Category Archives: વિચારવા વિનંતી

નર્કારોહણ-૬

નર્કારોહણ-૬

નર્કમાંથી અમને એમ હતું કે  જલદી ભાગી જઈશું, પણ ધરતી પરના મિત્રો હવે અમને અહીં જ રાખવા માંગતા હોય તેમ લાગે છે. પાછાં અહીં આવીને માથું ખાશે. અમે પણ રોજ મિત્રોને અહીંનો અહેવાલ મોકલીએ છીએ તો મિત્રોને પણ મજા પડી ગઈ છે. એટલે મારા બેટા કહે છે ત્યાં જ રહો ને નવા ઈન્ટર્વ્યુ લઈ અને અમને મોકલતાં રહો. અમને પણ કોઈ વાંધો નથી. અહીં નરક જેવું લાગતું પણ નથી. અહીં તો મોટા મોટા ફેમસ મહાનુભવો ભેગાં થયા છે. શીતલ જળનાં ફુવારાથી શોભતી વાટીકાઓ, કલ કલ કરતા ખળ ખળ વહેતા ઝરણાં, મજા છે અહીં તો. ત્યાં દૂર એક શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ માતુશ્રી જોયા.

રશ્મીભાઈ કહે, ‘આ તો માતા કુંતી! ચાલો એમની પણ મુલાકાત લઈને પૂછી લઈએ.’

અમે પાસે ગયા ને, પાયે લાગુ માતુશ્રી કહીને એમની પાસે બેસી ગયા.

‘આવો વત્સ, અમારા મોટા દીકરાની સારી ઝાટકણી કરી લીધી. હવે અમારો વારો લાગે છે કેમ?’

‘માતુશ્રી, મહત્વનો એક સવાલ એ છે કે આપે મંત્રોથી પુત્રો પ્રાપ્ત કર્યા તે ગળે ઊતરતું નથી.’

‘વત્સ, સાચી વાત છે નર નારીનાં સંસર્ગ વગર કોઈ સંતાન ના થાય.’

‘આપે, ટીનેજર હતા ને કુંવારા હતા અને ભૂલ કરેલી કોઈ સૂર્ય નામના પ્રતાપી નર પાસેથી પુત્ર પ્રાપ્ત કરેલો કેમ?’

‘વત્સ અમે તો મુગ્ધાવસ્થામાં હતા, પણ એ ભાઈની પણ ભૂલ તો ખરી ને કે અમને સાચો રાહ બતાવે.’

‘સાચી વાત છે, આજે અમેરિકામાં ટીનએજરની સંમતિને પણ કોર્ટ સંમતિ નથી માનતી, અને પુખ્ત માણસની ભૂલ સમજીને સજા કરે છે.’

‘આપે દરેક પુત્રો એવી રીતે જ પ્રાપ્ત કરેલા, કેમ?’

‘વત્સ! શું કરીએ, આ ફેમિલીમાં નપુંસકતાનો શ્રાપ હતો. પહેલા પણ આગલી પેઢીમાં વ્યાસજી આવીને પુત્રો આપી ગયેલા.’

‘માતુશ્રી આ મંત્રની વાતનું શું રહસ્ય હશે?’

‘વત્સ, જુઓ મંત્ર તો એક કોડવર્ડ જેવું જે તે માણસ હાજર થઈ જાય. બાકી એમ મંત્રોથી સંતાનો થઈ જતા હોય તો જોઈતું તું શું? પણ એક વસ્તુ હતી કે એમાં અમારી કોઈ સ્વચ્છંદતા જરાય ના હતી, એક મજબૂરી હતી સંતાનો પ્રાપ્ત કરવાની.’

‘પણ એમાં ભૂલ થઈ ગઈ હતી કે કર્ણનો જન્મ થઈ ગયો.’

‘વત્સ, એ વખતે અમને નાની ઉંમરના કારણે ભાન હતું નહિ, કુતુહલ વશ પણ હતા. સમાજનાં ડર અને નીતિનિયમના કારણે અમારે કર્ણને છોડી દેવો પડેલો.’

‘માતુશ્રી આજે પણ એવું જ છે હજુ ભારતની હાલત બહુ સુધરી નથી. પણ મેડિકલના જ્ઞાનને લીધે મુગ્ધાઓની ભૂલો ઢંકાઈ જાય છે. કર્ણને જન્મ આપતા પહેલા મ્રત્યુને હવાલે કરી દેવામાં આવે છે. જેથી આખી જીંદગીની અવહેલાનાઓથી કર્ણો બચી જાય છે.’

‘વત્સ, હજુ આજે પણ સૂર્યો છે ભારતમાં?’ માતાએ સવાલ પૂછ્યો.

‘હા! માતુશ્રી આપના જમાનામાં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કૂલના શિક્ષકો, કૉલેજના ગુરુઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરુજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી. દરેક જગ્યાએ મુગ્ધાઓને એમની અવસ્થાનો ગેરલાભ લઈને કર્ણની ભેટ આપી દેવા માટે યુવાનોથી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા વૃદ્ધો સુધ્ધા ટાંપીને બેઠેલા છે. પછી આ કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગાં થઈ જાય છે.’ મેં કહ્યું.

‘અમે પણ ખૂબ પસ્તાતા હતા, પણ કશું કરી શકતા નહોતા.’ માતા બોલ્યા.

‘પણ આપે એને ખાબ અન્યાય કરેલો, છેક સુધી જાણતાં હોવા છતાં, અને બીજા પુત્રોને બચાવવા માટે પાછાં એને મળવા ગયેલ.’ મેં કહ્યું.

‘અમે પણ સામાન્ય સ્ત્રી હતા. ભલે લોકો જે કહે તે પણ અમારી દુન્યવી ભાવનાઓ યથાવત હતી. એ દુશ્મન દળમાં ભળેલો હતો. અમને અમારા બીજા પુત્રો જે અમારી સાથે વધારે  રહેલા હોય તેમની પ્રત્યે માયા વધારે હોય તે સ્વાભાવિક છે.’ કુન્તા માતા બોલ્યા.

‘આ દ્રૌપદીને વસ્તુ હોય તેમ બધાને વહેંચી ખાવા માટે આપે સોંપી દીધી તે પણ આપણી ભૂલ નહોતી શું?’

‘હા એમાં અમે અણ જાણ હતા અને બોલાઈ ગયેલું તે આ લોકોએ પકડી લીધું. મૂળ બધા જેલસ થતા હશે તે અમારી વાત પકડી લીધી. અને અમને પણ થયું કે બધા ભાઈ લડી મરે એક સ્ત્રી માટે અને સંપ ના રહે એના કરતા છોને વહેંચીને ખાય. અર્જુનને તો બીજી મળી જશે પ્રેમ કરવાવાળી.’

‘માતુશ્રી ભારતમાં કોઈ દુઃખી વ્યક્તિને પૂછીએ કે કેમ દુઃખી છો? તો કહેશે માતા કુંતીએ પણ ભગવાન પાસે દુઃખ માંગેલું કે જેથી પ્રભુનું સ્મરણ રહે.’

‘વત્સ, અમે તો જન્મથી દુઃખી જ હતા. અમે શું દુઃખ માંગવાનાં હતા? કુંવારા માતા બન્યા, પુત્રને છોડવો પડ્યો, પતિ નપુંસક, બીજા પુરુષોના સહારો લેવો પડે,  કુટુંબીઓ પરેશાન કરે. એમાં વળી સ્ત્રી તરીકે ભારતમાં જન્મ,  દુઃખ શોધવા થોડું જવું પડે?’ માતાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

‘માતુશ્રી અમને પણ આપના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી છે, પણ અમારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’ મેં જરા લાંબું ભાષણ ઠોક્યું.

‘વત્સ, સાચી વાત છે તમારી, આપણાં દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’

માતા કુંતીને છોડી અમે આગળ વધી ગયા. અમે એમને વધારે મહેણાં મારી દુઃખી કરવા નહોતા ઇચ્છતા. એ પોતે દુઃખનો પર્યાય હતા. પહેલી વાર અમે થોડા ઢીલા પડ્યા. કે પછી જગતની તમામ માતાઓ પ્રત્યેની કૂણી લાગણી હશે. ભગવાનને ક્યાં જોયો છે? અને માનીએ પણ ક્યાં છીએ? પણ માતા તો જોઈ છે. એક નહિ બે; બબ્બે માતાના પ્રેમ થકી પોરસાયેલા છીએ ત્યારે  તો આજે ભગવાન સામે પણ બાથ ભીડી શકીએ છીએ.

ગુરુ દેવો ભવઃ?????

 ગુરુ દેવો ભવઃ
गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના.
‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટલે ભારે, વજનદાર, ભાર. જ્ઞાનનો ભાર છે તેનામાં. લેટીનમાં ‘gravis’, grave,weighty, serious , ગ્રીકમાં barus ‘heavy ‘, All three derive from the  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન રુટ * gʷerə-, specifically from the Zero-grade  form *gʷr̥ə-.[12]
ગુરુ એટલે શિક્ષક. અમારા મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ઉપરના શ્લોકનો અર્થ સમજાવતા કહે છે કે બ્રહ્માને ગુરુ માનો, જેણે આ યુનિવર્સની રચના કરી છે. વિષ્ણુને ગુરુ માનો, શંકરને ગુરુ માનો. જે સર્જન અને વિસર્જનની શક્તિ કે નિયમ છે. મને પણ સાચી લાગે છે વાત. મારા એક સંસ્કૃતમાં અતિ રસ ધરાવતા સબંધીને પૂછ્યું કે આ હાલ કોઈ ગુરુઓના ઠેકાણાં નથી. બધા એમના વાડાઓ ઘેંટાઓથી ભરવામાં પડ્યા છે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને જ ગુરુ માનીએ તો શું ખોટું? વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ કહેવાય? તો જવાબ મળ્યો કે ના. એમના કહેવા પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ  કોઈ એ જોયા નથી માટે આ ત્રણે પેલા ગુરુમાં છે તેમ માનીને બધા ચાલતા હોય છે. અહી જ ગરબડ શરૂ થઇ. ગુરુ પોતે ભગવાન બની ગયા.
જો કે હું બ્રહ્માને કોઈ ભગવાન માનતો નથી. જે કઈ બિંગ બેંગ કે જે હોય તે, જેના વડે યુનિવર્સની રચના થઇ તે નિયમને  હું બ્રહ્મા માનું તો કોઈને વાંધો છે?  બ્રહ્માંડ એટલે વિસ્તરવું,  સાયન્સ પણ કહે છે કે યુનિવર્સ વિસ્તરતું જ જાય છે. હવે દરેક સજીવને ખાવા પીવા, અને ઓક્સીજન મળે છે તે થયા વિષ્ણુ. હું કોઈ વિષ્ણુ ભગવાન છે તેવું માની શકતો નથી. અને કેટાંસ્ટ્રોફી, સર્જન વિસર્જન થયા કરે તે જ શંકર. કોઈ શંકર હિમાલય ઉપર બેઠા નથી. બસ આ ત્રણ પાસેથી એટલું બધું શીખવાનું છે કે આખી જીંદગી પૂરી થઇ જાય. વૈજ્ઞાનિકો આ ત્રણ પાસેથી જ શીખે જાય છે. ચરક આ જ વિષ્ણુ પાસેથી વનસ્પતિનું જ્ઞાન મેળવીને હર્બલ મેડીસીન શીખ્યા હતા. વાત્સ્યાયન આ જ શંકર પાસેથી સર્જનનું જ્ઞાન મેળવીને કામસૂત્ર લખી ગયા. આઈનસ્ટાઇન અને સ્ટીવન હોકિન્સ આ જ બ્રહ્મા પાસેથી યુનિવર્સના કોયડા ઉકેલતાં હતા.
ભારતની ગાડરિયા પ્રવાહમાં હમેશાં તણાઈ જનારી પ્રજાને ભરમાવી દેવા માટે ગુરુ ગાથાઓની હજારો વાતો રચાઈ ગઈ. એક આખો વર્ગ મફતમાં ફક્ત બેસી રહીને રોટલા તોડતો થઇ ગયો. એક ચાલાક લુચ્ચાઈ ચાલુ થઇ ગઈ. કશું કામ કરવું ના પડે અને પેઢીઓ સુધી વર્ષો સુધી રોટલા નીકળે જાય એનું નામ ભારતની ગુરુપ્રથા. ના જ્ઞાનની કોઈને પડી છે, ના જ્ઞાન દેવાની કે લેવાની પડી છે. સ્વર્ગની લાલચો  અપાઈ ગઈ છે. પરલોકની બાહેધરીઓ આપી દેવામાં આવી છે. આ લોકના ઠેકાણા નથી, અને પરલોકની ગેરંટી? આજ ગેરંટીના લીધે લોકો ધબ્બા મરાવીને ખભા તોડાવે જાય છે, ને રોટલા દીધે જાય છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ઉડે વિમાનમાં ને ગોવિંદ ગયા ભાડમાં. ગોવિંદનો મહીમાં  ઘટાડી ગુરુનો વધારી દીધો. રોટલાની એક સારી તરકીબ. દવે સાહેબ કહેતા હતા કે હાલ ભારતમાં જીવતા ભગવાનની સંખ્યા ચાર આંકડામાં છે, આ બધા ગુરુઓ જ છે. દરેકને ભગવાન બનવું છે. માટે એકજ પંથમાંથી બીજા ફાંટા પડે જાય છે. આ પ્રથા એટલી હદ સુધી સડી ચુકેલી છે કે  આ ગુરુપ્રથાને સમુળગી વિદાય દેવાની ઘડી આવી ગઈ છે. ગુરુ થુંકે પાન ખાઈને તો અમીર મુરખો ચાટી જાય છે. ગ્રુરુ  એના મોઢામાંથી એંઠું પાન ખવડાવે તો ભક્તોને વૈકુંઠ મળી જાય છે. ગુરુઓ ખાઈને ઉભા થાય તો કરોડોપતિઓ ભિખારીઓની જેમ પેલી એંઠી પતરાળીઓ માટે ઝૂટાંઝુંટ કરી મુકે છે. શું આને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારું કહેવાય.
એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?
એક શું વલ્લભાચાર્યે એમનો પંથ સ્થાપ્યો, ને ૫૦૦ વર્ષથી એમના હજારો વારસદારો કશું પણ કર્યા વગર હાથ પગ હલાવ્યા વગર ભારતની પ્રજા માથે બોજ બનીને ખાધે રાખે છે. એક શું પાંડેજી એ એમની ગાદી સ્થાપી અને એમના ભાઈઓના સંતાનોને બોલાવીને સોપી દીધી આજે ૨૨૦ વર્ષથી કશા પણ ઉદ્યમ વગર રોટલાપાની ઠીક વૈભવી જીવન જીવી રહ્યા છે. એક વૈકુંઠની ગેરંટી આપે બીજો પરલોકની જવાબદારી લે છે. એમના ચેલાઓ મંદિર નામની દુકાન વધાર્યે જ જાય છે. આ શું કોઈ આત્મજ્ઞાનની મહેનત છે? અરે એમના આત્મજ્ઞાન અને મોક્ષની કીંમત આપણે ચુકવવાની? એમના મોક્ષની ફિકરમાં આપણે મહેનત કરીને કમાયે રાખવાનું? જાતે મહેનત કરે, કમાય,ખાય અને મોક્ષ મેળવે. એમને મળેલો મોક્ષ આપણને આપી દેવાના છે? એ વખતે તો કહેવાના કે એ તો જાતે અનુભૂતિ મેળવવી પડે. આત્મ સાક્ષાત્કાર તો જાતે કરવો પડે. તો જાતે કરીશું. તમે અમારા ઉપર બોજ શું કામ બનો? સમજો એમના કલ્યાણનો ખર્ચો  આપણી પાસે કરાવે છે, બીલ બધા આપણે ભરવાના.
અરે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે. એક કારેલાં, ગલકાં, તુરિયા કે બીજી કોઈ પણ વેલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે કોઈનો સહારો લઇને સર્વાઈવ થઇ જવાય. એક નાના બાળક પાસેથી શીખવાનું છે કે વર્તમાનમાં કઈ રીતે જીવીને આનંદ લઇ શકાય. પ્રકૃતિની એક નાનામાં નાની વસ્તુ પાસેથી જીવનના મહત્વનાં પાઠ ભણી શકાય છે. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ગુરુઓ પાસેથી શું શીખવાનું? સંસાર પોતે જ એક મોટો ગુરુ છે.અકર્મણ્યતા ભારતનું મહા કલંક છે એનું પરિણામ છે ગુરુપ્રથા. ૫૦ લાખ સાધુઓથી શોભિત ભારત!! ૫૦ લાખ અન્પ્રોડક્ટીવ વેસ્ટથી દુર્ગંધ મારતું  ભારત!! ખાતરમાં પણ કામ ના લાગે તેવો વેસ્ટ, કામે લગાડી દો. બધી જ્ઞાન, પરલોક, સ્વર્ગ, સુખ, દુખ, કર્મ, ધર્મ, પાપ, પુણ્યની વાતો હવામાં ઉડી જશે.

નર્કારોહણ-૪

દેવાધિદેવ ઇન્દ્ર

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ  ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ  મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી  લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન,  સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી  છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા  માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ  ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
      હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું.  એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
   હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?

નર્કારોહણ-૩

નર્કારોહણ-૩
ત્રીજો દિવસ થયો આજે નર્કમાં આવ્યે. દેસાઈ સાહેબ લિસ્ટ લઈને બેઠાં હતાં. મારા પહેલાં આવીને બધું ચેક કરીને બેઠેલા. કોના ઇન્ટર્વ્યૂ લેવાના, કોઈ રહી ના જાય એ માટે લિસ્ટ બનાવેલું.
‘ચાલો આજે દુનિયાના સૌ પ્રથમ રેશનલ માણસને મેળવી દઉં, દેસાઈ સાહેબ બોલ્યા.
‘એ કોણ? રેશનલીઝમ તો હમણાં ચાલુ થયું છે.’
‘ચાલો તો ખરા! એ માણસ સૌ પ્રથમ હતો જેણે ઇશ્વરભાઇમાં માનવાનું બંધ કરેલું.’
અમે તો ચાલ્યા. ત્યાં તો દૂર દૂરથી “બુદ્ધમ શરણમ ગચ્છામિ”નો નારો મધુર અવાજમાં સંભળાવા લાગ્યો. એક ઝાડ નીચે ભગવાન બુદ્ધ બેઠેલા જોયા એમની જગપ્રસિદ્ધ મુદ્રામાં. બાજુમાં દલાઇ લામા પણ જોયા.
મેં કહ્યું, ‘દેસાઈ સાહેબ, આ લામા હજુ જીવતાં છે ને અહીં શું કરે છે?’
‘અરે! એતો ત્યાં સૂતાં હોય ત્યારે અહીં આંટો  મારી જાય છે, એ બહાને ચેક થઈ  જાય ભવિષ્યમાં અહીં જ આવવાનું છે.’
‘એવું કેમ? એ તો બહુ મોટા ધાર્મિક ગુરુ છે, એમને અહીં શું કામ આવવું પડે?”
‘જુઓ, પૃથ્વી પર હમણાં કોઈ પ્રેસિડન્ટ નવા આવ્યા છે, એમનો હુકમ છે કે જે કોઈ માંસાહારી હોય તે બધા ને નર્કમાં મોકલી આપવા.’
‘કોણ? પ્રેસિડન્ટ સ્વામીની વાત કરો છો? હવે સમજ્યો, આ દલાઇ લામા અહીં કેમ આંટા મારે છે, અમેરિકા જાય ત્યારે  સદાય હસતા નિર્દોષ દેખાતા આ ડોસા આરામથી દરિયાઈ વાનગી ખાતાં હોય છે.’
અમે તો ભગવાન બુદ્ધની પાસે જઈ વંદન કરી ને બેઠાં. આ બધા ભગવાન મૂળ અંતર્યામી એટલે  અગાઉથી જાણી જાય કે  આપણે શું કામ આવ્યા છીએ. મારો પહેલો સવાલ હંમેશની જેમ,
‘ભગવાન આપ પણ અહીં?’
‘વત્સ,મૂળ અમે નાસ્તિક એટલે આના સિવાય બીજે ક્યાં  જગ્યા હોય?’ વળી અમારાંથી પણ એક ભૂલ થઈ ગયેલી.’
‘ભૂલ? અને તે પણ ભગવાન આપનાથી?’
‘વત્સ, એકવાર એક અમારો  ભિક્ષુ ભિક્ષા પાત્રમાં માંસનો એક ટુકડો લઈને આવ્યો,  અને પૂછે કે કોઈ ભિક્ષામાં માંસ આપે તો શું કરવું? ફેંકી દેવું કે ખાઈ લેવું? અમે વિચાર્યું કે ભિક્ષાનું અપમાન ના થાય. અને ના પાડીશ તો આ લોકોના મનમાં ચોઈસ ઘૂસી જશે. માટે અમે હા પાડી કે ભિક્ષામાં આપે તો ખાઈ લેવું. એમાં અમારી ભૂલ આમતો નથી, પણ ભિક્ષુઓએ અવળો અર્થ લઈ લીધો.
‘ભગવાન જરા વધુ ફોડ પાડો.’
‘વત્સ, લોકો એમના મનમાં જે ચાલતું હોય તેવી રીતે જ સમજતા હોય છે. એમની જ દીધે રાખતા હોય છે અને મન ફાવતા અર્થ કરી લેતા હોય છે. એટલે મારા આદેશનો અવળો અર્થ લઈને મારા ભિક્ષુઓએ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. એ માટે ભક્તોને અગાઉથી જ કહી દે કે આજે આનું માંસ ભિક્ષામાં આપજો. અરે ઘણા તો પોતે જે પક્ષી ખાવું હોય તે વેચાતું લઈ ને ભક્તોના ઘરે મોકલી આપે, એટલે પેલો એને ભોજનમાં પરિવર્તિત કરી ભિક્ષામાં આપે.’
‘ભગવાન,સાચી વાત છે. લોકો મનગમતાં અર્થ કરી લેતા હોય છે. બાકી આપ તો કરુણાના અવતાર છો આપ આવી હિંસામાં ના માનો.’
‘વત્સ, બીજો દાખલો આપું હું પોતે ઈશ્વરનો ઇનકાર કરી ચૂકેલો, છતાં મને માનનારા મને જ ઈશ્વર બનાવી બેઠાં છે.’
‘સાચી વાત ભગવાન, માટે તો આપ જગતના પ્રથમ રેશનલ ગણાવ, પણ આપના ભક્તો નહિ.’
‘વત્સ, વિરોધાભાસ જુઓ મેં દુનિયાને અહિંસાનાં ખયાલ આપ્યા, પણ મને માનવાવાળા દેશો જેવા કે ચીન અને જાપાન અને બીજા ઘણા બધા કોઈ જીવ જંતુ, પશુ પક્ષી કે સરીસર્પ ખાવા માટે બાકી રાખતાં નથી. સજીવો ઉપર સૌથી વધુ જુલમ, હિંસા, ક્રૂરતા આ લોકો જ કરે છે.’
‘સાચી વાત છે ભગવાન, સાપ, દેડકા, ઉંદરથી માંડીને કૂતરાં સુદ્ધાં ખાઈ જાય છે, હવે આમાં આપની કરુણા તો હવાઈ જ ગયી છે.’
‘વત્સ, એક વાર સભા પૂરી થઈ એટલે અમે કહ્યું કે હવે સૌ પોતાનું  નિત્ય કર્મ કરો, મારો આશય હતો કે ધ્યાન કરો, પણ સભામાં આવેલો ચોર ચોરી કરવા ગયો, વૈશ્યા એના ગ્રાહકો જોડે ગઈ, લૂંટારો લૂંટ કરવા ગયો. બધા કહે  ભગવાને કહ્યું છે. બોલો જગતનું આવું છે ભાઈ.’
‘ભગવાન એક સવાલ કે આપે જ્ઞાન મેળવવા ઘર, સુંદર પત્ની અને કુટુંબ છોડી દીધું એ જ્ઞાન ઘરમાં રહી ને ના મેળવી શકાય તેવું હતું? આ હિંદુઓના તો દરેક ઋષિ મુનિઓ પરણેલાં અને બાળ બચ્ચાંવાળા હતાં.’
‘વત્સ, તમારી વાત સાચી છે. ઘરમાં રહીને પણ મેળવી શક્યા હોત. તમારા જેવો સવાલ અમે જ્ઞાન મેળવીને પ્રથમ વાર પાછાં આવ્યા ત્યારે યશોધરાએ પણ કરેલો. ત્યારે અમે ડિપ્લોમેટીક જવાબ આપેલો કે મેળવી શક્યા હોત પણ એ વખતે લાગતું હતું કે સંસારમાં રહીને જ્ઞાન નહિ મળે માટે ભાગી ગયેલા. મૂળ અમે રાજકુંવર હતા, અમે કદી જીવનની વિષમતાઓ જોયેલી નહિ.પહેલીવાર જોઇને ગભરાઈ ગયેલા, ડીપ્રેશનમાં આવી ગયેલા માટે સંસાર અસાર છે સમજી ભાગી ગયેલા, પણ એ ખોટું હતું તે સમજ્યા ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.’
મૂળ કરુણાના અવતાર ગણાતા ભગવાન બુદ્ધની આંખોમાં આટલું બોલતા બોલતા આંસુ તગતગવા લાગ્યા એટલે હું દલાઈ લામાજી તરફ વળી ગયો. એ એમનું સદાયનું લાક્ષણિક ખી ખી કરતું હાસ્ય કરતા મારી સામે જોઈ રહેલાં.
મેં એમને નમસ્કાર કરીને પૂછવાનું ચાલુ કર્યું, ‘લામાજી આપ ખાલી આંટો મારવા આવ્યા લાગો છો?’
‘હા ભાઈ, આમેય હવે ત્યાં પ્રેસિડન્ટ સ્વામી જ ભગવાન છે, પ્રગટ બ્રહ્મ છે માટે એમના આદેશ મુજબ અમારે અહીં જ વાસ કરવાનો છે. માટે જરા જોવા આવી જાઉં છું. એ બહાને અમારા ભગવાન જોડે મુલાકાત પણ થઈ જાય છે.’
‘આપ પણ મોટાભાગે અમેરિકામાં ફરતા હોવ છો, ત્યારે સીફૂડ ઝાપટતાં હો છો, એ ખોટું ના કહેવાય?’
‘ભાઈલા, એ વાંક આમનો છે,’  લામાજીએ ભગવાન બુદ્ધ તરફ ઇશારો કર્યો. ‘તેઓશ્રીએ મહાવીર સ્વામિની જેમ કડક થઈને સ્પષ્ટ ના પાડવી જોઇતી હતી.’
‘લામાજી આપની વાત સાચી છે, પણ હવે તો અમેરિકા અને ભારત સુધ્ધા માને છે કે તિબેટ આપનું નથી. ધર્મગુરુઓનાં હાથમાં રાજકારણ અને દેશની ધુરા સોંપી ના દેવાય.’
‘ભાઈ, હવે એવું છે કે આખી દુનિયા જાણે છે કે તિબેટ અમારું જ છે, પણ ચીન હવે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એને કોણ કહે?’
‘લામાજી ખોટું ના લગાડતા પણ કુદરતનો નિયમ છે કે સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ, કુદરત માટે બધા સરખાં જ છે કોઈ વિશેષ નથી.’
લામાજી પાસે કોઈ જવાબ નહિ હોય તે નિરુત્તર થઈ ગયા.
હું અને દેસાઈ સાહેબ આગળ વધ્યા. મેં દેસાઈ સાહેબને પૂછ્યું કે હવે કોને મળીશું?
દેસાઈ સાહેબે પ્રેમભરી સ્પષ્ટ સૂચના આપી કે મને દેસાઈ સાહેબ ના કહેશો. ખાલી રશ્મિકાંત કહેજો. મારે પણ રશ્મિ નામ સાથે સારું લેણું છે. મારા વડોદરા નિવાસ દરમ્યાન ખાસ મિત્ર વડોદરાના વન ઑફ ધ બેસ્ટ ફોટોગ્રાફર રશ્મિન શાહ મારા ખાસ મિત્ર હતા. આજે પણ છે જ. એમનો સ્ટુડીઓ પાણીગેટ બહાર વામા સ્ક્વેરમાં છે. મેં રશ્મિકાંતને કહ્યું કે આ મારા મિત્ર રશ્મિન  શાહની નાની દીકરી આકાશમાં જ્યારે પણ કોઈ પ્લેન જુએ કે તરત એના પપ્પાને કહેશે પાપા ચાલોને એક વાર તો રાઓલજી અંકલ પાસે અમેરિકા  લઈ જાઓ. જ્યારે જ્યારે રશ્મિનભાઈ મને ફોન ઉપર આ વાત કરે ત્યારે મને કથાકાર બાપુ યાદ આવી જાય. પેલી દીકરી તો ચાઈલ્ડ જ છે, બાપુ પણ?
ચાલો વિમાનમાં કથા કરવા જઈએ. જો કે દરેક પુખ્ત માણસમાં પણ એક બાળક ક્યાંક તો એના અવચેતનમાં છુપાઈ ને બેઠેલું તો હોય જ છે. મારા, તમારા અને બધામાં. એટલામાં ભગવાન શ્રી રામ ફરતાં ફરતાં અમારી નજીક આવી ગયા. અમે પણ સાઈડવોકમાં એમની સાથે થઈ ગયા. હવે તો ભગવાન અમને સારી રીતે ઓળખી ગયા છે.
મને કહે, ‘અમારું નામ સૌથી વધારે વટાવી ખાનાર હમણાં તમારા ન્યુ જર્સીમાં છે કેમ?’
‘હા ભગવાન એડીશનમાં કોઈ મહોત્સવના નામે કથા આપની ચાલી રહી છે. બહુ મોટા મોટા સાક્ષરો પણ પધાર્યા છે.’
‘વત્સ,આ સાક્ષરોને કોઈ કામ ધંધો છે નહિ? વાક્ચાતુર્ય પણ બહુ અસર કરતું હોય છે.’
‘કેમ ભગવાન એવું બોલવું પડ્યું? હમણાં તો એ બહુ ફેમસ મોટી હસ્તિ બની ગયા છે, લોકો એમને વૈશ્વિક ઘટના કહે છે.’
‘વત્સ, સાંભળ્યું છે કે એ કોઈ પર્વો યોજે છે?’
‘હા! ભગવાન, અસ્મિતાપર્વ, સંસ્કૃતપર્વ, હમણાં સદભાવનાપર્વ યોજાઈ ગયું.’
‘વત્સ, મને બધી ખબર છે. આ સદભાવના પર્વ ક્યાં યોજેલું?’
‘ભગવાન, મહુવામાં એમના બધા પર્વો ત્યાં કોઈ સ્કૂલમાં યોજાય છે.’
‘વત્સ, મહુવામાં સદભાવના પર્વની શી જરૂર? ત્યાં કેટલા લોકો સાંભળવા આવે? ૧૦૦૦ કે ૨૦૦૦? એટલાં પણ કદાચ નહિ આવતા હોય, અને સાક્ષરો પણ એના એજ કાયમ આવતા હોય.’
‘તો ભગવાન સદભાવના પર્વની ક્યાં જરૂર છે વધારે?’
‘અરે વત્સ! એની જરૂર છે જ્યાં સદભાવના ના રહી હોય તેવા વિસ્તારોમાં, જ્યાં કોમી કે બીજા કોઈ તોફાનો થતા હોય ત્યાં?’ મહુવાની સ્કૂલના પટાંગણમાં નહિ.’
‘ભગવાન, આપ એવા કેટલા વિસ્તારો જાણો છો કે જ્યાં આની જરૂર હોય?’
‘વત્સ, એક તો ખાસ ગોધરા અને અમદાવાદમાં, એમાંય કાલુપુર, દરિયાપુર, ડબગરવાડ ,શાહપુર અને જુહાપુરા, નરોડા પાટીયા અને ગુલબર્ગ સોસાયટી. વડોદરામાં ખાસ તો મચ્છીપીઠ ,વાડી, મોગલ રેસ્ટોરેન્ટ, બેસ્ટ બેકરી. ગોંડલ  એરિયામાં જ્યાં દરબારો અને પટેલો કાયમ રાજકારણના લીધે લડી મરે છે. પોરબંદરમાં જ્યાં મેર અને ખારવા વચ્ચે સિવિલ વોર જેવું ચાલ્યા કરે છે. આ બધી જગ્યાએ જ્યાં લોકો વચ્ચે સદભાવના રહી જ નથી ત્યાં આવા પર્વો યોજતાં હોય તો સારું. પણ આ હોશિયાર એવે ઠેકાણે કદી દેખાતો પણ નથી. અને  મૂરખો એમને વૈશ્વિક ઘટના તરીકે ઓળખાવે છે ત્યારે જ્યાં વૈશ્વિક ઘટના થાય છે ત્યાં સદભાવના પર્વ યોજવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બૈરુત, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં કેમ નથી જતો?’
‘ભગવાન, મારાથી ના બોલાય લોકો નારાજ થઈ જાય છે, માર્દવભાઈ તો લડવા આવે છે. એમને સપના ના  આવે એમાં તમારે શું? એ ધંધો કરે કથાનો અને કરોડો કમાય તો તમારે શું? તમને કોઈ એક રૂપિયો એ બોલવાનો આપવાનું છે? આવું કહી ને રોજ ઠપકો આપે  છે. એટલે તો અહીં સાવ નજીક એડીશનમાં જ કથા ચાલે છતાં હું જતો નથી ભગવાન લોકો મને માર મારે તો? આ ઉંમરે હાડકા પાછાં સંધાય નહિ.’
‘વત્સ, સાચી વાત છે તમારી, તમારો ભય સાચો છે, પેલાં અમેરિકન પંકજ ત્રિવેદીનું  આવાજ ધર્માંધ લોકોએ ખૂન કરી નાખેલું. એમણે પોતે આ કહેવાતા ધાર્મિક પરિવારને એક કરોડનું દાન આપેલું તેવું કહેવાય છે, છતાં મારી નાખતા જરાપણ શરમ આવી નહિ.’
‘ભગવાન, એમાં પણ એમના એક ભક્ત કહે કે દાદા કે દીદી કોઈનું ખૂન ના કરાવે પણ એમના કોઈ ભક્ત ને ખુન્નસ ચડી જાય ને મારી નાખે એમાં દાદા અને દીદી નો શું વાંક?’
‘વત્સ, સાચવજો હવે સાચી વાતો કહેવા જતાં જાનનું  જોખમ હોય છે, અને આ ધાર્મિક લોકોનો કદી વિશ્વાસ ના રાખતા. એમના જેટલા ભયાવહ તો વાઘ અને સિંહ પણ નથી.’
‘ભગવાન, અમે પણ તમારા રઘુકુલના છીએ એમ ડરી જઈએ તેવા નથી.’
‘વત્સ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે તમને કશું ના થાય.’
ચાલો અમને તો ભગવાન રામજીના શુભ વચનોનો સાથ મળી ગયો છે. રશ્મિકાંત દેસાઈ અને હું કાલે પાછાં કોનું દિમાગ ચાટીશું એની ચિંતામાં પડ્યા હતા. જો કે રશ્મીભાઈ પાસે લાંબું લિસ્ટ છે એટલે જે વહેલો તે પહેલો. ફરતા ફરતા જે હાથ ચડી જાય તેનું દિમાગ ચાટી લેવાનું. ભાઈ અહીં નર્કમાં ખૂબ ઠંડક છે. કોઈ શેકવાના તવા કે શૂળી કે કરવત કે  કશું સજા કરે યાતનાઓ કરે તેવું દેખાતું નથી. પણ આ બધા સારા માણસો અહીં ફક્ત માંસાહારને લીધે અહીં તગેડી મૂકવામાં આવે તે મને પ્રૅસિડેન્ટ સ્વામી અને વૈદ્ય સ્વામીની જ્યાદતી લાગી. પણ હમણાં કશું બોલાય તેમ નથી. પ્રગટ બ્રહ્મ છે ભાઈ!!!!!

નર્કારોહણ-૨

નર્કારોહણ-૨
અમે અને દેસાઇ સાહેબ ચાલતાં ચાલતાં આગળ વધ્યાં. ત્યાં સુંદર બગીચામાં માથે મોરપંખ બાંધેલા ભગવાન શ્રી ક્રુષ્ણ બેઠેલા જોયા સુંદર રમણીય નારીઓ વચ્ચે. હું તો ઝટ દઇને દોડ્યો આ તો મારા ખાસ.મેં કહ્યું,
‘ભગવાન આપ પણ અહીં?’
‘અમારી વૈકુંઠમાંથી અહી બદલી થઇ ગયી છે, ખબર નહીં હમણાં શું ટ્રેન્ડ આવ્યો છે કે ઘણા બધાંની અહી ટ્રાન્સ્ફર થઇ ગઇ છે.’
‘તો ભગવાન આપ અહીંથી ભારત(કુરુક્ષેત્ર)માં પધારો છો? મને તો એમ હતુ કે આપ સ્વર્ગમાંથી આવતા હશો.’
‘ના વત્સ, હું અહીં નર્કમાં ફરું કે ત્યાં ફરુ શું ફેર પડે છે? હવે લગભગ બધે સરખું જ વાતાવરણ થઇ ગયું છે.’
‘ભગવાન સાવ એવુ ના બોલો મેરા ભારત તો મહાન છે, સોને કી ચીડિયા છે.’
‘વત્સ હતું ત્યારે હતું અત્યારે નથી, જુઓ અમે તો ક્ષણમાં આતતાયીને હણી નાખતા હતા, તમને એક કસાબ હરાવી જાય છે, અમારા વારસદારો શું આવા હોય?’
‘પણ ભગવાન શુ કરીએ! નેતાઓ એવાં છે કે દેશને નર્ક બનાવી દીધો છે, પ્રજા શું કરે બીચારી?’
‘સાવ ખોટી વાત છે વત્સ! પ્રજા જ દેશને મહાન અને સ્વર્ગ બનાવી શકે અને પ્રજા જ દેશને પામર અને નર્ક બનાવી શકે. આ નેતાઓ ઉપર થી ટપકે છે?
‘ના ભગવાન એ તો પ્રજા જ ચુંટે છે, પ્રજામાંથી જ આવે છે.’
‘વત્સ, હવે સમજાયું? કુવામાં હોય તો હવાડામાં આવે.’
‘સમજાયુ ભગવાન વાંક બધો જનતાનો જ છે.’
‘વત્સ, ભારત મા બીજાને દોષ દેવાની બહુ બુરી આદત પડી ગઇ છે.’
‘ભગવાન દવે સાહેબ એવુ ક્યાંક થી શોધી લાવેલા હતાં કે રાધાજી તો આપના મામી હતા, એમને કામવાસના એ સતાવ્યા તો આપ બાળકમાંથી રાતોરાત પુખ્ત થઇ ગયા અને રાસલીલાઓ તથા કામલીલા કરી.’
‘અરે વત્સ, તમારા કોઇ મહરાજશ્રીને એમની કોઇ યુવાન મામી ગમી ગઇ હશે, એટલે મારા નામે ચડાવી દીધું લાગે છે.’
‘એટલે, સમજ્યો નહીં ભગવાન.’
‘અરે નાદાન, એમની યુવાન મામીને ભોગવવી હશે, પેલી માનતી નહી હોય, નીતિમત્તાની વાતો કરતી હશે, એટલે મારી આવી વાતો કરી હશે કે ભગવાન પણ આવુ કરતા હતાં.પછી પેલીને પટાવી લીધી હશે.’
‘પણ ભગવાન, આપ અહીં નર્ક મા કેમ? આપ તો માખણ ખાતાં હતાં.’
‘કેમ ભુલી ગયાં? રાજસુય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ અમે ઉઠાવેલી એમાં સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે હરણના માંસનો આહાર કરેલો એ પતરાળીઓ અમે ઉચકેલી એના માટે અહીં આવી ગયા.’
‘અને ભગવાન મહાભારતના યુદ્ધના લીધે પણ લોકો માને છે કે આપે ખોટું કરાવેલું.’
‘વત્સ, ભલે લોકો માને ખોટું પણ સ્ત્રી ને ભરી સભામાં નગ્ન કરે તેવી સડેલી વ્યવસ્થાનો નાશ જરૂરી હતો, એના માટે થઇને જૈનોએ પણ મને એમના નર્કમાં નાખેલો જ છે.’
‘પણ ભગવાન એમના એક તીર્થંકર નેમિનાથ તો આપના કાકાના દીકરા ભાઇ હતા, તો એમણે પણ લાગવગ ના કરી?’
‘ના એમાં લાગવગ ના ચાલે, કદાચ એમણે પણ સજેસ્ટ કર્યું હોય કે બહુ ફાટ્યો છે નાખો નર્કમાં, જુઓ ભાઇ જેવો મિત્ર નહીં ને ભાઇ જેવો કોઇ દુશ્મન પણ નહીં.’
‘હા ભગવાન એ વાત સાચી,પાંડવો પણ કૌરવોના ભાઇઓ જ હતાં ને?’
‘વત્સ, હવે તમે અહીં જ રહેવાના છો જ્યારે ઇચ્છા થાય ત્યારે મળી શકો છો, હવે હું જરા મારી સુર સાધના કરી લઉં.
ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની ક્લાસીકલ ધુનો શરુ થઇ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. જ્યારે જ્યારે હું પૂછું કે આપ લોક નર્કમાં કેમ? ત્યારે દેસાઇ સાહેબ મૂંછ મા હસે. મને તેનું રહસ્ય સમજાય નહીં. મને તો આ નર્કમાં કોઇ પાપી માણસો ને શેકવાનાં  તવા વિગેરે દેખાયું નહીં. બચપણમાં મેં નર્કમાં શી યાતનાઓ વેઠવી પડે તેના ફોટા જોયેલા. એ વખતે હું ડરીજ ગયેલો. કે કદી પાપના કરવું. પણ પછી સમજ પડી ગયેલી કે આ તો તમારી અંદર રહેલા ડરનો ઉપયોગ કરીને રોટલા શેકવાનો ધંધો ચાલે છે. આમેય ભયની વ્રુત્તિ દરેકમાં મુકેલી જ હોય છે કુદરતે. હિંસક પશુ પ્રાણીઓથી ના ડરો અને ભાગો નહીં તો એ લોકો તમને મારી નાખે. અને ડરી ને ભાગી જાવ તો બચી જવાય. એ બહાને સર્વાઇવ થઇ જવાય.

સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઇચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મુકેલી છે. છતા કાયમ ભાગ્યા કરો તો પણ ના ચાલે. કાયમ ડર્યા કરો તો પણ ના ચાલે. ઉલટાનું લોકો ડરાવી ડરાવીને મારી નાખે. માટે અભયની ભાવના પણ મુકી. સર્વાઇવ થવા મજબૂત પણ બનવું પડે. માટે સાહસ મૂક્યું.કપરી પરિસ્થિતીમાં લડવાનુ બળ આપ્યું. માટે ઉપનીષદો એ અભયના વચનો વદ્યા અને ભગવાન મહાવીરે પ્રથમ સુત્ર અભયનું આપ્યું. માણસ એકબીજાને મદદ કરે છે. કેમ? એકબીજાને મદદ કરી ને કોઇ ઉપકાર કરતો નથી. એક બીજા ને બચાવીને કોઇ ઉપકાર કરતો નથી. આ તો બંનેનો સહીયારો પ્રયાસ છે સર્વાઇવ થવાનો. આ બધું સમજવા જેવુ છે. વાઘ અને સિંહ સામે આવે અને તમે ભાગી જાવ તો ડરપોક ના કહેવાઓ. એ કુદરતી છે. પણ મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ રહેવું તે કાયરતા છે. કાયમ બહાદુરીના બણગાં ફૂંકીને હજાર વર્ષ ગુલામ રહેવું તે નરી કાયરતા જ છે. ગાંધીજી પાકા વણીયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કોન્સેપ્ટ લઇ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.
બસ હવે તો અહી નર્કમાં જ રહેવાનું છે. અહીં તો બહુ બધા મહાનુભવો છે. બધાને મળીશું અને વાતો કરતાં રહીશું.

“નર્કારોહણ”-૧

 

“નર્કારોહણ”-૧
નરક તરફ પ્રયાણ,,,
  ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઇચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત  વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું  સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હોવ ત્યારે તમારી આંખો  અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.
    શ્રી મોરારીબાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. રશ્મીકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો. એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની એપોઇન્ટમેંટ આપું? સંડે કે મન્ડેની? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છુ કે નહિ. મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની? ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારું સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારું તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.
‘મારો કયા તાવડા માં નંબર છે?’
‘અહી તો કોઈ તવા મને દેખાતા નથી.’ દેસાઈ સાહેબ બોલ્યા.
   પણ બધા મહાનુભવો અહી ફરે છે ચાલો તમને બતાવું. અમે તો ફરતા ફરતા પહોચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહી કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઇને? દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું. સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરુણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરુણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઇમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એકબાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઇને મોહિત થઈને એકટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાપી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.
   અમે તો જઈને નમી પડ્યા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે,
‘આવી ગયા! સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડ્યા છે ને કઈ?’
‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’
‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’
‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’
‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’
‘ભગવન, એમાં ભારતના પુરુષ વર્ગે આપનો દાખલો લીધો અને  હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે  આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’
‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’
‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ  લીધી હતી?’
‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહી ભેંગા થઈ ગયા.’
     ભગવન રામ ઇમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.
‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’
‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’
‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’
‘હાસ્તો વળી, ના જ કરુંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરુષોને માફ ના કરશો.’
‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’
‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.
‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને?’
‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું.’
‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’
‘વત્સ હતું એક માનવી, ઋષિ વશિષ્ટના વિદુષી પત્ની  અરુંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’
‘મૈયા એ પણ સ્ત્રી હતા એકલાં એમની તતૂડી કોણ સાંભળે.’
    સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.
‘ભગવન આપ લોગન નર્કમાં કેમ?’
‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહી ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’
‘ભગવન પણ સીતા મૈયા કેમ અહી?’
‘વત્સ આમતો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરુષો શિકાર એટલે મૈયા લગભગ શાકાહારી હતા, પણ કોઈ વાર એક્સટ્રા પ્રોટીન માટે  ખાઈ લેતા, પણ વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’
       અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,
‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’…બંને સાથે બોલ્યા કે
‘વત્સ પુરુષોને  ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરુષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’
‘ભગવન બીજો કોઈ સંદેશ?’
‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઇન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો  નવા પરીક્ષેપમાં  કથાઓ કરવી જોઈએ. કે ભાઈ  સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું  મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’
‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’(શ્રી ગુણવંત શાહ ઉવાચ)એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’
‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરું? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઇન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરું હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’
‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’
   કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહી જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.
નોધ:–નર્કારોહણના બીજા ઈન્ટરવ્યું કહો કે અનુભવો પછીના ભાગમાં.

સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો,,

         હમણા સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો.અને એનો અહેવાલ રીડ ગુજરાતી ઉપર વાચ્યો.મોરારીબાપુએ સારું કામ કર્યું છે.પણ આવા પર્વો કેમ યોજવા પડે છે?ફારુખ શેખ બહુ સરસ બોલ્યા,હૃદય થી બોલ્યા.એમને દુખ હતું એ વાતનું કે ૬૦ વર્ષ થયા છતાં આવા સદભાવના પર્વો યોજવા પડે છે,એનો ઉલ્લેખ વારંવાર કરતા હતા. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે.
     
                બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડાઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?વિદ્વાન વક્તાઓ એ સારા ભાષણો આપ્યા.વાતો કરવામાં આપણે ખુબ કુશળ છીએ.કોઈએ શિક્ષણ ને દોષ આપ્યો કોઈએ મૂડીવાદ ને.મૂળ વાત તો બધાજ ભૂલી ગયા કે ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયોમાં વહેચાએલો  હિંદુ એકબીજા માટે સદભાવના ક્યાંથી કેળવી શકે?હમણા એક યુવાન  મિત્રે મને કહ્યું કે એમની ગર્લફ્રેન્ડ ના સગા  કોઈ એક સંપ્રદાય માં માનતા હશે.એમનું કહેવું છે એમના સંપ્રદાય ના મંદિર માજ જવાનું બીજાના નહિ.સત્સંગીઓ જોડે જ ફરવાનું.એજ સંપ્રદાય ની કંઠી તમે બંધો એટલે એક એમનો સંત ઘેર આવી ને ઘરના મંદિર માંથી બધા દેવલા અને ફોટા જે પણ હોય તે તમામ લઇ જશે.અને એમના સંપ્રદાય ના ફોટા ને દેવ મૂકી જશે.હવે રામ,કૃષ્ણ,દુર્ગા,શંકર,અંબા બધા ભૂત પ્રેત ફક્ત એમના પ્રગટ બ્રહ્મ ને જ માનો.ક્યાંથી સદભાવના આવશે?દેખાશે સદભાવના તે પણ દંભી.એક નહિ દરેક સંપ્રદાય આવુજ કરે છે.માટે ભારતીય કે ભારત એક નથી.એક મરે તો બીજા ની આંખ  માં આંશુ એટલે આવતા નથી.જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.
       બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાસન  માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.ગાંધીજી કરાચી જવાના હતા.માટે પાક સરકરે જાસૂસો મારફતે રીપોર્ટ તૈયાર કરાવ્યો કે ગાંધી ને કોઈ માથા ફરેલ મારે નહિ.પણ રીપોર્ટ એ આવ્યો કે ગાંધી ને કોઈ મારે તેની ચિંતા કરવા જેવું  નથી,પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે. એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર અને એ.સી. હોલોમાં  કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો  સ્ત્રીઓ  અને બાળકોને  ઢાંકી શકયા હોત.
       ગાંધીજી ની તોલે નાં તો કોઈ નેતા આવી શકે નાં તો કોઈ હાલનો ધર્મ ગુરુ કે જાણીતો કથાકાર.ગાંધી હંમેશા ટ્રેન માં  થર્ડ ક્લાસ માં મુસાફરી કરતા હતા.જાતે કાંતી ને વણેલી ટૂંકી પોતડી જ પહેરતા હતા.સાદો  આહાર કરતા,આહાર માં કડવા લીમડાની ચટણી અવશ્ય હોય.પ્રજા ના પૈસા નું એમને ખુબ મહત્વ હતું.એક નાનો ટુકડો પેન્સિલ નો ખોવાયો હોય તો પણ શોધીને જંપતા.ત્યારે આઈનસટૈન જેવો વૈજ્ઞાનિક એવું કહે કે આવો હાડ ચામ નો માણસ આ પ્લાનેટ પર હતો એવું લોકો માની નહિ શકે.ભલે એમની દરેક વાતો માં આપને સંમત ના થઈએ પણ ગાંધી પ્રત્યે જો મનમાં આદર ભાવ ના હોય કે પેદા ના થાય તો સમજવું કે વિચારવાની બારીઓ બંધ છે.પ્રામાણીકતા થી જીવેલો  એક માણસ ગાંધી હવે બચ્યો છે કે કહી શકીએ કે મેરા ભારત મહાન. 
       આજે 4th જુલાઈ છે અમેરિકા માં,અહી નો સ્વતંત્રતા નો દિવસ છે.થોમસ જેફર્શન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન,જ્યોર્જ વોશીન્ગ્ટન આ બધા રાષ્ટ્રપિતાઓ ને યાદ કરવામાં આવી રહ્યા છે.આ લોકો એ નક્કી કરેલું કે અમેરિકાની ભલું ચાહતા હોઈએ તો અમેરીકાના રાજકારણ માં ધર્મો ની દખલ ના જોઈએ.અહી સોલ્જરો ને હીરો માનવામાં આવી રહ્યા છે.અહી ટીવી માં ચાલતી ચર્ચાઓમાં એક ગાંધીજી ને યાદ કરવામાં આવે છે અને એમના બોલેલા વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે ત્યારે ગર્વ સાથે આંખોના ખૂણા ભીના થાય છે કે એક આ માણસ ના લીધે કહી શકીએ કે “મેરા ભારત મહાન.”બાકી તો નર્યો દંભ,સદભાવના પર્વો યોજો કે ના યોજો કોઈ ફર્ક નથી પડવાનો.મૂળ વાતો ભુલાઈ જાય છે.કારણ એના આયોજકો ધર્મ ના ઠેકેદારો છે. 

‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને  સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં  મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ  અમારી  પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
       આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.

पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

બ્રહ્મચારી કોને કહેવાય?

 ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥
सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
 
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન  થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
 
         આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે  સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
  
        ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ  થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
 
        સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
    
         મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
 
         બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
     
               મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા  માટે ટકી રહ્યા છે.
    
             ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી  તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
   
            આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ  છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
   
            ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય  માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.

 
      પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?

     

              પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે  લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
    
             તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.
    

संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
           અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપણાં માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો  હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
  
           હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
            દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું  પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
           લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
         સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી  હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની “કેપીટાલીઝમ એ લવસ્ટોરી” નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
  
                યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમીટ છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની  જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે  શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo  રાણીઓ,ઓછી કહેવાય?
             શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા  ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને  કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ  જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર  નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
            મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું  કોઈ માન સન્માન  હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા  તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને  નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો  દુર્યોધન ને   વધારે ઠપકો આપી શકાય.જેનું અન્ન ખાધું હોય તેનું જો સારું ઈચ્છતા હોય તો વધારે ઠપકો આપી શકાય.એક દુર્યોધન નો ભાઈ વિકર્ણ એણે એકલા એ વિરોધ કર્યો.એણે પણ અન્ન ખાધું  હતું  આ વડીલો ના મોઢામાં મગ ભરેલા હતા?સભાત્યાગ પણ કરી શક્યા હોત.તો બેસી કેમ રહ્યા હતા?ત્યાર પછી થયેલા મહાભારત માં તો ઉછળી ઉછળી ને લડતા હતા.એટલી શક્તિ નહોતી કે ઉભા થઈને વિરોધ માં સભા નો ત્યાગ કરી શકાય? પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ  ની જરૂર હતી.એક બળવાન  રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની  જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો  ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
            શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા.બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ.એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,”માંમેક્મ શરણમ વ્રજ” એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
            સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ  કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો બહાદુર,પછી ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.એમના ભોજન,ચરસ,ગાંજા  ને બીડી નો ખર્ચ પ્રજા ને માથે છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે  વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ  ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
            હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.ભગવાં કપડા માં છુપાએલા નિત્યાનંદો ને સજા આપે અને નિષ્ક્રિય થઇ થઇ ને દેશ ને માથે,પ્રજા ને માથે બોજ બની બેઠેલા સાધુઓની જમાત ને ઉખેડી નાખે તેવા ક્રાંતિકારી ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સજ્જન પ્રજાની રક્ષા માટે,સાચા ધર્મ ની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે.
      નોંધ-મારા લેખોમાં પ્રેરક કે પ્રેરણા આપનાર નું નામ લખું છું કે એ વ્યક્તિઓ એ મને કોઈ વિષય સૂચવ્યો હોય છે.એમના પ્રત્યે આભાર ની લાગણી દર્શાવું છું.લેખ મારો લખેલો હોય જે હમેશ ની જેમ વિવાદાસ્પદ વિધાનો થી ભરેલો હોય છે.એમાં પ્રેરક નું કોઈ યોગદાન હોતું નથી,માટે મારા વિવાદાસ્પદ લખાણો માટે પ્રેરણા આપનાર ને દોષી માનવા નહિ કે દોષ દેવો નહિ.એટલી અમારી વિનંતી છે. 

ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,

Ashmolean Museum, Oxford
Image by Martin Beek via Flickr

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ  વળગ્યા છે. જાત જાતનાં  રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.

અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.

“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”

કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,  કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.  પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા  સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ  ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં.  ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો  તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું  બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો  બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા  આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ  છાતીમાં.  છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો  સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”.  એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.(On Mother’s Day)

માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.
માતૃ દિવસ, મધર ડે એ પશ્ચિમના જગતમાં માતાના અગણિત ઉપકાર  માટે  આભાર માનવાનો દિવસ છે. આજે ગુજરાતી બહેનોનું એક ગ્રુપ પેન્સીલ્વેનીયામાં આવેલા વ્રજ મંદિર જવા નીકળેલું છે. એમાં મારા શ્રીમતીને પણ જવાનું હતું. એમને મૂકીને દૂધ લેવા સ્ટોરમાં ગયો તો એક વીસેક વર્ષ ની ગોરી માતા એના નાના ટેણીયા ને કાર્ટ માં બેસાડી એની માતા માટે ફૂલ ખરીદવા આવેલી જોઈ. મને થયું આ માતાને એકદમ ભગવાન બનાવી દેવાથી શું એ કોઈ સામાન્ય ભાવનાઓ ધરાવતી સ્ત્રી મટી જવાની? માતાને ભગવાનનો દરજ્જો આપ્યો છે એ બહુ સારી વાત છે. પણ શું એ સ્ત્રી થોડી મટી જવાની? એને દુન્યવી લાગણીઓ ના હોય? ને એ લાગણીઓ તૃપ્ત કરવાની ઈચ્છા ના થતી હોય? શું એ સંસારિક કાવાદાવા ઓ  થી પર થઇ જવાની?
વર્ષો પહેલા મેં છાપામાં વાચેલું ફોટા પણ જોએલા કે એક સામાન્ય મજદૂર શ્રમિક ગણાતી સ્ત્રી એના પતિ સિવાય બીજા કોઈ જોડે કહેવાતા અનૈતિક સબંધો ધરાવતી હતી ને એક રાતે એનો નાનો છોકરો આ બધું જોઈ ગયો તો બંને જણા એ માતા અને એના પ્રેમીએ ભેગા થઇ ને પેલા છોકરાનું કાસળ કાઢી નાખ્યું.  હું તો વાંચી ને હાલી ગયો. જે માતા સંતાનો માટે જીવ આપી દે એજ જીવ લઇ લે? દરેક માતા ભગવાન નથી હોતી!!!!
“સંદેશ” માં લીલાબેન પટેલ ના ‘જીવન ના અતરંગ’ નામની એક સવાલ  જવાબ ની કોલમ  આવતી. એમાં લોકો સવાલ ખાસ તો સ્ત્રીઓ  જ  પૂછતી ને લીલાબેન એનો જવાબ આપતા. બહુ સરસ  સામાજિક ને મનોવૈજ્ઞાનિક  છણાવટ કરી ને જવાબ આપતા. પોતાની દીકરીઓનાં  ઘર  ભગવતી, એમની કમાણી ખાતી, કમાણી ખાવા  લગ્ન ના થવા દેતી, કમાણી ખાવા ડિવોર્સ  કરાવી દેતી માતા વિષે એક નહિ હજારો દાખલા વાંચ્યા છે. આ દીકરીઓ પણ માતાને ભગવાન સમજતી ને પોતાનું ભવિષ્ય ના જોઈ શકતી, એમને એ ભગવાન ની છબીનું સાચું પોત  લીલાબેન સમજાવતા. એજ લીલાબેનની કટાર નો એક આર્ટીકલ  મેં કટિંગ  કરીને સાચવી રાખેલો. એમાં એક  અમેરિકા આવેલી માતા એની જેઠાની અને એમના પોતાના દીકરા દીકરીઓ સાથે ગ્રુપમાં મુક્ત સેકસાચાર  માણતાં, એમાંથી છૂટવા માટે શું કરવું તે લીલાબેન ને પૂછતી હતી. અહીની એક ગુજરાતી માતા ને હું જાણું છું. જે કપડાની જેમ  બોય  ફ્રેન્ડ  બદલે છે. એનો દીકરો રાતદિવસ મહેનત  કરે છે. ડબલ  જોબ  કરે છે. ઘર નો, એની એક નાની બહેન નો ખર્ચ  પૂરો કરે છે.
બીજી એક જૈન  માતા એના બે સંતાનો સાથે ગેરકાયદે આવી છે. એ પણ ગલઢા ૭૦ વર્ષ થી વધારે ઉમરના મિત્રો સાથે ફરી ને એની કમાણી ના પૈસા એના છોકરાને હુકો પીવા ને રખડવા માટે આપે છે. જયારે એની દીકરી આખો દિવસ ઘરમાં ભરાઈ  રહે છે. દીકરી માટે એક ડોલર એની પાસે નથી જયારે દીકરાને હુકો પીવા પૈસા આપે. દીકરાએ  સ્કુલ, હા!!ભાઈ હા!!!હજુ સ્કુલ માં જ  છે પણ છોડી દીધી છે. પુરા અઢારનો હજુ થયો નથી. માતા પણ સંતાનો વચ્ચે ભેદ ભાવ  રાખે છે, દેશમાં પણ ને અહી પણ.
એક એવી માતાને પણ ઓળખું  છું સત્ય ઘટના છે. પોતે ઓપરેશન કરાવી નાખેલું. એક નો એક દીકરો ૧૯ વર્ષ નો થઇ ને એક્સીડેન્ટમાં ગુજરી ગયો. માથે આભ તૂટી પડ્યું. એક વારસદાર તો જોઈએ એવી માન્યતાઓ. આ માતાએ એના પતિદેવ ને ફરી પરણાવ્યો જોડે રહીને. નવીના છોકરા થયા એ પોતે જ મોટા કર્યા છે. માતૃત્વની બધી ભાવના શોક્ય ના છોકરાઓને મોટી કરવામાં ઠાલવી દીધી. પેલા નાના  છોકરાઓ એની સગીમાં પાસે જાય જ નહિ એવું મેં જાતે જોએલું છે. મારા સગામાં બનેલી ઘટના છે. કોઈ વાર  ફોન  પર વાત કરી લઉં છું.
માતા પણ દુન્યવી લાગણીઓ થી પર  કઈ  રીતે હોઈ  શકે? માતાને પણ રાગ  છે દ્વેષ  છે. ગમા છે અણગમા છે. માતા ને પણ કોઈ પણ ઉંમરે પ્રેમ ની ભૂખ  હોય છે. તે  શારીરિક  પણ હોઈ શકે માનસિક  પણ હોઈ શકે. માતાને ભગવાનનું  કોચલું પહેરાવી દો પછી ક્યાં જાય?  બિચારી મનોમન  પીડાયા કરે, દુણાયા  કરે, દુખી થયા કરે, માનસિક રીતે રોગી થયા કરે, બીમાર  રહ્યા કરે, સહાનુભુતિ મેળવવા પણ બીમાર રહ્યા કરે. ભગવાનને કશાની જરૂર પડે ભાઈ?  એની એક વાર પૂજા કરી લેવાની, પછી એની સામે કોણ  જુએ  છે? મધર્સ  ડે ઉજવી લેવાનો, એના ગુણગાન  ગઈ  લેવાના, કવિતાઓ  બનાવી લેવાની. ફૂલ આપી દેવાના. એને પુચ્છ્યું ખરું માં તારે શું જોઈએ  છે? માથે હાથ  ફેરવ્યો? હા!!ભાઈ હા!!માથે હાથ ફેરવાનારી ને પણ કોઈ એના માથે હાથ ફેરવે એવી ઈચ્છા થતી હોય છે. “ગરમ  લોહીના પ્રાણી માટે  સ્પર્શ  એક  શારીરિક જરૂરિયાત  હોય છે.” માતા ભલે એંસી વરસ  ની થઇ હોય પણ એના માથે દિવસમાં એકવાર હાથ ફેરવો. એણે આખી જીંદગી તમારા માથે હાથ ફેરવ્યો છે. માટે તમે જીવતા રહ્યા છો.
    
       
સ્પર્શ નું વિજ્ઞાન જાણવું હોય તો મારા બ્લોગ માની  ‘માતૃત્વ  ની કેડીએ ‘  લીંક પર જાઓ ને કાંગારું પદ્ધતિ વિષે જાણો. અધૂરા કે અવિકસિત જન્મેલા બાળકો ને માટે કાંગારું જેમ એના પેટ નીચે રહેલી કોથળીમાં બચ્ચા ને રાખી ને મોટા કરે છે, એમ આવા અવિકસિત ને ઓછું વજન ધરાવતા બાળકોને માતાની છાતીએ પૂરો સ્પર્શ થાય તેમ રાખવાના હોય છે. બાળકોનું વજન આશ્ચર્ય જનક રીતે વધી જાય છે. એમાં વિડીયો કલીપ પણ મુકેલી છે. મધર્સ ડે ઉજવ્યો પણ માતાને માથે વહાલથી કેટલા જણાએ હાથ ફેરવ્યો?

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!
       
           *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટે દસ વાર તો લખતા નથી કે પ્રતિભાવ આપસો,,પ્રતિભાવ આપસો,,હું અહી દસ વાર નથી લખતો તમે સમજી લેજો.એક જ વાર એક રચના માટે કોઈ પ્રતિભાવ માંગે તેમાં આપણું શું ગયું?આપણે આપવો હોય તો આપીએ નાં આપવો હોય તો ના આપીએ.
   
                       *ચાલો હું કદી પ્રતિભાવ નથી માંગતો તો મારા લેખ ની ગુણવત્તા થોડી ઉંચી થઇ જવાની છે?અને પ્રતિભાવ માંગનાર ના લેખ કે રચનાની ગુણવત્તા નીચી થઇ જવાની છે?ગુજ્બ્લોગ માં સભ્ય હોવ તો ઈ મેલ્સ તો આવવાની છે.એને કંટ્રોલ માં રાખવાની સગવડ પણ હોય જ છે.અને ના વાચવી હોય તે ડીલીટ કરતા વાર પણ લાગતી નથી.પસંદગી ની મેલ જ વાચવી.બાકીની ડીલીટ કરી નાખવાની.પણ એમાંથી કોઈ સારો બ્લોગ કે રચના વાચવા મળી જાય છે.આપણી રચનાઓ કોઈ વાંચે તે માટે આપણે એમ સભ્ય થયા હોઈ છીએ,એમ બીજા પણ થયા હોય.આપણી રચના મુકાયા ની મેલ બધાને મળે તો ચાલે,બીજા ની આવે તો ના ગમે તે ક્યાંનો ન્યાય?હું પોતે આ ગુજરાતી બ્લોગ  જગત માં નવો હતો.ગુજ્બ્લોગ માં સભ્ય પણ પાછળ થી થયો.મને આની ખાસ ગતાગમ ના હતી.પછી મારી રચના મુક્યા ની મેલ પણ હું કરતો નહતો.ઘણા સમય પછી મેં તે ચાલુ કર્યું.એમાં કોઈ વાર લખું છું કે પ્રતિભાવ આપસો,ને ઘણી વાર નથી પણ લખતો.પણ મારા વાચકો ની સંખ્યા આ પછી ખુબ વધી ગઈ છે.
     
                     *તમે ગમેતેટલું સારું લખો કોઈ જાણે જ નહિ તો ક્યાંથી વાંચે?જંગલ માં મોર નાચે તો કોણે જોયો?તમે કેવું લખો છો તે ક્યારે ખબર પડે?જાતે તો બધા પોતાને મહાન જ સમજતા હોય.હું જાતે લખું કે મારા લખાણો તેજાબી છે એનો શું અર્થ? મને તો કશું તેજાબી લાગતું નહોતું.હું તો મારા વિચારો જે મનમાં ઉદભવતાં હોય તે લખતો હતો.આતો ભજમનભાઈ ના કાન ની બુટ ગરમ થઇ ગઈ ને એમણે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ આપણી વાત માં થોડો ઘણો તો દમ છે.છતાં દરેક વખતે એવું લખાય તે પણ જરૂરી નથી.કોઈ વાંચે,અભિપ્રાય આપે ત્યારે જ ખબર પડે કે કેવું લખીએ છીએ.અને કેવું લખીએ છીએ તે વાંચનાર જ નક્કી કરી શકે,જાતે નહિ.અને માટે અભિપ્રાય માંગે કોઈ તો નારાજ થયા વગર આપવો હોય તો આપવાનો,તમે સ્વતંત્ર છો ના આપવા માટે પણ.
      
                   *ઘણા મિત્રો રૂટીન મુજબ લખી નાખતા  હોઈ શકે કે કોમેન્ટ્સ આપસો.ઘણા મિત્રો ને ઇન્તેજારી હોય જાણવાની કે એમણે કેવું લખ્યું છે,માટે જરા આગ્રહ પૂર્વક લખતા હોય કે અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.ઘણા તો આવા શબ્દો પણ રૂટીન મુજબ લખી નાખતા હોઈ શકે.કોઈ કોપી પેસ્ટ કરે તો ફરિયાદ કર્યાનું જાણ્યું છે,પણ કોઈએ અભિપ્રાય ના આપ્યો ને ફરિયાદ કરી હોય તે જાણ્યું નથી.તમે અભિપ્રાય નથી માંગતા ને ટૂંકું ટચ લખો છો માટે એની ગુણવત્તા ઉંચી હોઈ શકે એવું બની શકે, ને ના પણ બની શકે.અને લાંબા લેખ લખનાર ની ગુણવત્તા નીચી હોય તેવું પણ ના હોઈ શકે.હા તમને પ્રેક્ટીસ ના હોય ખાસ વાંચવાની તો કંટાળો આવે કે ધીરજ ના હોય તેમાં લખનાર નો કોઈ વાંક નથી.મારા આર્ટીકલ નીચે દવે સાહેબ ના પ્રતિભાવ ની લંબાઈ વધારે હોય છે.પણ હું તેને ધ્યાન થી વાંચું છું.કારણ ઘણી વાર એમાંથી ઘણું સારું જાણવા મળે છે.ઘણી વાર તો તેઓશ્રી મૂળ આર્ટીકલ કરતા વધારે લાંબુ લખી નાખતા હોય છે.પણ હું તો ખરેખર વાંચનાર છું માટે મને કંટાળો ના આવે.ખુબ વાંચી વાંચી ને તો લખતા શીખ્યો છું.મને તો ઉલટું છે સાવ ટૂંકું ને ટચ લખાણ હોય તો પૈસા પડી ગયા હોય તેવું લાગે.હું વડોદરા થી બસ સ્ટેશને થી ચિત્રલેખા લઇ ને બસ માં બેસું માણસા મારા ગામ જવા.નડિયાદ આવતા સુધી માં વારંવાર બ્રેક વાંચવામાં પાડ્યા છતાં ચિત્રલેખા પૂરેપૂરું વંચાઈ જાય.એટલે મને લાગણી થાય કે મારા પૈસા પડી ગયા.અમદાવાદ વચ્ચે ઉતરીને બસ બદલાતા પાછુ બીજું કોઈ અભિયાન જેવું લઇ લઉં.માણસા આવતા તે પણ પૂરું થઇ જાય.બસ માં કોઈ વાંચવા માંગે તો આપી દઉં,પાછું પણ ના માંગું.વંચાઈ ગયું હોય ફરી શું વાંચવાનું?જોકે મારા લેખ ના એવા પણ વાચકો છે જે વારંવાર એકનો એક લેખ વાંચે છે.બોલો કહેવું છે કાઈ?
            
                      *હા મુદ્દાસર ને વધારાનું પિષ્ટપેષણ કર્યાં વગર નું લખાણ હોય તે જરૂરી છે,જેથી વાંચનાર ને કંટાળો ના આવે.થોડી લખનાર ની પણ ફરજ છે કે વાચક ને કંટાળો ના આવે તેવું લખવાની.એક ની એક કૃતિ માટે કોઈ વારે ઘડીએ મેલ મોકલતું હોય તો એ પણ ખોટું છે.અને એકની એક રચના માટે કોઈ વારે ઘડીએ પ્રતિભાવ કે કોમેન્ટ્સ માગતું હોય તો તે પણ ખોટું છે.અને તમે કોમેન્ટ્સ નહિ માંગો તો પણ તમારા લખાણ માં દમ હશે કઈ નવું હશે તો વાચક ચોક્કસ અભિપ્રાય આપવાનો જ છે.અને બીજું જો વાચક ને પોતાને જ લખવાનો કંટાળો આવતો હશે તો તમે ગમેતેટલી વિનંતી કરશો ,એ પ્રતિભાવ નથી જ લખવાનો.અને જે વાચક હમેશા અભિપ્રાય આપવા ટેવાએલો  હશે તો નહિ માંગો તોપણ અભિપ્રાય આપશે જ.મારા કેટલાય  મિત્રો ફોન ઉપર મારા આર્ટીકલ ના વખાણ કરતા હોય છે,પણ કદી કોમેન્ટ્સ લખતા નથી.એટલે એવું પણ નથી કે કોમેન્ટ્સ નથી મળતી એટલે કોઈ વાંચતુ નથી.જે મિત્રો ને કોમેન્ટ્સ ની ઉઘરાણી વિષે ફરિયાદ છે એ મિત્રો ને કદાચ વાંચવાનો કંટાળો આવતો હશે,કદાચ લખવાનો કંટાળો આવતો હશે,કદાચ એમના લેખ નીચે કોઈ ઝાઝી વખાણ કરતી કોમેન્ટ્સ નહિ લખતું હોય.
         
                 *બંધ બેસતી પાઘડી પહેરી લેવાની તમામ ને છૂટ છે,પણ કોઈ ને ખોટું લગાડવાની છૂટ નથી.અને નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.હો,કે!!!!!

“ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે.”

                   *લગભગ બધાજ ગુરુઓ કહે છે મોહ,માયા,મમતા છોડો બધું નકામું છે.નકામું હોત તો મુકત શું કામ?હા!એની લીમીટ હોવી જોઈએ,પણ નકામું તો નથીજ.સાધુઓ બાલ બચ્ચાંનો મોહ છોડી ને ભાગી જાય છે.પછી નવો મોહ વળગે છે.સંપ્રદાય નો,ભક્તો વધારવાનો,મંદિરો ઉપર મંદિરો બનાવવાનો.મોટા ભાગ ના ગુરુઓને એકાદ સ્ત્રી શિષ્યા નો મોહ વળગેલો હોય છે.ઘણા બધા ગુરુઓની શિષ્યાઓ ખુબ નાની ઉમરની હોય છે,તે ગુરુઓ ને આ શિષ્યાઓમાં એમની દીકરીઓ પણ દેખાતી હોય છે.દીકરી પ્રત્યેનો મોહ આ નાનકડી શિષ્યાઓમાં વહેતો હોય છે.આ શિષ્યાઓ મોટી થતા  શિષ્યાઓ તથા એમના મળતિયાઓ દ્વારા ગુરુઓનું  શોષણ થતું હોય છે.બાપ જેવી લાગણી ધરાવતા ગુરુઓ મોહવશ થઇ કશું જ કરી શકતા નથી,અસહાય બની જતા હોય છે.
મોહ,મમતા,માયા વિરુદ્ધ ભાષણો આપતા ગુરુજી પોતે મોહ ના ચક્કર માં ફસાઈ જતા હોય છે.મેં પોતે આવા દાખલા જોયા છે.
        
                      *મોહ,મમતા જરૂરી છે.મમતા ના હોય તો તમે તમારા બાળકોને મોટા કઈ રીતે કરો?બાળકો પ્રત્યે મમતા કુદરતે મૂકી છે.જેથી તમે એમનું રક્ષણ કરો,પાળો,પોષો અને મોટા કરો.તો જ તમારા સંતાનોમાં તમે ટ્રાન્સફર કરેલા જીન્સ વ્યર્થ ના જાય.પ્ર્રાણીઓ પણ આ મોહ મમતા થી પર નથી.દરેક પ્રાણી જગત અને જંતુ જગત એના સંતાનોને બચાવવા જીવ સટોસટ ની લડાઈ લડતું હોય જ છે.એક ચિત્તા ફેમિલીનું જીવન હું ટીવી પર જોતો હતો.(ભારતમાં ચિત્તા નથી,જે છે તે દીપડા છે.) માદા ચિત્તા એના બે બચ્ચાઓ ને પાળતી હતી.હમેશા જીવ ના જોખમે એમનું રક્ષણ કરતી હતી.બંને બચ્ચા હરદમ એની સાથેજ રહેતા હતા.અને બચ્ચા મોટા થયા.એક દિવસ અચાનક બંને ને છોડી ને જતી રહી.હું તો જોતોજ રહી ગયો!આ બચ્ચાઓ માટે પ્રાણ ના જોખમે લડી છે.અને આમ અચાનક છોડી દેવાના?હા!પણ આ બચ્ચાઓ હવે મોટા થઇ ગયા હતા,જાતે શિકાર કરવા માટે સક્ષમ હતા.મને આ ચિત્તા ફેમીલી ના જીવન કવન પરથી શીખવા મળ્યું કે ક્યાં સુધી મોહ જરૂરી છે?ક્યાં સુધી મમતા જરૂરી છે?સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે.મોહ મમતા જરૂરી છે,સંતાનોને મોટા કરીએ ત્યાં સુધી.માનવી નું બચ્ચું સૌથી કમજોર હોય છે.એને લાંબા સમય સુધી માતાપિતા ની સહાયતા ની જરૂર હોય છે.બીજા પ્રાણીઓ ના બચ્ચાઓ બે ત્રણ કલાક માં ઉભા થઇ ને દોડવા લાગે છે.માનવીના બચ્ચાને મોટું કરતા આશરે ૧૫ વર્ષ વીતી જાય છે.બચ્ચાને મોટા કરવા નર માદા ના સહિયારા પ્રયાસો  ની જરૂરત હોય છે.એટલે પક્ષીઓ પણ  જોડી  બનાવે છે.
          
               * દક્ષીણ ધ્રુવ પ્રદેશ માં પેન્ગ્વીન નામના જે પક્ષીઓ રહે છે,તે ઉડતા નથી પણ ચાલે છે અને પાણીમાં તરે છે.ભયાનક શિયાળામાં ૧૦૦ માઈલ(૧૬૦ કિલોમીટર) ની ઝડપે કાતિલ પવન સુસવાટા મારતો હોય ને ભયંકર બરફ વર્ષા થતી હોય ત્યારે હજારો પેન્ગ્વીન ટોળું વળી ને છ મહિના ઉભા રહેતા હોય છે.એમના બે પગ વચ્ચે એક ઈંડુ રાખી  છ મહિના સાચવતા હોય છે તે નર હોય છે,માદાઓ નહિ.માદાઓ તો ઈંડા મૂકી દરિયા ભેગી થઇ ગઈ હોય છે.શિયાળો પૂરો થતા પાછી આવે છે,પેટમાં એમના બચ્ચાઓ માટે અઢળક ખોરાક નો પુરવઠો ભરીને.પ્રાણીઓ ને બીજા સજીવો નો મોહ સમય પુરતો હોય છે.જયારે માનવી નો મોહ સમય વીતી ગયા પછી પણ  ચાલુ રહેતો હોય છે.સંતાનો ખુદ સંતાનો ધરાવતા થઇ ગયા હોવા છતાં આ મોહ ચાલુ રહે તો સંતાનોએ અપ્રિય લાગતો હોય છે.
       
                       *  સ્ત્રીને અને પુરુષ ને એકબીજા પ્રત્યે મોહ મમતા હોય છે.પ્રેમ હોય છે.પરિણામ સ્વરૂપ એમના જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થઇ જીવનચક્ર આગળ ધપે છે. અને બંને ભેગા થઇ ને એમના સંતાનો પ્રત્યે મમતા રાખે છે.જેથી એમણે ટ્રાન્સફર કરેલા જીન્સ નું રક્ષણ થઇ,પાલન થઇ નવા જીવન ને આગળ ધપવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.તમે જીન્સ ટ્રાન્સફર તો કરી દો બીજી પેઢીમાં,પણ એમને મોટા થવા માટે જરૂરી સહાયતા ના કરો તો એનો શું અર્થ?એટલે કુદરતે મમતા મૂકી.આ છે મોહ મમતા. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
    
                 *નોધ:-નીચેના ફોટા મેં જાતે ન્યુયોર્ક માં હરતાં ફરતાં ખેચેલા છે.
Single Mother
         

!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!

 !!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!        
         
        *ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ  જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.વણ જોઈતું કશું મુકે તેવો એ મૂરખ નથી.તમે શ્વાસ લીધા વગર કેટલું જીવી શકો?તમે ખોરાક લીધા વગર કેટલું જીવી શકો?કે પાણી પીધા વગર પણ કેટલું જીવી શકો?આ થઇ તરત ની જરૂરિયાતો.પણ ઘણી એવી જરૂરિયાતો છે,જે લાંબા ગાળાની યોજનાઓ છે.એના વગર કોઈ સજીવ ને ચાલતું નથી.જો ચાલી શકતું હોય તો ભગવાન મુકે જ નહિ.
       
                                *કામ એટલે સેક્સ કુદરતે દરેક સજીવોમાં મુકેલો છે.જો એ નાં હોય તો જીવન ચક્ર આગળ ચાલે નહિ.જો ખરાબ હોત તો કુદરત તમારી અંદર મુકત જ નહિ.એટલે એના વગર ચાલતું નથી.જો બળજબરી થી ચલાવવા  જાવ તો સ્ખલન થવાનું જ છે.હમણા ૩૩ વર્ષ ના યુવાન દક્ષીણ ભારતીય સન્યાસી નિત્યાનંદ ની વાતો વાંચી.તમિલ અભિનેત્રી સાથેના એમના અંગત સબંધો ચર્ચા માં છે.આમાં આ સન્યાસી ખોટા રવાડે ચડી ગયા છે.૩૩ વર્ષ નું જુવાનજોધ શરીર એમના કાબુમાં ના રહે.કુદરતે અબજો વર્ષ થી  તમારા જીન્સ માં મુકેલું છે કે એક કોપી પાછળ મુકતા જવું.એ ઈવોલ્યુશનરી ફોર્સ સ્ત્રી નજીક આવી નથી કે તમને છોડવાનો નથી.આ સાયંસ પ્રાચીન લોકો જાણતાં હતા.નાની ઉમરમાં સન્યાસ લેવો એ કુદરત ના વિરુદ્ધ માં જવાનું થાય છે.આના વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે.જીવનચક્ર આગળ ને આગળ ચાલતું રહે તેવી કુદરતની યોજના એટલે દરેક સજીવ માં મુકેલી “કામ” ની પવિત્ર ભાવના.કુદરતે મુકેલી દરેક વસ્તુ પવિત્ર જ હોય.”કામ” ને કામવાસના કહી હું કુદરત નું ભગવાન નું અપમાન કરવા નથી ઈચ્છતો.જેમ ભૂખ લાગે છે,ને ખાધા વગર ચાલતું નથી.તેમ લાંબા ગાળા ની કુદરત ની યોજના મુજબ કામ(સેક્સ) વગર ચાલે નહિ.
       
                     *ક્રોધ માં એક બળ હોય છે,તાકાત હોય છે.ક્રોધ વગર નો માણસ નપુંસક જેવો લાગે છે.જે કામ માં ખુબ તાકાત લગાવવી પડે છે,તે કામ ક્રોધ માં સહેલાઇ થી કરી શકો છો.અમેરિકાના એક પ્રતિષ્ઠિત ઓલોમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લેટ્સ ભારત આવેલા.અહીના રમત જગત ના ખેલાડીઓ ની મુલાકાત લીધી.અહી ચાલતા વિવિધ કેમ્પ ની મુલાકાત પણ લીધી.પછી કોઈએ પૂછ્યું કે આપનું અહીના ખેલાડીઓ વિષે શું માનવું છે?એમનો જવાબ હતો કે ભારતમાં પ્રતિભા ખુબ છે.પણ ‘ભારત ના ખેલાડીઓ અગ્રેસીવ નથી’.ખેલાડીઓ માં આક્રમકતા નથી.એક મરું કે મારું ની ભાવના જોઈએ,જે અહીના ખેલાડીઓ માં નથી.માટે છેલ્લી ઘડીએ માર ખાઈ જાય છે.પ્રજામાં જ એક તો આક્રમકતા નથી તો પ્રજામાંથી આવતા ખેલાડીઓ માં ક્યાંથી હોય?કે નેતાઓમાં પણ ક્યાંથી હોય?મહાત્માઓ ના ઉપદેશો કે કામ,ક્રોધ ને છોડો.ક્રોધ ખરાબ છે.પ્રજા કાયર ના બને તો શું થાય?નપુંસક ના બને તો શું થાય?મુઠ્ઠીભર અંગ્રેજો અહી રાજ ના કરી જાય તો શું થાય?છોને આપણે એક અબજ થી વધારે રહ્યા.હજારો ઘેંટાઓનું ટોળું ભલેને હોય,પણ એક સિંહ આવીને ત્રાડ પડે તો શું થાય?ધાર્મિક મહાપુરુષોએ ક્રોધ ને વખોડી વખોડી ભારતને પાયમાલ કરી નાખ્યું છે,બલહીન,કાયર બનાવી દીધું છે.
          
               * સર્વાઈવલ માટે જીવવું હોય તો બળ જરૂરી છે,ને એ બળ પેદા થાય છે ક્રોધ માં.એક ઘાંચી ને રાજપૂત ના ઘર જોડે હતા.રાજપૂત ભાઈ દુબળા પાતળાં ને ઘાંચી ભાઈ તગડા રૂષ્ટપુષ્ટ.ઘાંચી ની પત્ની પેલા દરબાર ની પત્નીને રોજ મહેણાં મારે કે મારો ઘાંચી કેવો તગડો છે,ને તારો દરબાર જો કેવો દુબળો પાતળો છે.દરબાર ની પત્નીએ એના પતિ ને આ વાત કરી.દરબાર કહે ઢોલ વાગવા દે પછી વાત.એવામાં ગામમાં ધાડ પડી ને બચાવ કરવા લોકોને ભેગા કરવા ઢોલ વાગ્યો.દરબાર ને ક્રોધ ચડ્યો,ઝનુન વ્યાપી ગયું શરીરમાં.દરબાર ને પેલી ઘાંચી ની વાત યાદ આવી,બાજુમાં પડેલી લોખંડ ની કોશ ઉઠાવી ને ઘાંચી ના ગાળામાં ભેરવી ને વાળી દીધી.પછી દરબાર તો ગયા ધાડપાડુઓ  સામે લડવા ને બધા ભાગી ગયા એટલે પાછા આવ્યા.હવે ક્રોધ જતો રહ્યો.પેલો ઘાંચી કહે દરબાર હવે આ કોશ ને સીધી કરો ને કાઢો હવે.દરબાર કહે હવે ના થાય,ફરી ઢોલ વાગે ત્યારે સામે આવીને ઉભો રહેજે.આ વાત તો ઘણા બધાએ વાંચી હશે.કોઈ આખો દિવસ તો ક્રોધ માં જીવી ના શકે.શરીર માં ખાસ પ્રકાર ના કેમિકલ્સ ક્રોધ માં વધારાનું બળ પ્રાપ્ત કરવા માટે છૂટે છે.ઈમરજન્સી શક્તિ નો પુરવઠો વહેવા લાગે છે.કામ પૂરું થયા પછી એની જરૂર હોતી નથી.ઉલટાનું હાની કરે.માટે આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ સર્વાઈવલ માટે જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.
 

ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી !!!! ૫૦ લાખ સાધુઓ ?બાપરે !! અધધધધ !!!
*ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે. અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા. એટલે પ્રજાની માનસિકતામાં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યેની ગુલામી લોહીમાં વણાઈ ગઈ. પણ ગુરુઓની ગુલામી, ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસામાં સંતાનોને પણ જીન્સમાં આપતા જવાની. કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ. ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા. બધા ગુરુઓ પાસે દોડી જતા. આશીર્વાદ લેવા, સલાહ લેવા. બીજા કોઈ દેશના નેતાઓ સાધુઓની સલાહ લેવા જતા નથી, માટે એ દેશો ભારત કરતા બળવાન છે. અને આગળ પણ છે. સાધુઓની સલાહ લઇને કયું દેશનું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે, ગરીબ બન્યો છે, કાયર બન્યો છે.  ભીખારીઓની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા? મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓની સલાહ લેવા દોડી જાય છે. કે આશીર્વાદ લેવા દોડી જાય છે. હા કોઈ અપવાદ હોઈ શકે. જેવા કે ચાણક્ય. પણ એવા અપવાદ કેટલા? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થાનું મહત્વ ચાણક્યે સમજાવેલું. રાજ્યના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા. બંગલા દેશનું સર્જન થયું એ ૧૯૭૧નું યુદ્ધ અર્ધું તો ભારતની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું. આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું. કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
*બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે. કોઈ ઠોસ કામગીરી કરવી નથી. કર્મનો નિયમ અફર હોય ને કર્મનું ફળ મળવાનું જ છે, અને કર્મો ભગવાનને પણ છોડતા નથી તો આશીર્વાદની શી જરૂર? પ્રાર્થનાની શું જરૂર? જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલમાંથી બચવા કરતા હોવ તો. બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી. ભગવાન મહાવીર આ કર્મના નિયમ ને જાણતા હતા, માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે, એવું કોઈ આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું. જો એ સાચું હોય તો?
આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી. નથી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા. નથી કોઈ સેવા વેચતા. મફતમાં પ્રજાના પૈસે લહેર કરે છે. એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી. તો સાદો હિસાબ ગણો. રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે. ભગવાં પહેરી લીધા એટલે પત્યું. બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની. ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુઓને લઈને આખી સાધુ સંસ્થાને ના વખોડાય. મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી? સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ, ગુરુઓ કેટલા?  અને જે સાચા છે એતો સંસારમાં રહી ને પણ ભક્તિ કરી શકશે. તમામ ઋષિ જગત પરણેલું હતું. ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી. ઘણાનું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે. ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની? કે પછી સ્ત્રીઓની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
*એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓનો તોટો નથી આ દેશમાં. એક ના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે. એક સોમપુરા ફેમીલીનું ભલું થાય છે, અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે. આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે. એ કાઈ ભૂખે મરવાનું નથી. એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે. મંદિરો જેવી સોસાયટી બનાવશે, એપાર્ટમેન્ટ બનાવશે. જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
*કુંભના મેળા વખતે ગંગા ને ગંદી કરતા, સ્નાન કરતા લાખો સાધુઓના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે.  અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે. લોકો ખુશ થાય છે,  કેવો મહાન દેશ છે અમારો. બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે, કેવી મહાન સંસ્કૃતિ !!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા, ધોળિયા પણ માને છે. ઉતાવળમાં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે, માનતા થયા છે. મરેલાને જીવતો કરવાની વિદ્યા. કૉમામાં ઉતરી ગયેલા પાછા ભાનમાં આવે છે, પણ મરેલા કઈ રીતે જીવતા થાય? કાંતો પછી કૉમામાં ઉતારેલા ને મરેલા માનતા હશે. અને ભાનમાં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
*સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મની, સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે. પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે. એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે, કે બનવું પડે. પછી ચોર લોકો જ પોલીસની નોકરીમાં ઘુસી જાય. એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ. એટલે પછી અધર્મીઓને કામચોરો સાધુ બની જાય, ગુરુ બની જાય. એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના. અભિનયની કળાના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે, ભાષણો આપે, હૃદય દ્રાવક કથાઓ કરે, કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે. મિલકતો, આશ્રમો ઉભા થાય. પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય. ખૂન પણ થઇ જાય.  સાધુ સંસ્થા દેશ માટે નુકશાનકારક છે.  ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે, પ્રજા માટે, પ્રજાના ખીસા માટે.