Category Archives: જ્ઞાન વિજ્ઞાન

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.
    *જાન્યુઆરી  ૬,૧૯૭૨ માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામ માં અશોક સૂરી નું નામ બોલાયું.
   *અશોક સૂરી નો પત્ર તેમના પિતા ને મળ્યો તેના પર દિલ્હી નો પોસ્ટ નો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો,સાહેબ વલૈકુમ સલામ  હું આપને રૂબરૂ મળી ના શકું,તમારો સન જીવતો છે અને પાક ની જેલમાં છે,હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી  રહ્યો છું.કાલે પાછો પાકિસ્તાન જઈશ.સહી છે એમ.અબ્દુલ હમીદ.આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું.બધા પત્રો ને ડીફેન્સ વિભાગ માં ચકાસવામાં આવે છે.અશોક સુરીના જ અક્ષરો છે,એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે.બસ.
   *સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧ માં પાંચ ભારતીય પાયલોટો પકડાયા ના સમાચાર છે,એમાં તાંબે નું પણ નામ છે.ફરી પાછું આજ પેપર જુલાઇ ૫,૧૯૭૧ માં વી.વી.તાંબે નું નામ છાપે છે.
   * દલજીત્સીંગ માર્ચ ૪,૧૯૮૮ માં પાછા આવે છે.એમણે ફેબ્રુ ૧૯૮૮ માં શ્રી તાંબે ને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટર માં જોએલા.
   *ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગી નું પ્લેન ડિસે ૪,૧૯૭૧ માં પેશાવર માં  તોડી પડાયું.બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.
    *નાથારામ માર્ચ ૨૪,૧૯૮૮ માં પાછા આવે છે.રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટર માં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ને નવે,૧૯૮૩મા  જોયેલા આવું કહે છે.
   *કેપ્ટન રવિન્દર કૌરા નો ફોટો પાક જેલમાંથી  સ્મગલ્ડ થઇ ને ૧૯૭૨ માં અંબાલા ના ન્યુજ પેપર માં છપાય છે.છેક ડિસે ૭,૧૯૯૧ માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે.એમને પણ પાછા આવેલા મુખત્યાર સિંગે મુલતાન જેલ માં જોએલા.
          *આ આખીય જાંબાંજો  ની ટીમ માં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે.આમતો ગુજરાતી ખાસ મિલિટરીમાં જતા નથી.એટલે તો ગુજરાત ની કોઈ રેજીમેન્ટ નથી.નાના મણીપુર કે આસામ ની પણ રેજીમેન્ટ છે.હા એ ગુજરાતી  હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર.વતન છે એમનું ચાંદરણી,જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ  છે.એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાન ના જોધપુર થી આવેલા.એમના મોટાભાઈ શ્રી દિલીપસિંહજી રાઠોર  એમના કુટુંબ સાથે હજુય ત્યાં વસે છે.
         *ધર્મ ના નામે વાતે વાતે આંદોલનો  કરી મુકતી પ્રજા પોતે આવી વાતો ને ધ્યાન માં લેતી નથી.ના તો કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ કર્યા નથી.આવું કોઈ બીજા દેશ માં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત.આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૩૯ વરસ થી લડી રહ્યા છે.ગુજરાત ના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભા માં અવાજ ઉઠાવ્યો નથી.ભારત ની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરના એ આ સ્ટોરી છાપી હતી.પછી એકવાર સંદેશ માં આવેલી,બસ. મીડિયા ને પણ નેતાઓ,ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવા માંથી નવરાશ મળતી નથી.કોઈ લેખકોને પણ આવી વાત માં કશું લખવાનો વિષય મળતો નથી.બાપુઓની ચાપલુસી માં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે.ચંબલ ની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે,છેક પંજાબ જઈ ને જગતસિંગ ડાકુ ને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે.પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ના ગુજરાત માં નજીક આવેલા ગામ માં જવાનો સમય ના મલે,કે યાદ પણ ના આવે.હા હું ગુજરાતી લેખકો ની વાત કરું છું.મેં આ બધા ને વાંચ્યા છે.માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે.જે બાપુઓ ભણવાની જરૂર નથી ભજન કરો એવા જાહેરમાં ટીવી માં મુરખ પ્રજા ને સંદેશા આપે છે, એવા બાપુઓની ભાટાઈ આ સાક્ષરો કરી રહ્યા છે.આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.
         *હવે તો આ  બહાદુરો ને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર?પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ નાજ લેતો,અને ભારત ના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો.એ કદી તારા થવાના નથી.તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલ  માં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે.તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે.અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.
      *તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્ય ના સિપાઈ ઓ ના નામ પણ જાણી લઈએ. 
 
  Indian Air Force POWs: Wing Commander HS Gill, Squadron Leader Devaprashad Chatterjee, Squadron Leader Mohinder Kumar Jain, Squadron Leader Jal Maniksha Mistry, Squadron Leader Jatinder Das Kumar, Flight Lieutenant Tanmaya Singh Dandass, Flight Lieutenant Ramesh Gulabrao Kadam, Flight Lieutenant Babul Guha, Flight Lieutenant Gurdev Singh Rai, Flight Lieutenant Ashok Balwani Dhavale, Flight Lieutenant Srikant Chandrakant Mahajan, Flight Lieutenant Sudhir Kumar Goswami, Flight Lieutenant Harvinder Singh, Flight Lieutenant Vijay Vasant Tambay, Flight Lieutenant lyoo Moses Sasoon, Flight Lieutenant Ram Metharam Advani, Flight Lieutenant Nagaswami Shankar, Flight Lieutenant Suresh Chandra Sandal, Flight Lieutenant Kushalpal Singh Nanda, Flight Lieutenant Manohar Purohit, Flight Officer Tyagi, Flight Officer Kishan Lakhimal Malkani, Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.

Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.

અમે જીવીએ છીએ,The Forgotten Heroes.,4

Nirmal kaur

 

  અમે જીવીએ છીએ,       *જુન ૧,૨૦૦૭ ના રોજ પાક ના મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાં થી ૧૪ જણાં ને વિસા આપી જેલો માં જોવાની,ચેક કરવાની પરમીશન આપી.૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા.૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી.૧૯૮૩ માં પણ જીયા ઉલ હક ના શાશન વખતે આવી વિઝીટ થયેલી,તે વખતે ગયેલા માંથી ચાર જણાં આ વખતે પણ હતા.જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી.૫ મી શીખ રેજીમેન્ટ ના સુબેદાર અશાસિંગ ના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલા.લાહોર ની કોટ લખપત અને કરાચી ની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામ કશું ના મળ્યું.ક્યાંથી મળે?સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે.૩૫ વરસ ના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા.કોણ વાંચે?ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય,પરદેશોમાં  બદનામ ના થઇ જવાય?
        *આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે,પણ લોકસભામાં  ૪૦ નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી.અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગ માં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા,બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા.(એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશન ની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા.પાક થી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા.૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્ય માં આવ્યું.અશોક સૂરી ના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાં થી પુરાવા  દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે.દમયંતી તાંબે ને તો કોઈ સંતાન પણ નથી,એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા.મેરેજ ના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી  વિતાવી છે મેં.શમી વરાઈચ બે વરસ ના હતા ને એમના પિતા વોર માં ગયેલા.
          *સરબજીત ને જાસૂસીના આરોપમાં પાક માં મોત ની સજા મળેલી.એ કેસમાં હરપાલ નાગરા ની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાક ની જેલમાં ગયેલું.ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું.ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ.એમના કહ્યા  મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.અને આવાતો ૪૦૦ ભારતીય કેદીઓ હતા,બધા મીલીટરી કેદીઓ ના હતા.અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો.૧૯૮૩ માં ૬ જણા ને જેલોની મુલાકાત ની પરમીશન મળેલી.મુલતાન,સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા,જે કેદીઓ બતાવેલા તેઓ ની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા.ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે,પણ ૫૪ માંથી કોઈ સદભાગી  બન્યો નથી.
           *રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા,એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા.મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીર સિંગ ના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે.અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ.૨૦૦૦ માં મનીષ જૈન,એમ.કે જૈન ના જમાઈ અમેરિકામાં કર્નલ આશીફ શફી પાકિસ્તાન ના ને મળે છે.ભુટો ના વિવાદાસ્પદ કેસ  આ કર્નલ પોતે ૭ વરસ પાક માં જેલમાં રહી ચુક્યા હતા.એમના કહ્યા અને જોયા  મુજબ ૧૯૭૮મા  શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા.આ મનીષ જૈન અમેરિકન એરફોર્સ ના જનરલ ચક યેગર ને ૨૦૦૫ માં અમેરિકામાં મળેલા.આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેન ની તપાસ માં પાક ની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ ના યુદ્ધાના ૨૦ ભારતીય પાયલોટો ને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા.આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે.આ ૫૪ માંથી ૨૫ તો પાયલોટો જ હતા.૧૯૯૮ માં પાછા આવેલા બલવાન્સીંગ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે,આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.
         ૨૦૦૫ માં રાંચીના મેન્ટલ એસાયલમ માંથી ૧૯૬૨ ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ,હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે.તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?              

         

Ninadevi sister of Mj Guleri

 

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3

Jasbirkaur & Jaspritkaur
Damyanti Tambey

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.

        *જસબીર કૌર ને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે.એમની દીકરી જસપ્રીત હવે યુવાન  થઇ ચુકી છે,એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે.પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુ માં મળશે.૨૦૦૭ માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી.આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓ ને ઓળખવા આમંત્રણ  આપેલું.ત્યાં લાહોર ની જેલમાં એક માણસે જસબીર ને કહેલું કંવલજીત સિંગ જીવે છે.પણ કોઈના હાથ માં કશું ના આવ્યું.કેમ?જસબીર કહે છે સાંજ પડે પક્ષિયો પણ માળામાં પાછા આવે છે.છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ ના રોજ ફોન કોલ હુસૈનીવાલ થી આવેલો ત્યારે સાંભળેલો.
        *કમલેશ જૈન,મોહિન્દર કુમાર જૈન ના પત્ની આજે પણ દરેક ભોજન નો પ્રથમ કોળીયો ભરતા હૃદય માં એક ચુભન સાથે  વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે?પાક ની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે?શા માટે તેઓ વરસો થી દુ:ખ સહન કરી રહ્યા છે?કેમ કે તેઓ ભારત ના વફાદાર સૈનિક હતા માટે?એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે,અને માતાના, પિતાશોધો ના અભિયાન માં લાગી ગઈ છે.એમની ફાઈલો ભરાઈ ગઈ છે,મીનીસ્ટ્રી ને,આર્મીને,માનવાધિકાર પંચ ને લખેલા પત્રો થી.એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે.કોઈ મીનીસ્ટર ની ડોટર ને છોડાવવા ત્રાસવાદી ને છોડી દેવામાં આવે છે,જયારે એના સૈનિક ને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈન ના.એમના પતિ નો છેલ્લે અવાજ એમણે પઠાનકોટ થી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.
           *મનોહર પુરોહિત નો દીકરો ફક્ત ત્રણ મહિના નો હતો.હવે એને પણ દીકરો છે.એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી,કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા.એમને આશા છે કે જ્યાં થી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે.આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબો ને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ  ના તળ સુધી પહોચશે.વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈ ને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓ ને સ્મગલર કહો,ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો,માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો.સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે,સારા છે,જીવે છે અને પાછા આવશે.
            *અશોક સૂરી ના મોટા ભાઈ  બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાન માં એક અલાયદો માળ જુદો રાખ્યો છે,ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે.હજુ સવારે ભાઈ ના ફોટા ને પહેલું તિલક લગાવવામાં આવે છે.સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે.એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરા ને  છોડાવી શકાય.બીજા યુદ્ધ કેદીઓના સગાઓને   ભેગા કરવા,એમના સરનામાં શોધવા,લખાપટ્ટી કરવી.બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલ માં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદ ની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો.આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?
           *કમલેશ જામવાલ,કેપ્ટન દલગીર સિંગ ના પત્ની એમના પતિ સપનામાં આવી ને કહી ગયા છે કોઈનું માનીશ નહિ,હું જીવું છું મરી નથી ગયો.પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે.પણ એમજ પત્ની કઈ રીતે માની લે?જેવું વિચારીએ તેવાજ સપના આવેને?
        *પૂનમ ગોસ્વામી,ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે,૧૯૭૧ ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા.કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે,એમના પતિ જતા  જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી.છતાં પાછા ફરશે તેવા સારા સમાચાર ની હમેશા રાહ જુવે છે.
          *વિનોદ કુમાર સાહની બી.એસ.એફ ના ઇન્ટેલીજેન્સ વિભાગ માં કામ કરતા હતા.૧૯૭૭ માં પાક રેન્જર હાથે ઝડપાઈ  ગયા.૧૦ વર્ષ પાક ની જેલો માં રહ્યા.ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા  મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચ ના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓ ને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા.અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા.પાકિસ્તાન ની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય?જેટલું બતાવે એટલું જ જોવાનુંને.ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ  રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર  કરતા વાર કેટલી? 
          *૧૯૭૭ માં ભુટ્ટો ને જેલમાં ધકેલી દેવાયા.૪ અપ્રિલ ૧૯૭૯ માં ભુટ્ટો ને ફાંસી લટકાવી દેવાયા.એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલ માં રહી ચુક્યા હતા.લાહોર ની કોટ લખપત જેલમાં ત્રણ મહિના  ભુટ્ટો રહેલા.રોજ રાત્રે એમની કોટડી ની દસ ફૂટ ઉંચી દીવાલ ની બીજી બાજુ થી ભયાનક ચીસો,બુમો ના અવાજો થી ભુટ્ટો સુઈ શકતા ના હતા.એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજો થી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા.એમના  વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા  જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફ ને પૂછીને માહિતી મેળવી.એ બાજુ ની દીવાલ  ને પેલે પાર થી  આવતા અવાજો એ ભારતના ભુલાએલા,તરછોડાએલા,પાક અત્યાચારીઓ ના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાક ના સૈનિકો ના શારીરિક  અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરો ના હતા.આપણે ઘર માં પત્ની પર નો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ.એ માનસિકતાએ ભારત ના સૈન્ય  ના હાથે હારેલા,અવહેલના પામેલા,આબરૂ ગુમાવેલા,શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્ય ના સૈનિકોએ,મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયા ઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો?આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો,ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા,પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો  હોવાના નાતે વેઠતા હતા.વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦ માં પુસ્તક લખેલું,ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન.એમાં આ વાત નોધેલી છે.
                *૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી  કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોર ના કુટુંબીઓના એસોશિયેશન ને મદદ કરી છે ખરી? કેમ?કેમકે દેશ આખો અહિંસા ને વરેલો છે.માટે આપણાં મહાત્માએ શહીદ ભગતસિંહ ના છુટકારા  માટે એમનું નામ અંગ્રેજોને  આપવાનું મુનાસીબ નહોતું સમજ્યું.ભગતસિંહ નો માર્ગ હિંસા નો હતો.એ મહાત્માના દેશ માં આ અભાગી સૈનિકો માટે વળી કોઈ ધાર્મિક નેતા બોલે ખરો?એક મંદિર  ના બનાવી કાઢીએ.પુણ્ય નું કામ થાય.ભગતસિંહ ના ભાઈ કુલતારસિંગ આ સંગઠન સાથે જોડાએલા.આ અભાગીયાઓ ને મિલિટરીમાં જવાનું કોણે કહેલું?ભોગવો હવે.  
Major Ghosh on Time magazine

Letter of Ashok suri

        

 Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2

Mrs.Damyanti Tambey
Suman & Manohar Purohit.

    અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war.          *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.

           *ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે,પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે.રાજેશ કૌરાં ના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો.અને એમના કુટુંબી જનો ને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે.ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે.બીજા કેદીઓ,રેડિયો,ન્યુઝ પેપર ના રીપોર્ટસ,જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે  લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે,કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.
          *અપ્રિલ ૧૯૭૯ માં પાક ની જેલો માં થી પાછા ફરેલા બીજા કેદીઓ ના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓ નું લીસ્ટ રજુ કરેલ.યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાં ના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા.મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે,પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું.મી.ગીલ એમાં જોડાયા.એમના ભાઈ વિંગ કમાન્ડર  હરશરણસિંગ ગીલ ના સાથીદાર ના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડ ને ટચ થતા એ બહાર નીકળી ગયેલા.પાછા ફરેલા ઘણા કેદીઓ ને આ વિંગ કમાન્ડર મળેલા છે.
              *જવાહરલાલ નહેરુ યુની ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે,એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબે ને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારો ને લખી ચુક્યા છે.એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરો ની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે.શ્રીમતી તાંબે ને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્ન ને જયારે એમના પતિનું પ્લેન પાક માં તોડી પાડવામાં આવેલું.
           * હમેશા માનવ અધિકાર ના બહાને દોડી ને દેશદ્રોહીઓની સેવા કરવા જતા  કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરો ના સગાઓના સંગઠન ને મદદ કરતા જોયું છે ખરું?આ કોઈ સામાન્ય સૈનિકો ના હતા.ઉચ્ચ  હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા.અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એના થી સરકાર ની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.માતોશ્રી નામના સુરક્ષિત પાંજરામાં રહીને હમેશા ત્રાડો પાડતાં વાઘ ને કદી આ બાબતે ત્રાડ પાડીને સરકારો ને જગાવવાનો પ્રયત્ન  કરતા કદી જોયો છે ખરો?     
        

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. 
 
              *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીત સિંગ અરોરા સામે ઢાકા મુકામે  શરણે થયા.ઢાકા થી તમામ ને ભારત લવાવવામાં આવ્યા.આર્મી કેમ્પ માં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.
        *જુલાઈ ૨ , ૧૯૭૨ ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એ શિમલા કરાર માં મત્તું માર્યું.એક બીજા દેશોના યુદ્ધ કેદીઓ ને પરત કરવાના આ કરાર નું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું.યુદ્ધ જીત્યાં ના કેફ માં ભારતના ઈતિહાસ માં એમના નામે  સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં,એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો.આપણે તો બધા યુદ્ધ કેદીઓ(૯૩૦૦૦) ને પ્રમાણિકતા થી પાછા  સોપી દીધા.પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ  અફસરો એમના મૃત્યુ ના કોઈ પુરાવા  વગર મિસિંગ હતા,ગુમ હતા.૬૧૭ સદભાગીઓ  ને પાકિસ્તાને પાછા મોકલ્યા.બાકીના ૧૬૨૧ બહાદુરો  કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી.ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર.પોતાના અસલી હીરો ને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું.એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું.એમના વૃદ્ધ માબાપ ને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું.ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરો ને પાક ની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી  દીધા.
         *પાંચમી આસામ રેજીમેન્ટ ના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલ માં થી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા.એક પત્ર તારીખ-૭ ડીસે,૧૯૭૪,બીજો ૨૬ ડીસે,૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન,૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતા શ્રી ડો.રામસ્વરૂપ સૂરી ને ફરીદાબાદ માં મળ્યા.એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય  અફસરો સાથે તેઓ કરાચી ની જેલ માં હતા.ડો.સૂરી સીમલા કરાર નો ભંગ કરી રાખેલા આ તમામ ને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજી ને મળ્યા.પરિણામ માં કશું નહિ.૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી નરસિંહરાવ,શ્રી દેવગોવડા,શ્રી આઈ.કે.ગુજરાલ,ગર્જનાઓ કરતા શ્રી અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસા ને વરેલા નપુંસક વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા  હીરોસ ને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.
            *એવી જ રીતે,૯૫ વર્ષ ના વૃદ્ધ કાંગડા ના લાલારામ શર્મા,રીટાયર કર્નલ ધનદાસ,શ્રીમતી સુશીલ ત્યાગી,ફરીદાબાદ ના શ્રીમાન શ્રીમતી ઘોષ,નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમા એમના વહાલા દીકરાઓ ની રાહ જોતા હતા.અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી,દમયંતી તાંબે,કમલેશ જૈન,નિર્મળ કૌર,કન્તાદેવી રાનોદેવી,સુમન પુરોહિત છેલ્લા ૩૯વરસ થી એમના પતિદેવો ની રાહ જોઈ રહી છે.
           *૨૦૦૪ માં મિસ્ટર એમ.કે.પૌલ માનવ અધિકાર પંચ ના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો.ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે.અને આજ પ્રશ્ન રેડ ક્રોસ  જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો?ત્યારે જવાબ માં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના  સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશન ના પ્રતિનિધિ તરીકે બોલું છું.ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે?મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો.ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદ માં આ સવાલ ઉઠાવ્યો છે.પરિણામ શૂન્ય….    

“કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.

હૈતીમાં ભૂકંપ  આવ્યો. આશરે ૨૦૦,૦૦૦ માણસો મરી ગયાની વકી છે. ૫૦,૦૦૦ મૃતદેહો મળ્યા. ૨,૫૦,૦૦૦ ઘવાયા છે. ૧૫,૦૦,૦૦૦ ઘર વગરના થઇ ગયા છે. અમેરિકાના ૨૦,૦૦૦ સૈનિકો મદદમાં દોડી ગયા છે.
બ્રિટન,ફ્રાંસ,જાપાન,ચીન,ભારત સાથે અમેરિકાએ બચાવ કામગીરીની આગેવાની લીધી છે.  અમેરિકાની આ આખીય બચાવ કામગીરીની આગેવાની  ઓબામાંની જાહેરાત મુજબ ભારતીય મૂળના રાજીવ શાહ સંભાળશે.
કટૅસ્ટ્રફિ માટે ગુજરાતીમાં મને કોઈ શબ્દ સુજ્યો નહિ. એકલો ડીઝાસ્ટર એવો અર્થ પણ ના નીકળે. એટલે મેં ઉપરનું ટાયટલ બનાવ્યું. સાડા ચાર બીલીઓન વર્ષ પહેલા પૃથ્વી સુર્યમાંથી ધગ ધગતા ઉકળતા લાવા રૂપે છૂટી પડી એને પહેલું કટૅસ્ટ્રફિ કહેવાય. ઉપરનું પડ ઠંડુ થાય એ પહેલા થીયા નામનો પૃથ્વીની બહેન જેવો ગ્રહ જોરથી ભટકાયો. અને બંને એક થઇ ગયા એના લીધે પૃથ્વીના લાવામાં વધારો થઇ ગયો.    આ અથડામણને લીધે પૃથ્વી ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ. સાથે સાથે ચંદ્રમાંની રચના થઇ. પૃથ્વીનો ઉકલતો લાવા વધારે ઘટ્ટ થવાથી, અને અંદર મોટાભાગે લોખંડ હોવાથી મેગ્નેટિક ફોર્સ રચાયો. ચન્દ્રની ઘનતા ઓછી હોવાથી એનો મેગ્નેટિક ફોર્સ ઓછો હોવાથી પૃથ્વીની આજુબાજુ ફરવાનું ચાલુ થયું. આ બધી કટૅસ્ટ્રફિ જ કહેવાય અને ભવિષ્યમાં પૃથ્વી પર પેદા થનારા જીવન માટે અબજો વર્ષ પહેલા ગોઠવાયેલી વ્યવસ્થા હતી. જો ચંદ્રની ઘનતા વધારે હોત તો એનો મેગ્નેટિક ફોર્સ વધારે હોય અને પૃથ્વીની આજુબાજુ ના ફરે તો પૃથ્વી પર જીવન અસંભવ. આમાંનું એકપણ પરિબળ દુર હોય તો જીવન અસંભવ.
               *જન્મના ૧૦ મીલીઓન વર્ષ પછી પડ ઠંડુ થવા માડ્યું, અને ઉપર એક લેયર રચાયું. વળી પાછું મોટું ડીઝાસ્ટર આવ્યું. અંદરથી લાખો જ્વાળામુખી ફાટ્યા. જાતજાતના ગેસ સાથે વરાળ ઉપર ફેકાઇ, હવે ગ્રહ ઠંડો થયો ને વાદળો રચાયાને હજારો નહિ બલકે કરોડો  વર્ષ લગી વરસાદ પડ્યો. અડધા સમુદ્રો જ ભરાયા, બાકીનું પાણી સ્પેસમાથી આવ્યું, બરફના ગોળા જેવા ધૂમકેતુ ઓ વાંરવાર અથડાઈને પૃથ્વી ઉપરના અધૂરા સમુદ્રોને ભરી ગયા. એમાં ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણનો મોટો  હાથ હતો. પૃથ્વી  કાર્બન ડાયોકસાઈડથી ભરેલી હતી. ઓક્સીજન હજુ હાઈડ્રોજન  અને  પાણીમાં છુપાએલો  હતો. જ્વાળામુખીઓની ગરમી, સતત થતી  વીજળીઓ, અલ્ટ્રા વાયોલેટ રેડીએશન આ બધા  પરિબળો વડે કેમિકલ રીએક્શન થવાથી ઓર્ગેનિક રગડો રચાયોને એમાં પહેલો સેલ રચાયો. લુકા સેલ બધા સેલોનો પૂર્વજ બન્યો. ડી.એન.એ અને આર.એન.એ રચાયા. એક કોશી જીવો બન્યા. હવામાનો અને પાણીમાનો  કાર્બન ડાયોકસાઈડ મેળવી સૂર્યની ગરમી વડે પોષણ મેળવી હવામાં ઓક્સીજન છોડવાનું શરુ કરનાર પહેલો સેલ સ્ટ્રોમાંટોલાઈટ્સ બન્યો. એના ફોસિલ મળે છે. હજુ આજે પણ સ્પેસમાંથી દેખી શકાતા સમુદ્રી લીલ વનસ્પતિ ફોટો સિન્થેસિસ વડે પૃથ્વી પર ૯૦%ઓક્સીજન પૂરો પાડી રહ્યા છે. ઓક્સીજન વડે ઓઝોનનું પડ રચવાનું શરુ થયું. પૃથ્વી પર વાતાવરણ રચવાનું તો શરુ થઇ  જ ચુક્યું હતું. એમાં ઓક્સીજન ભળતાને ઓઝોનનું પડ રચાતા અલ્ટ્રાવાયોલેટ રેડીએશનથી બચાવ શરુ થયો.
          જુઓ શિવજી, કટૅસ્ટ્રફિ કેવું કામ કરે છે. હવામાં અતિશય ઓક્સીજન વધી ગયો એ પેલા સેલ માટે ઝેરી બન્યો. મોટા ભાગનું જીવન ઝેરી ઓક્સીજનના લીધે નાશ પામ્યું પણ જે બચ્યા એ સેલ હવે ઓક્સીજન પચાવી એમાંથી જીવન મેળવવા કાબેલ બન્યા અને આ ઓક્સીજન કટૅસ્ટ્રફિ ડીઝાસ્ટરે બે ફાયદા કર્યા  શ્વાશોચ્છવાસની સીસ્ટમ વિકસાવી. એક એવા બેક્ટેરિયા રચાયા જે આથો લાવે ને પોષણ મેળવે. આઈસ એજ આવ્યો પૃથ્વી ઠરી ગઈ ને ઓક્સીજન ઘટ્ટ બન્યો. ઘટ્ટ ઓક્સીજન મીથેન જોડે ભળી ને મીથેન કરતા ઓછો નુકશાન કારક ગ્રીન હાઉસ ગેસ સીઓટુ વધ્યો. જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થઇ માઈટોકોનડ્રીયલ જીન્સ બન્યો. પૃથ્વી  ઘણી વાર બરફનો ગોળો બની ગઈ પણ દરેક વખતે જ્વાલામુખીઓ કામ લાગ્યાને પૃથ્વીને બચાવી.
                  *આશરે ૧૦૦૦ થી ૮૩૦ મીલીઓન વર્ષ પહેલા આખી પૃથ્વી એક જ રોડેનિઆ  ખંડ હતી. કેટલીય વાર પૃથ્વીના ઉપરના પડ તુટતા ખંડો છુટા પડતા ને જોઈન થતા. છેલ્લે ૨૫૦ મીલોન વર્ષ પહેલા પેન્જીયા નામનો એક ખંડ હતો. ચંદ્રના ગુરુત્વઅકર્ષણ ને લીધે સમુદ્રોમાં ગરમ પ્રવાહો શરુ થએલા. અને નીચે ઠંડા પ્રવાહો આમ એક કન્વેયર બેલ્ટ પ્રવાહોનો રચાયો. ૫૪૨ થી ૪૮૮ મીલીઓન વર્ષના ગાળામાં માછલીનો જન્મ થયો. અને એમાંથી વિકાસ થતા. ૭ મીટર થી મોટા હ્યુજ પ્રાણીઓ પેદા થયા. ઉલ્કાપાત, નેચરલ ડીઝાસ્ટર, ક્લાઈમેટ ચેન્જ અને જ્વાળામુખીઓના પ્રતાપે દરેક વખતે જીવન નાશ પામતું ને એમાંથી બચીને જુદા જુદા જીવનના ગ્રુપ ઉભા થયા. ૨૧૦ મોલીઓન વર્ષ પહેલા નાના નાના મેમલ્સ  સ્તનધારી પ્રાણીઓ પેદા થયા. સદાય ઠરેલા બરફ આચ્છાદિત ધ્રુવ પ્રદેશમાં ઉપરના ગરમ પ્રવાહ આવે એટલે ઠંડા થઇ નીચેના પ્રવાહ બની કન્વેયર બેલ્ટનું કામ કરતા સમુદ્રના જીવનનું મહત્વનું પરિબળ હતા. પણ એમાં એકવાર ગરબડ થઇ ને ૯૦ ટકા સમુદ્રી  જીવન નાશ પામ્યું. આ ડાયનોસોર પહેલાનું મોટું ડીઝાસ્ટાર હતું. કોઈ મોટી ઉલ્કા લાખો ટન અણુબોમ્બની તાકાત લઇ ને પડીને ડાયનો સોર નાશ પામ્યા પણ પૃથ્વીની  ઊંડે ઊંડે રહેતા નાના નાના સ્તનધારી બચી ગયા.  એમનો વિકાસ થયો નહીતો પેલા ડાયનોસોર જીવવા ના દે.
                 *બાલ્ટિક, સાયાબેરીયા અને ગોન્ડવાના નામના ખંડો રચાયા ને પાછા એકબીજા સાથે અથડાઈ ને ભેગા થયા. છેલ્લે એક જ પેન્જીયા ખંડમાંથી છુટા પડી આજના ખંડો રચાયા. જુદી જુદી જાતની જીવ સૃષ્ટી રચાઈ ચુકી હતી. ૮ થી ૧૦ મીલીઓન પહેલા એપ્સનો જમાનો હતો. ૬ મીલીઓન વર્ષ પહેલા એક પ્રાણી એવું બન્યું જેમાં એપ્સ અને માનવનું સમમિશ્રણ હતું એ બોનોબો અને ચીમ્પ ના પૂર્વજના ગુણો પણ ધરાવતું હતું. માણસ અને એપ્સની વચ્ચેની કડી રૂપ લુસી નામનું એક ફોસિલ રૂપે સચવાએલું આખું હાડપિંજર મળેલું છે. ૨૫ લાખ વર્ષ પહેલા આજના માનવીના પૂર્વજનો જન્મ થયો ઝાડ પર.  પાંચ લાખ વર્ષ ઝાડ પરજ વિતાવ્યા. ૨૦ લાખ  વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે. બે પગે ચાલવાથી બ્રેનનો ઝડપથી વિકાસ થયો. એમાંથી આશરે ૭,૯૦,૦૦૦ વર્ષ પહેલા હોમોઈરેક્ટસ માનવી પેદા થયો. માનવીની જુદી જુદી જતો એક સાથે પૃથ્વી પર જીવતી હતી. પણ ધીરે ધીરે નાશ પામી.  હોમો સેપિયન જાતે પૃથ્વી કબજે કરી. એમની સાથેજ જીવતા નીયેન્ડરથલ ને સર્વાઇવલના યુદ્ધમાં પછાડી હોમોસેપિયન એકલાજ બચ્યા. આશરે ૨૦૦,૦૦૦ વર્ષ પહેલા હોમોસેપિયન પેદા થયાનું મનાય છે. એમનું ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાનું ફોસિલ મળેલું છે. આપણે હોમોસેપિયન કહેવાઈએ.
                 *૮૫૦૦૦ થી ૭૦૦૦ બી.સી.ના ગાળામાં ખેતી શરુ થઇ. ત્યાં સુધી આપણે માંસ ઉપર ને ફળફળાદી ઉપર જીવતા હતા. લાખો વર્ષો થી માંસ ખાતો આવેલો માનવી એકદમ શાકાહારી કઈ રીતે થઇ જાય? ૪૦૦૦ થી ૩૦૦૦ બી.સી.દરમ્યાન મિડલ ઇસ્ટ, ચાઈના, ઈજીપ્ત, અને સીધું નદી ઉપર સંસ્કૃતિઓ વિકસી. ૩૦૦૦ બીસીમાં હિંદુ ધર્મનો કોન્સેપ્ટ આવ્યો એટલે હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ બન્યો.
           * પણ એનાથી હરખાવાની જરૂર નથી. કારણ એ જુનો હિદુ ધર્મ આજે ખાસ બચ્યો નથી.  દરેક કટૅસ્ટ્રફિ એ મોટું ડીઝાસ્ટર હતી. એનાથી મોટા ભાગનું જીવન નાશ પામ્યું છે ને એમાંથી બચીને નવું જીવન વધારે વિકસિત પેદા થયું છે. કેટલાય  વાર પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે ને જ્વાલામુખીઓ એ એને બચાવી છે. જે કાર્બન ડાયોકસાઈડ ને ઝેરી ગણીએ છીએ એણેજ પૃથ્વીને વાતાવરણ આપ્યું છે. અને પહેલા જીવનનો ખોરાક પણ બનેલો છે. કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગ થયું છે ને હિમયુગ આવ્યા છે. જે ઓક્સીજનના લીધે પૃથ્વી પરનું જીવન  નાશ પામેલું, એનોજ ઉપયોગ કરીને જીવન આગળ ધપ્યું છે. તમે ગ્લોબલ વોર્મિંગ વધારશો તો પૃથ્વીને કોઈ નુકશાન નથી. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને ભયંકર નુકશાન પહોચાડસો એ વાત જ ખોટી છે. જે નુકશાન થશે એ તમને થશે. પૃથ્વી પોતે ગ્રેટ સર્વાઈવર છે. તમે જીવો કે મરો એની ચિંતા પૃથ્વી કરવાની નથી. તમે નાશ પામશો તો કોઈ નવું જીવન તમારાથી વધારે સુપર, જગ્યા લેશે. પૃથ્વીએ આજ સુધી એજ કર્યું છે.
         *મેડીટેરનિયન સમુદ્ર કેટલીય વાર આખો ને આખો સુકાઈ ગયો છે. સીસલીમાં એના અવશેષ રૂપ મીઠાની જબરદસ્ત ખાણો છે. આફ્રિકાથી હાથી અહી પણ આવેલા છે. આ સમુદ્ર સુકાઈ જાય ને ખોરાકની તકલીફ પડે એટલે હાથીઓ એ એમની જાત સંકોચેલી છે. અને પછી હ્યુજ પણ બનાવેલી છે. અહી બકરીની સાઈજના પુખ્ત હાથીઓના ફોસિલ મળે છે.  ભારત પણ આફ્રિકા ખંડ સાથે જોડેલું હતું. ત્યાંથી છુટું પાડી ને એશિયાને અથડાયું છે. અને હજુ અથડામણ ચાલુજ છે. એમાંથી હિમાલયની ગ્રેટ પર્વતમાળા રચાઈ છે. પહેલા અહી ટીથીસ નામનો સમુદ્ર હતો. હમણા પાકિસ્તાનમાં ધરતીકંપ થયો ત્યારે ત્યાની પર્વતમાળાની ઉચાઈ માં ૧૬ ઇંચ નો વધારો નોધાયો છે. ભલે લાખો વર્ષ  થયા હિમાલયની રચનાએ પણ એ મોર્ડન ગ્રેટ કટૅસ્ટ્રફિ હતું. એટલે હિંદુઓ એ શિવને કૈલાસ પર બેસાડ્યા છે. નાના નાના કટૅસ્ટ્રફિ તો થયા જ કરે છે. ભારતીય પ્લેટની અથડામણ એશિયન  પ્લેટ સાથે ચાલુ છે માટે હિમાલય ની ઊંચાઈમાં પણ વધારો થયા કરે છે. જીવન સમુદ્રમાં શરુ થયું, લાલન પાલન પણ ત્યાજ થયું એટલે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા છે. આ બધામાં સમય ભલે આપણ ને લાખો, કરોડો વર્ષનો લાગે પણ જીયોલોજીકલ સમય પ્રમાણે આંખનો એક પલકારો માત્ર છે. એટલે પ્રાચીન મનીષીઓએ કહ્યું કે બ્રહ્મા આંખનો એક પલકારો  મારે એટલે પૃથ્વી પર લાખો વર્ષ વીતી ગયા હોય. વિજ્ઞાન એ વાત આજે કરેજ છે.
      ભગવાન શિવ એ કોઈ વ્યક્તિ નથી. નથી એ હિમાલયમાં રહેતા. ભલે મોરારી બાપુ એમને ક્યાંક શિવ ભટકાય જાય એ આશામાં કૈલાશ ઉપર કથા કરવા જતા. પ્રાચીન હિંદુ ધર્મના ખેરખાંઓ આ કટૅસ્ટ્રફિ  જાણતા હતા. પણ એ વખતે અંગ્રેજી ભાષા ના હતી માટે એમણે ભગવાન શિવ, શંકર, સર્જન અને વિસર્જનના દેવ એવું નામ આપ્યું. ડીઝાસ્ટર રૂપી અનેક ઝેર એ પચાવી શકે છે. ને નવું બહેતર જીવન પેદા કરી શકે છે. તમે બનાવટી વાતો  જોડો એમાં શંકરનો શું વાંક? કે પ્રાચીન મનીષીઓનો શું વાંક? તો બોલો કટૅસ્ટ્રફિના દેવ કે ખુદ કટૅસ્ટ્રફિ  એવા ભગવાન શંકરની જય.

અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?

Dr Annie Besant

    આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે. ગુજરાતની સ્કૂલોનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એનો સારો એવો વિવાદ ચાલી રહ્યો છે. બીજા રાજ્યો કરતા ગુજરાતીઓ અંગ્રેજી સારું જાણતા નથી કે બોલી નથી શકતા. એટલે કોર્પોરેટ નોકરીઓમાં પાછળ પડી જાય છે એ પણ હકીકત છે. સારી એવી ઉંચી પોસ્ટો પર દક્ષીણ ભારતીયો કે બંગાળીઓ કે પછાત ગણાતા બિહારના લોકો ગુજરાતમાં મેદાન મારી જાય છે. કલેકટર કે આઈ.પી.એસ કે આઈ.એ.એસ ઓફિસરોમાં ગુજરાતીઓ નહીવત છે. અંગ્રેજી વૈશ્વિક ભાષા બની રહી હોય ત્યારે એને વખોડીને એને નકારવી એ મેરા ભારત મહાનનો એક ઓર મહાદંભ કહી શકાય. માધ્યમ ભલે ગુજરાતી હોય પણ એ સ્કુલમાં અંગ્રેજી બરાબર શીખવવું જોઈએ. અને માધ્યમ અંગ્રેજી હોય પણ એના વિદ્યાર્થીઓને અંગ્રેજી બરોબર આવડતું ના હોય તો શું કામનું? એટલે માધ્યમ ગમેતે રાખો અંગ્રેજી સારું શીખવો તો બાકી દુનિયા થી ગુજરાતી વિદ્યાર્થીઓ પાછળ ના પડી જાય. સ્વદેશીના મોહમાં અને અંગ્રેજી પ્રત્યે દ્વેષ રાખી ગુજરાતની સરકારોએ અંગ્રેજીને મહત્વ આપ્યું નથી. એના ખરાબ પરિણામો જગ જાહેર છે. અંગ્રેજોનું બધારણ, કપડા, શિક્ષણ પધ્ધતિ, રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ? અંગ્રેજીને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે? ૧૮૫૭ ના બળવા પછી આઝાદીની વાતો બધ થઇ ગઈ હતી. આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા, કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ. બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા. છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી? ગોખલે, તિલક કે ગાંધીજીએ? ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા, હોમરુલ લીગની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી. આપણાં ગુલામી માનસ ને આઝાદ થવું જોઈએ એવી શરૂઆત પણ અંગ્રેજ બાઈ એ કરાવેલ. ઈ.સ.૧૯૧૪ માં ડો. એનીબેસંટે  હોમરુલ લીગની સ્થાપના કરી ને ૧૯૧૭માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

                 *હવે દુનિયાની ભાષા અંગ્રેજી થઇ ચુકી છે. એટલે અંગ્રેજી મીડીયમની સ્કૂલો કરતા સારું અંગ્રેજી શીખે એની જરૂર છે. વડોદરાની ઘણી બધી અંગ્રેજી મીડીયમની સ્કુલોના વિદ્યાર્થીઓ સારું અંગ્રેજી પણ બોલી શકતા નથી. જયારે ગુજરાતી મીડીયમની એલેમ્બિક વિદ્યાલયના મારા મિત્રો આજથી ૩૫ વરસ પહેલા ખુબજ સરસ અંગ્રેજી બોલતા હતા. અને ગુજરાતી નો તો સવાલ જ ન હતો. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં ભણેલા એન્જીનીયરો ને અંગ્રેજી બોલતા ના આવડતું હોય એવું પણ મેં જોએલુ છે. આપણાં ગુજરાતના જિલ્લાઓનો વહીવટ કરતા હોય એમાં ગુજરાતી પોતે કેટલા? આપણાં ગુજરાતના જિલ્લાઓની મહત્વની કાયદા કાનુન ને રક્ષણ ની જવાબદારી નિભાવતા પોલીસ વડાઓમાં ગુજરાતી કેટલા?
              *અહી અમેરિકામાં પણ સારી નોકરીઓ પર બીજા રાજ્યના લોકો વધારે આગળ હોય છે. ખાસ તો દક્ષીણ ભારતીયો ને મુંબઈ થી આવેલા ને અહી અમેરિકામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. જયારે ગુજરાતીઓ કાતો ધંધો કે મજુરી જ  કરતા હોય છે. ગુજરાતીઓ ધંધાની બાબતમાં સાહસિક હોય છે, એટલે ગમે તે કરીને આગળ નીકળી જાય છે. એ માટે એમની તારીફ કરીએ એટલી ઓછી છે. પણ સામાન્ય કોમ્પુટર પર ડ્રાઈવિંગ માટે જરૂરી નોલેજ ટેસ્ટ પાસ કરતા ગુજરાતીઓને આંખે પાણી આવી જાય છે. એમના કાચા લાયસન્સ પર ૧૨ વખત ટ્રાયલ મારેલાં સિક્કા મેં જોયા છે. હું અમેરિકા આવ્યો ને પહેલા ટ્રાયલે પાસ થયો ને મારા ગુજરાતના વર્ષો જુના લાયસન્સ ને દેખીને ન્યુ જર્સીમાં તરત જ લાયસન્સ આપી દીધું, તે વાત મારા અહીના કોઈ સગા માનવા તૈયાર જ ન હતા. પહેલા ટ્રાયલે પાસ થયા એ વાત જ ની નવાઈ લાગેલી. જોકે હું અંગ્રેજીમાં ઘણો કાચો છું. ગોખણપટ્ટી  મારીને પાસ થઇ ગયેલો. દક્ષીણ ભારતમાં હું મારા સગા રહેતા હોવાથી ઘણી વાર જઇ આવ્યો છું. ત્યાં અંગ્રેજી લોકો ખુબ સરસ બોલતા હોય છે. કેરાલામાં ૧૦૦% એજુકેશન રેટ છે. એ લોકો એમની માતૃભાષા  ભૂલી ગયાનું જાણ્યું નથી. મારા સગાનાં દીકરા દીકરી બેંગલોરમાં ભણેલા છે અંગ્રેજી માધ્યમમાં. એ લોકો અંગ્રેજીની સાથે કન્નડ ભાષા પણ ખુબ સારી રીતે કન્નડ લોકોને શરમાવે એ રીતે બોલતા મેં જોયા છે. માતૃભાષા કોઈ ભૂલી જવાનું નથી. કારણ જન્મ થતાની સાથે બાળક ગુજરાતી સાંભળતો હોય તો એ ભાષા એના બ્રેનની કોરી હાર્ડડિસ્કમાં એક વાર સ્ટોર થઇ જાય, મતલબ એના અચેતન માઈન્ડમાં ઘુસી જાય પછી દુનિયાની કોઈ તાકાત એને ભૂસી ના શકે. આ વિજ્ઞાન ના જાણતા લોકો ખોટો હોબાળો કરે છે.
            દેખા દેખીથી અને ફક્ત કમાણી કરવાના આશયથી ખોલેલી અંગ્રેજી માધ્યમની સ્કુલો કરતા તો સારું અંગ્રેજી શીખવતી ગુજરાતી માધ્યમની એલેમ્બિક વિદ્યાલય જેવી સ્કુલો હજાર દરજ્જે સારી. નામ હોય ગુરુકુળ ને માધ્યમ હોય અંગ્રેજી આના કરતા મોટી વિડમ્બના કઈ?  બીજું દસ અને બાર ધોરણ ની બોર્ડની પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના  ટકા ઓછા આવે છે. એનું ગુજરાતમાં રહસ્યમય કારણ છે કે અંગ્રેજી મીડીયમના દસમાં બારમાના પેપરો ગુજરાતી મીડીયમના શિક્ષકો તપાસે છે. અને તે પણ પૂર્વગ્રહ થી ભરાઇને. બીજું આ શિક્ષકોનું અંગ્રેજી સારું ન હોય તે સ્વાભાવિક છે. એમાં ઘણા બધા ખુબજ હોશિયાર અંગ્રેજી મીડીયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ચુક્યું છે. મારા એક મિત્ર વડોદરાની અંગ્રેજી મીડીયમની હાઇસ્કુલ બરોડા હાઇસ્કુલ, અલકાપુરીમાં દસ અને બારમાં ધોરણમાં અંગ્રેજી ભણાવતા હતા. એ પેપર તપાસવા ગયેલા ત્યારે એમને નવાઇ લાગેલી કે અહી તો સાવ ઉંધુ જ ચાલી રહ્યું છે. અંગ્રેજી મીડીયમના પેપરો ગુજરાતી મીડીયમના ટીચર્સ તપાસતા હતા. ઈતિહાસનો ટીચર સાયન્સના પેપર તપાસતો હતો. એમણે પાછા આવી લાંબી લાંબી અરજીઓ શિક્ષણ ખાતામાં અને ગુજરાત સરકારમાં કરેલી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ તપાસવા માટે પુરતા શિક્ષકો નથી. અત્યારે  શું ચાલી રહ્યું છે તે ખબર નથી. એ  મિત્ર ૧૧માં ધોરણમાં અંગ્રેજીમાં નાપાસ થએલા. અંગ્રેજીમાં બી.એ અને એમ.એ કરી બી.એડ કરી આખી જીંદગી અંગ્રેજી ભણાવતા હવે રીટાયર થશે.
              *પહેલા કોઈ ભાષા નહોતી ત્યારે પણ માણસ જીવતો જ હતો. સંસ્કૃત હવે પુસ્તકોમાં રહી ગયી છે. એની અવેજીમાં આવેલી પ્રાકૃત જૈન અને પાલી બુદ્ધ સાહિત્ય પુરતી રહી હશે. જૂની અસલ ગુજરાતી કોઈ ને યાદ છે? એના માટે કોઈ જુના સાહિત્યકાર ખોળવા પડે. ગુજરાતી પણ સુરતની જુદી, સૌરાષ્ટ્રની જુદી. ચરોતરની ચમ સો? મહેસાણાની લેબુ, મેઠું ને પોણી. અમારા ઉત્તર ગુજરાતના રાજપૂતોમાં નાના છોકરાને પણ તુંકારે ના બોલાવાય. મેર લોકો તો રાજાને ય તું કહીને બોલાવે. અમે રજપૂતો આપ પધારો, બિરાજો, ફૂવાસા, કાકાસા, કાકીસા, જી હુકુમ બોલાવામાંથી ઊંચા જ ના આવીએ. દક્ષીણ ગુજરાતના રાજપૂતોની વાત જુદી છે. હું નવો નવો વડોદરા ભણવા આવ્યો. હોસ્ટેલમાં એક સુરતી છોકરો હતો. એણે એક દિવસ મને ગાળ દીધી. હું તો એના ઉપર ચડી બેઠો ને માંડ્યો મારવા. બધાએ છોડાવ્યા ને કારણ પૂછ્યું . પેલો સુરતી કહે હું તો ગાળ બોલ્યો જ નથી. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં કોઈ ગાળ દે તો મારામારી થઇ જાય. પછી મને પહેલી વાર ખબર પડી કે સુરતીને ખબર ના હોય કે શબ્દે શબ્દે ગાળ બોલે છે. પછીતો એ મારો પરમ મિત્ર બની ગયો, ને હું પણ શીખી ગયો…શું?
         *આ સતત પરિવર્તન શીલ સંસાર માં સંસ્કૃત જેવી દેવ ભાષા પણ અજ્ઞાતમાં સરી ગયી છે. કશું આ સંસારમાં સ્થાયી નથી. અંગ્રેજી પણ જૂની હવે ટકવાની નથી. દર ત્રણ મીનીટે એક નવો શબ્દ અંગ્રેજીમાં ઘુસતો જાય છે. જગન્નાથ મંદિરની રથયાત્રા જોઇને ખુબ વિશાલ, પ્રચંડ ને ભવ્ય હોય તેના માટે  જેગર્નોટ શબ્દ અંગ્રેજો એ બનાવેલો છે. લગભગ દરેક ભાષામાંથી શબ્દો અંગ્રેજીમાં ઘુસતા જાય છે. એમાય પછી ચેટીંગ માટે એકદમ શોર્ટ અંગ્રેજી પ્રસ્થાપિત થઇ ચુકી છે. થેન્ક્સના બદલે Thx.  હવે પછી એક નવી ગ્લોબલ ભાષા આવવાનીજ  છે. કોઈના કહેવાથી કશું અટકવાનું નથી. જરૂરિયાત પ્રમાણે બધું જ બદલાઈ જવાનું છે,  ભાષા પણ.
             *માતૃભાષા દરેક ને સારી રીતે આવડવી જોઈએ. એનું ધ્યાન અહીની કોલેજો સારું રાખતી હોય છે. એના માટે જો તમે ભારતમાં અંગ્રેજીમાં સ્નાતક હોવ અને તમને ગુજરાતી પણ સારું ભણાવતા આવડતું હોય તો તમને અમેરિકાની કોલેજોમાં ગુજરાતીના શિક્ષક તરીકે નોકરી ને વિઝા મળી શકે છે. એના માટે મેં અકિલા ન્યુજ પેપરમાં એની માહિતી અને વેબનું એડ્રેસ વાચેલું. અને તે હકીકત છે. કોઈ ખોટી વાત નથી. ખાલી ગુજરાતી નહિ પણ ભારતની બીજી ભાષાઓ પણ આ યોજનામાં સામેલ કરેલી છે.દા:ત.  હિન્દી,પંજાબી અને બીજી દક્ષીણ ભારતની.
       *માધ્યમ કયા રાખવા એના કરતા માતૃભાષા અને સાથે સાથે અંગ્રેજી સારી રીતે શીખાય તે મહત્વનું છે.

“રામ તેરી ગંગા મૈલી હો ગઈ”…..પાપીઓ કે પાપ ધોતે ધોતે…….

Ganga Avtaran

 

                            * ઈ.સ.૧૮૬૪ની આસપાસ,આજથી આશરે ૧૪૬ વર્ષ પહેલા અદ્વૈતવાદી યોગીરાજ સ્વામી તોતાપુરીના પવિત્ર મુખે થી શબ્દો નીકળેલા રામ તેરી ગંગા તો બહોત મૈલી હો ગઈ હૈ. હરદ્વારથી કલકત્તા આવતા સુધીમાં ગંગા કેટલી બધી મેલી થઇ ગઈ હતી એનો પુરાવો ૧૪૬ વર્ષ પહેલા બોલાએલા આ વાક્યમાં હતો. આ તોતાપૂરી સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ(સ્વામી વિવેકાનંદ ના ગુરુ)ના અદ્વૈત ની સાધના દરમ્યાન ગુરુ હતા. આજ ગુરુના પ્રતાપે ને એમની દોરવણી હેઠળ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને  નિર્વિકલ્પ સમાધિ ની અનુભૂતિ થએલી.ત્યાં સુધી એઓશ્રી અધુરપ અનુભવતા હતા.આવા પ્રતાપી ગુરુ ના મુખે થી નીકળેલા શબ્દો ને ટાઈટલ બનાવી મહાન શો મેન રાજકપૂરે એક હિન્દી મુવી બનાવેલું એ કેટલું બધું સફળ થએલું,એ સૌ કોઈ જાણે છે.આપણે એ જુના મુવી વિષે નો લેખ નથી લખવો, એ કામ સન્માનીય રાજુલ બેન માટે રાખીએ.એઓશ્રી જ પુરતો ન્યાય આપી શકે.
                      *કોઈ હિન્દુસ્તાની લેખક શ્રી અંગ્રેજીમાં વાર્તાઓ લખે છે,અને ગંગા નદીમાં લોકો કુદરતી હાજતે જાય છે,એવું લખીને ભારત ની સંસ્કૃતિ ની વગોવણી કરે છે.આનાથી ઘણા બધા નો આત્મા દુભાય છે.મારો પણ દુભાય છે.સૌ કોઈ ભારતીય નો પણ દુભાશે જ.પરદેશ ના ઘણા બધા જાણીતા વ્યક્તિઓ ગંગા માટે માન,ભક્તિ,શ્રદ્ધા,અને પ્રેમ ધરાવે છે.અને એની શુદ્ધતા માટે આપણાં ભારતીયો કરતા વધારે ચિંતિત છે.છતાં કોઈ કોઈ પરદેશી અને દેશી સુદ્ધાં ગંગા નદી ની ગંદકી ની વાતો કરી ને હંસે છે,ત્યારે આપણે કૃદ્ધ થઇ જઈએ છીએ,અને એને વખોડવા લાગીએ છીએ.સ્વાભાવિક છે આ બધું.
                     *  પ્રથમ ભૂલ આપણી જ છે.બીજા કોઈ નો દોષ જોવો એના કરતા આપણો દોષ પહેલો જોવો જોઈએ.ગંગા દુષિત થઇ જ ગયી છે,એતો માનવું જ પડે.આપણે ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા સાથે જોઈન્ટ નથી કરી,બંનેના માપદંડો જુદા જુદા છે.એનું સર્વ પાપ ગુરુઓને લાગે છે.ગુરુઓએ પવિત્રતાની સાથે સ્વચ્છતા પણ જોડી દેવી જોઈતી હતી.જે વસ્તુ ને તમે પવિત્ર માનતા હોવ એમાં મળ વિસર્જન કઈ રીતે કરી શકો?આ તો પાપ જ કહેવાય.અને આના વિષે આપણો હિન્દુસ્તાની લેખક જ વધારે કહી શકે.કારણ ધોળિયા લેખક ને તો વિચાર જ ના આવે કે લોકો નદી માં હાજતે જતા હશે.દુખ એ વાત નું થાય છે કે પરદેશ માં લોકો આપણી ગંદી આદતો વિષે જાણી જાય છે.અને આબરૂ ના ધજાગરા થાય છે,આત્મા એટલા માટે દુભાય છે કે આપણા મહાનતા ના ખ્યાલો માં કોઈ ઘા કરે છે.મને પણ દુખ થાય છે જયારે કોઈ લેખક અને તે પણ આપણો ગંગા વિષે ખરાબ લખેતો.પણ વધારે ગુસ્સો આપણા ધર્મ ગુરુઓ પર આવેછે કે આ લોકોએ પ્રજા ને એવું કેમ ના શીખવ્યું કે અસ્વચ્છ વસ્તુ કદી પણ પવિત્ર ના હોઈ શકે.કારણ વસ્તુ પવિત્ર છે એવું પણ ધાર્મિક મહા પુરુષો જ ઘુસાડે છે.તો સ્વચ્છતા પણ એમણે જ શીખવાડવી  જોઈએ.ગંગા આજની ગંદી નથી.ગંગા કોઈ કાળે શુદ્ધ નહિ થાય.પ્રજા ના મનમાં,બ્રેન માં,અચેતન માનસમાં,સબ કોન્સીયાશ માઈન્ડ માં ઘુસેલું જ નથી કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય.ગંદા હાથે વહેચેલી કે નીચે પડેલી પ્રસાદી લોકો ખાઈ જાય છે.કારણ પવિત્ર છે.મને ઉબકા આવે છે જોઇને.કોઈને ખોટું ના લાગે એનું ધ્યાન રાખી હું તો ફેકી દઉં છું.સરકાર ગમેતેટલા પ્રયત્નો કરે,ગમે તેટલા આંદોલનો ચલાવે કોઈ ફેર ના પડે.એકજ ઉપાય છે મોર ધેન ૨૫૦૦૦ હજાર સંપ્રદાયો ના ધાર્મિક વડાઓ જાહેર કરે કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય બાકી નાં હોય તો એકજ અઠવાડિયા માં ગંગા શુદ્ધ થઇ જાય.
                  *આના માટે આપણા બ્લોગ જગત ના શ્રી અરવિંદ અડલજા એ પ્રમાણિક પ્રયત્ન કરી જોએલો.શક્ય એટલા ધર્મગુરુઓને એમણે આ બાબત પત્રો લખેલા.પણ એક સ્વામી સચ્ચીદા નંદજી(દંતાલી)સિવાય કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નહતી. 
                  *એકવાર અમે થોડા પડોશીઓ ભેગા થઇ ચાણોદ ગયેલા નર્મદા કિનારે.હવે ઘાટ પર ગયા બધા નહાવા,પુણ્ય કમાવા.મેં જોયું તો બધા એકજ જગ્યાએ નહાતા હતા.એમાં વધારે પવિત્ર થવા ઘણા તો સાબુ લગાવી ને સ્નાન કરતા હતા.થોડે દુર એક નાનું ટોળું ભેંસો નું નદી માં ઉભું ઉભું બંને જાતની શૌચ ક્રિયા ઓ કરી નર્મદાની પવિત્રતા માં વધારો કરતી હતી,અને એ બાજુ થી પાણી નો પ્રવાહ આમારી તરફ આવતો જોઈ મેં તો સ્નાન કરી સ્વર્ગ માં ટીકીટ બુક કરાવવાનું માંડી જ વાળ્યું.બધાને જરા હું સનકી લાગ્યો.કે છેક નદી એ પણ પવિત્ર નદી કિનારે આવીને નહાયા વગર જાય.એવા માં મારા આશ્ચર્ય વચ્ચે મારા પાડોશી બહેને નદી માંથી પાણી હાથ માં લઇ પી લીધું.બધાની વચ્ચે હું ઉબકો પણ ખાઈ ના શક્યો.
               *હોલીવુડ ના મુવી ૩૦૦(સ્પાર્ટા) નો ડેશિંગ અભિનેતા કોઈ કારણસર ગંગા નદી ઉપર આવેલો.લોકોને નહાતા અને પાણી લઇ આચમન કરતા જોઈ ઘીંસ ખાઈ ગયેલો.અહી જયલેનો ના ટોક શો માં આવેલો.ત્યારે એના ગંગા ના અનુભવ ની વાત નીકળી.લોકો એને પણ આગ્રહ કરતા હતા ગંગાનું પાણી પીવા માટે,આચમન કરી સ્વર્ગ માં સીટ બુક કરાવવા.બધા એકજ જગ્યાએ નહાતા હોય ત્યાં થી હું કઈ રીતે પાણી પી શકું?એવા એના શબ્દો હતા,હોસ્ટ અને આ અભિનેતા બંને હસતા હતા.મને ખુદ ને આ જોઈ આ લોકો ઉપર નહિ પણ આપણા ભારતીયો ની મુર્ખામી પર ખુબ ગુસ્સો આવ્યો.
              *આપણે ગંદા હોઈએ અને કોઈ ગંદા કહે તો એમાં ખોટું શું લગાડવાનું?ઉભા થઇ ને નાહીને ચોખ્ખા થતા કોણ રોકે છે?પછી કહીએ કે આતો આપણી મહાન સંસ્કૃતિ ને વગોવે છે,બદબોઈ કરેછે.બધાને આપણી પવિત્રતા નથી દેખાતી ને ખાલી ગંદકી  જ દેખાય છે.આ ક્યાંનો ન્યાય?કોઈ કહેશે લોકોમાં એજ્યુકેશન વધારો,એજ્યુકેશન ના હોય એટલે આવું થાય છે.તો હું જણાવું કે જે બહેને મારી હાજરી માં નર્મદાનું ગંદુ પાણી પી(આચમન) સ્વર્ગ માં ટીકીટ બુક કરાવેલી એ બહેન વડોદરા ની મ.સ.યુની. ના કેમેસ્ટ્રી સાયંસ ગ્રેજ્યુએટ છે.પણ પવિત્રતા નો સવાલ આવે તો ભણતર જાય ભાડ માં.
            *ખાલી ગંગા જ નહિ દરેક નદી પવિત્ર છે.દરેક દેશ ની નદીઓ પવિત્ર જ છે.કારણ નદીઓ કિનારે જ જૂની સંસ્કૃતિઓ વિકસેલી છે.આપણા માટે જેટલી ગંગા પવિત્ર છે એટલી જ પવિત્ર નાઇલ ઈજીપ્ત માટે,એમેઝોન અમેરિકા માટે,હડસન ન્યુયોર્ક ને જર્સી સીટી માટે,સિધું પાકિસ્તાન માટે,ગોદાવરી દક્ષિણ ભારત માટે,ભરૂચ માટે નર્મદા,તાપી સુરત માટે,સાબરમતી અમદાવાદ માટે,મહીસાગર વડોદરા માટે.નાનામાં નાની નદી પણ એને કાંઠે વસેલા ગામ માટે પવિત્ર જ છે.ફક્ત એને ચોખ્ખી,સ્વચ્છ રાખવાની જવાબદારી એને કાંઠે વસેલા ગામ લોકોની પવિત્ર ફરજ છે.            
 
Garbage
Ganga snan
Aarati Gangajini

અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.

 

અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ …
તમે અત્યારના  કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રીને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા? ના. બરોબર ને ? ભગવાન શ્રી કૃષ્ણને ભારતના અધ્યાત્મીક્જગતના મહાગુરુ કહી શકાય. એમણે હથિયાર ઉપાડેલા. ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી. અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી. પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં, જેમણે એમના ૪૨ વર્ષના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા. અને એક આખી કોમને બહાદુર બનાવી દીધી. આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન. ડીસેમ્બર ૨૨, ૧૬૬૬ ના દિવસે  પટનામાં જન્મેલા ગોવિંદરાય, શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુરના પુત્ર હતા. પાંચ વર્ષ સુધી પટના માં નાનપણમાંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાયને પટનાના રાજા અને રાણી પણ ખુબ માન આપતા. રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
                *
ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિકના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતુંગોવીન્દરાય પંજાબી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પર્શિયન અને અરબી આટલી ભાષાઓના નિષ્ણાત હતા. પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા. કોઈ રાજ ઘરાનાના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારીની તમામ તાલીમ લીધેલી. એ વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ્ય હતું ને હિંદુ મુસ્લિમના કાયદા અલગ હતા. લગભગ હિંદુઓના હિતના કોઈ કાયદા જ નહતા. એટલે થોડા કાશ્મીરી પંડિતોનું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું, ને ઔરંગઝેબને સમજાવવા જવા માટે તૈયાર કર્યા. ઔરંગઝેબ દ્વારા તેગબહાદુરને કેદ કરવામાં આવ્યા, ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું. ગુરુ ના માન્યાં. ૧૧ નવે, ૧૬૭૫ના દિવસે ગુરુ તેગ બહાદુરનો શિરચ્છેદ કરવામાં આવ્યો. અને ચાંદની ચોકમાં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવામાં આવ્યું. પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા. દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોતના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા. આ બાજુ ગોવિંદરાયને દસમાં ગુરુ જાહેર કરાયા. હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ  સારા કવિ પણ હતા. પ્રેમ, વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબતના ઘણા કાવ્યો રચેલા. એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ)ની સ્થાપના કરી. એમના સૈન્યમાં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
              
*સતત ભાગદોડ, અને યુદ્ધો ગુરુને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવના અનુયાયીઓથી મેળ નહિ પડે. કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તનનો સમય આવી ચુક્યો છે. ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય. ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું. એક નાના ટેન્ટમાં બધા ભેગા થયા. ગુરુએ પૂછ્યું
          *હું કોણ છું તમારા માટે?  જવાબ મળ્યો, અમારા ગુરુ.
          *તમે કોણ છો? જવાબ મળ્યો, અમે તમારા શીખ છીએ.
          *ગુરુ એમના શીખો પાસેથી કશું ક ઈચ્છે  છે, જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
          *ગુરુ એ કમરમાંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે? મારે માથું જોઈએ. કોઈ જવાબ નહિ. એક વાર, બેવાર કોઈ જવાબ નહિ. ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા. ગુરુ એમને અંદર લઇ ગયા. અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું, ને લોહીથી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા. હજુ બલિદાન જોઈએ, સભામાંથી ધરમદાસ ઉભા થયા. ગુરુ અંદર લઇ ગયા. પાછા લોહી થી ખરડાએલી  તલવાર   લઇ બહાર આવ્યા. હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી. એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા. થોડીવાર પછી પાંચેય અનુયાયીઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા. જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે, ખાલસા પંથના પ્રથમ દિક્ષિતો. અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એટલે પ્યોર શુદ્ધ. ખાલસા પંથના પહેલા પાચ દિક્ષિતો હતા, (૧)દયારામ (દયાસિંહ) (૨)ધરમદાસ(ધરમસિંહ) (૩)હિંમતરાય(હિંમતસિંહ) (૪)મોહ્કમચંદ(મોહકમસિંહ) (૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે. રામ, દાસ, ચંદ, રાય આ બધા હવે સિંહ બન્યા. આ હતું એક વૈશ્ય કોમનું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન. અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાયમાંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
           
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે. સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની. અને સ્ત્રીઓના નામની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું, આજથી બધાજ શીખ એકજ કોમના નાતજાત કશુજ નહિ. કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ. આખી વર્ણ વ્યવસ્થા એક જ ઝાટકે દુર. કોઈ હિંદુ કે મુસલમાન ધર્મના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ. શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું. ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના. સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ, સતી થવાનો રીવાજ બંધ, બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ, એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ, ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું. ધુમ્રપાન બંધ, નાતજાત, રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદોની સેવા અને રક્ષા. તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું, દરેક શીખે પાચ  ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના. હાથમાં કડું પહેરવાનું, કડું એ એક જ ભગવાન, યુનિવર્સલ ગોડનું પ્રતિક છે. હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની. કોઈ અંધવિશ્વાસમાં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તનમાં વિશ્વાસ રાખવાનો, મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય. 
                

 એક નરમ ગણાતી કોમને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી. ઔરંગઝેબને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું, એણે ગુરુ જોડે મૈત્રીના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા, ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબનો દેહાંત થયો છે. ૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીરનો ખિતાબ આપ્યો. સરહિન્દના નવાબ વઝીરખાનને આ મૈત્રી ખટકી, એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા, જમશેદખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદખાને વાર કર્યો, ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો. વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો. સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા, પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે. ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ, ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ. મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો, ૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ના દિવસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.

                *

ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓનું મહત્વ સમજતા હતા, માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા. ગુરુ ને ખબર હતી પાછળની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય, એટલે ગુરુપ્રથા જ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી, કેટલી દૂરદર્શિતા. આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુના લશ્કરમાં મુસલમાન સૈનિકો કામ કરતા હતા, ગુરુ માટે લડતા હતા. ગુરુ જરાય કોમવાદી ના હતા. આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે. અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા. આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.

               *

આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસની ફક્ત વસ્તુ સમજે છે. નથી જરૂર પોતાને હિંદુ ધર્મના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની, પરિષદ કે સંઘની. નથી જરૂર તુલસીદાસની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની. નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી, સ્કુલ કોલેજ ને ધર્મના, પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની. નથી જરૂર નાના બાળકોને ધર્મના રવાડે ચડાવી બચપણમાં અકુદરતી બ્રહ્મચર્યના પાઠ ભણાવતા, દિક્ષા આપી દેતા મહાત્માઓની.

                     
*ભારતને અને હિંદુ ધર્મને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહની, જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં, તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં. વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god), વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god). આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધમાંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..     
 
 
 
 
 
 
 
 
         નોધ:–ઉપરનો આર્ટીકલ ગુરુ ગોવિંદ સિંહ વિષે   ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

અસ્તિત્વ માટેની મથામણ ,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા-શ્રી યશવંત ઠક્કર.

                                                *એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે  ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ  જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.
,                      * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ  જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ  કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું  આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.
               *સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું  નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.
         *આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના  શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.
                 *એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને  વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.
                 *આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં  અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.
                *ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.
              *વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.    
                   *     દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો  નો  ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું  વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.
                    *સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.    

સિંહોના ટોળા ના હોય,,,,,,, Survival At The Fittest.

સર્વાઇવલના યુદ્ધમાં કમજોર વસ્તી વધારે,,,,,,,,,
*આજે દિવ્યભાસ્કરમાં ગુજરાતના પનોતા પુત્ર સામ પિત્રોડાનો વિઝન વિભાગમાં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તીથી આરોગ્ય અને સુખાકારીના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારતની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન)ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.
         *સર્વાઇવલના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે.”સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ” એવું ડાર્વિન  કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોરનું આ દુનિયામાં કામ નથી.
          *દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા, ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવોમાં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.
         *એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્રનો ધર્મ જ કહેવાય.
        *પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારતમાં  તો ના જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરકમાં જવાય.પુરુષ પ્રધાન સમાજમાં દીકરાથી વંશ ચાલે.બીજું કારણ પુરુષના જીન્સ Y ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં ન થાય કેમ કે દીકરીમાં Y હોતા નથી ફક્ત X જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરીના જન્મનું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.
          *કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે.”જીવો જીવસ્ય ભોજનમ”.સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠરમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.
          *પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નરને  ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળામાં રહેલા નાના નાના બચ્ચાને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમીમાં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.
           * બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકામાં એક સાથેજ રહે છે.સર્વાઇવલનું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળામાં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહની જપટમાં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહનું કામ જ નહિ કે આ ભેસનો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસોના ટોળાનો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસને શીંગ મારી મારીને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જીનો વ્યય કરવો.
           *બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારીને કેટલા મારશે?આફ્રિકામાં ભેસોની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણમાં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળામાંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.
           *તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષના એક ટીપા Seminal fluid માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નરના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરતની નજરમાં પ્રાણી જ છે.એટલે માણસ જાતના નરમાં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્નીની પ્રથા હતીજ.
             *તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્યનિયમો તો લાગેજ.કુદરતના સામાન્ય નિયમ પ્રમાણે માનવ જાતમાં પણ મજબુત નરના ભાગમાં જ નારી આવતી હશે.કમજોરના ભાગમાં નારી આવતી નહિ હોય.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવલ થવા માટે સંખ્યા વધારવી જ પડે.એટલે રોજ નારી માટે ઝગડવાનું પોસાય નહિ.એટલે કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે દરેકના ભાગે નારી આવે એવું વિચારી લગ્નસંસ્થા,લગ્ન વ્યવસ્થાની શોધ કરી હશે.મજબુતના મનમાં આનો વિચાર જ ક્યાંથી આવે?એને તો એની શક્તિ પર વિશ્વાસ જ હોય.પણ લગ્ન વ્યવસ્થાને લીધે  લીધે મજબુત અને કમજોર બધા જ બચ્ચા પેદા કરવા માંડ્યા,વસ્તી ઝડપથી વધવા માંડી.લગભગ બધાજ પ્રાણીઓથી કમજોર માનવ જાત નામનું પ્રાણી સર્વાઇવ થઇ ગયું.લગ્ન વ્યવસ્થા એ અસ્તિત્વ ટકાવવાની મથામણ માંથી નીપજેલો એક બુદ્ધિશાળી ઉપાય માત્ર જ છે.એ કોઈ ઉપરથી ફેકેલી યોજના નથી.આપણે એને પવિત્રતાનો દરજ્જો આપી આજ સુધી ટકાવી રાખી.પણ હવે પશ્ચિમના દેશોમાં લગભગ તૂટી ચુકી છે.ત્યાં હવે જેવાતેવાના ભાગમાં નારી આવતી નથી.  
                      
                        *મહાભારતના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધોથી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસાનો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસાનો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.
               *આ ત્રાસવાદીઓને કુદરતના નિયમની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીનમાં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.શું આપણે ભારતીઓ બળવાન છીએ,ગરમ પ્રદેશના છીએ,ચોખ્ખા ઘી દૂધ ખાઈ ને,કામ ઉર્જાની બાબતમાં વધારે તાકાતવર છીએ એટલે બાળકો વધારે પેદા કરીને વસ્તી વધારીએ છીએ?એવો ગર્વ ઘણા બધા કરે છે.પણ ના એવું નથી.કુદરતના નિયમ પ્રમાણે આપણે ખુબજ કમજોર છીએ અને મહેસુસ કરીએ છીએ એટલે વસ્તી વધારીએ છીએ.આ સત્ય ખુબજ કડવું છે.એટલે ગળે ઉતરવું મુશકેલ છે. અહંકાર પણ આડે આવેજ.આપણે આફ્રિકાની ભેસો જેવા નથી રહ્યા,આપણે એ બહાદુર ભેસો જે એમના ભાઈ પર હુમલો થાય ત્યારે જીવના જોખમે પાછા વળી સિંહ જેવા મોસ્ટ ડેન્જરસ પ્રાણી પર હુમલો કરે છે,એવા નથી રહ્યા.આપણે કોઈ ત્રાસવાદી હુમલો કરે ત્યારે ફક્ત પેલા ડરપોક વાઈલ્ડ બીસ્ટ ની જેમ ભાગવા માંડીએ છીએ.અને આપણો કોઈ ભાઈ સામનો કરતો હોય તો મદદ પણ કરતા નથી ને એને મરવા દઈએ છીએ.એક જમાદાર ખાલી ખુરશીઓ ફેકી ત્રાસવાદીની સામે ટક્કર લેતો હોય ત્યારે હજારો બહાદુરીના બણગા ફૂકતાં કાયર  ભાગતા હોય છે.ઝરખડાઓને ખબર છે કે આ ઘેટાઓ ઉભા રહેવાના નથી.એટલે તો છાસ વારે હુમલા થાય છે.આપણી માનસિકતા બદલાઈ ચુકી છે,એટલે પેલા આફ્રિકન વાઈલ્ડ બીસ્ટોની જેમ આપણા પ્રજનન તંત્રો વધારે સક્રિય થઇ ચુક્યા છે.અને વસ્તીનો  વિસ્ફોટ વધતો જાય છે.હવે એજ્યુકેશન વધી ગયું છે.બે બાળકો બસના નારા પણ ગવાઈ ચુક્યા છે.પ્રજા જાગૃત બની ચુકી છે,છતાં કેમ વસ્તી ઓછી થતી નથી?દિવસે દિવસે વધતી જાય છે.અને ચીનથી પણ આગળ નીકળવાની હોડ જામી છે.આપણી માનસિકતા નહિ બદલાય,સર્વાઇવલ ના યુદ્ધમાં સામનો કરવાની હિંમત નહિ આવે,આપણા પ્રજનન તંત્રો વધારે પડતા સક્રિય બન્યા છે તે અટકે નહિ ત્યાં સુધી વસ્તી વિસ્ફોટ અટકવાનો નથી. આપણા વૈજ્ઞાનિકોએ,સમાજશાસ્ત્રીઓએ,સાયકોલોજીસ્ટોએ અને નેતાઓએ આનો અભ્યાસ કરવો પડશે.ઉત્ક્રાન્તીવાદના સામાન્ય નિયમોને તમે અવગણી શકો નહિ.
        *ભારતની વસ્તી ઘટાડવા માટે પ્રજાની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.
          *મારા વિચારો કદાચ કોઈની સમજમાં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજીના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયોની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહોના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટના જ હોય.   નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી સામ પિત્રોડા ના  “વસ્તી નો અંત:સ્ફોટ” ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

ભારતે વિશ્વને આપેલી મોંઘેરી ભેંટો………..

Khajuraho7

ચતુર્ભુજ વિષ્ણુ મંદિર ગ્વાલિયરનો એક શિલાલેખ..*વોટર કલોક,,,પાણીની ઘડિયાળ,શું કહીશું?  પાણી વડે, જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ. લગભગ જૂની દરેક સંસ્કૃતિમાં પાણી વડે ચાલતી ઘડિયાળોનો ઉલ્લેખ છે. ચીન કોરિયા, ગ્રીક , રોમન અને ઈજીપ્ત તથા ભારતમાં પ્રાચીન કાલમાં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે. હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. તાંબાના કુંભમાં ચોક્કસ માત્રામાં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય. શિવજીના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે, ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો, એવો કોન્સેપ્ટ હતો. નાલંદા બૌદ્ધ યુનીમાં તાંબાના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડમાં મુકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય, પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો, એક પ્રહર પૂરો થયો. ચાર દિવસના ને ચાર રાતના પ્રહરની આ રીતે ગણતરી થતી, અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થીઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિરમાં છે.
        *અઢારમી સદીની શરૂઆતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુરમાં જંતર(instrument), મંતર(ફોર્મ્યુલા) ની જ્યોતિષના અને સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ માટે સ્થાપના કરી. સૂર્યની પોજીસન ઉપરથી સમય માપવા માટે સન ડાયલની રચના કરી. એને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
      *ધોળાવીરા………કચ્છમાંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું. ગટર વ્યવસ્થા, સુએઝ વ્યવસ્થા, બાથરૂમ અને અમેરિકન સ્ટાઈલવાળા સંડાશ ધરાવતા એ શહેરમાં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા. આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
        *0…..zerઓ……The mystical idea of nothingness, શૂન્ય એટલે કશું નહિ. શૂન્યની શોધએ દુનિયાને આપેલી મોટામાં મોટી ભેટ છે. આનો લેખિત પુરાવો ૯મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુરભુજ વિષ્ણુ મંદિર, ગ્વાલિઅરના શિલાલેખમાં આજે પણ છે. એક થી નવ નંબર અને ગણિત, દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમુલ્ય ભેટ છે. આરબ વેપારીઓ આ ગણિત યુરોપમાં લઇ ગયા. ૧૩મી સદીમાં રોમન ચર્ચ ડેવિલનું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબધ મુકે છે, પણ પછી સહેલાયથી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
     *હ્યુજ મેટલ વર્ક…………કુતુબ મીનારના સંકુલમાં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો થંભ સ્ટીલમાંથી બનાવેલો છે. લાકડામાંનો કાર્બન લોખંડમાં ઉમેરીને કાટ ના આવે આવું સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     *કપાસમાંથી કાપડ બનાવવાની ભારતની હાથશાળોની ટેકનોલોજી અપનાવી ૧૮મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડનું ઉત્પાદન કરવા માંડ્યું, એનું શ્રેય ભારતને ફાળે જાય છે. અને આજ કોટન કપડાને ભડકીલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
        *લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગા આખી દુનિયામાં ડંકો વગાડે છે. જોકે પરદેશમાં યોગાના કલાસીસમાં આસનો શીખવવામાં આવે છે. યોગના આઠ અંગોમાનું આસનો એક જ અંગ છે. યોગા વિષે વધારે લખવાની જરૂર નથી. આજે યોગાના સૌથી વધારે પેટન્ટ અમેરિકા આપશે છે ભારત પાસે નહિ.
        *ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો, જે ફીજીશ્યન હતા. શુશ્રુત સર્જન હતા, ૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મેન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે. કપાળમાંથી ચામડી લઇ યુદ્ધમાં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના શુશ્રુતની શોધ છે.
   *ચેસ………..ચતુરંગની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશના સમયે રમવાની રમત હતી. પોલો પણ ભારતનાં રાજાઓની રમત હતી.
     *વેક્સીનેસન…….શીતળાના દર્દીના શીતળામાંથી થોડું પસ સાજા માણસને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યોના સતત નિરીક્ષણ હેઠળ રાખી, એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડુ પાણી રેડી એને તાવમાંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી, પછી એ માણસને ક્યારેય શીતળા નાં થાય.
   *મીણનો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પુતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
     *કામસૂત્ર……….પહેલ વહેલું સેક્સના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયનની રચના છે.  શિવજીના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની, ફીમેલ જેનેટલ)સર્જનના પ્રતિકની પૂજા કરી નોર્મલ સેક્સનું બહુમાન કરવાનું શ્રેય ભારતીયોને ફાળે જાય છે. જાપાનમાં આવાજ લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા , ચર્યા એટલે ફરવું અથવા સતત એમાં રમમાણ રહેવું એવો અર્થ કરી શકાય. સેક્સ  ના કરવો એવો સ્ટુપીડ અર્થ કોણે ઘુસાડ્યો ખબર નથી.
     *અત્યારે આટલું બસ છે.    ધોળાવીરા.

૧૪૦ મીલીઓન દર્શકો વચ્ચે છવાઈ જતા એશ અને અભી,,,,,,,,,

તારીખ ૨૮ સપ્ટેમ્બરની રાતે અમેરિકી સમય મુજબ રાત્રે ૭ થી ૮ વાગ્ય ની વચ્ચે, મુંબઈથી ૮૦૫૮માઇલ/૧૨૯૬૭કિ.મી. દુર  વિશ્વના મહાન ટોક શો માધાંતા ઓપરાહના શોમાં, એમના  શિકાગો સ્થિત હાર્પો સ્ટુડીઓમાં ડેશિંગ અભિનેતા અભિષેક બચ્ચન પોતાના વન લાઈનર મજાકિયાથી, અને વોગ જેવા બીજા અનેક ફેશન અને બ્યુટી મેન્ગેજીનો દ્વારા હાલના વિશ્વના સૌથી સુન્દર સ્ત્રીનું વિશેષણ ધરાવતા ઐશ્વર્યા રાય બચ્ચન એમના મનમોહક ખડખડાટ હાસ્યોથી વિશ્વના ૧૪૦ મીલીઓન દર્શકો વચ્ચે છવાઈ ગયા. સાથે સાથે ગ્લોબલ ઈન્ટરનેટ ટેકનોલોજીના પ્રતાપે, ચીનના હજારથી પણ વધારે ટોક શો કરી ચુકેલા ફેમશ સુંદર હોસ્ટ ચેન લું યુ ૬૫૯૬ માઈલ/૧૦૬૧૪ કી.મી. દુરથી બેજિંગ સ્થિત તેમના સ્ટુડીઓ દર્શકો ની ઉપસ્થિતિમાં ઓપરાહ સાથે વાતો કરતા કરતા , એશ અને અભીને બદલે એબી ઉચ્ચાર કરતા બંનેને ચીનમાં આવવાનું આમંત્રણ પાઠવે છે, અને એશના ભાવનાત્મક ઉત્તર સાથે ચેન લું યું ઓપરાહને પૂછે છે, તમે ચીન ક્યારે આવશો? જવાબમાં એક સેકંડ ચુપ રહીને એશ ને અભીની સાથે એવો જવાબ અપાતા હાસ્યની છોળો સાથે ભાવનાત્મક વાતાવરણ સર્જાય છે.

એશ અભી સાથે તેઓના લગ્ન, લગ્ન માટેનું પ્રપોજલ, સાત ફેરાં, માતાપિતા સાથે એકજ ઘરમાં રહેવું, રોજ દિવસનું એક ભોજન માતાપિતા સાથે જ લેવાનું, અને આ બધું ભારતીય પરમ્પરા અને મુલ્યો મુજબ નોર્મલ અને સુંદર બાબત છે એવી ચર્ચા વખતે અમેરિકન પ્રેક્ષકો અને ખુદ ઓપરાહના મો ઉપર આશ્ચર્યના ભાવ દેખાઈ આવે છે. કારણ અહી માતાપિતા સાથે રોજ એકવારનું ભોજન લેવાનું અને એકજ ઘરમાં સાથે રહેવાનું? આંચકો ના લાગે તો શું થાય? સાથે સાથે લગ્ન સમય ઘર બહાર થયેલી ચાહકોની ભીડના વિડીઓ કલીપીંગ્સ પણ જોવા મળે છે. અને એ અસંખ્ય ચાહકોની ભીડ જોઈ આચકો ખાઈ જાય છે અભીષેક. ચુંબન એ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનું પશ્ચિમના સમાજમાં સામાન્ય પણ મહત્વનું છે. પણ ભારતીય ફિલ્મ અને દર્શકો માટે ખાસ જરૂરી નથી, પણ એના બદલામાં અમારી પાસે સોંગ, ગીતો છે, એવી ચબરાક ચર્ચા કરતા ઐશ્વર્યા, અભિષેકને કમોન બેબી કહી ચુંબન કરવા નિમંત્રણ આપે છે. અભિષેક ચુંબન કરતા દર્શકોની તાળીઓથી સ્ટુડીઓ ગાજી ઉઠે છે. ઓપરાહ જાહેર કરે છે, બ્રાડ પીટ અને એન્જલીના જોલી ને  પાછળ પાડી દુનિયા ભરમાં પાંચ બીલીઓન ફેન ચાહકો ધરાવતું એશ અને અભી એ મોસ્ટ ફેમશ કપલ ઓફ ધ વર્લ્ડ છે.

વરસે દાડે ૧૫ મીલીઓન ડોલર કમાતા ઐશ્વર્યા એન્જલીના જોલી અને જુલિયા રોબર્ટ્સ સાથે કદમ ભીડાવે છે.  સાથે સાથે દુનિયા ભરની કંપનીઓના જાહેરાતોના મલ્ટી મીલીઓન ડોલર્સના  એન્ડોર્સમેન્ટ પણ ધરાવે છે. આચકા આપવા ટેવએલા ઓપરાહ, એશ અને અભીની હાજરીથી અજાણ એવા શિકાગોના બોલીવુડ જુનીઅર ભારતીય ડાન્સર્સને મંચ પર ન્રત્ય કરવા બોલાવે છે, છુપાઈને પાછળથી એશ અને અભી આવીને હિન્દી ફિલ્મના મ્યુઝીક પર નાચતી સુંદર નાનકડી બાળાઓને સર પ્રાઇઝ આપેછે. ઓપરાહ પોતે ગોળગોળ ફરી બોલીવુડ સ્ટાઈલમાં નૃત્ય નો આનંદ માણે છે, બધા એકબીજા ગળે મળે છે. ઓચિંતા એશ અને અભીને જોઈ ખુશ થઇ ગયેલી નાનકડી બાળાઓની આંખોમાં આશુઓના ટપકા બાજી ઉઠે છે.

* પછી આવે છે પોલો બ્રાંડના પરફ્યુમ અને ટીશર્ટ બનાવતી કંપનીનો મોડેલ અને બ્રાંડ એમ્બેસેડર આરજેન્ટીનાનો પોલોનો પ્રોફેશનલ ખેલાડી નાચો ફીગુએરસ. મિડલ ક્લાસમાંથી આવતો , એના કાકાએ ૨૫ વરસ પહેલા પોલોની ટીશર્ટ એને ભેટ આપેલી ત્યારે એને ખબર નહોતી કે પોલો બ્રાંડનો હાથમાં પોલો સ્ટીક હોય એવા ઘોડેસવારના લોગોનું એ જીવંત પ્રતિક બની જશે. એશ અને અભીને બે હાથ જોડી ભારતીય પરમ્પરા મુજબ નમસ્તે કરીને વિવેકથી પેશ આવતો આ પોલોનો મહાન ખેલાડી એક મેચ દરમ્યાન ૩૫ માઈલની ઝડપે ઘોડો દોડાવતો અને એક મેચ દરમ્યાન આઠ ઘોડા બદલતો હાલનો મોસ્ટ હેન્ડસમ મેન ઓફ ધ વર્લ્ડ પણ છે. આઠ વાગે આ શો પૂરો થાય ત્યાં સુધી ખબરજ ના પડી કે ઓપરાહની બાય બાય સાથે શો પૂરો થઇ ગયો. બીગ બી બાપ કરતા બેટા સવાયા પાકવાના હો કે !
નોધ:- મેં જાતે આ શો જોતાજોતા કાચી નોધ લખીને, એક ચેન્જ અને ખાલી ટ્રાય કરવા માટે આ રીપોર્ટ તૈયાર કરેલો છે. આશા છે કે વાચકો કેવો લાગ્યો તેના અભિપ્રાય જરૂર આપશે.મેં આનો રીપોર્ટ દિવ્ય ભાસ્કરમાં વાંચેલો પણ એમાં ઘણી બાબતો મિસિંગ લાગેલી.
 
nacho figueras

અમેરિકન માબાપ નો પ્રેમ

                                 કોણ કહે છે અમેરિકા માં ફેમીલી વેલ્યુજ ખલાશ થઇ ગઈ છે?થઇહશે પણ સાવ નહિ.અમરિકાના કેલીફોર્નીયા સ્ટેટ ના વાલેન્સિયા ની કોલેજ ના અંગ્રેજીના પ્રોફેસર માઈકલ અને એમની ઘરરખ્ખું પત્ની સુઝાન એમની સ્કીજોફ્રેનીયા થી પીડાતી ૭ વરસ ની દીકરી જેની ને દુનિયાભર ની જેટલી આપી શકાય તેટલી ખુશીઓ આપવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.નાનું બાળક જન્મે ત્યારે રોજની ૨૦ કલાક ઊંઘ લેતું હોય છે.જેની ફક્ત રોજના ૪ કલાક અને સતત ૨૦ મિનીટ થી વધારે કદી ઊંઘી નથી.પાચ વરસ ની થતા સુધીમાં ધીરે ધીરે માબાપ ને ખબર પડી ચુકી હતી એમની વહાલસોઈ દીકરી ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ચુકી છે.હમેશા ઈલુજન માં જીવતી હિંસક બની જતી દીકરી જેની માબાપ ના ચહેરા નખ વડે ઉતરડી નાખતા વાર નથી લગાડતી.અખો દિવસ એના કાલ્પનિક મિત્રો જોડે રમતી વાતો કરતી,જેની ના લગભગ ૨૦૦ જેટલા કેટ,રેટ,ડોગ અને બર્ડસ એવા કાલ્પનિક મિત્રો છે.હિંસક બનતા ક્યારેક પોતાની ડોક ભાગવાનો પણ પ્રયત્ન કરતી હોય છે.એની હિંસકતા એના નાના ભાઈ બોધી માટે મુશ્કેલી ના સર્જે માટે માબાપે બાજુમાં જ જુદા એપાર્ટમેન્ટમાં જેનીને રાખવાનો અણગમતો નિર્ણય લેવો પડ્યો છે.સાથે એમાં કોઈ પણ ધારદાર વસ્તુ ના હોય એનું ધ્યાન પણ રાખ્યુજ છે,સાથે સાથે બંને માબાપ માંથી કોઈ એકની સતત હાજરી પણ હોયજ છે.શ્રી કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા અને શ્રી રામ ને એનાથી પણ વધારે.હવે આપણે એમને ફક્ત કલ્પનામાં જ વિચારવાનાને?હવે શ્રી કૃષ્ણ અને જશોદાના બાળપ્રેમ ને યાદ કરી રડતા કથાકારો કે શ્રી રામ સીતાજીની વનવાસ ની વાતો યાદ કરી રડતા અને શ્રોતાઓને રડાવતા કથાકારો વધતે,ઓછે અંશે સ્કીજોફ્રેનીક તો નહિ હોય ને?કે પછી પ્રજાને ઈમોશનલી બ્લેકમેલ કરી પોતાના રોટલા શેકતા બોર્ન એક્ટરો?મને તો લાગે છે લોકોનું બ્રેન વોશ કરનારા ઈમોશનલ બ્લેકમેલરો જ છે.માનીએ કે એમનું જીવન(શ્રીરામ,કૃષ્ણ) એક સંદેશો હોય,એમનું લખેલું કે કહેલું જ્ઞાન (ગીતાજી)લાખો વરસો લગી એવુંને એવું તાજું લાગે.એમની જીવન ઝરમર પ્રેરણા રૂપ  હોય.પણ રોજ એનીએજ કથાઓ આજે અહી કાલે બીજે.આજે પાણીમાં(જહાજ),કાલે હવા(પ્લેન)માં,આજે મુંબઈ માં કાલે હિમાલયમાં.એકવાર વાચી લીધી કે સાંભળી લીધી,ટીવીમાં જોઈ લીધી,કે સ્કુલમાં ભણી લીધી બહુ થયું.જેને જે સંદેશો લેવો હોય તે લઇ લે.
                 મરમેડ ગર્લ શિલોહ પેપીન ૧૦ વરસ ની જન્મી ત્યારથી બંને પગ ભેગા જોઈન્ટ.આવું બાળક ૩ દિવસમાંજ મરી જાય.નાતો રેક્ટમ મળે ના યુરીન જવાની કોઈ વ્યવસ્થા.બે હોલ,નાના કાણા માંથી બધું બહાર આવે તેને સાચવવાનું.જે બાળક ત્રણ દિવસ માં મરી જાય તેવું હોય તેને દસ વરસનું કરતા લેસ્લી માતા ને એલ્મેર પિતા તથા ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ મેથ્યુ હેડ ને કેટલી તકલીફ પડી હશે ?અને હજુ  જીંદગી બાકી છે.કેટલીક વિષમ શારીરક પરિસ્થિતિને કારણે ના તો ડોક્ટર્સ એનું ઓપરેશન કરીને બે પગ છુટા પાડી શકે છે.વંદન છે આ માતા પિતાઓને.અમેરિકામાં ફેમીલી વેલ્યુજ સાવ ખલાસ નથી થઇ ગઈ.        

અફીણીયુ ચીન, ચોખા ખાધા?

imagesવરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?

૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જેimagesCAAM4DQQ લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો

આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.

ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.imagesCAGBCRTL

ભારતીયો સ્પેલિંગ ચેમ્પિયન.

                          …….અમેરિકામાં દર વરસે સ્પેલિંગ ની સ્પર્ધા થાય છે.જેમાં અઘરા સ્પેલીન્ગ્સ બોલવાના હોય છે.૨૦૦૮ ના આ સ્પર્ધા ના વિજેતા૧૪ વરસના  સમીર મિશ્રા ને ન્યુરોસર્જન બનવું છે.જયારે ચાલુ ૨૦૦૯ ના વિજેતા ૧૩ વરસની કાવ્યા શિવ શંકર ને પણ ન્યુરોસર્જન જ બનવું છે.૧૯૮૫ માં સૌ પ્રથમ જીતવા વાળા ભારતીય હતા બાલુ નટરાજન.બાલુ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક રોલમોડેલ છે.૨૯૩ સ્પર્ધકો ની વચ્ચે વોશીન્ગ્ટન માં પ્રથમ આવનારી કાવ્યા ની પ્રેરણા ૧૯૯૯મ પ્રથમ આવનારી  નુપુર લાલા છે,જે એમ.આઈ.ટી ની બ્રેન અને કોગ્નીટીવ સાયંસ લેબ માં રીસર્ચ કરે છે.આ સ્પર્ધા માં છેલા દસ વરસ થી ભારતીયો નું રાજ ચાલે છે.છેલ્લા દસ વરસ માં ૭ ભારતીયમૂળ  ના સ્પર્ધકો પ્રથમ આવેલા છે.કુલ્લે ૯  ભારતીયો વિજયી બનેલા છે.૧૯૮૫માં બાલુ નટરાજન,,,,૧૯૮૮માં રાગેશ્રી રામચન્દ્રન,,,,,,,,૧૯૯૯માં નુપુર લાલા,,,,,,,,,૨૦૦૦માં જ્યોર્જ  થમ્પી,,,,,,,૨૦૦૨માંપ્રત્યુશ્ બુદ્દીગા,,,,,,૨૦૦૩માં સાઇ ગુન્તુરી,,,,,,,,,૨૦૦૫માં અનુરાગ કશ્યપ,,,,,,,,,૨૦૦૮માં સમિર્ મીશ્રા,,,,,,,૨૦૦૯માં કાવ્યા  શિવ શંકર.ભારતીય અને ચાઇનીસ વિદ્યાર્થીઓ ભણવામાં મૂળ અમેરિકન્સ કરતા આગળ છે એતો ઓબામાં ને પણ કહેવું અને કબૂલવું પડે છે.      
 

શ્રીયંત્ર થી ધન વધે? કે મંત્ર જપવાથી બુદ્ધી વધે?

           પ્રથમ તો આ લેખ વાચી કોઈએ એમની ધાર્મિક લાગણી દુભાવવી નહિ.અને કોઈપણ પૂર્વગ્રહ મનમાં રાખીને વાંચવો નહિ. કારણ આ દેશમાં વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. કોઈપણ મંત્રને વખોડવાનો કોઈ હેતુ નથી. ફક્ત બ્રેઈનની સામાન્ય સમજ આપવાનો પ્રયત્ન જ માત્ર છે.
             માનવીનું બ્રેઈન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે. આખા શરીરનું કંટ્રોલ બ્રેઈન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે. બ્રેઈનના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે. ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે કામ કરતુ હોય છે, એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેઈન વધારે એક્ટીવ હોય છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા, નાતો કોઈ શ્રી યંત્રની પૂજા કરી હતી. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો એ વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સીજન એટલે કે સ્વાસ લેવામાં કોઈ ગરબડ ઉભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ વિભાગમાં ગરબડ થાય છે.
           મહાન વૈજ્ઞાનિક ન્યુટનની કેબીનમાં બેસતો આવો જ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે. એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે. શ્રી યંત્રોની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે. બ્રેઈનને એક્ટીવ રાખવું પડે , ગહન અભ્યાસ કરવો પડે, ચિંતન કરવું પડે. તમે કોઈ ધંધો કે નોકરી ના કરો તો શ્રી યંત્રની સતત પૂજા પણ પૈસા ના આપે. ના તો તમારો માનસિક વિકાસ થાય. આપણે મંત્રો જપવામાજ રહી ગયા. જુના જમાનાના ઋષીઓ આવા નહતા. એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે. સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડમાં સ્ટોર થઇ જાય, બીજું શું થાય? તમને ઊંઘમાં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય, બીજું શું ? બ્રેઈનની આજ કારીગરીનો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો. છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી. લખવાનું બહુ પાછળથી આવ્યું. કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે. હજારો વર્ષોથી , હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે.  આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને, જપીને સબ કોન્શીયશ માઈન્ડમાં સ્ટોર કરીને સાચવેલા છે. આ એક ભગીરથ કાર્ય હતું.  એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.
        દા.ત.ગાયત્રી મંત્રમાં સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે. ઋષિ વિશ્વામિત્રે એની રચના કરી હતી. ઋષિઓને ખબર હશે  કે આ સૂર્યનારાયણ આપણાજન્મદાતા છે. એટલે એમની પાસે બુદ્ધી માગી. એમાં કશું ખોટું નથી. કે  હે ભગવાન મને બુદ્ધી આપજે જેથી હું શાસ્ત્રોનું અધ્યયન કરી શકું. સારું બ્રેઈન આપજે કોઈ ગરબડ વગરનું જેથી હું અભ્યાસ કરી શકું. બધા જોડે સારું બ્રેઈન હોતું નથી કે પછી ઉપયોગ કરતા આવડતું ના હોય. રોજ બેચાર વાર ગાયત્રી મંત્ર બોલી, ભગવાન જોડે સારી બુદ્ધી માગી, એ આપીછે કે નહિ એની ખાતરી કરવા જે તે વિષયના અભ્યાસમાં ખુંપી જવું એજ ગાયત્રી મંત્રનો સાચો ઉપયોગ મને તો લાગે છે.  હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય. તમારા બ્રેઈન માં સ્ટોર થઇ જાય, એનાથી આઈનસ્ટૈનની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ  જાય? એના માટે તમારે એ થીઅરીનો જ અભ્યાસ કરવો પડે. આઈનસ્ટૈનને કોઈ દિવસ મંત્ર જપતા જાણ્યા નથી. બુદ્ધી માગવાથી થોડી મળી જાય, એના માટે સતત અભ્યાસ કરવો પડે. હજારો વર્ષોથી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?  ગાયત્રીના પ્રચારક  અને ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય ખાલી મંત્ર જપીને બેસી નથી રહ્યા. તેઓશ્રીએ વેદો અને શાસ્ત્રોનું ગહન અધ્યયન પણ કરેલું છે. એના લીધે આટલુ બધું સાહિત્ય રચીને આપણા માટે મુક્યું છે. જે તે વિષયનું જ્ઞાન મેળવવા જે તે વિષયમાં ખુંપી જવું પડે. મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગના જ્ઞાનના અભાવે સતત જપીને, કંઠસ્થ રાખીને જીવતા રાખવાના પ્રયત્નોમાં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે, ધન મળી જશે, જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા, અને બાકી દુનિયાથી પાછળ પડી ગયા. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. એક પણ શ્લોકનો અર્થ ખબર નહતી. ફક્ત પિતાશ્રીએ નિયમ રાખેલો કે રોજ બે અધ્યાય વાચવા. ઊંઘમાંથી ઉઠાડી કોઈ પૂછે તો પણ એ શ્લોકો હું બોલી શકતો..
             દુનિયાને શૂન્યની સાથે મેથ્સ, યોગ, આયુર્વેદ, કામસૂત્ર, કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન, લાકડમાંનો કાર્બન લોખંડમાં ઉમેરી  સ્ટેઈનલેસસ્ટીલ બનાવવા  જેવું ધાતુ વિજ્ઞાન આપવાવાળા આપણે પછાત રહી ગયા. ચરક ફીઝીશ્યન હતા, શુશ્રુત સર્જન હતા, કપાળમાંથી ચામડી લઈને યુદ્ધમાં તૂટેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે. વાળના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે. આ બધું મારા ઘરનું નથી લખતો, “પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું?  (ઇન્ડિયન્સ)”, એવી એક યુંરોપીયને  બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. ઘણું બધું હતું એમાં ભારતે દુનિયાને  આપેલ, આતો થોડા દાખલા જ આપ્યા છે.  ક્યાં ભૂલ થઇ આપણી? કેમ પાછળ પડી ગયા?  પી એમ રૂમ, સ્મશાન ગૃહ, લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્રમાં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે. શ્રી યંત્રની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને  મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે, કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે, કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે, એક પોતાની જીભ કાપે છે, બીજો બીજાના અંગ વાપરે છે, બધાને  વિના પ્રયત્ને, સહેલાયથી બધું મેળવી લેવું છે. બ્રેઈનમાં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી. હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી? એક મંત્ર સારી રીતે બ્રેઈનમાં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલનો વિદ્યાર્થી  કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી?  રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?  ગાંડો જ લાગશે. નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી, ધન મળે કે બુદ્ધી વધે. ધન મળે ધંધો પાણી  કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.