Category Archives: આરોગ્ય

રાસાયણિક તત્વજ્ઞાન-૩, માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).

 રાસાયણિક તત્વજ્ઞાન-૩,
માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).75216-65718

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.

હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?  દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈસ્ટૅટ્સ સોશિડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ,  તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી  હોતું.  હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

સ્મરણ શક્તિ માતા.

loss
Image by CrazyFast via Flickr
 સ્મરણ શક્તિ માતા.

સ્મરણ શક્તિ માતા

ઘણીવાર કોઈ વસ્તુ મગજમાં હોય અને યાદ આવતી નથી. ભુલાઈ જાય છે, જેટલી મહેનત યાદ કરવા કરીએ તેટલું યાદ આવે જ નહિ. એક બહેન કૌન બનેગા કરોડપતિ જે બચ્ચન સાહેબ હોસ્ટ કરતા હોય છે તેમાં આવેલા નામ યાદ રહ્યું નથી, જોયું? સ્મૃતિભ્રંશ. પણ અટક યાદ રહી છે, પુવાર હતી, ઉત્તર ભારતના હતા. અટક કેમ યાદ રહી?  અમારે રાજપૂતોમાં પુવાર અટક હોય છે માટે. એમનો પ્રૉબ્લેમ હતો કે સાવ ભુલક્કડ હતા. કશું યાદ રહેતું નહોતું. પતિદેવ પાણી લેવા મોકલે તો પોતે પાણી પીને પાછાં આવી જાય, પણ પતિ માટે લાવવાનું ભૂલી જાય. બચ્ચન સાહેબ કહે આવું તો અમારે પણ ઘણી વાર થતું જ હોય છે.

આ બહેનનો ભૂલવાનો સ્વભાવ ગંભીર પ્રશ્ન હતો. એમના પતિ કહે કોઈવાર આવું થાય તો સમજ્યા આ તો કાયમ ભૂલી જાય છે. નવાઈની વાત એ છે કે આ  ભૂલકણી નાર સવાલોના ઉત્તર આપી આપીને ૫૦ લાખ રૂપિયા જીતી ગઈ, એક કરોડના સવાલ ઉપર એણે રમત છોડી દીધી. શું આ બહેનજી ભૂલકણી હતી ? તો સવાલોના ઉત્તર એણે આપ્યા કઈ રીતે ? મને લાગે છે એનો પ્રૉબ્લેમ સેન્સરિ મેમરી સાથે હશે. અથવા તો શૉર્ટ ટર્મ મેમરી સાથે.

સાયકોલોજીમાં મેમરી એટલે એવી ક્ષમતા કે કોઈ માહિતી કે અનુભવનો સંગ્રહ કરવો, એને જકડી રાખવો,  અને જરૂર પડે ફરી યાદ કરવો એવો સરળ અર્થ કરી શકાય.

યાદશક્તિ આપણે શબ્દ વાપરીએ છીએ, સ્મરણ શક્તિ કે મેમરી પાવર જેના  ત્રણ સ્ટેજ હોય છે.

Encoding – માહિતી કે અનુભવ મળવા, એમનું પૃથ્થકરણ અને મળેલી માહિતી કે અનુભવોનું કૉમ્બિનેશન થવું.

Storage – Encoded ઇન્ફરમેશનનું  કાયમી રિકૉર્ડ થવું.

Retrieval – સ્ટોઅર થએલી માહિતી જરૂર પડે બહાર આવવી, રિકૉલ કે રેકલેક્શન પણ કહેવાય.

સેન્સરિ મેમરીમાં કોઈ વસ્તુ જોઇને તત્ક્ષણ યાદ રહી જાય,પણ સાવ નજીવા સમય માટે. એકાદ સેકન્ડમાં જોઇને યાદ રાખવાનું હોય પણ આ મેમરી બહુ લાંબી ટકે નહિ. શૉર્ટ ટર્મ મેમરીમાં થોડો સમય કે થોડા દિવસ જરૂર પૂરતું યાદ રહે પણ પછી ભુલાઈ જાય. દા.ત. ફોન નંબર બદલાઈ જાય તો જુનો નંબર ભુલાઈ જાય. લૉંગ ટર્મ મેમરીમાં આખી જીંદગી કે ઘણા લાંબા સમય સુધી વસ્તુ યાદ રહે.

સેન્સરિ અને શૉર્ટ ટર્મ મેમરી થોડા સમય માટે રહેતી હોય છે. જ્યારે લૉન્ગ ટર્મ મેમરીમાં  વસ્તુઓ વિપુલ પ્રમાણમાં અને ખૂબ લાંબા સમય સુધી યાદ રાખી શકાતી હોય છે એની કોઈ લિમિટ હોતી નથી. દા.ત. કોઈ ફોન ઉપર વાત કરતું હોય અને કોઈ બીજી વ્યક્તિનો ફોન નંબર આપે તો ઘણાને તત્ક્ષણ યાદ રહે પછી ભુલાઈ જતો હોય છે, અને ઘણીવાર લખી લેવો પડતો હોય છે, થોડા પુનરાવર્તન પછી થોડો સમય યાદ રહે, અને વારંવાર રિપીટેશન થાય તો કાયમ યાદ રહી જાય. વારંવાર રટણ કરવાથી શૉર્ટ ટર્મ મેમરી લૉન્ગ ટર્મ મેમરીમાં બદલાઈ જાય.

શૉર્ટ ટર્મ મેમરી Frontal lobe ખાસ તો પ્રિફ્રન્ટલ કૉર્ટેક્સમાં જમા થતી હોય છે, જ્યારે લૉન્ગ ટર્મ મેમરી લગભગ આખા બ્રેનમાં જમા રહેતી હોય છે. બ્રેનનો  Hippocampus વિભાગ મેમરી માટે જવાબદાર હોય છે. ટ્રેનિંગ અને ટેસ્ટ વચ્ચે પૂરતી ઊંઘ લેવી સ્મરણ શક્તિ માટે ખૂબ લાભદાઈ હોય છે. માટે પરીક્ષા સમયે  વાંચીને મજાની ઊંઘ ખેંચી નાખવી સારી.

સ્મરણ શક્તિ માટે એક તો રસનો વિષય હોય તો જલદી અને લાંબા સમય સુધી યાદ રહે. અને જરૂર નાં રહે તો પણ વસ્તુઓ ભુલાઈ જતી હોય છે. નાનપણમાં રિપીટેશન રટણ કરી કરીને મને ગીતાના બે અધ્યાય પુરા યાદ હતા, પછી પઠન બંધ થઈ ગયું, અને પછી  જરૂર રહી નહિ તો આજે ભૂલી ગયો છું. જ્યારે રસની ઐતિહાસિક વાતો અને જુનું વાંચેલું સાહિત્ય આજે વર્ષો પછી પણ પેટાળમાંથી બહાર આવી જાય છે.

મૂળ માનવ જાતમાં પુરુષો શિકાર કરનારા હતા, અને સ્ત્રીઓ ઘરકામ અને ફૂડ ગેધરિંગ કરનાર હતી. શિકાર કરવામાં એક વેલ પ્લૅનિંગ અને ગણિત જોઈએ. લાગણી ઓછી જોઈએ. જ્યારે સ્ત્રીઓના ભાગે બાળકને જન્મ આપવાનું અને ઉછેરવાનું હતું, અબોલ બાળકની લાગણી અને જરૂરિયાત સમજવાની હતી, માટે એમના લાગણી તંત્ર ખૂબ ખીલ્યા. પુરુષોના ગણિત અને તર્ક તંત્ર ખૂબ ખીલ્યા. આમ અમુક બાબતમાં પુરુષોની મેમરી ખૂબ સારી હોય તેમ કેટલીક બાબતોમાં સ્ત્રીઓની મેમરી ખૂબ સારી હોય. એટલે સ્ત્રીઓ અમુક વસ્તુઓ યાદ રાખી શકાતી નાં હોય તે સ્વાભાવિક હોય છે.

અમારા એક મહિલા સગાને કાયમ દૂધ ઊભરાઈ જાય. એમને દૂધ ગેસ પર મૂક્યા પછી યાદ ના રહે. હવે એમની સાથે કોઈ ઉગ્ર ચર્ચા કરી જુઓ તો ૩૦ વર્ષ પહેલા કશું થયું હોય, કોઈ મન દુખ થયું  હોય ગણી ગણીને યાદ કરી બતાવે. હાલની ચર્ચાનો એ વિષય પણ હોય નહિ, છતાં એટલી જૂની વાતો યાદ આવી જાય કે કોઈ પુરુષને ભાગ્યેજ યાદ રહી હોય. વાત આડે પાટે ચડી જાય , કારણ એમનું લાગણી તંત્ર. સ્ત્રીઓ સાથે આ પ્રૉબ્લેમ ખાસ થતો હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ લૉન્ગ ટર્મ મેમરીના બે ભાગ પાડેલા છે. Declarative (explicit) અને Procedural (implicit). ડીક્લેરેટીવ મેમરીના વળી જુદા જુદા પેટા વિભાગ પાડેલા છે. semantic memory,episodic memory . મેમરીના બીજા પણ નામ આપેલા છે. Autobiographical memory, Visual memory.ટૂંકમાં કૉન્શ્યસ રહીને યાદ રાખવું અને કરવું પડતું હોય તેને ડેકલેરેટિવ મેમરીમાં અને અચેતનરૂપે રટણ અને રિપીટેશન કરીને યાદ રાખવામાં આવતી વસ્તુઓને Procedural (implicit) મેમરીમાં સામેલ કરવામાં આવે છે.                        

સારા શ્રોતા બનવું શીખવાની પ્રક્રિયાનો મહત્વનો ભાગ હોય છે. શાંતિથી સાંભળો તો ઘણી બધું વસ્તુ યાદ રહી જાય. સ્ત્રીઓમાં સાંભળવાનું ઓછું બોલવાનું વધુ હોય છે તેવું મારું માનવું અને અનુભવ છે. બીજું યાદ રાખવાની પણ થોડી પડી હોવી જોઈએ, ચિંતા હોવી કે દરકાર હોવી જોઈએ. બાકી જે સ્ત્રી સવાલનાં જવાબ આપીને ૫૦ લાખ જીતી જતી હોય તેને પાણી લાવવાનું યાદ નાં રહે તે વાત હસવા જેવી નથી લાગતી? મૂળ વાત તે ધ્યાનથી સાંભળતી જ નથી. કે એનું મન તે સમયે બીજે હોય છે.  Declarative (explicit) મેમરી માટે હિપોકૅમ્પસ અને ઇમોશનલ મેમરી માટે Amygdala જવાબદાર હોય છે. હિપોકૅમ્પસને ઈજા થાય તો યાદ શક્તિ ઓછી થઈ જાય. અલ્ઝાયમર અને પાર્કિન્સન જેવા રોગો પણ સ્મૃતિ ભંગ માટે જવાબદાર હોય છે.

શૉર્ટ ટર્મ મેમરી લૉસ માટે ડિસઑર્ગનાઇઝ્ડ થિંકિંગ અને એવું બિહેવ્યર પણ જવાબદાર બની શકે. મૅથમટિકલ કપૅસિટિ ઓછી થઈ જાય તો પણ આવું બને. તણાવ, ચિંતા, સ્ટ્રેસ, બેચેની અને ડર પણ શૉર્ટ ટર્મ મેમરી લૉસનું કારણ બનતું હોય છે. ઘણીવાર તો યાદ રાખવાનું જરૂરી નાં હોય તો પણ એવી વસ્તુઓ શૉર્ટ ટર્મ મેમરીમાંથી બહાર ફેંકાઈ જતી હોય છે. સિગારેટ, ઍલકહૉલ, કેફી ડ્રગ્ઝ અને ઢંગ ધડા વગરની જીવન શૈલી પણ મેમરી લૉસનું કારણ હોય છે.  વિટામિન B અને C સ્મરણ શક્તિ માટે સારા ગણવામાં આવે છે. સ્મરણ શક્તિ મૈયાની જય હો!!!!

 

સ્મૃતિ જનમ પહેલાની

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

ગરવું ઘડપણ.

American biologist and author Robert Sapolsky.
Image via Wikipedia
ગરવું ઘડપણ.
           ઘરડા દેખાવું કોઈને ગમતું નથી.ઘરડા થવા લાગીએ એટલે ચહેરા ઉપર પ્રથમ કરચલી પડવા લાગે.ઘરડા નહિ દેખાવાનો રોગ દુનિયામાં માસ હિસ્ટીરિયા કરતા વધારે ખતરનાક રીતે ફેલાતો જતો હોય છે.વધતી જતી ઉંમર સામે લડવા માટે યોદ્ધાઓ રીન્કલ ક્રીમ,Collagen ઇન્જેક્શન અને કોસ્મેટીક સર્જરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે.આ યોદ્ધાઓ ખાલી સ્ત્રીઓ જ હોતી નથી,એમાં પુરુષો પણ સામેલ હોય છે.સ્ત્રીઓ એન્ટી એજિંગ વસ્તુઓ જે વાપરતી હોય છે તેજ વસ્તુઓ દુનિયાના ૬ ટકા પુરુષો વાપરતા હોય છે.
   ચહેરા ઉપર પડતી કરચલી આપણને વારંવાર આપણે નાશવંત છીએ મરણાધીન છીએ તે યાદ કરાવતી હોય છે.હવે જોકે આધુનિક મેડિકલ સાયન્સને પ્રતાપે ઉંમરનો રેશિયો વધ્યો છે.હવે વૃદ્ધો ઘણું સારું એક્ટીવ જીવન જીવી શકે છે.બ્રેઈનની ક્ષમતા અદ્ભુત હોય છે.તે આપણું મોસ્ટ પાવરફુલ અને રહસ્યમય અંગ છે.ગેલેક્ષીમાં અબજો તારાઓ હોય છે તેમ બ્રેઈનમાં અબજો ન્યુરોન્સ હોય છે.ઉંમર વધતા ચિતભ્રમ,સ્મૃતિભંશ,કન્ફ્યૂજન વગેરેનો ડર ખૂબ સતાવતો હોય છે.૮૫ની ઉંમરના ત્રીજા ભાગના લોકો ચિત્તભ્રમથી પીડાતા હોય છે.મૃત્યુના ડર કરતા ચિત્તભ્રમનો ડર વિશેષ હોય છે.બ્રેઈન આખી જીંદગી સારું કામ આપી શકે તેવી તેની ડીઝાઈન  છે જ.છતાં એની ક્ષમતા ઓછી થાય તે પણ સાચું જ છે.છતાં ઉંમર વધતા બ્રેઈન વધુ બગાડે તે પણ જરૂરી નથી.ઘણા લોકો ખૂબ સારું અને લાંબું જીવી શકતા હોય છે.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ન્યુરો સાયન્ટિસ્ટ Robert Sapolsky Ph.D. કહે છે કે ૩૫ વર્ષ પહેલા અલ્ઝાઈમર રોગ વધતી જતી ઉંમરના કારણે થતો રોગ છે એવું મનાતું હતું ,પણ ઘણા લોકોને માનસિક ક્ષતિનો કોઈ અનુભવ થતો હોતો નથી.એટલે હવે નવેસરથી આની ઉપર વિચારવાનું શરુ થયું છે.  Antonio Damasio, M.D., Ph.D., head of the Department of Neurology at the University of Iowa and author of Descartes’ Error, concurs. “Older people can continue to have extremely rich and healthy mental lives.”  ભારતમાં અલ્ઝાઈમર રોગ દુનિયાના કોઈ પણ દેશ કરતા સાવ ઓછો નહિવત્ જોવા મળે છે તેનું કારણ છે ભારતીયોના ખોરાકમાં રોજ હળદરનો ઉપયોગ.રોજ એક ચમચી હળદર ખાઓ અલ્ઝાઈમરથી દૂર રહો એવું અમેરિકન ડૉક્ટર કહે છે.
       વધતી ઉંમર સાથે બ્રેઈનને ફીટ અને ઝડપી રાખી શકાય છે તેનું રહસ્ય છે પ્રવૃત્તિમાં.મતલબ છે ક્યારેય નિવૃત્ત થવું નહિ.માનસિક રીતે તો કદાપિ નહિ.માનસિક અને શારીરિક પડકારો Cerebral ફિટનેશ માટે ખૂબ મહત્વના છે.નિવૃત્તિ શબ્દ મનની ડીક્ષનેરીમાંથી ભૂંસી નાખવો.મેક આર્થર ફાઉન્ડેશન સફળ વૃદ્ધત્વ વિષે રિસર્ચ કરવા માટે ખૂબ નાણાં ખર્ચી રહ્યું છે.Harvard મેડિકલ સ્કૂલનાં Marilyn Albert ,Ph.D.,  અને એમના Mt.Sinai મેડિકલ સ્કૂલ અને Yale ,Duke ,અને Brandeis યુનીવર્સીટીઓનાં બીજા સાથીઓ સાથે  ૧૧૯૨ વૃદ્ધો જેઓ ૭૦ અને ૮૦ વર્ષની વચ્ચેની ઉંમરના શારીરિક તંદુરસ્ત અને મેન્ટલી ફીટ હતા તેઓનું પરીક્ષણ કરી રહ્યા હતા.બાવીસ જાતના જુદા જુદા પરીક્ષણ કર્યા હતા,એમાં બ્લડ પ્રેશર,શુગર,કોલેસ્ટેરોલ લેવલ,સાયકીયાટ્રીક  સિમ્પ્ટમ,સ્મોકિંગ આવરી લેવાયા હતા.
     આ વૃદ્ધોનું  એકવાર ૧૯૮૮ અને બીજી વાર ૧૯૯૧ એમ બેવાર પરીક્ષણ કરાયું હતું.એમની તંદુરસ્ત માનસિકતા સંબંધી ચાર પરિબળ બહાર આવ્યા એક તો એમના શિક્ષણનું સ્તર,ફીજીકલ એક્ટીવીટી,મજબૂત ફેંફસા અને સ્વ સામર્થ્યની પ્રબળ લાગણી.ચારે પરિબળ બ્રેઈન ફંક્શન બદલવામાં મજબૂત ભાગ ભજવે છે.નિયમિત કસરત બ્રેઈન તરફ બ્લડ ફ્લો વધારે છે જે ન્યુરોન્સની ગીચ શાખાઓ બનાવે છે,જ્ઞાનતંતુઓ વધારે ઉજાગર થાય છે,ન્યુરોન્સ મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ વધારે છે.સહેલી એરોબિક કસરત,લાંબું ચાલવાનું,સમયાન્તરે નિયમિત પગથીયા ચડવા આમાં ખૂબ ફાયદાકારક છે.
           કેટલાક ઉંદરોને પુષ્કળ પ્રમાણમાં રમકડા વચ્ચે ખૂબ રમાડવામાં આવ્યા તો સામાન્ય ઉંદર કરતા એમના બ્રેઈન ન્યુરોન્સ વચ્ચે ૨૫ ટકા કનેક્શન વધુ થયેલા જણાયા,અને બીજા ઉંદરોને ટ્રેડમિલ પર કસરત કરાવતા બ્રેઈનનાં ખાસ ચોક્કસ ભાગમાં રક્તવાહિનીઓમાં વધારો થયો હતો.
     એજ્યુકેશન બ્રેઈન ફંક્શન તીવ્ર કરતુ હોય છે.સ્માર્ટ લોકો વધારે ન્યુરોન્સ સાથે લાઇફ શરુ કરતા હોય છે.જે લોકોની ખોપરીનો બાહ્ય ઘેરાવો ૨૪ ઇંચ કરતા વધુ હોય તેવા લોકોમાં(Big head ) અલ્ઝાઈમર રોગનો,જો થાય તો, પ્રોગ્રેસ ખૂબ ધીમો હોય છે.આવા લોકો પાસે સ્વાભાવિક બ્રેઈન ટીસ્યુ અને ન્યુરોન્સ વધારે હોય છે.સતત ભણતા રહેવું બ્રેઈન માટે સારું છે.આખી જીંદગી ભણતા રહેવામાં વાંધો પણ શું છે?નાની ઉમરથી ભાષાશાસ્ત્રનું સારું  જ્ઞાન,પાછલી ઉમરમાં બ્રેઈનને મદદરૂપ થતું હોય છે.
  આપણે ભારતીયો માનસિક રીતે નિવૃત્ત વહેલા થઈ જતા હોઈએ છીએ,અને કસરત તો ‘ન ભૂતો ના ભવિષ્યતિ’. આપણી સ્ત્રીઓ મેનપોઝ(Menopause)પછી સાવ બેઢંગી બની જતી હોય છે,વહેલી રિટાયર થઈ જતી હોય છે.આમેય ભારતીય સ્ત્રીઓ કસરત બાબતે શારીરિક ફિટનેશ બાબતે સાવ ઉદાસ હોય છે.યુવાનીમાં દરેક સ્ત્રી સ્વાભાવિક સુંદર લાગતી હોય છે,પણ પ્રૌઢ બનતા એમનું શરીર બેડોળ થવા લાગતું હોય છે.એવરેજ ભારતીય સ્ત્રી યુવાનીમાં સુંદરતા ગુમાવવા લાગતી હોય છે.ફિલ્મ ઉદ્યોગ જેતે સમાજનું પ્રતિબિંબ હોય છે.આપણી અભિનેત્રીઓ ત્રીસી કે ચાલીસી પછી?જ્યારે શેરોન સ્ટોન,ડેમીમુર,જેનીફર લોપેઝ,આવી તો અનેક???અરે ૬૫ વર્ષની મેરિલ સ્ટ્રીપ જુઓ.આપણાં અભિનેતાઓમાં કસરતી શરીરનો ક્રેઝ વધ્યો છે તે સારી બાબત છે.
         વૃદ્ધ બ્રેઈન એક રીતે ક્રિયેટીવ બ્રેઈન જેવું હોય છે.આવું બ્રેઈન નિરવરોધ,અનિગ્રહ અને પ્રસ્તુત વિષયથી દૂર ખેંચી જનારું વધારે હોય છે જે એક રીતે ક્રિયેટીવ ગણાય.ક્રિયેટીવ બ્રેઈન જ્ઞાનને પાસાદાર બનાવી કંઈક નવીન રીતે રજૂ કરતું હોય છે.ક્રિયેટીવ બ્રેઈન કોઈ એક વસ્તુ પ્રત્યે સ્થિર હોતું નથી,એમનો વ્યુ બ્રોડ હોય છે.બીજો એક સ્ટડી બતાવે છે કે એજીંગ બ્રેઈનના Prefrontal cortex નો એરિયા જે self-conscious awareness ,emotions નું પ્રતિનિધિત્વ કરતો હોય છે તે પાતળો હોય છે.જે લોકોને પ્રભાવિત કરવા માટેની ખ્વાહિશ અને લોકો પાસેથી અપેક્ષા  ઓછી રાખતું હોય છે જે ક્રિયેટીવ લોકો માટે જરૂરનું હોય છે. ક્રિયેટીવ લોકો કોઈને ખુશ કરવાને બદલે પોતાનામાં મસ્ત હોય છે. ક્રિયેટીવીટી માટે બ્રેઈનના બે ભાગ જવાબદાર હોય છે,prefrontal cortex અને  anterior cingulate .Openness to new ideas and a flexible attitude toward change are the essence of creativity.આવું નવા વિચારો પ્રત્યેનું ખુલ્લાપણું સ્ત્રીઓના prefrontal cortex ને વધુ એક્ટીવ કરતું હોય છે જ્યારે પુરુષોના anterior cingulate cortex ને એક્ટીવ કરતું હોય છે.
        વૃદ્ધ લોકો પાસે બહુ લાંબો અનુભવ હોય છે,લાંબી જિંદગીમાં સારું એવું નૉલેજ ભેગું કર્યું હોય છે.અને તેનો ઉપયોગ કરીને ક્રિયેટીવ સર્જનાત્મક બની શકાય છે.Millard Kaufman ,એમની પહેલી અને હીટ નોવેલ Bowl of Cherries  ૯૦ વર્ષની ઉંમરે લખેલી.  A Dangerous Weakness નામની  નોવેલ લખીને ૯૩ વર્ષની ઉમરની Lorna Page ,બ્રિટનમાં એક લહેર જગાવી દીધેલી.બેન્જામીન ફ્રેન્કલીને ૭૮ વર્ષે બાઇફોકલ લેન્સની શોધ કરેલી.૮૫ વર્ષે થોમસ હાર્ડીએ એમની કવિતાઓની બુક પબ્લીશ કરેલી.આવા તો અનેક વિરલાઓ હશે.
  મને જે આવા યંગ સ્વભાવના મિત્રો મળ્યા છે તેઓને મળીને મને ખૂબ આનંદ અને પ્રેરણા મળેલી.આશરે બે વર્ષ પહેલા મળેલા ‘કલ્ચર કેન કિલ’ નાં લેખક શ્રી સુબોધ શાહ આજે ૮૦ વર્ષના હશે.શ્રી રશ્મીકાંત દેસાઈ આજે ૭૪ વર્ષના હશે અને હમણાં સમરમાં મળેલા ડો દિનેશભાઈ પટેલ ૭૨ વર્ષના ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ,તમામ ખૂબ તરવરીયા,એનર્જેટિક,નોલેજનું જાણે વેરહાઉસ અને સ્વભાવે નમ્ર,શાલીન અને ક્રાંતિકારી વિચારો ધરાવતા છે.
    યુવાની રિસ્ક ટેકર હોય છે.રીસ્ક્માથી થ્રિલ મેળવતી  હોય છે.એમાં પણ યુવાન પુરુષો વધુ રિસ્ક ટેકર હોય છે સ્ત્રીઓ ઓછી.આમ પુરુષો સ્ત્રીઓની સરખામણીએ વધુ મારતા હોય છે.વૃદ્ધ હોય તો પણ પુરુષો જરા વહેલા મરતાં હોય છે.૧૯૯૮મા એકસર્વે થયેલો ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં,૪૬૫૫ શ્વેત પુરુષો અને ૧૩૨ આફ્રિકન અમેરિકન પુરુષોએ આત્મહત્યા  કરેલી,જ્યારે ૯૦૨ શ્વેત મહિલાઓ અને ૨૦ આફ્રિકન અમેરિકન મહિલાઓએ આત્મહત્યા કરેલી.રોગના કારણે પણ મરનાર પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધુ હોય છે.
  પુરુષો સ્વભાવગત કોમ્પીટેટીવ અને મહિલાઓ કોઓપરેટીવ હોય છે.આમ મહિલાઓને સામાજિક સપોર્ટ સારો એવો મળતો હોય છે.બ્રેઈન સ્કેન દર્શાવે છે કે સહકારની ભાવના બ્રેઈનની નર્વ સર્કિટને ઉત્તેજિત કરતી હોય છે જે રીવોર્ડ સિસ્ટમનો ભાગ હોય છે.અને એનાથી ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ સ્ત્રાવ વધે છે જે એક જાતનું સુખ અર્પે છે.એટલે એકબીજાને સહકાર આપવાથી સારું લાગતું હોય છે.એટલે સામાજિક સહકાર બ્રેઈનને ખૂબ લાભદાયી હોય છે.આમ આ બધું ઓવરઓલ સારા આયુષ્ય માટે કારણભૂત બનતું હોય છે.આમ કેરગીવર થિયરી પ્રમાણે મહિલાઓ લાંબું જીવતી હોય છે સરેરાશ પુરુષો કરતા પાંચ વર્ષ વધુ.સ્ત્રીઓને બાળકો મોટા કરવાની જવાબદારી ભાગે વધુ આવતી હોય છે.જેથી તેઓ રિસ્ક ટેકર હોતી નથી.માતા વગરના બાળકોનો સર્વાઈવલ રેટ ઓછો થઈ જતો હોય છે.જે જાતોમાં નર પણ માદા જેટલી જ એના સંતાનોને ઉછેરવાની જવાબદારી સંભાળતો હોય ત્યાં નર અને માદા બંનેનું આયુષ્ય સરખું હોય છે,દાખલા તરીકે siamangs (a type of ape) and titi monkeys.Male owl monkey એના સંતાનોને ખાલી દૂધ પીવા પૂરતા માદાને આપતા હોય છે બાકીની ઉછેરવાની તમામ જવાબદારી નરની હોય છે ત્યાં નર વધારે જીવતા હોય છે માદા કરતા.આમ પુરુષ સ્વભાવગત રિસ્ક ટેકર હોવાથી ઓછું આયુષ્ય ભોગવતો હોય છે અને સ્ત્રીઓ પ્રાયમરી કેર ગીવર હોવાથી વધુ આયુષ્ય ભોગવતી હોય છે.
      એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે.જોબ સ્ટ્રેસ વહેલા મારી નાખે તેવું પણ નથી.ઉલટાના જોબ છોડીને કેર ફ્રી રહેનારા વહેલા મરી જતા હોય છે.પ્રોડક્ટીવ અને લાંબું કેરિયર ધરાવનારા લોકો વધુ આયુષ્ય ભોગવતા હોય છે.
      ફ્લેક્સીબલ મેન્ટલ એટીટ્યુડ,ઘણાબધા સમાન વિચારસરણી ધરાવતા મિત્રો,ચેસ,બ્રીજ,મ્યુઝિક,ડાન્સ આ બધું બ્રેઈનને એક્ટીવ રાખતું હોય છે.પરણેલા પુરુષો કુંવારા કરતા વધુ જીવતા હોય છે.
Centers for Disease Control and Prevention (CDC) શું કહે છે તે જોઈશું?
 ૧) વજન જાળવવું- અતિશય વજન કે બોડી ફેટ સારું નહિ.BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ ૨૫ કરતા ઓછો હોવો જોઈએ.
૨) પૂરતા ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
૩)ફીજીકલી એક્ટીવ રહેવું જોઈએ.
૪)સિગારેટ સ્મોકિંગ બંધ.
૫) દારુ પીને ડ્રાઈવ કરવું બંધ.

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

Mesolimbic dopaminergic and serotonergic pathways.
Mesolimbic dopaminergic and serotonergic pathways. (Photo credit: Wikipedia)

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

મૅમલ(mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેન વિષે ઘણું બધું વાંચ્યા પછી આ દુનિયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખૂબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફિયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખૂબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમિસ્ટ્રિને અનુસરે છે. કેમકે દરેક મૅમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.

આ ન્યુરોકેમિસ્ટ્રિ વારસામાં મળેલી છે. દરેક મૅમલ પાસે એક બ્રેન(Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનંદ કે હેપિનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા અનેક ન્યુરોકેમિકલ્સનું પરિણામ હોય છે. કમનસીબે મૅમલ બ્રેન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઇવલ માટે કશું કરીએ ત્યારે એના રિવૉર્ડ તરીકે આ કેમિકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભૂતિ કરતું હોય છે.

મૅમલ્સ સામાજિક છે, સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરૂર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. અને આ રીતે સુખના કારણભૂત રસાયણનાં સ્ત્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખ દુઃખની લાગણીઓ અનુભવી શકતા નહિ હોય, પણ એવું નથી.

આપણે મનુષ્યો પાસે લિમ્બિક સિસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સિવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટુ બ્રેન છે. આપણી પાસે વિચાર કરી શકે તેવું મોટું બ્રેન છે. અને તેના વડે આપણે ન્યુરોકેમિકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ કશું નવી વિચારી શકીએ છીએ. પણ આપણું કૉર્ટેક્સ આપણને સુખી આનંદિત કરી શકતું નથી. કારણ હૅપી કેમિકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફિલૉસફી ફાડીએ આપણે સુખ દુઃખની લાગણીઓ ઉપર કાબૂ કરી શકતા નથી. અને જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.

એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખમાં રહી શકતા નથી. કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેનનો કાબૂ છે. મૅમલ બ્રેન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મૅમલ બ્રેન એને વધારાના શક્તિના પુરવઠા તરીકે જ વાપરાતું હોય છે જે સર્વાઇવલ માટે મદદરૂપ થાય.

સર્વાઇવલ આપણે સમજીએ તે નહિ, મૅમલ બ્રેન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાવલ ટેક્નિક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચિંતો સર્પ નજીક આવી જાય તો ભલભલાં આત્મજ્ઞાની કૂદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળનામ ભાગે આવેલું નાનુ મગજ કહીએ છીએ તે જ આ મૅમલ બ્રેન કે લિમ્બિક સિસ્ટમ છે.

એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઇંચ પણ ઊંચા સાબિત કરો ત્યારે મૅમલ બ્રેન તેને નોટિસ કરતું હોય છે, અને પ્રતિભાવમાં હૅપી કેમિકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે “મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.” અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ-સ્ટૅટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઊંચા સાબિત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો પણ સામેલ થઈ જાય. પણ એવું કરવામાં ઊંચા સાબિત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મૅમલ બ્રેન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પિત થઈ જવું તે મૅમલ બ્રેન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.

જ્યારે કોઈ આપણાં ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મૅમલ બ્રેન દુઃખી કરતા કેમિકલ્સ છોડતું હોય છે જેનાથી દૂર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કૈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મૅમલ બ્રેન Dopamine  રિલીસ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે Serotonin સ્ત્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવિષ્યમાં સર્વાઇવલ માટે જરૂરી છે ત્યારે Oxytocin સ્ત્રવતું હોય છે.

મૅમલ બ્રેન વિષે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતિ પ્રાચીન લિમ્બિક સિસ્ટમ વિષે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વિષે કે બ્રેન વિષે કે મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સ વિષે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકૂટ કોણ કરે? પશ્ચિમના વૈજ્ઞાનિકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતિકવાદીઓને ગાળો દેતા જઈશું.

આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે, ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ  લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રૂપનો સાથ ઇચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરૂરિયાતો સંતોષી શકાય. અને તેવું બને નહિ તો હતાશ નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. અને તે ગ્રૂપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ “આપણો સમાજ” નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્ત્રાવની ખોજનો.

હું હંમેશા લો-પ્રોફાઇલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતિષ્ઠા ઇચ્છતો નથી, કે ડિઝાઇનર કપડા પહેરી કૉક્ટેલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમિકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમિકલ્સની અવગણના કરું તે સ્વાભાવિક છે. આપણે કાયમ હૅપી કેમિકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમિકલ્સની અવિરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુખ પામતા હોય છે.

જો આપણે આપણી બ્રેન કેમિસ્ટ્રિ સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નિવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમિકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં ,  છતાં મારે આ દુનિયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઇચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. અને દુઃખી કેમિકલ્સથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આમ  હું બીજા મૅમલ્સ વચ્ચે  અવશ્યંભાવી, અપરિહાર્ય મૅમલ છું.

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”

 

 

 

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths About Human Nature.

Meridian Ave northbound at North Dr, Colorado ...
Image via Wikipedia

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths  About  Human  Nature .

સૂર્ય પ્રકાશ આપણને સુંદર સુકોમળ બનાવે છે.સૂર્યના પ્રકાશ વડે દિવસ ઝગમગતો હશે ત્યારે આપણે કોઈ પણ સર્વેના ઉત્તર વધુ સારી રીતે આપતા હોઈ છીએ.આવા દિવસોમાં હોટેલ કર્મચારી ટીપ વધુ મેળવતા હોય છે.આવા દીવસે આપણે માનસિક રીતે પ્રફુલ્લિત હોઈએ છીએ અને તે મૂડ જાળવી રાખવાનું ઇચ્છતા હોઈએ છીએ. આભ વાદળ છાયું હોય ત્યારે ફક્ત ભણવાની ઇચ્છા ધરાવનારા જેમના જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવી મહત્વનું છે તેવા વિદ્યાર્થીઓ એડમીશન વધુ લેતા હોય છે,અને જ્યારે દિવસ સૂર્ય પ્રકાશથી ભરેલો હોય તેવા દિવસોમાં સામાજિક પ્રકારના વિદ્યાર્થીઓ પ્રવેશપત્રો વધુ ભરતા હોય છે.વાદળછાયો દિવસ ઘરમાં રહીને અભ્યાસ કરો તેવું સૂચવતો હોય છે. સુર્યપ્રકાશ શેર બઝારને ઉત્તેજન આપે છે.ઇન્વેસ્ટર આવા દિવસે આનંદિત હોય છે અને વધારે રોકાણ કરતા હોય છે.વાદળછાયા દિવસો કરતા ત્રણ ઘણું રોકાણ થતું હોય છે.
વાદળછાયા દિવસે વેધર ખરાબ હોય ત્યારે મૂડ સારો હોતો નથી,એમાં નિર્ણય લેવાની શક્તિમાં ગરબડ થઈ જાય છે એમાં લોકો લોટરીની ટીકીટ વધુ ખરીદતા હોય છે.ગરમ દિવસોમાં આત્મ હત્યા વધુ થતી હોય છે.અંતિમ નિર્ણય લેવામાં સુર્યપ્રકાશ હિંમત અર્પે છે એમાં આવા ખરાબ નિર્ણયો પણ આવી જાય. સુર્યપ્રકાશ ઓછો હોય તે દિવસે એની પૂર્તિ કરવા મૂડ સુધારવા જાતને ઉત્તેજિત કરવા આલ્કોહોલ,કોફી,ચોકલેટ તંબાકુ અને ચા વગેરેનું સેવન વધુ થતું હોય છે.
ચાલો જોઈએ અમેરિકાના મોટા શહેર દિવસમાં કેટલો સમય સુર્યપ્રકાશ મેળવે છે?
Phoenix: 10.3
Los Angeles: 8.8
Atlanta: 7.6
New York: 7.4
Chicago: 7.2
Seattle: 5.6
*૪૫ મિનિટ કોઈ સુંદર વન ઉપવન બાગ બગીચામાં ચાલવા નીકળો તો આપણી ચિંતન મનન શક્તિમાં વધારો થાય છે.એટલો વધારો કોઈ માર્કેટમાં કે સિમેન્ટના જંગલમાં ફરવા નીકળો તો નહિ થાય.કારણ શહેર વિસ્તારમાં તમારા બ્રેઈનને ઘણું બધું કામ કરવું પડતું હોય છે,ટ્રાફિકનું ધ્યાન રાખવાનું,વાહન વ્યવહારના ઘોંઘાટ,જાહેરાતોના બોર્ડ લોકોની અવરજવર,અતિશય ભીડભાડ વગેરેનું બ્રેઈન વિશ્લેષણ કર્યા કરતું હોય છે.જ્યારે વન ઉપવનમાં કુદરતનું સામ્રાજ્ય ફેલાયેલું હોય ત્યાં ગ્રીનરી બ્રેઈનને એક જાતનો આરામ અર્પે છે.
અમેરિકામાં ૭૦% લોકો શહેરોમાં રહે છે,એમને ગ્રીનરી કેટલી ઉપલબ્ધ છે તેમના શહેરોમાં જે તે શહેરની સાઇઝના પ્રમાણમાં તે જોઈએ.
25.7% New York

19.8% San Francisco

19.1% Washington, DC

15.7% Boston

12.4% Philadelphia

9.9% Los Angeles

8% Chicago.

સ્ત્રીઓને બહાર હરિયાળા વાતાવરણમાં ફરવાનું બહુ ગમતું હોય છે,એનાથી એમની આત્મશક્તિમાં વધારો થતો હોય છે,પોતાની જાતમાં સન્માનની ભાવનામાં વધારો થતો હોય છે.ગુલાબના ફૂલોની મહેક સ્ત્રીને પ્રેમની લાગણીથી તરબતર કરી દેતી હોય છે.સ્ત્રીને મોકો મળે એના સાથી સાથે સહ્ચર્યનો તરત એને બહાર કુદરતના સાંનિધ્યમાં ફરવા જવાનું મન થઈ જાય છે.(Colorado State University researcher Gretchen Nurse). ગાર્ડનીંગ કરવું ખૂબ સારું છે.થોડા શાકભાજી ઉગાડવા જોઈએ.એનાથી એકતો તાજાં શાકભાજી ખાવા મળશે.તંદુરસ્તીમાં વધારો,કસરતની કસરત.માટીનો સંસર્ગ થવાથી એમાં રહેલા વિપુલ માઈક્રોબ્સ તમારી ઈમ્યુન સિસ્ટમમાં વધારો કરતા હોય છે.સ્ત્રીઓને ગાર્ડનીંગ અને પ્લાન્ટિંગ કરવાનું ખૂબ ગમતું હોય છે.

આપણા પૂર્વજો જંગલોમાં લાખો વર્ષ રહેલા છે.કુદરતના સાંનિધ્યમાં રહેલા છે.કુદરત સાથે પૂર્વજોનો નાતો લાખો વર્ષનો છે.મેમલીયન બ્રેઈન એ રીતે ઇવોલ્વ થયેલું છે.પક્ષીઓનો કલબલાટ.એમનું ચી..ચી..ચી..એમનું ટ્વીટ્સ શરીરની હેલ્થ અને હેપીનેસ માટે ઉપયોગી છે.પક્ષીઓ ખાલી કલબલાટ કરતા હોતા નથી.એમના પ્રિયજનને મેટિંગ માટે સાદ દેતા હોય છે,એમના જોડીદારને ખતરાથી ચેતવતા હોય છે.એમના વિસ્તારનું આધિપત્ય જતાવતાં હોય છે.તેઓ મધુર રાગ રાગિણી છેડતા હોય છે.જોડીદારને સુંદર સ્વરમાં સંદેશા મોકલતા હોય છે.આ બધું  લાખો વર્ષ,કરોડો વર્ષથી આપણને મળેલા મેમલીયન બ્રેઈનમાં સંગ્રહાયેલું હોય છે.એટલે વન ઉપવનમાં  ફરવા જઈએ તો ખૂબ મજા પડી જાય છે.mammalian બ્રેઈનને મળેલી યાદો પક્ષીઓના અવાજ સાંભળી તરોતાજા થઈ જાય છે.અને એનાથી તમારી પ્રયત્ન વગરની જાગરૂકતા પાછી આવે છે,સચેત રહેવાની ક્ષમતા કેળવાય છે અને તણાવ દૂર થાય છે.વસંત ઋતુમાં પક્ષીઓ દિવસે કોરસમાં ખૂબ ગાતા હોય છે.માનવ લાખો વર્ષ જંગલમાં રહેલો છે.આ સમૂહગાન બોડી ક્લૉકને ઠીક કરવામાં મદદ કરે છે જેનાથી તંદુરસ્તી માટે ફાયદો જ હોય ને?બોડી ક્લૉક ઠીક થાય તો ઊંઘ સારી આવે અને મૂડ પણ સારો રહે.

માઈન્ડનાં સ્નાયુ છે બ્રેઈન.જેમ શરીરના સ્નાયુઓને કસરતની જરૂર છે તેમ બ્રેઈનને પણ કસરતની જરૂર છે.નિયમિત રોજ નહીતો અઠવાડિયે ત્રણ વાર બહાર ૪૦ મિનિટ ચાલવા જનાર અને સ્ટ્રેચિંગ કસરત,એરોબિક કસરત,યોગા કરનારના બ્રેઈનને ફાયદો થાય છે.સ્મરણ શક્તિ માટે જવાબદાર Hippocampus વોલ્યુમમાં વધારો થાય છે તેવું લેટેસ્ટ સંશોધન બતાવે છે.spatial memory performance ઈમ્પ્રુવ થાય છે.તો રોજ ચાલો અને Hippocampus ને સંકોચાતું બચાવો.

શહેરમાં અને તે પણ મોટા શહેરોમાં રહેનારા ખૂબ તણાવયુક્ત જીવન જીવતા હોય છે.ગ્રામ્ય  વિસ્તારમાં તણાવ ઓછો હોય છે.તણાવના લીધે બ્રેઈન સ્ટ્રેસ હાર્મોન Cortisol વધારે છોડતું હોય છે.કાયમ તણાવમાં રહેનારનું Cortisol લેવલ હાઈ થઈ જાય તો બ્રેઈનના amygdala અને cingulate cortex વધારે એક્ટીવ થઈ જતા હોય છે.Amygdala ભાવનાઓ અને લાગણીઓ માટે જવાબદાર હોય છે.cingulate cortex નકારાત્મક લાગણીઓ જેવી કે શંકા,અવિશ્વાસ,ભય વગેરે વધારવામાં Amygdala ને મદદ કરે છે.સતત તણાવ બેચેની અને નકારાત્મક લાગણીઓ વધારે છે.શહેરી જીવનના ફાયદા જુદા હોય છે.જરૂર છે થોડી લાઇફ સ્ટાઇલ બદલવાની.થોડા કુદરતના સાંનિધ્યમાં જીવવાની ટેવ પાડવાની.

આવો છે કુદરતનો કરિશ્મા.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રે.Hard Truths About Human Nature.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રેuntitled-=-=-=-

માનવ શરીર અદ્ભુત રસાયણોનું એક સંયોજન છે. આ હાલતા ચાલતા રસાયણોના સુંદર સરોવરમાં આત્મા કઈ બાજુ વિચરતો હશે તે ખબર નથી.  હવેના નવા આધુનિક ફિલૉસફર કોઈ ધર્મ ગુરુની જગ્યાએ બાયોલોજિસ્ટ, સાઇકૉલાજિસ્ટ અને ન્યુઅરોલોજિસ્ટ હોય છે.આ લોકોના કહેવા પ્રમાણે બ્રેન જ આત્મા છે. ચાર્વાકનાં દિવસો પાછાં આવશે.

 સુખ દુખની લાગણી પણ બ્રેન કેવાં રસાયણો છોડે છે તેના ઉપર આધારિત છે.

Endorphin happiness: – શારીરિક ક્ષતિ સમયે આ રસાયણ લેપનું કામ કરે છે. પ્રિડેટરથી બચવા ઈજા થઈ હોય છતાં ભાગવું પડતું હોય છે. તે સમયે આ રસાયણ ઈજાનો અહેસાસ કરવા દેતું નથી, અને ભાગેલા પગે પણ તમે દોડી શકો છો.પણ સતત એનો સ્ત્રાવ યોગ્ય નથી. બાકી તમને ઈજાનો અહેસાસ થાય જ નહી તો એની સારવાર કરો નહિ. માટે ઇમર્જન્સી માટે આ રસાયણ ઉપલબ્ધ હોય તે જ સારું. જો બ્રેન સતત આને છોડ્યા કરે તો તમે ભાગેલા પગે દોડ્યા જ કરવાના, પછી સાવ ભાગી પડવાના, થઈ જવાના મૃત્યુને હવાલે.  

“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેએન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો  સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઇવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે.

દાખલા તરીકે મૅમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર  કરવો સર્વાઇવલ માટે નુકશાન છે. અને સર્વાઇવલ થયેલા જ એમના જીન પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સિસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.

હ્યુમન બ્રેન શારીરિક પેએન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.

એન્ડોરફીન ઇમોશનલ પેએન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેએન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ લેવાતા હોવાનું સામાન્ય છે.

દુઃખાવો, દર્દ બ્રેનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાવલ માટેનો. મૅમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહી કે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.

કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઈને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઇપથર્મિઅ વડે મરી જાય. માટે ઠંડી લાગે પેએન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બૉડિ ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત  કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે.

આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મૅમલે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેએન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેએન અવૉઇડ કરવાનું એમનું બ્રેન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે, તેમની પાસે પૂરતાં ન્યુરૉન્સ નથી આવું બધું વિચારવા માટે.

માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે. સંભવિત, કાલ્પનિક  દર્દ ઊભું કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઇવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.

એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.

નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે.

Dopamine happiness: – જ્યારે તમે કોઈ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્ત થવાની અણી ઉપર પહોચી જાઓ ત્યારે બ્રેન આ રસાયણ છોડે છે જે તમને ખૂબ આનંદ સાથે ધ્યેયની ફિનિશ લાઈન પસાર કરવા એક્સ્ટ્રા એનર્જી અર્પે છે. આ એક રિઝર્વ ટાંકી છે શક્તિની.જે અણીના સમયે કામ લાગે છે. જો સતત આ રસાયણ છૂટ્યા કરે તો અણીના સમયે ગરબડ થઈ જાય. એટલે મહત્વના ધ્યેય પ્રાપ્તિ માટે આ રસાયણ છેલ્લા સમયે ઉપલબ્ધ ત્થાય તે જ સારું.

રમત જગતમાં દોડવીરો ફિનિશ લાઈન આવતા છેલ્લું જોર લગાવતા હોય છે. એક દાખલો યાદ આવે છે ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ૩૦૦ મીટર સુધી તેઓ સૌથી આગળ હતા. એક ભૂલ થઈ ગઈ, એમણે પાછળ વળીને જોયું તો બાકીના બધા હરીફો  ખૂબ પાછળ હતા. બસ ખુશ થઈ ગયા હવે મને કોઈ પાછળ પાડી નહિ શકે, હવે ફક્ત ૧૦૦ મીટર જ બાકી રહ્યું હતું. બસ મારું માનવું છે કે Dopamine સ્ત્રાવ વહેલો થઈ ગયો હશે. છેલ્લા ૧૦૦ મીટરમાં તે ધીમાં પડી ગયા ખૂબ જોર લગાવ્યું પણ ફક્ત ૧૦૦ મીટરમાંબીજા લોકો આગળ નીકળી ગયા અને તેઓ ચોથા નંબરે આવ્યા. ફરી કદી ઑલિમ્પિક જીતી શક્યા નહિ.

Oxytocin happiness: – આપણી આસપાસના લોકો ઉપર વિશ્વાસ આવતો જાય ત્યારે આ રસાયણ સ્ત્રવે છે. એક માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બંને Oxytocin વડે મળતા આનંદથી ભરાઈ જતા હોય છે. બંને વચ્ચે એક આત્મીય સંબંધ રચાય છે. જ્યારે સમાન વિચારસરણી ધરાવતા માનવો એકબીજાને મળે છે ત્યારે જે આનંદ અને તૃપ્તિ મળે છે તેનું કારણ આ રસાયણ છે. કોઈ વહાલાનો સંદેશો મળે છે અને મન જે આનંદની અનુભૂતિથી ભરાઈ જાય છે તે આ રસાયણ છે. કોઈ વહાલી વ્યક્તિ ઘરે આવે આવે ને હરખપદુડા થઈ મન નાચી ઊઠે છે તેનું કારણ આ રસાયણ છે. પણ તમે સતત આ આનંદ અનુભવી ના શકો કારણ બધા વિશ્વાસ કરવા લાયક હોતા નથી. બધા ઉપર વિશ્વાસ મૂકવો સર્વાઇવલ માટે ખતરનાક છે.

Serotonin happiness: – જ્યારે તમને પોતાની જાતનું મહત્વ લાગે ત્યારે જે આનંદ મળતો હોય છે તે આ રસાયણનું કારણ છે. જ્યારે તમે પોતાની જાતને સર્વોપરી સમજો ત્યારે ખૂબ આનંદ મળતો હોય છે. આ સુખની લાગણી માટે મૅમલ કાયમ પ્રયત્ન કરતા હોય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે.

Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જીન મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. પણ સર્વોપરી બનવાના પ્રયત્નમાં બાધા આવે તો અને એમાં ઈજા થવાનો ભય જણાય તો આ રસાયણ છૂટવાનું ઓછું થઈ જાય છે. બ્રેન સતત આનું સંચાલન કરતું હોય છે કે સુપિરિઅર બનવામાં કોઈ જોખમ તો નથી ને?

દરેક રસાયણ ખુશી આનંદ આપતું  હોય છે. એનાથી ભવિષ્યમાં સુખ મેળવાની ચાવી પ્રાપ્ત થતી હોય છે. દરેક રસાયણ એનું કામ કરતું નિષ્ઠા પૂર્વક કરતું હોય છે. જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે, જેના વડે તમારા DNA  જીવતા રાખીશ શકો છો. એક સસ્તન પ્રાણીને કોઈ વૃક્ષ ઉપરથી ફળ ખાવા માટે મળી ગયું તો dopamine રિલીસ થશે. ભલે પ્રયત્ન કરીને મળ્યું કે વિના પ્રયત્ને. જે એની મૅમરીમાં જોડાઈ જશે. એનાથી ફરીથી તે ફળ મેળવામાં સહાયતા થવાની.

આ સુખ અર્પતા રસાયણો એટલો બધો આનંદ આપતા હોય છે કે આપણું મોટું Cortex સતત એને કઈ રીતે મેળવી શકાય તેની ખોજ કર્યા કરતું હોય છે. એપ્સ સતત એકબીજાના શરીર પરના વાળ સવારતા  હોય છે એનાથી Oxytocin દ્વારા મળતો વિશ્વાસનો જનક આનંદ મળતો હોય છે.

માતા બાળકને સ્તનપાન કરાવતી વખતે એના માથા ઉપર હાથ ફેરવ્યા કરતી હોય છે. મિત્રો એકબીજાને ફોન પર મૅસેજ મોકલ્યા કરતા હોય છે. પ્રેમીઓ એકબીજાનું સતત સાંનિધ્ય ઇચ્છતા હોય છે, કારણ છે Oxytocin. પતિ પત્ની એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યા કરતા હોય છે, પિતા સંતાન ઉપર રૉફ જમાવ્યા કરતા હોય છે, સગા સંબંધી એકબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ છે Serotonin. એપ્સ Endorphin માટે પોતાના શરીરને ઈજા પહોચાડતા નથી, પણ માનવો એવું કરી શકે છે. પોતાના શરીર ઉપર સાટકા મારીને માંગનારા લોકોનો આખો એક વર્ગ ફરતો હોય છે. પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડ્ન વૃત્તિ ધરાવનારા લોકો પણ હોય છે, કારણ છે Endorphin.

આ બધા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ બ્રેન અમુક ચોક્કસ લિમિટેડ માત્રામાં અને ચોક્કસ કારણો વશ જ કરતું હોય છે. એનો સતત સ્ત્રાવ થાય તો એ કામ કરે નહિ. ઉત્ક્રાંન્તિના ક્રમમાં વિકાસના ક્રમમાં એવી રીતે જ બ્રેન ઇવોલ્વ થયેલું છે. તમે સતત દુખ અને સતત સુખની લાગણીમાં જીવી શકો નહિ. આ રસાયણો વધ ઘટ થયા કરતા હોય છે, એમાં તમે સમજો કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે દુખી થઈ જવાના કે સુખ હંમેશા સતત સાથ કેમ આપતું નથી. બ્રેન એના પુરાવા અને કારણો શોધવા માંડશે. સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો. માટે નરસિંહ કહેતા કે સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા રે.

જ્યારે તમે કોઈની ઉપર ટ્રસ્ટ મૂકો છો, તેનો વિશ્વાસ કરો છો ત્યારે Oxytocin  સ્ત્રાવ થતો હોય છે જે તમને સુખ અર્પે છે. અને એના લીધે બ્રેનમાં વધારે વિશ્વાસ મૂકીને સલામતી મેળવવાનું  વાયરિંગ થતું જતું હોય છે. પણ જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે, તમને દગો આપે છે ત્યારે બ્રેન Cortisol નો સ્ત્રાવ કરતું હોય છે, અને તે દુખ અને પીડાનો અહેસાસ કરાવે છે જેનાથી વાયરિંગ થાય છે કે એના કારણો દૂર કરો. એના કારણો થી દૂર રહો. વિશ્વાસ નહિ મૂકીને Oxytocin નાં આનંદથી વંચિત રહેવાનું થતું હોય છે. અને વિશ્વાસ મૂક્યા પછી વિશ્વાસઘાત થાય તો ? એટલે બ્રેન પસંદગી કરવા ટેવાયેલું હોય છે. કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે આપણાં ત્રણ બ્રેન એક સાથે કામ કરતા હોય છે, Reptile (સરિસર્પ) બ્રેન, Mammal  બ્રેન અને Cortex.

સરીસર્પ બ્રેન હંમેશા પેએનને અવૉઇડ કરવા માટે ઈવૉલ્વ થયેલું હોય છે.  કાચિંડા અને ગરોળી ત્રણ સામાન્ય નિયમ જાણે છે. એક તો મોટી ગરોળી સામે આવે તો ભાગો, નાની આવે તો ખાઈ જાવ અને સરખી સાઇઝની આવે તો સંસર્ગ કરો. ઈંડામાંથી બહાર આવતા જ કાચિંડા ભાગવા માંડે છે, નહી તો એમના માબાપ એમને ખાઈ જવા તૈયાર હોય છે. નબળાને બીજો કોઈ ખાઈ જાય તે પહેલા માબાપ જ ખાઈ જઈને રીસાઇકલીંગ કરી નાખતા હોય છે.

સરીસર્પ સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈને સર્વાઇવ થતા નથી, તે Oxytocin કાયમ બનાવતા નથી, ફક્ત સેક્સ પૂરતાં ઑક્સિટોસિન બનાવતા હોય છે. એટલે ફક્ત સેક્સ પૂરતાં જ બે સરીસર્પ ભેગાં થતાં હોય છે. મેમલિઅન બ્રેન ટોળામાં રહીને સલામતી શોધતા હોય છે. મૅમલ જન્મતાની સાથે પુષ્કળ Oxytocin ઉત્પન્ન કરતા હોય છે જેથી માતા સાથે સામાજિક બંધન બાંધી શકાય અને જેનાથી સર્વાઇવ થઈ શકાય, ધીમે ધીમે Mammal આખા ટોળા સાથે સામાજિક રીતે બંધાઈ જાય છે, માતા દૂર થતી જાય છે. ટોળાનું એક પણ સભ્ય ના દેખાય તો એનું બ્રેન Cortisol  સ્ત્રાવ કરતું હોય છે. ટોળાથી દૂર રહેવું ખતરનાક છે.

સાવ નબળાને ટોળું હુમલાખોર સામે જાણી જોઇને ધકેલી પણ દેતું હોય છે, જેથી બાકીનાને બચાવી શકાય. પરંતુ મોટા Mammal  બ્રેન Cortex માં સતત વિશ્લેષણ કર્યા કરતા હોય છે કે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ. ગિબન વાનર સાથીદાર ઉપર વિશ્વાસ મૂકે છે, પણ ઇમર્જન્સી વખતે સાદ પાડવા છતાં સાથીદાર ના આવે તો સંબંધ ખલાસ થઈ જાય છે. બીજો સાથીદાર તરત શોધી લેવામાં આવે છે.

સ્વાભાવિક છે કે સિંહની બાજુમાં ઘેટું મૂકો તો ચવાઈ જવાનું. માટે કુદરત એને છોડી દે છે કે તું જાતે જ નિર્ણય લેતા શીખ કે સિંહ જોડે ઉભા રહેવાય ખરું ? બસ  એમજ વિશ્વાસ મૂકવા જેવો છે કે નહિ તે નિર્ણય આપણે જાતે લેવાનું શીખવાનું છે. અને આ રીતે જ આપણે ઇવોલ્વ થયા હોઈએ છીએ. અને આ ગુણ વારસામાં સંતાનોને આપતા જઈએ છીએ.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.
યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયા(સાન ફ્રાંસીસ્કો)નાં  મહિલા પ્રોફેસર એલીઝાબેથ બ્લેકબર્ન,નોબલ પ્રાઇઝ વિનર ૨૦૦૯(મેડીસીન),એમણે ક્રોમોઝોમના અંતિમ છેડાઓ(telomeres) વિષે જબરદસ્ત સંશોધન કર્યું છે.આ છેડા જેટલા વધારે લાંબા હોય તેટલું આરોગ્ય વધારે સારું,ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને જીવન પણ નીરોગી અને લાંબું હોય.પણ આ telomeres વધારવા શું કરવું પડે?એમના કહ્યા પ્રમાણે એકસરસાઈઝ કરો.કસરત નિયમિત કરો.વ્યાયામના ખૂબ ફાયદા છે તેમાં આ એક નવું સંશોધન ઉમેરાયું.બીજું મેડીટેશન પણ telomeres ને વધારે છે.ફિશ ઓઇલ પણ એમાં ખૂબ ફાયદાકારક છે.હવે આ telomeres ટૂંકા હોય તો જીવન ટૂંકું અને આરોગ્ય સારું ના હોય તે સ્વાભાવિક છે.એને માટે સ્ટ્રેસથી દૂર રહેવું. બચપણમાં કોઈ માનસિક આઘાત કે ઈજા થઈ હોય તો આ telomeres ટૂંકા રહી જાય છે.
આપણે જાણીએ છીએ કે લાંબું અને નીરોગી જીવન જીવવા માટે બીજા ઘણા બધા પરિબળ આધાર રાખતા હોય છે.પણ આ નવા રિસર્ચને અવગણી શકાય તેમ નથી.કારણ મેડીટેશન,યોગ અને પ્રાણાયામ દ્વારા ભારતમાં લોકો લાંબું નીરોગી જીવ્યા છે.મૂળ વાત એ છે કે ભારતમાં જ યોગની કદર નથી.યોગના સૌથી વધારે ૧૫૦ કરતા વધારે પેટન્ટ અમેરીકનો પાસે છે.યોગના આસનો સ્ટ્રેસ ઓછો કરે છે.યોગ સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ખૂબ વપરાય છે.આપણે એટલાં બધા અકર્મણ્ય બની ચૂક્યા છીએ કે યોગામાં કશું તો કરવું પડે છે તેટલું પણ કરવા તૈયાર નથી.કોઈ ફાન્દાળો સાધુ જોઈ મને કાયમ થાય કે બાપુ ખાલી ખાઈપીને તગડા થવામાં સમજ્યા છે.નૌલી કરનારનું પેટ કદી વધે નહિ.યોગના નામે બેસી રહેવા પેધેલા સાધુઓ ભારતનું કલંક છે.ધ્યાન કરો પણ એનો સમય હોય છે.ચોવીસે કલાક ધ્યાનના નામે આળસુઓ બેસી રહેવા પેધેલા છે.જાપાન જેવા દેશો જુઓ યોગા કરી બેસી રહેતા નથી,ખૂબ કામ કરે છે.જાપાનમાં કોઈ અનપ્રોડક્ટીવ નથી.ભારતમાં સાધુઓ અનપ્રોડક્ટીવ છે,બીજાની મહેનતનું ખાઈ જાય છે.જ્યારે આપણે બીજા દેશોમાં આપણો યોગા બહુ ચાલે છે તેના બણગાં ફૂન્કીયે ત્યારે ભૂલી જઈએ છીએ કે ભારતમાં યોગા બહુ પ્રચલિત નથી.ખાલી બુક્સમાં પ્રચલિત છે,પ્રેકટીસમાં નહિ.અમેરિકા અને બીજા દેશો એનો હકારાત્મક ઉપયોગ કરી કામની ક્ષમતા વધારે છે,જ્યારે આપણે એનો નકારાત્મક ઉપયોગ કરી બેસી રહેવા કામચોરી કરવા પેધેલા છીએ.
યોગના આસનો હળવી કસરત છે.આ બધી સ્ટ્રેચિંગ કસરત છે.એનાથી સ્નાયુઓ ખેંચાય છે લચીલા બને છે.જે લોકો ભારે કસરતમાં રસ ના ધરાવતા હોય તેમણે આસનો કરવા જોઈએ.સવારે યોગના આસનો અને કલાક ધ્યાન કરી નોકરી કરવા જવાય.એના માટે ભગવા પહેરી બેસી રહેવાની જરૂર નથી.
કસરત કરો,ધ્યાન કરો,આસનો કરો,સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયત્ન કરો,બાળકોને કોઈ માનસિક આઘાત લાગે તેવું ના થવા દો,બાળકોને કોઈ ભારે ઈજામાંથી બચાવો.ક્રોમોઝોમના છેડા(Telomeres)ને લાંબા કરો,સુખી,નીરોગી અને લાંબું આયુષ્ય ભોગવો.
રેફરન્સ–Thomas Plante, PhD., ABPP is Professor of Psychology and Director of the Spirituality and Health Institute at Santa Clara University

Thomas Plante

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ, “Sex is the heart of Evolution”!!!!!

“ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ”
      “Sex is the heart of Evolution”!!!!!
                       *ઉત્ક્રાંતિ નું મહત્વનું પરિબળ છે સેક્સ. એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી. ઉલટાની એની પૂજા કરી છે. તમારા જીન્સ બીજી પેઢીમાં દાખલ કરો, એ પેઢી પછી એની બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર કરે આજ તો અમરત્વ છે એવું વૈજ્ઞાનિક રોબર્ટ કહે છે. આ વૈજ્ઞાનીકે વર્ષો સુધી રીસર્ચ કર્યું છે કે શા માટે સેક્સની જરૂરિયાત છે. જેરી જોનશન નામના વૈજ્ઞાનીકે ગરોળી વર્ગના એક જીવનો અભ્યાસ કર્યો. આ જાતમાં બધી જ ફીમેલ હોય છે. કોઈ મેલ હોતો નથી. છતાં આ જાત ઈંડા મુકે છે. અને એની માતા જેવો જ બીજો જીવ પેદા થાય છે. હા! આ જાતને વૈજ્ઞાનિકો ક્લોનીંગ માસ્ટર કહે છે. ક્લોનીંગમાં પ્રોબ્લેમ એ છે કે જેનું ક્લોનીંગ થાય એ બંને જીવો જરાય ફેરફાર વગરના હોય છે. ૧૦૦% સરખા. વૈજ્ઞાનિક રોબર્ટે વર્ષો સુધી માછલીઓ ઉપર રીસર્ચ કર્યું. અને તારણ કાઢ્યું કે ઈવોલ્યુશન એ રેસ છે, હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે.
                        *
મોટા ભાગના સજીવો સેકસુઅલ રીપ્રોડક્શન પધ્ધતિ અજમાવે છે, ક્લોનીંગ નહિ. એક નરની પાસે  અબજો સ્પર્મ હોય છે. અને એક માદા પાસે એગ્સ(અંડ)લીમીટેડ હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે એના ઋતુચક્ર શરુ થવાથી માંડીને મોનોપોઝ સુધી  છોડવામાં આવતા અંડનો તમામ જથ્થો લઈને જન્મે છે. અને દરેક અંડ ફલિત થઇને ગર્ભ રહે તેવી શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ લીમીટેડ અંડનો જથ્થો છે. જયારે નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને ઉછેરવા. સજીવ જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી સાથે પોતાના જીન્સ ને વેડફી શકે નહિ. માટે નર માટે કોમ્પીટીશન છે અને માદા માટે ચોઈસ. માટે માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે લડાઈ થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. નબળા બીટા(સેવાભાવી) નરો તો પહેલેથીજ બાજુ પર ખસી ગયા હોય છે. આલ્ફા નરો લડે છે.જે જીતે તે ભોગવે.
                         *
મોર પાસે ખુબ લાંબા પીંછા હોય છે. જે ખરેખર નડતર રૂપ છે. એક તો શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી જવાય છે. અને ઉડવામાં પણ તકલીફ. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને અભ્યાસ કર્યો. જે મોરના પીંછા ની લંબાઈ ટૂંકી  હોય ને એની વચ્ચેના મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલબાઈ નસીબમાં હોતા નથી. સેકસુઅલ સિલેકશન નું બેસ્ટ ઉદાહરણ મોર છે.
                        *
ચિમ્પાન્ઝી અને માનવીના પૂર્વજો આશરે ૭૦ લાખ વર્ષ પહેલા એક જ હતા. ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉતાંગ અને માણસ બધા Hominidae Family કહેવાય. માણસ અને ચીમ્પના જીન્સ ૯૯% આઈડેનટીકલ છે. ચિમ્પાન્ઝીની બે જાત છે. એક તો કોમન ચિમ્પાન્ઝી અને બીજી છે બોનોબો. દસ લાખ વર્ષ પહેલા આ બંને જાતો એક જ પૂર્વજમાંથી છૂટી પડેલી. આફ્રિકાની કોન્ગો નદીના ઉત્તર બાજુના વિસ્તારમાં ચીમ્પ રહે ને દક્ષીણ કિનારે બોનોબો રહે. પણ બંનેની વર્તણુકમાં ખુબજ ભેદ જોવા મળે છે. બોનોબોમાં માદાનું વર્ચસ્વ છે. એકદમ શાંત, સેકસુઅલ વહેવાર પણ બિલકુલ માણસો જેવો. ખજુરાહોના શિલ્પો જોઈ નીતીવાદીઓ ને ચક્કર આવે છે, બસ એવીજ કહેવાતી તમામ વિશિષ્ટતાઓ કે વિકૃતિઓ આ બોનોબો સેક્સમાં અપનાવે છે. જયારે ચીમ્પ એકદમ આક્રમક છે. બીટા નરો સાથે બોસ શિકાર કરવા, મારજુડ  કરવા નીકળી પડે. ગ્રુપની માદાઓને નિયમિત રોજ ફટકારવાની ત્રાસ આપવાનો.  તુલસીદાસનું નારી તાડન કી અધિકારીનું અક્ષરસઃ પાલન કરવાનું. રીચાર્ડ નામના હાવર્ડ યુનીના બાયોલોજીસ્ટ ૨૦ વર્ષ આફ્રિકાના આ જંગલો માં ભટકી ને ચીમ્પનો અભ્યાસ કરતા હતા. આહાર મેળવવાની તકલીફો એ ચીમ્પને ખુબજ આક્રમક બનાવ્યા છે, જયારે આહાર મેળવવાની સહેલાઈએ બોનોબો ને શાંત ને પ્રેમાળ  બનાવ્યા  છે. હાર્ડશીપ માણસ ને પણ મજબુત, આક્રમક બનાવે છે.
                           *
એકવાર માદામાં  તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે. નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી. પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, પશુઓમાં મોનોગેમી જોવા ના મળે. એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. સિંહ ફેમીલી પોલીગેમી છે. એક નર વધારે માદાઓ. મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.
                    *
ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન. કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડનો.  પ્રાણી, જંતુ અને પક્ષી જગતની જેમ માનવ જગતની માદાઓ પણ સિલેકશન કરતી જ હશે. હશે એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવાની ચોઈસ રહી નથી. સિલેકશન માતા પિતા કરે છે. મજબુત નરની સાથે સાથે લાંબો સમય સાથે હળીમળી ટેકો આપી મદદ કરી ટ્રાન્સફર કરેલા જીન્સ ને ઉછેરેવામાં મદદ કરે તેવા નરનું પણ સિલેકશન કરવું પડે. ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એક નવી શાખા છે. આમાંના એક જોનશન નામના વૈજ્ઞાનીકે પ્રયોગ કર્યો. જુવાન પુરુષોના એક ગ્રુપને રોજ એકની એક ટીશર્ટ પહેરીને અમુક દિવસ સુવાનું, પછી એ ટીશર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકી ને આપવાની. આવી ભેગી કરેલી ટીશર્ટ સ્ત્રીએ  સુંઘી ને બતાવવાનું હતું કે કઈ  ટીશર્ટ પહેરેલો પુરુષ એને પસંદ આવે. જુદી જુદી સ્ત્રીઓને આ બધી ટીશર્ટ આપીને પસંદગી કરવાનું કહેવામાં આવેલ. સ્ત્રીઓમાં સુંઘવાની સારી શક્તિ હોય છે. ખાલી પસીનો સુંઘીને સ્ત્રીઓએ એવા પુરુષોને પસંદ કરેલા જેમના શરીર માં ટેસ્ટાટોરીન વધારે હોય. આ એક પુરુષ હાર્મોન છે. આનો જથ્થો જેટલો વધારે તેટલો પુરુષ વધારે મજબુત, મોટા ઝડબા ને મજબુત શરીર. નાજુક ચોકલેટી પુરુષોમાં આ હાર્મોન્સ ઓછા હોય છે. સ્ત્રીઓ સુંઘીને તથા  જોઇને પામી જાય છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવરની પ્રથા આવી હશે. સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે, જે એના અંડને ફેઈલ નહિ કરે.
                      *
માનવ જગતમાં  આ કુદરતી નારી માટેની સિલેકશનની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી. કમજોરનું તો સિલેકશન થાય નહિ. માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી. હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી. હાલીમવાલી , માયકાંગલા, કમજોર, કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી. જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાની જ.  પક્ષી જગતના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડીની પ્રથા અપનાવે  છે, પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે. ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે. ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે. પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજીનું  ધનુષ તોડાવીને કરેલું. ધનુષ ઉચકવું જ અશક્ય હતું. સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નરની મજબૂતાઈના પ્રમાણ હતા, જે પ્રાચીન ભારતમાં સામાન્ય હતું. અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી. ભારતની પ્રજાને બહાદુર, મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓને  સિલેકશન કરવા દો, સ્વયંવરની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે. જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે. અને એટલીજ એની ફળદ્રુપતા વધારે. જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય. જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ  ખોરાકની. પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.
                         *
મને પહેલા ખુબ નવાઈ લાગતી કે પરણેલી સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો કેમ રાખતી હશે? પુરુષના તો જીન્સમાં જ છે જ્યાં ચાન્સ મળે પોતાનું બીજ આરોપિત કરી દેવું. મને કાયમ પ્રશ્ન ઉઠતો કે કયું પરિબળ સ્ત્રીઓને કહેવાતી બેવફાઈ કરાવતું હશે? પણ આજે સમજાય છે કે ઈવોલ્યુશનરી ફોર્સ આમ કરવા પ્રેરતો હશે. એક તો લગ્ન કરી નર(પતિ)નું  નેચરલ સેકસુઅલ સિલેકશન તો થયું ના હોય, એમાં હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ પરિચયમાં આવ્યો હોય, જે એની સિક્સ્થ સેન્સે(છઠ્ઠી ઇન્દ્રિય)અચેતન રૂપે ઓળખી કાઢ્યો હોય. અને એ એના પ્રેમમાં પડી જઈને એના લીમીટેડ એગ્સ માટે સબળ ઉમેદવાર શોધી કાઢતી હોઈ શકે. ભલે નીતિશાસ્ત્રીઓ  ને ખરાબ લાગતું હોય. ચરિત્રહીન કહેતા હોય. લગ્ન પહેલા કે પછી લગભગ દરેક સ્ત્રીઓમાં આ શક્તિ હોય છે સ્વયંવર(હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ)  શોધી કાઢવાની.  કિન્તુ પરન્તું સમાજના ડરના કારણે કોઈ પગલું ભરતી નથી.
                                             *
સંસ્કૃતિ સારી ને સેક્સ ખરાબ એવું નથી. રમત ગમત, કળા, સંગીત,  નૃત્ય આ બધું પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થાય છે.  હાઈ ટેસ્ટાસ્ટોરીન ધરાવતા પુરુષો રમગમતની  ફાયનલમાં ગમેતેમ કરીને મરણીયા પ્રયાસ કરીને જીતી જાય છે. કળા , સંગીત, નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓ વધારે સ્ત્રીત્વ ધરાવતી સ્ત્રીઓ હોય છે. સેક્સ ખરાબ નથી. સેક્સ એ ઈવોલ્યુશનનું હાર્ટ છે.
Bonobo
Gorrila
Orang Utan
Chimpanzi

“માંસાહાર અને શાકાહાર”

માંસાહાર અને શાકાહાર.
*મિત્રો પ્રથમ તો આ લેખ વાચી કોઈ એમ સમજી ના લે કે હું માંસાહાર ની તરફેણ કરું છું. શાકાહાર સારો છે. હું ફક્ત કુદરતના, વિજ્ઞાનના ઇવોલ્યુશન અને ઇકોલોજીના નિયમોને ધ્યાનમાં લઈને વાત  કરવા માંગું છું. સત્ય જરા કડવું છે. અને આપણે દંભી બની ચુક્યા છીએ. પૂર્વગ્રહથી ભરાઈને આ લેખ વાચવાની તસ્દી નહિ લો તો ચાલશે. તટસ્થ મન રાખીને વાંચશો  તો મજા આવશે. માંસાહારીને ગાળ દેશો તો પ્રથમ ગાળ શ્રી રામને પડશે. સીતાજી સાથે ચૌદ વર્ષ જંગલમાં કોઈ ખેતી કર્યાનું જાણ્યું નથી. એકલો ફળાહાર પણ નથી કર્યો.  હરણના શિકાર કરીને જ ખાધું છે ને હરણાંના  ચામડાના વસ્ત્રો પહેર્યા છે. આને માટે વાલ્મીકિનું અસલ રામાયણ વાંચી લેવું. જે બાવાઓ ફળાહાર કરે છે, ને એના ગુણગાન ગાય છે એ પુષ્કળ દૂધ પી ને પરોક્ષ રીતે માંસાહાર કરી લે છે. ફક્ત ફળ ખાઈને પ્રયોગ કરી લેવો, દૂધ જરાપણ નહિ અનાજ કે કઠોળ પણ નહિ પછી લંકા જીતવા જવા વિનંતી છે.
*ઘણા મિત્રો કહે છે અમેરિકાની સંસ્કૃતિના વાદે ભારતમાં લોકો માંસ ખાય છે. અમેરિકામાં માણસને ગયે ૧૫૦૦૦ વર્ષથી વધારે થયા નથી. અને યુરોપમાં માણસને ગયે ૪૪૦૦૦ વર્ષ થી વધારે થયા નથી. આફ્રિકાથી માનવી મિડલ ઈસ્ટ થઇ પહેલો ભારતમાં આવ્યો છે. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે. શ્રી રામજીને અમેરિકનોએ માંસ ખાતા શીખવેલું?  ભારત તો પહેલાથી માંસ ખાતું આવ્યું છે. કે પછી દુનિયાને આપણે શીખવાડ્યું? ભારતમાં ખાલી ગુજરાતમાં જ માંસાહારનો વિરોધ છે. ગુજરાત સિવાય આખા ભારતમાં માંસાહાર આરામ થી કરાય છે. ગુજરાતમાં પણ ક્યાં નથી ખવાતું?  આમાં મુસલમાનોને ગણતરીમાં લીધા નથી.
*મિત્રો જીવ તો વનસ્પતિમાં પણ છે જ. તમે વનસ્પતિને પાણી પાવા જાવ તો એ પણ ખુશ થાય છે ને હાથમાં હથિયાર લઇ કાપવા જાવ તો એ પણ ફફડી ઉઠે છે. પણ એ જોવાની દ્રષ્ટી ક્યાંથી લાવવી? જગદીશ ચંદ્ર બોઝ ક્યાં ગયા?
*ભગવાને કે કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે. વનસ્પતિ પુષ્કળ  ઊગ્યા કરે તો પૃથ્વી એનાથી છવાઈ જાય. માટે વનસ્પતિ ખાવાવાળા જીવ બનાવ્યા. પછી એના કંટ્રોલ માટે એ વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ ને ખાવાવાળા જીવો બનાવ્યા. વનસ્પતિમાં બધાજ પોષક તત્વો છે જ. એટલે ગાય, ભેંસ, હાથીભાઈ, ગેન્ડાભાઈ બધા વનસ્પતિ ખાઈ ને શરીરનું પોષણ કરે ને તાકાત મેળવે. આ વનસ્પતિમાંથી મેળવેલા તત્વોમાંથી એમના શરીરનું માંસ બને. હવે આ લોકો પણ અતિશય વસ્તી વધારો કરે તે ના પોષાય, માટે કુદરતે કેટ ફેમીલીના વાઘ, સિંહ, ચિત્તા, દીપડાને બીજા વરુ જેવા પ્રાણીઓ બનાવ્યા. કે ભાઈ તમારે હવે ઘાસ ખાવાની જરૂર નથી. ઘાસ ખાઈને જે પ્રાણીઓએ એમના શરીર પર માંસ ચડાવ્યું છે એનેજ સીધુ જ  ખાઈ લો ને પોષણ મેળવી લો. પક્ષીઓમાં પણ આ પ્રમાણે સમજવું. હવે કેટલાક પ્રાણીઓ એવા બન્યા કે બંને ખાઈ શકે ઉભયઆહારી. વાંદરા, એપ્સ જેવા કે ચિમ્પાન્ઝી વગેરે ફળો પણ ખાય ને નાના જીવડા ખાઈ ને પ્રોટીન મેળવી લે. એક જીવ બીજા જીવને ખાય ને વસ્તી આ રીતે કંટ્રોલમાં રહે ને પોષણ પણ મેળવાય. આમ કાર્નીવોરસ, હર્બીવોરસ અને ઓમ્નીવોરસ એમ ત્રણ પ્રકાર થયા. કાર્નીવોરસ ફક્ત માંસ જ ખાય, હર્બીવોરસ ફક્ત ઘાસ ખાય અને ઓમ્નીવોરસ માંસ, સલાડ અને ફળો ખાય. ઓમ્નીવોરસ પણ ઘાસ પચાવી શકે નહિ તે યાદ રાખવું.
*કુદરતના રાજમાં ના તો હિંસા છે ના તો અહિંસા. બધા જીવવા માટે ખાય છે. કોઈ હિંસા કરતુ નથી. હવે ઘાસ ખાનારા પ્રાણીઓ પાસે અલગ પ્રકારનું પાચન તંત્ર છે. ગાય ને ભેંસ જેવા ઘાસાહારી પ્રાણીઓ પાસે ચાર જઠર હોય છે. અથવા ચાર ભાગ વાળું જઠર પણ કહી શકાય. આપણી પાસે ફક્ત એક જ છે. એક વાર ઘાસ ખાઈ લેવાનું એ એક જઠરમાં જાય, પછી જઠરમાંથી પાછું કાઢી  નિરાતે બેસીને વાગોળવાનું એ બીજા જઠરમાં જાય.  ઘાસ પચાવવા માટે ખાસ પ્રકારના બેક્ટેરિયા એમના જઠરમાં હોય જે ઘાસ ને ખાઈને  તોડી નાખે. એટલા માટે કઠોળ વર્ગનું રજકા જેવું ઘાસ વધારે ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાના લીધે ગાયના પેટમાં આથો આવી જાય ત્યારે પુષ્કળ ગેસ પેદા થાય છે ગાય ફૂલી ને ઢમ ઢોલ થઇ જાય છે. ખેડૂતો એને આફરો ચડ્યો એવું કહે છે. અને ગાય મરી પણ જાય માટે ગાયના પેટમાં જઠરમાં બહાર થી કાણું પડી ગેસ કાઢવાની વિધિ વેટરનરી ડોક્ટર કરે છે. તમારા પેટમાં આવી રીતે બહારથી કાણું ના પડાય મરી જવાય. આપણી પાસે ઘાસ ખાનારા પ્રાણીઓની જેમ ચાર જઠર ને જરૂરી બેક્ટેરિયા નથી. આપણે ફળો ખાઈ શકીએ, રાંધીને શાકભાજી ખાઈ શકીએ, રાંધીને ઘઉં ખાઈ શકીએ. કાચા ઘઉં ખાઈએ  તો  ઝાડા થઇ જાય. ઘાસ ખાઈ એ તો ઝાડા થઇ જાય. વાઘ ને સિંહ પાસે ચાર જઠર નથી ને જઠરમાં જરૂરી બેક્ટેરિયા પણ નથી, જલદ પાચક રસો છે, એસીડ જેવા જે માંસને ઓગળી નાખી ને સીધું પોષણ મેળવી આપે છે. એમના આંતરડા પણ ટૂંકા છે. જરૂર નથી વધારે લંબાઈની. આપણે એપ્સમાંથી પેદા થયા છીએ માટે ફળો ની સાથે માંસ પણ ખાઈએ છીએ માટે આંતરડાની લંબાઈ વાઘ સિંહ   કરતા વધારે છે. છતાં ચાર જઠર ના હોવાના કારણે ઘાસ ખાઈ શકતા નથી. માંસ ખાઈ શકીએ છીએ કારણ જલદ પાચક રસો આપણી પાસે છે. માનવ કાચું માંસ પચાવી શકે પણ ઘાસ ના પચાવી શકે. જે મિત્રો હાથી ભાઈ ને ગેંડા ભાઈના ઉદાહરણો આપે છે એ મિત્રો એ ઘાસ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, પણ એમના જેવા જઠર ક્યાંથી લાવશો?
*ચિમ્પાન્ઝી જેવા એપ્સ આપણાં પૂર્વજો છે. એમના ટોળાંની ખાસ હદ જંગલમાં  હોય છે, એ  હદમાં બીજા ટોળાંના ચિમ્પાન્ઝી ચોરી છુપીથી ઘુસી જાય ત્યારે એ લોકો પર હુમલો કરી હાથે ચડેલા ચિમ્પાન્ઝી ને બીજા ચિમ્પાન્ઝી ખાઈ જઈને એક્ષ્ટ્રા પ્રોટીન મેળવી લે છે. માદા ચીમ્પને બચ્ચું જન્મવાનું હોય ત્યારે પ્રથમ પાચ કે દસ મિનીટ એની માએ તાજા જન્મેલા બચ્ચાને સાચવવું પડે, નહીતો એની ટોળીના બીજા ચિમ્પાન્ઝી ઝૂંટવી ને ખાઈ જાય છે. એનાથી એક્સ્ટ્રા પ્રોટીન મળે ને વસ્તી કંટ્રોલમાં રહે. દસ મિનીટ વીતી જાય પછી એજ ટોળું એ બચી ગયેલા  બચ્ચાને આખી જિંદગી જીવ ની જેમ સાચવે, જે ઘડી પહેલા એનું ભક્ષણ કરવાની રાહ જોતું હતું.
*કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી. ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં. કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી. ખોરાકમાં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ, પોષક તત્વો, વિટામિન્સ, ખનીજ, ફેટ, કારબોહાઈડરેટ્સ, સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધામાં પોષક તત્વો જ હોય છે. માંસાહાર ને માંસાહારી  પ્રત્યે એટલો દ્વેષ રાખવાની જરૂર નથી. શાકાહાર સારો છે, ઉત્તમ છે. માંસાહારથી થતા રોગોમાંથી બચી જવાય છે. અતિશય વજન વધતું નથી. વધારે વજનથી થતા રોગોમાંથી પણ બચી જવાય. કહેવાતા શાકાહારીઓના જેમના વજન વધારે છે એ લોકો ઘી, દૂધને ચીઝ  જેવા પ્રાણીજન્ય આહાર કરે છે. પરોક્ષ રૂપે માંસાહાર જ કહેવાય.  દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાકનો શું વાંક?
ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે. જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસની ચરબી જ ભરેલી છે. ઘી તો શુદ્ધ ચરબી જ છે.  એના શરીરમાં રહેલી ચરબી એના બચ્ચાના પોષણ માટે દૂધમાં બીજા તત્વો સાથે ભળે છે. અને એપણ જેતે પ્રાણીના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે. આપણાં શરીરનું બંધારણ એના માટે યોગ્ય નથી. આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે. આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે, ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસના દૂધ એમના બચ્ચાઓના મોમાંથી છીનવી આપણાં બાળકોના શરીરના કામના નથી છતાં આપીએ છીએ, રે હિંદુ તારી અહિંસા. દરેક પ્રાણીના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતા જ દૂધ પીવે છે. આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ. સાત્વિકનું લેબલ જો લાગ્યું છે. આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો? આતો સરાસર હિંસા છે. કોઈ પ્રાણી જેવા કે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો? સંતો કલ્પના કરો આને શું કહેવાય? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું? એને તમે સાત્વિક કહો છો. આજની પેઢીના લોકો ને ખબર પણ નથી કે માનવી સ્ત્રી પણ ત્રણ ચાર વર્ષ લાગી દૂધ આપી શકે છે. જુના જમાનાના કોઈને પૂછી જો જો. બહારથી રમીને દોડતા આવીને માંને કહે  “માં બેસી જા મારે ધાવવું છે”. અત્યારની  મોર્ડન પેઢી કમનસીબ છે એ બાબતે.
આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી  વગરના કહીશું?  માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.  જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ  ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર  માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે  રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે. શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે?  આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે. માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું.  માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ  બદામો ખાઈ શકવાના નથી. એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર  કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે. સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે. હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ
*કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ  હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો  માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં. કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.