ભયાવહ(Fight or Flight)!!!!!

Dante and Virgil in Hell
Image via Wikipedia
Great fire London

ભયાવહ(Fight  or Flight)!!!!!

મિત્રો ભયની લાગણી એ સામાન્ય લાગણી છે.ભયની લાગણી આપણા જીન્સમાં હોય છે.ભયની લાગણી સર્વાઈવ થવા માટેની જરૂરી મજબુત લાગણી છે.સર્વાઈવલ ઇન્સ્ટીકટ છે.ભયની લાગણી નાં હોત તો માનવ જાત આજે પૃથ્વી પર ફરતી નાં હોત.ભય લાગે છે માટે બચવા માટે ભાગીયે છીએ,અથવા પ્રતિકાર કરીને લડીને બચીએ છીએ.સૌથી મોટો ભય એ મૃત્યુ નો ભય  છે.ચાલો થોડા પ્રાથમિક અને આદીમ ભય વિષે જાણીએ.આ તમામ ભય આપણને વારસામાં જીન્સમાં આપણા પૂર્વજો આદી માનવો પાસેથી મળેલા છે.ભલે તમે આજે  ભયનાં આ પ્રકારના અનુભવ ના કરતા હોવ પણ આ ભયોની ભૂતાવળ તમારા અચેતન મનમાં સમાયેલી છે.
૧) Eat alive –આપણે કોઈ જંગલી પ્રાણીને જોઇને ભાગીયે છીએ.કેમ?જીવતા ખવાઈ જવાનો ભય છે.આપણા પૂર્વજો જંગલો માં રહેતા હતા.મેન ઈટર પ્રાણીઓ ચારેકોર વસતા હતા.ખાસ તો આજના સિંહ કે વાઘ કરતા બમણું મોટું કેટ વર્ગનું એક પ્રાણી હતું જે માનવ ભક્ષી હતું.હાલ તો એ સમાપ્ત થઇ ગયું છે.આ ભય તમને નિર્ણય લેવામાં મદદ કરે છે કે હવે ઉભા રહેવું કે ભાગવું?ભય તમારા લોહીને વધારે પગ તરફ ધકેલે છે.જેથી તમે ભાગી શકો.
૨) Snake –સર્પનો ભય પણ આદીમ ભય છે.માનવ જંગલો અને ગુફાઓમાં રહેતો હતો.સર્પ પણ લગભગ દરેક જગ્યાએ હોય છે.દક્ષીણ ધ્રુવ સિવાય સર્પ દરેક જગ્યાએ હોય છે.બીજા પ્રાણીઓ વચ્ચે ટકી રહેવા સર્પે એક મહા ભયાનક કેમિકલ ટેકનીક વિકસાવી છે.ઝેર!!કાતિલ ઝેર એનું શસ્ત્ર છે.જો કે બધા સર્પ ઝેરી હોતા નથી.આદી માનવો અવારનવાર સર્પ દંશથી મરી જતા હશે.માટે સર્પનો ભય આપણા અચેતન મનમાં સમાયેલો છે.પણ આજ ભય સર્પ સાથે દોસ્તી કરવા માટે પણ પ્રેરણા આપે છે.અને એ દોસ્તી ઘણીવાર જીવલેણ પણ નીવડી છે.
૩)Burried  alive —જીવતા દટાઈ જવાનો ભય.આ પણ એક આદીમ ભય છે.ગુફામાં રહેતા આદી માનવો જીવતા દટાઈ જતા હશે.જમીન ધસી જવાથી કે ભૂકંપ અને એવી કુદરતી ઘટનાઓમાં જીવતા દટાઈ જવાતું હોય છે.આજે પણ ગુજરાતમાં માટી ખોદવા જતા ઘણા લોકો જીવતા દટાઈ ગયાના સમાચાર આપણે વાંચીએ છીએ.જે દેશોમાં મૃત્યુ પામેલા લોકોને ભૂમીગત નિકાલ કરવામાં આવતા હોય છે ત્યાં આ ભય ખાસ હોય છે.ઘણી વાર કોમામાં પડેલા જીવતા માણસને કોફીનમાં મૂકી ને દાટી દેવાતો હતો.એના પુરાવા પણ મળ્યા છે.જોકે ભાનમાં આવીને ભાઈ પાછા મૃત્યુ ને શરણ જ થવાના હોય.પણ બહાર નીકળવા પ્રયત્ન તો કરેલા હોય એના પુરાવા મળ્યા પછી ખાસ પ્રકારના કોફીન બનાવવામાં આવતા હતા.મૃતકના પગના અંગુઠે દોરી બાંધવામાં આવતી જે બહાર એક ઘંટ સાથે બાંધેલી રહેતી.અને કોફીનમાં પ્રાણવાયું જઈ શકે તેવી એક પાતળી પાઈપ રાખવામાં આવતી.જેથી કોઈ જીવતું થાય અને બચવા માટે પગ હલાવે તો બહાર ઘંટ સંભળાય.એટલે જીવતા દટાઈ જવાનો ભય પણ એક પ્રાથમિક ભય છે.
૪) Hell –નર્કનો ભય.મર્યાં પછી નર્કનો ભય એ શીખવેલો ભય ગણાય.જનતા ઉપર કંટ્રોલ રાખવા આ પ્રકારનો ભય મંદિરો અને ચર્ચ અને ધર્મો દ્વારા ઉભો કરવામાં આવેલો.દરેક ધર્મનાં નર્ક અલગ અલગ હોય છે.એમાં મળતી સજાઓ ના પ્રકાર થોડા જુદા જુદા પણ ભયાનક હોવાના જ.ભગવાનનો ડર રાખો ભાઈ એવું આપણે ઘણા મુખે સાંભળીયે છીએ.એટલે લોકો થોડા સખણા રહે અને નર્કનાં ભયના કારણે સીધા ચાલે એવો આશય હતો.પણ પછી એ ભય બતાવી બતાવીને લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.બીજું આ એક બદલાની ભાવના છે કે સારું નથી કર્યું હેરાન કર્યા છે તો નર્કમાં જવાના અને બદલો મળી જશે.આ એક કાલ્પનિક ભય છે જે શીખવેલો છે.
૫)Monsters —દૈત્ય અને રાક્ષસનો ભય.આ પણ એક કાલ્પનિક શીખવેલો ભય છે.આને આપણે બકાસુર ભય પણ કહી શકીએ.આમાં જાત જાતનાં કાલ્પનિક પાત્રોની કલ્પના કરવામાં આવેલી છે.આપણા મહાભારતમાં બકાસુર નું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે.આવા મોન્સ્ટર ને માથે શીંગડા હોય,માથાની જગ્યા એ સાપ હોય,અર્ધું અંગ સિંહનું અને અર્ધું માણસનું હોય.આમ પશુ અને માણસનું કોમ્બીનેશન હોય છે.વળી આવા મોન્સ્ટરને મારીને કોઈ વીરલો હીરો બની જતો હોય.આમાં એક બહાદુરીની ભાવના પણ હોય છે.જેમ કે બકાસુરને મારી ને ભીમ હીરો કહેવાતો.દરેક દેશોમાં અને પ્રાચીન સંસ્કૃતિમાં આવી વાતો હોય છે.અત્યારે વેમ્પાયરના મુવી બહુ ચાલે છે.લોહી ચુસતા ડ્રેકુલા અને વેમ્પાયર અને વરુ બધા આવી જાતના ભય છે.આમાં ભય સાચો પણ કલ્પના ખોટી હોય છે.ભૂત પ્રેત,ચુડેલ,ડાકણ,જંડ વિગેરેનો ભય એ આવો કાલ્પનિક ભય જ છે.એક દંતકથા મુજબ મહુડી નાં ઘંટાકર્ણ વીર એક શિકારી કોમનાં હતા.હાલ પણ એમની મૂર્તિ જુઓ કાનમાં ઘંટનાં આકારનાં કર્ણ ફૂલ અને હાથમાં તીર અને કામઠું છે.અને મર્યાં પછી આવા મોન્સ્ટર બની ત્યાના જંગલો ને ધ્રુજાવતા હતા.એમને જૈન મુની બુદ્ધિસાગર મહારાજે સાધના કરી સાધી ને ત્યાં બેસાડી દીધા.હવે લોકો એમને સુખડી ધરાવે છે.અને એ લોકોના કામ કરી આપે છે.લોકો સુખડીની બધા રાખે છે.જે સુખડી મહુડી ગામ બહાર લઇ ના જવાય તેવી માન્યતા છે.ભયમાંથી ભગવાન પેદા થાય.ભય વિના પ્રીત નહિ.ભયના લીધે ભગવાન પેદા થાય અને ભગવાનનાં ભયને લીધે લોકો વધારે ભયભીત થાય.આમ દુષ્ચક્ર ચાલે જ જાય છે.
૬)Drowning —પાણીમાં ડૂબીને મરવાનો ભય.આપણા પૂર્વજો નદી નાળાં,સમુદ્ર અને પાણીનાં પુરમાં ડૂબી ને મર્યાં હશેજ.આજે પણ લોકો આવી ઘટનાઓમાં મરે છે.આ એક બેઝીક કુદરતી કંડીશનિંગ ભય છે.નેચરલ ડીઝાસ્ટર ને કારણે ડૂબી ને મરી જવાનું સામાન્ય હતું.સુનામીમાં કેટલા બધા લોકો મરી ગયેલા?આ એક બહુ પ્રાચીન અને પ્રાથમિક ભય છે.પ્રલયનો ભય મૂળ તો ડૂબી જવાનો ભય જ છે.હિમયુગો પુરા થયા હશે ત્યારે ગ્રેટ ફલડમાં મોટાભાગની માનવ જાત ખતમ થઇ ગઈ હશે.આ ભય પાણી નો પાવર પણ બતાવે છે.
૭)Burned alive —-જીવતા સળગી મરવાનો ભય.આ પણ ઉપર મુજબનો જ ભય છે.જ્વાળામુખી,જંગલોમાં લગતા દવ આ ભયનાં કારણ રૂપ છે.સપ્ટેમ્બર ૨,૧૬૬૬માં ગ્રેટ ફાયર લંડનમાં લાગેલી.પાંચ દિવસ ચાલેલી એક જ  મહાજ્યોત આગમાં પુરા દસ હજાર ઘર સળગી રહ્યા હતા.એક બેકરીમાંથી શરુ થયેલી આગ માં કુલ ૧૩૨૦૦ ઘર અને ૮૭ ચર્ચ નો સફાયો બોલી ગયેલો.૮૦,૦૦૦ લોકો નિરાધાર થઇ ગયેલા.
૮)Terrorism —-આદી માનવોમાં પણ એક બીજાનાં સમૂહ એક બીજા ઉપર ટેરર ફેલાવતા.રાત્રે ઓચિંતા હુમલા કરી એક બીજા પર ત્રાસવાદ ફેલાવવામાં આવતો.એટલે આ ભય પણ પ્રાથમિક જ છે.પણ ટેરર  શબ્દ ફ્રાંસથી આવ્યો છે.ફ્રેંચ રીવોલ્યુશન વખતે પેરીસમાં હજારો લોકો ને Guillotine વડે કતલ કરી નાખવામાં આવેલા.વિકટીમને બાંધી ને સુવડાવી દેવામાં આવતો એક ચોકઠા પર અને ઉપર થી મોટી લોખંડ ની બ્લેડ છોડવામાં આવતી એક ઝાટકે માથું જુદું.અજાણ્યા ભય ઓળખવાની અદ્ભુત શક્તિ માનવમાં હોય છે.ભારત તો વર્ષો થી ટેરરીઝમનાં ભય થી પીડાય છે.૯-૧૧ પછી ટેરરીઝમનાં એક નવા યુગ માં પ્રવેશ્યા છીએ.
૯)Rat —ફીયર ઓફ રેટ,, ઉંદર ભાઈ વર્ષોથી આદીમ યુગ વખતથી માનવ જાત પર  ટેરર ફેલાવતા આવ્યા છે.ગુફાઓમાં માનવ રાત્રે સુતો હશે ત્યારે પગ અને હાથ મો પર કરડી ને ટેરર ફેલાવતા ઉંદરનો ભય પણ પ્રાથમિક છે.ભાઈ મગર કરતા વધારે મજબુત ઝડબા ધરાવે છે.૭૦૦૦ પાઉન્ડ પ્રેશર પર સ્ક્વેર ઇંચ પર કરી શકતા આ ભાઈનાં હાથમાંથી કોઈ પણ વસ્તુનું છટકવું મુશ્કેલ છે.આજ સુધી પ્લેગ ફેલાવી ને લાખો લોકો નેમારી ચુક્યા છે.એક સમયે યુરોપમાં થી ત્રીજા ભાગના પોપ્યુલેશનને પ્લેગ વડે નદારદ કરી દીધેલું.
                    નુકશાનમાંથી બચવા માટે ઘણા બધા ફીયર શીખવેલા હોય છે,અને ઘણા બધા કંડીશનિંગ થી મેળવેલા હોય છે.ભય થી શું થાય?
૧)હાર્ટ રેટ વધી જાય.હૃદય ઝડપથી ધબકતું થાય.જેથી જેતે અંગોને લોહીની જરૂર વધારે હોય તેને પુરવઠો મળી રહે.
૨)બ્લડ પ્રેશર ઊંચું જાય.
૩)મસલ્સ ટાઈટ થાય.જેથી વધારે મજબૂતાઈથી કામ કરી શકે.
૪)જ્ઞાનેન્દ્રિયો તેજ થાય.જેથી સેન્સની સમજ આવે.શું કરવું તે સમજ આવે.
૫) આંખની કીકીઓ મોટી થાય જેથી વધારે પ્રકાશ અંદર પ્રેવશી શકે.
૬) શરીર નાં તાપમાન ને જાળવવા પરસેવો થાય.
       બીજા જાતજાતનાં ભય હોય છે.એ વિષે ફરી ક્યારેક જણાવીશું.ભય એ કોઈ ખરાબ લાગણી નથી.હીણપત ભરી લાગણી નથી.સર્વાઈવલ થવા માટેની મજબુત લાગણી માત્ર છે.