“શું ધર્માંતરણ સહેલું છે?જૈન,બુદ્ધ,અને હિંદુ ધર્મ ના સંદર્ભ માં”…..

 
                 *ઈ.સુ.ના ૩૦૦૦ વર્ષ પહેલા હિંદુ ધર્મ નો કોન્સેપ્ટ આવ્યો.સમય ની બાબત માં કોઈ ચોક્કસ પ્રમાણ નથી.એટલે સૌથી જુના ધર્મ તરીકે હિંદુ ધર્મ માની શકાય.ધર્મો ની બાબત માં બે મુખ્ય વિચારધારાઓ છે.એક છે હિંદુ અને બીજી જુઇશ કે  યહૂદી.બધી વિચારધારાઓ આ મુખ્ય બે વિચારધારાઓ માંથી જ જુદી પડેલી છે.મુસલીમ,ક્રિશ્ચિયન અને યહૂદી લગભગ એકજ વિચારસરણી ધરાવતા હોય.એમ જૈન,બુદ્ધ અને બીજા ભારતીય ઉપખંડ ના ધર્મો ના મુખ્ય સાર તત્વો હિંદુ ધર્મ ના જ હોય એ સ્વાભાવિક છે.બુદ્ધ ધર્મ લગભગ ઈ.સુ ના ૫૦૦ વર્ષ પહેલા અસ્તિત્વ માં આવેલો છે.હાલનો જૈન ધર્મ લગભગ ભગવાન મહાવીર ની વિચારધારા મુજબ ચાલે છે.મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા.બંને બિહાર માં ફરતા હતા.પરંતુ ફક્ત એકજ વાર બંને એક જ ધર્મશાળા ના બે છેડે ના ઓરડાઓ માં રહેલા હતા.છતાં એક બીજાને મળેલા પણ નહિ.
                *જૈન ધર્મ ના પહેલા તીર્થંકર આદિનાથ એ ભગવાન ઋષભ દેવ હતા.એમનો ઋગ્વેદ માં ઉલ્લેખ છેજ.ઋષભદેવ ને હિંદુ ધર્મ માં પણ અવતાર માનવામાં આવતા હતા.એ સમયે રીવાજ મુજબ,ભાઈ બહેનો મોટા થઇ સંસાર માંડતા હતા.ઋષભ દેવે પણ મોટા થઇ એમની બહેન જોડે સંસાર માંડેલો.બીજી આવી કોઈ જુવાન જોડી પુરષ મરી જવાથી ખંડિત થયેલી.એ સ્ત્રી જોડે ઋષભ દેવે લગ્ન કરીને પહેલી વાર નવો રીવાજ ચાલુ કરેલો અને ભાઈ બહેન સંસાર માંડે એ રીવાજ દુર કરેલો.એટલે ઋષભ દેવ ને બે પત્નીઓ હતી.આ ઋષભ દેવે લોકોને પધ્ધતિસર ખેતી કરવાનું શીખવાડ્યું હતું.એ હિસાબે જૈન ધર્મ પણ હિંદુ ધર્મ જેટલો પ્રાચીન કહી શકાય.પણ હાલનો જૈન ધર્મ મહાવીર ના સ્થાપેલા રીતી રીવાજ ને પ્રણાંલિયો પર ચાલી રહ્યો છે.માટે એ પણ બુદ્ધ ધર્મ જેટલો જ જુનો કહેવો હોય તો કહી શકાય.તીર્થંકર પાર્શ્વનાથ ઈ.સુ ના પેલા નવમી સદી માં થઇ ગયા ને મહાવીર ઈ.સુ ના પહેલા છટ્ઠી સદી માં થયા હતા.
            *ભગવાન બુદ્ધ પણ ઈ.સુ ના પહેલા છટ્ઠી સદીમાં થયા હતા.એમનો  ઈતિહાસ બધાજ જાણતાં હોય એટલે એની ખાસ ચર્ચાની જરૂરત લાગતી નથી.મૂળ હિંદુ ધર્મ પણ હવે એના મૂળ રૂપ માં જળવાયો નથી.રોજ ફૂટી નીકળતા નવા સંપ્રદાયો ની ભીડ માં પ્રાચીન હિંદુ ધર્મ ક્યાય ખોવાઈ ગયો છે.એને પણ પરિવર્તન ના નિયમ મુજબ સ્વીકારે જ છૂટકો.પ્રાચીન હિંદુ ધર્મ માં કર્મકાંડો વધી ગયા હતા ને યજ્ઞો માં પશુઓના બલી અપાતા હતા.એ પણ હકીકત છે.ઘણા લોકો કહે છે ઋગ્વેદ ના ખોટા અર્થો કર્યાં છે.કોઈ કહેશે બધું પાછળ થી ઉમેરેલું છે.આ બધો આપણો દંભ જ છે.અતિશય કર્મકાંડ ને પશુઓના બલી વિગેરે માંથી મુક્તિ મેળવવા માંગતા લોકોમાં બુદ્ધ ધર્મ ઝડપ થી ફેલાઈ ગયો.આર્યો ની સંસ્કૃતિ માં યજ્ઞો હતા મંદિરો હતા નહિ.કુટીરો હતી મહેલો ના હતા.માંસાહાર સાવ સામાન્ય વાત હતી.મધ્ય એશિયા માંથી આવેલા આર્યો અહિંસક જરાય ના હતા.સુર  અસુર ના સંગ્રામોથી ભરેલો પૌરાણિક કાલ કઈ રીતે અહિંસક માની શકાય,આપણા દરેક અવતાર,ભગવાન અને માતાજીઓ સુદ્ધાના હાથમાં કાતિલ વેપન્સ છે.સ્ત્રીઓ પણ બહાદુર હતી.સર્વાઇવલ ના યુદ્ધ માં અહિંસા નો કોન્સેપ્ટ સાવ ગલત છે.ઠંડા પ્રદેશોમાં થી આવેલા આર્યો અગ્નિ પુજક હોય એ સ્વાભાવિક છે.ઠંડી થી બચવા માટે ચોક્કસ જગ્યાએ(યજ્ઞ કુંડ) લાકડા સળગાવી રાખવા એ યજ્ઞો જ હતા.અત્યારે પણ યુરોપ અને નોર્થ અમેરિકા કે બીજા કોઈ પણ અતિશય ઠંડા પ્રદેશો માં દરેક ના ઘર માં ફાયર પ્લેસ હોય છે.આર્યો કુટીરો માં રહેતા હોવાથી દરેક ના ઘર આગળ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) હોય.ઘર માં રાખે તો  ઝુપડી સળગી ના જાય?આ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) માં ફળફળાદી નાખી ને શેકી ને ખાવાના.અને માંસાહારી હોવાથી પશુ ઓ નાખીને શેકી ને ખાવાના.આજે પણ યુરોપ અને બીજા ઠંડા પ્રદેશો  માં રાતે કે વિક એન્ડ માં  બધા ભેગા થઇ ને બહાર લાકડા સળગાવી બાર્બેક્યુ કરી ને લોકો માંસાહાર કરતા જ હોય છે.આપણા પૂર્વજો એવા ચીમ્પ અને બીજા એપ્સ સંપૂર્ણ શાકાહારી નથી.એક્સ્ટ્રા પ્રોટીન માટે બધા માંસ ખાઈ લે છે.એટલે આર્યો પ્રત્યે ઘૃણા થી જોવાની કોઈએ જરૂર નથી.હવે ઠંડા પ્રદેશ માંથી ગરમ મધ્ય અને દક્ષીણ ભારતમાં આવ્યા પછી આર્યોને  યજ્ઞો  ની શી જરૂર છે.છતાં મુરખો આટલી ગરમીમાં પણ લાકડા સળગાવી પરસેવે રેબજેબ થઇ સ્વાહા સ્વાહા પોકારતા હોય છે.અને તે પણ ભર ઉનાળામાં.સ્વાહા અને હોમવું એ બંને શબ્દો માં જ હિંસા છે.જૈનો પણ સ્વાહા કરે છે. 
                  *જૈન અને બુદ્ધ ધર્મ સિવાય દરેક ધર્મ માં સેક્રીફાઈસ એટલે કે બલી આપવાની પ્રથા છેજ.એટલે કોઈ ધર્મ નિર્દોષ પશુઓના બલી ચડાવવાની છૂટ અપાતો નથી એવું કહેવું એ મહા દંભ છે.અહિંસા નો પહેલો કોન્સેપ્ટ જૈન ધર્મે આપેલો છે.નહિ કે બુદ્ધ ધર્મે.બુદ્ધ ધર્મે એનો પ્રચાર કરીને દુનિયામાં ફેલાઈ જવાનું કામ કર્યું છે.પણ મૂળ કોન્સેપ્ટ જૈન ધર્મ નો કહેવાય.છતાં જાણવું હોય તો જાણી લો બુદ્ધ ધર્મ ના સાધુઓ આરામ થી માંસાહાર કરે છે.એક ભિક્ષુ ભિક્ષા માગવા ગયેલો.એ ભિક્ષાપાત્ર  ફેલાવીને ઉભેલો ને ઉપરથી સમડી કે  બીજા કોઈ પક્ષી ના મોમાંથી માંસ  નો ટુકડો પડી ને ભિક્ષુ ના હાથમાં આવ્યો.ભિક્ષુ મુઝવાયો,ભિક્ષાનો અનાદર કઈ રીતે કરાય?ગયો બુદ્ધ પાસે.પૂછ્યું કે કોઈ ભિક્ષા માં માંસ આપે તો શું કરવું?ભવિષ્ય માં ભિક્ષુઓના મનમાં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે બુદ્ધે કહ્યું ભિક્ષામાં કોઈ આપે તો ખાઈ લેવું.ત્યાર થી બુદ્ધ સાધુઓ આરામથી માંસ ખાઈ લે છે.દલાઈ લામા પરદેશ માં માંસ ખાય છે,એમના રસોડામાં ના બને.એ દલાઈ લામાને જૈન દમ્ભીઓ પાલીતાણા બોલાવે છે.દલાઈ લામા સારા માણસ છે.ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જૈન હતા.માટે ગાંધીજી અહિંસા ના માર્ગે ચડ્યા હતા.
                *જૈન ધર્મ ની જટિલ ફિલોસોફી લોકોની સમજ ના આવે તેવી હતી.અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ લોકોને ગળે ઉતરે તેવા નથી.જૈનોને પણ કદાચ ખબર હોતી નથી.સત્ય ની શોધ જુદા જુદા પોઈન્ટ  ઓફ વ્યુ થી કરવી એ થયો અનેકાન્તવાદ.એક સત્ય જુદા જુદા સાત પ્રકારે કહી શકાય એ થયો સ્યાદ્વાદ.મતલબ સત્ય સાપેક્ષ છે.દરેક ના સત્યો જુદા જુદા હોય.ગુજરાત માં ૯ ડીગ્રી થાય તો લોકો બુમો પડે કે ખુબજ ઠંડી છે,ઘણા ફૂટપાથીયા  મરી પણ જાય.જયારે એજ ગુજરાતી અમેરિકા ની -૯ ડીગ્રી પણ સહન કરી જાય.સાયબેરીયા  માં -૬૦ માં જીવતા લોકો ને -૫૦ થાય તો કહેશે આજે વેધર સારું છે ચાલો બહાર આંટો માંરી આવીએ.
        *માનો મેં કોઈ કશું કામ કર્યું.હવે એ સારું કર્યું કે ખોટું?ચાલો સ્યાદ્વાદ ની રીતે જોઈએ.
(૧),,સ્યાદ અસ્તિ—-સારું કર્યું.
(૨),,સ્યાદ નાસ્તિ –સારું ના કર્યું.
(૩),,સ્યાદ અસ્તિ નાસ્તિ—સારું કર્યું,,સારું ના કર્યું.
(૪),,સ્યાદ અસ્તિ,અવ્યક્તવ્ય—સારું કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૫),,સ્યાદ નાસ્તિ,અવ્યક્તવ્ય—સારું નથી કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૬),,સ્યાદ અસ્તિ નાસ્તિ ,અવ્યક્તવ્ય —સારું કર્યું,ના કર્યું ને વર્ણન ના કરી શકાય.
(૭),,સ્યાદ અવ્યાખ્યેય ,,,,કોઈ વ્યાખ્યા ના કરી શકાય.વર્ણન ના કરી શકાય.
         હવે આમાં શું સમજવું?મને સમજાયું તે પ્રમાણે મેં લખ્યું છે.કોઈ જૈન ધર્મ ના વિદ્વાન ને આમાં કોઈ ભૂલ લાગે તો ધ્યાન  દોરવા વિનંતી છે.હું એમનો ચોક્કસ આભાર માની માંરી ભૂલ સુધારીશ.પણ મારા મતે સત્ય સાપેક્ષ હોય છે,રીલેટીવ હોય છે.આઈનસ્ટાઇન ભલે થીઅરી ઓફ રીલેટીવીટી શોધવાનું માન મેળવી જતો.પણ એનો મૂળ કોન્સેપ્ટ ભગવાન મહાવીર નો છે.
               *પણ જૈન ધર્મ જટિલ હોવાથી અને ધર્મપરિવર્તન માં ખાસ વિશ્વાસ ના હોવાથી બહુ ફેલાયો નથી.અતિ સર્વત્રે વર્જયેત ના ન્યાયે લોકો ને પરિવર્તન જોઈતું હતું.એમાં આવ્યા બુદ્ધ.કોઈ પણ નવો કોન્સેપ્ટ આવે એટલે એને કોણ સમજી શકે?સમાજ નો બુદ્ધિશાળી,ઇન્ટેલેજન્સીયા વર્ગ જ સમજી શકે.મહાવીર ના પ્રથમ દિક્ષિતો ૭૦૦ ગણધરો બ્રાહ્મણો જ હતા.બુદ્ધ ના પ્રથમ શિષ્યો પણ બ્રાહ્મણો જ હતા.તમારા સબ કોન્શીયાશ માં સમાયેલો ,તમારા અચેતન માઈન્ડ માં પેઢીઓ થી ઘૂસેલો ધર્મ બહાર કાઢી નવો ધર્મ કે કોન્સેપ્ટ ઘુસાડવો  અઘરો છે.એના માંટે પ્રબળ મનોબળ જોઈએ.એના માટે ભયંકર સમજ શક્તિ ને ઈચ્છા શક્તિ જોઈએ.જેવા તેવા નું કામ જ નહિ.એ પછી ના તો ઘરનો રહે ના ઘાટ નો.મહાવીર ક્ષત્રીય હતા,એમના શિષ્યો બ્રાહ્મણો હતા અને આજે પાળે છે કોણ?જૈન ધર્મ આખો હિંદુ ધર્મ પર આધારિત છે.ખેતી કરીએ તો હિંસા થાય.હિંદુ ખેતી કરી હિંસા નું પાપ માથે લે ને જૈનો અહિંસા નું પુણ્ય કમાય.કોઈ ને મરાય નહિ.બોર્ડર પર હિંદુ ને બીજા સૈનિકો હિંસા કરે બોર્ડર સાચવે  ને અહી જૈનો અહિંસા ના ભાષણો આપે.ખેડૂતો દવાઓ છાંટીને લાખો જીવ જંતુઓ માંરી શાકભાજી પકાવી ને નરક માં જવાના ને જૈનો એ શાકભાજી ખાઈ કતલખાના વિરુદ્ધ નારા લગાવે.હું એવું નથી કહેતો કે કતલખાના ચાલુ રાખો.
               *કોઈ ધર્મ સારી રીતે અપનાવતા બે ચાર પેઢી વીતી જાય.છતાં કોઈ ગેરંટી નહિ.કારણ તમારા અચેતન મન ના સંસ્કાર.જિન્નાહ ના દાદા ઓ લોહાણા હતા.વૈષ્ણવ હતા.જિન્નાહ ના દાદી ઘર માં છાનામાના શ્રીનાથજી ની પૂજા કરતા હતા.વટલાએલા કેટલાય કુટુંબો ને મેં લગ્ન માં હિંદુ તથા મુસ્લિમ બંને વિધિ કરતા જોયા છે.ગણેશ પણ બેસાડે ને નિકાહ પણ પઢે.નમાજ પણ પઢે ને નવરાત્રીમાં ગરબા પણ ગાય.ના ઘરના ના ઘાટ  ના.જૈન ધર્મ નો કર્મ નો  નિયમ બહુ ચુસ્ત છે.જે કર્મ ભોગવવાના જ હોય કોઈ કાલે એમાંથી છૂટવાના નજ હોવ તો આશીર્વાદ કે પ્રાર્થના ની શી જરૂર?માંટે ભગવાન મહાવીરે એમની આખી જીંદગી માં પ્રાર્થના કરી નથી.અને જૈનો રોજ પ્રાર્થના કરે છે.જૈન ધર્મ એ ભક્તિ કે સંગીત નો ધર્મ જ નથી.પ્રસાદ ચડાવવો,બાધાઓ રાખવી એ જૈન ધર્મ માં નહોય.કોઈ ધર્મ એના મૂળ રૂપ માં કદી સચવાતો નથી.એમાં પરિવર્તન આવતા જ હોય છે.મનોવૈજ્ઞાનિક રીતે અચેતન મન ની આંટી ઘુંટી સમજ નારા ધર્મો એ કે એને સ્થાપિત કરનારાઓએ ધર્મ પરિવર્તન માં ખાસ વિશ્વાસ રાખ્યો નથી.છતાં પરિવર્તન એ સંસાર નો નિયમ છે,એ માનવુંજ પડે.સમજણ પૂર્વક નું ધર્મ પરિવર્તન હોય તે જ સારું.બાકી કોઈ મતલબ રહેતો નથી.બાકી નવા અપનાવેલા ધર્મ માં તમારા પુરાણા ધર્મ ના દુષણો તમે પોતેજ ફેલાવવાના છો.તમે ગલત વ્યાખ્યા કરી જ નાખવાના છો.અહિંસા નો ફેલાવો કરના બુદ્ધ ધર્મ ના સાધુ ઓ માંસ કેમ ખાતા હશે?બુદ્ધ ના સંદેશ નો ગલત અર્થ માંસાહારી લોકોએ  કરી નાખ્યો.કારણ માંસ ખાવું એમના લોહીમાં હતું.સૌથી વધારે બુદ્ધ ધર્મ જે દેશોએ અપનાવ્યો છે એ દેશોની પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ નાનું જીવડું પણ ખાવામાં ચીના ઓ કે જાપાનીઓ બાકી રાખતા નથી.એટલા  ક્રૂર તો ગોરાઓ પણ નથી.સીઓલ (કોરિયા)માં ઓલોમ્પિક રમાયેલી.ત્યારે અમેરિકન અને બ્રિટીશ સરકારોએ કોરિયન  સરકાર ને  વિનંતી કરેલી.જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી સીઓલ માં બઝાર જ્યાં માંસ વેચાતું હોય છે ત્યાં વેપારીઓ  કુતરા ના લટકાવે .કારણ અમેરિકન અને બ્રિટીશ પ્રજા કુતરાઓને ખુબ પ્યાર કરે છે.અને ખાવા માંટે લટકાવેલા કુતરા જોઈ નહિ શકે.કોરિયન સરકારે વિનતી માન્ય રાખેલી.એકજ બુદ્ધ નો સંદેશ કે ભિક્ષામાં ચોઈસ ઘુસી નાજાય.ને લોકોએ મન ફાવતો  અર્થ કરી લીધો.
             *ધર્મ પરિવર્તન સહેલું નથી.ઉલટાનું તમે મૂળ ધર્મ ને બગાડવાનું કામ કરશો.એક જૈન ને મેં સાપ ઘરમાં નીકળ્યો હશે તો ભાથીજી મહારાજ ની બધા રાખતો જોએલો.તમારા અચેતન રૂપે જળવએલા સંસ્કાર નીકળશે નહિ ને નવા ધર્મ માં એનું અચેતન રૂપે નિરૂપણ કરી નાખવાના છો.ચલે મૂલ ધર્મ કી  ઓર એ ફક્ત માનવ ધર્મ હોવો જોઈએ.     
             *ધર્માન્તર જરૂર કરો જેવી રીતે ૭૦૦ બ્રાહ્મણોએ જૈન ધર્મ અપનાવીને મહાવીર ના પ્રથમ ગણધરો બનેલા.ધર્માન્તર જરૂર કરો જેવી રીતે સેકડો બ્રાહ્મણો બુદ્ધ ના પ્રથમ શિષ્યો બનેલા.કોઈ ઘેટા,બકરા ની જેમ વાડો બદલવાથી ઘેટું તો એનું એજ રહેવાનું છે,બકરું પણ એનુંએજ રહેવાનું છે.અને પાછી  નવા અપરિચિત ભરવાડ ની લાકડીઓ ફરી થી  ખાવાની.અને અત્યારે પાછા બુદ્ધ કે મહાવીર કે  શંકરાચાર્ય  જેવા ભરવાડો પણ  રહ્યા નથી કે  એમનો માર ખાવાની મજા આવે,એમની લાકડીઓ તમારો ઉદ્ધાર કરે.આ ભરવાડો તો ઘેટાઓની સંખ્યા કેટલી વધે અને એમનું લોહી કેટલું ચૂસવા મળે એનીજ ગણતરીઓ રાખતા હોય છે.તમે ઘેટા તરીકે જીવો એ બુદ્ધ કે મહાવીર ને  પસંદ ના હતું.અહી તો તમે ઘેટા તરીકે જીવો તોજ એમને બખ્ખમ  બખ્ખા છે.જો તમે બદલાવાના જ ના હોવ તો આ વાડો કે પેલો વાડો ખાલી માલિક   કે ભરવાડ બદલવાનો શું અર્થ?અને બદલાવાનું જ હોય તો પણ વાડો નહિ બદલો તોય શું?  
      

9 thoughts on ““શું ધર્માંતરણ સહેલું છે?જૈન,બુદ્ધ,અને હિંદુ ધર્મ ના સંદર્ભ માં”…..”

  1. I liked your article. Good details, historically correct facts, except one, I think. Theory about “migration/invasion of Aryans ” has been controversial. Many of the new breed of historians discredit the theory of Aryan migration and suggest that Aryans never migrated but are actually indigenous people. For quick reference please check http://www.friendsofsouthasia.org/textbook/ComingOfAryans.html
    This is just quick reference and do not provide proper details. I think it will be an interesting topic of discussion on your blog.
    Thanks for all the information on your blog, including the recent one on Pindaris and thugs.
    looking forward to read more articles on your blog.
    Yogi

    Like

  2. I truely said…that you can write good book..

    જૈન ધર્મ ની જટિલ ફિલોસોફી લોકોની સમજ ના આવે તેવી હતી.અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ લોકોને ગળે ઉતરે તેવા નથી.જૈનોને પણ કદાચ ખબર હોતી નથી.સત્ય ની શોધ જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યુ થી કરવી એ થયો અનેકાન્તવાદ.એક સત્ય જુદા જુદા સાત પ્રકારે કહી શકાય એ થયો સ્યાદ્વાદ.મતલબ સત્ય સાપેક્ષ છે.

    Your understanding is right about anekantvad and syadvad.

    Satsang: Anekantvad (speech by Aidan Rankin)

    You can read this post…I liked the thing about that lecture was…he used these ideas to saw how in politics or in fundamentalist (terrerist) problem these concepts can be useful…(In east world – concept => west world – know how to implement in real life)…just like theory of relativity 🙂 as you said…

    Like

    1. હિરલજી,
      જૈન ધર્મ ની જટિલ ફિલોસોફી કોઈને જલ્દી સમજ માં આવી નહિ માટે એનો ફેલાવો પણ બહુ ના થયો.જે વર્ગ પુરતો સીમિત રહ્યો તે પણ પૂરું સમજ્યા નથી.મહાવીરે કદી પ્રાર્થના કરી નથી.અને આજના જૈનો ભજનીયા ગાયે જાય છે.જૈન ધર્મ એ ભક્તિ ભાવ નો ધર્મ નથી,શુદ્ધ યોગ છે.આત્મા ને એટલી ઉચ્ચ કક્ષાએ લઇ જવાનો હોય કે પરમાત્મા સમ થઇ જાય.દોરા ધાગા,બાધા આખડી માં મહાવીર નાં માને પણ આજના જૈનો તો એમાજ રચ્યા પચ્યા રહે છે.આપનો ખુબ ખુબ આભાર કે આપ રસ લઈને વાચો છો તેમજ પ્રતિભાવ પણ નિયમિત આપો છો.આપ ની વાત માનીએ અને આજ બધા આર્ટીકલસ ની બુક બનાવી દઈએ તો કેવું?આપનું મંતવ્ય જણાવશો.

      Like

  3. Well, I think,if GOD Mahavir will come and see, how his followers misunderstood his philosophy, surely he will get heartattack. (you may like to go though my blog. I have mentioned few things from Uttaradhyan sutra (Mahavir told to Gautamswami after he got kevligyan….Baraha Bhavana….Anekantvad, Pratikraman (Jain Dhyan))

    ABout book….Well, To publish a book….I think, make it as through concrete…include appropriate index, reference page. (It may need more iteration to get it in a shape of GOOD BOOK (student…who is interested to study mythology (concepts) may need references. like as you have mentioned many incidents about many GOD and their philosophy (but if you can really add appropriate reference to it then it really helps. – one can go for further study or in detail study for any perticular philosophy)

    And such material can gain more weitage.. for ex. there are many authers just write to gain countability (like number of books they have published)…but real thing is one should focus on QUALITY….Your book will should really be super-dooper hit or really should have an impact on youth. Infact in foreign many universities have ASION Religion as a study. Such material can really help them.(If it can be translated into English).

    But keep writing…I enjoyed your thoughts…

    Like

  4. હિરલજી,
    આપના બ્લોગ ની મુલાકાત લીધેલી.પેલા અંધ લોકો હાથી વિષે અનુમાનો લગાવે છે.સત્ય ને અનેક બાજુઓથી જોવું જ રહે દરેક ના સત્યો અલગ અલગ હોઈ શકે.આપ યુકે રહેતા હોવ અને હું નોર્થ અમેરિકામાં તો ૦ કે માઈનસ ટેમ્પરેચર સહન કરી લઈએ છીએ,પણ ગુજરાતમાં ૧૫ ડીગ્રી થાય તો લોકો ને ઠંડી લાગવા માંડે.૯ ડીગ્રીએ તો હાહાકાર થઇ જાય છે.આપણે ગુજરાત માં હતા ત્યારે પણ એવુજ થતું,હવે ટેવાઈ ગયા.એટલે સત્ય ને દરેક ની દ્રષ્ટીએ મુલવવું રહ્યું.હા એક વાત સાચી કે મહાવીર આવે તો જૈનો ના હાલના રીતિરીવાજો જોઈ છળી ઉઠે.જૈન લગભગ હિન્દુઓના રીતિરિવાજ જ પાળતા હોય છે.વધારામાં અપાસરા માં જતા હોય છે.આપનું સુચન ધ્યાન માં લેવા અમારા એડિટર શ્રી ને જણાવીશું.બીજા કોઈ સુચન હોય તો ચોક્કસ જણાવશો.આપ ગુજરાતી માં લખો તો કેવું સારું?ગુજરાતી બચાવો આંદોલન માં વેગ મળશે.ખુબ આભાર આપનો.

    Like

  5. રાઓલ સાહેબ,

    આપના દરેક વિશ્લેષણો ખુબજ તાર્કિક હોઈ છે તેથી વાંચવાની અને સમજવાની ખુબ મજા આવે છે. આજે જૈન ધર્મ વિષે જે કઈ વાંચ્યું અને સમજ્યું તે વાતો મારા મનમાં ઘણા સમય થી ઘૂમતી હતી પણ હું શબ્દદેહ આપી સકતો ના હતો, આપે તે કામ બહુજ સુપેરે કર્યું છે. બહુજ સુંદર. ધન્યવાદ અને આભાર. !!

    અહી એક વાત કરવી મને ગમશે, કે દરેક ધર્મ ને લોકોપયોગી બનાવવા આપણા પૂર્વજોએ એમાં કૈક ને કૈક ઉમેર્યું છે જેનો આશય સુભ હતો, પરંતુ ત્યારબાદ કીર્તિ પ્રેમી લોકો એ પોતાના ગ્રુપ જાળવવા એમાં ખોટા પરિવર્તનો કરી ને એના મૂળ સ્વરૂપ નેજ અલોપ કરું દીધું. આજે લોકો જેને ધર્મ મને છે તે તો હાઈ બ્રીડ અવતાર છે. અને રી સાયકલીંગ ના નિયમ મુજબ પાછો મૂળ સ્વરૂપ તો આવ્વોજ રહ્યો, હવે એમાં કેટલો સમય લાગશે તે કહેવા આપણે સમર્થ નથી.

    Like

Leave a comment