આ પથ્થર ઉપર પાણી કોણ છાંટી ગયું?
હેત ભરેલું હૈયું અહીં કોણ ઠાલવી ગયું?
દિવસે તો અશ્રુ વહી શકતા નથી અહીં,
પણ રાતે નીંદરમાં મને કોણ રડાવી ગયું?
રણમાં વસેલા આ સુકા તરુવર પર,
હેતની હેલી જાણે કોણ વરસાવી ગયું?
પાનખરના બદલાતા રંગોની ભીડ મહી,
વળી અહીં કેસુડાંના રંગ કોણ છાંટી ગયું?
જીવનસાગરમાં પડ્યા એકલા અટુલા,
હૈયાનાં તાર આ કોણ ઝંકૃત કરી ગયું?
ન મળ્યા છીએ, કદી ના મળવાની આશછે,
મને કૃષ્ણ સમજી આ મીરાં કોણ બની ગયું?