Category Archives: વિવાદ

“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.

 
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,

૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે.  જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.

૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે

૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.

૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.

૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ,  હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.

વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???

Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/

દ્રષ્ટિકોણ.

Cropped image of Gandhiji and Kasturbaa from P...
Image via Wikipedia

  
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી  પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?  
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

ભક્તોની ભરમાર.

ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.

ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.

Mainbuilding2
Image via Wikipedia
દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ:-
જુઓ!!
પ્રાચીન બધું સારું,ઘરડા અને ઘરડા વિચારો સારા યુવાનો કરતા.જુનું ઘણીવાર સારું હોય છે.જુના માણસો અનુભવી હોય છે.ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે.પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે.મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

Mathematicsdept
Image via Wikipedia

बुद्धं शरणं किं गच्छामि||

Buddha Tooth Relic Temple – Hundred Dragons Hall
Image by williamcho via Flickr

बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા  જાહેર કરેલું કે માનવીની શારીરિક  અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.

*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું  કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી,  દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ  હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.

*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ  હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.

બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.

“અર્ધનારીશ્વર”Look!Hard Truths About Human Nature.

Khnumhotep and Niankhkhnum. Illustration from ...
Image via Wikipedia

અર્ધનારીશ્વર
      દરેક પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં ટેસ્ટાટોરીન પુરુષ હાર્મોન્સ અને ઈસ્ટ્રોજન સ્ત્રૈણ હાર્મોન્સ હાજર હોય જ છે.ખાલી માત્રાનો ફેર હોય છે.કોઈ પુરુષ પૂર્ણ પુરુષ નથી,કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી નથી.માટે પ્રાચીન મનીષીઓ આ વાત જાણતાં હોવાથી એક સુંદર અર્ધનારીશ્વર અર્ધનટેશ્વર પ્રતીક શંકરનું રચ્યું હશે.પરંતુ આ પ્રતીકને સજાતીયતા સાથે કોઈ સંબંધ નથી.શંકરનું લિંગ જેની આપણે પૂજા કરીએ છીએ તંદુરસ્ત વિજાતીય સેક્સનું પ્રતીક છે.પુરુષમાં  ટેસ્ટાટોરીન લેવલ ઊંચું હોવું જોઈએ,સ્ત્રીમાં ઈસ્ટ્રોજન.સ્ત્રી અને પુરુષ ભેગાં થાય તો સર્જન થાય તેનું આ પ્રતીક છે.
    સજાતીય  સંબંધોને હોમોસેકસુઅલ,ગે અને લેસ્બિયન તરીકે ઓળખવામાં આવે છે.ઘણા લોકો બંને જાતિમાં રસ ધરાવતા હોય છે.સજાતીય વર્તણૂકને પહેલા મેન્ટલ ડીસઓર્ડર ગણવામાં આવતી  હતી. વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા પછી લાગ્યું કે આમાં કોઈ મેન્ટલ ડીસઓર્ડર જેવું છે નહિ.અમેરિકા,ચાઈના,બીજા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ મેન્ટલ ડીસઓર્ડર નથી.સજાતીયતા જેનેટિક,હાર્મોનલ અને વાતાવરણને લગતી બાબત છે.સજાતીય લોકો સાથે રહેવાથી કોઈ સજાતીય બની જતું નથી.એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો.સજાતીય લોકો વડે ઉછેરાયેલ બાળકો મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માલૂમ પડ્યા.જયારે જે લોકો સજાતીય હતા તેમને મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માતા પિતાએ ઉછેરેલા હતા.
     વધારાના બિન જરૂરી વિજાતીય આકર્ષણને રોકવા માટે સહ શિક્ષણ જરૂરી છે.એકલાં છોકરાઓ વર્ગ ખંડમાં હશે તો સતત છોકરીઓના વિચારોમાં રત રહેશે.એવું  છોકરીઓનું સમજવું.વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ  હોવા ના જોઈએ.નહીતો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની,ભણવા તરફ નહિ.આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.સજાતીય સંબંધો ઘણી વાર મજબૂરી બની જતી હોય છે.જ્યાં સ્ત્રીઓ ઉપલબ્ધ નથી ત્યાં સજાતીય સંબંધો મજબૂરી છે.આર્મી અને જ્યાં સ્ત્રીઓના મુખ જોવા પાપ ગણાતું હોય તેવી મોનેસ્ટ્રીમાં લોકો સજાતીય હોય છે.નાના બાળકોને જાતીય ધોરણે અલગ અલગ બેસાડી ભણાવવા તે તંદુરસ્ત સમાજ તરફ આગળ વધવા માટે રોકથામ જેવું છે.જુઓ આપણાં ઋષિમુનીઓ એમને સ્વર્ગમાં અપ્સરાઓ  દેખાય છે.પત્ની ધરાવતા ઋષિઓ આવી કલ્પના કરે નહિ.બીજું આ અપ્સરાઓની ઉંમર સોળ વર્ષની જ હોય.ત્રીજું અહીની સ્ત્રીઓને સ્વર્ગમાં પ્રવેશ નો  અધિકાર નહિ.પત્ની બાજુમાં ઊભી હોય અને અપ્સરા સામે નજર મંડાય ખરી?હા!હા!હા!માટે એકલાં જવાનું.અહી જ માનસિકતા પરખાઈ જાય.એક રુગ્ણ સમાજ,એક માનસિક બીમાર સમાજ  તરફ આગળ વધવું હોય તો છોકરા અને છોકરીઓની અલગ અલગ સ્કૂલો કૉલેજો ઊભી  કરો.
        સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના વિચારો કરીને ખાલી સજાતીય બની જાય તેવું માનવું અવૈજ્ઞાનિક છે.ખાલી વિચારો કરીને જાતીય પરિવર્તન થઈ ના જાય.સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે કલ્પના કવિતા માટે સારી હશે,હકીકતમાં નહિ.કીટક ભ્રમર ન્યાય કવિઓની કલ્પના છે,તથ્ય નહિ.એક ભ્રમર મેટિંગ કરે,માદા ઈંડા મૂકે,એમાંથી લાર્વા એટલે ઇયળ નીકળે તે પછી કોશેટો બને અને એમાંથી પછી ભ્રમર નીકળે.આ બધી બાયોલોજીકલ પ્રક્રિયા છે,કોઈ કવિતા નથી.કીટક ખાલી વિચારો કરી ભ્રમર ના બને કે ભ્રમર વિચારો કરી કીટક ના બને.એટલે સજાતીયતા મોટાભાગે જેનેટિક છે.બ્રેઈનના હાઈપોથેલેમસ વિભાગમાં INAH3 ન્યુક્લિયસ હોમોસેકસુઅલ પુરુષોમાં જરા નાનો હોય છે.કાયમી સજાતીયતા માતાના ગર્ભમાં નક્કી થઈ જાય છે.સ્ત્રી ખાલી બ્રેઈનના જમણા ભાગ વડે જ વિચારે અને પુરુષ માત્ર ડાબા ભાગ વડે જ વિચારે તે ખોટું છે.બધા આખું બ્રેઈન જ વાપરતા હોય છે.હા કોઈ એક ભાગનો  ઉપયોગ વધારે કરે તે બરોબર છે.હવે કોઈ સ્ત્રી પુરુષનો વિચાર કર્યા કરે સતત અને એનું ડાબું બ્રેઈન વધારે કામ કરતું થઈ જાય તે વાત જ ખોટી છે.કવિઓ જમણું બ્રેઈન વધારે વાપરતા હોય છે તે કોઈ સ્ત્રી જેવા બની નથી જતા.પુરુષો પણ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ પથ્થર હ્રદયની.રામાયણ કથા રચનારા તથા ગાનારા કવિ હૃદય ધરાવતા જમણું બ્રેઈન વધારે વાપરતા હોઈ શકે.શ્રી ડોંગરેજી મહારાજ ભાગવત વાંચતા વારેઘડીયે રડી પડતા.એમનું જમણું લાગણીશીલ બ્રેઈન વધારે કામ કરતું હોઈ શકે.ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે સક્રિય હોય છે.
     પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી.કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી.માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી અહી તો  આ બધું સાવ સામાન્ય છે.જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન  યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.સજાતીયતા કોઈ કાલે બંધ થાય નહિ,ખાલી ગુપ્ત રીતે ચાલુ રહેવાની.
      બાળક પુરુષ તરીકે  જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે  ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?એમાંના ઘણા લોકો ઓપરેશન કરાવી જાતી બદલી નાખતા હોય છે.
      પ્રાણીઓમાં પણ સજાતીયતા નોધાઇ છે.પેન્ગ્વીન અને બોનોબો ચીમ્પમાં ખાસ નોધાઇ છે.ઘણા કીડાઓમાં બંને પૂર્ણ વિકસિત ઑર્ગન એક જ શરીરમાં હોય છે.બે કીડા ભેગાં થઈને એકબીજાના મેલ ફીમેલ ઑર્ગન સાથે  સહયોગ કરી બંને ઈંડા મૂકી વંશ વધારવાનું કામ આગળ વધારે છે.ખરા અર્ધ નારીશ્વર અને અર્ધ નટેશ્વર તો આ કીડા છે,માનવો નહિ.

બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,

 બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક  રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ  એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
                બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો  પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના  ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા.  જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
           આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ  ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં  છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
           આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને  ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની  જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
           હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન  છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે  પૂર્વ ધારણાઓ  બાંધીને જીવવાવાળાં  મહાદંભી  જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
            વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને  રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો  બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના  લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ  તે મોટી નકારાત્મકતા છે.
          અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો  જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
            સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???

દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !

 
imagesQEP7Z10M     દ્વારીકાના કૃષ્ણ
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ  સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ  શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો  ? કૃષ્ણ  શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ  બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં  તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ  તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.

કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ  કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ  લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
  

ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.

મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની  દ્વારીક અને બેટદ્વારીકાનાં  સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE  AGE નો   બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે.  આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે.  એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.

   બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.

     જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.

     બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.

    કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી  ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું….. 

Krishna in Japan

પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

સાવજ ડણકયો!!!!

 (ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,  — લેખ પર શ્રી અશોક મોઢવડીયાની  કૉમેન્ટ)
———————————————————————
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ માહિતી આપી.
BSF ની મહિલાપાંખ બાબતે ઘણા સમય પહેલાં અમુક પાકિસ્તાની અખબારોએ જાત
બતાવી હતી અને ત્યારે ઘણી સટાસટી બોલેલી પણ ખરી. ફેસબુક પર પણ બહુ ચર્ચાઓ
થયેલી. ખેર, એ તો દુશ્મન દેશ છે એટલે તે આવા કરતૂતો કર્યે રાખે તેમાં
નવાઈ નહીં. અહીં આપણા લશ્કરમાં (અને હવે ખાસ તો નૌસેના અને વાયુસેનામાં
પણ) સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળવાનું શરૂ થયું છે તે એક સારા સમાચાર છે.
મારી જાણકારી મુજબ હજુ BSFની મહિલા પાંખને બોર્ડર પર પ્રથમ હરોળમાં નહીં
પરંતુ દ્વિતીય હરોળમાં, જેમાં બોર્ડરના ગામોમાં સર્ચ કે રેસ્ક્યુ
ઓપરેશન્સ હોય કે બોર્ડર પર ખેતકાર્ય માટે આવાગમન કરતી ગ્રામ્ય મહિલાઓની
ચકાસણી જેવા નોન કોમ્બેટ કાર્યો કરવાનું સોંપ્યું છે. આગળ ઉપર વધુ તાલિમ
ઉપલબ્ધ થતી જશે તેમ કદાચ મહિલાઓ પ્રથમ હરોળમાં કોમ્બેટ ડ્યુટી પણ કરશે.
(ત્યારે તે ખરેખરી રણચંડી કહેવાશે) અમુક મહિલાઓ વાઘા બોર્ડર પર બિટિંગ
રીટ્રીટ સેરમનીમાં પણ ભાગ લે છે. આ રણચંડીઓને શતઃશતઃ સલામ.
થોડું તો શ્રી રશ્મિકાંતભાઇએ કહ્યું થોડું હું ઉમેરીશ. જો કે ગુજરાતીઓ
તેમના સંતાનોને માત્ર માંસ, દારૂ વગેરે ખાતા પીતા થશે તે બીકે લશ્કરમાં
જતા રોકતા હોય તે માનવામાં આવતું નથી, કોઇપણ નાના એવા કસબામાં એકાદ
વિસ્તાર એવો મળશે જ જ્યાં બે-ચાર આંટા મારવાથી પણ આ ’જોખમ’ તો વધી જાય !!
મૂળભૂત રીતે આપણા યુવાનોને જ પૈસામાં કે મોજશોખમાં જેટલો રસ પડે છે તેટલો
શૂરવિરતામાં નથી પડતો. (હા, ટોળું મોટું હોય તો હો..હો.. કરી અને બે-ચાર
પથ્થર ઉલાળી શૌર્ય બતાવી કાઢે ખરા !!) આગળ મેં કોઈક પ્રતિભાવમાં લખેલું
કે જ્યાં બે બદામના કમર હલાવવાવાળાઓ યુથ આઇકોન્સ હોય ત્યાં શૌર્યની આશા
રાખવી નકામી છે. આપણે એક ઊંદરને પણ લાકડી ફટકારી નથી શકતા, જ્યાં ડાહી
ડાહી વાતો કરનારાઓજ માત્ર, (હિન્દીમેં બોલે તો ચિકને !!) સજ્જન ગણાય અને
શૌર્યવાનોને કે ભડાકે વાત કરનારને વંઠેલ, ગમાર, મેનરલેસ કે ક્યાંક ક્યાંક
તો ગુંડા સમજવામાં આવે છે ત્યાં સૈન્યમાં ગુજરાત રેજીમેન્ટની આશા રાખવી
નકામી છે. જ્યાં મહિલાઓની લાચારીનો ગેરલાભ લેનાર સફેદપોશ સમાજમાં સજ્જન
અને પ્રતિષ્ઠિત ગણાય, સફળ ગણાય, અને સ્ત્રીઓના શિયળ બચાવવા કાજે રણમાં
ખપી જનારો મૂરખો ગણાય, જય રણછોડ કરનાર બુદ્ધિવાન ગણાય અને કેશરિયા
કરનારને મૂર્ખશિરોમણીઓના શરપાવ હવેના કહેવાતા ઈતિહાસકારો અને આપણા જેવા
ડાહ્યા ગણાતા લોકો આપે છે ત્યાં ગુજરાત બટાલિયનની આશા રાખવી વધુ પડતું
છે.
અન્ય એક વાત એ પણ છે કે ગુજરાત કે ગુજરાતી એટલે માત્ર વેપારીપ્રજા !! જે
તે સમયે સાહિત્ય કે કલાના વખતોવખતના ધૂરંધરોએ આવું ચિત્ર બનાવી કાઢ્યું
હશે, અને વિશ્વભરમાં આ છાપ રૂઢ થઈ ગઈ છે. ગુજરાતી પ્રજાના કેટલા ટકા
વેપારીઓ છે ? કદાચ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે ગુજરાતી એટલે બસ અમારા
જેવા ગભરુ અને બિકણ અને ડરપોક (ટુંકમાં શાંતપ્રજા !!) તેવું સ્થાપિત કરી
દીધું હશે. અરે ભાઇ એક જમાનામાં પોરબંદરને સૂપરકોપ જે.એફ.રીબેરોએ શિકાગો
નામ આપેલું !!! એ પોરબંદર પણ ગુજરાતમાં જ છે, ગુંડાઓનું ગામ ગણાય છે ! પણ
રાત્રે બે વાગે પણ સૂંડલો એક ઘરેણા પહેરીને બહેન દીકરી ત્યાં એકલી વયી
જાય તો તેના પેટનું પાણી પણ હલતું નથી. (અહીં ગુંડાગીરીના વખાણ નથી કરતો
પરંતુ શૌર્યવાન પ્રજાની એક અલગ તરેહની રહેણી કહેણી હોય છે જે આપણા અમુક
ચાગલા ચુગલા અને માત્ર વદવામાં શૂરા એવા સમાજના કહેવાતા દોરવણીકારોને
પસંદ ન હોય તેથી તેને હિંસક કે મધ્યયુગીન કે કજિયાખોર રહેણી કહેણી જેવાં
નામ આપી દેવાય છે)  દાળભાત ખાનારા કેટલા ટકા ગુજરાતીઓ છે ?? માત્ર બે-ચાર
શહેરો કે તેની કહેવાતી સંસ્કૃતિ એટલે ગુજરાત નહીં, ખાવાપીવાની વાતમાં
અમારે ગામડામાં કહે છે કે ’ખરીયા સોતો ખાઈ જાય તેવો જોધમલ જુવાન છે’
અર્થાત શિકારની પગની ખરીઓ પણ બટકાવી જાય તેવો જણ !! (આ જોધમલનો અર્થ જ
’યુદ્ધવિર’ થાય છે)
હું ન ભુલતો હોઉં તો જે તે સમયે ગુજરાતનાં રજવાડાઓની લશ્કરી ટુકડીઓનું
રજપુતાના રાઇફલ્સ અને રાજપુત રેજિમેન્ટમાં પરિવર્તન કરાયું હતું અને આજે
પણ ગુજરાતના જવાનોને રજપુતાના રાઇફલ્સ કે રાજપુત રેજિમેન્ટમાં નિમણૂક
અપાય છે. ગુજરાતમાં લડાયક ગણાતો બહુ મોટો વર્ગ છે, (સમાજિક રીતે કદાચ
ઊંચા નીચા ગણાતા ઘણાં સમાજો પણ લડાયકતાની બાબતે સમાન લાયકાત ધરાવતા
જણાશે) ભારતનાં લશ્કરમાં ગુજરાતની દરેક જાતિ,કોમના લોકો જોવા મળશે જ.
પરંતુ સમસ્યા ફરી એ જ, અમુક લોકોની શાંતિપ્રિય (કે સંપતિપ્રિય !) નપુંસક
મનોવૃતિની છે. બહુ લોહી ઊકળ્યું તેથી આટલો આક્રોશ વ્યક્ત કર્યો, કોઇ ખરા
શાંતિપ્રિય માણસ માઠું ન લગાડે તેવી વિનંતી શાથે છેલ્લે એક અફઘાન ઉક્તિ
ઉમેરું; કહે છે કે, અફઘાનો યુદ્ધના મેદાનમાં જ સાચી શાંતિ અનુભવી શકે છે.
અહીં અફઘાનોની જગ્યાએ ગુજરાતીઓ કલ્પી શકો તો ગુજરાત રેજિમેન્ટ માનો કે
તૈયાર જ પડી છે. આભાર.
(અહીં એક આડવાત કરી દઉં, આ લખનાર આપના મિત્રના કુટુંબના ત્રણ સભ્ય
ભૂમિદળમાં સેવા બજાવી ચુક્યા છે, અને આપનો મિત્ર કમભાગ્યે એકાદ
યોગ્યતામાં ખરો ન ઉતર્યો તેથી ભરતીદળના વડાની સુચના અનુસાર હોમગાર્ડમાં
દાખલ થઈ સેવા આપી ચુક્યો અને શાથે જરૂરી સૈન્ય તાલિમ પણ પામ્યો. આથી
આટલું ભાષણ લખવાને યોગ્ય ગણશો તેવી આશા છે)
(આ સંદર્ભે માત્ર જાણકારી ખાતર વાંચવા જેવા લેખ :
* http://armedforces.nic.in/airforce/afkargil/arguj.htm (કારગીલ
યુદ્ધમાં શહીદ ગુજરાતીઓ)
* http://en.wikipedia.org/wiki/Rajendrasinhji_Jadeja (ઇન્ડિયન આર્મીના
પ્રથમ વડા, ચીફ ઑફ આર્મીસ્ટાફ, ભારતીય સૈન્યનાં દ્વિતીય કમાન્ડર ઇન ચીફ,
જામનગરના રાજવી રાજેન્દ્રસિંહજી જાડેજા)
* http://www.chowk.com/articles/11105 (ગુજરાતીઓની લડાયકતા બાબતે કેટલીક વાયકાઓ)
નોંધ:-કોઈ તકનીકી કારણોસર શ્રી અશોકભાઈની કૉમેન્ટ બ્લોગ પર આવી શકી નથી.માટે પોસ્ટ રૂપે મૂકી છે.
==========================================

ભારત ચાર આંધળા નો હાથી

Photograph taken by me at Dholavira. ja:画像:A w...
Image via Wikipedia

          ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે  ‘મેરા ભારત  મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો. 
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
       ૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
     ૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
    ૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
     ૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
      ૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ  સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું  સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     ૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
    ૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
    ૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
   ૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
   ૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
   ૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
    ૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
    ૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
    આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???

મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,,

Sri Ram's return to Ayodhya by Pushpak Vimaan
 મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,, 

     શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ઐતિહાસિક પાત્રો હતા.આપણે ભગવાન બનાવી દીધા છે.રામે એ જમાના માં વાનર જાતના માનવો ની સહાય લઈને રાવણ જેવા મહાબલી સામે યુદ્ધ કર્યું અને પત્ની ને પાછી લઇ આવ્યા તે કામ બહુ મોટું હતું.એટલે આપણી કલ્પનાના ભગવાન સાથે રામ ની બહાદુરી મેચ થઇ ગઈ અને આપણે એમને ભગવાન સમજી લીધા.અથવા ભગવાન પોતે નીચે ઉતર્યા અવતર્યા માની લીધું.જે હોય તે પણ રામ ને ભગવાન નાં સમજો તો પણ એ ઐતિહાસિક પુરુષ નું મહત્વ ઐતિહાસિક  રીતે ઓછું નાં અંકાય.એવીજ રીતે કૃષ્ણ પણ ઐતિહાસિક પુરુષ જ હતા.આપણી કલ્પનાના ભગવાન સાથે એપણ મેચ થઇ ગયા.દ્વારિકા હિમયુગ પૂરો થવા સાથે ડૂબી ગઈ હશે.એના પુરાવા પણ મળ્યા જ છે.આ કલ્પું(કલ્પના) બહુ હેરાન કરતી હોય છે.સાચા ખોટા નો ભેદ કરવા દેતી નથી.હવે કદાચ ગાંધીજી પણ ઐતિહાસિક પાત્ર માંથી ભગવાન બની જાય તો નવાઈ નહિ.ભવિષ્ય માં એમના પણ મંદિરો ઉપર મંદિરો બની શકે છે.પ્રસાદ માં કડવા લીમડા ની ચટણી રાખવી પડશે.પંચામૃત માં બકરી નું દૂધ જ ચાલે બીજું નહિ.કદાચ ગાય ની જગ્યાએ બકરીઓ પાળવાનું ભારત માં મહત્વ વધી જાય તો નવાઈ નહિ.આમેય વહાલા ડોસા ચોરેચૌટે ,રોડ રસ્તાઓ પર, ચાર રસ્તે અને અનેક ભવનો માં પેસતા એમની પ્રસિદ્ધ લાકડી સાથે ઉભાજ હોય છે.તો ભવિષ્ય માં આધુનિક ભવ્ય મંદિરો માં વિરાજમાન થશે.ગાંધી ચાલીસા પણ કદાચ રચાઈ જશે.લોકો ભય લાગે ત્યારે ગાંધી ચાલીસા ગાઈ શકશે.એના થી માર ખાઈ શકવાનું શરીર માં જોમ ઉભરાશે.ડર ગાયબ થઇ જશે.સત્ય નાં પ્રયોગો પર હાથ મૂકી ને કોર્ટ માં ખોટા સોગંધ લેવા ની અનુકુળતા રહેશે.આવું બની શકે છે,શક્યતા ૧૦૦% છે,કારણ આપણે સદીઓ થી આમજ કરતા આવ્યા છીએ.
      અયોધ્યા નો ચુકાદો આવી ગયો છે.કોઈ તોફાન થયા નથી.દંભી સેક્યુંલરીસ્ટો નાં પેટ માં તેલ રેડાયું હશે કે આતો શાંત જ રહ્યા બધા તોફાનો કેમ થયા નહિ?તોફાનો થયા હોત તો ચુકાદા વિરુદ્ધ કાગારોળ કરતા ફાવત.આ દમ્ભીઓ ધર્મ પરિવર્તન કેમ કરી લેતા નહિ હોય?આના વિરુદ્ધ માં પાકિસ્તાન માં રેલીઓ નીકળી.અલ્યા ભાઈ તમારું બળતું ઘર સંભાળો.ભારત માં શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો?ભારત નો મુસ્લિમ ભારતમાં પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની મુસ્લિમ કરતા વધારે સલામત છે.અમેરિકા થી પાકિસ્તાન જઈ ને પરત આવેલા મુસ્લિમો ની વાતો પરથી આવું લાગે છે.એક તો ન્યાયાધીશોને પુરાવા ની શું જરૂર?જગજાહેર છે કે જયારે મુસલમાન શાસકો  હતા ત્યારે ઠેર ઠેર મંદિરો તોડી ને મસ્જીદો બનાવેલી જ છે એવા હજારો પુરાવા છે.અથવા જ્યાં મંદિર હોય ત્યાં બાજુમાં કે એની ઉપર મસ્જીદ કે દરગાહ બનાવેલી છે.પાવાગઢ ના મહાકાલી ના મંદિર ઉપર મસ્જીદ હાલ ઉભી જ છે.છતાં ચાલો  કોર્ટ પુરાવા માંગે.તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખોદકામ કરીને આપી દીધા .૫૭૪ પાના નો અહેવાલ આપ્યો છે.જેના ઉપરથી ત્રણે જજે  ચુકાદા માં એની નોધ લીધી છે.  ૧૯૯૦ માં પુરાતત્વશાસ્ત્રી બી.બી લાલે  ખોદકામ કરી ને જણાવેલ કે નીચે મંદિર હતું.એમને કોમવાદી કહી ને બદલી કરી નાખવામાં આવેલી. બીજા ટોચ નાં આઠ પુરાતત્વ શાસ્ત્રીઓ ને પુરતા પુરાવા મળેલા કે નીચે મંદિર હતું.પણ જે તે સમયે અર્જુનસિંહે ભૂંડી ભૂમિકા ભજવી હતી.મીયાં અર્જુન અને મુલ્લાં મુલાયમો નો વિરોધ મુસ્લિમોએ જ કરવો જોઈએ.આવા લોકો ને જ શાંતિ જોઈતી નથી.
  એક સદી માં એક ફૂટ ધૂળ ચડે .એ હિસાબે ૨૦ ફૂટ નીચે થી સંસ્કૃત માં હિંદુ દેવતા નું નામ લખેલો પથ્થર મળ્યો છે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મંદિર હતું તેનો પુરાવો છે.બાબર ને આવ્યે ૫૦૦ વર્ષ જ થયા છે.પક્ષી ની આકૃતિ ધરાવતો કાળા પથ્થર નો સ્થંભ,૩૦ સ્થંભ  ની હારમાળા,અષ્ટકોણીય હવનકુંડ,દીવાલો માં સુરખી નો ઉપયોગ જે ભારત માં બે હજાર વર્ષ થી થાય છે,વિશિષ્ટ આકાર ની ઇંટો જે ભારત સિવાય બીજે મળતી જ નથી,ભંડાર ગૃહ આ બધા પુરાવા ૧૪ જગ્યાએથી ખોદકામ કરતા મળ્યા છે જે  મસ્જીદ નાં ગુંબજ ની નીચે જ મંદિર હતું તેના છે.મસ્જીદે જન્મસ્થાન તરીકે તો ઓળખાતી હતી આ મસ્જીદ.૨૭૪ પુસ્તકો,૭૯૮ ચુકાદાઓ,૫૭૪ પાનાનો પુરાતત્વ ખાતા નો અહેવાલ,અનેક દસ્તાવેજો અને ધાર્મિક ધર્મગ્રંથો ના આધારે ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો છે.જે સર્વે ને માન્ય હોવો જ જોઈએ.
        રામ ભગવાન હતા તે વાત બાજુ પર મુકો.પણ ભારત માં જ ભારતીય છીએ તેના પુરાવા આપવા પડે તેવી સ્થિતિ છે આજે તેનું શું કરવું?આ તો નરી કાયરતા છે.અહિંસા,ભાઈચારો,અસહિષ્ણુતા,બિનસાંપ્રદાયીક્તા બધા ખોખલા શબ્દો બની ચુક્યા છે.બે ધર્મો વચ્હે કોઈ ભાઈચારો હોતો નથી.ઊંચા આદર્શો ની વાતો છે.વાસ્તવિક નહિ.જે ભાઈચારો હોય છે તે મજબુરી છે.એક જ દેશ માં રહેવું પડે છે તે મજબુરી છે.વ્યક્તિગત ભાઈચારો શક્ય છે પણ સામુહિક  તો શક્ય લાગતો નથી.મારે નુસરત ફતેહઅલી,રાહત અલી,મહેંદી હસન સાથે ભાઈચારો છે,જેઓને મેં કદી જોયા પણ નથી.સ્ક્રીન પર જ જોયા છે.મહેંદી હસન અને જગજીતસિંગ વચ્ચે ખુબ ભાઈચારો છે.મહમદ રફી સાથે કોને ભાઈચારો નહિ  હોય?આ બધા વ્યક્તિગત ભાઈચારા છે. હિંદુ ગણાતા બે સંપ્રદાયો વચ્ચે પણ ભાઈચારો નથી,ત્યાં બે જુદા જુદા ધર્મો વચ્ચે તો ક્યાંથી હોય?અરે એકજ હિંદુ ગણાતા બે જુદા જુદા સંપ્રદાયો ના વ્યક્તિઓ એક બીજા નાં મંદિર માં જવા તૈયાર નથી ભલે ભગવાન એક જ હોય.અરે એકજ સંપ્રદાય માં પણ અનેક ફાંટા હોય છે.સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો માં અનેક ફાંટાઓ હોય છે,જે એક બીજા ના અંદર થી દુશમન હોય છે.પછી મિત્રો કહેશે સત્ય એકજ છે પણ જુદા જુદા લોકો એ અનેક રીતે કહ્યું છે.આ તો એક રોગ છે.બીમારી છે.પછી હિંદુઓ એકતા ની વાતો કરશે.હિંદુ એકસંપ નથી,એનું મુખ્ય કારણ ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે. ભાઈચારા ની વ્યર્થ વાતો કરશે.ભાઈચારો ત્યારે શક્ય બને કે એકબીજા ના સંપૂર્ણ આધારિત હોવ ત્યારે.એક મજબુરી છે જે સાથે રહેવા પ્રેરે છે.અયોધ્યા માં હિંદુઓ અને મુસ્લિમો વિના લડે સાથે જ રહે છે.એકબીજા નાં ધંધા નાં પુરક છે.પુજાના ફૂલ અને સામગ્રી ની દુકાનો મુસલમાનો ની હોય છે.જે લડાઈ ઝઘડા છે તે બહાર છે.રાજકારણ ના છે.ધાર્મિક ગુરુઓ અને પક્ષો ના છે.સામાન્ય પ્રજા તો એકબીજા સ્વાર્થ વડે જોડાયેલી જ છે.એમને લડાઈ માં રસ હોતો જ નથી.લડે તો એકબીજા ને નુકશાન થાય.એકબીજા ના સ્વાર્થ ને નુકશાન થાય છે.સ્વાર્થ નો ભાઈચારો હોય છે તેમાં ખોટું  શું છે?સર્વાઈવ થવા એકબીજા નો સહકાર લેવો તે તો નિયમ છે.વ્યક્તિગત મિત્રતા ભાઈ સમાન હોય છે..જયારે ધાર્મિક વાતાવરણ ઉગ્ર બની જાય છે ત્યારે ભાઈચારો હવાઈ જાય છે.ધાર્મિક વાતાવરણ ને યોજના પૂર્વક ઉગ્ર બનાવી દેવામાં આવતું હોય છે.આ તો મારા વિચારો છે,હું ખોટો પણ હોઈ શકું.મિત્રો ના વિચારો અને સૂચનો પણ આવકાર્ય છે.આ ભાઈચારો શક્ય બને તે માટે શું કરવું જોઈએ?મિત્રો સૂચનો કરશો જરા? 
   ચાલો ચંદ્રકાંત બક્ષી  બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.એમના શબ્દો સાંભળવા છે?તો આ રહી લીંક જે “એક ઘા અને બે કટકા”માં મુકેલી છે.http://www.youtube.com/watch?v=VlqZPV0pVqo&feature=player_embedded

જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.