શ્રદ્ધા અંધશ્રદ્ધા એક જ.

શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે કોઈ પાતળી ભેદરેખા હોતી નથી પણ વર્ણભેદ ને વર્ગભેદ જેવું હોય છે. 😄😄😄😄આમાંય અમીર ગરીબના ભેદભાવ જેવું હોય છે. અમીરની શ્રદ્ધા કહેવાય એજ વસ્તુ ગરીબની અંધશ્રદ્ધા બની જાય. અમીર હનુમાન ચાલીસા ગાય તો શ્રદ્ધા કહેવાય ને ગરીબ વરેડી ગાય તો અંધશ્રદ્ધા કહેવાય. હાહાહા.. આમાંય પાછો જાતિવાદ હોય છે. ઉચ્ચ વર્ણના લોકો ઢોલકા મંજીરા લઈ ગાંડાની જેમ નાચે ભજન ગાય તો શ્રદ્ધા કહેવાય ભક્તિ કહેવાય ને પછાત જાતિના લોકો ડાકલા વગાડી માતાજીની વરેડી ગાય ને ધૂણે તો અંધશ્રદ્ધા કહેવાય. કોળું કાપો, નાળિયેર વધેરો કે કુકડું વધેરો કે બકરા શ્રદ્ધા એ અંધશ્રદ્ધા જ છે. શ્રદ્ધાનું વિરુધ તો અશ્રદ્ધા થાય અંધશ્રદ્ધા નહિ કારણ જેને તમે અંધશ્રદ્ધા કહો છો એમાં પાછી શ્રદ્ધા તો રહેલી જ છે. આપણે દ્રશ્યમાન લોકો કે વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ રાખીએ જેવા કે માતાપિતા કે શિક્ષક તે અલગ વાત છે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા મોટાભાગે અદ્રશ્યમાન કે કાલ્પનિક લોકો કે વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે જે સર્વથા ત્યજવા યોગ્ય છે વત્સ મારા.. :- રાઓલજી ઉવાચ.. 😂😂😂

One thought on “શ્રદ્ધા અંધશ્રદ્ધા એક જ.”

Leave a comment