Category Archives: વિચારવા વિનંતી

માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!

Dr spencer wells

                                                                                                                                                                                                   The great migration
       આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
      
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
         *
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
      
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X  દરેક સંતાનને એના માતા  પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર  આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી  A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
        
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના  આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
       
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
          
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
          
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
         *
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
         
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર  સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
           
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
        
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
     
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
       છેતો બધા આપણાં ભાઈઓ જ.
       તો પછી લડીશું કોની સામે?
       હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?      

San Bushmen

ના પરશુરામ, ના હનુમાનજી, અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

Turritopsis Nutricula
                                                                               અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

* અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા. મહાભારત કાલમાં પણ હતા. ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું. તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા? અને હનુમાનજી પણ શ્રી રામના સમયથી મહાભારત કાલ સુધીની વાતોમાં અમર હતા. અને હાલ પણ બોગસ કથાકારો માને છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર રહે છે ગુપ્ત વેશે. હવે ભારત જેવા અતીધાર્મિક દેશમાં એક સમયે ઘણા બધા સ્થળોએ રામકથા ચાલતી હોય છે. માટે અમરત્વની સાથે સાથે બહુશરીરી વિદ્યા પણ હોવી જોઈએ.જેથી એકી સાથે અનેક સ્થળોએ રામકથામાં હાજરી આપી શકાય. તો પછી રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? આ બંને પાછા મહાન યોદ્ધાઓ હતા. ખેર આ બંને યોદ્ધાઓ આ બંને પ્રસંગોએ હાજર નહોતા. હાજર હોત તો એમની હાજરી છતી થઇ ગઈ હોત. મૂળ એમના અમરત્વની વાતો ખોટી છે.

*હાઈડ્રોઝોઅન પ્રકારની જેલીફિશ એવી વિદ્યા જાણે છે, જે એને અમરત્વ બક્ષે છે. મૂળ કેરેબિયન સમુદ્રની રહેવાસી પણ દરેક સમુદ્રમાં મળતી આ જેલીફિશ યુનિક એબિલીટી ધરાવે છે. એવું સ્મિથ સોનીયન ટ્રોપિકલ મરીન ઇન્સ્ટીટ્યુટના Dr Mariya Miglietta કહે છે. આ તરકીબ છે પાછા જુવાન બની જવાની. એક પતંગીયાની જીવનયાત્રા જોઈએ તો ઈંડામાંથી ઈયળ નીકળે, પછી એ ઈયળનો કોશેટો બને, અને એમાંથી પછી પતંગીયું બહાર નીકળે. પણ પતંગીયું પાછું કોશેટો ના બની શકે.

*ટ્રાન્સડીફરંશીએશન(Trasdifferentiation)પધ્ધતિ વડે એક જાતના સેલ(કોશ)ને બીજી જાતના સેલમાં બદલી શકવાની આ જેલીફિશમાં ક્ષમતા છે. બીજા પ્રાણીઓમાં આ ક્ષમતા ઓછી અથવા લીમીટેડ હોય છે. આવી રીતે શરીરના દરેક અંગો ને રીજનરેટ કરી શકે છે. અને આમ આખું શરીર રીજનરેટ કરી ને પાછું યંગ બનાવી શકે છે. ઘણા જીવોમાં એમનું ખોવાએલું કે કપાઈ ગયેલું અંગ ફરી થી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આપણ ને કોઈ જગ્યા એ વાગે કે છોલાય તો એ નાશ પામેલા કોશો ની જગ્યાએ બીજા નવા કોશો શરીર બનાવી ને ઘા રુજાવી દે છેપણ મસલ્સના કોશોને નર્વના કોશોમાં બદલી શકીએ નહિ.

*આ જેલીફિશ કોઈ પણ જાતના કોશ ને બીજા કોઈ પણ જાતના કોશમાં બદલી શકે છે. મસલ્સના કોશો ને નર્વ કે સ્પર્મ કે એગના કોષોમાં પણ બદલી શકે છે. બધી જેલીફિશ આવી નથી. લગભગ મોટા ભાગની જેલીફિશ એમની જાત પ્રમાણે થોડા કલાકો થી થોડા મહિના જ જીવે છે. બાયોલોજીકલ ઈમ્મોર્ટલ એવી આ જેલીફિશ મોટા ભાગે બીજા જીવોનો ખોરાક બની જાય છે.

*તો મિત્રો કીડીબાઈ પાંચ કરોડ વર્ષથી ફૂગની ખેતી કરીને સાથે સાથે બીજા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા એન્ટી બાયોટીક્સ પણ વાપરે છે. આ જેલીફિશ અમરત્વની વિદ્યા જાણે છે, ભલે બીજા જીવો એને ખાઈ જતાં. તો ફરીથી આપની મૂછો નીચી કરો. આપણે શ્રી પરશુરામ, અશ્વસ્થામા અને હનુમાનજીની અમરત્વ વિષે ની ખોટી ડંફાસો મારવાની બંધ કરીએ.

મા, માતા, જગત જનની, The spirit of the valley

મા, માતા, જગત જનની, The spirit of the valley.

મા એટલે? આઈ; જનેતા; બા; જનની; જી; માતા; જનયિત્રી; પ્રસૂ; માતુશ્રી; માઈ. વિનોબા લખે છે કેઃ બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ, જે આપણી પાસે છે, તે છે ખુદ આપણી મા. શ્રુતિ કહે છે કે, માતૃદેવો ભવ. વત્સલતાના રૂપમાં તે પરમેશ્વરની મૂર્તિ જ ત્યાં ઉપસ્થિત દેખાય છે. તે માતાની વ્યાપ્તિને આપણે વધારી લઈએ અને વંદે માતરમ કહીને રાષ્ટ્ર માતાની તરફ અને પછી અખિલ ભૂમાતા પૃથ્વીની પૂજા કરીએ.

મા અંબા, મા દુર્ગા હોય, મા કાલી હોય કે મા ખોડલ માતા જગત જનની છે તે હકીકત છે.

ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે.  એમાં એમણે લખ્યું છે કે, “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”. જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાં જ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો ઓલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ખીણ ત્યાં જ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાં જ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આને જ લાઓત્સે કહે છે The female  mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે. આ ખીણનું સ્ત્રૈણ રહસ્ય જ માતા છે, એને મા અંબા, દુર્ગા કે કોઈપણ નામે બોલાવો.

દુનિયાના પ્રાચીન ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની મા અંબા, દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક બીજ(સ્પર્મ) રોપણ(ઇન્જેક્ટ) થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને  કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. મોટાભાગે પુરુષ જ ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક મા બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે, અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. કઈક રહસ્યમય, પુરુષ સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એ જ તો ખીણનું, અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે.  હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ પ્રયત્ન વગરનું હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you marry me? પુરુષ ના કહે એટલે ના જ સમજવું જ્યારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે એ જ તો રહસ્ય છે.

એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી રતિક્રીડામાં પણ નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ સક્રિય બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. મૂળ ભારતીય એવી મહિલા  શિક્ષિકા પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત? સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સો માંથી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે, ઘરમાં પણ. પત્ની ચુપ છે, કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક છે, ગ્રહણશીલ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય, શુક્રાણુ બેંક હવે હાજર છે.

જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં. વ્યક્તિ જન્મે છે પહેલા માના ગર્ભ રહેલા ગહન અંધકારમાં.  બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે. હવે બનવા લાગ્યા છે પણ એની મર્યાદા છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો, છે કમજોર. ૧૬ તો જવાના જ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. પુરુષ પ્રધાન સમાજમાં એને અનુકૂળ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધે જ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીનમાં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોંપાય જે શક્તિશાળી હોય.

લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્યનું રહસ્ય ના પામી શકાય. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમ સત્ય તરત પ્રવેશી જાય છે. ગમે તેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમ સત્ય ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી. જ્યારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓમાં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રી પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જ્યારે સ્ત્રી મા બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. મા અને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને પરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.

માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એમનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે.  સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. આ રહસ્ય પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મોં ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?

આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર સ્વર્ગ અને પૃથ્વીનો મૂળ સ્ત્રોત છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વની ગહેરાઈમાં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજમાં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ, હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતીક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.

લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાનની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ કામુકાતામાં પણ દેખાશે. એટલે ફિલ્મોમાં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમથી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતાથી વહેવાર કરો અસ્તિત્વને જરાપણ પીડા ના પહોંચે. આજ તો અહિંસા છે.

અસ્તિત્વની સ્ત્રૈણ ગહેરાઈમાં, અખંડ શક્તિમાંથી બધું જન્મે છે અને બધું લીન થાય છે. આજ  છે જગત જનની મા અંબા, મા ભવાની, મા દુર્ગા, મા કાળી, મા ખોડલ……..

“બ્રેન તો બાપુઓના”

Rajput Regiment

 

“બ્રેન તો બાપુઓના”  

 આ ઘણા ના મનમાં સવાલ ઉઠતો હશે કે આ બાપુ આવું ક્યાં થી લખતા હશે?કોઈ બુક્સ વાંચતા હશે.એમાંથી ગુજરાતી કરી ઉતારા કરતા હશે.ભાઈલા આપણું અંગ્રેજી એટલું સારું નથી.બીજું આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી કે અંગ્રેજી લેખકોની બુક્સ વસાવવાની હિંમત કરીએ.હા બુક્સ ઘણી બધી વાંચી છે.પણ બધા ગુજરાતી લેખકોની,એ પણ મફતમાં.હાજી મારા પિતાશ્રી વિજાપુર ની સાર્વજનિક લાયબ્રેરીના પ્રમુખ હતા.ગાયકવાડ સ્ટેટ ના નિયમ પ્રમાણે એમના રાજ્ય ના દરેક ગામ માં એક પ્રાથમિક શાળા,એક અખાડો ને એક લાયબ્રેરી જરૂર હોય.વિજાપુર ગાયકવાડી ગામ હતું.આમારા પુરાણી સર અખાડીયન હતા.પુરાણી બંધુઓએ ગુજરાત માં અખાડા પ્રવૃત્તિ શરુ કરેલી,એનો વટ કાયમ મારતા.જોકે એ અખાડા પ્રવૃત્તિ શરુ કરનારા પુરાણી બંધુઓમાંના નહોતા.ગુજરાતી અખાડા થી કાયમ દુર ભાગે.વડોદરામાં પોળે પોળે અખાડા છે.એમાં પણ મરાઠીઓ જ વધારે હોય.એટલે હું પણ પુરાણી સાહેબ જોડે કુસ્તીના દાવ શીખતો.દંડ પીલતો બેઠકો કરતો.પુરાણી સાહેબ ઉસ્તાદ થોડું જીતતા હોઈએ તેમ લડવા દે પછી એવી ધોબીપછાડ મારે કે ઉભાજ ના થવાય.પાછા ઉભા કરે ને શાબાશી આપે કે થોડા દિવસ માં મને હરાવી નાખવાનો.પણ એ કદી હાર્યા નહિ ને મારી સ્કુલ પૂરી થઈ ગઈ.
      
               *આમારી સ્કુલ હતી આશ સેકન્ડરી હાઈસ્કુલ.પ્રિન્સીપાલ હતા ગોપાલભાઈ પટેલ.પિતાજી ના મિત્ર હતા.એ જમાના માં પૈસા કરતા પ્રેસ્ટીજ નું વધારે મહત્વ હતું.વિજાપુર માં પિતાજી ની પ્રેસ્ટીજ ખુબ હતી.લગભગ બધાજ શિક્ષકો પિતાજી ને ઓળખતાં હોય.એનો લાભ એ હતો કે માર વધારે પડતો.વકીલસાહેબ નો દીકરો છે,બગડવો ના જોઈએ ઠોકો એને.એના લીધે ક્લાસ માં આગળ રહેતો.લાયબ્રેરીમાં જતો તો જનુભાઈ ચાવીઓ નો ઝૂમખો આપી દેતા,કઈ બુક કયા કબાટ માં છે એવું પૂછ પૂછ ના કરું માટે.નવી પેઢીના ગુજરાતી લેખકોને પણ મેં ખાસ વાંચ્યા નથી.નવનીત સેવક અને છેલ્લે હરિકિશન ગાંધી ચિત્રલેખા વાળા ને વાંચ્યા છે.પછી ખાસ કોઈ નહિ.ગુણવંત શાહ ને પણ કટારો માં જ વાંચ્યા છે.કોઈ અંગ્રેજી ફિલોસોફરો ને વાંચ્યા જ નથી.ખાલી નામ સાંભળ્યા છે.આપણી પાસે આટલું બધું ઉંચી જાતનું ફિલોસોફી થી ભરેલું સાહિત્ય હોય ત્યાં બીજા ને ક્યાં વાંચીએ?એટલે હું કોઈ એવા લેખકોના અવતરણો મુકતો નથી.ખબર હોય તો મુકુને.
         
             *એક ચવાઈ ગયેલી જોક્સ છે કે વાણિયા, બ્રાહ્મણ ને બાપુનું બ્રેન વેચવા મુકેલું.તો બાપુના બ્રેન ના વધારે પૈસા મળેલા.કેમકે કદી વપરાયું જ ના હોય.ભગવાને જેવું આપ્યું હતું એમજ હતું.આમેય લડવા માં બ્રેન શું વાપરવાનું?દેવાજ માંડવાની ને.પહેલો ઘા રાણા નો.જો વિચારવા બેસીએ,બ્રેન વાપરવા બેસીએ તો લડવાનો સમય વીતી જાય,સામે વાળો આપણાં ને મારી જાય.એટલે વિચારવાની ટેવ જ ના પડેલી.કેસરિયા રજપૂતો કરતા એ કદાચ નવી પેઢીમાં તો ખબર નહિ હોય.કેસરિયા એટલે જયારે ખબર પડે કે હવે હારવાના જ છીએ.કોઈ કારી ફાવવાની નથી,ત્યારે રજપૂતો અફીણ ના કેસરિયા કસુંબા પી ને દુશ્મન ના સૈન્ય ઉપર ગઢ ના દરવાજા ખોલી ને તૂટી પડતા.દે ઠોક જેટલા માર્યા એટલા ખરા.બાકી મરવાનું તો છેજ.આ એક જાતનું આપઘાતી વલણ હતું.બધાજ માર્યા જતા.બોલો આવી રીતે આપઘાત કરવા કોઈ બ્રેન વાપરતો માણસ જાય ખરો? આ બાજુ રજપૂતાણીઓ દુશ્મન ના હાથ માં ના પડાય માટે મોટા કુવામાં અગ્નિ પ્રગટાવી કુદી પડતી.મુસલમાનો સામે રાજસ્થાન માં તો છાસવારે આવું બનતું.લાખો ના સૈન્ય સામે થોડા હજાર રજપૂતો આવી રીતે આત્મહત્યા કરવા નીકળી પડતા.આ દેશ માટે,આ દેશ ની પ્રજાના રક્ષણ માટે રજપૂતોએ જેટલા બલિદાન આપ્યા છે એટલા બીજા કોઈએ નથી આપ્યા છતાં આ દેશ ની પ્રજાએ રાજપૂતોને વગોવવામાં કશું બાકી નથી રાખ્યું.જ્યાં ને ત્યાં ફિલ્મો ને ટીવી સીરીયલો માં ઠાકુર એટલે ખરાબજ.આમારા ન્યુ જર્સી ના રેડીઓ પર એક જાહેરાત આવે છે.છોકરી બોલે છે,”પાપા લગ્ન તો રજપૂતો ની શાન થી કરીશ,એકદમ રાજપુતાના સ્ટાઈલ થી જ કરીશ”.રાજપૂતોની સ્ટાઈલ ગમે રજપૂતો ના ગમે. થોડા ખરાબ તત્વો ને લીધે આખી કોમ વગોવાય તેવું છે.
         
                      * એટલે મૂળ વાત એવી છે કે બ્રેન હોય પણ વાપરવા બેસીએ તો લડાય નહિ ને આપઘાત કરવા તો બિલકુલ ના જવાય.એટલે રાજપૂત સાહિત્યકારો ખુબજ ઓછા છે.નહીવત છે.ગુજરાતીમાં તો મેં ખાલી કિશનસિંહ ચાવડા ને વાંચેલા.ને દિલાવરસિંહ જાડેજા અખંડ આનંદ ના સંપાદક હતા,એમને થોડા વાંચેલા.બાકી ગુજરાતી સાહિત્ય કારોમાં કોઈ બીજું ખાસ જણાતું નથી.એટલે ઘણા બધાને થતું હશે કે આ બાપુ નક્કી કોઈ તફડંચી કરતા હશે.પણ ભાઈ હવે લડવા જવાનું નથી એટલે બાપદાદા ઓએ ના વાપરેલું બ્રેન વાપરવા માંડ્યું છે.અને હવે આત્મહત્યા કરવા પણ જવાનું નથી.જુઓ એટલે મારા ઘર માં ત્રણ પીએચડી થયા છે,ને બે વૈજ્ઞાનિકો છે.એટલે જયારે મારા ભેજા માં જ ટનાટન વિચારો ને નવા તુક્કા સુજતા હોય ત્યાં બટ્રાંડ રસેલ,પોલ સાન્ત્ર કે ટોલ્સટોય ને કોણ પૂછે ?ખાનગી વાત એ છે કે આ લોકોને વાંચ્યા હોય તો એમના વિશેનું લખુને? સાયંસ ચેનલો ટીવી પર જોવાની,સાયન્સ વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો જોવાની.એમાનું જેટલું અંગ્રેજી સમજાય તેટલું લખવાનું.એમાં આપણાં પોતાના એવા ખણખણતા મંતવ્યો ઉમેરવાના કે વાંચનાર ની ખોપરી હાલી જાય.એટલે અશોક ભાઈ લખે છે કે ઝટકો લાગે તેવું લખો છો.ઝટકા મારવાની બાપદાદા ઓ ની આદત જો વારસા માં મળી છે,તલવાર હોય કે કલમ શું ફેર પડે છે?અને સામે ગમેતેવો મહારથી હોય શું ફેર પડે છે?
         
                        *અને ખોટું તો સહન ના થાય.પછી ગુણવંત શાહ હોય કે મોરારીબાપુ હોય કે પછી ભગવાન શ્રી રામ જ કેમ ના હોય.મોરારી બાપુ આપકી અદાલત માં બોલ્યા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” તો આપણી ખોપરી તો હટી ગઈ.આલ્યા તો પછી ભણશે કોણ? બધા કઈ ભજન કરી તમારી જેમ કરોડોમાં થોડા નહાશે?ગુણવંત ભાઈ બાપુ ના વાદે ચડ્યા છે “રામ કથા જગ મંગલ કરની”,જગ નું તો ઠીક ભારત નું ભલું સુદ્ધાં નથી થયું.રોજ લોકો ગોદાવી જાય છે.નાનું સરીખું બાંગલાદેશ પણ ગોદો મારી જાય છતાં બોલાતું નથી.આપણાં બી.એસ.એફ ના જવાનોને મારી નાખી કુતરા ઢસેડતા હોય તેમ ઢસેડતા હતા,તેવા ફોટા પણ આવેલા છતાં કાયરો કશું બોલ્યા નહતા.એટલે જેવું લાગે તેવું લખવાનું મોણ નાખવાનું ના ફાવે.
       *ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.
          

“વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!

 “વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!
       *આપણે પહેલા જોઈ ગયા કે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ હિંસા.અને આ હિંસા પણ ઈવોલ્યુશન એટલે કે વિકાસ ના ક્રમ નું એક મહત્વ નું પરિબળ છે.એમ વિના સહકાર નહિ ઉદ્ધાર એ થઇ અહિંસા .આ પણ વિકાસ ના ક્રમ નું મહત્વ નું પરિબળ છે.બધા જીવો એક બીજા ના સહકાર,કો ઓપરેશન વડે આ જીવન ચક્ર માં જોડાએલા  છે.વનસ્પતિ પણ પક્ષીઓ અને મધ માંખી  જેવા જંતુઓ ની મદદ લે છે,એમની વસ્તી વધારવા.પરાગનયન વિષે આપણે સહુ ભણી ચુક્યા છીએ.
          
               *એમેઝોન  ના વરસાદી જંગલો માં લગભગ દરેક વનસ્પતિ ના પાન માં ટોક્સિક હોય છે.પ્રાણીઓ અને જીવ જંતુઓ આ વનસ્પતિ ખાય તો ઝેર ચડે.વનસ્પતિ પોતે એના રક્ષણ માટે આવી સગવડ વિકસાવે છે.આપણે ખેતી કરતા આશરે ચાર પાંચ હજાર વર્ષ પહેલા શીખ્યા હોઈશું.પણ એમેઝોન ના જંગલ માં રહેતા કીડીબાઈ ૫૦ મીલીઓન એટલે કે પાંચ કરોડ વર્ષ થી ખેતી કરે છે.હવે આપણી મૂછો નીચી કરો.આ કીડીઓ  લીફ કટર કીડીઓ છે.વનસ્પતિ ના પાન ને કાપીને એના ટુકડા એમના દર માં લઇ જવામાં આવે છે.આ પત્તા ઝેરી હોય છે.એકદમ સીધા ખવાય નહિ.આ કીડીઓ ના દર જમીન માં ખુબ ઊંડે સુધી હોય છે.આ કીડીઓ પાના દર લઇ જઈ ને લેબર કીડીઓ ને આપે છે.પછી આ કીડીઓ એ પાના પર એમની લાળ લગાવે છે.આ પાના પર ફૂગ ની  ખેતી કરવામાં આવે છે.ફૂગ (ફંગસ) નો ખોરાક છે વનસ્પતિ.આ ફૂગ એ કીડીઓ નો ખોરાક છે.કીડીઓ ને ફૂગ  ની જરૂર છે,અને ફૂગ ને કીડીઓ વગર ના ચાલે.વૈજ્ઞાનિકોએ આ કીડીઓ નો ખૂબ અભ્યાસ કર્યો ને એ પણ જાણવા મળ્યું કે જમીન માં ઊંડે કામ કરતી આ કીડીઓ ઉપર એક સફેદ મીણ જેવો ચીકણો પદાર્થ  ચોટેલો હોય છે.તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો એન્ટી બાયોટીક્સ છે.જે એની બાયોટીક્સ આપણે આજે વાપરીએ છીએ એજ વર્ગ ના એન્ટી બાયોટીક્સ કીડીઓ ૫૦ મીલીઓન વર્ષ થી વાપરે છે,બેક્ટેરિયા સામે રક્ષણ મેળવવા.આપણે એન્ટી બાયોટીક્સ શોધ્યા ફક્ત ૬૦ વર્ષ પહેલા.ફરી મૂછો નીચી કરો.આ છે લીફ કટર કીડીઓ અને ફંગસ વચ્ચેનું  સ્થિતિ સ્થાપક  જોડાણ.
      
                           *આપણ ને એલર્જીક શરદી થાય છે.નાક અને આંખ  માંથી પાણી અચાનક વહેવાનું શરુ થઇ જાય છે.ઘણા બાળકો ને દમ એટલે કે અસ્થમા થઇ જાય છે.આનું કારણ છે ઘરમાં ,કાર્પેટ માં રહેલા ડસ્ટ માઈસ્ટ અને બીજા એલરજંસ .જર્મની ના  એક બાળકોના  મહિલા ડોકટરે  આશરે ૮૦૦ બાળકોનો એલર્જીક વિષયક અભ્યાસ કર્યો.કાર્પેટ,પથારી અને ઘર માં રહેલા નાના માઈક્રોબ્સ ના નમુના એકઠા કર્યા. તારણ એ આવ્યું કે શહેર માં રહેતા બાળકોને સ્વચ્છતા ના અભાવે આ બધા રોગો થાય છે,પણ જે બાળકો ના ઘરે લાઈવ સ્ટોક મતલબ ઢોર ઢાંખર પાળવામાં આવેલા હોય છે,એ બાળકો ને આવા રોગ માંથી મુક્તિ મળે છે.એલર્જી એ શરીર ની ઓવર રીએક્ટ ક્રિયા છે.શરીર જરા વધારે પડતી રોગો સામે લડવાની ક્રિયા કરે એને એલર્જી કહીએ છીએ.તો જે બાળકોના ઘરે પશુપાલન થતું ત્યાં એ પશુઓ ઉપર ઉછરતા માઈક્રોબ્સ શરીર ને શીખવે છે કેટલી પ્રતિક્રિયા કરવી.મતલબ અતિશય શુદ્ધ વાતાવરણ શરીર ને  નબળું બનાવી દે છે રોગો સામે લડવાથી. એક બાળક જન્મે છે ત્યારે એના શરીર માં રોગો સામે લડી શકે તેવા એન્ટી બોડીસ હોતા નથી.માનું પહેલું ધાવણ એન્ટી બોડીસ થી ભરપુર હોય છે. નાના બાળક ના શરીર માં એન્ટીબોડીસ એની  માના ધાવણ દ્વારા મળે છે.પણ મોટા ભાગ ના એન્ટી બોડીસ એને થતા રોગ માંથી શરીર લડે છે પછી તૈયાર થાય છે.
          
                   * મારા એક આર્ટીકલ ના પ્રતિભાવ માં એક ભાઈ એ લખેલ કે માનવીની સ્ત્રી એકાદ વર્ષ થી વધારે દૂધ ના આપી શકે માટે પશુ ઓ નું દૂધ પીવું પડે છે.આજના યુવાનો ને ખબર પણ નથી કે માનવી ની સ્ત્રી પણ ચાર પાંચ વર્ષ સુધી દૂધ આપી શકે છે.વળી એ જમાના માં આજની જેમ ફોટા પાડી સાબિતી રાખવાનો રીવાજ પણ ના હતો.આમારી પેઢી ખતમ થઇ જશે પછી લોકો માનશે પણ નહિ કે સ્ત્રીઓ ચાર પાંચ વર્ષ સુધી એમના બાળકો ને ધવડાવતી હતી.કોઈ માણસ ને આશરે ત્રણ વર્ષ નો થયો હોય તે પહેલાની સ્મૃતિ હોતી  નથી.આજની સ્ત્રીઓ પણ ભૂલી જવાની કે ક્યાં સુધી એ લોકો એમના બાળકો ને ધવડાવી શકે છે.માં એના બાળકને ફક્ત દૂધ નથી પીવડાવતી,દૂધ ની સાથે પ્રેમ પણ પીવડાવતી હોય છે.આજની સ્ત્રી છ મહિના થી વધારે ધવડાવતી નથી.પછી ફરિયાદ કરે છે કે સંતાનો એમની ઉપેક્ષા કરે છે.જે આત્મીય અને માનસિક જોડાણ બાળક સાથે એને  ધવડાવતા થતું  હોય છે.એ જ થયું ના હોય પછી બાળકો શું કરે?
          
                          *વિકાસ ના ક્રમ માં જીવો એક બીજા ના સહકાર વડે જીવે છે.પોષણ મેળવે છે,અને આમજ વિકાસ  થતો જાય છે,ઈવોલ્યુશન થતું જાય છે.ના તો હિંસા ખરાબ છે ,નાતો અહિંસા.ના હિંસા સારી છે,ના અહિંસા.અતિ હિંસા થી જેમ વિકાસ નો ક્રમ ખોરવાઈ જવાનો ભય છે,તેમ અતિ અહિંસા થી પણ તેવુંજ સમજવું.અમેરીકા માં યુરોપિયન લોકો આવ્યા તે  પહેલા પેસેન્જર પિજિયન નામના કબૂતરો પુષ્કળ હતા.એક વાદળ આકાશ માંથી માંથી આવતું હોય તેમ લાખો આવા કબૂતરો એક સાથે ઉડતા , ને જ્યાં પડે ત્યાં સફાચટ કરી નાખતા.કારણ અહી ખાસ માનવ વસ્તી ના હતી.એમને મારનાર કોઈ ના હતું.યુરોપીયનો અહી વસ્યા ખેતી કરવા લાગ્યા.પાક બચાવવા રીતસર નું અભિયાન ચાલુ થયું આ કબૂતરો ને મારવાનું.પણ પછી અટક્યાજ નહિ.આજે એક પણ પેસેન્જર પિજિયન બચ્યું નથી.હાલ જે કબૂતરો છે એ જુદી જાત ના છે,પેલા તો ઈતિહાસ બની ગયા.
     
               *તો મિત્રો કીડીબાઈ માટે હવે એવું ના ગાતા કે “કીડી બિચારી કીડલી”આ કીડી શું કરવાની?કીડી એના કદ કરતા ૫૦૦ ઘણું વધારે વજન ઉચકી શકે છે. 
               

“જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”

            *”જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”બંને ઈવોલ્યુશન વિકાસ ના ક્રમ માટે જરૂરી પરિબળો છે.એટલે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ “હિંસા” અને વિના સહકાર નહિ ઉદ્ધાર(કો ઓપરેશન) એ થઇ “અહિંસા”.આમ ઈવોલ્યુશન માટે હિંસા અને અહિંસા બંને જરૂરી છે.એક જીવ બીજા જીવ ને ખાવા માટે મારે છે.અને એ જીવ બચવા માટે જાત જાત ના કીમિયા અખત્યાર કરે છે,નવી નવી તરકીબો શોધે,નવી સીસ્ટમ વિકસાવે છે.અને આમ વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય છે.નાના માઈક્રોબ્સ થી શરૂઆત કરીએ.રશિયન કેદીઓ ને થયેલા ટી.બી.નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી.બી. ના બેક્ટેરિયા પાંચ જાતના એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ હતા.ટી.બી. નો કોર્સ પૂરો ના કરો તો,એના બેક્ટેરિયા તમે લીધેલી દવા વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવે છે.અને નવી પેઢીના બેક્ટેરિયા ને વારસા માં એ ઈમ્યુન સીસ્ટમ આપતા જાય છે.પછી એ દવા ની અસર થતી નથી.જેમ જેમ રોગોના જીવાણું એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ થતા જાય છે,તેમ નવા એન્ટી બાયોટીક્સ રોજ શોધવા પડે છે.
       
                *એક આફ્રિકન ભેંસ ને મારવા માટે ઓછામાં ઓછા સાત થી આઠ સિંહ નો સહિયારો પ્રયાસ જોઈએ.એકલ દોકલ સિંહ નું કામ નહિ,હાડકા ભંગાઈ જાય.માણસ જાત ને થાય છે એચ.આઈ.વી(એઇડ્સ),એમ ઘરેલું(ડોમેસ્ટિક) બિલાડી ને થાય છે એફ.આઈ.વી.એમાં બિલાડા નો મર્યે જ છૂટકો.કેન્સર ઇન્સ્ટીટ્યુટ ના એક વૈજ્ઞાનિક નામે સ્ટીવન ઓ બ્રાયન ને ૧૯૮૦મા  ચિંતા પેઠી કે ડોમેસ્ટિક કેટ નો રોગ નોન ડોમેસ્ટિક કેટ ફેમીલી જેવા વાઘ સિંહ માં ફેલાઈ જશે તો આ પ્રાણીઓ નું સત્યાનાશ થઇ જશે.એમણે કેટ ફેમિલીના ૩૭ જેટલા સભ્યો,જેવાકે વાઘ,સિંહ,ચિત્તા,દીપડા અને બીજા તમામ ના જીન્સ ભેગા કર્યાં ને અભ્યાસ કર્યો.પછી એમને હાશ થઇ. કેમ?અભ્યાસ માં જાણવા મળ્યું નવાઈ ભરેલું કે તમામ નોન ડોમેસ્ટિક કેટ ફેમિલીના સભ્યો ના જીન્સ એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા હતા.એમને આ રોગ થવાની સંભાવના નહતી.વધારે અભ્યાસ કરતા જાણવા મળ્યું કે દસ લાખ વર્ષ પહેલા કેટ ફેમિલીના પ્રાણીઓ ને આ રોગ થયેલો પણ એના વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસી અને બચી ગયા.આજે દસ લાખ વર્ષ પહેલા એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ કેટ ફેમિલીના પ્રાણીઓ માં મળે છે.એટલે એચ.આઈ.વી થી ચિંતા કરવાની જરૂર નથી.આપણે પણ થોડા(લાખ?)વર્ષો પછી એચ.આઈ.વી સામે લડવા ઈમ્યુન સીસ્ટમ વિકસાવી એની સામે લડી શકીશું.
        
                        *વૈજ્ઞાનિક સ્ટીવન ઓ બ્રાયને એચ.આઈ.વી ના હાઈ રિસ્ક ધરાવતા ૧૦,૦૦૦ લોકોના જીન્સ નો પણ અભ્યાસ કર્યો.૧૦% કોકેશિયન જાતના માનવો ના જીન્સ  આ એચ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવી ચુક્યા છે,જેનો એશિયન અને આફ્રિકન લોકોમાં અભાવ છે.માતાપિતા એમના જીન્સ ફેરફાર વગર વારસા માં બાળકોને આપે છે.છતાં નીગ્લીજીબલ ચેન્જ જીન્સ માં થતો હોય છે.આવા મ્યુટ થયેલા જીન્સ વારસામાં પેઢી દર પેઢી ટ્રાન્સફર થતા હોય છે.આને માર્કીન્ગ્સ કહેવામાં આવે  છે.સમયે સમયે જીન્સમાં  મ્યુટેશન થતું હોય છે,અને આ ફેરફાર માર્કીન્ગ્સ પણ વારસા માં અનચેંજ ટ્રાન્સફર થતા હોય છે.આ છે ચમત્કાર ઈવોલ્યુશન નો.૭૦૦ વરસ પહેલા સમગ્ર યુરોપ માં બ્યુબેનીક પ્લેગ ફેલાયેલો.એમાં પોણા ભાગ ની યુરોપની વસ્તી ખતમ થઇ ગયેલી.એમાંથી બચેલા ની પેઢી માં મ્યુટ થયેલા જીન્સ આજની પેઢીમાં હાજર છે.કોઈ પણ રોગ વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ વડે રક્ષણ પામેલા સેલ(કોશ)નું રીસેપટર પેલા રોગ ના જીવાણું ને પ્રવેશ કરવાની અનુમતિ આપતું નથી.અને એમ એ રોગ થી બચી જવાય છે.
            
                            *એક જીવ બીજા થી બચવા માટે નવી તરકીબો ખોળે છે.એવી રીતે એક જીવ  બીજા જીવ ને ખાવા માટે પણ નવી તરકીબો શોધે છે.આફ્રિકન ભેસોએ સિંહ થી બચવા ભયંકર તાકાત કેળવી છે.હરણ અને ઝીબ્રા એ દોડવાની જબરદસ્ત ગતિ મેળવી છે,અને લાંબો સમય દોડી શકવાનો ગજબનાક સ્ટેમિના મેળવ્યો છે,જે હિંસક પ્રાણીઓ માં નથી.તો સામે ચિત્તા એ પૃથ્વી પરના સૌથી ઝડપી દોડ શક્તિ ધરાવનારા પ્રાણી નું બિરુદ મેળવ્યું છે.પણ એ ભયાનક સ્પીડે ફક્ત થોડીવાર જ દોડી શકે છે.વાઈલ્ડ બિસ્ટે પુષ્કળ વસ્તી વધારતી પ્રજનન શક્તિ મેળવી છે.કમજોર હોય તે “ભારત” ની જેમ અતિશય વસ્તી વધારે.મારી મારી ને કેટલાને મારશે?ખાઈ ખાઈ ને કેટલાને ખાશે?પાણી માં રહેતો ગરોળી જેવો જીવ એની ચામડી માં ૧૦૦ પુખ્ત માણસો ને મારી શકે એવું ભયાનક ઝેર લઈને ફરે છે.કારણ?કારણ સાપ નું એ ભક્ષણ છે.આમ મારવા ને બચવાની પ્રક્રિયા થી ઈવોલ્યુશન થાય છે.હિંસા ખરાબ હોત તો ભગવાને કુદરતે મૂકી જ ના હોત જીવોમાં.પણ પણ અને પણ આ હિંસા પણ કુદરતી ધોરણે ફક્ત પેટ ભરવા પુરતી જ થવી જોઈએ,શોખ માટે અને ધંધાપાણી માટે નહિ નહિ અને નહિજ. 

“ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી”

        * મિત્રો ના તો વાઘ હિંસક છે ના સિંહ.હાથી પણ અહિંસક નથી.એને ડર લાગે કે તમે નુકશાન પહોચાડશો તો,તત્ક્ષણ સૂંઢ માં લપેટી પછાડી નાખશે.એક જાપાનીઝ ફોટોગ્રાફર ને આફ્રિકાના હાથી ના એક્સક્લુસિવ ફોટા લેવા હતા,વધારે ને વધારે નજીક જતો ગયો.હાથી ફુંફાડા મારી ચેતવે છે.છતાં ના માન્યો કે સમજ ના પડી હાથીએ તરતજ પૂરો કરી નાખેલો.સિંહ ધરએલો હોય તો ભાગ્યેજ હુમલો કરે.કહેવાતા હિંસક પ્રાણીઓ ફક્ત પેટ ભરવા પુરતા જ કોઈને મારી ને ખાય છે.બાકી એમના કોઈ શોખ પોષવા હિંસા કરતા નથી.

*આપણી સુંદર સવાર અબોલ પ્રાણીઓ ની હિંસા સાથે સારું થાય છે.દરેક ની મારી,તમારી,જૈનો ની ને સાધુબાવાઓની પણ.જે લોકો સવારે ઉઠીને દાતણ કરતા હોય તેમની એક પગથીયા પછી શરુ થાય છે.સૌથી પહેલા આપણે ટૂથબ્રશ કરીએ છીએ.ટુથપેસ્ટ માં કેલ્સિયમ ના ભૂકા ભરેલા હોય છે જે નો મેળવવાનો સસ્તો ને સહેલો ઉપાય હાડકા છે.પછી આપણે સફેદ ખાંડ નાખી ચા પીએ છીએ.ખાંડ ને સફેદ બનાવવા માટે હાડકાનો ભૂકો પાવડર વપરાય છે.બ્રાઉન ખાંડ પણ વાપરી શકાય.પણ આપણાં શોખ માટે પ્રાણીઓની હત્યા માં નિમિત બનીએ છીએ.જૈનોએ ને ગૌહત્યા ના વિરોધ માં આંદોલનો કરનારે પહેલા સફેદ ખાંડ ખાવાની બંધ કરવી જોઈએ.આ દમ્ભીઓ ખાંડ ખાવાનું બંધ કરતા નથી.પછી આપણે સ્નાન કરવા જઈએ છીએ.કુદરતી તેલ એટલું મોંઘુ છે કે સાબુ ની બનાવટોમાં ભાગ્યેજ વપરાય.એમાં કતલખાના માંથી મેળવાયેલી ચરબીજ વપરાય છે.બોડી લોશનો માં પણ ચરબીજ વપરાય છે.

     *ડર્ટી જોબ નામનો એક પ્રોગ્રામ જોએલો.કેલીફોર્નીયા માં એક ફેક્ટરી છે.ત્યાં મરેલી ને સડેલી,કીડા પડી ગયેલી ગાયો લાવવામાં આવે છે.પછી એનું ચામડું ઉતારી આખી ને આખી મશીન માં ભરડી નાખવામાં આવે છે.એમાંથી નીકળેલી ચરબી કોસ્મેટીક કંપનીઓ ને વેચવામાં આવે છે,જે કોસ્મેટીક્સ માં વપરાય છે,એવું તે ભાઈલો બોલતો હતો.વધેલો ભૂકો મરઘા ફાર્મ માં ખોરાક તરીકે વપરાય છે.વાઘ સિંહ ને બોડી લોશન ની જરૂર નથી.વાપરે છે ફક્ત માનવ.તલ નું તેલ પણ વાપરી શકાય.આવી અનેક બિન જરૂરી હિંસા માનવજાત કરે છે.વાઘ ચા પીતો નથી ને આખો દિવસ સફેદ ખાંડ ખાતો નથી.ગાય ની ચરબી માંથી બનાવેલા નકલી ઘી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે.એમાં હિંસા નડતી નથી.આવી નકલી ઘી ની ફેકટરીઓ ખાનગી માં ધમધમતી હોય છે.                   

          *માંસાહારીઓ ને દેવનાર ના કતલખાના જોવા જવાનું કહેનારા સફેદ ખાંડ ખાવાનું કેમ બધ કરતા નથી?મોટા ભાગના કતલખાના અહીન્સકો ની જરૂરિયાતો પણ પૂરી કરવામાં ભાગ ભજવે છે.ફક્ત પેટ ભરવા પુરતી માનવ હિંસા કરે ને માંસ ખાય તે માફ કરી શકાય.પણ પોતાના શોખ પોષવા નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરે તે કેમ કરીને માફ કરાય?ફર વાળા કોટ ને પર્સ માટે આપણે એટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ નો નાશ કરીએ છીએ કે લગભગ એ પ્રાણીઓ અદ્રશ્ય થવા લાગ્યા છે.આ વાઘ ના શરીર ના તમામ ભાગો ખાવામાં ઔષધ રૂપે વપરાય છે.બોલો કોણ હિંસક વાઘ કે માનવી?વિયેતનામ માં એક બાઈ ફૂટપાથ પર બેઠી છે.તમે જાવ ને ભાવ તાલ કરો પછી એની થેલી માંથી ખાસ પ્રકાર ના પાતળા સાપ કાઢશે.નીચે દેશી બનાવટ નો દારૂ નો ગ્લાસ મુકશે.પછી એની મજબુત ચપટી માં સાપ ને પૂંછડી થી દબાવતી દબાવતી નીચે આવશે.સાપ ના મોઢામાંથી લોહીની ધાર થશે દારૂના ગ્લાસ માં.એ દારૂ પીને બળવાન બની ગયેલો મનુષ્ય ચાલતી પકડશે.કિંગ કોબ્રા ને બરોબર છંછેડી ગુસ્સે કરવામાં આવે જેથી ગુસ્સા માં પેદા થયેલા રસાયણો એના લોહીમાં ભળે.પછી એની જીવતે જ ચામડી ઉતેરાય.એના લોહીને રેસ્ટોરાં માં બેઠેલો બુચીઓ પીવે.ને એના માંસ ની વાનગી ખાઈ શક્તિ મેળવી એની ગર્લફ્રેન્ડ પર શુરાતન બતાવી એને ખુશ કરશે.આ બુચિયા એટલે કે નાના નાક વળી પીળી પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ જીવડું ખાવા માંથી બાકાત રાખતા નથી.એટલા ક્રૂર તો અમેરીકનો પણ નથી.જે ભાઈઓ હમેશા માંસાહાર બાબતે હમેશા અમેરિકાને જ ગાળો દે છે એ લોકોને ચીનાઓ,જાપાનીઓ,કોરીયનો કેમ યાદ આવતા નથી?

         *કોરિયા સીઓલ માં ઓલોમ્પિક રમાંએલું એ તો યાદ હશે.હવે ત્યાં રમતો જોવા દુનિયાભર માંથી લોકો જવાના.અમેરિકાનો ને યુરોપીયનો પણ જવાના.અમેરિકાના પ્રમુખે ને બ્રિટીશ વડાપ્રધાને કોરિયન સરકાર ને ખાસ વિનંતી કરી કે જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી ઓલોમ્પિક વિલેજ ની આસપાસ ના બજારોમાં કુતરા ના લટકાવે. કારણ અમારી પ્રજા કુતરાને બહુ પ્રેમ કરે છે ને ખાવા માટે વેચવાને લટકાવેલા કુતરા જોઈ નહિ શકે. હા અમેરિકાને ભાંડવાવાળા ને કહું કે કોરીયનો કુતરા ખાય છે રોજ ના આહારમાં.અને હા ભૈલા પંચમહાલ ના આદિવાસીઓ જયારે બીજું કશું ના મળે ખાવા માટે તો વાંદરા ને કુતરા પણ ખાય છે.જો તમે ખરા અહિંસક હોવ તો ચામડાના પટ્ટા કેમ પહેરો છો?વાલેટ કેમ રાખો છો ખિસ્સામાં?કોસ્મેટીક્સ કેમ વાપરો છો?ખાંડ કેમ ખાવ છો?દાતણ કરો ને ભાઈ.

             *શ્રી કુમારપાળ દેસાઈ ને બીજા મિત્રો દાખલા આપે છે કે એક કિલો માંસ માટે સેંકડો કિલો વનસ્પતિ ને પાણી વપરાય જાય છે.માટે માંસ ના ખાવું. તો એ વનસ્પતિ ને પાણી બચાવવા માટે એ પશુ ને ખાઈ જવું શું ખોટું?તમે એ પશુ ને ખાઈ નહિ જાવ તો એ પુષ્કળ વનસ્પતિ ખાઈ ને લીલા જંગલો નો નાશ કરશેજ.આવી વાહિયાત દલીલો શ્રી કુમારપાળ દેસાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકો કરે છે.પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે એમાંથી ફક્ત ૨૦% જ એમના શરીર ના પોષણ માટે વપરાય છે.બાકીની વનસ્પતિ વેસ્ટ જાય છે.હાથી ૧૦૦ કિલો વનસ્પતિ ખાય છે એમાંથી ૨૦ કીલોજ એના શરીર માં વપરાય છે,બાકીનું ૮૦ કિલો નું છાણ બને છે.આ વનસ્પતિ જગત નો નાશ ઘસાહારી પ્રાણીઓ ના કરી નાખે માટે કુદરતે,ભગવાને માંસાહારી પ્રાણીઓ પેદા કર્યાં છે.જંગલો બચાવવા હોય તો શાકાહારી પ્રાણીઓ ઓછા હોય તેમ સારું.જંગલો બચશે તો બીજી જીવસૃષ્ટિ બચશે.કારણ વાઘ સિંહ બધી જીવસૃષ્ટિ નો નાશ કરતા નથી.શ્રી કુમારપાળ દેસાઈ જેવા જૈન જગત ના પ્રતિષ્ઠિત લેખકો ગુજરાત ની ભોળી પ્રજાને એમના વાહિયાત દાખલા દલીલો થી ભરમાવે છે,છેતરે છે.પ્રોબ્લેમ એ છે કે પ્રજાની વિચારવાની વિન્ડોજ-૭ આ લોકોએ બંધ કરી દીધી છે.અને આ લોકો એટલા બધા પૂજ્ય હોય કે લોકો અંધ બની એમની વાતો માની લે જરાપણ વિચારે નહિ.

              *માનવીએ માનવીની હિંસા ને હત્યા કરવાના જાતજાતના બહાના શોધી કાઢ્યા છે.ધર્મ,દેશ,ભાષા આ બધા બહાના છે.ફક્ત અમે આર્યન જ શુદ્ધ છીએ ને તમે યહુદીઓ અશુદ્ધ છો એવું બહાનું કાઢી હિટલરે ૬ મીલીઓન એટલે સાઈઠ લાખ યહુદીઓ ને જીવતા ભૂંજી નાખ્યા હતા. 

               *તો મિત્રો પ્રાણીજગત માં કોઈ હિંસક નથી.બધા એમના જઠર પ્રમાણે ખાય છે.હિંસક છે ફક્ત માનવી.જે વિના કારણ હિંસા કરે છે.એના શોખ પોષવા નિર્દોષ પશુઓને મારે છે.અરે બાળકોના બલી પણ ચડાવી દે છે.ફક્ત પેટ ભરવા માંસાહાર કરતો માનવી માફીને લાયક છે પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બંધ કરવા નારા લગાવતો હોય.

“માંસાહાર અને શાકાહાર”

માંસાહાર અને શાકાહાર.
*મિત્રો પ્રથમ તો આ લેખ વાચી કોઈ એમ સમજી ના લે કે હું માંસાહાર ની તરફેણ કરું છું. શાકાહાર સારો છે. હું ફક્ત કુદરતના, વિજ્ઞાનના ઇવોલ્યુશન અને ઇકોલોજીના નિયમોને ધ્યાનમાં લઈને વાત  કરવા માંગું છું. સત્ય જરા કડવું છે. અને આપણે દંભી બની ચુક્યા છીએ. પૂર્વગ્રહથી ભરાઈને આ લેખ વાચવાની તસ્દી નહિ લો તો ચાલશે. તટસ્થ મન રાખીને વાંચશો  તો મજા આવશે. માંસાહારીને ગાળ દેશો તો પ્રથમ ગાળ શ્રી રામને પડશે. સીતાજી સાથે ચૌદ વર્ષ જંગલમાં કોઈ ખેતી કર્યાનું જાણ્યું નથી. એકલો ફળાહાર પણ નથી કર્યો.  હરણના શિકાર કરીને જ ખાધું છે ને હરણાંના  ચામડાના વસ્ત્રો પહેર્યા છે. આને માટે વાલ્મીકિનું અસલ રામાયણ વાંચી લેવું. જે બાવાઓ ફળાહાર કરે છે, ને એના ગુણગાન ગાય છે એ પુષ્કળ દૂધ પી ને પરોક્ષ રીતે માંસાહાર કરી લે છે. ફક્ત ફળ ખાઈને પ્રયોગ કરી લેવો, દૂધ જરાપણ નહિ અનાજ કે કઠોળ પણ નહિ પછી લંકા જીતવા જવા વિનંતી છે.
*ઘણા મિત્રો કહે છે અમેરિકાની સંસ્કૃતિના વાદે ભારતમાં લોકો માંસ ખાય છે. અમેરિકામાં માણસને ગયે ૧૫૦૦૦ વર્ષથી વધારે થયા નથી. અને યુરોપમાં માણસને ગયે ૪૪૦૦૦ વર્ષ થી વધારે થયા નથી. આફ્રિકાથી માનવી મિડલ ઈસ્ટ થઇ પહેલો ભારતમાં આવ્યો છે. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે. શ્રી રામજીને અમેરિકનોએ માંસ ખાતા શીખવેલું?  ભારત તો પહેલાથી માંસ ખાતું આવ્યું છે. કે પછી દુનિયાને આપણે શીખવાડ્યું? ભારતમાં ખાલી ગુજરાતમાં જ માંસાહારનો વિરોધ છે. ગુજરાત સિવાય આખા ભારતમાં માંસાહાર આરામ થી કરાય છે. ગુજરાતમાં પણ ક્યાં નથી ખવાતું?  આમાં મુસલમાનોને ગણતરીમાં લીધા નથી.
*મિત્રો જીવ તો વનસ્પતિમાં પણ છે જ. તમે વનસ્પતિને પાણી પાવા જાવ તો એ પણ ખુશ થાય છે ને હાથમાં હથિયાર લઇ કાપવા જાવ તો એ પણ ફફડી ઉઠે છે. પણ એ જોવાની દ્રષ્ટી ક્યાંથી લાવવી? જગદીશ ચંદ્ર બોઝ ક્યાં ગયા?
*ભગવાને કે કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે. વનસ્પતિ પુષ્કળ  ઊગ્યા કરે તો પૃથ્વી એનાથી છવાઈ જાય. માટે વનસ્પતિ ખાવાવાળા જીવ બનાવ્યા. પછી એના કંટ્રોલ માટે એ વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ ને ખાવાવાળા જીવો બનાવ્યા. વનસ્પતિમાં બધાજ પોષક તત્વો છે જ. એટલે ગાય, ભેંસ, હાથીભાઈ, ગેન્ડાભાઈ બધા વનસ્પતિ ખાઈ ને શરીરનું પોષણ કરે ને તાકાત મેળવે. આ વનસ્પતિમાંથી મેળવેલા તત્વોમાંથી એમના શરીરનું માંસ બને. હવે આ લોકો પણ અતિશય વસ્તી વધારો કરે તે ના પોષાય, માટે કુદરતે કેટ ફેમીલીના વાઘ, સિંહ, ચિત્તા, દીપડાને બીજા વરુ જેવા પ્રાણીઓ બનાવ્યા. કે ભાઈ તમારે હવે ઘાસ ખાવાની જરૂર નથી. ઘાસ ખાઈને જે પ્રાણીઓએ એમના શરીર પર માંસ ચડાવ્યું છે એનેજ સીધુ જ  ખાઈ લો ને પોષણ મેળવી લો. પક્ષીઓમાં પણ આ પ્રમાણે સમજવું. હવે કેટલાક પ્રાણીઓ એવા બન્યા કે બંને ખાઈ શકે ઉભયઆહારી. વાંદરા, એપ્સ જેવા કે ચિમ્પાન્ઝી વગેરે ફળો પણ ખાય ને નાના જીવડા ખાઈ ને પ્રોટીન મેળવી લે. એક જીવ બીજા જીવને ખાય ને વસ્તી આ રીતે કંટ્રોલમાં રહે ને પોષણ પણ મેળવાય. આમ કાર્નીવોરસ, હર્બીવોરસ અને ઓમ્નીવોરસ એમ ત્રણ પ્રકાર થયા. કાર્નીવોરસ ફક્ત માંસ જ ખાય, હર્બીવોરસ ફક્ત ઘાસ ખાય અને ઓમ્નીવોરસ માંસ, સલાડ અને ફળો ખાય. ઓમ્નીવોરસ પણ ઘાસ પચાવી શકે નહિ તે યાદ રાખવું.
*કુદરતના રાજમાં ના તો હિંસા છે ના તો અહિંસા. બધા જીવવા માટે ખાય છે. કોઈ હિંસા કરતુ નથી. હવે ઘાસ ખાનારા પ્રાણીઓ પાસે અલગ પ્રકારનું પાચન તંત્ર છે. ગાય ને ભેંસ જેવા ઘાસાહારી પ્રાણીઓ પાસે ચાર જઠર હોય છે. અથવા ચાર ભાગ વાળું જઠર પણ કહી શકાય. આપણી પાસે ફક્ત એક જ છે. એક વાર ઘાસ ખાઈ લેવાનું એ એક જઠરમાં જાય, પછી જઠરમાંથી પાછું કાઢી  નિરાતે બેસીને વાગોળવાનું એ બીજા જઠરમાં જાય.  ઘાસ પચાવવા માટે ખાસ પ્રકારના બેક્ટેરિયા એમના જઠરમાં હોય જે ઘાસ ને ખાઈને  તોડી નાખે. એટલા માટે કઠોળ વર્ગનું રજકા જેવું ઘાસ વધારે ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાના લીધે ગાયના પેટમાં આથો આવી જાય ત્યારે પુષ્કળ ગેસ પેદા થાય છે ગાય ફૂલી ને ઢમ ઢોલ થઇ જાય છે. ખેડૂતો એને આફરો ચડ્યો એવું કહે છે. અને ગાય મરી પણ જાય માટે ગાયના પેટમાં જઠરમાં બહાર થી કાણું પડી ગેસ કાઢવાની વિધિ વેટરનરી ડોક્ટર કરે છે. તમારા પેટમાં આવી રીતે બહારથી કાણું ના પડાય મરી જવાય. આપણી પાસે ઘાસ ખાનારા પ્રાણીઓની જેમ ચાર જઠર ને જરૂરી બેક્ટેરિયા નથી. આપણે ફળો ખાઈ શકીએ, રાંધીને શાકભાજી ખાઈ શકીએ, રાંધીને ઘઉં ખાઈ શકીએ. કાચા ઘઉં ખાઈએ  તો  ઝાડા થઇ જાય. ઘાસ ખાઈ એ તો ઝાડા થઇ જાય. વાઘ ને સિંહ પાસે ચાર જઠર નથી ને જઠરમાં જરૂરી બેક્ટેરિયા પણ નથી, જલદ પાચક રસો છે, એસીડ જેવા જે માંસને ઓગળી નાખી ને સીધું પોષણ મેળવી આપે છે. એમના આંતરડા પણ ટૂંકા છે. જરૂર નથી વધારે લંબાઈની. આપણે એપ્સમાંથી પેદા થયા છીએ માટે ફળો ની સાથે માંસ પણ ખાઈએ છીએ માટે આંતરડાની લંબાઈ વાઘ સિંહ   કરતા વધારે છે. છતાં ચાર જઠર ના હોવાના કારણે ઘાસ ખાઈ શકતા નથી. માંસ ખાઈ શકીએ છીએ કારણ જલદ પાચક રસો આપણી પાસે છે. માનવ કાચું માંસ પચાવી શકે પણ ઘાસ ના પચાવી શકે. જે મિત્રો હાથી ભાઈ ને ગેંડા ભાઈના ઉદાહરણો આપે છે એ મિત્રો એ ઘાસ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, પણ એમના જેવા જઠર ક્યાંથી લાવશો?
*ચિમ્પાન્ઝી જેવા એપ્સ આપણાં પૂર્વજો છે. એમના ટોળાંની ખાસ હદ જંગલમાં  હોય છે, એ  હદમાં બીજા ટોળાંના ચિમ્પાન્ઝી ચોરી છુપીથી ઘુસી જાય ત્યારે એ લોકો પર હુમલો કરી હાથે ચડેલા ચિમ્પાન્ઝી ને બીજા ચિમ્પાન્ઝી ખાઈ જઈને એક્ષ્ટ્રા પ્રોટીન મેળવી લે છે. માદા ચીમ્પને બચ્ચું જન્મવાનું હોય ત્યારે પ્રથમ પાચ કે દસ મિનીટ એની માએ તાજા જન્મેલા બચ્ચાને સાચવવું પડે, નહીતો એની ટોળીના બીજા ચિમ્પાન્ઝી ઝૂંટવી ને ખાઈ જાય છે. એનાથી એક્સ્ટ્રા પ્રોટીન મળે ને વસ્તી કંટ્રોલમાં રહે. દસ મિનીટ વીતી જાય પછી એજ ટોળું એ બચી ગયેલા  બચ્ચાને આખી જિંદગી જીવ ની જેમ સાચવે, જે ઘડી પહેલા એનું ભક્ષણ કરવાની રાહ જોતું હતું.
*કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી. ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં. કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી. ખોરાકમાં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ, પોષક તત્વો, વિટામિન્સ, ખનીજ, ફેટ, કારબોહાઈડરેટ્સ, સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધામાં પોષક તત્વો જ હોય છે. માંસાહાર ને માંસાહારી  પ્રત્યે એટલો દ્વેષ રાખવાની જરૂર નથી. શાકાહાર સારો છે, ઉત્તમ છે. માંસાહારથી થતા રોગોમાંથી બચી જવાય છે. અતિશય વજન વધતું નથી. વધારે વજનથી થતા રોગોમાંથી પણ બચી જવાય. કહેવાતા શાકાહારીઓના જેમના વજન વધારે છે એ લોકો ઘી, દૂધને ચીઝ  જેવા પ્રાણીજન્ય આહાર કરે છે. પરોક્ષ રૂપે માંસાહાર જ કહેવાય.  દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાકનો શું વાંક?
ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે. જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસની ચરબી જ ભરેલી છે. ઘી તો શુદ્ધ ચરબી જ છે.  એના શરીરમાં રહેલી ચરબી એના બચ્ચાના પોષણ માટે દૂધમાં બીજા તત્વો સાથે ભળે છે. અને એપણ જેતે પ્રાણીના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે. આપણાં શરીરનું બંધારણ એના માટે યોગ્ય નથી. આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે. આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે, ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસના દૂધ એમના બચ્ચાઓના મોમાંથી છીનવી આપણાં બાળકોના શરીરના કામના નથી છતાં આપીએ છીએ, રે હિંદુ તારી અહિંસા. દરેક પ્રાણીના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતા જ દૂધ પીવે છે. આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ. સાત્વિકનું લેબલ જો લાગ્યું છે. આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો? આતો સરાસર હિંસા છે. કોઈ પ્રાણી જેવા કે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો? સંતો કલ્પના કરો આને શું કહેવાય? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું? એને તમે સાત્વિક કહો છો. આજની પેઢીના લોકો ને ખબર પણ નથી કે માનવી સ્ત્રી પણ ત્રણ ચાર વર્ષ લાગી દૂધ આપી શકે છે. જુના જમાનાના કોઈને પૂછી જો જો. બહારથી રમીને દોડતા આવીને માંને કહે  “માં બેસી જા મારે ધાવવું છે”. અત્યારની  મોર્ડન પેઢી કમનસીબ છે એ બાબતે.
આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી  વગરના કહીશું?  માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.  જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ  ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર  માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે  રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે. શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે?  આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે. માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું.  માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ  બદામો ખાઈ શકવાના નથી. એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર  કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે. સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે. હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ
*કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ  હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો  માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં. કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

ઉર્જા,,કામઉર્જા..

               *ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને  કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમારો શિકાર કરવા દોડી આવે છે.તમે ચાલો ત્યારે ઈલેક્ટ્રીસીટી પેદા થાય છે.માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની માં તમે જોવા જાવ તો તમારે ખાસ પ્રકાર ના કપડા પહેરવા પડે,જેથી તમારા શરીર માંથી પેદા થયેલી ઈલેક્ટ્રી સીટી ના કારણે એમના નાજુક યંત્રો ને નુકશાન ના પહોચે.આ ઉર્જા આંખો  દ્વારા વપરાય તો જોવાનું કામ કરે છે,કાન દ્વારા સાંભળવાનું,નાક દ્વારા સુન્ઘવાનું.આજ ઉર્જા બાળક પર પ્રેમ વરસાવે છે,ને દુશ્મન પર ઘૃણા.
        *માણસ ના શરીર માં ઉર્જા નું મૂળ ઉદભવ સ્થાન સેક્સ સેન્ટર છે. આ સેન્ટર ને યોગીઓ મૂલાધાર ચક્ર કહે છે.ત્યાં કુંડલીની શક્તિ સાપ ની જેમ આંટા મારીને સુતેલી છે.આ ઉર્જા ને જગાડીને ઉર્ધ્વગામી કરીને સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોચાડી સમાધિનું સુખ  મેળવવા યોગીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે.સ્ત્રી એ માયનસ એટલે કે ઋણ ઉર્જા છે ને પુરુષ એ પ્લસ (ઘન)ઉર્જા છે.બંને એકબીજા થી વિરુદ્ધ ના ધ્રુવો છે.એટલેજ બંને વચ્ચે જબરદસ્ત આકર્ષણ છે.બંને ભેગા થઇ ને સર્કીટ પૂરી કરવા માંગે છે.ત્યારે જ બલ્બ સળગે છે,પ્રકાશ પેદા થાય છે, આનંદ પેદા થાય છે.અને આ બંનેની ઉર્જા ભેગી થાય ત્યારે એક બાળક જન્મે છે.મૂળ ઉર્જા એકજ છે.જે ઉર્જા કામવાસના બને છે એજ ઉર્જા પ્રેમ બને છે.જે ઉર્જા ક્રોધ બને છે એજ ઉર્જા કરુણા બને છે.જ્યાં કામ વાસના જ ના હોય ત્યાં પ્રેમ પણ કઈ રીતે શક્ય બને?એટલા માટે શાસ્ત્રો માં બ્રહમાનંદ અને વિષયાનંદ ને સહોદર એટલે કે ભાઈ ગણ્યા છે.કામવાસના ની પૂર્તિ વખત નું સુખ એ સમાધિનું ક્ષણ માટેનું સુખ છે.જયારે સમાધિનું સુખ એ લાંબા ગાળાનું કામસુખ છે.ક્ષણ માટેના સમાધિ નું સુખ મેળવવા માણસ વારંવાર કામવાસના માં ઉતરે છે.એનુંજ તો આકર્ષણ છે.લાંબો સમય કામસુખ મેળવવા યોગીઓ સમાધિમાં ઉતરી જાય છે.
          *કામવાસના દબાવી દેવાથી કોઈ શક્તિશાળી બની જતું નથી.એ તો નિત્ય પેદા થનારી ઉર્જા છે.જો કામસુખ થી શક્તિ નો નાશ થઇ જતો હોય તો પરણેલો પુરુષ એની લાંબી જીંદગીમાં કેટલી બધી વાર આ સુખ ભોગવતો હશે.તો મરી કેમ નથી જતો.૭૦ કે ૮૦ વર્ષ સુધી આરામ થી કેમ જીવી જાય છે?જો તમે ધ્યાન ના કરતા હોવ તો કદી બ્રહ્મચર્ય  ના વ્રત લેશો નહિ.સ્વાભાવિક રૂપે બહાર નીકળતી ઉર્જા ખોટા વ્રત લેવાથી,વિવિધ રૂપે બહાર નીકળશે.એ રોકવાની નથી.કોઈ ઉપાય જ નથી.આંખો માંથી નીકળશે તો તમે સ્ત્રી નું  મોઢું પણ નહિ જોઈ શકો.ફરી તમારે સ્ત્રીનું મોઢું નહિ જોવાનું વ્રત લેવું પડશે.અને પાછા તમે એમાં ઊંડા ને ઊંડા ઉતરતા  જાસો.પછી તમારા થી કોઈ  સ્કેન્ડલ થઇ જશે ને કોઈ તમારી સીડી ઉતારી લેશે.કાંતો તમે પોર્નોગ્રાફી જોવાનું ચાલુ કરી દેશો.
         *ઉર્જા સતત ગતિ કરતી હોય છે.એ ઉર્જાનો ગુણધર્મ છે. એના ગતિ ના બીજા કોઈ રસ્તા નહિ શોધ્યા હોય તો હજાર રસ્તા એ શોધી કાઢશે.જે સમાજ ને મંજુર ના હોય.બીજા નંબરે ઉર્જા વધારે રિલીજ થાય છે આંખો દ્વારા.દિવસે સૌથી વધારે ઉપયોગ આપણે આંખો નો કરીએ છીએ.રાતે પણ સ્વપ્ન જોતા આંખો ફર્યા કરતી હોય છે.જેને રેપીડ આઈ મુવમેન્ટ (રેમ)કહે છે.એટલે જેની આંખો ગઈ છે,સુરદાસ છે એલોકો ની ઉર્જા આંખો તરફથી કાન તરફ ગતિ કરી જાય છે.આ લોકો ની શ્રવણ  શક્તિ ખુબજ ઉત્તમ થઇ જાય છે.સારા સંગીતકારો હોય છે.ખાલી પગલાના અવાજ(પદધ્વની) થી પણ કોણ આવી રહ્યું છે એનું નામ બોલી જાય છે.યોગ માં આ ઉર્જા ને  બાહ્ય અંગો માંથી નીકળતી રોકી એને અંદર તરફ વાળવાના પ્રયત્નો કરવામાં આવે છે.અને એ રીતે સુક્ષ્મ કેન્દ્રો ખોલવાની વાત છે.કારણ ઉર્જા સતત ગતિશીલ છે.રોકી રોકવાની નથી,માટે અંદર ના સુક્ષ્મ કેન્દ્રો તરફ વહી ને એ કેન્દ્રો ખોલી નાખશે.આંખની ઉર્જા રોકી ને,આંખ  ને સ્થિર રાખીને આજ્ઞાચક્ર ત્રીજુનેત્ર ખોલવાની વાત છે.એવી રીતે કાન ની ઉર્જા ને અંદર તરફ વાળી ને નાદ્બ્ર્હમ કે અનાહત નાદ ની સાધના કરે છે.એટલે મૌન નું મહત્વ છે.આખો દિવસ વ્યર્થ બોલી ને શું ઉર્જાનો વ્યય કરવો?
     આખું જગત ઉર્જા નો વ્યાપ છે.આને જ આપણે શક્તિ કે માતાનું નામ આપ્યું છે.નવરાત્રી એ શક્તિ નો તહેવાર છે.આ જ ઉર્જા ને પરમાત્મા તરીકે અંબા કે દુર્ગા  નું નામ આપેલું છે.તાંત્રિકો સ્ત્રીમાં રહેલી માયનસ વિદ્યુત શક્તિ નો ઉપયોગ કરવામાં ચીલો ચાતરી ગયા ને અવળા  માર્ગે ચડી ગયા હતા.એકલા ઉજ્જૈન નગરીના  ભોજ રાજાએ હજારો તાંત્રિકો  લટકાવી દીધા હતા.જરૂરી હતું.ન્યુક્લિયર એનર્જી થી બોમ્બ બનાવી ને સર્વનાશ પણ કરી શકાય ને એનો ઉપયોગ કરીને માનવજાત ની સેવા પણ કરી શકાય.સતત ગતિ કરતી ઉર્જા ને એના કુદરતી માર્ગે વહેવા દો,નહીતો તમારું સત્યાનાશ કરી મુકશે.ઉર્જા ને રોકવાની જરૂર જ નથી.ખાલી  ધ્યાન કરતા રહો એની જાતે ઉર્ધ્વગામી થઇ ને તમારું કલ્યાણ કરશે.ઉર્જા નો નાશ કરવાનો તો જરાપણ પ્રયત્ન કરતા નહિ.નહીતો નપુંસક થઇ જશો.જે કામી નથી તે પ્રેમી નહિ બની શકે.જે ક્રોધી નથી તે કરુણા પણ નહિ કરી શકે.જે ભોગી નથી તે ત્યાગી પણ કઈ રીતે બનશે?નાં ફળ ની ચિંતા ફક્ત ધ્યાન.”ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”એ સ્વામી વિવેકાનંદ નું વાક્ય ખુબજ પ્રચલિત છે.પણ આ મહાન સન્યાસી નો  અતિ મહત્વ નો સંદેશો લોકો ભૂલી ગયા છે.પેલું વાક્ય તો સામાન્ય જન માટે નો,આળસુ ભારતીયો માટેનો સંદેશો હતો.સ્વામીજીએ કહેલું “ટ્રાન્સફર યોર સેકસુઅલ એનર્જી ઇન ટુ સ્પિરિચ્યુઅલ એનર્જી”.તમારી  કામ ઉર્જા નું અધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન કરો.પણ સેક્સ ને  ગાળો દેવાવાળા ભારત માં આ મહાન સન્યાસી નો  મહત્વ નો સંદેશો ભુલાઈ ગયો. 

નાની ઉંમરે સન્યાસ અકુદરતી.

નાની ઉંમરે સન્યાસ  અકુદરતી.
પ્રાચીન હિંદુ ધર્મે કુદરતના નિયમોને ખાસ ધ્યાનમાં રાખેલા. શરીરના નિયમોને ધ્યાનમાં રાખેલા. પોતાની એક કોપી પાછળ મુકતા જવું એ કુદરતનો નિયમ છે. જોકે એમાં મજબૂત જિન્સ પાસ થાય તે માટે કુદરત પ્રાણીઓમાં એવી વર્તણુંક મૂકતી હોય છે. દરેક પ્રાણી કે વનસ્પતિ જગત કે જંતુ જગતમાં આ નિયમ છે જ. એના માટે કામનું નિર્માણ થયું છે. એને વાસના ગણી એનું અપમાન ના કરવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાંમાં સદા રત રહેવું. આ બ્રાહ્મની વ્યાખ્યા કરવી મૂશ્કેલ છે. કોઈ એને ભગવાન કહે કોઈ એનો દૂરુપયોગ કરીને પ્રગટ બ્રહ્મ પણ બની જતા હોય છે. બધા ઋષીઓ પરણેલા હતા. કૃષ્ણને બાળ બ્રહ્મચારી ગણવામાં આવતા, કહેવાતી ૧૬૦૦૦ રાણીઓ હોવા છતાં. કોઈ નપુંસક મહારાજશ્રીએ બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું ઘુસાડ્યું લાગે છે.
      *ચાર આશ્રમ એ કુદરતી  જીવન જીવવાના આદેશો હતા. ગૃહસ્થાશ્રમને વાનપ્રસ્થાશ્રમ એ બંનેમાં લગભગ ૫૦ વર્ષ સુધી તો પત્નીનું સાહચર્ય માણી શકવાની વ્યવસ્થા હતી. એટલું પુરતું હતું. પાછળ એક કોપી મુકતા જવાનો કુદરતી નિયમ પણ પૂર્ણ થઇ જતો. પછી કામની(સેક્સ) જરૂર રહે પણ નહિ ને એટલી ઉત્તેજના પણ ના હોય, ત્યારે સન્યાસ ધારણ કરવાનો. આ એક કુદરતી સાયકલ હતી. બુદ્ધ પણ પરણેલા હતા,  સંસાર અસર લાગ્યો હશે તે પત્નીને  છોડીને ભાગ્યાં. જ્ઞાન થયું, નિર્વાણને પામ્યા એટલે થયું લાવ પત્નીને પણ અસર સંસારમાંથી મુક્તિ અપાવીએ. આવ્યા મળવા પત્નીને. બહુ પ્રસિદ્ધી મેળવી ચુક્યા હતા. પત્નીએ પહેલો સવાલ કર્યો કે જે પ્રાપ્ત થયું છે, એ શું અહી મારી પાસે રહ્યા હોતને પ્રયત્ન કર્યો હોત તો પ્રાપ્ત ના થાત? જવાબ આપ્યો કે થાત પણ એ વખતે લાગતું હતું કે ના થાત એટલે જતો રહ્યો. પછી તો પત્ની પણ એમના શિષ્ય બન્યા. મૂળ વાત એ છે કે સંસારથી ભગવાને બદલે જાગવાની જરૂર છે.
    *ખાલી બુદ્ધ અને જૈન ધર્મમાં નાની ઉંમરે સન્યાસ આપવાનું ચલણ હતું. હિંદુ ધર્મમાં નહિ. પણ જૈનધર્મ માર્યાદિત હતો. એનાથી હિંદુ ધર્મને ખાસ કોઈ ભય ના હતો. ભય ઉભો થયો બુદ્ધ ધર્મ થી. ઝડપથી ફેલાવા લાગેલો. એવામાં આવ્યા શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે સન્યાસ લીધેલો.  આમારા હિંદુ ધર્મમાં પણ બૌદ્ધ ધર્મ જેવા નિયમો છે એવું દર્શાવવા હિંદુ ધર્મમાં પણ નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થઇ ચુક્યું હતું. નહિ તો લોકો બૌદ્ધ ધર્મમાં જવા લાગે. તો ભાઈ અહીજ રહો અમે પણ સન્યાસ આપી દઈશું. વાદ ચાલુ થઇ ચુક્યા હતા. સરાસર હિંદુ ધર્મના નિયમ વિરુદ્ધનું કૃત્ય હતું .પણ શું થાય લોકોને બૌદ્ધ બનતા અટકાવવા હતા. લોકો પણ હિંદુ ધર્મના બગડી ચુકેલા રીવાજો અતિશય કર્મ કાંડ થકી વાજ  આવી ચુક્યા હતા. શ્રી  શંકરાચાર્યે સુધારા ચાલુ કર્યા. બૌદ્ધ ધર્મના નિયમોને હિંદુ ધર્મનું રૂપ આપી ને લોકોને ત્યાં જતા અટકાવવાનું શરુ થયું. બસ ને નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થયું. જે શરીર અને કુદરતના નિયમોની વિરુદ્ધ હતું. અરે! હિંદુ ધર્મની મૂળ વિચારધારાને અવગણતું વિરોધી કૃત્ય હતું. બાવાઓની જમાત ઉભી થવા લાગી. સાંસારીરિક જવાબદારીઓમાંથી છટકવા માંગતા લોકો સાધુ બની આરામથી જીવવા લાગ્યા.
         *શંકરાચાર્યને “પ્રછન્ન બૌદ્ધ” કહેવામાં આવતા હતા. મહેનત કરી કમાતા લોકોની કમાણી પર નભતા લાખો સાધુઓ ભારતનું કલંક છે. એનાથી ઈકોનોમી પર અસર થાય  છે. લોકોની કમાણી બિન ઉત્પાદક લોકો ખાઈ જાય છે, દેશ ઉંચો આવતો નથી. લાખો સાધુઓને કમાવાની કોઈ જવાબદારી નથી. એમને ખવડાવવાની જવાબદારી બીજા લોકોની છે. એના લીધે એ લોકો એમનું પૂરું કરી શકતા નથી. બ્રેન વોશિંગના લીધે સૌથી પહેલા આપણે આ બેકાર લોકોની વ્યવસ્થા કરીએ છીએ, પછી આપણી.  જેની છઠ્ઠી કે સાતમી પેઢીના વારસદારો હજુ છે એવા કહેવાતા ભગવાનને ખબર પણ નહિ હોય કે એમના ચેલાઓ સ્ત્રીઓના મોઢાં પણ જોતા નથી. અને નાના છોકરાઓને સન્યાસ આપીને કુદરતના કાનુનનો ભંગ કરી રહ્યા છે. શરીરમાં ઉંમર થતા કામગ્રંથીઓ તો એનું કામ કરવા જ લાગે છે. શરીરનો ધર્મ કોઈને છોડતો નથી.પછી શરુ થાય છે કૌભાંડો ની હારમાળા, ને વિકૃતિની પરાકાષ્ટા.નાના બાલ સાધુઓનો દુર ઉપયોગ શરુ થાય છે.
         *સંત જ્ઞાનેશ્વરના બહેન મુક્તાબાઈ સ્નાન કરતા હતા તળાવમાં ને યોગીરાજ ચાંગદેવ મળવા આવેલા. મુક્તાબાઈને સ્નાન કરતા  જોઈ અવળા ફરી ગયા. મુક્તાબાઈ એ કહ્યું યોગીરાજ ભલે વાઘ પર સવારી કરો છો પણ હજુ કાચા છો. લોકવાયકા છે યોગી ચાંગદેવ વાઘ પર સવારી કરતા હતા. આ સંસાર ભગવાને બનાવ્યો છે એ સંસાર થી ભાગવાથી ભગવાનને કઈ રીતે જાણી શકાય? સંસારને રચ્યો છે ભગવાને. આ સંસારને તમે ઠુકરાવસો તો અપમાન તો એના રચનાર નું થશે. સંસારની જવાબદારીઓ પણ એક તપ સમાન છે. એ આ સાધુઓ ને શું ખબર?   છોકરા મોટા કરવા , કમાવું, સબંધો સાચવવા, આ કોઈ ઓછું તપ નથી. એટલે તો આ તપ માફક નથી આવતું માટે ભાગી ગયા ને દીક્ષા લઇ લીધી. વડતાલના ગદાધરાનંદ સ્વામી ૧૬ તોલા સોનાનો હાર પહેરતા હતા એવું વાંચેલું,ને પછી એમનું મર્ડર થયું, ને મર્ડર કરનારા સ્વામીઓ મુંબઈથી જીન્સ પેન્ટ પહેરેલા પકડાયા.
             *કંટકી સ્ટેટ  વાળા દીપકભાઈને સ્ત્રીઓના મોઢા ના જોતા સ્વામીઓની પધરામણી કરવાના પાપનું ફળ મળી ચુક્યું છે. આ દીપકભાઈએ એમની મોટેલમાં સ્વામીનારાયણના સંતોની પધરામણી કરી. આ સંતો સ્ત્રીઓના મોઢા જોતા નથી. માટે દીપકભાઈએ એમની ક્લાર્ક એવી અમેરિકન બાઈને જતા રહેવા જણાવ્યું. પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલરનો દંડ થયો. શ્રી અરવિંદભાઈના બ્લોગમાં આવાત વાચી. મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી. ભૂલ એમની જ છે. એ આ લાગના જ છે. હજુ વધારે દંડ થયો હોત તો મને આનંદ થાત. સ્ત્રીઓના અપમાનમાં એપણ ભાગીદાર છે. જેને પણ દીપકભાઈને થયેલા દંડ માટે એમના પ્રત્યે સહાનુભુતિ થાય એ બધા સ્ત્રીઓના અપમાનમાં ભાગીદાર છે. એમને હશે કે સ્વામીઓને પધરાવવાથી એમની મોટેલનો ધંધો વધી જશે. એટલે તો એમણે અમેરિકન સ્ત્રીનું અપમાન કર્યું. આપણા તો પુરુષોજ એમની પોતાની સ્ત્રીઓનું આપમાન કરાવે છે.
           *નાની ઉંમરમાં સન્યાસ આપતા સંપ્રદાયો પર પ્રતિબધ મૂકી દેવો જોઈએ કે નહિ??એવા કાયદા ઘડવા જોઈએ કે નહિ?
નોધ:–આ લેખ ને અહી મુક્યા પછી શ્રી અશોકભાઈ એ પ્રતિભાવમાં ફક્ત આભાર લખીને એક લીંક મુકેલી.આ લીંક http://ow.ly/17hhk પર કલીક કરીને એ સમાચાર વાચવા વિનંતી છે.

ગુલામી માફક આવી ગઈ છે.

 

       એકવાર બ્લોગ જગતમાં લટાર મારતા મારતાથાનકી સાહેબ ના બ્લોગ  માં ઘુસી ગયો.ત્યાં કોઈ વિદેશી લેખક નું વાક્ય વાચ્યું.
એ પરદેશી લેખક મહાશય ને દરેક લેખ પહેલી વાર લખતા હોય તેમ લાગતું હતું.થાનકી સાહેબ પણ એનાથી પ્રેરણા લેતા હતા. હમણા ગુણવંત શાહ સાહેબ જો વાંચે તો તરત જ કહીદે ગુલામી  માનસ(કોલોનિયલ માઈન્ડ).કેમ કોઈ ભારત નો લેખક ના મળ્યો?પ્રેરણા માટે? એમના માનવા પ્રમાણે પહેલીવાર  લોકો ખુબજ કાળજીપૂર્વક લખે એવું  હશે.મારે ઊંધું થાય છે.મને હમેશા થાય છે આ છેલ્લી વાર નો લેખ છે.હવે આના પછી કશું લખવા માટે બચ્યું નથી.કોઈ વિષય હવે આવતો નથી મનમાં. જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?.
           *થાનકી બાબુ   ગેંડીદડા(હોકી)  ની વાત કરતા હતા.હોકી ની રમત માં ભારત પાછળ પડી ગયું છે.આ આપણાં દેશ ની રમત છે.શ્રી કૃષ્ણ એ શરુ કરેલી હશે કદાચ.એ રમતા હતા.એમાંથી જ કદાચ ધોળિયા લોકોએ પ્રેરણા  લઇ ને ધોકાદડા(ક્રિકેટ)ની રમત ચાલુ કરી હશે.પણ આપણું ગુલામી માનસ આપણી પોતાની રમત ભૂલી ગયા છીએ.ને ધોળીયાઓની રમત પાછળ પડ્યા છીએ.બર્લિન માં એકવાર ઓલોમ્પિક રમાએલી .ત્યારે આપણાં હોકી ટીમ ના કેપ્ટન હતા મેજર ધ્યાનચંદ.અતિહિંસક હિટલર સાહેબ જર્મન દેશ ના વડા હતા.એ રમત જોવા બેઠેલા.ભારત સુવર્ણ ચંદ્રક જીતી ગયું.હિટલર સાહેબે ધ્યાનચંદ ને બોલાવ્યા ને હોકી માગી,હોકી પર હાથ ફેરવ્યો ને પૂછ્યું.ભાઈલા તે આ હોકી ને  બાવળનો કે ખેરનો ગુંદર તો નથી લગાવ્યોને?આ દડો તારી હોકી જોડે ચોટેલોજ રહે છે.કઈ જાદુ છે કે શું તારી હોકીમાં?પછી પૂછેલું શું કરો છો ભારતમાં?ધ્યાનચંદ એ વખતે સામાન્ય સૈનિક હતા.ઉત્તર સાંભળી હિટલરે કહેલું મારા લશ્કર માં આવા ખેલાડી હોય  તો બહુ ઉંચી જગ્યાએ બેસાડું.
           *ગુલામી માનસ એટલે ખાલી એમાં અંગ્રેજી ને અંગ્રેજો ની ગુલામી જ આવી જાય એવું બધાનું માનવું છે.પછી તમે સાધુઓની,ગુરુઓની,બાપુઓની,નેતાઓની ગુલામી કરોતો ગુલામી ના કહેવાય.એતો પવિત્ર કાર્ય કહેવાય.એતો સમર્પણ કહેવાય,ભક્તિ કહેવાય.સમર્પણ કરો,ભક્તિ કરો તો મુક્તિ મળે.તમારા ધન,બેંક બેલેન્સ માંથી મુક્તિ મળે.સ્ત્રીઓને એમના સાચવેલા શીલ માંથી મુક્તિ મળે.અંગ્રેજોના અચાર વિચાર નું અંધ  અનુકરણ કરીએ તેને ગુલામી માનસ કહેવાય.ના કરવું જોઈએ.ગુલામી તો ગુલામી જ છે.કોઈનું પણ અંધ અનુકરણ કરો એ ગુલામી માનસ જ કહેવાય.બધા આ ચકરાવે ચડેલા છે.અંગ્રેજી ભાષાની ગુલામી ના વિરોધ માં જે યાત્રા નીકળી છે એના પ્રમુખ હર્તાકર્તા લોકો પોતે બાપુઓની ગુલામી માં સપડાએલા છે.ખેર પણ  અંગ્રેજી ભાષાની ગુલામી વિરુદ્ધ લોકોમાં જાગૃતિ તો વધશે.એરીતે સારું છે.ગુલામી પાછી વસ્તુઓ ની પણ હોય છે.ઘણા ને બીડી,સિગારેટ,પાન,તંબાકુ,ટીવી,ઈન્ટરનેટ એવા તો ઘણા બધા ની ગુલામી હોય છે.આપણ ને બ્લોગ ની ગુલામી માફક આવી ગઈ છે.
            *સવાલ છે ગુલામી માનસિકતા બદલવાનો.આપણે ચિંતા કરીએ છીએ ફક્ત અંગ્રેજો ની પશ્ચિમ ની સંસ્કૃતિ ની.અંગ્રેજો તો ગયા.હવે અહીના નેતાઓ ની ગુલામી શરુ થઇ.અંગ્રેજો તો ગયા,પણ એમના આચાર વિચાર ને ભાષા ની ગુલામી શરુ થઇ.ભલે અંગ્રેજો ગયા આપણું માનસ તો એનું એજ છે ને? અંગ્રેજો પણ પાછળ થી આવેલા.એ પહેલા પણ કોઈની ને કોઈની ગુલામી તો કરતા જ હતા.અંગ્રેજો નો વાંક જ નથી વાંક છે આપણી કદી  ના બદલાતી માનસિકતા નો.પણ આપણે અંગ્રેજો ને ગાળો દઈ ને આપણી ભૂલો કબુલતા નથી.તમે તૈયાર ના હોવ તો કોઈ તમને ગુલામ  બનાવી શકનાર નથી.અને તમે તૈયાર હસો તો માણસ તો શું એક નિર્જીવ ગણાતી બીડી કે તમાકુ,ચા,કોફી,ભજન,કથા વાર્તા,મંદિર કોઈ  પણ તમને ગુલામ બનાવી દેશે.વ્યસન ખાલી ચા બીડી નું હોય એવું નથી.આમારા એક સબંધીને છાસવારે સત્ય નારાયણ ની કથાનું વ્યસન છે.રોજ તો બ્રાહ્મણ બોલાવાય નહિ,એટલે તેઓ ટેપરેકોર્ડર માં ઓડિયો કેસેટ કથાની મૂકી દે છે.એમાં કોઈ છગનલાલ મહારાજ ની લાંબી થાકી જવાય તેવી આરતી છે.હવે એમાં દાસ છગન એવું ગાય છે કે પ્રસાદ નો અનાદર કર્યો પુત્રો મરી ગયા.કેવી ભયાનક સજા કહેવાય?હવે પ્રસાદ નીચે પડી ને ગંદો થઇ ચુક્યો હોય પણ પોતાના પુત્રો નું બલિદાન કોણ આપે?આ સબંધીના ઘર ના નાના છોકરાને મેં ભોય પર પડેલો પ્રસાદ નહિ ખાઈ ને ફેકી દેવાની સુચના આપી તો એના દાદી એ જાણે કોઈ પ્રલય થઇ જવાનો હોય તેમ પેલા નાના છોકરાને પાપ  લાગે તેવું કહી પ્રસાદ ખવડાવી દીધો.આ અમેરિકાની વાત છે.આ ગુલામી ની જંજીરો ને તમે જંજીર માનસો તો કોઈ દિવસ છુટવાનો પ્રયત્ન કરશો.પણ આ જંજીર ને દાગીનો,શણગાર કે ઘરેણું માનસો,તો કદી એમાંથી છુટવાનો પ્રયત્ન પણ નહિ કરો.બીડી કદાચ છૂટી જશે પણ ચા નહિ છૂટે.દારૂ છૂટી જશે પણ મૂરખ બનાવતી કથા નહિ છૂટે.       
                         *સંમોહન શક્તિ ના પ્રયોગ કરનારા પણ મક્કમ મનોબળ વાળા ને સંમોહિત નથી કરી શકતા.હિપ્નોટાઈજ નથી કરી શકતા.નબળા ને આજ્ઞાંકિત મનસ ધરાવનાર જે હિપ્નોટાઈજ કરી શકાય.         

संशयात्मा विनश्यति । ….. Most Misused.

images';lसंशयात्मा विनश्यति । Most Misused

વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.

અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો  સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો  કે બંને કૌરવો અને  પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.

બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત  એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.

કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.

બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.

ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ  મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?

બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં  સપડાએલા  રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી  ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.

ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.

ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું  મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા,  જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં  આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?

વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.
    *જાન્યુઆરી  ૬,૧૯૭૨ માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામ માં અશોક સૂરી નું નામ બોલાયું.
   *અશોક સૂરી નો પત્ર તેમના પિતા ને મળ્યો તેના પર દિલ્હી નો પોસ્ટ નો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો,સાહેબ વલૈકુમ સલામ  હું આપને રૂબરૂ મળી ના શકું,તમારો સન જીવતો છે અને પાક ની જેલમાં છે,હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી  રહ્યો છું.કાલે પાછો પાકિસ્તાન જઈશ.સહી છે એમ.અબ્દુલ હમીદ.આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું.બધા પત્રો ને ડીફેન્સ વિભાગ માં ચકાસવામાં આવે છે.અશોક સુરીના જ અક્ષરો છે,એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે.બસ.
   *સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧ માં પાંચ ભારતીય પાયલોટો પકડાયા ના સમાચાર છે,એમાં તાંબે નું પણ નામ છે.ફરી પાછું આજ પેપર જુલાઇ ૫,૧૯૭૧ માં વી.વી.તાંબે નું નામ છાપે છે.
   * દલજીત્સીંગ માર્ચ ૪,૧૯૮૮ માં પાછા આવે છે.એમણે ફેબ્રુ ૧૯૮૮ માં શ્રી તાંબે ને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટર માં જોએલા.
   *ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગી નું પ્લેન ડિસે ૪,૧૯૭૧ માં પેશાવર માં  તોડી પડાયું.બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.
    *નાથારામ માર્ચ ૨૪,૧૯૮૮ માં પાછા આવે છે.રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટર માં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ને નવે,૧૯૮૩મા  જોયેલા આવું કહે છે.
   *કેપ્ટન રવિન્દર કૌરા નો ફોટો પાક જેલમાંથી  સ્મગલ્ડ થઇ ને ૧૯૭૨ માં અંબાલા ના ન્યુજ પેપર માં છપાય છે.છેક ડિસે ૭,૧૯૯૧ માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે.એમને પણ પાછા આવેલા મુખત્યાર સિંગે મુલતાન જેલ માં જોએલા.
          *આ આખીય જાંબાંજો  ની ટીમ માં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે.આમતો ગુજરાતી ખાસ મિલિટરીમાં જતા નથી.એટલે તો ગુજરાત ની કોઈ રેજીમેન્ટ નથી.નાના મણીપુર કે આસામ ની પણ રેજીમેન્ટ છે.હા એ ગુજરાતી  હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર.વતન છે એમનું ચાંદરણી,જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ  છે.એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાન ના જોધપુર થી આવેલા.એમના મોટાભાઈ શ્રી દિલીપસિંહજી રાઠોર  એમના કુટુંબ સાથે હજુય ત્યાં વસે છે.
         *ધર્મ ના નામે વાતે વાતે આંદોલનો  કરી મુકતી પ્રજા પોતે આવી વાતો ને ધ્યાન માં લેતી નથી.ના તો કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ કર્યા નથી.આવું કોઈ બીજા દેશ માં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત.આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૩૯ વરસ થી લડી રહ્યા છે.ગુજરાત ના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભા માં અવાજ ઉઠાવ્યો નથી.ભારત ની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરના એ આ સ્ટોરી છાપી હતી.પછી એકવાર સંદેશ માં આવેલી,બસ. મીડિયા ને પણ નેતાઓ,ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવા માંથી નવરાશ મળતી નથી.કોઈ લેખકોને પણ આવી વાત માં કશું લખવાનો વિષય મળતો નથી.બાપુઓની ચાપલુસી માં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે.ચંબલ ની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે,છેક પંજાબ જઈ ને જગતસિંગ ડાકુ ને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે.પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ના ગુજરાત માં નજીક આવેલા ગામ માં જવાનો સમય ના મલે,કે યાદ પણ ના આવે.હા હું ગુજરાતી લેખકો ની વાત કરું છું.મેં આ બધા ને વાંચ્યા છે.માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે.જે બાપુઓ ભણવાની જરૂર નથી ભજન કરો એવા જાહેરમાં ટીવી માં મુરખ પ્રજા ને સંદેશા આપે છે, એવા બાપુઓની ભાટાઈ આ સાક્ષરો કરી રહ્યા છે.આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.
         *હવે તો આ  બહાદુરો ને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર?પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ નાજ લેતો,અને ભારત ના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો.એ કદી તારા થવાના નથી.તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલ  માં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે.તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે.અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.
      *તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્ય ના સિપાઈ ઓ ના નામ પણ જાણી લઈએ. 
 
  Indian Air Force POWs: Wing Commander HS Gill, Squadron Leader Devaprashad Chatterjee, Squadron Leader Mohinder Kumar Jain, Squadron Leader Jal Maniksha Mistry, Squadron Leader Jatinder Das Kumar, Flight Lieutenant Tanmaya Singh Dandass, Flight Lieutenant Ramesh Gulabrao Kadam, Flight Lieutenant Babul Guha, Flight Lieutenant Gurdev Singh Rai, Flight Lieutenant Ashok Balwani Dhavale, Flight Lieutenant Srikant Chandrakant Mahajan, Flight Lieutenant Sudhir Kumar Goswami, Flight Lieutenant Harvinder Singh, Flight Lieutenant Vijay Vasant Tambay, Flight Lieutenant lyoo Moses Sasoon, Flight Lieutenant Ram Metharam Advani, Flight Lieutenant Nagaswami Shankar, Flight Lieutenant Suresh Chandra Sandal, Flight Lieutenant Kushalpal Singh Nanda, Flight Lieutenant Manohar Purohit, Flight Officer Tyagi, Flight Officer Kishan Lakhimal Malkani, Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.

Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.

અમે જીવીએ છીએ,The Forgotten Heroes.,4

Nirmal kaur

 

  અમે જીવીએ છીએ,       *જુન ૧,૨૦૦૭ ના રોજ પાક ના મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાં થી ૧૪ જણાં ને વિસા આપી જેલો માં જોવાની,ચેક કરવાની પરમીશન આપી.૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા.૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી.૧૯૮૩ માં પણ જીયા ઉલ હક ના શાશન વખતે આવી વિઝીટ થયેલી,તે વખતે ગયેલા માંથી ચાર જણાં આ વખતે પણ હતા.જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી.૫ મી શીખ રેજીમેન્ટ ના સુબેદાર અશાસિંગ ના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલા.લાહોર ની કોટ લખપત અને કરાચી ની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામ કશું ના મળ્યું.ક્યાંથી મળે?સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે.૩૫ વરસ ના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા.કોણ વાંચે?ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય,પરદેશોમાં  બદનામ ના થઇ જવાય?
        *આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે,પણ લોકસભામાં  ૪૦ નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી.અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગ માં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા,બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા.(એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશન ની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા.પાક થી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા.૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્ય માં આવ્યું.અશોક સૂરી ના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાં થી પુરાવા  દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે.દમયંતી તાંબે ને તો કોઈ સંતાન પણ નથી,એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા.મેરેજ ના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી  વિતાવી છે મેં.શમી વરાઈચ બે વરસ ના હતા ને એમના પિતા વોર માં ગયેલા.
          *સરબજીત ને જાસૂસીના આરોપમાં પાક માં મોત ની સજા મળેલી.એ કેસમાં હરપાલ નાગરા ની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાક ની જેલમાં ગયેલું.ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું.ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ.એમના કહ્યા  મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.અને આવાતો ૪૦૦ ભારતીય કેદીઓ હતા,બધા મીલીટરી કેદીઓ ના હતા.અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો.૧૯૮૩ માં ૬ જણા ને જેલોની મુલાકાત ની પરમીશન મળેલી.મુલતાન,સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા,જે કેદીઓ બતાવેલા તેઓ ની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા.ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે,પણ ૫૪ માંથી કોઈ સદભાગી  બન્યો નથી.
           *રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા,એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા.મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીર સિંગ ના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે.અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ.૨૦૦૦ માં મનીષ જૈન,એમ.કે જૈન ના જમાઈ અમેરિકામાં કર્નલ આશીફ શફી પાકિસ્તાન ના ને મળે છે.ભુટો ના વિવાદાસ્પદ કેસ  આ કર્નલ પોતે ૭ વરસ પાક માં જેલમાં રહી ચુક્યા હતા.એમના કહ્યા અને જોયા  મુજબ ૧૯૭૮મા  શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા.આ મનીષ જૈન અમેરિકન એરફોર્સ ના જનરલ ચક યેગર ને ૨૦૦૫ માં અમેરિકામાં મળેલા.આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેન ની તપાસ માં પાક ની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ ના યુદ્ધાના ૨૦ ભારતીય પાયલોટો ને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા.આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે.આ ૫૪ માંથી ૨૫ તો પાયલોટો જ હતા.૧૯૯૮ માં પાછા આવેલા બલવાન્સીંગ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે,આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.
         ૨૦૦૫ માં રાંચીના મેન્ટલ એસાયલમ માંથી ૧૯૬૨ ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ,હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે.તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?              

         

Ninadevi sister of Mj Guleri

 

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3

Jasbirkaur & Jaspritkaur
Damyanti Tambey

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.

        *જસબીર કૌર ને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે.એમની દીકરી જસપ્રીત હવે યુવાન  થઇ ચુકી છે,એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે.પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુ માં મળશે.૨૦૦૭ માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી.આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓ ને ઓળખવા આમંત્રણ  આપેલું.ત્યાં લાહોર ની જેલમાં એક માણસે જસબીર ને કહેલું કંવલજીત સિંગ જીવે છે.પણ કોઈના હાથ માં કશું ના આવ્યું.કેમ?જસબીર કહે છે સાંજ પડે પક્ષિયો પણ માળામાં પાછા આવે છે.છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ ના રોજ ફોન કોલ હુસૈનીવાલ થી આવેલો ત્યારે સાંભળેલો.
        *કમલેશ જૈન,મોહિન્દર કુમાર જૈન ના પત્ની આજે પણ દરેક ભોજન નો પ્રથમ કોળીયો ભરતા હૃદય માં એક ચુભન સાથે  વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે?પાક ની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે?શા માટે તેઓ વરસો થી દુ:ખ સહન કરી રહ્યા છે?કેમ કે તેઓ ભારત ના વફાદાર સૈનિક હતા માટે?એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે,અને માતાના, પિતાશોધો ના અભિયાન માં લાગી ગઈ છે.એમની ફાઈલો ભરાઈ ગઈ છે,મીનીસ્ટ્રી ને,આર્મીને,માનવાધિકાર પંચ ને લખેલા પત્રો થી.એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે.કોઈ મીનીસ્ટર ની ડોટર ને છોડાવવા ત્રાસવાદી ને છોડી દેવામાં આવે છે,જયારે એના સૈનિક ને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈન ના.એમના પતિ નો છેલ્લે અવાજ એમણે પઠાનકોટ થી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.
           *મનોહર પુરોહિત નો દીકરો ફક્ત ત્રણ મહિના નો હતો.હવે એને પણ દીકરો છે.એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી,કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા.એમને આશા છે કે જ્યાં થી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે.આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબો ને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ  ના તળ સુધી પહોચશે.વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈ ને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓ ને સ્મગલર કહો,ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો,માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો.સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે,સારા છે,જીવે છે અને પાછા આવશે.
            *અશોક સૂરી ના મોટા ભાઈ  બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાન માં એક અલાયદો માળ જુદો રાખ્યો છે,ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે.હજુ સવારે ભાઈ ના ફોટા ને પહેલું તિલક લગાવવામાં આવે છે.સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે.એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરા ને  છોડાવી શકાય.બીજા યુદ્ધ કેદીઓના સગાઓને   ભેગા કરવા,એમના સરનામાં શોધવા,લખાપટ્ટી કરવી.બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલ માં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદ ની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો.આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?
           *કમલેશ જામવાલ,કેપ્ટન દલગીર સિંગ ના પત્ની એમના પતિ સપનામાં આવી ને કહી ગયા છે કોઈનું માનીશ નહિ,હું જીવું છું મરી નથી ગયો.પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે.પણ એમજ પત્ની કઈ રીતે માની લે?જેવું વિચારીએ તેવાજ સપના આવેને?
        *પૂનમ ગોસ્વામી,ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે,૧૯૭૧ ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા.કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે,એમના પતિ જતા  જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી.છતાં પાછા ફરશે તેવા સારા સમાચાર ની હમેશા રાહ જુવે છે.
          *વિનોદ કુમાર સાહની બી.એસ.એફ ના ઇન્ટેલીજેન્સ વિભાગ માં કામ કરતા હતા.૧૯૭૭ માં પાક રેન્જર હાથે ઝડપાઈ  ગયા.૧૦ વર્ષ પાક ની જેલો માં રહ્યા.ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા  મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચ ના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓ ને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા.અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા.પાકિસ્તાન ની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય?જેટલું બતાવે એટલું જ જોવાનુંને.ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ  રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર  કરતા વાર કેટલી? 
          *૧૯૭૭ માં ભુટ્ટો ને જેલમાં ધકેલી દેવાયા.૪ અપ્રિલ ૧૯૭૯ માં ભુટ્ટો ને ફાંસી લટકાવી દેવાયા.એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલ માં રહી ચુક્યા હતા.લાહોર ની કોટ લખપત જેલમાં ત્રણ મહિના  ભુટ્ટો રહેલા.રોજ રાત્રે એમની કોટડી ની દસ ફૂટ ઉંચી દીવાલ ની બીજી બાજુ થી ભયાનક ચીસો,બુમો ના અવાજો થી ભુટ્ટો સુઈ શકતા ના હતા.એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજો થી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા.એમના  વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા  જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફ ને પૂછીને માહિતી મેળવી.એ બાજુ ની દીવાલ  ને પેલે પાર થી  આવતા અવાજો એ ભારતના ભુલાએલા,તરછોડાએલા,પાક અત્યાચારીઓ ના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાક ના સૈનિકો ના શારીરિક  અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરો ના હતા.આપણે ઘર માં પત્ની પર નો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ.એ માનસિકતાએ ભારત ના સૈન્ય  ના હાથે હારેલા,અવહેલના પામેલા,આબરૂ ગુમાવેલા,શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્ય ના સૈનિકોએ,મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયા ઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો?આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો,ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા,પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો  હોવાના નાતે વેઠતા હતા.વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦ માં પુસ્તક લખેલું,ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન.એમાં આ વાત નોધેલી છે.
                *૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી  કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોર ના કુટુંબીઓના એસોશિયેશન ને મદદ કરી છે ખરી? કેમ?કેમકે દેશ આખો અહિંસા ને વરેલો છે.માટે આપણાં મહાત્માએ શહીદ ભગતસિંહ ના છુટકારા  માટે એમનું નામ અંગ્રેજોને  આપવાનું મુનાસીબ નહોતું સમજ્યું.ભગતસિંહ નો માર્ગ હિંસા નો હતો.એ મહાત્માના દેશ માં આ અભાગી સૈનિકો માટે વળી કોઈ ધાર્મિક નેતા બોલે ખરો?એક મંદિર  ના બનાવી કાઢીએ.પુણ્ય નું કામ થાય.ભગતસિંહ ના ભાઈ કુલતારસિંગ આ સંગઠન સાથે જોડાએલા.આ અભાગીયાઓ ને મિલિટરીમાં જવાનું કોણે કહેલું?ભોગવો હવે.  
Major Ghosh on Time magazine

Letter of Ashok suri

        

 Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2

Mrs.Damyanti Tambey
Suman & Manohar Purohit.

    અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war.          *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.

           *ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે,પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે.રાજેશ કૌરાં ના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો.અને એમના કુટુંબી જનો ને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે.ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે.બીજા કેદીઓ,રેડિયો,ન્યુઝ પેપર ના રીપોર્ટસ,જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે  લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે,કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.
          *અપ્રિલ ૧૯૭૯ માં પાક ની જેલો માં થી પાછા ફરેલા બીજા કેદીઓ ના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓ નું લીસ્ટ રજુ કરેલ.યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાં ના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા.મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે,પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું.મી.ગીલ એમાં જોડાયા.એમના ભાઈ વિંગ કમાન્ડર  હરશરણસિંગ ગીલ ના સાથીદાર ના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડ ને ટચ થતા એ બહાર નીકળી ગયેલા.પાછા ફરેલા ઘણા કેદીઓ ને આ વિંગ કમાન્ડર મળેલા છે.
              *જવાહરલાલ નહેરુ યુની ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે,એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબે ને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારો ને લખી ચુક્યા છે.એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરો ની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે.શ્રીમતી તાંબે ને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્ન ને જયારે એમના પતિનું પ્લેન પાક માં તોડી પાડવામાં આવેલું.
           * હમેશા માનવ અધિકાર ના બહાને દોડી ને દેશદ્રોહીઓની સેવા કરવા જતા  કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરો ના સગાઓના સંગઠન ને મદદ કરતા જોયું છે ખરું?આ કોઈ સામાન્ય સૈનિકો ના હતા.ઉચ્ચ  હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા.અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એના થી સરકાર ની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.માતોશ્રી નામના સુરક્ષિત પાંજરામાં રહીને હમેશા ત્રાડો પાડતાં વાઘ ને કદી આ બાબતે ત્રાડ પાડીને સરકારો ને જગાવવાનો પ્રયત્ન  કરતા કદી જોયો છે ખરો?     
        

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. 
 
              *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીત સિંગ અરોરા સામે ઢાકા મુકામે  શરણે થયા.ઢાકા થી તમામ ને ભારત લવાવવામાં આવ્યા.આર્મી કેમ્પ માં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.
        *જુલાઈ ૨ , ૧૯૭૨ ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એ શિમલા કરાર માં મત્તું માર્યું.એક બીજા દેશોના યુદ્ધ કેદીઓ ને પરત કરવાના આ કરાર નું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું.યુદ્ધ જીત્યાં ના કેફ માં ભારતના ઈતિહાસ માં એમના નામે  સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં,એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો.આપણે તો બધા યુદ્ધ કેદીઓ(૯૩૦૦૦) ને પ્રમાણિકતા થી પાછા  સોપી દીધા.પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ  અફસરો એમના મૃત્યુ ના કોઈ પુરાવા  વગર મિસિંગ હતા,ગુમ હતા.૬૧૭ સદભાગીઓ  ને પાકિસ્તાને પાછા મોકલ્યા.બાકીના ૧૬૨૧ બહાદુરો  કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી.ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર.પોતાના અસલી હીરો ને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું.એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું.એમના વૃદ્ધ માબાપ ને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું.ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરો ને પાક ની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી  દીધા.
         *પાંચમી આસામ રેજીમેન્ટ ના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલ માં થી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા.એક પત્ર તારીખ-૭ ડીસે,૧૯૭૪,બીજો ૨૬ ડીસે,૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન,૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતા શ્રી ડો.રામસ્વરૂપ સૂરી ને ફરીદાબાદ માં મળ્યા.એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય  અફસરો સાથે તેઓ કરાચી ની જેલ માં હતા.ડો.સૂરી સીમલા કરાર નો ભંગ કરી રાખેલા આ તમામ ને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજી ને મળ્યા.પરિણામ માં કશું નહિ.૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી નરસિંહરાવ,શ્રી દેવગોવડા,શ્રી આઈ.કે.ગુજરાલ,ગર્જનાઓ કરતા શ્રી અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસા ને વરેલા નપુંસક વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા  હીરોસ ને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.
            *એવી જ રીતે,૯૫ વર્ષ ના વૃદ્ધ કાંગડા ના લાલારામ શર્મા,રીટાયર કર્નલ ધનદાસ,શ્રીમતી સુશીલ ત્યાગી,ફરીદાબાદ ના શ્રીમાન શ્રીમતી ઘોષ,નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમા એમના વહાલા દીકરાઓ ની રાહ જોતા હતા.અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી,દમયંતી તાંબે,કમલેશ જૈન,નિર્મળ કૌર,કન્તાદેવી રાનોદેવી,સુમન પુરોહિત છેલ્લા ૩૯વરસ થી એમના પતિદેવો ની રાહ જોઈ રહી છે.
           *૨૦૦૪ માં મિસ્ટર એમ.કે.પૌલ માનવ અધિકાર પંચ ના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો.ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે.અને આજ પ્રશ્ન રેડ ક્રોસ  જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો?ત્યારે જવાબ માં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના  સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશન ના પ્રતિનિધિ તરીકે બોલું છું.ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે?મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો.ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદ માં આ સવાલ ઉઠાવ્યો છે.પરિણામ શૂન્ય….