દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3

Jasbirkaur & Jaspritkaur
Damyanti Tambey

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.

        *જસબીર કૌર ને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે.એમની દીકરી જસપ્રીત હવે યુવાન  થઇ ચુકી છે,એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે.પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુ માં મળશે.૨૦૦૭ માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી.આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓ ને ઓળખવા આમંત્રણ  આપેલું.ત્યાં લાહોર ની જેલમાં એક માણસે જસબીર ને કહેલું કંવલજીત સિંગ જીવે છે.પણ કોઈના હાથ માં કશું ના આવ્યું.કેમ?જસબીર કહે છે સાંજ પડે પક્ષિયો પણ માળામાં પાછા આવે છે.છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ ના રોજ ફોન કોલ હુસૈનીવાલ થી આવેલો ત્યારે સાંભળેલો.
        *કમલેશ જૈન,મોહિન્દર કુમાર જૈન ના પત્ની આજે પણ દરેક ભોજન નો પ્રથમ કોળીયો ભરતા હૃદય માં એક ચુભન સાથે  વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે?પાક ની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે?શા માટે તેઓ વરસો થી દુ:ખ સહન કરી રહ્યા છે?કેમ કે તેઓ ભારત ના વફાદાર સૈનિક હતા માટે?એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે,અને માતાના, પિતાશોધો ના અભિયાન માં લાગી ગઈ છે.એમની ફાઈલો ભરાઈ ગઈ છે,મીનીસ્ટ્રી ને,આર્મીને,માનવાધિકાર પંચ ને લખેલા પત્રો થી.એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે.કોઈ મીનીસ્ટર ની ડોટર ને છોડાવવા ત્રાસવાદી ને છોડી દેવામાં આવે છે,જયારે એના સૈનિક ને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈન ના.એમના પતિ નો છેલ્લે અવાજ એમણે પઠાનકોટ થી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.
           *મનોહર પુરોહિત નો દીકરો ફક્ત ત્રણ મહિના નો હતો.હવે એને પણ દીકરો છે.એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી,કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા.એમને આશા છે કે જ્યાં થી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે.આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબો ને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ  ના તળ સુધી પહોચશે.વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈ ને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓ ને સ્મગલર કહો,ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો,માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો.સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે,સારા છે,જીવે છે અને પાછા આવશે.
            *અશોક સૂરી ના મોટા ભાઈ  બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાન માં એક અલાયદો માળ જુદો રાખ્યો છે,ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે.હજુ સવારે ભાઈ ના ફોટા ને પહેલું તિલક લગાવવામાં આવે છે.સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે.એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરા ને  છોડાવી શકાય.બીજા યુદ્ધ કેદીઓના સગાઓને   ભેગા કરવા,એમના સરનામાં શોધવા,લખાપટ્ટી કરવી.બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલ માં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદ ની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો.આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?
           *કમલેશ જામવાલ,કેપ્ટન દલગીર સિંગ ના પત્ની એમના પતિ સપનામાં આવી ને કહી ગયા છે કોઈનું માનીશ નહિ,હું જીવું છું મરી નથી ગયો.પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે.પણ એમજ પત્ની કઈ રીતે માની લે?જેવું વિચારીએ તેવાજ સપના આવેને?
        *પૂનમ ગોસ્વામી,ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે,૧૯૭૧ ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા.કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે,એમના પતિ જતા  જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી.છતાં પાછા ફરશે તેવા સારા સમાચાર ની હમેશા રાહ જુવે છે.
          *વિનોદ કુમાર સાહની બી.એસ.એફ ના ઇન્ટેલીજેન્સ વિભાગ માં કામ કરતા હતા.૧૯૭૭ માં પાક રેન્જર હાથે ઝડપાઈ  ગયા.૧૦ વર્ષ પાક ની જેલો માં રહ્યા.ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા  મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચ ના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓ ને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા.અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા.પાકિસ્તાન ની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય?જેટલું બતાવે એટલું જ જોવાનુંને.ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ  રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર  કરતા વાર કેટલી? 
          *૧૯૭૭ માં ભુટ્ટો ને જેલમાં ધકેલી દેવાયા.૪ અપ્રિલ ૧૯૭૯ માં ભુટ્ટો ને ફાંસી લટકાવી દેવાયા.એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલ માં રહી ચુક્યા હતા.લાહોર ની કોટ લખપત જેલમાં ત્રણ મહિના  ભુટ્ટો રહેલા.રોજ રાત્રે એમની કોટડી ની દસ ફૂટ ઉંચી દીવાલ ની બીજી બાજુ થી ભયાનક ચીસો,બુમો ના અવાજો થી ભુટ્ટો સુઈ શકતા ના હતા.એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજો થી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા.એમના  વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા  જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફ ને પૂછીને માહિતી મેળવી.એ બાજુ ની દીવાલ  ને પેલે પાર થી  આવતા અવાજો એ ભારતના ભુલાએલા,તરછોડાએલા,પાક અત્યાચારીઓ ના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાક ના સૈનિકો ના શારીરિક  અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરો ના હતા.આપણે ઘર માં પત્ની પર નો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ.એ માનસિકતાએ ભારત ના સૈન્ય  ના હાથે હારેલા,અવહેલના પામેલા,આબરૂ ગુમાવેલા,શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્ય ના સૈનિકોએ,મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયા ઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો?આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો,ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા,પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો  હોવાના નાતે વેઠતા હતા.વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦ માં પુસ્તક લખેલું,ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન.એમાં આ વાત નોધેલી છે.
                *૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી  કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોર ના કુટુંબીઓના એસોશિયેશન ને મદદ કરી છે ખરી? કેમ?કેમકે દેશ આખો અહિંસા ને વરેલો છે.માટે આપણાં મહાત્માએ શહીદ ભગતસિંહ ના છુટકારા  માટે એમનું નામ અંગ્રેજોને  આપવાનું મુનાસીબ નહોતું સમજ્યું.ભગતસિંહ નો માર્ગ હિંસા નો હતો.એ મહાત્માના દેશ માં આ અભાગી સૈનિકો માટે વળી કોઈ ધાર્મિક નેતા બોલે ખરો?એક મંદિર  ના બનાવી કાઢીએ.પુણ્ય નું કામ થાય.ભગતસિંહ ના ભાઈ કુલતારસિંગ આ સંગઠન સાથે જોડાએલા.આ અભાગીયાઓ ને મિલિટરીમાં જવાનું કોણે કહેલું?ભોગવો હવે.  
Major Ghosh on Time magazine

Letter of Ashok suri

        

 Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

Leave a comment