All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)

) રુદન, આંસુ, રડવુંimagesCAS3KD5M

માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઇવલ સ્કિલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.

તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઇવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રિડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઇવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરૉન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.

કલ્પના કરો, સર્વાઇવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.

ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol  સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું કરી શકો,

એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ, આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ તો બચવું મુશ્કેલ સમજવુ અને એમાથી બચવા રડવું એ માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઇવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમિકલની ભાષા વડે. એટલે આપણને કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.

સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તિદાયક છે

દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.

નૅચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેન વિકસ્યું હોય છે. મોટું બ્રેન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.

એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રૉન્ગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જીન-DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાઇમરી કેઅર ગિવર હોવાથી એમના બ્રેનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઈવૉલ્વ થયેલી હોય છે.

જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેનનો ઇમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.

બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રિપ્રોગ્રામ્ડ સર્વાઇવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિઅ-ક્ષેત્રફળ બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.

પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.

“The bigger a creature’s brain, the longer its childhood”

ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે માટે એને ખૂબ એનર્જી અને ઑક્સિજન જોઈએ. બાકી સર્વાઇવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.

અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે. બાળક Myelin નામનું  ફૅટી આવરણ ચડાવી ન્યુઅરલ પાથવે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. Myelinated  ન્યુરૉન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.

ન્યુબૉર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરૉન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરૉન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુઅરલ પાથવે બનાવ્યા હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ફ્લો વધી જતો હોય છે, જે લાભદાયી હોય છે.

બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હૅપી ન્યુરોકેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હૅપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેનમાં કરતા જવાના.

આપણે નવું ન્યુઅરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મૉડલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુઅરલ રસ્તા કરતા જે સ્યૂપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.

કુદરતના બધા ક્રીચરની જેમ આપણે પણ આપણી સર્વાવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઇવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.

સંગીત મનકા દીપ જલાયે.

પંડિત શ્રી યશવંત ભટ્ટ,પંડિત શ્રી જશરાજ,પાર્થિવ ગોહિલ

સંગીત મનકા દીપ જલાયે.

       એવું કહેવાય છે કે મોઝાર્ટ ચાર વર્ષનો હતો અને એણે એની પહેલી સિમ્ફની રચેલી.સંગીત માં રસ તો દરેકને હોય છે.કોઈને પોપ,રોક કે જાઝ મ્યુઝિક  ગમે તો કોઈને ક્લાસિકલ.સંગીતની આવડતમાં ગાવું અને વાધ્યો  વગાડવા બંને આવી જાય.સંગીત એક વિશિષ્ટ આવડત છે.મોઝાર્ટ અને બિથોવન પશ્ચિમની દુનિયાના મહાન ક્લાસિકલ સંગીતજ્ઞ હતા.સંગીત એક ક્રિયેટીવ બ્રેઈનની મહાન આવડત છે.દર્દીને સાજા કરવામાં,સર્જનાત્મકતા અને વિકાસમાં  સંગીત પાવરફુલ સહાયક બનતું હોય છે.સંગીત Dyslexia ,Autism Attention deficit disorder ,Listening disorders વગેરેમાં તથા બીજી માનસિક બીમારીઓ તથા મનોશારીરિક  બીમારીઓમાં ખૂબ કામ લાગતું હોય છે.
      Baroque -a -bye -Baby નામની સીડી બનાવનારાનો  દાવો છે કે એમનું એક મીનીટના ૬૦ બીટ્સ  વાળું સંગીત માતાના હ્રદયના ધબકારા સમકક્ષ હોવાથી બાળકો માટે શાંતિદાયક છે,એની સમપ્રમાણતા બાળકના બ્રેઈનને કાર્ય પ્રવૃત કરે છે અને બાળક ભવિષ્યમાં બુદ્ધિશાળી બને છે.”Play Mozart to your children and they will grow up smart.”ચાલો હું કહુ છું,બાળકોને પંડિત રવિશંકર સંભળાવો અને સ્માર્ટ બનાવો.રવિશંકરની જગ્યાએ બીજા કોઈ પણ ક્લાસિકલ સંગીતકારનું નામ લઈ શકાય.પણ એક યાદ રાખવું જરૂરી કે સંગીતમાં મેથેમેટીકલ પરફેક્શન અને Symmetry હોવી જરૂરી છે.અસ્તવ્યસ્ત ઘોંઘાટને સંગીત કહેવું યોગ્ય નથી.જે સંગીત સાંભળવાથી આનંદ અને હર્ષની લાગણી પેદા થાય તેવી સંગીત સારું પરિણામ લાવનારું, લાભદાયક, સ્વાસ્થ્યવર્ધક, સંરક્ષક, હિતકારી, ફાયદાકારક હોય છે.
             Mariah Carey ગ્લાસ તોડી નાખે તેવા હાઈ નોટ ગાતી હોય ત્યારે મોટાભાગના સાંભળનારા એની ધ્વનિ માત્રા જાણી શકતા નથી.Carey પરફેક્ટ Absolute Pitch ધરાવે છે,આ બહારના કોઈપણ સંદર્ભ વગર ધ્વનિની નિશ્ચિત માત્રા Tone  ઓળખી શકે છે,જેવી રીતે આપણે કલર ઓળખી શકીએ છીએ કે આ લાલ છે કે લીલો છે,તેમ AP એબિલીટી ધરાવનારા સુરની માત્રા ઓળખી શકે છે,જે આપણે સમજી શકતા નથી.જ્યારે કોઈ સંગીતનો રીયાલીટી શો જેવોકે લીટલ ચેમ્પ જોઈએ ત્યારે કોઈ જજ કહે છે કે સુર થોડા હિલ ગયા થા તો આપણને સમજાતું નથી કે કયો સુર હાલી ગયો હતો.આશરે ૧૦,૦૦૦ લોકે એક માનવીમાં આ ક્ષમતા જન્મથી હોય છે,પણ એને બચપણથી સંગીતની તાલીમ મળવી જોઈએ બાકી આ ક્ષમતા વિલીન થઈ જતી હોય છે,આવું Daniel Levitin નામના McGill યુનીવર્સીટીનાં મનોવૈજ્ઞાનિકનું કહેવું છે. પાંચ વર્ષની ઉંમરથી ટ્રેનીગ શરુ થઈ જવી જોઈએ,સામાન્યતઃ ૯ વર્ષ પછી AP ડેવલોપ થવી મુશ્કેલ છે.અંગ્રેજી બોલવાવાળા કરતા મેન્ડરીન અને વિયેતનામી ભાષા બોલનારાઓમાં આ ગુણ વધુ હોય છે.અને એશિયન લોકોમાં જીનેટીકલી આ ક્ષમતા વધુ હોય છે.ભાઈ ભાંડુમાં આ ક્ષમતા સરખી જોવા મળતી હોય છે.આ તો થઈ ગાવાની વાત.મેલોડી પણ એટલીજ મહત્વની હોય છે.
         છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા બ્રેઈન ઇમેજિંગ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સંગીતની ટ્રેનિંગ બ્રેઈનના ગ્રે મેટરમાં(નર્વ કોષોની સાઇઝ અને સંખ્યા) વધારો કરે છે.દાખલા તરીકે સંગીતકારોના Cerebral કોર્ટેક્ષનાં  auditory, motor, and visual spatial એરિયા..Dr Oliver Sacks એમના  Musicophillia પુસ્તકમાં લખે છે કે અનૅટમિસ્ટ(Anatomist), વિઝ્યુઅલ આર્ટિસ્ટ જેવાકે લેખક,ગણિતજ્ઞ,કવિ કે ચિત્રકારના બ્રેઈન જલદી ઓળખી ના શકે સામાન્ય માનવી જેવા લાગતા હશે પણ સંગીતકારોના બ્રેઈન જોવા માત્રથી તત્ક્ષણ કહી શકતા હોય છે કી સંગીતકારનું બ્રેઈન છે.ગાવાની અને વાદ્યો વગાડવાની ક્ષમતા માટે બ્રેઈનના જે વિભાગ સંલગ્ન થતા હોય છે તે auditory અને motor cortices સખત ટ્રેનિંગ પછી એના આકારમાં બદલાવ થતો હોય છે.
  સંગીતકારોમાં મ્યુઝિકલ મેમરી જ નહિ પણ વર્બલ મેમરી પણ ખૂબ સારી રીતે ખીલેલી હોય છે.વૈજ્ઞાનિકોએ ૨૦ કૉલેજમાં ભણતી છોકરીઓ ઉપર એક પ્રયોગ કરેલો.૧૦ છોકરીઓ બચપણમાં માબાપના કહેવાથી ૭ વર્ષની ઉંમરથી પિયાનો શીખતી હતી,આઠ કરતા વધારે વર્ષો ટ્રેનિંગ લીધેલી કોઈ ગોડ ગિફ્ટેડ મ્યુઝીકની આવડત ધરાવતી નહોતી.અને બીજી ૧૦ છોકરીઓ સંગીત શીખ્યા વગરની હતી.પહેલા આ લોકોને ૨૦ શબ્દો સાંભળવાના હતા,અને પછી બીજા ૪૦ શબ્દો સંભળાવવામાં આવ્યા.આ ૪૦ શબ્દોમાં પેલા જુના ૨૦ શબ્દો રેન્ડમલી ઉમેરેલા જ હતા.હવે આ જુના ૨૦ શબ્દો તરત ઓળખવાના હતા.જે સંગીતની ટ્રેનિંગ લીધેલી છોકરીઓએ બખૂબી બતાવી આપ્યા.આ પરીક્ષણ વખતે MRI મશીન એમના બ્રેઈનનું પણ પરીક્ષણ કરી રહ્યું હતું.જ્યારે શબ્દો ઓળખવાનાં હતા ત્યારે મ્યુઝીકલી ટ્રેઈન્ડ  છોકરીઓના બ્રેઈનનો વિઝ્યુઅલ કોર્ટેક્ષ ભાગ એક્ટીવ થઈ ગયેલો જે બાકીનામાં નહોતો થયેલો.આ વિભાગ વિઝ્યુઅલ એટલે દ્રશ્યમાન માહિતી વિષે વિચાર કરતો હોય છે.હવે સાંભળેલા શબ્દો ફરી યાદ કરવા તે આ વિભાગનું કામ નથી.પિયાનો વગાડવામાં  જુદી જુદી આવડતનો,બ્રેઈનના જુદાજુદા વિભાગનો  ઉપયોગ સંયુક્ત રીતે કરવો પડતો હોય છે,ધ્વનિ માત્રાનું  સાંભળવું રીધમની સેન્સ,રીડિંગ મ્યુઝિક અને કીબોર્ડ ઉપર હાથ ચલાવવા અને આ બધાનું  કોઓર્ડીનેશન.લાંબા સમયની સંગીતની ટ્રેનિંગ બ્રેઈનને નવેસરથી ઘડે છે.
            ઘણા લોકો કામ કરતી વખતે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળતા હોય છે.કામની સફળતા માટે જો મ્યુઝિક સાંભળતા કામ કરતા હોવ તો?
૧)જો કામમાં વાંચવાનું,વાત કરવાનું,લખવાનું આવતું હોય તો મ્યુઝિક શબ્દો વગરનું સાંભળવું જોઈએ.અથવા જે શબ્દો કે ભાષા સમજતા નાં હોઈએ તે મ્યુઝિક ચાલે.ખાલી વાદ્ય સંગીત સારું.કારણ શબ્દો સાથેનું મ્યુઝિક બ્રેઈનના લેન્ગવેજ વિભાગને સક્રિય કરી દેતું હોય છે જે આવા કામોમાં દખલરૂપ થાય છે.
૨)નીરવ શાંતિ પણ મ્યુઝીકની ગરજ સારે છે.ઘણીવાર મ્યુઝિક સાંભળવું ધ્યાન  બીજે દોરતું હોય છે જો આવું થતું હોય તો નીરવ શાંતિ ઘણી સારી.આવા સમયે કુદરતી અવાજો પક્ષીઓનો કલરવ સાંભળવો ઘણો સારો.
૩)જે મ્યુઝિક  આનંદ પમાડતું હોય તે જ સાંભળવું.કારણ મ્યુઝિક બ્રેઈનના ઇમોશનલ સેન્ટરને ઉત્તેજિત કરતું હોય છે.દુખી,ગુસ્સાવાળું કે ભય્પમાડે તેવું મ્યુઝિક નેગેટિવ અસર કરતું હોઈ શકે.માટે પોજીટીવ મૂડ બનાવે તેવું મ્યુઝિક સારું.
૪)ફાસ્ટ મ્યુઝિક,ચેતનવંતુ મ્યુઝિક એનર્જી વધારતું હોય છે,માટે એવા કામ કરવાના સમયે ફાસ્ટ મ્યુઝિક સાંભળવું બહેતર બનતું હોય છે.સ્લો,શાંત મ્યુઝિક રીલેક્સ કરતું હોય છે.શાંતિથી કરવાના કામ હોય ત્યારે આવું મ્યુઝિક સાંભળવું લાભદાયી હોય છે.
૫)દર કલાકે પાંચ મિનિટ બ્રેક લેવો જરૂરી હોય છે તેમ આપના કાન પણ બ્રેક લેવા માંગતા હોય છે.મ્યુઝિક પણ સતત સાંભળ્યા કરવું તેના કરતા વચમાં બ્રેક લેવો જરૂરી છે.
    મ્યુઝિક બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો ભજવી શકે છે.મ્યુઝિક શીખવાથી એમની બુદ્ધિમત્તા વધી શકે છે.મ્યુઝિક માઈન્ડને શાર્પ બનાવે છે.સર્જનાત્મકતા વધારે છે.મ્યુઝિક બાળકોની આંતરિક શક્તિ વધારે છે.મ્યુઝિક આત્મ નિર્ભરતા,માનસિક સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસ વધારે છે.
  ભારતીય શાસ્ત્રીય સંગીત ધ્યાનની પદ્ધતિ રૂપે શોધાયું છે તેવું ઓશો કહેતા.ભારતમાં ખૂબ નામી સંગીતકારો પેદા થયા છે.સંગીત ધર્મોના વાડાથી પર રહ્યું છે.નામી સંગીતકારો મુસ્લિમ છે.એમની સંગીત સાધના આગળ ધર્મ આડે આવ્યા નથી.ભારતીય શાસ્ત્રીય સંગીતના વિકાસમાં મુસ્લિમ સંગીતકારોનો મહત્વનો ફાળો રહ્યો છે.ગુજરાતમાં પણ ઘણા નામી સંગીતકારો પેદા થયા છે,પણ બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત  શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પાછળ રહ્યું છે.અને જે થયા છે તેમની તરફ ગુજરાતીઓએ પુરતું લક્ષ આપ્યું નથી લાગતું.ગુજરાતમાં લોક સંગીતની બોલબાલા છે,શાસ્ત્રીય સંગીતની નહિ.ગુજરાતનો ગરબો દેશ વિદેશના સીમાડા વટાવી ચૂક્યો છે.ગુજરાતી જ્યાં જાય તેનો ગરબો સાથે લઈ જવાનો તે હકીકત છે.ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ બહુ ઓછા પાક્યા છે,પંડિત ઓમકારનાથ ઠાકુર આવા જ એક દિગ્ગજ હતા.
             ગુજરાતના પંડિત યશવંત ભટ્ટનાં ઘેર હાલની શાસ્ત્રીય સંગીતની બહુ મોટી ગણાતી હસ્તી પંડિત જશરાજ આવેલાં.વયોવૃદ્ધ પંડિત યશવંતજી સોફા ઉપર બેઠેલા હતા અને જશરાજજી  નીચે એમના પગ આગળ બેસી ગયેલા  ત્યારે ‘હમ તો આપશે બહોત છોટે હૈ’ એવા એમના શબ્દો હતા.આપણે ગુજરાતી આપણી  આવી મહાન હસ્તિ વિષે બહુ ઓછું જાણીએ છીએ.પંડિત જશરાજ એકવાર વડોદરા આવેલાં.ઓ.એન.જી.સી.કૉલોનીમાં કોઈ હોલમાં એમનો પ્રોગ્રામ હતો.મહારાષ્ટ્રીયન ભાઈઓ બહેનોથી હોલ ગીચોગીચ ભરાઈ ગયેલો,ગુજરાતીઓની હાજરી નગણ્ય દેખાતી હતી.હોલના દરવાજામાં પણ લોકો ભીડ જમાવીને ઉભા હતા. હું અને મારા શ્રીમતીએ  દરવાજામાં ઉભા ઉભા  ત્રણ કલાક પંડિત જશરાજનાં મનમોહક અવાજની મોજ માણેલી.હા!શાસ્ત્રીય સંગીતની આંટીઘૂંટી કે રાગ રાગિણી કે સુર તાલની સમજ મને પડતી નથી પણ એને સાંભળવું ખૂબ પ્રિય લાગે છે.સંગીત મનકા(બ્રેઈન) દીપ જલાયે તે હકીકત છે.

ગરવું ઘડપણ.

American biologist and author Robert Sapolsky.
Image via Wikipedia
ગરવું ઘડપણ.
           ઘરડા દેખાવું કોઈને ગમતું નથી.ઘરડા થવા લાગીએ એટલે ચહેરા ઉપર પ્રથમ કરચલી પડવા લાગે.ઘરડા નહિ દેખાવાનો રોગ દુનિયામાં માસ હિસ્ટીરિયા કરતા વધારે ખતરનાક રીતે ફેલાતો જતો હોય છે.વધતી જતી ઉંમર સામે લડવા માટે યોદ્ધાઓ રીન્કલ ક્રીમ,Collagen ઇન્જેક્શન અને કોસ્મેટીક સર્જરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે.આ યોદ્ધાઓ ખાલી સ્ત્રીઓ જ હોતી નથી,એમાં પુરુષો પણ સામેલ હોય છે.સ્ત્રીઓ એન્ટી એજિંગ વસ્તુઓ જે વાપરતી હોય છે તેજ વસ્તુઓ દુનિયાના ૬ ટકા પુરુષો વાપરતા હોય છે.
   ચહેરા ઉપર પડતી કરચલી આપણને વારંવાર આપણે નાશવંત છીએ મરણાધીન છીએ તે યાદ કરાવતી હોય છે.હવે જોકે આધુનિક મેડિકલ સાયન્સને પ્રતાપે ઉંમરનો રેશિયો વધ્યો છે.હવે વૃદ્ધો ઘણું સારું એક્ટીવ જીવન જીવી શકે છે.બ્રેઈનની ક્ષમતા અદ્ભુત હોય છે.તે આપણું મોસ્ટ પાવરફુલ અને રહસ્યમય અંગ છે.ગેલેક્ષીમાં અબજો તારાઓ હોય છે તેમ બ્રેઈનમાં અબજો ન્યુરોન્સ હોય છે.ઉંમર વધતા ચિતભ્રમ,સ્મૃતિભંશ,કન્ફ્યૂજન વગેરેનો ડર ખૂબ સતાવતો હોય છે.૮૫ની ઉંમરના ત્રીજા ભાગના લોકો ચિત્તભ્રમથી પીડાતા હોય છે.મૃત્યુના ડર કરતા ચિત્તભ્રમનો ડર વિશેષ હોય છે.બ્રેઈન આખી જીંદગી સારું કામ આપી શકે તેવી તેની ડીઝાઈન  છે જ.છતાં એની ક્ષમતા ઓછી થાય તે પણ સાચું જ છે.છતાં ઉંમર વધતા બ્રેઈન વધુ બગાડે તે પણ જરૂરી નથી.ઘણા લોકો ખૂબ સારું અને લાંબું જીવી શકતા હોય છે.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ન્યુરો સાયન્ટિસ્ટ Robert Sapolsky Ph.D. કહે છે કે ૩૫ વર્ષ પહેલા અલ્ઝાઈમર રોગ વધતી જતી ઉંમરના કારણે થતો રોગ છે એવું મનાતું હતું ,પણ ઘણા લોકોને માનસિક ક્ષતિનો કોઈ અનુભવ થતો હોતો નથી.એટલે હવે નવેસરથી આની ઉપર વિચારવાનું શરુ થયું છે.  Antonio Damasio, M.D., Ph.D., head of the Department of Neurology at the University of Iowa and author of Descartes’ Error, concurs. “Older people can continue to have extremely rich and healthy mental lives.”  ભારતમાં અલ્ઝાઈમર રોગ દુનિયાના કોઈ પણ દેશ કરતા સાવ ઓછો નહિવત્ જોવા મળે છે તેનું કારણ છે ભારતીયોના ખોરાકમાં રોજ હળદરનો ઉપયોગ.રોજ એક ચમચી હળદર ખાઓ અલ્ઝાઈમરથી દૂર રહો એવું અમેરિકન ડૉક્ટર કહે છે.
       વધતી ઉંમર સાથે બ્રેઈનને ફીટ અને ઝડપી રાખી શકાય છે તેનું રહસ્ય છે પ્રવૃત્તિમાં.મતલબ છે ક્યારેય નિવૃત્ત થવું નહિ.માનસિક રીતે તો કદાપિ નહિ.માનસિક અને શારીરિક પડકારો Cerebral ફિટનેશ માટે ખૂબ મહત્વના છે.નિવૃત્તિ શબ્દ મનની ડીક્ષનેરીમાંથી ભૂંસી નાખવો.મેક આર્થર ફાઉન્ડેશન સફળ વૃદ્ધત્વ વિષે રિસર્ચ કરવા માટે ખૂબ નાણાં ખર્ચી રહ્યું છે.Harvard મેડિકલ સ્કૂલનાં Marilyn Albert ,Ph.D.,  અને એમના Mt.Sinai મેડિકલ સ્કૂલ અને Yale ,Duke ,અને Brandeis યુનીવર્સીટીઓનાં બીજા સાથીઓ સાથે  ૧૧૯૨ વૃદ્ધો જેઓ ૭૦ અને ૮૦ વર્ષની વચ્ચેની ઉંમરના શારીરિક તંદુરસ્ત અને મેન્ટલી ફીટ હતા તેઓનું પરીક્ષણ કરી રહ્યા હતા.બાવીસ જાતના જુદા જુદા પરીક્ષણ કર્યા હતા,એમાં બ્લડ પ્રેશર,શુગર,કોલેસ્ટેરોલ લેવલ,સાયકીયાટ્રીક  સિમ્પ્ટમ,સ્મોકિંગ આવરી લેવાયા હતા.
     આ વૃદ્ધોનું  એકવાર ૧૯૮૮ અને બીજી વાર ૧૯૯૧ એમ બેવાર પરીક્ષણ કરાયું હતું.એમની તંદુરસ્ત માનસિકતા સંબંધી ચાર પરિબળ બહાર આવ્યા એક તો એમના શિક્ષણનું સ્તર,ફીજીકલ એક્ટીવીટી,મજબૂત ફેંફસા અને સ્વ સામર્થ્યની પ્રબળ લાગણી.ચારે પરિબળ બ્રેઈન ફંક્શન બદલવામાં મજબૂત ભાગ ભજવે છે.નિયમિત કસરત બ્રેઈન તરફ બ્લડ ફ્લો વધારે છે જે ન્યુરોન્સની ગીચ શાખાઓ બનાવે છે,જ્ઞાનતંતુઓ વધારે ઉજાગર થાય છે,ન્યુરોન્સ મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ વધારે છે.સહેલી એરોબિક કસરત,લાંબું ચાલવાનું,સમયાન્તરે નિયમિત પગથીયા ચડવા આમાં ખૂબ ફાયદાકારક છે.
           કેટલાક ઉંદરોને પુષ્કળ પ્રમાણમાં રમકડા વચ્ચે ખૂબ રમાડવામાં આવ્યા તો સામાન્ય ઉંદર કરતા એમના બ્રેઈન ન્યુરોન્સ વચ્ચે ૨૫ ટકા કનેક્શન વધુ થયેલા જણાયા,અને બીજા ઉંદરોને ટ્રેડમિલ પર કસરત કરાવતા બ્રેઈનનાં ખાસ ચોક્કસ ભાગમાં રક્તવાહિનીઓમાં વધારો થયો હતો.
     એજ્યુકેશન બ્રેઈન ફંક્શન તીવ્ર કરતુ હોય છે.સ્માર્ટ લોકો વધારે ન્યુરોન્સ સાથે લાઇફ શરુ કરતા હોય છે.જે લોકોની ખોપરીનો બાહ્ય ઘેરાવો ૨૪ ઇંચ કરતા વધુ હોય તેવા લોકોમાં(Big head ) અલ્ઝાઈમર રોગનો,જો થાય તો, પ્રોગ્રેસ ખૂબ ધીમો હોય છે.આવા લોકો પાસે સ્વાભાવિક બ્રેઈન ટીસ્યુ અને ન્યુરોન્સ વધારે હોય છે.સતત ભણતા રહેવું બ્રેઈન માટે સારું છે.આખી જીંદગી ભણતા રહેવામાં વાંધો પણ શું છે?નાની ઉમરથી ભાષાશાસ્ત્રનું સારું  જ્ઞાન,પાછલી ઉમરમાં બ્રેઈનને મદદરૂપ થતું હોય છે.
  આપણે ભારતીયો માનસિક રીતે નિવૃત્ત વહેલા થઈ જતા હોઈએ છીએ,અને કસરત તો ‘ન ભૂતો ના ભવિષ્યતિ’. આપણી સ્ત્રીઓ મેનપોઝ(Menopause)પછી સાવ બેઢંગી બની જતી હોય છે,વહેલી રિટાયર થઈ જતી હોય છે.આમેય ભારતીય સ્ત્રીઓ કસરત બાબતે શારીરિક ફિટનેશ બાબતે સાવ ઉદાસ હોય છે.યુવાનીમાં દરેક સ્ત્રી સ્વાભાવિક સુંદર લાગતી હોય છે,પણ પ્રૌઢ બનતા એમનું શરીર બેડોળ થવા લાગતું હોય છે.એવરેજ ભારતીય સ્ત્રી યુવાનીમાં સુંદરતા ગુમાવવા લાગતી હોય છે.ફિલ્મ ઉદ્યોગ જેતે સમાજનું પ્રતિબિંબ હોય છે.આપણી અભિનેત્રીઓ ત્રીસી કે ચાલીસી પછી?જ્યારે શેરોન સ્ટોન,ડેમીમુર,જેનીફર લોપેઝ,આવી તો અનેક???અરે ૬૫ વર્ષની મેરિલ સ્ટ્રીપ જુઓ.આપણાં અભિનેતાઓમાં કસરતી શરીરનો ક્રેઝ વધ્યો છે તે સારી બાબત છે.
         વૃદ્ધ બ્રેઈન એક રીતે ક્રિયેટીવ બ્રેઈન જેવું હોય છે.આવું બ્રેઈન નિરવરોધ,અનિગ્રહ અને પ્રસ્તુત વિષયથી દૂર ખેંચી જનારું વધારે હોય છે જે એક રીતે ક્રિયેટીવ ગણાય.ક્રિયેટીવ બ્રેઈન જ્ઞાનને પાસાદાર બનાવી કંઈક નવીન રીતે રજૂ કરતું હોય છે.ક્રિયેટીવ બ્રેઈન કોઈ એક વસ્તુ પ્રત્યે સ્થિર હોતું નથી,એમનો વ્યુ બ્રોડ હોય છે.બીજો એક સ્ટડી બતાવે છે કે એજીંગ બ્રેઈનના Prefrontal cortex નો એરિયા જે self-conscious awareness ,emotions નું પ્રતિનિધિત્વ કરતો હોય છે તે પાતળો હોય છે.જે લોકોને પ્રભાવિત કરવા માટેની ખ્વાહિશ અને લોકો પાસેથી અપેક્ષા  ઓછી રાખતું હોય છે જે ક્રિયેટીવ લોકો માટે જરૂરનું હોય છે. ક્રિયેટીવ લોકો કોઈને ખુશ કરવાને બદલે પોતાનામાં મસ્ત હોય છે. ક્રિયેટીવીટી માટે બ્રેઈનના બે ભાગ જવાબદાર હોય છે,prefrontal cortex અને  anterior cingulate .Openness to new ideas and a flexible attitude toward change are the essence of creativity.આવું નવા વિચારો પ્રત્યેનું ખુલ્લાપણું સ્ત્રીઓના prefrontal cortex ને વધુ એક્ટીવ કરતું હોય છે જ્યારે પુરુષોના anterior cingulate cortex ને એક્ટીવ કરતું હોય છે.
        વૃદ્ધ લોકો પાસે બહુ લાંબો અનુભવ હોય છે,લાંબી જિંદગીમાં સારું એવું નૉલેજ ભેગું કર્યું હોય છે.અને તેનો ઉપયોગ કરીને ક્રિયેટીવ સર્જનાત્મક બની શકાય છે.Millard Kaufman ,એમની પહેલી અને હીટ નોવેલ Bowl of Cherries  ૯૦ વર્ષની ઉંમરે લખેલી.  A Dangerous Weakness નામની  નોવેલ લખીને ૯૩ વર્ષની ઉમરની Lorna Page ,બ્રિટનમાં એક લહેર જગાવી દીધેલી.બેન્જામીન ફ્રેન્કલીને ૭૮ વર્ષે બાઇફોકલ લેન્સની શોધ કરેલી.૮૫ વર્ષે થોમસ હાર્ડીએ એમની કવિતાઓની બુક પબ્લીશ કરેલી.આવા તો અનેક વિરલાઓ હશે.
  મને જે આવા યંગ સ્વભાવના મિત્રો મળ્યા છે તેઓને મળીને મને ખૂબ આનંદ અને પ્રેરણા મળેલી.આશરે બે વર્ષ પહેલા મળેલા ‘કલ્ચર કેન કિલ’ નાં લેખક શ્રી સુબોધ શાહ આજે ૮૦ વર્ષના હશે.શ્રી રશ્મીકાંત દેસાઈ આજે ૭૪ વર્ષના હશે અને હમણાં સમરમાં મળેલા ડો દિનેશભાઈ પટેલ ૭૨ વર્ષના ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ,તમામ ખૂબ તરવરીયા,એનર્જેટિક,નોલેજનું જાણે વેરહાઉસ અને સ્વભાવે નમ્ર,શાલીન અને ક્રાંતિકારી વિચારો ધરાવતા છે.
    યુવાની રિસ્ક ટેકર હોય છે.રીસ્ક્માથી થ્રિલ મેળવતી  હોય છે.એમાં પણ યુવાન પુરુષો વધુ રિસ્ક ટેકર હોય છે સ્ત્રીઓ ઓછી.આમ પુરુષો સ્ત્રીઓની સરખામણીએ વધુ મારતા હોય છે.વૃદ્ધ હોય તો પણ પુરુષો જરા વહેલા મરતાં હોય છે.૧૯૯૮મા એકસર્વે થયેલો ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં,૪૬૫૫ શ્વેત પુરુષો અને ૧૩૨ આફ્રિકન અમેરિકન પુરુષોએ આત્મહત્યા  કરેલી,જ્યારે ૯૦૨ શ્વેત મહિલાઓ અને ૨૦ આફ્રિકન અમેરિકન મહિલાઓએ આત્મહત્યા કરેલી.રોગના કારણે પણ મરનાર પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધુ હોય છે.
  પુરુષો સ્વભાવગત કોમ્પીટેટીવ અને મહિલાઓ કોઓપરેટીવ હોય છે.આમ મહિલાઓને સામાજિક સપોર્ટ સારો એવો મળતો હોય છે.બ્રેઈન સ્કેન દર્શાવે છે કે સહકારની ભાવના બ્રેઈનની નર્વ સર્કિટને ઉત્તેજિત કરતી હોય છે જે રીવોર્ડ સિસ્ટમનો ભાગ હોય છે.અને એનાથી ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ સ્ત્રાવ વધે છે જે એક જાતનું સુખ અર્પે છે.એટલે એકબીજાને સહકાર આપવાથી સારું લાગતું હોય છે.એટલે સામાજિક સહકાર બ્રેઈનને ખૂબ લાભદાયી હોય છે.આમ આ બધું ઓવરઓલ સારા આયુષ્ય માટે કારણભૂત બનતું હોય છે.આમ કેરગીવર થિયરી પ્રમાણે મહિલાઓ લાંબું જીવતી હોય છે સરેરાશ પુરુષો કરતા પાંચ વર્ષ વધુ.સ્ત્રીઓને બાળકો મોટા કરવાની જવાબદારી ભાગે વધુ આવતી હોય છે.જેથી તેઓ રિસ્ક ટેકર હોતી નથી.માતા વગરના બાળકોનો સર્વાઈવલ રેટ ઓછો થઈ જતો હોય છે.જે જાતોમાં નર પણ માદા જેટલી જ એના સંતાનોને ઉછેરવાની જવાબદારી સંભાળતો હોય ત્યાં નર અને માદા બંનેનું આયુષ્ય સરખું હોય છે,દાખલા તરીકે siamangs (a type of ape) and titi monkeys.Male owl monkey એના સંતાનોને ખાલી દૂધ પીવા પૂરતા માદાને આપતા હોય છે બાકીની ઉછેરવાની તમામ જવાબદારી નરની હોય છે ત્યાં નર વધારે જીવતા હોય છે માદા કરતા.આમ પુરુષ સ્વભાવગત રિસ્ક ટેકર હોવાથી ઓછું આયુષ્ય ભોગવતો હોય છે અને સ્ત્રીઓ પ્રાયમરી કેર ગીવર હોવાથી વધુ આયુષ્ય ભોગવતી હોય છે.
      એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે.જોબ સ્ટ્રેસ વહેલા મારી નાખે તેવું પણ નથી.ઉલટાના જોબ છોડીને કેર ફ્રી રહેનારા વહેલા મરી જતા હોય છે.પ્રોડક્ટીવ અને લાંબું કેરિયર ધરાવનારા લોકો વધુ આયુષ્ય ભોગવતા હોય છે.
      ફ્લેક્સીબલ મેન્ટલ એટીટ્યુડ,ઘણાબધા સમાન વિચારસરણી ધરાવતા મિત્રો,ચેસ,બ્રીજ,મ્યુઝિક,ડાન્સ આ બધું બ્રેઈનને એક્ટીવ રાખતું હોય છે.પરણેલા પુરુષો કુંવારા કરતા વધુ જીવતા હોય છે.
Centers for Disease Control and Prevention (CDC) શું કહે છે તે જોઈશું?
 ૧) વજન જાળવવું- અતિશય વજન કે બોડી ફેટ સારું નહિ.BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ ૨૫ કરતા ઓછો હોવો જોઈએ.
૨) પૂરતા ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
૩)ફીજીકલી એક્ટીવ રહેવું જોઈએ.
૪)સિગારેટ સ્મોકિંગ બંધ.
૫) દારુ પીને ડ્રાઈવ કરવું બંધ.

રેશનલ આધ્યાત્મિકતા????

Lama Yeshe Losal (2007)
Image via Wikipedia
રેશનલ આધ્યાત્મિકતા????
          આધ્યાત્મિકતા એટલે શું?કંઈક ભગવાનને લગતું?ધર્મને લગતું કે પછી અલૌકિક,કુદરતના કાયદાથી પર કે દિવ્ય?દિવ્ય એટલે શું?પ્રેમ કે નીતિમત્તા?
    બહુ અઘરું છે નહિ?વ્યાખ્યા કરવી અઘરી છે,તેમ દરેકની વ્યાખ્યા પણ અલગ રહેવાની.મોરલ વેલ્યુઝ વગરની આધ્યાત્મિકતા કે ધર્મ ને શું કહીશું?
     જીવન એક નૈયા છે જે ક્યારેક ડૂબી જવાની છે.મૃત્યુનો વિચાર અને મૃત્યુનો ડર એક ભૂતની જેમ મનુષ્ય પ્રાણીને ખૂબ સતાવતો હોય છે જે બીજા કોઈ પ્રાણીને સતાવતો નથી.આપણે મરણાધીન દર્પણ છીએ,દુનિયાનું પહેલું પ્રાણી જે જીવન ચક્રનો આખો પરિઘ જોઈ શકે છે અને ખબર છે કે એક દિવસ મૃત્યુ આવવાનું જ છે.જીવન નૈયામાં સફર કરતા કરતા એક દિવસ ભવિષ્ય તો ઊંડા તળિયે જ છે.
   મૃત્યુ એક નથી હોતું,પળે પળે ક્ષણે ક્ષણે આપણે મરતાં હોઈએ છીએ.મિનિટ,કલાક,વર્ષ,દાયકા,જમાના,યુગો અને યુગો વીતી જતા હોય છે અને રોજ કંઈક ને કંઈક મરતું હોય છે.ક્યારેક ચશ્માં ખોવાઈ જતા હોય છે,ક્યારેક કોઈ મિત્ર દગો દઈને જતો રહેતો હોય છે,કોઈ સંબંધી દુનિયા છોડી જતું રહેતું હોય છે કે કોઈ ક્યારા મિત્રનો ફોન નંબર ખોવાઈ જતો હોય કે બદલાઈ જતો હોય છે,આજે કોઈ વસ્તુ અચંબો પમાડે છે તે કાલે નથી પમાડતું.હર્ષ આવે છે અને પછી પાછળ શોક પણ આવતો હોય છે.કુટુંબો નાશ પામી જતા હોય છે,સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે,માયા,ઇનકા,એઝટેક,સુમેરિયન,ઇજિપ્શિયન બધું ભૂતકાળ બની ચૂક્યું છે.આજે જેને આપણે બાથમાં લઈએ છીએ તે કાલે સડી જતું હોય છે.એક કૂતરું આજે ખરીદીએ સાથે એનું મોત પણ ખરીદીએ છીએ.સર્જન વિસર્જન ચાલ્યા કરતું હોય છે,વિજ્ઞાન આ નિયમો સમજવાનો પ્રયત્ન કરતું હોય છે.પણ બધા નિયમો સમજાતાં નથી હોતા.એટલે પછી ભારતમાં કહેવાય છે કે વિજ્ઞાન જ્યાં અટકે ત્યાં અધ્યાત્મ શરુ થાય છે.કોઈને અધ્યાત્મ ગીતમાં દેખાય છે,કોઈને ટીલા ટપકામાં.કોઈને મહાકાલી સાથે વાતો કરવામાં અધ્યાત્મ દેખાય તો કોઈ યોગીને એ કાલીના નાશમાં.કોઈને માનવતામાં અધ્યાત્મ દેખાય છે,કોઈને લાગણીઓના પ્રવાહમાં.ચાલો એક મહાન નાસ્તિકે (ભગવાન બુદ્ધ) ચાર ઉત્કૃષ્ટ ભાવના કઈ ગણાવી છે તે જોઈએ.
    આ ચાર લાગણીઓ(Brahma Vihar) આપણે આપણાં મનમાં વાવી શકીએ છીએ,એને ઉછેરીને વૃક્ષ બનાવી શકીએ છીએ.
     મેત્તા:– Lovingkindness or Friendliness ,મિત્રતા,પ્રેમાળ હૃદય કે અસીમ મિત્રતા,મૈત્રીપૂર્ણ વ્યવહાર.સાદા શબ્દોમાં કહીએ તો કોઈને પણ તમારા હ્રદયમાંથી ફેંકી દેશો નહિ.એમાં આપણે પોતે પણ આવી ગયા.ઘણીવાર આપણે પોતે આપણી જાતને ધિક્કારતા હોઈએ છીએ,તો કોઈને અને ખુદને પણ હૃદયમાંથી ફેંકી દેશો નહિ.મેત્તા એટલે શુભ ચિંતક.દરેકનું ભલું થાય તેવી લાગણી.
Sylvia Boorstein ,Author of

It’s Easier Than You Think: The Buddhist Way to Happiness

જયારે કોઈ પણ માણસને જુએ એટલે મનોમન કોઈને ખબર પડે નહિ તે રીતે I love you કહેતી.અને આમ કરીને મેત્તાની સાધનામાં આગળ વધતી.આમ તેને અજાણ્યા લોકો માટે પણ ભાવ ઉભરવા લાગ્યો.અજાણ્યા લોકોના દુખ દર્દ અને આનંદમાં સહભાગી થવા લાગી.

  કરુણા:-Compassion.કરુણા અને મિત્રતા પોતાના માટે વહેવી જોઈએ.આપણે પોતાના પ્રત્યે પણ ક્રૂર બનતા હોઈએ છીએ.આપણાં શરીરનું નિરીક્ષણ કરો,એક હાથે ઈજા થશે તો તરત બીજો હાથ એની દરકાર કરવા લાગે છે કે નહિ?શરીર આવો ઓટોમેટીક રિસ્પૉન્સ આપતું હોય છે.બસ આમ પ્રથમ પોતાના શરીર માટે કરુણા ઊગશે તે પ્રવાહ બીજા લોકો પ્રત્યે પણ વહેતો થશે.વિનાકારણે પોતાના શરીરને પણ કષ્ટ આપવું હું તો માનું છું ગુનો છે.કરુણા અને કહેવાતી દયાની ભાવનામાં મને થોડો ફરક લાગે છે.કોઈના પ્રત્યે દયા આવવી એમાં થોડો અહંકાર રહેલો હોય છે.દયા કરનારનું સ્થાન જરા ઊંચું અને દયાપાત્ર જરા નીચો લાગતો હોય છે.ઉપકારની ભાવના આવી જતી હોય છે.બુદ્ધની કરુણા અવિરત વહેતી હોય છે.એમાં કોઈ ઉપકાર નથી.કોઈ અહંકાર નથી,ભેદ રેખા બહુ પાતળી છે.
બૌદ્ધિષ્ઠ ટીચર Pema Chodron ::-I’ve learned to cultivate compassion for myself, my heart has opened to others who are suffering.
    મુદિતા:-(joy in the joy of others) મુદિતા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જલ્દી નહિ મળે.મુદિતા એટલે હર્ષની લાગણી.ખુશ થવું.આનંદિત થવું.પણ શેમાં?બીજાની હર્ષની લાગણી જોઈ હર્ષ અનુભવવો,બીજાને સુખી જોઈ સુખ અનુભવવું,બીજાને આનંદિત જોઈ આનંદ અનુભવવો.આપણે તો કોઈને સુખી જોઈએને દુખ અનુભવીએ છીએ.જલન થતી હોય છે.ઈર્ષ્યા થતી હોય છે.અને જો કોઈ દુખી હોય કે એની કમનસીબી જોઈએ ને હર્ષ અનુભવીએ છીએ.એટલે કોઈના દુખમાં હર્ષની લાગણી અનુભવો કે ખુશ થાઓ તેને મુદિતા ના કહેવાય.આમ મુદિતા ઈર્ષ્યાનો એન્ટીડોટ છે.
    ઉપેખ્ખા :-Equanimity ,ઉપેક્ષા,સ્વસ્થતા,શાંતિ આવા અર્થ કરી શકાય.ઉપેક્ષા કરવી તેમાં જરા નકારાત્મક ભાવ લાગે છે.જીવનના ચડાવ ઉતાર પ્રત્યે સ્વસ્થતા રાખવી શાંતિ રાખવી તેનું નામ ઉપેખ્ખા.સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ઉપેખ્ખા બહુ કામનો શબ્દ લાગે છે.
    Lama Yeshe :- “If you expect your life to be up and down, your mind will be much more peaceful.”
     રોજબરોજના જીવનમાં આ ઉત્કૃષ્ટ ભાવનાઓ વિકસાવવા જેવી છે.બુદ્ધ મનોચિકિત્સક,મનોવૈજ્ઞાનિક,ન્યુરોલોજીસ્ટ જેવા વૈજ્ઞાનીકોના હંમેશા પ્રિય રહ્યા છે.હું જ્યારે જ્યારે મનોવિજ્ઞાન વિષે વાંચતો હોઉં ત્યાં વારંવાર બુદ્ધનો ઉલ્લેખ થતો હોય છે.
     બુદ્ધે ૨૫૦૦ વર્ષ પહેલા કહેલું કે જેને સાંભળવાની કળા આર્ટ ઑફ લીશનીંગ આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા નહિ.મતલબ શરીરની ઉંમર અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.જોકે તે સમયે વાંચવાનું ખાસ કશું હશે નહિ,આજના જેટલા પુસ્તકો હશે નહિ.બાકી આજે બે વસ્તુ કહી શકીએ કે જેને આર્ટ ઑફ લીશનીંગ અને આર્ટ ઑફ રીડિંગ નસીબ નથી તેનું શરીર વધે છે પ્રજ્ઞા નહિ,બુદ્ધિ નહિ.

શરીરની ભાષા.

Ralph Waldo Emerson
Image via Wikipedia

શરીરની ભાષા.

              ભાષા બે પ્રકારની હોય છે,એક તો શબ્દોની અને બીજી હોય છે શરીરની.શરીરની ભાષાને બોડી લેન્ગવેજ પણ કહી શકાય.પ્રાણીઓ શબ્દોની ભાષા જાણતા હોતા નથી,એમને શરીરની ભાષા જ આવડતી હોય છે.શરીરની ભાષા લાગણીની ભાષા છે,ભાવનાઓની ભાષા છે.શરીરની ભાષા લીમ્બીક બ્રેઈનની ભાષા છે.લાગણીની ભાષા વૈશ્વિક છે.લીમ્બીક બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી.સર્વાઈવલની ભારે જવાબદારી લીમ્બીક બ્રેઈન કરોડો કરોડો વર્ષથી જાળવતું આવ્યું છે.લીમ્બીક રીએક્શન ત્વરિત,પ્રમાણિક,ચોક્કસ,સમય દ્વારા(‘મૈ સમય હું’,મહાભારત સિરિયલનું વાક્ય યાદ આવે છે?) પ્રમાણિત હોય છે.લીમ્બીક રીએક્શનનું વાયરીંગ સખત હોય છે,કેમ કે કરોડો વર્ષની નીપજ છે.જાયન્ટ કાંગારું વિષે એક ડોક્યુમેન્ટ્રી હું જોતો હતો.કાંગારું એના બચ્ચાને સાવ અધૂરું વિકસેલું જન્મ આપે છે.આ જાતના મેમલ બહુ રહ્યા નથી.અવિકસિત બચ્ચું પેટ આગળ રહેલી કોથળીમાં મોટું થાતું હોય છે.માદા કાંગારું એક બચ્ચાને જન્મ આપે છે તે હું જોતો હતો,સાવ એક વેંતનું પણ નહિ હોય અને માંસના લોચા જેવું લાગતું બચ્ચું જન્મતા વેત નીચે જમીન પર પડવાને બદલે સીધું ધીમે ધીમે જાણે વર્ષોથી જાણતું હોય તેમ પેલી કોથળી તરફ આગળ વધતું જોઇને મને અચરજ લાગ્યું.કોથળીમાં પ્રવેશી તરત એણે દુધની બાટલી તૈયાર જ હતી પીવાનું શરુ કરી દીધું.
          આપણી જરૂરિયાતો,લાગણીઓ,વિચારો અને હેતુ બધાનું પ્રોસેસિંગ કરીને લીમ્બીક બ્રેઈન શરીરની ભાષા દ્વારા વ્યક્ત કરતુ હોય છે.બોસ્ટન હોય કે બોર્નીઓ,અમદાવાદ હોય કે આર્જેન્ટીના બાળકને કોઈ ખોરાક ભાવતો નાં હોય તો એના હોઠ ભીડી દેવાનું,અને માતાને જોઇને એના ચક્ષુ વિસ્ફારિત થઇ જવાના.આપણે ખુશ હોઈએ કે નાખુશ,ઠંડી હોય કે ગરમી,કે પછી હોય હુંફાળું વાતાવરણ આપણી અંગચેષ્ટા,ભાવ ભંગિમા તરત બદલાઈ જવાની.કોઈ અશુભ સમાચાર મળશે તો હોઠ સખત ભીડાઈ જવાના,બસ આપણને લીધા વગર જતી રહેશે તો દાંત કચ કચાવીશું,બોચી ખંજવાળીશું,બોસ રજાને દિવસે કામ પર બોલાવશે તો મુંડી નીચી અને આંખોની કીકી નાની થઇ જશે.આવું તો ઘણું બધું શરીરની ભાષા દ્વારા વ્યક્ત થતું હોય છે,જે આપણાં લીમ્બીક બ્રેઈન દ્વારા કરોડો વરસથી પરફેક્ટ શોધેલું છે.
          કોઈ પ્રિય વ્યક્તિ મળી જાય ત્યારે?ચહેરાના સ્નાયુ રીલેક્સ થઇ જતા હોય છે,હાથ થોડા પહોળા ગોઠવાઈ જતા હોય છે જેથી પ્રિય વ્યક્તિને આવકારી શકીએ,હોઠ તરફ લોહીનો ધસારો વધી જતો હોય છે,ગરદન આગળ જુકતી હોય છે,આંખની કીકીઓ પહોળી થઇ જતી હોય છે.
       Yale કોલેજની લાયબ્રેરીમાં એક છોકરો અને એક છોકરી કશું બોલ્યા વગર એક બીજાની સામે જોયા કરતા હતા,થાકીને છોકરી પેલા છોકરા પાસે ગઈ અને કહ્યું કે તું આમ મારી સામે ટગર ટગર જોવાનું ચાલુ રાખીશ અને હું પણ એવી રીતે જોયા કરીશ એના કરતા હું તને મારો પરિચય આપી દઉં,હું છું Hillary Rodham ,તારું નામ શું છે?જવાબમાં બીલ ક્લીન્ટન એમનું પોતાનું નામ ક્ષણ માટે ભૂલી ગયેલા.
   આપણાં પાછલા અનુભવો લક્ષ્યમાં લઈને કોઈ વ્યક્તિને પહેલી વાર જોઈએ ત્યારે એક જ મુલાકાતમાં એની વર્તણુક અને બોડી જેસ્ચર માપીને બ્રેઈન એક ત્વરિત ફર્સ્ટ ઇમ્પ્રેશન બાંધી લેતું હોય છે.હાસ્ય એક હકારાત્મક વર્તણુક છે,જેને આપણે ૩૦ મીટર દુરથી પણ અનુભવી શકીએ છીએ.અજાણ્યા   વ્યક્તિ માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન વડે એનું અનુમાન કરવા માટે ખાલી ત્રણ સેકંડ બ્રેઈન લેતું હોય છે,Nalini Ambady, professor of psychology at Tufts University in Medford, Massachusetts,આ બહેને ફર્સ્ટ ઇમ્પ્રેશન વિષે ખૂબ અભ્યાસ કર્યો છે.એમના કહેવા પ્રમાણે માનવ જાતે ખૂબ જડપી સામેની વ્યક્તિ માટે અનુમાન કરવાની કાબેલિયત કેળવેલી છે કે તે નુકશાન કારક છે કે લાભદાયી.એને તેઓ  “thin slices” of experience કહે છે. કાબેલિયત મનના બહુ ઊંડા ખૂણામાં પ્રોસેસ થતી હોય છે.આપણાં પ્રાચીન પૂર્વજો જેઓ ખાઓ અથવા ખવાઈ જાઓ જેવી દુનિયામાં જીવતા હતા ત્યારે આ ત્વરિત અનુમાન કરવાની ક્ષમતા એક જ નજરમાં પારખી લેવાની ક્ષમતા કેળવી ચુક્યા હતા એક સર્વાઈવલની ટેકનીક તરીકે.

Here, people use words to describe….not using words.  Enjoy.

**What you do speaks so loud that I cannot hear what you say. – Ralph Waldo Emerson

**The most important thing in communication is hearing what isn’t said. – Peter F. Drucker

**Electric communication will never be a substitute for the face of someone who with their soul encourages another person to be brave and true. – Charles Dickens

**The human body is the best picture of the human soul. – Ludwig Wittgenstein

**But behavior in the human being is sometimes a defense, a way of concealing motives and thoughts, as language can be a way of hiding your thoughts and preventing communication. – Abraham Maslow

**Who is Mike Judge? Let me think. The only way I could possibly answer that question would be in a nonverbal fashion. I think I could do an interpretive dance that would answer that question for you.
– Mike Judge

**Body language is essential for an actress, even if you don’t use your body in an athletic way. Just to be free, to use it like your voice. A body can be small and have incredible violence. A body talks. – Anne Parillau

**Body language is a very powerful tool. We had body language before we had speech, and apparently, 80% of what you understand in a conversation is read through the body, not the words. – Deborah Bull

**Get in touch with the way the other person feels. Feelings are 55% body language, 38% tone and 7% words. – Unknown

**I speak two languages, Body and English. – Mae West
**Fie, fie upon her!
There’s language in her eye, her cheek, her lip,
Nay, her foot speaks; her wanton spirits look out
At every joint and motive of her body. – William Shakespeare
**Deafness has left me acutely aware of both the duplicity that language is capable of and the many expressions the body cannot hide. – Terry Galloway
**Language is surely too small a vessel to contain these emotions of mind and body that have somehow awakened a response in the spirit. – Radclyffe Hall
**Emotion always has its roots in the unconscious and manifests itself in the body. – Irene Claremont de Castillejo
**The body never lies. – Martha Graham
**Our bodies are apt to be our autobiographies. – Frank Gillette Burgess
**You have to think an awful lot about your motivations or people’s behavioral intentions or what their body language can indicate or what’s really going on or what makes people sometimes do, sometimes, the irrational things they do. – Ron Silver
**In this respect, I suppose I’m the total opposite of Garry [Kasparov]. With his very emotive body language at the [chess]board he shows and displays all his emotions. I don’t. – Vladimir ક્રમ્નીક
**I can’t just tell the guys I want the ball, I have to do it with my body language. – LaMarcus Aldridge
**You can tell a lot by someone’s body language. – Harvey Wolter
**Kids used to sit back and listen to lectures. Now they’re leaning in. Body language has changed. – Mike Harvey
**A blur of blinks, taps, jiggles, pivots and shifts … the body language of a man wishing urgently to be elsewhere. – Edward R. Murrow
**I want guys who want to be here. I want guys who are energetic and passionate. I didn’t see any passion from Todd. You could tell form his body language that he didn’t want to be here. – Perry Florio
**Experienced trial attorneys tend to rely on instinct when picking a jury. You get an idea of the kind of people that you are looking for and pay careful attention to their answers and body language. – James Diamond
**Not only is her body language revealing, but so are her silences, which I find remarkable for an actress. It’s how she doesn’t say things verbally that I find exceedingly communicative. – Laurence કર્ડીશ
**The mood was terrible. You could see it in everybody’s eyes. The body language was just defeated. When they put me in I was hoping I could give us some energy and try to bring us back. – Billy Campbell
**I was analyzing the guys’ nonverbal communication. I learned that in sociology. When I see that, when I see fatigue, some negative things, you’ve got to go straight at them. – Glen Davis
**There’s a constant communication going on when you’re dancing, most of it nonverbal. You have to learn to communicate in a different way. For the ladies, you have to learn to follow. That’s kind of tough. – Suzanne Perez
**Eye rolling is one of the nonverbal signs that is pretty much always aggressive. – Steve Watts
**Verbal and nonverbal activity is a unified whole, and theory and methodology should be organized or created to treat it as such. – Kenneth L. Pike
**In terms of nonverbal communication, by not seeing the full face – whether it’s bangs in the eyes of a woman or a man, or a beard – there can be some who perceive the individual is hiding something. – Judith Rasband
**The more elaborate our means of communication, the less we communicate. – Joseph Priestley
**The single biggest problem in communication is the illusion that it has taken place. – George Bernard Shaw
**Effective communication is 20% what you know and 80% how you feel about what you know. – Jim Rohn
**Use non-verbal communication to SOFTEN the hard-line position of others: S = Smile O = Open Posture F = Forward Lean T = Touch E = Eye Contact N = Nod. – Unknown
**There are four ways, and only four ways, in which we have contact with the world. We are evaluated and classified by these four contacts: what we do, how we look, what we say, and how we say it. – Dale Carnegie
**When the eyes say one thing, and the tongue another, a practiced man relies on the language of the first. – Ralph Waldo Emerson
 “If language was given to men to conceal their thoughts, then gesture’s purpose was to disclose them.” John Napier.

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

   જીવન એક રાસાયણિક તથ્ય, અદ્ભુત મૅમલ બ્રેન

 આવો જરા મૅમલ બ્રેન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેન વિષે ન્યુઅરૉલજિસ્ટ ઉપર છોડીએ. મૅમલ બ્રેન એટલે દરેક મૅમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.

 * Limbic સિસ્ટમ, જે દરેક મૅમલ પાસે યૂનીક હોય છે.

 * Medulla અને Cerebellum જે દરેક મૅમલને સરીસર્પ(જમીન પર પેટે ઘસડીને ચાલતું ઠંડા લોહીવાળું પ્રાણી) પાસેથી વારસામાં મળેલું     છે.

 * Small Cortex -દરેક મૅમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.evolutioncompare

 ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા  સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની  અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ  કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.

 ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.

 આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.

 પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.images=-=-=-

 સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.

 આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું  અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus,  Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.

 આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિસિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.

 મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા  હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.

 દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

 આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.

 ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે.  સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી  પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.

 આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.

 માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.

કેસરિયા, પરમાર્થ. (Hard Truths About Human Nature)

Hamiraji Gohil ,who sacrificed his life during battle near Somnath Temple.

કેસરિયા, પરમાર્થ.

               આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે. બધા કપાઈ મર્યા, અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા.

કેસરિયા એટલે જ્યારે જીતવાનો કોઈ આરો લાગે નહિ ત્યારે રાજપૂતો કેસરી રંગના કપડાં પહેરી, દુશ્મનના સૈન્ય સામે દોડી જતા, જેટલાને મરાય તેટલાને મારીને પછી બધા કપાઈ મરતા. રાજપૂતોની સ્ત્રીઓ જોહર કરતી. એક મોટા કૂવામાં ચિતા સળગાવી અંદર કૂદી પડતી.

સ્પાર્ટન રાજા પોતાના ત્રણસો બોડીગાર્ડ કે અંગત સૈન્ય સાથે વિશાલ પર્શિયન લશ્કર સામે લડવા નીકળી પડે છે. રસ્તામાં એના રાજના બીજા લોકો યુદ્ધમાં જોડાવા આવી ચડે છે. રાજા પૂછે છે એક જણને કે તારો વ્યવસાય શું છે ? જવાબ મળે છે, લુહાર છું. બીજાને પૂછે છે, ઉત્તર મળે છે સુથાર છું. આમ બેચાર જણાને પૂછીને રાજા પોતાના સૈનિકોને પૂછે છે તમારો વ્યવસાય શું છે ? ઉત્તરમાં ગગનભેદી અવાજે એક સાથે બધા સિંહની જેમ દહાડે છે યુદ્ધ ! યુદ્ધ ! રૂંવાડા ઉભા થઈ જાય તેવા દ્ગશ્યો છે આ ફિલ્મમાં, જીવનમાં એકવાર આ ફિલ્મ જોવા જેવી છે. આવી ફિલ્મ કુંવર હમીરજી ગોહિલ વિષે આપણે કેમ નહિ બનાવતા હોઈએ ? આપણી પોકળ અહિંસાએ સૈનિક બળનું સન્માન કરવાનું શીખવ્યું જ નથી. આપણી વૉર  ફિલ્મોમાં પણ યુદ્ધ જેવું ખાસ હોતું નથી, રૉમૅન્સ વધુ હોય છે.

આ મારવાની તો સમજ્યા પણ મરવાની ખપી જવાની ભાવના વિષે શું માનીશું ? ઇતિહાસ ગવાહ છે કે દુશ્મનના તીક્ષ્ણ ભાલા, તીર, ગનફાયર અને બૉમ્બ વચ્ચે મરણીયા સૈનિકો એમના મિત્રો, સાથીઓ, કૉમરેડ ને બાજુમાં જ મરતા જોતા હોવા છતાં આગળ વધે જ જતા હોય છે. માનવ જાત મૂળભૂત સ્વાર્થી હોય છે. કોઈ પણ હિસાબે બચવું અને પોતાના જીન ફ્યૂચર જેનરેશનમાં ટ્રાન્સ્ફર કરવા તે એનો મુખ્ય હેતુ હોય છે. છતાં કેટલાય લોકો એવા હોય છે જેઓ પોતાના દેશ માટે, પ્રદેશ માટે વંશ વેલા માટે યુદ્ધમાં જીવ આપી દેતા હોય છે. મોટાભાગના સમાજમાં યુદ્ધમાં કોઈ મરાયો હોય તો એને જેતે સમાજ એને હીરો અને આદર્શ માનતો હોય છે. ભારતમાં એવું નથી તે વાત જુદી છે.

ભારતમાં હીરો નકલી લડાઈઓ પડદા ઉપર લડતા ફિલ્મી નાટકિયા અને લુચ્ચા લફંગાં સાધુઓ છે, ગુંડાઓ છે. અમેરિકામાં પોતાના દીકરાઓને સૈન્યમાં મોકલ્યા હોય અને યુદ્ધમાં તે દીકરો માર્યો ગયો હોય તેવી માતાઓને ‘ગોલ્ડ સ્ટાર મધર’ તરીકે નવાજવામાં આવે છે.

કેટલાય લોકો પોતાના કુટુંબને બચાવવા જતા જીવ આપી દેતા હોય છે. લોકો એમના પ્રિયજનને બચાવવા જતા જીવ અર્પી દેતા હોય છે. કોઈ પણ હિસાબે બચવું તે મૂળભૂત માનસિકતા હોય છે તો આને શું સમજીશું ? તો બીજી બાજુ જુઓ ચીનમાં એક જ સંતાન હોવું જોઈએ તેવી સરકારની પૉલીસી છે તો ત્યાં માતાઓ પોતાના સંતાનોને જાતે જ મારી નાખતી હોય છે.

ઘણા દેશોમાં ઑનર કિલિંગ થાય છે. પ્રેમાળ પિતા અને ભાઈઓ દ્વારા જ દીકરી અને બહેનને સામાજિક નિયમોના ભંગને કારણે મારી નાખવામાં આવતી હોય છે. આજ કહેવાતા સામાજિક નિયમ ભંગનું અમેરિકામાં બહુ મહત્વ હોતું નથી. દાખલા તરીકે પ્રેમમાં પડવું. કે પ્રેમી સાથે ભાગી જવું. ઘણા દેશોમાં સ્ટોન કિલિંગ પથ્થર મારીને મારી નાખવાનું પણ થતું હોય છે.

આજ રીતે જોઈએ તો યુગોસ્લાવિયામાં serbs , croats , Albanians  ૪૦ વર્ષ એકસંપ થઈને રહ્યા. એકબીજા સાથે આ વંશીય સમાજો લગ્ન સંબંધો વડે પણ બંધાઈ ગયેલ હતા. ૧૯૯૦ દેશના ભાગલા પડવા માંડ્યા, પ્રમુખ ટીટો મૃત્યુ પામ્યા આ વંશીય સમાજો એકબીજાના દુશ્મન બન્યા એકબીજાના લોહીના પ્યાસા બન્યા, વંશીય સાફ સફાઈ ચાલુ થઈ ગઈ.

આવી અસાધારણ, વિષમ માનવીય વર્તણૂકનું કારણ શું ?  એકબીજાને મારી નાખવાનું અને ઘણીવાર પોતાના ફેમિલીના લોકોને પણ મારી નાખવાનું  શા કાજે ?  શું આ બધું જીનમાં સમાયેલું છે ? જીન કોઈ ખાસ વર્તણૂક માટે જવાબદાર હોય છે ખરા ? ખાસ વર્તણૂક નહિ પણ એવી વર્તણૂક પેદા થાય તેવા વલણ પૂરતાં જીન જવાબદાર હોય છે. આપણે આવા વલણને સમય પહેલા ઓળખી શકીએ અને તેના નકારાત્મક પરિણામોથી બચી શકીએ અને તેવી રીતે વર્તણૂક બદલી શકીએ તેવી રીતે ઈવૉલ્વ જરૂર થયા છીએ.

ડાર્વિન શું કહે છે ? સર્વાઇવલ ઑવ ધ ફિટેસ્ટ, ફિટ અને ફ્લેક્સિબલનાં જેનિસ બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થવાના. પણ વ્યક્તિગત રીતે જુઓ તો જે લોકો આત્મબલિદાન આપતા હોય તેમના ચાન્સ તો ખૂબ ઓછા રહેવાના કે એમના જીન બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય, કે એમનો વંશવેલો આગળ વધે. પછી ડાર્વિન વિચારમાં પડ્યો, પણ પછી એણે આ સમસ્યાને વ્યક્તિગત લેવાના બદલે સામૂહિક સામાજિક રીતે લીધી તો સમજાયું કે વ્યક્તિગત બલિદાન એક સમૂહ કે સમાજ કે ગ્રૂપ કે વંશવેલાને બચાવવા માટે હોય છે. એમના એકના બલિદાનને લઈને આખો સમાજ આખો સમૂહ બચી જતો હોય છે.

ભારતમાં એવું થયું જ છે. અહી ખાલી ક્ષત્રિયો જ લડવા જતા. અને આત્મ બલિદાનો આપતા આખા સમાજ માટે. આખો સમાજ બચી જાય, પણ એમની વસ્તી ઘટતી ગઈ. કાયમ લડી લડી યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો  ઓછા થવાના જ હતા. લડવામાં જીવ પણ ખોવા પડે ને, એ કઈ રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો. પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લિમિટ હોય છે, એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને એને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરા રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય ? બાળકો પેદાં કરવાની પણ એક શારીરિક લિમિટ હોય.

દાખલા તરીકે એક હરણ ઘાયલ થયું છે અને દોડી કે બરોબર ચાલી શકતું નથી, હવે આખો હરણ સમૂહ એની રાહ જોશે ? પાછળ પ્રિડેટર પડ્યા હોય  જેવા કે સિંહના ટોળા પાછળ પડ્યા હોય તો શું થાય ? નુકશાનના ચાન્સ ખૂબ વધી જવાના. ભલે  શિકારી પાછળ પડ્યા  ન હોય છતાં ઘાયલ હરણ શું કરશે ? જંગલમાં એકલું ઊંડું ચાલ્યું જશે. અને આખો સમૂહ એના સાજા થવા માટે ગુડ લક કહીને આગળ વધી જશે.

હવે એક વ્યક્તિગત હરણ એનું બલિદાન આપી દેશે પણ આખો હરણ સમૂહ બચી જશે. પરમાર્થની ભાવના આવી રીતે વિકસે છે. આખા સમૂહ, સમાજ, જાતિનાં સર્વાઇવલ માટે કશું પણ કરીએ તેનું નામ પરમાર્થ. એના માટે પોતાની જાતનું બલિદાન આપી દઈએ તેનું નામ કેસરિયા. કે ભાઈ હું ભલે મરી જઈશ મારો સમાજ જીવશે, મારો વંશવેલો જીવશે, મારો સમૂહ જીવશે તો એક રીતે હું પણ જીવતો રહીશ, મારા જિન્સ જીવતા રહેશે. અને આ અનુભવ આપણે આપણાં વારસદારોને જિન્સમાં આપતા જઈએ છીએ.

કુંવર હમીરજી એમ જ બલિદાન આપવા દોડી ગયા હશે? ના! એમના પૂર્વજોએ એવા બલિદાન આપેલા હશે, અને તે અનુભવો એમના પિતૃઓના જેનિસ દ્વારા એમનામાં પણ ઊતરેલા હશે. આવા આત્મબલિદાન આપતા પરમાર્થ કરતા નિઃસ્વાર્થી જીન વંશવેલા માટે, વંશવેલાના સર્વાઈવલ માટે બીજી પેઢીમાં વધારે પ્રમાણમાં ઊતરે તે જરૂરી છે, અને તે લગભગ દરેક પ્રાણીઓમાં ઊતરતા જ હોય છે. એટલે ઘણીવાર પોતાના સંતાનોને મોત આપવાની માનસિકતા આખા સમૂહ માટે સર્વાઇવલ માટેની હોઈ શકે. હા આ સર્વાઇવલની માન્યતા ગલત હોઈ શકે. જેવી કે ઘણા દેશોમાં પ્રેમમાં પડવું કે પ્રેમી સાથે ભાગી જવું ગલત ગણાય છે. એના માટે સગા બાપ પણ દીકરીની હત્યા કરતા અચકાતા નથી.

આમ પરમાર્થ અને પરોપકાર પોતાના સમૂહ કે સમાજ કે વંશને બચાવવા માટે કરવામાં આવતા હોય છે. એક મોટા સર્વાઇવલ માટે એક નાનું વ્યક્તિગત સર્વાઇવલ જતું કરવામાં આવતું હોય છે. ગરબડ એ થતી હોય છે કે ઘણા ચાલાક લોકો પરોપકાર અને પરમાર્થના બહાને પોતાના સર્વાઇવલની વ્યવસ્થા કરી લેતા હોય છે. એમાં નેતાઓ અને ધર્મ ગુરુઓ આવી જાય.

આ પરમાર્થની ભાવનાનો આમ દુરુપયોગ પણ થઈ જતો હોય છે. દાખલા તરીકે સો, બસો કે હજાર કરોડ અને તે પણ લોકો પાસેથી જ મેળવેલા હોય તે હોસ્પિટલો બનાવવામાં વાપરી લોકોની સેવા કરવા માટે વાપરી અને ૪૫ કે ૫૦ હજાર કરોડ ભેગાં કરી લેવાતા હોય છે જાદુગર ગુરુ દ્વારા. વળી ઘણીવાર ધાર્મિક શિક્ષણ અને માન્યતાઓનાં કારણે લોકો આખી જીંદગી સેવા કરવામાં વાપરી નાખતા હોય કે મૃત્યુ બાદ સ્વર્ગ મળે. જોકે એમાં નુકશાન કશું નથી, સ્વર્ગ હોય કે ન હોય  લોકોની સેવા તો થઈ જાય. મિશનરી પ્રવૃત્તિઓ આમ ચાલતી હોય છે.

આમ રામરોટીનો, ભૂખ્યાને ભોજન આપવાનો કૉન્સેપ્ટ ચાલુ થયો હોય છે. પણ એનો દુરુપયોગ સ્વાભાવિક ચાલુ થઈ જતો હોય છે. એમાં જે ખરેખર ભૂખ્યા હોય તે તો ઠીક કમાતા  લોકો પણ મફતમાં ખાવાની વૃત્તિને લીધે એનો લાભ લેતા હોય છે. એક મિત્રના કહેવા મુજબ આવા એક રામરોટી ચલાવતા મંદિરમાં એકના એક લોકો લ્યુના અને સ્કૂટર પર આવતા એમણે જોએલા છે અને આવું જોઇને એમને નવાઈ સાથે ગુસ્સો પણ આવતો હશે.

વળી આવી રામરોટી ચલાવતા લોકો પણ એમનો ધંધો કરી લેતા હોય છે. એના માટે ડોનેશન ઉઘરાવે એમાં એમના રોટલા પણ કાઢી નાખતા હોય. એટલે આવી પરમાર્થી વૃત્તિ ઘણાબધા લોકોમાં સહજ હોય છે, અને જરૂરી પણ છે સમાજ કે સમૂહના સર્વાઇવલ માટે. જો કે ઘણા સમાજમાં કર્મના નિયમને કારણે માનવસેવા કે એવા કોઈ પરોપકાર કરવાનું મૂનાસીબ માનતા નથી હોતા પણ પરોપકારની વૃત્તિ હોવી સ્વાભાવિક હોવાથી તેવા સમાજની આ વૃત્તિ પશુ પ્રાણી, જીવ જંતુ અને કીડી મકોડી તરફ વળી જતી હોય છે.

સમાજનો કાયદો તોડનારને સમાજ બહાર કરી દેવામાં આવતા હોય છે જેથી સમાજને ખતરો ના રહે. અને સમાજ કે સમૂહથી ઉપેક્ષિત થનારા કે થઈ જઈશું તેવો ભય પામનારા લોકો આત્મહત્યા કરીને બલિદાન આપી દેતા હોય છે. જેમ કે પ્રેમી પંખીડાઓ આપઘાત કરતા હોય છે. આજકાલ ટેરરિઝમ ચાલી રહ્યું છે ત્યાં જન્નતમા સુંદર હુર ભોગવવા મળશે તેવું ઠસાવી બાળકો અને યુવાનોને સુસાઈડર બૉમ્બર તરીકે તૈયાર કરવામાં આવતા હોય છે. પરમાર્થ એટલે પરમ સ્વાર્થ. સમૂહના સ્વાર્થ માટે વ્યક્તિગત સ્વાર્થ જતો કરવો તેનું નામ પરમાર્થ. સમૂહના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી તેનું નામ કેસરિયા.

 

 

 

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

Mesolimbic dopaminergic and serotonergic pathways.
Mesolimbic dopaminergic and serotonergic pathways. (Photo credit: Wikipedia)

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

મૅમલ(mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેન વિષે ઘણું બધું વાંચ્યા પછી આ દુનિયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખૂબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફિયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખૂબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમિસ્ટ્રિને અનુસરે છે. કેમકે દરેક મૅમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.

આ ન્યુરોકેમિસ્ટ્રિ વારસામાં મળેલી છે. દરેક મૅમલ પાસે એક બ્રેન(Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનંદ કે હેપિનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા અનેક ન્યુરોકેમિકલ્સનું પરિણામ હોય છે. કમનસીબે મૅમલ બ્રેન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઇવલ માટે કશું કરીએ ત્યારે એના રિવૉર્ડ તરીકે આ કેમિકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભૂતિ કરતું હોય છે.

મૅમલ્સ સામાજિક છે, સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરૂર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. અને આ રીતે સુખના કારણભૂત રસાયણનાં સ્ત્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખ દુઃખની લાગણીઓ અનુભવી શકતા નહિ હોય, પણ એવું નથી.

આપણે મનુષ્યો પાસે લિમ્બિક સિસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સિવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટુ બ્રેન છે. આપણી પાસે વિચાર કરી શકે તેવું મોટું બ્રેન છે. અને તેના વડે આપણે ન્યુરોકેમિકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ કશું નવી વિચારી શકીએ છીએ. પણ આપણું કૉર્ટેક્સ આપણને સુખી આનંદિત કરી શકતું નથી. કારણ હૅપી કેમિકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફિલૉસફી ફાડીએ આપણે સુખ દુઃખની લાગણીઓ ઉપર કાબૂ કરી શકતા નથી. અને જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.

એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખમાં રહી શકતા નથી. કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેનનો કાબૂ છે. મૅમલ બ્રેન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મૅમલ બ્રેન એને વધારાના શક્તિના પુરવઠા તરીકે જ વાપરાતું હોય છે જે સર્વાઇવલ માટે મદદરૂપ થાય.

સર્વાઇવલ આપણે સમજીએ તે નહિ, મૅમલ બ્રેન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાવલ ટેક્નિક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચિંતો સર્પ નજીક આવી જાય તો ભલભલાં આત્મજ્ઞાની કૂદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળનામ ભાગે આવેલું નાનુ મગજ કહીએ છીએ તે જ આ મૅમલ બ્રેન કે લિમ્બિક સિસ્ટમ છે.

એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઇંચ પણ ઊંચા સાબિત કરો ત્યારે મૅમલ બ્રેન તેને નોટિસ કરતું હોય છે, અને પ્રતિભાવમાં હૅપી કેમિકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે “મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.” અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ-સ્ટૅટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઊંચા સાબિત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો પણ સામેલ થઈ જાય. પણ એવું કરવામાં ઊંચા સાબિત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મૅમલ બ્રેન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પિત થઈ જવું તે મૅમલ બ્રેન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.

જ્યારે કોઈ આપણાં ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મૅમલ બ્રેન દુઃખી કરતા કેમિકલ્સ છોડતું હોય છે જેનાથી દૂર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કૈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મૅમલ બ્રેન Dopamine  રિલીસ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે Serotonin સ્ત્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવિષ્યમાં સર્વાઇવલ માટે જરૂરી છે ત્યારે Oxytocin સ્ત્રવતું હોય છે.

મૅમલ બ્રેન વિષે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતિ પ્રાચીન લિમ્બિક સિસ્ટમ વિષે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વિષે કે બ્રેન વિષે કે મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સ વિષે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકૂટ કોણ કરે? પશ્ચિમના વૈજ્ઞાનિકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતિકવાદીઓને ગાળો દેતા જઈશું.

આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે, ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ  લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રૂપનો સાથ ઇચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરૂરિયાતો સંતોષી શકાય. અને તેવું બને નહિ તો હતાશ નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. અને તે ગ્રૂપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ “આપણો સમાજ” નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્ત્રાવની ખોજનો.

હું હંમેશા લો-પ્રોફાઇલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતિષ્ઠા ઇચ્છતો નથી, કે ડિઝાઇનર કપડા પહેરી કૉક્ટેલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમિકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમિકલ્સની અવગણના કરું તે સ્વાભાવિક છે. આપણે કાયમ હૅપી કેમિકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમિકલ્સની અવિરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુખ પામતા હોય છે.

જો આપણે આપણી બ્રેન કેમિસ્ટ્રિ સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નિવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમિકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં ,  છતાં મારે આ દુનિયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઇચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. અને દુઃખી કેમિકલ્સથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આમ  હું બીજા મૅમલ્સ વચ્ચે  અવશ્યંભાવી, અપરિહાર્ય મૅમલ છું.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન

मा फ़लेशु कदाचन (Hard Truths About Human Nature)

मा फ़लेशु कदाचन(Hard Truths About Human Nature)

 આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચાં પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ.

વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જીન મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જેનિસ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે  એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

          Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સિસ્ટમ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success  માટે  ચિંતિત ના હોવ,  પણ તમારા હૅપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જેનિસ સર્વાઇવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હૅપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને અવૉઈડ કરતા હોય છે.

              આપણું બ્રેન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે. જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્રપૌત્રાદીને કોઈ વાનગીની રૅસિપિ શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે.

એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી.

Gregor mendel જિનેટિક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લિશ કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું. અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જિનેટિક ને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે.  ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગૉંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા.

આશરે ૬૦૦ વર્ષ પહેલા જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું.  એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિકે એને ખૂબ પાણી પાયું. અને આજે ? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ.

૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો. છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલૉસફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જીનને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા હોય છે. બસ એમના હૅપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુઃખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને અવૉઇડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરૉન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા એક દિવસ ચાલવાની જ છે. આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે,  ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું  મહાભારે બોજરૂપ જ્ઞાન છે.

 આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છે,  જે આપણા સર્વાઇવલ કેન્દ્રિત reptile બ્રેનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું ? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી. આખી દુનિયા તમે બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા ? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતનરૂપે, અભાનપણે. આપણે સર્વાઇવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી સર્જનાત્મક સર્વાઇવલ સ્કિલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ  અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ. એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જેનિસ જીવતા રહે.  વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં જેનિસ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જેનિસ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જેનિસનું ફળ એટલે આપણો વારસો.

 

આ છે મારું ભારત.

આ છે મારું ભારત.
*We owe a lot to the Indians,who taught us how to count,without wich no
worthwhile scientific discovery have been made!—Albert Einstein
*If there is one place on the face of earth where all the dreams of living
men have found a home from the very earliest days when man began the dream of
existence, it is India!–Romaine Rolland, French scholar
*India conquered and dominated China culturally for 20 centuries without
ever having to send single soldier across her border!—Hu Shih,former
Ambassador of China to USA.
*If I were asked under what sky the human mind has most fully developed some
of its choicest gifts,has most deeply pondered on the greatest problems of
life,and has found solutions,I should point ti India.–Max Mueller,German
scholar.
*India- The land of vedas,the remarkable works contain not only religious
ideas for a perfect life,but also facts which science has proved
true.Electricity,radium,eletronics,airship,all were known to the seers who
founded the Vedas.–Wheeler Wilcox,American poet.
*When I read the Bhagavat-Gita and reflect about how God created this
Universe everything else seems so superflous.–Albert Einstein
*India was the motherland of our race,and Sanskrit the mother of Europe‘s
languages:she was the mother our philosophy; mother,through the Arabs,of much of
our mathematics;mother,through the Buddha,of the ideals embodied in
Christianity;mother,through the village community,of self-government and
democeacy.Mother India is in many ways the mother of us all.-Will
Durant,American historian
*India has two million gods,and worship them all.In religion all other
countries are paupers;India is the only millionaire.–Mark Twain.
*આજે સ્વતંત્રતા દિવસે દુનિયાના બેસ્ટ કમાન્ડો તૈયાર કરનારા શિફૂજી(shifuji)
દીપક દુબેને ઝી ટીવીના લીટલ ચેમ્પ શોમાં “મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત ઉપર એક
બાળકની જેમ રડતા જોઈ દિલ તો શું ભરાય? આંખોમાં આંશુ આવી ગયા.જે નાનલા બાળ ગાયકને
સપોર્ટ કરવા આવેલા તેના કપાળે જલિયાવાલા બાગની માટીનું તિલક લગાવી કહ્યું કે જે
ખોટું લાગતું હોય તેને હિંમતથી કહી દો કે ખોટું છે.ખોટું ચલાવી લેવાની ભારતીયોને
આદત પડી ચૂકી છે.એક કરોડ ભારતીય મહિલાઓને સ્વસુરક્ષા શીખવવાનું મિશન પ્રહાર “સશક્ત
હી સુરક્ષિત ” ધ્યેય પૂરું કરવા કટિબદ્ધ શ્રી દીપક દુબે આજ સુધી ૨૭ લાખ સ્ત્રીઓને
તૈયાર કરી ચૂક્યાં છે.હઠયોગનાં આ માસ્ટર Shifuji Deepak Dubey
(Shifu means A Shaolin Gong-Fu Master) is A Warrior Monk of 32nd Generation of
Shaolin Warrior Monks from Shaolin Temple shifu deepak dubeyChina,Which is Headed By Da Shifuji Shi De Yang ( The Supper
Grand Grand Master of Shaolin Temple China)( Headmaster of Shaolin
Warrior
Monks & Team Captain of Shaolin Warriors ).He is the Only
Indian of his Generation to be trained under the Great
Da Shifu Grand Master
Shi De Yang & Accepted as a Warrior Monk in
The
Temple,
કલ્લારીપયટુ,દુનિયાની તમામ માર્શલ આર્ટની જનની એવી ભારતના
કેરાલાની પ્રખ્યાત કલારી આર્ટના નિષ્ણાંત દીપક દુબેએ પોતાની મીલીટરી ફૂંગ ફૂ શૈલી
વિકસાવી છે.વધુ શું કહું અહી ક્લિક કરી એમની વેબ્સાઈટ જ જોઈ
લો.shri Dipak dubey

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”

 

 

 

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths About Human Nature.

Meridian Ave northbound at North Dr, Colorado ...
Image via Wikipedia

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths  About  Human  Nature .

સૂર્ય પ્રકાશ આપણને સુંદર સુકોમળ બનાવે છે.સૂર્યના પ્રકાશ વડે દિવસ ઝગમગતો હશે ત્યારે આપણે કોઈ પણ સર્વેના ઉત્તર વધુ સારી રીતે આપતા હોઈ છીએ.આવા દિવસોમાં હોટેલ કર્મચારી ટીપ વધુ મેળવતા હોય છે.આવા દીવસે આપણે માનસિક રીતે પ્રફુલ્લિત હોઈએ છીએ અને તે મૂડ જાળવી રાખવાનું ઇચ્છતા હોઈએ છીએ. આભ વાદળ છાયું હોય ત્યારે ફક્ત ભણવાની ઇચ્છા ધરાવનારા જેમના જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવી મહત્વનું છે તેવા વિદ્યાર્થીઓ એડમીશન વધુ લેતા હોય છે,અને જ્યારે દિવસ સૂર્ય પ્રકાશથી ભરેલો હોય તેવા દિવસોમાં સામાજિક પ્રકારના વિદ્યાર્થીઓ પ્રવેશપત્રો વધુ ભરતા હોય છે.વાદળછાયો દિવસ ઘરમાં રહીને અભ્યાસ કરો તેવું સૂચવતો હોય છે. સુર્યપ્રકાશ શેર બઝારને ઉત્તેજન આપે છે.ઇન્વેસ્ટર આવા દિવસે આનંદિત હોય છે અને વધારે રોકાણ કરતા હોય છે.વાદળછાયા દિવસો કરતા ત્રણ ઘણું રોકાણ થતું હોય છે.
વાદળછાયા દિવસે વેધર ખરાબ હોય ત્યારે મૂડ સારો હોતો નથી,એમાં નિર્ણય લેવાની શક્તિમાં ગરબડ થઈ જાય છે એમાં લોકો લોટરીની ટીકીટ વધુ ખરીદતા હોય છે.ગરમ દિવસોમાં આત્મ હત્યા વધુ થતી હોય છે.અંતિમ નિર્ણય લેવામાં સુર્યપ્રકાશ હિંમત અર્પે છે એમાં આવા ખરાબ નિર્ણયો પણ આવી જાય. સુર્યપ્રકાશ ઓછો હોય તે દિવસે એની પૂર્તિ કરવા મૂડ સુધારવા જાતને ઉત્તેજિત કરવા આલ્કોહોલ,કોફી,ચોકલેટ તંબાકુ અને ચા વગેરેનું સેવન વધુ થતું હોય છે.
ચાલો જોઈએ અમેરિકાના મોટા શહેર દિવસમાં કેટલો સમય સુર્યપ્રકાશ મેળવે છે?
Phoenix: 10.3
Los Angeles: 8.8
Atlanta: 7.6
New York: 7.4
Chicago: 7.2
Seattle: 5.6
*૪૫ મિનિટ કોઈ સુંદર વન ઉપવન બાગ બગીચામાં ચાલવા નીકળો તો આપણી ચિંતન મનન શક્તિમાં વધારો થાય છે.એટલો વધારો કોઈ માર્કેટમાં કે સિમેન્ટના જંગલમાં ફરવા નીકળો તો નહિ થાય.કારણ શહેર વિસ્તારમાં તમારા બ્રેઈનને ઘણું બધું કામ કરવું પડતું હોય છે,ટ્રાફિકનું ધ્યાન રાખવાનું,વાહન વ્યવહારના ઘોંઘાટ,જાહેરાતોના બોર્ડ લોકોની અવરજવર,અતિશય ભીડભાડ વગેરેનું બ્રેઈન વિશ્લેષણ કર્યા કરતું હોય છે.જ્યારે વન ઉપવનમાં કુદરતનું સામ્રાજ્ય ફેલાયેલું હોય ત્યાં ગ્રીનરી બ્રેઈનને એક જાતનો આરામ અર્પે છે.
અમેરિકામાં ૭૦% લોકો શહેરોમાં રહે છે,એમને ગ્રીનરી કેટલી ઉપલબ્ધ છે તેમના શહેરોમાં જે તે શહેરની સાઇઝના પ્રમાણમાં તે જોઈએ.
25.7% New York

19.8% San Francisco

19.1% Washington, DC

15.7% Boston

12.4% Philadelphia

9.9% Los Angeles

8% Chicago.

સ્ત્રીઓને બહાર હરિયાળા વાતાવરણમાં ફરવાનું બહુ ગમતું હોય છે,એનાથી એમની આત્મશક્તિમાં વધારો થતો હોય છે,પોતાની જાતમાં સન્માનની ભાવનામાં વધારો થતો હોય છે.ગુલાબના ફૂલોની મહેક સ્ત્રીને પ્રેમની લાગણીથી તરબતર કરી દેતી હોય છે.સ્ત્રીને મોકો મળે એના સાથી સાથે સહ્ચર્યનો તરત એને બહાર કુદરતના સાંનિધ્યમાં ફરવા જવાનું મન થઈ જાય છે.(Colorado State University researcher Gretchen Nurse). ગાર્ડનીંગ કરવું ખૂબ સારું છે.થોડા શાકભાજી ઉગાડવા જોઈએ.એનાથી એકતો તાજાં શાકભાજી ખાવા મળશે.તંદુરસ્તીમાં વધારો,કસરતની કસરત.માટીનો સંસર્ગ થવાથી એમાં રહેલા વિપુલ માઈક્રોબ્સ તમારી ઈમ્યુન સિસ્ટમમાં વધારો કરતા હોય છે.સ્ત્રીઓને ગાર્ડનીંગ અને પ્લાન્ટિંગ કરવાનું ખૂબ ગમતું હોય છે.

આપણા પૂર્વજો જંગલોમાં લાખો વર્ષ રહેલા છે.કુદરતના સાંનિધ્યમાં રહેલા છે.કુદરત સાથે પૂર્વજોનો નાતો લાખો વર્ષનો છે.મેમલીયન બ્રેઈન એ રીતે ઇવોલ્વ થયેલું છે.પક્ષીઓનો કલબલાટ.એમનું ચી..ચી..ચી..એમનું ટ્વીટ્સ શરીરની હેલ્થ અને હેપીનેસ માટે ઉપયોગી છે.પક્ષીઓ ખાલી કલબલાટ કરતા હોતા નથી.એમના પ્રિયજનને મેટિંગ માટે સાદ દેતા હોય છે,એમના જોડીદારને ખતરાથી ચેતવતા હોય છે.એમના વિસ્તારનું આધિપત્ય જતાવતાં હોય છે.તેઓ મધુર રાગ રાગિણી છેડતા હોય છે.જોડીદારને સુંદર સ્વરમાં સંદેશા મોકલતા હોય છે.આ બધું  લાખો વર્ષ,કરોડો વર્ષથી આપણને મળેલા મેમલીયન બ્રેઈનમાં સંગ્રહાયેલું હોય છે.એટલે વન ઉપવનમાં  ફરવા જઈએ તો ખૂબ મજા પડી જાય છે.mammalian બ્રેઈનને મળેલી યાદો પક્ષીઓના અવાજ સાંભળી તરોતાજા થઈ જાય છે.અને એનાથી તમારી પ્રયત્ન વગરની જાગરૂકતા પાછી આવે છે,સચેત રહેવાની ક્ષમતા કેળવાય છે અને તણાવ દૂર થાય છે.વસંત ઋતુમાં પક્ષીઓ દિવસે કોરસમાં ખૂબ ગાતા હોય છે.માનવ લાખો વર્ષ જંગલમાં રહેલો છે.આ સમૂહગાન બોડી ક્લૉકને ઠીક કરવામાં મદદ કરે છે જેનાથી તંદુરસ્તી માટે ફાયદો જ હોય ને?બોડી ક્લૉક ઠીક થાય તો ઊંઘ સારી આવે અને મૂડ પણ સારો રહે.

માઈન્ડનાં સ્નાયુ છે બ્રેઈન.જેમ શરીરના સ્નાયુઓને કસરતની જરૂર છે તેમ બ્રેઈનને પણ કસરતની જરૂર છે.નિયમિત રોજ નહીતો અઠવાડિયે ત્રણ વાર બહાર ૪૦ મિનિટ ચાલવા જનાર અને સ્ટ્રેચિંગ કસરત,એરોબિક કસરત,યોગા કરનારના બ્રેઈનને ફાયદો થાય છે.સ્મરણ શક્તિ માટે જવાબદાર Hippocampus વોલ્યુમમાં વધારો થાય છે તેવું લેટેસ્ટ સંશોધન બતાવે છે.spatial memory performance ઈમ્પ્રુવ થાય છે.તો રોજ ચાલો અને Hippocampus ને સંકોચાતું બચાવો.

શહેરમાં અને તે પણ મોટા શહેરોમાં રહેનારા ખૂબ તણાવયુક્ત જીવન જીવતા હોય છે.ગ્રામ્ય  વિસ્તારમાં તણાવ ઓછો હોય છે.તણાવના લીધે બ્રેઈન સ્ટ્રેસ હાર્મોન Cortisol વધારે છોડતું હોય છે.કાયમ તણાવમાં રહેનારનું Cortisol લેવલ હાઈ થઈ જાય તો બ્રેઈનના amygdala અને cingulate cortex વધારે એક્ટીવ થઈ જતા હોય છે.Amygdala ભાવનાઓ અને લાગણીઓ માટે જવાબદાર હોય છે.cingulate cortex નકારાત્મક લાગણીઓ જેવી કે શંકા,અવિશ્વાસ,ભય વગેરે વધારવામાં Amygdala ને મદદ કરે છે.સતત તણાવ બેચેની અને નકારાત્મક લાગણીઓ વધારે છે.શહેરી જીવનના ફાયદા જુદા હોય છે.જરૂર છે થોડી લાઇફ સ્ટાઇલ બદલવાની.થોડા કુદરતના સાંનિધ્યમાં જીવવાની ટેવ પાડવાની.

આવો છે કુદરતનો કરિશ્મા.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રે.Hard Truths About Human Nature.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રેuntitled-=-=-=-

માનવ શરીર અદ્ભુત રસાયણોનું એક સંયોજન છે. આ હાલતા ચાલતા રસાયણોના સુંદર સરોવરમાં આત્મા કઈ બાજુ વિચરતો હશે તે ખબર નથી.  હવેના નવા આધુનિક ફિલૉસફર કોઈ ધર્મ ગુરુની જગ્યાએ બાયોલોજિસ્ટ, સાઇકૉલાજિસ્ટ અને ન્યુઅરોલોજિસ્ટ હોય છે.આ લોકોના કહેવા પ્રમાણે બ્રેન જ આત્મા છે. ચાર્વાકનાં દિવસો પાછાં આવશે.

 સુખ દુખની લાગણી પણ બ્રેન કેવાં રસાયણો છોડે છે તેના ઉપર આધારિત છે.

Endorphin happiness: – શારીરિક ક્ષતિ સમયે આ રસાયણ લેપનું કામ કરે છે. પ્રિડેટરથી બચવા ઈજા થઈ હોય છતાં ભાગવું પડતું હોય છે. તે સમયે આ રસાયણ ઈજાનો અહેસાસ કરવા દેતું નથી, અને ભાગેલા પગે પણ તમે દોડી શકો છો.પણ સતત એનો સ્ત્રાવ યોગ્ય નથી. બાકી તમને ઈજાનો અહેસાસ થાય જ નહી તો એની સારવાર કરો નહિ. માટે ઇમર્જન્સી માટે આ રસાયણ ઉપલબ્ધ હોય તે જ સારું. જો બ્રેન સતત આને છોડ્યા કરે તો તમે ભાગેલા પગે દોડ્યા જ કરવાના, પછી સાવ ભાગી પડવાના, થઈ જવાના મૃત્યુને હવાલે.  

“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેએન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો  સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઇવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે.

દાખલા તરીકે મૅમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર  કરવો સર્વાઇવલ માટે નુકશાન છે. અને સર્વાઇવલ થયેલા જ એમના જીન પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સિસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.

હ્યુમન બ્રેન શારીરિક પેએન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.

એન્ડોરફીન ઇમોશનલ પેએન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેએન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ લેવાતા હોવાનું સામાન્ય છે.

દુઃખાવો, દર્દ બ્રેનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાવલ માટેનો. મૅમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહી કે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.

કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઈને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઇપથર્મિઅ વડે મરી જાય. માટે ઠંડી લાગે પેએન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બૉડિ ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત  કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે.

આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મૅમલે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેએન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેએન અવૉઇડ કરવાનું એમનું બ્રેન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે, તેમની પાસે પૂરતાં ન્યુરૉન્સ નથી આવું બધું વિચારવા માટે.

માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે. સંભવિત, કાલ્પનિક  દર્દ ઊભું કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઇવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.

એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.

નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે.

Dopamine happiness: – જ્યારે તમે કોઈ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્ત થવાની અણી ઉપર પહોચી જાઓ ત્યારે બ્રેન આ રસાયણ છોડે છે જે તમને ખૂબ આનંદ સાથે ધ્યેયની ફિનિશ લાઈન પસાર કરવા એક્સ્ટ્રા એનર્જી અર્પે છે. આ એક રિઝર્વ ટાંકી છે શક્તિની.જે અણીના સમયે કામ લાગે છે. જો સતત આ રસાયણ છૂટ્યા કરે તો અણીના સમયે ગરબડ થઈ જાય. એટલે મહત્વના ધ્યેય પ્રાપ્તિ માટે આ રસાયણ છેલ્લા સમયે ઉપલબ્ધ ત્થાય તે જ સારું.

રમત જગતમાં દોડવીરો ફિનિશ લાઈન આવતા છેલ્લું જોર લગાવતા હોય છે. એક દાખલો યાદ આવે છે ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ૩૦૦ મીટર સુધી તેઓ સૌથી આગળ હતા. એક ભૂલ થઈ ગઈ, એમણે પાછળ વળીને જોયું તો બાકીના બધા હરીફો  ખૂબ પાછળ હતા. બસ ખુશ થઈ ગયા હવે મને કોઈ પાછળ પાડી નહિ શકે, હવે ફક્ત ૧૦૦ મીટર જ બાકી રહ્યું હતું. બસ મારું માનવું છે કે Dopamine સ્ત્રાવ વહેલો થઈ ગયો હશે. છેલ્લા ૧૦૦ મીટરમાં તે ધીમાં પડી ગયા ખૂબ જોર લગાવ્યું પણ ફક્ત ૧૦૦ મીટરમાંબીજા લોકો આગળ નીકળી ગયા અને તેઓ ચોથા નંબરે આવ્યા. ફરી કદી ઑલિમ્પિક જીતી શક્યા નહિ.

Oxytocin happiness: – આપણી આસપાસના લોકો ઉપર વિશ્વાસ આવતો જાય ત્યારે આ રસાયણ સ્ત્રવે છે. એક માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બંને Oxytocin વડે મળતા આનંદથી ભરાઈ જતા હોય છે. બંને વચ્ચે એક આત્મીય સંબંધ રચાય છે. જ્યારે સમાન વિચારસરણી ધરાવતા માનવો એકબીજાને મળે છે ત્યારે જે આનંદ અને તૃપ્તિ મળે છે તેનું કારણ આ રસાયણ છે. કોઈ વહાલાનો સંદેશો મળે છે અને મન જે આનંદની અનુભૂતિથી ભરાઈ જાય છે તે આ રસાયણ છે. કોઈ વહાલી વ્યક્તિ ઘરે આવે આવે ને હરખપદુડા થઈ મન નાચી ઊઠે છે તેનું કારણ આ રસાયણ છે. પણ તમે સતત આ આનંદ અનુભવી ના શકો કારણ બધા વિશ્વાસ કરવા લાયક હોતા નથી. બધા ઉપર વિશ્વાસ મૂકવો સર્વાઇવલ માટે ખતરનાક છે.

Serotonin happiness: – જ્યારે તમને પોતાની જાતનું મહત્વ લાગે ત્યારે જે આનંદ મળતો હોય છે તે આ રસાયણનું કારણ છે. જ્યારે તમે પોતાની જાતને સર્વોપરી સમજો ત્યારે ખૂબ આનંદ મળતો હોય છે. આ સુખની લાગણી માટે મૅમલ કાયમ પ્રયત્ન કરતા હોય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે.

Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જીન મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. પણ સર્વોપરી બનવાના પ્રયત્નમાં બાધા આવે તો અને એમાં ઈજા થવાનો ભય જણાય તો આ રસાયણ છૂટવાનું ઓછું થઈ જાય છે. બ્રેન સતત આનું સંચાલન કરતું હોય છે કે સુપિરિઅર બનવામાં કોઈ જોખમ તો નથી ને?

દરેક રસાયણ ખુશી આનંદ આપતું  હોય છે. એનાથી ભવિષ્યમાં સુખ મેળવાની ચાવી પ્રાપ્ત થતી હોય છે. દરેક રસાયણ એનું કામ કરતું નિષ્ઠા પૂર્વક કરતું હોય છે. જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે, જેના વડે તમારા DNA  જીવતા રાખીશ શકો છો. એક સસ્તન પ્રાણીને કોઈ વૃક્ષ ઉપરથી ફળ ખાવા માટે મળી ગયું તો dopamine રિલીસ થશે. ભલે પ્રયત્ન કરીને મળ્યું કે વિના પ્રયત્ને. જે એની મૅમરીમાં જોડાઈ જશે. એનાથી ફરીથી તે ફળ મેળવામાં સહાયતા થવાની.

આ સુખ અર્પતા રસાયણો એટલો બધો આનંદ આપતા હોય છે કે આપણું મોટું Cortex સતત એને કઈ રીતે મેળવી શકાય તેની ખોજ કર્યા કરતું હોય છે. એપ્સ સતત એકબીજાના શરીર પરના વાળ સવારતા  હોય છે એનાથી Oxytocin દ્વારા મળતો વિશ્વાસનો જનક આનંદ મળતો હોય છે.

માતા બાળકને સ્તનપાન કરાવતી વખતે એના માથા ઉપર હાથ ફેરવ્યા કરતી હોય છે. મિત્રો એકબીજાને ફોન પર મૅસેજ મોકલ્યા કરતા હોય છે. પ્રેમીઓ એકબીજાનું સતત સાંનિધ્ય ઇચ્છતા હોય છે, કારણ છે Oxytocin. પતિ પત્ની એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યા કરતા હોય છે, પિતા સંતાન ઉપર રૉફ જમાવ્યા કરતા હોય છે, સગા સંબંધી એકબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ છે Serotonin. એપ્સ Endorphin માટે પોતાના શરીરને ઈજા પહોચાડતા નથી, પણ માનવો એવું કરી શકે છે. પોતાના શરીર ઉપર સાટકા મારીને માંગનારા લોકોનો આખો એક વર્ગ ફરતો હોય છે. પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડ્ન વૃત્તિ ધરાવનારા લોકો પણ હોય છે, કારણ છે Endorphin.

આ બધા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ બ્રેન અમુક ચોક્કસ લિમિટેડ માત્રામાં અને ચોક્કસ કારણો વશ જ કરતું હોય છે. એનો સતત સ્ત્રાવ થાય તો એ કામ કરે નહિ. ઉત્ક્રાંન્તિના ક્રમમાં વિકાસના ક્રમમાં એવી રીતે જ બ્રેન ઇવોલ્વ થયેલું છે. તમે સતત દુખ અને સતત સુખની લાગણીમાં જીવી શકો નહિ. આ રસાયણો વધ ઘટ થયા કરતા હોય છે, એમાં તમે સમજો કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે દુખી થઈ જવાના કે સુખ હંમેશા સતત સાથ કેમ આપતું નથી. બ્રેન એના પુરાવા અને કારણો શોધવા માંડશે. સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો. માટે નરસિંહ કહેતા કે સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા રે.

જ્યારે તમે કોઈની ઉપર ટ્રસ્ટ મૂકો છો, તેનો વિશ્વાસ કરો છો ત્યારે Oxytocin  સ્ત્રાવ થતો હોય છે જે તમને સુખ અર્પે છે. અને એના લીધે બ્રેનમાં વધારે વિશ્વાસ મૂકીને સલામતી મેળવવાનું  વાયરિંગ થતું જતું હોય છે. પણ જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે, તમને દગો આપે છે ત્યારે બ્રેન Cortisol નો સ્ત્રાવ કરતું હોય છે, અને તે દુખ અને પીડાનો અહેસાસ કરાવે છે જેનાથી વાયરિંગ થાય છે કે એના કારણો દૂર કરો. એના કારણો થી દૂર રહો. વિશ્વાસ નહિ મૂકીને Oxytocin નાં આનંદથી વંચિત રહેવાનું થતું હોય છે. અને વિશ્વાસ મૂક્યા પછી વિશ્વાસઘાત થાય તો ? એટલે બ્રેન પસંદગી કરવા ટેવાયેલું હોય છે. કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે આપણાં ત્રણ બ્રેન એક સાથે કામ કરતા હોય છે, Reptile (સરિસર્પ) બ્રેન, Mammal  બ્રેન અને Cortex.

સરીસર્પ બ્રેન હંમેશા પેએનને અવૉઇડ કરવા માટે ઈવૉલ્વ થયેલું હોય છે.  કાચિંડા અને ગરોળી ત્રણ સામાન્ય નિયમ જાણે છે. એક તો મોટી ગરોળી સામે આવે તો ભાગો, નાની આવે તો ખાઈ જાવ અને સરખી સાઇઝની આવે તો સંસર્ગ કરો. ઈંડામાંથી બહાર આવતા જ કાચિંડા ભાગવા માંડે છે, નહી તો એમના માબાપ એમને ખાઈ જવા તૈયાર હોય છે. નબળાને બીજો કોઈ ખાઈ જાય તે પહેલા માબાપ જ ખાઈ જઈને રીસાઇકલીંગ કરી નાખતા હોય છે.

સરીસર્પ સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈને સર્વાઇવ થતા નથી, તે Oxytocin કાયમ બનાવતા નથી, ફક્ત સેક્સ પૂરતાં ઑક્સિટોસિન બનાવતા હોય છે. એટલે ફક્ત સેક્સ પૂરતાં જ બે સરીસર્પ ભેગાં થતાં હોય છે. મેમલિઅન બ્રેન ટોળામાં રહીને સલામતી શોધતા હોય છે. મૅમલ જન્મતાની સાથે પુષ્કળ Oxytocin ઉત્પન્ન કરતા હોય છે જેથી માતા સાથે સામાજિક બંધન બાંધી શકાય અને જેનાથી સર્વાઇવ થઈ શકાય, ધીમે ધીમે Mammal આખા ટોળા સાથે સામાજિક રીતે બંધાઈ જાય છે, માતા દૂર થતી જાય છે. ટોળાનું એક પણ સભ્ય ના દેખાય તો એનું બ્રેન Cortisol  સ્ત્રાવ કરતું હોય છે. ટોળાથી દૂર રહેવું ખતરનાક છે.

સાવ નબળાને ટોળું હુમલાખોર સામે જાણી જોઇને ધકેલી પણ દેતું હોય છે, જેથી બાકીનાને બચાવી શકાય. પરંતુ મોટા Mammal  બ્રેન Cortex માં સતત વિશ્લેષણ કર્યા કરતા હોય છે કે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ. ગિબન વાનર સાથીદાર ઉપર વિશ્વાસ મૂકે છે, પણ ઇમર્જન્સી વખતે સાદ પાડવા છતાં સાથીદાર ના આવે તો સંબંધ ખલાસ થઈ જાય છે. બીજો સાથીદાર તરત શોધી લેવામાં આવે છે.

સ્વાભાવિક છે કે સિંહની બાજુમાં ઘેટું મૂકો તો ચવાઈ જવાનું. માટે કુદરત એને છોડી દે છે કે તું જાતે જ નિર્ણય લેતા શીખ કે સિંહ જોડે ઉભા રહેવાય ખરું ? બસ  એમજ વિશ્વાસ મૂકવા જેવો છે કે નહિ તે નિર્ણય આપણે જાતે લેવાનું શીખવાનું છે. અને આ રીતે જ આપણે ઇવોલ્વ થયા હોઈએ છીએ. અને આ ગુણ વારસામાં સંતાનોને આપતા જઈએ છીએ.

સ્મૃતિયર્વણા-૨

સ્મૃતિયર્વણા-૨

    જુઓ ધર્મો તર્કહીન, બુદ્ધિહીન, સૂઝસમજવિહોણા વિચારો જેવા કે અપરાધભાવ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા વગેરેને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુરુ હોય પયગમ્બર કે એમના શાસ્ત્રો પવિત્ર ગ્રંથો હોય એમને ખાલી વિશ્વાસના સહારે માનવા પડે. કોઈ લોજિક હોય કે ના હોય, બસ વિશ્વાસ રાખો. ધર્મો તર્કહીન કર્મકાંડોને અમલમાં મુકાવતા હોય છે. ધર્મો ધન જેવા છે. ધન ભાગલા પડાવે. કહેવાતું ભલે હશે કે ધર્મ જોડે છે. હા જોડવાનું કામ પણ કરતા હોય છે, એક ધર્મ કે સંપ્રદાયને માનવાવાળા લોકો વચ્ચે. પણ મોટાભાગે ધર્મોએ માનવ માનવ વચ્ચે ભાગલા વધુ પડાવ્યા હશે જોડવાને બદલે. એક જ ગુરુ કે પયગંબરના અનુયાયીઓ વચ્ચે એકતા પણ બીજા માટે? જુદા જુદા ધર્મો વચ્ચે તો વિરોધ હોય, સ્વાભાવિક છે. અરે એક જ ધર્મના ફાંટાં અને સંપ્રદાયો વચ્ચે પણ એના માનનારા એકબીજાના દુશ્મન હોય છે. સવાલ અગી ધર્મનો રહેતો નથી, ગુરુનું વ્યક્તિત્વ, પૈસો અને પ્રોપર્ટીનો સવાલ હોય છે. હમણાં એક બહેન કહેતા હતા કે એમના પતિદેવ વડતાલ સ્વામિનારાયણમાં માને છે, હવે તેમાં પણ બે ભાગ પડી ગયા છે, પણ બાપ્સ વાળાને ખૂબ ગાળો ભાંડે છે. સંપ્રદાયો તો ખરા, એમાં વળી પેટા સંપ્રદાય.

દરેક ધર્મ ચુસ્ત રીતે માનતા હોય છે કે પોતે એકલાં જ સત્ય ધરાવે છે. સત્યનો ઇજારો એકલાં એમની પાસે હોય છે, બીજા જૂઠા હોય છે. ભલે આપણે સૂત્રો લખીએ કે સત્ય એકજ છે પણ વિદ્વાનોએ જુદીજુદી રીતે કહ્યું છે , તો ઝગડો શેનો છે? ચોપડે ચીતરવામાં આવા વાક્યો બહુ સારા લાગતા હોય છે, કોઈ માને છે ખરું? જો બધા ધર્મોના ફોલોઅર્સ આવું માને તો કોઈ ઝગડો જ ના રહે. પણ આવું કોઈ માનતું નથી. દરેકને પોતાનો ધર્મ જ સત્ય લાગતો હોય છે. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે ખ્રિસ્તી ધર્મના એક પેટા સંપ્રદાયમાં(Sandemanians) માનતા હતા. આ લોકો પ્રમાણિકપણે માનતા હોય છે કે સત્યના દ્વારની ચાવી ફક્ત આ લોકો પાસે જ હોય છે અને સ્વર્ગના દરવાજા ખાલી આ લોકો માટે જ ખૂલતા હોય છે.

                  એક નોંધવા જેવું સત્ય કે રાજકીય મદદ વગર ધર્મો ફેલાતા નથી. રોમન સમ્રાટ Constantine, ખ્રિસ્તી ધર્મને બાથમાં લીધો(Edith of Milan in 313 A.D.)ત્યાર પછી ખ્રિસ્તી ધર્મે જબરદસ્ત છલાંગ લગાવી. મક્કાની કુરેશ જાતિને મહમંદે હરાવી નહિ ત્યાં સુધી એમનો ધર્મ ફેલાવવો મુશ્કેલ હતો. તાકાતવર ખાલીફાઓની તલવારના જોરે ઇસ્લામ ફેલાયો છે. મૌર્ય સમ્રાટ બિન્દુસાર શ્રેણિકના સહકાર વગર જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો મુશ્કેલ હતો. ગુરુ ગોવિંદસિંહે એમના શિષ્યોમાં સૈનીકબળ દાખલ કર્યું, લડાયક બળ ઉમેર્યું ત્યારે આજે શીખ ધર્મ ઊભો રહી શક્યો છે. આર્યોનો રાજા મહાબળવાન ગણાતો ઇન્દ્ર હતો, જયારે રામ અને કૃષ્ણ પોતે રાજાઓ હતા. કોઈપણ ધર્મ એની શરૂઆતના સમયમાં રાજ્ય અને રાજાના સહકાર વગર ટકવો મુશ્કેલ છે. કોઈ પણ ધર્મ જુઓ ધર્મના નામે ખૂબ હિંસા થઈ છે. ક્રિશ્ચિયાનિટી પ્રેમની વાતો કરશે, પણ એના નામે અનેક હત્યાકાંડો ચડેલા છે. ઘણા દેશોમાં પથ્થર મારી મારીને મારી નાખવાની પ્રથા હજુ આજે પણ ચાલે છે. હિટલર લાખોમાં કરોડોમાં એક પાકતો હોય છે અને તાલીબાનો પણ ખૂબ ઓછા હશે. પણ એથી કાઈ ધર્મની જવાબદારી શું ઓછી થઈ જાય? આપણે હિંદુઓ બહુ સહિષ્ણુ ઉદાર , દયાળુ ગણાઈએ પણ તે અર્ધું જ સાચું છે, અને હાલ સાચું છે. હિંદુ રાજા પુષ્યમિત્ર શુંગ (૧૮૭-૧૫૭ બીસી)જેણે બૌદ્ધ મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી દીધેલો, બુદ્ધ સાધુની ખોપરી લાવનારને સોનાનું દાન આપતો. સૈનિક શક્તિ આગળ હારી જનારી પ્રજા  સહિષ્ણુતા કેળવી લેતી હોય છે. અને જીતનારા  અસહિષ્ણુ બની જતા હોય છે.

જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા. એમાં પ્રાપ્ત થતી સફળતામાંથી જન્મ લેતો ધર્મ એક જ સત્ય ઉપર અવલમ્બન રાખતો હોય છે . હું ખાલી ધર્મના નામે ચાલતા દંભના પડદા ચીરવાનું કામ કરું છું.  લોકો તર્કહીન બુદ્ધિહીન કહેવાતા ધર્મોનું પાલન કરતા હોય અને એના નામે અઢળક તૂત ચાલતા હોય ત્યારે એકાદ આવી સર્ચ લાઈટ નાખવાનું મુનાસિબ છે કે નહિ? કોઈ ધર્મપુસ્તક ઉપરથી ટપક્યું નથી. કોઈ ભગવાન એને કહેવા કે લખવા આવતો નથી. જેતે સમયના જરૂરી આચારવિચાર, પ્રાર્થનાઓ  જેતે ઋષિ કે મસીહા કરતા હોય છે તેનું વર્ણન હોય છે. પ્રોફેટનો અર્થ પ્રાચીન સમયમાં પોએટ થાય.

             મૉર્ડન બ્રેઈન ઇમેજિંગ ટેકનીક્સ જેવી કે એમ આર આઈ, પેટ સ્કેન વડે જાણવા મળે છે કે બ્રેઈન સર્કિટ વાંકીચુકી ચાલવા લાગે કે વિકૃત રીતે દોડવા લાગે ત્યારે ધર્મના ધક્કા બ્રેઈનને લાગતા હોય છે. લોકોને  હલૂસિનેશન ભ્રમ થતા હોય છે. ના દેખાવાની વસ્તુઓ દેખાતી હોય છે. અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. ધાર્મિક હલૂસિનેશન સ્કીજોફ્રેનીક લોકોમાં સામાન્ય હોય છે આવું મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે. સાયન્સની Neurotheology શાખા હવે પ્રગતિમાં છે(Newsweek  May 7,2001 અથવા Readers’ Digest Dec.2001). માનસિક બીમારી અને આધ્યાત્મિક અંતર્દર્શન બંને ઓળખવાનું બહુ અઘરું છે. Salvia  Divinorum એવી વનસ્પતિ છે કે તેને  લેવાથી આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે, કૃષ્ણની રાસલીલા હાલ દેખાવા લાગે. આત્મા શરીરની બહાર નીકળીને કામ કરતો હોય તેવું લાગે. એનો મોટો ડોઝ લેવાઈ જાય તો કોમામાં જતા રહેવાય અને સ્મૃતિ ભ્રંશ થઈ જાય. આનો ઉપયોગ કરવાવાળા ટાઈમ અને સ્પેસમાં મુસાફરી કરી હોય તેવા અનુભવો એમણે નોંધ્યા છે. આ દવા ખાનારને  પારલૌકિક અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. દિવ્ય માનવો દેખાતા હોય છે. આ બાવાઓ ગાંજો કેમ પીતા હોય છે હવે સમજ પડી?

                   ચાર વર્ષની ઉંમરે બાળક વિચાર અને ઇચ્છા વચ્ચેનો ભેદ ઓળખવા લાગતું હોય છે. ચાર વર્ષની ઉંમરે બાળક ઇચ્છા અને રીયલ વસ્તુ વચ્ચેનો ભેદ કરવા માંડતું હોય છે. જો બ્રેઈન ક્લિયર તફાવત કરતુ ના  થાય તો બાળક સમજવામાં તકલીફ પડે છે અને માનતું હોય કે જે રમકડું એને જોઈતું હતું તે એની પાસે છે જ. સંસ્કૃતિઓ પણ એમની બાલ્યાવસ્થામાં માનતી હોય છે કે એમના વિચારો સત્ય છે. ઘણા બધા પ્રમાણિક સારા માણસો માનતા હોય છે કે ભગવાન છે જ કેમકે તેમણે એને ઇચ્છ્યો હોય છે. શ્રદ્ધાના જાદુમાં હવે લાખો લોકોને શ્રદ્ધા રહી નથી.

Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)

      Corruption, મજૂરથી મંત્રી સુધી.

         માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય,  પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા)  તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.

                 સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.

                  સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.

સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.

         પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.

પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.

 મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.

પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.

       નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ  બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.

પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.

          નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

                અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.

સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).

 

 

 

 

 

 

 

 

 

 

સભ્ય સર્વોપરિતા..

untitledસર્વોપરી બનવાનું સૌને ગમતું હોય છે, ભલે બની શકતા ના હોય.એના માટે ચાન્સ મળે પ્રયાસ કરતા રહેવું તે મૅમલનો ગુણધર્મ છે. તક ના મળે તો સર્વોપરીની આણ નીચે રહીને સર્વાઇવ થઈ રહેવું તે પણ ગુણધર્મ છે. તક મળે તો ઝડપી લેવી. એટલે બધા પ્રાણીઓ આવું કરતા રહેતા હોય છે. સર્વોપરી હોય તેને ખોરાક વધારે મળે જે વળી પાછો વધારાની શક્તિ મેળવવામાં મદદરૂપ થાય અને સર્વોપરી બની રહેવાની લડાઈમાં તે શક્તિ કામ લાગે. એટલે કહેવાય છે સર્વોપરીના સુખની અનુભૂતિ કરાવતું સિરોટોનિન ન્યુરો કેમિકલ્સ બ્રેન કરતા પેટમાં વધુ હોય છે.

સર્વોપરીને સેકસુઅલ રીપ્રૉડક્શન માટે તક વધારે મળે. જેથી એના DNA જીવતા રહે. પ્રાણીઓ સર્વોપરી બની રહેવા માટે હાથો હાથની લડાઈ લડી લેતા હોય છે. બીજું એમને આવડે પણ નહિ. એના માટે તમામ સજીવ જગતના નર ભયાનક જોખમ ખેડતાં હોય છે. એક તો શારીરિક ઈજા બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે. એમાં મોત પણ મળી જતું હોય છે અને મરણતોલ માર ખાઈને જીત્યા હોય પણ પછી શક્તિ ગુમાવીને બેહાલ થઈ ગયા હોય ત્યારે પ્રિડેટરનાં જડબા એમને ચાવી જવા તૈયાર હોય છે.

આપણે માનવો ચોપગાં પશુઓ નથી. કુદરતે ઉત્ક્રાંન્તિના ક્રમમાં મોટું વિકસેલું બ્રેન આપ્યું છે. માટે આપણે સર્વોપરી બની રહેવાની જાતજાતની ટેકનિક્સ શોધી કાઢી છે. પહેલા માનવો જ્યારે વિકસિત નહિ હોય, જંગલમાં આદિ માનવ તરીકે રહેતા હશે ત્યારે લગભગ ચોપગાં પ્રાણીઓ અને એપ્સ જેવી સીધી લડાઈ લડી લેતા હશે સર્વોપરી બની રહેવા માટે તે હકીકત છે. પણ માનવ વિકસતા જતા બ્રેન સાથે સભ્ય બનતો ગયો. એમ એમ એની સર્વોપરી બની રહેવાની અને સેકસુઅલ રીપ્રૉડક્શન માટેની નવી નવી ટેકનિક્સ શોધતો ગયો.

          ૨૦૦૫ અને ફરીવાર ૨૦૦૮માં ઍન્થ્રપૉલજિસ્ટનું એક ગ્રૂપ બોલોવિયાના જંગલોમાં રહેતા Tsimane જાતિના લોકોનો અભ્યાસ કરવા ગયેલું. Christopher von Rueden અને તેના સાથીદારોએ ગામના ૮૮ પુરુષોના ઇન્ટરવ્યૂ લીધેલાં. પછી આ લોકોની પત્નીઓના ઇન્ટરવ્યૂ લીધેલાં. બિનઔદ્યોગિક સંસ્કૃતિઓની જેમ Tsimane are mildly polygynous, ૫% પુરુષોને એક કરતા વધુ પત્ની હતી અને ૧૫% પાસે પત્ની જ નહોતી. સભ્ય સમાજ શું કરશે ? સભ્ય સમાજનો માનવ લગ્ન કરશે, પછી થોડા વર્ષો પછી ડિવોર્સ લેશે, ફરી લગ્ન કરશે આમ કહેવાશે મનૉગમી પણ વારંવાર લગ્નો કરી મનૉગમી આચરીને પૉલીગમીની નવી ટેકનિક અપનાવશે.

સર્વોપરીતાની હોડ અને સેકસુઅલ રીપ્રૉડક્શન બંને સાથે જ ચાલે છે. બંને માટે સભ્ય ટેક્નિક શોધાતી હોય છે. એવું નથી સર્વોપરી બનવું એટલે એકદમ સર્વોચ્ચ સ્થાને પહોચી જવું કે વડાપ્રધાન કે પ્રમુખ જ બની જવું. નાના નાના પાયે mammal બ્રેન સર્વોપરી સાબિત કરવાની કોશિશ કર્યાજ કરતું હોય છે. ઘરમાં ફર્નિચર નવું આવે, ભારતમાં તો અતીથીદેવો ભવઃ છે, આમજ લોકોને ખબર પડી જાય. પણ અમેરિકામાં કોઈ કામ વગર આવે નહિ હવે શું કરવું ? સત્યનારાયણની કથા રાખો કે કોઈ બહાનું કાઢી પાર્ટી રાખવાની.

થોડા દિવસ પહેલા જૉબ પર એક ભાઈ હાથમાં લિસ્ટ લઈને મારી પાસે આવ્યા. આટલા ડૉલર્સની બૅન્કમાં સીસી, આટલાં લૉકરમાં, બહુ લાંબું લિસ્ટ હતું મને તો યાદ પણ નથી રહ્યું. હવે મારે એમની મિલકતનું શું કામ, મેં કદી હિસાબ માંગ્યો પણ નથી. એ કમાય એમાં મારે શું ? તમારો સહ કર્મચારી કોઈ રીતે પ્રમોશન મેળવી ઉપલા લેવલે પહોચી જશે તો પછી ખલાસ એનો મિજાજ વળી ઓર વધી જવાનો.

ઘરના આગેવાન પ્રયત્ન કરશે સમાજમાં આગેવાન બનવાનો. પછી ગામના પછી તાલુકા અને પછી એમ આગળ આગળ નેતા બનવાની હોડ જારી. ભાઈ નેતા બનવા હવે ચૂંટણી લડવી પડે છે. આ કઈ હાથોહાથની લડાઈ તો છે નહિ. તો એમની નમ્રતા, એમનું પગે પડવું, વોટ માટે આજીજી કરવી બધું સભ્ય સમાજની ટેક્નિક છે. એમની આસપાસ જેટલા બૉડીગાર્ડ વધુ એટલાં તે હાઈ સ્ટૅટસ વધુ દેખાવાના કે નહિ ?

સરકારી નેતાઓ એસ.પી.જી સુરક્ષા કર્મચારી રાખે તો ભાઈ લોગ પોતાના અંગત બૉડી ગાર્ડ રાખવાના. ભાઈ લોગ પણ પોતાના અંગત વર્તુળમાં ઍલ્ફા નરનું સ્ટૅટ્સ ભોગવતા જ હોય છે, ભલે લોકો એમને રાજ્યના નેતા તરીકે માન્ય ના રાખે. ભાઈ લોગ અને આજના નેતાઓમાં કોઈ ફરક દેખાય છે ખરો ?  પહેલા પણ ઘણા નેતા કોઈને કોઈ ભાઈ લોગના શરણે જઈને એમની મદદ વડે ચૂંટણી લડતા.

આજે ભાઈ લોગ જાતે ચૂંટણીમાં ઉભા થઈ જાય છે. હાલના નેતાઓ જરા ઊંચા પ્રકારના ભાઈ લોગ જ છે. ભાઈ લોગ કરતા તો આ લોકો જનતાને વધારે અને વિવિધ પ્રકારે લૂંટતા હોય છે. પ્રાણીઓના ઍલ્ફા નર અને માનવ ઍલ્ફા વચ્ચે ફરક હોય છે. પ્રાણી ઍલ્ફા નર જીવ સટોસટની લડાઈ જીતીને આગેવાન નેતા બને છે. માનવ ઍલ્ફા જાત જાતની તરકીબો વડે નેતા બને છે. પછી એકવાર નેતા બની જાય પછી મળવા જાઓ તો સમજ પડે. જે એકવાર હાથ જોડતો હતો હવે સામું જોવા તૈયાર નહિ થાય. કમજોરમાં કમજોર પ્રાણી કે માનવની અંદર ઍલ્ફા બની રહેવાની તીવ્ર ઇચ્છા હોય જ છે. ભલે બની ના શકે તે વાત અલગ છે. કારણ એને એના DNA જીવતા રાખવા છે. એને માટે એને ફીમેલ જોઈએ.

સાચી વાત છે કે સિંહ ત્રાડ પાડીને પોતે ઍલ્ફા હોવાનું સૂચવે છે, શિયાળ લારી કરીને પોતે સુપિરિઅર છે તેવું બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે અને કૂતરાં ભસીને બતાવતા હોય છે કે અમને પણ હક છે, અમને પણ મોકો મળવો જોઈએ, ના મળે તો એમનું નસીબ. માનવોમાં ભાઈ લોગ બૂમો પાડતાં હોય, કોઈ હોકાટા કરે, કોઈ વોટની ભીખ માંગે, કોઈ કથા કરે, કોઈ રાગડા તાણે. દરેકની પોતાની અલગ જગ્યા હોય છે. રિઝર્વ બૅન્કનો સર્વોચ્ચ નેતા વડાપ્રધાન બની સર્વોચ્ચ બનવા જતા સફળ ના પણ થાય.

આજના નેતાઓ શારીરિક રીતે ઍલ્ફા બનવા લાયક ક્યાં હોય છે ? સાચા શારીરિક ઍલ્ફાઓ તો બચારા મજૂરી કરતા હોય છે. એ રીતે આજનો કોઈ નેતા ઍલ્ફાની શ્રેણીમાં આવી ના શકે. હાલ તો એક જ ઍલ્ફા નેતા જે શારીરિક અને રાજકીય રીતે મને દેખાય છે તે છે કૅલિફોર્નિઆના માજી ગવર્નર અર્નૉલ્ડ Arnold Schwarzenegger, પણ હવે તે રિટાયર થઈ ગયા છે.

          ઘણી વાર પોતે સર્વોપરી છે કે સમથિંગ અલગ છે તેવું બતાવવા ઘણા લોકો હાસ્યાસ્પદ ચેષ્ટા કરતા જોવા મળતા હોય છે. ભપ્પી લહેરી એનો ઉત્તમ નમૂનો છે. એમનો ગેટપ જુઓ, અઢળક સોનું શરીર ઉપર ધારણ કરશે. એક આમંત્રણ છે એના ગેટપમાં કે આવો મારી પાસે ખૂબ સંપતિ છે. એક ભાઈ લોગ વળી શરીર પર પાંચ કિલો સોનું પહેરતો હતો તેવો વિડીઓ પણ જોએલો. પોતે વિશિષ્ટ છે તેવું બતાવવા લોકો જાતજાતના નુસખા કરતા જ હોય છે, કોઈ જટા વધારશે તો કોઈ સફાચટ. કોઈ સારી ડિગ્રી મેળવી ડૉક્ટર એન્જીનીઅર બનશે, જ્ઞાન મેળવશે. કોઈ કરશે ગુંડાગર્દી. કોઈ લેખક બનશે તો કોઈ કવિ. અને કશું નહીં આવડે તે નેતા બની જશે. સુપિરિઅર બનવાની હોડમાં મારા, તમારા સાથે બધાજ સામેલ હોઈએ છીએ. અહી દાખલાઓ આપી કોઈની લાગણી દુભાવવાનો યત્ન નથી ફક્ત વિષયની સમજ માટે આપ્યા છે.

          ઍલ્ફા નર બન્યા વગર સ્ત્રી મળે નહીં. પણ જુઓ સભ્ય સમાજે કેવી સરસ ટેક્નિક શોધી કાઢી ? લગ્ન વ્યવસ્થા અને મનૉગમી ઍલ્ફા નર બન્યા વગર, કોઈ લડાઈ લડ્યા વગર, કોઈ હરીફાઈ વગર સ્ત્રી મેળવવાની જીન ટ્રાન્સ્ફર કરવાની સહેલી પદ્ધતિ છે. એમાં ફાયદો પુરુષોને જ છે. સ્ત્રીઓને ખાસ નથી. સ્ત્રીઓને એના કારણે માયકાંગલા, નબળા, કમજોર, દરિદ્ર, બીમાર, માનસિક બીમાર લોકના જીન પણ ઉછેરવા પડતા હોય છે. વળી પૂરતી હેલ્થ વેલ્થ ના હોય તેવા લોકો પોતાના વારસોની સારી સારવાર કે ઉછેર કરી શકવા સક્ષમ ના હોય છતાં એમના જીન ઉછેરવા પડતા હોય છે. ભારતની અતિશય ગરીબીનું મૂળ કારણ આ પણ છે. વળી દરિદ્ર લોકો પાસે મનોરંજનનું કોઈ બીજું સારું સાધન ઉપલબ્ધ હોતું નથી, માટે સેક્સ એમનું સસ્તું હાથવગું મનોરંજનનું સાધન બની જાય છે આમ વસ્તી પણ દરિદ્રોની વધતી જવાની. ગરીબના ઘેર છોકરાં વધારે.

          ૨૦૦૩નો એક અભ્યાસ બતાવે છે કે મધ્ય એશિયાના ૮% માણસોમાં એક જ પ્રકારના વિશિષ્ટ Y ક્રોમસોમ ધરાવે છે અને તે ચંગિઝખાનના છે. મૉંગોલ અને ચાઇનીઝ રાજાઓ ઢગલા બંધ રાણીઓ રાખતા. ચીનમાં તો રિવાજ જ હતો કે રાજા પહેલી વાર બે સ્ત્રીઓ સાથે એક સાથે જ પરણે. આ બતાવે છે જેટલું સ્ટૅટસ હાઈ તેટલા જેનિસ વધારે ફેલાવાના. ઇવલૂશનના ઇતિહાસમાં ત્રણ ભાગના પુરુષોએ એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા નથી. ચંગિઝખાન જેવા સમ્રાટો ખૂબ બળવાન હતા.

ભારતના ઐતિહાસિક રાજાઓ કે પાત્રો જુઓ ખરેખર શારીરિક રીતે બળવાન અને સક્ષમ ઍલ્ફા નર હતા. આખું મહાભારત ભીમ અને દુર્યોધન વચ્ચેની સર્વોપરીતાની હરીફાઈ છે. બીજા પાત્રો તો આ બંનેની આજુબાજુ ફરતા છે. બંને ખૂબ બળવાન હતા. ભારે લડવૈયા હતા. દુર્યોધનની નજર પણ એ જમાનાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી રત્ન દ્રૌપદી પર હતી. ભીમ એમાં આડે આવતો હતો. બાકી બીજા ભાઈઓને તો એ ઘોળીને પી ગયો હોત. દ્રૌપદીના બે પ્રિય પતિ અર્જુન અને ભીમ જ હતા. ઇમર્જન્સી વખતે તે ભીમની મદદ લેવા જતી, કીચકવધ યાદ હશે. ઑવુલ્યેશન સમયે નક્કી તેને ભીમ જ પ્રિય લાગતો હશે, પણ આ સમય શૉર્ટ હોય છે. બાકીના સમયે સહૃદયી અર્જુનનો સાથ ગમતો હશે, જે લાંબો હોય છે માટે લોકોને લાગ્યું કે તેને અર્જુન પ્રત્યે વિશેષ ભાવ રહ્યો છે.untitled78

          કૃષ્ણ જુઓ બાળપણથી જ શારીરિક બળવાન રહ્યા છે. કૃષ્ણને યાદ કરતા મને ચંગિઝખાનની વાત યાદ આવે છે કે આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગિઝખાનના જીન છે, એ હિસાબે રામ કરતા શ્રીકૃષ્ણના જેનિસ ભારતમાં સૌથી વધારે ફેલાયેલા હશે. ૮ પટરાણીઓ અને ૧૬૦૦૦ રાણીઓ. જરાસંધને યાદ કરો લગભગ તમામ રાજાઓ બાહુબળીયા હતા. રામાયણ શું છે ? શ્રેષ્ઠતમ સુંદરતમ સ્ત્રી પામવાની બે ઍલ્ફા વચ્ચેની લડાઈ માત્ર. એકે મેળવેલી હતી, બીજાને છીનવવી હતી.

            અરે આપણાં મધ્યયુગીન રાજપૂત રાજાઓ પણ બાહુબળીયા હતા. રાણા સાંગા જુઓ, શરીર ઉપર ૮૦ ઘા હતા. એક આંખ લડાઈમાં જતી રહેલી. કોઈને કોઈ અંગ ક્ષતિ ગ્રસ્ત હતું. મહારાણા પ્રતાપને યાદ કરો. એમનું અતિશય વજન, ચેતક સિવાય બીજો કોઈ ઘોડો એમની છલાંગ વેઠી શકતો નહોતો. મુસલમાન સરદારને ઘોડા સમેત વાઢી નાખેલો. પૃથ્વીરાજ ચૌહાણ બે હાથે તલવાર ફેરવી શકતો હતો. એના આ કૌશલ માટે તે વિખ્યાત હતો. એમાજ એ ઓળખાઈ ગયો કે આજ પૃથ્વીરાજ છે અને મુસલમાન સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયેલો. ડુંગરના ઉંદર શિવાજીને યાદ કરો. આજના નેતાઓ આ લોકોની વ્યાખ્યામાં ક્યારેય ન આવી શકે.

ચાલો થોડો ધર્મને આમાં સંડોવીએ. ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પણ એમાં ભાગ ભજવે છે. ગુરુ બનવું કે ધાર્મિક પરિવાર સ્થાપવો, સંપ્રદાય ઊભો કરી ઍલ્ફા નર બનવું ધાર્મિક દેશમાં સરળ બની જાય. ધર્મ પણ એક સભ્ય સમાજની સભ્ય ટેક્નિક છે ઍલ્ફા બનવાની, સર્વોપરી બનવાની. રાજા બનો કે ગુરુ બનો, સર્વોપરી તો બનવાના જ. ઊંડા ઊતરી અભ્યાસ કરો, વિચારો.

એક આચાર્યે ૫૦૦ વર્ષ પહેલા સંપ્રદાય સ્થાપ્યો. સર્વોપરી બની ગયા. એક આગવું ગ્રૂપ બનાવી લીધું. જુઓ એમના વારસો આરામથી ગુરુગાદીના અધિપતિ બની,  ગૃપનેતા બની જતા હોય છે. કેટલી સરસ બુદ્ધિશાળી ટેક્નિક, ભક્તોએ બધું કૃષ્ણાર્પણ કરીને વાપરવાનું એ ન્યાયે એમની સ્ત્રીઓ પણ અર્પણ કરી દેવાની, આમ ફીમેલ પણ સરળતાથી ઉપલબ્ધ, એમ સેકસુઅલ રીપ્રૉડક્શન પણ સાવ સરળ બની ગયું. કોઈ મારામારી નહિ, લડાઈ નહિ. ફક્ત થોડું બ્રેન વૉશિંગ જરૂરી જે ધર્મના નામે સરળ બની જાય. એમના મૂળ આચાર્ય પુરુષની બુદ્ધિ જુઓ ૫૦૦ વર્ષથી એમના વારસદારો સરળતાથી ધાર્મિક ઍલ્ફા બની સરળતાથી એમના જીન અનેક સ્ત્રીઓમાં ટ્રાન્સફર કરે રાખે છે.

લગભગ બધા ધાર્મિક નેતાઓ સર્વોચ્ચ સ્થાને પહોચ્યા પછી સ્ત્રીઓમાં કેમ ફસાતા હોય છે? Mammal બ્રેન, ઇવલૂશનરી ફોર્સ આવું કરવા પ્રેરતા હોય છે. રામાયણની કથાએ કેટલાં બાપુઓને ભીખારીમાથી સર્વોચ્ચ સ્થાને પહોચાડી દીધા છે ? સભ્ય સમાજની આ એક સભ્ય વત્તા ધાર્મિક આવડત છે. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદની વાત જુદી છે. આવા લોકોને mammal બ્રેનથી છુટકારો મેળવવો છે. ૨૦૦૦ લાખ વર્ષોથી વારસામાં મળેલા Mammalian બ્રેન, જેને ભારતીય પ્રાચીન મનીષીઓ જન્મોજન્મના સંસ્કાર કહેતા હતા તેમાંથી છુટકારો મેળવવો તેનું જ નામ મોક્ષ હશે કે આત્મસાક્ષાત્કાર હશે.

 

 

 

 

ઍલ્ફા નેતા(Hard Truths about Human Nature)

લ્ફા નેતા
સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે.એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે.જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય.આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે.ચાલો ઇવલૂશનરી સાઇકૉલોજી અને બાયોલોજિ શું કહે છે તે માણીએ.untitled0-=

માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે ગરમીમાં આવે છે. કેમ ? અરે ભાઈ આ હાલની માનવ માદા નથી. બચ્ચાને પાંચ વર્ષ પોતાનું દૂધ આપતી ચિમ્પ માદાની ફળદ્રુપતા સ્થગિત થઈ ગઈ હોય છે. નર ચિમ્પ હવામાં માદાની ફલદ્રુપતાના,  હિટનાં હૉર્મોન્સ ફેલાય ત્યારે જ સેક્સમાં રસ ધરાવતા હોય છે. પણ સામાજિક સર્વોપરીતામાં હંમેશા રસ ધરાવતા હોય છે.પાંચ વર્ષે આવતી માદાની પ્રજોત્પત્તિની તૈયારીની બહુમૂલ્ય ક્ષણની રાહ જોતા લાઈનમાં પ્રથમ ઉભા રહેવા નર ચિમ્પ સદા લડ્યા કરતા હોય છે. કારણ જે પ્રથમ છે તેને ચાન્સ મળવાનો, એના  DNA  સર્વાઈવ થવાના. જે સર્વોપરી છે તેના જીન જીવતા રહેવાના. જે ટોળાનો બૉસ છે તે બીજારોપણ કરી શકવાનો.

સેક્સ, આક્રમકતા અને સર્વોપરિતા, જુદા જુદા ન્યુરો કેમિકલ્સ વડે પ્રેરાતા હોય છે. Testosterone and oxytocin સેક્સ માટે કારણભૂત બનતા હોય છે. serotonin  સર્વોપરિતાનું મહાસુખ અર્પતા હોય છે. જ્યારે આક્રમકતાનું કારણ બધાનો સુભગ સમન્વય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant  પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે. Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જેનિસ મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. દરેક mammals ની સર્વાઇવલની તકનીક કે પધ્ધતિ બેસિકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે.

મૅમલ્સ ગૃપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે. નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. એનાથી એક તો પેલાં મજબૂતનાં મારમાંથી બચાય અને શરીરના અંગો લડાઈમાં વ્યર્થ ગુમાવવા ના પડે. મોટાભાગના ચિમ્પની  એકાદ આંગળી અને કાનની બૂટ ગેરહાજર હોય છે. પરંતુ  mammal  બ્રેન સર્વોપરી બનવાની તક ઝડપી લેવા હંમેશા આતુર હોય છે. એટલે ઍલ્ફા નરની ગેરહાજરીમાં જાણે કે હવે ઈજા પમાય તેવું નથી તો આક્રમક બની લડવાનું શરુ.

બે મૅમલ્સ ભેગાં થાય તરત એમનું બ્રેન નક્કી કરવા માંડશે કે એકબીજા ઉપર Dominant બની શકાશે કે કેમ ? સર્વાઇવલ એના ઉપર આધાર રાખે છે. Mammal બ્રેન પહેલું એજ વિચારશે કે માર ખાધા સિવાય ઘવાયા વગર રોટલીનો ટુકડો મળશે કે કેમ ? અને કોઈ બળવાન એના ઉપર નજર રાખતો હશે તે તરત ઈજા કરશે. આ દુઃખદ અનુભવ શરણે થવા પ્રેરશે. સાચી વાત છે કે આપણે ચોપગાં પશુઓ નથી, માનવી છીએ, પણ જે મૅમલ  ગૃપમાં સમૂહમાં રહેવા ટેવાયેલા છે, સમૂહમાં રહીને સર્વાઇવ થવા ઈવૉલ્વ થયેલા છે તે તમામના પૂર્વજો તરફથી આપણને  Limbic  system  વારસામાં મળેલી છે. જે ન્યુરોકેમીકલ્સ આપણી સારી અને ખરાબ લાગણીઓ માટે કારણભૂત છે તેને કંટ્રોલ કરવાનું  કામ આ લિમ્બિક સિસ્ટમ કરતી હોય છે. જ્યારે તમે પોતાની જાતને સુપિરિઅર અનુભવો ત્યારે mammal  બ્રેઈન  serotonin  સ્ત્રવે છે. આ સ્ત્રાવ સુખનો અનુભવ કરાવે છે. જે તમને સર્વોચ્ચ  પદે રહેવા માટે સદા પ્રેરે છે.

આધુનિક સંવેદનશીલ સમાજ માટે આ ભલે અમાનવીય કૃત્ય ગણાતા હોય પણ આ લાખો કરોડો વર્ષોથી વારસામાં મળેલું ઇવલૂશન છે. માટે આપણી સભ્ય સમજે સર્વોચ્ચ બની રહેવાની સામાજિક પદ્ધતિઓ શોધી કાઢી છે, જેવી કે સમાજસેવા કરવી, નેતૃત્વ કરવું, સારા રમૂજી ટુચકા કહેવા, ચાદર કરતા પગ વધારે બહાર લંબાવવા. સભ્ય Coretx નીચે આપણું mammal બ્રેન સર્વોપરી સુખની અનુભૂતિ ઇચ્છતું હોય છે. પ્યારાં મિત્રો mammal  બ્રેન આ બધું આશરે ૨૦૦ મિલ્યન વર્ષોથી કરી રહ્યું છે. એક મિલ્યન એટલે ૧૦ લાખ, એ હિસાબે ૨૦૦૦ લાખ વર્ષ થયા. આપણે આપણાં પૂર્વજોના જીવંત fossil છીએ.

ડૉમિનન્ટ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગૃપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પૅન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રિડેટરથી કઈ રીતે બચાવશે ?

હવેના નેતાઓ ગૃપનું, સમાજનું, દેશનું રક્ષણ કરનારા નેતા બની રહેવાને બદલે પ્રિડેટર બની ચૂક્યા છે. પોતેજ પોતાના દેશવાસીઓને, દેશને  લૂંટી રહ્યા છે. ભારતને હવે આવા એક સર્વોપરી સખત વલણ ધરાવતા dominant વડાપ્રધાનની જરૂર છે. ભારતે હવે બ્રિટિશ પાર્લમેન્ટરિ પધ્ધતિ ફગાવી દઈને દેશની જનતા સીધા વડાપ્રધાન કે પ્રમુખ ચૂંટે તેવી પધ્ધતિ અખત્યાર કરવાનો સમય હવે પાકી ગયો છે. ભારતને હવે એક સાચા લ્ફા નેતાની જરૂર છે.