All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા,,

શ્રી રામકૃષ્ણ પરમહંસ ને ભોજન માં બહુ રસ.લાલચુ કહી શકાય એટલી બધી હદ સુધી ભોજન માં પ્રીતિ.શિષ્યો બેઠા હોય વચ્ચે તેઓશ્રી બેઠા હોય,બ્રહ્મ જ્ઞાન ની ચર્ચા ચાલતી હોય ને એકદમ ઉભા થઇ જાય.દોડે રસોડા તરફ ને માં શારદામણી દેવી ને ભોજન વિષે પૂછ્યા કરે.કેટલી વાર છે?શું બનાવ્યું છે?માં શારદા મણી ને પણ નવાઈ લાગે.આટલા બધા બ્રહ્મ જ્ઞાની ને ભોજન માં આટલી બધી તૃષ્ણા કેમ?આતો કાયમ  નો પ્રશ્ન.એક દિવસ ના રહેવાયું.માએ પૂછી લીધું કે આપ આટલા મોટા તત્વ જ્ઞાની ને ભોજન પ્રત્યે પ્રીતિ હોય પણ આટલી હદ સુધી કેમ?
      *શ્રી રામકૃષ્ણે  જવાબ આપ્યો કે કોઈ પણ તૃષ્ણા,ઈચ્છા બાકી ના રહે તો જીવન નો શું અર્થ.તૃષ્ણા ને ઈચ્છાઓ થી બંધાએલા  રહીને બધા જીવતા હોય છે.ઈચ્છાઓ પૂરી કરવી એ જીવન નો હેતુ હોય છે.જયારે તમામ ઈચ્છાઓ નો નાશ થઇ જાય કે રહેજ નહિ તો જીવન નો શું અર્થ?મારી તમામ તૃષ્ણાઓ ને ઈચ્છાઓ સમાપ્ત થઇ ગઈ છે,પણ એક ભોજન પ્રત્યે ની હાથે કરીને સાચવી રાખેલી તૃષ્ણા ને લીધે આ જીવન ચાલી રહ્યું છે.જે દિવસે હું ભોજન વિષે પુછવા ના આવું કે રસ ના બતાવું એના ત્રીજા દિવસે આ દેહ ની જરૂર નહિ રહે.માં શારદા તો ભૂલી ગયા આ વાત.શ્રી રામકૃષ્ણ ને કેન્સર હતું.ઠીક મ્રત્યુ ના ત્રણ દિવસ પહેલા માં શારદા ભોજન ની થાળી લઈને આવ્યા તો શ્રી રામકૃષ્ણ અવળા ફરી ગયા.માં શારદા ને અચાનક પેલી વાત યાદ આવી ગઈ,ધ્રાસકો પડી ગયો.હાથ માંથી થાળી પડી ગઈ.રડવા લાગ્યા.શ્રી રામકૃષ્ણે સમજાવ્યા આ દેહ હવે જર્જરિત થઇ ગયો છે,એટલે છોડી રહ્યો છું. હું મરવાનો નથી.કદી વિધવાની જેમ જીવીશ નહિ.ઠીક ત્રણ દિવસ પછી શ્રી રામકૃષ્ણ મૃત્યુ પામ્યા.માં શારદામણી દેવી એમના કહ્યા પ્રમાણે જીવ્યા,ને હમેશા સમયસર શ્રી રામકૃષ્ણ  ના ભોજન સ્થળે ભોજન ની થાળી મુકતા.
      *બધી તૃષ્ણાઓ  ને ઈચ્છાઓ ની વાત તો ઠીક ઈશ્વર પ્રાપ્તિ ની ઇચ્છા પણ મોક્ષ,જ્ઞાન,નિર્વાણ,કૈવલ્ય કે એનલાઈટનમેંટ ની આડે આવે છે.બધાને થશે આતો જ્ઞાની થઇ ગયા.નાં આ હું નથી કહેતો.આપણું એવું ગજું નથી.આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય કહે છે ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા પણ મોક્ષ માર્ગે બાધા રૂપ છે.
    *અદ્વૈતવાદી યોગીરાજ તોતાપૂરી સ્વામી એ શ્રી રામકૃષ્ણ ના છેલ્લા ગુરુ.શ્રી રામકૃષ્ણ ને અદ્વૈત ની સાધના કરાવે.પણ કશો મેળ ના પડે.આ તો મહાકાલી ના ભક્ત.રોજ માતાજી આગળ વાતો કરે.માં કાલી આડા આવે.ગુરુતોતાપુરી કંટાળ્યા.હવે હું જતો રહીશ.ફરી પાછો નહિ આવું,અધુરો રહી જઈશ.શ્રી રામકૃષ્ણ કહે પણ શું કરું?માતાજી આવી જાય છે ધ્યાન માં.ગુરુ કહે કાઢ તારી માતા ને.પણ કઈ રીતે?ગુરુ કહે જે રીતે ઉભી કરી છે તે રીતે.કાલે ધ્યાન સમયે ઠીક તારા કપાળ માં હું  કાચ થી ચીરો મુકીશ તત્ક્ષણ તું તારી માતાનો નાશ કરી દેજે.છેલ્લો પ્રયત્ન  છે.તેજ ઉભી કરી છે,નાશ પણ તારે જ કરવો પડશે.બીજે દિવસે ગુરુના કહ્યા મુજબ થયું.મહાકાલી ના ભક્તે મહાકાળીનો નાશ કર્યો ને અદ્વૈત ને પામ્યા.પૂર્ણ થયા.
       *ક્યાં ગયા નાથા ભગત?સબ જલ જાવે,ભક્ત ભી જલ જાવે,ભગવાન ભી જલ જાવે તબ કહી મોક્ષ પાવે.I love this Natha Bhagat.         

ગુલામી માફક આવી ગઈ છે.

 

       એકવાર બ્લોગ જગતમાં લટાર મારતા મારતાથાનકી સાહેબ ના બ્લોગ  માં ઘુસી ગયો.ત્યાં કોઈ વિદેશી લેખક નું વાક્ય વાચ્યું.
એ પરદેશી લેખક મહાશય ને દરેક લેખ પહેલી વાર લખતા હોય તેમ લાગતું હતું.થાનકી સાહેબ પણ એનાથી પ્રેરણા લેતા હતા. હમણા ગુણવંત શાહ સાહેબ જો વાંચે તો તરત જ કહીદે ગુલામી  માનસ(કોલોનિયલ માઈન્ડ).કેમ કોઈ ભારત નો લેખક ના મળ્યો?પ્રેરણા માટે? એમના માનવા પ્રમાણે પહેલીવાર  લોકો ખુબજ કાળજીપૂર્વક લખે એવું  હશે.મારે ઊંધું થાય છે.મને હમેશા થાય છે આ છેલ્લી વાર નો લેખ છે.હવે આના પછી કશું લખવા માટે બચ્યું નથી.કોઈ વિષય હવે આવતો નથી મનમાં. જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?.
           *થાનકી બાબુ   ગેંડીદડા(હોકી)  ની વાત કરતા હતા.હોકી ની રમત માં ભારત પાછળ પડી ગયું છે.આ આપણાં દેશ ની રમત છે.શ્રી કૃષ્ણ એ શરુ કરેલી હશે કદાચ.એ રમતા હતા.એમાંથી જ કદાચ ધોળિયા લોકોએ પ્રેરણા  લઇ ને ધોકાદડા(ક્રિકેટ)ની રમત ચાલુ કરી હશે.પણ આપણું ગુલામી માનસ આપણી પોતાની રમત ભૂલી ગયા છીએ.ને ધોળીયાઓની રમત પાછળ પડ્યા છીએ.બર્લિન માં એકવાર ઓલોમ્પિક રમાએલી .ત્યારે આપણાં હોકી ટીમ ના કેપ્ટન હતા મેજર ધ્યાનચંદ.અતિહિંસક હિટલર સાહેબ જર્મન દેશ ના વડા હતા.એ રમત જોવા બેઠેલા.ભારત સુવર્ણ ચંદ્રક જીતી ગયું.હિટલર સાહેબે ધ્યાનચંદ ને બોલાવ્યા ને હોકી માગી,હોકી પર હાથ ફેરવ્યો ને પૂછ્યું.ભાઈલા તે આ હોકી ને  બાવળનો કે ખેરનો ગુંદર તો નથી લગાવ્યોને?આ દડો તારી હોકી જોડે ચોટેલોજ રહે છે.કઈ જાદુ છે કે શું તારી હોકીમાં?પછી પૂછેલું શું કરો છો ભારતમાં?ધ્યાનચંદ એ વખતે સામાન્ય સૈનિક હતા.ઉત્તર સાંભળી હિટલરે કહેલું મારા લશ્કર માં આવા ખેલાડી હોય  તો બહુ ઉંચી જગ્યાએ બેસાડું.
           *ગુલામી માનસ એટલે ખાલી એમાં અંગ્રેજી ને અંગ્રેજો ની ગુલામી જ આવી જાય એવું બધાનું માનવું છે.પછી તમે સાધુઓની,ગુરુઓની,બાપુઓની,નેતાઓની ગુલામી કરોતો ગુલામી ના કહેવાય.એતો પવિત્ર કાર્ય કહેવાય.એતો સમર્પણ કહેવાય,ભક્તિ કહેવાય.સમર્પણ કરો,ભક્તિ કરો તો મુક્તિ મળે.તમારા ધન,બેંક બેલેન્સ માંથી મુક્તિ મળે.સ્ત્રીઓને એમના સાચવેલા શીલ માંથી મુક્તિ મળે.અંગ્રેજોના અચાર વિચાર નું અંધ  અનુકરણ કરીએ તેને ગુલામી માનસ કહેવાય.ના કરવું જોઈએ.ગુલામી તો ગુલામી જ છે.કોઈનું પણ અંધ અનુકરણ કરો એ ગુલામી માનસ જ કહેવાય.બધા આ ચકરાવે ચડેલા છે.અંગ્રેજી ભાષાની ગુલામી ના વિરોધ માં જે યાત્રા નીકળી છે એના પ્રમુખ હર્તાકર્તા લોકો પોતે બાપુઓની ગુલામી માં સપડાએલા છે.ખેર પણ  અંગ્રેજી ભાષાની ગુલામી વિરુદ્ધ લોકોમાં જાગૃતિ તો વધશે.એરીતે સારું છે.ગુલામી પાછી વસ્તુઓ ની પણ હોય છે.ઘણા ને બીડી,સિગારેટ,પાન,તંબાકુ,ટીવી,ઈન્ટરનેટ એવા તો ઘણા બધા ની ગુલામી હોય છે.આપણ ને બ્લોગ ની ગુલામી માફક આવી ગઈ છે.
            *સવાલ છે ગુલામી માનસિકતા બદલવાનો.આપણે ચિંતા કરીએ છીએ ફક્ત અંગ્રેજો ની પશ્ચિમ ની સંસ્કૃતિ ની.અંગ્રેજો તો ગયા.હવે અહીના નેતાઓ ની ગુલામી શરુ થઇ.અંગ્રેજો તો ગયા,પણ એમના આચાર વિચાર ને ભાષા ની ગુલામી શરુ થઇ.ભલે અંગ્રેજો ગયા આપણું માનસ તો એનું એજ છે ને? અંગ્રેજો પણ પાછળ થી આવેલા.એ પહેલા પણ કોઈની ને કોઈની ગુલામી તો કરતા જ હતા.અંગ્રેજો નો વાંક જ નથી વાંક છે આપણી કદી  ના બદલાતી માનસિકતા નો.પણ આપણે અંગ્રેજો ને ગાળો દઈ ને આપણી ભૂલો કબુલતા નથી.તમે તૈયાર ના હોવ તો કોઈ તમને ગુલામ  બનાવી શકનાર નથી.અને તમે તૈયાર હસો તો માણસ તો શું એક નિર્જીવ ગણાતી બીડી કે તમાકુ,ચા,કોફી,ભજન,કથા વાર્તા,મંદિર કોઈ  પણ તમને ગુલામ બનાવી દેશે.વ્યસન ખાલી ચા બીડી નું હોય એવું નથી.આમારા એક સબંધીને છાસવારે સત્ય નારાયણ ની કથાનું વ્યસન છે.રોજ તો બ્રાહ્મણ બોલાવાય નહિ,એટલે તેઓ ટેપરેકોર્ડર માં ઓડિયો કેસેટ કથાની મૂકી દે છે.એમાં કોઈ છગનલાલ મહારાજ ની લાંબી થાકી જવાય તેવી આરતી છે.હવે એમાં દાસ છગન એવું ગાય છે કે પ્રસાદ નો અનાદર કર્યો પુત્રો મરી ગયા.કેવી ભયાનક સજા કહેવાય?હવે પ્રસાદ નીચે પડી ને ગંદો થઇ ચુક્યો હોય પણ પોતાના પુત્રો નું બલિદાન કોણ આપે?આ સબંધીના ઘર ના નાના છોકરાને મેં ભોય પર પડેલો પ્રસાદ નહિ ખાઈ ને ફેકી દેવાની સુચના આપી તો એના દાદી એ જાણે કોઈ પ્રલય થઇ જવાનો હોય તેમ પેલા નાના છોકરાને પાપ  લાગે તેવું કહી પ્રસાદ ખવડાવી દીધો.આ અમેરિકાની વાત છે.આ ગુલામી ની જંજીરો ને તમે જંજીર માનસો તો કોઈ દિવસ છુટવાનો પ્રયત્ન કરશો.પણ આ જંજીર ને દાગીનો,શણગાર કે ઘરેણું માનસો,તો કદી એમાંથી છુટવાનો પ્રયત્ન પણ નહિ કરો.બીડી કદાચ છૂટી જશે પણ ચા નહિ છૂટે.દારૂ છૂટી જશે પણ મૂરખ બનાવતી કથા નહિ છૂટે.       
                         *સંમોહન શક્તિ ના પ્રયોગ કરનારા પણ મક્કમ મનોબળ વાળા ને સંમોહિત નથી કરી શકતા.હિપ્નોટાઈજ નથી કરી શકતા.નબળા ને આજ્ઞાંકિત મનસ ધરાવનાર જે હિપ્નોટાઈજ કરી શકાય.         

संशयात्मा विनश्यति । ….. Most Misused.

images';lसंशयात्मा विनश्यति । Most Misused

વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.

અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો  સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો  કે બંને કૌરવો અને  પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.

બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત  એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.

કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.

બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.

ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ  મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?

બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં  સપડાએલા  રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી  ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.

ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.

ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું  મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા,  જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં  આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?

વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.

વાંચીને હસતા રહેજો.

   *સવાર પડી ગઈ છે ૧૦ વાગી ચુક્યા છે,પણ તાપમાન -૪ છે.બરફવર્ષા ચાલુજ છે.ઘણી જગ્યાએ ૧૮ ઇંચ જેવો બરફ પડી ચુક્યો છે.મને જરા વહેલી ઉઠી જવાની આદત છે.શ્રીમતી ને મોડા ઉઠવાની આદત છે.સમતોલન(બેલેન્સ) જાળવવું પડે ને.એક તો નોકરી પરથી રાતે મોડા સાડા બાર એકે આવે ને વધારાનો સમય નોકરી માં હોય તો બે કે ત્રણ પણ વાગી જાય.પાછું આવી ને માહિતી ભંડાર(કોમ્પ્યુટર)ચાલુ કરીને ,સાત ફેરે,છોટી બહુ અને બનું મૈ તેરી દુલ્હન જોયા વગર ઊંઘ નાં આવે.હવે સાત ફેરા ફર્યે અમારે  ૨૮ વર્ષ થઇ ગયા,છોટી બહુઓ હવે ઘર માં આવશે છતાં દુલ્હન બનવાના અભરખા પુરા થતા નથી.આમારા લગ્ન ને પ્રેમલગ્ન કહેવા કે ગોઠવણીયા લગ્ન સમજ પડતી નથી.જોકે બંને કહી શકાય.મારા શ્રીમતી નાના હતા, બાળ હતા ત્યારથી મારા ઘરે એમના ફોઈ ની આંગળી પકડીને આવતા.એમના ફોઈ મારા મોટા ભાભીશ્રી થાય.ત્યારથી જ મારી દાનત પેલા કહેવત ના ટોપરા(નાલીએર) જેવી  થઇ ચુકી હતી.બાલા આપ સુંદર નારીમાં પરિવર્તિત થાવ પછી તમારી વાત છે.જોકે એમને એ વખતે ખબર ના હતી કે મેં એમને બોટી લીધા છે.પછી એ પૂર્ણ નારી માં પરિવર્તિત થાય એ પહેલાજ થોડા પ્રયત્ને કામ પતી ગયું હું પતિ બની ગયો. હા એ ફક્ત ૧૫ વર્ષ અને ૧૦ મહિના ના હતા ને મારી સાથે લગ્ન થઇ ગયા હતા,એટલે પછી પૂર્ણ નારી માં પરિવર્તિત મારા ત્યાં આવી ને થયા.
       *સામે જ મારા શ્વસુર નું ઘર છે.રસોડા ની બારી માંથી જોયું તો ૭૦ વરસ ના શ્વસુર બરફ કઈ રીતે ઉસેડવો એના વિચારોમાં મગ્ન દેખાયા.પછી વિચારતા હશે કે આ બરફ શબ્દ સંસ્કૃત માં થી પાલી ને પ્રાકૃત ની કઈ ગલીઓ માંથી ફરી ફરીને અહી ગુજરાતી  માં ભૂલો પડ્યો હશે?એમને સંસ્કૃત બહુ પ્રિય.બેચાર મહેમાન કે મિત્રો ભેગા થાય ત્યારે કદી ના સાંભળ્યા હોય તેવા બેચાર શ્લોકો બોલી શોટ્ટો પાડી દે.અને દરેક શબ્દ ના મૂળ સંસ્કૃત માં ખોળવામાં સદાય રત રહે.મોટેરાઓએ  ઘી ની ટોયલી શબ્દ તો સાંભળ્યો જ હશે.નવી પેઢીએ નહિ સાંભળ્યો હોય.એમના કહેવા મુજબ તોય એટલે પાણી.પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવા કોઈ શબ્દો સંસ્કૃત માં છે.એટલે તોય માંથી ટોય થઇ પાણી ભરવાની ટોયલી થઇ ગઈ.હવે લોકો ઘી ભરે.જોકે નવા જમાના માં ઘી પણ ભરતા નથી.સદાય આવાજ અર્થો ખોળવાની ગંભીર બીમારી લાગી ગઈ છે.મેં પણ એકવાર મજાક માં કહ્યું કે આ જીસસ ક્રાઈસ્ટ શબ્દ પણ જયશ્રી કૃષ્ણ નું  અપભ્રંસ જ છે.અને મોહન મદન(મદનમોહન,કૃષ્ણ) પરથી જ મોહમ્મદ શબ્દ આવ્યો લાગે છે.એમને મેં કહ્યું તમને ઘણું બધું જ્ઞાન છે તો બ્લોગ લખવાનું ચાલુ કરો.તો કહે ના હમણા નહિ.હવે ૭૦ ના તો થયા છે પછી ક્યારે ૮૦ ના થશે ત્યારે શરુ કરશે?એમણે દીકરાની,એની વહુ ની  ગાડીઓ પરથી બરફ ની ચાદર હટાવી લીધી,દીકરો વહુ અંદર બેઠા બેઠા મૂરખ પેટી (ટીવી)જોતા હશે.મારા દીકરાઓ હાજર હોય તો પાછા એમની મદદ માં લાગી જાય,એ પણ અમારા ઘર આગળ બરફ હટાવા મદદ માં આવી જાય પાછા જોઈ ના રહે .દીકરાઓ ની ગેરહાજરી નો લાભ લઇ અમે બંને હુતોહુતીએ બરફ તો હટાવી નાખ્યો.
         *આ નસીરુદ્દીન શાહ કહે છે બચ્ચન સાબ પ્રખ્યાત નહોતા થયા ત્યારે સારો અભિનય કરેલો.એવુજ દિલીપકુમાર અને દેવાનંદ સાહેબ નું પણ કહેવાય.એકવાર કોઈ લોન્ઠ્કા પત્રકારે જયા બચ્ચન ને પૂછેલું કે અભિનય ની દ્રષ્ટીએ કયો અભિનેતા તમારી દ્રષ્ટીએ સારો કહેવાય?અમિતજી બાજુમાં જ ઉભા હતા.અગાઉથીજ ફૂલણશી  કાગડાની જેમ ખુશ થઇ ને ઉભા હતા કે જયા મારુજ નામ દેવાની છે.જયાસતી એ મારી રેખાજી  નાં ઓટલે છાનામાના જઈ આવવાની   ભૂલો માફ જ કરેલીને.એટલે ભારતીય નારી ની જેમ મારુજ નામ દેશે,એવી અમિતજી ની માન્યતા નો છેદ ઉડાડી જયાજીએ કહ્યું સંજીવકુમાર સાહેબ ની આજુબાજુ માઈલો સુધી કોઈ આવી નાં શકે.અમિતજી ભોંઠા પડ્યા પણ શું કરે.નમ્ર માણસ સાભળ્યું નાં હોય તેમ વર્તન કરી નાખ્યું.જુવાનીયાઓ માંથી કોઈએ સંજીવ કુમાર અને જયાજી નું કોશિશ નામનું ચિત્રપટ(ફિલ્મ)નાં જોઈ હોય તો જોઈ લેજો.બોલીવુડ નાં તમામ જુના નવા કલાકારોની કારીગરી ભુલાઈ જશે.મને અહી હિલેરીબેન ને જોઇને જયાજી યાદ આવી જાય છે.આ બંને બાઈઓને એમના ભાયડાઓએ છેતરેલી.પણ ખાનદાન બાયું કે પછી મજબૂરી જે ગણો તે એમના નંગો  ને માફ કરેલા..
           *ઘણા દિવસે બરફ હટાવ્યો પરિણામે કટીશુલ(બેકપેઈન)ઉત્પન્ન થયું લાગે છે.તો હું જરા આરામ કરી લઉં ને તમે બધા વાંચીને હસતા રહેજો.   

હસતા હસતા દુઃખ વેઠીએ,,,

                *આજે ભારે બરફવર્ષાનું વાવાઝોડું થોડી વારમાં શરુ થવાનું છે. આમારા ન્યુ જર્સીમાં ઘણી જગ્યાએ તો ૨૪ ઇંચ વર્ષા થવાની છે. નીચે દક્ષીણ ભાગમાં આવેલા કેરોલીના અને વર્જીનીયા, મેરીલેન્ડ અને ઓબામાંના ગામમાં તો શરુ પણ થઇ ચુક્યું છે. આજે આખી રાત અને કાલે શનિવાર સાંજ સુધી ભગવાન શ્રી ઉપરથી ઠંડા રૂના પૂમડા જથ્થાબંધના હિસાબે ફેંક્યા કરશે. યુદ્ધના ધોરણે આ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. મોટા ખટારા(ટ્રકો) ભરીને મીઠું રસ્તાઓ પર છંટાઈ ચુક્યું છે. બે દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું ને શનિ રવિ સપ્તાહઅંતના દિવસો એટલે લોકો હટાયણું(શોપિંગ) કરવા તૂટી પડ્યા છે. દુરદર્શન યંત્ર પરની સમાચાર સેવાઓ સતત સમાચાર આપતી રહેવાની. શ્યામા ચૌધરી ભારે બરફવર્ષા માથા પર ઝેલતા આંખો દેખ્યા અહેવાલો આપતા જોઈ શકાશે. આટલી બરફ વર્ષામાં પણ ઘણા ધોળિયા માથા પર કશું પહેર્યા વગર રૂ પીન્જવાના કારખાનામાંથી બહાર આવ્યા હોય તેમ માથે રૂના ઢગલો પૂમડા સાથે ફરતા  હોય તેવા નજર આવશે. નાના મોટા ખટારાઓની આગળ મોટા પાવડા લાગી ચુક્યા છે. શનિવારે સાંજે બરફવર્ષા બંધ થતા થોડી વારમાં મહત્વના  રોડ રસ્તા પરથી બરફ ગાયબ કરી દેતા વાર નહિ લાગે.
          *વૈશ્વિક ઉષ્ણતા(ગ્લોબલ વોર્મિંગ) વધી રહી છે તેવા અહેવાલોના પરપોટા ફૂટી રહ્યા છે.પણ છતાં ઘણા દમ્ભીઓ  એવું કહે છે એના લીધેજ આવું અનિયમિત ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે. મારા શ્રીમતી નોકરી પર ગયા છે, રાતે ૧૨ વાગે છુટશે. ત્યાં સુધીમાં ખાસો બરફ રસ્તા પર પડી ચુક્યો  હશે. પાછા ચારચક્રી લઈને ગયા છે. જોકે એમની પાસે વાહન ચાલન વિષે  ખજાના જેટલું જ્ઞાન છે. જોકે આટલા બરફ માં પહેલી વાર ચલાવશે. આજે એમના જ્ઞાન રૂપી ખજાનાની પરિક્ષા થઇ જશે. આમ તો હું ૨૦ વર્ષો થી ભારતમાં અને અહી બધાજ પ્રકારના વાહનો ચલાવી ચુક્યો છું એક પણ અકસ્માત વગર પણ મારા કરતા એ વધારે જાણે. અહી ભલે એમની ખેંચતો હોઉં પણ અંદર થી ચિંતા થાય છે.
         *મને હમણા કંધશુળ(સોલ્ડર પેઈન) નો પ્રશ્ન ઉભો થયો છે.એટલે સાંધાશુળ નિવારણ કેન્દ્ર માં અઠવાડીએ ત્રણ વાર જવું પડે છે. એટલે શારીરિક કસરતો કરાવતા નિષ્ણાત દાકતર ની સેવા લેવી પડે છે. આમ તો વરસ થી આ શુળ હેરાન કરે છે. અસ્થીભંગ નિષ્ણાત વૈધરાજ મોહનીશ રામાણી સાહેબે મારા ડાબા ખભામાં પોલી સોય વડે બે વાર દવા ઉતારેલી. અને કસરતો પણ મેં નિયમિત કરેલી પણ પાછું ફરી શરુ થયું. આ વખતે તો રામાણી સાહેબે બોલ્યા વગર જ પોલી સોય દ્વારા દવા ઉતારી દીધી, આ ખભાને પણ દવાનો નશો કરવાની આદત પડી હોય તેમ લાગે છે. સાંધાશુલ નિવારણ કેન્દ્રના સંચાલક  છે બેન પૂર્વી પીઠવા. એક સુંદર ત્રાસવાદી. બચપણમાં કોઈ દુશ્મન મિત્રે  ઝગડો થતા આવા હાથ નહિ મચેડ્યા હોય. કદી પ્રયત્ન પણ ના કર્યો હોય તેવી દિશાઓમાં હાથને લઇ જઈને એવો મરોડી નાખે કે બાપા બોલાવી દે. છઠ્ઠી ણું ધાવણ યાદ કરાવી દે. મારા તો માતુશ્રી જીવતા છે પણ મૃત હોય તોયે એમના નામના પોકારો કરી ઉઠીએ. હે માં આ ત્રાસ માંથી છોડાવ. પાછા બહુ સરસ બહુ સરસ કહીને એકાદ વાર વધારે મચડી નાખે. પણ પછી મટી જાય એટલે બધા આશીર્વાદ ભારતીય પરમ્પરા મુજબ આપે. ત્રાસ આપવાના પૈસા લે પાછા. બોલો!!આશીર્વાદ મેળવતા ત્રાસવાદીઓ પણ હોય છે આ દુનિયામાં. કોઈ ત્રાસવાદી એના ગુના કબુલ નાં કરતો હોય તો અહી લાવવા જેવો. ઘડીના છઠ્ઠા ભાગમાં બધા ગુના કબુલી લે. એક ભાઈને કમર શુળ થયું છે. એક યંત્ર પર એમને સુવડાવી ઉપર ખભાના ભાગ થી ચામડાના પટ્ટા વડે બાંધવાના ને નીચે પાછા કમરના ભાગે પટ્ટા બાંધવાના. યંત્ર ચાલુ થાય એટલે પેલા ડાકુઓના ચિત્રપટમાં મુખ્ય નાયક ને  ઘોડા પાછળ બાંધી ડાકુ ઘોડા પર બેસી  દોડતો હોય ને પાછળ પેલો બાંધેલો ઘસડાતો હોય એવું દ્રશ્ય લાગે. પેલા નાયક અભિનેતાનુ કમર શુળ ચોક્કસ મટી જતું હશે. આવા કોઈ અભિનેતાએ ફિલ્મોમાં કામ મળવાનું બંધ થતા અનુભવના આધારે  આવું  કોઈ કમર શુળ નિવારણ કેન્દ્ર શરુ કર્યું હશે. એમાંથી આ ઉપાય શરુ થયો હશે. તો અહી ન્યુ જર્સી માં રહેતા હોય તેવા બ્લોગ જગતના મિત્રોએ આવા કોઈ પણ જાતના શુળ નિવારણ માટે સુંદર ત્રાસવાદીના  સુંદર ત્રાસવાદનો લાભ લેવા જેવો ખરો. આ સાંધાશુલ નિવારણ કેન્દ્ર(હિલીંગ જોઈન્ટસ) ઓક ટ્રી રોડ પર આવેલું છે. કારણ આવા બે ફીજીકલ થેરાપીસ્ટ બદલ્યા પછી આ હાથમાં આવ્યા છે.

હસો અને હળવા થાવ,,,

       *મારા રોજનીશી જગત ના મિત્રોમાં ના એક અતુલભાઈ નું કહેવું છે કે આ તત્વ ચિંતકો ક્યારે હાસ્ય લેખક બની જાય ને હાસ્ય લેખક તત્વ ચિંતક બની જાય કહેવાય નહિ.સાચી વાત છે.પણ હું તો યાર કોઈ તત્વ ચિંતક નથી.પણ મેં ડાયરા ઘણા બધા ગઢવીઓના સાંભળ્યા છે.અને શાબુદ્દીન રાઠોડ ના ડાયરા પણ સાંભળ્યા છે.આ બધા ખબર નહિ હાસ્ય રસ પીરસતા ને ટુચકાઓ કહેતા કહેતા ફિલોસોફી ના રવાડે ચડી જતા જોયા છે.માલીપા,,,માલીપા એમ વારેઘડીએ બોલતા હસવાની વાતો ને એકદમ ગંભીર બનાવી પોતે મહાન તત્વ ચિંતકો છે એવું દર્શાવતા હોય  છે.અરે આ બધા મોટા  તો ઠીક પેલો કાલ અતારનો છોકરડો એવો સાઈરામ પણ એના જુવાન મોઢા ને ના શોભે એવી ગંભીર તત્વજ્ઞાન ની વાચેલી વાતો ઉઠાંતરી કરીને કહેતો હોય છે.આમેય એમની એવી તત્વ ચિંતન ની વાતો કોઈ સાંભળતું  ના હોય,એટલે ડાયરા માં ચાન્સ મળ્યો છે કે મળશે એવું વિચારી એમની જે મફત માં સલાહ આપવાની ટેવ ની ખંજવાળ હોય છે ,એ અહી ડાયરામાં પૂરી કરતા હોય છે.ચાલ્યા કરે આપણ ને કોઈ લખવા માટે આમંત્રણ નથી આપતું એટલે અહી લખીને ખણ પૂરી કરીએ છીએ.

      *અમારા એક સબંધી ને પણ આવી ના માગી હોય તો પણ સલાહ આપવાની ગંભીર બીમારી છે.મારે શું સબંધ છે એ જણાવવા માં જોખમ પેલા લીલા પાનાનું(ગ્રીનકાર્ડ) છે.એમને પોતે સર્વજ્ઞ સર્વ વિષયોના જ્ઞાતા નો વહેમ ભરાઈ ગયો છે.કેટલીય  વાર અકસ્માત કરી ચુક્યા છે,છતાં વાહન ચલવવા વિષે કબાટ ભરાય તેટલા પુસ્તકો લખી શકે.મારા શ્રીમતી ને પણ વાહન ચાલક પ્રમાણપત્ર(લાયસન્સ)ના હોતું મળ્યું ત્યાર થી વાહન કઈ રીતે ચલાવવું એના વિષે ઉચ્ચવિદ્યાવિશારદ(પી.એચ.ડી) જેટલું જ્ઞાન. વાહન ઉપરથી યાદ આવ્યું કે પહેલા વાહન વ્યવહાર માં ઘોડા વાપરતા.એની યાદગીરીમાં અમારા રાજપૂતોમાં લગ્ન વખતે વરઘોડો નીકળે.વરરાજા ઘોડા પર બેસીને ગામમાં આંટો મારી આવે વાજતે ગાજતે,ને ગામ લોકોને,ખાસ તો યુવતીઓને  ખબર પડી જાય કે આતો કોઈએ બોટી લીધો,હાથ થી ગયો.મારા લગ્ન વખતે એવું થયેલું કે બધા ભાઈઓ દુર ને પિતાશ્રી રોજ છચક્રીવાહન(બસ) માં રોજ આવન જાવન કરે વિજાપુર વકીલાત અર્થે.એટલે બધી વ્યવસ્થા મારે જાતે કરવી પડેલી, એમાં પુરતી ઊંઘ નહિ મળેલી.વરઘોડો અમારા ગામ માં લગભગ દોઢ કલાક ચાલે તે મને ઘોડા પર ખુબ આરામ લાગેલો.એમાં હું ઘોડા પર હાથ માં તલવાર ને ઊંઘી ગયેલો.જોકે સ્વભાવ થી કડક એટલે ઊંઘ માં પણ કડક જ રહેલો. કોઈને ખબર ના પડી બેન્ડવાજા ના અવાજ ભર્યા ગીતો માં લોકો  મશગુલ. હું ઊંઘી ગયો છું એવો ખ્યાલ મારા પિત્રાઈ ભાઈ શ્રી વિજય સિંહ ને આવ્યો,એ મારી બાજુ પર મારી સેવા માં ચાલતા હતા. એમણે મને ચૂંટલી  ભરી મેં એમની સામે જાગીને જોયું તો કોઈ ના સાંભળે તેમ કહે ઊંઘો છો જાગતા રહો.આમ કેટલીય વાર ઝોલા ખાઈ ગયેલો ને દરેક વખતે વિજયસિંહ ના ભારે હાથ ની ચૂંટલી સહન કરવી પડેલી.
            *શરુ માં અહી આવીને નોકરી માટે દોડધામ ખાસી કરવી પડે. એક ખાનગી રોજગાર અપાવ સંગઠન(પ્લેસમેન્ટ એજન્સી)માં મારા સાળી લઇ ગયેલા.આ નાના સાળીએ મને ખુબ મદદ આ બાબતે કરેલી.આપણે રસ્તાના અજાણ્યા એટલે તેઓ એમની ગાડી માં લઇ જાય.બીજું અંગ્રેજી પણ એટલું શક્તિશાળી કે સામેવાળા ને જલ્દી સમજાય નહિ,અને એનું આપણ ને ના સમજાય એટલે સાલીસહેબા ને દુભાષિયા ની જવાબદારી પણ સંભાળવી  પડે.અહી એક પત્રક(ફોર્મ) ભરવાનું હોય આપણી સામાન્ય માહિતીનું,એમાં કોઈ જગ્યાએ વાયોલેશન વિષે નો સવાલ હતો,એમાં મેં હા(યસ) લખેલું.તો અંદર બોલાવીને એક ધોળી બાઇ મારી માહિતી કઢાવવાનો ગંભીર પ્રયાસ કરી રહી હતી એણે એ વાચ્યું ને મને કહે તે કોઈ મર્ડર કરેલું મેં કહ્યું ના.તો હસીને કહે અહી હા કેમ લખ્યું છે.ત્યારે મને ખબર પડી કે વાયોલેસન એટલે સજા થાય તેવો ગુનો.આવું આપણુ મજબુત ઈંગ્લીશ હતું.આ ધોળીએ એક પત્ર આપ્યો ને એક દવાઓને લગતા ઉદ્યોગ ગૃહ માં અમને મોકલ્યા.જ્યાં મોટા ભાગે ભારતીય બાઈઓ કામ કરતી હતી.મુકરદમ(સુપરવાઈઝર)બહેન પણ ભારતીય મોટા ભાગે ગુજરાતી અને તે પણ પટેલ જ હતા.અહી ભારતીય એટલે ધોળિયા કાલીયા બધા પટેલ જ સમજે.મારી અટક સામુ જોયા વગર પટેલ જ લખી નાખે,તો કાયમ યાદ રાખીને સુધરાવવું પડે.તો મારા સાળી એ પેલા મુકરદમ બહેન ને પેલો પત્ર આપ્યો તો મારા સામુ જાણે હું કોઈ પરગ્રહ વાસી વિચિત્ર પ્રાણી હોઉં તેમ જોયું ને મારા સાળી ને  એકદમ ચીસ જેવા આવાજ માં પૂછ્યું,ધીસ ગાય? તો મેં પણ એકદમ જવાબ આપી દીધો આઈ એમ નોટ ગાય,આઈ એમ બુલ.મને થયું આ બાઈ મને ગાય કહે છે.મારા સાળી કહે જીજાજી એવું નહિ ગાય એટલે કાઉ નહિ માણસ ની વાત છે.પેલા બહેન સમજી ગયા ને કહે મજાક કરોછો? તેઓ ગુજરાતીમાં પ્રવેશી ગયા.મેં કહ્યું ખોટું ના લગાડતા હું જરા મજાકિયો  છું.મને થયું કે ભરડાઈ ગયું હવે વાત વળી લો.એ દવા ના કારખાના માં મોટા ભાગે ગુજરાતી ગાયો કામ કરતી હતી.એમાં બેચાર ભાઈઓ કામ કરતા હતા પણ સંગદોષ ના લીધે બોલચાલ અને વાણી વર્તન માં  આખલા માંથી ગાયોમાં પરિવર્તિત થઇ ચુક્યા  હતા.આમેય આમારા દરબારો ની છાપ ખરાબ એ બાબતે ભુરાંટા આખલા જેવા.ગામ આખાની ગાયુ ની પાછળ દોટો મુક્યા કરે.એટલે મને નોકરી ના મળી.   
        *મારા હાસ્ય લેખો રોજનીશી જગત ના મિત્રો ધડાધડ વાચી ને અભિપ્રાય આપવા માંડ્યા છે.અને મારી ટપાલો(પોસ્ટ)ને લોકપ્રિયતાના  અંકમાં ઉપર લાવવામાં ફાળો આપવા માંડ્યા છે,કે દરબાર પાછો ગંભીર ક્રોધરસ થી ભરપુર લખાણો ના રવાડે ના ચડી જાય.એટલે સારા સારા અભિપ્રાયો આપવા માંડજો નહીતો ખેર નથી.     

હસો ભાઈ હસો,હસો બહેનો હસો!!!!

       
બુશ તો જુઓ!!
*આ દિલીપકુમાર સાહેબ કરુણરસ ની ભૂમિકા ભજવવાના નિષ્ણાંત ખેલાડી હતા.એમના ચિત્રપટ  એના કારણે પ્રખ્યાત અને સફળ થતા.પણ પ્રશ્ન એ થયો કે સતત આવી કરુણ અને ઉદાસ ભૂમિકાઓ ભજવી ભજવી ને સદાય કરુણ રસ ના તરણકુંડ માં નહાવા લાગ્યા.સતત ઉદાસ પ્રકારની ભૂમિકાઓ ભજવવાથી એમના મન ઉપર અસર પડી ને કારણ વગર ઉદાસ રહેવા લાગ્યા.ઘર માં ચા  લાવતા જરા વાર લાગે તો પણ રડી પડતા.”મુજ ગરીબ પર  ઐસા જુલમ કયું  ઢાં રહે હો” કહી વાતે વાતે રડી પડતા.દિગ્દર્શકો   ને નિર્માતાઓ  ને તકલીફ માં મૂકી દીધા.એટલે કોઈને થયું કે આ નાટકીયા મિયાં ભાઈ આમ સીધા નહિ થાય.એટલે બધા લઇ ગયા માનસિક રુગ્ણઆલય માં.માનસિક દર્દો ના વૈધરાજ પણ એમની ઉદાસ આંખો માં જોઇને રડી પડ્યા.તો દીલીપસાબે એમને પણ પૂછી લીધું કે આપ રો કર મુજ ગરીબ પર કયું જુલમ ઢા રહે હો?માંડ માંડ માનસિક રોગ નિષ્ણાત દીલીપસાબ ના સંમોહન માંથી બહાર આવ્યા.પછી એમણે ઉપાય સૂચવ્યો.કે હવે આમને ઉદાસ કરુણરસ તરબોળ ભૂમિકાઓ સોપવાનું બધ કરો,નહિ તો આ માણસ વગર કારણે દુખી થઇ ને ફર્યા કરશે,અને બધાને દુખી કર્યા કરશે ખાસ તો સાયરાજીને,અને ખાનગીમાં અસ્માજીને.હવે આમને હળવી હાસ્યરસ થી ભરેલી ભૂમિકાઓ સોપો.તો આ સીધા થઇ જશે.બીમારી જતી રહેશે.
          *ત્યાર પછી નિર્માતાઓ એ એમને સાજા કરવા રામ ઔર શ્યામ બનાવ્યું.પાછું કોઈ દારૂડિયા ને એકદમ દારૂ છોડાવી દઈએ તો મુશ્કેલી થાય,એમ કોઈ નશાકારક દવા લેવા વાળાને એકદમ વ્યસન ના છોડાવાય,એ દવા નું પ્રમાણ થોડું થોડું ઘટાડવાનું.એમ રામ ઔર શ્યામ માં બે જાત ની ભૂમિકા રાખી.દિલીપસાબ શ્યામ તરીકે  હળવી મજાકિયા ભૂમિકા ભજવે ને રામ તરીકે પાછો જુનો કરુણરસ ખોરાક લે.ત્યાર પછી ગોપી વિગેરે ચિત્રપટ આવ્યા.પછી કોઈ જાસુસે માહિતી આપી કે આ દિલીપસાબ પેલા વિનોદખન્ના ના વાદે ને સાથે  એક વાર ઓશોના આશ્રમ પુના પહોચી ગયેલા.અને નાટકીયા અંદાઝ  માં પૂછી બેઠેલા કે મેરે લિયે કોઈ આજ્ઞા હૈ,કોઈ સુચન જો મેરે જીવન કો આગે લે જાએ?ત્યારે બહુ મોટા ખેલાડી અને અભિનયના મહારાજા એવા ઓશોએ સલાહ આપેલી કે “અભિનય મેં જીવન ડાલ દો,ઔર જીવન મેં અભિનય”.ઓશો ગમે તેવા મહાન માણસ કે અવતાર ની પણ ખેંચ લેવા ના નિષ્ણાત હતા.ભલભલા ના પતંગ કાપી નાખતા.અને એવી ગુપ્ત કાચ પાએલી(સુતેલી) દોરી વાપરે કે સામેવાળાની કપાઈ જાય.દિલીપસાબ ને ખબર પણ ના પડી.છેવટે બહુ ખેંચી ખેંચી ને થાકી ગયા તો એમનોજ પતંગ કપાઈ ગયો.પણ જબરો ભડ માણસ.આખી દુનિયા ના મહારથીઓ ને પુના  ભેગા કરી દીધેલા.૧૦૦ રોલ્સ રોયસ ચાર ચક્રી વાહનો ભેંગા કરેલા.અને મોંઘીદાટ કાંડા ઘડિયાળો એમનો શોખ હતો.મોરારજીભાઈ એકવાર એમને કહે યોગ શીખવાડો,તો ઓશો કહે પહેલા રાજકારણ છોડી દો.ત્યાર થી મોરારજીભાઈ ને એમની દુશ્મની ચાલુ થઇ.જોકે એમની વાત સાચી હતી.યોગ અને રાજકારણ ને સાથે મેળ કઈ રીતે પડે?પણ ઓશો જબરા ભારાડી,નફફટ પણ એટલાજ.કહે હું તો આ પૃથ્વી નામના ગ્રહ પર મુલાકાતે આવેલો.એમના પાળિયા ઉપર એવું લખેલું પણ છે,જન્મ તારીખ અને પતંગ કપાઈ ગયા તારીખ(મૃત્યુતીથી) વચ્ચે પૃથ્વી નામના ગ્રહ ની મુલાકાતે આવેલા.
               *મારે પણ દીલીપસાહેબ જેવું થવા માંડેલું.ઉગ્ર પ્રકાર ના લેખો લખી ને માનસિક અસર થવા માંડેલી.નેતાઓ ને બનાવટી સાધુઓ ઉપર ના શાબ્દીક પ્રહારોવાળા લેખો લખીને  આ મારી કુરુક્ષેત્ર નામની રોજનીશી(ડાયરી)માં મુકીને હું પણ ક્રોધાન્વીત રહેવા લાગ્યો.વાતે વાતે ગરમ થઇ જવા લાગ્યો.એકવાર મારા ધર્મપત્ની સવાર  સવાર માં વાયુ સગડી પર ચા મૂકી મને ઉભરાઈ ના જાય જો જો જરા એવી આજ્ઞા કરી ને શૌચક્રિયા કક્ષ  માં ગયા.અને હું મારી આ રોજનીશી ખોલી ને મિત્રોના અભિપ્રાય વાંચવામાં ને ઉત્તરો આપવામાં મશગુલ ચા ઉભરાઈ ગઈ.પત્ની બહાર આવ્યા ને રસોઈઘર માં જઈને ઉગ્ર થઇ ગયા ને કહે આ શું કર્યું?હું તો મારી રોજનીશીમાં(બ્લોગ) મગ્ન.એકદમ ઉગ્રાતીઉગ્ર બની ગયો ને બરાડી ઉઠ્યો એમ સીતાજીને કાઢીને ના મુકાય.મારા પત્ની મારો જન્મજાત  ઉગ્ર સ્વભાવ જાણે.મને કહે અહી ચા ઉભરાઈ ગઈ છે એમાં સીતાજી ક્યાંથી વચ્ચે આવ્યા?મેં કહ્યું વાલ્મીકીએ  લોકસભામાં આ પ્રશ્ન કેમ ના મુક્યો?મને ભાન જ રહ્યું કે અહી કલિયુગ માં છું.ત્રેતાયુગ માં નથી.કલીયુગ ને ત્રેતાયુગ બંને ભેગા થઇ ગયા.મારા શ્રીમતી હસવા લાગ્યા.કહે હવે રોજનીશી જગત માંથી બહાર આવો.ફરી ચા મુકવી પડશે.આવું વારે વારે બનવા લાગ્યું.મેં જગત જોડાણ જાળ(ઈન્ટરનેટ) નું જે વેપારગૃહ(કંપની)હતું તે બદલેલું.એમાં પ્રશ્ન ઉભો થયેલો.મારા માહિતી ભંડાર યંત્ર(કોમ્પ્યુટર)સાથે બરોબર જોડાણ થતું ના હતું.બેત્રણ વાર દુરવાર્તા યંત્ર(ફોન)પરથી પ્રયત્ન કર્યો પણ જરૂરી પ્રત્યુત્તર ના મળવાથી અહી પણ બુમો પાડવા લાગ્યો.પેલો ગભરાઈ ગયો ને બીજા દિવસે યાંત્રિક મુશ્કેલી ઠીક કરનાર માણસ આવ્યો.પાછું તારવિહીન(વાયરલેસ) જોડાણ થતું ના હતું.પણ સારા નસીબે મારા સુપુત્રે  દુરવાર્તા યંત્ર થી કામ પતાવી દીધું.
              *મારા નાના સુપુત્ર પાછા મનોવિજ્ઞાન ભણે છે.એટલે અમારે બહાર જવું ના પડ્યું.ઘર માંજ મફત માં નિદાન સાથે સલાહ મળી ગઈ.મારા દીકરા હરપાલસિંહ કહે હવે બાપુ આપ આવા ક્રોધ ભરેલા લેખો ના લખશો.એના બદલે હળવા હાસ્યરસ થી ભરેલા લેખો લખો,ને રોજનીશીમાં મુકો.આમેય લોકો દુખ દર્દ થી પીડાતા હોય જ છે.એમાં આપ વધારો કરો છો.જૂની વાતો યાદ કરીને પોતે દુખી થાવ છો ને વાંચનાર ને પણ દુખી કરો છો.મને કહે સીતાજી ની પણ ભૂલ તો ખરીને.રામ ને એવું ના કહી દેવાય કે બોલ્યાએ બોલ્યા,વન માં જવું હોય તો તમે જાવ.કાંતો મહેલ માં ને મિલકત માં  અડધો ભાગ આપી દો.કચેરીમાં જઈને છુટાછેડા ને ભરણપોષણ નો દાવો કરી અમેરિકન નારી ની જેમ પગડંડી(ફૂટપાથ)પર લાવી દઈશ.ઓલા ધોબી ને જેલમાં પુરાવી દઈશ  ને કચેરીમાં બદનક્ષી નો દાવો ઠોકી દઈશ.મને ખાનગીમાં કહે જરા મારા માતુશ્રી ને લડી જુવો તો લીલું પાનું (ગ્રીનકાર્ડ)પડાવી લેશે ને ભારત ભેગા કરી દેશે.
              *સમજ્યા હવે? મેં કેમ હાસ્યરસ ભરેલા લેખ લખવાનું શરુ કર્યું છે?આ તો અંદર ની વાત છે કોઈને કહેતા નહિ.મારા મોટા અને નાના બંને દીકરા મને પપ્પા કહીને બોલાવે પણ વચલા દીકરા યુવરાજસિંહ ગુજરાતી બચાવો આંદોલન શરુ પણ થયું ના હતું ત્યાર થી બાપુ કહીને જ બોલાવે છે.મારા આત્મા ને પણ એવું સાંભળી આનંદ સાથે રાહત થાય છે.એમનો સાદ(કોલ) આવ્યો દુરવાત યંત્ર પર.મને કહે બાપુ તમારા માટે કંઠ લંગોટ લીધા છે.હું તો ચમકી ગયો.અલ્યા લંગોટ તો નીચે પહેરાય.તો હસવા લાગ્યો કહે કેવા ફસાયા!!તમે તો નિસરણી આપી છે.એને લાગ્યું કે બાપુ ચકરાઇ જશે એટલે કહે ટાઈ લીધી છે.
           
         
        નોધ-:-દિલીપસાબ ની વાતો થોડી ઉપજાવી કાઢેલી છે.પણ એમણે મનોવૈજ્ઞાનિક ની સલાહ થી હળવી ભૂમિકાઓ કરવા માંડેલી એવું ક્યાંક વાચેલું.ઓશો કદી દિલીપસાબ ને મળ્યા હોય તેવું જાણ્યું નથી.એ ઉપદેશ વિનોદખન્ના ને મળેલો.મોરારજી વાળી વાત સાચી છે.અને ઓશો ની સમાધિ ઉપર પૃથ્વી ગ્રહ ની મુલાકાતે આવેલા તેવું લખેલું છે,આ વાત સાચી છે.          
           
           

હસીને વાંચજો ને વાંચીને હસજો.

હિલેરી હસી પડી
*હમણા સાડા પાંચ કરોડની ગુજરાતમાં ગુજરાતી બચાવો અંદોલન ચાલી રહ્યું છે. એટલે મેં નક્કી કર્યું કે ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવાનું, કોઈએ અંગ્રેજી શબ્દ બોલવાનો નહિ. ગુજરાતી આપણી માતૃભાષા છે. એને બચાવવી એ આપણો ધર્મ છે. મારા ધર્મપત્ની કહે આતો સજા સારા માણસને હાથે કરીને  માંદો પાડી, પછી એને બચાવવા દવાખાને દાખલ કરો અને એની ખબર કાઢવા જાવ એવી વાત છે. મેં કહ્યું સાચી વાત છે, પણ રોફ પાડવા જઈએ તો આવું થાય જ.
        *એટલે સવારમાં શ્રીમતી પથારીમાંથી જાગ્યા ને કહે આ સમય સૂચક યંત્ર બગડ્યું લાગે છે. એની પોષણ લાકડી અંદરથી બદલી નાખજો. પહેલા તો હું ચમકી ગયો. સમય સૂચક યંત્ર તો સમજાય ગયું. પણ પોષણ લાકડી? તો કહે બુદ્ધુજ છો અંદરનો સેલ બદલો વરસ થઇ ગયું એટલે એની શક્તિ(ડીસ્ચાર્જ) પૂરી થઇ લાગે છે. મેં કહ્યું  ઓ.કે. ..તો કહે ઓ.કે નહિ બરાબર બોલવાનું. આતો સપડાયા. એકદમ સાલું ભાષાંતર યાદ પણ ના આવે. આતો સારું છે ભાઈ શૈલેષના દેવડા ગામની મુલાકાત લઇ આવેલો. એટલે વળી થોડું યાદ આવી જાય.
    એટલામાં બુમ પડી કે દાંતે ઘસવાની લુગદી ખલાસ થઇ ગઈ છે. મેં કહ્યું અંદર સ્નાનકક્ષ માં રહેલી લાકડાની પેટીમાં વધારાની છે. થોડી વધારાની દાંત સાફ કરવાની પીછીઓ પણ છે. સસ્તી મુકેલી તો જથ્થા બંધ લઇ આવેલો. અહી ન્યુ જર્સીમાં અત્યારે ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષા થાય છે. આ શનિવારે તો વાવાઝોડા સાથે ચારેક ઇંચ બરફવર્ષા થવાની છે. દિવસે પણ તાપમાન શૂન્ય કે ઓછા બે  કે ત્રણ અને રાત્રે તો ઓછા દસ સુધી ઘણીવાર પહોચી જાય છે. એટલે તો અહી દરેકના ઘરમાં ઘરને ઉષ્ણ રાખવા માટેના યંત્રો હોય છે, ને જળ નળમાં સીધું ઉષ્ણ થઈને આવે તેવા લાયબંબા પણ હોય છે.  એટલે શિયાળામાં અમે બધું જથ્થાબંધ ભરી લઈએ. અહી કોસ્કો નામની મોટી દુકાન  છે. ત્યાં થી અમે વાળ ધોવાનો  પ્રવાહી સાબુ, શરીર ધોવાનો સાબુ, નાની મોટી પોષણ લાકડીઓ, થીજવેલા શાકભાજી, ફળો, દૂધ વિગેરે લઇ આવીએ. અહી જોકે ભારતીય દુકાનોનું મોટું બજાર છે. ત્યાં પણ પટેલ ભાઈઓ(પટેલ બ્રધર્સ), પટેલ રોકડા આપો ને ઉચકી જાવ(પટેલ કેશ એન્ડ કેરી) નામની મોટી દુકાનો છે. ત્યાં થી તમને તૈયાર રાંધેલા પણ થીજવેલા(ફ્રોજન) ખોરાકના પડીકા મળે. જાતજાતના પરોઠા, સમોશા, કચોરી, ભજીયા, પાતરા, રોટલીઓ, થેપલા, ઢેબરા, સરસ રીતે કાપેલા શાકભાજી બધું થીજવેલું મળે. આ બધું લાવીને વીજળીથી ચાલતી  ખોરાક ઠંડો રાખવાની મોટી લાંબી પેટીમાં ભરી દેવાનું( ખોરાક પ્રદુષણ અટકાવ યંત્ર).
        *મારા સુપુત્ર યુવરાજસિંહને ભારત જવાનું હતું. એમણે અમને અમેરિકામાં પ્રવેશ અને રહેણાંકનો  સંમતિસૂચક પત્ર(વિસા)મળ્યો એ દિવસે જ, વડોદરામાં અંગ્રેજી વરસના છેલ્લો દિવસ હતો ત્યારે રાત્રે અકસ્માત કરેલો ને પગના નળાનો દ્વીભાગમાં અસ્થિભંગ કરેલો. એ જરા દ્રાક્ષાસવ વધારે લેવાઈ ગયો હશે ને દ્વિચક્રી વાહન ઉપર હતા ને સામે ચારચક્રી વાહન જોડે સંગમ કરી બેઠા. એટલે હાડકાના વૈધરાજે અંદર કાટ ના આવે તેવા લોખંડનો સળીયો નાખેલો. એ બહાર કઢાવવા જવાનું હતું ભારતમાં. અમે ભારતમાંથી પાછા આવે ત્યારે લાવવાની વસ્તુઓની યાદી તૈયાર કરેલી. એમાં મારા માટે ખમીશ(શર્ટ) પાયજામાં(પેન્ટ), અન્ગુછા, અંતરવસ્ત્રો, મારા ધર્મ પત્નીને પૂજા માટે ગાયત્રી માતાની તસ્વીર, ભાખરવડી ને ચવાણાના પડીકાઓ, ચરણપાદુકાઓ,  વિગેરેની યાદી હતી. અહીંથી પણ ભારતમાં સ્નેહીઓ માટે મોકલવાની વસ્તુઓ હતી. એમાં ખાસ તો અહીની અત્તરની શીશીઓ, દાઢી કરવાની  ભારે દબાણ પૂર્વક ભરેલા તૈયાર ફીણની બાટલીઓ, આધુનિક અસ્ત્રા(રેજર)અને કાંડા ઘડિયાળો વિગેરે હતું.
          *એટલે જલ્દી તૈયાર થવા માટે હું ગયો સ્નાનઘરમાં ને અહી શ્રીમતી ઘુસ્યા રસોઈ ઘરમાં. વાયુ સગડી પર ચા ને અલ્પાહાર તૈયાર કરવા.  ત્યાં સુધીમાં સુપુત્રે  દ્રશ્ય શ્રાવ્ય યંત્ર માં હવામાન જોઈ લીધું. હવાઈ જહાજ સમયસર હતું એ પણ જોઈ લીધું. બધો સમાન લઈને  વીજળીરથ(ઇલેક્ટ્રિક ટ્રેન)માં તો જવાય નહિ. એટલે અમારા ચાર ચક્રી વાહનમાં જ જવાનું હતું. પાછા ફરતા મારે વાહન ચાલક ની જવાબદારી નિભાવવાની હતી માટે પથદર્શક યંત્ર(નેવિગેશન) પણ લઇ લીધું હતું. બસ થોડીવારમાં તૈયાર થઇ અમે નીકળી  પડ્યા ન્યુયોર્કના હવાઈ જહાજ ઉડાન મથક પર જવા માટે.
નોધ:-દેવડા ગામના ઓટલાની મુલાકાત એ આ લેખ લખવાની પ્રેરણા બની છે. માતૃભાષા પ્રત્યેના પ્રેમ સાથે હાસ્યરસ પીરસવાની ભાવના જ માત્ર છે.

હસવાનું નહિ….હસના મના હૈ.

Laughing Budhdha.

 

હસવાનું નહિ….હસના મના હૈ. 

   *સાચો પ્રેમ ઓશિકા જેવો છે.જયારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એને વળગી ને હળવા થઇ શકો છો,પીડા માં હોવ ત્યારે એના પર માથું મૂકી રડી શકો છો,અને ખુશ હોવ ત્યારે?
     તો ૫૦ રૂપિયા હળવા કરો એક ઓશીકું ખરીદી લાવો .
   *લગ્નો સ્વર્ગ માં ગોઠવાય છે એવું કહેવાય છે,અને લગ્ન પછી નર્ક નું નિર્માણ થાય છે.
   *આ વરરાજા લગ્ન સમયે ઘોડા પર કેમ બેસતા હશે?
     છેલ્લો ચાન્સ છે ભાગી છુટવાનો માટે.
     *પ્રેમ સિગાર જેવો છે.આગ સાથે શરુ થાય,ધુમાડા સાથે આગળ વધે ને રાખ સાથે સમાપ્ત થાય.
    કોઈ વાંધો નહિ હું તો ચેઈન સ્મોકર છું.
   *તારા હાસ્ય ને ફૂલો સાથે સરખાવી શકાય,
    તારા અવાજ ને કોયલ ની કુક સાથે સરખાવી શકાય,તારી નિર્દોષતા બાળક જેવી છે,તારી મૂર્ખાઈ  ની સરખામણી તો કોઈ ની સાથે ના થાય.તું સર્વશ્રેષ્ઠ છે.
   *મિત્ર મેં માગ્યા ફૂલ ને તે  દઈ દીધો ગુલદસ્તો,
    મેં એક નાનો પત્થર નો  ટુકડો માંગ્યો ને તે આખી પ્રતિમા આપી દીધી,
    મેં એક પીંછું માગ્યું  ને તે તો આખો મોર જ દઈ દીધો,
    મિત્ર શું આપ બહેરા તો નથી ને?
   *મેં પાણી સાથે વોડકા લીધો ને ચડી ગઈ,
    મેં પાણી સાથે વ્હીસ્કી લીધી ને પછી ચડી ગઈ,
   વળી મેં પાણી સાથે રમ લીધો   ને ચડી ગઈ,ચાલો હવે સોગંધ ખાઉં છું કદી પાણી નહિ લઉં.

*હાસ્ય-પ્રેમ ની ભષા છે.
હાસ્ય-હૃદય જીતવાની કળા છે.
હાસ્ય-તમારી પ્રતિભા માં વધારો કરે છે.
તો હવે આજથી બ્રશ કરવાનું ચાલુ કરી દો. 
  
નોધ:–શ્રી અનંતસિંહ પરમારે મોકલેલી ઈ-મેલ નું ગુજરાતી ભાષાંતર છે.

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.
    *જાન્યુઆરી  ૬,૧૯૭૨ માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામ માં અશોક સૂરી નું નામ બોલાયું.
   *અશોક સૂરી નો પત્ર તેમના પિતા ને મળ્યો તેના પર દિલ્હી નો પોસ્ટ નો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો,સાહેબ વલૈકુમ સલામ  હું આપને રૂબરૂ મળી ના શકું,તમારો સન જીવતો છે અને પાક ની જેલમાં છે,હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી  રહ્યો છું.કાલે પાછો પાકિસ્તાન જઈશ.સહી છે એમ.અબ્દુલ હમીદ.આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું.બધા પત્રો ને ડીફેન્સ વિભાગ માં ચકાસવામાં આવે છે.અશોક સુરીના જ અક્ષરો છે,એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે.બસ.
   *સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧ માં પાંચ ભારતીય પાયલોટો પકડાયા ના સમાચાર છે,એમાં તાંબે નું પણ નામ છે.ફરી પાછું આજ પેપર જુલાઇ ૫,૧૯૭૧ માં વી.વી.તાંબે નું નામ છાપે છે.
   * દલજીત્સીંગ માર્ચ ૪,૧૯૮૮ માં પાછા આવે છે.એમણે ફેબ્રુ ૧૯૮૮ માં શ્રી તાંબે ને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટર માં જોએલા.
   *ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગી નું પ્લેન ડિસે ૪,૧૯૭૧ માં પેશાવર માં  તોડી પડાયું.બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.
    *નાથારામ માર્ચ ૨૪,૧૯૮૮ માં પાછા આવે છે.રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટર માં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ને નવે,૧૯૮૩મા  જોયેલા આવું કહે છે.
   *કેપ્ટન રવિન્દર કૌરા નો ફોટો પાક જેલમાંથી  સ્મગલ્ડ થઇ ને ૧૯૭૨ માં અંબાલા ના ન્યુજ પેપર માં છપાય છે.છેક ડિસે ૭,૧૯૯૧ માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે.એમને પણ પાછા આવેલા મુખત્યાર સિંગે મુલતાન જેલ માં જોએલા.
          *આ આખીય જાંબાંજો  ની ટીમ માં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે.આમતો ગુજરાતી ખાસ મિલિટરીમાં જતા નથી.એટલે તો ગુજરાત ની કોઈ રેજીમેન્ટ નથી.નાના મણીપુર કે આસામ ની પણ રેજીમેન્ટ છે.હા એ ગુજરાતી  હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર.વતન છે એમનું ચાંદરણી,જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ  છે.એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાન ના જોધપુર થી આવેલા.એમના મોટાભાઈ શ્રી દિલીપસિંહજી રાઠોર  એમના કુટુંબ સાથે હજુય ત્યાં વસે છે.
         *ધર્મ ના નામે વાતે વાતે આંદોલનો  કરી મુકતી પ્રજા પોતે આવી વાતો ને ધ્યાન માં લેતી નથી.ના તો કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ કર્યા નથી.આવું કોઈ બીજા દેશ માં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત.આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૩૯ વરસ થી લડી રહ્યા છે.ગુજરાત ના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભા માં અવાજ ઉઠાવ્યો નથી.ભારત ની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરના એ આ સ્ટોરી છાપી હતી.પછી એકવાર સંદેશ માં આવેલી,બસ. મીડિયા ને પણ નેતાઓ,ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવા માંથી નવરાશ મળતી નથી.કોઈ લેખકોને પણ આવી વાત માં કશું લખવાનો વિષય મળતો નથી.બાપુઓની ચાપલુસી માં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે.ચંબલ ની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે,છેક પંજાબ જઈ ને જગતસિંગ ડાકુ ને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે.પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ના ગુજરાત માં નજીક આવેલા ગામ માં જવાનો સમય ના મલે,કે યાદ પણ ના આવે.હા હું ગુજરાતી લેખકો ની વાત કરું છું.મેં આ બધા ને વાંચ્યા છે.માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે.જે બાપુઓ ભણવાની જરૂર નથી ભજન કરો એવા જાહેરમાં ટીવી માં મુરખ પ્રજા ને સંદેશા આપે છે, એવા બાપુઓની ભાટાઈ આ સાક્ષરો કરી રહ્યા છે.આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.
         *હવે તો આ  બહાદુરો ને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર?પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ નાજ લેતો,અને ભારત ના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો.એ કદી તારા થવાના નથી.તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલ  માં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે.તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે.અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.
      *તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્ય ના સિપાઈ ઓ ના નામ પણ જાણી લઈએ. 
 
  Indian Air Force POWs: Wing Commander HS Gill, Squadron Leader Devaprashad Chatterjee, Squadron Leader Mohinder Kumar Jain, Squadron Leader Jal Maniksha Mistry, Squadron Leader Jatinder Das Kumar, Flight Lieutenant Tanmaya Singh Dandass, Flight Lieutenant Ramesh Gulabrao Kadam, Flight Lieutenant Babul Guha, Flight Lieutenant Gurdev Singh Rai, Flight Lieutenant Ashok Balwani Dhavale, Flight Lieutenant Srikant Chandrakant Mahajan, Flight Lieutenant Sudhir Kumar Goswami, Flight Lieutenant Harvinder Singh, Flight Lieutenant Vijay Vasant Tambay, Flight Lieutenant lyoo Moses Sasoon, Flight Lieutenant Ram Metharam Advani, Flight Lieutenant Nagaswami Shankar, Flight Lieutenant Suresh Chandra Sandal, Flight Lieutenant Kushalpal Singh Nanda, Flight Lieutenant Manohar Purohit, Flight Officer Tyagi, Flight Officer Kishan Lakhimal Malkani, Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.

Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.

અમે જીવીએ છીએ,The Forgotten Heroes.,4

Nirmal kaur

 

  અમે જીવીએ છીએ,       *જુન ૧,૨૦૦૭ ના રોજ પાક ના મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાં થી ૧૪ જણાં ને વિસા આપી જેલો માં જોવાની,ચેક કરવાની પરમીશન આપી.૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા.૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી.૧૯૮૩ માં પણ જીયા ઉલ હક ના શાશન વખતે આવી વિઝીટ થયેલી,તે વખતે ગયેલા માંથી ચાર જણાં આ વખતે પણ હતા.જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી.૫ મી શીખ રેજીમેન્ટ ના સુબેદાર અશાસિંગ ના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલા.લાહોર ની કોટ લખપત અને કરાચી ની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામ કશું ના મળ્યું.ક્યાંથી મળે?સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે.૩૫ વરસ ના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા.કોણ વાંચે?ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય,પરદેશોમાં  બદનામ ના થઇ જવાય?
        *આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે,પણ લોકસભામાં  ૪૦ નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી.અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગ માં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા,બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા.(એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશન ની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા.પાક થી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા.૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્ય માં આવ્યું.અશોક સૂરી ના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાં થી પુરાવા  દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે.દમયંતી તાંબે ને તો કોઈ સંતાન પણ નથી,એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા.મેરેજ ના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી  વિતાવી છે મેં.શમી વરાઈચ બે વરસ ના હતા ને એમના પિતા વોર માં ગયેલા.
          *સરબજીત ને જાસૂસીના આરોપમાં પાક માં મોત ની સજા મળેલી.એ કેસમાં હરપાલ નાગરા ની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાક ની જેલમાં ગયેલું.ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું.ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ.એમના કહ્યા  મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.અને આવાતો ૪૦૦ ભારતીય કેદીઓ હતા,બધા મીલીટરી કેદીઓ ના હતા.અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો.૧૯૮૩ માં ૬ જણા ને જેલોની મુલાકાત ની પરમીશન મળેલી.મુલતાન,સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા,જે કેદીઓ બતાવેલા તેઓ ની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા.ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે,પણ ૫૪ માંથી કોઈ સદભાગી  બન્યો નથી.
           *રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા,એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા.મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીર સિંગ ના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે.અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ.૨૦૦૦ માં મનીષ જૈન,એમ.કે જૈન ના જમાઈ અમેરિકામાં કર્નલ આશીફ શફી પાકિસ્તાન ના ને મળે છે.ભુટો ના વિવાદાસ્પદ કેસ  આ કર્નલ પોતે ૭ વરસ પાક માં જેલમાં રહી ચુક્યા હતા.એમના કહ્યા અને જોયા  મુજબ ૧૯૭૮મા  શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા.આ મનીષ જૈન અમેરિકન એરફોર્સ ના જનરલ ચક યેગર ને ૨૦૦૫ માં અમેરિકામાં મળેલા.આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેન ની તપાસ માં પાક ની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ ના યુદ્ધાના ૨૦ ભારતીય પાયલોટો ને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા.આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે.આ ૫૪ માંથી ૨૫ તો પાયલોટો જ હતા.૧૯૯૮ માં પાછા આવેલા બલવાન્સીંગ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે,આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.
         ૨૦૦૫ માં રાંચીના મેન્ટલ એસાયલમ માંથી ૧૯૬૨ ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ,હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે.તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?              

         

Ninadevi sister of Mj Guleri

 

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3

Jasbirkaur & Jaspritkaur
Damyanti Tambey

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.

        *જસબીર કૌર ને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે.એમની દીકરી જસપ્રીત હવે યુવાન  થઇ ચુકી છે,એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે.પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુ માં મળશે.૨૦૦૭ માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી.આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓ ને ઓળખવા આમંત્રણ  આપેલું.ત્યાં લાહોર ની જેલમાં એક માણસે જસબીર ને કહેલું કંવલજીત સિંગ જીવે છે.પણ કોઈના હાથ માં કશું ના આવ્યું.કેમ?જસબીર કહે છે સાંજ પડે પક્ષિયો પણ માળામાં પાછા આવે છે.છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ ના રોજ ફોન કોલ હુસૈનીવાલ થી આવેલો ત્યારે સાંભળેલો.
        *કમલેશ જૈન,મોહિન્દર કુમાર જૈન ના પત્ની આજે પણ દરેક ભોજન નો પ્રથમ કોળીયો ભરતા હૃદય માં એક ચુભન સાથે  વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે?પાક ની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે?શા માટે તેઓ વરસો થી દુ:ખ સહન કરી રહ્યા છે?કેમ કે તેઓ ભારત ના વફાદાર સૈનિક હતા માટે?એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે,અને માતાના, પિતાશોધો ના અભિયાન માં લાગી ગઈ છે.એમની ફાઈલો ભરાઈ ગઈ છે,મીનીસ્ટ્રી ને,આર્મીને,માનવાધિકાર પંચ ને લખેલા પત્રો થી.એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે.કોઈ મીનીસ્ટર ની ડોટર ને છોડાવવા ત્રાસવાદી ને છોડી દેવામાં આવે છે,જયારે એના સૈનિક ને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈન ના.એમના પતિ નો છેલ્લે અવાજ એમણે પઠાનકોટ થી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.
           *મનોહર પુરોહિત નો દીકરો ફક્ત ત્રણ મહિના નો હતો.હવે એને પણ દીકરો છે.એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી,કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા.એમને આશા છે કે જ્યાં થી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે.આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબો ને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ  ના તળ સુધી પહોચશે.વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈ ને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓ ને સ્મગલર કહો,ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો,માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો.સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે,સારા છે,જીવે છે અને પાછા આવશે.
            *અશોક સૂરી ના મોટા ભાઈ  બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાન માં એક અલાયદો માળ જુદો રાખ્યો છે,ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે.હજુ સવારે ભાઈ ના ફોટા ને પહેલું તિલક લગાવવામાં આવે છે.સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે.એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરા ને  છોડાવી શકાય.બીજા યુદ્ધ કેદીઓના સગાઓને   ભેગા કરવા,એમના સરનામાં શોધવા,લખાપટ્ટી કરવી.બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલ માં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદ ની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો.આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?
           *કમલેશ જામવાલ,કેપ્ટન દલગીર સિંગ ના પત્ની એમના પતિ સપનામાં આવી ને કહી ગયા છે કોઈનું માનીશ નહિ,હું જીવું છું મરી નથી ગયો.પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે.પણ એમજ પત્ની કઈ રીતે માની લે?જેવું વિચારીએ તેવાજ સપના આવેને?
        *પૂનમ ગોસ્વામી,ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે,૧૯૭૧ ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા.કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે,એમના પતિ જતા  જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી.છતાં પાછા ફરશે તેવા સારા સમાચાર ની હમેશા રાહ જુવે છે.
          *વિનોદ કુમાર સાહની બી.એસ.એફ ના ઇન્ટેલીજેન્સ વિભાગ માં કામ કરતા હતા.૧૯૭૭ માં પાક રેન્જર હાથે ઝડપાઈ  ગયા.૧૦ વર્ષ પાક ની જેલો માં રહ્યા.ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા  મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચ ના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓ ને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા.અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા.પાકિસ્તાન ની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય?જેટલું બતાવે એટલું જ જોવાનુંને.ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ  રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર  કરતા વાર કેટલી? 
          *૧૯૭૭ માં ભુટ્ટો ને જેલમાં ધકેલી દેવાયા.૪ અપ્રિલ ૧૯૭૯ માં ભુટ્ટો ને ફાંસી લટકાવી દેવાયા.એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલ માં રહી ચુક્યા હતા.લાહોર ની કોટ લખપત જેલમાં ત્રણ મહિના  ભુટ્ટો રહેલા.રોજ રાત્રે એમની કોટડી ની દસ ફૂટ ઉંચી દીવાલ ની બીજી બાજુ થી ભયાનક ચીસો,બુમો ના અવાજો થી ભુટ્ટો સુઈ શકતા ના હતા.એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજો થી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા.એમના  વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા  જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફ ને પૂછીને માહિતી મેળવી.એ બાજુ ની દીવાલ  ને પેલે પાર થી  આવતા અવાજો એ ભારતના ભુલાએલા,તરછોડાએલા,પાક અત્યાચારીઓ ના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાક ના સૈનિકો ના શારીરિક  અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરો ના હતા.આપણે ઘર માં પત્ની પર નો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ.એ માનસિકતાએ ભારત ના સૈન્ય  ના હાથે હારેલા,અવહેલના પામેલા,આબરૂ ગુમાવેલા,શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્ય ના સૈનિકોએ,મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયા ઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો?આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો,ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા,પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો  હોવાના નાતે વેઠતા હતા.વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦ માં પુસ્તક લખેલું,ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન.એમાં આ વાત નોધેલી છે.
                *૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી  કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોર ના કુટુંબીઓના એસોશિયેશન ને મદદ કરી છે ખરી? કેમ?કેમકે દેશ આખો અહિંસા ને વરેલો છે.માટે આપણાં મહાત્માએ શહીદ ભગતસિંહ ના છુટકારા  માટે એમનું નામ અંગ્રેજોને  આપવાનું મુનાસીબ નહોતું સમજ્યું.ભગતસિંહ નો માર્ગ હિંસા નો હતો.એ મહાત્માના દેશ માં આ અભાગી સૈનિકો માટે વળી કોઈ ધાર્મિક નેતા બોલે ખરો?એક મંદિર  ના બનાવી કાઢીએ.પુણ્ય નું કામ થાય.ભગતસિંહ ના ભાઈ કુલતારસિંગ આ સંગઠન સાથે જોડાએલા.આ અભાગીયાઓ ને મિલિટરીમાં જવાનું કોણે કહેલું?ભોગવો હવે.  
Major Ghosh on Time magazine

Letter of Ashok suri

        

 Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2

Mrs.Damyanti Tambey
Suman & Manohar Purohit.

    અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war.          *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.

           *ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે,પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે.રાજેશ કૌરાં ના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો.અને એમના કુટુંબી જનો ને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે.ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે.બીજા કેદીઓ,રેડિયો,ન્યુઝ પેપર ના રીપોર્ટસ,જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે  લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે,કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.
          *અપ્રિલ ૧૯૭૯ માં પાક ની જેલો માં થી પાછા ફરેલા બીજા કેદીઓ ના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓ નું લીસ્ટ રજુ કરેલ.યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાં ના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા.મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે,પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું.મી.ગીલ એમાં જોડાયા.એમના ભાઈ વિંગ કમાન્ડર  હરશરણસિંગ ગીલ ના સાથીદાર ના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડ ને ટચ થતા એ બહાર નીકળી ગયેલા.પાછા ફરેલા ઘણા કેદીઓ ને આ વિંગ કમાન્ડર મળેલા છે.
              *જવાહરલાલ નહેરુ યુની ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે,એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબે ને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારો ને લખી ચુક્યા છે.એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરો ની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે.શ્રીમતી તાંબે ને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્ન ને જયારે એમના પતિનું પ્લેન પાક માં તોડી પાડવામાં આવેલું.
           * હમેશા માનવ અધિકાર ના બહાને દોડી ને દેશદ્રોહીઓની સેવા કરવા જતા  કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરો ના સગાઓના સંગઠન ને મદદ કરતા જોયું છે ખરું?આ કોઈ સામાન્ય સૈનિકો ના હતા.ઉચ્ચ  હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા.અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એના થી સરકાર ની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.માતોશ્રી નામના સુરક્ષિત પાંજરામાં રહીને હમેશા ત્રાડો પાડતાં વાઘ ને કદી આ બાબતે ત્રાડ પાડીને સરકારો ને જગાવવાનો પ્રયત્ન  કરતા કદી જોયો છે ખરો?     
        

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. 
 
              *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીત સિંગ અરોરા સામે ઢાકા મુકામે  શરણે થયા.ઢાકા થી તમામ ને ભારત લવાવવામાં આવ્યા.આર્મી કેમ્પ માં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.
        *જુલાઈ ૨ , ૧૯૭૨ ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એ શિમલા કરાર માં મત્તું માર્યું.એક બીજા દેશોના યુદ્ધ કેદીઓ ને પરત કરવાના આ કરાર નું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું.યુદ્ધ જીત્યાં ના કેફ માં ભારતના ઈતિહાસ માં એમના નામે  સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં,એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો.આપણે તો બધા યુદ્ધ કેદીઓ(૯૩૦૦૦) ને પ્રમાણિકતા થી પાછા  સોપી દીધા.પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ  અફસરો એમના મૃત્યુ ના કોઈ પુરાવા  વગર મિસિંગ હતા,ગુમ હતા.૬૧૭ સદભાગીઓ  ને પાકિસ્તાને પાછા મોકલ્યા.બાકીના ૧૬૨૧ બહાદુરો  કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી.ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર.પોતાના અસલી હીરો ને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું.એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું.એમના વૃદ્ધ માબાપ ને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું.ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરો ને પાક ની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી  દીધા.
         *પાંચમી આસામ રેજીમેન્ટ ના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલ માં થી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા.એક પત્ર તારીખ-૭ ડીસે,૧૯૭૪,બીજો ૨૬ ડીસે,૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન,૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતા શ્રી ડો.રામસ્વરૂપ સૂરી ને ફરીદાબાદ માં મળ્યા.એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય  અફસરો સાથે તેઓ કરાચી ની જેલ માં હતા.ડો.સૂરી સીમલા કરાર નો ભંગ કરી રાખેલા આ તમામ ને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજી ને મળ્યા.પરિણામ માં કશું નહિ.૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી નરસિંહરાવ,શ્રી દેવગોવડા,શ્રી આઈ.કે.ગુજરાલ,ગર્જનાઓ કરતા શ્રી અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસા ને વરેલા નપુંસક વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા  હીરોસ ને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.
            *એવી જ રીતે,૯૫ વર્ષ ના વૃદ્ધ કાંગડા ના લાલારામ શર્મા,રીટાયર કર્નલ ધનદાસ,શ્રીમતી સુશીલ ત્યાગી,ફરીદાબાદ ના શ્રીમાન શ્રીમતી ઘોષ,નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમા એમના વહાલા દીકરાઓ ની રાહ જોતા હતા.અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી,દમયંતી તાંબે,કમલેશ જૈન,નિર્મળ કૌર,કન્તાદેવી રાનોદેવી,સુમન પુરોહિત છેલ્લા ૩૯વરસ થી એમના પતિદેવો ની રાહ જોઈ રહી છે.
           *૨૦૦૪ માં મિસ્ટર એમ.કે.પૌલ માનવ અધિકાર પંચ ના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો.ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે.અને આજ પ્રશ્ન રેડ ક્રોસ  જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો?ત્યારે જવાબ માં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના  સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશન ના પ્રતિનિધિ તરીકે બોલું છું.ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે?મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો.ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદ માં આ સવાલ ઉઠાવ્યો છે.પરિણામ શૂન્ય….    

સત્ય નો ઘાંટો શું કામ??થપ્પડ કેમ નહિ?

સત્ય નો ઘાંટો શું કામ?? થપ્પડ કેમ નહિ?
     *સત્યને પણ ઘાંટો પાડી  બોલવું પડે છે. ઘાંટા કોઈ સંભાળે છે ખરું? હવે સત્યની થપ્પડની જરૂર છે. ઘાંટાનો જમાનો ગયો. ઘાંટાથી લોકો ટેવાય ગયા છે. બ્રેઈનના કેટલાક નિયમો છે. કોઈ જગ્યાએ તમે જાવ ત્યારે કોઈ નવી સુગંધ કે દુર્ગંધ પહેલી વાર આવે છે, પછી ત્યાં તમે વધારે વાર ઉભા રહો એટલે બ્રેઈન એની નોધ લેવાનું બંધ કરી દે છે. પરફ્યુમ  કે ગટરની સ્મેલ તો હવામાં ફેલાવાનું ચાલુ જ છે પણ બ્રેઈન નોંધ લેતું નથી. એટલે તો ઝુપડ પટ્ટી ને ગટર ગંગાને કિનારે લોકો આરામથી રહી શકે છે. અવાજનું પણ એવુજ છે. હું હમેશા લખું છું કે પ્રજા કાયર બની ચુકી છે. ત્યાં ઘાંટા હવે સાંભળવાના નથી. એમના બ્રેઈન હવે નોંધ લેતાજ નથી. હવે દરેક વખતે થપ્પડની જરૂર છે. પછી આ કાયરો થપ્પડથી પણ ટેવાઈ જશે. મેં હમણાજ લખ્યું હતું કે જ્યાં પ્રજા કાયર હોય ત્યાં ગુંડાઓ પૂજાય છે, હીરો બની જાય છે. એટલે જયારે રાજ ઠાકરે કે બાળ ઠાકરે જેવા એમના અંગત રાજકીય સ્વાર્થ માટે આનો ઉપયોગ કરે છે ત્યારે આપણને એ લોકો સારા લાગે છે. એ પણ સ્વાભાવિક છે.
           *પરદેશમાં આપણું કોઈ બળ નથી.મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણું કોઈ વજન પડતું નથી, ઉપજતું નથી. કેમ?બધા દેશોને ખબર છે ભારત કશું કરી શકવાનું નથી કે બોલી શકવાનું નથી. ઓસ્ટ્રેલીયામાં ભારતને બદલે કોઈ અમેરિકન વિદ્યાર્થીનું ખૂન થયું હોત તો? ઓબામાં લાલ આંખ  કરી તરત જ ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાનને ખખડાવી નાખત એવી શક્યતા છે. જેવા સાથે તેવા થવું પડે. હું એવું નથી કહેતો કે આપણે પણ મર્ડર કરવા જોઈએ, પણ આપણાં હાથમાં હોય તે તો કરી શકાય. પ્રેમ અને યુદ્ધમાં બધું સારું જ ગણાય. આપણે ઓસ્ટ્રેલીયાનો ક્રિકેટમાં બહીષ્કાર કરી શકીએ. કરવો જ જોઈએ. પાકિસ્તાનનો પણ ક્રિકેટમાં બહિષ્કાર કરવો જોઈએ. આઈ પી એલ જ શું કામ બધેજ વિરોધ કરવો જોઈએ.  આઈ.સી.સી. ભારતના બી.સી.સી.આઈ પર જ ચાલે છે. સૌથી વધારે રીચ બી.સી.સી.આઈ. છે. ખાલી ભારત ક્રિકેટ રમવાનું બંધ કરે તો આ લોકો કમાઈ રહ્યા. બીજા દેશોમાં તો ઠીક , અરે ખુદ ક્રિકેટના જન્મ દાતા ઇંગ્લેન્ડમાં ક્રિકેટ નું ખાસ મહત્વ  નથી. ત્યાં પણ ફૂટબોલ વધારે જોવાય છે. પણ પછી  આપણી કાયરતાનું શું થાય?
                *કાશ્મીરી પંડિતોનું તો આ દુનિયામાં કોઈ છે જ નહિ. આ પંડિતોના વારસદારો ભારત પર સૌથી વધારે સમય રાજ કરી ગયા(નહેરુ ફેમીલી). અરે ગર્જનાઓ કરતા હિંદુ ધર્મના રખેવાળો(ભાજપા) પણ રાજ કરી ગયા. છતાં કઈ થયું? અરે ૧૯૭૧ના યુદ્ધમાં બહાદુરીથી ભારત માટે લડેલા 54 મીલીટરી અફસરો પાકિસ્તાન  જેલમાં સબડી, યાતનાઓ ભોગવી મરી ગયા, કે જીવે છે, કોઈ ને ખબર નથી. એના પુરાવા પણ એમના સગાવહાલાઓએ આપેલા. ભારતના પકડાએલા માછીમારોએ નજરે જોએલાના પુરાવા  હતા પણ કોઈ સરકારોએ આ અફસરોને છોડાવવાના પગલા ના લીધા. આ સ્ટોરી સંદેશમાં છપાઈ ચુકી છે. એમાં ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ચાંદરણી ગામના કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર પણ હતા. એ જીવતા હશે કે દેવલોક પામ્યા હશે, એ પણ એમના કુટુંબીજનોને ખબર નથી. એમના મોટાભાઈ  શ્રી દિલીપસિંહજીની નાનાભાઈની રાહ જોતી  આંખોમાં રહેલી અસીમ વેદના આપણી  આંખોમાં પાણી ના લાવી દે તો  આપણાં જેવો કોઈ નિષ્ઠુર બીજો હોઈ શકે? એના પરથી બચ્ચન સાહેબનું દીવાર નામનું મુવી બનાવી , બચ્ચન સાહેબને અક્ષય ખન્ના બધા અફસરોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવી લાવ્યા એવું બતાવી દંભી, જુઠો આનંદ મનાવી લીધો, ને રૂપિયા  પણ સાથે સાથે કમાઈ લઈને પેલા રાહ જોતા કુટુંબીજનો ની ભાવનાઓ સાથે રમત રમી લીધી. કાયરો બીજું શું કરી શકે? અમે જીતી ગયા એવી નાના બાળકોની રમત રમી લીધી. એક પણ અફસરને ભારત સરકાર છોડાવી શકી નથી. સાચી હકીકત રૂપ ૧૯૭૧ નામનું મુવી ફેલ ગયું ને ખોટો બધાને છોડાવ્યાનો અંત દર્શાવતું મુવી સફળ થયું. સમજાય છે કોઈને લોકોની કાયર માનસિકતા?  જુઠા સપનાઓમાં કાયરો વિજય મેળવી લે છે.
           *મેં ખાલી ભયાનક લુટારા પીંડારાઓને હીરો બનાવતા ‘વીર’ મુવી વિષે સાચી હકીકત  જણાવતો લેખ લખી દિવ્યભાસ્કરમાં અભિપ્રાય તરીકે આપ્યો છે તો એ લોકોએ છાપ્યો નથી. પીંઢારાઓના બધા નેતાઓ મુસલમાન પઠાણો હતા ને છુપાવેલા ધનની માહિતી કઢાવવા નાના બાળકોના તલવારથી બે ભાગ કરી નાખતા, આવા લુંટારાઓને સ્વતંત્રતાના લડવૈયા બતાવ્યા છે, તો સાચી વાત છાપવા દૈનિકો તૈયાર નથી, કેમ?સલમાનખાન નારાજ થઇ જાય તો?
           *એટલે જયારે કોઈ રાજ ઠાકરે ભલે એના સ્વાર્થ માટે કોઈને થપ્પડ મારે તો આપણને સારું લાગે છે, કેમ? આપણાંમાં એટલી હિંમત પણ નથી, થપ્પડ તો ઠીક પણ સાચું કહેવાની હિંમત પણ નથી. એટલે આપણી અંદર રહેલો ડર બે જાતની દિશાઓમાં વહેચાઈ જાય છે. એક તો રાજ ઠાકરે જેવા કરે એને વ્યાજબી માનવા લાગે છે, અને બીજા માનવ અધિકારની વાતો કરી સામો પક્ષ નારાજ ના થઇ જાય તેની ચિંતા કરે છે. પણ આખરે તો બંને એકજ નાવમાં સવાર છે.
            *માતૃભાષા ગુજરાતી બચાવવાનું અંદોલન સાડા પાંચ કરોડના ગુજરાતમાં કરવું પડે, એના જેવી બીજી કઈ કરુણતા હોઈ શકે? થોડા ઘણા હાઈ ફાઈ લોકોના સતત અંગ્રેજી  બોલવાથી ગુજરાતી ભાષા મરી જવાની નથી જ. એવા લોકો કેટલા? અને થોડાક જ બધા નહિ, એન.આર.આઈ.ગુજરાતી નહિ બોલે તો પણ ગુજરાતી નથી મરી જવાની. ગુજરાતી તો ગુજરાતના હજારો ગામડાઓ  થકી બચવાની જ છે. એટલું કરો કે આ લોકો શુદ્ધ બોલે ને લખે, તો પછી છોને કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો અંગ્રેજી ફાડતાં? અંદર ખુમારી ના હોય એવા લોકોજ આવા દંભ ને દેખાડો કરતા હોય છે. આપણી ભાષા બોલવામાં શરમ શેની? ભાઈ અમારા ન્યુ જર્સીના ડો.પંકજ પટેલ તો અમારી સાથે ગુજરાતી બોલવામાં જરાય નાનમ સમજતા નથી. કે નથી ગુજરાતી બોલવામાં નાનમ સમજતા ઓર્થોપેડિક  ડો.મોહનીશ રામાની. આમારા ફીઝીયો થેરાપીસ્ટ ડો.પૂર્વી પીઠવાના મોઢે તો વૃદ્ધ માજીને બા ચાલો, બા  હવે આ કસરત કરો, બા આવજો, બા જયશ્રી કૃષ્ણ એવું જ સાંભળવા મળે. આવું તો કદાચ ગુજરાતમાં પણ કોઈ નહિ બોલતું હોય. આપણી માનસિકતા બદલીશું તો રાજ ઠાકરેની જરૂર નહિ પડે.

શેતાનો ભારતમાં હીરો,,

          *ભારતમાં અસલમાં જે હીરો છે , એનો કોઈ ભાવ પૂછતું  નથી. અને જે શેતાનો છે એમને હીરો તરીકે બહુ માન મળે છે. એક સૈનિક દેશ માટે જીવ આપી દે છે પણ એને હીરો કોઈ માનતું જ નથી. ખાલી અમેરિકામાં સૈનિકોને હીરો તરીકે મીડિયાને પત્રકારો તથા અગ્રગણ્ય વ્યક્તિઓ વારંવાર મનાવતા હોય છે. ભારતમાં જે ખરેખર ગુનેગારો છે તેમને હીરો કહેવાનો ચાલ પડી ગયો છે. મીડિયા અને સારા ગણાતા લેખકો પણ આમાંથી બાકાત રહેતા નથી. આ બદમાશોની પ્રશસ્તિમાં બુક્સ  લખાય છે. કવિતાઓ કરાય છે, વાર્તાઓ અને નોવેલો લખાય છે અને પછી ફિલ્મો બને છે.
      *મેં પણ નાનપણમાં આવી ઘણી બધી બુક્સ વાચી છે. વાચ્યા પછી મને કદી આ ગુનેગારો પ્રત્યે નફરત થઇ નથી. કારણ વાર્તાકારની આવડત છે. એ લખેજ એવું કે એને થયેલા અન્યાયને લીધે એ ડાકુ બન્યો એમાં એનો શું વાંક? નાનામોટા અન્યાય દરેકને થતા હોય છે. અને બધા બદલો લઇ  શકતા નથી. માટે આવા લોકો બદલો લે છે ત્યારે લોકોને એમનામાં પોતાનું  પ્રતિબિંબ દેખાય છે. જે પોતે નથી કરી શક્યા, આ લોકોએ પૂરું કર્યું ને આમ એ ગુનેગારો લોકોની સહાનુભુતિ જીતી જાય છે. પ્રતિષ્ઠિત ગણાતા લેખકો પણ આવું બધું લખતા હોય છે. બીજું આ લેખકો એટલા બધા પૂજ્ય હોય છે કે લોકો અંધ થઇ ને એમની વાતો સ્વીકારી લે છે. કૃષ્ણ કહીને ગયા છે કે શંકા કરવી નહિ, પછી શું થાય?
        *મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગેંગસ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, ત્યારે  અખબારો દાઉદની બહાદુરીની વાતો છાપતા હતા. દાઉદને હીરો જ માનવા લાગેલા. જયારે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણ થીજ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે  માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઉભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો હદ જ વટાવી દીધી.
          *મને અન્યાય થાય તો મારાથી કઈ બંદુક  લઈને નીકળી  ના પડાય નિર્દોષ લોકોને મારવા માટે. સોરઠી બહારવટિયા પણ ગુનેગારો જ હતા. કોઈ દુધે ધોયેલો ના હતો. એમને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડ્યા બંદુકો ખેચી ને મરો કોનો? ગરીબ ખેડૂતોનો. અને પૈસાદાર વાણીયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો  કવિતા કરે. આ બહારવટિયા પાછા ઢોંગી કેટલા એક હાથમાં માળા ફેરવેને બીજા હાથે બંદુક ચલાવે.  લોકો તો ગાંડા ગાંડા થઇ જાય. આતો ભગત કહેવાય. પુણ્ય શાળી  જીવ. મને પોતાને પણ નાનપણમાં આ સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. આજ તો લેખકોની કળા છે ને? ભૂપત બહારવટિયાએ નવ,  પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચા પડો  એટલે નિર્દોષ લોકોને મારોં એમાં કઈ બહાદુરી? મોટા ગજાના લેખકો પણ આવી ગુનેગારોની પ્રશસ્તિમાં રાચતાં હતા. ચિત્રલેખામાં જગ્ગા ડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એની બુક્સ બહાર પડેલી. ભાગલા પહેલા એ પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુ ગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નોવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે.
                *પીંઢારા અને ઠગ લોકોનો નાશ અંગ્રેજોએ કર્યો. આ ઠગ લોકો કોઈ વેપારી વેપાર કરવા જતો હોય કે એના કુટુંબ સાથે બીજે ગામ જતો હોય ત્યારે પેલા શેઠ જેવા બની એમની સાથે થઇ જતા, વૈભવ પણ એવો બતાવે કે પેલા ને ખબર ના પડે. ચોક્કસ સમયે બધા ઠગ રેશમી રૂમાલ લઇ પેલા લોકોને ખબર ના પડે તેમ ઉભા હોય ને સરદાર નો ઈશારો થતા દરેક ને ગળે રૂમાલ વીંટી મારી નાખતા. ક્રુરતા એવી કે નાનું બાળક પણ જીવતું ના રાખે. કોઈ પુરાવો ના જોઈએ. પણ વાર્તાકારની ખૂબી એવી કે આટલા ક્રૂર માણસો માટે પણ તમને ઘૃણા ના  થાય. વાચવી હોય તો “અમીર અલી ઠગ ના પીળા રૂમાલ ની ગાંઠ” વાચી લેજો.
           સોરઠી બહારવટિયાઓએ ખુબજ કાળા કામો કરેલા છે.સોરઠના રાજાઓ એટલા બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. આપણે ત્યાં સાધુઓ  જે શેતાન જેવા કામો કરે છે તે, અને શેતાનો બધાને હીરો બનાવી દેવાનો ખોટો રીવાજ પડેલો છે. રમત ગમતમાં ખાલી ક્રિકેટરો,  બીજો કોઈ યાદ ના આવે.અને ફિલ્મી લોકોતો આંખોના તારાઓ છે. આ લોકો પાછા હોશિયાર હોય છે, સારા સારા લેખકો અંકે કરી લેવાના. વાર્તા પૂરી. એમાં અસલ હીરો જે સૈનિકો છે, વૈજ્ઞાનિકો છે એ તો ભુલાઈજ  જાય છે. કોઈ ભાવ પણ પૂછતું નથી.
        *આ લોકશાહી થોડી વહેલી આવી હોત તો ચોક્કસ જોગીદાસ ખુમાણ ગુજરાતના મુખ્ય મંત્રી હોત,અને કાદુ મકરાણી અને  હયાતખાન પોલીસ ખાતાના વડા હોત. ભૂપત ગૃહખાતું સંભાળતો હોત. ખોટો ભૂપત પાકિસ્તાન ભાગી ગયો. અહી સારો ચાન્સ હતો. આમેય શાયરોએ એમને પ્રસિદ્ધી તો અપાવી જ દીધી હતી.ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. પાછું નામ  આગળ વીર લગાવી દેવાનું. હથિયાર વગરના ગરીબ ખેડૂતો ને મારનારા વીર પુરુષો. એકાદ બે સારા કરેલા કામો ગાઈ ગાઈ ને ઢોલ પીટવાના ને એની આડમાં હજાર ખોટા કામો છુપાવી દેવાના. આ બહારવટિયાઓ નેતાઓ હોત તો છાપા વાળા શું લખતા હોત? ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વીર જોગીદાસ ખુમાણ, શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી વીર કાદુ મકરાણી સાહેબ. અનુભવ ૫૦૦ હત્યાઓ, ૧૦૦૦ લુંટ, ૨૦૦ગામ ભાગ્યાં, ૬૦૦ જાન લુંટી, ૨૦૦ વરરાજા માર્યા, નવવધુને હાથ પણ ના લગાવ્યો(ભગતડા), છેલશંકર દવેની  કુમક આવી જવાથી ૫૦૦ ગામ ભાગ્યાં વગર ભાગી ગયા. ૨૦૦૦ ખેતરોના પાક નો નાશ કર્યો.આતો સારો અનુભવ કહેવાય ચાલો જલ્દી જલ્દી શપથ લેવડાવી લો આવો મુખ્ય મંત્રી ફરી નહિ મળે.
                         *હમણા એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના લેંઘાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરતજ છુટકારો થઇ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયાણાના નાડા અને ડીલીવરીને કોઈ સબંધ ખરો?  કોઈ વૈજ્ઞાનિકતા ખરી? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગા કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું.  મોટા ગજાના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે.
       *આ સૈનિકો બોર્ડર પર લડે છે ? કોના માટે ? એમના પોતાના માટે?એમને કોઈ વ્યક્તિગત દુશ્મની ખરી પાકિસ્તાન કે ચીનના સૈનિકો સાથે? ના એમને કોઈ દુશમની નથી. એ લોકો તમારું રક્ષણ કરવા જે એમના દુશ્મન નથી, એમની સામે લડે છે. કે પછી એમની જોબ છે. જયારે આ બહારવટિયાને ડાકુઓ શું તમારા માટે લડે છે? ના એમના વ્યક્તિગત લાભાલાભ માટે નિર્દોષો ને મારે છે. એ જ તમારા હીરો? કદી શેખર કપૂરે પેલા ૨૦ ફૂલન દેવીએ   મારેલા નિર્દોષોના ઘરની  મુલાકાત લીધી છે?એમના ઘરના હાલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે   કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પી ને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી  ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.
           *કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખક ને નોવેલ લખવાનું કદી સુજ્યું છે? ના, આ શેતાન દિમાગોના ઘરે, અને જેલમાં  વારવાર ઇન્ટરવ્યું લઈને મોટી મોટી કિતાબો લખી એમના રોટલા રળી ખાધા આપણાં મહાન લેખકોએ. સૈનિક તો હિંસક કહેવાય. આ અહિંસક દેશમાં એમની શી કીમત? અને આ ગુંડાઓ તો બહાદુર કહેવાય અન્યાય સામે લડનારા, ભલે નિર્દોષ લોકો મરતા.. આટલા યુદ્ધો થયા કદી કોઈ બહાદુર સૈનિકની રીયલ સ્ટોરી જ મળી નથી આપણાં લેખકોને લખવા માટે. ગુંડાઓના ઈન્ટરવ્યું લઇ એમની પ્રશસ્તિમાંથી ઊંચા આવેતો ને?  “કાયર અને કમજોર પ્રજા હોય ત્યાં ગુનેગારો હીરો તરીકે પુંજાય”…

પરિવાર અને લગ્ન વ્યવસ્થા,,,

                          *ભલે કુદરતે માનવજાત ને બ્રેન આપ્યું પણ બીજા પ્રાણીઓ ની સરખામણી એ માનવજાત શારીરિક રીતે કમજોર છે.છઠી ઇન્દ્રિય ની બાબત માં પણ કમજોર છે.શાર્ક ને મેગ્નેટિક વેવ્સ અનુભવાય છે,તમે તરતા હોવ તો તમારા સાંધાઓ માંથી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે.તમારા લોહીના નાના મા નાના ટીપા ની સ્મેલ એને માઈલો દુર આવે છે.પવન અનુકુળ હોય તો હાથી ને માણસ ની કે બીજા પ્રાણી ની સ્મેલ માઈલો થી આવે છે.વહેલ અને હાથી માઈલો દુર એમના ભાંડુઓ સાથે હાઈ ફ્રિકવન્સી અવાજ ના મોજા મોકલી વાતચીત કરે છે.
         *કુદરત પણ આગળ નો વંશ વધારવા માટે મજબુત જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય તેવું જ ઈચ્છતી હોય છે.એને માટે બે નર લડે છે,એક માદા માટે.માદા પણ રાહ જોતી હોય છે.એને પણ મજબુત જીન્સ ઉછેરવા ગમતા હોય છે.માનવ જાત માં પણ આવુજ હોય.આવી રીતે દરેક જાત નો વિકાસ થતો હોય છે.ધીરો પણ મક્કમ.બીજા પ્રાણીઓ ની સરખામણીએ અતિશય કમજોર માનવજાત ને કદાચ આ લાંબા પ્રોસીજર માં વિશ્વાસ નહિ આવ્યો હોય.કદાચ સમૂળગું માનવ જાત નું નિકંદન નીકળી જશે એવું લાગ્યું હશે.એટલે સર્વાઇવલ થવાનો સહેલો ઉપાય ખોળી નાખ્યો હશે.એક તો પરિવાર બનાવો,કુટુંબ બનાવો,સંપીને રહો,વસ્તી વધારો.એને માટે રોજ રોજ ના ઝગડા માદા માટેના ના પોસાય.એટલે આવ્યો વિવાહ,લગ્ન,મનુષ્યો વડે રચાએલી પ્રાચિનતમ સંસ્થા.આ કોઈ ઋગ્વેદ દ્વારા ઉપરથી ફેકાએલી પવિત્ર યોજના નથી.પવિત્રતા ના વાઘા પહેરાવી અત્યાર સુધી કમજોર લોકોએ ટકાવી રાખેલી સામાન્ય સંસ્થા જ છે.મજબુત ને બળવાન નર પાસે પ્રેમ થી જતી નારી હવે રીવાજ ની સાકળ થી બંધાઈ ને જવા લાગી.કમજોર પણ બુદ્ધીશાળી માનવ સમૂહો ની શોધ છે,લગ્ન વ્યવસ્થા.એટલે પરિવાર નો  જન્મ પ્રેમ રોકવાથી થયો.એટલે જુના તમામ સમાજો આગ્રહ રાખતા કે વિવાહ પહેલા થવો જોઈએ,પ્રેમ પાછળ થી આવશે.પ્રેમ ને છૂટ મળવા માંડી છે ત્યાં પરિવાર નો પાયો ડગમગવા લાગ્યો છે.અમેરિકા માં લગભગ પરિવાર અને લગ્ન વ્યવસ્થા તૂટી ચુકી છે.
             *બે વ્યક્તિઓ ને સાથે રહેવા મજબુર કરી દઈએ , તો તેઓના માં પણ એક જાતની પસંદ પેદા થાય છે.પરંતુ એ પસંદ કે ગમતી વાત પ્રેમ નથી.ગમવું અને પ્રેમ બંને માં તફાવત છે.એટલે પછી પરિણામ સ્વરૂપ પરિવાર કલહ થી ગ્રસ્ત બની જતા હોય છે.જે દિવસે પરિવાર માં કલહ ના હતો,ત્યારે નિયમો જુદા હતા.સ્ત્રીનો કોઈ આત્મ ના હતો.કોઈ સ્વંત્રતા નહતી.માલિક અને ગુલામ વચ્હે પૂરી વ્યવસ્થા હોય તો કોઈ કલહ નું કારણ નથી.પરંતુ જેમ માનવ ની સમજ વધી ને વિવેક આવ્યો કે સ્ત્રીઓને ભયંકર અન્યાય થઇ રહ્યો છે,અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવતી ગઈ,તેમ સમાન વ્યક્તિત્વ ધરાવતા વચ્હે જો પ્રેમ ના હોય તો ફક્ત વ્યવસ્થા કલહ રોકી શકતી નથી.જ્યાં સુધી સ્ત્રી વસ્તુ હતી,મનુષ્ય ના હતી ત્યાં સુધી ઉપદ્રવ ના હતો.એક અંતર હતું.અંતર વધારે હોય તો પ્રેમ અને કલહ બંને ની સંભાવના ઓછી થઇ જાય.અંતર નજીક તેમ બંને ની સંભાવના વધુ.બરોડાની મહારાણી હીરા નો  હાર પહેરી ને જાય તો પોળ ની કોઈ સ્ત્રીને ઈર્ષા ના થાય પણ પાડોશી ની સ્ત્રી પહેરીને જાય તો ?સ્ત્રી વસ્તુ હતી ત્યાં સુધી વ્યવસ્થા થી કામ ચાલી જતું હતું.ચીન માં પતિ પત્ની ની હત્યા કરે તો જુના જમાનામાં કોર્ટ કેસ થતો નહિ.હું જાતે મારી પોતાની ખુરશી તોડી નાખું તો કઈ અદાલત મને સજા કરે?
               *આપણાં દેશ માં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ  ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા.સંત્રી બંદુકો લઇ ઉભા હોય તો જેલ માં પણ વ્યવસ્થા સારી દેખાય છે.સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય,પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત  બની નથી શકતો,જેટલો વિવાહ વાળો મતલબ એરેન્જ મેરેજ વાળો.પ્રેમ લગ્નોના પોતાના ભય સ્થાનો છે,સંભાવનાઓ છે.વિવાહ લખું એટલે એરેન્જ મેરેજ સમજવા વિનંતી છે.વિવાહ જીવનભર ની વ્યવસ્થા છે.એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતીક્તાઓ પેદા કરવી પડી.એક પુરુષ ને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબુર કરી દઈએ,તો યૌન સબંધ તો થઇ  શકે,પણ હૃદય નો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો.અને આ ભઈલો પાડોશી ની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો?પાડોશી પુરુષો ભયભીત થવાના.એટલે બધા પુરુષો ભેગા થઇ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય.જે સ્ત્રીઓ ની માલિકી  કોઈની નહિ,અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે.આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામ ની સેના નું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા.ત્યારે રામ ની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઇ ગયેલા.
               *હિન્દુસ્તાન માં બુદ્ધ અને મહાવીર ના સમય માં દરેક ગામ માં નગરવધુ હતી.ગામ ની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા.તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામ ની પત્ની,વધૂ,વહુ.કારણ સુંદરતમ સ્ત્રી ને વરવા માટે પછી પુરુષો વચ્ચે  હરીફાઈ પેદા થાય.ઝંઝટ પેદા થાય.એટલે આખું ગામ જ પતિ બની જતું.આખું ગામ ઉપયોગ કરી શકે.વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે.અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું.એ કોઈ એક માણસ ને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય.આમ્રપાલી અને અજાતશત્રુ ની કથા લોકો જાણે છે.મંદિરોમાં દેવદાસી ની પ્રથા આવી.પુજારીઓ શું કામ બાકી રહે?હિન્દુસ્થાન ની સાથે સાથે ગ્રીક મંદિરો ની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.તે સ્ત્રીઓ ગામના પુરુષોને તૃપ્ત કરવા જરૂરી હતી જેઓ પોતાની સ્ત્રીઓને પ્રેમ કરવા અસમર્થ હતા.એટલે એવું થયું કે પ્રેમ કોઈને કરવો ને બાળકો બીજે પેદા કરવા એમાં સ્ત્રીઓ બાળકો  પેદા કરવાનું મશીન બની ગયી.હવે આજે વેસ્ટર્ન કન્ટ્રીઝ માં સ્ત્રીઓ સ્વતંત્ર થઇ છે એટલે પુરુષ વૈશ્યાઓ પેદા થયા છે,ગિગોલો.મુંબઈ માં અને કલકત્તા માં મજબુત બાંધાના યુવાનો ગિગોલો બનવા લાગ્યા છે.
                  માબાપ નું કલહ યુક્ત  લગ્ન જીવન જોઈએ ને સેકડો યુવક , યુવતીઓ વિવાહ કરવાથી ડરી રહ્યા છે.અમેરિકા માં તો ભાગ્યેજ કોઈ લગ્ન ની વિધિમાં થી પસાર થતું હશે.બહુ ઓછા.પાચ પાચ ફૂટ ના ચાર છોકરા સાથે એક કપલ મળેલું કહે હવે અમે લગ્ન કરવાના છીએ.મેં કહ્યું કે હવે વળી શું જરૂર છે?એટલે આપણાં પુરાણા જમાના ના ડાહ્યા લોકોએ બાળ  વિવાહ  ની શોધ કરેલી.ચોંકવાનો કે ડરવાનો સવાલ જ નહિ,ચોંકે કે ડરે ત્યારે પોતાને વિવાહિત જ પામે.બાલવિવાહ એટલે બે જણ ને એવા આધાર પર પતિ પત્ની બનાવી દીધા કે જેવી રીતે માં,બેટા કે ભાઈ બહેન નો સબંધ બને છે.હું મારી માં કે ભાઈ,બહેન,કાકા,કાકી મામા,મામી આ સબંધ બદલી ના શકું.જન્મ સાથેજ આ સબંધો મળી જાય છે.એમાં કોઈ ચોઈસ નથી.ગમે તેટલું મન દુખ થાય માં કે બહેન બદલી શકાય નહિ.એમજ પત્નીનો સબંધ પણ બાલવિવાહ સાથે જન્મ થીજ બાંધી દીધો.પંદર વર્ષે હોશ આવે ત્યારે ખબર પડે કે પત્ની પણ મળેલી જ છે,જેવી રીતે માં કે બહેન.ગમેતેટલું મન દુખ થાય જેમ માં ના બદલી શકાય તેમ પત્ની પણ.
                *પ્રેમ લગ્ન નો પ્રોબ્લેમ એ છે,કે પ્રેમ ખતરનાક છે.પ્રેમ એક આગ છે.પ્રેમ જરૂરી નથી આજે છે ને કાલે પણ રહેશે?મન ચંચલ છે.વિવાહ આજે છે ને કાલે પણ રહેશે.પ્રેમ નો મતલબ છે પલ પલ જીવવું.આજે હું તમને પ્રેમ કરું છું કાલ નો શો ભરોસો? એટલે પ્રેયસી ને પત્ની બનાવી કે આકર્ષણ ગયું.ડીમાંડ કરી શકાય છે.ના મળે તો ઝગડો કરી શકાય છે.અમેરિકા માં પ્રેમ વિવાહ તુટવા લાગ્યા છે ને અહી ભારત માં એરેન્જ વિવાહ તુટવા  લાગ્યા છે.જ્યાં સુધી આપણે સ્ત્રી અને પુરુષ ને સાથે સાથે સહજ રીતે સ્વીકાર ના કરી શકીએ ત્યાં સુધી એમના જીવન માં પ્રેમ નો સ્વર પેદા ના કરી શકીએ.જ્યાં છોકરા છોકરીઓ સાથે રમી રહ્યા હોય,દોડી રહ્યા હોય,તરી રહ્યા હોય,ગપસપ કરી રહ્યા હોય,એમાં ચિંતા નું કોઈ કારણ નથી.જયારે આપણે સ્ત્રી પુરુષ ના સબંધોને પૂર્ણ સ્વસ્થતા,સહજતા,નીસર્ગતા થી લઈશું ત્યારેજ એક નવો પરિવાર પેદા થશે.આપણી પુરાણી વિચારધારા માં ભય ના થોડા કારણો હતા.છોકરા છોકરીઓ ને જો સાથે વધારે છૂટ આપવામાં આવે તો અવિવાહિત હોય ને સંતાનોને જન્મ આપી દે.આ ડર માટે એકજ ઉપાય હતો કે બને એટલા દુર રાખો.હવે આજે અમેરિકા માં તો કુવારા બાળકોને જન્મ આપવામાં કોઈ છોછ નથી રહ્યો.છતાય એવા બનાવો પ્રાચીન ભારત માં પણ  બનતા હતા.માતા કુંતી એ કર્ણ ને એવી રીતે જ જન્મ આપેલો.છતાં એ સમાજ એટલો રૂઢીચુસ્ત નહિ હોય.એમને પરમ પુજ્નીય માતા નું સ્થાન આપેલું હશે.સ્ત્રી પુરુષ ના મિલન વગર છોકરા ના થાય.પાંચે પાંડવો અલગ અલગ પિતા થી થયેલા હતા.કોઈ જરૂરિયાત હશે.
              *મુલવાત એ છે કે છોકરા છોકરીઓને દુર રાખવા એ કોઈ સજ્જડ ઉપાય નથી.યુરોપ ના મ્યુઝીયમ માં કોઈ ગયું હશે તો ત્યાં એક અજબ ની વસ્તુ જોઈ હશે.ચેસ્ટીટી બેલ્ટ.યુરોપ નો પુરુષ વેપાર કે યુદ્ધ કે બીજા કોઈ કામે બહાર જાય તો પત્નીને કમર ઉપર એક બેલ્ટ બાંધી દે અને મારે તાળું.ચાવી જોડે લેતો જાય.જેથી બીજો કોઈ કામાનંદ માટે  એનો ઉપયોગ ના કરી શકે.જે સતીત્વ ની રક્ષા માટે તાળું મારવું પડે,એનું મુલ્ય કેટલું?આપણી આખીય નૈતિકતા તાળા ને ચાવીઓ ની છે.એ અલગ વાત છે કે આપણે અલગ અલગ ચેસ્ટીટી બેલ્ટ નું નિર્માણ કરીએ છીએ.ઋષિ મુનિયોએ કહેલું કે સ્ત્રીને પહેરા વગર રાખવી નહિ. છોકરી હોય તો બાપ,યુવાન થાય તો પતિ,ઘરડી થાય તો બેટો.જેટલી અસહજ વ્યવસ્થા એટલો આદમી પણ અસહજ .સીતાની અગ્નિપરિક્ષા લેવી પડી,એમાંથી પાસ થયા તો એક સાધારણ માણસ ના કહેવાથી ત્યાગ કરવો પડ્યો,અને એપણ ગર્ભવતી હતી પેટ માં પોતાના જોડિયા બાળકો  હતા, ત્યારે મર્યાદા પુરુષોત્તમે દૂધ માંથી માંખી ફેકી દે તેમ ફેકી દીધી.ચેસ્ટીટી બેલ્ટ નો જ મામલો.આ કેવી નૈતિકતા?આવી બીમાર નૈતિકતા ને લીધે આખો સમાજ સેક્સ ઓબ્સેસ્ડ થઇ ગયો.યૌન અને સેક્સ એના ચિંતન નો આધાર બની ગ્યો.ઉપરનો દેખાવ જુદો અંદર થી જુદો.પતિ પત્ની બંને એકબીજા થી ડરે.પતિ મોડો આવે હજાર સવાલ ક્યાં ગયા હતા?પતિનું પણ એવુજ .ભલે આપણે ધાર્મિક કહેવાતા હોઈએ,આપણાં લોકો જેટલા સેક્સ ઓબ્સેસ્ડ લોકો બીજા કોઈ નહિ હોય.
                     *પરિવાર નો પાયો પ્રેમ હોવો જોઈએ,સ્ત્રી પુરુષ વચ્હે સહજ સબંધો વિકસવા જોઈએ,બને એટલા બાલ્ય અવસ્થા થીજ છોકરા છોકરીઓને નજદીક સહજતાથી જીવવાનું શીખવવું જોઈએ.અલગ સ્કૂલો અલગ બેંચ બેસવું એવું ના હોવું જોઈએ,સેક્સ ને ખરાબ ગણીને ,માનીને,તેને વગોવ્યા વગર તેની સહજ અનીવાર્યતા માનવી જોઈએ.બાળકો ને પણ સેક્સ ખરાબ છે તેવું  શિક્ષણ ના આપવું જોઈએ,કે એવા કહેવાતા ધર્મગુરુઓનું ચિંતન કે ફિલોસોફી તેમના મનમાં ના ઉતારે તે માટે એવા લોકોથી તેમને દુર રાખવા જોઈએ.તો જ એક નવા પરિવાર નું નિર્માણ થશે.એ હશે સહજ પરિવાર.