Category Archives: અહેવાલ

તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
મિત્રો વધુ વાંચવા માટે નીચેની લીંક પર જઈ તમારા સ્માર્ટ  ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો. ફ્રીમાં ઘણુબધું ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

200px-Somnath_temple_ruins_(1869)

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 97,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 5 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

હાશ !! ૨૦૧૨ પત્યું..અબ તક છપ્પન..

untitledહાશ !! ૨૦૧૨ પત્યું..
ઇસાનું ૨૦૧૨નુ વર્ષ પૂરું થયું. માયન લોકોએ ૨૦૧૨ પછીના ગણતરી કરીને કેલેન્ડર બનાવ્યા નહોતા. એ ગણતરીબાજ જ્યોતિષને આળસ ચડી ગઈ હશે, થયું હશે હજુ બહુ વાર છે કાલે બનાવીશું. એવામાં સ્પેનીશ લોકો આવી ગયા હશે. માયન લોકોનું જેનોસાઈડ થઈ ગયું ને કામ રહી ગયું અધૂરું એમાં દુનિયાના ઘણાં અંધશ્રદ્ધાળુ લોકો સમજ્યા હવે આ છેલ્લું વર્ષ છે દુનિયાનો નાશ થઈ જવાનો. પણ કશું થવાનું નહોતું તેવું પણ મોટાભાગના લોકો જાણતા હોય છે પણ ટાઈમ પાસ કરવા કોઈ મુદ્દો જોઈએ વાતને ઉછાળ્યા કરતા હતા.

નવું વર્ષ શરુ થશે તે દિવસે મને પણ અબ તક છપ્પન વર્ષ પુરા થઈને ૫૭મુ બેસવાનું. લગભગ મોટાભાગના સગા પોલીસ ખાતામાં હોવા છતાં સારું છે પિતાશ્રીને પોલીસ ખાતામાં જઈએ તે ગમતું નહોતું બાકી અબ તક છપ્પન પુરા થઇ ગયા હોત. વીતેલું વર્ષ મારા માટે પણ ખાસંખાસ રહ્યું. આવા વર્ષો આવે તો લાગે કે જીવન જીવંત ચાલી રહ્યું છે. થોડું શોકજનક એટલાં માટે રહ્યું કે મારા ઘણાબધા પ્રિય કલાકારો Earthસ્થ હતા તે સ્વર્ગસ્થ થઈ ગયા, અવનીસ્થ હતા તે વૈકુંઠસ્થ થઈ ગયા. મારી ફિલ્મો જોવાની શરૂઆત ધાર્મિક ફિલ્મોથી થયેલી. પેમલાપેમલીની ફિલ્મો બાળકોથી જોવાય નહિ. ધાર્મિક ફિલ્મોમાં હનુમાન આવે અને ભીમ પણ આવે. ભીમ આવે કે હનુમાન દારાસિંહ દર વખતે હાજર હોય. પછી ઍક્શન ફિલ્મો જોવાનું શરુ થયું તે પણ દારાસિંહની ફિલ્મોથી જ. પછી થોડા મોટા થયા રોમૅન્ટિક ફિલ્મો જોવાની શરૂઆત થઈ રાજેશખન્નાની ફિલ્મોથી, સચ્ચા જુઠાથી…દારાસિંહની વિશાલ દેહયષ્ટિ અને કાકાની મોહક સ્ટાઇલ બધું કાલચક્રમાં વિલીન થઈ ગયું. ફિલ્મોમાં ઝંઝાવાતો સામે ઝઝૂમતા દારાસિંહ અને પુષ્પા આઈ હૅટ ટીયર્સ કહેતાં કાકાની વિલાસિતા બધું પ્રભાવક લાગતું. કાકા એમની છેલ્લી એડ ફિલ્મમાં બોલ્યા કે ‘ફેન ક્યા હોતે હૈ મુજસે પૂછો’ હું કહું છું ફેન ક્યા હોતે હૈ ઔર દુશ્મન ભી ક્યા હોતે હૈ મુજસે પૂછો..હહાહાહાહા..મારા ધાર્મિક અને સામાજિક પાખંડો પરના આકરાં પ્રહારો વડે પુષ્કળ ફેન સાથે દુશ્મનો પણ ઊભા કર્યા જ છે. સિતાર અને ગઝલની દુનિયાના બે બેતાજ બાદશાહોને પણ આ વર્ષે ખોયા એનું દુઃખ બહુ મોટું લાગ્યું. જગજીતસિંહ મને ખુબ પ્રિય હતા તો પંડિત રવિશંકરની સિતાર સાંભળવી મારે માટે અમૂલ્ય લહાવો હતું..સંગીતની દુનિયાના આ બે દિગ્ગજોનું સ્વર્ગસ્થ બનવું તો આખા દેશ માટે શોકમય હતું..

બ્લોગીંગ કરતા કરતા ત્રણ વર્ષ પુરા થઈ ગયા આ ડિસેમ્બરમાં.. બ્લોગમાં લખવાનું થોડું મંદ પડ્યું.. ટોટલ ૩૩૮ પોસ્ટ મૂકી છતાં દર વખતે નવું આપવાનો પ્રયત્ન કર્યો જ છે. વાચકવર્ગ વધ્યો (213,610 ક્લિક) પણ પ્રતિભાવો ઓછા આવ્યા. વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આધારિત લેખો વધુ હતા તે કારણ પણ હોઈ શકે. મારો મુદ્દો મક્કમપણે રજૂ કરવાની આદતની ગેરસમજ પણ થતી હોય છે, તેના કારણે કોઈને દુઃખ પહોચ્યું હોય તો ક્ષમાયાચના.. વાચકવર્ગ વધવામાં ફેસબુકનો ફાળો મહત્વનો રહ્યો. સાડા ચાર હજાર કરતા વધુ ફેસબુક મિત્રોમાંથી એક ચોક્કસ વિશાલ વર્ગ વાંચવાની અદ્ભુત તરસ ધરાવે છે. યુવા પેઢી વાંચતી નથી કહેવું ખોટું છે. આજની યુવા પેઢી દંભ વગરની છે, એને કશુંક સોલીડ જોઈતું હોય છે. ડાહ્યી ડાહ્યી વાતો વાંચવાનો એને કંટાળો આવતો હોય છે. બહુ થઈ શિખામણો, બહુ થયા ઉપદેશ કશું નક્કર આપો તો ખરું બાકી ચાલતી પકડો.. આવું નક્કર લખનારને યુવા પેઢી ચાહવા લાગતી હોય છે. આવું નક્કર અને તટસ્થ લખનારા હાલના સર્વાધિક લોકપ્રિય ગણાતા લેખક શ્રી જય વસાવડાની ફેસબુક થી ફેઈસ ટુ ફેઈસ દોસ્તી પણ આ વર્ષે થઈ ગઈ. જયભાઈ એડીસન આવેલા લેક્ચર આપવા. એમને ન્યુયોર્ક એરપોર્ટ સુધી મૂકવા જવાનો અવસર પણ મળ્યો, ત્રણેક કલાક એમની સાથે વાતો કરવાની ખુબ મજા આવી. ૧૫ વર્ષથી લખતા અનુભવી જયભાઈને લખવા બાબતે મેં ટીપ્સ માંગી. એમના મત પ્રમાણે હું સારું લખું છું કોઈ ટીપ્સની જરૂર નથી..છે ને આપણો વટ? કૉલર ઊંચાં.. એમના કહેવા પ્રમાણે જે લખીએ તેમાં રેફરન્સ જરૂરી છે અને હું ભરપૂર રેફરન્સ અને વધારાની લીન્ક્સ આપતો હોઉં છું. આ વાત કરતી વખતે મેં કહ્યું એના માટે મારે મિત્ર શ્રી ધવલ સુધન્વા અને શ્રી અશોકભાઈ મોઢવાડિયાનો આભાર માનવો પડે. ધવલ ભાઈ રેફરન્સ માંગતા ત્યારે મને ખોટું લાગતું પણ તે મહત્વનું હતું. મેં જય ભાઈને જણાવ્યું આ બે જણા અને એમના બીજા મિત્રો અજાણ રહીને ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે, વીકીસ્ત્રોત્ર ઉપર બધું સાહિત્ય રસિકો માટે ઉતારી રહ્યા છે, ભજનો, કવિતાઓ, ગાંધીજીના સત્યના પ્રયોગો સાથે ઘણું બધું.. આ વાત જાણી એમણે ખુબ ખુશી વ્યક્ત કરેલી. વૈજ્ઞાનિક અભિગમ, તર્ક, બુદ્ધિ અને લાગણીઓ સાથે અદ્ભુત બેલેન્સ જાળવતા શ્રી જય વસાવડાને રેશનલ કહેવા કે આસ્તિક કે પછી રેશનલ આસ્તિક? હહાહાહાહ

આંગણમાં કોઈ છોડ વાવ્યો હોય ત્યારે અમુક સમયે એની કાટછાંટ જરૂરી હોય છે તેમ મારા શરીર પર પણ કાટછાંટ ડોક્ટર્સને જરૂરી લાગી. જોકે અંદરની વાત હતી..એ અંદર કી બાત હૈ…બે ખાસ ગંભીર ના ગણાય તેવા ઓપરેશન પછી કાટછાંટ પૂરી થઈ ગઈ. હહાહાહાહા…૨૦૧૨મા શ્રીમતીજી સાથે સહજીવનના ૩૦ વર્ષ પુરા થઈ ગયા કોઈ મોટા અકસ્માત વગર…મારા જેવા બદમાશને સહન કરવાની એમના પ્રભુએ એમને ખુબ શક્તિ આપેલી..૨૦ વર્ષ પહેલા કોઈ અકળ કારણસર એમની એક કીડની સાદી ભાષામાં કહીએ તો બગડી જવાથી દૂર કરવી પડેલી ત્યારે અમુક સંબંધીઓએ “અરરર!! એક બગડી જઈ, અવ તો બીજીય બગડી જવાની, બુન તાર નોના નોનાં સોકરાં સ ઈનું હું થશે?” કહી કહી સારી કીડની ઉપર દુઃખાવો શરુ કરી દીધેલો..જો કે સારા ડોક્ટર્સના સહકાર વડે તે ભૂત તો મનમાંથી કાઢી નાખેલું..૧૯-૨૦ વર્ષ પછી ૨૦૧૨નાં વર્ષમાં એક બચેલી કીડની કંટાળી કે હું એકલી કેટલી મહેનત કરું? મારે ય જીવ હોય કે નહિ? મને પણ આરામ જોઈએ કે નહિ? હું હવે કામ નથી કરવાની કહી સત્યાગ્રહ ઉપર ઊતરી ગઈ ને મને પત્નીધર્મ બજાવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો..અહી મળતી ઉત્તમ સારવાર, અઠવાડીએ ત્રણવાર ડાયાલિસીસ વગેરે વગેરેના લીધે સેવા કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયેલો એમાં હવે થોડી અડચણ આવવા લાગી છે. આ અડચણ એટલે હવે ઘણું સારું છે માટે સેવા કરવા દેતા નથી. હહાહાહા.. આમ આ વર્ષ જીવંત વધુ રહ્યું બીજા વર્ષોના પ્રમાણમાં..

ઇસાનું નવું ૨૦૧૩નુ વર્ષ મારા તમામ વાચક મિત્રો, ફેસબુક મિત્રો, બ્લોગર મિત્રોને સુખદાયી, શુભદાયી નીવડે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ. અને મને આરામદાયી નીવડે..હહાહાહાહાહા2012-07-16 14.45.45

નઘરોળ સમાજની અહલ્યા.

images-9અહલ્યા, મમતા, સીતા, દ્રૌપદી થી માંડીને આજની દિલ્હીની કૉલેજ કન્યા સુધી ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે. એ બાબતમાં એનો આદર્શ કુંભકર્ણ રહ્યો છે. રાવણના પૂતળા દર વર્ષે બાળીયે છીએ તે હવે બંધ કરવું જોઈએ. એના બદલે દિલ્હીના આ બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ. રાવણ જેવો મહાબલી જે કરવા નહોતો માંગતો તે આ લોકોએ કરી બતાવ્યું છે. રાવણ સીતાજીને ભલે ઉપાડી ગયો પણ એમના પર બળાત્કાર નહોતો કર્યો, એમને રોજ સમજાવવા જતો હતો. કે ભાઈ મારી પાસે અમાપ સંપત્તિ છે. મારા બનીને રહો. તે સિમ્પલ મેમલ બ્રેઈનને અનુસરતો હતો, કે સ્ત્રીઓને સંપત્તિ વડે હાઈ સ્ટેટ્સ વડે આકર્ષી શકાય છે. સ્ત્રી બળવાન પુરુષ પ્રત્યે આકર્ષાય છે કેમકે એને બળવાન જિન્સ ઉછેરવા છે. સ્ત્રી સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે કેમકે આ જિન્સ તેને મોટા કરવાના છે. સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી, કેમકે એનામાં રોપેલા જિન્સ એને મોટા કરવાના છે. સંપત્તિ વગર તે સારી રીતે શક્ય નથી હોતું. રાવણ કરતા સાવ ખાડે ગયેલાંઓની આપણે પૂજા કરીએ છીએ અને રાવણના પૂતળા બાળીએ છીએ તે પણ દર વર્ષે. આ દિલ્હીના નરાધમોના પૂતળા દર વર્ષે બાળી સમાજે કંઈક નવું ઇનોવેટીવ કરવું જોઈએ.

આપણો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તેવું કહું છું ત્યારે ઘણા બધાને મરચાં લાગી જતા હોય છે. બળાત્કાર આખી દુનિયામાં થતા હોય છે. પણ પશ્ચિમનો સમાજ આટલો સેક્સ સપ્રેસ્ડ નથી. ન્યુયોર્કની ભૂગર્ભ ટ્રેઇનોમાં  ખુબ ભીડ હોય પણ કોઈ પુરુષ બાજુમાં ઊભેલી સ્ત્રીને ઇરાદાપૂર્વક અડકવાની ચેષ્ટા કરે નહિ. ભૂલથી દોડતી ટ્રેઇનમાં અડકી જવાય તો કેટલીય વાર સોરી કહેવાનો..અહીં કોઈ હાથની અદબવાળી બાયસેપ નીચેથી બીજા હાથની આંગળીઓ લંબાવી બાજુમાં બેઠેલી સ્ત્રીના અંગોને સ્પર્શવાની કુચેષ્ટા કરતું જોવામાં આવતું નથી. ભારતીય સ્ત્રીઓ તો પુરા કપડામાં સજ્જ હોય છે. એની ચામડીને ડાઇરેક્ટ સ્પર્શ તો તમે ભાગ્યેજ કરી શકો, જે સ્પર્શ કરો તે એના કપડાને જ કરી શકો છતાં આ વિકૃતો સ્ત્રીના કપડાને અડીને પણ સ્ખલિત થઈ જતા હોય છે. જો સ્ત્રીનું અનાવૃત શરીર હાથમાં આવે તો શું દશા કરી નાખે?

શિવપાર્વતીના લગ્નમાં મહારાજ મતલબ પુરોહિત કોણ બનેલું? લગ્નની વિધિ બ્રહ્માજીએ કરાવેલી. ચોરીમાં પાર્વતી આવ્યા મહારાજ મતલબ બ્રહ્માજી કર્મકાંડ કરાવતા કરાવતા એમના પગ જોઇને સ્ખલિત થઈ ગયા. અવિશ્વાસુઓએ શિવપુરાણ વાંચી લેવું હિતાવહ છે. ભાગવતના ત્રીજા સ્કંધમાં બ્રહ્માજીનો એમની પુત્રી પ્રત્યેના કામાંધપણાનો ઉલ્લેખ છે અને મરીચી વગેરે પુત્રો એમને સમજાવે છે કે આવું કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહિ. બાપા હવે તો સુધરો..

સેક્સ પ્રત્યેના ખોટા અવૈજ્ઞાનિક અભિગમને લઈને એક સેક્સ સપ્રેસ્ડ સમાજ પેદા થાય છે. જે સેકસના કુદરતી આવેગને જરાય સહન કરી શકતો નથી. સેક્સ પર જેટલો કાબુ મેળવવા જાય છે તેટલો જ સેક્સ તેના પર કાબુ મેળવી લેતો હોય છે. શું ઉકાળ્યું બ્રહ્મચર્યની વાતો કરીને? નેચરલ પોલીગમસ સમાજમાં બધાને સ્ત્રીઓ ઉપલબ્ધ નહોતી. સ્ત્રી બળવાન અને વિપુલ સંપત્તિવાન પુરુષની ત્રીજી ચોથી પત્ની બનવા તૈયાર હતી અરે એની રખાત બનીને રહેવા તૈયાર હતી પણ માયકાંગલા અને ભિખારીની પહેલી પત્ની બનીને એના નકામાં વિર્યહીનનાં  બાળકોની માતા બનવા તૈયાર નહોતી. ત્યારે અમુક વિચારશીલ પુરુષો સ્વેચ્છાએ એમનો સ્ત્રીઓ પરનો દાવો જતો કરીને કે સ્ત્રી મેળવવાનો પ્રયત્ન બંધ કરીને વનમાં જતા રહેતા કે બ્રહ્મમાં ચર્યા કરતા કે જગતના અજાણ રહસ્યો ઉકેલવા એમની શક્તિ કામે લગાડતાં, ચિંતન મનન કરતા આ થયા બ્રહ્મચારી.

સમાજે આવા પુરુષોનું  ખુબ સન્માન કર્યું હતું. એમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા હતા. પણ પછી મજબૂર મહાત્માઓ પણ બ્રહ્મચારી બની જતા તો બ્રહ્મચર્યનો સંબંધ સેક્સ ના કરવો એમાં ગૂંથાઈ ગયો. સેક્સ કરવા નહોતો મળતો તેઓ બ્રહ્મચારી બનતાં એમાં બ્રહ્મચારી બની સેક્સ ના કરવો એવો ગલત અર્થ ભળી ગયો..અસલી બ્રહ્મચારીઓ જેઓ અભ્યાસુ હતા, ઋષિઓ હતા, વૈજ્ઞાનિકો હતા એમનું સમાજે અઢળક માન કર્યું તો મજબૂર મહાત્માઓએ ગલત અર્થ ધારણ કરી લીધો કે સેક્સ કંટ્રોલ કરી બ્રહ્મચારી બનીએ તો સમાજ ઊંચા સ્થાને બેસાડે. આમ ગલત ધારણાઓ પર અનર્થના પડ ચડતા ગયા અને એક સુંદર શબ્દનો અર્થ જ બદલાઈ ગયો. બ્રહ્મચર્ય એટલે સેક્સ બંધ એવું પ્રચલિત થઈ ગયું.

કૃષ્ણને બ્રહ્મચારી કહીને કેટલાક બુદ્ધિશાળી લોકોએ આ અનર્થ રોકવા પ્રયત્ન કર્યો પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. સેક્સ સપ્રેસ્ડ સમાજ રાતોરાત પેદા નથી થઈ જતો. હજારો વર્ષની ગલત ધારણાઓ પેઢી દર પેઢી ઊતરતી જાય છે. ત્યારે બસમાં બાજુમાં બેઠેલી સ્ત્રીના નિર્જીવ કપડાનો સ્પર્શ પણ માનસિક બળાત્કારનું કારણ બનતો હોય છે, ઉત્તેજનાનું કારણ બનતો હોય છે. પછી અદબ વાળી હાથ ગતિ કરવા માંડતા હોય છે. સંદેશ કે ગુજરાત સમાચાર પહોળું કરીને વાંચવાનો ડોળ કરીને છાપાની આડમાં પણ હાથ ગતિ કરવા લાગતા હોય છે. બસને લાગતી હળવી બ્રેક મજાનો મોકો પૂરો પાડતી હોય છે. ભીડનો લાભ લઈ બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવાય જતો હોય છે.

આવી ગલત ધારણાઓથી ઘણા બધા સારા ચિંતકો, મહાત્માઓ પણ મુક્ત રહી શક્યા નથી. ગાંધીજી એનું ઉત્તમ ઉદાહરણ હતા. ગાંધીજી પાછળ ચાલતી એક આખી પેઢી આ સડેલી માન્યતા દિમાગમાં લઈને ફરતી હતી અને સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવતી ગઈ..કિશોરલાલ મશરૂવાળા એવી શેતરંજી ઉપર બેસતા નહિ જેના બીજે દૂરના ખૂણે સ્ત્રી બેઠી હોય. સ્ત્રીનો કરંટ વાયા શેતરંજી પણ લાગી જાય? કપડું તો અવાહક છે યાર?? ગાંધીજી પરણેલા અંતેવાસીઓને ફરજિયાત બ્રહ્મચર્ય પળાવતા..મૂર્ખામીની હદ તો એટલે સુધી હતી કે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવી પછી પરણવાની છૂટ આપતા.

બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવા અર્થમાં ભલભલાં મહાત્માઓ ફસાયેલા હતા. આ અનર્થે ભારતને બહુ મોટું નુકશાન કરેલું છે. અને હજુ પણ કરે જ જાય છે. હવે ઘણા નવા સંપ્રદાયોમાં માનનારા ઘેટાઓ એમના મૂરખ પ્રમુખોની બીમાર વાતોમાં આવી જાય છે કે સ્ત્રીઓના મુખ ના જોવાય. સ્ત્રીઓ માટે આનાથી મોટી અવહેલના બીજી કઈ હોય? આનાથી મોટી અપમાનજનક વાત કઈ હોય? સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવવાનું એક ઓર ગતકડું..બાવાના બુદ્ધિ વગરના મગજમાં તુક્કા આવે અને ઘેટા સમાજ એને પકડી લેતા હોય છે. પણ ભારતમાં આવા લોકો પૂજાય છે. સેક્સ સપ્રેસ્ડ સમાજ આવા લોકોની જોરશોરથી પૂજા કરવાનો જ છે કે ભાઈ અમે સેક્સને તાબે થઈ જઈએ છીએ જુઓ આ મહાત્માઓ કેવાં મહાન છે? ખાનગીમાં આ મહાત્માઓ શું કરતા હોય કોને ખબર?

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સુતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? કહેવાતા સતયુગમાં મીડિયા હતું નહિ ત્યારે સ્ત્રીઓની બુમો કોણ સંભાળે?

આજનો કલિયુગ સારો કે આજે તો સોશિયલ વેબ સાઈટો છે, મીડિયા છે. ઘણા ચમ્પુઓ કહેતા હોય છે છાના રહો. સારી ભાષામાં કહેતા હોય છે આમ સંવેદનાઓ ના ઉઘરાવો, પુરુષો પ્રત્યે ઘૃણા ફેલાવો છો. છાનું રાખો, લોકો જાણી જાય, દુનિયા જાણી જાય. બળાત્કાર થાય એનો વાંધો નહિ દુનિયા જાણી જાય એનો વાંધો. ગુરુ બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી..આજે પણ આવા દેવતાઓ સમાજમાં હાજર છે જ. આજના ગ્લોબલ મીડિયાના જમાનામાં કેટલું છાનું રાખશો? અમેરિકામાં એક હત્યા થાય તો ભારતમાં તરત લોકોને ખબર પડી જાય છે. ગંગા દુષિત છે આખી દુનિયા જાણી ગઈ છે તો શરમ આવે છે તો ગંગાને દુષિત કહેનારને ભાંડયા વગર એને શુદ્ધ કરો ને?

એક હરામી મીનીસ્ટરના બદમાશ છોકરાએ ત્રણસો નપુંસક લોકોની હાજરીમાં જેસીકાને ગોળી મારી દીધી. ત્રણસો નજરે જોનારા હોવા છતાં એક પણ સાક્ષી મળતો નહોતો..મીડિયા ઘણીવાર સારું કામ કરતું હોય છે. મીડીયાએ આ વાત એટલી બધી ચગાવી કે છેવટે દર દર ભટકતી જેસિકાની નાની બહેનની ન્યાય માટેની દોડધામ પૂરી થઈ..હરિયાણાના પોલીસ વડાને કોણ હાથ લગાવી શકે? રુચિકા રોળાઈ ગઈ. છેવટે મીડીયાએ બુમો પાડી ત્યારે પોલીસવડાને કસ્ટડીમાં લીધા. ઈન્ટરનેટના જમાનામાં શું છૂપું રહેવાનું છે?

દિલ્હી બળાત્કાર કેસમાં આટલી બધી બુમો પડી ત્યારે ગૃહપ્રધાનને એમની દીકરી યાદ આવી ગઈ, જાહેરમાં બોલ્યા કે મારે પણ દીકરીઓ છે મને પણ ખરાબ લાગે છે. બાકી ખૂણે બેઠાં બેઠાં હસતા હોત… હદ તો એ થઈ ગઈ કે નરાધમોએ બળાત્કાર કર્યા પછી પેલી છોકરીની યોનીમાં સળીયો ઘુસાડી પાશવી આનંદ માણ્યો. હવે તે ભવિષ્યમાં ક્યારેય માતા નહિ બની શકે. એનું ગર્ભાશય જ ફાડી નાખ્યું. એના આંતરડામાં કાયમી ઈજા થઇ ગઈ. છતાં સંવેદનહીન ચમ્પુઓ કહે છે છાનું રાખો.ગુપ્ત રાખવાની વૃત્તિ અને આબરૂ જાય છે તેવી માનસિકતાએ લાખો બાળકો અને સ્ત્રીઓ ગુપચુપ બળાત્કાર સહન કરે જતા હશે કોણ જાણે?

ભારતનો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તો પશ્ચિમનો સમાજ સેક્સ સ્વછંદ છે. સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે. જાતીય શિક્ષણની વાતો કરતા સંસ્કારીઓના ભવા ઊંચા ચડી જતા હોય છે. જાતીય શિક્ષણથી સમાજ સ્વછંદ બની જશે તેવી ધારણા જ ખોટી છે, ઉલટાની સેક્સ વિશેની સમજ વધશે. પશ્ચિમમાં પ્રવર્તતી સ્વછંદતાના બીજા અનેક કારણો હોઈ શકે, જાતીય શિક્ષણ નહિ. અમેરિકન ઓર્થોડોક્સ સમાજ તો વળી ભારતની ખાપ પંચાયતોને શરમાવે તેવો છે.

ખેતીની શરૂઆત થઈને પુરુષનું આધિપત્ય શરુ થયું. ભુવનેશ્વરીની જગ્યા બ્રહ્માએ પડાવી લીધી. મહાકાળીને પદચ્યુત કરીને શંકરને ગાદી મળી ગઈ. મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તો ઠીક વિષ્ણુના પગ દબાવતી દાસી બની ગઈ. માતૃપ્રધાન સમાજ પુરુષપ્રધાન બની ગયા અને સ્ત્રીઓને વસ્તુ સમજવાની શરૂઆત થઈ ગઈ. પત્ની એટલે દાસી. બ્રહ્મચર્યના ગલત અર્થની ધારણામાં વિશ્વાસ ધરાવતા મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસે લગ્ન કર્યા ત્યારે માં શરદામણીદેવી ફક્ત ૧૨ વર્ષના હતા. બાર વર્ષની છોકરીને શું સમજ હોય? કોઈએ રામકૃષ્ણને પૂછ્યું કે તમે બ્રહ્મચર્યનું (સેક્સ ના કરવો) વ્રત લઈને બેઠાં છો તો પછી લગ્ન શું કામ કર્યા? એમનો જવાબ હતો કામ કરવા સેવા કરવા કોઈએ જોઈએ ને? Thakur you too?

“શુભકામના”

મારા પ્રિય વાચક મિત્રો, સર્વે બ્લોગર મિત્રો, સર્વે ફેસબુક મિત્રો તથા બીજી નામીઅનામી સોશિયલ વેબસાઈટના સર્વે મિત્રોને  નવું વર્ષ સુખદાયી શુભદાયી નીવડે તેવી સર્વ શુભકામનાઓ..

તમામ મિત્રોનો  હૃદયપૂર્વક આભાર માનું છું કે બ્લોગ શરુ થયે ત્રણ વર્ષ પુરા થાય તે પહેલા ૨૦૦,૦૦૦ કરતા વધુ હીટ આપીને મારા બ્લોગને એક લોકપ્રિય બ્લોગની શ્રેણીમાં મૂકી દીધો છે. મારા આકરા લખાણો પસંદ કરવામાં આવ્યા છે તેની આ સાબિતી છે. મેં હમેશાં કઈક નવું પીરસવાનો પ્રયત્ન કર્યો છે. અત્યંત વિવાદાસ્પદ લખતો હોવા છતાં મને ગુજરાતી બ્લોગ જગત, ફેસબુક અને અન્ય વેબસાઈટો દ્વારા ખૂબ સારા મિત્રો પ્રાપ્ત થયા છે. તે સર્વેની લાગણીઓ મારા માટે અમુલ્ય છે. સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનતા ફરી એકવાર સર્વેને “નુતન વર્ષાભિનંદન”……….  

પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

 પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

પહેલું કોણ મરઘી કે ઈંડું?  આવા સવાલના જવાબ હોતા નથી. આમ એક સવાલ એવો પણ પુછાય છે કે પહેલા શું આવ્યું? મ્યુઝિક કે લૅન્ગ્વેજ? સંગીત કે શબ્દો? ટ્રેડિશનલ એવું માનવામાં આવે છે કે મ્યુઝિક એ ભાષાની ઈવોલ્યુશનરી બાય-પ્રોડક્ટ છે. ભાષા એવી સ્કીલ છે જે માનવીને બીજા પ્રાણીઓ કરતા યુનિક બનાવે છે. ભાષાના લીધે માનવી અદ્વિતીય બન્યો છે. એટલે ભાષાનો રોલ માનવી માટે ઉત્ક્રાંતિના ક્રમમાં બહુ મહત્વનો ગણાયો છે. એમાં મ્યુઝિકનું મહત્વ કોઈને દેખાયું નહિ. ભાષાની બાય-પ્રોડક્ટ ગણીને એનું મહત્વ ઓછું આંકવામાં આવ્યું.

પણ હવે આ ટ્રેડિશન ચેઇન્જ થવા લાગ્યો છે.  Daniel Levitin, Michael Thaut, Ian Cross, Silvia Bencivello,  અને  David Huron જેવા સંશોધકો અને લેખકો નવી થિયરી લઈને આવ્યા છે. તેઓના કહ્યા પ્રમાણે મ્યુઝિક ભાષાની કોઈ બિનજરૂરી બાય-પ્રોડક્ટ નથી, પણ બ્રેઈન માટે મહત્વનું કોર ફંકશન છે.

મૉર્ડન હ્યુમન બ્રેઈન વિકસે આશરે ૫૦,૦૦૦-૧૦૦,૦૦૦ વર્ષ થયા છે. આર્કીઓલોજીકલ પુરાવા રૂપે   ગુફાચિત્રો, કલાત્મક હથિયાર અને શિલ્પો વગેરે મળેલું છે જે આશરે ૭૦,૦૦૦ વર્ષ જુનું છે. સૌથી જુનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમૅન્ટ થોડા વર્ષો પહેલા જર્મનીમાંથી મળેલું છે અને તે છે હાડકામાંથી બનાવેલી વાંસળી. આ વાંસળી ૪૦,૦૦૦ વર્ષ જૂની છે. આ પુરાવા આપણા પૂર્વજોના વિકસેલા બ્રેઈન માટેની નાનકડી સાબિતી છે. કે આપણા પૂર્વજ એવા આદિમાનવ પાસે કળા અને સર્જનાત્મકતા હતી, એની પાસે સંગીતની સમજ હતી.

ઈવોલ્યુશનનો મહત્વનો નિયમ છે ‘સર્વાઈવલ ઑફ ધ ફીટેસ્ટ’ અને જે લોકો લાંબું જીવ્યા હોય અને તેમના જિન્સ બીજી પેઢીમાં પાસ કર્યા હોય તેમની પાસે જીવવા માટે જે તકલીફો પડતી હોય તે પ્રશ્નો ઉકેલવાની આવડત હતી. તેમને અતિશય ઠંડીમાં જીવન પસાર કરવાના રસ્તા આવડતા હતા અને વાઘના પંજાથી દૂર રહેવાનું પણ આવડતું હતું. સર્જનાત્મકતા એક રીતે પ્રશ્નો સોલ્વ કરવાની આવડત જ હોય છે.

ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ ચાઈલ્ડ ડેવલપમેન્ટ માટે આયના જેવું ગણાય છે. બાળકો ગાતા હોય છે, નાચતા હોય છે રમતા હોય છે અને આમ ભાષા શીખતા હોય છે ચિંતન મનન કરતા શીખતા હોય છે અને સોશિયલ અને ઇમોશનલ સ્કીલ શીખતા હોય છે. Perhaps it is through singing, dancing, and playing that early humans developed their cognitive, language, social, and emotional skills as well.

Anthony Brandt કહે છે બોલચાલની ભાષા એક વિશિષ્ટ પ્રકારનું સંગીત છે. તાજાં જન્મેલા બાળકો તમે જે બોલો છો, તમે જે ભાષામાં બોલો છો તેનો અવાજ પહેલા સાંભળતા હોય છે, શબ્દોનું સંગીત પહેલા સાંભળતા હોય છે, એમને તે શબ્દોના અર્થની  ખબર હોતી નથી, અર્થની સમજ પછી આવે છે. બાળકો પહેલા તમારા શબ્દોનું સંગીત સંભાળે છે પછી તેના અર્થ સમજે છે. ન્યુબોર્ન સ્વર, વ્યંજન, સ્પીચ સાઉન્ડ, એની પીચ, રીધમ વગેરેનો તફાવત સમજવાની એબીલીટી ધરાવતા હોય છે. સંગીત એટલે અવાજ સાથેની સર્જનાત્મક રમત..આપણે મોટા લોકો કોઈ અવાજ સાંભળીએ એટલે તેનો અર્થ સમજવાની કોશિશ કરીએ છીએ. બાળકો અવાજ ભલે તે શબ્દના સ્વરૂપે હોય કે ભાષાના સ્વરૂપે હોય તે રિધમિક પૅટર્ન સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. શબ્દોના અર્થ તેમના માટે પછી આવે છે. આ રિધમિક અને phonemic  પેટ્રન એમના બ્રેઈનમાં સ્ટોર થઈ જતી હોય છે અને ત્યાર પછી એના અર્થ સમજતા હોય છે. સંગીત અને સુરની સમજનો સમય ધીમો હોય છે અને શબ્દોની સમજનો સમય ટૂકો હોય છે તેના કારણે સંગીત કે સુરની સમજ વહેલી શરુ હોવા થઈ હોવા છતાં લેન્ગ્વેજની સમજ મોડી શરુ થઈ હોવા છતાં શબ્દોની સમજ રેસમાં આગળ વધી ગઈ હોય છે આમ સુર અને શબ્દોની સમજનો સમય સરખો થઈ જતો હોય છે.

શરૂમાં ન્યુબોર્ન માટે એમની માતૃભાષા અને બીજી ભાષાઓ વચ્ચેનો તફાવત સમજવાની આવડત કે સમજ હોતી નથી. ધીમે ધીમે એકાદ વર્ષમાં તેમણે આ તફાવત સમજાવા લાગતો હોય છે. તેવી રીતે તેમના નેટિવ મ્યુઝિક અને બીજી સંસ્કૃતિના મ્યુઝિકને સમજવામાં પણ સમય લાગતો હોય છે. બાલક તેના પ્રથમ વર્ષમાં ક્રમશઃ પોતાની ભાષા અને પોતાના કલ્ચરના મ્યુઝિકની ઓળખ મેળવતું હોય છે. જુદા જુદા વ્યંજનના અવાજને ઓળખવા માટે બ્રેઈનના temporal lobe  વિભાગમાં ઝડપથી પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. તેજ રીતે જુદા જુદા વાજિંત્રોના સંગીત અને માત્રાઓ સમજવા કે ઓળખવા માટે તે જ ઝડપથી બ્રેઈનમાં પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. દાખલા તરીકે તમારે ‘બા’ અને ‘દા’ વચ્ચેના તફાવતને સમજવા બ્રેઈનમાં જે ઝડપથી પ્રોસેસિંગ થવું જોઈએ તે જ ઝડપથી પિયાનો અને ટ્રમ્પેટના સંગીત વચ્ચેના તફાવત સમજવા પ્રોસેસિંગ થવું જરૂરી છે. જો તમે આ પ્રોસેસિંગ ના કરી શકો તો પિયાનો અને ટ્રમ્પેટ વચ્ચેનો તફાવત સમજી નહિ શકો. આમ સંગીત કરતા શબ્દોની સમજ આગળ નીકળી જતી હોય છે. From a musical perspective, speech is a concert of phonemes and syllables. જે લોકો સ્પીચ અને રીડિંગ ડીસઓર્ડર વડે પીડાતા હોય છે ત્યાં મ્યુઝિક થેરાપી ખૂબ લાભ આપતી હોય છે. જે લોકો Dyslexia વડે પીડાતા હોય છે તે લોકો મ્યુઝિકની રીધમ સમજવામાં પણ કાચાં હોય છે. સ્ટ્રોકના  કારણે જે લોકોને બોલવાની તકલીફ હોય કે ભાષાની તકલીફ ઊભી થાય છે તેવા લોકોને એમાંથી બહાર નીકળવા માટે મ્યુઝિક આશીર્વાદરૂપ રહ્યું છે. કારણ બચપણમાં સંગીતે જ એમને ભાષા શીખવી હોય છે.

કહેવાય છે કે માનવી પક્ષીઓની સુરની ભાષા સાંભળી જોઈને શરૂમાં એમના જેવા સુરની ભાષા શીખ્યો હોવો જોઈએ પછી એમાં શબ્દો આવ્યા હોવા જોઈએ. માનવી આફ્રિકાથી મિડલ ઈસ્ટ થઈને સીધો દક્ષિણ ભારત પહોચેલો ત્યાં સુધીમાં એનામાં ઘણી બધી ખૂબીઓ સામેલ થઈ ગઈ હોવી જોઈએ. કેરાલામાં વર્ષમાં અમુક ચોક્કસ દિવસોમાં એક ખાસ કોમના માણસો એમના નાનાં બાળકોને લઈને ઘાસના બનાવેલા વિશાલ ઘરમાં અમુક દિવસો માટે પુરાઈ જતા હોય છે. ત્યાં રોજ સુરની ટ્રેનિંગ ચાલતી હોય છે. આ સુર કોઈ ભારતીય શાસ્ત્રીય સંગીતના હોતા નથી કે નથી કોઈ પણ જાતના હાલના ચાલતા સંગીતના. ફક્ત પક્ષીઓ ગાતા હોય તે રીતના કોઈને પણ સમજ ના પડે તેવા સુરના રાગડા રાત દિવસ ચલતા હોય છે. મોટેરાં લોકો બાળકોને એની તાલીમ આપતા હોય છે. અમુક દિવસે તાલીમ પૂરી થઈ જાય પછી પેલું ઘાસનું વિશાલ ઘર સળગાવી દઈને આ અજીબોગરીબ સુરોત્સવની પૂર્ણાહુતિ થઈ જાય છે. પશુપક્ષીઓ પાસેથી શીખેલી સુરની ભાષા શીખવવાની આ પદ્ધતિસરની તાલીમ તો નહિ હોય ને? શું માનવી સૂરને શબ્દોમાં ફેરવવાની કળા અહીંથી તો નહિ શીખ્યો હોય ને?

If you are interested in reading more about the connection between music and evolution, I recommend the following books:

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌના લાડકવાયા સ્વ. મેઘાણીભાઈની ૧૧૬ મી જન્મ જયંતી ઉપક્રમે ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકા અને ટીવી એશિયાના સંયુક્ત પ્રયાસ દ્વારા એક નાનકડો સાદગીપૂર્ણ પણ ભવ્ય કાર્યક્રમ ૯ સપ્ટેમ્બરના રોજ ટીવી એશિયાના ઓડીટોરીયમમા શ્રી ભીખુદાન ગઢવીની નિશ્રામાં યોજાઈ ગયો. હમણાં ‘ચાલો ગુજરાત’ જેવો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માણેલો જ હતો, એનો કેફ ઊતર્યો પણ નહોતો અને મિત્રશ્રી દિલીપભાઈનો ફોન આવી ગયેલો આવો સરસ મજાનો પ્રોગ્રામ ઘરઆંગણે થવાનો છે. બ્લોગર મિત્ર શ્રી. જગદીશભાઈએ જણાવેલું એક કોમેન્ટમાં પણ નેટ બંધ હોવાથી મને ખબર નહોતી. પણ જગદીશભાઈ મારી આગળ બેઠેલાં જ હતા. વળી હમણાં આપણ રામ આરામ હી રામ હૈના સૂત્રનો અમલ પ્રામાણિકતાથી કરીએ છીએ. એટલે આવા કાર્યક્રમમાં જવામાં ખાસ કોઈ અડચણ આવે નહિ.

હું પહોચ્યો ત્યારે ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખશ્રી રામભાઈ ગઢવી શરૂઆતમાં કરાનારા ઔપચારિક ભાષણ કરી રહ્યાં હતા. રામભાઈ મિતભાષી છે. અને એમના વક્તવ્યોમા હાસ્યરસ ઓટોમેટિક ભળી જતો હોય છે. સાદાં સરળ પ્રકૃતિના રામભાઈ સ્માઈલિંગ ફેસ ધરાવતા વ્યક્તિ છે. માઇક પર બહુ સમય લે નહિ. પણ આપણને એવું થાય કે માઇક એમનો સમય વધુ લે તો વધારે હસવાનું મળશે અને મજા પડી જાય. અને એમના સાચા વખાણ કરીશું તો કહેશે લે આતો મને પણ ખબર નહોતી. પ્રોગ્રામનું સંચાલન કરતા બેન ગાયત્રીને ઉદ્દેશીને કહેશે કે આ ગાયત્રી મારા વધુ પડતા વખાણ કરે છે જો કે વખાણ કોને ના ગમે એવું પણ ઉમેરી લેવાના.

માઇક માટે એકદમ પરફેક્ટ અવાજ ધરાવતા ગાયત્રીને સાંભળી મને લાગ્યું ફીમેલ હરીશ ભીમાણી. વક્તાઓનો પરિચય આપવાની અને એમને બોલવા આમંત્રણ આપવાની જવાબદારી નિભાવતા નિભાવતા મેઘાણીભાઈ વિષે પણ સુંદર બોલતા જવાનું. અવાજનું માધુર્ય બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. ગાયત્રીને અવાજમાધુર્ય અને રૂપમાધુર્ય બંને વરેલું છે.

અવાજ વિષે કહું તો હું બહુ જલદ દાઝી જવાય તેવું લખું છું તેવું મિત્રો માને છે ભલે મને ના લાગતું હોય. પણ જ્યારે મારા વાચકમિત્ર સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું તો તે લોકો માની શકતા નથી કે મારો અવાજ મારા લખાણો જેટલો જલદ કે પ્રભાવશાળી નથી. ઘણા મિત્રોએ કહ્યું કે મારો અવાજ બહુ સોબર છે. મારા લખાણો પરથી મિત્રો માની લેતા હશે કે આમનો અવાજ પણ કોઈ મેઘગર્જના જેવો હશે. મેં એક મિત્રને જણાવેલું પણ ખરું આવી ચર્ચા દરમ્યાન કે હરીશ ભીમાણી કે બચ્ચન મારા જેવું જલદ લખી ના શકે ભલે એમનો અવાજ ભારેખમ હોય. હહાહાહાહા!!!

ઓગસ્ટ ૨૮, ૧૮૯૬ ચોટીલામાં જન્મેલા અને માર્ચ ૯, ૧૯૪૭મા ફક્ત ૫૦ વર્ષની ઉંમરે ગરવી ગુજરાતને કાયમ માટે છોડી સ્વર્ગારોહણ કરનારા ઝવેરચંદ મેઘાણીના જિન્સ હાજર હતા. એમના મોટાપુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી તો હાજર નહોતા પણ એમનું આઠમું સંતાન અને સૌથી નાના પુત્ર એવા શ્રી અશોકભાઈ મેઘાણીને જોઈ એવું લાગ્યુંકે મારા માનિતા સાહિત્યકાર સદેહે હાજર છે. શ્રી અશોકભાઈ મેઘાણી ગ્રેટ પિતાશ્રીની યાદમાં એટલાં ગળગળા હતા કે કશું વધુ બોલી શક્યા નહિ. એમણે કહ્યું હું શું બોલું? એ બહુ નાનાં હતા ફક્ત ચાર વર્ષના અને પિતા ગુજરી ગયેલા. એમનો ચહેરો કે સ્મૃતિ ચિહ્ન યાદ જ નથી. જે કાઈ પણ છબી પિતાની માનસપટલ પર ઊપસે છે તે એમના જોએલા ફોટા અને એમનું લખેલા સાહિત્યનું પ્રતિબિંબ છે. એટલું યાદ છે કે એમના પિતા કશું કામ કરતા હોય લખતા હોય અને એમને ખલેલ પહોચાડવાની સખત મનાઈ હોય ત્યારે કશું કામ પડે તો બાળ અશોકને ઓરડામાં મોકલવામાં આવતો.

હવે વારો આવ્યો  કાજલ ઓઝા વૈદ્યનો. કાજલે મેઘાણીભાઈના જન્મ દિવસ વિષે તારીખ, વાર, તિથિ, સમય, ચોટીલાના અક્ષાંશ-રેખાંશ, નક્ષત્ર, રાશી અને ચંદ્ર્લગ્ન બધું બોલીને પહેલે સપાટે મોભો પાડી દીધો. મને મનમાં ખૂબ હસવું આવ્યું અને આજુબાજુના મિત્રો સાશ્ચર્ય પ્રભાવિત થઈ ગયા. કાજલ ઓઝાએ પ્રમાણિકતાથી કહ્યું  કે ‘ હું મેઘાણીભાઈ જેવા સમર્થ બહુમુખી સાહિત્યકાર વિષે કહેવા બહુ નાની પડું, અને એના માટે મારે ઘણુંબધું લેસન કરવું પડ્યું.’ જો કે ઓઝા એમના કરેલા લેસન માટે ૧૦૦ માંથી ૧૦૧ માર્ક લઈ ગયા તે હકીકત છે. કાજલ ઓઝાએ મેઘાણીભાઈ વિષે એટલી બધી રસપ્રદ સુંદર અને બહુ જાણીતી ના હોય તેવી માહિતી પીરસી કે ના પૂછો વાત. એમના વક્તવ્યનો ભાવાર્થ લખું કે મેઘાણી ભાઈએ સાહિત્યના લગભગ તમામ પ્રકારનું ખેડાણ કર્યું છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટકો, અનુવાદ લગભગ તમામ પ્રકારના સાહિત્યમાં એમનો હાથ હમેશા ઉંચો રહ્યો છે. મેઘાણીભાઈ કોલમ લખતા હતા. ૧૯૩૭ના ગાળામાં  દેશવિદેશની ખૂબ સુંદર અને અણજાણ માહિતી કોલમમાં પીરસતા હતા. તે સમયે ક્યાં ઇન્ટરનેટ હતું? ફ્રેંચ રાષ્ટ્રગીત કોણે અને કયા સંજોગોમાં લખેલું તે માહિતી તે સમયે મેઘાણીભાઈ ક્યાંથી ખોળી લાવતા હશે? અનુવાદમાં તો એમણે સાદાં અનુવાદ નથી કર્યા પણ અનુસર્જન કર્યું છે. અનુવાદમાં પણ એમની સર્જકવૃત્તિએ મેદાન માર્યું હતું. લાગે જ નહિ કે આ અનુવાદ છે. કવિ લૉર્ડ બાઈરન એમના પ્રિય હતા. દુનિયાની મોટાભાગની ભાષાના સાહિત્યને તેમણે ખેડ્યું હતું અને એનું ગુજરાતીમાં દર્શન કરાવ્યું હતું. વૈશ્વિક સાહિત્યને ગુજરાતી ફલક પર ઉતારનારા એ સૌના લાડકવાયા મેઘાણીભાઈ હતા. એસ્કિમોને ‘હિમબાળ’ તરીકે ઉતાર્યા હતા. આમ મેઘાણીભાઈ ઉત્તરધ્રુવ પણ પહોચી ગયા હતા. ટોલસ્ટોયના પત્નિએ કોઈ પુસ્તકમાં એના પતિની નિંદા કરી હશે એના માટે મેઘાણીભાઈએ શબ્દ વાપર્યો છે સાહિત્યમાં ચમારવૃત્તિ..મેઘાણીભાઈએ રવીન્દ્રનાથ ઠાકુરને(કુરબાનીની કથા) પણ ગુજરાતીમાં ઉતાર્યા હતા. શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવી આજની સમર્થ લેખિકા મેઘાણીભાઈ જેવા ભવ્ય સાહિત્યકાર વિષે બોલતા હોય અને તે પણ પુરા હોમવર્ક સાથે ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? અઢળક માહિતી એમણે પીરસી જે બધી અહી ઉતારવી અશક્ય છે.

ડૉ મહેતાનું કહેવું હતું કે ઢેલીબાઈ અને અમૃતલાલ શાહ એમના જીવનનો ટર્નીગ પોઇન્ટ હતો. ઢેલીમાંએ એમને લોકસાહિત્યમાં રસ લેતા કર્યા અને અમૃતલાલે પત્રકાર, તંત્રી, એડિટર બનાવ્યા. મેઘાણીભાઈ ફૂલછાબ અને જન્મભૂમિમાં એડિટર હતા.

‘ચાલો ગુજરાત’ ના આયોજક સુનીલ નાયકે કહ્યું કે કાજલ ઓઝા વૈદ્ય બોલી ચૂક્યા હોય અને ભીખુદાન ગઢવી બોલવાના હોય તે વચ્ચે હું સમય લઉં તે મારા અને બીજા શ્રોતાઓ માટે પનીશમેન્ટ કહેવાય.

હવે જેની ઉત્કંઠા પૂર્વક રાહ જોવાતી હતી તેવા જાણીતા શ્રી ભીખુદાન ગઢવી અને એમનો નાનકડો ડાયરો સ્ટેજ પર વિરાજમાન થયો. એમના શબ્દોનો ભાવાર્થ જણાવું કે મેઘાણીભાઈએ લોકસાહિત્યનું જબરદસ્ત સંકલન કર્યું છે. એના માટે ગામેગામ તેઓ રખડતા હતા. ભીખુદાનભાઈ વચમાં એમના ચારણી ગાળાને ગહેકાવી પણ લેતા હતા. વચમાં હસાવી પણ લેતા હતા. આખેઆખું લોકસાહિત્ય જેના મોઢે હોય તેવા ભીખુદાન ગઢવી જ્યારે સમર્થ સાહિત્યકાર એવા મેઘાણીભાઈ વિષે કહેતા હોય, ગાતા હોય ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? વચમાં વચમાં ભારતીબેન વ્યાસ અને બીજા સાથી ગાયક કલાકારો પાસે મેઘાણીભાઈએ રચેલી રચનાઓ પણ ગવડાવતા હતા. ભીખુદાન ભાઈએ જણાવ્યું કે મેઘાણીભાઈ લોકસાહિત્યને સામાન્યજન પાસેથી પણ શોધી લાવવા ખૂબ મહેનત કરતા. એમના મનમાં આવ્યું કે મારે દરિયાના ગીતો ભેગાં કરવા છે. ખૂબ તપાસના અંતે જાણવા મળ્યું કે કોઈ ખારવા કોમની ડોશી આવા ગીતો ગાતી હોય છે. મેઘાણીભાઈ યેનકેન પ્રકારે એની પાસે પહોચી ગયા. આતો મજુરબાઈ ક્યાંક કામ કરતી હતી. મેઘાણીભાઈ ત્યાં બેસી ગયા કહે મા મને દરિયાના ગીતો સંભળાવ. ખારવા દરિયાની ખેપ મારવા જાય ત્યારે અને એના સંદર્ભને ગવાતા ગીતો એમણે એની પાસેથી સાંભળ્યા. ભાવાર્થ એવો હતો કે જુવાનિયા દરિયામાં તોફાનો આવે હિંમત હારતો નહિ. એક ગીત એવું હતું કે માતા એના દીકરાને કહેતી હતી કે હું દરણા દળીને તને ખવડાવીશ પણ હવે દરિયામાં ખેપ નહિ મારવા દઉં. માના પ્રેમની આ બધી વાતો છે. આવી બધી પંક્તિઓમાં ભીખુદાનભાઈના કંઠના કામણ ભળે એટલે વાતાવરણ ભાવુક બની જાય.

તબલાવાદકનો પરિચય આપ્યા પછી એમણે કહ્યું કે એકવાર કોઈ નદીમાં બહુ મોટું પુર આવેલું ગામ લોકો જોવા ભેગાં થયેલા. તો લોકોએ જોયું કે નદીમાં તબલાની જોડ તરતી તરતી જતી હતી. કોઈ વડીલે જુવાનિયાને કહ્યું કે અલ્યા ગમેતેમ કરી કાઢી લો કામ લાગશે. આમેય નવરાત્રિમાં વગાડવા ખૂટે છે. લોકોએ મહામહેનતે તબલા કાઢ્યા તો ભેગાં ભગત પણ બહાર નીકળયા. તબલા કેડે બાંધી ભગત જતા હશે ને પુરમાં ફસાઈ ગયેલા. એક ઝાડ પર અડધો દિવસ ઊંધા ટીંગાડી રાખ્યા અને બધું પાણી નીકળી ગયું ત્યારે ભગત માંડ માંડ બોલ્યા કે એકાદી કળા આવડતી હોય તો બચી જવાય. તબલાએ એમને બચાવ્યા. હસાવવાની કળા ડાયરાના કલાકારને ના આવડતી હોય નવાઈ કહેવાય. ભીખુદાનભાઈ ખૂબ હસાવે.

એક બહુ ઉત્તમ વાત કહી કે ‘તોતડી જીભ હોય તે પ્રભુની દેન છે પણ તોછડી જીભ હોય તો વાંક આપણો છે, જીભ પરના ઘા તો રુઝાઈ જાય પણ જીભે દીધેલા ઘા કદી રુઝાતા નથી.’ એક સાસુ વહુનો સરસ દાખલો આપ્યો જે દરેક સાસુ વહુએ ગાંઠે બાંધવા જેવો છે. એક વહુ નવી પરણેલી સાસરીમાં કોઈ ખાઉધરી સમજી ના લે માટે ઓછું ખાતી. દિયર જોડે સાઠગાંઠ કરી તલની ઘાણીથી તલની સાની(હાની) છાનામાની મંગાવી ઘંટી નીચે સંતાડી રખાવતી. વહેલી સવારે દળણું દળવા બેસે એટલે ખાઈ લે. પણ એકવાર સાસુએ કચરો વળવા સાવરણી  ફેરવી ને પેલો કચરીયાનો વાટકો બહાર આવ્યો, સાસુ સમજી ગઈ બધી વાત પણ ચાખી જોયું તો હાની મોળી હતી. સાસુએ એમાં ગોળ ભેળવી દીધો. ઘણા દિવસ આવું ચાલેલું. વર્ષો પછી વહુ સાસુ બની ગઈ અને સાસુ વડસાસુ. ઘરડા વડસાસુએ નવી આવેલી વહુ વિષે પૂછ્યું તો એમની વહુએ જવાબ આપ્યો કે બધી વાતે સરસ છે પણ કામમાં જરા મોળી છે. વૃદ્ધ વડસાસુએ જવાબ આપ્યો કે એમાં શું થયું જરા ગોળ ભેળવી દે. તને ખબર નથી પણ તારી હાનીમાં મેં ખૂબ ગોળ ભેળવ્યો હતો.
ભીખુદાનભાઈ આવી અનેક વાતો કરતા હતા. મેઘાણીભાઈની રચનાઓ ગાતા અને ગવડાવતા હતા. એમના વિષે બીજા કવિઓએ રચેલી રચનાઓ પણ જણાવતા હતા. પણ મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું હોવાથી કમને પ્રોગ્રામ અધુરો મૂકી ભાગવું પડેલું.

મિત્રોને ખબર નહિ હોય અહી સભામાં હું હતો ત્યાં સુધી ઉલ્લેખ થયો નહોતો પણ “સિંધુડો” રચવા બદલ બ્રિટીશ રાજે શ્રી મેઘાણીને બે વર્ષની જેલમાં નાખ્યા હતા. શ્રી મેઘાણી ઉમદા સાહિત્યકાર, સાહિત્ય દ્વારા સમાજસુધારક અને ફ્રીડમ ફાઇટર પણ હતા. એમની વાર્તાઓમાં સમાજના છેવાડાના ગણાતા પાત્રોના મુખે સમાજમાં ચાલતી બદીઓ સામે જબરદસ્ત પંચ મુકાયેલા છે.

સૌરાષ્ટ્રની રસધાર નહિ વાંચી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે? એકપણ ના હોવો જોઈએ એવું મારું માનવું છે. બાકીના ગુજરાતને સૌરાષ્ટ્રની સાચી ઓળખ આપનારા, સૌરાષ્ટ્રના ખમીર અને શૌર્યથી બાકીના ગુજરાતને અવગત કરાવનારા એવા મેઘાણીભાઈ “સૌના લાડકવાયા” હતા. નાન્હાલાલ સાહિત્યના પર્યાય હતા અને ગાંધીજી લોકોના પર્યાય હતા અને બંનેને સેવનારા મેઘાણીભાઈ લોકસાહિત્યના પર્યાય હતા આવી મેઘાણીભાઈની ઓળખ આપનારા શ્રી અશોકભાઈ મેઘાણીને ફરી યાદ કરીને હું સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીને ખૂબ ખૂબ વંદન કરું છું.

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં !!!

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં!!!

મહિનાથી ખુશ થતા હતા કે ‘ચાલો ગુજરાત’ માં જઈશું અને ખૂબ મજા આવશે. ખાસંખાસ મિત્ર દિલીપભાઈ ભટ્ટનો ફોન આવી ગયેલો કે બાપુ, ટીકીટની ચિંતા કરતા નહિ હું બુક કરાવી લઈશ. આપણા મલકના માયાળુ માનવી એવા જૂનાગઢના દિલીપભાઈ મને નાનાભાઈની ખોટ પડવા દેતા નથી. ૩૧ ઓગસ્ટ, શુક્રવારથી શરુ થઈને ૨, સપ્ટેમ્બર રવિવારે મોડી રાત્રે પૂરો થનારો આ આધુનિક અમેરિકન બંધ સાઉન્ડપ્રૂફ પેટીપૅક હોલમાં ભરાનારો ન્યુજર્સીના એડીસન ગામનો તરણેતરનો મેળો જ સમજી લેવાનો. ન્યુ જર્સી એટલે અમેરિકામાં વસેલું ગુજરાત અને એડીસન એટલે આ ગુજરાતનું હૃદય. એડીસનમાં આવેલા આ રેરીટન સેન્ટરના આ એકસ્પો હોલમાં ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

આઈના સંસ્થા દ્વારા દર બે વર્ષે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ ભેગાં કરીને એમને આયનામાં એમનું પ્યારું ગુજરાત પાછું બતાવવાના સંનિષ્ઠ પ્રયાસ એના સંચાલકોની અથાગ મહેનત દ્વારા થતા હોય છે. ત્રણ દિવસ થનારા ભરપૂર કાર્યક્રમોનું આયોજન આઠ-નવ મહિનાની સતત મહેનતનું પરિણામ હોય છે. ગુજરાતથી કેટલા બધા મહાનુભાવોને બોલાવવાના, એમની સગવડ સાચવવાની, અતિઆધુનિક ટેક્નોલૉજી વાપરી દ્ગશ્ય-શ્રાવ્ય પ્રોગ્રામ આયોજિત કરવાના, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન કરવાનું આ બધું ખૂબ મહેનત માંગી લે તેવું હોય છે.

“આઈના સંસ્થા અને તેના સંચાલક સુનીલ નાયક અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.”

પ્રથમ દિવસે તો સંજોગો એવા હતા કે હું જઈ શક્યો નહોતો. ભીખુદાન ગઢવીનો ડાયરો ચૂકી ગયો. મારા ખાસ ફેવરીટ પાર્થિવ ગોહીલનો પ્રથમ દિવસનો પ્રોગ્રામ પણ ચૂકી જવાયો. બીજા દિવસે દિલીપભાઈ આવી શકે તેમ નહોતા. જોકે મારા માટેનું રજિસ્ટ્રેશન એમણે આગલે દિવસે કરાવી નાખેલું અને હોલમાં જરૂરી પ્રવેશપત્રરૂપી પ્લાસ્ટિક ટેગ,  હાથે બંગડીની જેમ દરેકે પહેરી રાખવાની હોય છે તે સવારમાં દિલીપભાઈ આવીને આપી ગયેલા. પ્રવેશ માટેનો સમય ચોક્કસ ખબર ના હોવાથી હું તો દસ વાગ્યે પહોચી ગયો. એક છકડો ત્યાં પડેલો. એક રિક્ષા પણ પડેલી. થોડીવાર માટે ભૂલી ગયો કે અમેરિકામાં છું. ગુજરાતના કોઈ શહેરમાં રિક્ષા માટે રાહ જોઈને ઊભો હોઉં તેવું લાગ્યું. રિક્ષામાં અને છકડા પર બેસીને લોકો ફોટા પડાવતા હતા. પછી ખબર પડી કે ટાઈમ તો બપોરે એક વાગ્યાનો છે. ઘર નજીક એટલે પાછો ઘેર વહ્યો ગયો. બાર વાગ્યે પાછો આવ્યો તો ખૂબ લાઈન લાગી ગયેલી. પ્રવેશદ્વાર આગળ ઉપર કઠપૂતળીઓ લટકાવેલો સુંદર પૅસેજ બનાવેલો હતો. લોકોની ભીડ જામતી હતી. આ પૅસેજ નાનો હતો અને પ્રવેશવાનો સમય એક વાગ્યાનો હતો એટલે ઉભા રહેનારા ખૂબ વધી ગયા. પૅસેજ પૂરતો છાંયડો હતો બાકી લોકો તડકામાં લાઈન લગાવીને ઊભેલા. આવા પ્રોગ્રામમાં અહીંના બોર્ન યંગસ્ટર્સને રસ ઓછો હોય તે સ્વાભાવિક છે. પ્રેક્ષકોમાં આધેડ અને વૃદ્ધ જ વધુ હોય અને આવું લાંબા સમય તડકામાં ઉભા રહેવાનું તકલીફદાયક હોય. લોકોનું કહેવું હતું કે ભલે પ્રોગ્રામ એક વાગે શરુ થતો અંદર બેસવા તો દો? એક વાગી ગયો પણ કોઈ દરવાજા ખોલે નહિ. એમની જે મજબૂરી હોય તે પણ છેવટે લોકો મૅનેજમેન્ટ હાય…હાય… એવી બુમો પાડવા લાગ્યા ત્યારે દરવાજા ખૂલ્યા. આ દરમ્યાન સમય પસાર કરવા લોકો ગામગપાટા મારે તે સ્વાભાવિક છે. એક કાકા કહે કાલે બાસુંદી જરા ખટમીઠાં સ્વાદવાળી હતી. હું તો આગલે દિવસે આવેલો નહિ એટલે મને તો ખબર નહિ. કાકા કહે એક વોલેન્ટિયર ભાઈને પુચ્છ્યું તો કહે દહીંની બાસુંદી બનાવેલી છે માટે ખાટી છે. બધા ખૂબ હસવા લાગ્યા. મેં કહ્યું કાકા,  એ ભાઈએ કટાક્ષમાં કહ્યું હશે તમે સાચું માની ગયા, બાકી દહીંની બાસુંદી કદી હોય નહિ. બાસુંદી ગરમીમાં ફાટી ગઈ હશે. કાકા કહે મને એમ કે મઠો જેવો કોઈ બાસુંદીનો નવો પ્રકાર હશે. કાકા પણ લોકોને હસાવવાને મુડમાં હતા. એક બહેન બોલ્યા તો પછી પાછળથી બાસુંદી મૂકવાનું બંધ કેમ કરી દીધું?

અનુભવી અને અનેક વખત સફળતાપૂર્વક આયોજન કરી ચૂકેલા સંચાલકો પણ ક્યારેક આવી બાબતોમાં માર ખાઈ જતા હોય છે. એમાં એમના કરતા કેટરરનો વાંક વધુ હોય છે. અગાઉના આવા આયોજન વખતની રસોઈના વખાણ પણ લોકો ખૂબ કરતા હતા. મજાક મસ્તી અને અકળામણ કાઢતા લોકો છેવટે અંદર પ્રવેશ પામ્યા. હું તો એકલો હતો કોઈ ઓળખીતું મળી જાય તો ઝડપી લેવાની તાકમાં હતો અને નિકેતાબેન વ્યાસ અને રેખાબેન પટેલને જોઈ લીધા. ફેસબુક મિત્રો કામ લાગ્યા ખરા. બંનેના પતિદેવને મળ્યો. જનકભાઈ દેસાઈ મળ્યા, જયેશભાઈ ભટ્ટ મળ્યા. કંપની મળી ગઈ હતી. જનકભાઈ કવિહૃદય અને ધર્મો કરતા માનવધર્મને વધુ માને. દરેક વસ્તુમાં એમને કવિતા જડે. આ જનકભાઈના જીવનના એક પ્રસંગમાંથી સહુએ શીખ લેવા જેવી છે, જો ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો. જનકભાઈને વર્ષો પહેલા એક પ્રસંગે એવું બન્યું કે એમને કોઈને મળવું નહીં હોય તો પત્નીને કહેવાનું મન થયું કે ના પાડી દે કે પોતે ઘરમાં નથી. હજુ આવું કહેવાનો વિચાર જ આવ્યો છે, ત્યાં બાજુમાં એમની નાનકડી ત્રણ વર્ષની બેબી રમતી હતી. જનકભાઈને થયું કે હું આવું જૂઠ બોલીશ તો આ બાજુમાં રમતી બેબી અનકોન્શિયસલી  સાંભળશે તો ખરી જ અને એના મન પર શું અસર પડશે? બસ એ દિવસથી જનકભાઈના કહેવા પ્રમાણે એમના જીવનમાં પરિવર્તન આવી ગયું. ઋજુ હ્રદયના માલિક એવા જનકભાઈને સલામ કરવાનું મન થાય છે.

કોઈએ ફેસબુકમાં પૂછેલું કે સમય એટલે શું? મેં મજાકમાં નીચે કૉમેન્ટ લખેલી કે સમય એટલે હરીશ ભીમાણી. મહાભારત સીરીયલ સહુએ જોઈ હશે, એટલે હરીશ ભીમાણી વિષે ઓળખ આપવાની હોય નહિ. હરીશ ભીમાણી, સોહાગ દીવાન, અમીન સયાની અને અમિતાભ બચ્ચન આ બધા બુલંદ અવાજની દુનિયાના બાદશાહો કહેવાય. હરીશ ભીમાણી હસતા જાય હસાવતા જાય અને એક પછી એક થનારા પ્રોગ્રામની માહિતી આપતા જતા સંચાલન કરતા જાય. ગુજરાતની ગાથા વર્ણવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ એક પછી એક જોવાની ખૂબ મજા આવતી જતી હતી. વચમાં વચમાં મહાનુભાવોના ભાષણોમાં પણ ગુજરાતનું ગૌરવ છલકાતું જાય.

મારો ફેવરીટ પાર્થિવ ગોહીલ આવ્યો અને એના કર્ણપ્રિય ગાયન વડે અદ્ભુત જમાવટ કરી દીધી. સુગમ સંગીત હોય, ફિલ્મી ગીતો હોય, રાસગરબા હોય પાર્થિવનો જોટો જડવો મુશ્કેલ. કદાચ મિત્રોને ખબર નહિ હોય આ પાર્થિવ શાસ્ત્રીય ગાયકીમાં પણ કોઈ મહાપંડિત કે ખાંસાહેબને ટક્કર મારે તેવું ગાય છે. એની શાસ્ત્રીય રાગો આધારિત બંદિશ’ સીડી હું મારી કારમાં કાયમ રાખું છું. કવિ નર્મદના ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત’….અને એવા બીજા ગીતો ગાઈને પાર્થિવે અદ્ભુત રસાસ્વાદ કરાવી દીધો. રાસગરબા અને દુહાની રમઝટ એવી બોલાવી કે સમય થંભી ગયો…અહીં સમય એટલે હરીશ ભીમાણી સમજવાની છૂટ છે…પાર્થિવે તન, મન અને દિલ ડોલાવી દીધું હતું.

વસ્ત્રાપુર, અમદાવાદની બ્લાઈન્ડ સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ જે નૃત્યો, ગરબા અને પીરામીડ દર્શાવીને એવું ઇમોશનલ વાતાવરણ બનાવી દીધું કે ભાઈ મારી આંખોમાં તો પાણી આવી ગયા. આ અંધ બાળકોના  પર્ફૉર્મન્સ જોઈને એવું લાગે કે આ ખરેખર અંધ બાળકો છે કે આપણે અંધ છીએ? ખરેખર બુદ્ધિ (પ્રજ્ઞા) જેની ચક્ષુ છે તે લોકો જ સાચું દેખતા છે, આપણે દેખતા આંધળાઓને કોણ સાચો રાહ બતાવી શકે?? એક આવી પ્રજ્ઞાચક્ષુ બાળા પાછી હરીશ ભીમાણી સાથે શૉનું સંચાલન પણ કરતી હતી. ભણેલા અભણ અને દેખાતા અંધોનો કોઈ ઉપાય નથી. આઈના સંસ્થા આવા પ્રોગ્રામ વખતે કદી ડોનેશન માંગતી નથી પણ આ અંધ બાળકોની સ્કૂલ માટે જ્યારે દાન આપવા વિનંતી કરાઈ તો માયાળુ ગુજરાતીઓના હૃદય સાથે ખિસ્સા પણ ખૂલી ગયા. સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે લોકો ડોલર્સનો વરસાદ વરસાવવા લાગ્યા. કોઈ પાંચ હજાર, તો કોઈ બે-ત્રણ હજાર લખાવવા માંડ્યા. બસો પાંચસોનો તો પાર જ નહોતો. ગુજરાતી કરકસરિયો  ખરો પણ દાન આપવામાં પણ એટલો જ ઉદાર હોય છે. ગુજરાતી પૈસા ભેગાં કરી જાણે અને વાપરી પણ જાણે.

સુગમ સંગીત, ભજન સંધ્યા, નાટિકાઓ, નૃત્યો, મહાનુભાવોના વ્યાખ્યાનો, સન્માન સમારંભો, કવિ સંમેલન વગેર વગેરે એટલાં બધા ભરપૂર કાર્યક્રમો વડે ‘ચાલો ગુજરાત’  છવાયેલું હતું કે બધાનું વર્ણન કરવું મુશ્કેલ છે. હરીશ ભીમાણી પછી પાકા અમદાવાદી એવા રેડિયો મિર્ચીના ધ્વનિતનો વારો આવે એટલે સ્ટેજ ખુદ દોડતું થઈ જાય. હસતો હસાવતો, વન લાઇનર મારવામાં જબરો કાબેલ, ઊર્જાથી છલકાતો, દોડાદોડ કરતો ધ્વનિત આવે એટલે રંગત છવાઈ જાય. વચમાં રઈસ મણિયાર આવીને દૂંટીમાંથી હસાવી જાય.

ઓબામના પ્રતિનિધિની તરીકે ન્યુજર્સીના  સેનેટર બોબ આવેલા સાથે લાવેલા ઓબામા ઍડ્મિનિસ્ટ્રેશનમાંથી ત્રણ ઉચ્ચ અધિકારીઓ. ગુજરાતના અને ગુજરાતીઓના ગૌરવની વાત એ હતી કે ત્રણે ગુજરાતીઓ હતા અને ત્રણે શાહ હતા. બે યુવાનો હતા અને એક હતા સોનલ શાહ. આવા લબરમુછીયા યુવાનોને ભારત સરકારમાં આવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા જોવામાં કદી આવે જ નહિ. આપણા આઈ.એ.એસ. કે એવા સમકક્ષ યુવાનોને આસિસ્ટન્ટ તરીકે વર્ષો વીતી જાય પછી આધેડ અવસ્થાએ ઉચ્ચ હોદ્દો મળતો હોય છે. ઓબામા કદાચ પહેલા એવા પ્રમુખ હશે કે જેમણે ભારતીયો અને ગુજરાતીઓની સૌથી વધુ કદર કરી છે. સેનેટર સાથે બધાએ ટૂંકા વ્યક્તવ્યો આપ્યા. ધ્વનીતે સેનેટરને ગુજરાતીમાં ‘કેમ છો’ બોલવા વિનંતી કરી. સેનેટર એટલું જોરથી ડરાવી દે તેમ પ્રશ્ન પૂછવાની સ્ટાઇલમાં કેમ છો બોલ્યા કે બધા હસી પડ્યા.

ગુજરાતના લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નોલૉજીના  પ્રતાપે ગુજરાતમાં બેઠાં બેઠાં અહીંના ઉપસ્થિત લોકોને સંબોધ્યા. મોદીના ભાષણમાં કાઈ કહેવાપણું હોય ખરું? આટલાં બધા ગુજરાતીઓ ભેગાં મળેલા જોઈને એમનું હૈયું હરખાયા વગર રહે ખરું?  આયોજક સુનીલ નાયકને અને તેમની ટીમને સંબોધીને મોદીએ ખૂબ અભિનંદન આપ્યા. મોદી અહીંનો પ્રોગ્રામ ત્યાં બેઠાં બેઠાં જોતા હતા. અહીં હાજર વ્યક્તિઓને નામ દઈને યાદ કરીને અભિનંદન આપતા હતા. અહીંની ગુજરાતી લિટરરી એકેડેમીના શ્રી રામભાઈ ગઢવીનું નામ દઈને યાદ કર્યા તો અમને બધા સાહિત્ય રસિકોને ખૂબ ગમ્યું.

મિસ ગુજરાત અમેરિકા નામની બ્યુટી કોન્ટેસ્ટ પણ યોજાઈ હતી. આઠ સુંદર યુવતીઓ બિલાડીચાલ(કેટ વોક) સ્ટેજ પર ચાલતી હતી. એમના પરિચય પછી એમની ટેલેન્ટ જોવાની હતી. લગભગ બધાએ સોલો ડાન્સ રજુ કર્યા. એક છોકરીએ એકાંકી ભજવ્યું હતું. એક બહેને કથ્થક નૃત્ય કરીને કથ્થકનો કચરો કરી નાખ્યો એવું લાગ્યું. છોકરીઓએ ખાલી આ સ્પર્ધા પુરતા ડાન્સની પ્રેકટીશ કરી હોય તેવું લાગ્યું. સુંદરતાની વ્યાખ્યા અને માપદંડ દરેકના મનમાં અલગ અલગ હોય છે. એટલે મને તો કોઈ છોકરી મિસ ધોરાજી, મિસ ઉપલેટા, મિસ રાજ કોટ, મિસ કડી-કલોલ કે મિસ હાલોલ-કાલોલ બને તેવીય લાગી નહિ…આજુબાજુ બેઠેલા ઘણા પ્રેક્ષકોનું કહેવું હતું કે આવા નાટક તો કરવા પડે અને રિજલ્ટ તો અગાથી ડીસાઈડ થઈ ગયેલા હોય છે.

ધ્વનિત લોકોને જાતજાતની ગેઇમ રમાડે અને કોઈ જ્વેલર તરફથી સોનાના સિક્કા ગીફ્ટમાં આપતો જાય. કોઈને પૂછે કે રાજકોટનું શું ફેમસ છે? ખંભાતનું શું પ્રખ્યાત છે? લોકો પણ જવાબ આપે કે રાજકોટના પેંડા, ખંભાતનું હલવાસન અને સુરતનો લોચો વખણાય છે. બધાને સોનાના કોઈન(સિક્કા) અપાતા જાય. પણ ભાઈલો પ્રેક્ષકોમાં આગળની લાઈનોમાં ફર્યા કરે. એટલે પાછળની લાઈનોમાં બેઠેલાં બુમો પાડવા લાગ્યા. બધાને સોનાના સિક્કાની લાલચ હોય જ ને? પાછળ આવ્યો ખરો પણ મોટો લાભ આગળ બેઠેલાં લોકોને જ મળ્યો. છેવટે ગુજરાતી મૂળાક્ષરોનો આખો કક્કો એક પણ અક્ષર ચૂક્યા વગર બોલવાનું કહ્યું. ભાગ્યેજ કોઈને આખો કક્કો ક્રમવાર બોલતા આવડે. કોઈ ‘ટ’ ભૂલી જાય તો કોઈ ‘ફ’ ભૂલી જાય. ‘કાચો પાપડ પાકો પાપડ’ ઝડપથી ભૂલ વગર બોલવાનું લોકોને જણાવ્યું. થોડીવાર બોલ્યા પછી ગોટાળો થઈ જ જાય. પણ છેવટે સૌથી વધારે વખત ભૂલ વગર બોલનારા ભાઈને એર ઇન્ડિયા તરફથી ભારત આવવાની ટીકીટ ફ્રીમાં મળી ગઈ. ધ્વનીતે થોડા ફિલ્મી સેલીબ્રીટીના ઇન્ટરવ્યું લીધા હશે. એમના અવાજ પરથી તે લોકોને ઓળખી બતાવવાના હતા. આવા એક પ્રખ્યાત અભિનેતાને ખાખરા બહુ ભાવે છે. અવાજ પરથી જ ખબર પડી ગઈ કે આતો અમિતાભ બચ્ચન છે. બીજા એકને કેરીના છુંદા(મુરબ્બો) વગર ચાલે નહિ. કોઈ એનો અવાજ ઓળખી શક્યું નહિ. લગભગ બધા ફિલ્મી નાયકોના નામ બોલાઈ ગયા પણ સાચું પડે નહિ. છેવટે ધ્વનીતે જ કહેવું પડ્યું તે ભાઈ હતા નીલ નીતિન મુકેશ. સ્વ.મુકેશ વડોદરાના જમાઈ હતા. એમના પત્ની ગુજરાતી હતા.  ધ્વનીતે ખૂબ મજા કરાવી. પ્રેમ ચોપરાના જમાઈ અને થ્રી ઇડિયટમાનો એક ઇડિયટ સરમન જોશી અને પાર્થિવ પટેલના ઇન્ટરવ્યું પણ લેવાયા. સહેવાગે એકવાર આ પાર્થિવ પટેલ પાસે સેવિંગ ક્રીમ માંગેલી. પાર્થિવ કહે હું હજુ દાઢી કરતો નથી. પાર્થિવ બહુ નાની ઉંમરે ક્રિકેટ ટીમમાં આવી ગયેલો, દાઢી ઉગી હોય તો કરે ને?

 

ત્રીજા દિવસે એટલે રવિવારે તો દિલીપભાઈ મને લેવા આવી ગયા જ હતા. અમે સ્થળ પર પહોચ્યા ત્યારે ભજન સંધ્યા ચાલુ જ હતી. દસ હજાર માનવો એક જ હોલમાં બેસવાના હોય ત્યાં સારી અનુકૂળ સીટ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે. અમે બેઠાં હતા અને મારા નામની કોઈએ બૂમ પાડી. મેં પાછળ વાળીને જોયું તો મિત્ર જગદીશ ક્રિશ્ચિયન. એમણે સ્માર્ટ ફોનમાં ફોટો પાડીને ફેસબુકમાં તરત મૂકી પણ દીધેલો. થેંક યુ વેરી મચ જગદીશભાઈ.

આપણી ધર્મભીરુ પ્રજા માટે આવા ભવ્ય પ્રોગ્રામ સંત, સાધુ અને ગુરુઓની હાજરી વગર શોભે નહિ, અધૂરા લાગે તે સ્વાભાવિક છે. સંતશ્રી હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં સરસ મજાના ભજનો ગવાતા હતા. એમણે પણ એમનું વક્તવ્ય આપ્યું. મોરારીબાપુની હાજરી તો ત્રણે દિવસ હતી.. ગુજરાતીપણું શું કહેવાય? એના વિષે મોરારીબાપુએ સરસ પરિચય આપ્યો. મોરારીબાપુનો પરિચય આપવાનો હોય ખરો? પણ ફોર્માલીટી અપનાવવી પડે. એમનો પરિચય આપવા જય વસાવડા આવ્યા. ગુજરાતીપણા વિષે એમણે જોરદાર ભાષણ આપ્યું. તાળીઓ પાડવા મજબૂર કરી ના દે તો જય વસાવડા નહિ. મોરારીબાપુએ સરસ માહિતી આપી કે ૧૨૦ વર્ષ પહેલા ૬૬ ગ્રેટ ગણાતા ગુજરાતીઓ વિષેનો પરિચય આપતું પુસ્તક છપાયેલું. કે તે સમયે આત્યારના જેવા પ્રિન્ટિંગ મશીનો હતા નહિ. જાતે બ્લૉક ગોઠવી મૅન્યુઅલ પ્રિન્ટીગ થતું હતું. ગુજરાતના થઈ ગયેલા મહાન પુરુષો વિષે બાપુ ખૂબ સુંદર બોલ્યા. પણ ગાંધીજી વિષે બોલતા એમણે બહુ મોટું ગપ્પું મારી લીધું કે ગાંધીજી કોઈ રાજકારણી હતા જ નહિ એ તો આધ્યાત્મિક મહાપુરુષ હતા. ખરેખર તો ગાંધીજી નખશિખ રાજકારણી હતા અને અધ્યાત્મિક મહાપુરુષ બનવાનો ટ્રાય કરતા હતા. ઘણીવાર શબ્દોના જાદુગર લોકો વડે આવા ગપ્પા મરાઈ જતા હોય છે. બહુ સીરીયસ લેવું નહિ.

રંગીલાના રંગીલા લેખક સંજય છેલ આવ્યા. બોલીવુડના ઇતિહાસમાં અગણિત ગુજરાતીઓનું મહત્વનું પ્રદાન રહેલું છે. ઘણીબધી ના જાણતા હોઈએ તેવી માહિતી સંજય છેલે આપી. બોલીવુડની શરૂઆત થઈ દાદા સાહેબ ફાળકેથી, આ ફાળકે સાહેબને પૈસા ધીરનારા હતા સર ચંદુલાલ શાહ. મધર ઇન્ડિયા જેવી ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટર હતા મહેબુબખાન. ગણ્યા ગણાય નહિ તેટલા કલાકારો, કસબીઓનું મહત્વનું પ્રદાન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રહેલું છે. ખુદ સંજય છેલ્ કેટલાય નામો ઉલ્લેખવાના ભૂલી ગયા હતા. એમાંનું એક નામ ભૂલી ગયા હતા તે હતા આશા પારેખ…

કવિ સંમેલન શરુ થયું. મોરારીબાપુ સાહિત્યના રસિયા એટલે કવિ સંમેલન પૂરતા હાજર રહેલા. સંચાલન કવિશ્રી તુષાર શુકલે કરેલું. તુષાર શુક્લ મિતભાષી, મીઠો અવાજ, એકદમ નરમ અને નમ્ર લાગે. સમય બહુ બગાડે જ નહિ. પોતાની રચનાઓ કે બીજાની શેરો શાયરી વચમાં વચમાં ફેંકવાની આવા કવિ સંમેલનોના સંચાલકોની બૂરી આદતથી જોજન દૂર લાગ્યા. બધા કવિઓના નામ યાદ નથી પણ રઈસ મણિયાર, મુકેશ જોશી, કૃષ્ણ દવે, અનિલ જોશી, ચંદ્રકાંત શાહ જેવા કવિઓ એમની કૃતિઓ રજૂ કરતા હતા. પ્રથમ બધાની એક એક રચના રજૂ કરવાની હતી, કેમકે મોરારીબાપુને જવાનું હતું. એમના ગયા પછી ફરી એકવાર બધાની કૃતિઓ રજૂ થઈ. રઈસ મણિયાર અને મુકેશ જોશી ખૂબ હસાવે.

આજે જય વસાવડાનું મોટાભાગનું લેક્ચર ચૂકી જવાયું કે ભાઈ અમે પેટપૂજા કરવા ગયેલા. જયભાઈ સ્ત્રીઓ વિષે બોલતા હતા. આજની સ્ત્રી હોશિયાર છે. પણ મને ખબર છે કે જયભાઈ વેલ બેલેન્સ્ડ બોલવા ટેવાયેલા છે. સ્ત્રી પુરુષની ખૂબીઓ સાથે ખામીઓ પ્રત્યે પણ અંગુલીનિર્દેશ કર્યા વગર રહે નહિ. કારણ સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની લ્હાયમાં પુરુષોની વેદના કોઈને દેખાતી નથી. પતિઓ વડે પીડાતી સ્ત્રીઓની કથા આખી દુનિયા જાણશે પણ પત્નીઓ વડે ત્રાસ પામતા પુરુષોની કથા કોઈ નહિ જાણે. જયભાઈએ કહ્યું કે દુનિયાની બધી શોધખોળો સર્જન પુરુષો કરતા હોય છે પણ પુરુષનું સર્જન સ્ત્રી કરે છે….તાળીઓ ચાલુ….પણ મારે પૂછવું હતું સ્ત્રીનું સર્જન કોણ કરે છે?? પણ હું ખૂબ દૂર બેઠેલો હતો, એટલે પૂછી ના શક્યો. સ્ત્રીપુરુષ બંને ભેગાં મળીને સ્ત્રી અને પુરુષનું સર્જન કરે છે.

પછી આવ્યા બોલ્ડ ગુજરાતી લેખિકા તરીકે પંકાતા કાજલ ઓઝા વૈદ્ય. એમની વક્રોક્તિ  ઉપર પુરુષોથી તાલીઓ પડાય એવા ટોણા મારી મારીને તાળીઓ મેળવી ખરી. જોકે આ બધા તાળીઓ મેળવવા માટે બોલતા હોય છે તેવું પણ નથી. એમના વક્તવ્યો જ એવા હોય કે તાલીઓ પાડવાનું મન થઈ જાય. કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી આખો દિવસ ગમેતેટલી ફરિયાદો કરશે પણ પછી ફોન કરીને પૂછશે દવા ખાધી?  આજ સ્ત્રી આખો દિવસ કંટાળીને આવીને જમવા બેઠેલાં પતિના ભાણામાં ગરમ રોટલી સાથે કકળાટના કચૂમ્બરમાં મહેણાંના મસાલા મારી મારીને પણ પીરસતી હોય છે તે કહેવાનું કાજલ ઓઝા ભૂલી ગયા.

વુમન એક્ટીવીસ્ટ મહિલાઓના પતિદેવોના ઇન્ટરવ્યું પણ કોઈએ લેવા જોઈએ.

કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી એના કામ પ્રત્યે ફોકસ હોય છે. એક કામ એક સમયે ખૂબ ધ્યાનથી કરતી હોય છે. એમનું કઈ રીતે આવું માનવું છે હું સમજ્યો નહિ. ફેમસ લેખકો બધું સત્ય કહેતા હોય તેવું માની  લેવું નહિ. બાકી સત્ય એ છે કે સ્ત્રી ફક્ત એક કામ પ્રત્યે ફોકસ હોતી નથી. એક સાથે અનેક કામ કરવા ટેવાયેલી હોય છે.સવારે જાગીને સ્ત્રીને એક સાથે અનેક કામ કરવા પડતા હોય છે. બાળકોને તૈયાર કરવા, એમના નાસ્તા વગેરે કરાવીને સ્કુલે મોકલવાના, સાથે સાથે પતિદેવને કદી ના જડતા મોજા શોધી આપવાનાં. સાસુ સસરા હોય તો એમનું સેવા સગવડનું કામ પણ જોડે જ ઊભું હોય. આવા તો અનેક કામ એક સાથે એક સમયગાળામાં કરવાના હોય છે. સ્ત્રી ગેસ પર દૂધ મૂકીને બીજા કામે વળી જતી હોય છે અને કાયમ દૂધ ઊભરાઈ જતું હોય છે. ૧૦૦માંથી ૯૫ સ્ત્રીઓના ગરમ કરવા મુકેલા દૂધ ઊભરાઈ જતા હશે.  સ્ત્રી ટાઈમ કોન્શિયસ હોતી નથી. કોઈ પ્રસંગે જવાનું હોય તો એની ટાપટીપ જલદી પૂરી થાય જ નહિ, ભલે પતિદેવ ગુસ્સે થતા તૈયાર થઈને કલાકથી રાહ જોતા હોય. આમ એક રીતે ગણીએ તો સ્ત્રીને મલ્ટી ફોકસ બનવું પડતું હોય છે. અને એટલે જ ફોકસ હોતી નથી. અને એટલે જ બધી શોધખોળો અને રિસર્ચ મોટાભાગે પુરુષો જ કરતા હોય છે. છતાં અપવાદ બધામાં હોય. જેનું ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ના ઊભરાય તેને પણ અપવાદ ગણવો….સોરી કાજલ ઓઝા વૈદ્ય….

ધ્વનીતને આજે જલસો પડી ગયો કે પ્રાચી દેસાઈ આવી હતી. એને સ્ટેજ પર બોલાવીને એની સાથે મસ્તી મજાકમાં લાઈન મારવા પણ મળી ગયું હતું. પ્રાચીએ કહ્યું પણ ખરું કે મારી મમ્મી તો સાથે જ છે તમારી મમ્મી સાથે લાવ્યા છો? મને લાગે છે મહિના સુધી ધ્વનીતને ઊંઘ નહિ આવે. પ્રાચી મૂળ સુરતની છે. પંચગનીમાં ઊછરેલી અને મુંબઈમાં રહેતી પ્રાચીની મોમ પણ ખૂબ રૂપાળી છે. પ્રાચીના પપ્પાની મને તો જેલસ થાય છે. કશું બળવાની વાસ આવી??  મને પ્રાચી કરિશ્મા અને કરીના કરતા પણ વધુ સુંદર લાગી.

ધૃતિ અમીનના પુસ્તક “પંચાત” નું વિમોચન કરવામાં આવ્યું. બાજુવાળા ભાઈએ મને પૂછ્યું આ પંચાત પુસ્તકમાં શું લખ્યું હશે? મેં કહ્યું કોઈની પંચાત કરવી નહિ એવું લખ્યું હશે, તો એ ભાઈ હસી પડ્યા.

આઈના સંસ્થા કોઈ એકાદ પક્ષ સાથે જોડાયેલી હોય તેવું નથી, એને માટે બધા રાજકીય પક્ષો સરખાં છે. માટે કૉંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ અહીં બોલાવાતા હોય છે. પ્રથમ દિવસે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એમનું વક્તવ્ય આપેલું હતું. એમાં કશું અજુગતું નહિ હોય કોઈએ વિરોધ કરેલો નહિ. બીજા દિવસે મેં જણાવ્યું તેમ મોદી સાહેબનું લાઇવ ભાષણ વિડીયો કૉન્ફરન્સ દ્વારા હતું. અને ત્રીજા અંતિમ દિવસે ફરી પાછાં શક્તિસિંહ બોલવા ઉભા થયા. શક્તિસિંહે લોકોને એક સવાલ પૂછ્યો. એવા કયા સત્તાધીશની નગરી સોનાની હતી? લોકોએ બુમો પાડી જવાબ આપ્યો ‘રાવણ..રાવણ’. હવે એમનું કહેવાનું શરુ થયું કે જેની નગરી સોનાની હોય તો એનો વિકાસ થયેલો ખૂબ કહેવાય કે નહિ? નરેન્દ્ર મોદી કાયમ વિકાસની વાતો કરતા હોય છે, બસ લોકો સમજી ગયા કે શક્તિસિંહનો ઇશારો મોદી સામે છે. શક્તિસિંહ નરેન્દ્ર મોદી એવો શબ્દ પણ બોલ્યા નહોતા. લોકોએ બુમો પાડવાનું અને વિરોધ દર્શાવવાનું શરુ કરી દીધું. શક્તિસિંહ આગળ બોલી શક્યા જ નહોતા એટલી બધી બુમાબુમ થતી હતી. એ બોલવાનું શરુ કરે કે મિત્રો…પણ આગળ કોઈ બોલવા દેવા માંગતું નહોતું. છેવટે સુનીલ નાયક આગળ આવ્યા અને એમને  દોરીને લઈ ગયા. થોડી અફડાતફડી મચી ગઈ. ધ્વનિત, તુષાર શુક્લ વગેરે વારંવાર બે હાથ જોડીને શાંત થઈ જવા અને બેસી જવા અપીલ કર્યા કરતા હતા. સુનીલ નાયકે આવીને નાનકડું હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું ત્યારે લોકો શાંત પડ્યા. એકાદ ચપ્પલ કોઈએ કદાચ ફેંક્યું હશે બાકી ના કોઈ ચપ્પલનો વરસાદ વરસ્યો હતો કે શક્તિસિંહ એવા શબ્દો બોલ્યા જ નહોતા કે મોદી રાવણ છે એનો સંહાર થવો જોઈએ. ગુજરાતમાં છાપાવાળાઓએ ગમેતેમ મસાલા ભભરાવી છાપી નાખ્યું છે.

લોકશાહીમાં દરેકને એનો અવાજ રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. મોદી હોય કે શક્તિસિંહ છોને એ લોકો જે બોલે તે, સમજવાનું અને અમલમાં મૂકવાનું આપણે આપણી બુદ્ધિ વડે હોય છે. જેને મહેમાન તરીકે બોલાવ્યા હોય તેની સાથે ગેરવર્તન કરવું જરાય વાજબી ના કહેવાય. શક્તિસિંહે સમજવાનું હતું કે આ પ્લેટફોર્મ આવી વાતો કરવા માટેનું યોગ્ય નહોતું. એ વિવેક ચૂક્યા તેમ લોકો પણ વિવેક ચૂક્યા. માટે હું કાયમ કહેતો હોઉં છું કે એવેરેજ ભારતીય તર્ક અને બુદ્ધિ વડે વિચારતો જ નથી. લાગણીઓના પુરમાં તણાઈને મૂરખ બનતો હોય છે. ૯-૧૧ વિષે માઈકલ મુરે એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એમાં એક વૃદ્ધ અમેરિકન શ્વેત કાકાશ્રીનો ટૂંકો ઇન્ટરવ્યું હતો. કાકાશ્રી વદતી અવર પ્રૅસિડેન્ટ ઇઝ બીગ એસ હોલ…આ ડોક્યુમેન્ટરી બહુ ફેમસ બનેલી અને લગભગ દરેક અમેરિકને  જોઈ હશે. માજી પ્રમુખ બુશશ્રીએ પણ જોઈ હશે. સાથે એમને દેવાયેલી સ્વસ્તિ પણ સાંભળી જ હશે ને?? અને ખૂબ હસ્યા પણ હોવા જોઈએ….

મંથન સંસ્થાની અપંગ કન્યાઓએ જબરદસ્ત કહેવાય તેવા રાસ ગરબા અને નૃત્યો રજૂ કર્યા. આમેય આપણા લોકોને દીકરો અવતરે તો હરખની હેલી ચડતી હોય છે અને દીકરી અવતરે તો મોઢું કટાણું થઈ જતું હોય છે. એમાંય દીકરી અપંગ હોય તો એની શું હાલત થાય? આવી અપંગ દીકરીઓની એક માતા છે એનું નામ ‘મંથન’ સંસ્થા, અને સવાઈ માતા છે નીરૂબેન. કેટલીક કન્યાઓતો જરાય ચાલી ના શકે તેવી અપંગ હતી. આ બાળાઓના ગજબના પરફોર્મન્સથી ફરી એકવાર ઇમોશનલ થઈ જવાયું.

બે દિવસથી બપોરના એકથી મોડી રાત સુધી આવી રીતે સળંગ બેસી રહેવાનું અઘરું હતું. અંતે અમે પ્રોગ્રામ પૂરો થાય તે પહેલા ભાગી છૂટ્યા. પ્યારાં મિત્રો જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે. કાર્યક્રમોની ભરમાર એટલી બધી હતીકે ના પૂછો વાત. બધાનું વર્ણન કરવું અશક્ય છે. બહાર અમદાવાદની માંડવીની પોળનું આબેહૂબ દ્ગશ્ય ઊભું કરેલું હતું ત્યાં ફોટા પાડ્યા. એક રિક્ષા મૂકેલી હતી એમાં પણ ફોટા પાડ્યા. દુનિયાના વન ઑફ ધ મોસ્ટ હેપી કપલના ફોટા પાડ્યા, અને એમના કૅમેરામાં પાડી પણ આપ્યા. એમની સાથે ક્ષણના સંબંધમાં આત્મીયતા ભળી ગઈ. ગુજરાતીપણાની આજ ખૂબી છે. ગુજરાતી જલદી વિશ્વાસ મૂકી દે છે. આ ખૂબી ક્યારેક છેતરાઈ જવા માટે પણ કારણભૂત બની જતી હોય છે. આત્મીય બનવાનું ગુજરાતીને શીખવવું પડે નહિ.

રાજા તરીકે રામ, રાવણ, યુદ્ધિષ્ઠિર અને દુર્યોધન તમામ શ્રેષ્ઠ હતા. એમની પ્રજા દુખી નહોતી. જે પ્રૉબ્લેમ હતા તે એમના પર્સનલ હતા. લંકા સોનાની હતી કે નહિ કોણ જાણે? મોદી રાવણ હોય કે રામ, શક્તિસિંહ કે શંકરસિંહ રાવણ હોય કે રામ, આઈ ડોન્ટ કેર..મને તો મારી વહાલી ગુજરાત સોનાની જોઈએ..સોનાની જોઈએ..સોનાની જોઈએ…   

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

હમણાં એક સમાચાર વાંચ્યા કે એક છોકરીની સરેઆમ છેડતી થઈ, એના કપડાં ખેંચવામાં આવ્યા. એનો વીડીઓ કોઈએ ઉતારી લીધેલો. ખેર એમાં જેનો વાંક હોય તે કોર્ટ અને પોલીસ શોધી કાઢશે. પણ મધ્યપ્રદેશના ઉદ્યોગ પ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું કે મહિલાઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરતી હોવાથી આવું થાય છે. સમાજ વિચલિત થાય છે. બોલો આ મહાશયને શું કહેવું?? આ પહેલા પણ છોકરીઓના કપડાં બાબતે આવા મારઝૂડના બનાવો બનેલા છે, સંસ્કૃતિ રક્ષકોએ છોકરીઓના ચોટલા ઝાલી ખૂબ મારેલી છે.

એક વસ્તુતો છે જ કે ભારતની મહિલાઓ સાવ યુરોપિયન કે અમેરિકન જેવા ટૂંકા કે સેક્સી કપડાં પહેરતી નથી. ગુજરાતમાં સાડી માન્ય પહેરવેશ હતો અને આજે પણ છે જ. ઉત્તર ભારતમાં પંજાબ બાજુ સલવાર કુર્તા પહેરાય છે. હવે તમે કહો કે સાડી સેક્સી લાગે કે સલવાર કુર્તા?? બેશક સાડી જ. સાડી-બ્લાઉઝ તો વેસ્ટર્ન લોકોને પણ સેક્સી લાગે છે. સલવાર કુર્તા ખૂબ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શરૂમાં ગુજરાતમાં સલવાર કુર્તા માટે પણ વિરોધ નોંધાએલો છે. આજે વેરી લો કટ ચોલી પહેરીને યુવાન સ્ત્રીઓ ગરબા ગાવા જાય છે ત્યારે સંસ્કૃતિ રક્ષકોના ભવા ચડી જાય તેમને ખબર નહિ હોય કે આપણી દાદીમાઓ કાપડા પહેરતી તેમાં બરડા પાછળ ખાલી દોરી જ બાંધવામાં આવતી હતી. આજે પણ રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં  ગ્રામ્ય વિસ્તારમાં આવા પાછળ ફક્ત કાપડની બનાવેલી દોરી(કસ) જ હોય તેવા બ્લાઉઝ પહેરેલી મહિલાઓ જોવા મળશે. એ મહિલાઓને સેક્સી કપડાં શું કહેવાય તેનો જરાય અણસાર નહિ હોય.

આપણાં દેશમાં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા. સંત્રી બંદૂકો લઈ ઉભા હોય તો જેલમાં પણ વ્યવસ્થા સારી દેખાય છે. સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય, પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત બની નથી શકતો, જેટલો વિવાહવાળો મતલબ એરેન્જ મૅરેજ વાળો. વિવાહ જીવનભરની વ્યવસ્થા છે. એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતિકતાઓ પેદા કરવી પડી. એક પુરુષને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબૂર કરી દઈએ, તો યૌન સંબંધ તો થઈ શકે, પણ હ્રદયનો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો. અને આ ભાઈલો પાડોશીની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો? પાડોશીની પત્ની ટૂંકા સ્કર્ટમાં સારી લાગે પોતાની પત્ની નહિ. પાડોશી પુરુષો ભયભીત થવાના. એટલે બધા પુરુષો ભેગાં થઈ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય. જે સ્ત્રીઓની માલિકી કોઈની નહિ, અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે. આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામની સેનાનું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા. ત્યારે રામની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઈ ગયેલા.

હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીરના સમયમાં દરેક ગામમાં નગરવધુ હતી. ગામની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા. તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામની પત્ની, વધૂ, વહુ. કારણ સુંદરતમ સ્ત્રીને વરવા માટે પછી પુરુષો વચ્ચે હરીફાઈ પેદા થાય. ઝંઝટ પેદા થાય. એટલે આખું ગામ જ પતિ બની જતું. આખું ગામ ઉપયોગ કરી શકે. વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે. અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું. એ કોઈ એક માણસને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય. આમ્રપાલી અને અજાતશત્રુની કથા લોકો જાણે છે. મંદિરોમાં દેવદાસીની પ્રથા આવી. પૂજારીઓ શું કામ બાકી રહે? પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને. હિન્દુસ્થાનની સાથે સાથે ગ્રીક મંદિરોની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.

મર્યાદા પુરુષના મનમાં હોવી જોઈએ, સ્ત્રીના કપડાં તો ગૌણ બાબત છે. વિક્ટોરિયન જમાનામાં બ્રિટનમાં સ્ત્રીઓ પગની પાની પણ દેખાવા દેતી નહોતી. ત્યારે તે જમાનાના પુરુષોને ભૂલમાં સ્ત્રીના પગની પાની કે અંગૂઠો દેખાઈ જાય તો પણ ઉત્તેજિત થઈ જતા હતા. શું બુરખા પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતા? મિત્ર ધ્રુવ ત્રિવેદીએ એક દાખલો નોંધ્યો છે-સાલ અને રાજ્ય ની ખબર નથી,  ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટમાં ગયો આરોપીઓ એ એવી દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચારિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દેવા જોઈએ. કોર્ટનો ચુકાદો એવો હતો કે  કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચારિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો. અહી બીચ ઉપર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે કોઈ જોતું પણ નથી. છતાં અહી મહિલાઓએ ડ્રેસકોડ પ્રમાણે ઑફિસમાં કપડાં પહેરીને જવાનું હોય છે. અહી પણ બળાત્કાર થતા હોય છે પણ તેનું કારણ ટૂંકા કપડાં નથી હોતા. અહી સ્ત્રીને સેક્સી કે સુંદર લાગે છે તેવું મોઢે કહેનારો બસમાં કે ટ્રેનમાં સીટ પાછળ હાથ લંબાવીને કોઈ જુવે ના રીતે અભદ્ર અડપલાં કરતો નથી. મર્યાદા ઉભય પક્ષે હોવી જોઈએ. પણ હરદમ સ્ત્રીઓનો જ વાંક કાઢવો તે તો બેશરમી જ કહેવાય.

પાંચ પાંચ પતિઓ બેઠાં હોય અને વૃદ્ધ વડીલોની હાજરીમાં જ્યાં સ્ત્રીના કપડાં ખેંચાતા હોય ત્યાં કહેવાતા ચોખલિયા વૃદ્ધો અને યુવાનો પાસેથી ઊલટા ચોર કોટવાલ કો ડાટે સિવાય શું અપેક્ષા રાખી શકો??

વૈશ્યા એ કોઈ સ્ત્રીઓનો શોધેલો કૉન્સેપ્ટ નથી. સન્ની લિયોન(મૂળ ભારતીય પોર્ન સ્ટાર) એ કોઈ સ્ત્રીનું સર્જન નથી, સન્ની લિયોન પુરુષોની બીમાર માનસિકતાનું સર્જન છે. સ્ત્રીનું અદભૂત સર્જન તો એનું બાલક હોય છે.

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

Man with the golden arm

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

A VILLAGE IN IRAN- Kandovan

The village depicted in the photographs is not located in Afghanistan at all. In fact, the village can be found in the northwest corner of neighboring Iran, about 60 kilometers from the city of Tabriz. Known as “Kandovan“, the village is thought to be over 700 years old. Many of the dwellings in Kandovan have been carved out of natural cone-shaped formations made from compressed volcanic ash. Information about the village published on The Heritage Institute website. વધુ વાંચો અહીં…….

पुरानी यादे

Maharani of Jaipur Gayatri Devi – 1940’s…
A rare one of Netaji Subhash Chandra Bose and his wife Eimilie Shenkl

Rabindranath Thakur…
Gandhi-ji with Netaji 1932

Some nostalgic pictures

The front page of the April 16, 1912 evening edition of the Boston Globe, detailing the Titanic Disaster is shown… 

15th August 1947, First News Paper of INDEPENDENT INDIA…

Star Cinema ( now at Pakistan ) 1943…

Incomplete Howrah bridge 1935…

Calcutta bus stand near Howrah bridge, most likely on the Howrah station side of the Hooghly River 1944…

Last time Netaji was arrested by British police