પડે. યૌન શોષણ વિષે એજ્યુકેશન બાળકો તથા એમના વાલીઓને આપવું જોઈએ. સેક્સ ઓફેન્ડર આપણાં કલ્ચરમાં નાર્સિસ્ટિક આત્મશ્લાઘાની વિકૃતિ વળગેલા લોકો હોય છે. એમનામાં સહાનુભૂતિ, તાદાત્મ્યનો અભાવ જોઈ શકાય તેવો હોય છે.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

ये जो देश है मेरा!!!!

INCREDIBLE INDIA.


  એક મિત્રે ઇ મેલમાં મોકલ્યું  છે, વિચારવા જેવું છે. 

Indian Parliament Building Delhi India
Indian Parliament Building Delhi India (Photo credit: Wikipedia)


1. We live in a nation where Rice is Rs.40/- per kg and Sim Card is free.
2. Pizza reaches home faster than Ambulance and Police.
3. Car loan @ 5% but education loan @ 12%.
4. Students with 35% get in elite institutions thru quota system and those with 90% get out because of merit.

5. Where a millionaire can buy a cricket team instead of donating the money to any charity. 2 IPL teams are auctioned at 3300 crores and we are still a poor country where people starve for 2 square meals per day.

 
6. Where the footwear, we wear, are sold in AC showrooms, but vegetables, that we eat, are sold on the footpath.
7. Where everybody wants to be famous but nobody wants to follow the path to be famous.
8. Assembly complex buildings are getting ready within one year while public transport bridges alone take several years to be completed.
9. Where we make lemon juices with artificial flavours and dish wash liquids with real lemon.
Think about it!

If you cross the The North Korean border illegally, you get . . .12 years hard labour in an isolated prison …..

 
If you cross the Iranian border illegally, you get . . . detained indefinitely …..
If you cross the Afghan border illegally, you get . . . shot . . .
If you cross the Saudi Arabian border illegally, you get ….. jailed …..
If you cross the Chinese border illegally, you get …..kidnapped and may be never heard of – again ….
If you cross the Venezuelan border illegally, you get ….. branded as a spy and your fate sealed …..
If you cross the Cuban border illegally, you get ….. thrown into a political prison to rot …..
If you cross the British border illegally, you get ….. arrested, prosecuted, sent to prison and be deported after serving your sentence …..
Now ….
if you were to cross the Indian border illegally, you get …..

1. A ration card
2. A passport ( even more than one – if you please ! )
3. A driver’s license
4. A voter identity card
5. Credit cards
6. A Haj subsidy
7. Job reservation
8. Special privileges for minorities
9. Government housing on subsidized rent
10. Loan to buy a house
11. Free education
12. Free health care
13. A lobbyist in New Delhi , with a bunch of media morons and a bigger bunch of human rights activists promoting your cause
14. The right to talk about secularism, which you have not heard about in your own country !

15. And of-course ….. voting rights to elect corrupt politicians who will promote your community for their selfish interest in securing your votes !!!
16. and right to fight election for MLA or MP


Hats off ….. to the …..

A. Corrupt and communal Indian politicians

B. The inefficient and corrupt Indian police force
C. The silly pseudo-secularists in India , who promote traitors staying here
D. The amazingly lenient Indian courts and legal system. That’s why people like Afzal Guru are still alive, same will happen with Kasab.
E. WE self centered Indian citizens, who are not bothered about the dangers to our own country.
F. The illogically brainless human-rights activists, who think that terrorists deserve to be dealt with by archaic laws meant for an era, when human beings were human beings.

ફેસબુક વળગણ ( Hard Truths About Human Nature)

ફેસબુક વળગણ  ( Hard Truths About Human Nature)

 

 

કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે  દુનિયા ફેસબુક પાછળ  પાગલ  થઈ ગઈ છે. આશ્ચર્યજનક  આંકડા જણાવે છે કે આશરે ૮૦૦  મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત  આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ  લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ  કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક  યુઝર છે. ચીન  વસ્તીમાં નંબર વન ભલે હોય  પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ  જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ  અને ભૂખે મરતાં દેશ  જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન  લોકોને અતિપાગલ  માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક  રહસ્ય  સમજવા જેવું છે.

 

 

ફેસબુક  ઘેનની પાછળ  જવાબદાર  રહસ્યમય  પ્રવાહીનું નામ  છે, dopamine. ડોપામીન  એક  બ્રેઈન  કેમિકલ  છે જે આનંદદાયક ભાવનાઓ  સાથે  જોડાયેલું છે.  આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ  કે ગાંજાનો નશો કરીએ  ડોપામીનનાં આનંદદાયક  નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ  રસ્તે ડોપામીન  રીલીઝ  થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર  ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ  ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.

 

 

 કરુણ વાતો અને દુઃખદ  ઘટનાઓ પણ  મિત્રો સાથે શેર કરીએ છીએ  એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ  અને સહાનૂભુતિ જે oxytocin  હેપીનેસ  આપે છે જે love hormone  તરીકે ઓળખાય છે. સંકટ સમયે  stress hormone cortisol  જે પીડા આપે છે તેનું  શમન  કરવાનું કામ મિત્રોના લાગણીશીલ  પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી  પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે.  મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.

 

 

૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર  ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ  રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી  ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.

 

 

ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.

 

 

ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર  ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ   જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.

 

 

Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો  દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક  કારણો  ફેસબુક યુઝ  કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે  ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક  જમાનામાં  રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.

 

 

ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ  વિભાગ ખૂબ જટિલ  ચિંતન મનન  કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં  આવેલું કલ્પના અને લાગણીઓનું  નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ  દુઃખદ  ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન,   આવું ઘણું બધું પુષ્કળ  પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.

 

 

તો મિત્રો કોકેન  લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.

 

 

Ref :-

 

** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.

 

 

**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.