Category Archives: વિચારવા વિનંતી

દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.

Mainbuilding2
Image via Wikipedia
દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ:-
જુઓ!!
પ્રાચીન બધું સારું,ઘરડા અને ઘરડા વિચારો સારા યુવાનો કરતા.જુનું ઘણીવાર સારું હોય છે.જુના માણસો અનુભવી હોય છે.ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે.પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે.મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

Mathematicsdept
Image via Wikipedia

बुद्धं शरणं किं गच्छामि||

Buddha Tooth Relic Temple – Hundred Dragons Hall
Image by williamcho via Flickr

बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા  જાહેર કરેલું કે માનવીની શારીરિક  અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.

*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું  કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી,  દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ  હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.

*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ  હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.

બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.

“અર્ધનારીશ્વર”Look!Hard Truths About Human Nature.

Khnumhotep and Niankhkhnum. Illustration from ...
Image via Wikipedia

અર્ધનારીશ્વર
      દરેક પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં ટેસ્ટાટોરીન પુરુષ હાર્મોન્સ અને ઈસ્ટ્રોજન સ્ત્રૈણ હાર્મોન્સ હાજર હોય જ છે.ખાલી માત્રાનો ફેર હોય છે.કોઈ પુરુષ પૂર્ણ પુરુષ નથી,કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી નથી.માટે પ્રાચીન મનીષીઓ આ વાત જાણતાં હોવાથી એક સુંદર અર્ધનારીશ્વર અર્ધનટેશ્વર પ્રતીક શંકરનું રચ્યું હશે.પરંતુ આ પ્રતીકને સજાતીયતા સાથે કોઈ સંબંધ નથી.શંકરનું લિંગ જેની આપણે પૂજા કરીએ છીએ તંદુરસ્ત વિજાતીય સેક્સનું પ્રતીક છે.પુરુષમાં  ટેસ્ટાટોરીન લેવલ ઊંચું હોવું જોઈએ,સ્ત્રીમાં ઈસ્ટ્રોજન.સ્ત્રી અને પુરુષ ભેગાં થાય તો સર્જન થાય તેનું આ પ્રતીક છે.
    સજાતીય  સંબંધોને હોમોસેકસુઅલ,ગે અને લેસ્બિયન તરીકે ઓળખવામાં આવે છે.ઘણા લોકો બંને જાતિમાં રસ ધરાવતા હોય છે.સજાતીય વર્તણૂકને પહેલા મેન્ટલ ડીસઓર્ડર ગણવામાં આવતી  હતી. વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા પછી લાગ્યું કે આમાં કોઈ મેન્ટલ ડીસઓર્ડર જેવું છે નહિ.અમેરિકા,ચાઈના,બીજા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ મેન્ટલ ડીસઓર્ડર નથી.સજાતીયતા જેનેટિક,હાર્મોનલ અને વાતાવરણને લગતી બાબત છે.સજાતીય લોકો સાથે રહેવાથી કોઈ સજાતીય બની જતું નથી.એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો.સજાતીય લોકો વડે ઉછેરાયેલ બાળકો મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માલૂમ પડ્યા.જયારે જે લોકો સજાતીય હતા તેમને મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માતા પિતાએ ઉછેરેલા હતા.
     વધારાના બિન જરૂરી વિજાતીય આકર્ષણને રોકવા માટે સહ શિક્ષણ જરૂરી છે.એકલાં છોકરાઓ વર્ગ ખંડમાં હશે તો સતત છોકરીઓના વિચારોમાં રત રહેશે.એવું  છોકરીઓનું સમજવું.વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ  હોવા ના જોઈએ.નહીતો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની,ભણવા તરફ નહિ.આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.સજાતીય સંબંધો ઘણી વાર મજબૂરી બની જતી હોય છે.જ્યાં સ્ત્રીઓ ઉપલબ્ધ નથી ત્યાં સજાતીય સંબંધો મજબૂરી છે.આર્મી અને જ્યાં સ્ત્રીઓના મુખ જોવા પાપ ગણાતું હોય તેવી મોનેસ્ટ્રીમાં લોકો સજાતીય હોય છે.નાના બાળકોને જાતીય ધોરણે અલગ અલગ બેસાડી ભણાવવા તે તંદુરસ્ત સમાજ તરફ આગળ વધવા માટે રોકથામ જેવું છે.જુઓ આપણાં ઋષિમુનીઓ એમને સ્વર્ગમાં અપ્સરાઓ  દેખાય છે.પત્ની ધરાવતા ઋષિઓ આવી કલ્પના કરે નહિ.બીજું આ અપ્સરાઓની ઉંમર સોળ વર્ષની જ હોય.ત્રીજું અહીની સ્ત્રીઓને સ્વર્ગમાં પ્રવેશ નો  અધિકાર નહિ.પત્ની બાજુમાં ઊભી હોય અને અપ્સરા સામે નજર મંડાય ખરી?હા!હા!હા!માટે એકલાં જવાનું.અહી જ માનસિકતા પરખાઈ જાય.એક રુગ્ણ સમાજ,એક માનસિક બીમાર સમાજ  તરફ આગળ વધવું હોય તો છોકરા અને છોકરીઓની અલગ અલગ સ્કૂલો કૉલેજો ઊભી  કરો.
        સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના વિચારો કરીને ખાલી સજાતીય બની જાય તેવું માનવું અવૈજ્ઞાનિક છે.ખાલી વિચારો કરીને જાતીય પરિવર્તન થઈ ના જાય.સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે કલ્પના કવિતા માટે સારી હશે,હકીકતમાં નહિ.કીટક ભ્રમર ન્યાય કવિઓની કલ્પના છે,તથ્ય નહિ.એક ભ્રમર મેટિંગ કરે,માદા ઈંડા મૂકે,એમાંથી લાર્વા એટલે ઇયળ નીકળે તે પછી કોશેટો બને અને એમાંથી પછી ભ્રમર નીકળે.આ બધી બાયોલોજીકલ પ્રક્રિયા છે,કોઈ કવિતા નથી.કીટક ખાલી વિચારો કરી ભ્રમર ના બને કે ભ્રમર વિચારો કરી કીટક ના બને.એટલે સજાતીયતા મોટાભાગે જેનેટિક છે.બ્રેઈનના હાઈપોથેલેમસ વિભાગમાં INAH3 ન્યુક્લિયસ હોમોસેકસુઅલ પુરુષોમાં જરા નાનો હોય છે.કાયમી સજાતીયતા માતાના ગર્ભમાં નક્કી થઈ જાય છે.સ્ત્રી ખાલી બ્રેઈનના જમણા ભાગ વડે જ વિચારે અને પુરુષ માત્ર ડાબા ભાગ વડે જ વિચારે તે ખોટું છે.બધા આખું બ્રેઈન જ વાપરતા હોય છે.હા કોઈ એક ભાગનો  ઉપયોગ વધારે કરે તે બરોબર છે.હવે કોઈ સ્ત્રી પુરુષનો વિચાર કર્યા કરે સતત અને એનું ડાબું બ્રેઈન વધારે કામ કરતું થઈ જાય તે વાત જ ખોટી છે.કવિઓ જમણું બ્રેઈન વધારે વાપરતા હોય છે તે કોઈ સ્ત્રી જેવા બની નથી જતા.પુરુષો પણ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ પથ્થર હ્રદયની.રામાયણ કથા રચનારા તથા ગાનારા કવિ હૃદય ધરાવતા જમણું બ્રેઈન વધારે વાપરતા હોઈ શકે.શ્રી ડોંગરેજી મહારાજ ભાગવત વાંચતા વારેઘડીયે રડી પડતા.એમનું જમણું લાગણીશીલ બ્રેઈન વધારે કામ કરતું હોઈ શકે.ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે સક્રિય હોય છે.
     પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી.કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી.માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી અહી તો  આ બધું સાવ સામાન્ય છે.જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન  યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.સજાતીયતા કોઈ કાલે બંધ થાય નહિ,ખાલી ગુપ્ત રીતે ચાલુ રહેવાની.
      બાળક પુરુષ તરીકે  જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે  ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?એમાંના ઘણા લોકો ઓપરેશન કરાવી જાતી બદલી નાખતા હોય છે.
      પ્રાણીઓમાં પણ સજાતીયતા નોધાઇ છે.પેન્ગ્વીન અને બોનોબો ચીમ્પમાં ખાસ નોધાઇ છે.ઘણા કીડાઓમાં બંને પૂર્ણ વિકસિત ઑર્ગન એક જ શરીરમાં હોય છે.બે કીડા ભેગાં થઈને એકબીજાના મેલ ફીમેલ ઑર્ગન સાથે  સહયોગ કરી બંને ઈંડા મૂકી વંશ વધારવાનું કામ આગળ વધારે છે.ખરા અર્ધ નારીશ્વર અને અર્ધ નટેશ્વર તો આ કીડા છે,માનવો નહિ.

બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,

 બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક  રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ  એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
                બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો  પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના  ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા.  જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
           આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ  ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં  છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
           આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને  ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની  જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
           હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન  છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે  પૂર્વ ધારણાઓ  બાંધીને જીવવાવાળાં  મહાદંભી  જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
            વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને  રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો  બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના  લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ  તે મોટી નકારાત્મકતા છે.
          અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો  જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
            સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???

દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !

 
imagesQEP7Z10M     દ્વારીકાના કૃષ્ણ
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ  સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ  શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો  ? કૃષ્ણ  શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ  બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં  તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ  તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.

કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ  કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ  લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
  

ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.

મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની  દ્વારીક અને બેટદ્વારીકાનાં  સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE  AGE નો   બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે.  આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે.  એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.

   બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.

     જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.

     બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.

    કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી  ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું….. 

Krishna in Japan

પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

સાવજ ડણકયો!!!!

 (ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,  — લેખ પર શ્રી અશોક મોઢવડીયાની  કૉમેન્ટ)
———————————————————————
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ માહિતી આપી.
BSF ની મહિલાપાંખ બાબતે ઘણા સમય પહેલાં અમુક પાકિસ્તાની અખબારોએ જાત
બતાવી હતી અને ત્યારે ઘણી સટાસટી બોલેલી પણ ખરી. ફેસબુક પર પણ બહુ ચર્ચાઓ
થયેલી. ખેર, એ તો દુશ્મન દેશ છે એટલે તે આવા કરતૂતો કર્યે રાખે તેમાં
નવાઈ નહીં. અહીં આપણા લશ્કરમાં (અને હવે ખાસ તો નૌસેના અને વાયુસેનામાં
પણ) સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળવાનું શરૂ થયું છે તે એક સારા સમાચાર છે.
મારી જાણકારી મુજબ હજુ BSFની મહિલા પાંખને બોર્ડર પર પ્રથમ હરોળમાં નહીં
પરંતુ દ્વિતીય હરોળમાં, જેમાં બોર્ડરના ગામોમાં સર્ચ કે રેસ્ક્યુ
ઓપરેશન્સ હોય કે બોર્ડર પર ખેતકાર્ય માટે આવાગમન કરતી ગ્રામ્ય મહિલાઓની
ચકાસણી જેવા નોન કોમ્બેટ કાર્યો કરવાનું સોંપ્યું છે. આગળ ઉપર વધુ તાલિમ
ઉપલબ્ધ થતી જશે તેમ કદાચ મહિલાઓ પ્રથમ હરોળમાં કોમ્બેટ ડ્યુટી પણ કરશે.
(ત્યારે તે ખરેખરી રણચંડી કહેવાશે) અમુક મહિલાઓ વાઘા બોર્ડર પર બિટિંગ
રીટ્રીટ સેરમનીમાં પણ ભાગ લે છે. આ રણચંડીઓને શતઃશતઃ સલામ.
થોડું તો શ્રી રશ્મિકાંતભાઇએ કહ્યું થોડું હું ઉમેરીશ. જો કે ગુજરાતીઓ
તેમના સંતાનોને માત્ર માંસ, દારૂ વગેરે ખાતા પીતા થશે તે બીકે લશ્કરમાં
જતા રોકતા હોય તે માનવામાં આવતું નથી, કોઇપણ નાના એવા કસબામાં એકાદ
વિસ્તાર એવો મળશે જ જ્યાં બે-ચાર આંટા મારવાથી પણ આ ’જોખમ’ તો વધી જાય !!
મૂળભૂત રીતે આપણા યુવાનોને જ પૈસામાં કે મોજશોખમાં જેટલો રસ પડે છે તેટલો
શૂરવિરતામાં નથી પડતો. (હા, ટોળું મોટું હોય તો હો..હો.. કરી અને બે-ચાર
પથ્થર ઉલાળી શૌર્ય બતાવી કાઢે ખરા !!) આગળ મેં કોઈક પ્રતિભાવમાં લખેલું
કે જ્યાં બે બદામના કમર હલાવવાવાળાઓ યુથ આઇકોન્સ હોય ત્યાં શૌર્યની આશા
રાખવી નકામી છે. આપણે એક ઊંદરને પણ લાકડી ફટકારી નથી શકતા, જ્યાં ડાહી
ડાહી વાતો કરનારાઓજ માત્ર, (હિન્દીમેં બોલે તો ચિકને !!) સજ્જન ગણાય અને
શૌર્યવાનોને કે ભડાકે વાત કરનારને વંઠેલ, ગમાર, મેનરલેસ કે ક્યાંક ક્યાંક
તો ગુંડા સમજવામાં આવે છે ત્યાં સૈન્યમાં ગુજરાત રેજીમેન્ટની આશા રાખવી
નકામી છે. જ્યાં મહિલાઓની લાચારીનો ગેરલાભ લેનાર સફેદપોશ સમાજમાં સજ્જન
અને પ્રતિષ્ઠિત ગણાય, સફળ ગણાય, અને સ્ત્રીઓના શિયળ બચાવવા કાજે રણમાં
ખપી જનારો મૂરખો ગણાય, જય રણછોડ કરનાર બુદ્ધિવાન ગણાય અને કેશરિયા
કરનારને મૂર્ખશિરોમણીઓના શરપાવ હવેના કહેવાતા ઈતિહાસકારો અને આપણા જેવા
ડાહ્યા ગણાતા લોકો આપે છે ત્યાં ગુજરાત બટાલિયનની આશા રાખવી વધુ પડતું
છે.
અન્ય એક વાત એ પણ છે કે ગુજરાત કે ગુજરાતી એટલે માત્ર વેપારીપ્રજા !! જે
તે સમયે સાહિત્ય કે કલાના વખતોવખતના ધૂરંધરોએ આવું ચિત્ર બનાવી કાઢ્યું
હશે, અને વિશ્વભરમાં આ છાપ રૂઢ થઈ ગઈ છે. ગુજરાતી પ્રજાના કેટલા ટકા
વેપારીઓ છે ? કદાચ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે ગુજરાતી એટલે બસ અમારા
જેવા ગભરુ અને બિકણ અને ડરપોક (ટુંકમાં શાંતપ્રજા !!) તેવું સ્થાપિત કરી
દીધું હશે. અરે ભાઇ એક જમાનામાં પોરબંદરને સૂપરકોપ જે.એફ.રીબેરોએ શિકાગો
નામ આપેલું !!! એ પોરબંદર પણ ગુજરાતમાં જ છે, ગુંડાઓનું ગામ ગણાય છે ! પણ
રાત્રે બે વાગે પણ સૂંડલો એક ઘરેણા પહેરીને બહેન દીકરી ત્યાં એકલી વયી
જાય તો તેના પેટનું પાણી પણ હલતું નથી. (અહીં ગુંડાગીરીના વખાણ નથી કરતો
પરંતુ શૌર્યવાન પ્રજાની એક અલગ તરેહની રહેણી કહેણી હોય છે જે આપણા અમુક
ચાગલા ચુગલા અને માત્ર વદવામાં શૂરા એવા સમાજના કહેવાતા દોરવણીકારોને
પસંદ ન હોય તેથી તેને હિંસક કે મધ્યયુગીન કે કજિયાખોર રહેણી કહેણી જેવાં
નામ આપી દેવાય છે)  દાળભાત ખાનારા કેટલા ટકા ગુજરાતીઓ છે ?? માત્ર બે-ચાર
શહેરો કે તેની કહેવાતી સંસ્કૃતિ એટલે ગુજરાત નહીં, ખાવાપીવાની વાતમાં
અમારે ગામડામાં કહે છે કે ’ખરીયા સોતો ખાઈ જાય તેવો જોધમલ જુવાન છે’
અર્થાત શિકારની પગની ખરીઓ પણ બટકાવી જાય તેવો જણ !! (આ જોધમલનો અર્થ જ
’યુદ્ધવિર’ થાય છે)
હું ન ભુલતો હોઉં તો જે તે સમયે ગુજરાતનાં રજવાડાઓની લશ્કરી ટુકડીઓનું
રજપુતાના રાઇફલ્સ અને રાજપુત રેજિમેન્ટમાં પરિવર્તન કરાયું હતું અને આજે
પણ ગુજરાતના જવાનોને રજપુતાના રાઇફલ્સ કે રાજપુત રેજિમેન્ટમાં નિમણૂક
અપાય છે. ગુજરાતમાં લડાયક ગણાતો બહુ મોટો વર્ગ છે, (સમાજિક રીતે કદાચ
ઊંચા નીચા ગણાતા ઘણાં સમાજો પણ લડાયકતાની બાબતે સમાન લાયકાત ધરાવતા
જણાશે) ભારતનાં લશ્કરમાં ગુજરાતની દરેક જાતિ,કોમના લોકો જોવા મળશે જ.
પરંતુ સમસ્યા ફરી એ જ, અમુક લોકોની શાંતિપ્રિય (કે સંપતિપ્રિય !) નપુંસક
મનોવૃતિની છે. બહુ લોહી ઊકળ્યું તેથી આટલો આક્રોશ વ્યક્ત કર્યો, કોઇ ખરા
શાંતિપ્રિય માણસ માઠું ન લગાડે તેવી વિનંતી શાથે છેલ્લે એક અફઘાન ઉક્તિ
ઉમેરું; કહે છે કે, અફઘાનો યુદ્ધના મેદાનમાં જ સાચી શાંતિ અનુભવી શકે છે.
અહીં અફઘાનોની જગ્યાએ ગુજરાતીઓ કલ્પી શકો તો ગુજરાત રેજિમેન્ટ માનો કે
તૈયાર જ પડી છે. આભાર.
(અહીં એક આડવાત કરી દઉં, આ લખનાર આપના મિત્રના કુટુંબના ત્રણ સભ્ય
ભૂમિદળમાં સેવા બજાવી ચુક્યા છે, અને આપનો મિત્ર કમભાગ્યે એકાદ
યોગ્યતામાં ખરો ન ઉતર્યો તેથી ભરતીદળના વડાની સુચના અનુસાર હોમગાર્ડમાં
દાખલ થઈ સેવા આપી ચુક્યો અને શાથે જરૂરી સૈન્ય તાલિમ પણ પામ્યો. આથી
આટલું ભાષણ લખવાને યોગ્ય ગણશો તેવી આશા છે)
(આ સંદર્ભે માત્ર જાણકારી ખાતર વાંચવા જેવા લેખ :
* http://armedforces.nic.in/airforce/afkargil/arguj.htm (કારગીલ
યુદ્ધમાં શહીદ ગુજરાતીઓ)
* http://en.wikipedia.org/wiki/Rajendrasinhji_Jadeja (ઇન્ડિયન આર્મીના
પ્રથમ વડા, ચીફ ઑફ આર્મીસ્ટાફ, ભારતીય સૈન્યનાં દ્વિતીય કમાન્ડર ઇન ચીફ,
જામનગરના રાજવી રાજેન્દ્રસિંહજી જાડેજા)
* http://www.chowk.com/articles/11105 (ગુજરાતીઓની લડાયકતા બાબતે કેટલીક વાયકાઓ)
નોંધ:-કોઈ તકનીકી કારણોસર શ્રી અશોકભાઈની કૉમેન્ટ બ્લોગ પર આવી શકી નથી.માટે પોસ્ટ રૂપે મૂકી છે.
==========================================

ભારત ચાર આંધળા નો હાથી

Photograph taken by me at Dholavira. ja:画像:A w...
Image via Wikipedia

          ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે  ‘મેરા ભારત  મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો. 
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
       ૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
     ૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
    ૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
     ૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
      ૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ  સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું  સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     ૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
    ૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
    ૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
   ૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
   ૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
   ૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
    ૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
    ૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
    આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???

જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!

  ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!  
    ગઈકાલે ફોન પર વાત દ્વારા જાણવા મળ્યું કે ગુજરાત માં જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે દરેક સોમવારે સ્કૂલો બે પીરીયડ જવા દઈ ને વહેલી છોડવામાં આવે છે.આવો કોઈ ગુજરાત નાં શિક્ષણ ખાતાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે નહિ તે તો મને ખબર નથી.પણ સ્વેચ્છાએ દરેક સ્કૂલો આવો નિયમ પાળે છે.લગભગ સવાર ની પાળી ની સ્કૂલો તો ખાસ.થોડી નવી અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો આવું કરતી નથી.એનો મતલબ સરકાર તરફ થી આવો કોઈ રૂલ્સ હોય નહિ.સોમવારે સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો શંકર ના મંદિરે જઈ ભક્તિ કરી શકે માટે શું આવો સ્વયંભુ નિયમ પળાતો હશે?બે પીરીયડ વહેલા છૂટી ને કેટલા વિદ્યાર્થીઓ મંદિરે જતા હશે? અને શિક્ષકો પણ મંદિરે જતા હશે ખરા?બે પીરીયડ અભ્યાસ બગાડી ને મંદિરે જવું યોગ્ય છે ખરું?કે પછી મોરારીબાપુ નો ચીપ સસ્તો સંદેશો,વન લાઈનર ચબરાકિયું જે આપકી આદાલત માં એમના પવિત્ર મુખે કહેવાયેલું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એની અસર હશે?મહાપુરુષો ની વાતો માનવી પડે?
   કેટલાક  વર્ષો થી આ ધારો સોમવારે સ્કુલો વહેલી છોડી દેવાનો ચાલે છે.દાંતા(અંબાજી) હાઈસ્કુલ નાં પ્રિન્સીપાલ સાહેબ ને આ યોગ્ય નાં લાગ્યું.એમને થયું કે કોઈ ભક્તિ કરવા જવાના નથી,નાં વિદ્યાર્થીઓ કે નાં શિક્ષકો.બધા બે પીરીયડ વહેલી રજા ધર્મ નાં બહાને ખોટી રીતે પાડે છે.એમણે ત્યાં આ ધારો બંધ કરાવ્યો.નાનું ગામ એટલે કોઈ ખાસ ઉહાપોહ થયો નહિ.એમને થયું કે ચાલો એક સ્તુત્ય પ્રયાસ સફળ થયો.હવે આ પ્રિન્સીપાલ અમદાવાદ ની મણીનગર ની જીવકોરબા હાઈસ્કુલનાં ગુજરાતી મીડીયમ ના પ્રિન્સીપાલ બન્યા.એમને થયું કે આ ખોટું છે કે સોમવારે બે પીરીયડ વહેલા છોડી દેવાનું.સ્કુલ માં આ ધારો બંધ કરવાનું નક્કી કર્યું.શિક્ષકોએ અનિચ્છાએ સંમતિ આપી હશે.અંગ્રેજી મીડીયમ નાં પ્રિન્સીપાલ તો છટકી ગયા.એમણે તો ધારો ચાલુ રાખ્યો.ગુજરાતી મીડીયમ ની સવાર ની પાળી એક સોમવાર વહેલી બે પીરીયડ છૂટી નહિ.વાલીઓ,વિધાર્થીઓ માં ઉહાપોહ થઇ ગયો.આતો ખોટું થયું ધર્મ નો નાશ થઇ રહ્યો છે.હિંદુ વિરોધી પગલા લેવાઈ રહ્યા છે.પ્રિન્સીપાલ હિંદુ ધર્મ વિરોધી લાગે છે.આ પ્રિન્સીપાલ  હિંદુ જ છે.એમના ઘર માં રોજ ધ્યાન,મેડીટેશન પૂજા બધું નિયમિત થાય જ છે.
    શિક્ષકોએ પ્રિન્સીપાલ ને સમજાવ્યા કે આપનો વિચાર ઉત્તમ છે,પણ લોકો માં વિવાદ ઉભો થઇ ગયો છે.આમેય શિક્ષકો પણ આ પગલા થી નારાજ હતા જ.એમને પણ બે પીરીયડ વહેલું  છૂટવા  મળતું હતું તે બંધ થાય તો કોને ગમે?અને એમાય આજ સ્કુલ નાં અંગ્રેજી માધ્યમ નાં પ્રિન્સીપાલ તો સાથ આપવા તૈયાર નથી.પ્રિન્સીપાલે દુખ સાથે કે મારા શિક્ષકો જ મને સાથ આપવા તૈયાર નથી,આ નિર્ણય પાછો ખેચી લીધો.
      મેં ફોન ઉપર કહ્યું કે તમે આ નિર્ણય પાછો નાં ખેંચ્યો હોત તો થોડા દિવસ માં છાપાઓ અને ટીવી માં આવી જાત કે તમે હિંદુ વિરોધી છો.વિશ્વ હિંદુ પરિષદ નાં ડો.પ્રવીણ તોગડીયા કે અશોક સિંઘલ નો સંદેશો આવી જાત કે ચર્ચ નાં ઈશારે તમે કામ કરી રહ્યા છો.કોઈ વિધર્મી તત્વો નાં હાથે તમે ખેલી રહ્યા છો.કોઈ મુલ્લાજી સરકાર માં રજૂઆત કરત કે હવે દર શુક્રવારે સ્કૂલો વહેલી છોડી દો.તમારા ઘર આગળ કોઈ ઉપવાસ પર ઉતરી જાત.તમારા વિરદ્ધ સરઘસ નીકળત કે હટાવો આ પ્રિન્સીપાલ.અને કોઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે.જેવો NRI પંકજ ત્રિવેદી ઉપર થયેલો અને મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. અમદાવાદ બંધ નું એલાન પણ અપાઈ  જાત.સારું થયું કે નિર્ણય પાછો ખેંચ્યો.બચી ગયા.
   આ માનસિકતા છે લોકોની ત્યાં સુધી પ્રગતિ ક્યાંથી થવાની?આશારામ નાં પ્રકરણ વખતે અશોક સિંઘલ એવું કહેતા હતા કે ગુજરાત  સરકાર ચર્ચ નાં ઈશારે કામ કરી રહી છે.હવે ફરી મહાન બાપુ સ્ટીંગ ઓપરેશન દ્વારા ચર્ચા માં ચગ્યા છે.મુખ્ય મંત્રી એમના પગે માથું ટેકવે છે.આશ્રમ ગુનેગારો નાં રક્ષણ માટે તો નથી બનાવ્યો ને?ઘણા બધા મૂરખ અને પ્રજાને મૂરખ બનાવતા બાવાઓ છાપાઓ માં ચગ્યા છે.પણ ભક્તો કહેશે આતો એમને નીચા પડવાનું કાવતરું છે.વિદેશી અને વિધર્મીઓ નો આમાં હાથ છે.ચાલો આશારામ ખરાબ છે પણ મગન મહારાજ તો સારા છે,એમના શરણે જઈએ.પાછું વળી મગન મહારાજ નું પોલ પકડાયું તો કહેશે ચાલો મગન મહારાજ ખરાબ છે પણ છગન મહારાજ મહાન છે એમના શરણે જઈએ.કોઈ ને  કોઈનું શરણું તો જોઈએ જ જીવવા માટે.
    શ્રાવણ આવે એટલે ભક્તિ ભાવ નાં પુર આવે.અરે અહી તો બારે માસ કોઈ ને કોઈ પુર ચાલુ જ હોય.સંતોષીમા નું પુર હમણાં ઓસર્યું છે.તો દશામાં નું ચાલુ છે.વડોદરામાં અપ્સરા સિનેમા માં જય સંતોષી માં મુવી આવેલું.એણે થીયેટર નાં પ્રાંગણ માં જ મંદિર બનાવી દીધેલું.વળી કોઈએ મજાક માં વૈભવ લક્ષ્મી ની બનાવટી વાર્તા લખી નાખેલી તે એના પુરા ચાલ્યા.એની નાની પુસ્તિકાનું જબરદસ્ત વેચાણ ચાલતું.દરેક નાં ઘર માં એ નાની પુસ્તિકા હોય જ.ભાદરવો શરુ થાય એટલે ગણપતિ નું પુર આવે.લોકો પાછા ભક્તિ ના માહોલ માં ડૂબી જાય.મૂર્તિ નો ઝેરી કલર ખાઈ ને છો માછલાં મરી જતા અને નદીઓ ને તળાવો ગંધાઈ ઉઠતા. જૈનો પર્યુષણ નાં પુર માં ડુબકીયાં ખાય.’મિચ્છામી દુક્કડમ’.ડુંગળી કે લસણ ખાતા કે આદું ખાતા પાપ લાગે પણ વેપાર માં કોઈ નું ગળું કાપતા પાપ નાં લાગે.આર્થિક કૌભાંડો કરી ગરીબ લોકો ને રાતે પાણીએ રોતા કરતા પાપ નાં લાગે.દેશની ઈકોનોમી બગાડતા પાપ નાં લાગે.કોઈ એક ની વાત નથી.બધાની વાત છે.અંબાજી ચાલતા જવાના પુર હવે ચાલુ થવાના.અલ્યા આટલી બધી બસો છે,વાહન વ્યવહાર નાં સાધનો છે? પણ મુરખો ચાલતા જઈને સ્વર્ગ ની ટીકીટો બુક કરાવી લેવાના.જો સાહસ કરવા કોઈ હિલ પર ટ્રેકિંગ કરવા જવાનું કહીએ તો થોડાજ શોખીનો તૈયાર થવાના.હા ડુંગર પર કોઈ ધજા ફરફરતી હોય તો જુદી વાત છે. ભાદરવી પૂનમે લાખો મુરખો અંબાજી માં પ્રવેશ પણ પામી શકતા નથી.દુર થી મંદિર ની ધજા ના દર્શન કરી પાછા વળી જાય છે.હમણાં સાઈબાબા નું પુર બહુ જોર માં છે.અહી ઇઝલીન માં એક ફોટો મૂકી ને મંદિર ચાલુ થયેલું.હવે ખુબ લાઈનો લાગે છે.બરોડા માં ગુરુવારે જલારામ મંદિર અને જ્યાં સાઈબાબા નાં મંદિરો હોય ત્યાં ટ્રાફિક જામ.જલાબાપા કે સાઈબાબા કોઈએ આવું વિચાર્યું નહિ હોય.
     પછી નવરાત્રી ની વાત જ નાં થાય.નવ દિવસ જલસા.નવરાત્રી પછી ડોક્ટર્સ ને જલસા એવી કહેવત પડી ગઈ છે.દિવાળી ની વાત થાય?પછી આવે ભૂતિયો કારતક મહિનો.પૂર્વજો  જમાડો,શ્રાદ્ધ કરો.પૂર્વજો ને જીવતે તો નર્ક દેખાડી દીધું હોય પણ મર્યા પછી? પછી આવે ઉતરાણ,શિવરાત્રી,બમ બમ ભોલે,હોળી ધૂળેટી,રામનવમી,હનુમાન જયંતી,લગ્નગાળો,રથયાત્રા બસ એક પછી એક ચાલુ જ હોય.અમદાવાદ કે બરોડા ની પોળ માં રહેતા હોય તેને ખબર પડે કે સતત બારે માસ આવા પુર નાં લીધે વાગતા માઈક નાં અવાજો બીમાર અને વિદ્યાર્થીઓ માટે કેટલા નુકશાન કારક છે.આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ.રીસર્ચ પ્રિય,અભ્યાસ પ્રિય,ક્રિકેટ સિવાય બીજી રમત પ્રિય,સાહસ પ્રિય ક્યારે બનીશું?????   

પાપ તારું પરકાશ જાડેજા!!!

પાપ તારું પરકાશ જાડેજા!!!
એક ભજન સાંભળી ને મને કાયમ નવાઈ લાગે છે અને હસવું પણ ખુબ આવે છે.’પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,તારી બેડલી ને ડૂબવા નહિ દઉં’…લગભગ બધાએ આ ભજન સાંભળ્યું હશે.ખુબ લોકપ્રિય છે.આ જેસલ જાડેજો એક લુંટારો હતો.ભજન માં એણે કહ્યા પ્રમાણે,ચાર લાખ હરણ એણે માર્યા છે,વન ના મોરલા માર્યા છે,સરોવર ની પાળો તોડી ને ગાયો નાં ધણ તરસે માર્યા છે,સાત વિસુ એટલે ૭૨૦ અથવા સાત ગુણ્યા ૨૦ ગણો તો ૧૪૦ મોડ્બંધા એટલે વરરાજા એણે જાનો લુંટી ને મારી નાખ્યા છે.માથાના વાળ જેટલા વકરમ ખરાબ કર્મો કર્યા છે.કોઈ ત્રાસવાદી લાગે છે કેમ?જો કે એનું ક્યાંક કચ્છ માં મંદિર હશે.હશે શું!! છે જ.
     સીધો સાદો કર્મ નો નિયમ સમજીએ તો જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.હવે આ જાડેજા નાં કર્મો પ્રમાણે એને ફાંસી થી ઓછી સજા થવી નાં જોઈએ.પણ આ બધા અતિશય  ખરાબ કુકર્મો માંથી છૂટવું હોય તો શું કરવાનું?કોઈ તોરી કે તોળી કે તોરલ રાણી ને મળો.બસ એ ભગવાન સમકક્ષ ભક્તાણી આગળ રડી પડો,બધા ખરાબ કર્મો એને કહી દો એ તમારી બેડલી કે નાવડી ડૂબવા નહિ દે.કેટલું સહેલું?બસ પછી ભક્ત બની જાવ અને પીર ની જેમ પૂજાઓ.તો પેલા હરણો,મોરલા અને વરરાજા મારેલાં એ બધા ની કોઈ સજા નાં મળી?શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?જ્યાં કોઈ એજન્ટ ની લાગવગ ચાલી જાય અને એ ભોગવવા માંથી મુક્ત થઇ જવાય?તો પછી આ હત્યાઓ અને ખરાબ કર્મો કદાચ ખરાબ ગણાતા નહિ હોય.હું તો મારી શંકાઓ રજુ કરું છું,મિત્રો કોઈ મને સમજાવશો?એક જ હત્યા કરો અને કોર્ટ તમને ફાંસી આપી દે.એવો કાયદો છે પણ ભારત માં ચાલી જાય છે પુરાવા ના મળે તો.બધે ચાલી જાય એકલા ભારત ની વાત નથી.પણ અહી તો દેખીતા વિડીયો રેકોર્ડીંગ પુરાવા હોય છતાં અને કોર્ટે ફાંસી આપી દીધી હોય છતાં ચાલી જાય છે,ગુનેગારો લહેર કરતા હોય છે,કારણ આ ભારત છે.સંતો,સ્વામીઓ ની પુણ્ય પાવનકારી ભૂમિ છે.અન્ગુલીમાલ,વાલ્મીકી,જોબન પગી અને જેસલ જાડેજો બધાને સુધારો,છો એ લોકોએ હજારો લોકો ને મારી નાખ્યા.માણસો છે એ લોકો,જે માર્યા ગયા એ લોકો તો તુચ્છ આત્માઓ હતા.સોહરાબુ્દ્દિન,અફજલ અને કસાબ જેવા માણસો છે.સોહરાબુ્દ્દિન ને મારનારા પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ કે નહિ?ડી.સી.પી વણઝારા એ તોળી રાણી બનવાનું હતું.”પાપ તારું પરકાશ,સોહરાબુ્દ્દિન તારી બેડલી ને ડૂબવા નહિ દઉં.”તો ચોક્કસ વણઝારા સાહેબ ની વાહ વાહ બોલી ગઈ હોત.બંને જણાં ભવિષ્ય માં પીર બની ને પૂજાત.પણ તુચ્છ આત્મા હવે સજા થવાની.કારણ ઉપર તોળી રાણી નું શાસન ચાલે છે.ગમે તેટલા પાપ કરો ભારત માં કોઈ ચિંતા નહિ.કોઈ સારો એજન્ટ પકડી લો.ગમે તેટલા મર્ડર કરો કોઈ ચિંતા નહિ.કોઈ પંથ,કોઈ ગુરુ પકડી લો અને બચી ગયા.આશ્રમ બનાવવા,મંદિર એટલે દુકાન બનાવવા રૂપિયા આપી દો નો પ્રોબ્લેમો.
        આ કર્મ નો નિયમ મને સમજાતો નથી.જ્યાં સમજવા જાઉં છું ત્યાં કોઈ આવી તોરી રાણી કે નરસિંહ મહેતા જેવો ભંકસ મારે છે.કર્મ ની જરૂર જ ક્યા છે?બસ પરમાત્મા નું ભજન કર્યા કરો,બધી જવાબદારી એની. નરસિંહ મહેતા,ગુજરાત ના પ્રથમ કવિ(૧૪૧૪-૧૪૮૧),ભક્ત,સંત,આદી કવિ,ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ.કોઈ આધારભૂત માહિતી એમના જીવન વિષે ની મળતી નથી.એમની કવિતાઓ,પદો અને પ્રભાતિયા વિગેરે માંથી માહિતી  મેળવવામાં આવી છે.નરસિંહ મહેતા એ જે તે સમય ની મૂળ ગુજરાતી ભાષા માં રચેલું સાહિત્ય આજે મળતું જ નથી.બધું મૌખિક રીતે સચવાયેલું બદલાઈ ચૂકેલું છે.કે.કા.શાસ્ત્રીજી ને જે કાઈ પુરાવો મળેલો તે પણ નરસિંહ મહેતાના સિધાવ્યા પછી સન ૧૬૦૦નો  એટલે ૨૦૦ વર્ષ પછી નો મળેલો છે.બધું નરસિંહ મહેતાનું હશે કે કેમ?એના પહેલાનું કોઈ ગુજરાતી કવિતા વિશેનું સાહિત્ય મળતું નથી,માટે એમને આદી કવિ કહેવામાં આવે છે. આ ભક્તો આળસુઓ ના પીર કેમ હોતા હશે?બસ આખો દિવસ ભજનીયા ગાવાના,નાં કોઈ કામધંધો,ના કોઈ ઉદ્યમ.કુદરત તમને જન્મ આપે પછી તમારી પોતાની જવાબદારી છે એ જીવન ને આગળ ધપાવવાની.હાથપગ તો જાતે હલાવવા જ પડે.પણ ભારત માં  બધું કુદરત ના માથે નાખી દેવાનું?બાળકો પેદા કરતા તો ભગવાન ને પુછવા જતા નથી કે  હે ભગવાન હવે મેં તો પેદા કરી દીધા હવે બધી જવાબદારી તમારા માથે.સંસારી હોવા છતાં સંસાર થી અલિપ્ત હતા એટલે આપણે તો અહોભાવ માં તણાઈ જવાના.બહુ મહાન કહેવાય.બે બાળકો પેદા કર્યા તો અલિપ્ત કઈ રીતે થઇ ગયા?પત્ની અને કામરસ થી અલિપ્ત નહિ રહેવાનું.કે પછી કમાવા કોણ જાય?મહેનત કોણ કરે?વર્ક થી અલિપ્ત.એમના ભજનો સાંભળી ભગવાન સાક્ષાત દર્શન દેતા.શું ભગવાન કોઈ વ્યક્તિ છે?કુદરત નવરી છે કે માનવ રૂપે દર્શન આપે?કે પછી ભ્રમણા?કે ઈલ્યુંજન?તો તો ભક્ત ગધેડા ને ભગવાન મોટા ગદર્ભરાજ  સ્વરૂપે ચોક્કસ દર્શન આપતા હશે.એમના દીકરાનો  વિવાહ હોય તો કુદરત ને ભગવાન ને દોડવું પડે,એમની દીકરી નું મામેરું હોય તો ભગવાન ને દોડવું પડે.ભારત ની પ્રજા કાયમ આવા સંદેશા મહાકવિઓ,મહાપુરુષો,ભક્તો,સંતો,ગુરુઓ  પાસે થી મેળવતી રહે પછી આશરે ૯૦૦ વર્ષ ગુલામ  ના રહે તો શું થાય?મહાન ફીલોસીફી,ઉચ્ચ આદર્શો ની વાતો,કવિતાઓ,આખ્યાનો,કથાઓ ના કલ્ચરે ભારત ને મહાન આળસુ બનાવી દીધું.બસ ભજન કરો બેસી રહો સમય નો વ્યય કરો અને ભગવાન બધું સાંભળી લેશે.ભગવાન સ્વયં વિઘ્નો દુર કરવા આવશે.થયું એવું હશે કોઈ વાણીયા શેઠ ને દયા આવી હશે ને  બધા કામ પુરા પાડ્યા હશે.હવે એ શેઠ તો ભગવાન જ કહેવાય ને?એનામાં પણ ભગવાન તો છે જ ને?એમણે રચેલી કવિતાઓ વિષે ગુજરાત અને દરેક ગુજરાતી આજે પણ ગર્વ અનુભવે છે.ગુજરાતી સાહિત્ય જગત માં એમનું સ્થાન બહુ ઊંચું છે.ભારત સરકારે નરસિંહ મહેતા નાં માનમાં  એક ટપાલ ટીકીટ બહાર પડેલી હતી.જે આપણાં માટે ગર્વ ની બાબત છે.પણ આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે,કાંતો મને સમજાતો નહિ હોય.કે પછી કુદરત નાં સામ્રાજ્ય માં કર્મ નો કોઈ નિયમ જ નથી કે શું???????
    “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્ય શાળી બને છે.” પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.વેરી સિમ્પલ!!!!હા!હા!હા!હા!હાઆઆઆ!
            
    

પરમેશ્વર ન્યુટ્રલ ગીયર

                                                     પરમેશ્વર માટે ના કોઈ શત્રુ છે ના કોઈ મિત્ર. પરમેશ્વર તો ન્યુટ્રલ ગીયર છે. પરમેશ્વર ના તો નિર્બળ છે, ના સબળ. પરમેશ્વર ના તો ક્રૂર છે , ના દયાળુ. પરમેશ્વર તો એક નિયમ છે. નિયમ તોડો તો એના પરિણામો ભોગવો. એમાં કોઈ વહાલા દવલાની નીતિ ચાલે નહિ. આપણે મનુષ્યો છીએ માટે એને વહાલા છીએ અને બીજા પ્રાણીઓ કે જીવો દવલા છે તેવું નથી. એક નાનામાં નાનો જીવ એને માટે સરખો જ છે. મનુષ્યો મહત્વના અને બીજા નહિ, તેવું કુદરત આગળ ના હોય. મનુષ્યોમાં પણ હિંદુ વહાલા કે ખ્રિસ્તી વહાલા અને બીજા ના હોય તેવું પણ નથી. બ્રીટીશર ખરાબ અને ભારતીયો જ સારા એવું પણ કુદરત આગળ ના હોય. એવું હોત તો બસો વર્ષ રાજ કરી ગયા ના હોત. ઘોરી ખરાબ અને પૃથ્વીરાજ સારો તેવું પણ નહોય. એવું હોત તો પૃથ્વીરાજ હાર્યો જ ના હોત. કુદરત આગળ સૌ સરખાજ છે. જે ભેદ ભાવ બનાવ્યા કે ઘડ્યા તે આપણે ઘડ્યા છે.
            નિયમ આગળ કોઈનું ચાલે નહિ. બની શકે કે નિયમો સમજાતાં નથી, કે સમજવા દેવામાં આવતા નથી. દસમાં માળેથી નીચે પડો અને માથું જમીન પર અથડાય તો ભગવાનનો વહાલો દીકરો પણ ના બચે. હા માથું જમીન પર નાં ભટકાય તો બચી જવાય ભલે હાથ કે પગ તૂટે. હવે અહી બચી ગયેલો સમજે કે ભગવાને બચાવ્યો કે ગુરુજીએ બચાવ્યો તે ખોટું છે. એક્સીડેન્ટ કે માથું ના ફૂટ્યું ને બચી ગયો. અમારા એક સબંધીનો દીકરો નાનો હતો ત્યાર થી ખુબ ભક્તિભાવ વાળો. રોજ મહાદેવને દૂધ ચડાવવા  જાય. પણ એકવાર કારમાં એક્સીડેન્ટ થયો. વીજળીનો થાંભલો કારના અથડાવાથી તુટ્યો અને એ જે બાજુ બેઠેલો તે બાજુ પડ્યો ને ગુજરી ગયો. થાંભલો જરા દુર પડ્યો હોત તો બચી જાત. બચી જવાના કારણો હોય છે, નિયમ હોય છે. પણ આપણે માની શકતા નથી. ભારત ખુબ ધાર્મિક હતું અને છે. કાયમ લોકો કથા, વાર્તાઓ, જપ, તપ, યજ્ઞો, ભજન, ભક્તિમાં રમમાણ રહેતા હોય છે. માટે ઈશ્વરભાઈના સૌથી વહાલા હોવા જોઈએ ને? તો મુસ્લિમ ચડી આવ્યા તો હારી કેમ ગયા? ભગવાને મદદ કેમ ના કરી? પછી અંગ્રેજો આવ્યા. નિઝામના હૈદરાબાદ કરતા બ્રિટન નાનું હતું. સ્પેન કેવડું છે? ભારતના એક કે બે રાજ્યો જેટલું? એક સમયે આખું સ્પેન મુસલીમના અંડરમાં આવી ગયેલું. પણ જાતે જ બેઠું થયું. અરે દક્ષીણ અમેરિકા ખંડનાં લગભગ તમામ દેશો કબજે કરી લીધા. જેવા કે પેરુ, ઉરુગ્વે, આર્જેન્ટીના, નિકારાગુઆ, ગ્વાટેમાલા, મેક્સિકો અને બીજા અનેક. બ્રાઝીલ નાનકડા પોર્ટુગલે કબજે કર્યું. નાતો ભારતીયો નિયમ આગળ મોટા છે ના યુરોપિયન નાના. અરે અમેરિકાનોએ આજ બ્રીટીશરો ને ૧૭ મી સદીમાં ભગાડેલા. આજ બ્રીટીશરો પાછા એજ ૧૭ મી સદીમાં ભારત આવ્યા. હારીને બેસી રહ્યા હોત તો? નિયમો સમજો,  ના સમજાય તો ચમત્કાર માનશો નહિ. કે ચમત્કારની આશા રાખશો નહિ. માટે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું નહિ અને ગઝની સોમનાથ તોડી ગયો. તમે નબળા પડ્યા. કુદરત આગળ ગઝની અને હિંદુ બધા સરખા જ છે.
     શ્રી સુબોધ શાહ કહે છે Culture  Can  Kill  હું કહું છું Culture Already Killed Us !!!!!!હજુ તો મોહન ભાગવત આજે પણ  કહે છે કે હિંદુ ધર્મ અહિંસક છે. હવે અહિંસક બનવું હોય અને તે પાળવું હોય તો ગુલામ બની રહો. આશરે ૯૦૦ વર્ષ ગુલામી ભોગવી દેવોની ભાષા બોલવાવાળા આપણે. જો આપણે જ પવિત્ર અને ધાર્મિક પુણ્યશાળી જ હોત તો ઈશ્વરે કેમ ગુલામીમાંથી મુક્ત ના કરાવ્યા? તમારામાં લડવાની તાકાત કે આયોજન ના હોય તો ભોગવો મારે શું? આ છે ઈશ્વરભાઈનું કહેવું. અને ગુલામીમાં જ સુખ અને આનદ મેળવવો હોય તો પણ એને શું વાંધો? આ તો અંગ્રેજોની ભૂલ કે તમને ભણાવ્યા. બાકી હજુ ગુલામ જ હોત. પરમાત્મા નિર્બળ નથી. એ એનું કામ કર્યે જ જાય છે. તમે  ભક્તિ કરશો તો તમારે પડખે ઈશ્વર બેસી જશે એવું માનવું ભૂલ છે. અને ભક્તિ નહિ કરે તેની વિરુદ્ધ જશે તેવું પણ નથી. જગત આખું નિયમથી ચાલી રહ્યું છે. તો આપણી સ્વતંત્રતા શું? બહુ સરસ જવાબ આપ્યો છે મહમદ પયગમ્બરે પૂછનારને. તમે ઉભા છો તો તમે એક પગ ઉંચો કરવા માટે સ્વતંત્ર છો. બીજો નહિ. બંને સાથે ઉંચા કરવા માટે નિયમ એવો છે કે ગબડો અને પડો. પડવું હોય તો ચોઈસ તમારી છે. એમાંથી પણ આનંદ મેળવવો હોય તો ચોઈસ તમારી છે. અંગ્રેજો લુંટી નથી ગયા. આપણને લુંટાઈ જવામાં મજા આવી હશે. ચોઈસ આપણી જ હતી.
       શરીરનાં ખાસ નિયમો છે. ૪૨ વર્ષ પછી વળતા પાણી સમજી લેવાના. નવા કોશો ઓછા બને. સારા ખોરાક અને નિયમો થી આયુષ્ય થોડું વધારી શકો. એક સેલ એક કોપી મૂકતો જાય. એક જ પેપરની ઝેરોક્ષ કોપી કાઢો. પછી તે ઝેરોક્ષની ઝેરોક્ષ કોપી કાઢો. આમ ઝેરોક્ષની ઝેરોક્ષ કાઢતા જાવ. શું થશે? ધીમે ધીમે કોપી બગડતી જવાની. બસ ભાઈ શરીરનું પણ એવું જ છે. પણ ૧૪૦૦ વર્ષ જીવવાની લાલચ અપાઈ જાય તો ધંધો આપનારનો સારો ચાલે. મૂર્ખાઈની કોઈ હદ હોય ખરી? શરીરમાં જે દહન ક્રિયા થાય છે તેમાં ઓક્સીજન વપરાય છે, આજ ઓક્સીજનનો એક ફ્રી રેડીકલ બહાર પડે. જે પોષતું તે મારતું. આ ભઈલો જ કોશોનો નાશ કરતો જતો હોય છે. હવે શ્વસન ક્રિયા જેટલી લાંબી અને ધીમી એટલી દહન ક્રિયા પણ ધીમી એટલું ઓક્સીજનનો  ફ્રી રેડીકલ જમા થવાનું ઓછું. માટે કાચબો લાંબુ જીવતો  હોઈ શકે. તમે કોઈ નવા નુસખા શોધી ને કેટલું લંબાવી શકો? વધારે જીવવા માટે બેસી પણ કેટલા રહો?પ્રાણાયમ એમાજ શોધાયા. અને નિષ્ક્રિય બેસી રહેવાનું પણ એમા જ તપ અને સમાધિ કે ધ્યાનનાં નામે શોધાયું હોવું જોઈએ. કોઈ પણ કર્મ એની સમગ્રતા થી કરવું  જોઈએ એ જ ધ્યાન. શારીરિક તંદુરસ્તી માટે યોગા અને પ્રાણાયામ સારા જ છે, પણ એનાથી હજારો વર્ષનું આયુષ્ય મળે તે ઈમ્પોસીબલ છે. કલ્પનાઓના તરંગોમાં જીવતી આપણે મહાન ભારતીય પ્રજા છીએ, વાસ્તવિકતાથી લાખો માઈલ દુર. શ્રી અરવિંદ અતિમનસ ચેતનાનો કોન્સેપ્ટ લઇ આવેલા. એમના મૃત્યુ પછી માતાજી(ફ્રેંચ મહિલા)ની આજ્ઞાથી  એમની ડેડ બોડીમાં અતિમનસ ચેતનાનું અવતરણ થશે તેમ માની રાખી મુકેલી. પણ પછી દુર્ગંધ આવવા લાગી અને સમાધિમાં પરિવર્તિત કરી દેવામાં આવી. રીસાયકલીંગ કુદરતનો નિયમ છે.

નર્કાવરોહણ (Back to Home)

નર્કાવરોહણ (Back To Home)

હવે નર્કારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નર્કનાં જનક છે. દરેકનાં નર્ક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.
એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
આ પહેલા  જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને  કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય  લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઇશારો અને વસ્તુ હાજર.
બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ.  હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે?  બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડ્રેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?
અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઇચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરુઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નર્ક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નર્કમાં.
ત્યાં અમે બે ઋષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ઋષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો.  એટલે બહાનું કાઢ્યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા  છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊભી કરવાનાં નિષ્ણાત આ ઋષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરું કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્યું કે,
‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્યું.
‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે  નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.
‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’
‘ભાઈ, બધું જ મારું લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો.  લોકો ઊંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’
‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ  આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’
‘સાચી વાત છે. એમાં બધું જ મારું પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’
‘પણ,  આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘ભાઈ,  હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’
‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’
‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડ્યા.
‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’
‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારું રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારું હોય તે બધાનું અને  ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.
વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું.   હું અને રશ્મીભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરુમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નર્ક સમજીને આવેલો પણ અહીં તો?
પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં  વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.
અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊઠે તો બેધડક આવી ને પૂછી  લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમરોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું  કે,
‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’

નર્કારોહણ-૯

નર્કારોહણ-૯

હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં  મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ  દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના  નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે  શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો  ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !

નર્કારોહણ-૮

નર્કારોહણ-૮

હતો નર્કારોહણનો આજે આઠમો દિવસ. થોડા જટાઝૂંટ ધારી ઋષિઓને મળવાની ઇચ્છા હતી. કહેવાતા મહાન ઋષિઓએ પણ ખૂબ અન્યાય કરેલા હતા. એમનો ઊધડો લેવો હતો. પ્રથમ તો આપણે આ લોકોને એટલાં બધા મહાન સમજી બેઠાં છીએ કે એમની ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. અથવા બહાના કાઢીએ છીએ કે સમાજ સુધારા કે દાખલા બેસાડવા આવું કર્યું હશે. એવામાં નાની નાની કુટીરો જેવું એક સોસાયટી જેવું દેખાણું. અમને થયું કે નક્કી ઋષિઓ અહીં જ રહેતા હોવા જોઈએ. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ કેટલાક જટાધારી ફરતા હતા. અમે પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્વ જેવા અનેક ઋષિઓ ફરતા હતા. ખાસ તો આ ઋષિઓને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો. પૂછવાનું  ક્યાં હોય જ્યાં ખુલાસો મળે તેવો હોય ત્યાં ને?

અમે પહેલાં તો વચ્ચે જઈને ઊભા રહ્યા અને નમસ્કાર કર્યા. લગભગ બધા ઓળખી ગયેલા કે આ લોકો એક નવા મીડિયા બ્લોગ મિડિયાવાળા છે. બધાને એમ કે એમના સમાચારો બ્લોગમાં લખીશું તો સારી પ્રસિદ્ધિ મળશે. અમે એક ફરફરિયું કાઢ્યું ખીસામાંથી. એમાં કોઈ દેવેશ મહેતાએ અમારા દિવ્યભાસ્કર ઓનલાઈનમાં છપાયેલા એક લેખના અનુસંધાનમાં મૂકેલા પ્રતિભાવનું અવતરણ હતું.

એમાં થોડા ઋગ્વેદ અને બીજા શાસ્ત્રોમાં ઋષિઓ માંસાહાર કરતા હતા તેના પુરાવા હતા. જેના લીધે પ્રેસિડન્ટ સ્વામીએ આ લોકોની અહીં બદલી કરી નાંખેલ. થોડા બીફ ઇટીંગ વિષે પણ હતા. કોઈ ઋષિને એમાં નવું ના લાગ્યું. બધાના મોઢા પર ‘ઇટ્સ ઓકે’ એવા ભાવ રમતાં હતા. અમને પણ થયું કે નકામું અહીં વાંચ્યું.

જો કે વસિષ્ઠ મુનિએ કહ્યું, ‘શાકાહારનું મહત્વ સમજતાં  હોય તેવા કોઈ રેર થિયરી જેવા કોઈ મુનિએ શાકાહાર વિષેના શ્લોક રચેલા હતા. એ વખતે ખેતી એક નવી શરૂઆત હતી. એ પહેલા તો બધાજ માંસાહારી જ હતા. ખેતી શરૂ થયા પછી શાકાહારની અગત્યતા વધી હતી.’

મેં કહ્યું, ‘અમારા એક પૃથ્વી ઉપર લટાર મારવા આવેલા આધુનિક મુનિ ઓશો રજનીશ  કહેતા હતા કે માણસ  માણસને ખાય તે ચાલે પણ ગાયને તો ના જ ખવાય, કારણ પ્રેમના પહેલા પાઠ માણસ ગાય પાસેથી શીખ્યો છે.

ખેર અમે વિશ્વામિત્ર સામે જોઈને કહેવા માંડ્યું, “જ્યારે જ્યારે આપનું નામ સાંભળીયે ત્યારે કોઈ ત્રાસવાદીની યાદ આવી જાય છે. વિના વાંકે હરિશ્ચન્દ્ર અને તારામતીની એટલી બધી સતામણી કરી છે કે ના પૂછો વાત. મૃત્યુલોકમાં કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તેમાં ઇન્દ્રને શેની બીક? અને એના માટે આપને લાઇસન્સ આપ્યું કે કડક પરીક્ષા લો? એક રાજાને ભિખારીની જેમ ભટકતો કરી નાખ્યો? આવી પરીક્ષાઓ લેવાનો આપને અધિકાર કોણે આપ્યો? એક તો મેનકાની કૂખે શકુન્તલાની ભેટ તો આપી પણ બંને જણા જવાબદારીમાં થી છટક્યા. અરે એને આજુબાજુ કણ્વનો આશ્રમ તો હતો, એમને નાની ફૂલ જેવી બાળકી સોંપી તો દેવી હતી? બંને જણા જંગલમાં હિંસક પ્રાણીઓનાં  સહારે છોડીને ભાગી ગયા. પેલીને એની કારકિર્દીની પડી હતી, અને તમને તપ, મોક્ષની પડી હતી. એક નાની બાળકીને મોટી કરવી તે શું તપ નથી? એને સારું એજ્યુકેશન આપવું, સારા સંસ્કાર આપવા, સારો વર શોધી આપવો એ તો કોઈ મોક્ષની સાધના કરતા પણ અઘરું છે. એ તો સારું થયું કે આ કણ્વ મુનિ ખરા સમયે આવી ગયા, બાકી ભારતનું નામ આજે કશું જુદું જ હોત, ભારત તો ના જ હોત. તમારું શીખી ને આજે પણ મેનકાઓ અને વિશ્વામિત્રો નાના જન્મેલા બાળકોને રસ્તામાં ઉકરડામાં કે કચરાપેટીમાં છોડીને ભાગી જાય છે.”

રશ્મીભાઈ પણ ઉત્તેજિત હતા. એમને પણ પારાવાર ગુસ્સો આ કહેવાતા પૂજ્ય ઋષિઓ ઉપર હતો.

એમણે પણ પહેલીવાર પોતાની વાણીનો સદુપયોગ કર્યો કે, “નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડુબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવતરાખોર વિશ્વામિત્રને જો ‘બ્રહ્મર્ષિ’ કહી શકાતાં હોય તો તે ‘બ્રહ્મ’ નો ભ્રમ મને મંજૂર નથી.  ભૂલ સુધારવા જતી માતાને યુક્તિ પૂર્વક રોકીને નાના ભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ ‘ધર્મરાજ’ ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો.”

અમે વસિષ્ઠ મુનિને પૂછ્યું કે ‘આમને બ્રહ્મર્ષિ કેમ કહ્યા?’

‘અરે, સાચું કહું મૂળ ક્ષત્રિય અને માથાભારે માણસ એક બ્રહ્મર્ષિ કહી દીધું કે ત્રાસમાંથી છૂટ્યા.’ વસિષ્ઠ બોલ્યા.

વિશ્વામિત્ર પાસે કોઈ જવાબ ના હતો, અને અમારે જોઈતો પણ ના હતો.

અમે પરશુરામ તરફ ફર્યા,  “એક તો એક ક્ષત્રિય ને કારણે એકવીસ વાર બધા ક્ષત્રિયોનો સંહાર? અરે ક્ષત્રિયાણી ગર્ભવતી હોય તો એના ગર્ભમાં રહેલા નાના બાળ ક્ષત્રિયનો પણ સંહાર? પિતા જમદગ્નિ ખાલી ક્રોધિત નજરથી એમના મોટા દીકરાને બાળી શકતા હોય તો પેલાં સહસ્ત્રાર્જુનને કેમ નજરથી ભસ્મ કરી ના શક્યા? અરે માતાને મારવાની આજ્ઞા દીકરાઓને આપવી જ શું કામ પડે? એક ખાલી નજર ફેરવી હોત તો પણ સળગી જાત. ટેરરની કોઈ લીમીટ જ નહિ?”

અમે ઉદ્દીગ્ન થઈને બોલે જતા હતા. હવે દ્રોણનો વારો આવ્યો. “એક તો આશ્રમને બદલે મહેલના વૈભવી વાતાવરણને મહત્વ આપ્યું. ભલે એકલવ્યનો અંગૂઠો કાપ્યો પણ આજે જુઓ કહેવાતા શૂદ્રોને અમારા ગાંધીએ હરિનાં જન એમ નામ આપ્યું છે ને? એક શિષ્યને મહાન અને વિધ્યાવિશારદ જાહેર કરવા માટે એકનો અંગૂઠો માંગી લીધો. અને ભીષ્મની જેમ ચુપ રહ્યા દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે. પણ એ બાબતે અમે પણ માનીએ છીએ કે અન્ન ખાધું હોય તે બોલી નથી શકતા. આજે પણ અન્ન ખાઈને સાક્ષરો પણ બાપુની ચમચાગીરી કરવામાં પડી જ ગયા છે.”

ઋષિ પરંપરા મહાન છે. હવેની ગુરુ પરંપરા ખરાબ થઈ ગઈ છે તેવું ઘણા મિત્રો માને છે.

હતા! ઘણા ઋષિઓ સારા હતા. ઘણાએ વિજ્ઞાનની શરૂઆત કરેલી. ચરક અને વાત્સ્યાયન જેવા વિજ્ઞાનીઓ પણ હતા. પણ ઊંડા જઈ ને અભ્યાસ કરો તો બધા આદરને પાત્ર નહોતા.

બધા મુનિઓ નીચા  મોઢે સાંભળી રહ્યા હતા. એક ખાલી કણ્વ પોરસાતા હતા કે એમણે બચાવેલી અને એક અનાથ મરવા માટે છોડી દેવાયેલી શકુન્તલાને એમણે દીકરી માની પાળી પોષી હતી. બધી જવાબદારીઓ નિભાવી હતી, અને એની કૂખે મહાન ભરતનો જન્મ થયેલો. જે સાવ નાનો બાળ હતો ને સિંહને કહેતો કે તારું મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે. એના નામ પરથી આજે પણ હિન્દુસ્તાન ભારત તરીકે ઓળખાય છે. આજે પણ આપણે “મેરા ભારત મહાન” ના નારા લગાવી શકીએ છીએ, એ આ કણ્વ ઋષિની પાસે દીકરીના બાપનું હૃદય હતું તેના કારણે!!!!!!

નર્કારોહણ-૭

નર્કારોહણ-૭

આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઇન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મીભાઈને પૂછ્યું કે  આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મીભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.

‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.

‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.

‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.

‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’

‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.

‘વત્સ, અમે બાણશય્યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’

‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષને શું ઉત્તર આપેલો?’

‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો  ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.

‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.

‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરુડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરત નો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઇમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઇમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.

‘પિતામહ, આ થિયરી હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’

‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’

‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુખી થયા કર્યું છે, હવે No more દશરથ!! No more શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’

‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’

‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’

‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ !’

‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’

‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’

‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’

‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારું કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’

‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી  સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરુદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારું. ઇમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું  નહિ.’

‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’

‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડ ની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!

‘પિતામહ, ફ્રોઇડ તો બીજા ધર્મનો, એ કોઇ બીજા નર્ક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’

‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારુ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઇશ.’

હવે વધારે પૂછી ને વડીલને શરમ માં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિ ભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી  જીવવી કેટલું અસહ્ય?????

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને  ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન  કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે  હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો  સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું.  હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં  ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,

“આ શું વાનરો ભાષા બોલવા લાગ્યા.” કાકા કાલેલકરે જવાબ આપ્યો કે
“આ દેવોની ભાષા છે તમારી નહિ.”
 રશ્મીભાઈ કહે કે દેવો સંસ્કૃત કેમ બોલતા હતા ખબર છે?કારણ કે એમને ગુજરાતી નહોતું આવડતું.સાંભળીને સુબોધભાઈ ઝૂમી ઉઠ્યા કે શાબાશ!પાકા ગુજરાતી અને ગુજરાતી પ્રેમી.
       હું કાયમ કહેતો હોઉં છું કે શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા, તેમ સુબોધ ભાઈ કહે છે કે આધ્યાત્મિકતાની શોધમાં પોતાનું યુનિક વ્યકતિત્વ ખોયું હોય તેવા એક હતા શ્રી અરવિંદ, પોંડીચેરી જઈને બેઠાં અને ભારતે એક પરિશુદ્ધ પી.એમ ખોયો, અને બીજા હતા સુન્દરમ જે પોંડીચેરી જઈને બેઠાં અને કવિતાની ધાર ખોઈ. ઓશોનું  એક વાક્ય મને પણ આ લખતા યાદ આવે છે કે જવાહર રાજકારણમાં પડ્યા અને ભારતે એક ઉચ્ચ કોટીનો સાહિત્યકાર ખોયો. ખયાલ અપના અપના..અને મને પણ મજાક કરવાનું મન થાય છે કે હું કોમર્સ માં ગયો અને ગુજરાતી સાહિત્ય જગતે એક મહાન લેખક ગુમાવ્યો.હા!હા!હા!હાઆઆ!!!!
મને પણ બંને વડીલો તરફથી ખૂબ સરાહના મળી. અને સારી એવી ઉપયોગી હિંટ્સ પણ મળી. જે મારા માટે ખુશનસીબની વાત હતી. આ રશ્મીભાઈને એક રોગ છે અંજાઈનાં, એટલે પેલો હૃદયનો નહિ. અંજાઈ  ના, કોઈથી અંજાઈ ના જાય તેવો રોગ. સમજ્યા પછી ખૂબ હસ્યા. જોકે અમને ત્રણે જણ ને આ રોગ કોમન છે. એ બાબતે ત્રણેમાં સામ્ય છે.
જો કોઈના પ્રભાવમાં અંજાઈ ગયા તો ગયાં,
કોઈનાં ઘેંટા બનતા વાર ના લાગે ભાયા.
સુબોધભાઈએ મોરારીબાપુનો એક દાખલો કહ્યો કે બાપુ કહે શ્રી રામના સમયમાં ભારતમાં લોકશાહી હતી. એની સાબિતી માટે એવો દાખલો આપ્યો કે રામને કશું કામ હોય તે મંત્રી સુમંતને પૂછીને કરતા. કેટલા નાદાન છે આ કહેવાતા મહાત્માઓ?અને એમની વાતો???
છેલ્લે એક રશ્મીભાઈનો સ્વાનુભવ લખું. રશ્મીભાઈ પાલીતાણામાં જોબ કરતા હતા. રોજ સાંજે કોઈ મેડીકલ સ્ટોર આગળ અલ્પ પરિચયે ઉભા રહેતા હશે. ત્યાં એક જૈન યુવાન  સાધ્વીજી આવ્યા. થોડી કંઈક દવા લીધી. સ્ટોરવાળા ભાઈએ પૈસા માંગ્યા. તો કહે મારી પાસે તો નથી. રશ્મીભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે આ ભાઈ આપી દેશે. રશ્મીભાઈ ભાવનાશીલ માણસ એમણે બીલ ચૂકવી દીધું. બે ત્રણવાર આવું બન્યું. પેલા મેડીકલ સ્ટોરવાલાને એમ કે આ ભાઈ યાત્રાળુ હશે. પણ બે ત્રણવાર આવું થયું અને રશ્મીભાઈએ સાધ્વીજીઓના પૈસા ચૂકવ્યા તો પેલો કહે તમે અહીં જ રહો છો? ક્યાં સુધી પૈસા આપશો? રશ્મીભાઈ કહે હું કોઈ યાત્રાળુ નથી, જોબ છે. બદલી ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનો છું. પેલા સ્ટોરવાલા ભાઈએ કહ્યું કે હવે તમે આવી રીતે આ સાધ્વીજીઓ માટે પૈસા ના ચૂકવશો, આ તો રોજનું રહ્યું. અને આ યુવાન સાધ્વીજી સાંજે દુકાન બંધ કરતા સમયે આવી ને રોજ તમારા પૈસે ખરીદેલી દવા પછી આપી જાય છે. કાયમ આવું જ થતું હોય છે. રશ્મીભાઈને એમકે દવા રીટર્ન કરીને પૈસા લઇ જતી હશે. પણ પેલો કહે ના, આ દવા રીટર્ન કરીને આ સાધ્વીઓ લઇ જાય છે કોન્ડોમ!!!!!!!
Book Information
Book title:Culture Can Kill(How Beliefs Blocked India’s Advancement)
Publisher; Author House,USA
To give comments:ssubodh@yahoo.com
To Order:
1-phone-1-888-519-5121 or 1-800-839-8640
2-Go to autorhouse.com–Bookstore–Type book title
price–$11.90+shipping