રામસેતૂ

રામસેતૂ / Adam’s Bridge

રામસેતૂ પમ્બન આઈલેન્ડ તામિલનાડું અને મન્નાર આઈલેન્ડ શ્રીલંકા વચ્ચે Limestone shoals વડે બનેલો ૩૦ માઈલ લાંબો નેચરલ કોઝવે છે. Adam’s bridge એટલે કહે છે કે શ્રીલંકાની Adam’s peak એટલે આદમ ટેકરી ઉપર આડમભાઈ Garden of Eden ઉપરથી જ્ઞાનનું સફરજન ખાવાની સજા રૂપે ટપક્યા અને આ રસ્તે ભારત આવેલા(ઇસ્લામિક સોર્સ) એટલે આ ભૂશિરને આડમ્સ બ્રિજ પણ કહે છે. આ આડમભાઈ ઉપરથી ભારતમાં પુરુષોને આદમી કહેવાનો રીવાજ છે. પછી આ આદમી ભારતથી ક્યાં ગયેલા “મને ખબર નથી”. કદાચ મિડલ ઇસ્ટ ગયા હશે. જિનેટિક અને આર્કિયોલોજિકલ સાયન્સ કહે છે માનવી આફ્રિકાથી વિકસી યમનના દરિયા કાંઠેથી મિડલ ઇસ્ટ થઈ સીધો ભારત તે પણ પહેલે દક્ષીણ ભારત પહોચી ગયેલો. આડમભાઈએ લંકાથી રીટર્ન મુસાફરી કરી હોય એવું પણ બને.

નાસાએ આના ફોટા મૂકેલા છે એના વડે એ સાબિત ના થઈ જાય કે માનવસર્જિત છે. એવું કહેવાય છે કે ૧૫મી સદી સુધી આના પરથી અવરજવર થઈ શકતી હતી, પછી દરિયાનું લેવલ વધતાં અવરજવર અશક્ય બની હશે. પરંતુ એટલો ઊંડો નથી કે એના પરથી મોટા જહાજ ક્રોસ કરી શકે. દરિયામાં પુલ બનાવવો હોય તો નીચે મોટા મોટા હ્યુજ બીમ ભરવા પડે કે નહિ? પણ એવું કશું છે નહિ. એટલે એવું બને કે નેચરલ કોઝવે જ્યાં વધારે ઊંડો હોય ત્યાં કશું પુરાણ કર્યું હોય. આ કોઝવે લાખો વરસ જૂનો હોય કે ૭૦૦૦ વરસ કોઈ ફરક પડે નહિ. શ્રીરામજી અને શ્રીરાવણજી હશે તો આ રસ્તે હર્યા ફર્યા હશે અને રામજીએ આખો નવો નહિ બનાવ્યો હોય ખાડા ખૈયા પૂર્યા હશે, જ્યાં વધારે ઊંડુ હશે ત્યાં પુરાણ કર્યું હશે એની સાબિતી વાલ્મિકી રામાયણમાં જ છે કે સીતામૈયાનું અપહરણ કરવા રાવણ પિશાચ જેવા મુખ ધરાવતા ગધેડા જોડેલો રથ લઈને લંકાથી આવેલો. મતલબ રથ લઈને અવરજવર કરાય એવો રસ્તો તો હતો જ. ટૂંકામાં પુરાણોમાંથી ઇતિહાસ શોધવા જઈએ તો મહેનત વ્યર્થ જાય એવી છે. ગ્રીક પુરાણોમાંથી કોઈ ઇતિહાસ નહિ પણ સિગમંડ ફ્રોયડ જેવા મનોવિજ્ઞાન શોધે છે, આપણે પુરાણોમાંથી કેમ ઇતિહાસ શોધવાનો પ્રયત્ન કરતા હોઈશું? પુરાણોને સાહિત્ય સમજી આનંદ મેળવો અને જે બોધ લેવા હોય તે લો આપણી કોઈ ના નથી. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, પીએ, યુએસએ.

Leave a comment