પરિવાર અને લગ્ન વ્યવસ્થા,,,

                          *ભલે કુદરતે માનવજાત ને બ્રેન આપ્યું પણ બીજા પ્રાણીઓ ની સરખામણી એ માનવજાત શારીરિક રીતે કમજોર છે.છઠી ઇન્દ્રિય ની બાબત માં પણ કમજોર છે.શાર્ક ને મેગ્નેટિક વેવ્સ અનુભવાય છે,તમે તરતા હોવ તો તમારા સાંધાઓ માંથી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે.તમારા લોહીના નાના મા નાના ટીપા ની સ્મેલ એને માઈલો દુર આવે છે.પવન અનુકુળ હોય તો હાથી ને માણસ ની કે બીજા પ્રાણી ની સ્મેલ માઈલો થી આવે છે.વહેલ અને હાથી માઈલો દુર એમના ભાંડુઓ સાથે હાઈ ફ્રિકવન્સી અવાજ ના મોજા મોકલી વાતચીત કરે છે.
         *કુદરત પણ આગળ નો વંશ વધારવા માટે મજબુત જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય તેવું જ ઈચ્છતી હોય છે.એને માટે બે નર લડે છે,એક માદા માટે.માદા પણ રાહ જોતી હોય છે.એને પણ મજબુત જીન્સ ઉછેરવા ગમતા હોય છે.માનવ જાત માં પણ આવુજ હોય.આવી રીતે દરેક જાત નો વિકાસ થતો હોય છે.ધીરો પણ મક્કમ.બીજા પ્રાણીઓ ની સરખામણીએ અતિશય કમજોર માનવજાત ને કદાચ આ લાંબા પ્રોસીજર માં વિશ્વાસ નહિ આવ્યો હોય.કદાચ સમૂળગું માનવ જાત નું નિકંદન નીકળી જશે એવું લાગ્યું હશે.એટલે સર્વાઇવલ થવાનો સહેલો ઉપાય ખોળી નાખ્યો હશે.એક તો પરિવાર બનાવો,કુટુંબ બનાવો,સંપીને રહો,વસ્તી વધારો.એને માટે રોજ રોજ ના ઝગડા માદા માટેના ના પોસાય.એટલે આવ્યો વિવાહ,લગ્ન,મનુષ્યો વડે રચાએલી પ્રાચિનતમ સંસ્થા.આ કોઈ ઋગ્વેદ દ્વારા ઉપરથી ફેકાએલી પવિત્ર યોજના નથી.પવિત્રતા ના વાઘા પહેરાવી અત્યાર સુધી કમજોર લોકોએ ટકાવી રાખેલી સામાન્ય સંસ્થા જ છે.મજબુત ને બળવાન નર પાસે પ્રેમ થી જતી નારી હવે રીવાજ ની સાકળ થી બંધાઈ ને જવા લાગી.કમજોર પણ બુદ્ધીશાળી માનવ સમૂહો ની શોધ છે,લગ્ન વ્યવસ્થા.એટલે પરિવાર નો  જન્મ પ્રેમ રોકવાથી થયો.એટલે જુના તમામ સમાજો આગ્રહ રાખતા કે વિવાહ પહેલા થવો જોઈએ,પ્રેમ પાછળ થી આવશે.પ્રેમ ને છૂટ મળવા માંડી છે ત્યાં પરિવાર નો પાયો ડગમગવા લાગ્યો છે.અમેરિકા માં લગભગ પરિવાર અને લગ્ન વ્યવસ્થા તૂટી ચુકી છે.
             *બે વ્યક્તિઓ ને સાથે રહેવા મજબુર કરી દઈએ , તો તેઓના માં પણ એક જાતની પસંદ પેદા થાય છે.પરંતુ એ પસંદ કે ગમતી વાત પ્રેમ નથી.ગમવું અને પ્રેમ બંને માં તફાવત છે.એટલે પછી પરિણામ સ્વરૂપ પરિવાર કલહ થી ગ્રસ્ત બની જતા હોય છે.જે દિવસે પરિવાર માં કલહ ના હતો,ત્યારે નિયમો જુદા હતા.સ્ત્રીનો કોઈ આત્મ ના હતો.કોઈ સ્વંત્રતા નહતી.માલિક અને ગુલામ વચ્હે પૂરી વ્યવસ્થા હોય તો કોઈ કલહ નું કારણ નથી.પરંતુ જેમ માનવ ની સમજ વધી ને વિવેક આવ્યો કે સ્ત્રીઓને ભયંકર અન્યાય થઇ રહ્યો છે,અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવતી ગઈ,તેમ સમાન વ્યક્તિત્વ ધરાવતા વચ્હે જો પ્રેમ ના હોય તો ફક્ત વ્યવસ્થા કલહ રોકી શકતી નથી.જ્યાં સુધી સ્ત્રી વસ્તુ હતી,મનુષ્ય ના હતી ત્યાં સુધી ઉપદ્રવ ના હતો.એક અંતર હતું.અંતર વધારે હોય તો પ્રેમ અને કલહ બંને ની સંભાવના ઓછી થઇ જાય.અંતર નજીક તેમ બંને ની સંભાવના વધુ.બરોડાની મહારાણી હીરા નો  હાર પહેરી ને જાય તો પોળ ની કોઈ સ્ત્રીને ઈર્ષા ના થાય પણ પાડોશી ની સ્ત્રી પહેરીને જાય તો ?સ્ત્રી વસ્તુ હતી ત્યાં સુધી વ્યવસ્થા થી કામ ચાલી જતું હતું.ચીન માં પતિ પત્ની ની હત્યા કરે તો જુના જમાનામાં કોર્ટ કેસ થતો નહિ.હું જાતે મારી પોતાની ખુરશી તોડી નાખું તો કઈ અદાલત મને સજા કરે?
               *આપણાં દેશ માં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ  ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા.સંત્રી બંદુકો લઇ ઉભા હોય તો જેલ માં પણ વ્યવસ્થા સારી દેખાય છે.સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય,પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત  બની નથી શકતો,જેટલો વિવાહ વાળો મતલબ એરેન્જ મેરેજ વાળો.પ્રેમ લગ્નોના પોતાના ભય સ્થાનો છે,સંભાવનાઓ છે.વિવાહ લખું એટલે એરેન્જ મેરેજ સમજવા વિનંતી છે.વિવાહ જીવનભર ની વ્યવસ્થા છે.એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતીક્તાઓ પેદા કરવી પડી.એક પુરુષ ને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબુર કરી દઈએ,તો યૌન સબંધ તો થઇ  શકે,પણ હૃદય નો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો.અને આ ભઈલો પાડોશી ની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો?પાડોશી પુરુષો ભયભીત થવાના.એટલે બધા પુરુષો ભેગા થઇ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય.જે સ્ત્રીઓ ની માલિકી  કોઈની નહિ,અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે.આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામ ની સેના નું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા.ત્યારે રામ ની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઇ ગયેલા.
               *હિન્દુસ્તાન માં બુદ્ધ અને મહાવીર ના સમય માં દરેક ગામ માં નગરવધુ હતી.ગામ ની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા.તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામ ની પત્ની,વધૂ,વહુ.કારણ સુંદરતમ સ્ત્રી ને વરવા માટે પછી પુરુષો વચ્ચે  હરીફાઈ પેદા થાય.ઝંઝટ પેદા થાય.એટલે આખું ગામ જ પતિ બની જતું.આખું ગામ ઉપયોગ કરી શકે.વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે.અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું.એ કોઈ એક માણસ ને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય.આમ્રપાલી અને અજાતશત્રુ ની કથા લોકો જાણે છે.મંદિરોમાં દેવદાસી ની પ્રથા આવી.પુજારીઓ શું કામ બાકી રહે?હિન્દુસ્થાન ની સાથે સાથે ગ્રીક મંદિરો ની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.તે સ્ત્રીઓ ગામના પુરુષોને તૃપ્ત કરવા જરૂરી હતી જેઓ પોતાની સ્ત્રીઓને પ્રેમ કરવા અસમર્થ હતા.એટલે એવું થયું કે પ્રેમ કોઈને કરવો ને બાળકો બીજે પેદા કરવા એમાં સ્ત્રીઓ બાળકો  પેદા કરવાનું મશીન બની ગયી.હવે આજે વેસ્ટર્ન કન્ટ્રીઝ માં સ્ત્રીઓ સ્વતંત્ર થઇ છે એટલે પુરુષ વૈશ્યાઓ પેદા થયા છે,ગિગોલો.મુંબઈ માં અને કલકત્તા માં મજબુત બાંધાના યુવાનો ગિગોલો બનવા લાગ્યા છે.
                  માબાપ નું કલહ યુક્ત  લગ્ન જીવન જોઈએ ને સેકડો યુવક , યુવતીઓ વિવાહ કરવાથી ડરી રહ્યા છે.અમેરિકા માં તો ભાગ્યેજ કોઈ લગ્ન ની વિધિમાં થી પસાર થતું હશે.બહુ ઓછા.પાચ પાચ ફૂટ ના ચાર છોકરા સાથે એક કપલ મળેલું કહે હવે અમે લગ્ન કરવાના છીએ.મેં કહ્યું કે હવે વળી શું જરૂર છે?એટલે આપણાં પુરાણા જમાના ના ડાહ્યા લોકોએ બાળ  વિવાહ  ની શોધ કરેલી.ચોંકવાનો કે ડરવાનો સવાલ જ નહિ,ચોંકે કે ડરે ત્યારે પોતાને વિવાહિત જ પામે.બાલવિવાહ એટલે બે જણ ને એવા આધાર પર પતિ પત્ની બનાવી દીધા કે જેવી રીતે માં,બેટા કે ભાઈ બહેન નો સબંધ બને છે.હું મારી માં કે ભાઈ,બહેન,કાકા,કાકી મામા,મામી આ સબંધ બદલી ના શકું.જન્મ સાથેજ આ સબંધો મળી જાય છે.એમાં કોઈ ચોઈસ નથી.ગમે તેટલું મન દુખ થાય માં કે બહેન બદલી શકાય નહિ.એમજ પત્નીનો સબંધ પણ બાલવિવાહ સાથે જન્મ થીજ બાંધી દીધો.પંદર વર્ષે હોશ આવે ત્યારે ખબર પડે કે પત્ની પણ મળેલી જ છે,જેવી રીતે માં કે બહેન.ગમેતેટલું મન દુખ થાય જેમ માં ના બદલી શકાય તેમ પત્ની પણ.
                *પ્રેમ લગ્ન નો પ્રોબ્લેમ એ છે,કે પ્રેમ ખતરનાક છે.પ્રેમ એક આગ છે.પ્રેમ જરૂરી નથી આજે છે ને કાલે પણ રહેશે?મન ચંચલ છે.વિવાહ આજે છે ને કાલે પણ રહેશે.પ્રેમ નો મતલબ છે પલ પલ જીવવું.આજે હું તમને પ્રેમ કરું છું કાલ નો શો ભરોસો? એટલે પ્રેયસી ને પત્ની બનાવી કે આકર્ષણ ગયું.ડીમાંડ કરી શકાય છે.ના મળે તો ઝગડો કરી શકાય છે.અમેરિકા માં પ્રેમ વિવાહ તુટવા લાગ્યા છે ને અહી ભારત માં એરેન્જ વિવાહ તુટવા  લાગ્યા છે.જ્યાં સુધી આપણે સ્ત્રી અને પુરુષ ને સાથે સાથે સહજ રીતે સ્વીકાર ના કરી શકીએ ત્યાં સુધી એમના જીવન માં પ્રેમ નો સ્વર પેદા ના કરી શકીએ.જ્યાં છોકરા છોકરીઓ સાથે રમી રહ્યા હોય,દોડી રહ્યા હોય,તરી રહ્યા હોય,ગપસપ કરી રહ્યા હોય,એમાં ચિંતા નું કોઈ કારણ નથી.જયારે આપણે સ્ત્રી પુરુષ ના સબંધોને પૂર્ણ સ્વસ્થતા,સહજતા,નીસર્ગતા થી લઈશું ત્યારેજ એક નવો પરિવાર પેદા થશે.આપણી પુરાણી વિચારધારા માં ભય ના થોડા કારણો હતા.છોકરા છોકરીઓ ને જો સાથે વધારે છૂટ આપવામાં આવે તો અવિવાહિત હોય ને સંતાનોને જન્મ આપી દે.આ ડર માટે એકજ ઉપાય હતો કે બને એટલા દુર રાખો.હવે આજે અમેરિકા માં તો કુવારા બાળકોને જન્મ આપવામાં કોઈ છોછ નથી રહ્યો.છતાય એવા બનાવો પ્રાચીન ભારત માં પણ  બનતા હતા.માતા કુંતી એ કર્ણ ને એવી રીતે જ જન્મ આપેલો.છતાં એ સમાજ એટલો રૂઢીચુસ્ત નહિ હોય.એમને પરમ પુજ્નીય માતા નું સ્થાન આપેલું હશે.સ્ત્રી પુરુષ ના મિલન વગર છોકરા ના થાય.પાંચે પાંડવો અલગ અલગ પિતા થી થયેલા હતા.કોઈ જરૂરિયાત હશે.
              *મુલવાત એ છે કે છોકરા છોકરીઓને દુર રાખવા એ કોઈ સજ્જડ ઉપાય નથી.યુરોપ ના મ્યુઝીયમ માં કોઈ ગયું હશે તો ત્યાં એક અજબ ની વસ્તુ જોઈ હશે.ચેસ્ટીટી બેલ્ટ.યુરોપ નો પુરુષ વેપાર કે યુદ્ધ કે બીજા કોઈ કામે બહાર જાય તો પત્નીને કમર ઉપર એક બેલ્ટ બાંધી દે અને મારે તાળું.ચાવી જોડે લેતો જાય.જેથી બીજો કોઈ કામાનંદ માટે  એનો ઉપયોગ ના કરી શકે.જે સતીત્વ ની રક્ષા માટે તાળું મારવું પડે,એનું મુલ્ય કેટલું?આપણી આખીય નૈતિકતા તાળા ને ચાવીઓ ની છે.એ અલગ વાત છે કે આપણે અલગ અલગ ચેસ્ટીટી બેલ્ટ નું નિર્માણ કરીએ છીએ.ઋષિ મુનિયોએ કહેલું કે સ્ત્રીને પહેરા વગર રાખવી નહિ. છોકરી હોય તો બાપ,યુવાન થાય તો પતિ,ઘરડી થાય તો બેટો.જેટલી અસહજ વ્યવસ્થા એટલો આદમી પણ અસહજ .સીતાની અગ્નિપરિક્ષા લેવી પડી,એમાંથી પાસ થયા તો એક સાધારણ માણસ ના કહેવાથી ત્યાગ કરવો પડ્યો,અને એપણ ગર્ભવતી હતી પેટ માં પોતાના જોડિયા બાળકો  હતા, ત્યારે મર્યાદા પુરુષોત્તમે દૂધ માંથી માંખી ફેકી દે તેમ ફેકી દીધી.ચેસ્ટીટી બેલ્ટ નો જ મામલો.આ કેવી નૈતિકતા?આવી બીમાર નૈતિકતા ને લીધે આખો સમાજ સેક્સ ઓબ્સેસ્ડ થઇ ગયો.યૌન અને સેક્સ એના ચિંતન નો આધાર બની ગ્યો.ઉપરનો દેખાવ જુદો અંદર થી જુદો.પતિ પત્ની બંને એકબીજા થી ડરે.પતિ મોડો આવે હજાર સવાલ ક્યાં ગયા હતા?પતિનું પણ એવુજ .ભલે આપણે ધાર્મિક કહેવાતા હોઈએ,આપણાં લોકો જેટલા સેક્સ ઓબ્સેસ્ડ લોકો બીજા કોઈ નહિ હોય.
                     *પરિવાર નો પાયો પ્રેમ હોવો જોઈએ,સ્ત્રી પુરુષ વચ્હે સહજ સબંધો વિકસવા જોઈએ,બને એટલા બાલ્ય અવસ્થા થીજ છોકરા છોકરીઓને નજદીક સહજતાથી જીવવાનું શીખવવું જોઈએ.અલગ સ્કૂલો અલગ બેંચ બેસવું એવું ના હોવું જોઈએ,સેક્સ ને ખરાબ ગણીને ,માનીને,તેને વગોવ્યા વગર તેની સહજ અનીવાર્યતા માનવી જોઈએ.બાળકો ને પણ સેક્સ ખરાબ છે તેવું  શિક્ષણ ના આપવું જોઈએ,કે એવા કહેવાતા ધર્મગુરુઓનું ચિંતન કે ફિલોસોફી તેમના મનમાં ના ઉતારે તે માટે એવા લોકોથી તેમને દુર રાખવા જોઈએ.તો જ એક નવા પરિવાર નું નિર્માણ થશે.એ હશે સહજ પરિવાર.   
                     

3 thoughts on “પરિવાર અને લગ્ન વ્યવસ્થા,,,”

  1. સ્ત્રી પુરુષ ના મિલન વગર છોકરા ના થાય

    સીતાની અગ્નિપરિક્ષા લેવી પડી,

    મર્યાદા પુરુષોત્તમે દૂધ માંથી માંખી ફેકી દે તેમ ફેકી દીધી.

    Like

  2. તમારા વિચારો ગમ્યા,
    પરિવાર નો પાયો પ્રેમ હોવો જોઈએ,સ્ત્રી પુરુષ વચ્હે સહજ સબંધો વિકસવા જોઈએ,બને એટલા બાલ્ય અવસ્થા થીજ છોકરા છોકરીઓને નજદીક સહજતાથી જીવવાનું શીખવવું જોઈએ……….

    ફરીથી મુલાકાત લઈશ નવી પોસ્ટ મુકો ત્યારે…

    Like

  3. dear big B,
    in one article about parivar and lagan vyavastha you have given wonderful
    analysis of whole social situation in india and there also.Marraige is an arrangement to bind Man and Woman for longer period to fullfil their mutual emotional ,social,financial and physical needs.Also to take care and support and raise their children.How strongly and faithfully they support this institution is up to them.If love is a part of such a union(married couple)
    then it is best for them and soceity as well. at least mutual understanding and knowing responsibilites and limitations will sustain the partnership well.sex drive and so called love is two different things.

    Like

Leave a comment