Category Archives: વિવાદ

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?

પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

images===પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

ચાલો પ્રેમના પુષ્પનું ડિસેક્શન કરીએ. પ્રેમ આંધળો છે કે આંધળા બન્યા વગર પ્રેમ ના થાય તેવા મહાવરા આપણે સાંભળીએ છીએ. પ્રેમ તો હ્રદયથી થાય દિમાગથી નાં થાય તેવું પણ સંભાળીએ છીએ. ખરેખર તો પ્રેમ દિમાગથી જ થાય છે. કારણ હૃદય તો માત્ર શરીરમાં લોહી ધકેલવાનો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમ હ્રદયથી થાય તેવું કહીએ છીએ તે કહેવાતું હ્રદય પણ દિમાગના કેટલાક ભાગ જ છે. ગમે તે હોય પ્રેમ આ પૃથ્વી પરનું સૌથી અર્થસભર અને શક્તિમાન પરિબળ છે અને હોવું જ જોઈએ તેવું માનીને ચાલો દિમાગના દરિયામાં ડૂબકી લગાવીએ જ્યાં પ્રેમ પેદા થાય છે.

પ્રેમ અડિક્ટિવ છે, મતલબ વ્યસન જેવું છે. તમાકુ, ચા, કે કોફી પીવાની આદત પડી જાય તેવું પ્રેમનું પણ છે. ખાસ તો નવા નવા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમ એક વ્યસન છે. કારણ પ્રેમ બ્રેનમાં ventral tegmentalarea (VTA) ને ઉત્તેજે છે જે dopamine નામના આનંદદાયક ન્યુરોટ્રૅનિઝ્મટરનાં ફુવારા બ્રેનમાં રહેલા રિવૉર્ડ સેન્ટરમાં છોડે છે, જે પ્રેમીઓમાં હળવી narcotic ઇફેક્ટ પેદા કરે છે. જે લોકો ભારે દુખાવામાં નર્કૉટિક પેએન કિલર ખાતા હશે તેમને ખબર હશે. આવી દવા ખાધા પછી હળવો નશો અનુભવાતો હોય છે. જે આનંદદાયક લાગતો હોય છે. અને લાંબા સમય સુધી આવી દવાનું સેવન કરવાનું મન થાય છે, તેની ટેવ પડી જાય છે. તે જ સમયે પ્રેમની અનુભૂતિ સ્ટ્રેસ હૉર્મોન norephinephrine પણ છોડે છે જે હાર્ટ રેટ અને બ્લડ-પ્રેશરમાં વધારો કરે છે જેની અસર methamphetamine જેવા અસરકારક addictive સમકક્ષ હોય છે.

પ્રેમ અબ્સેસિવ હોય છે તમારા મનનો કબજો બળજબરીથી લઈ લેતો હોય છે. જ્યારે તમારું દિમાગ મતલબ બ્રેન પ્રેમ ગ્રસિત હોય છે ત્યારે ન્યુરોટ્રૅનિઝ્મટર serotonin સ્ત્રાવમાં ઘટાડો થતો હોય છે. આ કેમિકલ તમને અચોક્કસતા અને અસ્થિરતાની મનોદશા સામે રક્ષણ આપે છે. હવે એમાં ઘટાડો થાય એટલે જ્યાં તમને ચોક્કસતા અને સ્થિરતા દેખાય ત્યાં નાના બાળકનો ઘૂઘરો રમવા બેસી જવાના. એક વ્યાખ્યા મુજબ પ્રેમ unpredictable કહેવાય છે. It’s a prime target for obsession. આપણે નથી કહેતા આનું કાઈ ઠેકાણું નહીં ગમે તે કરી નાખે. પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરી નાખે. પ્રેમમાં પાગલ કે પાગલ પ્રેમી, પ્રેમાંધ કે પ્રેમ આંધળો છે જેવા શબ્દો એમાં જ ઉદ્ભવ્યા છે, જે સત્યની બિલકુલ નજીક છે.

પ્રેમ બેપરવા, અવિચારી, દુ:સાહસિક બનાવે છે. કમાન્ડ અને કંટ્રોલ કારણભૂત બ્રેનનો prefrontal cortex  વિભાગ પ્રેમમાં નીચલાં ગિઅરમાં આવી જાય છે. તે જ સમયે threat-response system એટલે જોખમ સામે ચેતવણી આપતું ચાવીરૂપ amygdala પણ નીચલાં ગિઅરમાં આવી જાય છે. બંનેની સંયુક્ત અસર હેઠળ પ્રેમમાં પડેલો માનવી ગમે તેવા જોખમ લેવા તૈયાર થઈ જતો હોય છે પેલાં તુલસીદાસની જેમ. સીધાસાદા દેખાતા માનવી પણ પ્રેમની અસરમાં મરવા મારવા પર ઊતરી જતા હોય છે.

પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. બંને હાઇપર બનાવતા હોય છે અને બંને અડિક્ટિવ હોય છે. બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ. પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. લાંબા સહજીવનમાં ભેદ ઊઘડી આવતો હોય છે.

લાંબા સહજીવનમાં કામેચ્છા ઓછી થતી જતી હોય છે અને પ્રેમ વધતો જતો હોય છે, ત્યારે બ્રેનમા ventral pallidum વિભાગમાં સક્રિયતા વધી જતી હોય છે જે long-term pair-bonding and attachment માટે કારણભૂત ઑક્સિટોસિન અને vasopressin જેવા રસાયણો સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે.

લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ..

જો દીકરીઓને ખૂબ પ્રેમ કરશો તો બંનેમાં ઑક્સિટોસિનનું લેવલ વધશે. દીકરીઓ વણજોઈતા પ્રેમના ચક્કરમાં ફસાતી બચશે. લસ્ટ ઘણીબધી સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે અનુભવી શકો પ્રેમ અમુક સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે જ અનુભવી શકો. કોઈ બુદ્ધ મહાવીર તમામ લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા અનુભવી શકતા હોય છે અને એટલે આપણે તેમણે ભગવાન કહીએ છીએ.

પ્રેમમાં પડેલા પુરુષના visual cortex માં સ્ત્રીની સરખામણીએ ઍક્ટિવિટિ ખૂબ વધી જતી હોય છે. ભાઈના ડોળા ચકળવકળ થયા કરતા હોય છે. ચક્ષુગમ્ય બળદ…

પ્રેમમાં પડેલી સ્ત્રીઓ બધું વિસ્તૃત વિગતવાર યાદ રાખતી હોય છે. પ્રેમમાં પડેલી સ્ત્રીના બ્રેનમાં રહેલું hippocampus ખૂબ ઍક્ટિવ થઈ જતું હોય છે જે મેમરી સાથે સંલગ્ન હોય છે. આમેય પુરુષ કરતા સ્ત્રીઓનું hippocampus વધારે જગ્યા રોકતું હોય છે. એટલે પહેલો પ્યાર પુરુષ જલદી ભૂલી જતો હશે સ્ત્રીઓ જલદી ભૂલતી નહીં હોય. એટલે પ્રેમમાં પડેલી સ્ત્રીઓ જેતે સમયની સ્મૃતિઓ વધુ સારી રીતે યાદ રાખતી હોય છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે બનાવ પણ એમને યાદ રહેતો હોય છે.

નૈના મિલાકે, નયન થી નયન મળે તો જાણે જાદુ થઈ ગયો. ગોરી તુને પાગલ બનાયા, આંખોમે જો કાજલ લગાયા..નયના બરસે રીમઝીમ..નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? આંખો વિષે અઢળક કવિતાઓ લખાઈ છે. અને લખાતી રહે છે. તાજાં જન્મેલા બાળકો માટે અને પ્રેમમાં પડેલા માટે Eye contact ભાવનાત્મક જોડાણ માટે મહત્વનો હોય છે. પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો મેળવીને જોયા કરતા હોય છે. નજરથી નજર મળે અને પછી એક ભુવનમોહિની સ્મિત ફેંકાય ખલાસ પ્રેમી ઘાયલ થઈને ઢળી પડે. નજર પછી સ્મિત અને પછી અવાજનું માધુર્ય આગળ આવે. પ્રેમીઓના અવાજની ક્વૉલિટી પણ બદલાઈ જતી હોય છે.

અવિશ્વસનીયતા અને મનૉગમી ન્યુરોકેમિકલ્સ દ્વારા પ્રભાવિત થતી હોય છે. મનૉગમી અને Promiscuity વિષે વૈજ્ઞાનિકોને voles એક જાતના ઉંદર ઉપર સંશોધન કરતા ઘણી બધી મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. એક જાતના voles મનોગમસ હોય છે, મતલબ નર માદા જોડી બનાવીને રહે છે, એકબીજાને આખી જિંદગી વફાદાર રહેતા હોય છે. બીજા પ્રકારના voles જોડી બનાવતા નથી. પૉલીગમસ છે. હવે જિનેટિકલી બંને ૯૯ ટકા આઇડેન્ટિકલ છે. હવે વૈજ્ઞાનિકોએ પેલાં અવિશ્વસનીય પૉલીગમસ ગણાતા voles માં ઑક્સિટોસિન અને vasopressin નામના ન્યુરોકેમિકલ્સ જે વિશ્વાસવર્ધક ગણાય છે અને માનવોમાં pair-bonding માટે જવાબદાર ગણાય છે તે ઇન્જેકટ કરતા પેલાં કહેવાતા બેવફા ઉંદરો એકદમ વફાદાર બની ગયા અને જોડી બનાવીને રહેવા લાગ્યા, ટૂંકમાં મનૉગમસ બની ગયા.

Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.

હા! તો મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો શક્ય પ્રયાસ કર્યો છે. ભારતીય માનસિકતા મુજબ પ્રેમ મહાન અને લસ્ટ ખરાબ છે તેવું ગણિત ગણવું જરૂરી નથી. ઉત્ક્રાંતિ માટે લવ અને લસ્ટ બંને મહત્વનાં છે. લસ્ટ વગર જેનિસ ટ્રાન્સ્ફર કરવા મુશ્કેલ અને લવ વગર ટ્રાન્સ્ફર કરેલા જિન્સ ઉછેરવા મુશ્કેલ.

images-=-=

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.

images જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.
હમણાં એક દિવસ જય વસાવડાનો ઈન્ટરવ્યું જોતો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં લીધેલું સ્કૂલમાં ગયા વગર. એમનાં માતાપિતા બંને શિક્ષક હતા. એમનું માનવું હતું કે જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. જય વસાવડાને મુખે બોલાયેલું આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. બાળક જન્મે પછી બધું જોઈ જોઈ અને સાંભળીને શીખતું હોય છે. બોલવાની ભાષા બાળક સાંભળીને શીખતું હોય છે. જન્મથી બહેરાં બાળકો સ્વરપેટી સારી હોવા છતાં બોલવાનું શીખી શકતાં નથી. શબ્દો સાંભળો, બ્રેઈનમાં એની માહિતી સ્ટોર થાય પછી સ્વરપેટી બોલવાનું શીખે ને? બ્રેઈનમાં શબ્દ વિષયક માહિતી ભંડાર હોય જ નહિ તો શું શીખવાનાં? કાનબહેરાંની જેમ અમુક માણસો બ્રેઈનબહેરાં પણ હોય છે. કાન તો એમનાં સાંભળે પણ એમનું બ્રેઈન સાંભળે જ નહિ. અથવા એમનું મનગમતું જ એમને સાંભળવું હોય છે.

પહેલાના જમાનામાં લખવાનું શરુ થયું નહોતું ત્યારે સાંભળીને જ બધું શિખાતું. વારંવાર એકની એક વાત સાંભળો તો વગર સમજે બ્રેઇનમા સ્ટોર થઈ જાય. એમાં રટણ આવ્યું. એકનાં એક શ્લોક વારંવાર રટવાનાં જેથી લાંબે ગાળે લોંગ ટર્મ મેમરીમાં અડ્ડો જમાવી દે. શાસ્ત્રો યાદ રાખવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મને પોતાને વારંવાર રોજ સાંજે રટી રટીને ગીતાજીના બે અધ્યાય મોઢે હતા તે પણ કોઈ અર્થની સમજ વગર..બ્રેઈનની આ કમાલનો ઉપયોગ શાસ્ત્રો યાદ રાખી જાળવી રાખવામાં પેઢીઓને પેઢીઓ સુધી થયેલો. એમાં આવી ગોખણપટ્ટી. ગોખણપટ્ટી કોઈ ક્રિયેટીવ કામ નથી. આપણે કોઈ વિષય બાબતે સંભાળીએ સમજીએ એના ઉપર મનન કરીએ પછી યાદ રાખીએ તો એમાં કોઈ સર્જનાત્મકતા જણાય. બુદ્ધિ ખીલે અને સમજ પણ વધે. માટે ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા નથી આવડતી એનું શરીર તો આખલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા નથી ખીલતી. સાંભળતાં તો બધા જ હોય છે પણ સાંભળવાની કલામાં કેટલા માહેર હોય છે? કાનબહેરાં હોવું તે કુદરતના હાથમાં છે પણ બ્રેઈનબહેરાં હોવું તે આપણી પોતાની ખામી છે. ૧૦૦ વર્ષ પહેલા ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે કહે છે કે માણસની માનસિક અને શારીરિક ઉંમરમાં ફેર હોય છે. જે બુદ્ધ જરા જુદી રીતે ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કહી ગયા હતા. ૩૨-૩૩ વર્ષે મૃત્યુ પામેલા આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદની માનસિક ઉંમરનો અંદાજ મારી શકાય ખરો? ૩૨-૩૩ પાછળ એક મીંડું લગાવો કે બે લગાવો.

આપણે મેકોલેને કાયમ ગાળો દઈએ છીએ પણ ગોખણપટ્ટી તો આપણી પ્રાચીન ધરોહર છે. હજુએ ભારતમાં ચાલુ જ છે. જ્યારે પશ્ચિમે ખુદ મેકોલેની શિક્ષણ પદ્ધતિ ફગાવી દીધી છે તો આપણે શું કામ પકડી રાખી છે? વેપાર કરવા? આપણે તો ગોખીને બધું યાદ રાખી લેતા હતા માટે લખવાનું સુજતુ જ નહોતું. લખવાની શરૂઆત ચીનાઓએ કરી હતી. પછી આપણે પણ શરુ કર્યું ભોજપત્રો ઉપર લખવાનું. એટલે આવ્યું વાંચીને શીખવાનું. સાંભળીને શીખવાનું એક મર્યાદામાં હોય પણ વાંચીને શીખવામાં કોઈ લીમીટ નહિ. વાંચીને પણ ગોખવાનું શરુ થઈ ગયું. જૂની ટેવો ભૂલાય? આર્ટ ઑફ લીશનીંગ સાથે આર્ટ ઑફ રીડિંગ પણ એટલી જ મહત્વની છે. અત્યારે બુદ્ધ હોત તો જરૂર કહેત કે જેને વાંચવાની કલા આવડતી નથી તેમના શરીર પાડાની જેમ વધે છે પણ એમની ડીક્ષનેરીમાં પ્રજ્ઞા નામનો શબ્દ હોતો નથી.. યોગાનુયોગ જુઓ આ જ જય વસાવડાએ લીધેલાં ઇન્ટર્વ્યૂમાં બરકમદાર એવા શ્રી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે ગુજરાતી લેખકો અભણ છે, વાંચતા જ નથી. વિવેચકો પણ અભણ છે. લેટીન અમેરિકન દેશોના લેખકોને પણ બક્ષીબાબુ વાંચતા રહેતા. Kim Peek નામનો અમેરિકન સ્પેશીયલ ક્ષમતા ધરાવતો હતો. આપણે કોઈ પુસ્તક વાંચીએ તો સામે પુસ્તકના બે પાના હોય છે. આ ભાઈલો જમણી આંખે જમણું આને ડાબી આંખે ડાબું પાનું વાંચતો. એમાં આખું પુસ્તક વાંચતા માંડ એકાદ કલાક લાગતો અને વળી વાંચ્યા પછી આખું પુસ્તક બ્રેઇનમા કાયમ માટે સ્ટોર થઈ જાય. એનું બ્રેઈન એવેરેજ માનવી કરતા ખુબ મોટું હતું. જો કે આ તો અપવાદરૂપ કેસ કહેવાય.

એટલે સમજીને સાંભળવાનું જેટલું મહત્વનું છે તેટલું જ સમજીને વાંચવાનું પણ હવે મહત્વનું ગણાય. સાંભળવાની અવેજમાં વાંચીને પણ ચલાવી શકાય. આજકાલ અખબારોમાં નવા લેખકોના લેખો વાંચીએ તો એમનાં વાંચનના અભાવની છબી તરત જણાઈ જતી હોય છે. મેં ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આર્ટિકલ નીચે પ્રતિભાવ આપવાનું શરુ કરેલું. એમાંથી બે ચાર લાંબા પ્રતિભાવો આર્ટિકલ તરીકે મુકાયા હતા. બસ એમાં જ મારું લખવાનું શરુ થયેલું. જો કે મારા પ્રતિભાવો બહુ જલદ રહેતા હોવાથી પછી તે લોકોએ પબ્લીશ કરવાનું બંધ કરેલું તે વાત જુદી છે. હહાહાહા

આખી દુનિયામાં સ્કૂલ કૉલેજોમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે પણ આપણી હજુ મેકોલેના જમાનાની ચાલુ જ છે. આપણે ગોખણીયા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પેદા કરીએ છીએ પણ ક્રિયેટીવ ઈન્ટેલીજન્ટ નહિ. હમણાં મિત્ર નિખીલભાઈએ લીધેલાં એક ઈન્ટરવ્યુંમાં ભારતના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ જે. જે. રાવલ કહેતા હતા કે ગોખણપટ્ટીનાં જમાનામાં ભારતમાં આઇન્સ્ટાઇન ક્યાંથી પેદા થવાના? એટલે સાંભળીને, વાંચીને પછી એ બધું સમજીને શીખવાનું શીખી જઈએ તો પછી ભયો ભયો…

imagesCAEF2EL8રમવાની ઉંમરમાં રમવું જોઈએ પણ મને કદી લખોટીઓ રમતા આવડી નહિ. ભમરડો ફેરવતા પણ આવડે નહિ. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. આ બધું કેમ આવડ્યું નહિ? કે ભાઈ મને વાંચવામાંથી ટાઈમ જ નહોતો મળતો..હહાહાહાહાહા imagesCAL19NA4

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ…

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ

સ્ત્રીની ઇજ્જત થોડા સેન્ટિમીટરનાં પડદામાં કેમ છુપાઈ ગઈ હશે? ઇજ્જત, આબરૂ કોને કહેવાય? કુંવારી સ્ત્રીની ઇજ્જત ફક્ત એક પડદામાં કેમ સમાઈ ગઈ હશે જે સાવ નાનકડો અને ગમેuntitled ત્યારે તૂટી જાય તેવો હોય છે. મૂળ સવાલ Virginity નો છે. વર્જિન હોવામાં જ ઇજ્જત સમાઈ કઈ રીતે જાય? એકલાં ભારતમાં નહિ આખી દુનિયામાં સ્ત્રી વર્જિન હોય તેવું ઇચ્છાતું હતું. વર્જિન છે તેની ખાતરી મેળવવાનું સાધન પેલો કૌમાર્યપટલ Hymen હોય છે જે લગભગ ૪૩% સ્ત્રીઓમાં જ સાબૂત હોય છે. બેબી ગર્લ જેમ જેમ મોટી થતી જાય તેમ Hymen પાતળો પડતો જાય છે. ઘણી સ્ત્રીઓમાં એની ઇલૅસ્ટિસિટી ખુબ વધુ હોય છે જેથી એકાદ ઇન્ટર્કૉઅર્સમાં તૂટે પણ નહિ. જ્યારે આશરે ૫૭ % સ્ત્રીઓમાં આ નાજુક પડદો એમજ તૂટી જતો હોય છે.

બાઇસિકલ ચલાવવાથી, કસરત કરવાથી, કૂદવાથી કે બીજી રમતગમતો રમવાથી તૂટી જતો હોય છે જે પેલી છોકરીને ખબર પણ હોય નહિ તેવું પણ બની શકે. હ્યુમન ઇવલૂશનમાં સ્ત્રી આખી જ ખુબ કીમતી હોય તો પછી તેની વર્જિનિટિ કેમ કીમતી ના હોય? એટલે હ્યુમન ઇવલૂશન અને સેક્સ્યૂઅલ રીપ્રડક્ટિવ સક્સેસ માટે પણ સ્ત્રી ખુબ કીમતી છે. આ બાબતમાં સ્ત્રીની ઇજ્જત ખરેખર ખુબ છે જેની કદર પુરુષોએ કરવી પડે, એનો આભાર માનવો પડે. પણ પુરુષપ્રધાન સમાજે ઊલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરીને આ ઇજ્જત સાચવવાની જવાબદારી સ્ત્રીના માથે નાખી દીધી.

લાભ એમને પોતાને લેવાનો છે અને આ લાભ મળે નહી તો દોષી સ્ત્રીને માનવાનું શરુ કરી દીધું. એમની ભૂલોનો ભોગ પણ સ્ત્રીને બનવાનું અને એમની ભૂલની સજા પણ સ્ત્રીને આપવાની. આતો કોઈ આપણા ઘરમાં ચોરી કરી જાય અને જજ સાહેબ સજા ચોરને બદલે આપણને આપે તેવું છે.
આમ સ્ત્રીની ઇજ્જત સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે છે તો ખરી જ. એના ઇવલૂશનરી કારણોમાં જરા ઊંડાં ઊતરવાની કોશિષ કરીએ. એક અંગ્રેજી ગીતના શબ્દો છે,
“Some guys have all the luck. Some guys have all the pain.”

ધારી લો કે એક સમાજમાં સ્ત્રી અને પુરુષ પચાસ પચાસ ટકા છે અને પૉલીગમી પર કાયદેસર પ્રતિબંધ છે. તો એવું હોવું જોઈએ કે ૫૦ પુરુષ પરણેલા હોવા જોઈએ અને ૫૦ સ્ત્રીઓ પણ પરણેલી હોવી જોઈએ. પણ વાસ્તવમાં એવું હોતું નથી. કદી લગ્ન કર્યા નાં હોય તેવા પુરુષોની સંખ્યા કે ટકાવારી વધુ હોય છે. સ્ત્રીઓની એવી ટકાવારી ઓછી હોય છે. લગ્નવ્યવસ્થા જ્યાં સખત મજબૂત હોય તેવા દેશોની વાત જુદી હશે. પણ અમેરિકામાં એવું જ છે, અહી કુંવારા પુરુષો વધુ હોય છે, કુંવારી સ્ત્રીઓ ઓછી.

રીપ્રડક્ટિવ સક્સેસનો આધાર એક સ્ત્રી કે પુરુષ એના લાઇફ ટાઈમમાં કેટલાં સંતાન પેદા કર્યા તેના પર હોય છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ reproductive success જેમ વધુ તેમ બૅટર ગણાય. તો એવરેજ સંતાન પેદા કરી શકવાની ક્ષમતા સ્ત્રીની કેટલી અને પુરુષની કેટલી? મતલબ સ્ત્રી અને પુરુષની ઍવરિજ reproductive success કેટલી હોઈ શકે? સરખી હોઈ શકે? ધારો કે એક સામાન્ય સ્ત્રી એની લાઇફમાં વધુમાં વધુ કેટલા બાળકો પેદા કરી શકે? આશરે ગણીએ તો સ્ત્રીની લાઇફમાં ૨૫ વર્ષ એવા હોય છે યુવાનીના કે બાળકો પેદા કરી શકે. ૧૫-૪૦ વર્ષનો ગાળો કે ગણો કે થોડો આઘોપાછો ગણો. દર વર્ષે ગર્ભવતી થાય તો વધુમાં વધુ ૨૫ બાળકો થઈ શકે.

ટૂંકમાં સ્ત્રી પાસે બાળકો હોવાની મર્યાદા ૧-૨૫ હોઈ શકે. સ્ત્રી ઇચ્છે અને એને પુરુષ ના મળે તેવું બને નહિ. કોઈ પુરુષ ના પાડે તેવું બને નહિ. સાવ ગાંડી-પાગલ રખડતી ભટકતી સ્ત્રીઓને પણ પુરુષોએ ગર્ભવતી બનાવેલી છે. સામે પુરુષની બાળકો પેદા કરી શકવાની ક્ષમતા કે રેંજ જુઓ. થીઅરી પ્રમાણે  જો એક પુરુષને રોજ નવી નવી એક એક ફળદ્રુપ સ્ત્રી મળે તો વર્ષના ૩૬૫ બાળકો પેદા કરી શકે. તો ૫૦ વર્ષમાં ૧૮૨૫૦ બાળકો પેદા કરી શકે. વાસ્તવમાં આવું બનતું નથી તે વાત જુદી છે. મોરોક્કોના સમ્રાટ Moulay Ismael the Bloodthirsty(૧૬૭૨-૧૭૨૭) ૮૮૮ સંતાનો હોવાનો રિકૉર્ડ ધરાવે છે. કેટલાક ચીનના રાજાઓ એના કરતા પણ વધારે સંતાનો ધરાવતા એવું કહેવાય છે. કડવું સત્ય એવું પણ છે કે અમુક પુરુષોને સ્ત્રી નસીબ હોતી નથી. મૂર્ખાં, કુરૂપ, બીમાર, માયકાંગલા, કમજોર, નિર્ધન, દરિદ્ર એવા પુરુષોને પોતાના સંતાનના બાપ બનાવવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહિ.

આમ પુરુષની રેંજ ૦ થી શરુ થઈને ખુબ હાઈ હોય છે. કેટલાક reproductive jackpot winners હોય છે. આવા માણસ જોડે એવું કયું સાઇકૉલોજીકલ અને ફિઝિકલ adaptations  હશે જેના લીધે તે અસંખ્ય સ્ત્રીઓ પામી શક્યો અને માનવજાતના માનસરોવરમાં એના પેદા કરેલા સૌથી વધુ હંસલા તરતા મૂકી શક્યો? કડવું સત્ય છે કે એવા કેટલાય પુરુષો હોય છે જેમનાં વડે સ્ત્રીઓ કદાપિ ગર્ભવતી બનવાનું ઇચ્છતી નથી.

સ્ત્રી પુરુષની રીપ્રડક્ટિવ સફળતામાં ખુબ વિસંગતિ છે. “reproductive jackpot winners” પુરુષો  સિરિઅલ મેરેજ અને મલ્ટિપલ રિલેશનશીપ દ્વારા અસંખ્ય સ્ત્રીઓ પ્રાપ્ત કરી લેતા હોય છે. પૉલીગમી ભલેને ગેરકાયદે હોય પણ ડિવૉર્સ લઈને વારંવાર મેરેજ કરતા કોણ રોકે છે? આવા પુરુષો સ્ત્રીઓને પોતાના તરફ આકર્ષવા અસફળ રહેતા હોય તેવા પુરુષો માટે કોઈ ચાન્સ રહેવા દેતા નથી.

આમ રીપ્રડક્ટિવ સફળતા બાબતે પુરુષોમાં વિસંગતિ ઊંચા પ્રમાણમાં હોય છે. ક્યારેક ખુબ સફળતા મળે અથવા ચાન્સ જ ના મળે. સ્ત્રીઓ માટે તેવું હોતું નથી. માટે પુરુષો આ બાબતે ખુબ ડેસ્પરેટ હોય છે. અને ખુબ મોટું રિસ્ક લેતા ખચકાતાં નથી. સ્ત્રીઓ માટે જેકપોટનો સવાલ નથી તો અસફળતાનો પણ સવાલ નથી. તો પુરુષોએ જાતજાતના સાઇકલૉજિકલ અને સામાજિક અનુકૂલન સાધ્યા છે. સફળતા માટે જાતજાતના મનોવૈજ્ઞાનિક અને સામાજિક રસ્તાઓ શોધી કાઢ્યા છે.

પહેલું તો મનૉગમી શોધી નાખી. મનૉગમી સામાજિક છે, પૉલીગમી બાયલૉજિકલ છે. લગ્નવ્યવસ્થા શોધી કાઢી, દરેક પુરુષ બાયલૉજિકલી એવું ઇચ્છતો હોય કે મારા જ જેનિસ સૌથી વધુ ફેલાયેલા હોવા જોઈએ બીજાના નહિ. એમાં એવું આવ્યું કે સ્ત્રીએ બીજા પુરુષ જોડે કોઈ પણ ભોગે જવું જોઈએ નહિ. તો એમાં મનોવૈજ્ઞાનિક રસ્તો એવો શોધાયો કે જો આવું થાય તો પાપ કહેવાય, ચારિત્રહીન કહેવાય, વ્યભિચાર કહેવાય. કૌમાર્યપટલ ફક્ત મારાથી જ ભેદાવો જોઈએ. બીજા કોઈએ તોડેલો હોય તો ચારિત્રહીન કહેવાય. પહેલી રાત્રે બ્લડ નાં નીકળે તો લોચો પડી ગયો ક્યાંક જઈ આવી હશે. ચારિત્રહીન નથી તેની સાબિતી જોઈએ.

યુરોપમાં અને ઘણાબધા દેશોમાં લોહીવાળી ચાદર સવારે બધાને ભેગી કરીને બતાવવામાં આવતી હતી.. હજુ લંડનના મ્યુઝિયમમાં ચૅસ્ટિટિ બેલ્ટ જોવા મળશે. પુરુષ બહાર જાય અને ઘણા દિવસો પાછો આવવાનો નાં હોય તો યોનીપ્રદેશ ફરતો બેલ્ટ બાંધી તાળું મારી ચાવી જોડે લઈ જાય. આવા બેલ્ટ મોટાભાગે લોખંડના પણ બનતા. કેટલી બધી તકેદારી???

મર્યા પછી પણ પોતાની સ્ત્રી બીજાના જેનિસ ઉછેરીલે તેવું ના બનવું જોઈએ એમાં સતીત્વનો કૉન્સેપ્ટ આવ્યો. ભારતમાં આજસુધીમાં લાખો સ્ત્રીઓને આગમાં જીવતી હોમી દીધી હશે. ખુદ સ્ત્રીઓના બ્રેનમાં ચારિત્રહીન, વ્યભિચાર, બેવફાઈ, પતિપરમેશ્વર જેવા અનેક શબ્દોનું અર્થઘટન નાનપણથી હાર્ડ વાયરિંગ કરી ભરી દેવાનું જેથી સ્ત્રી પોતેજ એની કાળજી લે.

બળાત્કાર થયેલી છોકરીનો પોતાનો કોઈ વાંક હોતો નથી છતાં સમાજ એના પ્રત્યે નફરતથી કેમ જોતો હોય છે? ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ન્યાય થાય છે. સીતાજીનો કોઈ વાંક નહોતો છતાં હવે શ્રી રામની મજબૂરી સમજાય છે ને કેમ અગ્નિપરીક્ષા લીધી હશે? લાકડા સળગાવી પ્રવેશ થોડો કરાવ્યો હશે? એમાં તો કોઈ પણ સળગીને મરી જાય. કડક સળગી જવાય તેવા પ્રશ્નો પૂછ્યા હશે, આશંકાઓ દર્શાવી હશે, કોઈ તજજ્ઞ જોડે શારીરિક પરીક્ષણ કરાવ્યું હશે. કોઈપણ ખુબ પ્રેમ કરતી અને વફાદાર સ્ત્રી માટે આ બધું અગ્નિપરીક્ષા જ કહેવાય.

આમ સ્ત્રી કોઈ પરપુરુષ સામે જુએ તો પણ કુલટા ગણાઈ જાય અને પુરુષ બધે ફરતો ફરે તો કૃષ્ણ કનૈયાલાલ કહી ગર્વ અનુભવે. સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે ખરેખર સ્ત્રી કીમતી છે, ભારે કીમતી છે. કારણ એક તો લિમિટેડ એગ્ઝ લઈને જન્મે છે, એની સંતાન પેદા કરવાની ક્ષમતાની રેંજ પણ લિમિટેડ છે. તો પુરુષોએ એની ઇજ્જત સાચવવાની છે. સ્ત્રીને કશું થાય તો untitled===પુરુષોએ લજ્જિત થવાનું છે. એક સ્ત્રી પર બલાત્કાર થાય તો પુરુષોએ શરમ અનુભવવાની જરૂર છે. એના બદલે પુરુષો સ્ત્રીને લજ્જિત કરે છે.

ઘણાં દેશોમાં ખાસ તો અમુક મુસ્લિમ દેશોમાં એક છોકરી પર બલાત્કાર થાય તો પેલો હરામી તો છૂટી જાય છે પણ પેલી છોકરીને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે છે. એક નાના પડદામાં સ્ત્રીની ઇજ્જત કઈ રીતે સમાઈ જાય? પણ પુરુષોએ સમાવી દીધી છે. સ્ત્રી પોતે પણ એવું માનતી થઈ ગઈ હતી..એટલે કોઈ બળજબરી કરી પેલો પડદો તોડી નાખે તો રડી ઊઠતી કે ‘ માં ઉસને મેરી ઇજ્જત લૂંટ લી’…

યુરોપના કોઈ ગામમાં એક ભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું હશે. એણે એની પત્નીના બિકીની એરિઅમાં ચૅસ્ટિટિ બેલ્ટ બાંધ્યો તાળું માર્યું અને ચાવી એના ખાસ મિત્રને આપી કહ્યું કે ભાઈ હું દસેક દિવસ માટે બહારગામ જાઉં છું. કોઈ ઇમર્જન્સીમાં બેલ્ટ ખોલવો પડે તો તને ચાવી આપી રાખું છું. મને તારા પર વિશ્વાસ છે. આટલું કહી તેણે ઘોડો મારી મૂક્યો. એકાદ કલાક પછી એણે જોયું કે કોઈ બીજો ઘોડેસવાર માર માર કરતો એની પાછળ આવી રહ્યો છે. તે થોભી ગયો. પેલો પાછળ આવતો ઘોડેસવાર એનો ખાસ મિત્ર જ હતો જેને તે ચાવી આપીને આવેલો. એને નવાઈ લાગી કે આ કેમ પાછળ આવ્યો હશે? નજીક આવતા જ પેલાં પાછળ આવનાર મિત્રે બૂમ પાડી કહ્યું અરે તે તો ખોટી ચાવી આપી છે…

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
મિત્રો વધુ વાંચવા માટે નીચેની લીંક પર જઈ તમારા સ્માર્ટ  ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો. ફ્રીમાં ઘણુબધું ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

200px-Somnath_temple_ruins_(1869)

અવતાર

imagesCAJDO3OFઅવતાર

આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. અવતારવાદની ધારણાએ લોકો રાહ જોતા હોય છે કે ભગવાન અવતરશે અને બધું સારું થઈ જશે. ખાલી ભારતમાં જ કેમ અવતારો અવતરે? બીજા દેશોમાં કે બીજા ધર્મોમાં કેમ નહિ? અને જિસસ કે મોહમદ ને અવતાર માનો તો ફક્ત એક એક જ કેમ? બીજા ક્યાં છુપાઈ ગયા? શું તે લોકો ભગવાનના અળખામણા છે? ખાલી ભારત જ પુણ્યભુમી છે?

મૂળ તો અવતારો ઉપરથી અવતરે તે ધારણા જ ગલત છે. અવતારોની ધારણા રૂપક છે. રૂપકને સાચા માની લેવા મૂર્ખતા છે. પ્રાચીન મનીષીઓ પાસે વાર્તાઓ કહેવાની કળા હતી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પાન્ઝી છીએ. વાર્તાઓ કહીને બાળકોને સમજણ આપવાની આપણી કળા છે. મને એમાં ઈવોલ્યુશન દેખાય છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલો અવતાર મત્સ્ય અવતાર, તો પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે. પછી કૂર્મ અવતાર થયો તે માછલી કરતા વધુ વિકસેલો સજીવ છે. જમીન ઉપર પણ ફરી શકે છે અને પાણીમાં પણ ફરી શકે છે. માછલી જમીન ઉપર ફરી શકતી નથી તો કૂર્મ એટલે કાચબાને અવતારી મતલબ વિશિષ્ટ ગણવો જ રહ્યો. પછી વરાહ અવતાર આવ્યો. ધરતીને ખોદી નાખતું મેમલ પ્રાણી. કથા પણ એવી જ છે ધરતીને એના દંત ઉપર ધરીને રાક્ષસનાં પંજામાંથી છોડાવી લાવ્યું. પછી આવ્યો નૃસિંહ અડધો પશુ અડધો માનવી. ૩૦ લાખ વર્ષ જુનું લ્યુસી નામ આપેલું ફોસિલ મળ્યું છે જે અડધું પશુ અને અડધું માનવી બેપગે ચાલતું હશે તેવું છે..

પછી વામન અવતાર આવ્યો. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું ફોસિલ મળ્યું હતું. વૈજ્ઞાનિકોને એમ કે કોઈ બાળકનું હશે પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે પુખ્ત ઉંમરની સ્ત્રીનું હતું. પૃથ્વી પર એક આવી માનવોની જાત વિકસેલી હતી જે કદમાં સાવ નાની હતી. કાળક્રમે એનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. એવું પણ બને કે પહેલા આખા ભારતમાં અનાર્યોનું રાજ હતું. આર્યો બહારથી આવ્યા અને એમના કોઈ બટકા મહાપુરુષે અનાર્યોને ખદેડી મૂક્યા હોય દક્ષિણ ભારત બાજુ એને વામન અવતાર ગણતાં હોય. આજે પણ બલિરાજાની પૂજા દક્ષિણ ભારતમાં થાય જ છે. વામન અવતાર સાથે મહામાનવોને અવતાર માનવાનું શરુ થયું. પછી આવ્યા પરશુરામ. પરશુરામે કયા દિવ્ય કાર્યો કર્યા હતા? ક્ષત્રિયાણીઓના ગર્ભ ચીરીને ગર્ભસ્થ બાળકોની હત્યા કરનાર કઈ રીતે દિવ્ય કહેવાય? સોચો જરા? એક ક્ષત્રિયનાં પાપે સમસ્ત ક્ષત્રિયોની હત્યા? તે પણ એકવીસ વખત? ક્ષત્રિયોના લોહી વડે પાંચ પાંચ તળાવ ભરેલા. અતિશયોક્તિ હશે પણ આમાં કોઈ અવતારી કાર્ય જણાતું નથી. હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે. દિવ્યતાની વાતો છોડો પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા ચિરંજીવ જ છે.

પછી આવ્યા રામ. એમની કથા એટલી બધી કહેવાઈ ગઈ છે કે હવે રસકસ હીન થઈ ગઈ છે. લોકો અજાગ્રત પણે એમની કથા હજારો વર્ષથી સાંભળે જ જાય છે. એમની કથા કુશળ વક્તાઓને સામે મૂર્ખ શ્રોતાઓના ટોળા મળી રહેવાથી પેટ ભરવાનું મુખ્ય સાધન બની ચૂક્યું છે. શ્રી. વર્ષા અડાલજા સંદેશમાં ચંદરવો નામની થાંભલી લખે છે, એમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છે કે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરીક્ષા ક્યારે બંધ થશે? હું મજાકમાં કહેતો હોઉં છું કે જ્યાં સુધી કથાકારો રામાયણ વાંચતા રહેશે ત્યાં સુધી બંધ નહિ થાય.. હહાહાહાહા

પછી આવ્યા શ્રી.કૃષ્ણ એક મહાન ઐતિહાસિક યોદ્ધા. હા! તો મિત્રો, આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. રાજાઓને ભગવાન માનવાની આ દેશમાં પ્રથા છે. ગીતા કૃષ્ણનો મહાન સંદેશ ગણો કે વ્યાસજીએ કૃષ્ણના મુખે સર્વે ઉપનિષદનો સાર મૂકી દીધો પણ આ “સંભવામિ યુગે યુગે” મૂકીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.. “પરિત્રાણાય સાધૂનામ, વિનાશાયચદુષ્ક્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” નિત્ય ગાનારી પ્રજા કદી ક્રાંતિ કરી શકે નહિ…ભગવાન આવશે બધું કરશે આપણે શું???

ધીમે ધીમે ભગવાન કે અવતાર પણ સુસંસ્કૃત થતા જતા હોય તેવું લાગે છે. એમાં પણ ઈવોલ્યુશન થતું લાગે છે. પરશુરામ જેટલા રામ અને કૃષ્ણ ક્રૂર નહોતા. માનવીય સંવેદનાઓથી ભરેલાં હતા. કૃષ્ણ પછી બધું ઠપ્પ થઈ ગયું. કલ્કી ભવિષ્યની કલ્પના હતી. ભૂતકાળની કલ્પનાઓમાં ક્યાંક કૃષ્ણ ઐતિહાસિક હતા તેવા પુરાવા મળે છે. બુદ્ધને હિંદુ ધર્મની ધારામાં અવતાર માનવા તે બહુ મોટો દંભ છે. કૃષ્ણ સુધીના તમામ અવતારો યુદ્ધખોર હતા. બુદ્ધ તો અહિંસક હતા. બુદ્ધ પોતાને હિંદુ માનતા હતા ખરા? બુદ્ધે ઈશ્વરનો ઇનકાર કર્યો. અલગ ધર્મ સ્થાપ્યો. હિંદુ રાજા પુષ્યમિત્ર શૃંગે એક એક બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરના ઇનામ જાહેર કરેલા. બૌદ્ધ ધર્મને હિન્દુઓએ બહાર ખદેડી મૂક્યો અને હિંદુઓ હવે બુદ્ધને અવતાર ગણે તો નર્યો દંભ જ કહેવાય.

ઘેટાઓ માટે એમના ભરવાડ હમેશાં અવતાર જ હોય છે.

વીજળીના ચમકારે મોતીડા પરોવીએ

imagesCAPCJ2IPવીજળીના ચમકારે મોતીડા પરોવીએ

એક ઘરમાં બે ભાઈઓ હતા. મોટોભાઈ તો બરોબર હતો પણ નાનો જન્મથી થોડી ખામીઓ લઈને જન્મ્યો હતો. નાનો બહેરો હતો માટે બોબડો પણ હતો. સાથે સાથે થોડો જંગલી જેવો પણ હતો. આમ તો બે ભાઈઓ ખુબ સંપીને રહેતા હતા પણ કોઈવાર મોટાભાઈની ભાષા પેલો મૂંગો સમજી શકતો નહિ. એટલે ઘણીવાર સંઘર્ષ સર્જાતો. અને ક્યારેક વળી બોબડાની ઇશારાની સાંકેતિક ભાષા મોટાભાઈ સમજી શકતા નહિ એટલે મૂંગો ગુસ્સે ભરાઈ જતો. પણ હતા ખુબ સંપેલા. મૂંગા નાનાભાઈનાં તોફાનો કે કહેવાતી ગલત હરકતો વિષે કોઈ ફરિયાદ કરે તો મોટો તરત એનો પક્ષ લઈ એના કારણ દર્શાવી દેતો, લોકો ચુપ થઈ જતા. એ બાબતમાં મોટો બહુ હોશિયાર હતો..એકવાર નાનાભાઈએ એક અસહાય છોકરી પર બળાત્કાર કરી નાખ્યો. લોકો ફિટકાર વર્ષાવવા લાગ્યા મોટાએ તરત બચાવમાં કહી દીધું કે પેલી છોકરી એકલી શું કામ નીકળી? એણે ટૂંકા કપડાં શું કામ પહેર્યા હતા? પુરુષો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો કોઈ ભવિષ્યમાં છોકરી નહિ આપે, કુંવારા મરી જશો. અસહાય હતી તો બળાત્કાર એન્જોય કરી લેવા જેવો હતો, ભાઈ કહીને કરગરી પડવા જેવું હતું. વગેરે વગેરે….લોકો છક્કડ ખાઈ ગયા કે આ મોટો શું બોલે છે? કાયમ ઉચ્ચ આદર્શોની વાતો કરનારો કેમ આવો બકવાસ કરે છે? નાનાભાઈની કહેવાતી દરેક ગલત હરકતની સુંદર વ્યાખ્યા થઈ જતી..બંને કાયમ લડતા અને સંપીને રહેતાં આ બે ભાઈઓની કહાણી દરેકના ઘરમાં હોય છે, મારા તમારા સહુના. હા ! તો આ મોટાભાઈ છે તે બોલી શકતા વિચારી શકતા મોટું મગજ છે જેને કોર્ટેક્સ કહીએ છે અને નાનાભાઈ છે તે મેમલ બ્રેઈન કે નાનું મગજ કે લીમ્બીક સીસ્ટમ કહેવાય છે. લીમ્બીક સિસ્ટમમાં વળી રેપટાઈલ બ્રેઈન પણ સમાયેલું છે. જે આપણને સરીસર્પ પાસેથી મળેલું છે.

ઉત્ક્રાંતિની શરૂઆતમાં જે આદિમ પ્રાણીઓ વિકસ્યા તેમની પાસે શબ્દોની કોઈ ભાષા નહોતી. એમની પાસે ફક્ત રસાયણો હતા. સાપ જેવા ઘણાં પ્રાણીઓએ સર્વાઈવલનાં યુદ્ધ ઝેર વિકસાવીને જીત્યા છે. આ ઝેર પાચક રસો પણ હતા. માનવ સિવાય શબ્દોની ભાષા કોઈ પ્રાણી પાસે છે નહિ. માનવ જેટલું મોટું કોર્ટેક્સ પણ કોઈ પ્રાણી પાસે છે નહિ. ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પાસે થોડું ઘણું કોર્ટેક્સ છે માટે બુદ્ધિશાળી ગણાતું હોય છે. તો આ બોલી નહિ શકતા ઝાઝું વિચારી નહિ શકતા પ્રાણીઓ પાસે કેમિકલ્સની ભાષા છે. સર્વાઈવલ માટે જોખમ પેદા થાય તો કોર્ટીસોલ જેવા રસાયણ બ્રેઈનમાં સ્ત્રવે તરત દુઃખ, તકલીફ, બેચેની મહેસુસ થાય તરત એનો ઉપાય થાય હવે સુખ અર્પતાં રસાયણ છૂટે અને પાછાં હતા તેવા. એક મહત્વની વાત કે મેમલ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. કારણ સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબ વધી જાય..એકલાં પડો તો કોઈ પ્રીડેટર આવીને ચાવી જાય. દાખલા તરીકે એક ઘેટાનું બચ્ચું ટોળા બહાર નીકળી જાય ભૂલમાં અને એને ખ્યાલ આવે કે એકલું પડ્યું છે તરત એના મેમલ બ્રેઈનમાં cortisol સ્ત્રાવ થવા માંડે તરત બેચેની અનુભવાય મેં..મેં…મેં..કરવા લાગે દુખી દુઃખી થઈ જાય. એની માં આવી જાય એને ટોળામાં પાછું લઈ જાય, એને ચાટવા લાગે એટલે તરત ઓક્સીટોસીન સ્ત્રાવ થવા લાગે બંનેના બ્રેઈનમાં, જે સુખ અર્પે એક બીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના જાગે. બચ્ચું ખુશ થઈને માં સાથે ગેલ કરવા લાગે..મારી પોસ્ટને કોઈ લાઈક આપતું નથી કે કોમેન્ટ્સ આપતું નથી એવી ફરિયાદ પેલાં બચ્ચાના મેં..મેં..મેં.. જેવું નથી લાગતું? કરોડો વર્ષોના અનુભવ લઈને આ રાસાયણિક સીધી સાદી ભાષા વિકસેલી છે. આ ઓક્સીટોસીન મેમલને સમૂહમાં રહેવાની સહકારથી રહેવાની પ્રેરણા આપે છે. સરીસર્પમાં ઓક્સીટોસીન ફક્ત સેક્સ સમયે જ સ્ત્રવે છે બાકી નહિ. માટે સેક્સ પૂરતાં જ સરીસર્પ ભેગાં થાય છે. બાકી હમેશાં એકલાં રહેતાં હોય છે.

સેરેટોનીન, ડોપામીન, ઓક્સીટોસીન, એન્ડોરફીન, કોર્ટીસોલ જેવા બીજા અનેક ન્યુરોકેમિકલ્સ મેમલ બ્રેઈનની ભાષા છે. જે આશરે ૨૦૦૦ કરોડ વર્ષ કરતા જૂની છે. ચિંતનમનન કરતું કોર્ટેક્સ તો આની આગળ બાળક કહેવાય. એટલે ૨૦૦ મીલીયંસ વર્ષથી ઇવોલ્વ થયેલું મેમલ બ્રેઈન જીતી જતું હોય છે. જે ફક્ત સર્વાઈવલ અને સેકસુઅલ રીપ્રોડક્શનની ભાષા બહુધા જાણતું હોય છે. કોર્ટેક્સની પ્રોડક્ટ એવી તમામ મોરાલીટી હમણાં આવી છે, બહુ જૂની નથી. ભારત પાસે સૌથી પહેલું બહુ સારું વિકસેલું કોર્ટેક્સ હતું માટે ભારતે દુનિયાને બહુ ઉચ્ચ આદર્શો આપ્યા છે. કેટલાક બુદ્ધિશાળી તર્ક અને હકારાત્મક લાગણીઓનો સુમેળ ધરાવતા મહાપુરુષોએ સત્ય, અહિંસા, વસુધૈવ કુટુમ્બકમ, સાંખ્ય, ઉપનિષદો, અદ્વૈતવાદ આવા અનેક કૉન્સેપ્ટ ભારતને આપ્યા જે આખી દુનિયામાં ફેલાયા. અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમ પાછળ માનવતાવાદ આવ્યો. પણ મેમલ બ્રેઈન આ બધી અમૂર્ત વિચારધારાઓનું પ્રોસેસિંગ કરી શકતું નથી. તર્ક અને બુદ્ધિ કોર્ટેક્સની પેદાશ છે. મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવતા આક્રમણકારીઓ ભારત પર ચડી આવ્યા અને જીત્યા પણ ખરા. સર્વાઈવલ માટેનો પહેલો રિસ્પૉન્સ હોય છે લડો અથવા ભાગો કે શરણે થઈ જાવ. ભારતે સર્વાઈવલ માટે શરણે થઈ જવાની નીતિ અપનાવી લીધી. એક મહાન સંસ્કૃતિ આજે સાવ કમજોર અને કાયર બની ચૂકી છે.

એક ગલત ધારણા છે કે બુદ્ધિજીવી જે તર્કને મહત્વ આપતો હોય તેવા લોકો હમેશાં ક્રૂર અને લાગણીવિહીન હોય છે. ઊલટાનું લાગણીશીલ માણસ જ વધુ ક્રૂર બની શકતો હોય છે. એની કાચના ટુકડા જેવી લાગણીને ક્યારે ઠેસ પહોચે કોઈને ખબર પડે નહિ. અને પછી તેને ક્રૂર બનતા જરાય વાર લાગે નહિ. વધારે પડતા ઈમોશન્સ તમને પશુ બનાવી દે તેમાં નવાઈ નહિ. કહેવાતા નાસ્તિક અને રેશનલમાં પણ ફરક હોય છે. રેશનલ વિચારશે કે આની પાછળ કોઈ તર્ક છે ખરો? સાચો રેશનલ કદી ક્રૂર બની નહિ શકે. જે સ્ટાલિન, માઓ જેવા નાસ્તિકોએ ઇતિહાસના પાનાઓ પર ક્રૂરતા આચરી છે. તે લોકો માટે નાસ્તિકતા એક ધર્મ જ હતો અને આ લોકો એ ધર્મ બાબતે ધર્માંધ હતા. ધર્મોના પાખંડ અને સમાજના ઉપલા વર્ગના નીચલાં વર્ગ પરના શોષણની પ્રતિક્રિયા સ્વરૂપે એમણે એક નવો ધર્મ વિકસાવ્યો નાસ્તિક એવો સામ્યવાદ અને એના અમલીકરણ માટે ક્રૂરતા આચરી. કાર્લ માર્ક્સ જેવા બુદ્ધિજીવીએ સામ્યવાદની અમૂર્ત વિચારધારા આપી પણ એનો અમલ કરાવવાવાળા મેમલ બ્રેઇનનુ પ્રભુત્વ ધરાવનારા હતા. અને એટલાં માટે તમામ નાસ્તિકો અને રેશનાલીસ્ટ માટે ગલત ધારણા બંધાઈ જાય છે કે આ લોકો ક્રૂર અને લાગણીવિહીન હોય તેમાં કોઈ નવાઈ નહિ. સામૂહિક હત્યા કરનારને તમે બુદ્ધીજીવી કે રેશનલ સમજો તો તમારી બહુ મોટી ભૂલ છે, અને એની સાથે કોઈ રેશનલને સરખાવી પોતાની જાતને બહુ માનવતાવાદી લાગણીશીલ સમજો તો તે મહાભુલ છે. ચાલો થોડા દાખલા આપી સમજાવું ગમશે તો નહિ પણ એટલી હિંમત તો કોઈએ કેળવવી પડશે ને?

પહેલો દાખલો ભારતના ભાગલા પડ્યા તેનો જુઓ. ભારત પાક સરહદે અને બંગાળમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા એમાં તર્ક હતો ખરો? શાસનકર્તાઓએ ભાગલા પાડ્યા હતા. કોઈ પ્રજાએ તો પાડ્યા નહોતા. જે હિંદુ મુસ્લિમ આઝાદીની લડાઈ ખભે ખભા મિલાવીને લડ્યા હતા તે જ લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. આશરે ૧૦ લાખ માનવી કપાઈ માર્યા. અતિશય લાગણીઓમાં તણાઈ ગયેલા લોકોએ એકબીજાની હત્યા કરી. સ્ત્રીઓના સ્તન કાપી નાખેલા એમાં કોઈ તર્ક હતો? એક જ તણખો અને અહિંસાના ઉચ્ચ આદર્શની હત્યા થઈ ગઈ, એક જ તણખો અને ભાઈચારાની હોળી થઈ ગઈ. કેમ કે પ્રજાનું મેમલ બ્રેઈન જાગૃત થઈ ગયું. સર્વાઈવલ માટે ખતરો પેદા થઈ ગયો. માનવતા હણાઈ ગઈ. જો બુદ્ધિ અને તર્કનો ઉપયોગ થયો હોય તો આટલી હત્યાઓ થાય જ નહિ. ગાંધીની હત્યા તો ત્યારે જ થઈ ચૂકી હતી. ગોડસેએ તો એક લાશની હત્યા કરી હતી. ગોડસે આણી મંડળી પ્રખર રાષ્ટ્રવાદી અને અતિ સંવેદનશીલ હતી.

એક મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા નેતાને પ્રથમ નંબરે રહેવાનો ચસકો કાયમ હોય છે. હવે તેણે અયોધ્યામાં થોડા એવા માણસોના ટોળા ભેગાં કર્યા એમાં ઇસ્લામ ખતરેમે કઈ રીતે આવી જાય? ઇસ્લામ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. પણ પોતાના સમૂહ પર ખતરો મંડાઈ ગયો હોય તેવી લાગણીઓ ઊભરાઈ ગઈ. આખા ભારતમાં અને દુનિયામાં મુસ્લિમો છે પણ થોડા મુસ્લિમો ભાવનાઓના પૂરમાં બહેકી ગયા અને નિર્દોષ લોકોથી ભરેલો ડબો સળગાવી દીધો. છતાં માનીએ તો સજા એ લોકોને થવી જોઈએ જેમણે આવું જઘન્ય કૃત્ય કર્યું હોય. તર્ક એમાં હતો કે ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમોને સજા થવી જોઈએ. પણ વડોદરાના રેલવે સ્ટેશને બેઠેલા વૃદ્ધ ચાચાને તો ખબર પણ નહોતી આ બનાવની એની હત્યા કોઈએ છરી મારી કરી નાખી એમાં કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરાજીની હત્યા કરી નાખી એમાં તો કોઈ તર્ક હતો જ નહિ પણ એના લીધે બીજા બેત્રણ હજાર શીખોની કત્લેઆમ મચાવવામાં પણ કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? ગોધરા કે શીખ હત્યાકાંડ કરનારાઓ અતિશય ભાવનાશીલ મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા હતા જેમને પોતાના સમૂહ પર ખતરો દેખાયો. રેશનાલીસ્ટને વખોડવા હમેશાં હિટલરનું ઉદાહરણ આપનારા ભૂલી જાય છે કે હિટલર આદિમ મેમલ બ્રેઈન ધરાવતો હતો કોઈ રેશનલ બુદ્ધિજીવી નહોતો. એને એના જર્મનીને મિત્ર દેશની ચંગૂલમાંથી છોડાવવું હતું. જર્મન પ્રજાના સર્વાઈવલનો સવાલ હતો.

હવે જરા inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) સમજી લઈએ. Gene pool માં મારા જિન્સ સૌથી વધુ ફરતા હોવા જોઈએ. નાં સમજાયું? માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ. હવે સમજાઈ જવું જોઈએ. એના માટે એક તો સૌથી વધુ મારા વારસદારો પેદા કરવા પડે. મારો સમૂહ એટલે મારા જ હંસલા ગણાય. મારા ભાઈઓ, કુટુંબીઓ, સગાવહાલાં અને મારી જાત કે કોમનું પ્રભુત્વ કે બહુમતી Gene pool માં રહેવી જોઈએ. અને મારા આ વારસદારો અને મારા જ સમૂહનું પ્રભુત્વ રહે તે માટે સહકાર, સદભાવ, પરોપકાર, અને પરમાર્થ કરવો પડે. હવે એની ડાર્ક સાઇડ જોઈએ. માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ તો બીજા તરતા હંસલાઓને ખતમ કરો મારા હંસલાઓની સંખ્યા અને પ્રભુત્વ ઓટોમેટીક વધારે રહેવાનું. ગ્રૂપનો કબજો લેનારો નવો સિંહ પહેલું કામ ગ્રૂપમાં રહેલા તમામ નાના બચ્ચાને મારી નાખે છે. ચાલો હવે હિટલર તરફ વળીએ. હિટલર સમજતો હતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે. એટલાં માટે એણે વેદોમાંથી સ્વસ્તિક શોધી એના મુખ્ય ચિન્હ તરીકે મૂક્યો હશે તેવું મારું માનવું છે. યહૂદી અશુદ્ધ લોહી છે એનો નાશ થવો જોઈએ. ૬૦ લાખ યહૂદી હંસલાઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. કોઈ રેશનલ આવું કૃત્ય કરી શકે જ નહિ. મોરાલીટી રેશનલ બ્રેઈનની શોધ છે, બુદ્ધિજીવી અને તર્કમાં માનવાવાળા લોકોની શોધ છે. પોજીટીવ લાગણીઓનું પ્રભુત્વ ધરાવનારા લોકોની શોધ છે. મેમલ બ્રેઈન કોઈ મોરાલીટીમાં માનતું નથી. એની ફક્ત એક જ મોરાલીટી છે સર્વાઈવલ..સર્વાઈવલ…અને સર્વાઈવલ…

ચીનમાં રાજાઓ બસો ત્રણસો રાણીઓ રાખતા. અઢળક છોકરાં પેદા કરતા. સૌથી ક્રૂર હત્યારો ગણાતા ચંગીઝખાનના જિન્સ ૧૬ મીલીયંસ લોકોમાં છે તેવી વૈજ્ઞાનિકોની ધારણા છે. આ આદિમ મેમલ બ્રેઈન ધરાવતા મુઘલો બહુ ક્રૂર હતા. નિર્દોષ પ્રજાના માથા ભાલા પર ચડાવી એમની ક્રૂરતાનું પ્રદર્શન કરતા. તો માનવતાવાદ ફેલાવવો હશે તો મેમલ બ્રેઇન અને તેના ઈવોલ્યુશનરી ફોર્સ સમજવા પડશે. મેમલ બ્રેઈનનો માનવતાવાદ, સહકાર અને પરોપકાર ફક્ત એના સમૂહ પૂરતો હોય છે. માનવતાવાદને વૈશ્વિક બનાવવો હશે તો મેમલ બ્રેઈનને સમજ્યા વગર નહિ બને. પહેલા રોગ સમજો ઘણીવાર રોગ સમજાઈ જાય તો દવાની જરૂર પડતી નથી. રોગની સમજ ખુદ દવા બની જતી હોય છે. પહેલા તાવ આવ્યો છે તેવી ખબર તો પડવી જોઈએ ને? કે પછી તાવને જ ઉત્સવ માનવો હોય તો કોઈ ઉપાય નથી.. ૫૦૦૦ વર્ષથી ગીતા વાંચીએ છીએ કોઈ ફરક પડ્યો લાગે છે? ૨૦૦૦ વર્ષથી કુરાન અને બાઈબલ વાંચીએ છીએ કોઈ ફરક લાગે છે? સૌથી વધુ હત્યાઓ આ પોતાના ધર્મ પ્રત્યે અત્યંત લાગણીશીલ લોકોએ કરી છે.

તાર્કિક અને બુદ્ધિજીવી મેમલ બ્રેઈન સાથે જ જન્મ્યો હોય છે. એકલું કોર્ટેક્સ લઈને તો કોઈ જન્મતો નથી. એકલી લાગણીઓ જંગલી ઘોડા જેવી હોય છે. એના પર તર્ક અને બુદ્ધિની લગામ લઈને બેસો તમને ક્યાંથી ક્યા પહોચાડી દેશે. તમને બુદ્ધ, મહાવીર જિસસ બનાવી દેશે. પણ તર્ક અને બુદ્ધિની લગામ વગર એના પર બેસો તો તમને હિટલર, સ્ટાલિન, માઓ કે ઓસામા બિન લાદેન બનાવી દેશે.

હાલના પ્રખર માનવતાવાદી અને ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ Richard Dawkins કહે છે Let us try to teach generosity and altruism, because we are born selfish.

imagesCA05HRYU

સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

imagesCA9Q43HE સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

ડિસેમ્બર ૧૪, ૨૦૧૨ નો દિવસ અમેરિકન ઇતિહાસમાં કાળા કલંક તરીકે આલેખાઈ ગયો. કનેક્ટીકટ રાજ્યની ફેરફિલ્ડ કાઉન્ટીના ન્યુટાઉન ગામની સેન્ડી હુક એલીમેન્ટરી સ્કૂલમાં ૨૦ વર્ષના Adam Peter Lanza નામના ડાહ્યાં ડમરા દેખાતા ભાઈએ ઘૂસી જઈને રૂમે રૂમે ફરીને ૬-૭ વર્ષની વયના ૨૦ ફૂલોને ગોળીઓ મારી મસળી નાખ્યા. અને તેમને બચાવવા પ્રયત્ન કરતી ૬ શિક્ષિકાઓને પણ હણી નાખી, પછી પોતે પણ ગોળી ખાઈને દેવલોક પામ્યા. ૨૦૦૭મા વર્જીનીયા એન્જીનીયર કૉલેજમાં પણ આવું બનેલું. લાન્ઝાભાઈ ઘરથી નીકળ્યા આવું પરાક્રમ કરવા તે પહેલા એમના માતુશ્રીને દેવલોક પહોચાડીને નીકળ્યા હતા જેથી માતાને પાછળથી પસ્તાવું નાં પડે કે આ પાગલને શું કામ જણ્યો? Bushmaster XM-15 પ્રકારની રાઈફલ લઈને ભાઈએ મોટું પરાક્રમ કરી નાખ્યું હતું. માતુશ્રીને વળી અલગ ગન વડે ઢાળી નાખ્યા હતા. મૂળ માતુશ્રી પોતે અનેક જાતની રાઈફલો રાખવાના શોખીન હતા. લગભગ એક ડઝન આવા ઘાતક હથિયાર એમની પાસે હતા. લાન્ઝાને ઓળખનારા એને ઈન્ટેલીજન્ટ, બેચેન અને નર્વસ વ્યક્તિ તરીકે જાણતાં હતા. કદાચ ઓટીઝમ વડે પણ પીડાતો હોય. એનો કોઈ ખાસ મિત્ર હતો નહિ. માનસિક સ્વસ્થતા માટે મિત્રો જરૂરી છે. લગભગ એકલવાયો હતો. એની માતા સિંગલ મધર હતી. એનો એક્સ હસબન્ડ ખાધાખોરાકીના પૈસા આપતો હતો.

 

ફુલ જેવા, લગભગ ગુલાબના ગોટા જેવા આ નાનકડાં બાળકોને શું કામ રહેંસી નાખ્યા હશે? આખું અમેરિકા શોકગ્રસ્ત બની ગયું હતું. ૨૮,૦૦૦ વસ્તી ધરાવતું આ ટાઉન ખુબ શાંત કૌટુંબિક વાતાવરણ ધરાવતું ગણાતું હતું. છેલ્લા દસ વર્ષમાં ફક્ત એક જ ખૂનનો બનાવ બનેલો હતો. બે દિવસમાં સંવેદનશીલ પ્રમુખ ઓબામાં અહીં આવી પહોચ્યા હતા. ત્રાસવાદીઓ સામે સખત પગલા લેનાર આવા પ્રસંગે એમના આંસુ રોકી શકતા નથી. વાણીસ્વાતંત્ર્ય, કોઈ પણ ધર્મ પાળવાની છૂટ અને નાં પાળવાની છૂટ અને એવા બીજા બંધારણીય મૂળભૂત હકોમાં હથિયાર રાખવાની છૂટ પણ અમેરિકાના બંધારણમાં છે. ગન મેળવવા લાઇસન્સ તો બધે લેવું પડતું હોય છે, પણ અમુક રાજ્યોમાં બહુ સહેલાઈથી આવા લાઇસન્સ મળી જતા હોય છે અને છૂટથી ગન ખરીદી શકાતી હોય છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી અને કેલીફોર્નીયા જેવા અમુક જ સ્ટેટમાં સખત કાયદા છે જેથી ગન સહેલાઈથી રાખી શકો નહિ. અમુક રાજ્યોમાં ચણામમરાની જેમ હથિયારો વેચતા હોય છે. ઓબામાં ગન કંટ્રોલ એક્ટ મજબૂત બનાવવાની ફિરાકમાં જ હતા. આ બનાવ પછી એમને સારો એવો સપોર્ટ મળશે. ૧૦૦,૦૦૦ માણસોએ તો સહી કરીને આવેદનપત્ર આપી દીધું છે. છતાં અહીંના રૂઢિચુસ્ત લોકો આપણી ખાપ પંચાયતને શરમાવે તેવા છે.images

 

Spree killing કરતાં લોકો મોટાભાગે પુરુષો જ હોય છે અને તે પણ સાવ યુવાન ૨૦ વર્ષની આસપાસના કે ટીનેજર. અને છેલ્લે પોતે જાતે જ આત્મહત્યા કરતા હોય છે કે પછી પોલીસની ગોળી ખાઈ મરતા હોય છે. ૧૪ વર્ષ પછી કશુંક એવું છોકરાઓમાં બને છે જે છોકરીઓમાં નથી બનતું, આ સમયમાં છોકરાઓ વધુ હિંસક બની જતા હોય છે. ૧૪ થી ૨૦ વર્ષના છોકરાઓ આમાં વધુ સંડોવાયેલા હોય છે. અભ્યાસ બતાવે છે ૧૪ થી ૨૦ વર્ષનો ગાળો છોકરાઓ માટે ખુબ ક્રીટીકલ હોય છે. છોકરાઓ શારીરિક હિંસા પર વધુ દોરવાતા હોય છે. એકલાં અમેરિકા નહિ આખી દુનિયામાં આવું જોવા મળે છે.

 

પોતાના વંશ માટે સ્વાર્થ અને પરોપકાર, બીજા વંશ પ્રત્યે આદાનપ્રદાન અને સહકાર વડે તમારા જિન્સ બીજી પેઢીમાં વધુ સારી રીતે ટ્રાન્સ્ફર કરી શકો છો તે સમજી શકાય તેવું હોય છે અને આમ કરીને તમારી inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) વધારી શકાય છે. બીજા સાથેના વ્યવહારમાં નુકશાન જાય ત્યારે વેરભાવના ઊભી થતી હોય છે. વેર વાળવામાં તો બીજા સાથે પોતાને પણ નુકશાન થાય છે. Spree killing વેરનો ભયાનક દાખલો બની જતો હોય છે. દરેકના જીવનમાં ક્યાંક વેર વાળવાનું બનતું હોય છે. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાની ઇચ્છા દરેકને થતી હોય છે. એમાં પોતાને પણ નુકશાન થઈ જતું હોય જ છે. માટે સુજ્ઞજનો વેર વેરથી શમે નહિ એમ કહેતા હોય છે.

 

The Dark Side of Human Nature: The Relativity of Inclusive Fitness

 

ઈવોલ્યુશન ઇચ્છતું હોય છે કે તમારા જિન્સની બને એટલી કોપી પાછળ બીજી પેઢીમાં મૂકતા જાવ. એનો સરળ ઉપાય ઘણા બધા સંતાનો હોય એમાં છે. વ્યાપક આનુષાન્ગિક સુયોગ્યતા(Inclusive Fitness) સાપેક્ષ છે કોઈ ઍબ્સલૂટ સત્ય તો છે નહિ. નેચર absolute inclusive fitness એવું કહેતું નથી. ભાઈ બે છોકરાં થઈ ગયા કે ચાર ભાઈ બહેનોને ખુબ મદદ કરી ગુડ જોબ, બહુ સરસ જિનેટિક ડ્યુટી બજાવી, હવે ઝાડ પડ્યું ને જગ્યા થઈ કે ફુલ ગયુંને ફોરમ રહી એવું કહી શકાય તેવું કરો. કુદરતના કાનૂનમાં relative inclusive fitness શબ્દ છે. તો આપણું સાયકોલોજીકલ એડપ્ટેશન જે છે એમાં સ્થિત રહેવાનું છે નહિ, Do better. એક કદમ આગળ વધો. ઇન્કલૂસીવ ફિટનેશ સ્કોર ચાર હોય તો પાંચ તરફ આગળ વધો. અહીં માનવ સ્વભાવ સાથે નેચરનો અધમ nasty પાર્ટ શરુ થાય છે. કમનસીબે અનુષંગી સિદ્ધાંત પ્રમાણે સાપેક્ષ આનુષાન્ગિક સુયોગ્યતા relativity of inclusive fitness એટલે સજીવો પોતાની ઇન્કલૂસીવ ફિટનેશ બીજાની ઇન્કલૂસીવ ફિટનેશ રીડ્યુસ કરીને વધારી શકે છે. Gene Pool માં બીજા વંશના જિન્સ ઘટાડી તમારા જિન્સનો ભાગ વધારી શકો છો. Reducing the proportion of others’ (non-kin) genes in the gene pool will increase the proportion of yours. બસ અહીં અધમતા શરુ થાય છે. સમૂળું વંશ નિકંદન, હત્યા, સામૂહિક હત્યાઓ, યુદ્ધ, મહાયુદ્ધ અને spree killing એક અધમ મનોવૈજ્ઞાનિક અનુકૂલન છે. એકલાં અમેરિકામાં આવી હત્યાઓ થાય છે તેવું પણ નથી. યુદ્ધોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. મૂળ અમેરિકન ઇન્ડિયન્સનું જેનોસાઇડ કોણ નથી જાણતું? માયન, ઇન્કા, એઝટેક જેવી સંસ્કૃતિઓનું સમૂળું નિકંદન યુરોપિયન લોકોએ કાઢી નાખ્યું. પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરો જાહેર કરીને બૌદ્ધ ધર્મને ભારત બહાર તગેડી મૂક્યો. હિટલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખ્યા. ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૦-૨૫ લાખ માણસો માર્યા ગયા. બે વિશ્વયુદ્ધમાં થઈને લાખો માણસો માર્યા ગયા હશે. ભારતમાં ઠગ લોકો છદ્યવેષે સામટાં પાંચ, પચીસ કે સો ને ગળે રેશમી રૂમાલ ભેરવી બેરહમીથી મારી નાખતા. મુસ્લિમો ધર્મના બહાને  આખી દુનિયામાં જેનોસાઈડ કરવા નીકળી પડ્યા હતા. ઇસ્લામ એટલે શાંતિ પણ આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી. નવા ગ્રુપનો કબજો લઇ સિંહ તરત એમાં રહેલા નાના બચ્ચાં મારી નાખે છે. કૂતરા પણ નાના બચ્ચાને મારી નાખતા મેં જોયા છે, અમે દોટ મુકીને છોડાવવા બચપણમાં જતા.

 

તો આ inclusive fitness પુષ્કળ બાળકો પેદા કરીને વધારો અથવા બીજા લોકોની સામૂહિક હત્યાઓ કરીને વધારો. ચંગીઝખાન સૌથી ક્રૂર રાજા કહેવાતો એના નામે  અનેક સામૂહિક હત્યાઓ ચડેલી છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આજે સૌથી વધુ જિન્સ દુનિયામાં ફેલાયેલા હોય તો તે ચંગીઝખાનનાં છે. હ્યુમન નેચરની આ અંધારી બાજુ, આ અધમ ઈવોલ્યુશનરી અનુકૂલન જો નેતાઓ, રાજાઓ  સમજી શકે તો ભયાનક હત્યાકાંડો નિવારી શકાય તેમ છે. સમાજશાસ્ત્રીઓએ આના પર વિચાર કરવા જેવો છે. બાકી નીતિમત્તાની અઢળક વાતો કરે કશું વળશે નહિ, ઉચ્ચ આદર્શોની બુમો પાડે કશું વળશે નહિ. આજ સુધી તો નથી વળ્યું.

 

સ્ત્રીઓ કરતા પુરુષો આવો ખૂનામરકી કરવાવાળો સ્વભાવ વધુ ધરાવતા હોય છે કેમકે પુરુષો વધુ હતોત્સાહ હોય છે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકનો જન્મ આપવાનું કામ સોંપેલું છે જે જન્મ આપે તે જલદી જીવ કઈ રીતે લઈ શકે?

 

વધુ પછી…….imagesCAJQA47L

નઘરોળ સમાજની અહલ્યા.

images-9અહલ્યા, મમતા, સીતા, દ્રૌપદી થી માંડીને આજની દિલ્હીની કૉલેજ કન્યા સુધી ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે. એ બાબતમાં એનો આદર્શ કુંભકર્ણ રહ્યો છે. રાવણના પૂતળા દર વર્ષે બાળીયે છીએ તે હવે બંધ કરવું જોઈએ. એના બદલે દિલ્હીના આ બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ. રાવણ જેવો મહાબલી જે કરવા નહોતો માંગતો તે આ લોકોએ કરી બતાવ્યું છે. રાવણ સીતાજીને ભલે ઉપાડી ગયો પણ એમના પર બળાત્કાર નહોતો કર્યો, એમને રોજ સમજાવવા જતો હતો. કે ભાઈ મારી પાસે અમાપ સંપત્તિ છે. મારા બનીને રહો. તે સિમ્પલ મેમલ બ્રેઈનને અનુસરતો હતો, કે સ્ત્રીઓને સંપત્તિ વડે હાઈ સ્ટેટ્સ વડે આકર્ષી શકાય છે. સ્ત્રી બળવાન પુરુષ પ્રત્યે આકર્ષાય છે કેમકે એને બળવાન જિન્સ ઉછેરવા છે. સ્ત્રી સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે કેમકે આ જિન્સ તેને મોટા કરવાના છે. સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી, કેમકે એનામાં રોપેલા જિન્સ એને મોટા કરવાના છે. સંપત્તિ વગર તે સારી રીતે શક્ય નથી હોતું. રાવણ કરતા સાવ ખાડે ગયેલાંઓની આપણે પૂજા કરીએ છીએ અને રાવણના પૂતળા બાળીએ છીએ તે પણ દર વર્ષે. આ દિલ્હીના નરાધમોના પૂતળા દર વર્ષે બાળી સમાજે કંઈક નવું ઇનોવેટીવ કરવું જોઈએ.

આપણો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તેવું કહું છું ત્યારે ઘણા બધાને મરચાં લાગી જતા હોય છે. બળાત્કાર આખી દુનિયામાં થતા હોય છે. પણ પશ્ચિમનો સમાજ આટલો સેક્સ સપ્રેસ્ડ નથી. ન્યુયોર્કની ભૂગર્ભ ટ્રેઇનોમાં  ખુબ ભીડ હોય પણ કોઈ પુરુષ બાજુમાં ઊભેલી સ્ત્રીને ઇરાદાપૂર્વક અડકવાની ચેષ્ટા કરે નહિ. ભૂલથી દોડતી ટ્રેઇનમાં અડકી જવાય તો કેટલીય વાર સોરી કહેવાનો..અહીં કોઈ હાથની અદબવાળી બાયસેપ નીચેથી બીજા હાથની આંગળીઓ લંબાવી બાજુમાં બેઠેલી સ્ત્રીના અંગોને સ્પર્શવાની કુચેષ્ટા કરતું જોવામાં આવતું નથી. ભારતીય સ્ત્રીઓ તો પુરા કપડામાં સજ્જ હોય છે. એની ચામડીને ડાઇરેક્ટ સ્પર્શ તો તમે ભાગ્યેજ કરી શકો, જે સ્પર્શ કરો તે એના કપડાને જ કરી શકો છતાં આ વિકૃતો સ્ત્રીના કપડાને અડીને પણ સ્ખલિત થઈ જતા હોય છે. જો સ્ત્રીનું અનાવૃત શરીર હાથમાં આવે તો શું દશા કરી નાખે?

શિવપાર્વતીના લગ્નમાં મહારાજ મતલબ પુરોહિત કોણ બનેલું? લગ્નની વિધિ બ્રહ્માજીએ કરાવેલી. ચોરીમાં પાર્વતી આવ્યા મહારાજ મતલબ બ્રહ્માજી કર્મકાંડ કરાવતા કરાવતા એમના પગ જોઇને સ્ખલિત થઈ ગયા. અવિશ્વાસુઓએ શિવપુરાણ વાંચી લેવું હિતાવહ છે. ભાગવતના ત્રીજા સ્કંધમાં બ્રહ્માજીનો એમની પુત્રી પ્રત્યેના કામાંધપણાનો ઉલ્લેખ છે અને મરીચી વગેરે પુત્રો એમને સમજાવે છે કે આવું કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહિ. બાપા હવે તો સુધરો..

સેક્સ પ્રત્યેના ખોટા અવૈજ્ઞાનિક અભિગમને લઈને એક સેક્સ સપ્રેસ્ડ સમાજ પેદા થાય છે. જે સેકસના કુદરતી આવેગને જરાય સહન કરી શકતો નથી. સેક્સ પર જેટલો કાબુ મેળવવા જાય છે તેટલો જ સેક્સ તેના પર કાબુ મેળવી લેતો હોય છે. શું ઉકાળ્યું બ્રહ્મચર્યની વાતો કરીને? નેચરલ પોલીગમસ સમાજમાં બધાને સ્ત્રીઓ ઉપલબ્ધ નહોતી. સ્ત્રી બળવાન અને વિપુલ સંપત્તિવાન પુરુષની ત્રીજી ચોથી પત્ની બનવા તૈયાર હતી અરે એની રખાત બનીને રહેવા તૈયાર હતી પણ માયકાંગલા અને ભિખારીની પહેલી પત્ની બનીને એના નકામાં વિર્યહીનનાં  બાળકોની માતા બનવા તૈયાર નહોતી. ત્યારે અમુક વિચારશીલ પુરુષો સ્વેચ્છાએ એમનો સ્ત્રીઓ પરનો દાવો જતો કરીને કે સ્ત્રી મેળવવાનો પ્રયત્ન બંધ કરીને વનમાં જતા રહેતા કે બ્રહ્મમાં ચર્યા કરતા કે જગતના અજાણ રહસ્યો ઉકેલવા એમની શક્તિ કામે લગાડતાં, ચિંતન મનન કરતા આ થયા બ્રહ્મચારી.

સમાજે આવા પુરુષોનું  ખુબ સન્માન કર્યું હતું. એમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા હતા. પણ પછી મજબૂર મહાત્માઓ પણ બ્રહ્મચારી બની જતા તો બ્રહ્મચર્યનો સંબંધ સેક્સ ના કરવો એમાં ગૂંથાઈ ગયો. સેક્સ કરવા નહોતો મળતો તેઓ બ્રહ્મચારી બનતાં એમાં બ્રહ્મચારી બની સેક્સ ના કરવો એવો ગલત અર્થ ભળી ગયો..અસલી બ્રહ્મચારીઓ જેઓ અભ્યાસુ હતા, ઋષિઓ હતા, વૈજ્ઞાનિકો હતા એમનું સમાજે અઢળક માન કર્યું તો મજબૂર મહાત્માઓએ ગલત અર્થ ધારણ કરી લીધો કે સેક્સ કંટ્રોલ કરી બ્રહ્મચારી બનીએ તો સમાજ ઊંચા સ્થાને બેસાડે. આમ ગલત ધારણાઓ પર અનર્થના પડ ચડતા ગયા અને એક સુંદર શબ્દનો અર્થ જ બદલાઈ ગયો. બ્રહ્મચર્ય એટલે સેક્સ બંધ એવું પ્રચલિત થઈ ગયું.

કૃષ્ણને બ્રહ્મચારી કહીને કેટલાક બુદ્ધિશાળી લોકોએ આ અનર્થ રોકવા પ્રયત્ન કર્યો પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. સેક્સ સપ્રેસ્ડ સમાજ રાતોરાત પેદા નથી થઈ જતો. હજારો વર્ષની ગલત ધારણાઓ પેઢી દર પેઢી ઊતરતી જાય છે. ત્યારે બસમાં બાજુમાં બેઠેલી સ્ત્રીના નિર્જીવ કપડાનો સ્પર્શ પણ માનસિક બળાત્કારનું કારણ બનતો હોય છે, ઉત્તેજનાનું કારણ બનતો હોય છે. પછી અદબ વાળી હાથ ગતિ કરવા માંડતા હોય છે. સંદેશ કે ગુજરાત સમાચાર પહોળું કરીને વાંચવાનો ડોળ કરીને છાપાની આડમાં પણ હાથ ગતિ કરવા લાગતા હોય છે. બસને લાગતી હળવી બ્રેક મજાનો મોકો પૂરો પાડતી હોય છે. ભીડનો લાભ લઈ બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવાય જતો હોય છે.

આવી ગલત ધારણાઓથી ઘણા બધા સારા ચિંતકો, મહાત્માઓ પણ મુક્ત રહી શક્યા નથી. ગાંધીજી એનું ઉત્તમ ઉદાહરણ હતા. ગાંધીજી પાછળ ચાલતી એક આખી પેઢી આ સડેલી માન્યતા દિમાગમાં લઈને ફરતી હતી અને સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવતી ગઈ..કિશોરલાલ મશરૂવાળા એવી શેતરંજી ઉપર બેસતા નહિ જેના બીજે દૂરના ખૂણે સ્ત્રી બેઠી હોય. સ્ત્રીનો કરંટ વાયા શેતરંજી પણ લાગી જાય? કપડું તો અવાહક છે યાર?? ગાંધીજી પરણેલા અંતેવાસીઓને ફરજિયાત બ્રહ્મચર્ય પળાવતા..મૂર્ખામીની હદ તો એટલે સુધી હતી કે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવી પછી પરણવાની છૂટ આપતા.

બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવા અર્થમાં ભલભલાં મહાત્માઓ ફસાયેલા હતા. આ અનર્થે ભારતને બહુ મોટું નુકશાન કરેલું છે. અને હજુ પણ કરે જ જાય છે. હવે ઘણા નવા સંપ્રદાયોમાં માનનારા ઘેટાઓ એમના મૂરખ પ્રમુખોની બીમાર વાતોમાં આવી જાય છે કે સ્ત્રીઓના મુખ ના જોવાય. સ્ત્રીઓ માટે આનાથી મોટી અવહેલના બીજી કઈ હોય? આનાથી મોટી અપમાનજનક વાત કઈ હોય? સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવવાનું એક ઓર ગતકડું..બાવાના બુદ્ધિ વગરના મગજમાં તુક્કા આવે અને ઘેટા સમાજ એને પકડી લેતા હોય છે. પણ ભારતમાં આવા લોકો પૂજાય છે. સેક્સ સપ્રેસ્ડ સમાજ આવા લોકોની જોરશોરથી પૂજા કરવાનો જ છે કે ભાઈ અમે સેક્સને તાબે થઈ જઈએ છીએ જુઓ આ મહાત્માઓ કેવાં મહાન છે? ખાનગીમાં આ મહાત્માઓ શું કરતા હોય કોને ખબર?

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સુતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? કહેવાતા સતયુગમાં મીડિયા હતું નહિ ત્યારે સ્ત્રીઓની બુમો કોણ સંભાળે?

આજનો કલિયુગ સારો કે આજે તો સોશિયલ વેબ સાઈટો છે, મીડિયા છે. ઘણા ચમ્પુઓ કહેતા હોય છે છાના રહો. સારી ભાષામાં કહેતા હોય છે આમ સંવેદનાઓ ના ઉઘરાવો, પુરુષો પ્રત્યે ઘૃણા ફેલાવો છો. છાનું રાખો, લોકો જાણી જાય, દુનિયા જાણી જાય. બળાત્કાર થાય એનો વાંધો નહિ દુનિયા જાણી જાય એનો વાંધો. ગુરુ બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી..આજે પણ આવા દેવતાઓ સમાજમાં હાજર છે જ. આજના ગ્લોબલ મીડિયાના જમાનામાં કેટલું છાનું રાખશો? અમેરિકામાં એક હત્યા થાય તો ભારતમાં તરત લોકોને ખબર પડી જાય છે. ગંગા દુષિત છે આખી દુનિયા જાણી ગઈ છે તો શરમ આવે છે તો ગંગાને દુષિત કહેનારને ભાંડયા વગર એને શુદ્ધ કરો ને?

એક હરામી મીનીસ્ટરના બદમાશ છોકરાએ ત્રણસો નપુંસક લોકોની હાજરીમાં જેસીકાને ગોળી મારી દીધી. ત્રણસો નજરે જોનારા હોવા છતાં એક પણ સાક્ષી મળતો નહોતો..મીડિયા ઘણીવાર સારું કામ કરતું હોય છે. મીડીયાએ આ વાત એટલી બધી ચગાવી કે છેવટે દર દર ભટકતી જેસિકાની નાની બહેનની ન્યાય માટેની દોડધામ પૂરી થઈ..હરિયાણાના પોલીસ વડાને કોણ હાથ લગાવી શકે? રુચિકા રોળાઈ ગઈ. છેવટે મીડીયાએ બુમો પાડી ત્યારે પોલીસવડાને કસ્ટડીમાં લીધા. ઈન્ટરનેટના જમાનામાં શું છૂપું રહેવાનું છે?

દિલ્હી બળાત્કાર કેસમાં આટલી બધી બુમો પડી ત્યારે ગૃહપ્રધાનને એમની દીકરી યાદ આવી ગઈ, જાહેરમાં બોલ્યા કે મારે પણ દીકરીઓ છે મને પણ ખરાબ લાગે છે. બાકી ખૂણે બેઠાં બેઠાં હસતા હોત… હદ તો એ થઈ ગઈ કે નરાધમોએ બળાત્કાર કર્યા પછી પેલી છોકરીની યોનીમાં સળીયો ઘુસાડી પાશવી આનંદ માણ્યો. હવે તે ભવિષ્યમાં ક્યારેય માતા નહિ બની શકે. એનું ગર્ભાશય જ ફાડી નાખ્યું. એના આંતરડામાં કાયમી ઈજા થઇ ગઈ. છતાં સંવેદનહીન ચમ્પુઓ કહે છે છાનું રાખો.ગુપ્ત રાખવાની વૃત્તિ અને આબરૂ જાય છે તેવી માનસિકતાએ લાખો બાળકો અને સ્ત્રીઓ ગુપચુપ બળાત્કાર સહન કરે જતા હશે કોણ જાણે?

ભારતનો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તો પશ્ચિમનો સમાજ સેક્સ સ્વછંદ છે. સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે. જાતીય શિક્ષણની વાતો કરતા સંસ્કારીઓના ભવા ઊંચા ચડી જતા હોય છે. જાતીય શિક્ષણથી સમાજ સ્વછંદ બની જશે તેવી ધારણા જ ખોટી છે, ઉલટાની સેક્સ વિશેની સમજ વધશે. પશ્ચિમમાં પ્રવર્તતી સ્વછંદતાના બીજા અનેક કારણો હોઈ શકે, જાતીય શિક્ષણ નહિ. અમેરિકન ઓર્થોડોક્સ સમાજ તો વળી ભારતની ખાપ પંચાયતોને શરમાવે તેવો છે.

ખેતીની શરૂઆત થઈને પુરુષનું આધિપત્ય શરુ થયું. ભુવનેશ્વરીની જગ્યા બ્રહ્માએ પડાવી લીધી. મહાકાળીને પદચ્યુત કરીને શંકરને ગાદી મળી ગઈ. મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તો ઠીક વિષ્ણુના પગ દબાવતી દાસી બની ગઈ. માતૃપ્રધાન સમાજ પુરુષપ્રધાન બની ગયા અને સ્ત્રીઓને વસ્તુ સમજવાની શરૂઆત થઈ ગઈ. પત્ની એટલે દાસી. બ્રહ્મચર્યના ગલત અર્થની ધારણામાં વિશ્વાસ ધરાવતા મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસે લગ્ન કર્યા ત્યારે માં શરદામણીદેવી ફક્ત ૧૨ વર્ષના હતા. બાર વર્ષની છોકરીને શું સમજ હોય? કોઈએ રામકૃષ્ણને પૂછ્યું કે તમે બ્રહ્મચર્યનું (સેક્સ ના કરવો) વ્રત લઈને બેઠાં છો તો પછી લગ્ન શું કામ કર્યા? એમનો જવાબ હતો કામ કરવા સેવા કરવા કોઈએ જોઈએ ને? Thakur you too?

એક બેવફાને બેવફાસે પ્યાર કિયા..Human Evolution in Male Genital

 

imagesCAD90S4Aએક બેવફાને બેવફાસે પ્યાર કિયા..Human Evolution in Male Genital

 

 

 

બાયોલોજીકલી માનવજાત પોલીગમસ એટલે બહુગામી છે. એમાં એવું ના હોય કે એક જ માનવજાતમાં નર પોલીગમસ હોય અને નારી મનોગમસ હોય..હોય તો બંને મનોગમસ હોય અથવા બંને પોલીગમસ હોય. કુદરત એવો પક્ષપાત રાખે નહિ કે નરને છૂટ આપે કે તું ગમેતેટલી નારીઓને ભોગવ અને નારીઓને બાંધી દે કે તમારે ફક્ત એક જ પુરુષને ભોગવવાનો. ભારતીય મનોવૈજ્ઞાનિક ડોક્ટર્સ લેખકો આવા ગપ્પાં મારતા હોય છે અને લોજિક વગરની વાતો લખતા હોય છે કે સ્ત્રી નેચરલી મનોગમસ છે અને પુરુષો નેચરલી પોલીગમસ. લગ્નસંસ્થા દ્વારા આવેલી મનોગમી એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ કુદરતી વ્યવસ્થા છે. લગ્નસંસ્થા આવી, મનોગમી આવી પછી વફાદારી, બેવફાઈ, લગ્નેતર સંબંધો, અવિશ્વસનીયતા જેવી અમૂર્ત વિચારણાઓ અને શબ્દો સંબંધોમાં આવ્યા. બ્રહ્મચર્ય, અહિંસા, વિશ્વબંધુત્વ, ચારિત્ર્ય આવી અનેક અમૂર્ત વિચારણાઓ (abstractions) મેમલ બ્રેઈન સમજી શકતું નથી. એને ફક્ત સર્વાઈવલની ભાષા સમજમાં આવતી હોય છે, અને તે પણ શબ્દો વગરની.. માનવોનું મોટું મગજ-કોર્ટેક્સ જાતજાતની વ્યાખ્યાઓ કરી લેતું હોય છે, અને શબ્દોમાં બાંધી લેતું હોય છે. આમ પુરુષ બહુસ્ત્રી ગામી હોય એટલે ૧૦૦% promiscuous અવિશ્વસનીય રહ્યો છે તો સ્ત્રી પણ promiscuous રહી છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબૂરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે. સ્ત્રીને વિશ્વસનીય રહેવા માટે કાયદા કાનૂનની જરૂરત પડતી નથી.

 

ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ વગેરેને સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા  પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous  છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય છે અને તે છે સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ  સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous  છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે. આ હિસાબે માનવજાત  ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં  ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous  છે.

 

પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો પછી શોધી કાઢ્યું કે પુરુષનું જનનાંગ બીજી જાતો કરતા વિશિષ્ટ છે. પુરુષના શિશ્નનો આકાર બીજી primate species કરતા અલગ જ છે. એનો ઉપરનો ભાગ glans (“head”) મોટો હોય છે. બાકીના લાંબા ભાગ shaft અને head વચ્ચે ખાંચો પેદા થતો હોય છે જે head અને shaft ને જુદા પડતો હોય છે. બીજું સંભોગ દરમ્યાન ejaculation પહેલા શિશ્ન અસંખ્ય વાર અંદરબહાર થતું હોય છે. shaft અને મોટા head વચ્ચેના ખાંચા જેવી વિશિષ્ટ ડીઝાઈન અને અસંખ્યવાર અંદરબહાર થવું આ બંનેની કમ્બાઈન્ડ ઇફેક્ટ એ હોય છે કે આ સંભોગના થોડીવાર પહેલા કોઈ બીજા નરે એના સ્પર્મ અંદર છોડ્યા હોય તેને બહાર કાઢી નાખવા. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates. If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. ડૉ ગૅલપ હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ અબે બાયોલોજીસ્ટ છે. તેમણે આર્ટીફીશીયલ અને રીયલ માણસો પર અસંખ્ય પ્રયોગો કરીને આ તારણ કાઢેલા છે.

 

એક નવો અભ્યાસ (Richard Lynn ) પુરુષ જનનાંગની સાઇઝ ઉપર પણ થયો છે. ભલે માનવજાત એક જ ગણાય પણ વિવિધ વિસ્તાર, વિવિધ આબોહવા અને વાતાવરણમાં અનુકૂલન અપનાવવાથી અને જીનેટીકલી મ્યુટેશન થવાથી દરેક જગ્યાએ માનવો રંગ, રૂપ, કદ, અને કાઠીએ જુદા જુદા વિકાસ પામ્યા  હોય છે. આમ મૂળભૂત માનવો Negroids, Caucasoids,અને Mongoloids એમ ત્રણ પ્રકારે વિકસ્યા છે. અને આ ત્રણેના મિશ્રણ રૂપ માનવ જાતો પણ ખુબ વિકસી છે. જુદી જુદી જાતોમાં શિશ્નની લંબાઈમાં ઘણો ફેરફાર જોવા મળે છે તે હકીકત છે. મૂળ આફ્રિકન લોકોના શિશ્ન મોટા અને લાંબા હોય છે એની સરખામણીએ એશિયન લોકોના નાના હોય છે. હવે દરેક વખતે બધામાં અપવાદ હોય છે અને આ બધી બાબતો એવરેજ ગણવી તેવું વારંવાર લખવાનું હોય નહિ.  late J. Philippe Rushton નામના વૈજ્ઞાનિકની  r-K life history theory પ્રમાણે બે જાતની રીપ્રોડકટીવ સ્ટ્રેટેજી હોય છે. The r-strategy involves large numbers of offspring with minimal investment, whereas the K-strategy involves fewer offspring and greater investment. Rushton પ્રમાણે આફ્રિકન લોકો r-strategy અપનાવતા હોય છે મોટાભાગના એશિયન લોકો K-strategy અપનાવતા હોય છે અને યુરોપિયન આ બેની વચમાં ક્યાંક રહેલા છે. ચીન અને ભારત ક્યાં રહેલું છે તે આપણે સમજી લેવાનું..Rushton માને છે કે આ બંને સ્ટ્રેટેજીનો સંબંધ માનસિક, શારીરિક, બ્રેઈન સાઇઝ, બુદ્ધિમત્તા અને શિશ્નની લંબાઈ સાથે પણ છે. આ પ્રમાણે African men have the smallest brains and the largest penises, whereas Asian men are the opposite. Goldilocks થિયરી પ્રમાણે યુરોપીયંસ બ્રેઈન અને શિશ્ન લંબાઈમાં સપ્રમાણ રહ્યાં છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ થિયરીને બહુ માનતા નથી. આ થિયરી ભલે સંપૂર્ણ ના હોય પણ એમાં ક્યાંક વજૂદ ચોક્કસ  છે.

 

Lynn માને છે કે આફ્રિકન કરતા એશિયન અને યુરોપિયનાં  testosterone લેવલ થોડું ઓછું હોય છે તેના કારણે તેમના શિશ્નની સાઇઝ થોડી નાની બની છે. Rushton (૨૦૦૦) રિપોર્ટ પ્રમાણે લેન્થ અને ડાયામીટર પ્રમાણે જોઈએ તો Negroids સૌથી મોટા લિંગ ધરાવે છે, Caucasoids માધ્યમ અને Mongoloids સૌથી નાના લિંગ ધરાવે છે. સૌથી નાના લિંગ ચાઇનીઝ લોકો ધરાવે છે.  ઉત્તેજિત અવસ્થામાં Mongoloids એવરેજ 4-5.5 લંબાઈ અને 1.25 ડાયામીટર ધરાવે છે, Caucasoids 5.5-6 ઇંચ લંબાઈ અને 1.5 ડાયામીટર ધરાવે છે જ્યારે Negroids 6.25-8 ઇંચ લંબાઈ અને 2 ઇંચ ડાયામીટર ધરાવતા હોય છે. અમેરિકામાં પણ આફ્રિકનઅમેરિકન  શ્વેત લોકો કરતા મોટા શિશ્ન ધરાવે છે તે હકીકત છે. સ્ટાન્ડર્ડ સાઇઝ 52 mm કૉન્ડોમ Caucasoids માટે ફીટ, Negroids માટે ખુબ નાના અને  Mongoloids માટે ખુબ મોટા લાગતા હોય છે. અમેરિકામાં લાર્જ કૉન્ડોમ વેચાતા હોય છે. ગ્રીક ફીજીશીયન Galen (AD 130–201) સૌથી પહેલા નોંધેલું કે Negroids લિંગ કોકેશિયન લિંગ કરતા મોટા હોય છે. ૧૯મી સદીમાં British Arabist Richard Burton (1885–1888), One Thousand and One Nights નામની ૯મી સદીની મૂળ પર્શિયન વાર્તાઓના સંગ્રહનું ભાષાંતર કરતા નોંધે છે કે પર્શિયન સ્ત્રીઓ એમના ખુબ મોટા લિંગ ધરાવતા અશ્વેત ગુલામો પાસે સેક્સ માણી ખુબ સંતોષ મેળવતી.

 

નૉર્થ આફ્રિકા, મિડલ ઇસ્ટ, યુરોપ, સાઉથ એશિયા, નોર્થઇસ્ટ એશિયા વગેરે ઠંડા પ્રદેશોમાં આવેલા માનવ સમૂહ Caucasoids and Mongoloids તરીકે ઇવોલ્વ થયેલા છે. જ્યાં ઠંડા વાતાવરણને લીધે સર્વાઈવ થવું મુશ્કેલ હોય ત્યાં સામાજિક સંબંધો વધુ રાખવા પડે, એકબીજા સાથે સહકાર વધુ રાખવો પડે. શિકાર માટે પણ સમૂહમાં જવું પડે. અહી આક્રમકતા અને સેકસુઅલ કોમ્પીટીશન નિવારવી પડે. ઇક્વેટોરિયલ પ્રદેશોમાં બારેમાસ ફળફળાદિ, જીવજંતુઓ ખાવા માટે પુષ્કળ મળી રહેતા હોય ત્યાં સમૂહમાં કે બહુ મોટા ગ્રૂપમાં શિકાર કરવા જવાની જરૂર પડે નહિ. સહકારની બહુ જરૂર પડે નહિ. રીપ્રોડકટીવ સકસેસ માટે અહી આક્રમકતા વધુ વિકસી. સર્વાંગે જોઈએ તો આફ્રિકન કરતા ઠંડા પ્રદેશોમાં સહકારની ભાવના વધુ, સ્ત્રી પુરુષ વચ્ચે બોન્ડીંગ પણ વધુ, લગ્ન સંસ્થા પણ મજબૂત, પુરુષો વચ્ચે  aggression ઓછું, બ્રેઈન પણ મોટા,  testosterone લેવલ ઓછું પણ એના પોજીટીવ ફાયદા ઘણા…

 

ઘણીબધી જાતો Caucasoids ,  Mongoloids અને  Negroids  ત્રણેના મિશ્રણ જેવી હોય છે. આ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. દક્ષિણ અમેરિકાના પેરુ, ઉરુગ્વે, ગ્વાટેમાલા, મેક્સિકો, બ્રાઝીલ જેવા દેશોમાં ત્રણેના મિશ્રણ હોય તેવી પ્રજા જોવા મળે છે. આવી પ્રજાઓના લિંગ સાઇઝમાં વિવિધતા જોવા મળવાની જ છે. સેકસુઅલ સંતોષ માટે મોટા લિંગ હોવા જરૂરી નથી તેવું સેક્સોલોજીસ્ટ માનતા હોય છે, પણ સ્પર્મ કોમ્પીટીશન માટે જરૂરી હોઈ શકે છે. માટે જ્યાં સ્ત્રી પુરુષ વચ્ચે જબરદસ્ત બોન્ડીંગ હોય, લગ્નસંસ્થા ખુબ મજબૂત હોય અને પુરુષો વચ્ચે સ્ત્રી માટે હરીફાઈ ના હોય ત્યાં લિંગ સાઇઝ નાની હોય તે માની શકાય તેવી વાત છે. તો પછી મોટા લિંગનું જે આકર્ષણ હોય છે તેનું શું? અહી શ્વેત છોકરીઓને હું લગભગ અશ્વેત છોકરાઓ સાથે ફરતી જોઉં છું. એક વાત એવી પણ હોઈ શકે કે હાઈ testosterone લેવલ ધરાવતા અશ્વેતનું આકર્ષણ થાય કે જેના લિંગ સ્વાભાવિક મોટા હોય. બીજું હાઈ testosterone લેવલ ધરાવતો વધુ આક્રમક અને dominant હોય જે સેકસુઅલ પ્લેઝર વધુ આપી શકતો હોય તેવું પણ બને અને ત્રીજું મોટો ડાયામીટર ધરાવતા લિંગ ઇન્ટરકોર્સ સમયે ક્લીટરીસને પણ યોગ્ય ઘર્ષણ આપી શકતું  હોય જે G સ્પોટ સાથે સાથે ક્લીટરીસ સાથે ઘર્ષણ કરી સેકસુઅલ પ્લેઝરમાં ડબલ વધારો કરી શકે છે. જે સ્ત્રીઓના યોનિમુખ અને ક્લીટરીસ વચ્ચે વધુ અંતર હોય તેઓને ઇન્ટરકોર્સ સમયે ક્લીટરીસનું મર્દન લિંગ દ્વારા બરોબર થઈ શકતું નથી, અને અતૃપ્તિ અનુભવાય છે. આવા સમયે મોટા ડાયામીટર ધરાવતા લિંગ વડે જરૂર ફાયદો થવાનો છે.

 

એક અભ્યાસ હાથની આંગળીઓની લંબાઈ વિષે પણ થયો છે તેના દ્વારા  testosterone લેવલ વધુ હશે કે ઓછું તે જાણી શકાય છે, તેને 2D:4D ratio કહે છે (index finger length ÷ ring finger length). તર્જનીની લંબાઈ ભાગ્યા અનામિકાની લંબાઈ..એવરેજ પુખ્ત વયના પુરુષનો  2D:4D ratio ૦.95 હોય છે તેમ એવરેજ પુખ્ત વયની સ્ત્રીનો 2D:4D ratio ૦.97 હોય છે. તફાવત ૦.03 હોય છે. જો કે આ રેશિયો જુદી જુદી જાત અને સંસ્કૃતિ પ્રમાણે જુદો જુદો હોઈ શકે. આ રેશિયો જેટલો ઓછો તેમ testosterone લેવલ વધુ અને testosterone લેવલ વધુ તેમ માણસ આક્રમક વધુ હોય તે સ્વાભાવિક છે. આવી વ્યક્તિઓમાં સ્પોર્ટ્સ રીલેટેડ મેન્ટલ ટફનેસ, એપ્ટીટ્યુડ અને એચીવમેન્ટ વધુ હોય છે. આવી વ્યક્તિઓ પોલીટીક્સમાં પણ વધુ આક્રમક બની આગળ નીકળી જતા હોય છે. તર્જની કરતા વધુ પડતી લંબાઈ ધરાવતી અનામિકા હોય તેવા ખેલાડીઓ વધુ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ જીતી જતા હોય છે.

 

આમ સારા મજબૂત જિન્સની શોધમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસક્યુઅસ રહી છે તો પોતાના જ જિન્સ જેટલા ફેલાય તેટલાં ફેલાવવાની આશામાં પુરુષ ૧૦૦ ટકા પ્રોમિસક્યુઅસ રહ્યો છે અને તે રીતે એમનું  શારીરિક અને માનસિક ઈવોલ્યુશન થયેલું છે.

 

Ref–http://www.everyoneweb.com/worldpenissize/

http://ethnicmuse.wordpress.com/2012/03/03/the-penile-economics-of-ethnicity/

હાઈલાઈટ થયેલા શબ્દોમાં લીંક સમાયેલી હોય છે.  imagesCA1VHRMO

જિંદગીમાં એક વાઘ જોઈએ…

untitled-2

જિંદગીમાં એક વાઘ જોઈએ…

દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વાવાઝોડું આવતું હોય છે, કોઈ ઝંઝાવાત આવતો હોય છે. કોઈ અતિ વહાલું સ્વજન ગુજરી જતા જીવન નૈયા ડૂબી ગઈ હોય એવું લાગતું હોય છે. કોઈ ધંધામાં નુકશાન થતા લાઇફબોટ પોતેજ ડૂબી ગઈ હોય તેવી ક્ષણો આવી જતી હોય છે. તેવા સમયે જીવન નૈયા પર એક વાઘની જરૂરત ઊભી થતી હોય છે. લાઇફબોટનું ઉપલું કવર ખોલીને નીચે જોતા એક વાઘ છુપાયેલો નજરે ચડવો જરૂરી બની જતો હોય છે. વાઘ બહુ ક્રૂર પ્રાણી જરૂર છે, પણ એના મેમલ બ્રેઈનમાં ઓક્સીટોસીન જરૂર સ્ત્રવતા હોય છે. આ વાઘ જ જીવન જીવવાની મહેચ્છા પેદા કરી જતો હોય છે. એક આશા જગાવતો હોય છે. આ વાઘ જીવન આગળ ધપવા પામે તેવું કશુંક કરી જતો હોય છે. આ વાઘ એક સાહસ પેદા કરી જતો હોય છે. આ વાઘ કોઈ પણ બની શકે, કોઈ પણ હોઈ શકે.

મારા પિતાશ્રી ઓચિંતાં ફક્ત ચાર દિવસ બીમાર રહીને સિવિયર હાર્ટએટેકમાં ગુજરી ગયા ત્યારે મારું પણ વહાણ આ ઝંઝાવાતમાં સાવ ડૂબી ગયેલું. પણ મારી લાઇફબોટમાં થોડા વાઘ હતા. સૌથી મોટો વાઘ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રી હતા. મારી શ્રીમતી હતી, મારા બે બાળકો પણ હતા. થોડા આઘાત પછી મારું ફોકસ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રીની ચિંતા કરવામાં રહેવા લાગ્યું. હું મારી લાગણીઓમાં ડૂબી મરવાને બદલે પત્નીનાં સહકાર વડે માતાની સારસંભાળમાં પડી ગયો. મારા પિતા મારા માટે સર્વસ્વ હતા પણ એમના ગયા પછી બીજા પ્રત્યેના ધ્યાને મને આગળ ધપતો રાખ્યો. લગભગ દરેકના જીવનમાં આવી આકરી ક્ષણો આવતી જ હોય છે ત્યારે કોઈ વાઘ આગળ ધપવામાં જરૂર મદદ કરતો હોય છે.

જીવનની અદ્ભુત નાવમાં મુસાફરી કરતા બચપણમાં થોડા ખરાબ અનુભવો પણ થઈ જતા હોય છે. ઝંઝાવાતો આવી જતા હોય છે અને લોકો એને સહન પણ કરી જતા હોય છે. છતાં આશા રાખું કે દરેકની જીવન નૈયા પર એક વાઘ કુદરતી ભેટ તરીકે હોય. આપણી પોતાની લાગણીઓ, ભાવનાઓ અને જરૂરિયાતો સિવાય પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય તે પણ જરૂરી છે. Without focus, we become self-absorbed, passive, and confused.  આપણે મુશ્કેલીઓનાં લીધે નાશ પામી જતા નથી પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય નહિ તો જરૂર ખતમ થઈ જવાના.

પૂર્વ અને પશ્ચિમ પાસે સુખને જોવાની દ્ગષ્ટિ જુદી જુદી છે. પશ્ચિમનાં લોકો  જીવન પ્રવાહને સર્જીને સુખ પામે છે પૂર્વનાં લોકો જીવન પ્રવાહને સમજીને સુખ માને છે. પશ્ચિમ પાસે સર્જનાત્મકતા છે, પૂર્વ પાસે સમજ છે, જીવન પ્રવાહને સમજવાનું ડહાપણ છે. કેન્દ્રિત મન એક સાધન બની જાય છે. કોઈ બીજા પ્રત્યે કેન્દ્રિત મન હોય તો જીવવા માટે એક બળ મળે છે, એક હેતુ મળે છે, અકારણ જોખમ લેવાનું ટાળવાની આદત પડે છે. જ્યારે એક લાઇફ પાર્ટનર જિંદગીમાં હોય તો તમે વધારે જીવી શકો છો. થોડા બાળકો હોય, ભલે મુશ્કેલીઓ સર્જાતા હોય પણ તમે ઓર વધારે જીવી શકો છો. આપણે કોઈ વૃદ્ધ ગુજરી જાય તો એમના સંબંધીઓને કહેતા સાંભળ્યા હશે કે દાદા કે દાદી ચાર પેઢી જોઇને ગયા. પુત્ર પૌત્રાદી લાંબી જીંદગી માટે ચોક્કસ કારણભૂત બનતાં હોય છે. અરે એક કૂતરું જીવનમાં આવી ગયું હોય તો પણ લોકો વધારે જીવતા હોય છે. એટલે પશ્ચિમના એકલવાયા લોકો કૂતરા પાળતા હોય છે. This is in part so because focusing on other creatures causes us to produce more oxytocin, a calming hormone in both men and women.

ઘરના બારણે કોઈ પ્રિયજનની રાહ જોવી ડિપ્રેશન ઓછું કરનાર બની જતું હોય છે. આપણા કમભાગ્ય માટે કે વિપદા વિષે બીજાને દોષ દેવો કે સંજોગોને દોષ દેવો આપણને ઇનએક્ટીવ બનાવી દેવા પૂરતું છે. બીજા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે માટે આપણે તેનાથી ઘણીવાર બચતા હોઈએ છીએ પણ કોઈના પ્રત્યે ધ્યાન ના આપવું વળી વધુ મોંઘું પડી જતું હોય છે.

ઘણીવખત આ વાઘ અથવા ફોકલ પોઇન્ટ આપણું મન ખુદ બની શકે છે. મેડીટેશનની વાતો બધી આજ છે. આપણે આપણા મન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, મેડીટેશન કરીએ, વાસ્તવિકતાના આયનામાં જોઈએ ત્યારે આપણા વિચારો અને લાગણીઓને જોઈ શકીએ છીએ એમાં ખોવાયા વગર. ખોવાયા તો ગિયા..ઠાકુર તો ગિયા જેવું..અહાહાહા ! મેડીટેશન કરવાથી બ્રેઈન પર થતા અસાધારણ પરિણામો ન્યુરોસાયન્સ પરના અસંખ્ય અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યા છે, (Buddha’s Brain– by Rick Hanson). થોડું મિનિટનું ધ્યાન વધુ આનંદ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે.

એક ૫૫ વર્ષની સ્પેનીશ વિધવા મહિલાએ મને એકવાર કહેલું કે મારો હસબન્ડ મરી ગયે છ મહિના થયા છે, મને એના વગર ખૂબ તકલીફ થાય છે પણ આખી જીંદગી હું એની પાછળ રડી ના શકું. આપણે ભલે ભૌતિકવાદી કહીને આ લોકોને વખોડીએ પણ એની મેન્ટલી રીટાર્ડેડ છોકરી માટે એ બધા દુખ ભૂલીને કામે વળી ગયેલી મેં જોએલી છે. ડૂબતી જીવન નૌકામાં એક વાઘ શોધવા માટે જરૂર છે ફક્ત ખુલ્લી આંખની. શોધી કાઢો એને જે તમારામાંથી શ્રેષ્ઠને બહાર કાઢે. એની કાળજી રાખો એનું ધ્યાન રાખો..તોફાનો આવવાથી જીંદગી કાઈ અટકી જતી નથી.તોફાનો જિંદગીના ભાગરૂપ જ છે.

લંડનના પાંચ પાંચ પબ્લિશિંગ કંપનીઓ તરફથી રીજેક્ટ થયા બાદ   Knopf Canada દ્વારા ૨૦૦૧મા પબ્લીશ થયેલી, Man Booker Prize for Fiction સાથે બીજા અનેક એવૉર્ડ જીતી ગયેલી,  Yann Martel લિખિત ફૅન્ટસી એડવેન્ચર નૉવેલ   Life of Pi  પરથી આજ નામની એક જબરદસ્ત ફિલ્મ બની ચૂકી છે. સમુદ્રી તોફાનમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા અને લાઇફ બોટ પર સાથીદાર તરીકે ભયાનક રૉયલ બેન્ગોલ ટાઈગર સાથે ૨૨૭ દિવસ પછી સર્વાઇવ થઈ જતા એક ભારતીય છોકરાની વાત લઈને આવેલું આ મુવી સહુએ જોવા જેવું છે.

આ લેખ કુદરતી કે માનવસર્જિત આફતોમાં  પોતાના અંગત સ્વજનોને ગુમાવી સર્વસ્વ ગુમાવ્યાની અનુભૂતિ કરતા તથા પોતાના પ્રેમીજનોને સામાજિક પરમ્પરાઓ અથવા બીજા સંજોગોવશાત ગુમાવીને હતાશાની લાગણી અનુભવતા યુવાન યુવતીઓને સમર્પિત…

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ..

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો. હવે વૈજ્ઞાનિકો આ ટૉપિક પર ડિબેટ કરી કરીને થાકી પણ ગયા છે. માસ્ટર એન્ડ જોહ્નસન વર્સસ ફ્રૉઇડ, ક્લિટોરલ વર્સસ વજાઇનલ (clitoral versus vaginal) ડિબેટ ચાલ્યા જ કરતી. ફ્રૉઈડ માનતો કે ફીમેલ ઑર્ગેઝમના ખાસ કારણો રીપ્રૉડક્ટિવ ફંક્શન સાથે જોડાયેલા છે માટે આ ઑર્ગેઝમ vaginal penetration વડે વધુ મળતું હોય નહિ કે ફક્ત  clitoral સ્ટિમ્યૂલેશન..

મતલબ એવો થાય કે સંભોગ સમયે સ્ત્રીઓને ચરમસીમા સમયે જે પરમાનંદ મળતો હોય છે તેના સાંધા ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ગર્ભવતી બનવામાં જોડાયેલા છે. માટે આ ચરસીમાંનો આનંદ પુરુષ લિંગના યોનિમાર્ગ પ્રવેશ સાથે જોડાયેલો છે નહિ કે ફક્ત  ક્લિટરિસને- clitoris સહેલાવીને ઉત્તેજિત કરવામાં. અમુક વૈજ્ઞાનિકો માનતા હોય છે કે સ્ત્રીની યોનિના અંદર ઊંડે  ‘G’ સ્પોટ હોય છે તે ચરમસીમાનો આનંદ આપતો હોય છે. સેક્સ થેરપી લૉબી માટે ડિબેટ નૉર્મલ ઑર્ગેઝમ વર્સસ ઓર્ગેઝ્મિક ડીસફંક્શન માત્ર છે. તેમનો ઇરાદો ચરમસીમા વધારે અને બહેતર બને તેટલાં પૂરતો છે ભલે ને ગમે ત્યાંથી આવે? રોટલાથી કામ છે કે ટપ ટપથી?? સંભોગમાં સ્ત્રીને ચરમસીમા પ્રાપ્ત થવી જોઈએ  ક્લિટરિસ-clitoris-ભગ્નશિશ્નને સહેલાવીને ઉત્તેજિત કરવાથી પ્રાપ્ત થાય કે પછી લિંગના યોની પ્રવેશ વડે પ્રાપ્ત થાય બહેતર હોવી જોઈએ બસ..

અનુકૂલનશાસ્ત્રી Desmond Morris જેવા કહેતા હોય છે કે ફીમેલ  ઑર્ગેઝમ ઈવૉલ્વ-ઉત્ક્રાંતિ પામ્યું છે કેમકે સંભોગ પછી તેના લીધે સ્ત્રી આરામથી પડી રહેતી હોય છે અને તે પુરુષના સ્પર્મ-શુક્રાણુઓની સ્ત્રીના અંડ તરફની દોડમાં પૂરતી ઝડપ આપવા માટે મદદરૂપ છે. મોરીસે ક્યાંકથી ફિલ્મ મેળવેલી છે કે ચરમસીમા વખતે સ્ત્રીને જે આફ્ટરશૉક આવતા હોય છે તે સમયે ગર્ભાશય વંકાઈને શુક્રાણુઓને ઉપર ફંગોળે છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી. તેઓનું કહેવું છે કે સ્પર્મ-શુક્રાણુ સાલમન માછલી જેવા  ભારે તરવૈયા છે જે સામા પ્રવાહે તરીને કૂદીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચી જતી હોય છે.

ઘણા વૈજ્ઞાનિકો માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રીને પ્રાપ્ત થતી ચરમસીમા કશું નથી ફક્ત સેક્સ્યુઅલ ઍક્ટિવિટિમાં મળતો એક રિવૉર્ડ માત્ર છે. Donald Symonsin The Evolution of Sex (1979) માનતા કે ફીમેલ ઑર્ગેઝમ ઇવલૂશનરી અકસ્માત માત્ર છે. જે સ્ત્રીઓને આ ચરમસીમા પ્રાપ્ત નથી તે પણ બાળકો પેદા કરતી જ હોય છે. ઉત્ક્રાંતિ ફક્ત એટલું જ ઇચ્છતી હોય છે કે સ્ત્રી અને પુરુષ સમાગમ કરવા પ્રેરાય.  Female mammals in estrus want to mate. જે સમાજોમાં ઑર્ગેઝમ ભાગ્યેજ જોવામાં આવે છે ત્યાં વળી બર્થ રેટ ઘણો હાઈ છે.

અમુક સમાજોમાં તો સ્ત્રીઓના ક્લિટરિસ બચપણમાં કાપી નાખવામાં આવે છે. ત્યાં સ્ત્રીઓને ચરમસીમા શું કહેવાય ખબર હશે કે કેમ?? બાળકો પેદા કરવામાં ચરમસીમાની જરૂર ના હોય તો પછી તે આવી કેમ? એની જરૂર શું? એવું બને કે ચરમસીમાની લાલચમાં સ્ત્રી પુરુષ વારંવાર સંભોગ કરવા પ્રેરાય અને પોતાની એક કૉપિ પાછળ મૂકતા જવાનો ઉત્ક્રાંતિનો હેતુ પાર પડે. કે બીજું કાઈ હશે?

ફીમેલ ઑર્ગેઝમ વિષે Stephen J. Gould (“Freudian Slip” in Natural History, 1987) કહે છે- the female orgasm is like the male nipples. What are male nipples for? Answer, nothing. પુરુષને છાતીમાં નિપલની શું જરૂર છે? એને ક્યાં બાળકોને દૂધ પાવાનું છે? છતાં છે તે હકીકત છે. મેલ નિપલ એ સેક્સ ક્રોમસોમ સજીવનું સેક્સ્યુઅલ ભવિષ્ય નક્કી કરે તે પહેલા જન્મ સાથે મળેલુ પૅકિજ છે. પૅકિજ એટલે પૅકિજ એમાં અમુક વસ્તુઓ ફ્રીમાં મળતી હોય છે.

કોઈ સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી નથી તેમ કોઈ પુરુષ સંપૂર્ણ પુરુષ નથી હોતો. ફરક ખાલી ટકાવારીનો  હોય છે. અર્ધનારીશ્વર નટેશ્વર કૉન્સેપ્ટ આનું પ્રતીક હતું.. સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી સમાયેલ હોય છે. આમ પુરુષને સંપૂર્ણ સ્તન હોય નહિ પણ એના અવશેષ મળેલા છે જે કશા કામના નથી, છતાં એને મર્દન કરવાથી હળવો આનંદ મળી શકતો હોય છે. બસ એવી જ રીતે સ્ત્રીઓના ક્લિટરિસનું સમજવું. સ્ત્રીના ક્લિટરિસને વૈજ્ઞાનિકો પુરુષના લિંગ સાથે સરખાવતા હોય છે. જેમ પુરુષને નિપલ મળેલી છે તેમ લિંગના અવશેષ તરીકે સ્ત્રીને ક્લિટરિસ-ભગ્નશિશ્ન(ફ્રી પૅકિજ) મળેલું છે, જેથી તેને ઉત્તેજિત કરતા સ્ત્રી પણ આનંદ મેળવી શકે છે.

સંભોગમાં ચરમસીમા પ્રાપ્ત થતી હોય અવર્ણનીય આનંદ મળતો હોય તેનું રી-પ્રૉડક્ટિવ ફંક્શનમાં કશું કામ ના હોય તેવું માનવું અનુકૂલન શાસ્ત્રના પંડિતો માટે મુશ્કેલ હોય છે. Melvin Konner (Why the Reckless Survive, 1990) આ ડિબેટમાં ઝંપલાવી માને છે કે પુરુષની નજર તેના સ્પર્મ જેટલા ફેલાય તેટલાં સારા ઉપર હોય છે.  Males look to spread their sperm and so a “quick fix” orgasm suits them: get one; go for more.

પુરુષને ચરમસીમા જલદી પ્રાપ્ત થઈ જતી હોય છે. સ્ત્રીને ખૂબ વાર લાગતી હોય છે. સ્ત્રી પાસે લિમિટેડ અંડનો જથ્થો હોય છે. એટલે તેના માટે ક્વૉલિટીનો સવાલ છે. એને નબળા જેનિસ ઉછેરવામાં રસ નથી. તે પાર્ટનર પસંદ કરવામાં ચુસ્ત નિયમોનું પાલન કરવામાં માનતી હોય છે. તે એવો પાર્ટનર પસંદ કરતી હોય જેને લાંબા સમય સુધી તેનામાં રસ હોય, કો-ઑપરેટિવ હોય, lover with the slow hand હોય, એને સંભોગમાં પણ લાંબું ખેંચીને પરાકાષ્ઠાએ પહોચાડે. ઘણા માનતા હોય છે કે અમુક સ્ત્રીઓને એક સંભોગમાં અનેકવાર પરાકાષ્ઠાનો અનુભવ થતો હોય છે.

આપણે જોયું કે  Don Symons માનતા હતા કે સ્ત્રીઓને મળતો પરાકાષ્ઠાનો આનંદ અકસ્માત છે. જ્યારે Steven Gould and Mel Konner માને છે કે ઑર્ગેઝમ કોઈ અકસ્માત નથી એના ઍડપ્ટેશનલ ફાયદા છે. સ્ત્રીને લાંબો સમય એકવાર નહિ પણ અનેકવાર ઑર્ગેઝમનો અનુભવ કરાવે તેવા ધૈર્યવાન સાથીની તલાશી આના વડે પૂરી થાય તો ઇવલૂશનનો હેતુ સરે. ક્લિટરિસ પુરુષની નિપલ સમાન હોય છે. પુરુષની નિપલને હળવું મર્દન કરવાથી આનંદ મળતો હોય છે. હોમસેક્સ્યુઅલ આવા આનંદની ફસલ લણતાં હોય છે. પણ આ આનંદ પુખ્ત સ્ત્રીના સ્તન મર્દન કે નિપલ મર્દન જેટલો ધોધમાર કહી શકાય નહિ. અમુક સ્ત્રીઓ તો ખાલી નિપલ મર્દન વડે પણ પરાકાષ્ઠાએ પહોચી જતી હોય છે.

પુરુષને એની નિપલ દ્વારા મળતા આનંદને pre-pubescent girl (તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલી) નિપલ સ્ટીમ્યુલેશન સાથે સરખાવી શકાય. ક્લિટરિસ આપણે જાણીએ છીએ કે પુરુષના શિશ્ન સ્વરૂપ છે માટે એને ભગ્નશિશ્ન કહે છે, બરોબર તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલા છોકરાના શિશ્ન જેવું..કે જ્યાંથી સ્ખલન થતું નથી. પુખ્ત સ્ત્રીમાં વજાઇનલ સ્ત્રાવ થતા હોય છે પણ તે ક્લિટરિસ તરફથી થતા નથી.  The pleasure an adult female gets from stimulation of her non-ejaculating clitoris is functionally the same as the pleasure a pre-pubescent boy gets from the stimulation of his non-ejaculating penis.

110826-108697તાંત્રિક સંભોગમાં સ્ખલન રોકીને કલાકો સુધી જોડા સંભોગાવસ્થામાં રહેતા હોય છે. એના માટે સ્ત્રી પુરુષ બંનેએ ધીરજ રાખવી પડે છે. અકારણ ઉત્તેજના રોકવી પડે છે. વધુ પડતી ઉત્તેજના સ્ખલનમાં પરિણમે છે. સ્ખલન વગર પરાકાષ્ઠાએ પહોચવાની કળા એનું નામ તાંત્રિક સંભોગ..અને જો તમે સ્ખલન રોકી શકો તો સ્ત્રીને વારંવાર અનેકવાર ચરમસીમાએ પહોચાડી શકો છો. By postponing ejaculation can have many orgasms without ejaculating; and that  the blissful state described is precisely the condition of of pre-pubescent masturbatory pleasure in boys, where the lack of ejaculation means that if the “blissful vertiginous state” can be achieved, it can be maintained (if not for hours on end) at least for a long time.

સ્ખલન થાય એટલે થાકનો અનુભવ થાય છે. સ્ખલન થયા પછી બીજી વાર સંભોગમાં ઊતરવા માટે અમુક સમય જોઈએ. પણ સ્ખલન જ થયું ના હોય તો તમે વારંવાર સંભોગમાં ઊતરી શકો છો. રટગર યુનિના Robin Fox, Ph.D., D.Sc.  સ્ખલન વગરના તાંત્રિક સંભોગને એક તરુણ અવસ્થા તરફ ડગ માંડતા છોકરાની  સ્ખલન વગરની એના લિંગ સાથેની રમતના આનંદ સાથે સરખાવે છે, આ છોકરામાં હજુ  seminal fluid પેદા કરતી પુરુષ ગ્રંથિઓ વિકસી નથી. પણ પુખ્ત વયના પૂરતા testosterone ધરાવતા તાંત્રિક બૌદ્ધ સાધુઓને આ ઝડપી સ્ખલન વડે મળતા પરાકાષ્ઠા અનુભવને રોકવાની પ્રેકટીશ માટે ગમે ત્યાં સ્ત્રી પાર્ટનર માટે મોકલવામાં આવતા. નૉર્મલ સંભોગ પછી થાક અને શક્તિ ગુમાવાય છે તેવી ગેરમાન્યતાને  લીધેલી નિરાશા પેદા થતી હોય છે તેવું તાંત્રિક સંભોગમાં થતું નથી. સંભોગ તંદુરસ્ત જીવન માટે જરૂરી છે તેવી જ રીતે સ્ત્રીને પણ સંભોગમાં પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તે જરૂરી છે. પરાકાષ્ઠા વગર સ્ત્રીને અધૂરું અધૂરું લાગશે કંઈક ખૂટી રહ્યું છે તેવું લાગે તેમાં કોઈ શંકા નથી..

તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ. Hard Truths About Human Nature.

તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ.

આપણે ઘણીવાર બીજા લોકોના લોભિયા હોવા વિષે ટીકા કરતા હોઈએ છીએ. લોભ બહુ સારો નહિ, અતિલોભ પાપનું મૂળ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, લોભને થોભ નહિ આવી બધી અનેક કહેવતો વાપરતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિકો પણ લોભ વિષે આવી ટીકાઓ કરતા હોય છે. ધનિકોનો સમાજ વધતે અંશે લોભી વધુ હોય છે ત્યારે મનોવૈજ્ઞાનિકો પણ લોભી સમાજની નિંદા કરતા હોય છે, પણ એકલદોકલ વ્યક્તિના લોભને મનોવૈજ્ઞાનિકો વાજબી ગણતા હોય છે અને ઘણીવાર મહિમાન્વિત કરતા હોય છે.

સંશોધકોએ કેટલાક લોકોને ધ અલ્ટીમેટમ ગેઇમ રમાડી હતી. આમાં ભાગ લેનારી વ્યક્તિઓને દરેકને દસ દસ ડોલર્સ આપવામાં આવેલા. હવે દસ ડોલર્સમાંથી અમુક ડોલર્સ બીજી કોઈ પણ વ્યક્તિને આપવાનાં હતા. પોતાની ઇચ્છા મુજબ આપવાનાં હતા. સ્વાભાવિક છે મહત્તમ ભાગ પોતે જ રાખે. મતલબ પાંચ ડોલર્સ કરતા ઓછા જ આપે. હવે લેનાર વ્યક્તિને આપેલો ભાગ પસંદ ના આવે તો લેવાનો ઇન્કાર કરવાની છૂટ હતી. પણ પછી શરત એવી હતી કે લેનાર વ્યક્તિ ઇન્કાર કરે તો બંને પાર્ટીમાંથી કોઈને એકપણ ડોલર મળે નહિ.

રિઝલ્ટ એ આવ્યુંકે લગભગ દરેકે બીજા વ્યક્તિને ત્રણ ડોલર્સ ઑફર કરેલા અને લેનારાઓએ ઇન્કાર કરેલો અને બંને જણા ડોલર વગર રહેલા. આમ ત્રણ ડોલર્સ લેવાનો ઇન્કાર કરનારાઓ બીજાના સાત ડોલર્સ મેળવાના આનંદને ઠોકર મારી. મને ફાયદો ના થાય તો તને પણ નહિ. આમાં આપણને સાત ડોલર્સ મેળવવાનો આગ્રહ રાખનારનો લોભ દેખાશે પણ ત્રણ ડોલર્સ મળતા હતા તે ગુમાવનારનો લોભ નહિ દેખાય. મારા માટે આ એક જાતનો લોભ છે, જે મનોવૈજ્ઞાનિકોને પણ નથી દેખાતો. ઉલટાના એને વાજબી ગણતા હોય છે. મતલબ એ થાય કે તમે જે મેળવવાની ઇચ્છા રાખો છો તે બીજા પાસે છે તેને સજા આપવી વાજબી છે.

જો આપણા એક બાળકને ત્રણ રૂપિયાની ગિફ્ટ આપીએ તો એ ફેંકી દેવાનો અને ગુસ્સે થઈને જેમતેમ બોલવાનો જો એના ભાઈને ૭ રૂપિયાની ગિફ્ટ આપી હશે તો..એની માતા પણ કહેવાની કે બેને સરખી ગિફ્ટ આપી નથી તો આવું જ થવાનું. આમ મનોવૈજ્ઞાનિકો પણ “underdog” પ્રત્યે સહાનુભૂતિ બતાવતા હોય છે અને તેને ગ્લોરીફાઈ પણ કરતા હોય છે. આશા રાખીએ કે એવું શીખવવું જોઈએ કે ભાઈ તને જે મળ્યું છે તેના પ્રત્યે ધ્યાન રાખ અને ખુશ થા બીજા પાસે શું છે તેની ચિંતા કર્યા વગર. જો કે આપણે કહેવત સાંભળી તો હશે કે કોઈના મહેલ જોઈ આપણી ઝૂંપડી ના સળગાવી દેવાય..

મૂળ વાત એ છે કે આપણને આપણો સ્વાર્થ દેખાતો નથી. આપણો લોભ દેખાતો નથી. આપણો સેલ્ફ ઇન્ટરેસ્ટ દેખાતો નથી બીજાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ તરત દેખાય છે તે વેરી ઇન્ટરેસ્ટિંગ છે. સ્વાર્થ હોવો બૂરી વાત નથી. સેલ્ફ ઇન્ટરેસ્ટ રાખવા  માટે બ્રેઈન ઇવોલ્વ થયેલું જ છે. જેથી આપણા સર્કલ બહારની વ્યક્તિ સ્વાર્થ જતાવે તો આપણે તેની નિંદા કરીએ છીએ. પણ આપણા મિત્રો, સગાવહાલાઓ અને સંબંધીઓના સ્વાર્થને આવકારીએ છીએ. અથવા ઉપેક્ષા કરીએ છીએ. બીજાની આવી નકારાત્મક લાક્ષણિકતાઓ આપણને જલદી દેખાય છે પણ એજ લાક્ષણિકતા આપણામાં હોય તો સ્વીકારી શકતા નથી આ ટેવને સિગ્મંડ ફ્રોઈડ પ્રોજેક્શન કહેતો. પ્રોજેક્શન બધે જ હોય છે, મારામાં તમારામાં સહુમાં કારણ હ્યુમન કોર્ટેક્ષને(મોટું મગજ) એની સાથે જોડાયેલા મેમલબ્રેઇનને (નાનું મગજ) સમજવામાં તકલીફ પડે છે.

મેમલ બ્રેઈન વધતા ઓછા ન્યુરોકેમિકલ્સ છોડતું હોય છે, પણ એની પાસે શા માટે વધારે કે ઓછા ન્યુરોકેમિકલ્સ છોડે છે તેનું વર્ણન કરવા કોઈ શબ્દોની ભાષા નથી. મેમલ બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી. મેમલ બ્રેઈન પાસે અક્ષરધામ નથી. એની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. એની પાસે રાસાયણિક ભાષા છે. જ્યારે કોઈ વાત કે વસ્તુ તમારા રસની અને ફાયદાની હોય ત્યારે તે સુખ અનુભવાય તેવા ન્યુરોકેમિકલ સ્ત્રવતું હોય છે. તે સમયે આપણું કોર્ટેક્ષ જે વિચારવંત છે, મનનશીલ છે જે શબ્દોની ભાષા જાણે છે તે આ સુખ અનુભવાય છે તેના વર્ણન માટે પુરાવા એકઠા કરી લે છે. જ્યારે કોઈ જોખમ અનુભવાય કે એની જાણ થાય ત્યારે મેમલ બ્રેઈન તેવા કેમિકલ જેવા કે કોર્ટિસોલ રીલીઝ કરે છે. આ દુઃખદાયી અનુભવને વર્ણવા કોર્ટેક્ષ પુરાવા ઉભા કરી લેતું હોય છે.

બીજા લોકોની ફાયદાની આકાંક્ષા આપણને દુઃખદાયી લાગતી હોય છે અને આપણા ફાયદાની આકાંક્ષા સુખદાયી લાગતી હોય છે. કોર્ટેક્ષ એની વ્યાખ્યા કરી લેતું હોય છે.

હું એવું નથી કહેતો કે લોભ સારો છે. હું એવું કહેવા માંગું છું કે આપણું બ્રેઈન self-seeking છે. અને જ્યારે આપણે આ જાણતા નથી કે સમજતા નથી ત્યારે થનારા નુકશાન કે હાની વિષે અતિશયોક્તિ કરી બેસીએ છીએ. આપણે બીજાના સેલ્ફ સીકીન્ગને નોટિસ કરીએ છીએ આપણા નહિ..છેવટે પરિણામ હતાશામાં આવે છે. આપણા અન્ડર ડોગ ફીલિંગ્સના ઈવોલ્યુશનરી મૂળ જાણી લેવા જોઈએ.

આપણા સામાજિક સંબંધોની વ્યાખ્યા કરવાનો આપણા મેમલ બ્રેઈન પાસે સાવ સાદો રસ્તો છે. તે ક્ષણે ક્ષણે સરખામણી બીજા સાથે કર્યા કરતું હોય છે કે તમે એક ડગલું ઉપર કે આગળ છો કે એક ડગલું નીચે કે પાછળ છો. હું નથી કહેતો કે આવી સરખામણી કરવી જોઈએ પણ તમે ઇચ્છો કે ના ઇચ્છો આપણું એનિમલ બ્રેઈન આપણી જાણ બહાર કર્યા જ કરતું હોય છે. આપણે એક સ્ટેપ ઉપર હોઈએ બીજાથી તો આપણું મેમલ બ્રેઈન સેરોટોનીન રીલીઝ કરતું હોય છે જે સુખ આપતું હોય છે. અને જ્યારે આપણે એક સ્ટેપ નીચે હોઈએ ત્યારે આપણે સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ છીએ અને આપણું એનિમલ બ્રેઈન સ્ટ્રેસ કેમિકલ રીલીઝ કરે છે જે દુઃખદાયી હોય છે. એક ડગલું ઉપર ઉઠાવવાની કોશિશનો સારો હેતુ એ હોય છે કે તમે એકલાં સર્વાઈવ થવા પ્રયત્ન કરી રહ્યાં છો. પણ હવે બીજા લોકો પણ સર્વાઈવ થવાના પ્રયત્ન રૂપે એક ડગલું ઉપર ઊઠવા ટ્રાય કરે તો આપણી ન્યુરોકેમિકલ્સની એલાર્મ વગાડતી ઘંટડીઓ વાગવા માંડે કે ભાઈ જોખમ છે. એક ડગલું  ઉપર રહેવું મતલબ ડોમીનંસ, હવે ડોમીનંસ એટલે આક્રમણ સમજવું નહિ..

આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. જ્યારે આપણે પોતાને ઇક્વાલિટી Loving પર્સન તરીકે જોઈને સામે બેઠેલાં અનેક ધારેલા કે માનેલા લોભી લોકોને જોઈએ છીએ ત્યારે આપણે પોતાને થોડા સુપીરીયર સમજીએ છીએ અને  આપણને આપણી સુપીરીયર બનવાની ઇચ્છાઓની જાણ પણ હોતી નથી. ઘણા મહાત્માઓ પોતાને અતિશય નમ્ર જતાવતા હોય છે સામે બેઠેલાં અહંકારીઓના ટોળાઓ કરતા એક ડગલું સુપીરીયર. સામે બેઠેલાં હજારો લોભિયાને લોભ ખરાબ છે તેવો ઉપદેશ આપતા મહાન સંતોની સુપીરીયર બનવાની ભાવના એમની જાણ બહાર હવે સમજાય છે? આજ સંતોના લોભની કોઈ સીમા હોતી નથી. લોભ પાપનું મૂળ છે કહેનારા પાંડુરંગ દાદા ૪૦૦ કરોડના ઢગલા પર બેઠેલાં હતા. લોભ ખરાબ છે તેવું કહેનારા આશારામ કે મોરારીબાપુ કેટલું ધન ધરાવે છે કોઈને ખબર નથી. લોભ અચ્છા નહિ હૈ કહેનારા બાબા રામદેવ ૧૧૦૦૦ કરોડની થપ્પી પર બેસીને પોતે નંબર વનના સ્થાન પર છે તેનો સેરેટોનીન સુખાનુંબોધ માણી રહ્યાં છે. આજ સાધુઓ પ્રજાને લોભ સારો નહિ, પૈસો પાપ છે કહી ગિલ્ટી અનુભવ કરાવતા હોય છે. લોકોની અંદર રહેલા સ્વાભાવિક માયા, મમતા, કામ(સેક્સ) ક્રોધ, મોહ, લોભ, અહંકાર, મહત્વાકાંક્ષા, ડર વગેરે ખરાબ છે અને તમે એમાં સપડાયેલા પાપી નીચ છો તેવું ભરાવી ઉપરથી ભગવાનનો ડર બતાવી તેમાંથી બહાર કાઢવાના ચાર્જ રૂપે ધનના ઢગલા ભેગાં કરી લેતા હોય છે. માટે હું કહેતો હોઉં છું કે અતિશય નમ્રતા બતાવવી એક જાતનો અહંકાર છે. બીજા લોકોને ભાજીમૂળા જેવા છે તેવું બતાવવાની એક સભ્ય રીત છે. The urge to be special is always there because the serotonin feels good.

આપણે આપણા self-seeking બાબતે આપણી જાત સાથે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણે બીજાના  સેલ્ફ સીકિંગ માટે અતિશયોક્તિ કરતા હોઈએ છીએ. આપણને બીજા લોકો અતિસ્વાર્થી લાગતા હોય છે. જ્યારે આપણે અનુભવીએ કે આપણે એક ડગલું નીચે છીએ ત્યારે સામેવાળા પ્રત્યે શત્રુતા પેદા થતી હોય છે. તેના જ પ્રત્યે આવી શત્રુતાની ભાવના ધરાવતા અનેક સામાજિક ભાગીદારો આપણને મળી જવાના. અને આવા સોશિયલ સપોર્ટ મળતા આપણને આપણો દ્રષ્ટિકોણ સાચો જ લાગવાનો કે જે પેલી ગેમમાં સાત ડોલર્સ લઈ ગયો તે તો આપણા ખીસાના જ હતા. અને આમ દુખમાં વધારો થવાનો. પણ પછી તરત તમે કહેવાના કે સાલો લોભિયો છે આપણે નથી તમે પોતાને સુપીરીયર સમજવાના જે વળી સારુ ફીલ કરાવશે. Self righteousness is a way to put yourself on top without the mess and bother of competing for resources.

ખોરાક સંગ્રહ કરવાનું શોધ્યા પહેલા અને પૈસાની શોધ થયા પહેલા આપણે જાણતા નહોતા કે આવતીકાલનું ભોજન ક્યાંથી આવશે..ત્યારે મેમલ એટલું જ કરી શકતા કે સામાજિક રીતે ઉપર રહો. એના માટે એક્સ્ટ્રા એનર્જી વાપરો.

 Natural selection built a brain that is always looking for a way to get ahead. If you hate this in people, you will end up hating everyone, and you won’t even know why. It’s not easy being a mammal with large cortex.

નિષિદ્ધ સંભોગ No Incest

નિષિદ્ધ સંભોગ

લગભગ દરેક ધર્મ હોય દેશ હોય કે જાતિ-પ્રજાતિ કે સમાજ હોય એમાં એક સામાન્ય નિયમ છે કે “Don’t have sex with first degree relatives.” ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ એટલે ૫૦ ટકા જિન્સ સરખાં હોય એવા વ્યક્તિઓ. આમાં માબાપ, સંતાનો, ભાઈબહેનો આવી જાય. મુસ્લિમોમાં પણ એક પેટે અવતરેલા ભાઈ બહેનો વચ્ચે સેક્સ નિષિદ્ધ છે. નોન-હ્યુમન એટલે પ્રાણીઓ પણ આવા અગમ્યગમન રોકવાની યોજના ઇવોલ્વ કરી ચૂક્યા હોય છે તેની સાબિતી વૈજ્ઞાનિકોને મળી ચૂકી છે. અરે વનસ્પતિ પણ anti-incest મીકેનીઝમ ધરાવતી હોય છે.

માનવજાત સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે આવા સંભોગ પ્રત્યે વિરોધનું મીકેનીઝમ ધરાવે છે( Miami psychologists Debra Lieberman and Adam Smith). થોડા અપવાદો બાદ કરતા ભાઈ બહેનો અને માતાપિતાના એમના સંતાનો સાથેના લગ્નો માનવ સંસ્કૃતિમાં હંમેશા નિંદાને પાત્ર રહ્યા છે. ક્યારેક પિતા અને દીકરીના અને ભાઈ બહેન વચ્ચેના સેક્સ સંબંધની વાત સાંભળી મોટાભાગના લોકો અપસેટ થઈ જતા હોય છે. Jonathan Haidt નામના મનોવૈજ્ઞાનિકે એક અભ્યાસ કરેલો. એક સ્ટોરી બનાવેલી કે એક ભાઈબહેન ગર્ભધારણ રોકી શકાય તેવા તમામ ઉપાયો કરીને સેક્સ કરે છે તો તમારું શું માનવું છે? ભલેને પ્રેગનન્સી રોકી શકાય તેવા ઉપાય કરેલા હોય પણ સર્વેમાં ભાગ લેનારા તમામે આવા સેક્સને ગેરવાજબી ગણાવેલો.

વંદા અને ચિમ્પાન્ઝી anti-incest મીકેનીઝમ ધરાવે છે તેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. શા માટે incest એવોઈડ કરવાનું મીકેનીઝમ કુદરત અને માનવમાં વિકસ્યું હશે? ઉત્તર સાવ સહેલો છે, કે નજીકના લોહીના સગા સાથે સમાગમ વડે જન્મ પામતા બાળકો સીરીયસ ખામીઓ લઈને પેદા થતા હોય છે. ચેકોસ્લોવાકિયામાં એક અભ્યાસ કરવામાં આવેલો. આમાં એવા બાળકો સામેલ કરાયેલા જેમના પિતા એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ હતા. બધા માબાપ ખૂબ હેલ્ધી હતા. ૪૨ ટકા બાળકો જન્મથી કોઈ ને કોઈ સીરીયસ ખામી લઈને પેદા થયા હતા. એમના ઘણા વહેલા મૃત્યુ પામેલા અને ૧૧ ટકા બાળકો માનસિક ક્ષતિગ્રસ્ત હતા. આવા ચાર અભ્યાસ થયેલા એમાં સરેરાશ ૪૦ ટકા બાળકો autosomal recessive disorders, congenital physical malformations, or severe intellectual deficits ધરાવતા હતા. અને ૧૪ ટકા બાળકો mild mental disabilities ધરાવતા હતા. સગા ભાઈ બહેન દ્વારા અને પિતા અને દીકરી દ્વારા પેદા થયેલા બાળકોમાં ૫૦ ટકા માનસિક ક્ષતિગ્રસ્ત હતા અને વહેલા મૃત્યુ પામેલા હતા.

ટૂંકમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ વચ્ચે સંભોગ એટલાં માટે દરેક સંસ્કૃતિમાં અક્ષમ્ય ગણવામાં આવેલો છે.