Category Archives: ધર્મ અને અધ્યાત્મ

બ્રહ્મચારી કોને કહેવાય?

 ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥
सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
 
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન  થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
 
         આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે  સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
  
        ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ  થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
 
        સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
    
         મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
 
         બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
     
               મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા  માટે ટકી રહ્યા છે.
    
             ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી  તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
   
            આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ  છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
   
            ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય  માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.

 
      પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?

     

              પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે  લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
    
             તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.
    

ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,

Ashmolean Museum, Oxford
Image by Martin Beek via Flickr

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ  વળગ્યા છે. જાત જાતનાં  રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.

અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.

“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”

કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,  કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.  પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા  સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ  ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં.  ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો  તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું  બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો  બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા  આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ  છાતીમાં.  છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો  સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”.  એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?

હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે)

                       *મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન  હિંદુ ધર્મ નથી.  હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એકજ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે. આ એક હિંદુ ધર્મની મજબૂરી છે.
                   *પ્રથમ   સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી . આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરની સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પાને મોહેંજો ડેરો મળી ચુક્યા છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટેક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહી કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા  હતા. ટેરાકોટાના શિલ્પો થી લાગે છે કે ભગવાનની  જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવીત્રસ્નાન, બલિદાન અને સ્ત્રી ની ભગવાન તરીકે ની પૂજા બીજા  પ્રાચીન ધર્મો ની વિચારધારા પણ  રહી છે. પછી થી આવનાર  હિંદુ ધર્મનો પાયો અહી પણ હોઈ શકે.
               * પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહી આવ્યા. પહેલા અત્યારની સ્વાત ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્યન સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહાર થી આવ્યા નથી. પણ આખું વૈદિક સાહિત્ય વેદિક  સંસ્કૃતમાં રચાએલું  છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રુપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી  હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડા નું કોઈ સ્થાન હતું નહિ. જયારે આર્યન સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેઘ. મતમતાંતર તો ચાલ્યા જ કરવાના.
                  *ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પીરીયડ આખો બલિદાનો ને એના દ્વારા મળેલા ખોરાક ને વહેચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વિગેરે વિગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થીયરી શરુ થઇ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કુર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આ હતું ઈવોલ્યુશનનું વિજ્ઞાન. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.
                * પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહી મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઇ. જે ભારતની ઓળખ બની ચુકી છે. ભવિષ્યમાં કોર્ટ માં ખોટા સોગંધ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટ માંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આતો એનું બહુ મોટું આપમાન રોજે રોજ થઇ રહ્યું છે.  આ પુરાણો ની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સુત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહી યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઇ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજ્યનો ઉદભવ થયો. પૂજા પાઠની સાથે મંદિરો બંધાવા શરુ થયા. મૂળ વેદિક પીરીયડ યજ્ઞો એટલે અગ્નીપુજા ને બલિદાનો નો હતો. એમાં મંદિરોને સ્થાન ના હતું. અહી થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયો નું અસ્તિત્વ. અહી  થી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું.
                       * હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજ્યની પડતી શરુ થઇ. નાનામોટા  રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષીણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાય ને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું.  ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો  વધવા લાગ્યા . સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામા ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. વૈષ્ણવ ફિલોસોફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટ થી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલા ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને  હજુ પણ મળે.  સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.
          * ૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઇ ચુક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આયુગ હતો.  ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દુર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તીપુજાની વિરુદ્ધ અને એકજ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે. સર્વધર્મ સમભાવને ભક્તિ નો સંદેશ લઇ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારત નું સ્વપ્ન સેવ્યું. અહિંસાનો સંદેશો લઇ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ભાગલાની કડવી યાદો સાથે લઇ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી. સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના અગ્રેસીવ લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મુક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઇ. હાલ પણ ભાજપા જેવી પાર્ટીના સમર્થને એમની તતુડી વગાડ્યા કરે છે.
           * દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોર માં આવવા લાગી છે. દરેક ને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઉભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. એક શંભુમેળો બની ચૂક્યો છે.

મા, માતા, જગત જનની, The spirit of the valley

મા, માતા, જગત જનની, The spirit of the valley.

મા એટલે? આઈ; જનેતા; બા; જનની; જી; માતા; જનયિત્રી; પ્રસૂ; માતુશ્રી; માઈ. વિનોબા લખે છે કેઃ બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ, જે આપણી પાસે છે, તે છે ખુદ આપણી મા. શ્રુતિ કહે છે કે, માતૃદેવો ભવ. વત્સલતાના રૂપમાં તે પરમેશ્વરની મૂર્તિ જ ત્યાં ઉપસ્થિત દેખાય છે. તે માતાની વ્યાપ્તિને આપણે વધારી લઈએ અને વંદે માતરમ કહીને રાષ્ટ્ર માતાની તરફ અને પછી અખિલ ભૂમાતા પૃથ્વીની પૂજા કરીએ.

મા અંબા, મા દુર્ગા હોય, મા કાલી હોય કે મા ખોડલ માતા જગત જનની છે તે હકીકત છે.

ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે.  એમાં એમણે લખ્યું છે કે, “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”. જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાં જ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો ઓલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ખીણ ત્યાં જ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાં જ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આને જ લાઓત્સે કહે છે The female  mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે. આ ખીણનું સ્ત્રૈણ રહસ્ય જ માતા છે, એને મા અંબા, દુર્ગા કે કોઈપણ નામે બોલાવો.

દુનિયાના પ્રાચીન ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની મા અંબા, દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક બીજ(સ્પર્મ) રોપણ(ઇન્જેક્ટ) થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને  કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. મોટાભાગે પુરુષ જ ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક મા બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે, અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. કઈક રહસ્યમય, પુરુષ સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એ જ તો ખીણનું, અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે.  હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ પ્રયત્ન વગરનું હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you marry me? પુરુષ ના કહે એટલે ના જ સમજવું જ્યારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે એ જ તો રહસ્ય છે.

એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી રતિક્રીડામાં પણ નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ સક્રિય બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. મૂળ ભારતીય એવી મહિલા  શિક્ષિકા પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત? સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સો માંથી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે, ઘરમાં પણ. પત્ની ચુપ છે, કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક છે, ગ્રહણશીલ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય, શુક્રાણુ બેંક હવે હાજર છે.

જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં. વ્યક્તિ જન્મે છે પહેલા માના ગર્ભ રહેલા ગહન અંધકારમાં.  બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે. હવે બનવા લાગ્યા છે પણ એની મર્યાદા છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો, છે કમજોર. ૧૬ તો જવાના જ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. પુરુષ પ્રધાન સમાજમાં એને અનુકૂળ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધે જ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીનમાં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોંપાય જે શક્તિશાળી હોય.

લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્યનું રહસ્ય ના પામી શકાય. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમ સત્ય તરત પ્રવેશી જાય છે. ગમે તેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમ સત્ય ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી. જ્યારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓમાં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રી પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જ્યારે સ્ત્રી મા બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. મા અને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને પરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.

માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એમનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે.  સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. આ રહસ્ય પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મોં ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?

આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર સ્વર્ગ અને પૃથ્વીનો મૂળ સ્ત્રોત છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વની ગહેરાઈમાં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજમાં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ, હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતીક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.

લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાનની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ કામુકાતામાં પણ દેખાશે. એટલે ફિલ્મોમાં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમથી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતાથી વહેવાર કરો અસ્તિત્વને જરાપણ પીડા ના પહોંચે. આજ તો અહિંસા છે.

અસ્તિત્વની સ્ત્રૈણ ગહેરાઈમાં, અખંડ શક્તિમાંથી બધું જન્મે છે અને બધું લીન થાય છે. આજ  છે જગત જનની મા અંબા, મા ભવાની, મા દુર્ગા, મા કાળી, મા ખોડલ……..

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

         અહિંસક તો ભગવાન મહાવીર હતા. ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે. મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા. એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્રમાં પરમાત્માને અનુભવી શકતા હતા. તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય? જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસાના વ્રત લે છે, તો એમની અહિંસા દંભી બની જાય છે. ગાંધીજી આવા દંભી અહિંસક હતા. નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે. આ લોકો ભૂલી જાય છે કે એક મરઘીમાં જીવ છે તો કોબીજમાં પણ જીવ છે. કોઈ નો જીવ દુભાય તો પણ હિંસા થાય. ગાંધીજી એક રાજકારણી હતા ને સંત બનાવાનો પ્રયત્ન કરતા હતા. ગાંધીજી પણ સંવેદનશીલ વ્યક્તિ હતા. પણ મહાવીર તો સંવેદનશીલતાના એવરેસ્ટ શિખર હતા. એક નાની કીડીમાં પણ પરમાત્માને જોઈ શકતા હતા. એટલે એને ટાળી ને બચાવીને ચાલતા હતા. અત્યારના જૈન સાધુને કીડીમાં પરમાત્મા દેખાતો નથી, પણ મહાવીરના આચારે નકલ કરી કીડીઓને ટાળવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે.

  મહાવીર ક્ષત્રીય હતા. જૈનોના ચોવીસે તીર્થંકરો ક્ષત્રિયો હતા. એક પણ વૈશ્ય કે બ્રાહ્મણ ના હતો. હિંસા કરવા માટે જેમ વીરતા જોઈએ તેમ અહિંસા પાળવા કે અહિંસક બનવા માટે મહાવીરતા જોઈએ. કાયરો કે ડરપોક લોકો ના તો હિંસા કરી શકે છે ના તો અહિંસક બની શકે છે. માટે વર્ધમાનને મહાવીર કહેવામાં આવે છે. મહાવીરનો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભને ઉઠાવીને ક્ષત્રીયાણીના પેટામાં મૂકી દીધો. વાર્તા છે. સમજવા માટે છે. સહન શક્તિનો સવાલ છે. અહિંસક બનવા માટે ભયંકર સહનશક્તિ જોઈએ. એ સહન શક્તિ બ્રાહ્મણ કે વૈશ્ય કે વાણીયામાં ના હોય. ચોવીસે તીર્થંકરો જેના ક્ષત્રિયો છે એ ધર્મના લગભગ તમામ અનુયાયીઓ વૈશ્ય છે. કોઈનો માર ખાવામાં પણ શક્તિ ને સહન શક્તિ જોઈએ. એટલે અમારે કોઈનો માર ખાવો નથી માટે અમે કોઈને મારતા નથી, અમે તો અહિંસક છીએ. આ દંભી અહિંસા છે. પેલા ગોવાળની વાર્તા બધાને ખબર છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા. ક્યાંથી લાવશે આજના જૈનો એવી સહન શક્તિ?

     દરેકના સત્યો જુદા જુદા છે. મારું સત્ય તમારા પર થોપવાનો પ્રયત્ન હિંસા છે. સત્યનો આગ્રહ ના હોય. આગ્રહ કરવો પડે એવું સત્ય શું કામનું? એક માણસ એનું સત્ય થોપવા તમને લાફો મારી તમારા પર દબાણ કરે છે. બીજો માણસ એનું સત્ય થોપવા પોતાની જાતને લાફા મારે છે. બંને હિંસાનો આશરો લે છે. એક માણસ એનું સત્ય મનાવવા માટે તમને બાંધીને ખાવા ના આપે ને ટોર્ચર કરે. બીજો એનું સત્ય મનાવવા પોતાની જાતને ખોરાક ના આપી, ઉપવાસ પર ઉતરી તમને દબાણ કરે છે. બંને હિંસક છે. એક પરપીડન વૃત્તિ ધરાવે છે, બીજો સ્વપીડન વૃત્તિ ધરાવે છે. પીડા આપવાની હિંસા બંને કરે છે. ડો આંબેડકર ને કોઈ વાત મનાવવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતરેલા, ત્યારે આંબેડકરે કહેલું ગાંધીજી સારા માણસ છે એમનો જીવ બચાવવા મારી વાત છોડી દઉં છું, બાકી હું મારી વાતે મક્કમ ને સાચો છું.

 રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીના પરમ મિત્ર હતા. ગાંધીજી એકવાર શાંતિ કેતન ગયેલા. નિયત સમયે બંને બહાર ફરવા જતા. ગાંધીજી સાદા માણસ એ તો બહાર જઈને ઉભા રહ્યા. રવીન્દ્રનાથ ને બહુ વાર લાગી. ગાંધીજી પાછા ગયા તો ડોસા રવીન્દ્રનાથ એમના વાળ ઓળવ્યા કરે. ગાંધીજીએ પૂછ્યું કે હવે ઉંમર થઇ ક્યાં સુધી વાળ સંવાર્યા કરશો? રવીન્દ્રનાથે કહ્યું, મને અસ્તવ્યસ્ત વાળમાં જોઇને કોઈને ઘૃણા થાય એ પણ હિંસા કહેવાય. ગાંધીજીની સમજમાં કદાચ નહિ ઉતર્યું હોય પણ આ થયો અહિંસાનો સુક્ષ્મ પ્રકાર. કોઈને મારવાથી જ હિંસા થોડી થાય છે?કોઈનો જીવ દુભાય એવું નાનું કૃત્ય પણ હિંસા કહેવાય. કોઈની મજાક કરીએ અને એનો આત્મા દુભાય તો પણ હિંસા કહેવાય માટે જે પોતાની જાત ઉપર હસી શકતો હોય તેની જ મજાક કરવી.

   અહિંસાનો કોન્સેપ્ટ સમજવો અઘરો છે. દેખીતા અહીન્સકો જાણે અજાણે ઘણી બધી હિંસામાં ભાગ લેતા હોય છે. શેમ્પુ લગભગ બધાજ વાપરે છે. શેમ્પુ તમારી આંખો માટે જલદ તો નથી ને?એના જવાબ માટે લેબોમાં સસલાની આંખોમાં શેમ્પુ નાખીને પ્રયોગો કરી ચકાસણી કરવામાં આવે છે. શેમ્પુ વાપરનારા બધાજ આ હિંસામાં ભાગીદાર છે. કતલખાનામાં હિંસા થાય છે, એમાંથી નીકળતી બાય પ્રોડક્ટ બધાજ વાપરે છે. કેલ્શિયમ મેળવવાનો સહેલો ને સસ્તો ઉપાય પ્રાણીઓના હાડકા છે. ખાંડ સફેદ કરવા કેલ્શિયમ વપરાય છે. ચામડું પટ્ટા, પર્સ, જેકેટ્સ ને ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. કુદરતી રીતે મરેલા પ્રાણીઓનું ચામડું આટલી બધી ચામડાની પ્રોડક્ટ્સમાં પુરતું ના થાય. કતલખાના ચાલુ રાખવામાં બધાજ ભાગીદાર છે. અને બધાજ કતલ ખાના બધ કરાવવામાં પડ્યા છે. એક દવાની નાની ટેબ્લેટ ખાસો તો પણ હિંસા થશે. દવાના ટેસ્ટીંગ માટે પહેલા ઉંદરો વપરાય છે, પછી બીજા પ્રાણીઓ.

    વર્ધમાનને સન્યાસ લેવા માટે એક ય બીજા બહાને ના પાડવામાં આવતી હતી. તો એ ક્યારેય વિરોધ કરતા નહોતા. ને ઘરના લોકોની વાત માની રોકાઈ જતા. ઘરમાંથી કોઈનો પણ જરા જેટલો જીવ દુભાય એ એમને મંજુર નહોતું. વર્ષો વીતી ગયા. અચાનક ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે વર્ધમાન ભલે ઘરમાં રહે એમની હાજરી જરાય અનુભવમાં આવતી નથી. જયારે વર્ધમાન ઘરમાં છે એવું લાગતુ જ નથી તો હવે એમને રોકવાનો કોઈ અર્થ નથી. વર્ધમાન વીરોના વીર મહાવીર હતા. હિંસા કરવા માટે તાકાત ને શક્તિ જોઈએ, એમ અહિંસા કરવા માટે અતિ તાકાત ને મહાશક્તિ જોઈએ.

ઉર્જા,,કામઉર્જા..

               *ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને  કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમારો શિકાર કરવા દોડી આવે છે.તમે ચાલો ત્યારે ઈલેક્ટ્રીસીટી પેદા થાય છે.માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની માં તમે જોવા જાવ તો તમારે ખાસ પ્રકાર ના કપડા પહેરવા પડે,જેથી તમારા શરીર માંથી પેદા થયેલી ઈલેક્ટ્રી સીટી ના કારણે એમના નાજુક યંત્રો ને નુકશાન ના પહોચે.આ ઉર્જા આંખો  દ્વારા વપરાય તો જોવાનું કામ કરે છે,કાન દ્વારા સાંભળવાનું,નાક દ્વારા સુન્ઘવાનું.આજ ઉર્જા બાળક પર પ્રેમ વરસાવે છે,ને દુશ્મન પર ઘૃણા.
        *માણસ ના શરીર માં ઉર્જા નું મૂળ ઉદભવ સ્થાન સેક્સ સેન્ટર છે. આ સેન્ટર ને યોગીઓ મૂલાધાર ચક્ર કહે છે.ત્યાં કુંડલીની શક્તિ સાપ ની જેમ આંટા મારીને સુતેલી છે.આ ઉર્જા ને જગાડીને ઉર્ધ્વગામી કરીને સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોચાડી સમાધિનું સુખ  મેળવવા યોગીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે.સ્ત્રી એ માયનસ એટલે કે ઋણ ઉર્જા છે ને પુરુષ એ પ્લસ (ઘન)ઉર્જા છે.બંને એકબીજા થી વિરુદ્ધ ના ધ્રુવો છે.એટલેજ બંને વચ્ચે જબરદસ્ત આકર્ષણ છે.બંને ભેગા થઇ ને સર્કીટ પૂરી કરવા માંગે છે.ત્યારે જ બલ્બ સળગે છે,પ્રકાશ પેદા થાય છે, આનંદ પેદા થાય છે.અને આ બંનેની ઉર્જા ભેગી થાય ત્યારે એક બાળક જન્મે છે.મૂળ ઉર્જા એકજ છે.જે ઉર્જા કામવાસના બને છે એજ ઉર્જા પ્રેમ બને છે.જે ઉર્જા ક્રોધ બને છે એજ ઉર્જા કરુણા બને છે.જ્યાં કામ વાસના જ ના હોય ત્યાં પ્રેમ પણ કઈ રીતે શક્ય બને?એટલા માટે શાસ્ત્રો માં બ્રહમાનંદ અને વિષયાનંદ ને સહોદર એટલે કે ભાઈ ગણ્યા છે.કામવાસના ની પૂર્તિ વખત નું સુખ એ સમાધિનું ક્ષણ માટેનું સુખ છે.જયારે સમાધિનું સુખ એ લાંબા ગાળાનું કામસુખ છે.ક્ષણ માટેના સમાધિ નું સુખ મેળવવા માણસ વારંવાર કામવાસના માં ઉતરે છે.એનુંજ તો આકર્ષણ છે.લાંબો સમય કામસુખ મેળવવા યોગીઓ સમાધિમાં ઉતરી જાય છે.
          *કામવાસના દબાવી દેવાથી કોઈ શક્તિશાળી બની જતું નથી.એ તો નિત્ય પેદા થનારી ઉર્જા છે.જો કામસુખ થી શક્તિ નો નાશ થઇ જતો હોય તો પરણેલો પુરુષ એની લાંબી જીંદગીમાં કેટલી બધી વાર આ સુખ ભોગવતો હશે.તો મરી કેમ નથી જતો.૭૦ કે ૮૦ વર્ષ સુધી આરામ થી કેમ જીવી જાય છે?જો તમે ધ્યાન ના કરતા હોવ તો કદી બ્રહ્મચર્ય  ના વ્રત લેશો નહિ.સ્વાભાવિક રૂપે બહાર નીકળતી ઉર્જા ખોટા વ્રત લેવાથી,વિવિધ રૂપે બહાર નીકળશે.એ રોકવાની નથી.કોઈ ઉપાય જ નથી.આંખો માંથી નીકળશે તો તમે સ્ત્રી નું  મોઢું પણ નહિ જોઈ શકો.ફરી તમારે સ્ત્રીનું મોઢું નહિ જોવાનું વ્રત લેવું પડશે.અને પાછા તમે એમાં ઊંડા ને ઊંડા ઉતરતા  જાસો.પછી તમારા થી કોઈ  સ્કેન્ડલ થઇ જશે ને કોઈ તમારી સીડી ઉતારી લેશે.કાંતો તમે પોર્નોગ્રાફી જોવાનું ચાલુ કરી દેશો.
         *ઉર્જા સતત ગતિ કરતી હોય છે.એ ઉર્જાનો ગુણધર્મ છે. એના ગતિ ના બીજા કોઈ રસ્તા નહિ શોધ્યા હોય તો હજાર રસ્તા એ શોધી કાઢશે.જે સમાજ ને મંજુર ના હોય.બીજા નંબરે ઉર્જા વધારે રિલીજ થાય છે આંખો દ્વારા.દિવસે સૌથી વધારે ઉપયોગ આપણે આંખો નો કરીએ છીએ.રાતે પણ સ્વપ્ન જોતા આંખો ફર્યા કરતી હોય છે.જેને રેપીડ આઈ મુવમેન્ટ (રેમ)કહે છે.એટલે જેની આંખો ગઈ છે,સુરદાસ છે એલોકો ની ઉર્જા આંખો તરફથી કાન તરફ ગતિ કરી જાય છે.આ લોકો ની શ્રવણ  શક્તિ ખુબજ ઉત્તમ થઇ જાય છે.સારા સંગીતકારો હોય છે.ખાલી પગલાના અવાજ(પદધ્વની) થી પણ કોણ આવી રહ્યું છે એનું નામ બોલી જાય છે.યોગ માં આ ઉર્જા ને  બાહ્ય અંગો માંથી નીકળતી રોકી એને અંદર તરફ વાળવાના પ્રયત્નો કરવામાં આવે છે.અને એ રીતે સુક્ષ્મ કેન્દ્રો ખોલવાની વાત છે.કારણ ઉર્જા સતત ગતિશીલ છે.રોકી રોકવાની નથી,માટે અંદર ના સુક્ષ્મ કેન્દ્રો તરફ વહી ને એ કેન્દ્રો ખોલી નાખશે.આંખની ઉર્જા રોકી ને,આંખ  ને સ્થિર રાખીને આજ્ઞાચક્ર ત્રીજુનેત્ર ખોલવાની વાત છે.એવી રીતે કાન ની ઉર્જા ને અંદર તરફ વાળી ને નાદ્બ્ર્હમ કે અનાહત નાદ ની સાધના કરે છે.એટલે મૌન નું મહત્વ છે.આખો દિવસ વ્યર્થ બોલી ને શું ઉર્જાનો વ્યય કરવો?
     આખું જગત ઉર્જા નો વ્યાપ છે.આને જ આપણે શક્તિ કે માતાનું નામ આપ્યું છે.નવરાત્રી એ શક્તિ નો તહેવાર છે.આ જ ઉર્જા ને પરમાત્મા તરીકે અંબા કે દુર્ગા  નું નામ આપેલું છે.તાંત્રિકો સ્ત્રીમાં રહેલી માયનસ વિદ્યુત શક્તિ નો ઉપયોગ કરવામાં ચીલો ચાતરી ગયા ને અવળા  માર્ગે ચડી ગયા હતા.એકલા ઉજ્જૈન નગરીના  ભોજ રાજાએ હજારો તાંત્રિકો  લટકાવી દીધા હતા.જરૂરી હતું.ન્યુક્લિયર એનર્જી થી બોમ્બ બનાવી ને સર્વનાશ પણ કરી શકાય ને એનો ઉપયોગ કરીને માનવજાત ની સેવા પણ કરી શકાય.સતત ગતિ કરતી ઉર્જા ને એના કુદરતી માર્ગે વહેવા દો,નહીતો તમારું સત્યાનાશ કરી મુકશે.ઉર્જા ને રોકવાની જરૂર જ નથી.ખાલી  ધ્યાન કરતા રહો એની જાતે ઉર્ધ્વગામી થઇ ને તમારું કલ્યાણ કરશે.ઉર્જા નો નાશ કરવાનો તો જરાપણ પ્રયત્ન કરતા નહિ.નહીતો નપુંસક થઇ જશો.જે કામી નથી તે પ્રેમી નહિ બની શકે.જે ક્રોધી નથી તે કરુણા પણ નહિ કરી શકે.જે ભોગી નથી તે ત્યાગી પણ કઈ રીતે બનશે?નાં ફળ ની ચિંતા ફક્ત ધ્યાન.”ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”એ સ્વામી વિવેકાનંદ નું વાક્ય ખુબજ પ્રચલિત છે.પણ આ મહાન સન્યાસી નો  અતિ મહત્વ નો સંદેશો લોકો ભૂલી ગયા છે.પેલું વાક્ય તો સામાન્ય જન માટે નો,આળસુ ભારતીયો માટેનો સંદેશો હતો.સ્વામીજીએ કહેલું “ટ્રાન્સફર યોર સેકસુઅલ એનર્જી ઇન ટુ સ્પિરિચ્યુઅલ એનર્જી”.તમારી  કામ ઉર્જા નું અધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન કરો.પણ સેક્સ ને  ગાળો દેવાવાળા ભારત માં આ મહાન સન્યાસી નો  મહત્વ નો સંદેશો ભુલાઈ ગયો. 

નાની ઉંમરે સન્યાસ અકુદરતી.

નાની ઉંમરે સન્યાસ  અકુદરતી.
પ્રાચીન હિંદુ ધર્મે કુદરતના નિયમોને ખાસ ધ્યાનમાં રાખેલા. શરીરના નિયમોને ધ્યાનમાં રાખેલા. પોતાની એક કોપી પાછળ મુકતા જવું એ કુદરતનો નિયમ છે. જોકે એમાં મજબૂત જિન્સ પાસ થાય તે માટે કુદરત પ્રાણીઓમાં એવી વર્તણુંક મૂકતી હોય છે. દરેક પ્રાણી કે વનસ્પતિ જગત કે જંતુ જગતમાં આ નિયમ છે જ. એના માટે કામનું નિર્માણ થયું છે. એને વાસના ગણી એનું અપમાન ના કરવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાંમાં સદા રત રહેવું. આ બ્રાહ્મની વ્યાખ્યા કરવી મૂશ્કેલ છે. કોઈ એને ભગવાન કહે કોઈ એનો દૂરુપયોગ કરીને પ્રગટ બ્રહ્મ પણ બની જતા હોય છે. બધા ઋષીઓ પરણેલા હતા. કૃષ્ણને બાળ બ્રહ્મચારી ગણવામાં આવતા, કહેવાતી ૧૬૦૦૦ રાણીઓ હોવા છતાં. કોઈ નપુંસક મહારાજશ્રીએ બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું ઘુસાડ્યું લાગે છે.
      *ચાર આશ્રમ એ કુદરતી  જીવન જીવવાના આદેશો હતા. ગૃહસ્થાશ્રમને વાનપ્રસ્થાશ્રમ એ બંનેમાં લગભગ ૫૦ વર્ષ સુધી તો પત્નીનું સાહચર્ય માણી શકવાની વ્યવસ્થા હતી. એટલું પુરતું હતું. પાછળ એક કોપી મુકતા જવાનો કુદરતી નિયમ પણ પૂર્ણ થઇ જતો. પછી કામની(સેક્સ) જરૂર રહે પણ નહિ ને એટલી ઉત્તેજના પણ ના હોય, ત્યારે સન્યાસ ધારણ કરવાનો. આ એક કુદરતી સાયકલ હતી. બુદ્ધ પણ પરણેલા હતા,  સંસાર અસર લાગ્યો હશે તે પત્નીને  છોડીને ભાગ્યાં. જ્ઞાન થયું, નિર્વાણને પામ્યા એટલે થયું લાવ પત્નીને પણ અસર સંસારમાંથી મુક્તિ અપાવીએ. આવ્યા મળવા પત્નીને. બહુ પ્રસિદ્ધી મેળવી ચુક્યા હતા. પત્નીએ પહેલો સવાલ કર્યો કે જે પ્રાપ્ત થયું છે, એ શું અહી મારી પાસે રહ્યા હોતને પ્રયત્ન કર્યો હોત તો પ્રાપ્ત ના થાત? જવાબ આપ્યો કે થાત પણ એ વખતે લાગતું હતું કે ના થાત એટલે જતો રહ્યો. પછી તો પત્ની પણ એમના શિષ્ય બન્યા. મૂળ વાત એ છે કે સંસારથી ભગવાને બદલે જાગવાની જરૂર છે.
    *ખાલી બુદ્ધ અને જૈન ધર્મમાં નાની ઉંમરે સન્યાસ આપવાનું ચલણ હતું. હિંદુ ધર્મમાં નહિ. પણ જૈનધર્મ માર્યાદિત હતો. એનાથી હિંદુ ધર્મને ખાસ કોઈ ભય ના હતો. ભય ઉભો થયો બુદ્ધ ધર્મ થી. ઝડપથી ફેલાવા લાગેલો. એવામાં આવ્યા શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે સન્યાસ લીધેલો.  આમારા હિંદુ ધર્મમાં પણ બૌદ્ધ ધર્મ જેવા નિયમો છે એવું દર્શાવવા હિંદુ ધર્મમાં પણ નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થઇ ચુક્યું હતું. નહિ તો લોકો બૌદ્ધ ધર્મમાં જવા લાગે. તો ભાઈ અહીજ રહો અમે પણ સન્યાસ આપી દઈશું. વાદ ચાલુ થઇ ચુક્યા હતા. સરાસર હિંદુ ધર્મના નિયમ વિરુદ્ધનું કૃત્ય હતું .પણ શું થાય લોકોને બૌદ્ધ બનતા અટકાવવા હતા. લોકો પણ હિંદુ ધર્મના બગડી ચુકેલા રીવાજો અતિશય કર્મ કાંડ થકી વાજ  આવી ચુક્યા હતા. શ્રી  શંકરાચાર્યે સુધારા ચાલુ કર્યા. બૌદ્ધ ધર્મના નિયમોને હિંદુ ધર્મનું રૂપ આપી ને લોકોને ત્યાં જતા અટકાવવાનું શરુ થયું. બસ ને નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થયું. જે શરીર અને કુદરતના નિયમોની વિરુદ્ધ હતું. અરે! હિંદુ ધર્મની મૂળ વિચારધારાને અવગણતું વિરોધી કૃત્ય હતું. બાવાઓની જમાત ઉભી થવા લાગી. સાંસારીરિક જવાબદારીઓમાંથી છટકવા માંગતા લોકો સાધુ બની આરામથી જીવવા લાગ્યા.
         *શંકરાચાર્યને “પ્રછન્ન બૌદ્ધ” કહેવામાં આવતા હતા. મહેનત કરી કમાતા લોકોની કમાણી પર નભતા લાખો સાધુઓ ભારતનું કલંક છે. એનાથી ઈકોનોમી પર અસર થાય  છે. લોકોની કમાણી બિન ઉત્પાદક લોકો ખાઈ જાય છે, દેશ ઉંચો આવતો નથી. લાખો સાધુઓને કમાવાની કોઈ જવાબદારી નથી. એમને ખવડાવવાની જવાબદારી બીજા લોકોની છે. એના લીધે એ લોકો એમનું પૂરું કરી શકતા નથી. બ્રેન વોશિંગના લીધે સૌથી પહેલા આપણે આ બેકાર લોકોની વ્યવસ્થા કરીએ છીએ, પછી આપણી.  જેની છઠ્ઠી કે સાતમી પેઢીના વારસદારો હજુ છે એવા કહેવાતા ભગવાનને ખબર પણ નહિ હોય કે એમના ચેલાઓ સ્ત્રીઓના મોઢાં પણ જોતા નથી. અને નાના છોકરાઓને સન્યાસ આપીને કુદરતના કાનુનનો ભંગ કરી રહ્યા છે. શરીરમાં ઉંમર થતા કામગ્રંથીઓ તો એનું કામ કરવા જ લાગે છે. શરીરનો ધર્મ કોઈને છોડતો નથી.પછી શરુ થાય છે કૌભાંડો ની હારમાળા, ને વિકૃતિની પરાકાષ્ટા.નાના બાલ સાધુઓનો દુર ઉપયોગ શરુ થાય છે.
         *સંત જ્ઞાનેશ્વરના બહેન મુક્તાબાઈ સ્નાન કરતા હતા તળાવમાં ને યોગીરાજ ચાંગદેવ મળવા આવેલા. મુક્તાબાઈને સ્નાન કરતા  જોઈ અવળા ફરી ગયા. મુક્તાબાઈ એ કહ્યું યોગીરાજ ભલે વાઘ પર સવારી કરો છો પણ હજુ કાચા છો. લોકવાયકા છે યોગી ચાંગદેવ વાઘ પર સવારી કરતા હતા. આ સંસાર ભગવાને બનાવ્યો છે એ સંસાર થી ભાગવાથી ભગવાનને કઈ રીતે જાણી શકાય? સંસારને રચ્યો છે ભગવાને. આ સંસારને તમે ઠુકરાવસો તો અપમાન તો એના રચનાર નું થશે. સંસારની જવાબદારીઓ પણ એક તપ સમાન છે. એ આ સાધુઓ ને શું ખબર?   છોકરા મોટા કરવા , કમાવું, સબંધો સાચવવા, આ કોઈ ઓછું તપ નથી. એટલે તો આ તપ માફક નથી આવતું માટે ભાગી ગયા ને દીક્ષા લઇ લીધી. વડતાલના ગદાધરાનંદ સ્વામી ૧૬ તોલા સોનાનો હાર પહેરતા હતા એવું વાંચેલું,ને પછી એમનું મર્ડર થયું, ને મર્ડર કરનારા સ્વામીઓ મુંબઈથી જીન્સ પેન્ટ પહેરેલા પકડાયા.
             *કંટકી સ્ટેટ  વાળા દીપકભાઈને સ્ત્રીઓના મોઢા ના જોતા સ્વામીઓની પધરામણી કરવાના પાપનું ફળ મળી ચુક્યું છે. આ દીપકભાઈએ એમની મોટેલમાં સ્વામીનારાયણના સંતોની પધરામણી કરી. આ સંતો સ્ત્રીઓના મોઢા જોતા નથી. માટે દીપકભાઈએ એમની ક્લાર્ક એવી અમેરિકન બાઈને જતા રહેવા જણાવ્યું. પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલરનો દંડ થયો. શ્રી અરવિંદભાઈના બ્લોગમાં આવાત વાચી. મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી. ભૂલ એમની જ છે. એ આ લાગના જ છે. હજુ વધારે દંડ થયો હોત તો મને આનંદ થાત. સ્ત્રીઓના અપમાનમાં એપણ ભાગીદાર છે. જેને પણ દીપકભાઈને થયેલા દંડ માટે એમના પ્રત્યે સહાનુભુતિ થાય એ બધા સ્ત્રીઓના અપમાનમાં ભાગીદાર છે. એમને હશે કે સ્વામીઓને પધરાવવાથી એમની મોટેલનો ધંધો વધી જશે. એટલે તો એમણે અમેરિકન સ્ત્રીનું અપમાન કર્યું. આપણા તો પુરુષોજ એમની પોતાની સ્ત્રીઓનું આપમાન કરાવે છે.
           *નાની ઉંમરમાં સન્યાસ આપતા સંપ્રદાયો પર પ્રતિબધ મૂકી દેવો જોઈએ કે નહિ??એવા કાયદા ઘડવા જોઈએ કે નહિ?
નોધ:–આ લેખ ને અહી મુક્યા પછી શ્રી અશોકભાઈ એ પ્રતિભાવમાં ફક્ત આભાર લખીને એક લીંક મુકેલી.આ લીંક http://ow.ly/17hhk પર કલીક કરીને એ સમાચાર વાચવા વિનંતી છે.

ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા,,

શ્રી રામકૃષ્ણ પરમહંસ ને ભોજન માં બહુ રસ.લાલચુ કહી શકાય એટલી બધી હદ સુધી ભોજન માં પ્રીતિ.શિષ્યો બેઠા હોય વચ્ચે તેઓશ્રી બેઠા હોય,બ્રહ્મ જ્ઞાન ની ચર્ચા ચાલતી હોય ને એકદમ ઉભા થઇ જાય.દોડે રસોડા તરફ ને માં શારદામણી દેવી ને ભોજન વિષે પૂછ્યા કરે.કેટલી વાર છે?શું બનાવ્યું છે?માં શારદા મણી ને પણ નવાઈ લાગે.આટલા બધા બ્રહ્મ જ્ઞાની ને ભોજન માં આટલી બધી તૃષ્ણા કેમ?આતો કાયમ  નો પ્રશ્ન.એક દિવસ ના રહેવાયું.માએ પૂછી લીધું કે આપ આટલા મોટા તત્વ જ્ઞાની ને ભોજન પ્રત્યે પ્રીતિ હોય પણ આટલી હદ સુધી કેમ?
      *શ્રી રામકૃષ્ણે  જવાબ આપ્યો કે કોઈ પણ તૃષ્ણા,ઈચ્છા બાકી ના રહે તો જીવન નો શું અર્થ.તૃષ્ણા ને ઈચ્છાઓ થી બંધાએલા  રહીને બધા જીવતા હોય છે.ઈચ્છાઓ પૂરી કરવી એ જીવન નો હેતુ હોય છે.જયારે તમામ ઈચ્છાઓ નો નાશ થઇ જાય કે રહેજ નહિ તો જીવન નો શું અર્થ?મારી તમામ તૃષ્ણાઓ ને ઈચ્છાઓ સમાપ્ત થઇ ગઈ છે,પણ એક ભોજન પ્રત્યે ની હાથે કરીને સાચવી રાખેલી તૃષ્ણા ને લીધે આ જીવન ચાલી રહ્યું છે.જે દિવસે હું ભોજન વિષે પુછવા ના આવું કે રસ ના બતાવું એના ત્રીજા દિવસે આ દેહ ની જરૂર નહિ રહે.માં શારદા તો ભૂલી ગયા આ વાત.શ્રી રામકૃષ્ણ ને કેન્સર હતું.ઠીક મ્રત્યુ ના ત્રણ દિવસ પહેલા માં શારદા ભોજન ની થાળી લઈને આવ્યા તો શ્રી રામકૃષ્ણ અવળા ફરી ગયા.માં શારદા ને અચાનક પેલી વાત યાદ આવી ગઈ,ધ્રાસકો પડી ગયો.હાથ માંથી થાળી પડી ગઈ.રડવા લાગ્યા.શ્રી રામકૃષ્ણે સમજાવ્યા આ દેહ હવે જર્જરિત થઇ ગયો છે,એટલે છોડી રહ્યો છું. હું મરવાનો નથી.કદી વિધવાની જેમ જીવીશ નહિ.ઠીક ત્રણ દિવસ પછી શ્રી રામકૃષ્ણ મૃત્યુ પામ્યા.માં શારદામણી દેવી એમના કહ્યા પ્રમાણે જીવ્યા,ને હમેશા સમયસર શ્રી રામકૃષ્ણ  ના ભોજન સ્થળે ભોજન ની થાળી મુકતા.
      *બધી તૃષ્ણાઓ  ને ઈચ્છાઓ ની વાત તો ઠીક ઈશ્વર પ્રાપ્તિ ની ઇચ્છા પણ મોક્ષ,જ્ઞાન,નિર્વાણ,કૈવલ્ય કે એનલાઈટનમેંટ ની આડે આવે છે.બધાને થશે આતો જ્ઞાની થઇ ગયા.નાં આ હું નથી કહેતો.આપણું એવું ગજું નથી.આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય કહે છે ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા પણ મોક્ષ માર્ગે બાધા રૂપ છે.
    *અદ્વૈતવાદી યોગીરાજ તોતાપૂરી સ્વામી એ શ્રી રામકૃષ્ણ ના છેલ્લા ગુરુ.શ્રી રામકૃષ્ણ ને અદ્વૈત ની સાધના કરાવે.પણ કશો મેળ ના પડે.આ તો મહાકાલી ના ભક્ત.રોજ માતાજી આગળ વાતો કરે.માં કાલી આડા આવે.ગુરુતોતાપુરી કંટાળ્યા.હવે હું જતો રહીશ.ફરી પાછો નહિ આવું,અધુરો રહી જઈશ.શ્રી રામકૃષ્ણ કહે પણ શું કરું?માતાજી આવી જાય છે ધ્યાન માં.ગુરુ કહે કાઢ તારી માતા ને.પણ કઈ રીતે?ગુરુ કહે જે રીતે ઉભી કરી છે તે રીતે.કાલે ધ્યાન સમયે ઠીક તારા કપાળ માં હું  કાચ થી ચીરો મુકીશ તત્ક્ષણ તું તારી માતાનો નાશ કરી દેજે.છેલ્લો પ્રયત્ન  છે.તેજ ઉભી કરી છે,નાશ પણ તારે જ કરવો પડશે.બીજે દિવસે ગુરુના કહ્યા મુજબ થયું.મહાકાલી ના ભક્તે મહાકાળીનો નાશ કર્યો ને અદ્વૈત ને પામ્યા.પૂર્ણ થયા.
       *ક્યાં ગયા નાથા ભગત?સબ જલ જાવે,ભક્ત ભી જલ જાવે,ભગવાન ભી જલ જાવે તબ કહી મોક્ષ પાવે.I love this Natha Bhagat.         

संशयात्मा विनश्यति । ….. Most Misused.

images';lसंशयात्मा विनश्यति । Most Misused

વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.

અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો  સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો  કે બંને કૌરવો અને  પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.

બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત  એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.

કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.

બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.

ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ  મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?

બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં  સપડાએલા  રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી  ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.

ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.

ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું  મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા,  જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં  આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?

વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.

“શું ધર્માંતરણ સહેલું છે?જૈન,બુદ્ધ,અને હિંદુ ધર્મ ના સંદર્ભ માં”…..

 
                 *ઈ.સુ.ના ૩૦૦૦ વર્ષ પહેલા હિંદુ ધર્મ નો કોન્સેપ્ટ આવ્યો.સમય ની બાબત માં કોઈ ચોક્કસ પ્રમાણ નથી.એટલે સૌથી જુના ધર્મ તરીકે હિંદુ ધર્મ માની શકાય.ધર્મો ની બાબત માં બે મુખ્ય વિચારધારાઓ છે.એક છે હિંદુ અને બીજી જુઇશ કે  યહૂદી.બધી વિચારધારાઓ આ મુખ્ય બે વિચારધારાઓ માંથી જ જુદી પડેલી છે.મુસલીમ,ક્રિશ્ચિયન અને યહૂદી લગભગ એકજ વિચારસરણી ધરાવતા હોય.એમ જૈન,બુદ્ધ અને બીજા ભારતીય ઉપખંડ ના ધર્મો ના મુખ્ય સાર તત્વો હિંદુ ધર્મ ના જ હોય એ સ્વાભાવિક છે.બુદ્ધ ધર્મ લગભગ ઈ.સુ ના ૫૦૦ વર્ષ પહેલા અસ્તિત્વ માં આવેલો છે.હાલનો જૈન ધર્મ લગભગ ભગવાન મહાવીર ની વિચારધારા મુજબ ચાલે છે.મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા.બંને બિહાર માં ફરતા હતા.પરંતુ ફક્ત એકજ વાર બંને એક જ ધર્મશાળા ના બે છેડે ના ઓરડાઓ માં રહેલા હતા.છતાં એક બીજાને મળેલા પણ નહિ.
                *જૈન ધર્મ ના પહેલા તીર્થંકર આદિનાથ એ ભગવાન ઋષભ દેવ હતા.એમનો ઋગ્વેદ માં ઉલ્લેખ છેજ.ઋષભદેવ ને હિંદુ ધર્મ માં પણ અવતાર માનવામાં આવતા હતા.એ સમયે રીવાજ મુજબ,ભાઈ બહેનો મોટા થઇ સંસાર માંડતા હતા.ઋષભ દેવે પણ મોટા થઇ એમની બહેન જોડે સંસાર માંડેલો.બીજી આવી કોઈ જુવાન જોડી પુરષ મરી જવાથી ખંડિત થયેલી.એ સ્ત્રી જોડે ઋષભ દેવે લગ્ન કરીને પહેલી વાર નવો રીવાજ ચાલુ કરેલો અને ભાઈ બહેન સંસાર માંડે એ રીવાજ દુર કરેલો.એટલે ઋષભ દેવ ને બે પત્નીઓ હતી.આ ઋષભ દેવે લોકોને પધ્ધતિસર ખેતી કરવાનું શીખવાડ્યું હતું.એ હિસાબે જૈન ધર્મ પણ હિંદુ ધર્મ જેટલો પ્રાચીન કહી શકાય.પણ હાલનો જૈન ધર્મ મહાવીર ના સ્થાપેલા રીતી રીવાજ ને પ્રણાંલિયો પર ચાલી રહ્યો છે.માટે એ પણ બુદ્ધ ધર્મ જેટલો જ જુનો કહેવો હોય તો કહી શકાય.તીર્થંકર પાર્શ્વનાથ ઈ.સુ ના પેલા નવમી સદી માં થઇ ગયા ને મહાવીર ઈ.સુ ના પહેલા છટ્ઠી સદી માં થયા હતા.
            *ભગવાન બુદ્ધ પણ ઈ.સુ ના પહેલા છટ્ઠી સદીમાં થયા હતા.એમનો  ઈતિહાસ બધાજ જાણતાં હોય એટલે એની ખાસ ચર્ચાની જરૂરત લાગતી નથી.મૂળ હિંદુ ધર્મ પણ હવે એના મૂળ રૂપ માં જળવાયો નથી.રોજ ફૂટી નીકળતા નવા સંપ્રદાયો ની ભીડ માં પ્રાચીન હિંદુ ધર્મ ક્યાય ખોવાઈ ગયો છે.એને પણ પરિવર્તન ના નિયમ મુજબ સ્વીકારે જ છૂટકો.પ્રાચીન હિંદુ ધર્મ માં કર્મકાંડો વધી ગયા હતા ને યજ્ઞો માં પશુઓના બલી અપાતા હતા.એ પણ હકીકત છે.ઘણા લોકો કહે છે ઋગ્વેદ ના ખોટા અર્થો કર્યાં છે.કોઈ કહેશે બધું પાછળ થી ઉમેરેલું છે.આ બધો આપણો દંભ જ છે.અતિશય કર્મકાંડ ને પશુઓના બલી વિગેરે માંથી મુક્તિ મેળવવા માંગતા લોકોમાં બુદ્ધ ધર્મ ઝડપ થી ફેલાઈ ગયો.આર્યો ની સંસ્કૃતિ માં યજ્ઞો હતા મંદિરો હતા નહિ.કુટીરો હતી મહેલો ના હતા.માંસાહાર સાવ સામાન્ય વાત હતી.મધ્ય એશિયા માંથી આવેલા આર્યો અહિંસક જરાય ના હતા.સુર  અસુર ના સંગ્રામોથી ભરેલો પૌરાણિક કાલ કઈ રીતે અહિંસક માની શકાય,આપણા દરેક અવતાર,ભગવાન અને માતાજીઓ સુદ્ધાના હાથમાં કાતિલ વેપન્સ છે.સ્ત્રીઓ પણ બહાદુર હતી.સર્વાઇવલ ના યુદ્ધ માં અહિંસા નો કોન્સેપ્ટ સાવ ગલત છે.ઠંડા પ્રદેશોમાં થી આવેલા આર્યો અગ્નિ પુજક હોય એ સ્વાભાવિક છે.ઠંડી થી બચવા માટે ચોક્કસ જગ્યાએ(યજ્ઞ કુંડ) લાકડા સળગાવી રાખવા એ યજ્ઞો જ હતા.અત્યારે પણ યુરોપ અને નોર્થ અમેરિકા કે બીજા કોઈ પણ અતિશય ઠંડા પ્રદેશો માં દરેક ના ઘર માં ફાયર પ્લેસ હોય છે.આર્યો કુટીરો માં રહેતા હોવાથી દરેક ના ઘર આગળ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) હોય.ઘર માં રાખે તો  ઝુપડી સળગી ના જાય?આ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) માં ફળફળાદી નાખી ને શેકી ને ખાવાના.અને માંસાહારી હોવાથી પશુ ઓ નાખીને શેકી ને ખાવાના.આજે પણ યુરોપ અને બીજા ઠંડા પ્રદેશો  માં રાતે કે વિક એન્ડ માં  બધા ભેગા થઇ ને બહાર લાકડા સળગાવી બાર્બેક્યુ કરી ને લોકો માંસાહાર કરતા જ હોય છે.આપણા પૂર્વજો એવા ચીમ્પ અને બીજા એપ્સ સંપૂર્ણ શાકાહારી નથી.એક્સ્ટ્રા પ્રોટીન માટે બધા માંસ ખાઈ લે છે.એટલે આર્યો પ્રત્યે ઘૃણા થી જોવાની કોઈએ જરૂર નથી.હવે ઠંડા પ્રદેશ માંથી ગરમ મધ્ય અને દક્ષીણ ભારતમાં આવ્યા પછી આર્યોને  યજ્ઞો  ની શી જરૂર છે.છતાં મુરખો આટલી ગરમીમાં પણ લાકડા સળગાવી પરસેવે રેબજેબ થઇ સ્વાહા સ્વાહા પોકારતા હોય છે.અને તે પણ ભર ઉનાળામાં.સ્વાહા અને હોમવું એ બંને શબ્દો માં જ હિંસા છે.જૈનો પણ સ્વાહા કરે છે. 
                  *જૈન અને બુદ્ધ ધર્મ સિવાય દરેક ધર્મ માં સેક્રીફાઈસ એટલે કે બલી આપવાની પ્રથા છેજ.એટલે કોઈ ધર્મ નિર્દોષ પશુઓના બલી ચડાવવાની છૂટ અપાતો નથી એવું કહેવું એ મહા દંભ છે.અહિંસા નો પહેલો કોન્સેપ્ટ જૈન ધર્મે આપેલો છે.નહિ કે બુદ્ધ ધર્મે.બુદ્ધ ધર્મે એનો પ્રચાર કરીને દુનિયામાં ફેલાઈ જવાનું કામ કર્યું છે.પણ મૂળ કોન્સેપ્ટ જૈન ધર્મ નો કહેવાય.છતાં જાણવું હોય તો જાણી લો બુદ્ધ ધર્મ ના સાધુઓ આરામ થી માંસાહાર કરે છે.એક ભિક્ષુ ભિક્ષા માગવા ગયેલો.એ ભિક્ષાપાત્ર  ફેલાવીને ઉભેલો ને ઉપરથી સમડી કે  બીજા કોઈ પક્ષી ના મોમાંથી માંસ  નો ટુકડો પડી ને ભિક્ષુ ના હાથમાં આવ્યો.ભિક્ષુ મુઝવાયો,ભિક્ષાનો અનાદર કઈ રીતે કરાય?ગયો બુદ્ધ પાસે.પૂછ્યું કે કોઈ ભિક્ષા માં માંસ આપે તો શું કરવું?ભવિષ્ય માં ભિક્ષુઓના મનમાં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે બુદ્ધે કહ્યું ભિક્ષામાં કોઈ આપે તો ખાઈ લેવું.ત્યાર થી બુદ્ધ સાધુઓ આરામથી માંસ ખાઈ લે છે.દલાઈ લામા પરદેશ માં માંસ ખાય છે,એમના રસોડામાં ના બને.એ દલાઈ લામાને જૈન દમ્ભીઓ પાલીતાણા બોલાવે છે.દલાઈ લામા સારા માણસ છે.ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જૈન હતા.માટે ગાંધીજી અહિંસા ના માર્ગે ચડ્યા હતા.
                *જૈન ધર્મ ની જટિલ ફિલોસોફી લોકોની સમજ ના આવે તેવી હતી.અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ લોકોને ગળે ઉતરે તેવા નથી.જૈનોને પણ કદાચ ખબર હોતી નથી.સત્ય ની શોધ જુદા જુદા પોઈન્ટ  ઓફ વ્યુ થી કરવી એ થયો અનેકાન્તવાદ.એક સત્ય જુદા જુદા સાત પ્રકારે કહી શકાય એ થયો સ્યાદ્વાદ.મતલબ સત્ય સાપેક્ષ છે.દરેક ના સત્યો જુદા જુદા હોય.ગુજરાત માં ૯ ડીગ્રી થાય તો લોકો બુમો પડે કે ખુબજ ઠંડી છે,ઘણા ફૂટપાથીયા  મરી પણ જાય.જયારે એજ ગુજરાતી અમેરિકા ની -૯ ડીગ્રી પણ સહન કરી જાય.સાયબેરીયા  માં -૬૦ માં જીવતા લોકો ને -૫૦ થાય તો કહેશે આજે વેધર સારું છે ચાલો બહાર આંટો માંરી આવીએ.
        *માનો મેં કોઈ કશું કામ કર્યું.હવે એ સારું કર્યું કે ખોટું?ચાલો સ્યાદ્વાદ ની રીતે જોઈએ.
(૧),,સ્યાદ અસ્તિ—-સારું કર્યું.
(૨),,સ્યાદ નાસ્તિ –સારું ના કર્યું.
(૩),,સ્યાદ અસ્તિ નાસ્તિ—સારું કર્યું,,સારું ના કર્યું.
(૪),,સ્યાદ અસ્તિ,અવ્યક્તવ્ય—સારું કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૫),,સ્યાદ નાસ્તિ,અવ્યક્તવ્ય—સારું નથી કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૬),,સ્યાદ અસ્તિ નાસ્તિ ,અવ્યક્તવ્ય —સારું કર્યું,ના કર્યું ને વર્ણન ના કરી શકાય.
(૭),,સ્યાદ અવ્યાખ્યેય ,,,,કોઈ વ્યાખ્યા ના કરી શકાય.વર્ણન ના કરી શકાય.
         હવે આમાં શું સમજવું?મને સમજાયું તે પ્રમાણે મેં લખ્યું છે.કોઈ જૈન ધર્મ ના વિદ્વાન ને આમાં કોઈ ભૂલ લાગે તો ધ્યાન  દોરવા વિનંતી છે.હું એમનો ચોક્કસ આભાર માની માંરી ભૂલ સુધારીશ.પણ મારા મતે સત્ય સાપેક્ષ હોય છે,રીલેટીવ હોય છે.આઈનસ્ટાઇન ભલે થીઅરી ઓફ રીલેટીવીટી શોધવાનું માન મેળવી જતો.પણ એનો મૂળ કોન્સેપ્ટ ભગવાન મહાવીર નો છે.
               *પણ જૈન ધર્મ જટિલ હોવાથી અને ધર્મપરિવર્તન માં ખાસ વિશ્વાસ ના હોવાથી બહુ ફેલાયો નથી.અતિ સર્વત્રે વર્જયેત ના ન્યાયે લોકો ને પરિવર્તન જોઈતું હતું.એમાં આવ્યા બુદ્ધ.કોઈ પણ નવો કોન્સેપ્ટ આવે એટલે એને કોણ સમજી શકે?સમાજ નો બુદ્ધિશાળી,ઇન્ટેલેજન્સીયા વર્ગ જ સમજી શકે.મહાવીર ના પ્રથમ દિક્ષિતો ૭૦૦ ગણધરો બ્રાહ્મણો જ હતા.બુદ્ધ ના પ્રથમ શિષ્યો પણ બ્રાહ્મણો જ હતા.તમારા સબ કોન્શીયાશ માં સમાયેલો ,તમારા અચેતન માઈન્ડ માં પેઢીઓ થી ઘૂસેલો ધર્મ બહાર કાઢી નવો ધર્મ કે કોન્સેપ્ટ ઘુસાડવો  અઘરો છે.એના માંટે પ્રબળ મનોબળ જોઈએ.એના માટે ભયંકર સમજ શક્તિ ને ઈચ્છા શક્તિ જોઈએ.જેવા તેવા નું કામ જ નહિ.એ પછી ના તો ઘરનો રહે ના ઘાટ નો.મહાવીર ક્ષત્રીય હતા,એમના શિષ્યો બ્રાહ્મણો હતા અને આજે પાળે છે કોણ?જૈન ધર્મ આખો હિંદુ ધર્મ પર આધારિત છે.ખેતી કરીએ તો હિંસા થાય.હિંદુ ખેતી કરી હિંસા નું પાપ માથે લે ને જૈનો અહિંસા નું પુણ્ય કમાય.કોઈ ને મરાય નહિ.બોર્ડર પર હિંદુ ને બીજા સૈનિકો હિંસા કરે બોર્ડર સાચવે  ને અહી જૈનો અહિંસા ના ભાષણો આપે.ખેડૂતો દવાઓ છાંટીને લાખો જીવ જંતુઓ માંરી શાકભાજી પકાવી ને નરક માં જવાના ને જૈનો એ શાકભાજી ખાઈ કતલખાના વિરુદ્ધ નારા લગાવે.હું એવું નથી કહેતો કે કતલખાના ચાલુ રાખો.
               *કોઈ ધર્મ સારી રીતે અપનાવતા બે ચાર પેઢી વીતી જાય.છતાં કોઈ ગેરંટી નહિ.કારણ તમારા અચેતન મન ના સંસ્કાર.જિન્નાહ ના દાદા ઓ લોહાણા હતા.વૈષ્ણવ હતા.જિન્નાહ ના દાદી ઘર માં છાનામાના શ્રીનાથજી ની પૂજા કરતા હતા.વટલાએલા કેટલાય કુટુંબો ને મેં લગ્ન માં હિંદુ તથા મુસ્લિમ બંને વિધિ કરતા જોયા છે.ગણેશ પણ બેસાડે ને નિકાહ પણ પઢે.નમાજ પણ પઢે ને નવરાત્રીમાં ગરબા પણ ગાય.ના ઘરના ના ઘાટ  ના.જૈન ધર્મ નો કર્મ નો  નિયમ બહુ ચુસ્ત છે.જે કર્મ ભોગવવાના જ હોય કોઈ કાલે એમાંથી છૂટવાના નજ હોવ તો આશીર્વાદ કે પ્રાર્થના ની શી જરૂર?માંટે ભગવાન મહાવીરે એમની આખી જીંદગી માં પ્રાર્થના કરી નથી.અને જૈનો રોજ પ્રાર્થના કરે છે.જૈન ધર્મ એ ભક્તિ કે સંગીત નો ધર્મ જ નથી.પ્રસાદ ચડાવવો,બાધાઓ રાખવી એ જૈન ધર્મ માં નહોય.કોઈ ધર્મ એના મૂળ રૂપ માં કદી સચવાતો નથી.એમાં પરિવર્તન આવતા જ હોય છે.મનોવૈજ્ઞાનિક રીતે અચેતન મન ની આંટી ઘુંટી સમજ નારા ધર્મો એ કે એને સ્થાપિત કરનારાઓએ ધર્મ પરિવર્તન માં ખાસ વિશ્વાસ રાખ્યો નથી.છતાં પરિવર્તન એ સંસાર નો નિયમ છે,એ માનવુંજ પડે.સમજણ પૂર્વક નું ધર્મ પરિવર્તન હોય તે જ સારું.બાકી કોઈ મતલબ રહેતો નથી.બાકી નવા અપનાવેલા ધર્મ માં તમારા પુરાણા ધર્મ ના દુષણો તમે પોતેજ ફેલાવવાના છો.તમે ગલત વ્યાખ્યા કરી જ નાખવાના છો.અહિંસા નો ફેલાવો કરના બુદ્ધ ધર્મ ના સાધુ ઓ માંસ કેમ ખાતા હશે?બુદ્ધ ના સંદેશ નો ગલત અર્થ માંસાહારી લોકોએ  કરી નાખ્યો.કારણ માંસ ખાવું એમના લોહીમાં હતું.સૌથી વધારે બુદ્ધ ધર્મ જે દેશોએ અપનાવ્યો છે એ દેશોની પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ નાનું જીવડું પણ ખાવામાં ચીના ઓ કે જાપાનીઓ બાકી રાખતા નથી.એટલા  ક્રૂર તો ગોરાઓ પણ નથી.સીઓલ (કોરિયા)માં ઓલોમ્પિક રમાયેલી.ત્યારે અમેરિકન અને બ્રિટીશ સરકારોએ કોરિયન  સરકાર ને  વિનંતી કરેલી.જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી સીઓલ માં બઝાર જ્યાં માંસ વેચાતું હોય છે ત્યાં વેપારીઓ  કુતરા ના લટકાવે .કારણ અમેરિકન અને બ્રિટીશ પ્રજા કુતરાઓને ખુબ પ્યાર કરે છે.અને ખાવા માંટે લટકાવેલા કુતરા જોઈ નહિ શકે.કોરિયન સરકારે વિનતી માન્ય રાખેલી.એકજ બુદ્ધ નો સંદેશ કે ભિક્ષામાં ચોઈસ ઘુસી નાજાય.ને લોકોએ મન ફાવતો  અર્થ કરી લીધો.
             *ધર્મ પરિવર્તન સહેલું નથી.ઉલટાનું તમે મૂળ ધર્મ ને બગાડવાનું કામ કરશો.એક જૈન ને મેં સાપ ઘરમાં નીકળ્યો હશે તો ભાથીજી મહારાજ ની બધા રાખતો જોએલો.તમારા અચેતન રૂપે જળવએલા સંસ્કાર નીકળશે નહિ ને નવા ધર્મ માં એનું અચેતન રૂપે નિરૂપણ કરી નાખવાના છો.ચલે મૂલ ધર્મ કી  ઓર એ ફક્ત માનવ ધર્મ હોવો જોઈએ.     
             *ધર્માન્તર જરૂર કરો જેવી રીતે ૭૦૦ બ્રાહ્મણોએ જૈન ધર્મ અપનાવીને મહાવીર ના પ્રથમ ગણધરો બનેલા.ધર્માન્તર જરૂર કરો જેવી રીતે સેકડો બ્રાહ્મણો બુદ્ધ ના પ્રથમ શિષ્યો બનેલા.કોઈ ઘેટા,બકરા ની જેમ વાડો બદલવાથી ઘેટું તો એનું એજ રહેવાનું છે,બકરું પણ એનુંએજ રહેવાનું છે.અને પાછી  નવા અપરિચિત ભરવાડ ની લાકડીઓ ફરી થી  ખાવાની.અને અત્યારે પાછા બુદ્ધ કે મહાવીર કે  શંકરાચાર્ય  જેવા ભરવાડો પણ  રહ્યા નથી કે  એમનો માર ખાવાની મજા આવે,એમની લાકડીઓ તમારો ઉદ્ધાર કરે.આ ભરવાડો તો ઘેટાઓની સંખ્યા કેટલી વધે અને એમનું લોહી કેટલું ચૂસવા મળે એનીજ ગણતરીઓ રાખતા હોય છે.તમે ઘેટા તરીકે જીવો એ બુદ્ધ કે મહાવીર ને  પસંદ ના હતું.અહી તો તમે ઘેટા તરીકે જીવો તોજ એમને બખ્ખમ  બખ્ખા છે.જો તમે બદલાવાના જ ના હોવ તો આ વાડો કે પેલો વાડો ખાલી માલિક   કે ભરવાડ બદલવાનો શું અર્થ?અને બદલાવાનું જ હોય તો પણ વાડો નહિ બદલો તોય શું?  
      

રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……

*આ સાક્ષરો ને કોઈ સબ્જેક્ટ ના મળે લખવા માટે તો રામાયણ તૈયાર જ હોય છે. શ્રી ગુણવંત શાહ સાહેબ હજાર વાર રામાયણ અને શ્રી રામ વિષે લખી ચુક્યા હશે. એક ગ્રંથ પણ લખી ચુક્યા છે. છતાં આજે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમનો લેખ વાંચ્યો. હું પણ ઘણી વાર મારા વિચારો ધાર્મિક લોકોને ગળે ના ઉતરે એવા લખી ચુક્યો છું. છતાં જયારે આવા પ્રતિષ્ઠિત સાક્ષરો વારંવાર એકના એક વિષય પર લખી ને જનતાને બોર કરી જ રહ્યા છે, તો મારા વહાલા સુજ્ઞ વાચકો રીપીટેશન બદલ મને પણ માફ કરી દેશે. મારો આશય ફક્ત એટલો જ છે કે રૂપાળા શબ્દો પ્રયોજીને ભોળી જનતા ને કેટલી આસાનીથી ભોળવી શકાય છે, એ બતાવવાનો જ છે. બીજું આપણી હિન્દુસ્તાન ની પ્રજા મોટા લોકો જે કહે તે બ્રહ્મ વાક્ય માની જ લેવાનું એવી માનસિકતા ધરાવે છે. જરાય વાસ્તવિકતા ની ધરતી ઉપર  વિચાર કરતી જ નથી. આ લોકોના નામ એટલા મોટા અને પૂજ્ય હોય છે કે એમની ભૂલો કોઈને દેખાય જ નહિ, અને દેખાય તો માનવા મન ના કબુલ કરે. આજ્ઞાપાલન.
*થોડી મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી લઈએ. એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે,  સાભળે છે,ચાટે છે, સ્પર્શ કરે છે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાયા છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજ નું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. દેશના રાજા, મહાન નેતાઓ, મોટા સ્થાપિત ધર્મગુરુ ઓના અચાર વિચાર, વાણી, વર્તન, ઉપદેશો થી દેશનું, પ્રજાનું, સમાજનું ઘડતર થાય છે. યથા રાજા તથા પ્રજા, પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે. એક નાનો માણસ ભૂલ કરે છે, ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી, અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે. જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ, આખા દેશ ને ભોગવવા પડે છે.
*બીજું શ્રી રામ ને ભગવાન માની ને આ બધું વાંચશો તો ગળે નહિ ઉતરે, એમને માનવ, એક રાજા, એક મહામાનવ, એક સેલીબ્રીટી માનસો તો જ મજા આવશે. જુના જમાનામાં રાજા ને ભગવાન માનવાનો પ્રાચીન સંસ્કૃતિઓ  ભારત અને ચીનમાં રીવાજ હતો.
*હવે શ્રી ગુણવંત શાહના રૂપાળા શબ્દો ની માયાજાળ જુઓ.
               
 (૧)..રામાયણ માનવતાનું મહાકાવ્ય……….. (૨) રામ માનવતાના વિવેક ચુડામણી..
 
શ્રી રામ ખુબજ આજ્ઞાપાલક હતા.ઘણી વાર આંધળું આજ્ઞાપાલન દુખદાઈ હોય છે. આજ્ઞા પાલકો કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોતા નથી. ધરાવતા હોય તો આજ્ઞાપાલનની આદતમાં મૂકી શકતા નથી. જેણે સાંપ્રત સમાજની આજ્ઞા ઓ પાળી નથી, માની નથી એવા લોકોએ જ ક્રાંતિ કરી છે. શ્રી કૃષ્ણ આજ્ઞા પાલક હતા નહિ. મોટાભાઈ બલરામ ને ચતુરાઈ પૃવક સમજાવી એમની આજ્ઞાઓ પાળતા નહિ. પણ આજ્ઞા પાલન કોને ના ગમે? બધાને ગમે. સાચી ને સારી આજ્ઞાઓ પાળવામાં કોઈ જ વાંધો નથી. પણ ગેરવ્યાજબી આજ્ઞાઓ વડીલોની હોય તો પણ દુખ જ આપતી હોય છે. દરેક બાપ ઈચ્છતો હોય કે મારો દીકરો રામ જેવો આજ્ઞા પાલક હોય તો સારું. પછી અમે એને બનવું હોય ફોટોગ્રાફર ને મોકલી દઈએ એન્જીનીયરીંગ માં. મને ખુદ ને સાયંસ અને સાહિત્યમાં રસ પણ કોમર્સમાં ફક્ત ફી ભરી દીધી હતી માટે કોમર્સમાં જવું પડ્યું. ના તો હું સારું કોમર્સ ભણી શક્યો ના સાયંસ અને સાહિત્યની ખંજવાળ હવે (52) વર્ષે પૂરી કરી રહ્યો છું. નેતાઓ પણ રામના જ રથ કાઢશે. એમને પણ પ્રજા રામની જેમ આજ્ઞાપાલક જોઈએ છીએ. જેથી મરે તો પારકા છોકરા મરે ને એમના છોકરા પરદેશમાં ભણતા હોય કે લહેર કરતા હોય. ગુરુઓ પણ રામની કથા વધારે પસંદ કરશે. જેથી ભોળી પ્રજા આજ્ઞાપાલનના ચક્કરમાં એમના રોટલા શેકી આપે. શ્રી કૃષ્ણ ની ખાલી બાલ અવસ્થાની(ભાગવત) કથાઓ જ કહેવાતી હોય છે. મહાભારત ની કોઈ કથાઓ થતી નથી. પૂરું ના વંચાય નહી તો  નાશ થાય એવું પણ ગુરુઓએ ભરાવેલું  છે. આ તો બી.આર.ચોપરાએ સાહસ કર્યું,તે પણ રામાનંદ સાગર કમાઈ જાય ને હું કેમ રહી જાઉં?
 
ચુડામણી એટલે ચૂડલામાનો  મણી. વિવેક એટલે સાચા ખોટાની પરખ. રામ ને શુદ્રો પ્રત્યે માંન કે પ્રેમ  હતો  માટે એમણે શબરીના એંઠા બોર ખાધા. પણ એક શુદ્ર જયારે ભણવા(તપ) બેઠો તો ઋષીઓ એ ફરિયાદ કરી તો શુદ્ર ને સમજાવી ને તપ કરતો બધ કરી શક્યા હોત. રાજા હતા થોડી ધમકી આપી હોત તો પણ માંની જાત પણ બાણ મારી હણી નાખ્યો. ક્યા ગયો વિવેક ને માનવતા? ફક્ત આજ્ઞાપાલન. આગે સોચનેકા નહિ.ટૂંકમાં વાલી નો ઝાડ પાછળ છુપાઈને વધ, વાલી ની પત્ની સુગ્રીવના ભોગવિલાસ નું સાધન બને, રામ સહીત લક્ષ્મણ ને સુગ્રીવ ઉપર કોપાયમાન થવું પડે, અસહાય અંગદની નારાજગી, સીતાજીની અગ્નિપરિક્ષા(ચેસ્ટીટી બેલ્ટ), ધોબી ભાઈના મેણાંથી સીતાજીનો ત્યાગ, ધોબીભાઈ ને ફટકારી સમાજ ઉપર સ્ત્રીઓ પર વિનાકારણ શંકા નહિ કરવાનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી ભવિષ્યમાં ભારતમાં જન્મ લેનારી સ્ત્રીઓને કાયમ અગ્નિપરિક્ષાઓ(ચેસ્ટીટી બેલ્ટ) માં ધકેલી દેવી. ક્યાં ગઈ માનવતા ને ક્યાં ગયો વિવેક?
હવે શ્રી ગુણવંત શાહ સાહેબ કહે છે (૩) સીતા માનવતાની વિમલ વેદના
સીતાજી ને થયેલા બધા અન્યાય ભુલાઈ જાય ને આવા મનમોહક શબ્દો થી. ભૂલી જાવ સીતાજીની પીડા એ તો માનવતાની વિમલ વેદના છે. એટલે શ્રી કાંતિ ભટ્ટ પણ કહેતા હતા કે રામ કથામાં સ્ત્રીઓ વધારે આવે છે. અને સીતાજીની વાર્તાની રાહ જોતી હોય છે. ને એવું પણ કહેતા હતા કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું, પીડાવું, દુખી થવું ગમે છે. એના પર હું એક આર્ટીકલ લખી ચુક્યો છું. ધરતીમાં કોઈ બાળક પેદા થતા નથી. કોઈએ બાળ સીતાજી ને ત્યજી દીધા હશે જન્મ થતા જ. જનક રાજા જેવો કોઈ જ્ઞાની રાજા થયો નથી, એમણે પોતાની પુત્રી તરીકે મોટા કર્યાં. ફરી પાછા રૂપાળા શબ્દોની માયાજાળ પણ એ વાલ્મીકી ની. સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે સુસાઈડ?
 સીતાજી ને પણ સ્વમાન હતું, એમણે રામ ને માફ નથી કર્યા, ફરી પાછા અયોધ્યા નથી ગયા. શ્રી શાહ સાહેબ પહેલા પ્રેમનું મહાકાવ્ય કહેતા હતા. સાચી વાત છે પણ અંતમાં શોકનું મહાકાવ્ય બની ગયેલું.,
*(૪)લક્ષમણ માનવતા નો પુણ્ય પ્રકોપ
(૫)ભરત માનવતાનો તપોનીધી
(૬)હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ
આ ત્રણે આજ્ઞાપાલનના મહારથીઓ, રામના સબમીસીવ  ભક્તો હતા. આ ત્રણેના ચરિત્રો મહાન હતા. આ લોકોના આપેલા બલિદાન મહાન હતા. શ્રી રામ અને સીતાજી નું ચરિત્ર પણ મહાન હતું. પણ રામે આજ્ઞાપાલનના ચક્કરમાં કરેલી  ભૂલો પણ મહાન હતી.
*રામ કથા જગ મંગલ કરની
જગનું ઠીક,ભારતનું પણ મંગલ થયું હોત તો આજે ભારત સુપર પાવર હોત. ભારત આજે બિચારું , ગરીબડું બની ચુક્યું છે. ભારતનું મંગલ થયું હોત તો ૧૦૦૦ વરસ ગુલામી ના વેઠી હોત. રામનું આજ્ઞા પાલન ભારતની રગેરગમાં ફેલાઈ ચુક્યું છે. આજ્ઞા પાલક પ્રજામાંથી ચૂંટાતા નેતાઓ પણ ભયંકર આજ્ઞા પાલક છે. અંગ્રેજોએ કીધું ભાગલા પાડો , નો પ્રોબ્લેમ , જી હુકુમ. જે અંગ્રેજ કદી ભારત આવેલો નહિ, ભારતની ભૂગોળ ખબર નહિ એણે નકશા પર ભાગલા પડ્યા, જી હુકુમ. અલ્યા  એટલું તો કહેવાય ને કે કોઈ જાણકાર ને મુકો આ કામ માટે. પેલા છગને એક જ ગામ વચ્ચે  પણ લીટી દોરેલી છે. હાલ નો ભારત નો જે નકશો જોઈએ છીએ તે ખોટો છે. ડાબી બાજુનું ઉપરનું ટોપચું પાકિસ્તાન પાસે છે. આપણી જ હદમાં વાડ કરવા ગયા ને ચીન નારાજ થયું ને આજ્ઞાપાલન તરત જ બંધ થઇ ગયા. વૃદ્ધ, શક્તિહીન, કામી રાજા ને જુવાન ખણખણતી પત્ની રામ જેવા સીધા પુત્ર ને કેવી ભયંકર આજ્ઞા કરી બેઠા ને આખી જીંદગી બગાડી નાખી. હજુ આજેય દશરથો એના એજ છે. પહેલી વાર અમીરખાન જાહેરમાં સંદેશો લઇ આવ્યો છે કે દશરથો સુધરો. આ મુવીમાં મને કોઈ ખરાબ મેસેજ દેખાયો નથી. પણ ના તો પછી આજ્ઞા પાલન નું શું થાય? પ્રજા બગડી જાય, નેતાઓ ની આજ્ઞા પાળે નહિ, એટલે એનો વિરોધ થયો ને પોસ્ટરો ફાડ્યા. “તારે જમીનપર” ને “થ્રી ઇડીએટ” બનાવીને આમીરે બહુ મોટી છલાંગ લગાવી દીધી છે.
* હા મંગલ થયું છે .બાપુઓનું. રામ કથાઓ  ગાવાની આવડત ના હોત તો કોઈ, મોદીની ભાષામાં  ક્લાર્કમાં પણ ના રાખે. રામનું નામ પવિત્ર તો ખરું જ. રામના નામે પથરા(ભીખારીઓ,અભણો,ક્રીમીનલ્સ) તરી ગયા. રામના રથ કાઢી નેતાઓ નું ભલું ચોક્કસ થયું છે.
*વધારામાં શ્રી ગુણવંત શાહ કહે છે બાપુની રામ કથા થી ભરતીય સંસ્કાર જળવાયા. સાચી વાત છે. સંસ્કારો ચોક્કસ જળવાયા છે, સાથે સાથે શંકા કરવાના
(ચેસ્ટીટી બેલ્ટ), બાળી મુકવાના, કાઢી મુકવાનાં પણ. બીજું એમનું કહેવું છે વ્યસનો અને માંસાહાર  ત્યજવાની પ્રેરણા મળી છે. સાચી વાત છે. પણ એ બાપુની પોતાની સલાહો હશે. રામની નહિ કારણ રામ તો હરણના શિકાર કરતા હતા ને એના ચર્મના વસ્ત્રો સીતાજી ને પ્રિય હતા. એના માંસનું ભોજન કરવું એ જમાનામાં સામાન્ય હતું. વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે જ. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ પણ એમની કોલમ “વાતાયન” માં આનો ઉલ્લેખ પણ કરેલો. પ્રાચીનકાલના આર્યો તદ્દન માંસાહારી હતા. લોકો માને કે ના માને. અને એના લીધે અત્યારે માંસાહાર ની તરફેણ ના કરી શકાય. શું ખાવું એ પોતાની ચોઈસ છે.
*હવે શ્રી ગુણવંત શાહ  બાપુ ને રામાયણ યુનિવર્સીટીના કુલપતિ કહે છે. હવે બાપુ પોતે આપકી અદાલત નામના પ્રોગ્રામમાં રજત શર્મા ને એક ભણતર વિષેના સવાલના જવાબમાં ગર્વતા થી જવાબ આપે છે કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”. લાખો  સાભળનારના અચેતન માઈન્ડમાં આ સંદેશો ઘુસી જવાનો કે ભણતર ની ખાસ જરૂર નથી, ભજન કરો. એક સત્ય ઘટના, ગોંડલ કોલેજની એક વિદ્યાર્થીની ચાલુ કલાસે સંતાડી રાખેલી માળા ફેરવીને રામ રામ ભજતી હોય છે, આ શ્રી કાંતિ ભટ્ટ જણાવે છે. સુજ્ઞ વાચકો વિચારે કે મહાન આત્માઓના વચનો લોકો કેટલા  સહેલાઇ થી અમલમાં મૂકી દેતા હોય છે. નક્કી આ છોકરી બાપુઓના રવાડે ચડી ને ભણતર ને મહત્વ આપતી નથી. જેને મન ભણતર નું મહત્વ ના હોય તેને કુલપતિ ની પદવી?
*બાપુના કોઈ ભક્ત કહેતા હતા કે ધનપતિઓ પાણી ગાળી ને પીવે છે પણ લોકો નું લોહી ગાળ્યાં વગર પી જાય છે. એ હવે વિચારવાનું વાચકો ઉપર. પણ મારું માનવું છે કે આ બાપુઓ તો લોકોનું બ્રેન જ ગાળ્યાં વગર પી જાય છે, એનું શું?
*વચમાં વાચેલું કે મોરારીબાપુ એ એક મંચ પર જુદા જુદા ધર્મોના વડા(નેતાઓ) ઓને ભેગા કરેલા. સારું કહેવાય. પણ એક જ મંચ પર ભેગા થઇ કોઈ નિર્ણય લીધો કે જુદા જુદા વાડાઓમાં વહેચાએલો હિંદુ ધર્મ એક ભગવાન  કે એક સનાતન હિંદુ ધર્મ ને માની પોતે એક થાય ને પ્રજા ને એક કરે?  ના..તો પછી? ખાધું પીધું ને છુટા પડ્યા.
* શ્રી શાહ સાહેબ પાઘડીનો વળ છેડે…એવું લખી કોઈ કવિતા જેવું કરતા હોય છે. આ તુલસીદાસ ને થયે ૫૦૦ વરસ થયા હશે. એ સમયે શ્રી રામની હાજરી હોય તેવી શક્યતા નથી. છતાં ભક્તિ ને અહોભાવના માર્યા લોકો ગાતા હોય કે તુલસીદાસના ભક્તો ગવડાવતા હોય છે કે “ચિત્રકૂટ(કે અયોધ્યા) કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
વર્ષો પછી લોકો અહી પણ ગાવાના છે ચિત્રકૂટ(મહુવા)કે ઘાટ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ, મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર”
*આશરે ૫૦૦ વર્ષ પછી ઈ.સ. ૨૫૦૦ માં વળી કોઈ મારા જેવો બુદ્ધીસાગર(મૂરખ) વિચારશે કે આ રામ ને થયે ૫૦૦૦ કરતા વધારે વર્ષ  થયા ને આ બાપુ તો ઈ.સ.૨૦૦૦ ની આસપાસ થયા હતા, ને લોકો આવું કેમ ગાતા હશે? કે મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. શું રામ અને બાપુ સમકાલીન હશે? આવું બનવાની શક્યતા ૧૦૦% છે. જેવું તુલસીનું થયું એવું બાપુનું કેમ ના થાય? ભારત તો આખરે ભારત જ છે ને?
 *કોઈએ ખોટું લગાડવું નહિ, મેં પોતે શ્રી ગુણવંત શાહ અને શ્રી કાન્તીભટ્ટ ને વર્ષો સુધી વાંચ્યા છે. અને હજુ વાંચું છું. મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો નમ્ર પ્રયાસ માત્ર છે.

નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?
        * કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી.
          *કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી.
         *ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ?
        *હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે.
          *દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના  બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય.
         *હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો  કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો.
            *મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે. 
            *હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં.
           *૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું? 
                        *એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ.

              *આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે.
         
             * મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની?   
         

ગુડ લીશનીંગ,પ્રજ્ઞા અને અદ્વૈતવાદ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા–દિશા ગોહિલ.

*૨૫૦૦ વર્ષ પહેલા ભગવાન બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા(આર્ટ ઓફ ગુડ લીશનીગ)નથી આવડતી એનું શરીર અખાલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા એટલે બુદ્ધી નથી વધતી.એના પછી ઈ.સ.૧૯૧૨ માં ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે એ જાહેર કર્યું કે માણસ ની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.આપણે વડીલોનો હમેશા આદર કરીએ છીએ.કે ભાઈ ઉંમર વધવા સાથે એમના અનુભવોને આધારે એ વધારે બુદ્ધિશાળી હોય છે.પણ જો એમણે સારા શ્રોતા બનવાની વિદ્યા અમલમાં ના મૂકી હોય તો?બુદ્ધી ને ઉંમર સાથે ખાસ લેવાદેવા નથી.
*એક નાનું બાળક જન્મે છે,એ બોલતા શીખે છે બધું સાંભળીને.જો બાળક જનમ થી બહેરું હોય તો ભલે એનું સ્વર તંત્ર સારું હોય છતાં એ બોલતા શીખતું નથી.કારણ એ સાંભળે તો એના બ્રેન માં બધું સ્ટોર થાય પછી બોલતા શીખે.જન્મ થી બહેરું બાળક મૂંગું પણ હોય છે.સંભાળીએ તો આપણે બધાજ છીએ પણ સંભાળવાની કળા કોને આવડે છે,એ મહત્વનું છે.ઘણા લોકોને એમની વાતો કરવામાં જ રસ હોય છે,બીજાની વાત સાંભળવામાં જરા પણ રસ ધરાવતા નથી.
*સ્વામી વિવેકાનંદ ૩૨ કે ૩૩ વર્ષ ની ઉંમરમાં દિવંગત થઇ ગયા.આટલી નાની શારીરિક ઉંમરમાં એમની માનસિક ઉંમર કેટલી?૩૦૦,૫૦૦,કે ૧૦૦૦ વર્ષ?અને એમની સ્મરણ શક્તિ?દુનિયા માં એમના જેટલો મેમરી પાવર ધરાવતો કોઈ હજુ પેદા થયો નથી.અને આદ્ય જગદગુરુ શંકરાચાર્ય પણ એટલીજ નાની ઉંમર માં દિવંગત થયેલા.એટલી નાની ઉંમરમાં એમણે કેટલા બધા પુસ્તકો લખ્યા,ભાષ્યો કર્યા,ટીકાઓ લખી.આખા ભારત વર્ષના તમામ પંડિતોને શાસ્ત્રાર્થ માં હરાવ્યા.અને અદ્વૈતવાદ જેવા વૈજ્ઞાનિકવાદની સ્થાપના કે શોધ કરી.ફક્ત ૮માં વર્ષે સન્યાસ લીધેલો.આમારી પેઢીમાં આઠ વર્ષના બાળકને કશું ના આવડે,હમણા ની વાત જુદી છે.અત્યારે તો આઠ વર્ષ ના બાળકો ખુબજ હોશિયાર હોય છે.પણ લગભગ આઠમી સદીમાં જન્મેલા આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ના જમાનામાં આઠ વર્ષનું બાળક સન્યાસ લેવાની વાત કરે મતલબ એની માનસિક ઉંમર કેટલી હશે?લો ઓફ સીન્ગ્યુંલારીટી શું છે?અદ્વૈતવાદ નથી તો શું છે?ભલે એની શોધ નું શ્રેય  આજના વૈજ્ઞાનિકોના ફાળે જતું.આજના ધર્મગુરુઓને એનું ભાન જ નથી.એમનો ધર્મ આ ખવાય,આના ખવાય,મંત્ર ,તંત્ર અને કથાવાર્તા અને કર્મકાંડો માં જ સમાઈ ગયો છે.દ્વૈત એટલે બે.અદ્વૈત એટલે એકજ.આ જગત માં કશું બે નથી.બધું એકજ છે.પદાર્થ અને એનર્જી એકજ છે.કશું નાશ પામતું નથી ફક્ત રૂપાંતર થાય છે.હુજ બ્રહ્મ છું,અહં બ્રહ્મમાસ્મી,સર્વ ખલુ ઈદમ બ્રહ્મ આજ તો લો ઓફ સીન્ગ્યુંલારીટી છે.નરસિંહ મહેતા કહે છે,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે.
*સારા વક્તા બનતા  પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે.Fort Myers,Florida થી દિશા ગોહિલ લખે છે,I truly believe that a person who is good listener has more chance to learn new things and to learn from mistakes of others.આ લેખ લખવા પાછળ એમની જ તો પ્રેરણા છે. 
*વર્લ્ડ વોર સમયે અમેરિકન સૈનિકોની સરેરાશ ઉંમર ફક્ત ૧૩ વર્ષ ની હતી. 
*તમે કેટલું સાંભળો છો એ મહત્વનું નથી કેટલી ઉત્કટતાથી,તલ્લીનતાથી,ધ્યાન દઈને,એનું મહત્વ સમજી હૃદય માં ઉતારવા માટે સાંભળો છો એ મહત્વનું છે.
*હવે ભગવાન બુદ્ધ ના ઉપદેશ અનુસાર ફક્ત અખાલાની જેમ શરીર વધારવું છે કે પછી પ્રજ્ઞા પણ વધારવી છે?    

અંધશ્રદ્ધા,માતાજીને જીભ ચડાવી.

                           પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ.મારો જાતનો અનુભવ લખું,એક મિત્ર સાથે અમદાવામાં ઘરેણા ને લગતું કામ હતું તો અમે એક સોનીભાઇ ને ત્યાં ગયેલા.ત્યાં એમના મહારાજશ્રીનો ફોન આવ્યો.મહારાજશ્રીને બહાર જવાનું હશે તો કંપની માટે સોની ની દીકરી જે સ્કુલ માં ૧૧કે ૧૨ માં ધોરણમાં ભણતી હશે એને મોકલી આપવા માટે હુકમ ફોન પર કરતા હતા.સોનીભાઈએ સ્કૂલમાંથી એમ રજા નહિ મળે એવા બહાના કાઢ્યા પણ મહારાજશ્રી નાં માન્યાં,સોનીભાઈ નું મોઢું તો બગડી ગયેલું કે આજે દીકરીનો આ મહારાજશ્રી ઉપયોગ કરી લેશે,પણ શું કરે?મહારાજ શ્રીની કૃપા નો ભંગ થઇ જાય.મારી જોડેના મિત્ર અને પેલા સોની ભાઈ ના ગુરુ એકજ હતા.એટલે એ લોકોની વાતો પરથી હું બધું સમજી ગયો.રે હિંદુ તારી લાચારી…હોંશે હોંશે પોતાની પત્નીઓ અને દીકરીઓને ગુરુઓને ધરાવનારા આ દંભી  ભક્તો એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.

શ્રીયંત્ર થી ધન વધે? કે મંત્ર જપવાથી બુદ્ધી વધે?

           પ્રથમ તો આ લેખ વાચી કોઈએ એમની ધાર્મિક લાગણી દુભાવવી નહિ.અને કોઈપણ પૂર્વગ્રહ મનમાં રાખીને વાંચવો નહિ. કારણ આ દેશમાં વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. કોઈપણ મંત્રને વખોડવાનો કોઈ હેતુ નથી. ફક્ત બ્રેઈનની સામાન્ય સમજ આપવાનો પ્રયત્ન જ માત્ર છે.
             માનવીનું બ્રેઈન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે. આખા શરીરનું કંટ્રોલ બ્રેઈન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે. બ્રેઈનના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે. ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે કામ કરતુ હોય છે, એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેઈન વધારે એક્ટીવ હોય છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા, નાતો કોઈ શ્રી યંત્રની પૂજા કરી હતી. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો એ વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સીજન એટલે કે સ્વાસ લેવામાં કોઈ ગરબડ ઉભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ વિભાગમાં ગરબડ થાય છે.
           મહાન વૈજ્ઞાનિક ન્યુટનની કેબીનમાં બેસતો આવો જ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે. એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે. શ્રી યંત્રોની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે. બ્રેઈનને એક્ટીવ રાખવું પડે , ગહન અભ્યાસ કરવો પડે, ચિંતન કરવું પડે. તમે કોઈ ધંધો કે નોકરી ના કરો તો શ્રી યંત્રની સતત પૂજા પણ પૈસા ના આપે. ના તો તમારો માનસિક વિકાસ થાય. આપણે મંત્રો જપવામાજ રહી ગયા. જુના જમાનાના ઋષીઓ આવા નહતા. એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે. સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડમાં સ્ટોર થઇ જાય, બીજું શું થાય? તમને ઊંઘમાં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય, બીજું શું ? બ્રેઈનની આજ કારીગરીનો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો. છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી. લખવાનું બહુ પાછળથી આવ્યું. કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે. હજારો વર્ષોથી , હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે.  આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને, જપીને સબ કોન્શીયશ માઈન્ડમાં સ્ટોર કરીને સાચવેલા છે. આ એક ભગીરથ કાર્ય હતું.  એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.
        દા.ત.ગાયત્રી મંત્રમાં સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે. ઋષિ વિશ્વામિત્રે એની રચના કરી હતી. ઋષિઓને ખબર હશે  કે આ સૂર્યનારાયણ આપણાજન્મદાતા છે. એટલે એમની પાસે બુદ્ધી માગી. એમાં કશું ખોટું નથી. કે  હે ભગવાન મને બુદ્ધી આપજે જેથી હું શાસ્ત્રોનું અધ્યયન કરી શકું. સારું બ્રેઈન આપજે કોઈ ગરબડ વગરનું જેથી હું અભ્યાસ કરી શકું. બધા જોડે સારું બ્રેઈન હોતું નથી કે પછી ઉપયોગ કરતા આવડતું ના હોય. રોજ બેચાર વાર ગાયત્રી મંત્ર બોલી, ભગવાન જોડે સારી બુદ્ધી માગી, એ આપીછે કે નહિ એની ખાતરી કરવા જે તે વિષયના અભ્યાસમાં ખુંપી જવું એજ ગાયત્રી મંત્રનો સાચો ઉપયોગ મને તો લાગે છે.  હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય. તમારા બ્રેઈન માં સ્ટોર થઇ જાય, એનાથી આઈનસ્ટૈનની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ  જાય? એના માટે તમારે એ થીઅરીનો જ અભ્યાસ કરવો પડે. આઈનસ્ટૈનને કોઈ દિવસ મંત્ર જપતા જાણ્યા નથી. બુદ્ધી માગવાથી થોડી મળી જાય, એના માટે સતત અભ્યાસ કરવો પડે. હજારો વર્ષોથી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?  ગાયત્રીના પ્રચારક  અને ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય ખાલી મંત્ર જપીને બેસી નથી રહ્યા. તેઓશ્રીએ વેદો અને શાસ્ત્રોનું ગહન અધ્યયન પણ કરેલું છે. એના લીધે આટલુ બધું સાહિત્ય રચીને આપણા માટે મુક્યું છે. જે તે વિષયનું જ્ઞાન મેળવવા જે તે વિષયમાં ખુંપી જવું પડે. મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગના જ્ઞાનના અભાવે સતત જપીને, કંઠસ્થ રાખીને જીવતા રાખવાના પ્રયત્નોમાં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે, ધન મળી જશે, જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા, અને બાકી દુનિયાથી પાછળ પડી ગયા. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. એક પણ શ્લોકનો અર્થ ખબર નહતી. ફક્ત પિતાશ્રીએ નિયમ રાખેલો કે રોજ બે અધ્યાય વાચવા. ઊંઘમાંથી ઉઠાડી કોઈ પૂછે તો પણ એ શ્લોકો હું બોલી શકતો..
             દુનિયાને શૂન્યની સાથે મેથ્સ, યોગ, આયુર્વેદ, કામસૂત્ર, કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન, લાકડમાંનો કાર્બન લોખંડમાં ઉમેરી  સ્ટેઈનલેસસ્ટીલ બનાવવા  જેવું ધાતુ વિજ્ઞાન આપવાવાળા આપણે પછાત રહી ગયા. ચરક ફીઝીશ્યન હતા, શુશ્રુત સર્જન હતા, કપાળમાંથી ચામડી લઈને યુદ્ધમાં તૂટેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે. વાળના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે. આ બધું મારા ઘરનું નથી લખતો, “પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું?  (ઇન્ડિયન્સ)”, એવી એક યુંરોપીયને  બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. ઘણું બધું હતું એમાં ભારતે દુનિયાને  આપેલ, આતો થોડા દાખલા જ આપ્યા છે.  ક્યાં ભૂલ થઇ આપણી? કેમ પાછળ પડી ગયા?  પી એમ રૂમ, સ્મશાન ગૃહ, લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્રમાં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે. શ્રી યંત્રની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને  મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે, કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે, કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે, એક પોતાની જીભ કાપે છે, બીજો બીજાના અંગ વાપરે છે, બધાને  વિના પ્રયત્ને, સહેલાયથી બધું મેળવી લેવું છે. બ્રેઈનમાં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી. હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી? એક મંત્ર સારી રીતે બ્રેઈનમાં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલનો વિદ્યાર્થી  કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી?  રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?  ગાંડો જ લાગશે. નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી, ધન મળે કે બુદ્ધી વધે. ધન મળે ધંધો પાણી  કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.