Category Archives: જ્ઞાન વિજ્ઞાન

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

ભક્તોની ભરમાર.

ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.

ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,
યે પહેલે પ્યારકી ખુશ્બુ.
તેરી સાંસોસે શાયદ આ રહી હૈ.
 
 
બદલતે રીશ્તેનું ઉપરનું ગીત ખૂબ કર્ણપ્રિય છે. મારું ફેવરીટ છે. રચનાકારને કદાચ ખબર નહિ હોય પણ એમાં ઈવોલ્યુશનરી સાયંસ, બાયોલોજી અને સાયકોલોજી સમાયેલી છે. Rachel Herz (Ph .D).Brown  Uni ગંધ સુગંધ જ્ઞાનની  આ મહારાણી શું કહે છે?
યુ.એસ.ગ્રેટીંગસ કાર્ડ એસોસિયેશન કહે છે કે વેલેન્ટાઇન ડે નિમિત્તે ૮૫% ટકા કાર્ડની  ખરીદી સ્ત્રીઓ દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે સ્ત્રીઓ ચૂંટે છે તેમની પસંદ. સ્ત્રીઓ પસંદ કરનાર છે. એમના હાથમાં છે પુરુષોની પસંદગી. ઘણા બધા સર્વે સાબિત કરે છે કે પુરુષની પસંદનું મહત્તમ  મહત્વ  હંમેશા સુંદર, આકર્ષક અને સેક્સી ફિગર અને દેખાવ ધરાવતી સ્ત્રી હોય છે. બીજું પછી આવે. સ્ત્રીઓને મન વધારે મહત્વ હાઈ સ્ટેટસ, પાવર, રીસોર્સીસ અને પૈસો છે. પણ સાવ એવું નથી. આવનાર બાળક માટે પુરતા રીસોર્સીસ અને સલામતી જોઈએ. પણ આવનાર બાળક હેલ્ધી પણ જોઈએ, આકર્ષક પણ જોઈએ. ભૌતિક ફાયદા સારા છે, પણ તે પુરુષ હેલ્ધી બાળક આપે તે પણ જોવાનું. તે કઈ રીતે પારખવાનું? શરીર જોઇને? કૈક અંશે સત્ય.
પણ ઈવોલ્યુશનનાં ક્રમમાં  બીજું પણ રહસ્ય માનવજાતમાં છે. એ રહસ્ય છે ઈમ્યુન સિસ્ટમમાં. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું એક અલગ જૂથ હોય છે, એને કહેવાય છે Histocompatibility complex (MHC) દરેકની આ ઈમ્યુન સીસ્ટમ યુનિક હોય છે. અને આ ઈમ્યુન સિસ્ટમની એક અલગ ગંધ હોય છે. માટે દરેકની ઈમ્યુન સિસ્ટમની સાથે દરેકની શરીરની મહેક યુનિક હોય છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ દરેકની યુનિક હોય છે. સાવ અલગ પ્રકારની ઈમ્યુન સીસ્ટમ અને ગંધ પસંદ કરવામાં આવે તો બે જુદી જુદી જાતની સીસ્ટમ ભેગી થઈને હેલ્ધી વારસો પેદા થાય. આ ગંધ સેક્સુઅલી એટ્રેક્શન પેદા કરે તેવી પણ હોવી જોઈએ. પુરુષની સ્મેલ સારી હોય તો પછી બીજી વાતોનું મહત્વ ઓછું થઇ જાય. અને સ્ત્રી બેટર ધેન  એવરેજ પસંદ કરવા ટેવાયેલી હોય છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ.
૧૯૫૯ માં Peter karlson જર્મન બાયો કેમિસ્ટ અને Martin Luscher સ્વીસ Entomologist બંને એમની જતું જગતની લેબમાં કામ કરતા હતા. એમણે જોયું કે એક ઉધઈ કેમિકલ છોડે છે અને બીજી ઉધઈની વર્તણુક બદલાઈ જાય છે. આ થયું કેમિકલ કોમ્યુનીકેશન. એમણે શબ્દ શોધી કાઢ્યો Pheromones એક જાતનું કેમિકલ એટ્રેક્શન. આનો સાદો અર્થ થાય છે ઉત્તેજના વાહક. આ કેમિકલને સુગંધ હોય પણ ખરી અને ના પણ હોય છતાં કામ તો કરે જ. Pheromones પ્રજોત્પત્તિ માટે માદા પુરતી ફળદ્રુપ છે અને તૈયાર છે તે સૂચવતા હોય છે. ફળદ્રુપતાનું સિગ્નલ જો આવી રીતે Pheromones ના બતાવે તો માદા હીટમાં  હોય છતાં વાંદરાઓ એને ઇગ્નોર કરતા હોય છે. ફેરોમોનેસને ઘ્રાણેન્દ્રિય દ્વારા અને Vomeronasal Organ દ્વારા પકડી લેવાતા હોય છે. આ અંગ પશુઓમાં પુરતું વિકસેલું હોય છે, માનવ ભૃણમાં હોય છે પણ જન્મ  થયા પછી નદારદ થઇ જાય છે. અને આના ટીસ્યુ તાળવામાં ઉપર હોય છે. પશુઓ એક બીજાને ચાટીને Pheromones ની માહિતી લેતા હોય છે.
Pheromones  બે પ્રકારના હોય છે એક પ્રાથમિક હોય છે જે લોંગ ટર્મ કામ કરતા હોય છે. બીજા releaser સિગ્નલ હોય છે જે તત્ક્ષણ કામ કરતા હોય છે જેવા કે મેટિંગની ઉત્તેજના. Martha McClintock નામની એક મહિલા વૈજ્ઞાનીકે એક સર્વે કરેલો કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ લગભગ એક સમયે ઋતુચક્રમાં આવતી હોય છે. તેમાં આ Pheromones  ભાગ ભજવે છે. છોકરીઓના પરસેવામાં આ હોય છે જે એકબીજાની વસ્તુઓની આપલે વખતે અને સ્પર્શ વખતે એકબીજાને અસર કરે છે જેનાં લીધે ધીમે ધીમે છોકરીઓ એક સમયે પીરીયડમાં આવતી થઇ જતી હોય છે. Androstadionnone જે Testosterone માંથી બને છે જે પુરુષોના પસીનામાં હોય છે. સ્ત્રીઓમાં ઓછું હોય છે. આ એક હ્યુમન સેક્સ હાર્મોન છે.
Saul  miller  અને Jon  manner નો ટીશર્ટ સર્વે જાણવા જેવો છે. એક કોલેજની છોકરીઓ ઓવુલ્યેશન અન્ડ્મોચન તબક્કામાં  હોય તેમના રાત્રે પહેરેલા ટીશર્ટ લીધા, બીજી જે છોકરીઓ એવા તબક્કામાં ના હોય તેમના ટીશર્ટ લીધા અને થોડા ટીશર્ટ કોઈએ પહેર્યા ના હોય તેવા લીધા, મતલબ શરીરની ગંધ વગરના. થોડા છોકરાઓને ભેગા કર્યા. એમને કહેવામાં આવ્યું કે દરેક ટીશર્ટ છોકરીઓએ પહેરેલા છે. પહેલા આ છોકરાઓના Testosterone લેવલ ચેક કરી લેવામાં આવ્યા. પછી ૧૫ મીનીટના સેશનમાં ત્રણ વખત ખૂબ જોરથી અને લાંબા અને ઊંડા શ્વાસે આ ટીશર્ટ સુંઘવાના જણાવવામાં આવ્યું. દરેકને જુદા જુદા ટીશર્ટ આપવામાં આવ્યા. સુંઘ્યા પછી દરેકના Testosterone લેવલ ફરી ચેક કરવામાં આવ્યા. જે છોકરીઓ ઓવુલ્યેશન તબક્કામાં હતી એમના ટીશર્ટ સુંઘનારનું Testosterone લેવલ વધી ગયેલું. જે છોકરીઓ એ તબક્કામાં નહોતી એનું ટીશર્ટ સુંઘનારના અને જે ટીશર્ટ કોઈએ પહેરેલું જ નહિ તેના સુંઘનારના Testosterone લેવલ સામાન્ય હતા તે જ રહેલા. ઓવુલ્યેશન અવસ્થામાં સ્ત્રીની સુગન્ધ સૌથી વધુ આનંદદાયક હોય છે.
જુઓ મિત્રો, આપણે અત્તર, સેન્ટ, પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ. આ બધાનો વિવેકથી ઉપયોગ થાય તો ઈવોલ્યુશનની સેવા થશે.
શુરુ યે સીલસીલા તો ઉસી દિનસે હુઆ થા,
અચાનક તુને જીસદીન મુજે યુહી છુઆ થા.
લહેર જાગી જો ઉસ તનબદન મેં જો મનમે  આજ ભી દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
બહોત તરસા હૈ યે દીલ તેરે સપનેયે સજાકે,
યે દીલકી બાત સુનલે મેરી બાહોમે આકે,
જગાકર અનોખી પ્યાસ મનમે યે મીઠી આગ જો દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
યે આંખે બોલતી હૈ,જો હમ ના બોલ પાયે.
દબી વો પ્યાસ મનકી નજરમે ઝીલમીલાયે.
હોઠોપે તેરી હલકી હસી હૈ,યે મેરી ધડકન બહેકતી જા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
 
 
 
Rachel Herz

વિશિષ્ટ લગ્ન પુરાણ?Look!Hard Truths About Human Nature.

Jaunsari Tribe
Image by ramesh_lalwani via FlickrJaunsari Tribe,India
દરેક સજીવમાં કુદરતે એવી ભાવના મૂકેલી છે કે એના જિન્સ બીજી પેઢીમાં તબદીલ કરે,અને આ રીતે એનો વંશ ચાલુ રહે. કુદરત મજબૂત જિન્સ ટ્રાન્સફર થાય તેવું ઇચ્છતી હોય છે.ચાલો આ જિન્સ ટ્રાન્સ્ફર કરવાની સામાજિક પદ્ધતિઓ વિષે જાણીએ. લગ્ન વ્યવસ્થા બહુ પાછળથી આવી, પ્રાણીઓમાં મનુષ્ય સિવાય કોઈ લગ્ન વ્યવસ્થા વાપરતું નથી. ત્રણ પ્રકારે માનવ સમાજ સેકસુઅલ રીપ્રોડક્શન કરતો હોય છે. મનોગમી, પોલીગમી અને ગ્રૂપ મૅરેજ.
મનોગમી:- મનોગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનોગમી. થોડા જ સ્તનધારી, મોટાભાગના પક્ષીઓ, થોડા જીવ જંતુ, થોડી માછલીઓ મનોગમી અપનાવે છે. એમાં સોશિયલ, સેકસુઅલ, જિનેટિક અને મેરીટલ મનોગમી એવા વિભાગ પાડેલા છે. જિનેટિક મનોગમીમાં એક નર માદા ભલે કાયમ સંસર્ગ કરતા હોય પણ સંતાન પેદા કરવા એક્સ્ટ્રા પાર્ટનર ઉપર આધાર રખાતો હોય છે. સીરીયલ મનોગમી પશ્ચિમના દેશોમાં સામાન્ય છે. એક જોડી તૂટી જાય બીજી જોડી બનાવી લેવાની. પણ એક પાર્ટનર હોય ત્યાં સુધી એક જ રાખવાનો. ૯૦% બર્ડ અને ફક્ત ૭% સ્તનધારી પ્રાણીઓ મનોગમસ હોય છે. Schistosoma mansoni કીડા માનવ શરીરમાં રહેતા હોય છે તે મનોગમસ હોય છે.
મેસોપોટેમીયા અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિઓ મનોગમસ હતી. પણ સંતાન ના થાય તો બીજી પત્ની કરવાની છૂટ હતી. ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફર્ટીલીટી રિપોર્ટ ૨૦૦૩ પ્રમાણે ૮૯% લોકો ૪૯ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લેતા હોય છે. છતાં બધા લગ્નો  મનોગમસ હોતા નથી. એન્થ્રોપોલોજીકલ અભ્યાસ પ્રમાણે ૮૦ થી ૮૫ % સમાજો પોલીગમસ લગ્નો આવકારતા હોય છે.
પોલીગમી :-  એટલે બહુ પત્નીત્વ અથવા બહુ પતિત્વ. Polygyny એટલે બહુ પત્નીત્વ. એક પુરુષ ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે કે લગ્નો કરે તેના માટે Polygyny શબ્દ વપરાય છે. જ્યારે Polyandry શબ્દ બહુ પતિત્વ માટે વપરાય છે. એક સ્ત્રી ઘણા બધા પતિ.દ્રૌપદી પોલીએન્ડ્રી પ્રકારનો જુનો જાણીતો દાખલો છે. એક સર્વે મુજબ ૧૨૩૧ સમાજોમાથી ૧૮૬ મનોગમસ હતા, ૪૫૩ પ્રાસંગિક polygyny એટલે જરૂર પડે ત્યારે, ૫૮૮ ફ્રીક્વન્ટલી  polygyny  અને ૪ સમાજો polyandry  હતા. જોકે આ સર્વે અધુરો જણાય છે. ઘણા સમાજમાં બહુ પત્નીત્વ મોભાનું સ્થાન ગણાતું. ૧૯૩૫ સુધી થાઈલેન્ડમાં બહુ પત્નીત્વ કાયદેસર માન્ય હતું. ભારતમાં બહુ પત્નીત્વ પ્રાચીન સમયમાં માન્ય હતું. આઝાદી સુધી લગભગ માન્ય હતું. ઇસ્લામમાં બહુ પત્નીત્વ  માન્ય છે. એક સાથે ચાર પત્ની ધરાવી શકાય છે. જોકે અઝેર્બૈજાન, બોસ્નિયા, ટુનીસીયા, ટર્કી જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પોલીગમી કાયદેસર માન્ય નથી. લીબિયા, પાકિસ્તાન અને મોરોક્કોમાં પહેલી પત્નીની લેખિત પરવાનગી જોઈએ બીજી પત્ની કરવી હોય તો. કેન્યા, સાઉથ આફ્રિકા, સુદાન બધે પોલીગમી ચાલુ જ છે. ભારતમાં હિંદુ લો મુજબ મનાઈ છે જ્યારે મુસ્લિમ પર્સનલ લો મુજબ માન્ય છે. હોંગકોંગમાં ૧૯૭૧ થી પોલીગમી ગેરકાયદેસર છે.
polyandry – બહુ પતિત્વનો ઉત્તમ દાખલો તિબેટ છે. પ્રાચીન સુમેરિયન રાજાએ (૨૩૦૦BC)માં મનાઈ ફરમાવી દીધેલી અને જે સ્ત્રી બહુ પતિ રાખે તેને પથ્થરો મારી મોત નિપજાવવાની સજા દાખલ કરેલી. સૌથી વધારે બહુ પતિત્વની પ્રથા તિબેટમાં છે. કેનેડીયન આર્ક્ટિક, નેપાળ, નાઇજેરિયા, ભુતાન, ભારતના લડાખ અને ઝાંસ્કાર, શ્રી લંકા, થોડા પોલીનેશિયન સમાજ જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે, મોંગોલિયા,ચીનમાં મોસુઓ સમાજ, મસાઈ સમાજ કેન્યા અને તાન્ઝાનિયા, અમેરિકાના પ્રાચીન સમાજો, ઉત્તરાખંડનો  જૌન્સર વિસ્તાર ભારતમાં, થીયા અને ટોડા સમાજ દક્ષિણ ભારત, અરુણાચલ પ્રદેશ ના નિશી સમાજ આ બધા બહુપતિત્વ  રિવાજ ધરાવતા પ્રદેશોમાં આવી જાય. એમાં ફક્ત  Saskatchewan Canada ન્યાયિક રીતે કાયદેસર પોલીએન્ડ્રી ગણવામાં આવે છે. ભારતમાં પોલીગમી ગેરકાયદે છે તેથી પોલીએન્ડ્રી પણ એની વ્યાખ્યામાં આવી જાય. તિબેટમાં હાલ બહુ મોટો પ્રશ્ન છે, કારણ તિબેટ હાલ ચીને કબજે કરી લીધું છે જ્યાં પોલીગમી ગેરકાયદે છે. બ્રાઝીલના કેટલાક સમાજ પોલીએન્ડ્રી છે. ઇસ્લામ અને હિબ્રુ બાઈબલમાં પોલીએન્ડ્રી મનાઈ છે.
માનવ સિવાય, Field Cricket Gryllus bimaculatus , Orthoptera (containing crickets, grasshoppers and groundhoppers), Agile frogs, honey bee , New World monkeys ( Goeldi’s Marmoset , tamarins )આ બધા પોલીએન્ડ્રી વ્યવસ્થા ધરાવતા હોય છે.
Group  marriage :- આ શબ્દથી જ સમજી જવાય  તેવું છે. ઘણા બધા પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓ, સહિયારી પત્ની અને સહિયારા પતિ. કોઈ દેશમાં ગ્રૂપ મૅરેજ માન્ય નથી. હવાઇઅન ટાપુઓ, મેલેનેસીયા, દક્ષિણ ભારત નીલગીરીમાં રહેતો ટોડા સમાજ, પ્રાચીન અમેરિકાનો ઓમાહા સમાજ , Kurnandaburi , Wakelbura , Kurnai of Australia આ બધા સમાજોમાં ગ્રૂપ મૅરેજ માન્ય હતા. યુ.એસ.એ માં Oneida Community (1879-1881), Kerista Commune  San Francisco from 1971 to 1991, ગ્રૂપ મૅરેજ કરતા હતા. જોકે કાયદેસર માન્ય હતા નહિ. વિશિષ્ટ લગ્ન પુરાણ સમાપ્ત ! !
Toda of Nilgiri

અમ્મા મેરે મામુ કો ભેજો રી!!

Water-color of Emma Darwin (1840) by George Ri...
Image via Wikipedia

**એક પરમ મિત્રે સુંદર કવિતા મોકલી હતી.કવિતા અહીં લખતો નથી.અમીર ખૂસરોની કવિતા છે.બહુ સુંદર કવિતા છે.હિંદુ અને મુસ્લિમ બે સંસ્કૃતિઓ આશરે હજાર વર્ષ જોડે રહી છે.બે સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું,આર્ટ,કલ્ચર,ગીત,સંગીત રીતી,રીવાજો નું ખૂબ આદાનપ્રદાન થયેલું છે.મુસ્લિમ સંસ્કૃતિમાં પિતરાઈઓ વચ્ચેના લગ્નો સામાન્ય છે.કવિતામાં એક નાનકડું વાક્ય ઘણું બધું કહી જતું હોય છે.જોકે હવે આ મૂળ કવિતાના નવા વર્જન આવી ચૂક્યા છે અને ભારતમાં ગવાય પણ છે.ચાલો અંગત લોહીના સંબંધોના લગ્નો વિષે થોડું જાણીએ.
**પ્રથમ પાયાનું હોમો સેપિયન માનવ જાતનું વસ્તીનું ધોરણ આશરે ૭૦૦ થી ૧૦,૦૦૦ નું હશે તેવું વૈજ્ઞાનિકો માને છે.કોઈ લગ્ન જેવી વ્યવસ્થા હોય નહિ તે સ્વાભાવિક છે.છતાં તે લોકો જોડી બનાવી પ્રજોત્પત્તિ નું કાર્ય કરતા હશે.એટલે લગભગ બધા ભાઈ બહેન જેવાં હોય તે સ્વાભાવિક છે.એ સિલસિલો હજારો વર્ષો સુધી ચાલ્યો હશે.પુનરુક્તિ વહોરીને લખું કે જૈનોના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ સુધી સગી બહેન સાથે જોડી બનાવી સંતાનો પેદા કરતા હતા.એમણે પણ એવું કરેલું.પણ બીજી કોઈ જોડી ખંડિત થઈ હશે તો એમણે પેલી સ્ત્રી સાથે પણ જોડી બનાવી અને આ પ્રથામાં કશું નવું જોડ્યું કે બહેન વગર પણ જોડી બનાવી શકાય.ભગવાન ઋષભદેવનો આભાર માનવો જોઈએ આજના વૈજ્ઞાનિકોએ.છતાં કોઈ લગ્ન વ્યવસ્થા જેવું હતું નહિ.મન ફાવે તેમ બધા જોડીઓ બનાવી રહેતા હતા.એમાં જે બળવાન હોય,જેની પાસે ખાવાપીવાના વિપુલ ભંડાર હોય તેને સ્ત્રીઓ ઉપલબ્ધ વધારે રહેતી.મુનિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ નાનો હતો,ત્યારે એકવાર એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઋષિ પત્નીને કહ્યું ચાલ મારી સાથે અને નાનાશ્વેતકેતુ ને છોડી માતા પેલાં વધારે સક્ષમ બ્રાહ્મણ સાથે ચાલી નીકળી.બસ મોટા થઈને શ્વેતકેતુએ લગ્ન વ્યવસ્થાનો રિવાજ શોધી કાઢ્યો અને એને પવિત્રતાના વાઘા પહેરાવી દીધા.જેથી કોઈ નાના બાળકને સહન કરવાનું આવે નહિ.ભારતમાં આવી રીતે લગ્ન વ્યવસ્થા શરુ થઈ.ચીનમાં નુવા અને ફૂક્ષીએ પ્રોપર મૅરેજ પ્રોસિજર શોધી કાઢેલો તેવું કહેવાય છે.ત્યાં એક અટક ધરાવતા લોકોમાં લગ્નો થતા નથી.તેવું અમારા રાજપૂતો પણ એક અટકમાં લગ્ન થતા નથી,પછી છોને ગમે તેટલી પેઢીઓ વીતી ગઈ હોય.ચીનમાં એરેન્જ મૅરેજ સૌથી વધારે થાય છે.પ્રાચીન ગ્રીસમાં કોઈ મૅરેજ સેરીમની જેવું હતું નહિ.પણ રોમમાં સાક્ષીઓની હાજરીમાં મૅરેજ સેરીમની થતી.
**રટગર્સ યુનિના રોબીન ફોકસ કહે છે,ઇતિહાસના ૮૦% લગ્નો બીજી પેઢીના પિતરાઈ અને નજીકની લોહીની સગાઈમાં થયા છે.ફર્સ્ટ કજિન,સેકંડ કજિન,ક્રોસ કજિન અને પૅરેલલ કજિન વચ્ચેના લગ્નો સામાન્ય હતા.પ્રથમ પેઢીના પિતરાઈ વચ્ચેના લગ્નો અમેરિકામાં સિવિલ વોર પહેલા કાયદેસર હતા.૧૯મિ સદી પછી એનો રેટ ઓછો થવા લાગ્યો.ફર્સ્ટ કજિન વચ્ચેના લગ્નોથી જે સંતતિ પેદા થાય તેમાં બહેરાપણું,અંધત્વ અને મૂઢતા વધારે જણાય છે તેવા રિપોર્ટ આવતા અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં એના પર પ્રતિબંધ મુકાયો.ઑસ્ટ્રિયા,હંગેરી અને સ્પેનમાં પ્રતિબંધ વહેલો મુકાયો હતો,પણ ઈંગ્લેન્ડમાં ચાલુ હતું.ચાર્લ્સ ડાર્વિન અને એની પત્ની એમ્મા પિતરાઈ ભાઈ બહેન હતા.પ્રાચીન રોમમાં જીસસ પહેલા ફર્સ્ટ કજિન લગ્નો કાયદેસર હતા.પણ પછી સમ્રાટ Theodosius એના પર પ્રતિબંધ મૂકી દીધો.પ્રાચીન ગ્રીસમાં પણ આવા લગ્નો કાયદેસર હતા.કિંગ Leonidas 1 (સ્પાર્ટા)એ વળી એની ભત્રીજી સાથે લગ્ન કરેલા.
**મિડલ ઇસ્ટના સમગ્ર ઇતિહાસમાં આવા લગ્નો કાયદેસર હતા.અને આજે પણ છે.જોર્ડનમાં છોકરીને એના કાકાના દીકરા સાથે પરણવું ફરજિયાત છે.કાકાનો દીકરો ના હોય તોજ બીજે લગ્ન થાય.હયાત હોય છતાં કરવા હોય તો એની મંજૂરી જોઈએ.છતાં છોકરીના લગ્ન બીજે કરવામાં આવે અને એનો પતિ એને એના ઘેર લઈ જતો હોય ત્યારે કાકાનો દીકરો આવીને એને છીનવીને લઈ જઈ શકે છે.ઇરાકમાં પિતરાઈની પરમિશન વગર બીજે લગ્ન કરનાર સ્ત્રીનું ખૂન પણ થઈ જાય.આફ્રિકામાં નાઈજીરીયામાં આજે પણ બહુપત્નીત્વ કાયદેસર છે.Hausa જાતિમાં મુસ્લિમ ધર્મનું જોર વધારે છે તેમાં આવા લગ્નો સ્વાભાવિક છે.જ્યારે Yoruba જાતિમાં બહુપત્નીત્વ વધારે પ્રમાણમાં છે.એક પત્ની તો લોહીની સગાઇવાળી હોવી જરૂરી છે.એવરેજ લોકોને ત્રણ પત્નીઓ હોય છે.એમાં ભત્રીજીઓ પણ આવી જાય.Lgbo જાતિમાં સદંતર મનાઈ છે.એક ગામની સ્ત્રી સાથે પણ લગ્ન ના કરી શકાય.આ જાતી કિશ્ચિયન છે.ઇથિયોપિયામાં વળી મુસ્લિમ વધારે હોવા છતાં પુરાણાં રિવાજ ચાલુ છે છ પેઢી સુધી લોહીની સગાઈમાં લગ્નો ના થાય.
**ચીનમાં મામાની દીકરી સાથે લગ્નો થતા,પણ હવે પિત્રાઈ લગ્નો પર ૧૯૮૦ થી મનાઈ છે.ત્યાં વળી બે બહેનો સાથે લગ્નો કરવા પ્રાચીન સમયમાં સામાન્ય હતું.ભારતમાં ઘણા રાજપૂતોમાં બે બહેનો એક ઘરમાં એક જ પતિ સાથે જોવા મળતી.ઘણી વાર સાળાની દીકરી સાથે પણ લગ્નો થતા.પણ સાત પેઢી સુધી લોહીની સગાઈ અને એક જ ગોત્રમાં લગ્નો ના થાય તે ભારતમાં હતું અને છે.ઉત્તર ભારતમાં સગોત્ર લગ્નો થતા નહિ.ભારતમાં ફર્સ્ટ કજિન લગ્નો પર ૧૯૫૫ના કાયદા મુજબ મનાઈ છે,પણ પ્રાદેશિક રિવાજ હોય તો કાયદો છૂટ આપે છે.ઉત્તર ભારતમાં એક જ ગામમાં પણ લગ્નો ની છૂટ હોતી નથી.પણ દક્ષિણ ભારતમાં એવું નથી.ત્યાં ક્રોસ કજિન વચ્ચે લગ્નો બહુ મોટા પ્રમાણમાં થાય છે.કર્ણાટકમાં બેંગલોર સાથે ગણો તો ત્રીજા ભાગની વસ્તી આવા લગ્નો કરેલી છે.કર્ણાટકમાં છોકરી માટે પહેલી પસંદગી એનો મામો હોય છે.મામાશ્રી ઉપલબ્ધ ના હોય તો વાત ઠીક છે,બીજે લગ્ન કરો.જોકે હવે ત્યાં સ્ત્રીઓ જાગૃત થઈ છે તેવું જાણવા મળ્યું છે.ભારતીય મુસ્લિમોમાં તો આવા લગ્નો હોય જ તે સ્વાભાવિક છે.
**અભિમન્યુ મામા બલરામની દીકરી શશિરેખા સાથે પરણેલો હતો.એની બીજી પત્ની ઉત્તરા હતી.જયપુરના સવાઈ માનસિંહ પ્રથમવાર જોધપુરની રાજકુમારી મરુધર કુંવર સાથે પરણેલા,બીજા લગ્ન એમના સાળાની દીકરી સાથે અને ત્રીજા લગ્ન ગાયત્રીદેવી સાથે કરેલા જે પ્રેમ લગ્ન હતા.ફ્રેન્કલીન રુઝવેલ્ટ,એડગર એલાન પો અને આઈનસ્ટાઇન એમની કજિન સાથે પરણેલા હતા.
***ઇનકા,હવાઈયન અને પ્રાચીન ઈજીપ્તમાં વળી જુદું હતું.ત્યાં વળી સગી બહેનો સાથે લગ્નો સામાન્ય હતા.પ્રાચીન ઈજીપ્તના ફેરો રાજાઓ લોહી શુદ્ધતા(pure blood line ) જાળવવા બહેન સાથે લગ્નો કરતા.અને હા ક્યારેક કવચિત પોતાની દીકરી સાથે પણ લગ્ન કરતા.Pharaonic ,Ptolemaic અને Roman એમ ત્રણ યુગ સુધી ઈજીપ્તમાં બહેનો સાથે લગ્નો સામાન્ય હતા. D. Bruce McMahan, ૬૫ વર્ષના આ પિતાશ્રીએ જુન ૨૦૦૪મા વેસ્ટ મીનીસ્ટર એબેમાં કાર્ટિયર વેડિંગ રીંગ પહેરાવી,થોડી વિધિ કરી,ફોટા પડાવ્યા અને પોતાની દીકરી લીંડાને પત્ની બનાવી દીધી.બંને એકબીજાને ત્યાર પછી ઈ મેલમાં પતિ પત્ની તરીકે સંબોધન કરતા.એક જુના સમાજમાં દીકરીના લગ્ન પહેલા પિતા હાથમાં એક કપડું લઈ,એણે આંગળી પર વીંટાળી.દીકરીની યોનિમાં દાખલ કરે,ત્યાર પછી તે લોહીવાળું કપડું લગ્ન સમયે હાજર વ્યક્તિઓને બતાવે કે તેમની દીકરી વર્જીન હતી.જેથી પાછળથી એનો પતિ દાવો ના કરે કે એની પત્ની વર્જીન નહોતી.વર્જીન ના હોવું શરમજનક અને સ્ત્રીની હત્યામાં પરિણમતું.
**નજીકના લોહીના સંબંધોમાં લગ્નો કરી પ્રજા ઉત્પન્ન કરવી તે પ્રાચીન સમાજોમાં સામાન્ય હતું.પણ એનાથી વારસાગત રોગો નવી પેઢીમાં ઊતરતા હોય છે.રીસ્ક ફૅક્ટર વધી જાય છે.જોકે આ વાત પણ વિવાદાસ્પદ છે.ઘણા સમજો આ વાત કબૂલવા તૈયાર નથી.ઇતિશ્રી લગ્ન પુરાણ ભાગ-૧ સમાપ્ત:

પાકા કેળાનો રંગ પીળો??

Yes, we have got bananas....
Image by law_keven via Flickr

પાકા કેળાનો રંગ પીળો??
પાકું કેળું પીળા રંગનું દેખાય છે. ખરેખર તો કોઈ વસ્તુને રંગ હોતો નથી. પ્રકાશની અંદર બધા રંગોનો સમૂહ હોય છે. વસ્તુની સપાટી જે રંગને
પાછો મોકલે તે રંગ આપણને દેખાય છે. બંધ ઓરડામાં રહેલા ફર્નિચર કે વસ્તુઓને રંગ હોતો નથી. બારણું ખોલી અંદર પ્રવેશ કરીએ ત્યારે રંગનો ઉદ્ભવ થતો હોય છે. કોઈ વસ્તુ લાલ રંગની છે મતલબ તે વસ્તુની સપાટી પ્રકાશની  અંદર રહેલા લાલ રંગને સ્વીકારતી નથી જેથી
આપણને લાલ રંગ દેખાય છે. બધા રંગને ના સ્વીકારે તો વસ્તુ સફેદ દેખાય છે. સપાટી બધા રંગને પી જાય તો વસ્તુ કાળી દેખાય છે.

**ચાલો મૂળ વાત ઉપર આવીએ. પાકું કેળું પીળા રંગનું હોય છે, પણ કાયમ નહિ. સોડીયમ વેપર લાઈટમાં કેળાનો રંગ પીળો હોતો નથી. બહુ મોટા પાર્કિંગ લોટમાં જ્યાં મોટાભાગે પ્રકાશ ઓછો હોય ત્યાં પણ કેળું પીળું હોતું નથી. છતાં બધી જગ્યાએ કેળું પીળા રંગનું દેખાય છે. એનું રહસ્ય છે ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાનમાં. આપણાં પૂર્વજો આદીમાંનવો પ્રથમ વર્ષાવનોમાં વૃક્ષો ઉપર રહેતા હતા, પછી
નીચે ઊતરી સવાનાના ઘાસના મેદાનોમાં રહેવા લાગ્યા. સવાના થિયરી કહે છે કે લાખો વર્ષથી પાકા કેળાને પીળા રંગનું જોવામાં આવી રહ્યું છે. લાખો વર્ષથી સોડીયમ વેપર લાઈટ હતી નહિ. લાખો વર્ષથી આદિ માનવોના જિન્સ પેઢી દર પેઢી ઊતરતા આવ્યા છે. સાદાં સૂર્યપ્રકાશમાં પાકા કેળાને પીળું જોવાના સંસ્કાર જિન્સમાં ઊતરતા આવ્યા છે.  જિન્સમાં  આપણાં શરીરનો નકશો છુપાયેલો હોય છે.

**દરેક વખતે પાકું કેળું પીળું હોતું નથી.લાખો વર્ષથી પેઢી દર પેઢી જિન્સ દ્વારા મળેલી સૂચના મુજબ આંખોને પાકું કેળું પીળા રંગનું દેખાય છે.એટલે જ્ઞાનીઓ કહેતા હોય છે કે આ જગત દેખાય છે તેવું છે નહિ.

શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory

morgan

શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory
*ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આગળ ધપતા ધપતા આપણે માનવ બન્યા છીએ.લાખો કરોડો વર્ષ વીતી જાય છે.જીયોલોજીકલી ટાઈમ તો એક આંખનો પલકારો ગણાય.માટે કહ્યું છે કે બ્રહ્માની આંખનો એક પલકારો અને પૃથ્વી પર કરોડો વર્ષ વીતી જાય છે.પ્રાચીન ભારતીય મનીષીઓ આ વાત જાણતા હતા.એટલે લાખો જન્મો પછી મનુષ્ય અવતાર મળ્યો છે તેમ કહેવાય છે.લખ ચોરાશી કે ૮૪ લાખ.પણ હું માનું છું કે અણસમજુ લોકોએ અવળો અર્થ કરી નાખ્યો હશે,અને પુનર્જન્મ નો ખયાલ ઊભો કરી નાખ્યો હશે.એક કોષી જીવમાંથી મનુષ્ય બનતા બનતા ઈવોલ્યુશનના ક્રમમાં કરોડો વર્ષો વીતી ગયા હશે.માટે એની કિંમત સમજો.હવે કરોડો કે લાખો વર્ષ પછી આપણી કોઈ સુધારેલી આવૃત્તિ પેદા થવાની છે.પણ એમાં ઉત્ક્રાંતિનો ક્રમ લાખો વર્ષ લેવાનો છે.
*ચિમ્પાન્ઝી અને આપણાં જિન્સ લગભગ સરખાજ છે.એટલે એક થિયરી એવી છે કે એપ્સ
આપણાં પૂર્વજો છે.નૃકપી અડધું નર અને અડધું માનવ એવું લ્યુસીનું આખું ફોસિલ મળ્યું
છે જે આશરે ૩૦ લાખ વર્ષ જુનું છે.ચીમ્પ સામાજિક પ્રાણી છે.નકલ વોકિંગ કરે છે પણ ચાર
પગે જ ચાલે છે.ચીમ્પ હાથમાં વૃક્ષની ડાળિયો અને મોટા લાકડા હાથમાં લઈને બીજા ચીમ્પ
પર હુમલા કરે છે.એમાંથી પછી આવી કીલર એપ્સ થિયરી.કે આપણાં પૂર્વજો કીલર એપ્સ
હતા.આફ્રિકાના વર્ષાવનને ભૂગર્ભીય ઊથલ પાથલ નડી.જ્વાલામુખીઓ ફાટ્યા.અને વર્ષાવન
બંજર બન્યા,રણ બન્યા.એપ્સને નીચે ઊતરવું પડ્યું.એમાંથી બનેલા અર્ધમાનવ લોકોને પણ
નીચે ઊતરવું પડ્યું.માનવ જાતના પ્રથમ પૂર્વજ ૫ લાખ વર્ષ ઝાડ પર રહ્યા હશે તેવું
માનવું છે.સવાનાના ઘાસના મેદાનમાં આપણાં પૂર્વજો ફરવા લાગ્યા.એટલે સવાના થિયરી
આવી.સવાના ખૂબ ગરમ છે.સૌથી વધુ પરસેવો માનવને થાય છે.માનવ બે  પગે ચાલનારું એકલું પ્રાણી છે.એનો ફાયદો એ થયો કે ઊર્જા ઓછી વપરાય અને લાંબો સમય સ્ટેમિના
રહે.આફ્રિકાના હાલના આખી દુનિયાના માબાપ સાન બુશમેન આદિવાસીઓ હાલ પણ કોઈ પ્રાણી પાછળ સતત ચાર કલાક દોડીને એને થકવી નાખે છે અને પછી શિકાર કરે છે.
*૧૯૩૦ મરીન બાયોલોજીસ્ટ એલિસ્ટર હાર્ડીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે જે સ્તનધારી
પ્રાણીઓ વ્હેલ,શીલ અને ડોલ્ફિન પાણીમાં રહે છે એમની ત્વચા નીચે ચરબીનું પડ હોય જે
ઇન્સ્યુલીનનું કામ કરે છે.આફ્રિકાના ગ્રેટ ape જેમને આપણાં પૂર્વજો માનીએ છીએ તેમની
ત્વચા નીચે આવું હોતું નથી.બીજું બધા એપ્સ ને પુષ્કળ વાળ ધરાવતી ત્વચા હોય છે જે
માનવ પાસે નથી.માનવ તો એમની સરખામણીએ  વાળ વગરનો ગણાય.વાળ છે પણ નગણ્ય ગણાય.તો આપણાં પૂર્વજ એપ્સ પાણીમાં તો મોટાભાગનો સમય નહિ ગુજારતા હોય??  પણ એની વાત કોઈ માનશે નહિ વિચારી મૌન રાખ્યું.૧૯૪૨ માં જર્મન પેથોલોજીસ્ટ મેક્સ વેસ્ટન હોફરે એક બુક લખી તેમાં એણે પણ આવી શક્યતા ગણાવી.૫ માર્ચ ૧૯૬૦ માં એલિસ્ટર હાર્ડીએ આ એક્વેટીક એપ થિયરી જાહેરમાં મૂકી.દરિયા કિનારે વૃક્ષો પર રહેતા એપ્સ
વાનરોએ  ખોરાક માટે સખત હરીફાઈને કારણે નીચે ઊતરી દરિયામાં ખોરાક શોધવાનું ચાલુ
કર્યું હશે.માછલી,અને બીજા દરિયાઈ જીવોને ખોરાક બનાવતા હશે.દરિયાઈ સજીવ ખોરાકમાં
પુષ્કળ તત્વો હોય છે જે બ્રેઈનના વિકાસ માટે ખૂબ કામ લાગે છે.આયોડિન અને ફેટ્ટી
એસિડ ઓમેગા ૩ અને બીજા ઘણા બધા બ્રેઈન માટે ખૂબ સારા ગણાય છે.એમાંથી આ એક્વેટીક
એટલે જળમાં રહેનારાનું બ્રેઈન વિકસ્યું હશે જે આજે માનવ બ્રેઈનના વિકાસને જોતા માની
શકાય છે. આ એપ્સ સેમી એક્વેટીક હોવા જોઈએ.પણ મોટાભાગનો સમય જળમાં વિતાવતા
હશે.
*મોર્ગન એલન નામની બ્રિટીશ ગૃહિણી,એને આ થિયરીમાં રસ પડ્યો.૧૯૭૨
થી ૨૦૦૮ સુધીમાં એણે આ થિયરીને પુરસ્કૃત કરતા ૬ પુસ્તકો લખ્યા અને બહાર પાડ્યા.આજે
તે આ વિષયમાં કોઈ પણ વૈજ્ઞાનિક કરતા વધારે પ્રસિદ્ધ બની ચૂક્યા છે.આફ્રિકાની બબુન
વાનરોની એક પ્રજાતિ જે નદી કિનારે રહેતી હોય છે તે દિવસનો મોટાભાગનો સમય પાણીમાં
વિતાવે છે.ચીમ્પના ભાઈ બોનોબો હોઈ પ્રાણી સંગ્રહાલયમાં હોય અને સગવડ આપવામાં આવે તો ૯૦ ટકા સમય પાણીમાં વિતાવે છે.સ્તનધારી વ્હેલ,સીલ અને ડોલ્ફિન જેમ હાથી અને
ગેન્ડાભાઈ ત્વચા ધરાવે છે.એમાં પૂર્વજો પાણીના સ્તનધારી જીવ હતા તે હકીકત
છે.
*આ થિયરીનો એકજ પ્રૉબ્લેમ છે કે પુરાવા માટે કોઈ ફોસિલ હજુ ઉપલબ્ધ થયો
નથી.ફોસિલ જમીનમાં હોય તો સચવાય,પાણીમાં સચવાઈ જવા મુશ્કેલ છે.બરફમાં તો હજારો વર્ષ સુધી શરીર જ સચવાઈ જાય છે.૫૦૦૦ વર્ષ જુનું એક માનવ શરીર આલપ્સની પર્વતમાળા પરથી મળેલું.૧૨૦૦૦ વર્ષ પહેલા ખતમ થઈ ગયેલી મેમથ હાથીની જાતના શરીર સાઈબીરીયા થી મળેલા છે.એમાંથી એકાદ કોશ જીવતો મળી જાય તો વૈજ્ઞાનિકોને ફરીથી મેમથ પેદા કરવા છે.ઉત્તર ધ્રુવ સર્કલ પરથી હમણા આવું એક બાળ મેમથ મળેલું જે ૩૯૦૦૦ વર્ષ જુનું છે.

*મિત્રો એક્વેટીક એપ થિયરી ઉપર વધુ અને વિસ્તૃત જાણકારી માટે નીચે BBC વીડીઓ નો એક ભાગ મૂક્યો છે બીજા જોઈ લેવા. http://www.youtube.com/watch?v=VFsgtLxALac

“અર્ધનારીશ્વર”Look!Hard Truths About Human Nature.

Khnumhotep and Niankhkhnum. Illustration from ...
Image via Wikipedia

અર્ધનારીશ્વર
      દરેક પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં ટેસ્ટાટોરીન પુરુષ હાર્મોન્સ અને ઈસ્ટ્રોજન સ્ત્રૈણ હાર્મોન્સ હાજર હોય જ છે.ખાલી માત્રાનો ફેર હોય છે.કોઈ પુરુષ પૂર્ણ પુરુષ નથી,કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી નથી.માટે પ્રાચીન મનીષીઓ આ વાત જાણતાં હોવાથી એક સુંદર અર્ધનારીશ્વર અર્ધનટેશ્વર પ્રતીક શંકરનું રચ્યું હશે.પરંતુ આ પ્રતીકને સજાતીયતા સાથે કોઈ સંબંધ નથી.શંકરનું લિંગ જેની આપણે પૂજા કરીએ છીએ તંદુરસ્ત વિજાતીય સેક્સનું પ્રતીક છે.પુરુષમાં  ટેસ્ટાટોરીન લેવલ ઊંચું હોવું જોઈએ,સ્ત્રીમાં ઈસ્ટ્રોજન.સ્ત્રી અને પુરુષ ભેગાં થાય તો સર્જન થાય તેનું આ પ્રતીક છે.
    સજાતીય  સંબંધોને હોમોસેકસુઅલ,ગે અને લેસ્બિયન તરીકે ઓળખવામાં આવે છે.ઘણા લોકો બંને જાતિમાં રસ ધરાવતા હોય છે.સજાતીય વર્તણૂકને પહેલા મેન્ટલ ડીસઓર્ડર ગણવામાં આવતી  હતી. વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા પછી લાગ્યું કે આમાં કોઈ મેન્ટલ ડીસઓર્ડર જેવું છે નહિ.અમેરિકા,ચાઈના,બીજા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ મેન્ટલ ડીસઓર્ડર નથી.સજાતીયતા જેનેટિક,હાર્મોનલ અને વાતાવરણને લગતી બાબત છે.સજાતીય લોકો સાથે રહેવાથી કોઈ સજાતીય બની જતું નથી.એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો.સજાતીય લોકો વડે ઉછેરાયેલ બાળકો મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માલૂમ પડ્યા.જયારે જે લોકો સજાતીય હતા તેમને મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માતા પિતાએ ઉછેરેલા હતા.
     વધારાના બિન જરૂરી વિજાતીય આકર્ષણને રોકવા માટે સહ શિક્ષણ જરૂરી છે.એકલાં છોકરાઓ વર્ગ ખંડમાં હશે તો સતત છોકરીઓના વિચારોમાં રત રહેશે.એવું  છોકરીઓનું સમજવું.વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ  હોવા ના જોઈએ.નહીતો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની,ભણવા તરફ નહિ.આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.સજાતીય સંબંધો ઘણી વાર મજબૂરી બની જતી હોય છે.જ્યાં સ્ત્રીઓ ઉપલબ્ધ નથી ત્યાં સજાતીય સંબંધો મજબૂરી છે.આર્મી અને જ્યાં સ્ત્રીઓના મુખ જોવા પાપ ગણાતું હોય તેવી મોનેસ્ટ્રીમાં લોકો સજાતીય હોય છે.નાના બાળકોને જાતીય ધોરણે અલગ અલગ બેસાડી ભણાવવા તે તંદુરસ્ત સમાજ તરફ આગળ વધવા માટે રોકથામ જેવું છે.જુઓ આપણાં ઋષિમુનીઓ એમને સ્વર્ગમાં અપ્સરાઓ  દેખાય છે.પત્ની ધરાવતા ઋષિઓ આવી કલ્પના કરે નહિ.બીજું આ અપ્સરાઓની ઉંમર સોળ વર્ષની જ હોય.ત્રીજું અહીની સ્ત્રીઓને સ્વર્ગમાં પ્રવેશ નો  અધિકાર નહિ.પત્ની બાજુમાં ઊભી હોય અને અપ્સરા સામે નજર મંડાય ખરી?હા!હા!હા!માટે એકલાં જવાનું.અહી જ માનસિકતા પરખાઈ જાય.એક રુગ્ણ સમાજ,એક માનસિક બીમાર સમાજ  તરફ આગળ વધવું હોય તો છોકરા અને છોકરીઓની અલગ અલગ સ્કૂલો કૉલેજો ઊભી  કરો.
        સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના વિચારો કરીને ખાલી સજાતીય બની જાય તેવું માનવું અવૈજ્ઞાનિક છે.ખાલી વિચારો કરીને જાતીય પરિવર્તન થઈ ના જાય.સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે કલ્પના કવિતા માટે સારી હશે,હકીકતમાં નહિ.કીટક ભ્રમર ન્યાય કવિઓની કલ્પના છે,તથ્ય નહિ.એક ભ્રમર મેટિંગ કરે,માદા ઈંડા મૂકે,એમાંથી લાર્વા એટલે ઇયળ નીકળે તે પછી કોશેટો બને અને એમાંથી પછી ભ્રમર નીકળે.આ બધી બાયોલોજીકલ પ્રક્રિયા છે,કોઈ કવિતા નથી.કીટક ખાલી વિચારો કરી ભ્રમર ના બને કે ભ્રમર વિચારો કરી કીટક ના બને.એટલે સજાતીયતા મોટાભાગે જેનેટિક છે.બ્રેઈનના હાઈપોથેલેમસ વિભાગમાં INAH3 ન્યુક્લિયસ હોમોસેકસુઅલ પુરુષોમાં જરા નાનો હોય છે.કાયમી સજાતીયતા માતાના ગર્ભમાં નક્કી થઈ જાય છે.સ્ત્રી ખાલી બ્રેઈનના જમણા ભાગ વડે જ વિચારે અને પુરુષ માત્ર ડાબા ભાગ વડે જ વિચારે તે ખોટું છે.બધા આખું બ્રેઈન જ વાપરતા હોય છે.હા કોઈ એક ભાગનો  ઉપયોગ વધારે કરે તે બરોબર છે.હવે કોઈ સ્ત્રી પુરુષનો વિચાર કર્યા કરે સતત અને એનું ડાબું બ્રેઈન વધારે કામ કરતું થઈ જાય તે વાત જ ખોટી છે.કવિઓ જમણું બ્રેઈન વધારે વાપરતા હોય છે તે કોઈ સ્ત્રી જેવા બની નથી જતા.પુરુષો પણ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ પથ્થર હ્રદયની.રામાયણ કથા રચનારા તથા ગાનારા કવિ હૃદય ધરાવતા જમણું બ્રેઈન વધારે વાપરતા હોઈ શકે.શ્રી ડોંગરેજી મહારાજ ભાગવત વાંચતા વારેઘડીયે રડી પડતા.એમનું જમણું લાગણીશીલ બ્રેઈન વધારે કામ કરતું હોઈ શકે.ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે સક્રિય હોય છે.
     પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી.કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી.માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી અહી તો  આ બધું સાવ સામાન્ય છે.જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન  યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.સજાતીયતા કોઈ કાલે બંધ થાય નહિ,ખાલી ગુપ્ત રીતે ચાલુ રહેવાની.
      બાળક પુરુષ તરીકે  જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે  ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?એમાંના ઘણા લોકો ઓપરેશન કરાવી જાતી બદલી નાખતા હોય છે.
      પ્રાણીઓમાં પણ સજાતીયતા નોધાઇ છે.પેન્ગ્વીન અને બોનોબો ચીમ્પમાં ખાસ નોધાઇ છે.ઘણા કીડાઓમાં બંને પૂર્ણ વિકસિત ઑર્ગન એક જ શરીરમાં હોય છે.બે કીડા ભેગાં થઈને એકબીજાના મેલ ફીમેલ ઑર્ગન સાથે  સહયોગ કરી બંને ઈંડા મૂકી વંશ વધારવાનું કામ આગળ વધારે છે.ખરા અર્ધ નારીશ્વર અને અર્ધ નટેશ્વર તો આ કીડા છે,માનવો નહિ.

શાકાહાર v/s માંસાહાર.!!!

Miniature Food Fruit Plate
Image by PetitPlat Food Art - Stephanie Kilgast via Flickr

શાકાહાર v/s  માંસાહાર.!!!
શાકાહાર અને માંસાહાર બહુ ચર્ચાસ્પદ વિષય ગુજરાતીઓ માટે ખાસ બની જતો હોય છે.એમાં ધર્મ ભળી જતો હોય છે.ગુજરાતમાં ખાસ જૈન ધર્મના પ્રભાવમાં શાકાહારનું ચલણ વધ્યું.એમાં ધાર્મિક લોકોની શિખામણો ભળી.માંસાહાર કરીએ તો પાપ લાગે જીવ હત્યા થાય.જીવ હત્યા તો શાકાહારમાં પણ થાય જ છે.હવે આપણે ધર્મને અળગો રાખીએ.પોષણ મૂલ્ય ની દ્રષ્ટીએ જોઈએ.શુદ્ધ શાકાહારી તો દુધની બનાવટો પણ ખાય નહિ.ઘણા ઈંડા ને પણ શાકાહારમાં જ ગણે છે.
  શાકાહાર:::—શાકાહાર ઘણો સારો છે.એનાથી ચરબીનું પ્રમાણ શરીરમાં ખાસ જાય નહિ.પણ પણ અને પણ ગુજરાતીઓ કે ભારતીયો અતિશય ઘી ખાઈને માંસાહારી કરતા પણ ઘણી વાર વધારે  જાડીયા પાડીયા અને અદોદળા જોઈએ ત્યારે શાકાહારનો કોઈજ અર્થ રહેતો નથી.શાકાહારમાં વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.ખાસ તો ડાયેટરી ફાઇબર એની ખૂબી છે.જે માંસાહારમાં ના મળે.ઓમેગા-૬ પણ સારું મળે.વિટામિન-c ,a અને e પુષ્કળ મળી શકે.પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ખરા.અહી શાકાહારમાં ખામી ઊભી થાય છે,આયર્ન,ઝીંક,વિટામિન B 12 ,વિટામિન-D,ઓમેગા-૩,કૅલ્શિયમ વગેરેની.આયર્ન બે પ્રકારના હોય છે,Heme અને Non Heme …meat ,પોલ્ટ્રી અને ફિશમાં થી Heme Iron  મળે.જે સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.Non Heme પ્લાન્ટ અને નટ્સ માંથી મળે જે સહેલાઈથી શોષાતા નથી.આયર્ન એ હિમોગ્લોબીન નો મધ્યવર્તી ભાગ છે જે લોહીમાં ઓક્સિજન વહન નું કામ કરે છે.આની પૂર્તિ માટે આપણે ખજૂર,અંજીર,પાલખની ભાજી.સોયાબીન્સ,રાજમા,વટાણા વગેરે પુષ્કળ ખાવું જોઈએ અને આયર્ન વિટામિન-C ની હાજરીમાં થોડું જલ્દી શોષાય છે.માટે ખોરાકની સાથે ઓરેન્જ જ્યૂસ કે બીજા ખાટ્ટા ફળોના જ્યૂસ લેવા જોઈએ.અથવા એક કેપ્સીકમ મરચાંમાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામિન-C હોય છે,જે ખાધે તીખાં હોતા નથી તે લેવા જોઈએ.એનેમીયાથી બચવું હોય તો આયર્ન લેવુજ પડે.
      ઝીંક માટે સોયાબીન્સ,નટ્સ ,વટાણા અને વાલ ખાવા જરૂરી છે.ઓમેગા-૩ માટે અખરોટ,ઓલિવ ઓઇલ,અવાકાડો ખાવું જોઈએ.અવાકાડો જામફળ જેવું દેખાવમાં એક જાતનું ફળ છે.B -12 કોઈ પ્લાન્ટ માંથી મળે નહિ.તેના માટે દૂધ અને ઇંડાનો વિકલ્પ રાખવો પડે.નર્વસ સીસ્ટમ અને ન્યુરોલોજીકલ ડેમેજ એની ક્ષતિ  થી થાય છે.માટે B-12 ખાસ જરૂરી છે.આપણે ઈંડા ખાસ ખાતા ના હોઈએ તો આ ખામી ઊભી થવાની.દૂધ પણ સારું છે.વિટામિન D તો દૂધ અને સૂર્ય પ્રકાશમાંથી  મળી જવાનું છે.એ એક તો હોર્મોન્સ નું કામ કરે છે અને શરીરમાં કૅલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષીને હાડકા મજબૂત બનાવે છે.આયોડિન ની ઊણપ તો આયોડિન યુક્ત મીઠું ખાઈને પૂરી કરી શકાય છે.
  શાકાહાર થી ઓબેસિટી થી બચી જવાય છે,સાથે સાથે type-2 ડાયાબીટીસ થી પણ બચી જવાય છે.વૃદ્ધો માટે શાકાહાર સહેલાઈ થી ચવાય છે અને સહેલાઈથી પચી પણ જાય છે.જયારે દાંત મોટાભાગના ખરી પડ્યા હોય ત્યારે શાકાહાર ઉત્તમ પુરવાર થાય છે.
  માંસાહાર:::–માંસાહારમાં ઉત્તમ પ્રકારના લગભગ તમામ પોષક તત્વો હોય છે.વિપુલ પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,કૅલ્શિયમ,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.ખાલી ડાયેટરી ફાઈબર ની કમી હોય છે,જે સલાડ સાથે બ્રાઉન ઘઉંના લોટ ની બ્રેડ અને બ્રાઉન ચોખા ખાઈ ને પૂરી કરી શકાય છે.માંસાહાર ની ખામી તેની અંદર રહેલા પોષક દ્રવ્યોની વિપુલતા છે.એટલે જો ખાવામાં પ્રમાણભાન ના રહ્યું તો,ઓબેસિટી,હૃદય રોગ,હાઈપર ટૅન્શન,હાઈ કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ થાય છે.આમાં હાઈ બાયોલોજીકલ વેલ્યૂ ધરાવતા પ્રોટીન્સ,આયર્ન અને B-કૉમ્પ્લેક્સ B12 હોય છે.બીજું આ બધા તત્વો સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.જયારે શાકાહારના તત્વો પૂરતા પ્રમાણમાં સહેલાઈથી શોષતા નથી.અતિશય વજન કારણે જાતજાતના રોગ થાય છે.માટે શાકાહારી એમાંથી બચી જાય છે.માંસાહારીઓને કોલોન કેન્સરનો ભય પણ વધુ રહે છે.બીજું માંસ બરોબર કુક ના થયું હોય તો તે માંસ ની અંદર રહેલા પેરેસાઈટ તમારી અંદર શરીરમાં પ્રવેશી જવાના.
     શાકાહારમાં તમારે રોજ વ્યવસ્થિત જાત જાતના કોમ્બીનેશન કરવા પડે.આજે ભાખરી શાક ચાલશે,કે આજે ઢોકળાં સાથે ચા પી લઈશું,કે ચોખાની પાપડી કે પાપડીનો લોટ ખાઈ લઈશું તેવું કરો તો પછી પોષક દ્રવ્યોની ખામી પડવાની.ગુજરાતીઓ સાંજે લગભગ આવું એકાદ ખોરાક થી ચલાવી લેતા હોય છે.દાળ,ભાત,રોટલી,સલાડ,કઠોળ ખાસ તો સોયાબીન,દૂધ,દહીં,ખાટ્ટા ફળો કે એના જ્યૂસ,થોડા બદામ અને અખરોટ જેવા નટ્સ,કેળાં,ખજૂર,પાલકની ભાજી કે ગાજર વિગેરેના વ્યવસ્થિત કોમ્બીનેશન કરીને રોજ ખાવાનું મેનુ બનાવવું પડે.એકલી પાઉં ભાજી ખાઈ લઈએ તો ના ચાલે.અહી ઈંડા અને ફિશ શાકાહારમાં ગણાય છે.ફિશમાં ઉત્તમ ઓમેગા -૩ હોય છે,કૅલ્શિયમ,ફોસ્ફરસ અને પ્રોટીન ની તો વાત જ ના થાય.દરિયા કિનારે રહેતા માછીમાર ભાઈઓ માટે ઉત્તમ પોષક દ્રવ્યો ધરાવતી અને સસ્તી અને સહેલાઈથી મળતી માછલી ખાવાનું ધર્મના નામે બંધ કરાવવું તે પાપ જ કહેવાય.આ ભાઈઓને ઓમેગા માટે બદામ અને અખરોટ ખાવી ના પોસાય.બીજું બદામ અને અખરોટમાં  માછલી ની જેમ વિપુલ પ્રમાણમાં ઓમેગા અને પ્રોટીન કે કૅલ્શિયમ ના હોય.
  શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.આભાર અશોકભાઈ..

સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!

Newtons Telescope

સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!
મહાન ગણાતા વૈજ્ઞાનીકે આવું ભવિષ્ય ભાખેલું કે ૨૦૬૦ પછી આ દુનિયાનો અંત આવી જશે.કઈ રીતે શું ગણિત ધ્યાન માં લઈને કહ્યું હશે ખબર નથી.પણ કેટલીક જૂની નોંધો મળી આવી છે.૧૬૪૨મા ગેલેલીયોનું મૃત્યુ થયું.૪ જાન્યુઆરી ૧૬૪૩માં એના પિતાના મૃત્યુ બાદ ત્રણ મહીને  જન્મેલો ન્યુટનની બીજી જન્મ તારીખ છે,૨૫ ડીસેમ્બર ૧૬૪૨.એ વખતે ઇંગ્લૅન્ડ માં ગ્રેગોરીયન કેલેન્ડર માન્ય નહોતું,માટે એની જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર લખેલી છે.એ ત્રણ વર્ષનો થયો અને માતા બીજા લગ્ન કરી દાદાના સહારે છોડી ને ચાલી નીકળી.ન્યુટન એની માતા અને સ્ટેપ ફાધરને ખૂબ ધિક્કારતો.બંને જણા ઘરમાં સળગીને માર્યા જાય તેવું ઇચ્છતો.ખૂબ તેજસ્વી એવો ન્યુટન કેમ્બ્રિજમાં દાખલ થયો અને ભણવામાં ખૂંપી ગયો.કદી ક્યાંય જતો નહિ બસ ભણવામાં જ એનું ધ્યાન રહેતું.પણ એવામાં બ્યુબેનીક પ્લેગ આખા યુરોપમાં ફાટી નીકળતા પાછો એના ગામ જતો રહ્યો.એક સફરજનના વૃક્ષ નીચે બેઠેલો અને ઉપરથી સફરજન નીચે પડ્યું.બસ એક વિચારનું બીજ રોપાઈ ગયું કે આ નીચે કેમ પડ્યું?ઉપર કેમ ના ગયું?આ વિચાર ભવિષ્યમાં વૃક્ષ બની ગયો. ૨૫ વર્ષનો થયો ત્યાં પ્લેગનું પુર ઓસરતા પાછો કેમ્બ્રિજ માં આવ્યો.
   આ મહાન ગણિતશાસ્ત્રી એ Calculus ગણતરી શોધેલી જે આજે પણ સ્ટોક ઍક્સ્ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ગણતરીમાં વપરાય છે.એને એક ૬ ઇંચની સાઈજનું ટેલિસ્કોપ  શોધેલું.આજે પણ મોટા જાયન્ટ ટેલિસ્કોપ એજ સિદ્ધાંતો પર રચાય છે.સતત ૧૮ મહિના રાત દિવસ એક કરીને એણે “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” શોધી કાઢ્યો જે એક ટોટલ રેવોલ્યુશન ગણાય છે.F = G \frac{m_1 m_2}{r^2}\
where:
F is the magnitude of the gravitational force between the two point masses,
G is the gravitational constant,
m1 is the mass of the first point mass,
m2 is the mass of the second point mass, and
r is the distance between the two point masses.
 સીધી સાદી ભાષામાં સમજીએ તો ધારી લો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જાણે એવરેસ્ટ છે અને તેના ઉપર એક તોપ મૂકેલી છે જે યુદ્ધમાં વપરાય છે.હવે તોપમાં એક ગોળો ભરીને છોડીયે.એનો ફોર્સ બહુ ના હોય તો એ ગોળો નજીક આસપાસમાં ક્યાંક પડી જશે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને નીચે પાડી દેશે.હવે બીજો ગોળો ભરો અને જરા વધારે ફોર્સ આપો.હવે આ ગોળો થોડો  વધારે દૂર સાયબીરીયામાં પડશે.હવે એક પછી એક ગોળાઓ દરેક વખતે ફોર્સ વધારતા જઈને તોપમાંથી છોડો.એક પછી એક ગોળા વધારે ને વધારે દૂર પડતા જશે.જેમ ફોર્સ વધારે તેમ મૂળ સ્થાન કરતા વધારે દૂર જવાના.એમ પછી એક ગોળો જાણે રશિયામાં પડશે,પછી બીજો નીચે અફઘાનિસ્તાનમાં,ત્રીજો જાણે કે ભારતમાં,ચોથો પડશે શ્રી લંકામાં.પાંચમો  પડશે છેક નીચે ઓસ્ટ્રેલીયામાં હવે એક સમયે એવું સમીકરણ રચાશે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે પૃથ્વી પર પાડવા સક્ષમ નહિ રહે કારણ ફોર્સ અતિશય છે.તો શું થશે??એ ગોળો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ને લઈને એની બાજુબાજુ ફર્યા કરશે.જેમ આજે ચન્દ્રમા ફર્યા કરે છે.આખા યુનિવર્સ માટે આજ નિયમ કામ કરે છે.સફરજન નું નીચે પડવું સાર્થક થયું.

         આ મહાન વૈજ્ઞાનિક પાછો અલ્કેમિસ્ટ પણ હતો.અલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)નો પાયો છે.અલ્કેમી દૂર મધ્યપૂર્વ નાં દેશોમાં જાણીતું હતું.રહસ્યમય શોધો કરવા માટે અલ્કેમિસ્ટ રાતદિવસ એક કરતા.ભારતમાં પણ અલ્કેમિસ્ટ હતા.જાત જાતના વનસ્પતિના રસ અને અનેક  રસાયણો તથા ધાતુઓ ઓગાળી ભેગાં કરી પ્રયોગો થતા રહેતા.અમરત્વની દવા શોધવાનું કામ કરવામાં આવતું.આપણા ભારતમાં પણ આ બધું પ્રચલિત હતું.પારસમણિ ની કલ્પના પણ આવી જ હતી.ઘણા લોકો એમની પાસે પારસમણિ છે તેવું કહેતા.પારસમણિ લોખંડ ને અડાડતા લોખંડ નું સોનું બની જાય તેવી વાતો હતી.આને યુરોપમાં ફિલોસોફર સ્ટોન કહેવાતો.બુદ્ધના સમયના નાગાર્જુન આવાજ રહસ્યવાદી અલ્કેમિસ્ટ હતા,રસાયણ શાસ્ત્રી હતા.પણ ન્યુટનનાં હાથમાં કશું ઠોસ આવ્યું નહિ.

    અલ્કેમીની માયા જાળમાંથી પાછો ફરીને પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તેનાં વિષે શોધો કરી અને એક ગ્રંથ આપ્યો,OPTICKS or A TREATISE of the Reflexions,Refractions,Inflexions,and Colours.બીજો ગ્રંથ રચ્યો -PHILOSOPHIAE Naturalis -Principia Mathematica …મેમ્બર ઑફ પાર્લામેન્ટ પણ બન્યો અને રૉયલ સોસાયટીનો પ્રમુખ પણ બન્યો.એણે બાઇબલ નો પણ ખૂબ અભ્યાસ કરેલો કે કશું રહસ્યમય એમાંથી મળી જાય,પણ નિરાશા મળેલી.માતા પિતા પ્રત્યેના ધિક્કારની લાગણીઓ એણે કંટ્રોલ કરી અભ્યાસમાં ખૂપી ગયો અને આપણને ઓલ ટાઈમ ગ્રેટ સાયન્ટિસ્ટ મળ્યો જે ૧૭૨૭મા ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.રાજા અને રાણીઓની કબર વચ્ચે એની કબરને સ્થાન મળ્યું.

Gale christianson-Biographer of Newton

Bill Newman-Indiana University

James Force-uni of kentucky

yamada smith-Columbia uni

ઉપર લખેલા વિદ્વાન તજજ્ઞોનાં વાર્તાલાપ  અને ન્યુટન-ડાર્ક સિક્રેટ નામની  ડોક્યુમેન્ટ્રી પરથી  લેખ લખાયો છે.

એક અનાથ બન્યો રાજા!!!

 પ્યારા મિત્રો ધોબી પછાડ્માથી થોડો બ્રેક લઈએ,જે જરૂરી  છે!!!

He caught me!!!He caught me!!!બળવાન લાંબા હાથોમાં સખત રીતે જકડાયેલી ઓસ્કાર વિજેતા, એના ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય માટે પંકાયેલી હોલીવુડની મહાન અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનાં મોમાંથી રાડ નીકળી ગઈ. “એ વિચારતો હશે હું તો જાણે એક ઢીંગલી  છું. વન સંરક્ષકોની ત્વરિત મદદ વડે  છૂટ્યા પછી મને લાગ્યું કે તે મને ઈજા પહોચાડવા માંગતો નહોતો, ખાલી રમવા માંગતો હતો.” આ શબ્દો છે જુલિયા રોબર્ટ્સનાં. એક સમયે હૃદય થડકારો ચૂકી ગયેલું,ખૂબ ગભરાઈ ગયેલી.
રેડ એપ્સ!! ઉરાંગ ઉટાંગ વિષે લોકો ખાસ જાણતાં નથી. એમના વિષે ફિલ્મો પણ બહુ બની નથી. આપણે ચિમ્પાન્ઝી અને ગોરીલા વિષે ઘણું જાણીએ છીએ. ૧૫ મિલિયન વર્ષ થી આખા એશિયા સાઉથ ઈસ્ટ એશિયાથી ચીન સુધી એક સમયે ફેલાયેલા અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી આ લુપ્ત થતી જાતી હવે ખાલી ઈન્ડોનેશિયાના બોર્નીયોના જંગલોમાં સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહી છે. આ લુપ્ત થતી જતી જાતી  ઉરાંગ ઉટાંગ વિષે દુનિયામાં જાગૃતિ ફેલાય તે માટેની એક ડોક્યુમેન્ટ્રીનાં ઉપક્રમે અને એના હોસ્ટ તરીકે એમાં કામ કરવાનું હોવાથી આ મહાન અભિનેત્રી બોર્નીયોના જંગલોમાં ફરતા હતા. ૧૯૭૬મા શિકારીઓ અને પ્રાણીઓના ગેરકાયદે વેપાર કરનારા લોકોના હાથે માતાનું મૃત્યુ થતા બે વર્ષનો નાનો બાળ ‘કુસાસી’ (નર ઉરાંગ ઉટાંગ) અનાથ બન્યો, પણ પોલીસનાં હાથે  બચીને નેશનલ પાર્કનાં કૅમ્પ Leakey પહોચી ગયો. જાણીતા બાયોલોજીસ્ટ અને Primatologist Dr.Birute Galdikas હવે એના રખેવાળ બન્યા. એક સમયનો અનાથ આજે જંગલનો કિંગ બની રસ્તા વચ્ચે જુલીયાની નજીક બેઠો સફરજન ખાતો  હતો. જાણે બાજુમાં કોઈ છે જ નહિ. ખાવાનું સમાપ્ત કરી વધારે નજીક આવેલી જુલીયાને ૪૦૦ પાઉન્ડ વજન ધરાવતા  આ કુસાસીએ એના મજબુત હાથો વડે પકડીને નજીક ખેંચી લીધી. જરા આ રૂપકડી ઢીંગલી જોડે બે ઘડી રમી લઉં.
ઉરાંગ ઉટાંગ વૃક્ષ ઉપર  ઊંચે લગભગ ૧૦૦ ફીટ ઊચે માળો બનાવે છે. વરસાદ પડે ત્યારે ઝાડની ડાંખળીઓ તોડી છત્રી બનાવી હોય તેમ માથે રાખીને પણ ફરતા હોય કે બેઠાં હોય છે. રોજ નવા વૃક્ષ પર ડાંખળાં તોડી ભેગાં કરી પથારી બનાવી સૂઈ જવાનું. માટે કૅમેરા મેન માટે અઘરું પડે કેમ કે આ જંગલો ખૂબ ગાઢ હોય છે. જ્યાં સુર્યપ્રકાશ પણ નીચે ધરતી પર આવવા માટે ફાંફાં મારતો હોય છે. કુસાસી એક વર્ષ પછી અચાનક ગુમ થઈ ગયો. ત્રણ વર્ષના કુસાસી માટે જંગલમાં જ્યાં ઊડતા સાપ(સાપ ઊડે નહિ, પણ ઊચે ઝાડ પરથી નીચે છલાંગ મારીને નીચે પડે જમીન પર ત્યારે ઊડતા હોય તેમ લાગે), મગર અને બીજા હિંસક પ્રાણીઓ હોય, બચવું મુશ્કેલ હતું. બાળ ઉરાંગ ઉટાંગ ૬ વર્ષ સુધી એની માતાની મદદ વડે જ જીવતા રહી શકતા હોય છે. કૅમ્પમાં બધાને થયું કે આ તો હવે મરી ગયો હશે. એક દિવસ બધા ભોજન કરતા હતા અને ૧૮ મહિના પછી કુસાસી ભોજન ખંડની બારીએ ડોકાયો. કુસાસી બીજા અનાથ ઉરાંગ ઉટાંગ કરતા જરા જુદો હતો. માનવજાતની કંપની એવોઈડ કરતો. માનવજાતે એની માતાને મારેલી, પણ અહિ કૅમ્પમાં વસતા માનવો એવા નથી તે સારી રીતે સમજતો હતો માટે જ પાછો આવેલો. એની બચપણની સખી હતી ‘પ્રિન્સેસ’ ખૂબ બુદ્ધિશાળી માદા ઉરાંગ ઉટાંગ. ગેરી એનો પલક પિતા હતો. એણે પ્રિન્સેસને ૩૦ જાતની સાઇન લૅન્ગ્વેજ શિખવાડી હતી. ગેરી પોતાની પીઠ પર પ્રિન્સેસને  બેસાડી તરણકુંડમાં સ્વીમીંગ કરતો. એ કહેતો મારે બે બાળકો છે એક હ્યુમન અને એક આ ઉરાંગ ઉટાંગ. ૨૫ વર્ષ પછી પ્રિન્સેસ ત્રણ નાના ઉરાંગ ઉટાંગની માતા બન્યા પછી પણ ગેરીને એટલુજ ચાહતી હતી. એમની વચ્ચેના સંબંધોમાં કદી ઓટ આવી નહોતી. પ્રિન્સેસ લાકડામાં હથોડી વડે ખીલી ઠોકી શકતી. દરવાજાના તાળા ખોલી  ને અંદર જઈ શકતી. એના બાળ ઉરાંગ ઉટાંગને લઈ  નાવડીમાં બેસી જાતે હાથને હલેસા બનાવી ફરી શકતી.
હવે કુસાસીને બીજી એક માદા ઉરાંગ ઉટાંગ સરોગેટ મધર તરીકે મળી ગઈ હતી. એ સદાય એની પાછળ ફરતો અને જંગલના કાનૂન શીખતો જતો હતો. પણ એ માદા વળી માતા બનતા એણે કુસાસીને એવોઈડ કરવા માંડ્યો. છતાં થોડું અંતર રાખીને કુસાસી એનો સાથ છોડતો નહોતો. ૧૯૯૫માં પુષ્કળ ટેસ્ટાટોરીન ધરાવતો કુસાસી ૧૯ વર્ષનો પુખ્ત બની ચૂક્યો હતો. આ હાર્મોન્સની વિપુલતાને લીધે એના ગાલે ચીક પેડ્સ વિકસી ચૂકીને એનો દેખાવ ભવ્ય બની ગયો હતો. ધીરે ધીરે તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી હવે એકચક્રી શાસન કરવા માંડ્યો હતો.  એક સમયનો અનાથ કુસાસી હવે રાજા બની ગયો હતો. એનું વિશાલ શરીર, ૪૦૦ પાઉન્ડ વજન અને ડોમિનેન્ટ સ્વભાવ એને લોકપ્રિય બનાવી રહ્યો હતો. આલ્ફા મેલનો એક અદ્ભુત નમૂનો હતો. ૧૯૯૭ માં જુલિયા રોબર્ટ્સ પણ એને મળવા જોવા આતુર બન્યા હતા. પોતાના એરિયાનું રક્ષણ કરતો, બીજા મેલને ભગાડી મુકતો, એકલો ટ્રાવેલ કરતો આ અદ્ભુત રેડ એપ્સ ખૂબ બળવાન હતો. બીજા એક બળવાન ઉરાંગ ઉટાંગ સાથે લડાઈમાં ખૂબ ઘવાયેલો. એની નજીક જવાની કોઈની હિંમત ચાલે નહિ. છતાં ડો.રોજાની ટીમે એને દૂરથી ઇન્જેક્શન મારી બેભાન બનાવી એના ઘા ધોઈ સાફ કરી પાછો છોડી મૂક્યો. ૨૦૦૮ સુધી યથેચ્છ વિહાર કરતો, એના રાજ્યની તમામ માદાઓમાં પોતાના જીન્સ ટ્રાન્સફર કરતો, રાજ્યની સરહદનું રક્ષણ કરતો અને પોતાના બાળકોનું પાલન તથા રક્ષણ કરતો, એણે સર્વાઇવલના યુદ્ધમાં કદી હાર મેળવી નહતી, પણ હવે વૃદ્ધ થયેલો આ રાજા ૨૦૧૦ પછી ખાસ દેખાતો નથી.

૧૯૯૭ માં બનેલી આ ડોક્યુમેન્ટ્રીનાં ફૂટેજ ખાસ મળતા નથી. મેં ત્યારે ડીસ્કવરી ચેનલ પર બરોડામાં હતો ત્યારે જોએલી, ત્યારે આ સુંદર અભિનેત્રી માટે ખુબ માન ઉપજેલું. એટલા માટે કે તે સમયે આ અભિનેત્રી હોલીવુંડ્માં નંબર વન નું સ્થાન ધરાવતા હતા અને સૌથી વધારે ચાર્જ એક ફિલ્મનો કરતા હતા, છતાં એક વન્ય જીવન જે આપણ માનવજાતને લીધે ભયમાં આવી પડ્યું છે તેના વિષે જાગૃતિ ફેલાય માટે એમણે ઇન્ડોનેશિયાનાં ગાઢ જંગલોમાં ફરી ફરી, જળાશયોમાં જાતે વસ્ત્રો ધોઈ, મચ્છરોના દંશ ખાઈ ને વિનામૂલ્યે કામ કરેલું. અને સૌથી ઝોખમી કામ કુસાસીની નજદીક જવાનું સાહસ કરેલું. તેના ફૂટેજ આપ http://www.youtube.com/watch?v=I6GdRxImID8&feature=related    http://www.youtube.com/watch?v=IFACrIx5SZ0&feature=related જોઈ શકો છો.

દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !

 
imagesQEP7Z10M     દ્વારીકાના કૃષ્ણ
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ  સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ  શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો  ? કૃષ્ણ  શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ  બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં  તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ  તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.

કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ  કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ  લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
  

ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.

મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની  દ્વારીક અને બેટદ્વારીકાનાં  સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE  AGE નો   બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે.  આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે.  એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.

   બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.

     જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.

     બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.

    કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી  ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું….. 

Krishna in Japan

પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો
નવરાત્રી શરુ થઇ ગઈ અને પૂરી પણ થઈ જશે..ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા થતી હશે ગરબા નહિ. ગુજરાતણો જેવા ગરબા ગાતા કોઈને  ના આવડે. ગુજરાતણનાં લોહીમાં ગરબો સમાયેલો છે. નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. શક્તિ મેળવવાનો તહેવાર. બ્રેઈનના Amygdala નામનાં વિભાગમાં કુદરતી આફત સમયે ભય પેદા થાય છે. ભય વિષે અગાઉ લખી ચૂક્યો છું. કોઈ પણ આફત સમયે ભય પેદા થાય તે સ્વાભાવિક છે. ભય આવે એટલે ભાગીને કે લડીને બચી શકીએ છીએ. લડવા ભાગવા માટે શક્તિ જોઈએ. બચવા માટે શક્તિની જરૂર પડે છે. ભય સમયે એક બીજો વિચાર પણ આવે છે કે કોઈ બચાવે મદદ કરે તો સારું. એમાંથી Amygdala માં પેદા થઈ ભગવાનની કલ્પના. નવરાશના સમયે વિચાર આવ્યો હશે કે આ બધું કોણે બનાવ્યું હશે? ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવાની શક્તિ(ગર્ભ) છે. ગરબો ગર્ભનું પ્રતીક છે. ગરબાના ઘટની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે. ગર્ભની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે. આ ગર્ભમાં રહેલા જીવનને  સાચવે તેવું ગર્ભાશય મજબૂત તો હોવું જોઈએને? નહિતો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ?  નવ દિવસ પગના ઠેકે  ગરબા ગાવ અને ગર્ભાશયના સ્નાયુ મજબૂત બનાવો. નવજીવનની રક્ષા મજબૂત ગર્ભાશય જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા પગ પણ મજબૂત જોઈએ કે નહિ?  પ્રાચીન  ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી  છે. પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાનની જગ્યાએ પુરુષને બેસાડવાનું શરુ થયું. કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબીને ફીટ છે.

નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. કોઈ પણ તહેવારની ઉજવણી બીજાને પરેશાન કરે તે યોગ્ય નથી. એ હિસાબે દૂર પાર્ટી પ્લૉટ માં કે હોલમાં થતા ગરબા યોગ્ય છે. ચીલાચાલુ કંટાળાજનક ઘરેડમાં જીવતા લોકો માટે તો તહેવારો બનાવ્યા છે. તહેવારો ના હોય તો જીવન એક બોજ બની જાય. એમાં સ્ત્રીઓ માટે તો ખાસ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. નોકરી કરે છે, ભણે છે, બિઝનેસ કરે છે. પહેલા એવું ક્યાં હતું? પહેલા મેળા હતા. હવે મેળાનું ખાસ મહત્વ રહ્યું નથી. તરણેતર અને વૌઠાના મેળા હજુ પ્રખ્યાત છે. તહેવારો જીવનમાં ઉત્સાહ લાવે છે. એક નવું જોમ પેદા કરે છે. પણ નવ દિવસની મજા નવ મહિનાની અનિચ્છનીય સજા હવે બનવાની નથી. લોકો જાગૃત છે. ડોક્ટર્સને નવરાત્રી પછી જલસા થતા હોય છે પણ  કૉન્ડોમ વધારે વેચાય તેમાં શું વાંધો? જેટલા કૉન્ડોમ વધારે વેચાય તેટલા ડોક્ટર્સને જલસા ઓછા થાય, અને સાબિતી છે કે હવેની યુવાની વધારે સમજદાર છે. શારીરિક આવેગ કોઈ કરતા કોઈ રોકી શકતું નથી. પણ બધા એ આવેગને તાબે થઈ જાય તેવું પણ નથી. સમજદાર માતાપિતા એ બાબતે દીકરીઓને સમજ આપે, શિક્ષણ આપે. કારણ ભારતમાં દીકરાઓ કરતા દીકરીઓને વધારે શોષાવું પડે છે.

ફિલ્મી ગીતો સામે કોઈ વાંધો ના હોય પણ નવરાત્રિમાં ગરબા ગવાય તેજ યોગ્ય લાગે. ઢંગધડા વગર ફિલ્મી ગીતો ઉપર નાચવું હોય તો કોઈ ક્લબમાં જવું સારું. ગરબો તો વડોદરાનો એટલાં માટે કહેવાય છે કે ત્યાં શુદ્ધ સુગમ સંગીત  અને ઘણીવાર શાસ્ત્રીય રાગ આધારિત મનને મોહિત કરી દે તેવા ગરબા ગવાય છે. અતુલ પુરોહિત અને અચલ મહેતા ના કંઠે

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે” કે પછી

“મુને એકલી જાણી ને કાને છેડી છે!!! મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં!!”

જયારે સાંભળો ત્યારે કોઈ પણ મોહિત ના થઈ જાય તો સમજવું કે હવે કોઈ ચાન્સ નથી. રાજમહેલ કંપાઉંડ(નવલખી), યુનાઈટેડ વે, આર્કી, કારેલીબાગ, અમરનાથ પુરમ, મહેસાણા નગર,  વગેરે વગેરે વગેરેના ગરબા માણવાની મજા અનેરી જ છે.

‘છટકી રે તારા માખણની  મટકી,

એરે રિસાયો મારો સાહ્યબો,

હું તો હોળ રે વરહ ની હુન્દરી મને લટકો કરવાની ટેવ રે,

પેરી ના જાણ્યું ઓઢી ના જાણ્યું મીતે જાણ્યું કે જવાની અમ્મર  રહેશે.’
http://www.youtube.com/watch?v=Sz7GBsiwGsk અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે. બરોડીયન યુવાન યુવતીઓ જે દોઢિયું રમે છે તેતો મનને અદ્ભુત શાંતિ અર્પતું સમૂહ નૃત્ય હોય છે.

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે”http://www.youtube.com/watch?v=eBoi42Pojl0

આ એક જ ગરબો ગઈને અતુલ પુરોહિત વડોદરાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.

“અંગ અંગ રંગ છે અનંગ નો” એક એકથી ચડિયાતાં શબ્દો આ ગરબામાં છે. વડોદરાના ગરબામાં એક નજાકત છે. એક સુર, લય, તાલ અને સુકોમળતા  છે. એક સંસ્કારિતા છે. રંગ બેરંગી ભડકીલા ગ્રામીણ પહેરવેશમાં સજ્જ નાજુક નમણી યુવતીઓ ગરબે ઘૂમતી જુઓ તો લાગે કે સ્વર્ગની અપ્સરાઓ  પૃથ્વી પર ઊતરીને માતાજીની આરાધના કરી રહી છે. યુવાનો પણ એમજ ગ્રામીણ વેશમાં સજ્જ યુવતીઓના તાલે તાલ મિલાવતા ગરબે ઘૂમતા જોવાનો એક લહાવો હોય છે. ડિસ્કો દાંડિયામાં એક અરાજકતા હોય છે. એમાં મસ્તી ધમાલ હોય છે, એની પણ એક જુદી જાતની મજા હોઈ શકે.
સ્ટેજને તોડી નાખે તેવા પગના જોરદાર ઠેકા લઈને ગાતા મેર અને આહીર ગરબા ગ્રુપ્સના ગરબા જોઇને રુવાડાં ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે. તેવું જોમ મેં બીજા કોઈના ગરબામાં જોયું નથી. એક પ્રચંડ તાકાત સાથે ગવાતા ગરબા એ સૌરાષ્ટ્રની આગવી પહેચાન છે. જયશંકર સુંદરી હોલમાં જ્યારે આ ગરબા વર્ષો પહેલા જોવા ગયેલ ત્યારે મને સતત ચિંતા થતી હતી કે  આ લાકડાનું સ્ટેજ તૂટી તો નહિ જાય ને? સામ સામે ઝિલાતી મજબૂત હાથની તાળીઓના અવાજ સાંભળીને શૂર ચડે. સૌરાષ્ટ્રની જોમવંતી  ધરાની બળુકી  મેરાણી કે આહીરાણીના તાકાતવર હાથની થાપટ ઝીલવાનું કામ કાચાપોચાનું નહિ. એ તો સામે મજબૂત આહીર કે મેર ભાઈ જ જોઈએ. આ સૌરાષ્ટ્રના ગરબા જોઈએ ત્યારે અહેસાસ થાય કે શક્તિની આરાધનાનો ખરો ગરબો તો અહિ છે. નવરાત્રી કોને કહેવાય? ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો કોને કહેવાય? નવરાત્રી નું શું મહત્વ છે?  એ ગુજરાતી સિવાય બીજા કોને સમજાય?

ઉત્તર ગુજરાતના ગામોમાં વળી દિવાળી આસપાસ ગરબા થાય છે. એને ફૂલોના ગરબા કહે છે. એક મોટું લાકડાનું ચોખટું બનાવેલું હોય, એને કાગળના ફૂલો વડે શણગારેલું હોય. ગામલોકો ભાગોળમાં ગરબા ગાતા હોય વચ્ચે એક જણ માથે આવું વજનદાર ફ્રેમ ઊચકીને ગરબા ગાતું હોય. માઇકની જરૂર ના પડે

“લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી”

જેવા પ્રાચીન ગરબા ગવાતા હોય છે.  આ ગરબા બાધા આખડીના હોય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબો સાથે લઈ જવાનો. એ અમેરિકા જાય, ઓસ્ટ્રેલીયા, યુરોપ કે ન્યુઝીલેન્ડ જાય ચાર ગુજરાતી ભેગાં થાય એટલે ગરબો પણ સાથે હોવાનો જ. મરણ  સિવાય દરેક શુભ પ્રસંગે ગરબો થવાનો. ગુજરાતી આર્ક્ટિક સર્કલમાં જાય તો ત્યાં  બરફમાં ગરબા ગાય તેમાં નવાઈ નહિ. જોકે ઉત્તરધ્રુવમાં ગુજરાતી જાય નહિ તે વાત જુદી છે. કારણ ત્યાં ખાવાનો પ્રશ્ન છે. રેન્ડીયર સિવાય બીજું કોઈ ભોજન મળે નહિ. જે ખવાય નહિ. બાકી ત્યાં દુકાન સારી ચાલે તેવી હોય તો ગુજરાતી પહોચી જાય એમાં નવાઈ નહિ. જ્યાં ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ.

Dear Lila,(Chile mine accident)..

                                                             વહાલી લીલા,
હું સલામત છું,ધીરજ અને વિશ્વાસ થી હું જલદી બહાર આવી જઈશ.
   લીલા ખાલી ભારત અને ગુજરાતમાં હોય તેવું નથી.ચીલી માં પણ વસેલી છે.ઉપર ના શબ્દો છે સાનહોસે ચીલી માં આવેલી તાંબા ની ખાણમાં જીવતા ધરબાઈ ગયેલા પણ જીવતા રહેલા એક ખાણિયા ના છે જે એની પત્ની ને લખીને મોકલાયા હતા.
     પાંચમી ઓગસ્ટ ના દિવસ ચીલી માં આવેલી સાનહોસે કોપર ની ખાણ ધસી પડી.મુખ્ય પ્રવેશ માર્ગ નજીક કામ કરતા ખાણિયા તો જલદી  બહાર ભાગી ને બચી ગયા પણ ખૂબ ઊડે કામ કરતા ૩૩ ખાણિયા ની જીંદગી પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું.જીવતા દટાઈ જવાના ભય ને અનુભવતા ખાણિયા ખૂબ મક્કમ મનોબળવાળાં હતા.પુઅર સેફ્ટી રેકૉર્ડ ધરાવતી પ્રાઇવેટ કંપની માં કામ કરતા આ ખાણીયાઓ ને ખૂબ સારો પગાર મળતો હતો લગભગ ૨૦% વધારે બીજા કરતા.ચીલી કોપર ના ઉત્પાદન માં ટોપ ઉપર છે. વર્ષે આશરે ૩૪ ખાણિયા ચીલી માં જીવ ગુમાવે છે.૫ ઓગસ્ટ ની સત્તાવાર જાહેરાત મુજબ ૩૩ ખાણિયા સપડાઈ ગયા હતા.એમાં એક ફ્રેન્કલીન રામીરેઝ હતો જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી હતો એક ખાણિયો બોલિવિયન  હતો,બાકી બધા ચીલીયન હતા.શરુ માં તો છટકવાના પ્રયત્નો થયા પણ સફળતા મળી નહિ.૭ ઓગષ્ટે ફરી બીજો ભાગ ધસી પડતા રહ્યોસહ્યો માર્ગ પણ બંધ થઈ ગયો.ચીલીના પ્રમુખ સબાસ્ટીન પીએરા મારતે ઘોડે બધી પ્રવુત્તિઓ બંધ કરી ને વોટરપ્રૂફ વર્ક કોટ અને સેફ્ટી હેલ્મેટ પહેરી ને હાજર થઈ ગયા.સ્થળ પર ની કટોકટી નો સીધો હવાલો પોતાના હસ્તક લઈ લીધો.કટોકટી સમયે આશ્રયસ્થાન સ્વરૂપ એક શેલ્ટર કેબીન માં આશ્રય લઈ રહેલા ખાણિયા સુધી પહોચવા માટે સાડા પાંચ ઈચ ના હોલ બનાવવામાં આવ્યા.તેના દ્વારા પહોચેલી પાઈપ  દ્વારા ખાણિયા દ્વારા લખેલી બે નોંધ ૨૨ ઓગસ્ટ ના દિવસે પ્રમુખે જાહેર માં વાંચી બતાવી ત્યારે આખી ચીલી આનંદ  નું માર્યું નાચી ઊઠ્યું કે ૩૩ ખાણિયા અંદર જીવતા છે.કલાક પછી બોર હોલ દ્વારા વીડીઓ કૅમેરા મોકલવામાં આવ્યા.તેનાથી ખબર પડી કે ૫૦ સ્ક્વેર મીટર ના શેલ્ટર માં બે બેસવાની બેંચ સાથે ખાણિયા આશ્રય લઈ રહ્યા છે.
     બહાર સ્થળ પર ખાણિયા ના સગાઓ એ કૅમ્પ હોપ નામનું નાનકડું ગામ બનાવી કાઢેલું જ્યાં સતત રહી ને રેસ્ક્યુ ઓપરેશન નો હવાલો મેળવી શકાય.ધસી પડેલી જગ્યાએ થી ડ્રિલ કરી ને રસ્તો બનાવવો જોખમ નું કામ હતું.૭૦૦ મીટર આશરે ૨૩૦૦ ફૂટ નીચે ખાણિયા હતા.અડધા માઈલ નો સખત પથ્થર ને કોરી ને ત્યાં પહોચવામાં ત્રણ મહિના લાગી જાય તેવું હતું.બોર હોલ દ્વારા ખોરાક,પાણી,એનર્જી જેલ ના પેકેટ,દવાઓ,સમય પસાર કરવા પ્લેયિંગ કાર્ડ,ડોમિનો પાસા વગેરે મોકલવામાં આવી રહ્યું હતું.સગાઓ ને પત્રો મોકલવાની છૂટ હતી પણ જીવવાની  પ્રેરણા મળે તેવા લખાણો લખવાની જ છૂટ હતી.એક યુવતીએ એના પતિ ને મોકલેલ પત્ર ના જવાબ માં પતિએ વળતા જવાબ માં  લખેલું કે You know that the words that you sent me made me cry,well I don’t know how to tell you that they’re always with me.God left us alive by miracle and with purpose.,,,સાયકીયાટ્રીસ્ટ અને બીજા હેલ્થ કેર નિષ્ણાતો ની સેવાઓ અવિરત પણે બોર હોલ દ્વારા મળતી હતી.
           છેવટે ફિનિક્ષ નામની રેસ્ક્યુ કેપ્સ્યુલ નીચે ઉતારવા માં આવી અને છ રેસ્ક્યુ ટીમ ના સભ્યો વારાફરતી નીચે ગયા,અને ૧૩ ઓક્ટોમ્બર ના દિવસે ૩૩ ખાણીયાઓ ને ઉપર ખેંચી લેવામાં આવ્યા.પુરા ૬૯ દિવસ નું દોઝખભર્યું જીવન ખાણ માં વિતાવી જીવતા દટાઈ જવાના ભય માંથી મુક્ત થયા.આ ભય જ માણસ ને બચવાનો સહારો પણ પૂરો પડે છે.બચવા માટે પ્રેરણા આપે છે.ઈશ્વર આપણી સાથે છે આપણે બચી જઈશું એવી કલ્પના કરવા પ્રેરે છે.કલ્પના એક માનસિક સહારો બને છે.બે મહિના અને નવ દિવસ નીચે ખાણ માં જીવતા રહેવું તે કોઈ નાનીસુની ઘટના નહોતી.પણ ખાણીયાઓ ને વિશ્વાસ હતો કે આધુનિક ટેકનોલોજી અને આખો ચીલી દેશ એમની પડખે છે.ભારત માં આવું કશું બન્યું હોત તો?કચ્છ અને અમદાવાદ માં થયેલી ભૂકંપ હોનારત સહુને યાદ હશે જ.રાષ્ટ્રપતિ ને તો સમય જ નહોતો મળ્યો સ્થળ પર આવવાનો.વડાં પ્રધાન ક્યારે આવેલા?એક સાંકડી શેરી ના બે બાજુના મકાનો ની હારમાળા ધસી જવાથી તેમાંથી પસાર થતા ૨૬ જાન્યુઆરી ની પરેડ માં નીકળેલા પ્રાથમિક સ્કૂલ ના નાનકડા તમામ ભૂલકાઓ માર્યા ગયેલા,ત્યાં ઉભા રહી ને બીલ ક્લીન્ટને આંસુ વહાવેલા.કેન્દ્ર સરકારે રૂપિયા કેટલા મંજૂર કરેલા?કૂતરા ને  બચકું નાખતા હોય તેટલા.ગુજરાત પ્રત્યે કેન્દ્ર નું કાયમ  નું ઓરમાયું વર્તન આવા સમયે શોભા દેતું હશે?
         સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન પ્રમુખ અને એમના પત્ની હાજર રહ્યા.બહાર આવેલા ખાણિયાને ભેટી ને બોલ્યા કે જાઓ તમારી પત્ની અને દીકરીઓને ભેટો.જે દેશોના વડાઓ એ શુભેચ્છા વ્યક્ત કરેલી તે તમામ નો આભાર માન્યો.ચીલી ની માઈનિંગ રેગ્યુલેટરી એજન્સી નાં ટોપ ઓફિસરો ને ડીસમીસ કરવામાં આવ્યા.૧૮ ખાણો બંધ કરી દેવામાં આવી.ખાણ કંપની ની ૨ મિલિયન ડોલર અસ્કયામતો ને ફ્રીઝ કરી દેવામાં આવી.ચીલીમાં માનવતા નો વિજય થયો.

ભારત ચાર આંધળા નો હાથી

Photograph taken by me at Dholavira. ja:画像:A w...
Image via Wikipedia

          ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે  ‘મેરા ભારત  મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો. 
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
       ૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
     ૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
    ૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
     ૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
      ૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ  સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું  સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     ૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
    ૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
    ૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
   ૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
   ૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
   ૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
    ૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
    ૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
    આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..

Red knot

 

horseshoe

 

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..  

જુઓ અહી કેવા ગુંથાયા છે તાણાવાણા જિંદગીના,
કોઈ આપેછે જિંદગી અને બને છે કોઈ ની જિંદગી,
કોઈ લે છે જિંદગી અને બનાવે છે પોતાની જિંદગી.
      હાજી!!આ પ્લાનેટ ઉપર ધબકતું જીવન એટલે એક મોટી કાપડ ની ચાદર છે.એમાં ગૂંથાયેલા તાર એ અહી વસતો દરેક સજીવ છે.દરેક સજીવ ની જિંદગી છે.આ બધા તાર એક બીજા સાથે ગૂંથાયેલા છે.આ તાર એટલે માનવ,પશુ,પક્ષી,સરીસુર્પ,જીવ જંતુ અને વનસ્પતિ છે.બધા ની જિંદગી એકબીજા સાથે ગૂંથાયેલી છે.
      ૩૫૦ મિલિયન વર્ષ થી ચંદ્રમાં નાં હરેક સંકેત નો ઉત્તર આપતો છીછરાં અને હુંફાળા સમુદ્ર કિનારે અને સમુદ્રી ખાડીઓ માં વસતો જીવ એટલે હોર્સશું ક્રેબ.કાચબા ની જેમ મજબુત કવચ ધરાવતો એક કરચલો.આપણું આયુષ્ય તો માંડ ૨.૫ મિલિયન વર્ષ નું છે.એક મિલિયન એટલે દસ લાખ ગણી લેવાના.કોઈ પણ ધર્મ,જ્ઞાતિ જાતિ અને કહેવાતી પવિત્ર લગ્ન વ્યવસ્થા વગર આટલા બધા પુરા ૩૫૦ મિલિયન વર્ષો થી પોતાનું અસ્તિત્વ ટકાવી રહેલો એક સામાન્ય ગણાતો આ કરચલો આજે સુપર બ્રેઈન પાવર ધરાવતા માનવ ને કારણે ભય માં આવી પડ્યો છે.કુદરતે ગોઠવેલા બેલેન્સ ચક્ર ને પ્રાણીઓ કે બીજા સજીવો ક્યારેય તોડતા નથી.તોડે છે ફક્ત માનવી.કેમ કે કુદરતે એને બ્રેઈન આપવાની ભૂલ કરી લાગે છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.
   આપણાં અને મોટાભાગ ના સજીવો ના લોહી માં આયર્ન હોય છે,હિમોગ્લોબીન હોય છે અને લોહી નો રંગ લાલ હોય છે.જયારે કરોળિયા અને વીંછી ની નજીક ની જાતનો  આ ભાઈ કોપર વાપરે છે,અને એના લોહીનો રંગ બ્લ્યું છે.કુદરતી એન્ટી બાયોટીક્સ નું કામ આપતું આ બ્લ્યું બ્લડ દવાઓ બનાવતી કંપનીઓ માટે અમુલ્ય છે.લાલ રંગ હિંસા,ક્રોધ,આક્રમકતા અને યુદ્ધ નો રંગ ગણાય છે.લાલ લોહી જોઈ ને ઘણા ને ચક્કર આવી જાય છે.હોર્સ શું ક્રેબ ની માદા કદ માં  નર કરતા મોટી હોય છે.આ માદા એક સમયે લગભગ ૮૦,૦૦૦ થી લાખ ઈંડા મુકે છે.એમાંથી ભાગ્યેજ દસ વિરલા જીવતા હશે.બીજા ઈંડા નાં પોષક તત્વો કોઈની જિંદગી બનાવે છે.એ કોઈ છે રેડનોટ નામનું ઉત્તર ધ્રુવ નું નાનકડું નાજુક નહિ પણ ખુબ મજબુત પક્ષી.આમ તો આ પક્ષી ની વિવિધ પ્રજાતિઓ છે.ઉત્તર ધ્રુવ ના કાતિલ શિયાળા થી બચવા આ પક્ષી છેક ઓસ્ટ્રેલીયા,સાઉથ આફ્રિકા અને ભારત માં પણ લાંબી મજલ ઉડીને આવે છે.પણ એની એક પ્રજાતિ દક્ષીણ અમેરિકા ના દેશો માં ખાસ ચીલી માં મુકામ કરે છે.
      રેડનોટ ની આ  પ્રજાતિ હોર્સશું ક્રેબ સાથે કનેક્ટેડ છે.ફેબ્રુઆરી માં શિયાળા ની કાતિલ ધાર ઓછી થવા લાગે એટલે આ પક્ષી એની પહેલી ઉડાન બેક ટુ હોમ ની ચાલુ કરે છે.સાઉથ બ્રાઝીલ માં પહેલો મુકામ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.છેલ્લા સાત વર્ષ માં એની વસ્તી ૭૦% ઘટી ગયેલી જીવ વિજ્ઞાનીઓ ના ધ્યાન  માં આવી.થોડા ખોરાક પાણી લઇ બ્રાઝીલ થી પાછી ઉડાન શરુ.સાઉથ  કેરોલીના થી ડેલાવર સુધી ઠેક ઠેકાણે જ્યાં હોર્સશું ક્રેબ વસતા હોય ત્યાં મુકામ શરુ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.કારણ ઉત્તર ધ્રુવ સુધી પુરા ૧૦,૦૦૦ માઈલ  ની લાંબી મજલ કાપવાની હોય છે.ખુબ એનર્જી વપરાઈ જાય.વજન પણ ઓછું થઇ જાય.હજુ ઉત્તર ધ્રુવ પહોંચવાનું છે.થોડી બોડી અને મસલ્સ પણ બનાવવા પડે.હોર્સશું ક્રેબ નાં ઈંડા એમનો આહાર છે.ભરપુર પ્રોટીન અને પચવામાં હલકા એવા ઈંડા બે ચાર અઠવાડિયા ખાઈ ને તાજા માજા થઇ ને પછી ઉડવાનું શરુ કે  આવે હવે ઉત્તર ધ્રુવ ઢુંકડું.જીવ વિજ્ઞાનીઓ ની ટીમો રાતદિવસ મહેનત કરી ને અભ્યાસ કરે છે.ઉત્તર ધ્રુવ થી પાછા ઉત્તર ધ્રુવ ની રાઉન્ડ ટ્રીપ ગણો તો ૨૦,૦૦૦ માઈલ આ પક્ષી એક વર્ષ  માં ઉડે છે.કુલ્લે ૬ દેશો પસાર કરે છે.ઉત્તર ધ્રુવ પહોચ્યા પછી એમની મેટિંગ સીજન શરુ થાય.માળાં બંધાય,ઈંડા મુકાય.મોનોગોમસ એવું આ પક્ષી જયારે ઉત્તર ધ્રુવ માં એના સમયે ખાસ દેખાતું નથી ત્યારે સ્ત્રી જીવ વૈજ્ઞાનિક ની આંખ માંથી આશુંઓ ટપકી પડે છે.વાત કરતા કરતા હૈયું ભરાઈ જાય છે એનું….
       હોર્સશું ક્રેબ ની વસ્તી ૭૫% ઓછી થઇ ગઈ છે.સાઉથ કેરોલીના ની સ્ટેટ ગવર્નમેન્ટે ૧૫ વર્ષ હોર્સશું ક્રેબ ને પકડવા માટે મનાઈ ફરમાવી દીધી છે.આ ક્રેબ ની વસ્તી ઘટે એટલે રેડ નોટ ની વસ્તી પણ ઘટે.દેખાવે ભલે વિચિત્ર લાગતો આ હોર્સશું ક્રેબ પકડો તો જરાય ઈજા ના પહોચાડે.એના પગ બીક લાગે તેવા હોય પણ સાવ નાજુક હોય.આ ક્રેબ ને પકડવા માટે ખાસ લોકો ને લાયસન્સ અપાયા છે.એ લોકો મેડીકલ કંપનીઓ ને ક્રેબ પુરા પાડે,એનું વાદળી રંગ નું અમુલ્ય લોહી કાઢયા પછી પાછા એમના સ્થાને છોડી દેવાય છે.પણ એમાંથી થોડા માર્યા જાય છે.જોકે હવે આ ક્રેબ ની વસ્તી સાવ ઘટી નાં જાય માટે એની ખેતી પણ કરવામાં આવે છે.મતલબ એની વસ્તી વધારવા નાં પ્રયત્નો કરવામાં આવે છે.પણ હાલ તો ક્રેબ અને રેડ નોટ પક્ષી ની સંખ્યા એકદમ ઘટી ગઈ છે એને મૂળ લેવલે પહોચતા કેટલો સમય લાગશે તે ખબર નથી.દરિયા કિનારા નો વિકાસ વધે તે ક્રેબ નાં વિકાસ અને વસ્તી ને નુકશાન કારક બનતો જાય છે.ચાર દિવસ માં ૪૦૦૦ માઈલ કાપી નાખતું આ પક્ષી અને ૩૫૦ મિલિયન વર્ષો થી અસ્તિત્વ ટકાવી રહેલા શાર્ક સિવાય કોઈ ને નાં ગાંઠતા  હોર્સશું ક્રેબ ઈવોલ્યુશન નાં ક્રમ નાં અદ્ભુત ઉદાહરણો છે.