Category Archives: ધર્મ અને અધ્યાત્મ

રેશનલ આધ્યાત્મિકતા????

Lama Yeshe Losal (2007)
Image via Wikipedia
રેશનલ આધ્યાત્મિકતા????
          આધ્યાત્મિકતા એટલે શું?કંઈક ભગવાનને લગતું?ધર્મને લગતું કે પછી અલૌકિક,કુદરતના કાયદાથી પર કે દિવ્ય?દિવ્ય એટલે શું?પ્રેમ કે નીતિમત્તા?
    બહુ અઘરું છે નહિ?વ્યાખ્યા કરવી અઘરી છે,તેમ દરેકની વ્યાખ્યા પણ અલગ રહેવાની.મોરલ વેલ્યુઝ વગરની આધ્યાત્મિકતા કે ધર્મ ને શું કહીશું?
     જીવન એક નૈયા છે જે ક્યારેક ડૂબી જવાની છે.મૃત્યુનો વિચાર અને મૃત્યુનો ડર એક ભૂતની જેમ મનુષ્ય પ્રાણીને ખૂબ સતાવતો હોય છે જે બીજા કોઈ પ્રાણીને સતાવતો નથી.આપણે મરણાધીન દર્પણ છીએ,દુનિયાનું પહેલું પ્રાણી જે જીવન ચક્રનો આખો પરિઘ જોઈ શકે છે અને ખબર છે કે એક દિવસ મૃત્યુ આવવાનું જ છે.જીવન નૈયામાં સફર કરતા કરતા એક દિવસ ભવિષ્ય તો ઊંડા તળિયે જ છે.
   મૃત્યુ એક નથી હોતું,પળે પળે ક્ષણે ક્ષણે આપણે મરતાં હોઈએ છીએ.મિનિટ,કલાક,વર્ષ,દાયકા,જમાના,યુગો અને યુગો વીતી જતા હોય છે અને રોજ કંઈક ને કંઈક મરતું હોય છે.ક્યારેક ચશ્માં ખોવાઈ જતા હોય છે,ક્યારેક કોઈ મિત્ર દગો દઈને જતો રહેતો હોય છે,કોઈ સંબંધી દુનિયા છોડી જતું રહેતું હોય છે કે કોઈ ક્યારા મિત્રનો ફોન નંબર ખોવાઈ જતો હોય કે બદલાઈ જતો હોય છે,આજે કોઈ વસ્તુ અચંબો પમાડે છે તે કાલે નથી પમાડતું.હર્ષ આવે છે અને પછી પાછળ શોક પણ આવતો હોય છે.કુટુંબો નાશ પામી જતા હોય છે,સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે,માયા,ઇનકા,એઝટેક,સુમેરિયન,ઇજિપ્શિયન બધું ભૂતકાળ બની ચૂક્યું છે.આજે જેને આપણે બાથમાં લઈએ છીએ તે કાલે સડી જતું હોય છે.એક કૂતરું આજે ખરીદીએ સાથે એનું મોત પણ ખરીદીએ છીએ.સર્જન વિસર્જન ચાલ્યા કરતું હોય છે,વિજ્ઞાન આ નિયમો સમજવાનો પ્રયત્ન કરતું હોય છે.પણ બધા નિયમો સમજાતાં નથી હોતા.એટલે પછી ભારતમાં કહેવાય છે કે વિજ્ઞાન જ્યાં અટકે ત્યાં અધ્યાત્મ શરુ થાય છે.કોઈને અધ્યાત્મ ગીતમાં દેખાય છે,કોઈને ટીલા ટપકામાં.કોઈને મહાકાલી સાથે વાતો કરવામાં અધ્યાત્મ દેખાય તો કોઈ યોગીને એ કાલીના નાશમાં.કોઈને માનવતામાં અધ્યાત્મ દેખાય છે,કોઈને લાગણીઓના પ્રવાહમાં.ચાલો એક મહાન નાસ્તિકે (ભગવાન બુદ્ધ) ચાર ઉત્કૃષ્ટ ભાવના કઈ ગણાવી છે તે જોઈએ.
    આ ચાર લાગણીઓ(Brahma Vihar) આપણે આપણાં મનમાં વાવી શકીએ છીએ,એને ઉછેરીને વૃક્ષ બનાવી શકીએ છીએ.
     મેત્તા:– Lovingkindness or Friendliness ,મિત્રતા,પ્રેમાળ હૃદય કે અસીમ મિત્રતા,મૈત્રીપૂર્ણ વ્યવહાર.સાદા શબ્દોમાં કહીએ તો કોઈને પણ તમારા હ્રદયમાંથી ફેંકી દેશો નહિ.એમાં આપણે પોતે પણ આવી ગયા.ઘણીવાર આપણે પોતે આપણી જાતને ધિક્કારતા હોઈએ છીએ,તો કોઈને અને ખુદને પણ હૃદયમાંથી ફેંકી દેશો નહિ.મેત્તા એટલે શુભ ચિંતક.દરેકનું ભલું થાય તેવી લાગણી.
Sylvia Boorstein ,Author of

It’s Easier Than You Think: The Buddhist Way to Happiness

જયારે કોઈ પણ માણસને જુએ એટલે મનોમન કોઈને ખબર પડે નહિ તે રીતે I love you કહેતી.અને આમ કરીને મેત્તાની સાધનામાં આગળ વધતી.આમ તેને અજાણ્યા લોકો માટે પણ ભાવ ઉભરવા લાગ્યો.અજાણ્યા લોકોના દુખ દર્દ અને આનંદમાં સહભાગી થવા લાગી.

  કરુણા:-Compassion.કરુણા અને મિત્રતા પોતાના માટે વહેવી જોઈએ.આપણે પોતાના પ્રત્યે પણ ક્રૂર બનતા હોઈએ છીએ.આપણાં શરીરનું નિરીક્ષણ કરો,એક હાથે ઈજા થશે તો તરત બીજો હાથ એની દરકાર કરવા લાગે છે કે નહિ?શરીર આવો ઓટોમેટીક રિસ્પૉન્સ આપતું હોય છે.બસ આમ પ્રથમ પોતાના શરીર માટે કરુણા ઊગશે તે પ્રવાહ બીજા લોકો પ્રત્યે પણ વહેતો થશે.વિનાકારણે પોતાના શરીરને પણ કષ્ટ આપવું હું તો માનું છું ગુનો છે.કરુણા અને કહેવાતી દયાની ભાવનામાં મને થોડો ફરક લાગે છે.કોઈના પ્રત્યે દયા આવવી એમાં થોડો અહંકાર રહેલો હોય છે.દયા કરનારનું સ્થાન જરા ઊંચું અને દયાપાત્ર જરા નીચો લાગતો હોય છે.ઉપકારની ભાવના આવી જતી હોય છે.બુદ્ધની કરુણા અવિરત વહેતી હોય છે.એમાં કોઈ ઉપકાર નથી.કોઈ અહંકાર નથી,ભેદ રેખા બહુ પાતળી છે.
બૌદ્ધિષ્ઠ ટીચર Pema Chodron ::-I’ve learned to cultivate compassion for myself, my heart has opened to others who are suffering.
    મુદિતા:-(joy in the joy of others) મુદિતા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જલ્દી નહિ મળે.મુદિતા એટલે હર્ષની લાગણી.ખુશ થવું.આનંદિત થવું.પણ શેમાં?બીજાની હર્ષની લાગણી જોઈ હર્ષ અનુભવવો,બીજાને સુખી જોઈ સુખ અનુભવવું,બીજાને આનંદિત જોઈ આનંદ અનુભવવો.આપણે તો કોઈને સુખી જોઈએને દુખ અનુભવીએ છીએ.જલન થતી હોય છે.ઈર્ષ્યા થતી હોય છે.અને જો કોઈ દુખી હોય કે એની કમનસીબી જોઈએ ને હર્ષ અનુભવીએ છીએ.એટલે કોઈના દુખમાં હર્ષની લાગણી અનુભવો કે ખુશ થાઓ તેને મુદિતા ના કહેવાય.આમ મુદિતા ઈર્ષ્યાનો એન્ટીડોટ છે.
    ઉપેખ્ખા :-Equanimity ,ઉપેક્ષા,સ્વસ્થતા,શાંતિ આવા અર્થ કરી શકાય.ઉપેક્ષા કરવી તેમાં જરા નકારાત્મક ભાવ લાગે છે.જીવનના ચડાવ ઉતાર પ્રત્યે સ્વસ્થતા રાખવી શાંતિ રાખવી તેનું નામ ઉપેખ્ખા.સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ઉપેખ્ખા બહુ કામનો શબ્દ લાગે છે.
    Lama Yeshe :- “If you expect your life to be up and down, your mind will be much more peaceful.”
     રોજબરોજના જીવનમાં આ ઉત્કૃષ્ટ ભાવનાઓ વિકસાવવા જેવી છે.બુદ્ધ મનોચિકિત્સક,મનોવૈજ્ઞાનિક,ન્યુરોલોજીસ્ટ જેવા વૈજ્ઞાનીકોના હંમેશા પ્રિય રહ્યા છે.હું જ્યારે જ્યારે મનોવિજ્ઞાન વિષે વાંચતો હોઉં ત્યાં વારંવાર બુદ્ધનો ઉલ્લેખ થતો હોય છે.
     બુદ્ધે ૨૫૦૦ વર્ષ પહેલા કહેલું કે જેને સાંભળવાની કળા આર્ટ ઑફ લીશનીંગ આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા નહિ.મતલબ શરીરની ઉંમર અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.જોકે તે સમયે વાંચવાનું ખાસ કશું હશે નહિ,આજના જેટલા પુસ્તકો હશે નહિ.બાકી આજે બે વસ્તુ કહી શકીએ કે જેને આર્ટ ઑફ લીશનીંગ અને આર્ટ ઑફ રીડિંગ નસીબ નથી તેનું શરીર વધે છે પ્રજ્ઞા નહિ,બુદ્ધિ નહિ.

સ્મૃતિયર્વણા-૨

સ્મૃતિયર્વણા-૨

    જુઓ ધર્મો તર્કહીન, બુદ્ધિહીન, સૂઝસમજવિહોણા વિચારો જેવા કે અપરાધભાવ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા વગેરેને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુરુ હોય પયગમ્બર કે એમના શાસ્ત્રો પવિત્ર ગ્રંથો હોય એમને ખાલી વિશ્વાસના સહારે માનવા પડે. કોઈ લોજિક હોય કે ના હોય, બસ વિશ્વાસ રાખો. ધર્મો તર્કહીન કર્મકાંડોને અમલમાં મુકાવતા હોય છે. ધર્મો ધન જેવા છે. ધન ભાગલા પડાવે. કહેવાતું ભલે હશે કે ધર્મ જોડે છે. હા જોડવાનું કામ પણ કરતા હોય છે, એક ધર્મ કે સંપ્રદાયને માનવાવાળા લોકો વચ્ચે. પણ મોટાભાગે ધર્મોએ માનવ માનવ વચ્ચે ભાગલા વધુ પડાવ્યા હશે જોડવાને બદલે. એક જ ગુરુ કે પયગંબરના અનુયાયીઓ વચ્ચે એકતા પણ બીજા માટે? જુદા જુદા ધર્મો વચ્ચે તો વિરોધ હોય, સ્વાભાવિક છે. અરે એક જ ધર્મના ફાંટાં અને સંપ્રદાયો વચ્ચે પણ એના માનનારા એકબીજાના દુશ્મન હોય છે. સવાલ અગી ધર્મનો રહેતો નથી, ગુરુનું વ્યક્તિત્વ, પૈસો અને પ્રોપર્ટીનો સવાલ હોય છે. હમણાં એક બહેન કહેતા હતા કે એમના પતિદેવ વડતાલ સ્વામિનારાયણમાં માને છે, હવે તેમાં પણ બે ભાગ પડી ગયા છે, પણ બાપ્સ વાળાને ખૂબ ગાળો ભાંડે છે. સંપ્રદાયો તો ખરા, એમાં વળી પેટા સંપ્રદાય.

દરેક ધર્મ ચુસ્ત રીતે માનતા હોય છે કે પોતે એકલાં જ સત્ય ધરાવે છે. સત્યનો ઇજારો એકલાં એમની પાસે હોય છે, બીજા જૂઠા હોય છે. ભલે આપણે સૂત્રો લખીએ કે સત્ય એકજ છે પણ વિદ્વાનોએ જુદીજુદી રીતે કહ્યું છે , તો ઝગડો શેનો છે? ચોપડે ચીતરવામાં આવા વાક્યો બહુ સારા લાગતા હોય છે, કોઈ માને છે ખરું? જો બધા ધર્મોના ફોલોઅર્સ આવું માને તો કોઈ ઝગડો જ ના રહે. પણ આવું કોઈ માનતું નથી. દરેકને પોતાનો ધર્મ જ સત્ય લાગતો હોય છે. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે ખ્રિસ્તી ધર્મના એક પેટા સંપ્રદાયમાં(Sandemanians) માનતા હતા. આ લોકો પ્રમાણિકપણે માનતા હોય છે કે સત્યના દ્વારની ચાવી ફક્ત આ લોકો પાસે જ હોય છે અને સ્વર્ગના દરવાજા ખાલી આ લોકો માટે જ ખૂલતા હોય છે.

                  એક નોંધવા જેવું સત્ય કે રાજકીય મદદ વગર ધર્મો ફેલાતા નથી. રોમન સમ્રાટ Constantine, ખ્રિસ્તી ધર્મને બાથમાં લીધો(Edith of Milan in 313 A.D.)ત્યાર પછી ખ્રિસ્તી ધર્મે જબરદસ્ત છલાંગ લગાવી. મક્કાની કુરેશ જાતિને મહમંદે હરાવી નહિ ત્યાં સુધી એમનો ધર્મ ફેલાવવો મુશ્કેલ હતો. તાકાતવર ખાલીફાઓની તલવારના જોરે ઇસ્લામ ફેલાયો છે. મૌર્ય સમ્રાટ બિન્દુસાર શ્રેણિકના સહકાર વગર જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો મુશ્કેલ હતો. ગુરુ ગોવિંદસિંહે એમના શિષ્યોમાં સૈનીકબળ દાખલ કર્યું, લડાયક બળ ઉમેર્યું ત્યારે આજે શીખ ધર્મ ઊભો રહી શક્યો છે. આર્યોનો રાજા મહાબળવાન ગણાતો ઇન્દ્ર હતો, જયારે રામ અને કૃષ્ણ પોતે રાજાઓ હતા. કોઈપણ ધર્મ એની શરૂઆતના સમયમાં રાજ્ય અને રાજાના સહકાર વગર ટકવો મુશ્કેલ છે. કોઈ પણ ધર્મ જુઓ ધર્મના નામે ખૂબ હિંસા થઈ છે. ક્રિશ્ચિયાનિટી પ્રેમની વાતો કરશે, પણ એના નામે અનેક હત્યાકાંડો ચડેલા છે. ઘણા દેશોમાં પથ્થર મારી મારીને મારી નાખવાની પ્રથા હજુ આજે પણ ચાલે છે. હિટલર લાખોમાં કરોડોમાં એક પાકતો હોય છે અને તાલીબાનો પણ ખૂબ ઓછા હશે. પણ એથી કાઈ ધર્મની જવાબદારી શું ઓછી થઈ જાય? આપણે હિંદુઓ બહુ સહિષ્ણુ ઉદાર , દયાળુ ગણાઈએ પણ તે અર્ધું જ સાચું છે, અને હાલ સાચું છે. હિંદુ રાજા પુષ્યમિત્ર શુંગ (૧૮૭-૧૫૭ બીસી)જેણે બૌદ્ધ મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી દીધેલો, બુદ્ધ સાધુની ખોપરી લાવનારને સોનાનું દાન આપતો. સૈનિક શક્તિ આગળ હારી જનારી પ્રજા  સહિષ્ણુતા કેળવી લેતી હોય છે. અને જીતનારા  અસહિષ્ણુ બની જતા હોય છે.

જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા. એમાં પ્રાપ્ત થતી સફળતામાંથી જન્મ લેતો ધર્મ એક જ સત્ય ઉપર અવલમ્બન રાખતો હોય છે . હું ખાલી ધર્મના નામે ચાલતા દંભના પડદા ચીરવાનું કામ કરું છું.  લોકો તર્કહીન બુદ્ધિહીન કહેવાતા ધર્મોનું પાલન કરતા હોય અને એના નામે અઢળક તૂત ચાલતા હોય ત્યારે એકાદ આવી સર્ચ લાઈટ નાખવાનું મુનાસિબ છે કે નહિ? કોઈ ધર્મપુસ્તક ઉપરથી ટપક્યું નથી. કોઈ ભગવાન એને કહેવા કે લખવા આવતો નથી. જેતે સમયના જરૂરી આચારવિચાર, પ્રાર્થનાઓ  જેતે ઋષિ કે મસીહા કરતા હોય છે તેનું વર્ણન હોય છે. પ્રોફેટનો અર્થ પ્રાચીન સમયમાં પોએટ થાય.

             મૉર્ડન બ્રેઈન ઇમેજિંગ ટેકનીક્સ જેવી કે એમ આર આઈ, પેટ સ્કેન વડે જાણવા મળે છે કે બ્રેઈન સર્કિટ વાંકીચુકી ચાલવા લાગે કે વિકૃત રીતે દોડવા લાગે ત્યારે ધર્મના ધક્કા બ્રેઈનને લાગતા હોય છે. લોકોને  હલૂસિનેશન ભ્રમ થતા હોય છે. ના દેખાવાની વસ્તુઓ દેખાતી હોય છે. અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. ધાર્મિક હલૂસિનેશન સ્કીજોફ્રેનીક લોકોમાં સામાન્ય હોય છે આવું મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે. સાયન્સની Neurotheology શાખા હવે પ્રગતિમાં છે(Newsweek  May 7,2001 અથવા Readers’ Digest Dec.2001). માનસિક બીમારી અને આધ્યાત્મિક અંતર્દર્શન બંને ઓળખવાનું બહુ અઘરું છે. Salvia  Divinorum એવી વનસ્પતિ છે કે તેને  લેવાથી આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે, કૃષ્ણની રાસલીલા હાલ દેખાવા લાગે. આત્મા શરીરની બહાર નીકળીને કામ કરતો હોય તેવું લાગે. એનો મોટો ડોઝ લેવાઈ જાય તો કોમામાં જતા રહેવાય અને સ્મૃતિ ભ્રંશ થઈ જાય. આનો ઉપયોગ કરવાવાળા ટાઈમ અને સ્પેસમાં મુસાફરી કરી હોય તેવા અનુભવો એમણે નોંધ્યા છે. આ દવા ખાનારને  પારલૌકિક અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. દિવ્ય માનવો દેખાતા હોય છે. આ બાવાઓ ગાંજો કેમ પીતા હોય છે હવે સમજ પડી?

                   ચાર વર્ષની ઉંમરે બાળક વિચાર અને ઇચ્છા વચ્ચેનો ભેદ ઓળખવા લાગતું હોય છે. ચાર વર્ષની ઉંમરે બાળક ઇચ્છા અને રીયલ વસ્તુ વચ્ચેનો ભેદ કરવા માંડતું હોય છે. જો બ્રેઈન ક્લિયર તફાવત કરતુ ના  થાય તો બાળક સમજવામાં તકલીફ પડે છે અને માનતું હોય કે જે રમકડું એને જોઈતું હતું તે એની પાસે છે જ. સંસ્કૃતિઓ પણ એમની બાલ્યાવસ્થામાં માનતી હોય છે કે એમના વિચારો સત્ય છે. ઘણા બધા પ્રમાણિક સારા માણસો માનતા હોય છે કે ભગવાન છે જ કેમકે તેમણે એને ઇચ્છ્યો હોય છે. શ્રદ્ધાના જાદુમાં હવે લાખો લોકોને શ્રદ્ધા રહી નથી.

સ્મૃતિયર્વણા-૧

A hindu devotee in Nepal
Image via Wikipedia

સ્મૃતિયર્વણા-૧
આધુનિક સમાજને જ્યારે ઘણા બધા ધર્મોનાં નગારા જોરશોરથી સાંભળવાના હોય અને એમના ધર્મ ઝનૂનને વેઠવાનાં હોય ત્યારે એના વિષે વિચારવું અને મનન કરવું જરૂરી છે. હિન્દુઓની આત્મા, પુનર્જન્મ અને મુક્તિની માન્યતાઓ બીજા ધર્મો સ્વીકારતા નથી. અરે ધર્મની પોતાની જ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ધાર્મિક સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે પૂજ્યભાવ -ની પૂજા, ધર્મપ્રણાલી વગેરેના અગણિત સરોવરમાંથી કયા સરોવરમાં ડૂબકી મારવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મુખ્ય ધર્મો વચ્ચે મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો બધો ફરક હોય છે જેનો અભ્યાસ કરવો જોઈએ. કયો ધર્મ સાચો છે તે નક્કી કરવાનો કોઈ સચોટ રસ્તો જ નથી. પછી તો માની લેવું કે આપણને જે વારસામાં મળ્યો તે જ સાચો? ધર્મ વ્યક્તિગત માનસિક જરૂરિયાતો પૂરી કરતો હોય છે, પણ આધુનિક માનવને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ધર્મોની જૂની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા.  ધર્મોએ પણ ઉત્ક્રાન્તિના, વિકાસના ક્રમમાં વિકાસ કરવો પડે, પણ ધર્મો વિકસતા નથી. એમને એમને જૂની માન્યતાઓ બહુ સારી લાગતી હોય છે. માનવી ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હોય છે. વિજ્ઞાન પ્રગતિ કરતું જતું હોય છે. વિજ્ઞાન એની જૂની માન્યતાઓ ફેંકી દેતા વાર લગાડતું નથી. જ્યારે ધર્મો ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોય છે. આજે આધુનિક મેડિકલ સાયન્સ, ન્યુરો સયન્સ મનોવિજ્ઞાન બ્રેઈન વિષે, ચેતન અચેતન મન વિષે, સેલ્ફ અવેયરનેસ વિષે ખૂબ સંશોધન કરી રહ્યું છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ માને છે કે ખાલી માનવને આત્મા(SOUL) છે. બીજા પ્રાણીઓને આત્મા જેવું કશું હોતું નથી, માટે એ લોકોને ખાઈ શકાય. તેઓ આત્માનો ફરી ફરી જન્મ થાય તેવું માનતા નથી. આપણે હિંદુઓ માનીએ છીએ દરેકમાં આત્મા છે અને ફરી ફરી જન્મ થાય છે. હવે આનો અર્થ એ નથી કે આ માન્યતાઓ સાચી છે કે ખોટી. કોઈ પુરાવા છે નહિ. છતાં પ્રત્યેક હિંદુ દ્રઢપણે આશરે ૨૫૦૦ વર્ષથી તો ફરી ફરી જન્મ થાય તે માને જ છે. કોઈ તર્ક વગર એક માન્યતા એટલાં લાંબા સમયથી લોકો માનતા હોય તે એક ઐતિહાસિક ઘટના છે. હવે ધર્મોએ જે રીતે ભગવાનની કલ્પના કરી છે તેવી રીતનો હોય તેવું પણ શક્ય નથી.

ધર્મ શું છે અને શું નથી તે નક્કી કરવું પણ ખૂબ નવાઈ પમાડે તેવું છે. દુનિયામાં પાંચ મુખ્ય ધર્મો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને યહૂદી. તે સિવાય, જૈન, શીખ, તાઓ, શિન્ટો, બહાઈ અને બીજા ઘણા બધા. આ સાથે ઘણા બધા અગણિત કહી શકાય તેટલા પંથો સંપ્રદાયો છે. અમુકને ભગવાન સાથે સીધું હોટ લાઈન જોડાણ હોય છે. જેમકે ચાર્લ્સ મેન્સન યુ.એસમાં અને ઓમ જાપાનમાં. પોતાને સનાતન હિંદુ ધર્મનો ઝંડો લહેરાવતા કહેતા ૨૫૦૦૦ કરતા વધુ કલ્ટ તો ભારતમાં જ છે. દરેકની માન્યતાઓ અલગ, આચારવિચાર અલગ. અરે એક જ કલ્ટ સ્વામીનારાયણમાં પણ ચાર ચાર ફાંટાં અને બીજા પડતા જ જાય છે તે વધારામાં. મૂળ સહજાનંદ સ્વામી બ્રહ્મચારી હતા. એમના વારસો હાલ ગાદીપતિ છે તે શાદીશુદા હોય છે. એમાંથી અલગ પડેલા સંતો વળી પાછા સ્ત્રીઓના મુખ પણ જોતા નથી. ખાનગીમાં સ્ત્રીઓના પગની પાનીઓ ચાટતા હોય તે અલગ વાત છે.

વલ્લભાચાર્યના તો દરેક વારસો પોતે શ્રી કૃષ્ણ. વિચારો હાલ કેટલા બધા શ્રી કૃષ્ણ ભારતમાં વિચરતા હશે? રાસલીલાઓ રમતા હશે? હું, અશોકભાઈ, ધવલભાઈ બધા ખોટી માથાકૂટ રાધા અને કૃષ્ણ વિષે કરતા હતા કોઈ બાવાશ્રીને પૂછી લેવાનું હતું કે સત્ય શું છે? આટલાં બધા શ્રી કૃષ્ણો અહી વિરાજમાન હોય ને વિવાદ કરવા? પ્રમુખસ્વામીના ભક્તો વળી એમને પ્રગટ બ્રહ્મ કહે છે. વૈજ્ઞાનિકો ખોટી માથાફોડ કરે છે બિંગ બેંગ વિષે અને યુનિવર્સની રચના વિષે એમને જ પૂછી લેવાય. પણ બીમાર પડે તો તેઓશ્રીએ પણ ડૉક્ટરની સેવા લેવી પડે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસૈયો એમ જ તો નહિ કહી ગયો હોય ને? શું આ બધા ધર્મો છે??? કયા પાયા ઉપર? તો ધર્મ શું છે?

ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ લાંબો સમય સુષુપ્ત રહ્યા પછી પ્રકાશમાં આવ્યા. જૈન ધર્મના ફોલોઅર્સ બહુ ઓછા છે. બૌદ્ધ ધર્મ ખૂબ ઝડપથી વિકસ્યો અને ઠંડો પડી ગયો. ઘણા ધર્મો પેદા થયા પણ થોડાક બચ્યા. એક સંપ્રદાયને પુષ્કળ ફોલોઅર્સ મળે છે પછી તે ખુદ એક ધર્મ બની જતા હોય છે. ધર્મ જન્મે છે, એનો એક લાંબો જીવનકાળ હોય છે અંતે મૃતપાય થઈ જતા હોય છે. એક મસીહા વસંત ઋતુના ફૂલની જેમ ખીલે છે, પછી એને ખૂબ ભક્તો મળે છે, મસીહાની માન્યતાઓ પૂરી કરવા ઝનૂની બની લોહી રેડવા તૈયાર હોય છે. કાલાંતરે ધર્મઝનૂની બની જતા હોય છે. ત્યાં પછી બીજા ધર્મ માનનાર માટે કોઈ દયા ભાવ હોતો નથી. ઝનૂની ધર્મોની માન્યતાઓ અને ધર્મોની ઝનૂની માન્યતાઓને સમજવી જોઈએ. એક પાગલ અસંગત માન્યતા જુઓ, નૉર્થ અમેરિકાનો ક્રિશ્ચિયાનિટીનો એક Mormons  પંથ જોસેફ સ્મિથે સ્થાપેલો, એને દેવદૂત Moroni જાતે મળેલા. બહુસ્ત્રીગામી, શ્વેત લોકો શ્રેષ્ઠ છે, અને ક્રાઇસ્ટનાં નામે હત્યાઓ કરવાનો હક, શું તમે માની શકો?

હિંદુ ધર્મમાં છ અલગ વિચારધારાઓ છે—-સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અને બે મીમાંસા. આ તમામ વિચારધારાઓ પાસે ભગવાન વિષે એમનું અલગ તત્વજ્ઞાન છે. સાંખ્ય તો વળી ભગવાનનો ઇનકાર કરે છે. વળી એટલું બધો વાળનાં ભાગ કરવા જેટલો વિતંડાવાદ કે એક સુપર માઈક્રોસ્કૉપ જોઈએ એમના મતને સમજવા. ખાલી વેદાંત હાલ પ્રચલિત છે. બાકીના ખોટા છે તેવું પણ કઈ રીતે કહી શકાય? કર્તા અને ભોક્તા તરીકે આત્માની વિચારધારા પોતે વિવાદાસ્પદ છે. ખૂબ આદરણીય હિંદુ સ્કોલર એલ.એસ.જોશી કહે છે બુદ્ધિશાળી માણસ કર્મની થિયરીમાં માનતો હોય કે જેવું કર્મ કરો તેવું ફળ મળે તો પછી ૧) એક્સીડેન્ટ વિષે શું માનવું? ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, હજારો લોકો એક સાથે મરી ગયા, શું આ તમામ લોકે સાથે પાપ કર્યા હશે? હિટલરે ૬૦ લાખ યહૂદીઓને એક સાથે મારી નાખ્યા, નાના બાળકોને પણ છોડ્યા નહોતા. એમના શું કર્મ હતા? ૨) મરણ પછી શ્રાદ્ધની શું જરૂર? ૩) પશ્ચાતાપ શું કામનો? ચાલો ફરી ભૂલ ના કરીએ પણ કર્મ માફ થઈ જાય તેવું કહેવાય છે . ૪) જો ભગવાનમાં માનતા હોય તો કર્મનો નિયમ શું કામનો? કેમકે ભગવાનની પ્રાર્થના કરો, દયા મેળવો અને નિયમમાંથી છુટકારો. આમ કર્મનો નિયમ ખુદ એક તુક્કા કે તરંગ જેવો સાબિત થાય છે. સંચિત કર્મો કઈ સંદૂકમાં કે બૅન્કમાં જમા થતા હશે?

હીરાભાઈ ઠક્કરે કર્મનો નિયમ નામની બેસ્ટ સેલર બુક લખી છે. એમાંથી એક દાખલો કહું. એક ખૂનીને સબળ પુરાવારૂપે ફાંસીની સજા ન્યાયાધીશે આપી. ન્યાયાધીશ જાણતાં હતા કે આ માણસ ખૂની નથી. કારણ જ્યારે ખૂન થયેલું તે એકાંત જગ્યાએ સવારમાં ન્યાયાધીશ પોતે લોટે જવા મતલબ સંડાસ કરવા ખુલ્લામાં ગયેલા. એમણે ખૂનીને જોયેલો. હવે પોલીસે બીજાને પકડીને સબળ પુરાવા રજૂ કરેલા એ ન્યાયે આ ન્યાયાધીશ જાણતા હોય છતાં કે આ માણસ ખૂની નથી, એને ફાંસીની સજા આપે છે. પછી ચેમ્બરમાં બોલાવી એને પૂછે છે કે હું જાણું છું તું નિર્દોષ છે છતાં પુરાવા સબળ છે માટે મારે તને ફાંસીની સજા આપવી પડે છે તે કોઈ ભૂતકાળમાં એવું કર્મ કરેલું? પેલો કહે છે એણે ભૂતકાળમાં એક ખૂન કરેલું. બસ ન્યાયાધીશને સંતોષ થઈ જાય છે. પહેલા બચી ગયેલો પણ આ વખતે જુના સંચિત કર્મનો હિસાબ મળી ગયો. મેં ટૂંકમાં મારા શબ્દોમાં હિરાભાઈની વાર્તા લખી છે. બીજા મિત્રોએ જેણે આ બુક વાંચી હોય એણે ખબર હશે. આખી વાર્તા હમ્બગ, જૂઠી લાગે છે. હીરાભાઈનાં ફળદ્રુપ ભેજાની પેદાશ લાગે છે. અમદાવાદમાં ન્યાયાધીશ સવારમાં કોતરોમાં સંડાસ જવા જાય લોટો લઈને?? પછી ત્યાં એમની રૂબરૂમાં ખૂન થાય તો લોટો લઈને પેલાંના માથામાં પછાડી શકાય. ચાલો ડરપોક હોય તો જવાદો વાત. પણ ખૂન થયા પછી પોલીસ કેમ ના બોલાવી? ગુપચુપ ચાલ્યા ગયા? પછી પોલીસ સ્ટેશને જઈને ખબર આપી કે નહિ? એક ન્યાયાધીશ થઈને ફરજ કેમ ચૂકે? પોલીસને જાણ કેમ ના કરે? એમને ખબર છે કે અસલી ખૂની બીજો છે તો કેસ બીજા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સ્ફર કરી પોતે સાક્ષી કેમ ના બન્યા? નજરે જોનાર સાક્ષી હતા. એક નિયમ જે પોતાનામાં ખરો ઊતરતો નથી તેને સાચો સાબિત કરવા આપણાં ફિલસૂફ મનગડન્ત વાર્તાઓ બનાવી કાઢે છે. આ પુસ્તક વળી બેસ્ટ સેલર છે. મારા ઘરે પણ હતું. આવા તો કેટલાય પુસ્તકો હશે.

બધા ધર્મો વચ્ચે મૂળભૂત અને જેન્યુઈન ભેદભાવ હોય છે. આચરણમાં પણ ખૂબ ભેદ હોય છે. ખાલી સમાનતા હોય તો નીતિમત્તા, સદાચરણ વિષે. મોરલ કમાંડ સિવાય પ્રાણીઓ સાથે વર્તન, સેક્સ, પશ્ચાતાપનું મહત્વ અને બીજા ઘણા બધા વિષયો વચ્ચે ખૂબ ફેરફાર જોવા જોવા મળતો હોય છે. સદાચારની વાતો તો એથીક્સ કહેવાય કે નહિ? ઇસ્લામ મૂર્તિભંજક છે, હિંદુ મૂર્તિપૂજક, પરમાત્મા વિષે, આત્મા, પુનર્જન્મ, અહિંસા, એવા ઘણા બધા તદ્દન ભિન્ન માન્યતાઓ ધર્મો વચ્ચે છે. જીસસના પ્રભુ પ્રેમના દેવતા છે, અલ્લાહ શિક્ષા કરનારા તો વળી બ્રહ્મા કશું કરતા નથી ખાલી દેખરેખ રાખે. ક્રિશ્ચિયન કહેશે જીસસ પ્રભુના પુત્ર છે, જરા યહૂદીને પૂછી જુઓ.  હિંદુ કહેશે બીફ ખાવું પાપ છે બીજાને પૂછી જુઓ. અરે પ્રાચીન હિંદુ બીફ ખાતા અને આજે?

મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧

મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧
અહી ધર્મનું સ્વરૂપ જુઓ.
‘વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગદ્વેષથી રહિત એવા ધર્મનિષ્ઠ પુરુષો જે ધર્મને પાળે છે તથા
અંતઃકરણથી જેનો કલ્યાણના સાધન તરીકે સ્વીકાર કરે છે તેનું નામ ધર્મ અને તે ધર્મ તમે
સાંભળો.’આવો બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે.અહી મનુસ્મૃતિમાં કોઈ જટિલ ફિલોસોફી છે
નહિ,અહી સારો આચાર વિચાર ધર્મ છે.શું ખાવું,શું ના ખાવું,શું કરવું,શું ના કરવું
અને ભૂલોનું પ્રાયશ્ચિત છે.

બીજો શ્લોક જુઓ,ફળની ઇચ્છાનો સ્વભાવ સારો નથી;તેમ આ લોકમાં કામના વિના કર્મો
કરવામાં આવે,એ પણ સંભવિત નથી;કેમ કે વેદની જ્ઞાનપ્રાપ્તિ અને વૈદિક કર્મયોગ એ બંને
ઇચ્છાનો જ વિષય છે.અહી ઇચ્છાનો નિષેધ નથી.ફળની આશા સાથેના કર્મનો નિષેધ નથી.માણસ જે
કઈ કરે છે તે ઇચ્છાની જ ચેષ્ટા છે.ફળની આશા વગર કામ કોણ કરવાનું?ફળની આશા રાખીને
કામ કરવું તે કુદરતી છે.એટલે “કર્મણ્યે વાધીકા રસ્તે માફલેશું કદાચન”પુસ્તકમાં
સારું શોભે હકીકતમાં નહિ.સાધુઓ એમના લાભ માટે આ શિખામણ એમના ભક્તોને આપતા હોય છે,કે
કામ તમે કરો અને ફળ બધું અમને આપો.તમે ફળની આશા રાખશો નહિ.અમુક જાતનું કામ કરવાથી
મુક જાતનું પ્રત્યક્ષ ફળ મળશે તેવા વિચારને સંકલ્પ કહે છે તેવું અહી કહે છે.જો કે
અહી શાસ્ત્રો પ્રમાણે કર્મો કરવાની સલાહ છે બાકી નર્ક મળવાનું.

મનુએ બધો ધર્મ અહી વેદમાં હોય તે પ્રમાણે કહ્યો છે.મતલબ મનુસ્મૃતિ વેદનું અંગ
ગણાય.એવું પણ બને કે વેદોનું અહી ઇન્ટરપ્રિટેશન વ્યાજબી ના પણ થયું હોય.વેદોનું
સંસ્કૃત પ્રાચીન છે.એના અનર્થ થવા મુશ્કેલ નથી.અહી છઠ્ઠો શ્લોક શું કહે છે તે
જોઈએ.સમગ્ર વેદ,વેદ જાણનારાઓએ રચેલા ધર્મશાસ્ત્રો,તેમનું શીલ,સત્પુરુષોના આચાર તેમ
જ તેમના મનનો સંતોષ-એ ધર્મનું પ્રમાણ છે.આ શીલ તેર પ્રકારના કહ્યા
છે.બ્રહ્મનિષ્ઠતા,દેવો તથા પિતૃઓની ભક્તિ,કોઈ પ્રાણીને દુઃખ ના દેવું,બીજાના ગુણો
ઉપર દોષ બુદ્ધિ ના કરવી,(મતલબ અવગુણો ઉપર જરૂર કરવી),કોમલતા રાખવી,કઠોરતા ના કરવી
(જરૂર પડે કરવી પડે તો શું?),સર્વ તરફ મિત્રતા કરવી,સર્વને પ્રિય લાગે તેવું
બોલવું(આપણાથી પળાય તેમ નથી),કોઈએ કરેલો ઉપકાર ધ્યાનમાં રાખવો,શરણે આવેલાનો અનાદર
ના કરવો,સર્વ તરફ દયા રાખવી,અને ખૂબ શાંતિ જાળવવી(ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય ભારતીયો
શાંતિ રાખે જ છે).

શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર.આ બે ધર્મના મૂળરૂપ છે એનું અપમાન
કરે તેવા નાસ્તિકનો સત્પુરુષોએ બહિષ્કાર કરવો,એમાં ચાર્વાક ગયા અને હું પણ
જવાનો.હવે ડબલ સ્ટાન્ડર્ડ જુઓ,જ્યાં બે શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ મતની હોય,ત્યાં એ
બંને મતોને ધર્મરૂપ કહ્યા છે;કેમ કે પંડિતોએ તે બંનેને ઉત્તમ ધર્મો કહ્યા છે.એટલે
શ્રુતિ એકબીજાની વિરુદ્ધ કહી શકે આપણે નહિ.

“શ્રેષ્ઠ મહાપુરુષોના સાહસ અને ત્યાગ જોઈ જે બીજા ધર્મીઓ તેમનું અનુકરણ કરે
છે,તેઓ દુઃખી થાય છે.”સાચી વાત છે મહાપુરુષો મક્કમ મનોબળ ધરાવતા હોય છે તેમનું
અનુકરણ સમજીને ના થાય તો દુઃખી થવાય.

આ ધર્મ શસ્ત્રનો અધિકાર ખાલી બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્યને જ છે,શૂદ્ર માટે
નહિ.ધર્મપાલન માટે દેશ બતાવ્યા છે.સરસ્વતી અને દષદ્વતી,એ બે દેવનદીઓની વચ્ચેનો
પ્રદેશ દેવોએ રચેલો છે તેને બ્રહ્માવર્ત કહે છે.હવે આ ભારતમાં છે કે બીજે?સરસ્વતી
ભારતમાં હતી તો દષદ્વતી ક્યાં આવી?હાલ તો સરસ્વતી પણ દેખાતી નથી.બ્રહ્માવર્ત પછી
કુરુક્ષેત્ર,મત્સ્ય,પંચાલ,અને શૂરસેન આ બ્રહ્મર્ષિઓના દેશ છે.હિમાલય અને વિંધ્યાચલ
વચ્ચે વિનશનથી પૂર્વ અને પ્રયાગથી પશ્ચિમે મધ્ય દેશ.આ બધો આર્યાવર્ત પણ કહેવાય.જે
દેશમાં ચાર વર્ણોની વ્યવસ્થા નથી તે મલેચ્છ દેશ.મતલબ મહમદ પછી મનુસ્મૃતિ લખી હશે તે
નક્કી.આવું વળી વિષ્ણુ પુરાણમાં છે તો વિષ્ણુ પુરાણ પણ ઇસ્લામનાં આવિર્ભાવ  પછી
લખાયું હશે??

બસ પછી તો જાતકર્મ,ચૂડાકર્મ અને મૌંજીબંધન એટલે જનોઈ વગેરેના નિયમો બતાવ્યા
છે.જનોઈ માટે મૌંજીબંધન શબ્દ પહેલીવાર જાણ્યો.વળી આ બધા સંસ્કારો કરવાથી દ્વિજોના
બૈજિક તથા ગાર્ભિક પાપો દૂર થાય.બૈજિક એટલે પિતાના બીજ સંબંધી.અહી મને અંગ્રેજીનો
બેજીક(Basic) શબ્દ યાદ આવી ગયો.આપણા જન્મનું પાયાનું(Basic)કારણ પિતાનું બીજ હોય
છે.બીજ ઉપરથી બૈજિક અને એના ઉપરથી બેજીક.મારું તારણ ખોટું પણ હોઈ શકે.

નામ પાડવાનાં કેવાં?બ્રાહ્મણનું મંગલકારી,ક્ષત્રિયનું બલ્યુક્ત,વૈશ્યનું ધન યુક્ત
અને શૂદ્રનું તુચ્છતા દર્શક.બ્રાહ્મણ નામ પાછળ શર્મા,ક્ષત્રિય પાછળ વર્મા,વૈશ્ય
પાછળ ગુપ્ત,ભૂમિ અથવા દત્ત અને શૂદ્ર પાછળ દાસ લાગવું જોઈએ.જોકે પછી કોઈએ આ નિયમ
પાળ્યા નથી.વૈશ્યને પણ જનોઈનો અધિકાર હતો.ખાલી શૂદ્રને નહિ.હવે જનોઈનું મહત્વ
બ્રાહ્મણ સિવાય કોઈને નથી.મારા પિતાશ્રી જનોઈ પહેરતા હતા.એમના સમયમાં ધામધૂમથી જનોઈ
વિધિ કરેલી તેવું કહેતા હતા.સ્ત્રીઓ માટે વિવાહ વિધિમાં બધા સંસ્કાર આવી જાય કોઈ
અલગથી વિધિ કરવાની જરૂર નહિ.પતિસેવા એજ વેદાધ્યયન,ગૃહકાર્ય એજ અગ્નિહોમ
ક્રિયા.

ભોજનના નિયમોમાં સાંજે અને સવારે ભોજન કરવાનું  કહ્યું છે,બપોરે
નહિ.એઠું કોઈને આપવું નહિ અને એઠાં ઉઠાય નહિ.અતિશય ખાવાની મનાઈ છે.

ઓમકાર અને ગાયત્રી મંત્રનું મહત્વ ખૂબ ગણાવ્યું છે.જોકે હવે ગાયત્રી માતાને બદલે
દશામાં,સંતોષીમાં જેવા નકલી માતાઓએ સ્થાન જમાવ્યું છે.પંડિત રામ શર્મા આચાર્યને
લીધે વળી પાછાં ગાયત્રી માતા લાઈટમાં આવ્યા છે.

ઇન્દ્રિય નિગ્રહનાં ગુણગાન ગયા છે અહી.એક વાત અહી  બહુ સત્ય કહી છે કે વિષયભોગની
ઇચ્છા  વિષય ભોગથી શમતી નથી કોઈ વાર હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે તેમ વધે.અને તેવી
રીતે ઇન્દ્રિયોને વિષયસેવનનાં ત્યાગથી વશ કરી શકાતી નથી.પણ જ્ઞાનથી નિત્ય વશ કરી
શકાય છે.મતલબ ત્યાગ જરૂરી બિલકુલ નથી,તેમ અતીભોગથી બચવું જરૂરી છે.સારો ઉપાય જ્ઞાન
છે.જ્ઞાન છે મુક્તિનો મારગ.એમાય શરીરને ક્ષીણ કરવાનું તો જરા પણ કહ્યું નથી.

વિદ્યા વિષે-એક તો પૂછ્યાં વિના કદી ઉપદેશ આપવો
નહિ,અન્યાયથી પૂછનારને ઉત્તર ના આપવો.જોકે હું જે બાબતમાં અજ્ઞાની હોઉં અને નકામી
મહેનત કરતો હોઉં,ત્યારે કોઈ વગર પૂછે સલાહ આપે તો મને ખૂબ ગમે છે,સલાહ આપનારની ઉંમર
ગમેતેટલી હોય કોઈ વાંધો નહિ.’બ્રહ્મવાદીએ વિદ્યા સાથે જ મરી જવું સારું પણ ઘોર
આપત્તિમાંએ એણે ખારી જમીનમાં  વિધ્યારુપી બીજ વાવવું  નહિ.અહી ખારી જમીન કોને
માનવી?મનફાવે તેને કુપાત્ર કહી શકાય.થોડા કુપાત્રોને લીધે સાચા અભ્યાસુ વિદ્યા વગર
રહી જવાના.અને એમજ ભારત વિદ્યાવિહીન બનતું ગયું.બ્રાહ્મણ સિવાય કોણ ભણવા
જતું?દુનિયામાં સૌ પ્રથમ યુનીવર્સીટી નાલન્દા અને તક્ષશિલા સ્થાપનારાના દેશમાં લોકો
અભણ રહેવા લાગ્યા.આજે આપણે આ બે યુનીવર્સીટી સર્વ પ્રથમ હતી તેનો ગર્વ અનુભવીએ છીએ
તે બરાબર છે,પણ આવી સેંકડો કેમ ના સ્થાપી?આખી દુનિયા અમેરિકા નહિ ભારતમાં ભણવા આવતી
હોત કે નહિ?આખી દુનિયા અંગ્રેજીના બદલે સંસ્કૃત,પ્રાકૃત કે પાલી ભણતી હોત કે નહિ??

માતૃ દેવો ભવઃ

Osho („Rajneesh“ Chandra Mohan Jain)
Image via Wikipedia

‘માતા’ વિશેના આ અગિયાર વાક્યો માતા વિષે ઘણું બધું કહી જાય છે.માનવબાળ જન્મે તો એની પહેલી ઓળખ માતા છે. આખી જીંદગી માતા એની આસપાસ દ્રશ્ય અને અદ્રશ્યરૂપે વહેતી હોય છે.સૌ મિત્રોને હેપી મધર્સ ડે.

  1. The moment a child is born, the mother is also born.  She never existed before.  The woman existed, but the mother, never.  A mother is something absolutely new.  ~Osho  Rajneesh
  2. God could not be everywhere and therefore he made mothers.  ~Jewish Proverb
  3. “Most of all the other beautiful things in life come by twos and threes by dozens and hundreds. Plenty of roses, stars, sunsets, rainbows, brothers, and sisters, aunts and cousins, but only one mother in the whole world.” -Kate Douglas Wiggin
  4. “There is no way to be a perfect mother, and a million ways to be a good one” – Jill Churchill
  5. Mother’s love is peace. It need not be acquired, it need not be deserved.- Erich Fromm, psychologist
  6. “A mother understands what a child does not say.” -Jewish proverb
  7. “Woman knows what man has long forgotten, that the ultimate economic and spiritual unit of any civilization is still the family. -Clare Boothe Luce
  8. “A mother is the truest friend we have, when trials, heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine, desert us when troubles thicken around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts.” -Washington Irving
  9. “When you were small and just a touch away, I covered you with blankets against the cold night air. But now that you are tall and out of reach, I fold my hands and cover you with prayer. Dona Maddux Cooper
  10. ‘The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness.’ ~ Honore de Balzac
  11. ‘A mighty power and stronger Man from his throne has hurled,For the hand that rocks the cradle Is the hand that rules the world.’~ William Ross Wallace

“ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”

  “ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક  પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”
અગાઉના લેખમાં લખેલું ઉપરનું મારું વાક્ય શ્રી દર્શિતભાઈએ એમના ફેસબુકમાં મૂકીને એને એક નવો આયામ આપી દીધો છે.
      યોગ અને ભક્તિ વિષે ઓશોએ ખૂબ વિગતથી છણાવટ કરી છે.ભક્તિમાં એક સમર્પણ હોય છે.સંપૂર્ણ સમર્પણ.જ્યારે યોગીઓ એમના ‘હું’ ને એટલો બધો ઊંચી કક્ષાએ લઈ જ્યાં છે છેલ્લા અહં બ્રહ્માસ્મિ કહી શકે.જ્યારે ભક્તો માટે ‘તું’ મહત્વનું છે. ‘તું’ જ સર્વસ્વ છો,  ‘હું’ કશું જ નથી.માટે હું કહું છું યોગ એ મક્કમ મનવાળા લોકોના હાથની વાત છે.ભક્તિ ટોટલ સબમીશન છે.યોગ મેલ બ્રેઈનની પ્રેકટીશ છે,જ્યારે ભક્તિ ફીમેલ બ્રેઈનની.ભક્તો માટે અસહાયતા પહેલું પગથિયું છે.ભારત જ્યારે વિદેશી આક્રમણકારો વડે હાર્યું અસહાય બન્યું તો ભક્તોની ભરમાર ખૂબ વધી પડી.મુઘલ કાળમાં અગણિત ભક્તો પેદા થયા અને ભક્તિ સમ્પ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.ભારત ઓર પાયમાલ થતું ગયું.નિર્બળ કે બળ રામ જેવા બકવાસ સૂત્રો પ્રચલિત થઈ ગયા.ફીમેલ  બ્રેઈન એટલે બ્રેઈનનો લાગણી વિભાગ.અને મેલ બ્રેઈન એટલે બ્રેઈનનો તર્ક અને ગણિત વિભાગ.ફીમેલ બ્રેઈન કલ્પનાઓમાં જીવતું હોય છે.એટલે ભક્તોને ભગવાન હાજરાહજૂર દેખાવા લાગે છે.ભગવાન આવીને દૂધ પી જતા હોય છે.સુરદાસ જોડે તો બાળ કૃષ્ણ રમવા પણ આવતા.એક બહુ ફેમસ ભાગવત કથાકાર બાલકૃષ્ણની કથા કરતા કરતા હંમેશા રડી પડતા.લોકો અહોભાવમાં અંજાઈ જતા.મેં પણ એમને રડતા જોયા છે.મને ખૂબ હસવું આવતું,ભલે ખૂબ નાનો હતો.પાંચ સાત હજાર વર્ષ પહેલા કોઈ મહાપુરુષ થયા હોય અને એમના બાળપણની વાતો કરતા રડી પડતા આ મહાત્માઓને કોઈ ગરીબના બાળકમાં કૃષ્ણ દેખાતો નથી,કોઈ બાળ મજૂર ચાની કીટલી પર કામ કરતો હોય તેમાં કૃષ્ણ દેખાતો નથી.અરે સ્નાન કરી લીધું હોય અને નાનકડો ભત્રીજો રડતો હોય તો તેને પણ ઊચકી લેવામાં અપવિત્ર થઈ જવાતું હોય,છોને રડતો.એવા આ ભક્તિ ઘેલા લોકોને લીધે દેશ આખાની માનસિકતા કમજોર અને કાયર બની ચૂકી છે.દેશની બ્લ્યું પ્રિન્ટ નપુંસક ચીતરવામાં આ ભક્તોનો ખૂબ મોટો હાથ છે.
  યોગ એટલે ખાલી આસનોની કસરત નથી.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ એમ આઠ અંગ ભેગાં થઈને અષ્ટાંગ  યોગ કહેવાય.યોગમાં કશું કરવું પડે છે,ભક્તિમાં કશું જ નહિ કરવું ખાલી હાથ જોડી આર્તનાદ કરવા તે પૂર્ણકાલીન કર્મ છે.ખેર સ્વામી વિવેકાનંદને  કોણ નહિ જાણતું હોય અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને?શ્રી રામકૃષ્ણ પરમહંસને મહાકાલી માતા હાજરાહજૂર હતા તેવી વાતો છે.મહાકાલી સાથે વાતો કરતા તેવું ભક્તો કહે છે.અતિશય કલ્પનાશીલ બ્રેઈન જ મૂર્તિ સાથે જીવંત હોય તેમ વાતો કરી શકે.
   હરદ્વારથી યોગીરાજ અદ્વૈતવાદી સ્વામી તોતાપુરી અહી કલકત્તા આવેલા શ્રી રામકૃષ્ણને અદ્વૈતની સાધના કરાવવા માટે.શ્રી રામકૃષ્ણ પ્રયોગશીલ હતા.જાત જાતની સાધનાઓ કરતા.પણ એમનું કલ્પનાશીલ બ્રેઈન આડે આવતું હશે.સ્વામી તોતાપુરી સફળ થતા નહોતા.અદ્વૈતની અનુભૂતિ થતી નહોતી.તોતાપુરી એક દિવસ કંટાળ્યા.એક દિવસ લાસ્ટ અલ્ટીમેટમ આપી દીધું.હવે છેલ્લો દિવસ અદ્વૈતની સાધનામાં મહાકાલી આડે આવે છે.તેને દૂર કરો.રામકૃષ્ણ કહે કઈ રીતે દૂર કરું?આ તો એમની કલ્પના જીવંત બની ચૂકી હતી.વર્ષોની સાધના પછી એક કલ્પના પણ જીવંત બની જતી હોય છે.બહુ પ્યારી કલ્પના જીવંત મહાકાલી કઈ રીતે દૂર કરવા?મહાકાલી સાથે રોજ સંવાદ ચાલતા હોય.મહાકાલી તરફથી એમનું બ્રેઈન જ જવાબ આપતું હશે,આજે હું એવું માની શકું છું.કોઈ મૂર્તિ તો બોલતી નથી.સ્વામી તોતાપુરીએ કહી દીધું કાલે સવારે ધ્યાનમાં બેસો તે વખતે કપાળમાં કાચ વડે ચીરો મૂકીશ તે જ ક્ષણે માતાનો નાશ કરી દેજે,હત્યા કરી નાખજે.પણ માતાની હત્યા કઈ રીતે કરું?શેના વડે કરું?તોતાપુરી કહે તે જે રીતે માતા ઊભી કરી છે તેમ હથિયાર પણ પેદા કર અને કલ્પનામાં માતા ઊભી કરી છે તેમ કાલ્પનિક હથિયાર વડે એમનો નાશ પણ કરી નાખ.કહેવાય છે આ સાધના સફળ રહી અને શ્રી રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ.ચાલો અધ્યાત્મ અને સમાધિ એક અલગ વિષય છે ચર્ચવા માટે.પણ મારું કહેવું છે મક્કમ મનવાળા યોગીઓ ભગવાન વગેરેમાં માનતા નહોતા.ભગવાન એ કમજોર,નિર્બળ,અસહાય,આળસુ અને દરિદ્ર ભક્તોના કાલ્પનિક મનની પેદાશ છે.
  માટે કોઈ મહાવીર કોઈ બુદ્ધ જે મક્કમ મનવાળા છે તેવા લોકો ઈશ્વરને નકારી કાઢે છે.કોઈ કૃષ્ણ જાતેજ પોતાને ઈશ્વર ઘોષિત કરી દેતા હોય છે.નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન થયેલા,મીરાંબાઈ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા,વિઠોબા દૂધ પી ગયા,સુરદાસ સાથે કૃષ્ણ રમતા,ગણપતિની મૂર્તિ દૂધ પીવે,સાપની પિત્તળની મૂર્તિ પણ દૂધ પી જાય આવી તો અગણિત વાર્તાઓ આપના દેશમાં રમતી થયેલી છે,અને હજુ નવી નવી વાતો ફેલાતી જાય છે.જો કે ચોક્કસ આવું બધું બનતું જ હોય છે,પણ કલ્પનામાં.હકીકતમાં નહિ. આજે પણ જુઓ સત્ય સાઈબાબાના મદરીવેડા જોઈ લોકો અભિભૂત થઇ જતા હોય છે.પહેલેથી સંતાડી રાખેલી રાખની કેપ્સ્યુલ્સ મસળી ભસ્મ પેદા કરવી અને ભક્તોને વહેચવી,અને આવા તો બીજા અનેક ખેલમાં આ મદારી નિપુણ હતો.સામાન્યજન ધાર્મિક હોય છે,કારણ ફોલ્સ પોજીટીવ એરર કરવાની વૃત્તિ અચેતન મનમાં સમાયેલી હોય છે,એનો દુરુપયોગ આવા મદારીઓ કરતા હોય છે.
     આ જાદુગર સામાન્ય માનવીની જેમ મૃત્યુ પામ્યા.વીડીઓમાં એમની ટ્રીક દેખાઈ આવતી હોવા છતાં લોકો માની શકતા નથી હોતા.ભાઈ ચીરાગને ધન્યવાદ કે એમણે આ વિડીઓ કલીપીંગ્સ મારા બ્લોગ પર મુક્યા છે.એમાંથી બીજા કલીપીંગ્સ પણ જોયા નાળીયેરમાંથી ધુમાડા કાઢવાના.હસવું તો એ આવે છે કે કોઈ એન્જીનીયર અને કોઈ ડોક્ટરેટ કરેલા લોકો પણ આવા મદારીઓ વિષે ગર્વ અનુભવતા હોય છે.મહાન ક્રિકેટર સચિન જેવો મૂરખ જેની પત્ની પોતે ડોક્ટર છે તે પણ આ જાદુગરમાં આસ્થા રાખતો હતો.અહી ભણેલા પણ વિચારતા નથી.
      અભણને સમજાવી શકાય પણ ભણેલા અભણને કઈ રીતે સમજાવાય?

દ્રષ્ટિકોણ.

Cropped image of Gandhiji and Kasturbaa from P...
Image via Wikipedia

  
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી  પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?  
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

ધર્મોની જરૂર ક્યા સુધી??

Vaishnavism
Image by Bindaas Madhavi via Flickr

ધર્મોની જરૂર ક્યાં સુધી?
**હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસિજર છે. પશુ,પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ દરેક સજીવનું ઈવોલ્યુશન ચાલુ જ છે. સૌથી મોટું બ્રેઈન માનવ પાસે છે. જે કરોડો વર્ષોના ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ થતા થતા આપણ માનવ જાતને મળ્યું છે. આપણાં પૂર્વજ ચિમ્પ જેવા એપ્સ પાસે બ્રેઈન કદમાં માનવ બ્રેઈન કરતા નાનું છે. આપણાં પૂર્વજ આદીમાનવો પાસે પણ હાલના માનવ કરતા બ્રેઈન નાનું હતું. બ્રેઈનના કદમાં વધારો થતો જાય છે, જે દેખાતો નથી પણ થાય છે. ચિમ્પ અને આદીમાનવોના કપાળ પાછળ ઢળતા હતા. નાક અને જડબા આગળ પડતા હતા. એનો મતલબ બ્રેઈનની સાઈજ થોડી નાની હતી. હાલના આપણ માનવોના કપાળ સીધા છે. ચહેરાની સરખામણીમાં સીધા છે, મતલબ માથું મોટું થયું છે, બ્રેઈન કદમાં વધ્યું છે. એક બાળકનું બ્રેઈન નાનું હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ બ્રેઈનનો વિકાસ થતો જાય છે. ૨૫ વર્ષે વિકાસ પૂર્ણ થાય છે.

**માનવમન વિચારતું થયું તેમ માનવ સમાજ સુસંસ્કૃત થતો ગયો. ધર્મોનો એમાં બહુ મોટો ફાળો છે. એક નાનું બાળક જ્યારે બહુ વિચારી શકતું ના હોય સારાસારનો વિવેક ના હોય ત્યારે એને દોરવણી આપવી પડતી હોય છે. અગ્નિથી દાઝી જવાય તેવી તેને સમજ ના હોય ત્યારે તે હાથ અગ્નિમાં નાખવા જાય ત્યારે એને શીખવવું પડે છે. બાળકને પહેલો એકડો શીખવવો પડે છે, સીધા અઘરા ગણિત કે પ્રમેય શીખવી ના શકાય. માનવને સારા આચરણ અને સમાજને ઉપયોગી નીતિનિયમો શીખવવા પડે છે તે માટે ધર્મોની જરૂર પડે છે. ધર્મ પણ ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ ના પામે તો સડી જાય છે. હવે આજે જુના વૈદિક ધર્મની વાતો કરવી નકામી છે. કોણ પાળે છે વૈદિક ધર્મ? કોણ યજ્ઞોમાં પશુ હોમે છે? હવે કોઈ જરૂર નથી પુરાણાં ધર્મોની. ધર્મો પણ ઇવોલ્વ થવા જોઈએ. ધર્મોની જરૂર છે એકડો ઘૂંટવા પૂરતી. પછી આખી જીંદગી એકડો જ ઘૂંટ્યા કરીશું તો વિકાસ થઈ રહ્યો. જ્યારે ધર્મ વિકાસ પામવાને બદલે અટકી જાય ત્યારે વિનાશ કરતો હોય છે. બ્રેઈનનો વિકાસ ધર્મ અટકાવી દેશે. જેવી રીતે બાળકને કશું ના શીખવો અને એકડો ઘૂંટયા કરે તો શું થાય? આજે એજ થઈ રહ્યું છે. જુઓ તાલિબાનો શું કરી રહ્યા છે? જુઓ ધર્મ ઝનૂની હિન્દુઓ શું કરી રહ્યા છે? પ્રયત્નપૂર્વક માનવોને ફક્ત એકડો ઘૂંટાયા કરાય છે.

**ધર્મોએ માનવને પશુમાંથી માનવ બનાવ્યો છે, હવે એજ ધર્મો માનવને માનવમાંથી પશુ બનાવવા તરફ જઈ રહ્યા હોય ત્યારે એમાંથી મુક્તિ મેળવીને જો ધર્મો વગર ચાલતું ના હોય તો એમનો વિકાસ કરવો જરૂરી છે. એકડો ઘૂંટવામાંથી મુક્તિ મેળવ્યા વગર અઘરા સમીકરણો ક્યાંથી શીખીશું? બ્રેઈનના વિકાસ માટે રોજ નવા સમીકરણો એને શીખવવા પડે છે. બ્રેઈન માહિતીનો ભંડાર હોય છે. જો કોઈ માહિતી બ્રેઈનમાં ના હોય તો એને કશી સમજ પડતી નથી. આફ્રિકાથી એક સમૂહ હજારો વર્ષ પહેલા નીકળ્યો હશે. એ સમૂહના પૂર્વજોએ પણ લાખો વર્ષથી કોઈ દરિયાઈ વહાણ જોયું નહિ હોય. આ સમૂહ એશિયા થઈને વાયા સાઈબેરિયા થઈને અમેરિકા પહોચી ગયો. હિમયુગ પૂરો થતા બાકીની દુનિયાથી કટ થઈ ગયો. બાકીની દુનિયામાં પ્રગતિ ચાલુ હતી. પહેલીવાર યુરોપના વહાણ જ્યારે અમેરિકા પહોચ્યા હશે એમને દૂરથી વહાણ દેખાયા નહોતા. દરિયામાં વહાણ માઇલો દૂરથી દેખાઈ જાય. એમના બ્રેઈનમાં વહાણ વિષે કોઈ માહિતી તત્કાલીન હતી નહિ. સાવ નજીક આવ્યા ત્યારે નવી માહિતી બ્રેઈનમાં જમા થઈ. વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા. એકલી અટુલી સંસ્કૃતિઓ નાશ પામી જાય છે. માયા, ઈન્કા, એઝટેક જેવી અમેરિકન સંસ્કૃતિઓ નાશ પામી ગઈ. એમના પણ ધર્મો હતા. ઈન્કા અને માયન સંસ્કૃતિઓમાં માનવ બલી આપવાનું સામાન્ય હતું.

**આજે જ્યારે પુરાણ કાલ કે વૈદિક કાલ જેવી પરિસ્થિતિ કે સમય સંજોગો રહ્યા નથી, ત્યારે એ સમયના ધર્મની જરૂર પણ નથી. પણ નવા તત્વજ્ઞાનીઓને ડર લાગે છે કે માનવ વધારે ને વધારે ઝનૂની થતો જાય છે પુરાણાં ધર્મોને બચાવવા માટે, જે આત્મઘાત તરફ દોરી જનારું છે.

મારો ધર્મ મહાન અને તમારો ખોટો એ ક્યારથી શરુ થયું? પાયથાગોરસ ભારત આવેલો, જીસસના બહુ સમય પહેલા. એણે જોયું કે આ લોકો તો ખૂબ વિકાસશીલ છે. અહીં ધર્મ છે, ફિલોસોફી છે. પછી તે પાછો ગયો અને શરુ કર્યું આપણો ધર્મ અને ફીલોસોફી મહાન છે, આ લોકોનો નહિ.

ત્રણ ધર્મો અબ્રહામિક, જુઇશ, કિશ્ચિયન અને મુસ્લિમ ત્રણેની ફિલોસોફી એક યા બીજી રીતે સરખી છે. અહીં જુઓ હિંદુ ધર્મ જૈન અને બૌદ્ધ ત્રણેની ફીલોસોફી મોટાભાગે સરખી. જીસસ ખુદ હિબ્રુ બોલતા હતા. અંગ્રેજી તો હમણાં આવી. અંગ્રેજી રીબેલિયન લોકોની ભાષા. ચર્ચની વિરુદ્ધ બોલવું હોય તો કોઈને સમજ ના પડે માટે અંગ્રેજી બોલાતી. અડધી ડિક્શનેરી તો શેક્સપિયરે લખી હશે. હિંદુ ધર્મમાં સડો વધી ગયો તો બુદ્ધ આવ્યા. ધર્મ વહેતો રહેવો જોઈએ. બંધિયાર કૂવામાં પાણી પણ ગંધાઈ જાય. એમ બંધિયાર ધર્મમાં માનવ પણ ગંધાઈ જાય. ધર્મમાં લાગણીનું તત્વ ઘુસાડી દેવાય છે. બ્રેઈનનો એક ભાગ ભાવનાઓ અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહેશે અમે હ્રદયથી વિચારીએ છીએ. હૃદય તો એક પંપ છે. એની પાસે વિચારવાની કોઈ શક્તિ જ નથી. બુદ્ધિ અને તર્કના ભાગને વિકસવા દેવામાં આવતો નથી. આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી. બ્રેઈન જ આત્મા છે. અંતર આત્માનો અવાજ પણ બ્રેઈન જ બોલે છે. ચા પીવાનું યાદ આવવું કે કેળાં ખાવાની ઇચ્છા થવી તે પણ બ્રેઈનના આદેશ મુજબ જ હોય છે. જે ધર્મ બ્રેઈનના વિકાસ ને રોકે તે ધર્મનું કશું કામ નથી. નવા ધર્મો ઇવોલ્વ થવા જોઈએ.

નોંધ:-મિત્રો ઉપરનું એકેય વાક્ય મારું નથી. વિલિયમ્સ પેટરસન યુનીવર્સીટીમાં સાયકોલોજી અને ફિલોસોફી બે મેજર સબ્જેક્ટ લઈને ભણતા મારા સૌથી નાના દીકરા હરપાલસિંહને ક્રિસમસ વેકેશન પડ્યું તો લેવા ગયેલો. આવતા તેઓ ડ્રાઇવિંગ કરતા હતા અને બોલતા જતા હતા. હું સાંભળતો હતો. બસ જે યાદ રહ્યાં તે વાક્યો લખ્યા છે.

बुद्धं शरणं किं गच्छामि||

Buddha Tooth Relic Temple – Hundred Dragons Hall
Image by williamcho via Flickr

बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા  જાહેર કરેલું કે માનવીની શારીરિક  અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.

*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું  કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી,  દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ  હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.

*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ  હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.

બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.

પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

નર્કારોહણ-૯

નર્કારોહણ-૯

હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં  મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ  દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના  નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે  શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો  ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !

ગુરુ દેવો ભવઃ?????

 ગુરુ દેવો ભવઃ
गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના.
‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટલે ભારે, વજનદાર, ભાર. જ્ઞાનનો ભાર છે તેનામાં. લેટીનમાં ‘gravis’, grave,weighty, serious , ગ્રીકમાં barus ‘heavy ‘, All three derive from the  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન રુટ * gʷerə-, specifically from the Zero-grade  form *gʷr̥ə-.[12]
ગુરુ એટલે શિક્ષક. અમારા મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ઉપરના શ્લોકનો અર્થ સમજાવતા કહે છે કે બ્રહ્માને ગુરુ માનો, જેણે આ યુનિવર્સની રચના કરી છે. વિષ્ણુને ગુરુ માનો, શંકરને ગુરુ માનો. જે સર્જન અને વિસર્જનની શક્તિ કે નિયમ છે. મને પણ સાચી લાગે છે વાત. મારા એક સંસ્કૃતમાં અતિ રસ ધરાવતા સબંધીને પૂછ્યું કે આ હાલ કોઈ ગુરુઓના ઠેકાણાં નથી. બધા એમના વાડાઓ ઘેંટાઓથી ભરવામાં પડ્યા છે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને જ ગુરુ માનીએ તો શું ખોટું? વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ કહેવાય? તો જવાબ મળ્યો કે ના. એમના કહેવા પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ  કોઈ એ જોયા નથી માટે આ ત્રણે પેલા ગુરુમાં છે તેમ માનીને બધા ચાલતા હોય છે. અહી જ ગરબડ શરૂ થઇ. ગુરુ પોતે ભગવાન બની ગયા.
જો કે હું બ્રહ્માને કોઈ ભગવાન માનતો નથી. જે કઈ બિંગ બેંગ કે જે હોય તે, જેના વડે યુનિવર્સની રચના થઇ તે નિયમને  હું બ્રહ્મા માનું તો કોઈને વાંધો છે?  બ્રહ્માંડ એટલે વિસ્તરવું,  સાયન્સ પણ કહે છે કે યુનિવર્સ વિસ્તરતું જ જાય છે. હવે દરેક સજીવને ખાવા પીવા, અને ઓક્સીજન મળે છે તે થયા વિષ્ણુ. હું કોઈ વિષ્ણુ ભગવાન છે તેવું માની શકતો નથી. અને કેટાંસ્ટ્રોફી, સર્જન વિસર્જન થયા કરે તે જ શંકર. કોઈ શંકર હિમાલય ઉપર બેઠા નથી. બસ આ ત્રણ પાસેથી એટલું બધું શીખવાનું છે કે આખી જીંદગી પૂરી થઇ જાય. વૈજ્ઞાનિકો આ ત્રણ પાસેથી જ શીખે જાય છે. ચરક આ જ વિષ્ણુ પાસેથી વનસ્પતિનું જ્ઞાન મેળવીને હર્બલ મેડીસીન શીખ્યા હતા. વાત્સ્યાયન આ જ શંકર પાસેથી સર્જનનું જ્ઞાન મેળવીને કામસૂત્ર લખી ગયા. આઈનસ્ટાઇન અને સ્ટીવન હોકિન્સ આ જ બ્રહ્મા પાસેથી યુનિવર્સના કોયડા ઉકેલતાં હતા.
ભારતની ગાડરિયા પ્રવાહમાં હમેશાં તણાઈ જનારી પ્રજાને ભરમાવી દેવા માટે ગુરુ ગાથાઓની હજારો વાતો રચાઈ ગઈ. એક આખો વર્ગ મફતમાં ફક્ત બેસી રહીને રોટલા તોડતો થઇ ગયો. એક ચાલાક લુચ્ચાઈ ચાલુ થઇ ગઈ. કશું કામ કરવું ના પડે અને પેઢીઓ સુધી વર્ષો સુધી રોટલા નીકળે જાય એનું નામ ભારતની ગુરુપ્રથા. ના જ્ઞાનની કોઈને પડી છે, ના જ્ઞાન દેવાની કે લેવાની પડી છે. સ્વર્ગની લાલચો  અપાઈ ગઈ છે. પરલોકની બાહેધરીઓ આપી દેવામાં આવી છે. આ લોકના ઠેકાણા નથી, અને પરલોકની ગેરંટી? આજ ગેરંટીના લીધે લોકો ધબ્બા મરાવીને ખભા તોડાવે જાય છે, ને રોટલા દીધે જાય છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ઉડે વિમાનમાં ને ગોવિંદ ગયા ભાડમાં. ગોવિંદનો મહીમાં  ઘટાડી ગુરુનો વધારી દીધો. રોટલાની એક સારી તરકીબ. દવે સાહેબ કહેતા હતા કે હાલ ભારતમાં જીવતા ભગવાનની સંખ્યા ચાર આંકડામાં છે, આ બધા ગુરુઓ જ છે. દરેકને ભગવાન બનવું છે. માટે એકજ પંથમાંથી બીજા ફાંટા પડે જાય છે. આ પ્રથા એટલી હદ સુધી સડી ચુકેલી છે કે  આ ગુરુપ્રથાને સમુળગી વિદાય દેવાની ઘડી આવી ગઈ છે. ગુરુ થુંકે પાન ખાઈને તો અમીર મુરખો ચાટી જાય છે. ગ્રુરુ  એના મોઢામાંથી એંઠું પાન ખવડાવે તો ભક્તોને વૈકુંઠ મળી જાય છે. ગુરુઓ ખાઈને ઉભા થાય તો કરોડોપતિઓ ભિખારીઓની જેમ પેલી એંઠી પતરાળીઓ માટે ઝૂટાંઝુંટ કરી મુકે છે. શું આને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારું કહેવાય.
એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?
એક શું વલ્લભાચાર્યે એમનો પંથ સ્થાપ્યો, ને ૫૦૦ વર્ષથી એમના હજારો વારસદારો કશું પણ કર્યા વગર હાથ પગ હલાવ્યા વગર ભારતની પ્રજા માથે બોજ બનીને ખાધે રાખે છે. એક શું પાંડેજી એ એમની ગાદી સ્થાપી અને એમના ભાઈઓના સંતાનોને બોલાવીને સોપી દીધી આજે ૨૨૦ વર્ષથી કશા પણ ઉદ્યમ વગર રોટલાપાની ઠીક વૈભવી જીવન જીવી રહ્યા છે. એક વૈકુંઠની ગેરંટી આપે બીજો પરલોકની જવાબદારી લે છે. એમના ચેલાઓ મંદિર નામની દુકાન વધાર્યે જ જાય છે. આ શું કોઈ આત્મજ્ઞાનની મહેનત છે? અરે એમના આત્મજ્ઞાન અને મોક્ષની કીંમત આપણે ચુકવવાની? એમના મોક્ષની ફિકરમાં આપણે મહેનત કરીને કમાયે રાખવાનું? જાતે મહેનત કરે, કમાય,ખાય અને મોક્ષ મેળવે. એમને મળેલો મોક્ષ આપણને આપી દેવાના છે? એ વખતે તો કહેવાના કે એ તો જાતે અનુભૂતિ મેળવવી પડે. આત્મ સાક્ષાત્કાર તો જાતે કરવો પડે. તો જાતે કરીશું. તમે અમારા ઉપર બોજ શું કામ બનો? સમજો એમના કલ્યાણનો ખર્ચો  આપણી પાસે કરાવે છે, બીલ બધા આપણે ભરવાના.
અરે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે. એક કારેલાં, ગલકાં, તુરિયા કે બીજી કોઈ પણ વેલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે કોઈનો સહારો લઇને સર્વાઈવ થઇ જવાય. એક નાના બાળક પાસેથી શીખવાનું છે કે વર્તમાનમાં કઈ રીતે જીવીને આનંદ લઇ શકાય. પ્રકૃતિની એક નાનામાં નાની વસ્તુ પાસેથી જીવનના મહત્વનાં પાઠ ભણી શકાય છે. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ગુરુઓ પાસેથી શું શીખવાનું? સંસાર પોતે જ એક મોટો ગુરુ છે.અકર્મણ્યતા ભારતનું મહા કલંક છે એનું પરિણામ છે ગુરુપ્રથા. ૫૦ લાખ સાધુઓથી શોભિત ભારત!! ૫૦ લાખ અન્પ્રોડક્ટીવ વેસ્ટથી દુર્ગંધ મારતું  ભારત!! ખાતરમાં પણ કામ ના લાગે તેવો વેસ્ટ, કામે લગાડી દો. બધી જ્ઞાન, પરલોક, સ્વર્ગ, સુખ, દુખ, કર્મ, ધર્મ, પાપ, પુણ્યની વાતો હવામાં ઉડી જશે.

નર્કારોહણ-૪

દેવાધિદેવ ઇન્દ્ર

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ  ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ  મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી  લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન,  સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી  છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા  માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ  ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
      હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું.  એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
   હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?