Category Archives: વિચારવા વિનંતી

અમેરિકાનો ગંદવાડ ભારતમાં,,,,,,પેપ્સી ને કોલા…

આપણા આ બ્લોગ જગત માં ક્યાંક વાચેલું કોઈના અભિપ્રાય માં કે અમેરિકાથી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે.વાત તો સો ટકા સાચી છે.એના માટે જવાબદાર કોણ?એના માટે અમેરિકા જવાબદાર છે?હશે મારી ના નથી પણ આ ગ્લોબલ વર્લ્ડ ના વ્યાપાર જગત માં કેટલાને ના પડી શકશો?પેપ્સી,કોલા અને ફેંટા ને કાઢી મૂકી છતાં પાછી આવી.એના માટે આપણે પણ એટલાજ દોશી છીએ.બરોડા માં હું રહેતો એ પોળમાં ખાલી મારા ઘર આગળ કોઈ કચરોકે એઠવાડ ફેકે તો તરતજ હું ઝગડી પડતો,ઘર આગળ ઘરમાં નહિ.એ કચરો મેં બીજા કોઈ કામ માં વાપર્યો હોત તો?તો રોજ લોકો નાખી જાત.અને એ કચરો વાપરવાના બદલામાં મેં નાખવા વાળાને પૈસા આપ્યા હોત તો એને તો મજાજ પડી જાય.તો એ બીજી જગ્યાએથી ભેગો કરી કરીને મને વેચી જાત અને રૂપિયા બનાવત.હવે એજ કચરાને સચિન તેંદુલકર કે બચ્ચન સાહેબ પ્રમોટ કરત તો હું વધારે ને વધારે લેત અને મારો એ પાડોશી અને તેંદુલકર અને બચ્ચન બધા કેટલા ખુશ થાત અને પૈસા પણ ખુબ બનાવત.અને મારું શું થાય? નુકશાન.હવે  આખી વાત સમજો એમાં મારો વાંક વધારે કે પડોશીનો?કે પછી કચરાને કચરો ના માની સારી વસ્તુ છે એવી જાહેરાત કે પ્રમોટ કરી પોતાના સ્વાર્થ માટે પૈસા બનાવનારા તેંદુલકર કે બચ્ચન  નો વાંક?અને પછી હું બહાર જઈ બુમો પાડું કે અમેરિકા થી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે એનો શું અર્થ?ગંદવાડ વાપરો છો શું કરવા?ભારત ની પ્રજા પોતાને સૌથી વધારે બુદ્ધિશાળી સમજે છે.તો પછી એ ગંદવાડ ને પ્રમોટ કરનારાઓને હીરો માની પૂજા કેમ કરે છે?બચ્ચનસાહેબ બીમાર પડે તો આખું ભારત જાણે એમના વગર ભારતનો ઉદ્ધાર જ ના થવાનો હોય તેમ મંદિરોમાં જઈને પુંજા,પ્રાર્થના કરેછે.કોઈ સૈનિક કે ત્રાસવાદ સામે લડતા વીરગતિ પામેલાને કોઈ યાદ કરે છે?સંસદ પર હુમલો થયો એમાં માર્યા ગયેલા ની આઠમી વરસી વખતે કોઈને સમય મળ્યો કે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ કે એમના કુટુંબીજનો શું કરે છે એની કોઈએ દરકાર કરી છે?એમના શ્રદ્ધાંજલિ ના પ્રસંગે હાજર રહેવાનો પણ કોઈ મહત્વના નેતા ને સમય મળ્યો નથી,નથી સમય મળ્યો બચ્ચન સાબ ને કે નથી મળ્યો તેંદુલકર ને.જે ખરા હીરો છે એ લોકોમાટે કોઈની પાસે સમય નથી.
 *પેપ્સી કે કોક થી સંડાશ કે બાથરૂમ સારું સાફ થાય હો!જરા ટ્રાય કરી જોજો.કેમ?એનો પી.એચ. ઉંચો છે.અમેરિકા માં રહેતા મારા છોકરાઓ હું સોડા હાથમાં લઉં તો આંખો કાઢે છે.અહી કોઈ કોકા કોલા કે પેપ્સી એવું ખાસ બોલતું નથી,બધા સોડા કહે.અહી ક્રિકેટ રમતો મારો દીકરો કદી પેપ્સી કે કોક પીતો નથી.અને મને પણ પીવા દેતો નથી.પેપ્સીના એક એકઘૂંટડે તમારા દાંત પરથી એનેમલ નું પડ થોડું થોડું ઓગળતું જાય છે.તો તમારા હોજરી ને આંતરડાની શું દશા થતી હશે?હવે કોઈ ગમેતેટલું પ્રચાર કરે. શું ખાવું ના ખાવું તમારે જોવાનું છે.કોઈ ઝેર વેચે કોઈ લાડવા શું ખરીદવું એ તમારે વિચારવાનું.
*ફક્ત એક દિવસ બધા સમજીને પેપ્સી ના પીવે તો?બીજા દિવસે પેપ્સી કંપની બિસ્તરા બાંધવા માંડે.અને એકજ અઠવાડિયું ના પીવે તો?કંપની એની જાતે કોઈને કહ્યા વગર ભાગી જાય.અને કોઈ હીરો સામેથી પૈસા આપેકે મને તમારી એડ માં લો તો પણ ના પાડી ભાગી જાય.પણ એવું તો થાય નહિ આપણાં ભગવાન જાહેરાતો માંથી પૈસા બનાવતા હોય એમનું શું થાય?આપણે ગાંડા થઇ ને ક્રિકેટ જોઈએ,ફિલ્મો જોઈએ,અને એની જાહેરાતો માંથી પ્રેરણા લઇ કચરો ખાઈએ પીએ.એટલે તો આ લોકો પૈસા બનાવે છે.એટલે તો એડ કંપનીઓ એમને કરોડો રૂપિયા આપે છે.એટલે તો એ લોકો રમત માં ધ્યાન આપ્યા વગર ફિક્ષિન્ગ માં પડી જાય અને વધારે રૂપિયા બનાવે છે.તમે જોવાનું બંધ કરો કોઈ એમને એક કાણીયો પૈસો પણ ના આપે. અહી તમે મેચ જોતા તમારું બીપી વધારો કે હમણા ભારત જીતી જશે બસ એક ચોક્કો કે છકો. અને આ લોકો તમારી લાગણીયોની પરવા કર્યા વગર ફિક્ષિન્ગ કરી બેઠા હોય અને વિકેટ ફેંકી હારી જતા હોય. 
*જંક ફૂડ ને ગાળો દઈએ છીએ પણ તમને કોણ કહે છે ખાવા જાવ?કોઈ ઘેર થી પોલીસ ની જેમ પકડીને તો મેક ડોનાલ્ડ માં નથી લઇ જતું ને?તમે ખાવા નહિ જાવ તો એ લોકો થોડી રાહ જોઈ તરતજ ઉચાળા ભરી જશે.કોઈ એક પૈસાનું નુકશાન વેઠવાના નથી.
*શ્રી કાંતિ ભટ્ટ પરદેશી કંપની કારગીલ અને મોન્સાટો ની વાત કાયમ કરતા હોય છે કે આ લોકોએ ભારતમાં હાઈબ્રીડ બિયારણો ઘુસાડ્યા ને વંઠેલા રીગણ ની વાત કરે છે કે એમાં કોઈ ગુણવત્તા કે સ્વાદ નથી.સાચી વાત છે પણ મારું એવું કહેવું છે કે લોકો એ રીંગણ ખરીદેજ નહિ કે ખાય નહિ,એના વગર એકાદ સીજન કઈ મરી ના જવાય.તો તરતજ એની અસર પડશે.ખેડૂત ને એના રીંગણ વેચાશે નહિ તો ફરી વાવશે નહિ.અને પેલી કંપનીના બિયારણ ખરીદવા જશે નહિ.આ બધી કંપનીઓને ઉચાળા  ભરાવા માટે એકજ સીઝન પુરતી છે.પણ શક્ય નથી કેમ કે બધા ને સમજાવા કોણ જાય?કોઈ ધર્મગુરુ જાહેર કરેકે રીંગણ ખાવા પાપ છે તોજ શક્ય બને.પણ પેલી કંપની પાછી ગુરુજીને રૂપિયા આપી દેતો?ગુરુજી કહેશે રીંગણ ખાવ સ્વર્ગ મળશે તો પત્યું. શ્રી કાન્તીભટ્ટ નો કકળાટ ખોટો નથી.પણ લોકો સમજે તોને.ઘણી બાબતોમાં હું એમનો કડક આલોચક પણ છું.
*હવે એક સ્પસ્ટતા કરી લઉં કે અહી તેન્દુલકર કે બચ્ચન સાહેબ ના નામ વાચી કોઈએ પોતાની લાગણી દુભાવવી નહિ.આ તો દાખલા તરીકે છે.બધા ના નામ ક્યાં લખું?તેંદુલકર એના ક્ષેત્ર માં અને બચ્ચન સાહેબ એમના ક્ષેત્ર માં મહાન છે.પણ આ બધા કરતા મારા માટે વધારે મહાન શ્રી અનિલકપુર છે,કારણ એ આવી કચરાની જાહેરાત માંથી કરોડો રૂપિયા બનાવી શકતા હતા પણ બનાવ્યા નથી.કદાચ એ કોઈ ખાસ એડ માં આવ્યા હોય એવું જાણ્યું નથી.
*સાર એ છે કે કચરો તમે ઉપયોગ માં લોછો એટલે જ આ લોકો વેચે છે.ઉપયોગ માં લેવાનું બધ કરશો તો વેચવાનું બધ થશે ,તો પછી અમેરિકા થી આવતો ગંદવાડ બધ થઇ જશે.
*જાણ ખાતર અમેરિકામાં  પેપ્સી કંપનીના સી.ઈ.ઓ Indra Nooyi ભારતના છે. એમનો ૨૦૦૮ ની સાલ નો કુલ પગાર કે આવક ૧,૩૩,૮૨,૦૩૫.૦૦ ડોલર હતો.હવે આજનો ભાવ એક ડોલરના આશરે ૪૬ રૂપિયા છે તો રૂપિયામાં ૬૧,૫૫,૭૩,૬૧૦.૦૦ રૂપિયા થાય છે.તમારા આંતરડા અને હોજરી ને દાંત બગાડવાની આટલી કિંમત એમને ચૂકવાય છે.અને દુનિયા ના ત્રીજા નંબર ના પાવરફુલ સ્ત્રીઓમાં ગણાય છે. પણ એમાં હું એમનો જરાપણ દોષ જોતો નથી,દોષ આપણો છે.અને આપણે એમને જોઇને ગર્વ અનુભવીએ છીએ. હવે એમનો ફોટો પણ જોઈલેજો.   

પાવાગઢ ના રાજા પતાઈ,,,,,,,,,,,,માતાજીનો છેડો.

પાવાગઢ ના રાજા પતાઈ વિષે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે.પતાઈ રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશ નો પાવાગઢ નો લોકપ્રિય રાજા હતો.માતાજીનો પરમ ભક્ત,મહાકાળીના મંદિરમાં દશન કર્યાં વગર પાણી પણ ના પીવે.હવે સમજો મહમદ બેગડા એ પાવાગઢ ના કિલ્લા ને જીતવા ખુબ પ્રયત્નો કર્યાં,પણ પાવાગઢ નો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો.પાવાગઢ નું ભૌગોલિક સ્થાન જ એવું હતું.કિલ્લા માં પેસવાના ગુપ્ત માર્ગ મળે તોજ જીતાય માટે કોઈને ફોડવો પડે અને જયારે પ્રજા માં પ્રિય હોય તો કોઈ ખૂટલ થાય નહિ.
*હવે સમજો માતાજી કોઈ વ્યક્તિ નથી.શક્તિનું અને સ્ત્રીતત્વ નું એક પ્રતિક માત્ર છે.એની પૂજા કરવી એ એનું બહુમાન આભાર વ્યક્ત કરવાની રીત છે.એનર્જી નો સદુપયોગ થાય એજ માતાજી ની ભક્તિ કહેવાય.હવે મહમદ બેગડાએ રાજ રમત રમી,શીઘ્ર કવિઓ જોડે કવિતાઓ બનાવડાવી,ગરબા રચાવ્યા કે માતાજી ગરબો રમવા પધાર્યા ને પતાઈ રાજા એ માતાજીનો છેડો પકડ્યો.હવે જે માતાજી નો પરમ ભક્ત હોય,માતાજીના દર્શન કર્યાં વગર પાણી પણ ના પીતો હોય એ આવું કરે ખરો?અને પહેલી વાત કે માતાજી વ્યક્તિ બની ગરબા રમવા આવે ખરા?માતાજીએ શ્રાપ આપ્યો,એવી અંધ માન્યતા કવિઓ અને વાર્તાકારોએ ફેલાવી અને પતાઈ રાજાને ખરાબ ચરિત્રહીન સાબિત કરી દીધો.લોકો વિરુદ્ધ માં ગયા,અને હવે તો અનો નાશ થવો જોઈએ એવું માની ગુપ્ત રસ્તા બતાવી દીધા અને પાવાગઢ નું પતન થયું.એના વારસદારો  ભાગ્યાં.અને આજુબાજુ છુપાઈ ગયા પછી ચાન્સ મળતા પછી પોતાની ગાદીઓ સ્થાપી.દેવગઢબારિયા પતાઈ રાજાના વારસદારોએ સ્થાપેલું.ત્યાંના મહારાજા જયદીપસિંહ લોકસભા ના સભ્ય હતા,સ્પોર્ટ ઓથોરીટીના ચેરમેન હતા,જયપુર ના રાજકુંવરી જોડે એમના લગ્ન થએલા.
*     આવીજ એક બીજી અંધ માન્યતાની વાત કરું તો જયારે મહમદ ગજની સોમનાથ પર ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો કહેતા હતા આમારા શિવજી ત્રીજું નેત્ર ખોલશે એટલે બધા ભસ્મ થઇ જશે.બધા લિંગ ને બચાવવા લપેટાઈ લપેટાઈ ને કપાઈ મર્યા પણ કોઈએ તલવાર નાં ખેચી.પથ્થર ને ભગવાન માનીએ એમાં ખોટું નથી.પણ એ પથ્થરનું લિંગ જે મેલ જેનેટલ અંગ અને જલાધારીએ પાર્વતી ની યોની છે,આ સર્જન નું પ્રતિક માત્ર છે એની પાસે બધાને ભસ્મ કરી નાખવાની આશા રાખવી મુર્ખામી છે.આવી અંધ માન્યતાઓ ફેલાવવા વાળા કરતા એને માનવાવાળા મોટા ગુનેગાર છે.
*લોકોને જાણે અંધશ્રદ્ધા વગર ચાલતું જ નથી એવું લાગે છે.જાણે જીવવામાટે કોઈ સહારો જોઈતો હોય.જાણે કોઈના સહારે જ જીવાય બાકી મરી જવાય.અને પાછો દરેકનો વારા પછી વારો આવતો હોય છે.કોઈ વાર સંતોષી માતાનું ચાલે કોઈ વાર દશામાનું.હવે સંતોષીમાતા ને કોઈ ખાસ યાદ કરતુ નથી.ક્યાં ગયા?વાતો પણ કેવી વ્રત કે કથા ના કરી તો બારે વહાણ ડૂબી ગયા સમુદ્રમાં.અને કથા કે વ્રત કર્યાં તો ડૂબેલા જહાજ પાછા આવી ગયા.ટાયટેનીક ને જરા પુછોતો કે દરિયો કોઈને છોડતો નથી ડૂબ્યા તો ગયા.
*સર્વાઈવલ ના યુદ્ધ માં નબળા પડ્યા તો ગયા.કોઈ ભગવાન પણ બચાવવા ના આવે કારણ એ નિયમ એણે બનાવ્યો છે.અને ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખાજ છે.ભારતીયો એને વહાલા હોય અને બીજા ના હોય એવું ના હોય.માણસ વહાલો હોય અને બીજા પ્રાણી ના હોય એવું નહોય.કુદરત માટે બધા સરખાજ છે.એવું જ હોત તો ગજની જીત્યો ના હોત.મુસલમાનોએ હજાર વરસ રાજ ના કર્યું હોત કે અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત જો તમે મહાન ધાર્મિક લોકો પ્રભુને વધારે વહાલા હોત તો.   

ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.

ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી. આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા? સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતાઓ ની જ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળાઓના હાથમાં છે.આ પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કર્યા કરશે,નેતાઓની ખુશામત કર્યા કરશે તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કર્યા પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.એલ.સી.એ. નો પ્રોજેક્ટ  સંયુક્ત હતો,એ આપણાં વૈજ્ઞાનિકોએ જાતે પૂરો કર્યો. આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના માનમાં  એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવાવાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડા શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.જોકે વૈજ્ઞાનિકોને પણ પડી જ હોતી નથી કે કોઈ એમના ગુણગાન ગાય અને પ્રસિદ્ધી આપે.એ લોકોતો એમના કામ માં મસ્ત હોય છે.એ લોકો ક્યારેય ફરિયાદ પણ નથી કરતા.કરુણતા એ છે કે જે છાપાવાળા એમને પ્રસિદ્ધી આપવામાં રસ નથી ધરાવતા એજ છાપાવાળા ફરિયાદ કરે છે કે ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.આતો ભાજપ ને થોડી સદબુદ્ધી સુજી કે અબ્દુલકલામ ને રાષ્ટ્રપતિ બનાવ્યા.પણ કોઈ સાયંસ કે એવા કોઈ ખાતા ના કેબીનેટ પ્રધાન બનાવ્યા હોત તો વધારે ફાયદો થાત.એમનો કોઈ રાજકીય હેતુ હશે એટલે રબર સ્ટેમ્પ જેવું પદ આપી દીધું .કદર ની કદર અને ડખલ તો ના કરે.ગુજરાત ના પનોતા પુત્ર એવા સામ પિત્રોડા એ ફક્ત એક રૂપિયો પગાર લઈને રાજીવ ગાંધીનું ઘેર ઘેર ટેલીફોન અને ગામે ગામ એસ.ટી.ડી.,પી.સી.ઓ. અને ટીવી નેટવર્ક નું સપનું પૂરું કર્યું.પણ પછીની સરકારોએ એમને ખાલી બેસાડી રાખ્યા.ઇન્ફોટેક ની ક્રાંતિ ની ભારતમાં શરૂઆત થઇ ગુજરાત થી અને આગળ નીકળી ગયું બેંગલોર.પછી આવે નંબર હૈદરાબાદઅને પુના નો ગુજરાત ખોવાઈ ગયું.અસલ હિંદુ ધર્મ સાયન્ટીફીક હતો.પણ પછીના ધાર્મિકવડા ઓએ એમના રોટલા શેકી ખાવા સાયન્સ દુર કરી દીધું.શુન્ય,ગણિત,આયુર્વેદ,યોગા,પ્લાસ્ટિક સર્જરી,જ્યોતિષ ના કારણે ખગોળ નું જ્ઞાન,વૈદિક ગણિત,કામસૂત્ર  આ બધું સાયંસ નથી તો શું છે?નેતા,અભિનેતાઓ ની કદર કરો.વૈજ્ઞાનિકો પ્રસિદ્ધિના ભૂખ્યા નથી.એમને ખાલી શંશોધનો કરી શકે કોઈ તકલીફ વગર એટલી ખાલી સગવડ આપો એટલે બહુ થયું.
           આ આર્ટીકલ ની ઉપર લેફ્ટ માં જે ફોટો છે,તે એવાજ એક અનામી વૈજ્ઞાનિક નો છે.એઓશ્રીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુની. માંથી બી.ઈ.પછી એમ.ઈ અને કેનેડા થી પી.એચડી. ની ડીગ્રી મેળવ્યા પછી ભારત સરકારની રીસર્ચ લેબ માં જોડાઈ,મોટાભાગ ના મિસાઈલ પ્રોજેક્ટો માં તથા એલ.સી.એ ના પ્રોજેક્ટ માં પણ મહત્વનું કામ કરી ને એમના વિભાગ ને  નેશનલ એવોર્ડ આપાવ્યો હતો.એમની ત્રણ બુક્સ પબ્લીશ થયેલી છે.એક બ્રિટન થી બે અમેરિકા થી.એમના ૧૫૦ જેટલા રીસર્ચ પેપર પબ્લીશ થયેલા છે. કવિ હૃદય ધરાવતા આ વૈજ્ઞાનિક ની અંગ્રેજી કવિતાઓની એક બુક કેનેડા થી અને એક ભારતમાંથી પબ્લીશ થઇ છે.સાઉથ આફ્રિકાની સરકારે ત્યાના વૈજ્ઞાનિકોને ગાયડંસ આપવા દોઢ વરસ આ વૈજ્ઞાનિક ની સેવા લીધી છે.આ અનામી વૈજ્ઞાનિક ગુજરાતી છે.   

      

એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.

He was born in 1947 in India. He has BE and ME degrees from MS University of Baroda, Vadodara and PhD from McMaster University, Canada. He worked as a scientist in well known lab of GOVT of India, Bangalore for nearly three decades. He has been fellow/senior member/member of many professional societies/bodies and has served on many administrative/ technical/ examination committees. He has reviewed technical papers for several International Journals and visited several countries on deputation. He has guided several Master/Doctoral level students. He has authored (jointly) three technical books (one published by IEE/IET, London, UK, 2004; two by CRC Press, USA, 2008/2009) in the area of his work and specialization and has also published 150 papers/reports. He has also authored a book ‘Poetry of Life’ (Trafford Publishing, USA, Sept. 2009) containing 110 poems. His research interests are modeling, parameter estimation, data fusion, flight mechanics modeling & analysis, fuzzy systems, genetic algorithms, neural networks and robotics. His reading interests are science, evolution and philosophy.
 Read his poems here,,www.thepoetscientist.blogspot.com