દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !

 
imagesQEP7Z10M     દ્વારીકાના કૃષ્ણ
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ  સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ  શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો  ? કૃષ્ણ  શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ  બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં  તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ  તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.

કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ  કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ  લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
  

ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.

મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની  દ્વારીક અને બેટદ્વારીકાનાં  સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE  AGE નો   બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે.  આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે.  એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.

   બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.

     જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.

     બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.

    કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી  ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું….. 

Krishna in Japan

14 thoughts on “દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !”

  1. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં “-3102-02-18 12:00″ નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

    http://rutmandal.info/guj/2007/08/krushna-ane-itihaas/
    http://rutmandal.info/guj/2008/07/vedi/

    Like

    1. ચિરાગ ભાઈ,
      કોઈ પુરાવા સજ્જડ હાલ તો મળે જ નહિ.આપણે પણ ઈતિહાસ લખ્યા નથી,પુરાણો લખ્યા છે.પણ કૃષ્ણ હતા અને ઐતિહાસિક મહામાનવ હતા તેટલું પુરતું છે.એમને ભગવાન માની એમના સારા તત્વો ઉતારવામાથી આપણે ચૂકીએ છીએ.આભાર.

      Like

  2. MAHAWIR SWAMI TOOK BIRTH SOME 2500 YEARS AGO THEN WHERE DID JAIN CONNECTION CAME DURING TIME OF KRISHNA WHO TOOK BIRTH SOME 7700 YEARS BC ?

    THIS IS PROPAGANDA OF JAIN LITURATURE TO FIT IN TO HISTORY BUT IT IS NOT TRUTH AND SHOULD NOT BE PREACHED..TO JUSTIFY JAINISUM OR BUDDHISUM OR ANY OTHER CULT RELATION WITH SANATAN DHARMA.

    PLEASE READ MY BLOG AND SUBJECT I HAVE WRITTEN IN DETAILS.

    SAM HINDU
    HTTP:/SAMHINDU.WORDPRESS.COM
    HTTP:/SANTOSHBHATT.WORDPRESS.COM

    Like

    1. શ્રી કૃષ્ણ મહાવીરના નહિ,પણ એમના પહેલા થયેલા ૨૨મા તીર્થંકર નેમીનાથના કજિન હતા.એટલે મહાવીર ના પહેલા ૨૩મા પાર્શ્વનાથ અને એના પહેલા નેમિનાથ થઇ ગયા.એ હિસાબે મહાવીર અને કૃષ્ણ સમકાલીન હતાજ નહિ.બુદ્ધ અને મહાવીર બંને સાથે થયેલા.આભાર.

      Like

  3. કૃષ્ણ હતા કે નહિ તે અગત્યનું નથી. તેમના ઉપદેશથી ભારતની પ્રજાનું હિત થયું કે અહિત તે અગત્યનું છે. હિત કરતા અહિત ઘણું વધારે થયું છે.
    તેમના મૃત્યુ સમયે ગ્રહો જોવા કોણ નવરું હતું? કોઈએ પાછળથી લખી નાખ્યું અને આપણે તે માની લીધું.

    Like

    1. સાચી વાત એ છે કે હતા કે નહિ કરતા અત્યારે એમના પાછળ એમને ભગવાન માનીને લોકો પાગલ કેટલા છે?અને એ પાગલપન ઉભું કરીને ગુરુઓ જલસા કેટલા કરે છે?અમે કૃષ્ણ સ્વરૂપ છીએ એમ કહીને શોષણ કેટલું બધું થાય છે?એમના નામે ઉપદેશો આપી આપી ને લોકોને મૂર્ખા બનાવાય છે.એક વાત મને સમજાતી નથી કે યુદ્ધ ના મેદાનમાં જ્યારે લોકો લડવા તલપાપડ હોય ત્યારે ગીતા જેટલું લાંબુ ભાષણ સાંભળવા કોણ નવરું હોય?બે સેનાઓ ઉભી હોય અને બંને સેના ની વચ્ચે કૃષ્ણ અને અર્જુન શ્લોકોની રમઝટ બોલાવતા હોય તે મને શક્ય લાગતું નથી.કૃષ્ણ ને તો એ જમાનાનાં ક્ષત્રિયો, ક્ષત્રિય માનવા પણ તૈયાર નહોતા.મને લાગે છે વેદવ્યાસે બહુ મોટી કવિતા કરી નાખી હતી.એના સંમોહનમાં હજુ આજે પણ લોકો જીવ્યા કરે છે.માટે મેં લેખ લખ્યો કે માનો એમને પણ મહાપુરુષ કે ઐતિહાસિક પુરુષ માનો,ભગવાન નહિ.પોતે વર્ણ વ્યવસ્થા ને લીધે અપમાન વેઠી ચુક્યા છે,એ એવું કહે કે ચાતુર વર્ણ માયા સ્રુષટમ???

      Like

  4. ગીતાના ચોથા અધ્યાયનો આરંભ એવા ઉત્તરથી થાય છે કે જેનો પ્રશ્ન પૂછાયો જ ન હતો. ૪ થી ૧૭ સુધીના અધ્યાયો ક્ષેપક હોવા જોઈએ. ૧ થી ૩ અને ૧૮મો એમ ચાર અધ્યાય કદાચ લડાઈના મેદાન પર કહી શકાયા હોત.
    કૃષ્ણ હતા એમ માની લઈએ પણ એ ચોખવટ સાથે કે તેમના નામે ચડાવાયેલા બધા તો નહિ પણ ઘણા પ્રસંગો અને ઉપદેશ વચનો કાલ્પનિક હતા. તો પછી કૃષ્ણ હતા જ તે સાબિત કરવા ખાતર સમય અને પૈસા બરબાદ કરવાની જરૂર ન રહે.

    Like

  5. પૂ.દાદા (મનોહરસિંહજી )રાજકોટ ઠાકોર સાહેબે દ્વારિકામાં દર્શન બારા માં પ્રશ્ન ઉભો થતા કોર્ટમાં કેસ કરેલ અને જીતી પણ ગયેલ….એમને આધારમાં જે આંબો આપ્યો તે માન્ય રહ્યો….આજે પણ કોર્ટ બારોટ દ્વારા સચવાયેલા આંબા ને પ્રાધાન્ય આપી મહત્વ પૂર્ણ પુરાવો માને છે.
    કૃષ્ણ માનવ હતા અને તેમાંથી મહામાનવ બન્યા ,વિદેશી ગણિત આવ્યા પહેલા આપણે ત્યાં ૧૬ આની નુ ગણિત હતું ,આજે પણ વર્ષ કેવું તો જવાબ ૪/૬/૮/૧૨/૧૬ આની એમ મળે છે…૧૬ એ પૂર્ણતા નુ માપ છે,મનુષ્યમા ૬/૭/૮ કળા હોય છે,વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ મા જન્મેલ ઇદી અમીન,સર રાજેન્દ્રસિંહજી (આપણા પ્રથમ લશ્કરી વડા જેને હિસાબે આજે કાશ્મીર છે)અને સંત લાલજી મારાજ (ભગત ના ગામ)…..તામસી,રાજ્શીઅને સાત્વિક..૬/૭/૮ ….આથી પણ આગળ વધી શકાય છે…….(ગાંધીજી ને વિદેશીલોકો જોવા આવતા )…….એટલે મારું નમ્ર પણે માનવું છે કે કૃષ્ણ પરમપદે પહોંચેલા માનવ હતા,…અને ત્યાં તમે ને હું પણ પહોંચી શકીએ તેવું પુસ્તક છે..’યોગ દ્વારા દિવ્યદેહ’……દરેકે વાંચવા લાયક પુસ્તક છે…..(માત્ર વિચારો શેર કરવા)

    Like

    1. યોગ દ્વારા દિવ્ય દેહ પામવાની મારી કોઈ ઈચ્છા નથી.એવા કોઈ દિવ્ય દેહ મેં જોયા નથી.હજારો વર્ષનું આયુષ્ય યોગ દ્વારા મળે તેવી વાતો નકામી અને ખોટી હોય છે.આપ પરમ પદે પહોચો તે પુસ્તક વાંચીને તેવી શુભેચ્છાઓ.મારી ઈચ્છા નથી.

      Like

  6. માનનિય ભુપેન્દ્રસિંહજી,
    આપની વાત સાચી છે કે સંશોધન અને ઐતિહાસિક રીતે જોઈએતો કૃષ્ણ એક મહામાન થઈ ગયા અને કાળક્રમે જેમ આપણી સંસ્કૃતિમાં બન્યું છે એમ ભગવાન તરીકે મનાવા લાગ્યા હોય! હમણાં જ મેં ઓશોની વ્યાખાનમાળાની ચોપડી, “કૃષ્ણ મારી દ્રષ્ટિએ”-પ્રવીણ પ્રકશન રાજકોટની, વાંચી. એમાં પણ આપણા ઘણા કહેવાતા અને પૂજાતા ભગવાનોની તાર્કિક રીતે માનવિય તત્વોની છણાવટ થઈ છે. બાકી એક અનંત, અવિચળ સંચાલકને માનતા હોયતો કૃષ્ણ જેવું પાત્ર મારા અધૂરા જ્ઞાનને મળતું નથી.
    “જેવો જે તેવો તે દેખે”
    એમ ભાગવતમાં કહેવાયું છે, તે પણ સાચું હોય શકે!
    ‘સાજ’ મેવાડા.

    Like

  7. કૃષ્ણ જેવો વ્યાપ શ્રીહરી વિષ્ણુ નાં બીજા અવતારો માં નથી, અનેક રુપધારણ કરતો બસ પુર્ણ અવતાર.. કોઇનો લાલો,કોઇને કાનજી, કોઇને ચોર,કોઇનો ગોવાળ, કોઇનો દ્વારકાધીસ, કોઇને યોગેશ્વર..
    હરી અનંત હરી કથા અનંત.. પણ સ્વીકૃત્તી સર્વની, જૈનો ને ભીષણ યુધ્ધ અને હત્યાનો કર્તા લાગ્યો પણ કદાચ કૃષ્ણ વ્યાપને નકારી ન શકતાં નીવારણ હેતુ નરક માં નાંખી નીવારણ પ્રયોજ્યું હશે.. કદાચ તીર્થંકર તરીકે આવા વ્યક્તિને પુંજવાની લાલસા માત્ર એટલે જૈનો નો અલગ કૃષ્ણ, ગાંધી કૃષ્ણને અને ગીતાને સ્વીકારે પણ યુધ્ધ કથાનો અસ્વીકાર કરે.. એનો પણ અલગ કૃષ્ણ..સુરદાસ નો ગોપીઓનાં વસ્ત્ર ચોરી જતો બાળ કૃષ્ણ પણ અલગ તે ક્યારેય યુવાન ના થઇ શકે.. મીરા બાઇનો કૃષ્ણ જુદો તો નરસીંહ મહેતાનો શામળસા શેઠ જુદો..
    પછી વ્યાસજી ની દ્રષ્ટ્રી એ કઇંક જુદો કૃષ્ણ ગુણવંત શાહનો કઇંક જુદો, ઓશોનો કઇંક અનન્ય દ્ષ્ટ્રી એ, તો પછી કાજલ ઓઝા નું કૃષ્ણયાન. નોખું પછીજય નું jsk ,અને હવે રાઓલ બાપુના નવા અવલોકને અલગ કૃષ્ણ..
    બસ નામ રુપ જુજવા અંતે તો હેમનું હેમ..
    લવ યુ કાનજી..

    Like

  8. Aapanu sanshodhan gajabnu chhe, Maneto Krushna Indradhnush rupe vadhu game karanake samaye samayne anurup rup dharan karvu joie ane e babate aapne shree Krushnane anusarvu emaj aapnu ane sarvanu hit chhe. Mane badhi comment vachavani maja avi- “tunde tunde matirbhinna” .

    Like

Leave a comment