અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

18 thoughts on “અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)”

  1. તો ગુજરાતના મંદિરોમાં અધ્યતન સગવડ સાથે તે ગામોની શકલ પણ નરેન્દ્ર મોદીએ બદલી નાખી છે … દ્વારકા – અમ્બાજી – સોમનાથ પહેલા કરતા સાવ અલગ દેખાય છે … એનો અર્થ પણ એમ-જ થાય કે – “મંદિરોની આવકમાં વધારો થાય તે માટે ધસારાને સગવડ અને અંધ-શ્રધ્ધાને પ્રોત્સાહન? …”
    …..
    … “નાં” … મંદિરોના ગામમાં સગવડ વધારવાથી અંધ-શ્રધ્ધા નથી વધતી … પરંતુ વ્યક્તિ-પૂજા અને ઈશ્વરને દ્રવ્ય-રૂપિયા-સોનું ધરાવવાથી વધે છે …અને બીજી તરફ હિંદુ-ફિલોસોફીને જીવતી રાખવી હોય તો લોકોમાં જ્ઞાન કેળવવાની જરૂર છે … અંધ-શ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચેનો તફાવત બાળકો-નાં પાઠ્ય-પુસ્તકોમાં આલેખ્કી અને બદલાવ તરફ જવાની જરૂર છે … તો કદાચ આ દેશ એક અભિમાન સાથે હિંદુ-ધર્મ-ફિલોસોફી સાથે જોડાઈ શકશે … આવો પોઝીટીવ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાય તો અનેકો રસ્તા ઉપર ઉભરાઈ આવતી “નાની દેરી – મસ્જીદ – જીસસનાં ક્રોસ” બંધ થઇ જશે … અને લોકો સાત્વિક-શ્રધ્ધા સહ ઈશ્વરને ઓળખશે …

    Like

    1. Shraddha ej andhshraddha fakt mathanabal jetli patli border je kyare ajanta cross thai jai te aapan ne khabar padti nathi mate shraddha karta shanka sari je thi kari ne jat tapas karya vina aandhlu anukaran to nahi thai.

      Like

  2. લેખને અંતે શાંતિભાઈ કહેલી વાત મને ખૂબ જ યોગ્ય અને પસંદ પડી. ” શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.”

    Like

  3. ગામ ગપાટામા નવું જાણવા મળે છે આમેય
    घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदन चारुगन्धम् ।
    અને
    पश्चोतनं नु हरिचन्दनपल्लवानाम् ।
    ચંદન શીતળ તો છે પણ સ્વાદ કડવો છે

    Like

  4. Excellent article, Bhupendrabhai ! My congratulations to you !

    “શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય”.

    May I add here only two sentences from my side? Here they are, if you will pardon my bluntness, please) :

    Don’t blame the common man. The stupidity of our politicians, people and even some (Hindu) scholars can reach the sky.
    Thanks. —- Subodh Shah — NJ, USA.

    Like

  5. તદન સાચી વાત અને તે પણ ભલભલાં નામાંકિત લેખકોને માટે કોઇ અેક વિષય સામાન્ય માનવીના હૃદય અને દિમાગમાં કેવી રીતે બેસાડવો તેવી લખાણ લખવાની મૌલિક શૈલીમાં. ભારતને ઋષિઓ, મહાત્માઓનો, વેદાંતિનો, ……..દેશ કહીને પોતાના સર્ટના કોલર ઉંચા કરનારાઓને આ લેખ તટસ્થતા સાથે ,વાંચીને, વિચારીને, આજની ભારતની જીંદગી સાથે સરખાવીને સત્ય શોઘવાનું કહેવાનું મન થાય છે. ખૂબ જ અસરકારક પ્રેઝન્ટેશન. અભિનંદન.

    Like

  6. દેશના દેયોર મોદીએ એ હુખડના લાકડાને બદલે લાલુ લાલજી યેદુરપ્પા બાંગારું

    પેલા કોયલાવાળા આદરસ હોસાયટીવાળા ને ભજનમંડલી વાલા ભાજપિયા એમ

    બધાય ભેગા મલી પચાસ ટન હુખડ નહિ હું-ખડ (હું ઘાસ) જેવાને નેપાળમાં

    પધરાવ્યા હોત તો એટલું નકામું ખહલું (ઘાસ) દેહમાંથી ઓછું થાત

    Like

  7. દરેક વસ્તુને ઉંધેથીજ જોવાની ટેવ છોડવી પડશે… મોદીએ જે આપ્યું, તે જે દેશની મુલાકાત લ્યે ત દેશના વ્યવહાર પ્રમાણે આપ્યું હશે… ૧૭ વરસ સુધી કોઈ વડા પ્રધાન નેપાળ ન ગયાં, તેને માટે તો કોઈ પુછતું નથી…. મોદીએ કાંઈ નવો ચીલો પાડ્યો હોય તો જુદી વાત છે, બાકી તો જે પરદેશમાં બીજા દેશનો કોઈ પણ વડો જાય અને તે દેશનું દિલ જીતવું હોય તો એ દેશના રીતરિવાજ પ્રમાણે વર્તવું પડે, એ વખતે ચોઘડીયુ કે ટીપણું ન જોવાય, કે ના ભઈ, અમારા દેશમાં આવું નથી માટે તમારા દેશમાં પણ ન હોવું જોઈએ…. ૧૦ વરસ સુધી અમેરીકામાં મોદી અસ્પૃશ્ય હતાં, તે અચાનક કેવી રીતે શુધ્ધ થઈ ગયાં…. અને એયતે કોઈ પણ શુધ્ધિકરણની ક્રિયા વગરજ….!!! સમય અને સંજોગ પ્રમાણે વર્તવું જોઈએ, જેવો દેશ તેવો વેશ…. ભારતમાં ગોઠણ ઉપરનું ધોતિયું-અર્ધી બાંયની બડી, સ્ત્રીઓ સાડલો-સાડી પહેરતી હતી, કે કુમારીકાઓ ઓઢણી ને ચણીયો-પોલકું પહેરતી હોય તે અહીં અમેરીકામાં હમેશા પહેરી રખાય છે…??? શા માટે અહીં ભારતની સ્ત્રીઓ પણ પેન્ટ એ શર્ટ-ટીશર્ટ કે શોર્ટ પહેરતી હોય છે….. દરિયો પાર કરનારા ન્યાત બહાર મુકાતા, હજી એવું ચાલે છે…??? એટલે સંજોગ અને પરદેશની પ્રથા પ્રમાણે વર્તવું જરૂરી છે…. અને ચંદન અને ઘી ક્યાં રોજનું કે કાયમનું દેવાનું છે…..એકજ વાર આપીને દોસ્તી કરી એ સારુંજ છેને.. નહીં તો નેપાળને ગળી જવા ચીન તૈયારજ છેને….

    Like

  8. @mdgandhi21 દરેક વસ્તુને ઉંધેથી જોવાની ટેવ છોડવી પડશે., વાત સાચી પણ મોટા ભાગે આવો બચાવ મોદી કરે ત્યારે જ લોકો કરે છે., આની જગ્યાએ કોઇ બીજાએ કર્યુ હોત તો કદાચ બહુ મોટો ઉહાપોહ થયો હોત., અને બીજુ કે અહીં ડોશી મરે તો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય તેવો ઘાટ પણ થાય છે., મોદીએ કર્યુ એટલે બીજા લોકોએ પણ કરવુ અથવા બીજા પ્રધાન મંત્રી પણ આ રસ્તો અપનાવે તો આખરે સુખડના બચેલા વૃક્ષો પણ નાશ પામશે., ઓબામા કે બીજા અનેક દેશના પ્રતિનિધી આપણે ત્યાં આવે ત્યારે કોઇ મંદિરમાં આવુ દાન ચડાવતા આપણે જોયુ નથી કેમ? તેઓએ આપણા દિલ જીતવા માટે આપણા રીતરિવાજ ના અનુસરવા જોઇએ? આ તો જસ્ટ ચર્ચા છે તમે પર્શનલી લઇને ખોટુ ન લગાડતા કે અાના લીધે હું મોદીનો વિરોધી છુે એવુ પણ ન માનતા., મેં પોતે પણ મોદીને જ વોટ આપેલો પણ એના લીધે એ જે કાઇ નિર્ણય કરે તે યોગ્ય જ હોય તેવુ માની ન લેવાય., તે પણ એક માનવી જ છે…., આપણે એના સારા કામના સો ટકા વખાણ કરવા જ જોઇએ છીએ તેમ તેના ખોટા કામની કે આપણે લાગતા ખોટા કામની ટીકા પણ કરી જ શકીએ ને!

    Like

  9. આજે હિંદુ ધર્મ અને હિંદુ ધર્મભાવનાને વગોવવાનાજ પ્રયત્નો થયા કરે છે, અને એ પણ જેઓ ધર્મમાં નથી માનતા એવા રેશનાલીસ્ટો દ્વારા, જેઓ માત્ર ધર્મમાં જ નથી માનતાં એવું નથી, પણ, હિંદુ ધર્મનું નામ બોલવામાં પણ અભડાઈ જતાં હોય છે અને જેમને હિંદુ ધર્મમાં કાંઈ પણ સારાપણું લાગતુંજ નથી અને હિંદુ ધર્મની બદબોઈ કરવા સિવાય કાંઈ દેખાતુંજ નથી તેવાઓ પણ બોલવામાં, લખવામાં, ચોવટ કરવામાં ધર્મ, ધર્મ, ધર્મ……… ધર્મનુંજ નામ લઈને ધર્મ, ધર્મ, ધર્મ—–અને માત્ર હિંદુ ધર્મનેજ વગોવવાનું પુંછડું ચોવીસે કલાક પકડી રાખે છે, છોડતાંજ નથી…

    નીચેની લીંક વાંચવા જેવી છે……

    http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137207

    Date: Sun, 17 Aug 2014 04:10:30 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

    1. ધર્મ શું છે ખબર છે? તમારો ધરમ ટીલા ટપકામાં સમાઈ ગયો છે. એક ઓક્સિજન સાથે અમુલ્ય સુગંધ અપાતા વૃક્ષ ની હત્યા કરવામાં તમારો ધર્મ સમાઈ ગયો છે? ભારત સરકારે ખુદ ચંદનનાં લાકડા કાપવાની અને નિકાસ કરવાની મનાઈ ફરમાવેલી છે. કેમ? ભારત સરકારના નિયમનો ભંગ એનો પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યો છે. અમે મોદીના પ્રસંશક છીએ. પણ અંધ ભકત નથી. સમજ્યા?

      Like

    2. shree m d gandhi
      hindu dharma hoi ke koi pan dharma hoi badhana j ( kahevata ke pachhi banavela ke pachhi bani bethela bhagvano ) na karmo joiye to teo khare khar pujva yogya hata khara ? aana mate ( raolji.com ) ma tatudi vibhag ma ( aapnu kalank ) vanchava vicharva yogya lekh chhe ane kharekhar to duniya ma manavta jevo koi dharma nathi ane rationalisem manavta sikhave chhe
      hhal ma j modi e jitya pachhi ganga suddhi karan na name praja na ek lakh karod no plan banavyo chhe biji baju ganga aarti na name te potej ganga ma pradushan vadhare chhe ganga ne pradushan mukta karva mate garib deshe paisa bagadva
      ni jarur nathi pan kahevata santo mahanto bava bamta pujario pandao mathadhikario kathakaro vagere na mansik pradushan sudharvani jarur chhe toj praja andhshraddha mathi bahar nikalse ane karmakand na nane pradushan ghatadse jem ke ( kahevata ) satya narayan ni katha pachhi pujano saman nadi na vaheta pani ma nakhva ni brahaman salah aape chhe asthi padhravva ni salah pan brahmano dwara j apai chhe hindu dharma ma karma kand dwara aad katri rite pap karva nu protsahan apai chhe jem ke amuk tamuk vidhi karva thi ke amuk tamuk mantro na jap thi ke ganga snan karvathi pap nash pame chhe tukan ma kahevu hoi to karma kand thaki desh ni nadi o ni avdasha ma vadharo thayo chhe ane praja na samay shakti ane dhan no naryo bagad sivai koij labh nathi……..

      Like

    3. Hindu dharma ma vakhanvajevu su chhe tila tapka karine karmavimukh thai ne karmakandi banave chhe ane tena karanej aaje desh ni aa halat thai chhe modi e Ganga aarti kari tema pan prajana paisanu panij karyu ane Ganga suddhi karan na name fadvela 1000 karod mathi Ganga to suddh na thase pan ketla neta ane ooficer asuddh thase te aavnaro samay batavse Gujarat ma ketlo vikas chhe te tya na umargam thi ambaji no purviya patto juvo toj khabar pade.

      Like

  10. Me RSSni shakhama jata mara nephew na vicharo 20 varsho pahela sambhaline pratibhav aapel ke jo BJP nu etle ke RSSnu shashan aa deshma aavyu to Gandhijinu karyu karvyu badhu dhulma mali jashe ane aapno desh 18mi na na…16mi shadima pachho dhakelai jashe…ane pachhi 100 gandhi janma leshe to pan sudhari nahi shake…Modini dharmikatanu mul to chhevte Rssni galthuthi j chhe!!!Jeva deshna bhagya!!!!!!!!!

    Like

  11. Well display and articulate Raolsaab. Mr. MDGandhi missed points here. I do agree with your comment of “મોદીએ જે આપ્યું, તે જે દેશની મુલાકાત લ્યે ત દેશના વ્યવહાર પ્રમાણે આપ્યું હશે” However, I disagree to your comment “આજે હિંદુ ધર્મ અને હિંદુ ધર્મભાવનાને વગોવવાનાજ પ્રયત્નો થયા કરે છે, અને એ પણ જેઓ ધર્મમાં નથી માનતા એવા રેશનાલીસ્ટો દ્વારા, જેઓ માત્ર ધર્મમાં જ નથી માનતાં એવું નથી, પણ, હિંદુ ધર્મનું નામ બોલવામાં પણ અભડાઈ જતાં હોય છે અને જેમને હિંદુ ધર્મમાં કાંઈ પણ સારાપણું લાગતુંજ નથી અને હિંદુ ધર્મની બદબોઈ કરવા સિવાય કાંઈ દેખાતુંજ નથી તેવાઓ પણ બોલવામાં, લખવામાં, ચોવટ કરવામાં ધર્મ, ધર્મ, ધર્મ……… ધર્મનુંજ નામ લઈને ધર્મ, ધર્મ, ધર્મ—–અને માત્ર હિંદુ ધર્મનેજ વગોવવાનું પુંછડું ચોવીસે કલાક પકડી રાખે છે, છોડતાંજ નથી…”

    Regardless of what religion you follow, point is to be ‘real’ and ‘rational’. We must stop praticing activities which has no meaning in today’s world. Furthermore, we should teach our future generation what is practical in their life..

    Ladies in USA should not wear ‘Ghagra-Choli’ in main stream as you have indicated because it is not practical nor it fit in to main stream of USA living style. We are Indian or Gujarati in our home, we can practice our ‘paramparaa’ in our home. Once we are outside of our home, we are equal to those citizen of country which we live in. We are American if we live in America. Ghaghra- Choli or Dhoti Banyan-Kurta is not American dress outfit. Theirfore, we should wear as you have indicated in your comment.

    Like

  12. બહુ સરસ ચર્ચા કરવામાં આવી છે.પણ જે મિત્રોએ અંગ્રેજીમાં ગુજરાતી લખ્યું છે વાંચવાનો કંટાળો આવે છે.આ મિત્રોને વિનંતી કે ગુજરાતીલેક્સીકોન.કોમ ઉપર જઈને ડાઉનલોડ કરીને લખવા પ્રયત્ન કરશે તો જરુર ફાવી જશે.મેં મારા લેપ ટોપમાં ગુજરાતી હિન્દીમાં લખવા માટે શ્રીઉત્તમભાઈ ગજ્જરની બહુ મદદ મેળવી છે.જરુર પ્રયત્ન કરશો એવી વિનંતી.

    Like

Leave a comment