All posts by Bhupendrasinh Raol
“કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.
ગંગા કદી અશુદ્ધ ના થાય! શું વાત છે મારા ભાઈ??હહાહાહાહહાહાહાહા..હા..હા.

*
ફેબ્રુ ૪,૧૯૫૪ કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, એમના સુંદર નગ્ન દેહો જોઇને સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી થઇ અને ભીડમાં ૫૦૦ કરતા વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ટીકીટ શું બુક કરાવવાની સીધુ જ સ્વર્ગ. સારું કહેવાય ને? ઈ.સ. ૧૭૬૦ કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝગડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝઘડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. હહાહાહા, કેટલા મરાયા? પુરા ૧૮૦૦૦ કરતા પણ વધારે. નો પ્રોબ્લેમો અબજ કરતા પણ વધારે થવાના છીએ. છતાં કુંભ મેળાનું મહત્વ ઓછું થયું નથી, શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ.. આવા તો કાયમ મર્યા કરે છે. તો તો ધોરાજીમાં કચડાઈ મર્યા તે બાબત આ લેખક દાદાને જરાય દુખ નહિ થયું હોય. ક્યાંથી થાય મોહમાયાથી પર જો થઇ ચુક્યા હોય.
શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ ભારતમાં કેટલા સાધુઓ છે? જોઈ આવો જરા કુંભ મેળામાં, સવાલાખથી કદી ઓછા ના હોય. જોયું મારું ભારત કેટલું મહાન છે? અને કેટલું બધું ધાર્મિક છે? જેટલી સાધુઓની સંખ્યા વધારે તેટલું ભારતનું ગૌરવ. અને એટલે જ રૌરવ નરક ભોગવી રહ્યું છે. એ આ સાધુ બાવાઓની હમેશા ચમચાગીરી કરનાર લેખકશ્રીને ખબર નથી. લાખો અનપ્રોડકટીવ સાધુઓ, ના તો આત્મજ્ઞાનની પળોજણ કરે છે, ના તો સમાજના કોઈ કલ્યાણનું કામ. ના તો કોઈ ઉત્પાદન કરે છે, ના તો કોઈ સેવા. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ભીખારીઓ લાખો ભારતીયોની મહેનતની કમાણી મફતમાં ખાઈ જાય છે. ના તો કોઈ ટેક્ષ ભરવાની ચિંતા, ના કમાવાની. એમના ગુરુઓ પ્રજાનું બ્રેન વોશ કરે રાખે ને લોકો એમના ભરણપોષણ કરે રાખે. સાધુ તો ચલતા ભલા, સાધુનું કુળ ના પુછાય. બ્રેન વોશિંગના એટલા બધા ઉત્તમ નમુના તમને ભારતમાં જોવા મળશે કે વાત ના પૂછો. અગાઉથી બધી જ પૂરી તૈયારી હોય. તમે એનો ઈતિહાસ પૂછો જ નહિ. ના તો પોલીસ પણ તપાસ કરે. પાપ લાગે . કેટલાય ક્રિમિનલ્સ આનો લાભ લઇ ખાસ તો ગુજરાતમાં સાક્ષરશ્રીઓના પ્રણામ ઝીલતા હશે? થોડા હિન્દી બોલનેકા, થોડી ચોપાઈ ગોખ લેને કી.
કશું પણ કામ ના કરનારા આ સાધુઓનું પોષણ ભારતના ગરીબ, તવંગર અને મધ્યમ વર્ગના માથે છે. જાણીતા કથાકાર મોરારીબાપુ ૨૦ વર્ષ પહેલા કુંભ ગયેલા ત્યારે ગુજરાતીઓ ગાંડા થઇ, કુંભમાં સંખ્યા વધારવાનું પુણ્ય કમાવા દોડી ગયેલા. ૨૦ વર્ષ પહેલા ૧૫ લાખના ખર્ચે ભવ્ય વ્યાસપીઠ વાળો મંડપ બાંધેલો. ને એમને ટાઢ, તડકા ને વરસાદની અસર ના થાય માટે એક લાખનો એમનો પર્સનલ તંબુ વોટરપ્રૂફ બાંધવામાં આવેલો. કોના પૈસા? જેણે આપ્યા હશે, ગરીબ, તવંગર કે કાળા બજારીયાયે, કમાવા મહેનત તો કરીજ હશે ને?
*ગંગા કદી પ્રદુષિત થવાની નથી, ભલે કરોડો લોકો સ્નાન કરે, ને હાજતે જાય. કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ, ગંગાના પ્રદુષિત પાણીની વાત વારંવાર કરનારે કુંભ સ્નાન જોવા જવું, તેના પર્યાવરણના પ્રદુષિત જ્ઞાનની શુદ્ધિ થશે. બોલો બાકી રહ્યું કાઈ? પથ્થર પર પાણી.
નોધ:-ઉપરનો આર્ટીકલ “ગંગા કદી અશુદ્ધ ના થાય” એવા શ્રી કાંતિ ભટ્ટના ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આવેલા આર્ટીકલની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
“જુનું એટલું સોનું, ખરેખર? આધુનિક જીવન અને શિક્ષણ પધ્ધતિના સંદર્ભમાં.”
અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?
આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે. ગુજરાતની સ્કૂલોનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એનો સારો એવો વિવાદ ચાલી રહ્યો છે. બીજા રાજ્યો કરતા ગુજરાતીઓ અંગ્રેજી સારું જાણતા નથી કે બોલી નથી શકતા. એટલે કોર્પોરેટ નોકરીઓમાં પાછળ પડી જાય છે એ પણ હકીકત છે. સારી એવી ઉંચી પોસ્ટો પર દક્ષીણ ભારતીયો કે બંગાળીઓ કે પછાત ગણાતા બિહારના લોકો ગુજરાતમાં મેદાન મારી જાય છે. કલેકટર કે આઈ.પી.એસ કે આઈ.એ.એસ ઓફિસરોમાં ગુજરાતીઓ નહીવત છે. અંગ્રેજી વૈશ્વિક ભાષા બની રહી હોય ત્યારે એને વખોડીને એને નકારવી એ મેરા ભારત મહાનનો એક ઓર મહાદંભ કહી શકાય. માધ્યમ ભલે ગુજરાતી હોય પણ એ સ્કુલમાં અંગ્રેજી બરાબર શીખવવું જોઈએ. અને માધ્યમ અંગ્રેજી હોય પણ એના વિદ્યાર્થીઓને અંગ્રેજી બરોબર આવડતું ના હોય તો શું કામનું? એટલે માધ્યમ ગમેતે રાખો અંગ્રેજી સારું શીખવો તો બાકી દુનિયા થી ગુજરાતી વિદ્યાર્થીઓ પાછળ ના પડી જાય. સ્વદેશીના મોહમાં અને અંગ્રેજી પ્રત્યે દ્વેષ રાખી ગુજરાતની સરકારોએ અંગ્રેજીને મહત્વ આપ્યું નથી. એના ખરાબ પરિણામો જગ જાહેર છે. અંગ્રેજોનું બધારણ, કપડા, શિક્ષણ પધ્ધતિ, રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ? અંગ્રેજીને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે? ૧૮૫૭ ના બળવા પછી આઝાદીની વાતો બધ થઇ ગઈ હતી. આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા, કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ. બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા. છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી? ગોખલે, તિલક કે ગાંધીજીએ? ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા, હોમરુલ લીગની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી. આપણાં ગુલામી માનસ ને આઝાદ થવું જોઈએ એવી શરૂઆત પણ અંગ્રેજ બાઈ એ કરાવેલ. ઈ.સ.૧૯૧૪ માં ડો. એનીબેસંટે હોમરુલ લીગની સ્થાપના કરી ને ૧૯૧૭માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….
*અમારા ન્યુ જર્સીમાં “તિરંગા ઇન ન્યુ જર્સી” નામનું એક સાપ્તાહિક ફ્રીમાં મળે છે. એમાં એક લેખ વાચ્યો. આમાં હું કોઈ તિરંગાની ટીકા કરવા નથી માંગતો. લેખમાં વાચ્યું કે નામદેવ વિઠ્ઠલને દૂધ પીવડાવે છે. વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીવે ને પછી એ મૂર્તિ નામદેવને પણ દૂધ પીવડાવે છે. આજના જમાનામાં અને તે પણ અમેરિકામાં આવું બધું લખવાનું, મતલબ અહી આવ્યા પછી પણ ભારતીયોની માનસિકતા હજુ બદલાઈ નથી. વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. ખાલી પૈસો વધ્યો છે. હાલના ભારતીયોને શરમ આવે એટલી હદે અહીના અમરીકન ભારતીયો અંધ શ્રદ્ધાળુ છે. એટલે તો બધા જ ધર્મોનાં કહેવાતા ઠેકેદારો અહી દોટ મુકે છે. અહી મંદિરો બનાવી મબલખ કમાણી કરે છે.“કામદેવની જય હો” એડીક્શન…….
માતબર ગુજરાતી દૈનિક દિવ્યભાસ્કરમાં સેક્સ એડીક્શન વિષે એક આર્ટીકલ આવ્યો છે. લેખકશ્રીએ મન ભરીને પરદેશીઓને વખોડ્યા છે. ભારતમાં ધર્મોને લીધે હજુ સેક્સ એડીક્શન કાબુમાં છે. એવું માનવું છે એમનું. આપણે કોઈ પંથ કે ધર્મને વખોડવો નથી. પરંતુ થોડી મનોવૈજ્ઞાનિક કડવી વાતોનો સામનો કરવો છે. હિંદુ ધર્મમાં બચપણમાં સન્યાસ આપવાનો કોઈ રીવાજ પહેલા ન હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સન્યાસ. આ એકદમ કુદરતી સાયકલ હતી. ગરબડ થવાનો સંભવ લગભગ નહીવત થઇ જાય. આમાં પ્રકૃતિના નિયમોનું પાલન અને રીસ્પેક્ટ હતું. આટલા બધા એડવાન્સ મેડીકલ સાયંસ વચ્ચે પણ માણસ ૧૦૦ વર્ષ થતા પહેલા ઉકલી જાય છે. તો પહેલા મનેતો સંભવ લાગતું નથી, કે માણસ ૧૦૦ વર્ષ જીવતો હશે. છતાં માનીલો તો દરેક આશ્રમ પાસે ૨૫ વર્ષ ભાગે આવે. ૨૫ વર્ષ મોટા થવાનું, વિદ્યા મેળવવાની. ૨૫ વર્ષ લગ્ન કરી ફેમીલી વસાવવાનું, ને એનું પાલન કરવાનું. અને બીજા ૨૫ વર્ષ સંતાનોને આગળ કરી રીટાયર થવાનું. મતલબ ૫૦ વર્ષ તો પત્ની જોડે રહી ને સેક્સ ભોગવવાની છૂટ. પછી કોઈ રસકસ, રોમાન્સ કે ઉમંગ ના રહે એટલે સન્યાસ. જો આ પુરાના હિંદુ ધર્મનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો સેક્સ એડીક્શન લગભગ ના થાય.
*હવે હિંદુ ધર્મના ફાંટામાંથી કે વિરોધમાં થી છુટા પડેલા ધર્મોને લઇ ને બચપણમાંથી જ સન્યાસ લેવાનો કુરિવાજ દાખલ થયો. જે ૭૫ વર્ષ પછી કરવાનું હતું એ જ પહેલા કરી નાખવાનું. અપવાદ રૂપ કોઈ વિરલા એમાંથી પાસ થઇ જાય. પણ સામાન્ય જનનું કામ નહિ. એના માટે એક્સ્ટ્રાઓર્ડીનરી માનસિકતા જોઈએ. હવે ગરબડ શરુ થઇ. કરોડો વર્ષથી ચાલ્યા આવતા ઉત્ક્રાંતિના નિયમો જે જીન્સમાં ઘુસી ગયેલા હોય એતો કોઈને છોડે નહિ. એટલે સેકસુઅલ સ્કેન્ડલ ચાલુ થયા. સૌથી વધારે બ્રહ્મચર્યની વાતો કરવાવાળા, સૌથી વધારે સેક્સને ગાળો દેવાવાલા ભારતમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો. લોકોની નસેનસમાં સેક્સ વ્યાપી ગયો. આંખો, હાથ, જીભ, કાન બધામાં સેક્સ વહેવા માંડ્યો.“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?
ભીના પગલાની છાપ,,,,,પ્રેરણા–વિરાજ….
ભીના પગલાની છાપ મે તો છોડી રે.
કાંટાળી કેડીઓ ને અણજાણ્યા પંથ રે,
આંખોમાં ભર્યા મેતો શમણાં કેરા ભાર રે.
ચાર ડગલા આમ ચાલુ,ચાર ચાલુ તેમ રે,
ગંતવ્ય સ્થાન કઈ કેટલુંય દુર રે.
નીરવ ઘંટારવ ને છીપલાઓ ખાલી રે,
જીવન ના સત્યો હજુ પામવાને વાર રે.
નભના નીલા વાદળોને રૂપેરી કોર રે,
સાતપગલે પહોચવાની દિલમાં છે હામ રે.
કાંટાળા બાવળો માં રંગ મેતો દીઠા રે,
“તિલક(અંધ માન્યતાઓ) વખોડતા ત્રેપન થયા”….
“પુરાણ કાળ થી રોળાતી રુચીકાઓ”,,,

*ચીન ના મહાન ગુરુ લાઓત્સે એવું કહી ગયા હતા કે આ જગત સ્ત્રૈણ રહસ્ય છે.એટલે ભગવાન ની કલ્પના કરીએ તો પુરુષ ભગવાન કરતા સ્ત્રી ભગવાન હોય એ વધારે વ્યાજબી છે.એટલે આપણે ભગવાન કે ઈશ્વર તરીકે માં અંબા કે દુર્ગા કે ઉમિયા ને પૂજીએ તે વધારે યોગ્ય છે,શિવ,વિષ્ણુ કે રામ કરતા.એટલે સ્ત્રી નું સન્માન કરવું જોઈએ.પણ અહીતો શ્રી કૃષ્ણ સિવાય કોઈએ સ્ત્રીનું સન્માન કર્યું જ નથી.શ્રી રામે સીતાજી ને પ્રેમ કર્યો હશે પણ સન્માન તો જરાય નથી કર્યું.શ્રી કૃષ્ણે કુબડી એવી ત્રિવક્રા ને પણ પ્રેમ કરેલો.૧૬૦૦૦ રાણીઓ શું હતી?એ બધી જરાસંધે કેદ કરેલા રાજાઓની પત્નીઓ હતી.જરાસંધ મરાયા પછી છુટેલા એજ રાજાઓ એમની પત્નીઓ ને સ્વીકારવા તૈયાર ન હતા,કેમ કે એ બધી જરાસંધ ની કેદી હતી.એટલે શુદ્ધ રહી શકી હોય એ શંકાસ્પદ હતું. શ્રી કૃષ્ણે પોતે સ્વીકારીને રાણીઓ નો દરજ્જો આપી ને સ્ત્રીઓનું સન્માન કર્યું હતું. ભલે શ્રી ગુણવંત શાહ રામાયણ ને પ્રેમ નું મહાકાવ્ય કહે,પ્રેમ નું મહાકાવ્ય પાછળ થી શોક અને વિષાદ અને પસ્તાવાનું મહાકાવ્ય બન્યું છે.સ્ત્રીઓ ને ફક્ત વસ્તુ જ સમજવામાં આવે છે.એક બાજુ આપણે સ્ત્રીને માં અંબા કહીએ તો છીએ પણ વહેવાર માં વસ્તુ કરતા વધારે દરજ્જો આપતા જ નથી. “રામ તેરી ગંગા મૈલી હો ગઈ”…..પાપીઓ કે પાપ ધોતે ધોતે…….
અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.
![8c039b924207e9be[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/8c039b924207e9be1.jpg?w=474)
![07000c6bbd056bfa[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/07000c6bbd056bfa1.jpg?w=474)
![4438ef0111d91b86[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/4438ef0111d91b861.jpg?w=126&h=150)
અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ …
તમે અત્યારના કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રીને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા? ના. બરોબર ને ? ભગવાન શ્રી કૃષ્ણને ભારતના અધ્યાત્મીક્જગતના મહાગુરુ કહી શકાય. એમણે હથિયાર ઉપાડેલા. ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી. અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી. પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં, જેમણે એમના ૪૨ વર્ષના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા. અને એક આખી કોમને બહાદુર બનાવી દીધી. આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન. ડીસેમ્બર ૨૨, ૧૬૬૬ ના દિવસે પટનામાં જન્મેલા ગોવિંદરાય, શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુરના પુત્ર હતા. પાંચ વર્ષ સુધી પટના માં નાનપણમાંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાયને પટનાના રાજા અને રાણી પણ ખુબ માન આપતા. રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
*
ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિકના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતુંગોવીન્દરાય પંજાબી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પર્શિયન અને અરબી આટલી ભાષાઓના નિષ્ણાત હતા. પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા. કોઈ રાજ ઘરાનાના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારીની તમામ તાલીમ લીધેલી. એ વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ્ય હતું ને હિંદુ મુસ્લિમના કાયદા અલગ હતા. લગભગ હિંદુઓના હિતના કોઈ કાયદા જ નહતા. એટલે થોડા કાશ્મીરી પંડિતોનું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું, ને ઔરંગઝેબને સમજાવવા જવા માટે તૈયાર કર્યા. ઔરંગઝેબ દ્વારા તેગબહાદુરને કેદ કરવામાં આવ્યા, ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું. ગુરુ ના માન્યાં. ૧૧ નવે, ૧૬૭૫ના દિવસે ગુરુ તેગ બહાદુરનો શિરચ્છેદ કરવામાં આવ્યો. અને ચાંદની ચોકમાં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવામાં આવ્યું. પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા. દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોતના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા. આ બાજુ ગોવિંદરાયને દસમાં ગુરુ જાહેર કરાયા. હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ સારા કવિ પણ હતા. પ્રેમ, વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબતના ઘણા કાવ્યો રચેલા. એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ)ની સ્થાપના કરી. એમના સૈન્યમાં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
*સતત ભાગદોડ, અને યુદ્ધો ગુરુને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવના અનુયાયીઓથી મેળ નહિ પડે. કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તનનો સમય આવી ચુક્યો છે. ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય. ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું. એક નાના ટેન્ટમાં બધા ભેગા થયા. ગુરુએ પૂછ્યું
*હું કોણ છું તમારા માટે? જવાબ મળ્યો, અમારા ગુરુ.
*તમે કોણ છો? જવાબ મળ્યો, અમે તમારા શીખ છીએ.
*ગુરુ એમના શીખો પાસેથી કશું ક ઈચ્છે છે, જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
*ગુરુ એ કમરમાંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે? મારે માથું જોઈએ. કોઈ જવાબ નહિ. એક વાર, બેવાર કોઈ જવાબ નહિ. ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા. ગુરુ એમને અંદર લઇ ગયા. અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું, ને લોહીથી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા. હજુ બલિદાન જોઈએ, સભામાંથી ધરમદાસ ઉભા થયા. ગુરુ અંદર લઇ ગયા. પાછા લોહી થી ખરડાએલી તલવાર લઇ બહાર આવ્યા. હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી. એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા. થોડીવાર પછી પાંચેય અનુયાયીઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા. જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે, ખાલસા પંથના પ્રથમ દિક્ષિતો. અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એટલે પ્યોર શુદ્ધ. ખાલસા પંથના પહેલા પાચ દિક્ષિતો હતા, (૧)દયારામ (દયાસિંહ) (૨)ધરમદાસ(ધરમસિંહ) (૩)હિંમતરાય(હિંમતસિંહ) (૪)મોહ્કમચંદ(મોહકમસિંહ) (૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે. રામ, દાસ, ચંદ, રાય આ બધા હવે સિંહ બન્યા. આ હતું એક વૈશ્ય કોમનું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન. અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાયમાંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે. સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની. અને સ્ત્રીઓના નામની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું, આજથી બધાજ શીખ એકજ કોમના નાતજાત કશુજ નહિ. કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ. આખી વર્ણ વ્યવસ્થા એક જ ઝાટકે દુર. કોઈ હિંદુ કે મુસલમાન ધર્મના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ. શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું. ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના. સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ, સતી થવાનો રીવાજ બંધ, બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ, એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ, ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું. ધુમ્રપાન બંધ, નાતજાત, રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદોની સેવા અને રક્ષા. તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું, દરેક શીખે પાચ ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના. હાથમાં કડું પહેરવાનું, કડું એ એક જ ભગવાન, યુનિવર્સલ ગોડનું પ્રતિક છે. હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની. કોઈ અંધવિશ્વાસમાં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તનમાં વિશ્વાસ રાખવાનો, મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય.
એક નરમ ગણાતી કોમને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી. ઔરંગઝેબને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું, એણે ગુરુ જોડે મૈત્રીના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા, ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબનો દેહાંત થયો છે. ૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીરનો ખિતાબ આપ્યો. સરહિન્દના નવાબ વઝીરખાનને આ મૈત્રી ખટકી, એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા, જમશેદખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદખાને વાર કર્યો, ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો. વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો. સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા, પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે. ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ, ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ. મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો, ૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ના દિવસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.
ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓનું મહત્વ સમજતા હતા, માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા. ગુરુ ને ખબર હતી પાછળની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય, એટલે ગુરુપ્રથા જ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી, કેટલી દૂરદર્શિતા. આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુના લશ્કરમાં મુસલમાન સૈનિકો કામ કરતા હતા, ગુરુ માટે લડતા હતા. ગુરુ જરાય કોમવાદી ના હતા. આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે. અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા. આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.
આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસની ફક્ત વસ્તુ સમજે છે. નથી જરૂર પોતાને હિંદુ ધર્મના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની, પરિષદ કે સંઘની. નથી જરૂર તુલસીદાસની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની. નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી, સ્કુલ કોલેજ ને ધર્મના, પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની. નથી જરૂર નાના બાળકોને ધર્મના રવાડે ચડાવી બચપણમાં અકુદરતી બ્રહ્મચર્યના પાઠ ભણાવતા, દિક્ષા આપી દેતા મહાત્માઓની.
*ભારતને અને હિંદુ ધર્મને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહની, જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં, તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં. વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god), વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god). આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધમાંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..
![150px-Guru_Gobind_Singh_1[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/150px-guru_gobind_singh_11.jpg?w=103&h=150)
શું ભગવાન ઉંઘે છે?,,,,ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ.
*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
અસ્તિત્વ માટેની મથામણ ,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા-શ્રી યશવંત ઠક્કર.
*એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.સિંહોના ટોળા ના હોય,,,,,,, Survival At The Fittest.
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી સામ પિત્રોડા ના “વસ્તી નો અંત:સ્ફોટ” ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.ભારતે વિશ્વને આપેલી મોંઘેરી ભેંટો………..
.*વોટર કલોક,,,પાણીની ઘડિયાળ,શું કહીશું? પાણી વડે, જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ. લગભગ જૂની દરેક સંસ્કૃતિમાં પાણી વડે ચાલતી ઘડિયાળોનો ઉલ્લેખ છે. ચીન કોરિયા, ગ્રીક , રોમન અને ઈજીપ્ત તથા ભારતમાં પ્રાચીન કાલમાં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે. હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. તાંબાના કુંભમાં ચોક્કસ માત્રામાં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય. શિવજીના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે, ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો, એવો કોન્સેપ્ટ હતો. નાલંદા બૌદ્ધ યુનીમાં તાંબાના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડમાં મુકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય, પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો, એક પ્રહર પૂરો થયો. ચાર દિવસના ને ચાર રાતના પ્રહરની આ રીતે ગણતરી થતી, અને આ આખી વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી વિદ્યાર્થીઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિરમાં છે.
![100445824_288ebe0950[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/100445824_288ebe09501.jpg?w=110&h=150)
![f1a01ba622e71b66[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/f1a01ba622e71b661.jpg?w=103&h=150)
![cb043d423942fcd6[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/cb043d423942fcd61.jpg?w=474)
![college-students-studying_~15614-17al[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/college-students-studying_15614-17al1.jpg?w=150&h=125)
![225px-Annie_Besant[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/225px-annie_besant1.png?w=106&h=150)
![Z1ifftcl[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z1ifftcl1.jpg?w=112&h=150)
![Z19fowjs[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z19fowjs1.jpg?w=112&h=150)
![Zdjoixg[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zdjoixg1.jpg?w=112&h=150)
![Zwp54ie[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zwp54ie1.jpg?w=112&h=150)
![Z1b15wcv[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z1b15wcv1.jpg?w=112&h=150)
![Z60cebe[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z60cebe1.jpg?w=112&h=150)
![Zpvw1d1[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zpvw1d111.jpg?w=112&h=150)




![rs62[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/rs621.jpg?w=113&h=150)
![01d0a7040b17bc9e[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/01d0a7040b17bc9e1.jpg?w=474)
![2775015282_d10487440a[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/2775015282_d10487440a1.jpg?w=150&h=99)
![e666d173e1d4f7ac[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/e666d173e1d4f7ac1.jpg?w=474)
