શાકાહાર v/s માંસાહાર.!!!

Miniature Food Fruit Plate
Image by PetitPlat Food Art - Stephanie Kilgast via Flickr

શાકાહાર v/s  માંસાહાર.!!!
શાકાહાર અને માંસાહાર બહુ ચર્ચાસ્પદ વિષય ગુજરાતીઓ માટે ખાસ બની જતો હોય છે.એમાં ધર્મ ભળી જતો હોય છે.ગુજરાતમાં ખાસ જૈન ધર્મના પ્રભાવમાં શાકાહારનું ચલણ વધ્યું.એમાં ધાર્મિક લોકોની શિખામણો ભળી.માંસાહાર કરીએ તો પાપ લાગે જીવ હત્યા થાય.જીવ હત્યા તો શાકાહારમાં પણ થાય જ છે.હવે આપણે ધર્મને અળગો રાખીએ.પોષણ મૂલ્ય ની દ્રષ્ટીએ જોઈએ.શુદ્ધ શાકાહારી તો દુધની બનાવટો પણ ખાય નહિ.ઘણા ઈંડા ને પણ શાકાહારમાં જ ગણે છે.
  શાકાહાર:::—શાકાહાર ઘણો સારો છે.એનાથી ચરબીનું પ્રમાણ શરીરમાં ખાસ જાય નહિ.પણ પણ અને પણ ગુજરાતીઓ કે ભારતીયો અતિશય ઘી ખાઈને માંસાહારી કરતા પણ ઘણી વાર વધારે  જાડીયા પાડીયા અને અદોદળા જોઈએ ત્યારે શાકાહારનો કોઈજ અર્થ રહેતો નથી.શાકાહારમાં વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.ખાસ તો ડાયેટરી ફાઇબર એની ખૂબી છે.જે માંસાહારમાં ના મળે.ઓમેગા-૬ પણ સારું મળે.વિટામિન-c ,a અને e પુષ્કળ મળી શકે.પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ખરા.અહી શાકાહારમાં ખામી ઊભી થાય છે,આયર્ન,ઝીંક,વિટામિન B 12 ,વિટામિન-D,ઓમેગા-૩,કૅલ્શિયમ વગેરેની.આયર્ન બે પ્રકારના હોય છે,Heme અને Non Heme …meat ,પોલ્ટ્રી અને ફિશમાં થી Heme Iron  મળે.જે સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.Non Heme પ્લાન્ટ અને નટ્સ માંથી મળે જે સહેલાઈથી શોષાતા નથી.આયર્ન એ હિમોગ્લોબીન નો મધ્યવર્તી ભાગ છે જે લોહીમાં ઓક્સિજન વહન નું કામ કરે છે.આની પૂર્તિ માટે આપણે ખજૂર,અંજીર,પાલખની ભાજી.સોયાબીન્સ,રાજમા,વટાણા વગેરે પુષ્કળ ખાવું જોઈએ અને આયર્ન વિટામિન-C ની હાજરીમાં થોડું જલ્દી શોષાય છે.માટે ખોરાકની સાથે ઓરેન્જ જ્યૂસ કે બીજા ખાટ્ટા ફળોના જ્યૂસ લેવા જોઈએ.અથવા એક કેપ્સીકમ મરચાંમાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામિન-C હોય છે,જે ખાધે તીખાં હોતા નથી તે લેવા જોઈએ.એનેમીયાથી બચવું હોય તો આયર્ન લેવુજ પડે.
      ઝીંક માટે સોયાબીન્સ,નટ્સ ,વટાણા અને વાલ ખાવા જરૂરી છે.ઓમેગા-૩ માટે અખરોટ,ઓલિવ ઓઇલ,અવાકાડો ખાવું જોઈએ.અવાકાડો જામફળ જેવું દેખાવમાં એક જાતનું ફળ છે.B -12 કોઈ પ્લાન્ટ માંથી મળે નહિ.તેના માટે દૂધ અને ઇંડાનો વિકલ્પ રાખવો પડે.નર્વસ સીસ્ટમ અને ન્યુરોલોજીકલ ડેમેજ એની ક્ષતિ  થી થાય છે.માટે B-12 ખાસ જરૂરી છે.આપણે ઈંડા ખાસ ખાતા ના હોઈએ તો આ ખામી ઊભી થવાની.દૂધ પણ સારું છે.વિટામિન D તો દૂધ અને સૂર્ય પ્રકાશમાંથી  મળી જવાનું છે.એ એક તો હોર્મોન્સ નું કામ કરે છે અને શરીરમાં કૅલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષીને હાડકા મજબૂત બનાવે છે.આયોડિન ની ઊણપ તો આયોડિન યુક્ત મીઠું ખાઈને પૂરી કરી શકાય છે.
  શાકાહાર થી ઓબેસિટી થી બચી જવાય છે,સાથે સાથે type-2 ડાયાબીટીસ થી પણ બચી જવાય છે.વૃદ્ધો માટે શાકાહાર સહેલાઈ થી ચવાય છે અને સહેલાઈથી પચી પણ જાય છે.જયારે દાંત મોટાભાગના ખરી પડ્યા હોય ત્યારે શાકાહાર ઉત્તમ પુરવાર થાય છે.
  માંસાહાર:::–માંસાહારમાં ઉત્તમ પ્રકારના લગભગ તમામ પોષક તત્વો હોય છે.વિપુલ પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,કૅલ્શિયમ,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.ખાલી ડાયેટરી ફાઈબર ની કમી હોય છે,જે સલાડ સાથે બ્રાઉન ઘઉંના લોટ ની બ્રેડ અને બ્રાઉન ચોખા ખાઈ ને પૂરી કરી શકાય છે.માંસાહાર ની ખામી તેની અંદર રહેલા પોષક દ્રવ્યોની વિપુલતા છે.એટલે જો ખાવામાં પ્રમાણભાન ના રહ્યું તો,ઓબેસિટી,હૃદય રોગ,હાઈપર ટૅન્શન,હાઈ કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ થાય છે.આમાં હાઈ બાયોલોજીકલ વેલ્યૂ ધરાવતા પ્રોટીન્સ,આયર્ન અને B-કૉમ્પ્લેક્સ B12 હોય છે.બીજું આ બધા તત્વો સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.જયારે શાકાહારના તત્વો પૂરતા પ્રમાણમાં સહેલાઈથી શોષતા નથી.અતિશય વજન કારણે જાતજાતના રોગ થાય છે.માટે શાકાહારી એમાંથી બચી જાય છે.માંસાહારીઓને કોલોન કેન્સરનો ભય પણ વધુ રહે છે.બીજું માંસ બરોબર કુક ના થયું હોય તો તે માંસ ની અંદર રહેલા પેરેસાઈટ તમારી અંદર શરીરમાં પ્રવેશી જવાના.
     શાકાહારમાં તમારે રોજ વ્યવસ્થિત જાત જાતના કોમ્બીનેશન કરવા પડે.આજે ભાખરી શાક ચાલશે,કે આજે ઢોકળાં સાથે ચા પી લઈશું,કે ચોખાની પાપડી કે પાપડીનો લોટ ખાઈ લઈશું તેવું કરો તો પછી પોષક દ્રવ્યોની ખામી પડવાની.ગુજરાતીઓ સાંજે લગભગ આવું એકાદ ખોરાક થી ચલાવી લેતા હોય છે.દાળ,ભાત,રોટલી,સલાડ,કઠોળ ખાસ તો સોયાબીન,દૂધ,દહીં,ખાટ્ટા ફળો કે એના જ્યૂસ,થોડા બદામ અને અખરોટ જેવા નટ્સ,કેળાં,ખજૂર,પાલકની ભાજી કે ગાજર વિગેરેના વ્યવસ્થિત કોમ્બીનેશન કરીને રોજ ખાવાનું મેનુ બનાવવું પડે.એકલી પાઉં ભાજી ખાઈ લઈએ તો ના ચાલે.અહી ઈંડા અને ફિશ શાકાહારમાં ગણાય છે.ફિશમાં ઉત્તમ ઓમેગા -૩ હોય છે,કૅલ્શિયમ,ફોસ્ફરસ અને પ્રોટીન ની તો વાત જ ના થાય.દરિયા કિનારે રહેતા માછીમાર ભાઈઓ માટે ઉત્તમ પોષક દ્રવ્યો ધરાવતી અને સસ્તી અને સહેલાઈથી મળતી માછલી ખાવાનું ધર્મના નામે બંધ કરાવવું તે પાપ જ કહેવાય.આ ભાઈઓને ઓમેગા માટે બદામ અને અખરોટ ખાવી ના પોસાય.બીજું બદામ અને અખરોટમાં  માછલી ની જેમ વિપુલ પ્રમાણમાં ઓમેગા અને પ્રોટીન કે કૅલ્શિયમ ના હોય.
  શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.આભાર અશોકભાઈ..

19 thoughts on “શાકાહાર v/s માંસાહાર.!!!”

  1. સારો લેખ છે. કઈં પણ ખાઇએ એની સારી અને નરસી અસરો હોય જ છે. વળી ઉંમર પણ એમાં ભાગ ભજવતી હોય છે. 30 વર્ષની ઉંમરે જે ખાઇએ તે જ 60 વર્ષની ઉંમરે પણ એટલા જ પ્રમાણમાં ખાતા રહીએ એ તો આમ પણ ન ચાલે. ખાવાપીવાનો વિચાર કરતા હોઇએ ત્યારે, ધર્મ અને જીભ, બન્નેને કાબુમાં રાખવાનો વિચાર સૌ પહેલાં મનમાં હોવો જોઇએ.

    Like

  2. “શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.” એકદમ સાચુ કહ્યું.

    Like

  3. સરસ સંતુલિત લેખ. મારા અમુક અવલોકનો:

    – માંસાહારના ઉત્પાદનમા શાકાહાર કરતા પ્રાકૃતિક સમ્પત્તિ વધુ વપરાય છે. માનવ વસ્તીનો વિસ્ફોટ થવાથી ભૂખમરાઓ ઉકેલ એ છે કે શાકાહાર કરનાર બહુમતિમા થાય.

    – મારા અંગત અનુભવે શીખ્યો છુ કે આહારની આપણી માનસિક પ્રવૃત્તિઓ પર અસર થાય છે. દરેક વ્યક્તિને પોતાના અનુભવ પ્રમાણે આહારમા સંયમ કે પ્રકાર પર કાબુ રાખવો જરૂરી છે.

    – મનુષ્ય મિશ્ર્રાહારી છે એટલે શાકાહાર જ યોગ્ય ખોરાક છે એવો કોઈ પ્રશ્ન જ નથી.

    – વેદિક ઋષિઓ મધુપર્ક અતિથીઓને પીરસવામાં ગાયના માંસનો ઉપયોગ કરતા હતા.

    – માંસાહારથી આંતરડાના રોગો થવાની શક્યતા વધુ રહે છે.

    Like

    1. કોલોન કેન્સર નો ભય માંસાહાર થી વધુ રહે.કારણ આ લોકો ફળો અને સલાડ શાકભાજી ઓછા ખાય તો આંતરડા સાફ થાય નહિ.બીજું બ્રેડ પણ વ્હાઈટ બ્રેડની વધારે ખવાય છે.માટે ફાઈબરની ઉણપ પણ રહેવાની.

      Like

  4. ભૂપેન્દ્રસિંહજી,

    શાકાહાર અને માંસાહારના ફાયદા અને ગેરફાયદા વર્ણવતો લેખ સરસ છે. અહી હું એક મેં વાંચેલો એપ્રિલ ૨૦૧૦ ના સફારી મેગેઝિનના અંકનો થોડો અંશ લખું છું. જે ધર્મની દૃષ્ટિએ નહિં પણ સંશોધકોએ રિસર્ચ કરીને કોઇના ધ્યાનમા કે કલ્પનામાં ના આવ્યા હોય તેવા તારણો રજૂ કર્યા છે. તેમા નોન-વેજ ફૂડ ગ્લોબલ વૉર્મિંગને કેટલી હદે વકરાવે છે તે માટે ન્યૂઝિલેન્ડનું ગ્રીનહાઉસ ઇફેક્ટનું દૃષ્ટાંત આપયું છે (તે ઘણું લાંબું હોવાથી અહીં લખતી નથી). અહીંસા કે માનવતાવાદને બાજુમાં રાખીએ તો માત્ર પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વાત કરીએ તો જગતનો ૨૫% મીઠા પાણીનો પુરવઠો નોન-વેજ માટે ગાય જેવાં પાલતુ ઢોરો માટે અનાજ પેદા કરવામાં વપરાય છે. ગૌમાંસ અને બીજા પાલતુ ઢોર માટે દુનિયામાં ઘઉં અને મકાઇ જેવાં ધાન્યોના ૩૬% ઉત્પાદન કતલખાને જનારા આ પાલતુ ઢોરને ખવડાવવામાં આવે છે આ એક બગાડ છે કેમ કે ગાયના એક કિલોગ્રામ માંસ માટે ૭ કિલોગ્રામ અનાજ અપાય છે. અમેરિકા વર્ષે ૧.૨૨ કરોડા મેટ્રિક ટન ગૌમાંસ મેળવે છે જેના માટે તે ૮.૪૫ કરોડ મેટ્રિક ટન અનાજ માત્ર માંસ મેળવવા ગાયોને ખવડાવે છે. હવે અનાજનો આ પુરવઠો સોમાલિયા જેવા ૧૫ આફ્રિકી દેશોમાં ભૂખમરો નિવારી શકે તેટલો છે. બ્રાઝિલ ગૌમાંસ માટે બીજા નંબરે છે ગૌમાંસ માટે તે અનાજમા ખેતરો ફેલાવવા દર વર્ષે ૨૪,૦૦૦ ચોરસ કિલોમીટરના જંગલોનો સફાયો કરે છે. અને જંગલોની સાથે સજીવસૃષ્ટી પણ નાશ પામે છે. ગૌમાંસમાં ભારતનો નંબર પાંચમો છે એટલે કે ભારતની પાંચમા ભાગની પ્રજા નોન વેજિટેરિયન છે.

    જગતના બધા લોકો શાકાહાર અપનાવે તો અનાજની બાબતમાં જગતમાં ક્યાંય ભૂખમરો ના રહે અને ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા ગણનાપાત્ર હળવી બને. અને આખા જગતને બદલે માત્ર અમેરિકા પૂરતી વાત કરીએ તો આશરે ૪૫ કરોડ મેટ્રિક ટન ઓછો ગ્રીનહાઉસ ગેસ પૃથ્વીના વાતાવરણમાં ભળે જે નાનોસૂનો આંકડો ના કહેવાય.

    શાકાહારની તરફેણ કે માંસાહારની વિરુદ્ધ નહીં પણ એક જાણકારી માટે માહિતી લખી છે. જો કે સફારી મેગેઝિનમાંથી આખો લેખ વાંચવા જેવો છે.

    Like

    1. માનવ જાતે કુદરતનું બધું બેલેન્સ ખોરવી નાખ્યું છે.મેડીકલ સાયન્સે આયુષ્ય વધારી દીધું,વસ્તી વધતી જ જાય છે.હવે એને પોષવા માંસ અને ખેતી,રહેવા જમીન જોઈએ,તો કરો જંગલોનો નાશ.માનવ જાત પોતાના પાપે જ આ પ્લાનેટ ઉપરથી નષ્ટ થઇ જવાની છે.

      Like

      1. Dear brother,
        i am writing a science fiction novel since last more than 13 years on this subject that human beings are responsible for this loss of balance and may be destroyed . so you are right in that observation.

        Like

  5. અગસ્ત્ય મુનિ પણ માંસાહારી હતા; સમુદ્ર સાથે બધા જલાચારોને ગળી ગયા હતા, હા, હા, હા………
    ખેર એ તો મજાકની વાત થઇ. પણ મત્સ્યાહાર નો ફાયદો એ છે કે માછલી પચવામાં ઘણી હલકી હોય છે. વળી બુદ્ધિવર્ધક છે. પણ ગેરફાયદો એ છે કે પાણીમાં જો પારા જેવા ઝેરી તત્વો હોય તો પણ માછલી જીવે છે અને તે ઝેરી તત્વો ખાનારના પેટમાં જાય છે. તેથી માછલી કેવા પાણીમાંથી આવી છે તે જાણવું જરૂરી હોય છે.

    Like

    1. પારો નુકશાન કારક છે,ખાસ તો નાના બાળકો માટે.પણ સાલમન માછલીમાં પારો હોતો નથી તેવું એક અમેરિકન કહેતો હતો.એમાં ઓમેગા-૩ પુષ્કળ હોય છે.

      Like

  6. I suppose to write comment like Mitaji has explained here. Same article (as with reference from Safari) I read on Gujarat Samachar Network column ( 2 months back).

    Like

  7. સારો લેખ!!! મે એક વાત ઘણાં સમય પહેલાં વાંચી હતી કે કોણ શાકાહાર કરી શકે અને કોણ માંસાહાર કરી શકે,જે સજીવ જીભેથી ચાટીને પાણી પિવે તે માંસાહારી અને જે બાકીના શાકાહારી આ મે સાંભળેલી વાત છે ઉપરાંત પ્રાણીઓ માં દાંતની રચના પણ અલગ અલગ હોય છે!! કોઇ જાણકાર હોય તો આ વિશે વધુ જણાવજો!!!

    Like

    1. ત્રણ પ્રકારના ભોજનને લગતા પ્રાણીઓ હોય છે.કાર્નીવોરસ,જે ટોટલી માંસાહારી હોય છે.હર્બીવોરસ, જે ટોટલી ઘાસાહારી હોય છે.અને ઓમનીવોરસ,જે મિશ્રઆહારી હોય છે, બધુજ ખાતા હોય છે.ઘસહારીમાં ચાર જઠર હોય છે.માંસાહારી પાસે એકજ જઠર હોય છે.પાચન તંત્ર ને ધ્યાનમાં લિયે તો આપણે માંસાહારી કહેવાઈએ.તટલી માંસાહારી કરતા આપના આંતરડાની લંબાઈ જરા થોડી વધારે છે.માટે આપણે શાકાહાર પણ કરી શકીએ છીએ.ટૂંકમાં આપણે મિશ્રાહારી છીએ.થેન્ક્સ.

      Like

  8. હું શાકાહારી છું અને મને તે વાત ગમે છે. ઉપર દર્શાવેલા કારણો ઉપરાંત:

    ૧. આપણા અને પ્રાણીઓના શરીરમાં (વનસ્પતિની સાપેક્ષ) ઘણી સમાનતા છે. આથી જો ખવાયેલું પ્રાણી રોગી હોય તો તમને રોગ થવાની શક્યતા વધુ. [માટે જ નરમાંસાહાર કરનારી પ્રજા બહુ મોટા વિસ્તારમાં ફેલાઈ નથી શકતી.

    ૨. આપણા અને પ્રાણીઓના શરીરમાં (વનસ્પતિની સાપેક્ષ) ઘણી સમાનતા છે. આપણા શરીરને આપણું શરીર પચતું નથી. તદ્દન બિનજૈવિક પાણી અને મીઠું પી જાય છે. તો માંસ કરતાં વનસ્પતિ પચાવવી સહેલી હોવી જોઇએ.

    ૩. બીજા એઇપ્સ મહદંશે, મોટા સમય માટે શાકાહારી છે – અને આપણે એઇપ્સ છીએ. ચિંપાન્ઝી કીડીઓ ખાય છે પણ હરણ નહીં. આથી આપણે પણ બધું ખાઇએ તે નૈસર્ગિક ક્રમ નથી લાગતો. પચી તો જાય – મેડ કાઉ ડિેસીસ ગાયને ઘેંટાં ખવરાવવામાંથી તો ફેલાયો હતો ને?

    ૪. માંસાહારની પર્યાવરણ પરની અસર વિશે તો ઉપર ઘણાએ લખ્યું જ છે.

    ૫. ધારો કે આ દુનિયામાં ખાવાલાયક બે જ જીવ બચ્યા છે: તમારો ભાઈ અને તમારો સાળો. 🙂 તમે કોને ખાશો? તમારા જેવો નથી તેને! તો પછી વનસ્પતિ ખાઓને!

    Like

    1. ભાઈ
      માંસ કરતા વનસ્પતિ પચવી સહેલી હોવી જોઈએ પણ છે નહિ.જે શાકાહાર ખાઈએ છીએ તે વનસ્પતિનાં બીજ કે ફળ છે.આપણે ઘાસ તો બિલકુલ પચાવી શકીએ નહિ.કે વૃક્ષના પાન પચવી શકીએ નહિ.ઘાસાહારી પ્રાણીઓનું પાચન તંત્ર આપણાંથી જુદું છે.આપણું પાચન તંત્ર માંસાહારી પ્રાણીઓ જેવું છે ફેર એ છે કે આપણા આંતરડાની લંબાઈ માંસાહારી પ્રાણીઓ કરતા થોડી વધારે છે.આપણે કાચું માંસ પચાવી શકીશું પણ કાચા ઘઉં નહિ.ચિમ્પાન્ઝી હરણ નથી ખાતા પણ બીજા સમૂહના ચિમ્પાન્ઝીઓ નો શિકાર કરીને ખાઈ જાય છે.આપણે વિજ્ઞાન અને ઈવોલ્યુશન ની દ્રષ્ટીએ ઓમનીવોરસ એટલે મિશ્ર આહારી છીએ,જે નૈસર્ગિક છે.ખાલી માંસાહાર કે શાકાહાર નૈસર્ગિક નથી.શાકાહાર સારો છે બીજી ઉણપો દૂધ વગેરે ખાઈને પૂરી કરી શકાય છે.જસ્ટ હું વિજ્ઞાની દ્રષ્ટીએ જ વાત કરું છું.કોઈ ની તરફેણ કરતો નથી.
      ભાઈ અને સાળા માંથી સાળાને ખાઈ જઈએ અને ભાઈને આપણી પત્ની ખાઈ જાય.બાકી શું રહ્યું ???હા!હા!હા!હા!હાં!

      Like

  9. તમે ઘણા ઊંડા ઊતરીને અભ્યાસ કર્યો છે. આનો લાભ અમને સૌને મળે છે. ઘણું જાણવા મળ્યું. મીતાબહેન અને પ્રમથભાઈના પ્રતિભાવોએ પણ તમારા ડાયરાનો રંગ જમાવ્યો છે.આપણી પાર્લામેન્ટમાં પણ આવી સ્વસ્થ ચર્ચાઓ થાય એવી ૨૦૧૧ના વર્ષ માટે શુભેચ્છાઓ!

    Like

    1. મેં પોતે ગાયો રાખેલી હતી.એના માટે એ વિષયના મેન્ગેઝીન મંગાવીને અભ્યાસ કરેલો છે.ચિમ્પાન્ઝી અને બીજા એપ્સ વિષયક અને માનવ ઉત્ક્રાંતિ વિષયક ઘણી બધી ડોક્યુમેન્ટરી જોઈને પછી લખું છું.મેં જોયું છે કે માદા ચિમ્પાન્ઝી બેબી ને જન્મ આપે તે વખતે બીજા ચિમ્પ આજુબાજુ બેઠા હોય તે પેલા બેબીને ઝૂંટવીને ખાઈ જાય છે.જો પેલી માદા પાંચ મીનીટ માટે એને બચાવી લે તો પછી એ જ બેબી ને બધા ભેગા થઈને પાળે પોષે છે.હાવર્ડ ના બાયોલોજિસ્ટ રોબર્ટે ૨૫ વર્ષ આફ્રિકાના ચિમ્પ વિષે ત્યાં જઈને એમના વચ્ચે રહીને અભ્યાસ કરેલો છે.બોનોબો ચિમ્પ વળી બધી જ કહેવાતી વિકૃતિઓ સેક્સ વખતે કરતા હોય છે.એનો કોઈ જવાબ નથી.હું કોઈ માંસાહાર ની તરફેણ કરું છું તેવું નથી.માહિતી આપું છું બસ.આભાર.

      Like

  10. શ્રી ભુપેન્દ્રસિંહજી.
    એક નાનકડું સુચન અને આટલો સુંદર લેખ. આભાર.
    કહેવા જેવું અને ચર્ચવા જેવું લગભગ સૌ મિત્રોએ કહી દીધું છે. સ_રસ લેખ અને બહુ માહિતીપ્રદ પ્રતિભાવો. ટુંકમાં, ભાવતું હોય, ફાવતું હોય અને વધુ સરળતાથી મળતું હોય તે ખાવાનું સ્થળ-કાળ અનુસાર પ્રચલીત બને. પોષણ મેળવવું એ મહત્વની વાત છે, અસંતુલિત આહારથી કુપોષણનો ભોગ બનવાનો ભય રહે છે. સ્વાદ ઉપરાંત પોષણમુલ્યને વૈજ્ઞાનિક ઢબે સમજી અને ખોરાકની પસંદગી કરવી જોઇએ. સાવ સાચી વાત. આભાર.

    Like

  11. વિજ્ઞાન અેમ કે છે કે વનસ્પતિ નો ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોય તેણે સાકાહારી કહેવાય .
    તો વનસ્પતિ તો સજીવ છે તો તે ને ખનાર ને સકાહારી કેમ કેવાy…

    Like

Leave a comment