નર્કારોહણ-દ્રૌપદી

નર્કારોહણ-દ્રૌપદી Raja_Ravi_Varma,_Pleasing નરકમાં અમે મસ્તીથી ફરતાં હતાં. અહીં તો વાતાવરણ લગભગ સ્વર્ગ જેવું જ હતું. ગરુડ પુરાણમાં વાંચેલું એવું અહિ કશું હતું નહિ. ગરુડ પુરાણમાં કેવાં ભયાનક વર્ણન હતાં પાપોની સજા ભોગવવાનાં. એવામાં અચાનક મને હવામાં વાદળી રંગના કમળ ફૂલની સુગંધ પ્રસરી રહી હોય એવો ભાસ થવા લાગ્યો.

મેં રશ્મિભાઈને પૂછ્યું, ‘આટલી સરસ મહેક ક્યાંથી આવતી હશે? આસપાસમાં કોઈ સુંદર સરોવરમાં બ્લ્યુ કમળ હોવા જોઈએ.’

રશ્મિભાઈ કહે, ‘ સરોવર તો નજીકમાં દેખાતું નથી, નક્કી આસપાસમાં યજ્ઞસેની હોવાં જોઈએ. એમનાં સિવાય કોઈના શરીરમાંથી આવી સુગંધ આવે નહિ.’

હું તો ખુશ થઈ ગયો કે નક્કી આજે પાંચાલીના દર્શન થઈ જવાના. તે સમયના મોસ્ટ બ્યુટીફૂલ વુમન એવાં કૃષ્ણા નજીકમાં જ ક્યાંક હશે. થોડા આગળ વધ્યા ત્યાં એક સુંદર પર્ણકુટિ આગળ ફૂલછોડને પાણી પિવડાવતાં એક જાજરમાન મહિલા જોયાં. જાણે અગ્નિકુંડમાંથી હાલ પ્રગટ થયાં હોય તેવાં તામ્રવર્ણ ધરાવતાં, સામાન્ય માણસને તો નજીક જતાં ડર લાગે તેવાં પ્રતિભાશાળી. દેહમાંથી પ્રસરતી કમળની અદ્ભુત સુગંધ, કમળ જેવા લોચન અને ઘેરા વાદળી રંગના વાદળોના સમૂહ જેવા અદ્ભુત કેશ.

રશ્મિકાંતભાઈ કહે આ તો નિત્યયૌવની, યજ્ઞસેની, કૃષ્ણ સખી, પંચાલ રાજાની યુદ્ધકુંવરી દ્રૌપદી જ છે, ચાલો આજે એમનો પણ ઇન્ટર્વ્યૂ લઈ જ લઈએ. અમે તો પહોંચ્યા એમની પાસે પ્રણામ કરી

રશ્મીભાઈએ અમારી ઓળખાણ આપી. જો કે તેઓને અમારી ખબર પડી ગયેલી હતી. કારણ અમે પાંડવ બ્રધર્સ અને માતા કુંતીને મળી ચૂક્યા હતાં.

‘મને થતું હતું કે આ લોકો મારો ઈન્ટરવ્યું લેવા કેમ હજુ આવ્યા નથી,’ દ્રૌપદી બોલ્યાં.

મેં કહ્યું, ‘આપનો ઈન્ટરવ્યું લીધાં વગર અમારું નર્કારોહણ અધૂરું જ રહે.’

દ્રૌપદી હસી પડ્યાં. એમનાં હાસ્યમાં પણ એક કાતિલ ઠંડક હતી. મને પોતાને બહુ ઔપચારિકતા દાખવવાનું ફાવતું નથી. એટલે સીધા સવાલો કરવા માડું છું.

‘પ્રથમ તો આપના અદ્ભુત સૌન્દર્યને પ્રણામ,’ મેં કહ્યું.

દ્રૌપદી હસીને બોલ્યાં, ‘પ્રણામ !, તમારા વેધક સવાલોના જવાબ સરખાં આપી શકીશ કે નહિ તે કહેવું મુશ્કેલ છે.’

મારું પ્રથમ પૂછવું એ છે કે, ‘આપે આપના સ્વયંવરમાં કર્ણને માછલીની આંખ વીંધવાની હરીફાઈમાં ભાગ લેવાની ના કેમ પાડી દીધેલી એ ભેદભાવ ના કહેવાય?’

દ્રૌપદી બોલ્યાં, ‘સ્વયંવરનો મતલબ જ એ કે મારે મારી ઇચ્છા મુજબ વર પસંદ કરવાનો હતો. એમાં કોણે ભાગ લેવો કોણે નાં લેવો તે મારી મરજી મુજબ જ હોય ને? હું હા પાડું તેને જ પિતાશ્રી એમાં ભાગ લેવાની મંજૂરી આપે. અને મને અર્જુન પ્રત્યે થોડો પહેલથી જ લગાવ હતો. એટલે મને ખબર હતી હરીફાઈમાં કર્ણ ભાગ લેશે તો અવશ્ય જીતી જશે. મારા સખા કૃષ્ણે પણ ઇશારો કરીને ચેતવી દીધેલી. અને મૂળ તો પાંડવો મૃત્યુ પામ્યા છે તેવી અફવા હતી એટલે આવી પાણીમાં પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધવાની સ્પર્ધા અર્જુનની શોધ માટે જ હતી કે અમને વિશ્વાસ હતો કે અર્જુન જીવતો હશે તો તે બહાર આવશે જ અને કર્ણ સિવાય બીજો કોઈ આ મત્સ્યવેધ કરવાની હિંમત કરશે તો તે ફક્ત ને ફક્ત અર્જુન જ હશે.’

મેં કહ્યું, ‘ઉત્તમ આઇડિયા, પણ માતા કુંતીએ અજાણતાં કહી દીધું વહેંચીને લઈ લો એમાં આ પાંચ ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લેવા સમજાયું નહિ.’

‘શરૂમાં તો મેં વિરોધ કરેલો,’ દ્રૌપદી બોલ્યાં. વધુ ઉમેરતાં દ્રૌપદી બોલ્યાં, ‘આ માતાઓ અને પિતાઓ પણ સામાન્ય માનવી જ હોય છે. બધાં કાંઈ ભગવાન હોતા નથી. આપણે એમનું રીસ્પેક્ટ રાખીએ જન્મદાતા તરીકે તે અલગ વાત છે. પણ આ બધા એબ્સોલ્યુટ રાઈટ જ હોય તેવું માનવું વધું પડતું છે. શાન્તનું અને દશરથે ભીષ્મ અને રામનાં કેવાં બલિદાન લીધાં છે તે આપણે જાણીએ છીએ તેમ કુંતીએ અજાણતાં મારું બલિદાન લઈ લીધું હતું. માતાપિતા અને વડીલોની અયોગ્ય માગણીઓને નકારવાનું શીખવું પડશે. વડીલો અને પેઅરન્ટ ને એમના ગુણ દુર્ગુણ સાથે સ્વીકારી પ્રેમ કરીએ તે મહત્વનું છે. પણ તે સમયે માતાનાં વચનને બહાને સખા કૃષ્ણે અને ખુદ અર્જુને મને સમજાવી એટલે માની ગઈ અને પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધા.

મેં કહ્યું, ‘આખા બનાવ વિષે વધુ પ્રકાશ પાડશો?’

‘મૂળે મને આમાં કોનો દોષ છે તે હજુ સમજાયું નથી. માનવજાત બહુગમન કરનારી છે તેમાં કાંઈ નવું નથી. અને માતાએ તેમના અજાણતાં બોલાયેલ બોલ પાળવા જ તેવો આગ્રહ રાખ્યો નહોતો, ઉલટાનો આવા લગ્ન ભૂતકાળમાં થયેલા છે કે નહિ તેના પુરાવા માંગેલા. ત્યારે યુધિષ્ઠિરે ગૌતમ વંશના જટિલા દેવીનો દાખલો આપેલો કે જેઓ સાત સપ્તર્ષિ સાથે પરણેલાં હતાં અને બીજો દાખલો હિરણ્યાક્ષની બહેના પ્રચેતીનો આપેલો જે દસ ભાઈઓ સાથે પરણેલી હતી.’ દ્રૌપદીએ લાંબું ચલાવ્યું.

હું બોલ્યો, ‘ હું તો મોટાભાઈ યુધિષ્ઠિર ઉપર આમાં કપટ રમવાનો આક્ષેપ કરીને આવ્યો છું, પણ આપે વાત સ્વીકારી લીધી એમાં ઊંડે ઊંડે પાંચ શ્રેષ્ઠ પુરુષોને પામી લેવાની મનોદશા પણ વંચાય છે.’

‘દરેક સ્ત્રીમાં ખૂબ ઊંડે ઊંડે એક દ્રૌપદી વસતી હોય છે. મને મૉરલ વેલ્યુઝ ધરાવતો પતિ જોઈતો હતો, મને શારીરિક બલિષ્ઠ પતિ જોઈતો હતો, મને હિંમતવાન ધનુર્ધારી બાહુબલિ પતિ જોઈતો હતો, મને ખૂબ રૂપાળો અને બુદ્ધિશાળી પુરુષ પણ પતિ તરીકે જોઈતો હતો, હવે આ બધું એકમાં તો હોય નહિ. એટલે કદાચ મેં આ જુદા જુદા ગુણ ધરાવતા પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધાં હોય એવું પણ બને.’ દ્રૌપદી આજે ખુલ્લા મને બોલી ઊઠ્યાં.

‘પણ આ બધું આપ મેનેજ કઈ રીતે કરતાં?’ મેં જરા શરમ છોડી પૂછી લીધું.

‘અરે ! એમાં કોઈ મોટી વાત નહોતી. પહેલું તો આમાં કોઈ વિલાસિતા નહોતી. એક આખું વર્ષ એક જ પતિ સાથે વિતાવતી તે સમયે બીજાનો વિચાર પણ નહિ કરવાનો. એટલે હું વર્ષ પૂરું થાય અને બીજા પતિ પાસે રહેવા જાઉં ત્યારે માનસિક રીતે વર્જિન બનીને જ જતી. આપણે હમેશાં કોઈની સાથે મનોમન કમ્પેરીજન કર્યા જ કરતા હોઈએ છીએ. અને એ કમ્પેરીજન અપેક્ષાઓ વધારી દેતી હોય છે અને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે જે સામે અને સાથે હોય તેની ખૂબીઓ દેખાતી નથી અને એના સહવાસનું સૌન્દર્ય ગુમાવી બેસતા હોઈએ છીએ.’ દ્રૌપદીએ કહ્યું.

મેં કહ્યું, ‘ આજ અઘરી વાત છે. જરા વધુ પ્રકાશ પાડશો અમારા વાચકો માટે?’

દ્રૌપદી બોલ્યાં, ‘દાખલા તરીકે જુઓ હું ભીમ સાથે એક વર્ષ વિતાવું અને પછી બીજા વર્ષે સહદેવ પાસે જાઉં અને બંને વચ્ચે સરખામણી કર્યા કરું તો સાવ નકામું. ભીમ બલિષ્ઠ અને આક્રમક મને શયનખંડમાં સૌથી વધુ સુખ આપે પણ સહદેવ બુદ્ધિશાળી અને પ્રેમાળ માનસિક રીતે સૌથી વધુ સુખ આપે. હવે બંનેની ક્વૉલિટી જ અલગ બંને સાથે સહચર્યમાં મને અલગ અલગ સુખ મળે. હવે હું જ્યારે સહદેવ સાથે હોઉં ત્યારે ભીમને યાદ કર્યા કરું તો ભીમ તો પાસે હોવાનો નથી અને સહદેવને પણ ગુમાવું કે નહિ?’

‘હવે બરોબર સમજાયું. એટલે શાસ્ત્રોએ આપને નિત્ય કુંવારાની ઉપાધિ આપી છે તે બરોબર છે. વર્જિન એટલે શારીરિક નહિ પણ માનસિક વર્જિન.

આજના પુરુષો શારીરિક વર્જિન સ્ત્રીની અપેક્ષા રાખતા હોય છે ખરેખર સ્ત્રી શારીરિક વર્જિન હોય કે નાં હોય શું ફરક પડે છે? સ્ત્રી માનસિક વર્જિન હોવી જોઈએ જ્યારે આપણી પાસે આવે ત્યારે. માની ગયા બોસ સલામ આપને. અને એટલે જ આપને નિત્યયૌવના પણ કહ્યા છે.’ મેં કહ્યું.

હવે દ્રૌપદીનો વારો હતો તે બોલ્યાં, ‘બહુપતિત્વ ભારતમાં માન્ય હતું પણ ધીમે ધીમે લુપ્ત થતો રિવાજ હતો. તિબેટ આખું બહુપતિત્વ ધરાવતું હતું તો નેપાળમાં પણ એવા રિવાજ હતા. હજુ ઝારખંડમાં અમુક કોમોમાં એવા રિવાજ ચાલુ જ છે. બહુપતિત્વમાં પણ અલગ અલગ કુટુંબ કે વંશના પતિઓ હોય તેવું હોતું નથી પણ એક જ ઘરના ભાઈઓ જ બહુ પતિ તરીકે હોય છે. આ એક સામાજિક વ્યવસ્થા છે. પુરુષને પોતાના જિનેટિક વંશ માટે ખૂબ પ્રેમભાવ હોય છે. ભત્રીજા કે ભત્રીજી પોતાના સંતાનો હોય તેવું જ લાગતું હોય છે.’

મેં કહ્યું, ‘સાચી વાત છે. મારે દીકરી નહોતી પણ મારી ભત્રીજીઓ મને મારી જ દીકરીઓ હોય તેમ જ લાગતું હતું, અને મારા ભત્રીજાઓ સામે કોઈ આંખ ઉઠાવે તો મારી નાખું એવું આજે પણ થાય છે.’

સીતાજીની જેમ દ્રૌપદી મારું પ્રિય પાત્ર હતાં. પાંચ પાંચ શ્રેષ્ઠ પતિઓ પડખે ઊભા હોવા છતાં સ્ત્રીઓને વસ્તુ સમજવાની માનસિકતાએ એમણે ખૂબ અપમાન વેઠ્યાં હતાં. યુધિષ્ઠિરનું કૌરવો સાથે જૂગટું રમવું અને એમાં દ્રૌપદીને મૂકીને હારી જવું વગરે મને યાદ આવી રહ્યું હતું. મને તે પ્રસંગ દ્રૌપદી સાથે ચર્ચવો ગમતો નહોતો. મને તે વિષે સવાલો પૂછવાનું પણ ગમતું નહોતું. એ પ્રસંગ જાણે મારી આંખોમાં અશ્રુ બનીને તગતગી રહ્યો હતો. હું પોતે જાણે તે ભારતના ઇતિહાસની સૌથી મોટી કલંકિત ઘટના દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતી સમગ્ર સભામાં અસહાય વિકર્ણ કે અસહાય વિદુર હોઉં તેવું અનુભવતો હતો. દ્રૌપદીની હાજરી જ અમને લાગણીશીલ બનાવી રહી હતી. અમે બધાં મૌન હતાં. શું બોલવું કશી ખબર પડતી નહોતી. સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ તેજ હોય છે.

Draupadi_s_presented_to_a_pachisi_gameમારી આંખોમાં અશ્રુ જોઈ દ્રૌપદી બોલી ઊઠ્યાં, ‘ હું સમજી શકું છું તમારી મનોવ્યથા. સ્ત્રીઓ પ્રત્યે વિશેષ સન્માન ધરાવતા વ્યક્તિઓ છો. પણ હું કહું તો તે સમય જ્યારે યુધિષ્ઠિર મને જુગારમાં મૂકીને હારી ગયા મારી જીંદગીનો સૌથી મોટો અપમાનિત દિવસ હતો એવું નહિ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ માટે સૌથી મોટો અપમાનિત દિવસ હતો. મારો મુખ્ય સવાલ સમગ્ર સભા માટે હતો કે યુધિષ્ઠિર પહેલા પોતાને હારી ગયા પછી મને જુગારમાં મૂકવાનો એમનો હક કઈ રીતે બને? વાસ્તવમાં ઉત્તર બધા જાણતા જ હતાં પણ કોઈને આપવો નહોતો. વિકર્ણ અને વિદુર અસહાય હતા. ભવિષ્યમાં ભીમ અને અર્જુન મહાવિનાશ વેરવાના હતા તે પણ મને ખબર હતી છતાં હાલ અસહાય હતા. સારું થયું મારા સખા કૃષ્ણ તે સમયે આસપાસમાં ક્યાંક વિરામ કરતા હશે અને એમનું જાસૂસી તંત્ર હમેશની જેમ સતર્ક કે કૃષ્ણને સમયસર જાણ થઈ ગઈ તે સત્વરે આવી પહોચ્યા. એમનો પ્રભાવ જ એવો હતો કે એમની હાજરી જ આવા કામ રોકવા સક્ષમ હતી. એમનું ઓઢાડેલું વસ્ત્ર ઉતારવાની હિંમત તે સમયે સમગ્ર ભારતવર્ષમાં કોઈની નહોતી. ગોવિંદ કોઈને વસ્ત્ર ઓઢાડે પછી એને કોઈ નિર્વસ્ત્ર કરી શકે ખરું? આખી સભાને પળમાં બાળી નાખવાનો પ્રચંડ ક્રોધ એમની આંખોમાં સળગતો જોઈ અંધ મહારાજ અને દેખતાં અંધ બનેલાં મહારાણી ગાંધારી ચેતી ગયા કે હવે કૌરવોનો વિનાશ નક્કી છે. એમણે ત્રણ વરદાન માંગવાનું કહ્યું. એમાં મારા પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવ્યા કે એમના સંતાનો દાસના સંતાનો તરીકે ઓળખાય નહિ. અને બીજા વરદાનમાં બધું ગુમાવેલું પાછું મેળવ્યું. ત્રીજા વરદાનનો લોભ મેં રાખ્યો નહિ. છતાં જુઓ કે જુગારની લત કેટલી ખરાબ હોય છે ? છેલ્લી ગેમમાં ૧૨ વર્ષનો વનવાસ અને એક વરસ ગુપ્તવાસ મળ્યો ત્યારે જ યુધિષ્ઠિર જંપ્યા..’

દ્રૌપદીએ ખાસું લાંબું વક્તવ્ય આપ્યું હતું. એમની આંખોમાં પણ ભીનાશ તગતગી રહી હતી. અમે તો કશું પૂછવાની હામ ગુમાવી બેઠાં હતાં. હવે તો તેઓ જાતે જે બોલે તે જ સાંભળવું હતું. અથવા રશ્મિભાઈ પૂછે તો બરોબર, અને તેઓ પણ સમજી ગયા હતા મારી મનોદશા.

એમણે પૂછ્યું કે આપે પણ દુર્યોધનને મહેણું મારેલું કે અંધના અંધ હોય એવું?

દ્રૌપદી બોલ્યાં, ‘એમાં ખોટું શું હતું? એક તો પિતા ખાલી આંખોથી અંધ હતા એવું તો હતું નહિ? પુત્રોને મોહવશ સાચું કહેવા બાબતે પણ અંધ હતા. ચાલો આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય.’

હું તરત બોલી ઊઠ્યો, ‘તદ્દન સાચી વાત છે. આંધળાની લાકડી બનવાને બદલે જાતે જ દેખતાં અંધ બની ગાંધારી કૌરવોના વિનાશનું એકાદું કારણ અવશ્ય બન્યાં છે.’

‘ભણેલાં અભણ અને દેખતાં અંધ બંને ચક્ષુઅંધ અને રિઅલ અભણ કરતાં સમાજ માટે વધુ ખતરનાક અને નુકશાન કારક હોય છે,’ દ્રૌપદી બોલ્યાં.

અદ્વિતીય સૌન્દર્ય ધરાવતાં કૃષ્ણાને મારે હવે કશું પૂછવું નહોતું. હું તો વ્યથિત હૃદયે ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો. અમે કમલગંધાને પ્રણામ કરી વિદાય માંગી. એમણે પણ જ્યારે આવવાની ઇચ્છા થાય આવી ને વાર્તાલાપ કરવાની છૂટ આપી અમને વિદાય આપી. હું મૌન હતો. હજુ મારી આંખો સમક્ષ ભીષ્મ અને દ્રોણ જેવા સભાજનોની સમક્ષ આક્રંદ અને આક્રોશ સાથે પ્રશ્નો પૂછતાં દ્રૌપદી તરી આવતાં હતાં. એમની હાજરીમાં મારી આંખોમાં અટકી રહેલી અશ્રુધારા જરા દૂર જતાં હું રોકી શક્યો નહિ.

રશ્મિભાઈ મારા ખભે હાથ ફેરવતા મને માહિતી આપી રહ્યા હતાં. દ્રૌપદી આગલાં જન્મમાં ભગવાન આગળ ભૂલમાં પાંચ વાર પતિ માંગી ચૂક્યાં હતાં એવી વાર્તા છે. એમને યુધિષ્ઠિર દ્વારા પ્રતિવિન્ધ્ય, ભીમ દ્વારા સુતસોમા, અર્જુન દ્વારા સુતકર્મા, નકુલ દ્વારા સતાનિક અને સહદેવ દ્વારા શ્રુતસેન એમ પાંચ પુત્રો હતા. નાના બાળકોને મારી નાખનારા તાલીબાનો ત્યારે પણ હતાં. કશું ચાલ્યું નહિ ત્યારે અશ્વસ્થામાંએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખેલા. છતાં એક માતાનું ઉમદા હૃદય ધરાવતાં દ્રૌપદીએ દ્રોણ પત્ની અને અશ્વસ્થામાંની માતા  કૃપીનાં માતૃ હૃદયનો ખ્યાલ કરીને અર્જુન અને ભીમના હાથમાંથી અશ્વત્થામાને બચાવેલો. આ એમના હ્રદયની દયા અને પવિત્રતાની પરાકાષ્ઠા હતી.

અમે હવે કોનો ઈન્ટરવ્યું લઈશું તે વિચારતા ત્યાંથી આગળ વધ્યાં.

નોંધ: — મિત્રો ‘નર્કારોહણ સિરીઝ બહુ પહેલા લખેલી છે. એમાં અમે ઊંઘમાં કહેવાતા નરકમાં પહોંચી ગયેલા અને જુદાજુદા મહાનુભાવોના ઈન્ટરવ્યું લીધેલા. એમાં ત્યારે દ્રૌપદી મળેલા નહિ. આ એક કટાક્ષ કથા છે. આ કહેવાતું નર્ક જ્યાં અમે ગયેલા તે ખરેખર નર્ક નહોતું તે આખી સિરીઝ વાંચો ત્યારે જ ખયાલ આવશે માટે કોઈએ ધાર્મિક લાગણી દુભવ્યા વગર લખાણ વાંચવું અને પ્રતિભાવ આપવા વિનંતી છે.’

અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review

બ્લોગર, ફેસબુક, ટ્વીટર તથા અન્ય સર્વે વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. ૨૦૧૪માં આપ સર્વેનો અઢળક પ્રેમ સંપાદન થયો છે. નવા ૨૦૧૫ના વર્ષમાં પણ મળવાનો જ છે તેની મને ખાતરી છે. The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 72,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળ

યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળuntitlednah

હૃદય હચમચાવી દે તેવી કરુણ, તાલીબાનો દ્વારા ૧૩૨ બાળકો સાથે કેટલાક શિક્ષકોને નિર્દયતાથી રહેંસી નાખવાની ઘટના પેશાવરમાં બની તેનાં મૂળિયા બહુ ઊંડા છે. પેશાવર સાથે આખું પાકિસ્તાન પોતાને પાયમાલ થઈ ગયાનું મહેસૂસ કરતું હશે. પાકિસ્તનમાં વસેલા તાલીબાનો મૂળ અફઘાન રેફ્યુજી છે. સાપોને દૂધ પિવડાવી ઉછેરીએ તો શું પરિણામ આવે? આપણે વિચારતાં હોઈશું કે આ સાપોને દૂધ પિવડાવી ઉછેરવાનું પાપ પાકિસ્તાન અને અમેરિકાએ એકલાએ જ  કર્યું હશે. પણ એવું નથી, આ પાપમાં બહુ બધા ભાગીદાર છે. પાકિસ્તાન સાથે ચીન, અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ઈરાન સાથે આડકતરી રીતે બીજા ૩૪ ઈસ્લામિક દેશો પણ ભાગીદાર છે. સાથે સૌથી મોટું આ પાપમાં ભાગીદાર હોય તો અફઘાનિસ્તાન પોતે અને એને લશ્કરી મદદ કરનાર રશિયા પણ છે. મામા શકુનિ થી માંડી ગઝની, ઘોરી, તૈમુર લંગ, બાબર, અબ્દાલી સુધી જુઓ આ પ્રજાના જિન્સમાં જ હિંસા, ખૂનામરકી, ભારોભાર પડેલી છે. આપણી આસપાસ અમુક કજીયાળા લોકોનો અનુભવ સહુને હશે. આવા લોકોને કજીયો કરવા જોઈએ એટલે જોઈએ જ. લડ કાંતો લડનાર દે એવી માનસિકતા ઘણા લોકોની હોય છે. એકવાર ભૂલી જાઓ કે પાકિસ્તાન અલગ છે, તે આપણા હિન્દુસ્તાનનો ભાગ જ છે એવું ધારી લો, અને વિચારો કે ગઝની, ઘોરી, તૈમુર અને અબ્દાલી જેવાઓએ આ હાલની પાકિસ્તાની પ્રજા ઉપર જુલમ ગુજારેલા જ છે. ખાઈ પીને મજા કરી લો નહીં તો અબ્દાલી આવીને લુંટી જશે એવા મતલબનું એક સુફી ફકીરનું કાવ્યાત્મક વાક્ય પાકિસ્તાનમાં પ્રચલિત હતું. હવે વટલાઈને મુસલમાન બન્યા પછી પાકિસ્તાની પ્રજા એમના પૂર્વજો ઉપર ભૂતકાળમાં અફઘાનો દ્વારા ગુજારેલા જુલમ ભૂલી જાય તેવું બની શકે. નિસાર જેવા પાકિસ્તાની પત્રકારને આ બધું હજુ યાદ છે માટે તે સરેઆમ કહે છે કે તૈમુર-બાબર જેવા કોઈ મહાન નહિ પણ જુલમી માનવ ખોપરીઓનાં મિનારા ચણવાવાળા જુલમી શાસકો માત્ર હતા.

‘નવી પેઢીના મિત્રોને બહુ ખબર હોય નહિ એટલે લખવાનું મન થાય છે.’

૧૯૭૩ સુધી અફઘાનિસ્તાનમાં રાજાશાહી હતી, ૧૯૩૩ થી  કિંગ મોહમ્મદ ઝાહિર શાહ અહીંના રાજા હતા જે અમેરિકાના માનિતા હતાં. કિંગના

કિંગ ઝહિર શાહ
કિંગ ઝહિર શાહ

પિતરાઈ ભાઈ મોહમ્મદ દાઉદ ખાન ૧૯૫૪ થી ૧૯૬૩ સુધી કિંગના પ્રાઈમ મિનિસ્ટર હતાં. આ વર્ષો દરમ્યાન અહીં માર્કસિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઑફ અફઘાનિસ્તાનનું જોર વધવા લાગ્યું હતું. આ PDPA ૧૯૬૭માં બે ભાગમાં વહેંચાઈ ગયેલું નૂર મોહમ્મદ તરકી અને હફીઝુલ્લાહ અમીનની આગેવાની હેઠળ ‘ખલ્ક’ અને બબ્રાક કરમાલની આગેવાની હેઠળ ‘પરચમ’(ફ્લેગ).

કિંગ શાહ કોઈ સારવાર કરાવવા ઇટાલી ગયા હતા ને એમની સામે પુઅર ઇકોનોમિક કંડિશન અને કરપ્શનનાં આક્ષેપો મૂકી ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર દાઉદ જે કિંગના કઝન હતા તેમણે મિલિટરી પાવર હસ્તગત કરી લીધો ને રાજાશાહીનો અંત આણી દીધો. ભૂતપૂર્વ કિંગ ૨૯ વર્ષ ઈટાલીમાં ગોલ્ફ અને ચેસ રમતા રહ્યા.  તે સમયે દાઉદ સામાન્ય પ્રજામાં પૉપ્યુલર હતા પણ PDPAનાં સપોર્ટરમાં અપ્રિય હતા. એવામાં PDPAનાં બહુ મોટા આગેવાન મીર અકબર ખૈબરની રહસ્યમય હત્યા થઈ, એની પાછળ મોહમ્મદ દાઉદનો હાથ હશે માની કાબુલમાં એમના વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન ભરાયાં હતાં. એના પરિણામે PDPAનાં બહુ બધા નેતાઓની ધરપકડ થઈ.

એપ્રિલ ૨૭, ૧૯૭૮ અફઘાન આર્મી જે PDPA તરફ સહાનૂભુતિ ધરાવતું હતું તેનાં દ્વારા એક ષડ્યંત્ર રચાયું મોહમ્મદ દાઉદની એમના આખા કુટુંબ સાથે હત્યા કરવામાં આવી અને નૂર મોહમ્મદ તરકી PDPAનાં જનરલ સેક્રેટરી હતા તે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનાં વડાપ્રધાન બન્યા સાથે સાથે રેવલ્યૂશનરી કાઉન્સિલનાં પ્રમુખ પણ. નૂર મોહમ્મદ તરકી PDPAનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી અને દેશના પ્રધાનમંત્રી એમ ત્રણ હોદ્દે હતાં અને નાયબ વડાપ્રધાન તરીકે હફીઝુલ્લાહ અમીન હતા. પહેલા ૧૮ મહિના તો આ નવા શાસકોએ સોવિયેટ સ્ટાઇલ આધુનિકરણ પ્રોગ્રામ અમલમાં મૂકવાનું શરુ કરી દીધેલું. જે રૂઢિવાદી મુસ્લિમોને ઇસ્લામ વિરુદ્ધનું લાગવા માંડ્યું હતું. લગ્ન વિષયક રિવાજોમાં ફેરફાર, પાવરફુલ જમીનદારોએ ખેડૂતોના માથે ઠોકેલા અતિશય દેવા માફી વગેરે નવા ફેરફાર ૧૯૭૮ના મધ્યમાં નુરીસ્તાન પ્રદેશમાં બળવો શરુ થવાના કારણ બન્યાં. સપ્ટેમ્બર ૧૯૭૯માં પ્રમુખ તરકીની પહેલા ધરપકડ કરી પછી એમની હત્યા કરીને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હફીઝુલ્લાહ અમીને સત્તા હસ્તગત કરી લીધી. આમ સરકારોની અસ્થિરતા સાથે એની સામે બળવો પણ વધી રહ્યો હતો. હું ૧૯૭૧માં બરોડા અભ્યાસ કરવા આવી ચૂક્યો હતો. પહેલા સ્કૂલમાં અને પછી કૉમર્સ ફેકલ્ટીમાં મારો અભ્યાસ ચાલતો હતો. સ્વ. વાસુદેવ મહેતા જેવા ધરખમ રાજકીય સમિક્ષકને વાંચવાની મને આદત હતી.

અફઘાન રાજકારણમાં સોવિયેટ રશિયાની અસર બહુ મોટી હતી. ૧૯૪૭ થી અફઘાનિસ્તાન આર્થિક સહાય, લશ્કરી સાધન સામગ્રી, લશ્કરી તાલીમ વગેરે મેળવી રહ્યું હતું. ૧૯૧૯માં એન્ગલો-અફઘાન વોર સમયે પણ રશિયા અફઘાનિસ્તાનને મદદ કરી ચૂક્યું હતું. રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે લશ્કરી મદદના કરાર ૧૯૫૬ અને ફરી ૧૯૭૦માં થયા હતાં. ભારતે પણ એવા મૈત્રી કરાર ૧૯૭૧માં રશિયા સાથે કરેલા હતાં. રશિયાએ અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવા ખુબ મદદ કરી હતી. કાબુલ યુનિવર્સિટી, પોલિટેકનીકલ ઇન્સ્ટીટયુટ, હોસ્પિટલ્સ, પાવર પ્લાન્ટ્સ, લોકલ સ્કૂલ્સ, બધું રશિયાની મદદ વડે ખડુ થયું હતું. ૧૯૮૦ની સાલ દરમ્યાન Blakhe, Herate, Takhar, Nangarhar અને  Fariyab પ્રાંતોમાં રશિયાએ યુનિવર્સિટીઓ ખડી કરી આપી હતી અને અફઘાન વિદ્યાર્થીઓને ભણાવવા રશિયન વિદ્વાનો સેવા પણ આપતા હતા. અફઘાન વિદ્યાર્થીઓને  રશિયન ભાષામાં નિષ્ણાત બનાવવામાં આવી રહ્યાં હતાં. રશિયા અફઘાનીસ્તાનનું રશીયાકીકરણ કરવા માંગતું હતું જે રૂઢીવાદી મુસ્લિમોને મંજુર નહોતું.

untitledlkmnબળવાખોરો સામે ટક્કર લેવા પ્રમુખ તરકીએ રશિયાના ચેરમેન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ કોસીજીનને લશ્કરી સહાયની વિનંતી કરેલી પણ કોસીજીન તેયાર નહોતા. તેઓએ પ્રેસિડન્ટ બ્રેઝનેવને વિનંતી કરી શરૂમાં તેઓ પણ તૈયાર નહોતા. તરકી અને અમીન બંને પરચમનાં નેતાઓની હત્યાઓ કરે રાખતા હતા. ગમેતેમ કરીને તરકી બ્રેઝનેવને મદદ કરવા સમજાવી શક્યા હતા. બળવો ધીમે ધીમે જોર પકડી રહ્યો હતો. આ બે પ્રમુખોએ ૧૧૦૦૦ જેટલા પરચમ નેતાઓ અને સપોર્ટરને પતાવી દીધેલા તેવું કહેવાય છે. જે રશિયાને ગમેલું નહિ.

૧૯૭૯માં અમેરિકાને સંડોવતો એક દુઃખદ બનાવ બન્યો. સામ્યવાદી વિચાધારા ધરાવતા કેટલાક આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકન એમ્બેસેડર Adolph Dubs નું અપહરણ કર્યું. આ અપહરણ દ્વારા એમનો ઇરાદો એમના નેતા બદરુદ્દીનને છોડાવવાનો હતો. અમેરિકન સરકારે રશિયા અને અફઘાન સરકારને અપહરણકર્તાઓ સાથે શાંતિથી વાટાઘાટો કરવા વિનંતી કરેલી જેથી એમના એમ્બેસેડર પર જીવનું જોખમ ઊભું થાય નહિ. અપહરણકર્તાઓએ અમેરિકન એમ્બેસેડર Dubs ને કાબુલ હોટેલની રૂમ નંબર ૧૧૭માં રાખેલા. અમેરિકાએ એની એમ્બેસીના ડિપ્લોમેટિક સ્ટાફને વાટાઘાટો કરવા કાબુલ હોટેલ મોકલી આપેલો. અપહરણકર્તા સાથે વાટાઘાટ શરુ થઈ તે દરમ્યાન રશિયન એડવાઈઝરનાં કહેવાથી અફઘાન સિક્યોરિટી ફોર્સે અપહરણકર્તાઓ સામે હુમલો શરુ કરી દીધો એ દરમ્યાન યુ.એસ. એમ્બેસેડર માર્યા ગયા. રશિયા અને અમેરિકા વચ્ચે આ પ્રસંગે તણાવ ખુબ વધારી દીધેલો. આ સાથે ૧૯૮૦નાં અંત સુધીમાં સ્ટ્રોંગ અફઘાન આર્મીના ૮૦,૦૦૦ સૈનિકોમાંથી અડધા કરતા વધુ લશ્કર છોડી ગયા અને કહેવાય છે મુજાહિદ્દીન બળવાખોરો સાથે મળી ગયા.

આ બળવાખોરોનું જૂથ એટલે મુજાહિદ્દીન. મુજાહિદ્દીન ‘પેશાવર સેવન’ અને તેહરાન એઈટ’ એમ મુખ્ય બે જૂથનું સમન્વય હતું. સુન્ની એવા પેશાવર સેવનનાં સભ્યો પાકિસ્તાન અને ચાઇનામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એમને આર્થિક સહાય અમેરિકા, બ્રિટન, અને સાઉદી અરેબિયા કરી રહ્યા હતા. જ્યારે શિયા એવું તેહરાન એઈટ ગૃપ ઈરાન જોડેથી મદદ મેળવી રહ્યું હતું. સુન્નીના સાત ગૃપ અને શિયાના આઠ ગૃપ બધા ભેગાં મળીને અને જુદા જુદા અફઘાન સરકારો સામે લડતા હતા.

શિયા અને સુન્ની રૂઢિવાદી જૂથો એકબીજાના મતભેદ બાજુ પર રાખી રાજાશાહી પછી આવેલી કહેવાતી સેક્યુલર સરકારો સામે લડતા હતા. બીજો પ્રૉબ્લેમ એ હતો કે સત્તા પર રહેવા સરકાર બનાવવા આ સુધારાવાદી સામ્યવાદી વિચારો ધરાવનારા પણ અંદરોઅંદર કાવાદાવા અને હત્યાઓ કરી લડે રાખતા હતા. આ બાજુ અફઘાનિસ્તાનનાં પાડોશી પાકિસ્તાનનાં ભુટ્ટો જેવા નેતાઓએ પણ અફઘાનિસ્તાનની સેક્યુલર સરકારોને દબાણમાં રાખવા ચાલ રમવા માંડી હતી, ખાસ તો જમિયતે ઇસ્લામી સંસ્થાના સભ્યોને ત્રાસવાદ માટે સખત તાલીમ આપવાનું કામ ભુટ્ટોએ શરુ કરેલું. પ્રમુખ તરકીએ અફઘાનિસ્તાનને મૉર્ડન બનાવવા પુરાણી સામંતશાહી નાબૂદ કરવાનું કામ શરુ કરેલું, જુના રિવાજો કાયદા બદલવાનું શરુ કરેલું, એના માટે આધુનિકરણના વિરોધી એવા મુલ્લાઓ અને મુખિયાની હત્યાઓ પણ કરવામાં આવી હતી. પ્રમુખ તરકીએ લગભગ ૨૭૦૦૦ જેટલા રાજકીય વિરોધીઓને પુલ એ ચરખી જેલમાં હણી નાખેલા તેવું કહેવાય છે.

1024px-BMD-1_in_Afganistanએપ્રિલ ૧૯૭૯ થી થોડી થોડી રશિયન લશ્કરી સહાય તો મળવા માંડી હતી મિલિટન્ટ ગૃપો સામે લડવા. પ્રમુખ તરકીની હત્યા કરાવી પ્રમુખ બનેલા અમીન રશિયાના અફઘાન વફદારોની હત્યા કરાવે છે અને પાકિસ્તાન અને ચીન સાથે સારા સંબંધો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેવો એક રિપોર્ટ કે.જી.બી. એ રશિયાના માંધાતાઓને આપ્યો. અમીનની અમેરિકાના કોઈ નેતા જોડે સિક્રેટ મીટિંગ થઈ છે તેવું પણ રશિયાની જાણમાં આવ્યું. બહુ મોટી મિલિટરી હલચલ થશે તેવું ધ્યાનમાં આવી જતા પ્રમુખ અમીને એમની ઓફીસ તાજબેગ પૅલેસમાં બદલી નાખેલી. ૨૭ ડિસેમ્બર ૧૯૭૯ સાંજે ૭ વાગે ૭૦૦ સોવિયેટ ટ્રુપ્સ અફઘાન યુનિફૉર્મમાં સજ્જ થઈ, ત્રાસવાદીઓ સામે લડતા સ્પેશલ આલ્ફા અને ઝેનીથ ગ્રૂપ તથા કે.જી.બી. સાથે મળીને અફઘાનિસ્તાનની મહત્વની સરકારી, લશ્કરી અને સંદેશા વ્યવહાર, મીડિયા ઈમારતો કબજે કરી ઓપરેશન શરુ કરે છે. ૭:૧૫ તાજબેગ પેલેસ પર હુમલો કરી પ્રમુખ હફીજુલ્લાહ અમીનનો અંત આણી  ૨૮ ડિસેમ્બર ૧૯૭૯ ની વહેલી સવારે ઓપરેશન પૂરું. સવારે રેડીઓ કાબુલ પરથી અગત્યની જાહેરાત કે અમીનના જુલમી શાસનમાંથી અફઘાનિસ્તાન મુક્ત, તેમના ગુનાઓ સબબ અફઘાન રેવલૂશનરી સેન્ટ્રલ કમિટી દ્વારા એમનો અંત આણવામાં આવે છે અને કમિટી સરકારના વડા તરીકે બબ્રાક કરમાલની નિમણૂક કરવામાં આવે છે અને સોવિયેટ સરકાર મૈત્રી કરાર મુજબ અફઘાનિસ્તાનમાં લશ્કરી સહાય આપશે. ૧૮૦૦ ટેંક, ૮૦,૦૦૦ સૈનિકો, ૨૦૦૦ હથિયારબંધ લશ્કરી વાહનો સાથે રશિયા હવે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ચૂક્યું હતું.

untitlednhj
પ્રમુખ રીગન સાથે

૩૪ ઈસ્લામિક દેશો મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાંથી રશિયા બિનશરતી તાત્કાલિક હટી જાય તેવી માગણી સાથે રશિયાના પ્રવેશને વખોડી કાઢતા ઠરાવો કરે છે યુ.એન. જનરલ એસેમ્બલી ૧૦૪ વિરુદ્ધ ૧૮ વોટે તેને પાસ કરે છે. ભારતે રશિયા જોડે ૧૯૭૧નાં યુદ્ધ વખતે મૈત્રી કરાર કરેલા હતા માટે આપણે રશિયાની વિરુદ્ધમાં વોટ આપીએ તેવું બને નહિ. ખાશોગી, ગદ્દાફી અને એવા બીજા શસ્ત્રોના સોદાગરોને હવે જલસા પડી જવાના હતા. ઇઝરાયેલે અરબો સામે લડતા જે રશિયન બનાવટનાં શસ્ત્રો કબજે કરેલા તે અમેરિકા ખરીદીને મુજાહિદ્દીનને આપવા માંડે છે, ઈજીપ્ત એના લશ્કરમાં અપગ્રેડ કરેલા શસ્ત્રો દાખલ કરી જુના સડેલા શસ્ત્રો મિલીટન્ટની સપ્લાય કરવા માંડે છે. તુર્કી એના બીજા વિશ્વયુદ્ધ વખતનો સ્ટોક બહાર કાઢે છે. બ્રિટન અને સ્વિસ બ્લોપાઈપ મિસાઇલ સપ્લાય કરે છે. ચાઈના પણ શું કામ બાકી રહે? રશિયા સામે આડકતરી રીતે મુજાહિદ્દીનોને મદદ કરી આ બધા દેશો પરોક્ષ રીતે લડાઈમાં ઊતરે છે. બબ્રાક કરમાલ વધુને વધુ મદદ રશિયા જોડે માંગવાનાં જ હતા અને આમ આશરે ૧૦ વર્ષ રશિયા અફઘાનિસ્તાનને ધમરોળવાનું હતું. સામે મુજાહિદ્દીનો એક લાંબું ગેરીલા વોર લડવાના હતા. એક આધુનિક રાષ્ટ્ર નિર્માણ કરવાનું સ્વપ્ન સેવતી સરકારોની રીતરસમો ગલત હતી તો સામે રૂઢિવાદીઓને એમની પ્રાચીન માન્યતાઓ અને સામંતશાહી છોડવી નહોતી.

રશિયાએ મુખ્ય શહેરો કબજે કરી લીધા હતાં તો મુજાહિદ્દીન નાના નાના ગૃપ બનાવી ગેરીલા યુદ્ધ કરી રહ્યાં હતા. દેશનો ૮૦ ટકા ભાગ સરકારના કંટ્રોલ વગરનો હતો. પાકિસ્તાન બાજુના પ્રાંતોમાં રશિયા અને મુજાહિદ્દીન વચ્ચે ભયાનક વોર ચાલી રહ્યું હતું. રશિયન આર્મી અફઘાન આર્મીને મુજાહિદ્દીન સામે લડવા ઊંટની જેમ વાપરતું હતું. અફઘાન આર્મીને ખાલી પગારના ચેક સાથે વધુ મતલબ રહેતો તે પણ હકીકત હતી. રશિયાની ટાર્ગેટ ગામડાના લોકો પણ રહેતા જેથી તે લોકોનો સપોર્ટ મુજાહિદ્દીનને મળે નહિ. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ભાગો અથવા મોતની ચાદર ઓઢી લો એમ બે જ વિકલ્પ રહેતા. મુજાહિદ્દીનને ઓપરેશન સાયક્લોન હેઠળ અમેરિકા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ કિંગડમ, ઈજીપ્ત, ચાઈના ખુબ મદદ કરી રહ્યા હતા. તો મૂળ અફઘાનિસ્તાનનાં નાં હોય તેવા ફોરીન ફાઈટર પણ આ યુદ્ધમાં જોડાયા તેમાં મુખ્ય હતો આરબ ઓસામા બિન લાદેન, ભવિષ્યમાં તેનું  ગૃપ ‘અલકાયદા’ તરીકે દુનિયામાં તબાહી મચાવવાનું હતું ખાસ તો એના જન્મદાતા અમેરિકામાં ખુદનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને..

220px-Charliewilsonwarposterટોમ હેન્ક અને જુલિયા રોબર્ટનું ‘ચાર્લી વિલ્સન વોર’ નામનું એક મુવી આવેલું તે જોવાથી અફઘાન સિવિલ વોર ઉપર ખુબ જાણવા મળશે. સ્ટીંગર મિસાઇલ જે ખભા ઉપર રાખી છોડી શકાય તે મુજાહિદ્દીનને સપ્લાય કરવા માટે ચાર્લી વિલ્સન નામના અમેરિકન કોંગેસમેનની મહત્વની ભૂમિકા હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. અમેરિકન સરકારે આના માટે ૭૦ મિલયન ડોલર્સ ફાળવેલા પણ ચાર્લી વિલ્સન ભાઈની મહેરબાની અને જોરદાર રજૂઆતને લીધે તે બજેટ ૭૦ મિલયનને બદલે ૭૦૦ મિલયન મંજૂર થઈ ગયેલું. આ મિસાઇલ દ્વારા રશિયાના હેલીકોપ્ટરનો ખુડદો બોલી ગયેલો. રશિયાને અફઘાનિસ્તાનમાંથી ભગાડી મૂકવામાં આ સ્ટીંગર મિસાઈલનો મહત્વનો ફાળો હતો.

અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.
અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.

પ્રમુખ કરમાલ ફેઇલ થયા લાગવાથી રશિયાની મહેરબાની થી ૧૯૮૬મા મોહમ્મદ નજીબુલ્લાહ પ્રમુખ બન્યા. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઇકાનાં પ્રણેતા ગોર્બાચોવ રશિયામાં પ્રમુખ બન્યા અને રશિયાએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવા માંડી. ‘યુદ્ધસ્ય કથા નેવર રમ્યા…’ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯માં રશિયાની છેલ્લી લશ્કરી ટુકડીએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યાં સુધીમાં અત્યંત ખુવારી થઈ ચૂકી હતી. રશિયાના ટોટલ ૬૨૦,૦૦૦ સૈનિકોએ આમાં સેવા આપી હતી. આશરે ૧૪,૦૦૦ સૈનિકોએ જીવ ગુમાવ્યા હશે. બીજા નુકશાનની વાત જ જવા દો. લગભગ ૧૫ લાખ અફઘાન નાગરીકોએ જીવ ગુમાવ્યા હશે. ૭૫ થી ૯૦ હજાર મુજહીદ્દીનોએ જીવ ગુમાવ્યા હશે. અને એટલાં જ ઘાયલ થયા હશે. ૫૦ લાખ અફઘાનો પાકિસ્તાન અને ઈરાનમાં શરણાર્થી તરીકે ઘૂસી ગયા હશે. ૨૦ લાખ અફઘાનો તો આખી દુનિયામાં રેફ્યુજી તરીકે વસેલા છે.

ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ થી ફેબ્રુઆરી ૧૫, ૧૯૮૯, (૯ વરસ, ૧ મહિનો, ૩ અઠવાડિયા અને ૧ દિવસ) રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતું રહ્યું હતું, પણ પછી પોતાનું નુકશાન વધવા લાગતા ભાગ્યું. બંને પક્ષે કોણ સાચું હતું કહેવું મુશ્કેલ છે. પહેલેથી ગરીબ પ્રજા વધુને વધુ ગરીબ બની હતી. જ્યાં પુષ્કળ ગરીબી હોય ત્યાં ધર્મનું જોર વધારે હોય છે, જે છેવટે ધાર્મિક ઝનૂનમાં પરિણમતું હોય છે. પોતાના સર્વાઈવલ માટે આ પ્રજા કશું જુએ નહિ કોઈ નીતિનિયમ પાળે નહિ. નાના નાના બાળકોને હણી નાંખતા પણ વિચારે નહિ. સર્વાઈવલ માટેની આ બેસિક એનિમલ ઇન્સ્ટીન્કટ છે. પહેલાથી જ પશુ જેવી આ પ્રજાને વધુ પશુ બનાવી દેવામાં આવી છે કહેવું મુશ્કેલ છે. રશિયા ભાગી ગયા પછી બીજા દેશોને અફઘાનિસ્તાનમાં કોઈ રસ હતો નહિ. અમેરિકાએ મદદ કરવાનું ક્લિન્ટન સરકારમાં બંધ કરી દીધેલું. આપણે રોજંદા અનુભવમાં જોઈએ છીએ કે કોઈ સગા કે મિત્રને આખી જીંદગી મદદ કરો પણ એક દિવસ મદદ કરવામાં ચૂક થાય તો તે આપણો દુશ્મન બનતા વાર કરે નહિ. બસ એજ માનસિકતાએ આજે મુજાહિદ્દીનો એમને મદદ કરતા મિત્ર દેશોના દુશ્મન બન્યા છે. પાયમાલ થઈ ચુકેલી પ્રજા બીજાને પાયમાલ કરવામાં વધુ રસ ધરાવતી હોય છે. ઉપકાર ઉપર અપકાર કરવો તે આપણા માનવોમાં સહજ હોય છે. જે મુજાહિદ્દીનોને રશિયાના મારમાંથી બચાવવા અમેરિકા અને પાકિસ્તાન પુષ્કળ મદદ કરતા હતા તે મુજાહિદ્દીનો હવે અમેરિકા અને પાકિસ્તાનના દુશ્મન બન્યા છે. એમાં પાકિસ્તાન અને અમેરિકાનો પણ બહુ મોટો વાંક તો હતો જ. કર્યા ભોગવવા પડે તે ન્યાયે નુકશાન તો વેઠવાનું જ હતું. આપણો દંભ એ છે કે રશિયા જોડે લીવ ઇન રિલેશનશીપ હતી એટલે એનો વાંક દેખાતો જ નથી. અમેરિકાના વિસા મળે તો એક મિનીટ દેશમાં ઉભા નાં રહે તેવા દંભીડાઓ સતત અમેરિકાને એક તરફી ભાંડે રાખતા હોય છે. છતાં ફરી લખું કે અમેરિકા આ ગુનામાં ભાગીદાર તો છે જ અને એનાં પરિણામ ભોગવી રહ્યું છે.

‘લડ અથવા લડનાર દે’ એવા આ મુજાહિદ્દીનોને હવે રશિયા સામે લડવાનું રહ્યું નથી અને ત્યાં રશિયામાં લડવા જાય તો ભૂકા બોલાવી નાખે. તોimagesklo લડવું ક્યાં? એટલે એક હુમલો અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી કરી નાખ્યો. અને અમેરિકા પણ વધુ પડતા આત્મવિશ્વાસે માર ખાઈ ગયું. પણ હવે ચેતી ગયું છે ફરી હુમલો કરી શકાય તેવું છે નહિ તો બાકી બચ્યું પાડોશી પાકિસ્તાન.. અને પાકિસ્તાનમાં તો અફઘાનો રેફ્યુજી તરીકે લાખોની સંખ્યામાં છે જ. ભારત તો થોડું દૂર પડે છે બાકી આ તાલીબાનો તરફથી સૌથી વધુ જોખમ અને નુકશાન પાકિસ્તાનને પોતાને જ છે. પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા છે. આ પશુઓને સખત ટ્રેનીગ પણ પાકિસ્તાને જ આપી છે. મેરી બિલ્લી મુજસે મ્યાઉં જેવું થયું છે. પાકિસ્તાન પોલીસ કે આર્મીના માણસો આ તાલીબાનના હાથમાં આવી જાય તો એના પીઠ પાછળ હાથ બાંધી તલવાર વડે બેધડક એનું ડોકું ઉડાવી દેવામાં આવે છે અને તેનો વીડીઓ ઉતારી તેની સીડી પાકિસ્તાનમાં મફતમાં ફરતી કરી દેવામાં આવે છે જેથી પાકિસ્તાન પ્રજા, પોલીસ અને આર્મીના માણસોમાં દહેશત ફેલાઈ જાય. અમારે તો બસ લડવા જોઈએ પછી સામે રશિયા હોય, પાકિસ્તાન હોય, ભારત હોય કે અમેરિકા જ કેમ નાં હોય? તાલીબાનોથી ભારત કરતા બહુ મોટું જોખમ હાલ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને હવે એમની સામે જંગ માંડ્યો છે જે એક સમયે મિત્રો હતા. અને એના બદલા રૂપે પેશાવરમાં આર્મી સ્કૂલ ઉપર આત્મઘાતી હુમલો કરી ૧૩૨ બાળકોની કરપીણ હત્યા કરવામાં આવી.

આપણે બહુ દંભી માનવજાત છીએ ભલે પાકિસ્તાની હોઈએ કે ભારતીય. મુંબઈમાં ટૅરર ઍટેક કરાવતા પાકિસ્તાન જરાય શરમાતું નથી. અને તેનાં માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં જલસા કરે. પોતાના નીચે રેલો આવે ત્યારે દુઃખ લાગતું હોય છે. સઈદ હાફિજ જેવા દહેશતગીરો એને વહાલા લાગે છે અને તાલીબાની દહેશતગીરોને ફાંસીએ ચડાવવાનું શરુ કરી દીધું છે. આપણો દંભ જુઓ બોડો ઉગ્રવાદીઓએ ૭૮ લોકોને મારી નાખ્યા સાથે. એક પાંચ મહિનાની ફૂલ જેવી બાળકીના મોઢામાં બન્દુકનું નાળચું ખોસી ગોળી ધરબી દીધી ત્યારે આપણી આંખમાંથી આંસુનું એક ટીપું પડતું નથી અને પેશાવર દુર્ઘટના સમયે બજારમાં મીણબત્તીઓ ખૂટી પડે એટલી દંભી સહાનૂભુતિ દર્શાવી દીધી.

પેશાવરની દુઃખદ ઘટનાના ન્યૂઝ જોતો હતો. પોતાના બાળકોના મૃત્યુ પર અને તે પણ આવા હિંસક કારનામે કોણ દુઃખી નાં હોય? ત્યારે એક ભાઈલો બહુ દુઃખી હ્રદયે ભારે આક્રોશ સહ બોલતો હતો એમાં બે વાક્યો એવા આવ્યા કે મને આંચકો લાગી ગયો. એ કહેતો હતો, ” હમારે બચ્ચે ક્યું? અમરિકા પર હુમલા કરો, કાફીરો કો મારો.” મતલબ શું થાય? કે અમેરિકન બાળકો માર્યા હોત તો વાંધો નહોતો. શું અમેરિકન બાળકો આપણા બાળકો કરતા જુદા છે? શું અમેરિકન માબાપને એમના બાળકો મરે તો દુખ નહિ થાય? શું એક બાળક તરીકે આખી દુનિયાના બાળકો અને એક માબાપ તરીકે આખી દુનિયાના માબાપ સરખાં નથી હોતા?  મારા બાળક મરે તો દુખ અને બીજાનું બાળક મરે તો વાંધો નહિ? મૂળ સવાલ આપણી માનસિકતાનો છે. આપણી નીચે રેલો આવે ત્યારે દુખ થતું હોય છે અને બીજા નીચે જતો હોય ત્યારે ખુશી અનુભવીએ તે માનસિકતા હું કે તમે બધા માટે ખોટી છે. આ સોચ જ ગલત છે. આવી સોચ વિરુદ્ધ તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે. સારા સાચા મુસલમાનોની ચુપ્પી આવા ભયાનક કામોમાં આડકતરી રીતે સંમતિ ગણાય એમાં જ આ જંગલી હિંસક લોકો વકરી ગયા અને ૧૩૨ ફૂલ જેવા બાળકોએ જીવ ગુમાવ્યા.. અને હજુ આ સોચ નહિ બદલાય તો આનાથી વધુ ખરાબ દિવસો સહુએ જેવા પડશે. આજે મુંબઈ તો કાલે કરાચી, આજે પેશાવરની સ્કૂલ તો કાલે દિલ્હીની… યુદ્ધસ્ય કથા કદાપિ ન રમ્યા..untitled';

ગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

imagespoગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતનું અભિયાન શરુ કર્યું એનો એક મતલબ એ થાય કે ભારત અસ્વચ્છ છે તેવું એમણે કબૂલ કર્યું. આપણે અસ્વચ્છ છીએ તેવો સ્વીકાર સ્વચ્છતા તરફનું પહેલું કદમ છે, જે મોદીએ ભર્યું છે સાથે સાથે અમેરિકા પ્રવાસ દરમ્યાન એની જાહેરાત પણ કરી દીધી ગર્વથી. સારું છે ધોળીયાઓને હિન્દી બહુ આવડે નહિ..

મેં લખ્યું કે સ્વચ્છતાને સ્વભાવ નહિ બનાવીએ ત્યાં સુધી કોઈ અભિયાન સફળ નહિ થાય. એમાં ઘણા મિત્રો નારાજ પણ થઈ ગયેલા, પણ જય વસાવડા જેવા મિત્રએ એની વાસ્તવિકતા સમજી એનો ઉલ્લેખ એમની કોલમમાં મારા નામ જોગ કરી દીધો હતો. મૂળ વાત છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં નથી. બાકી આવા અભિયાન ચલાવવાં પડે ખરાં? ચાલો આના મૂળમાં મુસાફરી કરીએ.

એક દાખલો આપું એનાથી ખ્યાલ આવશે. મોદીના હાર્ડકોર સપોર્ટર એવા એક મિત્ર સ્વાભાવિક હોય કે મોદીના આ સફાઈ અભિયાનને જબરદસ્ત ટેકો આપતા જ હોય. હવે એમણે એક વીડીઓ ક્લિપ મૂકી હતી, વીડીઓ ક્લિપમાં એક યુવાન અમેરિકામાં કોઈ દુકાનમાં મોપ એટલે કે પોતું મારતો હતો. અહીં લાકડાના મોટા દંડે પોતું લગાવેલું હોય છે જેથી ઊભા ઊભા મારી શકાય. હવે આ ભાઈલો વીડીઓ ક્લિપિંગમાં બોલતો હતો કે જુઓ અહિ તો આવા કામ કરવાં પડે છે, અમેરિકામાં કોઈ લહેર નથી. બીજું આ ક્લિપ શેઅર કરનાર મિત્રે ઉપર લખેલું કે એન.આર.આઈ મિત્રોને મરચાં લાગશે.. મૂળ આ ક્લિપ મૂકવાનો એમનો હેતુ એ હતો કે અમેરિકામાં ભારતીયો આવા હલકા સાફ સફાઈ કરવાનાં અને દેશી ભાષામાં કહું તો કચરોપોતા કરવાના કામ કરે છે. એમાં તે મિત્રનો જરાય દોષ નથી કે લગભગ દેશમાં રહેતા બધા ભારતીયો એમના વિદેશમાં રહેતા ભાઈઓ માટે આવું જ વિચારે છે. એક બીજા મિત્ર હમણાં ભારતથી અમેરિકા આવેલા તેમની સાથે વાતચીત દરમ્યાન લાગ્યું કે આ મિત્ર પણ આવી જ માનસિકતા લઈને આવેલા કે અહિ આપણા ગુજરાતીઓ કચરાપોતા જ કરતા હશે બીજું કોઈ કામ કરતા જ નહિ હોય. મને એમનો પણ કોઈ દેખીતો વાંક લાગતો નથી.

હવે મારી વાત ધ્યાનથી સમજો. કચરાપોતા કરવા સાફસફાઈ કરવી એ હલકું કામ કહેવાય તેવી આપણી માનસિકતા ઉપરના બંને દાખલામાં કામ કરે છે, અને આવું હલકું કામ કરનારની કોઈ ઇજ્જત આપણા સમાજમાં છે નહિ. અકસ્માત એ છે કે ઉપર મેં ઉલ્લેખ કર્યો તે વીડીઓ ક્લિપ ઉપર ઉલ્લેખ કરેલા આ બંને મિત્રોએ વારાફરતી શેઅર કરેલી. હવે આ વીડીઓ ક્લિપિંગમાં જે ભારતીય છોકરો આવા હલકા કામ કરવા પડે છે તેવું બોલતો હતો તે પણ આવી જ માનસિકતા ભારતથી સાથે લઈને આવેલો છે કે સાફસફાઈ કરવી આપણું કામ નહિ, હલકું કામ કહેવાય અને અહિ અમેરિકામાં કરવું પડે છે તે કમનસીબી છે.

હવે તમે મિત્રો વિચારો કે સાફ સફાઈ કરવી હલકું કામ હોય તો કોણ કરે? એનાથી સમાજમાં કોઈ ઇજ્જત રહે નહિ તો કોણ કરે? દેશ કેમ અતિશય ગંદો છે તે હવે સમજાય છે? ગંદકી કરવી કોઈ હલકું કામ નથી પણ ગંદકી દૂર કરવી હલકું કામ ગણાતું હોય ત્યાં દેશ કઈ રીતે સ્વચ્છ રહે? અને એમાં પણ જો આવી માનસિકતા આશરે ૫૦૦૦ વર્ષ થી સંસ્કૃતિ સમજીને પાળી રાખી હોય તો દેશ કઈ રીતે સ્વચ્છ બનવાનો?untitledlk

એટલે મેં એક ઝાડુ પકડેલા બાળકનો ફોટો મૂકીને લખેલું કે ‘સ્વચ્છતાને સ્વભાવ નહીં બનાવીએ તો કોઈ સ્વચ્છતા અભિયાન કામ નહિ લાગે’. આ સ્વભાવ બનાવવાનું હાર્ડ વાયરિંગ બચપણથી જ બ્રેઈનમાં કરવું પડે માટે બાળકનો ફોટો પસંદ કરેલો.

મિત્ર પૃથ્વીરાજસિંહ રાણાએ સરસ લખેલું કે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે સાફ સફાઈ કરવાનું કામ શૂદ્રોનું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય દ્વારા જે કચરો ઉત્પન્ન થાય તે ઉઠાવવાનું કામ ફક્ત શૂદ્રોનું છે. એમના શબ્દોમાં જ જોઈએ તો ‘મોદી સાહેબે લોકો ને સ્વચ્છતા વિષે દોડતા કરી દીધા એ સારી બાબત છે પણ લોકશાહીમાં સ્વચ્છતા એ સ્વયંભુ હોવું જોઈ, કચરો સાફ કરવા કરતા કચરો ના કરવો જોઈ કે જ્યાં નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ કરવો જોઈ એવો પ્રયાસ પણ વર્ષોથી સામાજિક ક્ષેત્રે અનેક લોકો કરે જ છે પણ નિષ્ફળતા મળે છે એનું કારણ એક જ છે કે વર્ણ વ્યવસ્થા આધારિત પદ્ધતિના કારણે કચરો કે ગંદકી સાફ કરવાનું કામ તો શૂદ્રોનું છે આપડે થોડો કચરો સાફ કરીએ? એવો જબરજસ્ત પરાણે ઊંડે સુધી ઘૂસી ગયેલો વિચાર છે ગાંધીએ પણ બહુ સારી રીતે સ્વચ્છતા અભિયાન હાથમાં લીધું હતું અને એને જોર શોરથી ટેકો પણ મળેલો પણ જે લોકો ગાંધી રાજકારણથી અમીર થયા એ બધા પણ જાતિગત કરતા મજદૂરી કે નોકરી કરતા લોકો પાસે જ ગંદકી સાફ કરાવા લાગ્યા. આજે પણ જનમાનસમાં એવી જ વિચારધારા છે કે આપડે અમીર છીએ તો સ્વચ્છતાના ચાહક હોવા જોઈ પણ આપણી કરેલી ગંદકી આપણે પૈસાથી રાખેલો નોકર જ સાફ કરે, નીતાબેન અંબાણી કે સચિન ભાઈ એના ઘરે સ્વચ્છતા રાખવા નોકરોની ફોજ રાખે છે. આમ જનમાનસને લોકશાહીમાં સ્વચ્છતાની અપીલ કરી શકાય પણ એજ પ્રમાણે લોકો કરશે એવું માનવું ભૂલ ભરેલું છે.’

images8U0XKYJDત્રણ ત્રણ વર્ણ કચરો કરે અને એક જ વર્ણ એને ઉઠાવે તો ક્યાંથી પાર આવે? અને ઉઠાવનાર ઉઠાવે પણ ખરા કે યોગ્ય જગ્યાએ નાખેલો હોય તો ને? હવે ત્રણ વર્ણ ગંદકી કરી ને પણ સ્વચ્છ રહે અને એક જ વર્ણ આખો દિવસ ગંદકી ઊઠાવી ઊઠાવીને સ્વાભાવિક અસ્વચ્છ રહે જેથી તેને અડાય ખરું? કરુણતા એ છે કે અસ્પૃશ્યતા પાછળ ખયાલ તો પાછો સ્વચ્છતાનો જ છે. વળી ગંદકી ઊઠાવવું પાછું હલકું નીચ કામ કહેવાય એટલે એવાં કામ કરનારને પણ અડાય નહિ. સ્વચ્છતા અભિયાનને ટેકો આપનારની માનસિકતા પણ કચરો સાફ કરવો હલકું કામ ગણાય તેવી જ હોય ત્યાં આ અભિયાન કેટલું સફળ થવાનું?

હવે ફરી પેલાં વીડીઓ ક્લિપિંગ વિષે કહું અહીંની સિસ્ટમ પ્રમાણે તો, એમાં પેલો યુવાન દુકાનમાં પોતું મારે છે તે આખો દિવસ કાયમ પોતું નહિ મારતો હોય. એની જૉબ નાનો સ્ટોર હશે તો રજિસ્ટર ઉપર પણ હોઈ શકે. રજિસ્ટર એટલે આપણે ગલ્લો-કૅશિયર કહીએ છીએ તે. નાના સ્ટોર એકલો માણસ સંભાળતો હોય છે અને સવારે કે સાંજે અથવા બંને ટાઈમ સ્ટોરમાં ફટાફટ ઝાડુ મારી પોતું પણ જાતે જ મારી દેતા હોય છે. બહુ મોટા જાયન્ટ વોલમાર્ટ જેવા સ્ટોર હોય તો સફાઈ કરનાર અલગ માણસ પણ હોઈ શકે છે. થોડો મોટો સ્ટોર હોય તો એક કૅશિયર રજિસ્ટર સંભાળે તે દરમ્યાન બીજો કૅશિયર સફાઈ કરી નાખે તેવું પણ થતું હોય છે. અમુક પ્રાઇવેટ ઓફિસોમાં સાંજ પડે સફાઈ કંપનીનાં માણસો એમના આધુનિક સાધનો સાથે આવે અને ફટાફટ બધું સાફ કરી રવાના થઈ જાય. આવી સફાઈ કંપની ઘરમેળે ચાલતી હોય મતલબ પતિપત્ની કે એમના ભાઈબહેન બધા ભેગાં મળીને કામ કરતા હોય. વળી આવી જૉબ સાંજની હોય દિવસે પાછાં બીજું કામ કરતા હોય. મૂળ સાફસફાઈ કરવું અમેરિકામાં કોઈ હલકું કામ ગણતું જ નથી.untitledpo

હું કૅશિયર એટલે મારાથી પોતું નાં મરાય એવું અહીં કોઈ માનતું નથી. હું માલિક એટલે મારાથી કચરો સાફ નાં કરાય તેવું પણ અહીં નથી. હું મૅનેજર કે સુપરવાઇઝર એટલે મારાથી ઝાડુ નાં મરાય તેવું પણ અહિ હોતું નથી. આપણે ત્યાં ઘરમાં કચરા પોતા કોણ કરે છે? એંઠાં વાસણો કોણ સાફ કરે? લગભગ ઘરની સ્ત્રીઓ જ આવું કામ કરતી હોય છે. સરેરાશ પુરુષો ભાગ્યે જ આવું કામ કરતા હશે. ઘરમાં દીકરી કે વહુ હોય તે ઝાડુ મારે પોતું મારે રાજકુમાર ભલે નવરાં બેઠાં હોય ટીવી જોતા હોય કે ગપાટા મારતા હોય એમનાથી આવું કામ થાય નહિ. એટલે આવી માનસિકતા લઈને પધારેલા રાજકુમારોને અહિ આવી સ્ટોરમાં કચરો સાફ કરવો પડે એટલે એવું થાય કે હું કૅશિયર અને કચરો પણ વાળું? હવે અહીંની સિસ્ટમ પ્રમાણે મને કમને કરવું પડે એટલે એવું કહે કે અહીં તો આવા નીચા કામ કરવાં પડે છે કોઈ લીલાલહેર નથી. અને એવી જ માનસિકતા ધરાવતા આપણા દેશમાં રહેતા ભાઈઓ પણ આવું જોઈ ખુશ થાય કે લેતા જાઓ કેવાં કામ કરવા પડે છે?

આ લેખના વિષય વસ્તુ બહારની વાત કરું કે ગુજરાતીઓ ભલે શરૂમાં ગમે તે કામ કરી લે પણ છેવટે માલિક બનીને જીવવા ટેવાયેલા છે. ન્યુ જર્સીના સરેરાશ ૮૦-૯૦ ટકા નાના નાના કન્વિનીયંશ સ્ટોરોનાં માલિક ગુજરાતીઓ છે, અને એટલાં જ લિકર સ્ટોરોનાં અને ગેસ(પેટ્રોલ) સ્ટેશનોનાં માલિક પણ ગુજરાતીઓ છે, અને મોટેલ એટલે પટેલ તો બહુ કૉમન છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની બહુમતી હોય ત્યાં ત્યાં આવી જ સ્થિતિ હોય છે. હશે ક્યાંક કશું જ આવડે નહિ તો સાફસફાઈનું કામ કરતા હશે પણ સાફસફાઈના કામમાં એવરેજ દક્ષિણ અમેરિકન સ્પેનીશ પ્રજા વધુ જોડાયેલી હોય તેવું મેં જોયું છે. મૂળ વાત છે અહીં સાફસફાઈના કામને હલકું કોઈ ગણતું નથી.

ગંગા સફાઈ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે. હવે ગંગાની સફાઈ કરવાને બદલે ખાલી એમાં ગંદકી ઠાલવવાનું કે એને ગંદી કરવાનું ખાલી સરકાર રોકી શકે તો આ વહેતી ગંગા તો ઓટોમેટીક ચોખ્ખી થઈ જશે. કારણ ગંગા ગંદી રહેવા થોડી ટેવાયેલી હોય? ગંગા તો પવિત્ર રહેવા સર્જાયેલી છે અને એટલે તો સદાય વહેતી રહે છે જેથી એની અંદર કોઈ ગંદકી ટકે નહિ વહી જાય. પણ આપણે ગંગામાં ગંદકી ઠાલવે જ રાખીએ છીએ અને બીજી બાજુ એને સ્વચ્છ કરવા પ્રોજેક્ટ બનાવતા રહીએ છીએ. ગંદકી હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે? સંસ્કૃતિની નદી પણ સદાય વહેતી રહે તો સંસ્કૃતિ સુગંધ મારે બાકી બંધિયાર પાણીના ખાબોચિયાંની જેમ સંસ્કૃતિ પણ ગંધાઈ ઊઠતી હોય છે. ગંગાને ગંદી બનાવતા શરમ આવતી નથી આપણને, પણ કોઈ ગંગાને ગંદી કહે તો આપણને બહુ ખોટું લાગી જાય છે.

imagesG5PN6ZIQઆપણને એવું લાગતું હશે કે પશ્ચિમના દેશો સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરતા હશે. કારણ આપણે સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરવી પડે છે છતાં સ્વચ્છતા જળવાતી નથી. પશ્ચિમના દેશોને સ્વચ્છતા જાળવવા કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી કારણ સ્વચ્છતા જાળવવી અહીં લોકોએ સ્વભાવ બનાવી દીધો છે. દરેક દુકાનમાં, ઑફિસમાં, મોલમાં મોટા મોટા ગાર્બેજ કેન મૂકેલા હોય છે. દરેકના ઘેર એક રિસાયકલ વસ્તુઓનું અને બીજું કૉમન એમ બે મોટા ગાર્બેજ કેન મૂકેલા જ હોય છે. જાહેર સ્થળોએ મોટા મોટા ડમ્પર મૂકેલા હોય છે. આ બધું એકવાર મૂકવું પડે. દરેક દુકાન અને ઓફીસના કર્મચારી પ્લાસ્ટિકની બેગોમાં એકઠું થયેલું ગાર્બેજ પેલાં મોટા ડમ્પરમાં સાંજે ઠાલવીને જ જાય. જે નિયમિતપણે ગાર્બેજ કંપની કે વેસ્ટ કંપની ઉઠાવી જાય. ઘર આગળ અઠવાડીએ બે વાર કૉમન કચરો ઉઠાવી લેવા મોટી ટ્રક આવે અને રિસાયકલ લેવા પંદર દિવસે આવે. આ નક્કી દિવસની આગલી રાતે બધા પોતપોતાના ગાર્બેજ કેન ઘર આગળ રસ્તા નજીક લાવીને મૂકી દે, વેસ્ટ કંપનીની ટ્રકો વહેલી સવારે જાગીએ તે પહેલા તો આવીને કચરો ઠાલવી ને લઈ જાય. આપણી સ્વચ્છતા આપણે જ જાળવવાની એટલે સરકારને બહુ કામ રહે નહિ, એણે ફક્ત વ્યવસ્થિત નાખેલો કચરો ઉઠાવવાનું કામ કરવું પડે. આ કોઈ અઘરું કામ નથી. જ્યાં ને ત્યાં કચરો નહિ નાખવો એટલી ટેવ પાડીએ તો પણ બહુ મોટું કામ થઈ જાય. બાકી સરકારી તંત્ર કરી કરી ને કેટલું કરે?

મેં તો વડોદરામાં રહેતા જાતે જોયું છે કે મહાનગરપાલિકાની સફાઈ કામદાર એવી સવિતા અને એની વહુ પોળમાં આવતા, બે હાથમાં બે ઝાડુ લઈ untitledlkpઆખી પોળ વાળે. એની કચરા ગાડીમાં અમે આખા દિવસનો ઘરમાં ભેગો કરેલો કચરો નાખી આવતા. બિચારી કમરના મણકા વહેલા નાશ પામી જાય તે રીતે વાંકી વળીને કચરો વાળી આગળ જાય એટલામાં કોઈ ઘરમાંથી આવીને કોઈ બહેન રાતની વધેલી વાસી ખીચડી રોડ ઉપર જ ઠાલવી જાય, તો વળી કોઈના ઘરના ત્રીજા માળેથી પ્લાસ્ટિક બેગમાં ભરેલો એઠવાડો ધબાક કરતો રોડ પર ફેંકવામાં આવે, જે કોથળી ફાટી જતા આખા વાળેલા રોડ પર ફેલાઈ જાય. સવિતા ગુસ્સે થાય, ‘ અલી બોન જરા તો શરમ રાખ? હાલ વાળ્યું છે અને તે એઠવાડો નાખ્યો?’ પણ આ તો રોજનું રહ્યું એટલે સવિતા બબડતી બબડતી આગળ વધી જાય. હું મારી બારીમાં બેઠો બેઠો છાપું વાંચતો વાંચતો વર્ષો સુધી આ બધું જોતો હતો. પોળ ચોક્ખી રાખવા કરવાનું શું હતું? ફક્ત સવિતા એની કચરા ગાડી લઈને આવે ત્યારે આખા દિવસનો ભેગો કરેલો કચરો એમાં નાખી દેવાનો હતો. જે અમે બેચાર ઘરવાળા જ કરતા હતા. બાકી પોળ તો રોજ સવારે તે ચોખ્ખી ચણાક કરી જતી જ હતી. પણ ઘરમાં એકઠો કરવાને બદલે અને સવિતા આવે ત્યારે એની કચરાગાડીમાં નાખવાને બદલે તે જાય પછી આખો દિવસ પોળમાં રસ્તા પર ઠાલવી દેવામાં આવે તો પોળ ક્યાંથી સાફ રહે?

ઘર, પોળ, ગામ, શહેર કે દેશ સ્વચ્છ રાખવા કોઈ બહુ મહેનતની જરૂર જ નથી. જરૂર છે ફક્ત થોડી ટેવો બદલવાની અને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની. સફાઈ કરવી કોઈ હલકું કામ છે તેવી માનસિકતા બદલવાની. સફાઈ કરવી નીચ કામ છે તેવી માનસિકતા જ્યાં સુધી નહિ બદલીએ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કોઈ અભિયાન દેશને સ્વચ્છ નહિ કરી શકે અને જો આવી માનસિકતા બદલી નાખીશું તો દુનિયાની કોઈ તાકાત દેશને સ્વચ્છ બનતો નહિ રોકી શકે.    15803_10203605971362549_3161244342268610956_n

આદતે શ્રદ્ધાંજલિ

42637802
હમીરજી ગોહિલ

આદતે શ્રદ્ધાંજલિ

સન ૧૦૨૪માં સોમનાથ મંદિર ઉપર જબરદસ્ત ટૅરર ઍટેક થયેલો. ટૅરરિસ્ટ બહુ મોટું લશ્કર લઈને આવી રહ્યો છે તેવી જાણ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા થઈ ગઈ હોવાથી તે સમયના રાજકર્તા હતાશ થઈ કોઈ પગલા લેવા અસમર્થ હતા તો ક્યાંક ચુપ થઈને બેસી ગયેલા. આજે ૨૦૧૪માં પણ કોઈ ફરક પડ્યો નથી. ૯૯૦ વર્ષ વીતી ચૂક્યા છે સોમનાથ પર ટૅરર ઍટેક થયે પણ હજુ એની એજ પરિસ્થિતિ છે. આજે પણ રાજકર્તાઓ એટલાં જ મજબૂર છે કે પછી ટૅરર ઍટેકમાં જે જીવ જાય છે તેનું કોઈ મહત્વ નાં હોય, ભાજીપાલો સમજતા હોય.

હવે બહુ મોટું જબરદસ્ત લશ્કર લઈને થરનાં રણમાં પસાર થઈને દુનિયાનો એક સમયનો ગ્રેટ ટૅરરિસ્ટ આવી રહ્યો છે તે જાણી એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં કાઠિયાવાડના વડા હમીરજી ગોહિલે એમના ચુનંદા અફસરો ભેગા કરવા માંડ્યા. એ વખતે આજની જેમ ૬ કરોડ ગુજરાતીઓ તો નહિ હોય પણ ૫૦-૬૦ લાખ તો હશે તેવું ધારી લઈએ. ધારવામાં આપણા બાપનું શું જાય છે? ખેર પ્રજાએ તો સદીઓથી નિષ્ક્રિય રહેવાનું ઠાણી લીધેલું જ હતું. લાઇફ સ્ટાઇલ જ એવી અપનાવેલી હતી એટલે શું થાય? જેના ભાગમાં મરવાનું હોય એ મરે આપણે શું? ખેર, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં વડા હમીરજી ગોહિલને ખબર હતી કે આ આત્મહત્યા જ છે પણ એ બહાદુર, પ્રજા આશરે ૯૮૦-૯૯૦ વર્ષ લગી એમના માટે શ્રદ્ધાંજલિનો ‘શ’ પણ બોલવાની નહોતી છતાં એમના ચુનંદા અફસરોને લઈને રીતસર આત્મહત્યા કરવા મુંબઈના એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડના પોલીસ ચીફ હેમંત કરકરેની જેમ ધસી ગયા. હમીરજી એમના ચુનંદા ૩૦૦-૪૦૦ અફસરો સાથે વીરગતિ પામ્યા જેવી રીતે અદ્દલ ૯૮૪ વર્ષ પછી હેમંત કરકરે એમના સાથીઓ, વિજય સાલસ્કર, અશોક કામટે, તુકારામ ઓમ્બ્લે જેવા બીજા અનેક સહિત વીરગતિ પામવાના જ હતા.

૧૯૫૧માં આઝાદી પછી સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિર બનાવ્યું, તે પહેલા તે અનેક વાર જુદાજુદા મુસ્લિમ શાસકો દ્વારા તૂટી ચૂક્યું હતું અને વારંવાર બંધાઈ ચૂક્યું હતું. ૨૦૦૪માં હું સોમનાથ ફરવા ગયેલો ત્યાર સુધી હમીરજીનું કોઈ સ્ટેચ્યુ ત્યાં હતું નહિ. હવે થોડા વર્ષોથી એમનું અપ્રતિમ બલિદાન યાદ કરીને એમની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતમાં ટૅરરિઝમ બહુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. એટલે ટૅરર ઍટેક ગમે તેટલા થાય પ્રજા અને શાસનકર્તાઓ એટલાં બધા ટેવાઈ ગયા છે કે એમના માટે મરનારા મરે આપણે બહુ જીવ બાળવાની જરૂર નહિ. જેમ અકસ્માતમાં કોઈ મરે તો જેના અંગત હોય એને લાગે બીજાને શું? એવું જ ટૅરર એટેકમાં મરે તો એના અંગત સગા હોય તે આંસુ વહાવી લે બીજા ને શું? બહુ બહુ તો શ્રદ્ધાંજલિ આપી દેવાની, તે પણ ઘણા તો હસતા હસતા આપતા હોય છે.

“શ્રદ્ધાંજલિઓ આપવાનું આદત બની ચૂક્યું છે.”

શ્રદ્ધાંજલિ આપી દીધી આપણી ફરજ પૂરી થઈ ગઈ, રાષ્ટ્રપ્રેમી છીએ તેવું બતાવવાનો એક વધુ મોકો મળી ગયો, વાર્તા પૂરી. રાષ્ટ્ર માટે શહીદ થવું શહીદ માટે ગૌરવની વાત છે પણ જે તે રાષ્ટ્ર માટે એના કોઈ નાગરિકને વારંવાર શહીદ થવું પડે તે સમગ્ર રાષ્ટ્ર માટે શરમની વાત છે. આ વાત જે રાષ્ટ્રના શાસકો અને નાગરિકો સમજે છે ત્યાં ફરી ટૅરર ઍટેક થવા કે કરવા મુશ્કેલ છે. ખાલી મુંબઈનો ઇતિહાસ જોઈએ.images

  • ૧૨ માર્ચ ૧૯૯૩ – ૧૩ બૉમ્બ, મર્યા ૨૫૭
  • ૬ ડિસેમ્બર ૨૦૦૨ – બસ બૉમ્બ, ઘાટકોપર, મર્યા ૨.
  • ૨૭ જાન્યુઆરી ૨૦૦૩ – સાઈકલ બૉમ્બ, વિલેપાર્લે, મર્યો ૧.
  • ૧૪ માર્ચ ૨૦૦૩ – ટ્રેન બૉમ્બ મુલુંડ, મર્યા ૧૦.
  • ૨૮ જુલાઈ ૨૦૦૩- બસ બૉમ્બ ઘાટકોપર, મર્યા ૪.
  • ૨૫ ઓગસ્ટ ૨૦૦૩ – બે બૉમ્બ ગેટ વે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બઝાર, મર્યા ૫૦.
  • ૧૧ જુલાઈ ૨૦૦૬ – સાત ટ્રેન બૉમ્બ મર્યા ૨૦૯.
  • ૨૬ નવેમ્બર ૨૦૦૮ થી ૨૯ નવેમ્બર ૨૦૦૮- સિરીઅલ ઍટેક મર્યા ૧૭૨.
  • ૧૩ જુલાઈ ૨૦૧૧- ત્રણ સ્થળે બૉમ્બ ધડાકા, મર્યા ૨૬.

આ તો ખાલી મુંબઈના આંકડા છે. દેશમાં બીજે થયેલા તેના આંકડા તો અલગ છે. આઝાદી પહેલાના જુના ઐતિહાસિક ટૅરર એટેકની વાત જવા દો. આઝાદી પછી પણ અસંખ્ય ઍટેક વારંવાર થયા છે. ટૅરર ઍટેક દેશની અંદરના દુશ્મનો સાથે મળીને બહારના દુશ્મનો કરતા હોય છે. ૨૬/૧૧ ઍટેક વધુ એટલાં માટે ગાજે છે કે કદાચ પહેલીવાર પાકિસ્તાનમાંથી બોટ દ્વારા મુંબઈના દરિયા કિનારે ઊતરીને ઍટેક કરવામાં આવ્યો. આટઆટલાં ઍટેક થયા પછી પણ જો બહારથી આવી ને હરામખોરો ઍટેક કરી જાય તો સરકારી તંત્રની તદ્દન નિષ્ફળતા કહેવાય અને જે શહીદ થયા છે તેમને આપણે તો શહીદ કહીને બિરદાવશું પણ આપણી સરકાર દ્વારા તેમના મર્ડર થયા છે તેવું કહેવું વધુ યોગ્ય લાગશે.

કહેવાય છે કે કોઈ મોટું કાવતરું રચાઈ રહ્યું છે અને તે પણ ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર ઍટેક થશે તેવી માહિતી CIA દ્વારા ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી ‘રો’ ને આપવામાં આવે છે. હવે આ માહિતી ‘રો’ મુંબઈ પોલીસને આપે છે, જવાબદારી પૂરી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ ‘પ્રધાન ઇન્ક્વાયરી કમિશન’ એના રીપોર્ટમાં કહે છે કે war-like ઍટેક ખાળવો કોઈ પોલીસ ફોર્સની કેપેસીટી બહારની વાત છે. અને મુંબઈ પોલીસ કમિશનર હસન ગફુર આવી કપરી પરિસ્થિતિમાં નેતૃત્વ પૂરું પાળવામાં અસફળ રહેલા. હવે યુદ્ધ જેવા ઍટેક સમયે મુંબઈ પોલીસ ઉપર કેટલો આધાર રાખી શકાય? શું ભારત સરકારને સમજ નહોતી કે ‘રો’ ને મળેલી માહિતીનું સાચું મૂલ્યાંકન કરે? મુંબઈ પોલીસને માહિતી ટ્રાન્સ્ફર કરીને ફરજ પૂરી? વિચારેલું કે મુંબઈ પોલીસ ઍટેક ખાળી શકશે કે નહિ? આ કોઈ પહેલો ઍટેક તો હતો નહિ. ૧૯૯૩ થી માંડીને ૨૦૧૧ સુધીમાં નવ વખત બૉમ્બ ધડાકા એકલાં મુંબઈમાં થઈ ચૂક્યા છે. દેશના બાકીના ભાગોની વાત જુદી જ છે. એમાં નક્સલવાદીઓ, માઓવાદીઓ, ઉલ્ફા ને બોડો જેવા અનેક આંતરિક સંગઠનો ત્રાસ ફેલાવે આવા ધડાકાઓ કરીને તે વાત વળી પાછી જુદી છે. દર વખતે સામાન્ય જનતા મરતી હોય છે અને પોલીસ-આર્મીના માણસો શહીદ થતા હોય છે. આજ સુધીમાં એટલાં બધા જવાન શહીદ થયા હશે કે શહીદ શબ્દનું કોઈ વજૂદ જ રહ્યું નથી. શહીદ બનવાનું જોબ બની ગયું છે. શું નવાઈ કરી? આ તો તમારી જોબ છે.

untitledp0૧૯૯૩માં જુદી જુદી જગ્યાએ બૉમ્બ ધકાડા થયેલા તેમાં ૨૫૭ લોકો માર્યા ગયેલા. હવે જે માર્યા જાય છે તે હંમેશા નિર્દોષ જ હોય છે. તે વખતે આખા કાવતરાની તપાસ રાકેશ મારિઆ સાહેબે કરી હતી. નવાઈની વાત એ હતી કે કેટલાક કસ્ટમ ઓફિસર જાણતા હતા કે આ વખતે જે લેન્ડીગ થવાનું છે તે કોઈ સામાન્ય નથી એમાં હથિયાર હશે અને બીજું કોઈ સ્ફોટક ભયાનક પણ હશે. છતાં ફક્ત પૈસા ખાતર લાંચ લઈને બધું થવા દીધેલું, એમાં પોલીસના માણસો પણ સંડોવાયેલા જ હતા. ૨૬/૧૧ ઍટેક વખતે પણ તપાસનીસ અધિકારી રાકેશ મારિઆ જ હતા. દેશના અંદરના લોકોની મદદ વગર આટલું મોટું કાવતરું સફળ થાય જ નહિ. એક કસાબને ફાંસીએ ચડાવતા પણ કેટલા વર્ષો કાઢી નાંખ્યાં? હદ તો એ થાય છે કે ક્ષણમાં સેકડો નિર્દોષ લોકોને વીંધી નાખનાર કસાબને ફાંસી નાં આપશો તેવી મતલબની અરજી પણ ભારતમાં જ અને કેટલાક મહાન ભારતીયોની સહી સાથે થાય છે. આ સહીઓ કરનારનો એક સગો ફક્ત એક સગો કસાબની ગોળીએ વીંધાયો હોય તો?

ગઝની આવે ઘોરી આવે ખીલજી હોય કે મુઘલ દેશના ક્ષત્રિયોએ હંમેશા બલિદાન આપ્યા છે, હવે આર્મી અને પોલીસના જવાનો આપે છે. બલિદાન કે શહીદ શબ્દ સાંભળીને પ્રજાના દિલમાં કોઈ સંવેદના જાગે છે ખરી? કે પછી હોંશે હોંશે શ્રદ્ધાંજલિ સમારંભો માણવાની તાલાવેલી જાગે છે? ૯/૧૧ પછી અમેરિકા ઉપર આવો ઍટેક હજુ સુધી શક્ય બન્યો નથી. એવું નથી કે પ્રયત્ન નથી થયા, પણ કાવતરા પકડાઈ જાય છે. આપણો પ્રાચીન અને લાંબો શહાદતોનો ઇતિહાસ જોઈ વિચાર આવે છે ખરો કે કેમ આવું?

“સૈનિકને દુશ્મન સામે લડવામાં લેશમાત્ર ડર નથી, તે જ સૈનિક હું શહીદ થઈશ તો મારા પરિવારને સરકાર ટલ્લે ચડાવશે તે વિચાર માત્રથી ધ્રૂજી જાય છે !” આ શબ્દો છે કમાન્ડોની સફળ ટ્રેનિંગ લઈ ચૂકેલા ઇન્ડિયન આર્મીના એક જુવાનના.  ટેરર-૧

કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાં

કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાંimages3AFR92SB

નંદ સામ્રાજયનાં ધનનંદ વખતથી ગ્રીક વિદેશીઓએ ભારતના દ્વાર ખખડાવવાનું શરુ કરી જ દીધું હતું. ઈસુના ત્રણસો વર્ષ પહેલા ખોબલા જેવડા ગ્રીસનો એલેકઝાન્ડર સિકંદર ભારતના કમાડની સાંકળ ખખડાવી જ ગયો હતો પણ આપણે ચેત્યા નહિ. નંદ સામ્રાજયનો નાશ કરનાર મહાન મૌર્ય ચંદ્રગુપ્ત આપણી પાસે અડીખમ હતો. એના પછી આવેલા શૃંગ સામ્રાજ્ય અને પછી આવેલા મહાન ગુપ્ત સમ્રાટોએ ઈ.સ. ૫૫૦ સુધી સીમાડા સજ્જડ રીતે સાચવ્યા હતા. મૌર્ય સમ્રાટોને મુસ્લિમ વિસ્તારવાદનો સામનો કરવો પડ્યો નહોતો, ગ્રીક લોકો સાથે એમને સારા અને કૌટુંબિક સંબંધો હતા. મૌર્યો પછી આવેલા પુષ્યમિત્રશૃંગ બૌદ્ધોનો કાળ બન્યો. શૃંગોનો શાસનકાલ બૌદ્ધધર્મને ભારતમાંથી ખદેડવામાં લગભગ સફળ થઈ ચૂક્યો હતો. ત્યાર પછી આવેલા ગુપ્ત સામ્રાજ્ય સમયે ભારતનો સુવર્ણકાલ હતો. કળા અને સાહિત્યનો સુવર્ણકાલ હતો. ગુપ્ત વંશના મહાન પરાક્રમી શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય(ચંદ્રગુપ્ત બીજો), કુમારગુપ્ત, સ્કંદગુપ્ત એક આખી મહાન ગુપ્ત રાજાઓની શ્રુંખલા સમયે ભારત સોને કિ ચીડિયાં હતું. એક મૌર્ય અને બે ગુપ્ત એમ ત્રણ ત્રણ મહાન ચંદ્રગુપ્ત આપણી પાસે હતા. મુસ્લિમ વિસ્તારવાદનાં પડઘા દૂર દૂર થી સંભળાઈ રહ્યા હતા. ગુપ્તોના પતન પછી એ સુવર્ણકાલ ફરી કદી આવવાનો નહોતો. આપણી માન્યતાઓની દીવાલો આપણી પ્રગતિ રોકીને બેસી ગઈ હતી. આપણી માન્યતાઓ આપણને જ ધોબી પછાડ આપવાની હતી. આપણે રચેલા મહાન સંસ્કૃતિના સમુદ્રમાં આપણી નૈયા બેફામ હંકારતા હતા તે સમુદ્ર જ આપણી નૈયાને ડુબાડવા તૈયાર થવાનો હતો તેની આપણને સમજ નહોતી.

મુસ્લિમોનાં અરબી ઘોડા ભારતના દ્વાર ખખડાવે તેટલી જ વાર હતી. પૃથ્વીરાજ ચૌહાણ તો એક નિમિત્ત માત્ર હતો, એના બદલે બીજો કોઈ હોત તે પણ હારવાનો જ હતો. પૃથ્વીરાજ કદાચ હાર્યો નાં હોત તો એની પાછળ આવનાર એનો વારસદાર હારત. ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઈમારત અંદર થી ઉધઈ વડે ખવાઈને ખોખલી થઈ ચુકેલી જ હતી. ઉપરથી અકબંધ દેખાતી ઈમારત ને ફક્ત એક જ ધક્કા એક જ ટકોરાની ની જરૂર હતી કકડભૂસ થઇ તૂટી પડવાને.  સમયનો તકાજો હતો. આવનાર સમય એક મહાન મિથ્યાભિમાની સંસ્કૃતિને ૮૦૦ વર્ષ લાંબી ગુલામીમાં સડતા જોઈ રહેવાનો હતો તેની પૃષ્ઠભૂમિકા રચાઈ ચૂકી હતી. એક નાનકડું તાઈવાન અને ઇઝરાયલ આધુનિક જગતમાં મહત્વનું સ્થાન બની શકે અને આપણે કેમ નહિ ? શા માટે આપણે બાકીની દુનિયાની સરખામણીએ ગરીબ અને પછાત રહ્યા ? શા માટે આપણે કમજોર હતા ને એના લીધે ગુલામ રહ્યાં ? શા માટે આટલી જૂની સભ્યતા હતી છતાં ગણિત વિજ્ઞાનની શરૂઆત કરીને શરૂમાં જ અટકી ગયા?

આવા વિસ્તીર્ણ બૃહદ પ્રશ્નોના સીધા સાદા, સરળ અને ટૂંકા ઉત્તર શક્ય નથી. આના કારણો બહુઆયામી આનુષંગિક, ગૂંચવાડાભર્યા અને ગંભીર છે. વધુ જોખમકારક તો એ છે કે આપણા બુદ્ધિશાળી, મિથ્યાભિમાની, વિચાર્યા વગર માની લેવાની ટેવ વાળા, વિનમ્ર, આત્મ સંતુષ્ટ, સમાધાની ભારતીયો પણ આવા પ્રશ્નો પૂછવાનું અને ઉત્તર મેળવાનું ટાળે છે. તેઓ બધું જ જાણે છે, પરમજ્ઞાની છે. મજબૂત અણવિશ્વાસ સાથે કહેવાના કે તમારે વળી નવું  શું કહેવાનું છે ? અમુક કહેવાતા બુદ્ધિશાળીઓ ફક્ત એમના પૂર્વગ્રહો જ બરાડ્યા કરતા હોય છે. ચોક્કસપણે ભારત પાસે બ્રેન છે, ઉત્તમ કરકસરિયા વૈજ્ઞાનિકો છે, મેનેજમેન્ટ ગુરુઓ છે જે દુનિયાની બડી બડી કંપનીઓ સંભાળે છે, ખૂબ બુદ્ધિશાળી પ્રતિભાઓ પેદા થયેલી જ છે, પણ સત્યની લગોલગ પહોચીને ચૂકી જવાતું હોય છે.

imagesiuoઆપણે ખૂબ બેદરકાર, અનિયમિત છીએ સત્યને પામવાની ઉતાવળી ઉત્કંઠા ધરાવીએ છીએ. આવા બૃહદ પ્રશ્નોનું સમાધાન ટૂંકમાં ઇચ્છવું જોખમી છે. છતાં આ ખૂબ ઉતાવળિયા ને વ્યસ્ત જગતમાં કંઈક તો કરવું જ પડશે ને ? હું તમને કહેવા માંગુ છું કે આપણા સત્યાનાશ માટે કોઈ પરદેશી કે કોઈ પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી જવાબદાર નથી, ના તો કોઈ પાપનું ફળ છે. ક્યા સુધી અંગ્રેજોનો વાંક કાઢીશું ? ક્યા સુધી મુસલમાનોનો વાંક કાઢીશું ? આ લોકો આપણને પાટલે બેસાડી આપણી પૂજા કરવા તો આવ્યા નહોતા ? એ તો લુંટવા જ આવ્યા હતા તે લુંટી ગયા. આપણે લુંટાયા શું કામ ? આપણે પણ કાંઈ જાણી જોઇને લુટાયા તો છીએ નહિ. લુટાઈ જવાનું કોને ગમે ? પણ આપણી પોતાની કેટલીક નબળાઈઓ હતી કે પ્રતિકાર કરી શક્યા નહિ. પણ આપણે શું કર્યું કે આપણી નબળાઈઓને નૈતિકતાની એક મહાન ચાદર ઓઢાડી દીધી કે અમે તો અહિંસક અમે તો દયાળુ, અમે તો માનવીય સંવેદનાઓ વડે ભરાયેલા, અમે અતીથીદેવો ભવઃ માં માનવાવાળા. આપણી નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીયે, આપણે ઉભા કરેલા મૂલ્યો જ જવાબદાર છે. આપણા સાંસ્કૃતિક મુલ્યોએ જ આપણને મારી નાંખ્યાં છે. સંસ્કૃતિ આપણા ધર્મનો એક ભાગ કે ધર્મ સાથે જોડાયેલી હોય છે, સંસ્કૃતિ આપણી પરમ્પરાગત માન્યતાઓ, મૂલ્યો અને વલણ વડે ઘેરાયેલી હોય છે. વળી પાછી આપણી માન્યતાઓ, મૂલ્યો ને વલણ પાછું ધર્મની અસર તળે હોય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રારબ્ધવાદ, સંતુષ્ટવાદ, તર્કઅસંગતતા, વિવેકબુદ્ધિનો અભાવ, અધ્યાત્મ સાથે  સ્થિર પૂર્વગ્રહ, ગુરુ એટલે ભગવાન, ઈચ્છવાયોગ્યનો પરિત્યાગ, ગરીબીને અકારણ મહત્વ, આવું અનેક આડકતરી રીતે આપણને પતનને માર્ગે દોરી લઈ ગયું છે. તમે ધર્મની આલોચના કરી શકો એનાથી મુક્ત થઈ શકો નહિ. ધર્મ મોટાભાગના લોકો માટે પ્રભાવક અને અનિવાર્ય હોય છે. તો શું કરશું ?

હવે ધર્મ અને સંસ્કૃતિનું વાસ્તવિક મનોવિશ્લેષણ કરવું પડશે. એમનો એક જમાનો હતો, એમના દિવસો હતા, હવે ધર્મ અંતરાય બને છે. ધર્મ imagesTGEZU7AQઆધારિત મૂલ્યો વાળી સમાજવ્યવસ્થામાં આપણે ક્રાંતિકારી ફેરફાર કરવા પડશે. પ્રલોભન વડે વિજ્ઞાપિત મૂલ્યોની ઉપેક્ષા કરવી પડશે. નવા મૂલ્યો ઉભા કરવા પડશે. ધર્મ વગર ચાલતું નાં હોય તો જુના ધર્મમાં ક્રાંતિકારી અર્થઘટન કરી નવા માળખા ઉભા કરવા પડશે. આપણે એક સ્પષ્ટતા તરફ આગળ વધવું પડશે, ચોખટા(આઉટ ઑફ બૉક્સ) બહાર વિચારવાનું શીખવું પડશે, સુધારાવાદી બનવું પડશે અને આવું બધું કરવા માટે આપણે રૂઢિવાદીઓ પ્રસિદ્ધ નથી. તમને ખબર નહિ હોય સોક્રેટિસ, પ્લેટો સુધી પશ્ચિમ પણ આપણા જેવું જ હતું. એમની ફિલોસોફી પણ જીવન વિરોધી, સુખ વિરોધી લાઈફ આફ્ટર ડેથ ને વધુ મહત્વ આપનારી હતી. પછી એરીસ્ટૉટલ(૩૮૪-૩૨૨ BCE) આવ્યો. એણે આ જીવનમાં પણ હેપિનેસ મેળવી શકાય તેનો સંદેશો આપ્યો. સુખ, ધન વગેરેનું મહત્વ સમજાવ્યું. જીવન વિરોધને બદલે આનંદિત જીવનનો સંદેશો આપ્યો. પણ આપણે જેમ ચાર્વાક ને ભુલાવી દીધો તેમ આપણી જેમ રૂઢીવાદી પશ્ચિમના લોકોએ એને ભુલાવી દીધો. ૧૨મી સદી સુધી યુરોપ એક અંધકાર યુગમાં જીવતું હતું. લગભગ ૧૬૦૦ વર્ષ એરીસ્ટૉટલ ભુલાઈ ગયેલો પણ એક ઇટાલિયન પાદરી Thomas of Aquin or Aquino (1225 – 7 March 1274) પાક્યો એણે પાછો એરીસ્ટૉટલને જીવતો કર્યો, સાંપ્રત ધર્મોમાં નવા અર્થઘટન કર્યા અને તે યુરોપમાં Renaissance નવયુગના મંડાણનું કારણ બન્યા. અચાનક અંધકાર યુગમાં જીવતું સાવ પછાત જંગલી જેવું યુરોપ વિકાસના માર્ગે સડસડાટ આગળ ધપવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોડવા લાગ્યું. આપણે પણ બહુ સારી ગાંધી જેવી સુધારાવાદી અનેક પ્રતિભાઓ પેદા કરી જ છે પણ અધ્યાત્મના આફરાને વરેલી આવી મહાન પ્રતિભાઓ જીવન વિરોધી સુખ વિરોધી આનંદ વિરોધી જ રહી છે. આપણે હજુ એક Thomas of Aquino પકવી શક્યા નથી.     

આજે આપણે આધુનિક દુનિયામાંથી આવતા પ્રગતીસુચક સંદેશાઓ વારંવાર જેને અથડાતા હોય તેવી અસમતલ ભૂમિ ઉપર ઊભેલા સંક્રાતિકાલમાંથી પસાર થઈ રહ્યાં છીએ. પ્રાચીન રૂઢિઓનાં સખત ખડક ઉપર અથડાતું પશ્ચિમી સંસ્કૃતિનું ભારણ એક મૂળ વગરના ચુનંદા વર્ગનું નિર્માણ કરે છે. આ વર્ગ છે બુદ્ધિશાળી પણ મૂળ વગરના મહાત્મા જેવો છે. આ વર્ગને કઈ દિશામાં જવું તેની સમજ પડતી નથી. એમની પાસે હોકાયંત્ર છે ખરું પણ એની સોય સતત પૂર્વ અને પશ્ચિમ એમ દિશા બદલે જ જાય છે. આવું જ નવી જનરેશન માટે છે. દિશાવિહીન છે નવી પેઢી, ધોતિયું પહેરી શકતી નથી ને પૅન્ટનાં ગુણ ગાઈ શકતી નથી. સવારે ઊઠીને હાથમાં દાતણને બદલે ટૂથબ્રશ પકડે તે રાત્રે સૂઈ જાય ત્યારે માથે પંખા ફરતા હોય ત્યાં સુધી આખો દિવસ પશ્ચિમે શોધેલી વસ્તુઓ વાપરતા વાપરતા સતત પશ્ચિમની સંસ્કૃતિને ભાંડતો નગુણો આપણે સમાજ છીએ. ભૌતિકવાદને સતત ભાંડતા ધર્મ ધુરંધર પરમ પૂજ્યો પહેરે છે મલમલની પરમસુખ ધોતી પણ ફરે છે મર્સિડીઝમાં.

જરૂર છે આખીય વસ્તીના મૂળભૂત વલણ અને માન્યતાઓમાં ધરખમ ફેરફારની. ધરમૂળથી બદલાવની પ્રક્રિયા શરુ થાય તેની તાતી જરૂર છે. આખી સંસ્કૃતિને ક્રાંતિકારી ફેરફારની જરૂર છે. આ સહેલું નથી, ઊલટાનું દુઃખદાયી છે. દઝાડે તેવું છે પણ આવો એક પ્રયત્ન અબજો લોકોના જીવનમાં એક આશાનો પ્રકાશ પાથરવા જરૂર સક્ષમ થશે

વધુ આવતા અંકે———

કડવી ફાકી-૧

કડવી ફાકી-૧ untitledpoi

કડું, કરિયાતું, કાળી જીરી, લીમડાની અંતરછાલ બધું ભેગું કરીને બનાવેલી આ આયુર્વેદીક દવા જીર્ણજ્વર ઉતારવા ઉકાળીને પવાય છે. બહુ કડવું હોય છે ઝેર જેવું. ઝંડુ ફાર્મસીના મહાસુદર્શન ચૂર્ણમાં પણ આ બધી દવાઓ હોય છે. મહાસુદર્શન મારું પ્રિય ચૂર્ણ, સિઝન બદલાય અને તાવ જેવું લાગે અઠવાડિયું રોજ રાત્રે ફાકડો મારી જ લેવાનો. સ્વાસ્થ્ય માટે અમુક અમુક દિવસે આવી કડવી ફાકી મારવી જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે જીર્ણજ્વર એક્ ક્રોનિક ફીવર જેવું કહેવાય. આવા તાવ જલદી ઉતરતા નથી. મેરા ભારત મહાન આવો જ એક જીર્ણજ્વર છે. લગભગ આપણ દરેક ભારતીયને હોય છે. મને પણ ખુબ ઉગ્ર રીતે વળગેલો હતો. જોકે આ તાવ હજારો વર્ષથી વળગેલો છે અને એટલે જ આપણે પલાંઠી મારીને બેસી ગયા છીએ કે આપણે તો મહાન હતા અને સર્વજ્ઞ હોવાનો દાવો તો પાછો ઉભો જ છે માટે હવે કશું કરવાનું છે નહિ. હું પણ આવો તાવ લઈને જ અમેરિકા પધારેલો હતો આપણા લેખકો અને પત્રકાર લેખકોએ અમેરિકાને જોયા વગર જ મારેલાં ગપ્પ સાચાં માની અમેરિકા એટલે સાવ રાક્ષસ હોય, સંસ્કાર અને સંસ્કૃતિવિહીન હોય તેવી છાપ લઈને ફક્ત ડોલરના ઝાડ ખંખેરવા મળશે તે આશામાં જ આવેલો. પણ અહી આવીને જુદું જ જોયું અનુભવ્યું વિચાર્યું કે મેરા ભારત મહાન ૧૦૦ ટકા હતું પણ હવે રહ્યું નથી. નથી રહ્યું તો કેમ પાછળ ગગડ્યું ? ફરી મહાનતા તરફ ગતિ કરવા એની દવા કરતા પહેલા બીમારી તો જાણવી પડશે કે નહિ ? બીમારી જાણ્યા વગર દવા શેની કરીશું ? એટલે મને મારી અલ્પમતિ જે દેખાય છે તે લખું છું. એમાં મારો કોઈ ઈરાદો નથી કે હું મારા દેશને વખોડું કે મારા દેશના બાંધવોની લાગણીઓ દુભવું. એક સમયે સૌથી જુની સંસ્કૃતિને નાતે અવ્વલ નંબરે આ દેશ હતો પણ હવે રહ્યો નથી. ફરી મારે અવ્વલ નંબરે એને જોવો છે. હવે નંબર વન હતો નંબર વન હતો એવા ગાણા ગાવાથી ફરી નંબર વન થઈ જવાતું નથી. ફરી નંબર વન બનવાની પહેલી શરત એ છે કે હાલ નંબર વન નથી તે પહેલા સ્વીકારવું પડશે. પછી હકારાત્મક બનો સારી બાજુઓ જુઓ એવા દંભી ગાણા ગાવાનું બંધ કરી બીમારીઓ જોવાનું શીખવું પડશે.   

કે ભારત શા માટે ગરીબ પછાત, વિકસિત નહિ પણ ધીમી ગતિએ વિકાસ તરફ આગળ વધતો દેશ છે ? નેતાઓને ફક્ત વિકાસની વાતો કરે એટલામાં ઢગલાબંધ વોટ મળે છે. હજુ તો વિકાસની વાતો કરવી પડે છે. છે ને કરુણતા ? શા માટે ૧૯૪૭ પહેલા સળંગ આઠસો વર્ષ ગુલામી કે ગુલામી જેવી દશા ભોગવવી પડેલી ? કેમ પરદેશી આક્રમણકારીઓ મનફાવે ત્યારે આવીને જીતી જતા હતા અને ભારતીયોને ગુલામી તરફ ઢસડી જતા હતા ? આ બધા અઘરા પ્રશ્નોના ઉત્તર મેળવવાનું બહુ કઠિન છે. ઉપર છલ્લા જવાબો સહુ આપશે પણ એના ઊંડા મૂળ સુધી જવાનું અઘરું કામ કોઈ નહિ કરે અને કોઈ ઉત્તર શોધવાનું કામ કરતા કદાચ આકરું કહી બેસે તો હજારો લાખો દેશભક્ત આત્માઓ તૂટી પડશે. તમને ખબર નથી કેટલો મહાન આપણો દેશ હતો ? સૌથી જૂની સંસ્કૃતિ અને આજે તો નુક્લિઅર પાવર અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો તે શું ખબર નથી ? એમાંય રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચે મંગળ ઉપર પણ ચડાઈ કરી આવ્યા. બહુ સારી વાત છે.    

અહીં કોઈને ક્રિટિસિઝમ ગમતું નથી, ગુણદોષવિવેચન કરીએ તો અહંકાર ઘવાય છે, લાગણીઓ વાતવાતમાં દુભાઈ જાય છે. જે પણ કહો તેનો તમારી સામે જ ઉપયોગ કરવામાં કાબેલ. આપણી ભૂલો કોઈ બતાવે તો એના જેવો કોઈ વેરી નહિ. ભારત સમજવા માટે સંપૂર્ણપણે મુશ્કેલ દેશ છે. હેમિંગ્વે કહે છે શું તમારે લેખક બનવું છે ? ક્યાં છે તમારા જખમ ? મેં કદી લેખક બનવાનું આયોજન કર્યું નહોતું પણ મારી પાસે મારા જખમ છે. મારી માતા, મારી ભારત માતા પાસે ઊંડા ઘાવ છે, ઘણા ગંભીર અને દૂઝતા ઘાવ. લોહી નીંગળતી ભારત માતા જોઈ એનો કયો પુત્ર કશું બોલ્યા વગર અમસ્તો જોઈ રહે ? જિંદગીની લાંબી મેરેથોન હરીફાઈમાં દુનિયાના અમુક સમાજ ઍડ્વાન્સ બની ગયા છે અને અમુક સાવ પછાત રહી ગયા. શું આની પાછળ કોઈ સ્પષ્ટ શકાય તેવી પૅટર્ન હશે ? આ મુદ્દો ઇતિહાસ, મનોવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વગેરેનું એક નાં સમજાય તેવું તદ્દન જટિલ જાળું છે. આવા લાક્ષણિક પ્રકરણનું પૃથક્કરણ કરવા તીવ્ર દ્ગષ્ટિ જોઈએ, ભારત એનો ઉત્તમ નમૂનો છે.

એક અબજ માણસોની મજબૂત સંખ્યા સાથેની આ પ્રાચીન મહાન સંસ્કૃતિ વિપુલ કુદરતી સાધન સંપત્તિ ધરાવતી હોવા છતાં બીજા માનવવંશ કરતા પ્રગતિની દોડમાં શા માટે પાછળ પડી ? આના ઉત્તર સહેલાઈથી નહિ મળે, છતાં પૂછવા પડશે, એની ચર્ચા કરવી પડશે, એને શોધવા ઊંડાણમાં જવું પડશે, મૂળિયા તપાસવા પડશે. છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ઈ.સ. ૧૧૯૮મા હાર્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૯૪૭ સુધી પહેલા મધ્ય એશિયા અને પછી યુરોપથી આવેલા પરદેશી આક્રમણકારીઓ રાજ કરી ગયા. દુનિયાના કોઈ દેશનો આટલો લાંબો ૮૦૦ વર્ષનો પરદેશી શાસકોના તાબામાં રહેવાનો ઇતિહાસ નહિ હોય. આક્રમણકારીઓની એક લાંબી શ્રુંખલા જુઓ, ગઝની, તૈમુર, ખિલજી, બાબર, નાદિર દિલ્હીને કાયમ આગ લગાડી દેતા, મંદિરો તોડતા અને લૂટતા. હિંદુ પંડિતો ગઝનીનાં બજારમાં લીલામ થતા. શા માટે આપણે એટલાં બધા કમજોર હતા અને હજુ પણ છીએ ? કુદરતી સંપદાનો અભાવ ધરાવતા યુરોપના ટચૂકડા દેશો અને ટચૂકડું જાપાન પણ આર્થિક રીતે આપણાથી ઘણું આગળ નીકળી ગયું અને વિપુલ કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ગરીબ દેશોની હરોળમાં અવ્વલ નંબરે ખડા છીએ. શા માટે આપણે આટલાં ગરીબ અને પછાત રહ્યા અને હજુ પણ છીએ ? મારો જીવ કકળે છે.

imagesnjસવારે ઊઠીને છાપું ખોલો વાંચીને જો જરા વિચારશીલ અને માનવીય સંવેદનાઓથી ભરેલા હો તો જીવ બળી ને ખાક થઈ જાય એટલાં બધા કૌભાંડો વાંચવા મળે. કરપ્શન તો જાણે જીવનરસ બની આપણી નસોમાં વહે છે. કરપ્શન કોઈને કરપ્શન લાગતું નથી એક વહેવાર લાગતું હોય છે. ભ્રષ્ટાચાર, પૉલ્યુશન, સરકારીતંત્રની નિષ્ફળતા, અધમ પ્રકારે સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાના સમાચારો વાંચી હૃદય હલબલી જાય. આવા બનાવોની પ્રખર ટીકા થાય તો સામે એના બચાવમાં સ્વાભિમાન ઘવાયેલાના ટોળા ઊમટી પડે. આપણે કમજોર કેમ હતા ને રહ્યા છીએ, આપણે પછાત અને ગરીબ કેમ હતા ને રહ્યા છીએ તેની ફક્ત ફરિયાદ કરવી કે એનો દોષ બીજાને માથે નાખવાને બદલે હવે આપણે એના કારણો વિષે તપાસ કરવી પડશે. આપણે આપણા દોષ જોવાનું શીખવું પડશે અને પછી એની દવા શોધવાનો ઉપાય કરવો પડશે. મહાન સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ કે કુદરતી સંપદાનો અભાવ બહુ મહત્વનો નથી હોતો પણ નિયતિ જે પડકાર તમારી સામે મૂકે છે તેને કઈ રીતે ઝીલો છો તેના ઉપર આધાર રાખે છે. યુરોપના ટચૂકડા દેશો વખત જતા આખી દુનિયા ઉપર પ્રભાવી બન્યા તો સૌથી જૂની કહેવાતી સંસ્કૃતિઓ ભારત અને ચીન કેમ નહિ? મૂડીવાદ, ઉદ્યોગીકરણ, નિર્ણાયક પ્રયોગાત્મક સંશોધન જેવા પ્રગતિકારક પરિબળો યુરોપમાં જ કેમ વિકસ્યા એશિયામાં કેમ નહિ ? વાસ્કો-ડી-ગામાનાં વહાણે ભારતના બંદરે લંગર નાખ્યા, જગડુ શાહના વહાણો માટે યુરોપના બંદરો કેમ અજાણ્યા જ રહ્યાં ?

—-વધુ આવતા અંકે—-

પ્રણયત્રિકોણીય ભાવાવેશ

પ્રણયત્રિકોણીય ભાવાવેશimages7EMEQRPC

વર્ષો પહેલા રાજકપૂરે બનાવેલું, પ્રણય ત્રિકોણ આધારિત, રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા અભિનીત સંગમ મૂવી જોએલું. એના ગીતો આજે પણ ફેમસ છે. ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ નાં હોના’, ‘દોસ્ત દોસ્ત નાં રહા’, મૈ ક્યા કરું રામ મુજે બુઢા મિલ ગયા’, વગેરે ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. Casablanca મુવી પણ આવું જ હતું, એમાં પણ બે પુરુષો એક સ્ત્રીને ચાહતા હોય અને સ્ત્રી પણ બંને પુરુષોને ચાહતી હોય તેવી વાર્તા હતી. રાજકપૂરે Casablanca પરથી પ્રેરણા લઈને સંગમ બનાવ્યું હોય તેવું પણ બને. જો કે ભારતીય સંસ્કૃતિનો આદર્શવાદી ટચ ઉમેરી દીધો હોય રાજકપૂરે તે સ્વાભાવિક છે. એકંદરે આખી દુનિયામાં પુરુષો એવું માનતા હોય છે કે એમની સ્ત્રી ફક્ત ને ફક્ત એમને જ પ્રેમ કરે, જો કે એમાં કશું ખોટું છે તેવું નથી કહેતો. પણ ક્યારેક હકીકતમાં એવું હોતું નથી. એક સ્ત્રી બે પુરુષોને ચાહતી હોય તેવું પણ શક્ય છે, શક્ય નહિ હકીકત હોય છે. પ્રણયત્રિકોણના બે જાતના પ્રકાર હોય છે.

એક તો બે સ્ત્રીઓ એક જ પુરુષને પ્રેમ કરતી હોય. એમાં પણ પેટા પ્રકાર જોઈએ તો એક પુરુષ બંને સ્ત્રીઓને સરખો પ્રેમ કરતો હોય અથવા એક ને પ્રેમ કરતો હોય પણ બીજી સ્ત્રી એક તરફી પેલાં પુરુષને પ્રેમ કરતી હોય. ગુપ્ત ફિલ્મમાં આવું જ હતું.

બીજા પ્રકારમાં બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને સ્ત્રી બંને પુરુષોને સરખો પ્રેમ કરતી હોય કે એકાદ પુરુષ પરાણે પાછળ પડ્યો હોય. ઘણી વખત સ્ત્રી કન્ફ્યુજ પણ હોય કે કોને પ્રેમ કરવો ? ઘણીવખત એને બંને પુરુષને સરખો પ્રેમ કરવો હોય પણ પાછાં પેલાં પુરુષો માનવા જોઈએ ને ? પુરુષ થોડો જોહુકમી વાળો વધુ હોય એને એની સ્ત્રીને બીજો કોઈ પ્રેમ કરે તે નાં ગમે.

ફિલ્મો બનાવનારા અને નવલકથાઓ લખનારા લેખકો માટે પ્રણય ત્રિકોણ ગરમાગરમ વિષય હોય છે, એમાં એક જ સ્ત્રીને બે પુરુષો પ્રેમ કરતા હોય તેવો પ્લૉટ કૉમન હોય છે, હોટ ફેવરીટ હોય છે. સ્ત્રી પુરુષ પ્રેમમાં પડે છે, ઇચ્છે છે, અને સિલેક્શન કરે છે. ઇચ્છવું અને સિલેક્શન કરવું બંને જુદું હોઈ શકે છે.

images789કહેવાય છે કે પુરુષો માટે બે સ્ત્રીઓ સાથે એક પુરુષ યુનિવર્સલ સેકસુઅલ ફૅન્ટસી છે. પણ હકીકતમાં પોર્નોગ્રાફી રેકૉર્ડ કંઈક જુદું જ કહે છે. હકીકતમાં એક જ સ્ત્રી પર બે કે વધુ પુરુષો આધિપત્ય જમાવતા હોય તેવી પોર્નો વધુ જોવાય છે. પુરુષનું મન બે કે વધુ સ્ત્રીઓ ઇચ્છતું હોય છે તે સામાન્ય છે, પણ પુરુષનું શરીર સ્પર્મ કોમ્પીટીશન ને લીધે સેક્સુઅલી એક સ્ત્રી સાથે વધુ પુરુષો જોઈ ને શારીરિક રીતે જાતીય રીતે વધુ ઉત્તેજિત થતો હોય છે. એનું કારણ કદાચ આપણો ઉત્ક્રાંતિનો ઇતિહાસ હોઈ શકે કે જ્યાં જાતીય વર્તણૂક અને જાતીય રિસ્પૉન્સ બહુગામી સમાજમાં વિકાસ પામેલા હતા.

આપણે હ્યુમન જીનેટીકલી પોલીગમસ છીએ, મનોગમી ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં નવી વાત છે. આપણો પ્રાચીનતમ સમાજ બહુગામી હતો જ્યાં સ્ત્રીપુરુષને એકબીજાને પામવા સખત હરીફાઈનો સામનો જાણતા કે અજાણતાં કરવો પડતો હતો ફક્ત સેક્સ માટે નહિ ગર્ભધારણ ઉપર પોતાનો કાબૂ મેળવવા માટે પણ. આજે મનોગમસ સમાજમાં પુરુષને ચિંતા હોય નહિ, એની સ્ત્રી એના દ્વારા જ ગર્ભધારણ કરવાની છે. સ્ત્રીને પણ ખબર હોય કે તે કોના દ્વારા ગર્ભવતી બનવાની છે. પણ લાખો વર્ષ સુધી આવું હતું નહિ. એટલે પુરુષો અચેતનરૂપે(unconsciously) આવા જાતીય સંકેતો ને અનુસરતા હોય છે તેમ સ્ત્રીઓ પણ.

એટલે જ્યારે એક સ્ત્રી ઉપર બે પુરુષો આધિપત્ય જમાવતા હોય કે એવો પ્રયત્ન કરતા હોય ત્યારે પુરુષો unconsciously પોતાને વધુ ઉત્તેજિત અનુભવ કરતા હોય છે કે કોણ આ હરીફાઈમાં જીતી સ્ત્રીને ગર્ભવતી બનાવે. એક આકર્ષક સંશોધન એવું કહે છે કે મનોગમસ રિલેશનશીપમાં ઓવુલ્યેશન (અંડમોચન) સમયે સ્ત્રી કહેવાતી બેવફા બનવા આકૃષ્ટ થઈ શકે છે નાં બને તે વાત જુદી છે. વધુમાં શંકાસ્પદ સ્ત્રી પ્રાથમિક પાર્ટનર સિવાય બીજા પુરુષ સાથે વધુ કામાવેશની પરાકાષ્ઠા અનુભવી શકે છે, ખાસ તો જો બીજો પુરુષ “cad” ટાઈપનો હોય તો. Cad એટલે એમના હાઈ લેવલ testosterone ની અસરને લીધે સ્વમતાગ્રહી, દુરાગ્રહી, અડગ, ઉદ્ધત, તોફાની, કૃત નિશ્ચયી, ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ સાથે પથારીએ પથારીએ કુદકા મારનારા. એના વિરુદ્ધમાં “dad” ટાઈપ એટલે દયાળુ, હુંફાળા, વિશ્વાસુ, કાળજી રાખનારા, સાંજ પડે ઘર ભેગાં, બાળકો અને સ્ત્રીને સાચવનારા. શંકાસ્પદ સ્ત્રી ઘેર આવે ત્યારે એનો પ્રાથમિક dad ટાઈપ પાર્ટનર પણ સેક્સમાં વધુ જોશીલો અને રફ બની શકે છે ખાસ તો બેવફાઈ દ્વારા ફળદ્રુપ બની ચૂકેલા અંડને સ્થાનભ્રષ્ટ કરવા. જો કે રસપ્રદ સંશોધન એવું પણ કહે છે કે આવી શંકાસ્પદ સ્ત્રી પ્રાયમરી પાર્ટનર જોડે સંસર્ગ કરવા ૨૪ કલાક રાહ જુએ છે. મતલબ બીજા પુરુષ દ્વારા ગર્ભધારણનાં ચાન્સ વધારવા સ્ત્રી ૨૪ કલાક માટે કાયમી પાર્ટનર જોડે સંસર્ગના સંજોગો નિવારી લેતી હોય છે. આ બધું unconsciously થતું હોય છે, અને પ્રણય ત્રિકોણમાં બે પુરુષો વચ્ચે અટવાતી સ્ત્રીઓ બાબતે ખાસ બનતું હોય છે. એક ને વફાદાર કહેવાતા સ્ત્રીપુરુષોએ ચિંતા કરવાની જરૂર નથી. untitled478

પુરુષો એમના genes દૂર દૂર અને વિસ્તૃત ફેલાય તેમ ઇચ્છતા હોય છે તો સામે સ્ત્રીઓ લિમિટેડ એગ્સ ધરાવતી હોવાથી વધુ સિલેક્ટીવ હોય છે. બે પુરુષોના પ્રણયમાં અટવાતી સ્ત્રીની મુખ્ય આશા તો વધુ સારા genes ની હોય છે, બે પુરુષો એના માટે કોમ્પીટીશનમાં ઊતરી જે જીતે સ્ત્રીને તો ગેરંટી છે જ વધુ સારા genes મળવાની. એક કરતા વધુ પુરુષો ચાહતા હોય ત્યારે સ્ત્રીને પણ એની પોતાની કિંમત વધુ સમજાય છે. એને લાગે છે તે વધુ કિંમતી છે, વધુ પાવરફુલ છે તો એનો આત્મવિશ્વાસ પણ વધે છે.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી  masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે.  જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ,  થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં  “dads” કહેવાય તેવા હુંફાળા,  વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

‘સંગમ’ ફિલ્મમાં રાજકપૂર cad ટાઈપ બતાવેલા અને જીતેલા પણ ખરા. તો ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં અજયભાઈ dad ટાઈપ બતાવેલા અને જીતેલા તો સલમાનભાઈ cad ટાઈપ હારેલા બતાવેલા. આ સલમાનભાઈ હકીકતમાં cad ટાઈપ તો નથી ને ? કોઈ લોંગ ટર્મ રિલેશનશીપ બાંધવા તૈયાર જ થતું નથી ? જસ્ટ મજાક કરું છું. ધડકન ફિલ્મ પણ આવી પ્રણય ત્રિકોણ વાળી હતી. જો કે આપણી બે પુરુષો વચ્ચે અટવાતી એક સ્ત્રીનાં પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મોમાં ભારતીય સંસ્કાર પ્રમાણે છેવટે સ્ત્રી એના પતિ ને વફાદાર બતાવવામાં જ આવે છે ભલે તે dad હોય કે cad પતિ હોવો જોઈએ. સ્ત્રી પતિ ને છોડી પ્રેમી સાથે ગઈ હોય તેવી હિન્દી ફિલ્મો હશે પણ મેં જોઈ નથી. imagesJ9MRY8EA

Tyra Banks નો શો આવતો હતો અહીં. એમાં આમ તો ઈલીગલ કહેવાય છતાં એક સ્ત્રી બે પતિઓ સાથે રહેતી હતી તેની સાથેની વાતચીત બતાવેલ. આમ તો અમેરિકામાં પોલીગમી ગેરકાયદે છે એટલે એણે એક પુરુષ સાથે લગ્ન કરેલા અને બીજો એમની સાથે એમજ રહેતો હતો. એને એક બાળક પણ હતું. એના કહેવા પ્રમાણે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હતી. એના બાળકને બે પિતાઓનો પ્રેમ મળતો હતો. એ જોબ ઉપર હોય ત્યારે એને કોઈ ચિંતા નાં હોય એક પિતા તો એના બાળકની કાળજી રાખવા ઘેર હોય જ. બીજું એને બે પુરુષો સરખું જ ચાહતા હતા અને તે પણ બંને પુરુષોને સરખો જ પ્રેમ કરતી આમ દુનિયાની તે સૌથી સુખી સ્ત્રી હતી.

સામૂહિક અપકૃત્યની પાછળ

સામૂહિક અપકૃત્યની પાછળimages13JTEBRR

ઇતિહાસનું પુનરાવર્તન કાયમ થતું હોય છે. લોકોના સમૂહ, સંસ્થાઓ અને ઘણીવાર આખા દેશ ભયાનક ચીતરી ચડે જેવા કે જેનસાઇડ, જાતિસંહાર, નરસંહાર, હુલ્લડ, દંગા, લૂંટફાટ અને ભ્રષ્ટાચાર એવા અનેક અનૈતિક કૃત્યોની એક શ્રુંખલા ખડી કરી દેતાં હોય છે. આવું કોઈ એકલદોકલ કરતું નથી પણ કોઈ ઝેરી નેતાની દોરવણી હેઠળ બહુ મોટો સમૂહ કરતો હોય છે.

હિટલરે એકલાં હાથે ૬૦ લાખ યહૂદીઓની હત્યા નહોતી કરી. એકલો કઈ રીતે કરી શકે ? કહેવાતા સારા માણસોનાં સમૂહ આવા અનૈતિક કામ કરતો હોય છે. પણ આપણે હંમેશા એના નેતા તરફ આંગળી ચીંધતા હોઈએ છીએ. આજે પણ આપણે એવું જ કહીએ છીએ કે હિટલરે ૬૦ લાખ યહૂદીઓને મારી નાંખ્યા. પણ પણ અને પણ આવા નેતાના અનુયાયીઓ, સમર્થકો કે શિષ્યોની ઇચ્છા, મરજી, સંમતિ, સહયોગ અને રાજીખુશી વગર આવો વિનાશ થઈ શકે નહિ. આપણે કંઈક સારું થાય ત્યારે પણ જરૂર કરતા વધુ ક્રેડિટ લીડર ને આપી દેતા હોઈએ છીએ અને ખરાબ થાય ત્યારે પણ જરૂર કરતા વધુ સજા કે વગોવણી લીડરને આપી દેતા હોઈએ છીએ. લીડર ને ક્યારેક સજા પણ થતી હોય છે ત્યારે અનુયાયી કે સમર્થક બચી જતા હોય છે કે ભાઈ હું તો ઑર્ડરનું પાલન કરતો હતો, કે મારી તો જૉબ જ છે હુકમનું પાલન કરવાની. જવાબદારીમાંથી છટકવાનું સરસ બહાનું.

images648હમણાં હું નાઝી હન્ટર નામની સિરીઝ જોતો હતો. બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયા પછી હિટલરનાં હુકમ પાળી ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારનાર જુદા જુદા ઓફિસર્સની શોધ ચાલેલી તેના વિષે આ ટીવી સિરીઝ હતી. દક્ષિણ અમેરિકાના દેશો ખાસ તો આર્જેન્ટીના આવા રાક્ષસો માટે સ્વર્ગ બનેલું. કોઈ ૩૦,૦૦૦ નાં મોત માટે જવાબદાર હતો તો કોઈ ૪૦-૫૦ હજારના મોત માટે, પણ આવી જૉબ કરતા હાથ કેમ નાં કંપ્યો કે હું આવી જૉબ નહિ કરું એવું કહેતા કોણે રોકેલા ? સમૂહ દ્વારા સામૂહિક હત્યાઓ આજે પણ આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક ચાલુ જ હોય છે.

આવા ઘણા દાખલાઓમાં લીડર્સ અને ફોલોઅર્સ પ્રાથમિક રીતે જોઈએ તો ખરાબ હોતા નથી. પ્રકિયા એવી ઊભી થતી હોય છે કે નેતા અને સમર્થકો એમની નૈતિક વિવેકબુદ્ધિ અને સિદ્ધાંતોથી ચ્યુત થઈને એમની ખરાબ વર્તણૂક ને વાજબી ઠેરવવાનું કામ કરતા હોય છે. લોકો હોય એના કરતા પોતાને વધુ નૈતિક માનતા હોય છે અને નૈતિકતા થી દૂર ખસવાની પ્રક્રિયા વધુ ને વધુ અનૈતિક કામ કરવા પ્રેરતી હોય છે અને પછી તે કામો ને વાજબીપણું આપી દેવાતું હોય છે.

ખરાબ વર્તણૂકને વાજબીપણું જુદી જુદી રીતે અપાય છે. પહેલું તો ઇપ્સિત ફળ તરફ ધ્યાન કેન્દ્રીત્ કરવામાં આવે છે. ફળ પ્રાપ્તિના માટેના સાધનો તર્કશુદ્ધ દલીલ વડે યોગ્ય બનાવી દેવાય છે. ફળ કે નિષ્પત્તિ વધારે મહત્વની હોય તો સાધનને વાજબી ઠરાવવાનું પણ બાજુ પર મૂકો. દાખલા તરીકે કોઈ શંકાયુક્ત ટેરરિસ્ટને ટૉર્ચર કરવામાં આવે છે કારણ ટૅરરિસ્ટ હુમલાથી નાગરિકોને બચાવવાના છે. તો ટૅરરિસ્ટ ગૃપને પણ એમના ઇપ્સિત ફળ પ્રાપ્તિ માટે નિર્દોષ લોકોના ખૂન વાજબી લાગે છે.

અનૈતિક વર્તણૂક ને સૌમ્ય પર્યાય વડે સજાવી દો. દાખલા તરીકે ડ્રોન એટેકમાં સિવિલિયન માર્યા જાય તો collateral damage કહી દેવાનું અથવા તો કોઈ પત્રકારનું ગળું કાપી નાખવું હોય તો જે તે સરકારનો જાસૂસ છે અને ભાંગફોડીયા પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે તેવું કહી દેવાનું.

બીજો મસ્ત રસ્તો છે બીજાના અનૈતિક કામો સાથે સરખામણી કરીને વાજબીપણું આપવાનો કે મેં તો કામ કરી આપવાનાં હજાર જ લીધા છે પણ imagesNR2WYR0Sમારા સાહેબ તો પાંચ હજાર લે છે. તોફાનો વખતે બધા લૂંટતા હતા મેં પણ હાથ મારી લીધો. હું નવો હતો કૉલેજમાં ત્યારે મારી પણ પજવણી કરવામાં આવેલી તો મેં પણ નવા છોકરાની પજવણી કરી. એણે છરી કાઢી તો મેં બંદુક ખેંચી, એ લાગનો જ હતો.

નીતિમત્તા તરફથી નિવૃત્તિ એકંદરે માનવસમાજ માટે ભયજનક છે.

એના માટે અંગત રીતે જવાબદારી લેવી પડશે. હું ટોળાની સાયકોલોજીમાં તણાઈ ગયેલો સભ્ય નથી, મારી અંગત જવાબદારી છે કે હું સમુચિત રીતે વર્તન કરું. એક ડગલું પાછળ ખસીને જાતને પૂછવું પડશે કે હું જે કરવા જઈ રહ્યો છું તે સામાન્ય સંજોગોમાં સારું હોત કે ખોટું ? મારી ભાષામાં કોઈ બહાનેબાજી તો નથી ને ? બીજાઓ ને દોષી ઠરાવી દોષમુક્ત બનવા તો નથી માંગતો ને ?

જિસસ ક્રાઈસ્ટ ઐતિહાસિક કે દંતકથા ?

images-=0જિસસ ક્રાઈસ્ટ ઐતિહાસિક કે દંતકથા ?

આપણે પુરાણો લખ્યા છે ઇતિહાસ નહિ, પણ ગ્રીક અને રોમનોએ તો પુરાણો સાથે ઇતિહાસ પણ લખ્યા છે. ઇતિહાસ મરોડવામાં આવ્યા હોય તે શક્ય અને જુદી વાત છે. આપણે રામાયણ, મહાભારત અને બીજા પુરાણો દ્વારા જાણીએ છીએ કે રામ અને કૃષ્ણ હતા. પણ આ બધા કાવ્યો છે કોઈ ઇતિહાસ નહિ. જોકે આપણે ત્યાં રામ-કૃષ્ણ ઐતિહાસિક છે કે પૌરાણિક એવી શંકા કરવી પણ પાપ છે. શંકા કરીએ તો નાશ થાય. પણ જિસસ ઐતિહાસિક હતા એવું સર્વસામાન્ય મનાય છે. હવે નવું ઐતિહાસિક સંશોધન સ્પષ્ટ પુરાવા શોધી શકતું નથી કે જિસસ ખરેખર હતા. આમ હવે જિસસ હતા નહિ તો જિસસની ક્રિશ્ચયાનીટી ધર્મ તરીકે mormonism અને બીજા ધર્મોની જેમ દંતકથાઓ આધારિત ગુંથી કાઢવામાં આવી હોય તેવી શક્યતા છે. ઘણાબધા ઐતિહાસિક સંશોધન કરતા પંડિતો જિસસ યુગના (Jesus-era) લેખકોના લેખન કાર્યમાંથી જિસસ વિશેની પ્રમાણભૂતતા શોધવા મથતા હોય છે.

Michael Paulkovich નામના એક લેખકે Free Inquiry, vol 34 issue 5 માં ગોડ ઓન ટ્રાઇઅલ્ નામનો એક સરસ સંશોધનાત્મક લેખ લખ્યો છે. પૌલ્કોવીચને ઇતિહાસમાંથી જિસસનાં અસ્તિત્વના પુરાવાઓની આશ્ચર્યકારક ગેરહાજરી મળી છે. ખાસ તો હિસ્ટોરિયન Flavius Josephus જેણે તેનું Jewish Wars circa 95 CE પબ્લિશ કરેલું તે ઇસુનો સમકાલીન અને નઝારેથ થી ફક્ત એક માઈલ દૂર Japhia માં રહેતો હતો છતાં તે જિસસ અને Nazareth બંનેથી અજાણ હતો. જોકે ઘણા ઇતિહાસકારોના કામમાં પાછળથી જિસસ વિષે બીજા લોકોએ ઘુસાડી દીધું હોય તેવું પણ મનાય છે તેવું Josephus દ્વારા લખાયેલામાં પણ થયું છે તેવું માનવું છે.

જોકે Paulkovich ભાઈએ જોસેફ્સ સાથે બીજા ૧૨૬ ઇતિહાસકારોને તપાસ્યા છે કે જેઓ જિસસના સમકાલીન કે આસપાસના ગાળામાં થયેલા ને જિસસના અસ્તિત્વ વિષે વાકેફ હોવા જોઈએ પણ હતા જ નહિ. દાખલા તરીકે કૃષ્ણ ગોકુળમાં રહેતા હોય અને તેમનો સમકાલીન ઇતિહાસકાર મથુરામાં રહેતો હોય અને તે કોઈ ઐતિહાસિક પુસ્તક લખે તો કૃષ્ણના પરાક્રમો વિષે વાકેફ હોવો જોઈએ અને એના ગ્રંથમાં કૃષ્ણ વિષે કઈક તો લખેલું મળવું જોઈએ. પણ આવો મોટો ઇતિહાસકાર ગોકુલ નજીક મથુરામાં જ રહેતો હોય અને કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ જ નાં કરે તો શંકાસ્પદ લાગે. જસ્ટ આ તો સમજવા માટે દાખલો આપ્યો છે. ચાલો આવો એક ઇતિહાસકાર ભૂલ કરે પણ આવા ૧૨૬ ઇતિહાસકારો જે કૃષ્ણના સમકાલીન હોય અથવા આસપાસના વર્ષોમાં થયા હોય અને કૃષ્ણ જેવા મહાપરાક્રમી વિષે જાણતા જ નાં હોય તે માની શકાય ખરું? જિસસની આશ્ચર્યકારક ગેરહાજરી paulkovich ને જિસસ યુગના ૧૨૬ ઇતિહાસકારોના લખાણોમાંથી મળી છે. ખુદ જિસસે જાતે કશું લખ્યું નથી તો ૧૨૭માં જિસસ પણ એમાં આવી જાય એવો paulkovich નો દાવો છે. પહેલી થી ત્રીજી સદી સુધીના કેટલાય રાઈટર જિસસ થી અજાણ હતા.

અરે બીજી સદીના ક્રિશ્ચિયન ફાધર Athenagoras નાં કોઈ પણ લખાણમાં જિસસ શબ્દ જ નથી વપરાયો. શું તેઓ એમના મુક્તિદાતા ને જાણતા જ નહિ હોય? નવાઈ જેવું લાગે છે ને? કોઈ ભૂલ હશે ? ના; Athenagoras એક પવિત્ર જુના ક્રિશ્ચિયન હતા જે જિસસ થી વાકેફ નહોતા. બાઈબલે પવિત્ર ગણેલા કલાકાર જે પહેલા Saul of Tarsus તરીકે ઓળખાતો એના મુક્તિદાતાને ભૂલી ગયો હતો, આ પૌલ વર્જિન મધર, જીસસના વતન અને એમની લાઈફ ઇવેન્ટથી અજાણ હતો. પૌલે કદી લખ્યું નથી કે જિસસ પૃથ્વી પર આવ્યા હતા. આમ જિસસ હતા કે નહિ, ઐતિહાસિક છે કે દંતકથા આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે પણ હવે એના સાચા ઉત્તર શોધવા તો મૂશ્કેલ જ છે.

મુખ્ય ધર્મોના આવિર્ભાવ માટેના કારણો જુદા જુદા હોય તેવું માનવાને કોઈ કારણ નથી. તર્કટ ધીમે ધીમે માનવંતા ધર્મ બની જતા હોય છે. શા માટે ઘણાબધા કહેવાતા બુદ્ધિશાળી લોકો ધાર્મિક ઉપજાવી કાઢેલી વાતો(religious fictions) ને માની લેતા હોય છે. એવું કહી શકાય કે આ લોકો સુયોજીત ધર્મ(organized religion) અને હિંમતભર્યા તર્કટ(confidence rackets) વચ્ચેનો ભેદ પારખી શકતા નથી.

અમેરિકન ઇન્ડિયન ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ગાંધીએ “કુમારે” નામની બહુ સરસ ફિલ્મ ૨૦૧૧માં બનાવી હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. આજે પણ મારા નેટફ્લીક્સ એકાઉન્ટ ઉપર જઈને મારા આઇફોનમાં હું આ ફિલ્મ જોઈ શકું છું. વિક્રમ ગાંધીએ ભારતના કહેવાતા યોગીઓ, સાધુબાવાઓ અને એમના સંપ્રદાયોનો ખુબ અભ્યાસ કરેલો. એમને લાગ્યું કે પવિત્ર મહાપુરુષો હિંમતવાળા ઠગ લોકો સિવાય બીજું કાઈ નથી. વિક્રમ ગાંધી પોતે વાળ-દાઢી વધારીને સાધુ બને છે. અમેરિકામાં રહેતા હોવાથી ભારતની બોલચાલની શૈલી વિકસાવે છે જેથી અમેરિકનોમાં ઓળખાઈ જાય નહિ અને ઇમ્પ્રેશન પડે. પોતે ‘શ્રીકુમારે’ નામ ધારણ કરી ભારતના કોઈ કલ્પિત ગામથી અમેરિકા પધાર્યા છે તેવું જાહેર કરે છે અને પોતાનો બોગસ રહસ્યવાદી કલ્ટ એરિઝોનામાં શરુ કરી દે છે. આ ભારતની વાત નથી પણ અમેરિકા જેવા દેશમાં પંથ ઉભો કરીને સમર્પિત ચેલાઓનું આખું ગ્રુપ ઉભું કરી દે છે. આ એક રીઅલ પ્રયોગ કરીને ગમે તે બહાને ફિલ્માવી લેવામા આવે છે. લોકોને એમના જીવનના પ્રશ્નોમાં કાઉન્સલિંગ ની જરૂર હોય છે. આ હિંમતવાળા ભેજાબાજોનો  જાદુ ચાલી જતો હોય છે કારણ પીડિતોને જે સાંભળવું હોય તે સિફત થી કહી દેવામાં ચાલક હોય છે. એક સમય પછી શ્રીકુમારે પોતે અસલી વિક્રમ ગાંધી તરીકે પ્રગટ થાય છે. બધાને સમજાવે છે કે આ બધું ખોટું જ છે. ખરેખર જોવા જેવી ફિલ્મ છે.

ઓર્ગેનાઈઝ્ડ ધર્મો ને અનેક સાંપ્રદાયિક ધૃષ્ટતા ભરેલા તર્કટો વળગેલા હોય છે જે જાતે દહાડે રિસ્પેક્ટેડ ધર્મ બની જતા હોય છે અને પછી ઓર્ગેનાઈઝ્ડ ધર્મ.

માહિતી સ્ત્રોત અને સૌજન્ય: Michael Paulkovich is an aerospace engineer and freelance writer, a frequent contributor to Free Inquiry and Humanist Perspectives magazines, a contributing editor at The American Rationalist, and a columnist for American Atheist. His book No Meek Messiah was pusblished in 2013 by Spillix.

ચૂપ ઇતિહાસકારો-લેખકો.

  • Aelius Theon
  • Albinus
  • Alcinous
  • Ammonius of Athens
  • Alexander of Aegae
  • Antipater of Thessalonica
  • Antonius Polemo
  • Apollonius Dyscolus
  • Apollonius of Tyana
  • Appian
  • Archigenes
  • Aretaeus
  • Arrian
  • Asclepiades of Prusa
  • Asconius
  • Aspasius
  • Atilicinus
  • Attalus
  • Bassus of Corinth
  • C. Cassius Longinus
  • Calvisius Taurus of Berytus
  • Cassius Dio
  • Chaeremon of Alexandria
  • Claudius Agathemerus
  • Claudius Ptolemaeus
  • Cleopatra the physician
  • Cluvius Rufus
  • Cn. Cornelius Lentulus Gaetulicus
  • Cornelius Celsus
  • Columella
  • Cornutus
  • D. Haterius Agrippa
  • D. Valerius Asiaticus
  • Damis
  • Demetrius
  • Demonax
  • Demosthenes Philalethes
  • Dion of Prusa
  • Domitius Afer
  • Epictetus
  • Erotianus
  • Euphrates of Tyre
  • Fabius Rusticus
  • Favorinus Flaccus
  • Florus
  • Fronto
  • Gellius
  • Gordius of Tyana
  • Gnaeus Domitius
  • Halicarnassensis Dionysius II
  • Heron of Alexandria
  • Josephus
  • Justus of Tiberias
  • Juvenal
  • Lesbonax of Mytilene
  • Lucanus
  • Lucian
  • Lysimachus
  • M. Antonius Pallas
  • M. Vinicius
  • Macro
  • Mam. Aemilius Scaurus
  • Marcellus Sidetes
  • Martial
  • Maximus Tyrius
  • Moderatus of Gades
  • Musonius
  • Nicarchus
  • Nicomachus Gerasenus
  • Onasandros
  • P. Clodius Thrasea
  • Paetus Palaemon
  • Pamphila
  • Pausanias
  • Pedacus Dioscorides
  • Persius/Perseus
  • Petronius
  • Phaedrus
  • Philippus of Thessalonica
  • Philo of Alexandria
  • Phlegon of Tralles
  • Pliny the Elder
  • Pliny the Younger
  • Plotinus
  • Plutarch
  • Pompeius Saturninus
  • Pomponius Mela
  • Pomponius Secundus
  • Potamon of Mytilene
  • Ptolemy of Mauretania
  • Q. Curtius Rufus
  • Quintilian
  • Rubellius Plautus
  • Rufus the Ephesian
  • Saleius Bassus
  • Scopelian the Sophist
  • Scribonius
  • Seneca the Elder
  • Seneca the Younger
  • Sex. Afranius Burrus
  • Sex. Julius Frontinus
  • Servilius Damocrates
  • Silius Italicus
  • Soranus
  • Soterides of Epidaurus
  • Sotion
  • Statius the Elder
  • Statius the Younger
  • Suetonius
  • Sulpicia
  • T. Aristo
  • T. Statilius Crito
  • Tacitus
  • Thallus
  • Theon of Smyrna
  • Thrasyllus of Mendes
  • Ti. Claudius Pasion
  • Ti. Julius Alexander
  • Tiberius
  • Valerius Flaccus
  • Valerius Maximus
  • Vardanes I
  • Velleius Paterculus
  • Verginius Flavus
  • Vindex

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪

પ્યારા મિત્રો,

ગુજરાતી બ્લોગ જગતમાં બેસ્ટ કહી શકાય તેવા બ્લોગ કયા અને કેટલા ? શ્રી વિનય ખત્રીનાં બ્લોગ ફનગ્યાન ઉપર બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન લેવાનું શરૂ કર્યું છે. સરેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર. સર્વેક્ષણના તારણો ધનતેર્સ ૨૧ ઑક્ટોબરના રજુ થશે.

આ સર્વેમાં ભાગ લેવા માટે ક્લિક: http://funngyan.com/bgbs14/ કરો અને સર્વેક્ષણમાં ભાગ લેવાની વધુ વિગત મેળવો.

સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ?

imagesOME077S7સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ?

એક આદરણીય બહેને સવાલ કરેલો કે આ પુરુષો કલમી બોર જેવા કેમ હોય છે ? મોટાભાગે સડેલા જ નીકળે. મેં હસવામાં કાઢી નાખેલું. આપણે ત્યાં ચણી બોર પાકે ત્યારે લાલ રંગના ખટમીઠાં હોય છે તે ખાઈએ ત્યારે ચેક કરતા નથી કે તે સડેલું છે કે નહિ. અને કલમી બોર મોટા લીલાપીળા રંગના ખાતી વખતે કાયમ ચેક કરવા પડે. લગભગ સડેલા હોય. એકાદ ઉપરછલ્લું બટકું ભરીએ તો સારું હોય અને બીજી બાજુ બટકું ભરીએ કે વધુ ઊંડું ખોતરીએ તો પાછું સડેલું નીકળે. અંદરથી એકાદ સળવળતો કીડો પણ નીકળે. ખાનારની નજરે જોઈએ તો સહેજ સડેલું દેખાય તો ઘણા આખું બોર ફેંકી પણ દે અને ઘણા જો અંદર કીડો નાં દેખાય તો ખંખેરી ને ખાઈ પણ લે અને ઘણા વળી આજુબાજુ કોઈ જોતું નાં હોય તો કીડો ખંખેરી ને પણ ખાઈ લે. જેવી જેની માનસિકતા. ખાતી વખતે કોઈ જોનાર છે કે નહિ તેના ઉપર પણ ઘણો આધાર હોય છે. હવે આ સડેલું એટલે શું?

એમનો કહેવાનો મર્મ એ હતો કે લોહીના સંબંધ નાં હોય ત્યાં પુરુષ હંમેશા સ્ત્રીની મૈત્રીમાં અંતે સેક્સ ઈચ્છતો હોય છે. સેક્સ સિવાય સ્ત્રી પુરુષની મૈત્રી કેમ શક્ય નાં બને ? લોહીના સંબંધ સિવાયની કોઈ સ્ત્રી સહેજ સારું બોલે તરત પુરુષના મનમાં પહેલો ખ્યાલ એની સાથે સેક્સનો આવી જાય. ઘણા શરૂમાં સારા હોય પણ અંતે તો હેમનું હેમ હોયે. દર વખતે અને દરેક સાથે સેક્સ જોઈએ જ એવું સ્ત્રીઓ નથી માનતી. એમનો આક્રોશ સાચો હતો.

Women and men can just be friends… (well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની કહેવાતી દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે. પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે છતાં જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. . બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ, પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. .

આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે. લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ.. પતિપત્ની એકબીજા પ્રત્યે લવ+લસ્ટ ભેગું અનુભવતા હોય છે. સ્ત્રીઓ પ્રેમાળ મૈત્રી અને રોમેન્ટિક ઉર્મીઓને જુદી પાડી સાચવી શકતી હોય છે. પુરુષો લવ અને લસ્ટની સેળભેળ કરી નાખતા હોય છે. સ્ત્રીઓ લવ, લસ્ટ અને લવ+લસ્ટ બધાને જુદું જુદું સમજી શકતી હોય છે અને સાચવી શકતી હોય છે. પુરુષોમાં સ્વાભાવિક મેલ હાર્મોન ટૅસ્ટાસ્ટરોનનું પ્રભુત્વ હોવાથી એમની કામેચ્છા પ્રબળ હોય છે પણ તેને જ્યાં ને ત્યાં વ્યક્ત કરી નાખવી જરૂરી નથી.images4JLKWKW7

સેકસુઅલ રી-પ્રોડક્શન રીતે જોઈએ તો સ્ત્રીઓ પાસે લિમીટેડ એગ્સ(અંડ) હોવાથી તેમની નજર ક્વોલિટી તરફ વધુ હોય છે. આમ સ્ત્રીઓ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે નહિ તે વાત પુરુષોએ સમજી લેવી જોઈએ. તેવી રીતે પુરુષ પાસે અબજો સ્પર્મ હોવાથી અને સ્પર્મ કોમ્પીટીશન પણ વધુ હોવાથી તેની નજર ક્વોલિટી તરફ ઓછી અને ક્વોન્ટીટી તરફ વધુ રહેવાની માટે જ્યાં ને ત્યાં સેક્સ ઇચ્છે તે વાત સ્ત્રીઓએ પણ સમજી લેવી જોઈએ. અને આ બંને વાતો સ્ત્રીપુરુષ બંનેએ સુપેરે સમજી લેવી જોઈએ. હવે પુરુષ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે તેને ખરાબ સમજવું કે નહિ એનો આધાર પણ આપણે કયા સંસ્કાર, સંસ્કૃતિ અને દેશમાં ઉછર્યા છીએ તેના ઉપર આધાર રાખે છે. એક સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કે લીવ ઇન ગમે તે રીતે જોડાયેલા હોઈએ છતાં કોઈ ત્રીજા સાથે સંબંધ રાખવો તે વાત તો પશ્ચિમમાં પણ ખરાબ અને વખોડવા લાયક જ ગણાય છે તે વાત ભારતીયોએ સમજી લેવી જોઈએ.

ભારતમાં એક ખોટી માન્યતા ચાલતી હોય છે પશ્ચિમના લોકો માટે કે પશ્ચિમમાં તો ગમે તેની સાથે ગમે ત્યારે સેક્સ કરી શકાય. ભારતમાં પુરુષ કાયમ તાંબાનો લોટો હોય છે અને સ્ત્રી કાયમ માટીની ઠીકરી પણ પશ્ચિમના પુરુષ અને સ્ત્રી બંને માટે નિયમ સરખો છે. લગ્ન કે લીવ ઇન વડે જોડાયેલ હોય તો બંને માટીની ઠીકરી અને અને છુટા પડ્યા પછી બંને તાંબાના લોટા.. ભારતમાં સ્ત્રીઓના બ્રેનમાં બચપણથી પુરુષો દ્વારા ઠસાવી દેવામાં આવેલું છે કે તમે માટીની ઠીકરી છો અમે તાંબાના લોટા માટે સ્ત્રીઓને પુરુષો હંમેશા સડેલા કલમી બોર જેવા લાગે છે કે આ તાંબાના લોટા અમને ગમે ત્યારે બદનામ કરી શકે છે, તો ભાઈ ચેતતા રહેવું સારું.

અમેરિકામાં કોઈ સ્ત્રીને બ્યુટીફૂલ કહીએ તો ખુશ થાય. થેન્ક્સ કહેશે. અહી ભારતમાં એવું કહો તો કહેશે લાઈન મારે છે. હવે કોઈ સ્ત્રી ભારતમાં કોઈ પુરુષને હેન્ડસમ કહે તો પેલો સમજશે બાઈ ચાલુ છે. એમાં તો મને હેન્ડસમ હોવા છતાં ભારતમાં ૫૦ વરસનો થયો ત્યાં સુધી કોઈ સ્ત્રીએ હેન્ડસમ કહ્યું જ નહિ મારી વાઈફે પણ નહિ. અહી આવ્યા પછી ખબર પડી કે હું હેન્ડસમ છું. એક મિત્રનો સત્ય દાખલો આપું. આ ૪૫ વર્ષના મિત્ર નવાનવા અમેરિકા આવેલા. કોઈ સ્ટોરમાં જોબ કરતા હતા. એક આધેડ સુંદર શ્વેત મહિલા નિયમિત ખરીદવા આવતી. ટીપીકલ પશ્ચિમના લોકો વિષે ગલત ખયાલો સાથે લઈને જ આવેલા આ ભાઈ એના પ્રેમમાં પડી ગયા. એકદમ જીભ ઉપડે નહિ તો એમણે એક નાનકડી પ્રેમનો એકરાર કરતી ચિઠ્ઠી લખીને એના હાથમાં પકડાવી દીધી, પેલીએ લઈ પણ લીધી. ફરી આવી ત્યારે પેલીએ પણ એમના હાથમાં ચિઠ્ઠી પકડાવી દીધી. આ ચિઠ્ઠી પેલા મિત્રે ઘણા દિવસ સાચવી રાખેલી અને મને બતાવી પણ હતી. એમાં પેલીએ લખેલું એનો ભાવાર્થ એવો હતો કે “હું તારી લાગણીઓની કદર કરું છું. મને ખુશી છે કે કોઈ મને પ્રેમ કરે છે પણ હું અત્યારે મારા હસબંડ સાથે રહું છું અને જ્યાં સુધી એની સાથે રહું ત્યાં સુધી મારે તેને વફાદાર રહેવું જોઈએ એવું હું માનું છું. તારા માટે કાયમ માનની લાગણી રહેશે આપણે સારા મિત્રો બની રહીએ પણ હું તારા પ્રેમનો સ્વીકાર કરી શકતી નથી તે બદલ મને માફ કરજે.” એ મિત્રે મને ચિઠ્ઠી વંચાવતા કહેલું જો આપણે કેટલું ગલત સોચતા હોઈએ છીએ આ લોકો વિષે. એ મિત્રે મને કહેલું કે તે ખુબ છોભીલા પડેલા ગિલ્ટી ફિલ કરતા હતા પણ પેલી સ્ત્રી આવતી અને કશું બન્યું નાં હોય એમ પ્રેમથી વાતો કરતી.

આપણી સ્ત્રીઓને તેઓ પવિત્ર છે તેવું સતત પુરવાર કરતા રહેવું પડે છે. એમને કોઈ છાના કામ કરવાના નથી તેવું સાબિત કરવા એમના બેંક એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઈમેલ એકાઉન્ટ બધું ખુલ્લું રાખવું પડતું હોય છે. બધાના પાસવર્ડ ઘરમાં બધા જાણતા હોય છે. એના ઈમેલ અને ફેસબુક એકાઉન્ટ ખોલીને પતિદેવ બેઠા હોય તો જરાય નવાઈ નહિ. પત્નીના નામે એની સખીઓ કે સખાઓ સાથે ચેટીંગ કરતા હોય ને સામેવાળાને ખબર નાં પડે તેમાં નવાઈ નહિ. એના મોબાઈલનું સીમકાર્ડ પતિદેવ એમના મોબાઈલમાં નાખીને બેઠા હોય તેમાય નવાઈ નહિ. પત્નીની પણ દલીલ હોય કે મારે શું છાનું કરવાનું છે કે બધું સિક્રેટ રાખું ? એમાં પેલા સડેલા કલમી બોર પકડાઈ જતા હોય છે તેવું પણ બનતું હોય છે અને પછી થાય હોબાળો. તારે કશું છાનું કરવાનું નથી માટે બધું ઓપન રાખ તેમાં અને મને તારા ઉપર વિશ્વાસ છે માટે તારી પ્રાયવસીમાં મને રસ નથી એ બેમાં બહુ મોટો ફરક છે.

જો કે હવે નવા જમાના પ્રમાણે બોરની વધુ સારી જાતો પેદા થઈ છે જે બિલકુલ સડેલી નાં હોય, ઊંધું ઘાલીને ખાઈ શકાય તેવી પણ તેના કદરદાન કેટલા ? થોડા અઠવાડિયા ઉપર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર DR. Randi Gunther નું ડિસ્કશન હું વાંચતો હતો. એમના કહેવા પ્રમાણે હવે પુરુષો પહેલા જેવા સાવ રહ્યા નથી. હવે પુરુષો ઘર સંભાળે છે. ખાવાનું બનાવવામાં સ્ત્રીઓને મદદ કરે છે. બાળકોના ડાયપર(બાળોતિયા) બદલે છે. બાળકોને લઈને રવિવારે વહેલી સવારે બહાર ફરવા જાય છે જેથી એમની પત્ની આરામથી ઊંઘી શકે. સ્ત્રીને સમાન દરજ્જો આપે છે. હું પોતે નવેક વર્ષથી અમેરિકામાં રહું છું મેં જાતે આ બધું જોયું છે. એક રીસર્ચ એવું પણ છે કે પોતાના બાળકો સાથે રાત્રે ભેગા સુઈ જતા પિતાનું ટૅસ્ટાસ્ટરોન હાર્મોન જે આક્રમકતા માટે કારણભૂત હોય છે તેનું લેવલ ઘટે છે અને ઓક્સીટોસીન લેવલ વધે છે.

Dr. Randi Gunther
Dr. Randi Gunther

આમ પુરુષો પહેલા જેવા જોહુકમી નાં રહ્યા હોય તો હવે સ્ત્રીઓ ખુબ ખુશ હોવી જોઈએ અને ડિવોર્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. પ્રોફેસર Gad Saad નોંધે છે કે ૧૦૦માંથી ૬૯ છૂટાછેડાની મોંકાણ સ્ત્રીઓ દ્વારા શરુ થાય છે. બ્રિટનમાં આ આંકડો ૭૨નો છે. Dr Randi ટીનેજર હતા ત્યારથી મળેલો એમનો મનનો માણીગર ૫૦ વર્ષથી બદલ્યો નથી. એટલે સફળ લગ્નજીવનના રહસ્ય સારી રીતે જાણે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલર તરીકે આ મહિલા ૯૦,૦૦૦ કલાક સંબંધોમાં સમસ્યાગ્રસ્ત જોડલા અને એકલા લોકો સાથે રૂબરૂ વાતચીત કરી ચુક્યા છે. એમની ઓફિસમાં એવા પતિદેવો ને મળેલા છે જેઓ પ્રેમાળ, માન આપનાર, કાળજી રાખનાર, ઊર્મિશીલ, ઉત્સાહી, સમર્પિત, વિશ્વાસપાત્ર, પ્રમાણભૂત અને સહાયકારક હોવા છતાં એમની પત્નીઓ એમને છોડી ગઈ હોય છે ફક્ત કઈક જુદું( different kind of man ) શોધવા. આવા ગ્રેટ હસબંડ છોડી થોડી વધુ મર્દાનગી શોધવા નીકળી પડેલી સ્ત્રીઓની એમણે સારવાર પણ કરી છે જે સમજતી હોય કે નવો પુરુષ ઉત્તેજના સાથે વધુ સંભાળ પણ રાખશે.

સ્ત્રી દીવાનખંડમાં એના પુરુષમાં સુકોમળ સખી શોધતી હોય છે અને શયનકક્ષમાં મર્દ યોદ્ધો. આવો સુભગ સમન્વય ભાગ્યેજ મળે અને એકસાથે તો મળવો મૂશ્કેલ. દીવાનખંડની સખી શયનકક્ષમાં સખી બની રહે તે નેચરલ છે. આમ બધા પુરુષો કલમી બોર જેવા નાં હોય તેમ બધી સ્ત્રીઓ પણ ચણી બોર જેવી નાં હોય. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનો જમાનો ગયો હવે કલર ટીવી આવી ગયા છે તે પણ સમજવું જરૂરી છે.

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

photo3

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી ઈ-મેલ તો આવી જ ગઈ હતી કે શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ સાહિત્ય સંમેલન રાખવામાં આવ્યું છે. હાજર રહેવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પણ થાય છે હજુ વાર છે વિચારી આગળ વધેલો નહિ. વડીલ મિત્ર સુબોધ શાહ એકવાર મળ્યા તો મને પૂછ્યું. તમે સાહિત્ય સંમેલનમાં આવવાના છો ? મેં કહ્યું હા, પણ હજુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

untitled=-0બીજા દિવસે એની જૂની ઈમેલ ખોલી જરૂરી ફોર્મ કાઢી તે વિધિ પતાવી દીધી. આ વખતના સાહિત્ય સંમેલનમાં મુખ્ય હીરો હતા સમર્થ સાહિત્યકાર સ્વ. શ્રી મનુભાઈ પંચોળી જેમને આપણે સાહિત્યપ્રેમીઓ “દર્શક” નામથી ઓળખીએ છીએ. આ વર્ષ શ્રી મનુભાઈ પંચોળી જન્મશતાબ્દી તરીકે ઉજવાય છે. દર્શક નામ પડતા માનસપટલ ઉપર પહેલા શબ્દો ઉભરી આવે ‘ઝેર તો પીધા છે જાણી જાણી ‘. દર્શક વિષે બોલવાનું હોય એટલે એમના શિષ્ય કે અંતેવાસી સિવાય વધુ સારું કોણ બોલી શકે ? લેખક, શિક્ષણવિદ, ગાંધીમાંર્ગી વિચારક, દર્શકની સ્થાપેલી પ્રખ્યાત સંસ્થા લોકભારતીમાંથી સ્નાતક, અધ્યાપક અને લોકભારતીના આચાર્ય રહી ચુકેલા શ્રી. મનસુખ સલ્લા મુખ્ય મહેમાન હતા.photo6

નવી પેઢીના યુવાનો માટે ખાસ ટૂંકમાં લખું તો દર્શક ૧૫ ઓક્ટોબર ૧૯૧૪માં જન્મેલા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હતા. સ્વાતંત્ર્યસેનાની હતા. ભારત છોડો આંદોલન વખતે જેલમાં જઈ આવેલા હતા. જુના ભાવનગર રાજમાં શિક્ષણ મંત્રી હતા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ રહેલા. ૧૯૭૫માં ઈમરજન્સી વખતે વળી પાછા સ્વતંત્ર ભારતમાં ફરી જેલમાં ગયેલા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહેલા. ૧૯૫૩માં સણોસરામાં સ્થાપેલી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ એમનું વહાલું સંતાન કહેવાય. ૨૯ ઓગસ્ટ ૨૦૦૧માં ત્યાં જ એમણે દેહ પણ મૂક્યો. દર્શક એક સમર્થ સાહિત્યકાર સાથે રાજકારણી પણ હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, જમનાલાલ બજાજ એવોર્ડ, સરસ્વતી સન્માન અને છેવટે પદ્મભૂષણ આ બધું એમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. બીજું બધું છોડો પણ દર્શક નામ પડે એટલે લોકભારતી, સૉક્રેટિસ અને ઝેર તો પીધા છે જાણી જાણી આટલું તો યાદ આવી જ જાય.

DSCF0092સુનીલ નાયકની ભવ્ય હોટેલ ‘ક્રાઉન પ્લાઝા પ્રિન્સ્ટન’ ગામ પ્લેઈન્સ બોરોમાં આવેલી છે ત્યાં આ સંમેલન રાખવામાં આવેલું હતું. શુક્રવારે સાંજે શરુ થઈ, શનિવારે આખો દિવસ અને રવિવારે બપોરે ત્રણેક વાગે સમાપન હતું. નેવિગેશન પ્રમાણે છેક હોટેલ આગળ પહોંચી ગયો ને ભૂલો પડ્યો. ગંતવ્ય સ્થાને પહોચીને ભૂલા પડવું કેવું કહેવાય ? મેઈન રોડ થી એક મિનીટ પણ નાં થાય એટલે દૂર હતી હોટેલ પણ દેખાઈ જ નહિ.. એનુ મૂળ કારણ અહીં કારણ વગર વૃક્ષો કાપતા નથી. જો કે થોડું આગળ પાછળ ડ્રાઈવ કર્યું ને હોટેલ દેખાણી. પાર્કિંગમાં જ મોટાભાઈ જેવા લાગણીશીલ નવનીત શાહ અને એન્જીનિયર એવા કવિ વિરાફ કાપડિયા મળી ગયા. વિરાફ કાપડિયાને હું ભૂલમાં વિરાટ કાપડિયા કહેતો હતો, આ મૃદુભાષી પારસી જેન્ટલમૅન  બહુ સરસ કવિતાઓ લખે છે. ચાપાણી નાસ્તા પછી સમારોહ શરુ થયો. દીપ પ્રગટાવી આવા સમારંભોનું ઉદ્ઘાટન કરવાની આપણી પરમ્પરા છે. એમાં કોઈ પ્રયોગાત્મક કામ થાય એવું લાગતું નથી. વડીલ મિત્ર સુબોધ શાહ સાથે અમે પણ બેઠક જમાવી હતી. સુબોધ શાહ મુંબઈ યુનિના એન્જીનિયર, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં કવિતાઓ લખે છે. ‘કલ્ચર કેન કિલ’ નામનું જબરદસ્ત પુસ્તક અંગ્રેજીમાં એમણે લખેલું છે.

ઍકેડેમીનાં પ્રમુખ શ્રી રામ ગઢવીએ એમની હળવી રમૂજી શૈલીમાં બધાનું સ્વાગત કર્યું. ત્યાર પછી ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી અમેરિકામાં રહીને ઉત્કૃષ્ઠ સર્જન કરતા સાહિત્યકારોનું બહુમાન કરતા કેટલાક પારિતોષિકો અપાય છે તે પ્રસંગ ઉજવાયો. ઍકેડેમી તરફથી ડૉ નવીન મહેતાના સૌજન્યથી એમના પિતાશ્રીની યાદમાં શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અપાય છે. ૧૦૦૦ ડોલરનું આ પારિતોષિક આજ સુધીમાં શ્રી. મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી. આદીલ મન્સૂરી, શ્રી પ્રીતિ સેનગુપ્તા, ડૉ. અશરફ ડબાવાલા, શ્રી. આનંદ રાવ અને શ્રી. બાબુ સુથારને મળી ચૂક્યું છે. આ વર્ષનું આ પારિતોષિક હાસ્યલેખક શ્રી. હરનીશ જાનીને મળ્યું.DSCF0243

શ્રી. રમેશ પારેખ પારિતોષિક શ્રી. કેની દેસાઈના સૌજન્યથી અપાય છે. શ્રી. ચંદ્રકાંત શાહ, શ્રી. વિરાફ કાપડિયા અને શ્રી. શકૂર સરવૈયા ને આજ સુધીમાં આ પારિતોષિક મળી ચુક્યું છે. જ્યારે આ વર્ષનું આ પારિતોષિક ડૉ. નટવર ગાંધીને મળે છે. આ વર્ષે જ શરુ થયેલું ટી.વી. એશિયા પારિતોષિક ટીવી એશિયાના CEO શ્રી. એચ. આર. શાહના સૌજન્યથી અપાયું. ગુજરાતી કુટુંબમાં જન્મેલા હોવા છતાં બીજી કોઇપણ ભાષામાં લખતા હોનહાર ગુજરાતીઓ માટે આ પારિતોષિક શરુ કરાયું છે. આ પારીતોષિકના સર્વપ્રથમ વિજેતા “Maximum City : Bombay Lost and Found” નાં લેખક શ્રી. સુકેતુ મહેતા છે. સુકેતુ અંગ્રેજીમાં લખે છે.

કવિતાને જીવતી રાખવી હોય તો એને સંગીત વડે મઢી દો. વ્યવસાયે વકીલ એવા અમર ભટ્ટ ગુજરાતી કવિતાઓને સંગીતે મઢવાનું ઉમદા કામ કરી રહ્યા છે. રાત્રે સાડા નવે અમર ભટ્ટનો સંગીત સમારંભ શરુ થયો. વાંચવામાં નીરસ લાગતી કવિતાઓ પણ સંગીતના સુરે રસિક બની જતી હોય છે. એમાય કંઠ ભળ્યો ડૉ. દર્શના ઝાલા, કૃશાનું મજમુંદાર, ફોરમ શાહ, જયેશ શાહ અને અમર ભટ્ટ વગેરેનો પછી એમાં કાઈ પૂછવા જેવું હોય નહિ. રાત્રે મોડો આ કાર્યક્રમ પૂરો થયો. જય વસાવડા ન્યુયોર્ક અને લીબર્ટી સ્ટેચ્યુની મુલાકાત લઈને આવી પહોંચ્યા હતા. ભારતથી આવેલા મહેમાનોને આજ હોટેલમાં રૂમો અપાઈ હતી. ન્યુ જર્સી સિવાય અન્ય સ્થળે અમેરિકામાં વસવાટ કરતા સાહિત્યપ્રેમી મિત્રોને આ હોટેલમાં રહેવું હોય તો ઓછા ભાવે રૂમો આપવામાં આવી હતી. વૈચારિક આદાનપ્રદાન કરવાનો આ ઉત્તમ મોકો હતો. જયભાઈ જોડે થોડી વાતચીત કરી હું પણ ઘેર જવા રવાના થયો, કારણ સવારે વહેલું આવવાનું હતું.

દર્શક
દર્શક

શનિવારે સ્વાગત ઉદબોધન પછી તરત ‘દર્શક’: મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક અન્વયે મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લા સાહેબનું સુંદર વ્યાખ્યાન હતું. એમણે દર્શક વિષે ખુબ વાતો કરી. દર્શકના ચિંતન વિષે ઘણું જાણવા મળ્યું. દર્શક એક નેતા હતા છતાં એક સાહિત્યકાર પણ હતા. આવું કૉમ્બિનેશન બહુ ઓછું જોવા મળતું હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ એમનું બહુ મોટું પ્રદાન હતું. દર્શકનો વાંચન પ્રેમ પણ અદ્વિતીય હતો. દર્શક એકવાર કલકત્તા ગયેલા. ત્યાં લાયબ્રેરીમાં એમને એક પુસ્તક વાંચવું હતું. પુસ્તક બહાર લઈ જવાની મનાઈ ફરમાવી તો બીજા મિત્રો કલકત્તા જોવા ગયા પણ દર્શકે તે પુસ્તક લાયબ્રેરીમાં બેઠા બેઠા જ વાંચી નાખ્યું. દર્શક કહે છે વાંચન પણ એક તપ છે. વાંચન વિષે આ વાક્યમાં બધું આવી ગયું તેવું મને લાગે છે.

મુખ્ય મહેમાનના ઉદબોધન અને એમની સાથેની પ્રશ્નોત્તરી પછી સાહિત્યની દુનિયા નામની પ્રથમ બેઠક શરુ થઈ એનું સંચાલન શ્રી. અશોક મેઘાણી કરી રહ્યા હતા. ‘વાર્તાઓનું અમરત્વ : શૃંગાર અને શૌર્ય’ વિષય લઈને બોલવા ઉભા થયા જય વસાવડા. બબ્બે વાક્યે તાળીઓ નાં પડાવે તો જય વસાવડા નાં કહેવાય. શૃંગાર અને શૌર્ય સાથે સાથે ચાલતા હોય છે. આમેય શુરવીરોને સ્ત્રીઓ પ્રથમ વરતી હોય છે તે હકીકત છે. શૌર્ય ઉપર સુંદરતા ઓળઘોળ થતી હોય છે. જય વસાવડાના પ્રવચનમાં એમનું વિશાળ અને વૈવિધ્યસભર વાંચન છલકાઈ ઉઠતું હોય છે. ત્યાર પછી શ્રી. સૌમ્ય જોશી એમની કવિતા લઈને આવ્યા. સૌમ્ય પણ એવો જ જબરદસ્ત સર્જક છે. એ કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર પણ છે. સૌમ્ય ખૂનમાં કલમ ઝબોળીને લખતો હોય તેવું લાગે છે. એની કવિતા મારફાડ હોય છે. ત્યાર પછી ફરી સૂર શબ્દનું સહિયારું કરતા અમર ભટ્ટે રંગ જમાવ્યો.

ભોજન પછી ફરી થી મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લાનું પ્રવચન હતું વિષય હતો ‘સોક્રેટિસ’માં દર્શકનું જીવન દર્શન. ત્યાર પછી ગુજરાતથી untitled876આવેલા મહેમાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી. ધીરુ પરીખનું પ્રવચન હતું. ધીરુભાઈ કવિ, વાર્તાકાર, વિવેચક અત્યંત સફળ અધ્યાપક પણ ખરા. ‘કવિલોક’ અને ‘કુમાર’ બંનેનું તંત્રીપણું સાથે સંભાળતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદની કામગીરી વર્ણવી. ત્યાર પછી શ્રી. બળવંત જાની  આવ્યા. બળવંત જાની જબરદસ્ત સંશોધક છે. લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્યના સંશોધક, વિવેચક તેમજ સંપાદક બળવંત જાનીના આ વિષયોના ૧૦૦ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાત બહાર વિદેશોમાં ઘણા બધા ગુજરાતી સામયિકો પ્રગટ થતા હોય છે અને આ વિદેશી ગુજરાતી સામયિકોનું ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન છે પણ તેની નોંધ ગુજરાતમાં લેવાતી નથી તે બહુ મોટી દુખદ વાત છે. બળવંત જાનીએ જણાવ્યું કે અમેરિકામાં ૨૦ જેટલા ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. ગુજરાત દર્પણ, સંધિ, ગુર્જરી, તિરંગા જેવા અનેક સામયિકો અહી પ્રગટ થાય છે. ત્યાર પછી વિદેશમાં ગુજરાતી સામયિક સંપાદન અને પ્રકાશન વખતે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓની વાત લઈને શ્રી. બાબુ સુથાર અને શ્રી. કિશોર દેસાઈ આવ્યા. ડૉ. બાબુ સુથાર સંધિ સામાયિકના સંપાદક છે. યુની ઓફ પેન્સીલ્વેનીયામાં ભાષાશાસ્ત્રના અધ્યાપક એવા બાબુ સુથાર કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર અને ભાષાવિજ્ઞાની છે. આ બાબુભાઈ કોઈની સાડીબારી રાખે નહિ. ગમે તેવા મહારથી હોય બાબુભાઈ એની ભૂલ હોય તો બતાવ્યા વગર રહે નહિ. શ્રી. કિશોર દેસાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા. ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાતી ત્રૈમાસિક એમણે ૨૬ વર્ષ પહેલા શરુ કરેલું. એમણે બહુ ઉત્તમ વાત કહી કે ઊંચું સાહિત્ય વાચ્યા વગર ઉત્તમ લેખક બની શકાય નહિ. ત્યાર પછી આવ્યા ‘સંગીત શા માટે?’ વિષય લઈને શ્રી. વિરાફ કાપડિયા. ઈજનેરી કારકિર્દીમાંથી નિવૃત્ત થયેલા વિરાફ બહુ સરસ કવિ છે. વિરાફ નિબંધ લખે પણ એમાં કવિતા છલકાયા વગર રહે નહિ. નિબંધ વાંચે તો એમાં પણ કવિતાનો લય રેલાય.

રાત્રી ભોજન બાદ સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસે તો તોડી નાંખ્યાં તબલા ને ફોડી નાખી પેટી જેવું કર્યું. એટલો બધો જલસો કરાવી દીધો કે નાં પૂછો વાત. આ અભિનયમાં સમર્થ બેલડીએ અભિનય સાથે કેટલાક સંવાદો વાંચીને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાંખ્યાં. જિજ્ઞા વ્યાસે સરસ એકોક્તિ રજુ કરી. પછી એમના એક નાટકનો એક અંશ પ્રસ્તુત કરી એટલા બધા હસાવ્યા કે ના પૂછો વાત. એમની પ્રસ્તુતિ પૂરી થતા તો આખું ઓડીયન્સ ઊભું થઇ ને તાળીઓના ગડગડાટ કરવા લાગેલું.

photo16
જીજ્ઞા, સૌમ્ય, અમર ભટ્ટ , જય

સૌમ્ય મનસુખ સલ્લા, લોહીથી લથપથ કવિતા કરતો સૌમ્ય, હસતા હસતા લાફા ઝીંકતી જિજ્ઞા, જય હો જય વસાવડા, વિરાટ કવિ વિરાફ કાપડિયા, અગસ્ત્ય અમર ભટ્ટ, મિલાપનાં મહારથી મહેન્દ્ર મેઘાણી, અહર્નિશ હસાવતા હરનીશ, રમૂજી રામભાઈ, અમેરિકન મીરાંબાઈ પન્ના નાયક, સોનેટ કિંગ નટવર ગાંધી આવા તો કાઈ કેટલાય મહાનુભવોને મળવાનું બન્યું એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તે એક ચિરસ્મરણીય ઘટના બની રહેવાની છે.

રવિવારે ઍકેડેમીના સભ્યોની સભા હતી. પછી સ્થાનિક સર્જકોને એમની કૃતિઓ વાંચવા મળવાની હતી. એનું સંચાલન શ્રી. અશોક વિદ્વાંસનાં હાથમાં હતું. બધા પોતપોતાની કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, હાયકુ વગેરે રજુ કરતા હતા. મારો પણ વારો હતો. મેં સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ વિષય પર મારો નિબંધ રજુ કરેલો. ઘણાના માથા ઉપરથી નીકળી ગયો તો ઘણાને ખુબ ગમ્યો. ભોજન દરમ્યાન એક જ ટેબલ પર વિરાફ કાપડિયા, નવનીતભાઈ, સુબોધભાઈ અને બાબુ સુથાર સાહેબ જેવાના સાંનિધ્યમાં બેસવાનું મળ્યું. આવા સમયે આપણે રામ ગુડ લિસનર બની ને બેસી રહેવામાં માનીએ છીએ. એનાથી ખુબ ફાયદો થાય છે. એક તો આપણું ડહાપણ ડહોળવાનું બંધ હોય એટલે વિદ્વાનોની વાતો સાંભળી એમાંથી મલાઈ તારવી લેવાની આવડત કેળવાય છે. ભોજન બાદ ગચ્છન્તિ કરવાનું હતું પણ જવાનું મન થતું નહોતું. ત્રણે દિવસ નવનીતભાઈ અને સુબોધભાઈની પ્રેમાળ કંપની મળી હતી. એટલે હજુ થોડું વધુ સાથે બેસીએ તેવું થયા કરતુ હતું. જયભાઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટી જોવા ગયા હતા, જ્યાં આઇન્સ્ટાઇન પ્રોફેસર હતા. હોટેલથી આ યુની બહુ દૂર નહોતી. એમનો સમાન પણ સમેટવાનો હતો. અમે એમનાં આવવાની રાહ જોતા નીચે લોબીમાં બેઠા ગપાટા મારતા હતા. એવામાં જયભાઈ હાથમાં પુસ્તકોના થેલા લઈને આવ્યા. લેખકનો મુખ્ય ખોરાક પુસ્તકો હોય છે. લગભગ પચીસેક હજારના પુસ્તકો પ્રિન્સ્ટન યુનિવર્સીટીનાં બુક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હશે. ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ પુસ્તકો વાંચવા તે એક ઉત્તમ લેખક માટે વસાણું છે. જય વસાવડાની અદ્વિતીય અને પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય આ પુસ્તકોમાં રહેલું છે. તમે ગમે તેટલા સંવેદનશીલ હો, પણ એ સંવેદનાને યોગ્ય શબ્દોમાં ઢાળી નાં શકો તો સારા કવિ કે લેખક ક્યાંથી બનવાના હતા ?photo14

અશોક મેઘાણી
અશોક મેઘાણી

જયભાઈનો સામાન સમેટીને મારી કારમાં મુકતા મુકતા શ્રી અશોક મેઘાણી મળી ગયા. મને ખુબ અભિનંદન આપ્યા કે મારો લેખ એમને ખુબ ગમેલો. એમની નમ્રતા જુઓ કે તે પણ સમાન ઉચકીને ગોઠવવા લાગેલા. નવમું સાહિત્ય સંમેલન યાદગાર બની રહેવાનું હતું. છેલ્લે સુબોધભાઈ અને નવનીતભાઈ જેવા પ્રેમાળ મિત્રોને આવજો કહી જયભાઈને લઈ મેં કાર ઘર તરફ મારી મૂકી….

સમાપ્ત….

નોંધ : મિત્રો આ સાહિત્ય સંમેલનમાં મે મારો લેખ વાંચેલો તે તમારે વાંચવો હોય તો અહી ક્લિક કરો. “સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ.”

તકલીફદેહી તહેવારો

તકલીફદેહી તહેવારોimagesF9MJY4ZL

 

તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.

પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?

images20ODUUKRબીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?

ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?

દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.

વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.            

 

 

અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

અહેવાલે વિમોચન

અહેવાલે વિમોચનKA July 14 1314

ગુજરાતી હોય અને ન્યુ જર્સીમાં રહેતો હોય અને તેના ઘરમાં ‘ગુજરાત દર્પણ’ નાં હોય તે પાકો ગુજરાતી ના કહેવાય. ગુજરાતી ગમે ત્યાં જાય રહેવા એનું પાકું ગુજરાતીપણું દેખાયા વગર રહે નહિ. આ તો ઉત્તર ધ્રુવની ઠંડી એનાથી સહન થાય નહિ બાકી આર્કટિક સર્કલમાં રહેતા ચુ ચી નામની બહુ જૂની માનવજાત માટે ચા અને ભજીયાની દુકાન ખોલીને બેસી જાય. અને અમારા સૌના વહાલા શ્રી સુભાષભાઈનું ‘ગુજરાત દર્પણ’ એની દુકાને નિ:શુલ્ક ત્યાં પણ મળવા માંડે. લગભગ ૨૧ વર્ષ જૂનું આ માસિક ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સીલવેનિયા સાથે શિકાગો, જ્યોર્જીયા, કેલિફોર્નયા, અને ટેક્સાસ જેવા રાજ્યોમાંથી પણ પ્રસિધ્ધ થાય જ છે.

સાહિત્યકાર હોય એ તો નાનું મોટું સાહિત્ય સર્જન કરીને સાહિત્યની સેવા કરવાનો જ છે પણ ઘણીવાર સાહિત્યકાર કરતા સાહિત્યપ્રેમી સાહિત્યની વધુ સેવા કરતો હોય છે. ગુજરાત

શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.
શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.

દર્પણના તંત્રી-માલિક શ્રી સુભાષભાઈ એવા સાહિત્યપ્રેમી છે. એમના ગુજરાત દર્પણમાં મોતી વેરાણા ચોકમાં જેવું છે. એમાં વાર્તાઓ, કવિતાઓ, લેખો, ધારાવાહિક નવલકથાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સમાચારો, દેશ દુનિયાના સમાચારો, અનંતની ખોજ જેવી વૈજ્ઞાનિક માહિતીનો ખજાનો, પુસ્તકોના રીવ્યુ, વિસા બુલેટીન, સરકારી લાભાલાભની માહિતી અને અહી કરતા તમામ ભારતીયોના ધંધા-પાણીની અસંખ્ય જાહેરાતો અને આ બધું પાછું નિ:શુલ્ક વાંચવા મળે. દંત-ચિકિત્સકની મુલાકાતનો સમય જોઈતો હોય કે પૂજા કરાવવા મહારાજ જોઈતા હોય કે સાંધા-શુલ નિવારણ કેન્દ્રની મુલાકાત લેવી હોય, વરરાજા માટે ઘોડો જોઈતો હોય કે ઢોલી, ભોજન સમારંભ માટે પાકવિદ્યા વિશારદ જોઈતા હોય, આવું તો અનેક જોઈતું હોય તો ટેબલ પર પડેલું ગુજરાત દર્પણ ઉઠાવો અને એમાંથી ફોન નંબર શોધી ફોન કરો તકલીફ નિવારણ થઈ જ જાય.

સુભાષભાઈ એમની આ સ્ક્વેર ફૂટમાં ગણીએ તો નાનકડી પણ લાગણીની આંખે જોઈએ તો વિશાળ ઓફિસમાં ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી પણ ચલાવે છે. દર મહીને રીવ્યુ માટે મોકલતાં પુસ્તકોને લીધે એમાં પણ વધારો થયે જ જતો હોય છે. લાઈબ્રેરી માટે સભ્ય ફી છે ફક્ત એક ડોલર પછી કોઈ ચાર્જ નહિ. વળી મહિનામાં એક રવિવારે અહીંના સ્થાનિક સર્જકોને ભેગા કરવાના તે નક્કી. ભારતથી આવીને અહી વસેલા સર્જકો, અહી આવીને પછી બનેલા સર્જકો, નાનામોટા કોઈ ભેદભાવ વગર બધા અહી ભેગા થાય, સાહિત્ય સમારંભનું સંચાલન માતા સરસ્વતીની પ્રાર્થના સાથે સુપેરે શ્રી કૌશિક અમીન કરે. સર્જકો પોતપોતાની કૃતિઓ વાંચે, એના પર સમય હોય તે પ્રમાણે ચર્ચા થાય, કોઈ સર્જકના પુસ્તકનું વિમોચન થાય, છેવટે મસ્ત મજાના ગુજરાતી ભોજન સાથે સમારંભનું સમાપન થાય.

KA July 14 1333૨૦૦૫માં અહી વસવાટ કરવા આવ્યો ત્યારનો ગુજરાત દર્પણ વાંચતો પણ એની સાહિત્ય સભામાં ભાગ લેવા મળશે તેની કોઈ કલ્પના નહોતી. અને એ ‘ગુજરાત દર્પણ’ ની સાહિત્ય સભામાં ગત રવિવારે મારા પુસ્તકનું વિમોચન શ્રી સુભાષભાઈ, શ્રી કૌશિકભાઈ અને ડૉ શ્રી અમૃત હઝારી સાહેબના હસ્તે થયું તે મારા માટે અમુલ્ય દિવસ હતો. આ સાહિત્ય સભાના જુના જોગી એવા સ્વ. ભાનુભાઈ ત્રિવેદીનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન એમની દીકરી અને પૌત્રીઓનાં સંગાથે કરવાનો લાભ પણ અમને મળ્યો. વિમોચન વિધિ પૂરી થયા પછી મારા પુસ્તક વિષે કહેવાનું શ્રી કૌશિકભાઈને માથે નાખેલું જ હતું. કૌશિકભાઈએ પોતે કાઈ કહેવાને બદલે પુસ્તકની પ્રસ્તાવના વાંચી જવાનું વધુ મુનાસીબ માન્યું. કારણ આ પ્રસ્તાવના બહુ દિલથી જાણીતા અખબાર ગુજરાત સમાચારના ફેમસ કટાર લેખક જય વસાવડાએ લખેલી છે. હવે જય વસાવડાની ઓળખ આપવાની હોય નહીં. કૌશિકભાઈએ બહુ પ્રેમથી આખી પ્રસ્તાવના વાંચી નાખી. પછી મને કહે હવે તમારા લેબર પેએન ની વાત કરો. મારી સાથે સહુ હસી પડ્યા. એક સર્જકની કૃતિ જ્યારે જન્મ લેતી હોય છે ત્યારે એને પણ પ્રસુતિની પીડા અનુભવવી પડતી હોય છે.

મૂળ આપણે ભાષણના માણસ નહિ, મતલબ શ્રોતા બહુ સારા પણ વક્તા તરીકેનો અનુભવ નહિ. એટલે જે કહેવું હતું તે લખીને લાવેલો. એમાંથી ક્યાંક બોલવાનું રહી પણ ગયું હશે, પણ મારે જે કહેવું હતું અને જે લખીને લાવેલો તે નીચે મુજબ છે.

વિમોચન ભાષણ

પ્રથમ તો સુભાષભાઈ નો આભાર માનવો પડે કે તેઓ અહી એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને એમની સહન શક્તિ ને દાદ આપવી પડે કે આપણે બધા જે લખી લાવીએ છીએ તે વગર સંકોચે સાંભળે છે. બીજો આભાર ખાસ અમૃત હઝારી સાહેબનો માનવો છે કે મને અહી ખેંચી લાવેલા. બાકી આજે જે મોકો મને મળ્યો છે તે મળત નહિ.

મૂળ હું ભાષણનો માણસ છું નહિ. એટલે ફટાફટ મારા ફેમીલી વિષે ટૂંકમાં જણાવી દઉં કે ફાધર મારા વકીલ હતા અને દાદા કડાણા સ્ટેટના દીવાનસાહેબ. કડાણા તો ડૂબમાં જતું રહ્યું છે પણ કડાણા ડેમ તરીકે હજુ એનું નામ જળવાઈ રહ્યું છે. આમ અમે પાટણનાં સ્થાપક રાજવી વનરાજ ચાવડાનાં સીધા જ વંશજો. મારા પિતાના દાદા કહો કે દાદાના પિતા કહો જેઠીસિંહજી મારા જન્મના બરાબર ૧૦૦ વર્ષ પહેલા એટલે કે ૧૮૫૭નાં બળવા વખતે અથવા ગાયકવાડનું લશ્કર માણસા પર ચડી આવેલું ત્યારે જે લડાઈ થયેલી એમાં લડેલા. એમના બખ્તરની જાળીઓ ફાધર નાના હતા ત્યારે રમેલા. તીરનું આખું ભાથું મારા ઘરમાં હતું મારા ત્રણ મહા તોફાની છોકરાઓએ બધા તીર રમી રમી ને નાશ કરી નાખેલા. આમ વનરાજ ચાવડા અથવા તેના કરતા પણ પહેલાથી માંડીને એટલીસ્ટ પરદાદા જેઠીસિંહ સુધી અમારા ફેમિલીનો મુખ્ય બિજનેસ તલવારો ચલાવવાનો અને જનોઈવઢ ઘા મારવાનો હતો. દાદા દીવાન હતા અને અંગ્રેજોની શાસન પુરજોશમાં હતું એટલે એમનાથી પછી આ બિજનેસ બંધ થઇ ગયો. પણ આ પેઢીઓ જૂની આદત હવે મારી કલમમાં વર્તાય છે એમાં મારો કોઈ વાંક નથી.

સ્વ. ભાનુભાઈનાં પુસ્તક 'લગ્ન અનિવાર્ય કે નિવાર્ય' નું વિમોચન.
સ્વ. ભાનુભાઈનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન.

દરબારો માટે એક મીથ કે દરબારો કા તો પોલીસ અને આર્મીમાં હોય અથવા ડ્રાઈવર.. મારા મોટાભાગના સગાવહાલા પોલીસખાતામાં છે. ફાધરને એ ગમતું નહોતું કે કરપ્ટ થઇ જવાય. માટે પોતે અમરેલીમાં પોલીસમાં હતા તે જોબ છોડી અને અમને ચારે ભાઈઓને પોલીસમાં જવા માટે ઉત્સાહિત કર્યા જ નહિ. એમને મન એડ્યુકેશનનું મહત્વ બહુ હતું. ફાધર પોતે વકીલ હતા વિજાપુર લાયબ્રેરીના અને બાર લાયબ્રેરીના પ્રમુખ હતા, થીયોસોફીસ્ટ હતા. જે. કૃષ્ણમૂર્તિને રૂબરૂ સાંભળવા ગુજરાત થી છેક મદ્રાસ જતા. બસ એમના સંસ્કારોને લીધે અમે ચાર ભાઈઓ અને એમના વસ્તારમાં ત્રણ પીએચડી છે, બે એન્જીનીયર, બે એમબીએ, બે વૈજ્ઞાનિકો, બે પ્રોફેસર, એક પ્રિન્સીપાલ છે બધું મારા સિવાય હું ખાલી બીકોમ જ છું. એટલે પેલું મીથ ફાધરે તોડી નાખેલું.

મને ખબર નહોતી કે હું લખીશ. બચપણમાં ખુબ વાંચેલું. ૧૧મા ધોરણમાં હતો અને ઓશોને સાંભળવા સાયકલ લઈને બહુચરાજી રોડ પર આવેલા રજનીશ સ્વરૂપમ ધ્યાન કેન્દ્ર ઉપર જતો. મારા એક માર્ક્સવાદી સામ્યવાદી મિત્ર પણ આવતા. કોણ કોની પાસેથી શું શીખે કશું કહેવાય નહિ. પેલા પરમ નાસ્તિક મિત્ર ઓશોને સાંભળી સાંભળી પરમાસ્તિક થઇ ગયાને હું આસ્તિક નાસ્તિક. હહાહાહાહા

ફાધર વિજાપુર લાયબ્રેરીના પ્રમુખ હતા એટલે સંચાલક મને કબાટની ચાવીઓ જ આપી દેતા, માથુ નાં ખાઈશ એવું કહીને. મુનશી, પન્નાલાલ, ધૂમકેતુ, ર.વ.દેસાઈ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોને ખુબ વાંચી નાખેલા. પણ કવિતા આપણું કામ નહિ.

૨૦૧૦મા મને લેઓફ મળ્યો નોકરી ગઈ. આખી રાતની જોબ કરેલી એટલે રજા હોય છતાં રાતે ઊંઘ આવે નહિ. મંતરી મંતરીને કામચલાઉ કોમ્પ્યુટર શીખ્યો. મને લેખક બનાવવા KA July 14 1329પાછળ કાન્તીભટ્ટનો બહુ મોટો હાથ છે. રાતે ઓનલાઈન દિવ્યભાસ્કર વાંચું. એમાં એમના લેખ આવે. ઘણીવાર એવું લોજીક વગરનું લખે કે ખોપરી હટી જાય. એમાં કોમેન્ટ્સ આપતો. મારી બેચાર લાંબી લાંબી કોમેન્ટ્સ ને દિવ્યભાસ્કરે ઓનલાઈન એડીસનમાં લેખ તરીકે મૂકી એમાં બંદાને લખવાની ચાનક ચડી. પછી તો “કુરુક્ષેત્ર”(સ્ટાર્ટ થીંકીંગ) raolji.com નામનો  બ્લોગ બનાવીને લખવાનું શરુ કર્યું. એમાં ૪૧૬ આર્ટીકલ્સ આજ સુધી લખીને મુક્યા છે અને બ્લોગ ૩૪૭૦૦૦ વખત ક્લિક થઇ ચુક્યો છે.

મારી રેશનલ વિચાધારા છે એવું મિત્રો કહેતા હોય છે મને ખબર નથી. એટલે સાયન્સ પ્રત્યે વધુ મોહ. એમાય ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન હાથમાં આવી ગયું. પહેલા ખુબ વાંચું છું પછી ખુબ મનન કરું એમાંથી લેખ લખાય છે. સાહિત્યમાં લલિત અને માહિતીસભર બે જાતના નિબંધ લખાય છે. મારા આ નિબંધોમાં વૈજ્ઞાનિક માહિતી રીસર્ચ નો ભરપુર ઉપયોગ કરીને મારું ચિંતનમનન પણ ઉમેરું જ છું.

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

 

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. ટૂંકમાં હવે હ્યુમન બિહેવ્યર સમજવા માટે એકલો ફ્રોઈડ નહિ ચાલે તમારે એની સાથે ડાર્વિન ને પણ ઉમેરવો પડશે, રીચાર્ડ ડોકિન્સને પણ ઉમેરવો પડશે.”

મિત્રોનો આભાર માની પછી મેં પૂરું કર્યું.

મારું આ સંભાષણ બધા મિત્રોએ રસપૂર્વક ધ્યાનથી સાંભળ્યું હતું એવું મને લાગતું હતું. ત્યાર પછી અમદાવાદથી પધારેલા ગેસ્ટ યોગથેરાપીસ્ટ હેતલ દેસાઈનો વારો આવ્યો. એમણે કહ્યું કે બધા આસનો અને બધા પ્રાણાયામ બધા માટે કામના નાં હોય. માણસની પ્રકૃતિ અને એની તકલીફ પ્રમાણે બે આસન અને બે પ્રાણાયામ કાફી છે. એમની વાત તર્કબદ્ધ લાગી. એમણે યોગ, આસન, પ્રાણાયામ વિષે બહુ સરસ માહિતી આપી. તેઓ અમદાવાદમાં ત્રણ સેન્ટર ચલાવે છે. એમના ટીવી પર શો આવી ચુક્યા છે યુ ટ્યુબ ઉપર પણ એમના વિડીઓ મુકેલા જ છે. નેટ ઉપર સર્ચ કરવા માટે એમનું નામ જ કાફી છે. ત્યાર પછી જે મિત્રો હાજર હતા તે બધાએ પોતપોતાની કૃતિઓ વાંચી. એક જબરો વિરોધાભાસ મારા ધ્યાનમાં તો હતો, સુભાષભાઈ પણ તે અનુભવતા હશે એટલે તેઓએ તેનો ઉલ્લેખ કરી જ નાખ્યો. વાત એમ છે કે આ સાહિત્યસભામાં જેટલા સર્જકો આવે છે તેમના મોટાભાગના એન્જીનીયર્સ અને સાયન્સ પ્રવાહમાં ભણેલા ગણેલા છે તે બધા કવિતાઓ અને વાર્તાઓ લખે છે. અને મારા જેવો કોમર્સનો વિદ્યાર્થી સાયંસ આધારિત લેખો લખે છે. અપવાદમાં એક કૌશિકભાઈ નીકળ્યા તેઓ સાયન્સના વિદ્યાર્થી છે અને અનંતની ખોજ નામની જબરદસ્ત વૈજ્ઞાનિક માહિતીથી ભરપુર કોલમ લખે છે.

બધા મિત્રોએ મને ખુબ ખુબ અભિનંદન આપ્યા. પરમમિત્ર પ્રવિણકાંત શાસ્ત્રીજીએ એમની આગવી હુરતી સ્ટાઈલમાં મારા ઉપર પ્રેમનો ઊભરો ઠાલવ્યો. ત્યારબાદ મસ્ત મજાનું સ્વાદિષ્ટ ભોજન માણી બધા છુટા પડ્યા..

ગુજરાત દર્પણ અને ગુજરાત દર્પણની સાહિત્યસભાની જય હો…            KA July 14 1295

‘ચા’ ની ચૂસકી મહેન્દ્ર શાહ સાથે

સાથે‘ચા’ ની ચૂસકી મહેન્દ્ર

photo 4જો તમે મહેન્દ્ર શાહના કાર્ટૂન જોઈવાંચી દુંટીમાંથી હસી ના પડો તો સમજવું તમે હ્યુમરના ઔરંગઝેબ છો. એમનું બનાવેલું એક કાર્ટૂન કહું. એક આધેડ કપલ ઊભુ છે. પતિ એની પત્નીનેphoto 1 કહે છે, ‘ફરિયાદો, ફરિયાદો, ફરિયાદો ! ફરિયાદો સિવાય બીજું કાઈ કર્યું છે તે? તું સુગર અને પાણી ને પણ છોડતી નથી, સુગર સ્વિટ છે પાણી થીન છે, સ્વીટનેસ સુગરનો નેચર છે અને પાતળાંપણું પાણીનો સ્વભાવ છે.’ પત્ની જવાબ આપે છે, ‘સરસ ! ફરિયાદ કરવી મારો સ્વભાવ છે.’ .. હહાહાહાહાહાહા….

એમના અંગ્રેજીમાં લખાયેલા અને દોરાયેલાનો અનેક કાર્ટૂનનો સંગ્રહ છે i said it too ! ( CHAi WiTH MAHENDRA). કાયમ કોફી ટેબલ પર મૂકી રાખવા જેવું આ પુસ્તક છે. કોઈ પણ ગેસ્ટ આવે ચા કે કોફી પીતા પીતા હાથમાં લઈને જુએ તો એનું દિલ ખુશ થઈ જાય. મને તો આદત હતી કે કોઈના ઘેર જાઉં તો કોફી ટેબલ પર પડેલા પુસ્તક કે મેગેઝીન જરૂર ફેદવાના.

હું ભારતમાં હતો ત્યારે કાયમ ‘સંદેશ’ અખબાર મંગાવતો. એમાં ‘ચકોર’ નું આવેલું કાર્ટૂન પહેલું જ જોઈ લેવાનું પછી અખબાર વાંચવાનું.

એક વાર્તાકાર એક મેસેજ આપવા આખી બેચાર પાનની વાર્તા રચી નાખે. તો કવિ એજ મેસેજ આપે છે થોડી પંક્તિઓ રચીને. અને હાયકુ લખનાર તો બે વાક્યોમાં જ કહેવાનું કહી દેતો હોય છે. કાર્ટૂન ચિત્રાત્મક હાયકુ જેવું છે. માંડ બેચાર વાક્યો અને એક ચિત્ર જોઈ સમજનાર સમજી જાય. આમેય કલાકારોના બ્રેન આમઆદમી કરતા વધુ  મોટા ને સક્રિય હોય છે. એમાય સારી ઉત્તમ હ્યુમર સેન્સ બધામાં હોય નહિ. કાર્ટૂનીસ્ટ ઘણી બધી ક્ષમતાઓ એકસાથે ધરાવતો હોય છે. એક તો સારો ચિત્રકાર હોય, સારો હ્યુમરિસ્ટ હોય અને સારો લેખક કે કવિ પણ હોય.

mahendra-shah-263x300૧૯૪૫માં જન્મેલા મહેન્દ્ર શાહ ૧૯૭૪માં અમેરિકામાં આવી ને વસ્યા. આર્કિટેક એવા મહેન્દ્ર શાહ સફળ ઔદ્યોગિક સાહસ ખેડનાર(ઑન્ટ્રપ્રનર) અને બિઝનેસમેન છે. એક ચિત્રકાર કાર્ટૂનીસ્ટ અને વેપારી તે પણ ગુજરાતી અને એમાય પાછા શાહ બધું ભેગા હોવું તે રેઅર ક્વોલિટી કહેવાય. કારણ વેપારી અને ખાસ તો ગુજરાતી વેપારીને કલામાં રસ હોય અને સાથે કલાના કોઈ માધ્યમમાં માહેર પણ હોય તેવું ભાગ્યે જ જોવા મળે. પીટ્સબર્ગમાં રહેતા મહેન્દ્ર શાહ આપણી કોમ્યુનિટી માટે પણ ઘણી સેવા આપે છે. એમના કાર્ટૂન લોકલ ગુજરાતી મેગઝીનમાં આવે છે અને એના અનેક પ્રદર્શન ભરાઈ ચુક્યા છે.

એમના એક બીજા કાર્ટૂનનું વર્ણન કરું. કોર્ટરૂમનું દ્રશ્ય છે. જજ બેઠા છે સામે ગુનેગાર ઉભો છે બે પોલીસવાળા ઉભા છે અને પછી બે છોકરીઓ ઉભી છે. જજ પૂછે છે When did you find out you were raped ? બંને છોકરીઓ સાથે બોલી ઉઠે છે, When the check bounced ! હહાહાહાહાહાહા

યાત્રાધામો ઉપર હવે ગંદકી વધતી જાય છે. લોકો જ્યાં ત્યાં ગુટખાનાં પેપર, પાણીની બોટલ્સ અને એવો અનેક જાતનો કચરો એમ જ નાખી દેતા હોય છે. તેના ઉપર કટાક્ષ કરતું એક સરસ કાર્ટૂન એમણે બનાવ્યું છે. ટેકરીઓમાં ચાર મંદિર દેખાય છે, યાત્રાળુઓ પગથીયા ચડતા દેખાય છે. આજુબાજુ ઢગલો કચરો જોઈ કોઈ યાત્રાળુ ચિંતા કરતો હશે તેને બીજો યાત્રાળુ કહે છે, ‘ Don’t you worry about the trash outside…, just try to keep your inside clean !

એક બીજું મસ્ત કાર્ટૂન વર્ણવું. પતિપત્ની ઉભા છે પત્નીના હાથમાં ફોન છે. પત્ની કોઈની સાથે વાત કરતી હશે તે પતિને કહે છે, ‘કનુભાઈનો ફોન છે તેઓ જાણવા માંગે છે કે આ વિકેન્ડમાં આપણો શું પ્લાન છે?’ પતિ જવાબમાં કહે છે, ‘ એ તો એના ઉપર આધાર રાખે છે કે તેઓ આપણને ઇન્વાઇટ કરે છે કે આપણે ત્યાં વિઝીટ મારવા ઈચ્છે છે? હહાહાહાહ  બીચ ઉપર તમે દેશી મહિલાને કઈ રીતે પીછાણી શકો? જવાબ છે સ્વીમીંગ કોસ્ચ્યુમ ઉપર મંગળસૂત્ર પહેરેલું દેખાય તે. દ્રશ્ય છે બીચનું થોડા કપલ બેઠા છે એક મહિલા ઉભી છે સ્વિમિંગ કોસ્ચ્યુમphoto 3 પહેરીને, ગાળામાં મંગળસૂત્ર લટકે છે, કપાળમાં ચાંદલો કરેલો છે.

આવા તો અનેક વ્યંગચિત્રો આ પુસ્તકમાં છે. જે જોઈ તમે હસ્યા વગર રહી શકો નહિ. એમના આ ઠઠ્ઠાચિત્રો સંદેશ, ગુજરાત સમાચાર, અખંડઆનંદ, કુમાર, દિવ્યભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અકિલા, પીટ્સબર્ગ પત્રિકા, આવા તો અનેક સમાચારપત્રો અને મેગઝીનમાં છપાયેલા છે. એના પ્રદર્શન પણ અમદાવાદ, વડોદરા, મુંબઈ, લંડન, હ્યુસ્ટન, ન્યુયોર્ક, પીટ્સબર્ગ, ફિલાડેલ્ફિયા જેવા અનેક શહેરોમાં ભરાયેલા છે.

આવું અદ્ભુત પુસ્તક મને મોકલવા બદલ શ્રી મહેન્દ્ર શાહનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

આ પુસ્તક અમેરિકામાં મેળવવું હોય તો,

mahendra shahMAHENDRA SHAH

201 Spencer Court, Moon Township, PA 15108 USA

E Mail- mahendraaruna1@gmail.com

Blog: www.isaidittoo.com

અને ભારતમાં મેળવવું હોય તો,

PARIMAL DISTRIBUTOR

5/ Park Avenue Complex, Opp- Parimal Garden, Ellisbridge, Ahmedabad-380006 India

Contact person- Amar Shah 9825030422 ..

 

 

 

Start Thinking