Category Archives: વિવાદ

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)

 

 

 

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)untitled

 

વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા.

વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી.

હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સાત શું હજાર પેઢીએ પણ દેશ માટે માભોમ માટે એક ટીપું પણ લોહી વહાવ્યું ના હોય. લોહી જોઈ ચક્કર આવે અને ગબડી પડે તેવી પ્રજાતિઓ હવે ત્યાં રાજ કરતી થઈ ગઈ છે.

ખેર આ મહેન્દ્ર મુખીની વાત પછી કરીશું, આજે મારે તને હે રાજન મોહમયી નગરીમાં રહેતા પોતાની જાતને મહાન માનતા પત્રકાર વૈશ્યની  કથા કહેવી છે, જેનું નામ રૌરભ છે. એટલું બોલી મુનિ જરા શ્વાસ લેવા રોકાયા.

રાજા જનમેજય પણ ગભરાઈ ગયો કે રૌરભ તો રૌરવ નરકને ભળતું નામ છે અને મુનિ કેમ આજે કોઈ વ્યક્તિને આવા ભળતા નામ આપે છે?

મુનિ તો મનોવિજ્ઞાની હતા રાજાની વ્યથા સમજી ગયા.

મુનિ  બોલ્યા હે રાજન ! ‘ગભરાઈશ નહિ આમ તો તે વણિકનું નામ સુગંધને લગતું છે પણ એની વાતોમાં, એના લખાણમાં મને કાગડાની વિષ્ટાની દુર્ગંધ જણાય છે માટે એનું નામ મેં રૌરભ કહ્યું તને.’

જનમેજય રાજા બોલ્યા ‘હે મહામુની આજે આ છાપામાં લખતા આ ક્ષુદ્ર જંતુની વાત શું કામ માંડી?’

હે રાજન ! ‘એનું કારણ એ છે કે આ પત્રકાર-લેખન જગતના ક્ષુદ્ર જન્તુએ જગતના તાતની અવહેલના કરી છે. એની મહાઅમાત્ય મહેન્દ્ર મુખી પ્રત્યેની અંધ ભક્તિએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. આજે તેણે જમ્બુદ્વિપના મુખ્ય ન્યાયાધીશની પણ અવહેલના કરી છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ વાત કરતા લાગણીશીલ બની રડ્યા તો એ બુદ્ધિજીવી જજના વહેલા આંસુઓની એ ગદર્ભે મજાક કરી. એ પોતાને ન્યાયાધીશો કરતા પણ એક ડગલું ઉપર સમજે છે. આ ગદર્ભ શાહે બાપ જીંદગીમાં ખેતર જોયું નહિ હોય. અડધી રાતે પાણી વાળવા ખેતરમાં ગયો નહિ હોય. ઘઉંના ખેતરમાં રાતે અંધારામાં એક પાળિયામાંથી મોટીમસ નીકમાંથી બીજા પાળિયામાં પાણી કેમ વાળવું તે એને ખબર નહિ હોય. કમરના મણકા તૂટી જાય એટલી ઝડપે પાવડામાં ભીની માટી ઉલેચવી પડે તે આ ગદર્ભને ખબર નહિ હોય. ખભે ફાંટયુ વાળી બરડા પાછળ સાહિત્યના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના ગૌરવ શ્રી રઘુવીર ચૌધરીની જેમ એરંડાની માળો ભેગી નહિ કરી હોય. કચરા શંકરજી ની જેમ એક હાથે ગાજરનું પળુલ પકડી એક હાથમાં ટૂંકા હાથાવાળી કોદાળીથી વાંકી કેડે ગાજર નહિ ગોડ્યા હોય. ૧૫ લીટર પાણી સાથે દવા મેળવી ખભે પંપ ભરાવી બેચાર વીઘાં કપાસમાં દવા છાંટી નહિ હોય. ખેર આવું તો ઘણું બધું છે જે એણે કર્યું તો નહિ હોય પણ જોયું નહિ હોય અને વિચાર્યું પણ નહિ હોય. એ ખરોત્તમને ખબર નથી કે ભારત એ અમેરિકા કે ઇઝરાયેલ નથી, હજુ તેવા વિકસિત દેશોની જેમ ખેતી કરવી અશક્ય છે, અને આજ સુધીની તમામ સરકારો ખેતી કે ખેડૂતો તરફી નહિ પણ લુચ્ચા ઉદ્યોગપતિઓ તરફી જ આવી છે.

રાજા જનમેજય બોલ્યા, ‘ જવા દો મહામુની આવા જંતુઓ જમ્બુદ્વિપમાં અતિશય છે. બની બેઠેલાં લેખકો વગર અનુભવે દીધે રાખતા હોય છે.’

‘અરે ! રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ વિજેતા ખેડૂતના દીકરા લેખક ખેડૂતોને ઠપકો આપે તો વાજબી કહેવાય પણ જેણે જિંદગીમાં ખેતર સુદ્ધાં જોયું ના હોય તેવા મહિષી ખેડૂતોને ઉપદેશ આપે તો ગુસ્સો ના આવે તો શું આવે? ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ ભારતમાં આપઘાત કર્યા છે. આપઘાત કોણ કરે ? કોઈને શોખ થતો હશે આપઘાત કરવાનો? આ ડફોળ લેખકે ગમે તેટલા પુસ્તકો લખ્યાં હોય, લેખો લખ્યાં હોય એનાથી એ કોઈ સર્વજ્ઞ તો થઈ જતો નથી.’ મુનિ બોલ્યા.

હવે રાજા જનમેજય બોલ્યા, ‘મુનિશ્રી આપે કહ્યું તેમ ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા તેવો સરકારી ક્રાઈમ બ્રાન્ચનો રીપોર્ટ છે. એનો મતલબ એ થાય કે મહેન્દ્ર મુખીની જ સરકારમાં આપઘાત થયા છે તેવું તો છે નહિ. કારણ મહેન્દ્ર મુખી તો હમણાં વરસ દાડે થી જ સરકારમાં આવ્યા છે. મતલબ અગાઉની સરકારોએ પણ ખેડૂતોને રાહત થાય ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી નથી.’

મુનિશ્રી જવાબમાં બોલ્યા મારું એજ કહેવું છે. બીજી સરકારોના સમયમાં આપઘાત થતા જ હતા ત્યારે આ મૂરખ કશું લખતો નહોતો પણ આ વરસના આપઘાતના આંકડા આવ્યા એટલે એણે તરત મહેન્દ્ર મુખીની સરકાર સામે જોખમ લાગવા માંડ્યું અને આ પાકા ભગતે તરત જે પાંચ સાત હજાર ખેડૂતોએ આપઘાત કર્યા હશે તેની મજાક ઉડાડતા લેખ લખી નાખ્યો.

રાજન જનમેજયને લાગ્યું આજે વૈષમપાયણ મુનિ ગુસ્સામાં છે બહુ બેસી રહેવામાં સાર નથી. એના કરતા કોઈ બહાનું કાઢી છટકી જવું સારું. એટલે રાજા જનમેજયે ખીસામાંથી આઈફોન કાઢી થોડીવાર ફંફોસ્યો અને મુનિને કહ્યું મહારાજ એક જરૂરી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે મારે ત્વરિત પહોચવું પડશે કહી મુનિની રજા લઇ રાજન તરત રવાના થઈ ગયા.

પણ જતા જતા રસ્તામાં વિચારતા હતા કે મહામુનિ વૈષમપાયણની વાત તો સાલી સાચી ને તર્કબદ્ધ છે.     images

 

 

 

 

 

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિ

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

તકલીફદેહી તહેવારો

તકલીફદેહી તહેવારોimagesF9MJY4ZL

 

તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.

પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?

images20ODUUKRબીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?

ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?

દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.

વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.            

 

 

અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

સમુહવાદ-જાતિવાદ

સમુહવાદ-જાતિવાદ untitled

હમણા એક રશિયન ટેનિસ પ્લેયર શારાપોવાએ કહ્યું કે હું સચિનને ઓળખતી નથી એમાં બહુ મોટી ધાંધલ થઈ ગઈ, સચિનભક્તો ઉકળી પડ્યા ગાળાગાળી પર ઉતરી પડ્યા. સ્વાભાવિક છે કે એક રશિયન ક્રિકેટ કે ક્રિકેટ પ્લેયર વિષે બહુ જાણતી નાં હોય કે બિલકુલ જાણતી નાં હોય.

હમણા કહેવાતા શંકરાચાર્યે સાઈબાબા કોઈ ભગવાન નથી એમની પૂજા કરવી નકામું છે આવા મતલબનું કશું કહ્યું હશે તો સાઈબાબાના ભક્તો તૂટી પડ્યા એમની ઉપર. શંકરાચાર્ય વળી મોદી વિરોધી છે એ મુદ્દો પાછો આમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. મતલબ મોદી ભક્તો ઓર જોરથી એમની ઉપર એટેક કરવાના. હમણા એક નેતાએ નિવેદન કર્યું કે સેક્સ એજ્યુકેશનને બદલે યોગા શીખવવો જોઈએ તો સેક્સ એજ્યુકેશનની તરફેણ કરનારા એમની ઉપર તૂટી પડ્યા મારા સહીત. તો સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરનારા વળી કાઉન્ટર ગોળીબાર કરતા તરફેણ કરનારા ઉપર તૂટી પડ્યા.

હમણા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે. જે તે દેશની તરફેણમાં હોય તેવા લોકો તે દેશની ટીમ હારતી હોય તો એમના મોતિયા મરી જાય છે. એક જબરદસ્ત ફૂટબોલ મેનીયા હાલ ચાલી રહ્યો છે. આવો ક્રિકેટ મેનીયા ભારતમાં IPL વખતે ચાલતો હોય છે. કેળાની અમુક ખાસ જાતમાં બીટા કેરોટીન(વિટામીન A) હોય છે. હવે કેળાની આ જાત બધે પ્રચલિત હોય નહિ માટે આખી દુનિયામાં કેળાની જે જાત પ્રચલિત હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી જાતમાં જિનેટિક એન્જિયરિંગ વડે પેલી બીટા કેરોટીન ધરાવતી જાતના જિન ઉમેરી દઈએ તો લાખો લોકોને અંધત્વ થી નિવારી શકાય અને જે લોકો વિટામીન A ની ખામીને લીધે મરતા હોય તેમને બચાવી શકાય યુગાન્ડા જેવા દેશોમાં જિનેટિક એન્જિનિયરિંગ વડે વિકસાવેલા ફૂડ પર પ્રતિબંધ છે. પણ આવા સુપર બનાના જેવા મુદ્દા સોકર મેનીયામાં કોઈને જણાય નહિ.

આપણે ત્યાં ક્રિકેટ મેનીયા કે ઈલેક્શન મેનીયા ચાલતો હોય ત્યારે ઘણા બધા જરૂરી મુદ્દા ભુલાઈ જતા હોય છે. આ દર્શાવે છે કે માનવજાતની કોગ્નીટીવ સિસ્ટમ સબકોન્શિયસ ઈમોશન્સ વડે વધુ દોરાતી હોય છે. જાગૃત વાસ્તવિક હકીકતોનું એનાલીસીસ બાજુ પર રહી જતું હોય છે. એનું કારણ એ હોય છે કે સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે, અને સર્વાઈવલ તો બહુ મહતવની વાત છે. કારણ એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. એટલે આપણી સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સમૂહના સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે કારણ જે સમૂહ સાથે આપણે જોડાયેલ હોઈએ તે સર્વાઈવ થાય તો આપણે સર્વાઈવ થઈએ.

આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણા સમૂહ, ટ્રાઈબ ઉપર આપણી સલામતી માટે આધારિત રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ કારણ દર વખતે આપણે એકલા એક વ્યક્તિ તરીકે આપણી જાતનું રક્ષણ કરી શકીએ નહિ. આપણો સમૂહ જે કરતો હોય તેમાં આપણે વધારે સલામતી અનુભવી શકીએ. હવે આ જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તે સમૂહ જુદા જુદા સમયે જુદા જુદા પણ હોઈ શકે. એકસાથે આપણે માનસિક રીતે અનેક સમૂહો સાથે જોડાયેલા પણ હોઈ શકીએ. ફીજીકલી આપણે એક સમૂહ સાથે જોડાયેલા હોઈએ પણ માનસિક રીતે બીજા સમૂહ ઉપર આધારિત હોઈ શકીએ. દાખલા તરીકે મારા કુટુંબ સાથે હું લોહીના સંબંધ વડે જોડાયેલો અને આધારિત હોઉં અને એક ઘરમાં ભેગો રહેતો હોઉં પણ અમુક મારા સંબંધીઓ કોઈ ધાર્મિક પંથમાં ખાસ વધુ માનતા હોય તો મારા નાસ્તિક હોવાના લીધે તેઓ તે બાબતે મારી સાથે અને હું એમની સાથે જોડાયેલ નાં હોઉં. હવે મારો જન્મ કહેવાતી રાજપૂત કોમમાં થયેલો હોય પણ અમુક સંબંધીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો તેઓ જુદી જુદી કોમોમાં જન્મેલા હોય છતાં વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા લોકોનાં સમૂહ સાથે ધાર્મિક રીતે વધુ જોડાયેલ અને આધારિત હોય.

આપણે એક સાથે અનેક ટ્રાઈબ સાથે જોડાયેલા અને આધારિત હોઈએ છીએ. હું તો મારો જ દાખલો આપું બીજાનો શું કામ? હું જન્મ્યો રાઓલ ચાવડામાં એટલે મારી એક ટ્રાઈબ તે થઈ, અને માણસાનાં અભેસિંહના માઢમાં આવેલા રાઓલ્સ મારા કુટુંબીઓ એટલે તે મારી પોતાની ક્લોઝ ટ્રાઈબ થઈ, મારા ગામના નાગરીકો ભલે ગમે તે કોમના હોય પણ મારું ગામ મારી એક ઓર ટ્રાઈબ થઈ, મારા વિચારો રેશનલ એટલે રેશનાલીઝમમાં વિશ્વાસ ધરાવતા લોકોનો સમૂહ મારી અલગ ટ્રાઈબ થઈ. આવું આવું ગણો તો એક સાથે અનેક ટ્રાઈબ જેવી કે ગુજરાતી, ગુજરાતી રાજપૂત, ભારતીય, હિંદુ-નાસ્તિક, ક્રિકેટનો ફેન હોઉં તો ક્રિકેટ, સચિન ફેન હોઉં તો તે, બચ્ચન ફેન હોઉં તો તે, આમ વિધવિધ ટ્રાઈબ સાથે હું જોડાયેલ હોઈ શકું. એટલે ક્રિકેટ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે કે મારી ટ્રાઈબ પર ખતરો છે. રાજપૂત કોમ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે મારી ટ્રાઈબ પર ખતરો છે. અને મારી ટ્રાઈબનાં સર્વાઈવલ ઉપર મારું સર્વાઈવલ આધારિત છે.

ભલે મેં જીંદગીમાં હોકી સ્ટીક પકડી નાં હોય કે ક્રિકેટનું બેટ પકડ્યું નાં હોય પણ મારા ભારતની હોકી ટીમ કે ક્રિકેટ ટીમની જીતમાં મારી જીત અને હારમાં મારી હાર હોય છે. મારી પસંદની ટીમ જીતે તો એમાં મારું સર્વાઈવલ હોય છે અને હારે તો થ્રેટ.. મારી ટીમ જીતે તો ભલે મેં એમાં રતીભાર પ્રયત્ન કર્યો નાં હોય પણ હેપી ન્યુરોકેમિકલ્સનો સ્રાવ અતિશય આનંદ આપતો હોય છે અને હારે તો કોર્ટીસોલ સ્ત્રવીને ભારોભાર દુઃખ આપતું હોય છે.

  આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.  Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. અને ફિલ ગુડ ક્યારે આવે? સર્વાઈવલને સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ બને ત્યારે ફિલ ગુડ આવે. એટલે મારી ટીમ જીતે, ગુજરાતી તરીકે મોદી વડાપ્રધાન બને, મારા ભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે, સાઈના નેહવાલ બેડમિન્ટન કપ જીતી જાય, શ્રેયા ઘોષાલ કે ઐશ્વર્યા મજુમદારને ફિલ્મફેર એવોર્ડ મળે, આવું તો ઘણું બધું થાય ત્યારે મને ફિલ ગુડ અનુભવાય.    imagesFSE90FQN

આપણે જાતિવાદને વખોડીએ છીએ. જાતિ કે કોમ શું છે? તમારો પોતાનો નજદીકનો સમૂહ છે. વેરી ક્લોઝ સમૂહ છે. વેરી કોલોઝ ટ્રાઈબ. એના કરતા પણ વેરી ક્લોઝ સમૂહ આપણું કુટુંબ હોય છે. તમારા વ્યક્તિગત અંગત કામ માટે કશું કરો તો સ્વાર્થ કહેવાય છે. કુટુંબ માટે કશું કરો તો કુટુંબ માટે બલિદાન આપ્યું કહેવાય. કુટુંબ કરતા કોમ અને કોમ કરતા ગામ મોટી જાતિ જ થઇ એક રીતે. રાજપૂત, પટેલ, ઠક્કર જેવી અનેક જાતિઓ કરતા મહેસાણી, કાઠીયાવાડી, સુરતી, બનાસકાંઠીયા, પંચમહાલિયા, બરોડીયન, અમદાવાદી વગેરે જાતીઓનું ફલક જરા મોટું થઈ ગયું. જાતિવાદ તો આમાં છે જ પણ ફલક મોટું થતું જાય છે. આ બધું ભેગું કરો એટલે મહાજાતી ગુજરાતી થઈ જાય. આમ ગુજરાતી, રાજસ્થાની, કર્ણાટકી, કેરાલીયન આવા બીજા પણ ગણીએ તો આમાં જાતિવાદ વળી બહુ મોટા ફલક પર વિસ્તરી જાય. છવટે ભારતીય તરીકે રાષ્ટ્રવાદી કહેવાઈએ પણ આમાં જાતિવાદનું ફલક અતિવિશાળ થઇ જતું હોય છે. જેમ જેમ નાના ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ સ્વાર્થી કહેવાઓ અને જેમ જેમ મોટા જાતીવાદી ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ પરોપકારી વધુ કહેવાતા જવાના. છેવટે રાષ્ટ્રવાદી કે પછી માનવતાવાદી કહેવાઈ શકો. ઉમાશંકર જોશી પાછલી ઉંમરમાં પોતાને વિશ્વમાનવ તરીકે માનતા થઈ ગયેલા.

જાતિવાદ એટલે સમૂહવાદ પછી તે નાના ફલક ઉપર હોય કે વિશાલ. અને સમૂહવાદ એટલે મેમલ બ્રેન જે કરોડો કરોડો વર્ષથી સર્વાઈવલ માટે વિકસેલું છે. જાતિવાદ કદી નાશ પામવાનો નથી, તમે નવી નવી જાતિઓ ઉભી કરો અથવા મોટા ફલક પર કામ કરી પરમાર્થી બનો. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી જ્ઞાતિઓ ભૂંસી નાખો બદલામાં શિક્ષક, એન્જીનીયર, વૈષ્ણવ, ક્લોથ મરચંટ, લેખક, કવિ, બચ્ચન ફેન કે સચિન ફેન જેવી બીજી હજારો જાતિઓ ઉભી કરો. તમારો જાતિવાદ નાના ફલક ઉપર ચુસ્ત હશે તો મોટા ફલક ઉપર એની પકડ ઓછી હશે. એટલે મેં લખેલું કે આપણે ત્યાં કોમવાદ ચુસ્ત છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. રાષ્ટ્રવાદ ચુસ્ત હશે તો કોમવાદ કમજોર હશે. એટલું કરી શકાય કે કોઈ જાતિને નાની મોટી હલકી કે ભારે નાં સમજીએ.

હવે આ જાતિવાદ, સમુહવાદનું ફલક વિસ્તરતું વિસ્તરતું બીજા મેમલ પ્રાણીઓ અને જીવ જંતુ સુધી વિસ્તરી જાય તો દુનિયા તેને ભગવાન મહાવીર તરીકે ઓળખે છે, ભગવાન બુદ્ધ તરીકે ઓળખે છે.

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)images09-87

અમારી ગપાટા મંડળીના સભ્ય શાંતિભાઈ આજે જરા ઉગ્ર મિજાજમાં હતા. કેબીનેટ મીનીસ્ટર ડૉ હર્ષવર્ધન ઉપર ગુસ્સામાં હતા. આવતાવેંત કહે, ‘આ ડૉ ગાંડો થયો લાગે છે. કહે છે જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ અને યોગ શીખવવો જોઈએ.’

‘ આમાં અડધું સજેશન ખોટું છે અને અડધું સારું’, મેં કહ્યું.

‘એટલે સમજ્યો નહિ.’

‘જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ તે ખોટું અને યોગ શીખવવો જોઈએ એમાં એક સુધારા સાથે કહું તો મેડીટેશન ખાસ શીખવવું જોઈએ તે સારું’.

‘આ જાતીય શિક્ષણ ની જરૂર શું કામ પડે? આ પ્રાણીઓને તો જરૂર પડતી નથી ?’ અંબુકાકા બોલ્યા.

મને થયું આ મનોવિજ્ઞાનનાં માજી શિક્ષક શાંતિભાઈ, અંબુકાકા ઉપર પણ ગુસ્સે થવાના છે. એટલે મેં વાત વાળી લેતા કહ્યું કાકા પ્રાણીઓ સહજ હોય છે, સેક્સ એમના માટે બેસિક નીડ અને બેસિક ઇન્સ્ટીન્કટ છે અને તે રીતે તેનો સહજ ઉપયોગ કરે છે. જ્યારે આપણે પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી એટલે આપણે સેક્સને સહજ રહેવા દીધો નથી માટે આપણે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે.

‘વધારે ડાહ્યા વધારે ખરડાય’, કમુબેન બોલ્યા.

શાંતિભાઈ હસી પડ્યા. હસતા હસતા ઉમેર્યું, ‘ પ્રાણીઓ કરતા આપણી પાસે કોર્ટેક્સ બહુ મોટું છે મતલબ વિચાર કરવાવાળું બ્રેન બહુ મોટું છે માટે આપણે સેક્સને સુસંસ્કૃત અને વિકૃત બંને બનાવી શકીએ છીએ, એટલે સંસ્કૃત બનાવવા અને વિકૃત નાં બને તે માટે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે એવું મારું માનવું છે.’

મેં કહ્યું બધા આ વાત પર ઠોકો તાલી.

મંજુબેન જરા જુનવાણી વિચારો ધરાવતા તે બોલ્યા આ જાતીય શિક્ષણ આપવાથી પછી કામાચાર વધી નહિ જાય? લોકો લગ્ન કર્યા વગર પણ સેક્સ ભોગવવા લાગશે.

મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર? ચાલો આજ સુધી ભારતમાં જાતીય શિક્ષણ ક્યા અપાતું હતું છતાં ૧૨૫ કરોડનો દેશ અમસ્તો થોડો બની ગયો હશે? અને જે સાધુ મહાત્માઓ સેક્સને કાયમ વખોડતા હોય છે તે લોકો પણ ખાનગીમાં સેક્સ વગર રહેતા નથી. જે સાધુઓ સ્ત્રીઓના મુખ પણ જોતા નથી તેવા લોકો નાના છોકરાઓનો દુરુપયોગ કરે જ છે. ઉલટાનો આવા લોકો સેક્સનો વધુ ઉપયોગ અને તે પણ વિકૃત રૂપે કરે છે. એક ખોટી માન્યતા છે કે સેક્સ શિક્ષણ આપવાથી લોકો પછી ચોરે ને ચૌટે સેક્સ માણ્યા કરશે.

હવે વારો શાન્તીભાઈનો હતો. ‘ઘણા બુદ્ધુઓ માને છે કે સેક્સ એડ્યુકેશન એટલે નિરોધ વાપરવાનું કહેવું અને પહેરાવવાનું શીખખવું બસ આટલામાં જ બધું આવી ગયું. ઘણા મુરખો એવી દલીલ પણ કરે છે કે સેક્સ એડ્યુકેશન મેળવવા તમારા સંતાનોને કોઈ પારકી વ્યક્તિ પાસે મોકલવા રાજી છો? ભાઈ તમે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા કે થિઅરી ઓફ રીલેટીવીટી શીખવા ન્યુટન કે આઇન્સ્ટાઇન પાસે ગયેલા ખરા? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું એક જ કલાસરૂમમાં ૫૦-૧૦૦ વિધાર્થીઓ સાથે બેસી ને જ શીખેલા કે નહિ? બધી વસ્તુઓ પ્રેક્ટીકલ શીખવી જરૂરી છે ખરી? મુલે સેક્સ ને પાપ ગણનારા જાતજાતની દલીલો કરશે. ઘણા બુદ્ધુઓ કહેશે સાચું સેક્સ શિક્ષણ દીકરીને માતા જ આપી શકે. તો દીકરાઓને કોણ આપશે? ચાલો પશ્ચિમનો સમાજ તો ઓપનનેસ ધરાવે છે ત્યાં માતા આપશે પણ ભારતની માતા કઈ રીતે આપશે? શરમ નહિ આવે? એના કરતા આનો નિષ્ણાંત શિક્ષક વર્ગ ખંડમાં આપે તે શું ખોટું? ઘણા બુદ્ધુઓને છાપાઓમાં પીરસાતા નગ્ન અર્ધનગ્ન ફોટાઓ, ગ્લેમરસ જાહેરાતો અને ડૉ મુકુલ ચોકસી કે ડૉ મૃગેશ વૈષ્ણવ કે ડૉ હંસલ ભચેચ જેવા નિષ્ણાંતો વડે પીરસાયેલા જ્ઞાન વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. મારી તો બચપણની ઘણી બધી સેક્સ વિશેની ખોટી માન્યતાઓ અને ગીલ્ટ ફક્ત ડૉ મૃગેશ વૈષ્ણવનાં પુસ્તકો વાંચીને જ દૂર થઈ ગયા હતા, નાં તો મારે કોઈની જોડે પ્રેક્ટીકલ શીખવા જવું પડેલું કે નાં કોઈ ડોક્ટરની મુલાકાત લેવી પડેલી.’

મેં કહ્યું ઘણા મિત્રો એવી પણ દલીલ કરતા હોય છે કે આજ સુધી ક્યાં તમે સ્કૂલમાં જાતીય શિક્ષણ લેવા ગયેલા? ભાઈ પહેલા ભણવા જ કોણ જતું હતું તો હવે સ્કૂલ કૉલેજો બંધ કરી દઈશું? લાખો વર્ષ લગી ડોક્ટર્સ હતા જ નહિ લોકો એમ જ બીમાર પડતા ને મરતા પણ ખરા તો શું હવે તમામ ડોક્ટર્સ ને ગોળી મારી દઈશું?

કમુબેન બોલ્યા આ લોકો સેક્સ એડ્યુકેશનનો વિરોધ કેમ કરે છે તેનું મૂળ કારણ શું છે ખબર છે?

મેં કહ્યું નાં તમે કહો.

અરે ! આ મુર્ખાઓ એવું સમજે છે કે સેક્સ એડ્યુકેશન એટલે સેક્સ કરતા શીખવવું? એની જ આ બધી મોકાણ છે. અલ્યા સેક્સ કરતા કોઈને શીખવવું નાં પડે એ તો બધાને સમય થાય આવડી જ જાય. હહાહાહાહાહાહાહા.. સેક્સ એડ્યુકેશનમાં સેક્સ વિષે સાચી સમજ, એના અતિરેક અને એના આત્યંતિક વિરોધ બધાથી કઈ રીતે બચવું, એમાંથી કઈ રીતે શક્ય આનંદ મેળવવો, એની વિકૃતીઓથી બચવું આવું  બધું શીખવાનું હોય. એને કરતા શીખવાનું તો બધાને જન્મજાત આવડતું જ હોય, પ્રાણીઓ પણ વગર શીખે કરતા જ હોય છે.

મેં કહ્યું ખરેખર તો સેક્સ એડ્યુકેશન સેક્સ વિકૃતિઓ થી બચી શકવામાં બહુ કામ લાગે. ખોટી માન્યતાઓને લીધે થતા અપરાધબોધનું નિવારણ થાય અને તેના લીધે થતી માનસિક બીમારીઓ માટે પણ બહુ કામ લાગે. ઉલટાનું સેક્સ એડ્યુકેશન વડે સેક્સના અતિરેકથી પણ બચી શકાય.

શાંતિભાઈ બોલ્યા આપણા લોકોનો દંભ જુઓ એક મામી અને ભાણેજના સેક્સ સંબંધો માન્ય, એમના મંદિરો બનાવશે, એમની પૂજા કરશે પણ કોઈ કૉલેજના છોકરાએ બિચારાએ ભૂલ કરી હશે કોલેજની અગાસીમાં તો સજા કરશે.

અરે ! કાઈ સમજાય તેવું બોલો.

આખા ભારતમાં રાધાકૃષ્ણનાં મંદિરો છે કે નહિ? લોકો એમની પૂજા કરે છે કે નહિ?

હા કરે છે.

રાધા યશોદાના ભાઈની વહુ હતી, કૃષ્ણની મામી થઈ કે નહિ? બાલકૃષ્ણને પટાવનારી પીડોફેલીક થઈ કે નહિ? આ દેશમાં સ્ત્રીઓના મોઢા નાં જોનારા મહાન પુણ્યશાળી બાવાઓ નાના છોકરાઓના ગુદાદ્વાર એમની જાતીય વૃત્તિ સંતોષવા ફાડી નાખે તે ચાલે, આ દેશમાં અમે જ કૃષ્ણ છીએ અમને બધું અર્પણ કરો કહી ગુરુઓ ભક્તોની નાજુક કન્યાઓની યોનીઓ ચીરી નાખે તો ચાલે પણ સેક્સ એડ્યુકેશનની વાત કરો તો નાં ચાલે.

મેં કહ્યું બસ બસ શાંતિભાઈ વધુ કહેશો નહિ લોકો મારવા આવશે.. આ શાંતિભાઈ માર ખવડાવશે ચાલો  ભાગીએ અહીંથી કહી અમારી મંડળી છૂટી પડી..

જય પિતાજી….

જય પિતાજી1554534_10202350258650516_2907119415585977144_n

એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક નર માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. પછી આ ઈંડામાંથી બચ્ચા બહાર આવશે અને જીવશે કે નહિ એમાં તેમને કોઈ રસ હોતો નથી. કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ફક્ત માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે.

The act of fathering is the foundation of human civilization.

પિતૃત્વ ને માન આપવા, પિતા સાથેના માનસિક જોડાણને સરાહવા અને પિતાની સમાજ પર પડતી અસર કેટલી પ્રભાવશાળી છે તે જતાવવા ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. મોટાભાગના દેશોમાં જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે. ફાધર્સ ડે પહેલા મધર્સ ડે ઉજવવાનું શરુ થઈ ચુક્યું હતું. એટલે ઘણાને તેમાં કશું ખૂટતું હોય તેવું લાગતું હતું. કારણ માનવસમાજના પાયામાં પિતા અને માતા બંનેનું સરખું પ્રદાન હોય છે એટલે મધર્સ ડે ઉજવાય અને ફાધર્સ ડે જેવો કોઈ કોન્સેપ્ટ જ નાં હોય તે ચાલે ખરું?

Anna Jarvis નામની એના માતાપિતાના તેર સંતાનોમાની દસમું સંતાન, એણે માતૃત્વનાં મહિમાને વધુ મહિમાવંત બનાવવા એની માતાનાં અવસાનના ત્રણ વર્ષ બાદ ૧૦ મેં. ૧૯૦૮ના દિવસથી મધર્સ ડે ઉજવવાનું અમેરિકામાં શરુ કરેલું. મધર્સ ડે સામે પિતાને પણ મહત્વ આપવું જોઈએ અને ફાધર્સ ડે જેવો કોઈ દિવસ ઉજવવો જોઈએ તેવું ઘણા બધાના મનમાં થતું હતું પણ ક્રેડીટ ગોઝ ટુ Sonora Smart Dodd ( Spokane, Washington). આ મહિલાના પિતા અમેરિકન સિવિલ વોર વેટરન હતા. એમની પત્નીના અવસાન બાદ એકલા હાથે છ સંતાનો એમણે ઉછેરેલા. Sonora ને એના પિતા પ્રત્યે ખુબ માન હતું એણે ૧૯ જુન ૧૯૧૦ના દિવસે પહેલીવાર ફાધર્સ ડે ઉજવી નાખ્યો. શરૂમાં એને ખાસ પ્રતિસાદ મળ્યો નહિ. પણ આમાં થોડા વેપારી જૂથો સામેલ થયા. કારણ એમને તો આમાં બિજનેસ દેખાતો હતો. તંબાકુ પીવાની પાઈપ, ટાઈ અને એવી બીજી વસ્તુઓ આ બહાને લોકો પિતાને ગીફ્ટ તરીકે આપે તો ધંધો વધવાનો જ હતો. શરૂમાં લોકો આનો વિરોધ કરતા અને સમાચાર પત્રો ફાધર્સ ડે ની મજાક ઉડાડતા અને મજાક ઉડાડતા જોક્સ મુકતા. પણ ધંધાદારીઓ એમ નિરાશ થાય તેવા નહોતા. ઉલટાના સમાચાર પત્રોએ મુકેલા જોક્સનો જ પ્રચાર તરીકે ઉપયોગ કરીને ફાધર્સ ડે ને વધારે પ્રચલિત બનાવી દીધો.

૧૯૧૬માં પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સન ફાધર્સ ડે ની ઉજવણીમાં બોલવા Spokane પધાર્યા અને એને ઓફિસિયલ બનાવી દેવા ઈચ્છા વ્યક્ત કરી. પણ એનું વ્યાપારીકરણ થઈ જશે એવો ભય વ્યક્ત કરી કોંગ્રેસે વિરોધ કર્યો. ૧૯૬૬માં પિતાશ્રીઓને સન્માનવા જુન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે સત્તાવાર જાહેર કરનાર હતા પ્રમુખ Lyndon B. Johnson . એના છ વર્ષ પછી ૧૯૭૨માં પ્રમુખ નિક્સને સહી કરીને આ દિવસને પરમેનન્ટ નેશનલ હોલીડે તરીકે જાહેર કરી દીધો જો કે રવિવારે તો આમેય હોલીડે જ હોય છે.

 Randall Flanery, (a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute) કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી. બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે. સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે. બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે. આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ. અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે. આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે. એમને શું કરવું સમજ હોતી નથી. નિરંકુશ બની જતા હોય છે.

છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે. ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે. અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે. એના પાર્ટનર તરીકે પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે. પણ પિતા વગર ઉછરી હોય તો કોને નજર સમક્ષ રાખે? ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે. ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.

જે છોકરી બાયોલોજીકલ પિતાનાં સાંનિધ્ય વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે. પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને  પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે. જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને. પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે. માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.  Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઇવલૂશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો.

માતા ફરી લગ્ન કરે કે લીવ ઇન રિલેશનશિપ વડે બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity, and thus accelerate menarche ( Barkow, 1986). આવા અનરીલેટેડ પુરુષનું  આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી અને સાબદાઈમાં પરિણમતું હોય છે. ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ. સાયકોલોજીસ્ટ Bruce Ellis નું ગ્રાઉન્ડ બ્રેકીંગ સંશોધન પણ આમ કહે છે. તે એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથેના તેમના સંબંધો વધુ પ્રેમાળ અને લાગણીભર્યા હોય તેટલો છોકરીનો પુખ્ત બનાવાનો સમય વધુ અથવા નોર્મલ હોય છે.

આમ બાયોલોજીકલ પિતાની ગેરહાજરી છોકરીને વહેલી જાતીય પુખ્ત બનાવી દે તે નુકશાનકારક બની શકે છે. કારણ માનસિક રીતે છોકરી પુખ્ત બની હોય નહિ અને માનસિક પુખ્તતા સલામત Sexuality માટે જરૂરી હોય છે. વળી ઘરમાં બાયોલોજીકલ નાં હોય તેવા પિતા કે પુરુષની હાજરી પણ છોકરીને વહેલા જાતીય પુખ્ત બનાવી દેવા કારણભૂત બનતી હોય છે. અને પરિણામે સતત અને સહેલાઈથી મળતું આવું સાંનિધ્ય જાતીય સંબંધોમાં પરિણમતું હોય છે. માતા બાજુ પર રહી જતી હોય છે અને યુવાન છોકરી સાથે સ્ટેપ ફાધર કે કહેવાતો માતાનો બોય ફ્રેન્ડ જાતીય સંબંધ બાંધી લેતો હોય છે. વાતે વાતે ડિવોર્સ લેતા અને વારંવાર પાર્ટનર બદલતા પશ્ચિમના સમાજનું આ બહુ મોટું કલંક છે.

  સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે એની ઓળખના વિકાસનું (Development of identity) ખુબ મહત્વનું પરિબળ છે. એક નાના પુત્ર માટે પિતા એક idol છે. ડેડી બધું જ કરી શકે છે. પરમપિતા પરમાત્મા છે. પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે. પિતાની સામાજિક સ્વીકૃતિ જોઈએ છે. કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી. એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે. પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે. એક બીજાને  ઇગ્નોર કરે છે. પણ માનસિક રીતે જોડાતાં જાય છે. ત્રીસી ને ચાલીસીના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે. ઘણા બલિદાનો આપ્યા છે. અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે. બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.

એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે. એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે. પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે. એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે. પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે. પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે. પિતા વગરની દીકરી એકલી અટૂલી છે. તો દીકરી વગરનો પિતા પણ અધુરો છે તેવું મારું પર્સનલ મંતવ્ય છે.

માતાને દીકરો વધુ વહાલો હોય છે જ્યારે પિતાને દીકરી વધુ વહાલી હોય છે.

૨૦૧૪ના ફાધર્સ ડે માટે આટલું પુરતું છે ને?

અંધશ્રદ્ધામાં શ્રદ્ધા

અંધશ્રદ્ધામાં શ્રદ્ધાimagesLHLH9QCB

સાંયા જુલા કરીને એક મહાન ભક્ત હતા. એજ યૂઝુઅલ ભક્તો મહાન જ હોય છે. ઈડર મહારાજના દરબારમાં એમનાં બેસણાં હતા. કયા મહારાજા હતા એમનું નામ ખબર નથી.. સાંયા જુલા કવિ પણ હતા એટલે જ કદાચ રાજદરબારમાં બેસતા હશે. આ મહાન ભક્ત દ્વારકાધીશના પરમ ભક્ત હતા. દ્વારિકામાં આરતી થાય એટલે ત્યાં હાજરી આપવાનો એમનો અચૂક નિયમ હતો. સાંયા જુલા રહેતા હતા ઈડર પણ રોજ સાંજની આરતી સમયે ૪૪૯.૨૫ કી.મી. અથવા ૨૪૨.૫૮ Nautical માઈલ્સ અથવા ૨૭૯.૧૫ માઈલ્સ દૂર સ્થિત દ્વારિકામાં હાજર રહેવાનો વિશ્વવિક્રમ ધરાવતા હતા. જો કે આજે આ વાત શક્ય છે ઈડરથી અમદાવાદ કારમાં જઈ પ્લેનમાં દ્વારિકા જઈને આરતીમાં હાજરી આપી પાછા ઈડર આવી શકાય. એજ યૂઝુઅલ ભગવાન ભક્તને કશું આપવા ઈચ્છે પણ મહાન ભક્તો સવિનય નાં પાડતા હોય છે. આ ભગવાનની મેન્ટાલિટી ની મને ખબર નથી પડતી, એક બાજુ એના દર્શન કરવા જનારા લોકોના ડીઝાસ્ટરમાં પ્રાણ હરી લે અને સાંયા જુલા જેવા ભક્તોને નાં પાડવા છતાં સાંઢણી પર પુરસ્કાર મોકલતા હોય છે.

એકવાર દરબાર ભરાયેલો છે અને ભક્તરાજ અચાનક હાથ પછાડતા હોય તેમ કરવા લાગ્યા. થોડીવાર પછી બધું રાબેતામુજબ થઈ ગયું. મહારાજાએ પૂછ્યું આપ શું કરતા હતા? એજ યૂઝુઅલ ભક્તે વાત ટાળવાની કોશિશ કરી. પણ રાજા માને? થયેલું એવું કે તે સમયે દ્વારિકામાં ભગવાનના વાઘા બદલવા પુજારી કશું કરતા હશે તે સમયે ભગવાન પાસે મુકેલા દીવા ને લીધે સમથીંગ આગ જેવું લાગેલું ભગવાન દાઝે નહિ માટે ભક્તે અહી ઈડરમાં બેઠા બેઠા હાથ પછાડી આગ હોલવી નાખી. આ ભગવાન કેટલો અસહાય છે નહિ? નથી કપડા જાતે પહેરી શકતો નથી તેની નજીક આગ લાગે તો હોલવી પણ શકતો નથી. હવે ભક્ત જુઠું બોલે તેવો અવિશ્વાસ તો કરાય નહિ. છતાં મનમાં અવિશ્વાસ તો છે જ એટલે મહારાજા કોઈ માણસ દ્વારિકા મોકલી તપાસ કરાવે છે. સી.બી.આઈ નો રીપોર્ટ આવે છે કે વાત સાચી છે તે સમયે દ્વારિકામાં ભગવાન આગળ નાનકડી આગ લાગેલી અને પુજારીએ કહ્યું કે સાંયાજી અહી ઉભા હતા તેઓએ આગ હોલવી નાખેલી. સિક્રેટ સર્વિસ એજન્ટે કહ્યું પણ સાંયાજી તો ઈડરમાં રહે છે અહી કઈ રીતે આવે? પૂજારીએ કહ્યું આ ભક્ત તો રોજ સાંજે અહી આવે છે આરતી ટાણે. સિક્રેટ સર્વિસ એજન્ટ એમ કાઈ કાચું મુકે ખરો? થોડા દિવસ ત્યાં રહીને ખાતરી કરી લીધી ભક્તરાજ રોજ ત્યાં આરતી સમયે હાજરી આપતા હતા.

ચાલો બીજી આવી એક વાર્તા જોઈએ. વડોદરા પાસેના છાણી ગામના સ્વ.મનસુખ માસ્તર ડાકોરના રણછોડરાયના ખાસ ભગત. દર પૂનમે ડાકોર જવાનું. શાળામાં દર પૂનમે રવિવાર હોય નહિ તો પણ ડાકોર જવાનું એટલે જવાનું. માસ્તર સ્વભાવે બહુ સારા હતા, વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમના વિરોધીઓએ એમને નીચા પાડવાના કાવતરા કર્યા કરતા.  શિક્ષણ અધિકારીઓને ચેકિંગ માટે બોલાવતા પણ માસ્તરની સારી વર્તણૂક અને લોકપ્રિયતા જોઈ અધિકારીઓ દર વખતે એમનો બેપાંચ રૂપિયા પગાર વધારીને જતા રહેતા. છેવટે એક પૂનમે માસ્તર શાળા ચાલુ હતી છતાં ડાકોર પહોચી ગયા, અને અગાઉ ઘડી કાઢેલી  યોજના એમના દુશ્મનોએ શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા બોલાવી લીધેલાં.

આ બાજુ માસ્તર તો ડાકોરમાં હતા. એમને આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ દેખાયું નહિ. બીજી બાજુ રણછોડરાયને ચિંતા થઈ કે મારા ભગતની નોકરી આજે જવાની, તો માસ્તરનું રૂપ લઈને શાળામાં આવી ગયા. અહીં શિક્ષણ અધિકારીઓ સાથે વાતો કરી. વિરોધીઓ નવાઈ પામ્યા કે માસ્તર તો ડાકોર હતા અને અહીં કઈ રીતે હાજર? અધિકારીઓ પાંચ રૂપિયા પગાર વધારી સ્ટેશને જવા રવાના થયા. અહીં સ્ટેશને મૂળ મનસુખ માસ્તર ટ્રેનમાંથી નીચે ઊતર્યા, સામે ટ્રેનમાં બેસવા આવેલા શિક્ષણ અધિકારીને જોઇને પગે પડી ગયા કે માફ કરો. અહીં બધાને નવાઈ લાગી કે માસ્તર તો શાળામાં હતા, અહીં ટ્રેઇનમાંથી આ કોણ ઊતર્યું? માસ્તર બોલી ઊઠ્યા કે હવે સમજ્યો કે આજે મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું? એનું કારણ એ હતું કે રણછોડરાય માસ્તર બનીને અહીં શાળામાં આવી ગયેલા. છાણી ગામમાં સ્વ. મનસુખ માસ્તરનું સ્મારક આજે ઊભું છે.

આ ભગવાન મારા કે તમારા રૂપ લઇ શકે પણ મહમદ ગઝની સોમનાથ કે બાબર ને રામ મંદિર તોડતા રોકી શકતો નથી. એના અક્ષરધામ પર હુમલા થાય ત્યારે સુઝાનસિંઘ જેવાને શહીદ થઈ જવું પડે છે. આપણે સમજીએ છીએ કે ઈશ્વર, ભગવાન, ગુરુ અને ધાર્મિક ગ્રંથો જેવા કહેવાતા ઊંચા તત્વોમાં અફર વિશ્વાસ રાખવો તે શ્રદ્ધા, અને ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ, જાદુટોનામાં વિશ્વાસ રાખવો તે અંધશ્રદ્ધા. ભગવાનને શીરો ધરાવો કે ભૂતને બાકળા મનોદશા બંનેની સરખી જ છે. એક નાળીયેર વધેરે અને એક બકરું વધેરે, વધેરવાનું કામ બંને કરે છે, બંનેના બ્રેનની સર્કીટ સરખી જ છે. પણ એક કહેવાય શ્રદ્ધા અને બીજું કહેવાય અંધશ્રદ્ધા. આપણે આદિવાસીઓ અને પછાત વર્ગના, ગરીબ વર્ગના લોકોની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. ઊંચા અને ઊજળા પૈસાદાર શિક્ષિત વર્ગના લોકોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. કોઈ ગરીબનું કામ એના માનેલા માતાજી કરે તો અંધશ્રદ્ધા અને મનસુખ માસ્તરનું કામ રણછોડ કરી જાય તો શ્રદ્ધા. શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નહિ. અંધશ્રદ્ધામાં જ શ્રદ્ધા સમાઈ જાય છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે તેવી ચવાઈ ગયેલી કોમેન્ટ્સ અહી કોઈએ કરવી નહિ.

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….

George Jacob Holyoake
George Jacob Holyoake

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં, ચાર્વાક થી………..

શરુ કરીએ રેશનાલીઝમ થી.. રેશનાલીઝમ ને આપણે વીવેકપંથ કહીએ છીએ. રેશનલ વિચારધારા મતલબ કોઈ વાત કે વાદ ને એમજ માની લેવું અયોગ્ય  છે. કાર્ય અને કારણનો કોઈ સંબંધ હોવો જોઈએ. જ્ઞાન બુદ્ધિગમ્ય હોવું જોઈએ.  એની પાછળ કોઈ રીજન કોઈ કારણ હોવું જોઈએ એને બુદ્ધિ અને તર્ક વડે ચકાસવું જોઈએ. પછી યોગ્ય લાગે તો માનવું બાકી માનવું નહિ આવો સાદો અર્થ વિવેકવાદનો કરી શકાય. જોકે આમ  જોઈએ તો કોઈ વાદ કે વિચારધારા કે દર્શન પોતાનામાં પરિપૂર્ણ હોતા નથી. એમાંથી પછી નવી વિચારધારા પેદા થતી હોય છે.  In philosophy , rationality is the exercise of reason.

 ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, જેમ કે આજે નાસ્તિક આસ્તિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જોકે આવા બીજા અનેક વાદ કે વિચારધારાઓ છે જે લગભગ એકબીજા સાથે નજીવા ભેદે પણ સાથે સાથે ચાલતા હોય છે. શક્ય છે કે જુના રેશનાલીસ્ટો ભગવાનમાં અને ધર્મોમાં માનતા પણ હોઈ શકે.  રેશનાલીઝમ તર્ક અને ગણિત સાથે જોડાયેલું હતું.

Rene Descartes ( ૧૫૯૬-૧૬૫૦) કહેતો કે સપના આવે છે તે સત્ય લાગતા હોય છે અને ઘણી વાર ચિતભ્રમ દશામાં ઘણાને આભાસી દ્રશ્યો પણ સત્ય દેખાતા હોય છે. આમ ઇન્દ્રિયો વડે થતી અનુભૂતિ પણ શંકાજનક હોય છે. Baruch Spinoza (૧૬૩૨-૧૬૭૭),Gottfried Leibniz (૧૬૪૬-૧૭૧૬૦) આ ત્રણે મહાન રેશનાલીસ્ટ ગણિતશાસ્ત્રી હતા. Immanuel Kant ( ૧૭૨૪-૧૮૦૪) ટ્રેડિશનલ રેશનાલીઝમની શરૂઆત કરનારા હતા.

રેશનાલીઝમની સાથે સાથે મુસાફરી કરનારો એક વાદ છે Empiricism. અહીં અનુભવજન્ય જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે. અવલોકન, પ્રયોગો, વૈજ્ઞાનિક મેથડ, પુરાવા બધું સોલીડ હોવું જોઈએ. રેશનાલીઝમની જેમ ખાલી રીજન શોધીને બેસી રહેવાનું નથી, પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. John Locke બ્રિટીશ એમ્પીરીસિઝમના મહાન તત્વજ્ઞાની હતા. જ્ઞાન ફક્ત સિદ્ધાંતો પર આધારિત નહિ પણ પ્રયોગમૂલક હોવું જોઈએ તે એમ્પિરિસિઝમનો મહત્વનો સિદ્ધાંત છે. સંશયવાદ Skepticism પણ આ બધા વાદ સાથે ચાલનારો વાદ છે. રેશનાલીઝમમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવે તો પાસ થઈ જવાય પણ સ્કેપ્ટીસિસમમાં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવવા પડે. એક પણ માર્ક ઓછો પડે તો નાપાસ. David Hume (૧૭૧૧-૧૭૭૬)  એમના empiricism અને skepticism માટે ખૂબ જાણીતા હતા. આમ skepticism વિજ્ઞાન પર બહુ મોટો આધાર રાખે છે. અરે વિજ્ઞાન ઉપર પણ સંશય કરવો એમાંથી પણ નકલી વિજ્ઞાન જુદું પાડવું જેને સ્યુડો સાયન્સ કહેવાય. આમ કહેવાતી વૈજ્ઞાનિક વાતો પર પણ સંશય કરે તેવો આ વાદ છે. Skepticism નાં મૂળિયા ચાર્વાક સ્કૂલમાં રહેલા છે. અનેકાંતવાદ પણ આવો જ એક જબરદસ્ત વૈજ્ઞાનિકવાદ હતો કે એક સત્ય જુદા જુદા અનેક પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ શકાય છે. દરેકના સત્ય જુદા જુદા હોય છે. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કશું હોતું નથી, non-absolutism.

Innatism ઇન્નેટીસમ  વળી માને છે કે જન્મ સમયે આપણું મન કોઈ કોરી સ્લેટ નથી. આને સહજવાદ કે સહજ પ્રત્યયવાદ પણ કહેવાય છે. આ વાદનું આધુનિક રૂપ છે Nativism નેટિવિઝમ. આને પ્રકૃતિવાદ પણ કહી શકાય. હું જે હ્યુમન નેચર વિષે અને ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે લખું છે તે બધું આ પ્રકૃતિવાદમાં આવી જાય કે આપણાં જિન્સમાં આપણે ઘણું બધું જ્ઞાન જન્મ સાથે લેતા આવીએ છીએ. હમણાં હું કાંગારું વિષે પ્રોગ્રામ જોતો હતો. કાંગારું અવિકસિત બચ્ચાને જન્મ આપે છે એકાદ વેંતનું પણ નાં હોય તેવું આ બચ્ચું જન્મી ને તરત કાંગારુંનાં પેટે રહેલી કોથળી તરફ પ્રયાણ કરે છે. એને કોણે શિખવાડ્યું કે કોણે બતાવ્યું કે ત્યાં કોથળી છે?

આમ લગભગ બધા વાદ કે વિચારધારાઓ કે દર્શન સંપૂર્ણ લાગતા નથી. ક્યાંક ને ક્યાંક ત્રૂટીઓ જણાય છે. Atheism માને છે કે કોઈ ભગવાન કે દેવ કે સુપર નેચરલ પાવર જેવું હોતું નથી. તો Agnosticism માને કે અમુક વસ્તુઓના જવાબ હોતા નથી, નરો વા કુંજ રો વા જેવું.

untitled-=-Richard Dawkins જેવા હાલના ગ્રેટ ડાર્વિનવાદી હવે Secular Humanism ની તરફેણ કરવા લાગ્યા છે, તો ચાલો હવે સેક્યુલરિઝમ વિષે થોડું જાણીએ. સેક્યુલર કે સેક્યુલરિઝમ નો સીધો સાદો અર્થ એવો કરી શકાય કે ગવર્નમેન્ટ કે સંસ્થાઓ કે એના દ્વારા અપાતા અધિકૃત આદેશોને ધાર્મિક સંસ્થાઓ કે ધર્માધિકારીઓ થી અલગ રાખવા. ટૂંકમાં કહીએ તો સરકાર કે સંસ્થાઓનાં વહીવટમાં ધર્મો અને ધર્માધિકારીઓની દખલ જોઈએ નહિ. આને ગુજરાતીમાં બિનસાંપ્રદાયિક કહેતા હોઈએ છીએ. એક એવો અર્થ પણ થાય કે ધર્મો કે ધાર્મિક માન્યતાઓ કે આદેશો થી મુક્ત. એવું પણ કહી શકાય કે જાહેર પ્રવૃત્તિઓ અને નિર્ણયો ખાસ તો રાજકીય, આ બધું ધાર્મિક માન્યતાઓ અને પ્રેકટીશ ની અસર કે પ્રભાવ વગરનું હોય.

સેક્યુલરિઝમનાં બુદ્ધિગમ્ય મુળિયા   Marcus Aureliusઅને  Epicurus જેવા ગ્રીક અને રોમન ફિલોસોફર Denis Diderot, Voltaire, Baruch Spinoza, John Locke, James Madison, Thomas Jefferson, અને  Thomas Paine જેવા વિચારકોમાં અને આધુનિક  freethinkersઅને  atheists એવા  Robert Ingersollઅને  Bertrand Russell વગેરેમાં જોવા મળે છે. સેક્યુલરિઝમ ને ટ્રેડીશનલ ધાર્મિક મૂલ્યો થી દૂર આધુનિકતા તરફ ગતિ કરતી એક ચળવળ પણ ગણવામાં આવે છે. બ્રિટીશ રાઈટર George Jacob Holyoake એ પહેલીવાર ૧૮૫૧મા સેક્યુલરિઝમ શબ્દ ઉછાળ્યો હતો. પોતે agnostic હતો અને ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યા વગર સામાજિક નિર્દેશો ધર્મોયુક્ત નાં હોવા જોઈએ તેવું માનતો હતો. એ કહેતો કે સેક્યુલરિઝમ એ સ્વતંત્ર વિચારધારા છે, કોઈ ક્રીશ્ચિયાનીટી વિરુદ્ધની ગરમગરમ ચર્ચા નથી.

સેક્યુલર સ્ટેટ(રાજ્ય, દેશ) મતલબ ધર્મ અને ચર્ચ થી મુક્તિ. આપણે ધર્મ કે મંદિર થી મુક્ત કહી શકીએ. ચર્ચ કે મંદિર કે મસ્જિદ શબ્દને ધાર્મિક માન્યતાઓ કે આદેશો તરીકે સમજવો. ધાર્મિક પવિત્ર ગ્રંથોમાં જે કાનૂન દર્શાવ્યા હોય જેવા કે Torah અને Sharia તેનાથી અલગ, સરકાર પોતાના કાનૂન ઘડે. ગરબડ એ છે કે દરેકની પોતાની વ્યાખ્યાઓ આવા શબ્દોમાં ઉમેરાતી હોય છે. લોકશાહીમાં ધાર્મિક લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું જોઈએ તેવો પણ એક મત હોય છે.

અહી સેક્યુલરિઝમ ગૂંચવાઈ જાય છે. ધાર્મિક લઘુમતીઓને એમના સ્ક્રિપ્ચર પ્રમાણે કાનૂન અને ફાયદા જોઈતા હોય છે. હવે લોકશાહી તરીકે એમને સંતોષ આપવા જાવ તો બીજા લોકોને મનદુઃખ થવાનું જ છે. ભારતમાં એવું જ થાય છે. ભારતના મુસ્લિમોનો દંભ જુઓ એમને ફાયદા શરિયત મુજબ જોઈએ છે પણ સજાઓ ભારતીય કાયદા મુજબ જોઈતી હોય છે. મુસલમાન ચોરી કરે તો શરીયત મુજબ હાથ કાપી નાખો કે વ્યભિચાર કરે તો મારી નાખો અને બીજા ભારતીયોને આ લાગુ પડે નહિ. તો હાલ મુસલમાન શરીયત મુજબ ચાલવાનું ના પાડી દેશે. એમને ફાયદા શરિઆ મુજબ જોઈએ છે સજાઓ નહિ.

સેક્યુલરિઝમમાં ધર્મોનું અપમાન કરવાનો ઈરાદો હોતો નથી, એમાં ફક્ત ધર્મોની ઉપેક્ષા છે. કારણ તમે બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલા કાયદા કાનૂન પાળી સરકારો ચલાવી શકો નહિ. કારણ દરેક ધર્મની માન્યતાઓ અને એમાં લખેલા કાયદા કાનૂન અલગ અલગ હોય છે. અમેરિકામાં વસાહતીઓ આવેલા એનું એક ફન્ડામેન્ટલ કારણ દરેક ને જે તે ધર્મ પાળવાની છૂટ મળે તે હતું. અમેરિકન બંધારણમાં કોઈ પણ ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તો તેમ કરવાનો મૂળભૂત હક છે. પણ ત્યાં કાયદો અમેરિકન સરકારનો પાળવો પડે છે ધર્મ ગ્રંથોમાં લખેલા કાયદા નહિ. અહી તો ફોર્મ ભરો તેમાં હિંદુ ધર્મ કે મુસ્લિમ ધર્મ લખવાની પણ છૂટ છે. ન્યુ જર્સીના પાર્લિનમાં વોશિંગટન રોડ પર આવેલા દ્વારકાધિશ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે પોલીસ ખડેપગે ટ્રાફિક અને જનતાની સલામતીની જવાબદારી સંભાળે છે. છતાં ધર્મેન્દ્ર અને હેમા મુસ્લિમ બની અહી ફરી લગ્ન કરી શકે નહિ, એ પહેલા ધર્મેન્દ્ર એ ડિવોર્સ લેવા પડે. આમ જોઈએ તો ભારતદેશ  લોકશાહી ખરો પણ સેક્યુલર ના કહેવાય

ઉપર વર્ણવ્યા તે બધા વાદ વિષે જુદા જુદા કલ્ચરમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થતી હોય છે. દરેકનું પાછું પોતાનું રેશનાલીઝમ અને સેક્યુલરિઝમ હોય છે. ગુજરાતી રેશનાલીસ્ટ ને માંસાહાર કરવામાં કોઈ રેશનાલીઝમ નહિ દેખાય. પણ અમેરિકન રેશનાલીસ્ટ આરામથી ગાયનું માંસ શુધ્ધા ખાશે. આમ તો ખાવાપીવાનું સેક્યુલર કહેવાય એમાં ધર્મોના આદેશની જરૂર નથી હોતી. પણ આજે અગિયારસ છે, ઉપવાસ છે પણ બટેટાનું શાક ખવાય કારણ ધાર્મિક નિર્દેશ છે તો પછી ખાવાનું સેક્યુલર રહ્યું નહિ. હવે આ જ બટેટા જૈન ધર્મમાં ઉપવાસ તો ઠીક રોજીંદા ખોરાકમાં પણ વર્જ્ય છે. બટેટા ખાવા સેક્યુલર ગતિવિધિ છે પણ ઉપવાસ હોય તો પણ ખવાય અથવા તો કદી ખવાય જ  નહિ તેવા ધાર્મિક નિર્દેશ તેને સેક્યુલર રહેવા દેતા નથી. ટૂંકમાં ધર્મના દિવેલ વડે જ દીવા બાળી એના પ્રકાશ વડે પગદંડીઓ શોધવાની જરૂર નથી. બીજા તેલ પણ બજારમાં મળે છે અને હવે તો સરસ બેટરીઓ પણ મળે છે.

ફ્રેંચ રેવલૂશન દરમ્યાન અને ત્યાર પછી તરત જર્મનીમાં સુપરનેચરલ અને કોઈ અદ્રશ્ય સત્તાને ધ્યાનમાં લીધા વગર ફક્ત માનવજાતને ધ્યાનમાં રાખી નૈતિકતાની ફિલોસફીનાં સંદર્ભમાં Humanism (માનવતાવાદ) શબ્દ વપરાવા લાગ્યો હતો. આની સીધીસાદી વ્યાખ્યા જોઈએ તો ઇશ્વર કે કુદરત નહિ, પણે માનવ(નું હિત) જ સર્વોપરી છે એમ માનનાર વિચારસરણી, માનવતાવાદ, સાહિત્ય અને સંસ્કૃતિનું પુનર્જીવન, માણસની જરૂરિયાતો પર ભાર મૂકીને માણસને લગતા સવાલો બૌદ્ધિક માર્ગે ઉકેલવાનો સિદ્ધાન્ત એટલે માનવતાવાદ. ધાર્મિક માનવતાવાદમાં કોઈ ધાર્મિક ગ્રુપ માનવોની જરૂરિયાતો તરફ વધુ ધ્યાન આપે, તકલીફોમાં એમની સેવા પહેલી કરે. ઘણા ધાર્મિક સમૂહો કે સંસ્થાઓ ડીઝાસ્ટર વખતે સેવા કરવા દોડી જતા હોય છે. ખ્રિસ્તી મિશનરી પ્રવુત્તિ નો મુખ્ય હેતુ માનવસેવા હોય છે. પછી એની પાછળ પોતાના ધર્મને ફેલાવવાનો હેતુ છુપાયેલો હોય છે. કારણ એકવાર તમને તકલીફમાંથી બચાવ્યા હોય એટલે તમે એમના ઉપકાર હેઠળ દબાઈ જવાના અને ધીમે ધીમે તે ધાર્મિક સંસ્થામાં જોડાઈ જવા મનેકમને મજબૂર થઈ જાવ તેવું પણ બને. ધાર્મિક સંસ્થાઓના સેવા કાર્યો જેવા કે એમની હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, મફત ભોજન પુરા પાડવા બધું આડકતરી રીતે એમના ધર્મના ફેલાવવા માટે વધુ હોય છે. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. એક હાથે આપો પછી ચાર હાથે લુંટવાનું મળવાનું જ છે. જો કે બધી સંસ્થાઓ આવું કરે તેવું પણ નથી. ઘણી ધાર્મિક સંસ્થાઓ નિસ્વાર્થભાવે માનવસેવા કરતી હોય છે.

માનવને કેન્દ્રમાં રાખી સુપરનેચરલ સત્તાને અવગણી અંગ્રેજીમાં જેને   Human-centered philosophy કહીએ તેના સૌથી જુના ઉલ્લેખ ચાર્વાક અથવા લોકાયત સિસ્ટમમાં છે. આસ્તિકો માનતા હોય છે કે ધર્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી માન્યતાઓ, ભગવાન કે ભગવાનનો ડર વગેરે વગેરે માનવજાતને નૈતિક બનાવી રાખતો હોય છે. ઘણા કહેતા હોય છે ધર્મ નાં હોય તો પૃથ્વી રસાતાળ જાય. આમ માનવજાતને નૈતિક બનાવી રાખવા ધર્મના સહારે તમામ અનૈતિકતાઓ આચરતા હોય છે. એટલે બધા ધર્મોમાં આદર્શોની મહાન વાતો હોય છે ખરી પણ અમારો ધર્મ પાળો તો જ નૈતિક બની શકો તે હઠાગ્રહને લીધે સૌથી વધુ હત્યાઓ ધર્મના નામે થઈ છે.imagesKHLY2AAI

બીજું ધર્મોમાં નાં માનતા નાસ્તિકો પણ ક્રૂર બની શકતા હોય છે. એમની નાસ્તિકતા એમનો ધર્મ બની જતી હોય છે અને તે નાસ્તિકતા નામનો નવો ધર્મ ફેલાવવાની લાહ્યમાં માનવજાતનું નિકંદન કાઢી નાખવા તત્પર બની જતા હોય છે. એના ઉત્તમ ઉદાહરણ માઓ, માઓવાદી અને રશિયન સામ્યવાદ અને તેમનો militant ઍથિઈઝમ છે. ચીન અને રશિયન નાસ્તિક સરકારોએ પાયાના હ્યુમન રાઈટ્સનું હનન કરેલું છે તેવું ઘણા માને છે. માટે અહી સેક્યુલર માનવતાવાદ આ બધાથી જુદો પડે છે. સુપરનેચરલીઝમ, સુપરસ્ટીશન, સ્યુડોસાયન્સ બધાને દૂર રાખી ને પણ માનવ જાતની સેવા કરી માનવને નૈતિક બનાવી શકાય છે. માનવ ધર્મ અને ભગવાનની સહાય વગર નૈતિક બનવા કેપેબલ છે તેવું આ સેક્યુલર માનવતાવાદીઓ માનતા હોય છે. એથિઈસ્ટ કે અગ્નૉસ્ટિક માનવતાવાદી હોય તે સારી વાત છે પણ માનવતાવાદી હોય જ તે જરૂરી નથી. અને ધાર્મિક સંગઠનો પણ માનવતાવાદી કામો કરતી હોય છે, પણ એમાં ધર્મના બહાને શોષણ થવાનો ભય હોય છે, માટે સેક્યુલર માનવતાવાદ ઉભો થયો છે જેમાં ઍથિઈઝમ ની સંભવિત ક્રૂરતા અને ધર્મના સંભવિત શોષણ વગેરે થી દૂર રહી શકાય.   

યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?

 યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?scrts

“સૉક્રેટિસ મહાન ફિલસૂફ હતા, મીરાં મહાન હતી છતાં તેમને બંનેને ઝેર શા માટે પીવું પડ્યું? ઈશુ ખ્રિસ્ત ભગવાનના એકના એક પુત્ર હતા, ગાંધીજી મહાત્મા હતા તેમની કરુણ હત્યા કેમ થઈ? પરમહંસ સ્વામી રામકૃષ્ણ ઋષિ હતા. તેમનું મૃત્યુ કેન્સર થી શા માટે થયું? આવા પુણ્યશાળી મહાત્માઓએ પણ એમના આગલા જન્મમાં અક્ષમ્ય અપરાધ કે ઘોર પાપ કર્યા હશે, જેથી તેમના જીવનનો અંત કરુણ આવ્યો? જો તેમને પૂર્વ જન્મમાં કઈ મોટા અપરાધ કે પાપ કર્યા હોય તો આ જન્મમાં મહાત્મા બનવાનું તેમનું પ્રારબ્ધ કોણે લખ્યું?”

ઉપર મુજબના સવાલ એક યુવાન મિત્ર પ્રહલાદસિંહ જાડેજાના મનમાં સામટાં ઉદ્ભવ્યા છે. અને આ સવાલો એમણે ફેસબુકમાં મૂક્યા છે. ફેસબુક ખાલી ફોટા શેઅર કરવાનું કે ગપ્પાં મારવાનું સ્થળ નથી રહ્યું. ત્યાં વિચારશીલ મિત્રો ઘણી ગહન ચર્ચા કરતા હોય છે. કર્મના નિયમમાં જે છીંડા છે તેને અનુલક્ષીને આવા સવાલો ઉદ્ભવતા હોય છે. ઉપર લખેલા કહેવાતા મહાત્માઓએ આગલા જન્મમાં ઘોર પાપ કર્યા હોય તો આ જન્મમાં પુણ્યશાળી કઈ રીતે બન્યા? વળી ઈશુ તો ભગવાનના પુત્ર હતા. એમને તો વળી કેટલી બધી ક્રૂરતા થી ક્રોસ પર ચડાવી દીધા? ખ્રિસ્તીઓ કહેશે જીસસે આપણા પાપોની સજા ભોગવી. પાપ આપણે કરીએ અને સજા બીજો કોઈ શું કામ ભોગવે?

પાપ પુણ્ય ની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે ખરી? આપણે જેને પાપ સમજતા હોઇએ તેને બીજા લોકો આરામથી કરતા હોય છે. હિંદુ માટે ગાયની હત્યા કરવી પાપ ગણાય તો મુસલમાન અને ખ્રિસ્તી માટે તે પાપ કેમ નહિ? નિયમ તો સરખો જ હોવો જોઈએ ને? બીફ ખાવું પાપ ગણાય તો મરઘી એ શું ગુનો કર્યો? વળી જૈન માટે તો કીડી મરી જાય તો પણ પાપ લાગે. માટે જૈનો ખેતી કરતા નથી. ખેતી કરવામાં હળ ચલાવવું પડે એમાં અસંખ્ય જીવ જંતુઓ મરી જાય માટે પાપ લાગે. એ પાપ હિંદુઓ ભલે કરતા. પણ એ પાપનાં ફળ રૂપે પાકેલું અનાજ જૈન થી ખવાય એમાં પાપ નાં લાગે. છે ને હસવા જેવી વાત?

કર્મની કહેવાતી થીઅરીમાં જૈનો સૌથી વધુ માનતા હોય છે. ઓશોએ એક બહુ મસ્ત રમૂજી દાખલો આપેલો. કોઈ માણસ ધારો કે કૂવામાં પડી ગયો છે અને બચાવવા બુમો પાડે છે. હવે ત્યાંથી હિંદુ નીકળશે તો એને બચાવવો જોઈએ તે માટે પ્રવચનો આપશે, ફંડ ફાળો ઉઘરાવશે ભલું હશે તો ત્યાં મંદિર બનાવી નાખશે, ખ્રિસ્તી નીકળશે તો કમરથી દોરડું છોડી સીધું લટકાવી દેશે કૂવામાં. ઓશો હસતા હતા કે ખ્રિસ્તી સેવા કરવા હમેશાં તૈયાર જ હોય કે ક્યારે કોઈ કૂવામાં પડે એની જાણે રાહ જ જોતા હોય, ને સેવા કરવાનો ચાન્સ મળી જાય. દોરડું ડોલ બધું રેડી જ હોય. અને જૈન નીકળશે તો આડું જોઇને ચાલ્યો જશે જાણે કશું જોયું જ નથી. કૂવામાં પડ્યો તો કરમ એના. આ જન્મે નહિ તો ગયા જન્મે કોઈ કરમ કર્યું હશે. અને ધારો કે એને બચાવીએ અને બહાર નીકળી ભવિષ્યમાં કોઈનું ખૂન કરી નાખે તો?  હિટલર બની જાય તો? તો એમાં ભાગીદાર ગણાઈ જવાય.. એટલે જૈનો પુણ્ય કરવા પાંજરાપોળ ખોલશે કીડીયારા પૂરશે. પશુઓ અને જીવજંતુ હિટલર તો બનવાના નથી જ. એટલે એમના પાપમાં ભાગીદાર બનવાના ચાન્સ ઓછા. હિંદુઓ ખેતી કરી પાપ કરે, યુદ્ધો કરી પાપ કરે આપણે અનાજ ખાવાનું અને અહિંસા પરમોધર્મનાં નારા લગાવે રાખવાના.  imagesZBUXCP4Z

આમ પાપ-પુણ્ય ની કોઈ સચોટ વ્યાખ્યા છે જ નહિ તો એના લીધે ભોગવવા પડતા ફળ માટે કોઈ સચોટ નિયમ ક્યાંથી હોય? કયા કર્મને સારા ગણવા કે કયા કર્મને ખરાબ ગણવા તેની જ કોઈ સચોટ વ્યાખ્યા કે નિયમ છે નહિ. ભૌતિકશાસ્ત્ર કે શરીરશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રનાં સચોટ નિયમો હોય છે જે બધાને બધી રીતે સરખાં જ લાગુ પડતા હોય છે. સફરજન ઝાડ પરથી પડે ત્યારે નીચે જ પડે છે ઉપર ગતિ કરતું નથી. સફરજન નીચે પડે અને કેરી ઉપર જાય તેવું બને નહિ. ઝાડ પરથી મુસલમાન કે ખ્રિસ્તી નીચે પડે અને હિંદુ કે જૈન ઉપર તરફ જાય તેવું પણ બને નહિ.

શ્રી પ્રહલાદસિંહનાં બીજા પ્રશ્નો જુઓ, “જ્યારે કોઈ મોટી કુદરતી દુર્ઘટના બને ત્યારે કે નદીના પૂર, ધરતીકંપ, જવાળામુખી, દુષ્કાળ, વાવાઝોડાના તોફાનો થાય ત્યારે, હજારો મનુષ્યો, પશુઓ, જંતુઓનો એકીસાથે નાશ થાય છે. કેટલાય ઘરબાર વગરના બને છે કેટલાય ઘાયલ થાય છે ત્યારે સવાલ થાય કે શું એક જ વિસ્તારમાં વસતા આટલા બધા લોકોને તેમના ઓછાં-વત્તા, સારા-નરસા કર્મો માટે સામુદાયિક રૂપની એક જ પ્રકારની સજા થાય? શું તે દરેકના કર્મો એકસમાન હતાં? પ્રારબ્ધમાં લખાયું હોય તે ભોગવવું પડે તો પ્રારબ્ધ લખવા માટે કોઈ ઈશ્વરીય નિયમો તો હશે ને? કોર્ટ કોઈને સજા કરે ત્યારે તેને કયા ગુના માટે સજા થઈ તેની જાણ આરોપીને કરે છે, પણ કર્મફળની ઈશ્વરી અદાલતમાં સજા થાય છે તે તેના ક્યાં કર્મો માટે થાય છે તેની કશી જાણ થતી નથી. આ સજા આ જન્મના કુકર્મો માટે થઈ કે પૂર્વજન્મના કુકર્મો માટે થઈ તે વિશે કશી જાણ થતી નથી. મનુષ્યને પૂર્વજન્મનાં પાપ પુણ્યની સ્મૃતિ રહેતી નથી. તેથી મનુષ્ય આગલા જન્મમાં કરેલ ભૂલોનું પુનરાવર્તન કર્યે જાય છે મનુષ્યની આવી સ્થિતિ માટે ખરેખરતો પ્રારબ્ધ યા ઈશ્વર ગુનેગાર ગણાય મનુષ્યતો અજ્ઞાની છે તેને તેના અજ્ઞાન માટે માફી આપવી ઘટે.”

મિત્રો પ્રહલાદસિંહનાં પ્રશ્નો વિચારતા કરી મૂકે તેવા છે. મૂળ પાપ-પુણ્ય, પુનર્જન્મ, પ્રારબ્ધ આ બધી માન્યતાઓ છે અમૂર્ત વિચારણાઓ છે. આ બધા સવાલો જ બતાવે છે કે આ બધી થીઅરીમાં ક્યાંક ખોટ છે. એટલે જ્યારે પ્રાકૃતિક દુર્ઘટનાઓ બને છે ત્યારે મંદિરો કે ચર્ચ જે આડે આવે તે ફૂંકાઈ જતું હોય છે. કહેવાતા પુણ્યશાળી આત્માઓ પણ એમાં દેવલોક પામી જતા હોય છે. પ્રકૃતિ કોઈને છોડતી નથી. પ્રકૃતિને ખબર હોતી નથી કે આ પાપી છે કે પુણ્યશાળી. આ મંદિર છે એટલે એને અસર નાં થવી જોઈએ તેવું પ્રકૃતિની સમજમાં આવે નહિ. પ્રકૃતિ સમાન સિવિલ કોડમાં માને છે. હિંદુ માટે જુદા કાયદા અને ખ્રિસ્તી કે મુસલમાન માટે જુદા કાયદા તેવું પ્રકૃતિમાં હોય નહિ.

રામકૃષ્ણ પરમહંસ દેવને કેન્સર થયું તે શરીરશાસ્ત્રનાં નિયમો.. એમને જે જિનેટિક વારસો એમના પૂર્વજો તરફથી મળ્યો હશે એ પ્રમાણે બન્યું હશે. એમાં રામકૃષ્ણ દેવે ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે માટે આમ થયું તે કહેવું જ નકામું છે. ઊલટાનું એવું માનવું કે કહેવું તે રામકૃષ્ણ જેવા માનવ માટે અપમાનજનક કહેવાય. ખાનપાન ની ટેવો, વાતાવરણ અને જિનેટિક વારસો બધું ભેગું મળીને આપણને આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. હું આખો દિવસ મંજીરા વગાડી પ્રભુનું ભજન કરું અને ટી.બી યુક્ત ફેંફસા ધરાવતા ચરસી બાવાઓ ભેગો બેસી એમની એંઠી ચલમ ફૂંકુ તો મને ટી.બી. થવાનો જ છે. અહીં પ્રભુ કહેવાનો નથી કે આ મારો ભક્ત છે ટીબી મહાશય એમનાથી દૂર રહેજો. કદાચ મારી રોગપ્રતિકારક શક્તિ બળવાન હોય તો ટીબી મહાશય દૂર પણ રહે એમાં કોઈ નવાઈ નહિ. હું ધ.ધુ.પ.પુ  ૧૦૦૮ હોઉં છતાં વાતાવરણની અસરમાં શરદી થવાની છે. કિડની સ્ટોન અને હાર્ટ પ્રૉબ્લેમ મારો જિનેટિક વારસો છે. આમાં પાપપુણ્ય અથવા કર્મોના લીધે થાય છે તેવું માનવું જ નકામું. કહેવાતા પાપીઓ ટપ દઈને કોઈ પણ તકલીફ વગર મરી જતા મેં જોયા છે અને કહેવાતા પુણ્યાત્માઓ રિબાઈ રિબાઈ ને મરતા પણ જોયા છે. એમાં કોઈ દોષી હોતું નથી.

દરેક માણસની એક વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. આ સ્ટ્રેટેજી જન્મે ત્યારથી ઘડાવા માંડતી હોય છે. બાળક જન્મે ત્યારથી એના બ્રેનમાં સર્કિટો ગૂંથાવા લાગતી હોય છે, માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ, સિન્થેસિસ સતત ચાલતું જ હોય છે. માટે બે વર્ષનું થાય ત્યાં સુધી બાળકને નાહક જરૂર વગર રડવા દેવું નહિ તેવું ન્યુરોસાયંસ કહે છે. રડે કે તરત ઊચકી લેવું તેવું કહે છે. કારણ રડે એટલે સર્વાઈવલ મોડ ઉપર સ્વિચ ઓન થઈ જાય એટલે પેલું બ્રેન સિન્થેસિસ અટકી જાય. બાળક આજુબાજુના વાતાવરણ પ્રમાણે બધું શીખતું જતું હોય છે. શીખવાનું તો લગભગ આખી જીંદગી ચાલુ જ રહેતું હોય છે પણ બચપણમાં જે પગદંડીઓ બ્રેનમાં ન્યુઅરલ પાથ વે તરીકે બની ગઈ હોય તે આખી જીંદગી તેની સેવા કરતી હોય છે. એને જ આપણે સાદી ભાષામાં સંસ્કાર કહીએ છીએ.

બાળક પહેલું એના માબાપ પાસેથી શીખતું હોય છે. માટે આપણે માબાપના સંસ્કાર એમ કહેતા હોઈએ છીએ. હવે આ તમામ માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ અને સિન્થેસિસ કરીને એમાંથી ઇમ્પ્લીમેન્ટેશન કેટલું અને કઈ રીતે થશે તે કહેવાય નહિ. બ્રેન સર્કિટ કે પાથવે કે પગદંડી કેવી અને કઈ બનશે કહેવાય નહિ. પિતા સ્ટ્રેસ અનુભવતા સિગારેટ સળગાવે છે તે જોઈ બાળક મોટું થઈ ને તેનું અનુકરણ કરી શકે છે અથવા પિતા સિગારેટ ફૂંકી ફૂંકી લંગ કેન્સરમાં અકાળે મરી ગયા છે તો બાળક મોટું થઈ કદાચ જિંદગીભર સિગારેટને હાથ નાં લગાડે તેવું પણ બને અથવા પિતાના આવા અકાળ દુઃખદ મૃત્યુમાંથી કશું શીખ્યા વગર સિગારેટ પીધે પણ રાખે.

તમને મુઘલ બાદશાહોની એક સર્વાઈવલ સ્ટ્રેટેજીની ખબર જ હશે કે પિતાને જેલમાં નાખી કે ભાઈઓ વગેરેને મારી નાખી ગાદી પર ચડી બેસવું. બીજા મુસલમાન જેવા કે અરબસ્તાન કે ઓટોમન સામ્રાજયનાં બાદશાહો કે ખલીફાઓ આવું કરતા હતા તેવું જો તમને માનતા હોવ તો ખોટું છે. આ ખાલી મુઘલોનો સાંસ્કૃતિક કે જિનેટિક વારસો ગણો તો ગણી શકાય. મૂળ મુઘલો પહેલા મુસલમાન હતા જ નહિ. મોંગોલિયા જે ચીનની બાજુમાં આવ્યું ત્યાંની આ પીળી પ્રજા મુઘલો હતા. ચંગીઝખાન ત્યાંનો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ હતો તે મુસલમાન નહોતો. આ મુઘલો મોન્ગોલીયામાં હતા મુસલમાન નહોતા ત્યારથી બાપને કે ભાઈઓને મારી ગાદી પર ચડી બેસવાની સર્વાઈવલ સ્ટ્રેટેજી અપનાવતા હતા. કાલક્રમે એમના વંશજો અફઘાનિસ્તાન આવ્યા મુસલમાન બન્યા અને પછી હિન્દુસ્તાનમાં આવ્યા પણ પેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી જોડે લઈને આવ્યા. આ નામ પાછળ ખાન લગાવવાનો રિવાજ મોન્ગોલીયામાં હતો અરબસ્તાનમાં નહિ..

ભુટ્ટો રાજકારણમાં પડ્યા ખૂબ કરપ્શન કર્યું અને છેવટે ફાંસી પર લટકી ગયા પણ એમાંથી બેનઝીર શું શીખી? એ પણ રાજકારણમાં પડી ખૂબ કરપ્શન એણે એના હસબન્ડ સાથે મળીને કર્યું ને બૉમ્બ બ્લાસ્ટમાં મરી.. ઇન્દિરાજીની હત્યા થઈ, રાજીવ ગાંધીની પણ હત્યા થઈ પણ બચપણમાં બ્રેનમાં ગૂંથાઈ ગયેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી વળી પાછી રાહુલને રાજકારણમાં ખેંચી ગઈ કે નહિ? મેં શાહજહાં મેમલિયન ટ્રેજેડી નામનો લેખ લખેલો જ છે.

જેમ વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે તેમ આખા સમૂહની કે સમાજની પણ એક સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. કારણ આખરે માનવી સમૂહમાં રહેવા સમાજમાં રહેવા ઇવોલ્વ થયેલો છે. હિંદુ સમાજ, જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ એમાય પાછાં પેટા સમાજો એમની થોડી જુદી સ્ટ્રેટેજી અપનાવતા હોય તો વૈષ્ણવ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે હું કહું છું હિંદુ એટલે જીવન જીવવાનો એક તરીકો. માનવ પાસે બીજા પ્રાણીઓની કમ્પેરીઝનમાં એટલું બધું મોટું વિચાર કરી શકે તેવું બ્રેન છે કે આમાં જાતજાતના ભાતભાતના કોમ્બિનેશન મળી જશે. ધર્મો એક બહુ મોટા સમુહે જીવન જીવવાના સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે અપનાવેલા તરીકા માત્ર છે. સ્થળ, કાળ અને વાતાવરણ પ્રમાણે આમાં પણ ફેરફાર થયે જ જતા હોય છે. આજ હિંદુ સમૂહ પશુઓના બેફામ બલિદાનો એક સમયે આપતો હવે એણે નક્કી કર્યું કે આવું બધું ખોટું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ની આગેવાની હેઠળ આજ બીકણ ગણાતા ગુજરાતીઓએ માળવા, મેવાડ અને મારવાડ ઉપર ચડી જઈને બધું ધમરોળી નાખેલું. એના પછી આવેલા કુમારપાળે જૈનધર્મ અપનાવ્યો, માથામાં પડતી ‘જુ’ મારવાનો પ્રતિબંધ મૂક્યો ને ધીમે ધીમે ???? વાતાવરણ ની અસર જિન્સ ઉપર અને જિન્સની અસર વાતાવરણ ઉપર પડતી હોય છે. નેચર અને નર્ચર બધું અરસપરસ કામ કરતું હોય છે.

હવે આ સમુહે નક્કી કરેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી બહાર કશું કરો એટલે સમાજ કહેશે પાપ કર્યું. એને સપોર્ટ કરતું કશું કરો એટલે કહેશે પુણ્ય.. વ્યક્તિગત હોય કે આખા સમૂહની જે તે સ્ટ્રેટેજી સારી છે કે ખરાબ તે અલગ વિષય છે. એક સમયે યજ્ઞોમાં પશુઓના બલિદાન આપવા પુણ્ય ગણાતું, ધર્મ ગણાતો. આજે ?? જૈન સમાજ માટે કીડી મારવી પાપ ગણાય અને બકરી ઈદના દિવસ કેટલા બકરાં ધાર્મિક વિધિ તરીકે કપાઈ જતા હશે? બંગાળના બ્રાહ્મણના પણ ઘર પાછળ પુકુર નામથી નાનું તળાવ હશે અને તેમાંથી પકડીને રોજ માછલી ખવાય તો પાપ નાં લાગે? અને ધર્મના કહેવાતા ઠેકેદાર પાંડુરંગ દાદાએ સમજ્યા વગર ગુજરાતના માછીમારોને માછલા ખાતા તે પાપ કહેવાય સમજાવી એક સરળ સસ્તો ઓમેગા-૩ મેળવવાનો રસ્તો બંધ કરી દીધો. એ બિચારાં બદામ તો ખાઈ શકવાના નથી. આ તો જસ્ટ દાખલો આપું છું કોઈ સ્વાધ્યાયીએ ખોટું લગાડવાની જરૂર નથી. ઈંડા અને માછલી ખાવાથી પાપ લાગતું હોય તો બધાને સરખું જ લાગે હિંદુ હોય, ગુજરાતી હોય કે મુસલમાન શું ફરક પડે છે? તિબેટમાં એક સ્ત્રીના અનેક પતિ હોય છે જ્યારે આપણે એક ભવમાં બે ભવ નાં કરાય કહી પતિ સિવાય બીજા પુરુષનું ચિંતન કરવું પણ પાપ ગણીએ છીએ. કેન્સર થાય સારી સારવાર મળી જાય તો ઘણા બચી જતા હશે પણ લગભગ બધા જ મરે હિંદુ હોય કે ખ્રિસ્તી કે રામકૃષ્ણ પરમહંસ કોઈ ફરક પડે નહિ. ઉત્તરાખંડમાં આભ ફાટે ત્યારે જે ઝપટમાં આવે તે બધા જાય એમાં ફલાણો પાપી અને ફલાણો પુણ્યશાળી એવું કશું હોય જ નહિ.

સર્વાઈવલ સ્ટ્રેટેજી વ્યક્તિગત હોય, કુટુંબની હોય, આખા સમાજ કે જ્ઞાતિની હોય, ગામની હોય, દેશની હોય, સંસ્કૃતિની હોય ધર્મની હોય જાતજાતની હોય ભાતભાતની હોય અને બધાનાં શંભુમેળા જેવી પણ હોય. સ્થળ બદલાય તો બદલાઈ પણ જાય. વાતાવરણ બદલાય તો બદલાઈ પણ જાય. દેશ બદલાય ધર્મ બદલાય તો પણ બદલાઈ જાય. વાંચન અને ચિંતનમનન થકી પણ બદલાઈ જાય. અમુક બદલાય અને અમુક ના પણ બદલાય. પણ બચપણમાં જે હાર્ડ વાયરિંગ બ્રેનમાં થઈ ગયું હોય છે તે આખી જીંદગી સેવા આપતું હોય છે તે હકીકત છે. પણ એને થોડા વિરલા સદંતર બદલી શકતા હોય છે. થોડા વિરલા નવી પગદંડી બ્રેનમાં બનાવી લેતા હોય છે. એને આપણે મહામાનવો કહેતા હોઈએ છીએ.

પાપ-પુણ્ય, લોક-પરલોક, પ્રારબ્ધવાદ, અવતારવાદ, પુનર્જન્મ, સર્વે એક સમાન(ઇક્વાલિટી) આવી અનેક ધારણાઓ વિચારણાઓ મોટું બ્રેન કરતું હોય છે. મોટા બ્રેન જોડે શબ્દોની ભાષા છે. ઊંચા ઊંચા આદર્શોની વાતો લાર્જ કોર્ટેક્સ આરતુ હોય છે. મેમલ બ્રેન પાસે અક્ષરધામ નથી તે શબ્દોની ભાષા જાણતું નથી. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે.

અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. તેની ભાષા ફક્ત સર્વાઈવલની છે. આપણે કરોડો વર્ષ તૃણઆહારી પ્રાણીઓ તરીકે જન્મ્યા હતા. આપણે કરોડો વર્ષ માંસાહારી પ્રાણીઓ તરીકે જન્મી ચૂક્યા છીએ, આપણે કરોડો વર્ષ ઉભયહારી પ્રાણીઓ તરીકે જન્મ લેતા હતા. અને લાખો વર્ષથી ઉભયહારી મનુષ્ય તરીકે જન્મ લઈ રહ્યા છીએ. સમૂહમાં જીવવા માટે આપણે ઇવોલ્વ થયેલા છીએ. એટલે જ્યારે કોઈ સમુહને એમ લાગે કે સમૂહના સર્વાઈવલ માટે જે તે સ્ટ્રેટેજી સમાજે ઘડી કાઢી છે ભલે તે આજે ખોટી લાગે પણ તેની બહાર જઈને કોઈ નવો રાહ અપનાવે ત્યારે જે તે સમાજને જે તે સમયે તે નુકશાન પમાડશે તેવું લાગે તો એને ખતમ કરી નાખવામાં આવે છે. ભલે તે નવો રાહ ભવિષ્યમાં સમાજને લાભ પહોચાડે તેવો જ કેમ નાં હોય? આજે આપણે નરસિંહ મહેતાને મહાન સુધારક ગણીએ છીએ કે એમણે હરિજનવાસમાં ભજન ગાઈને એક સુધારાનાં બીજ વાવ્યાં, પણ ૧૪મી  સદીના કોઈ નાગરને પાછો બોલાવી પૂછો તો નરસિંહ મહેતા એ ઘોર પાપ કરેલું તેમ જ કહેવાનો. નરસિંહને મુકો નાતબહાર. મારો ગાંધીને ગોળી, આપો સોક્રેટીસને અને મીરાં ને ઝેર, ચડાવો જિસસને ક્રોસ ઉપરimages

આપણા વ્યક્તિગત કે કૌટુંબિક ભલા કે સર્વાઈવ માટે જે કરીએ તે પુણ્ય અને નુકસાનકારક કરીએ તે પાપ પણ આપણે સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલા છીએ માટે સમૂહ સર્વાઈવ થશે તો આપણે સર્વાઈવ થઈશું તેવું જાણી સમૂહના ભલા માટે, સર્વાઈવ માટે જે કરીશું તે પુણ્ય અને સમૂહને નુકશાન થાય તેવું કરીશું તે પાપ. સમૂહના ભલા માટે સમાજના ભલા માટે કોઈવાર વ્યક્તિગત ફાયદાને તિલાંજલિ આપીએતે પરમાર્થ. પણ પરિવર્તનશીલ સંસારની હકીકત જાણી કેટલાક સ્વપ્નદ્રષ્ટા (વિઝનરિ) પોતાના સમૂહના કે સમગ્ર માનવજાતના ભવિષ્યના ભલા માટે સાંપ્રત સમાજની તત્કાલીન સર્વાઈવલ સ્ટ્રેટેજી છોડી નવો રાહ અપનાવી એના માટે બલિદાન આપે છે તેને આપણે સોક્રેટીસ, ગાંધી કે જિસસ તરીકે ઓળખીએ છીએ.

લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ

 mosuoલગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ.

હમણાં એક મિત્રે સરસ જોક જેવી પોસ્ટ મૂકેલી, એનો ભાવાર્થ એવો હતો કે અમુક સંતાન ભવિષ્યમાં એના માબાપને કહેશે કે મારે સ્કૂલમાં એડમીશન જોઈએ છે તો લગ્ન કરી લો સ્કૂલમાં તમારા લગ્ન સર્ટીફીકેટ માંગે છે. એમના જોક પાછળ લીવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટની મજાક અને એની પાછળ સંતાનો માટેની થોડી વ્યથા પણ દેખાઈ. લગ્નસંસ્થા તૂટી જશે તો બાળકોનું કોણ એવો પ્રશ્ન સતાવતો હશે. લગ્નસંસ્થા ધીમે ધીમે ઉદય પામી છે તે હકીકત છે. માનવ પેદા થયો સાથે લગ્નસંસ્થા લઈને પેદા નથી થયો. પ્રાણીઓ આજે પણ આવી કોઈ વ્યવસ્થા વગર જીવે છે, બાળકો પેદા કરે જ છે. પણ પશુઓ કરતા આપણે મોટું બ્રેન ધરાવીએ છીએ એટલા પૂરતા પશુઓ કરતા થોડા જુદા તો છીએ જ. લાખો વર્ષ માનવોએ પણ લગ્નસંસ્થા વગર ચલાવ્યું જ છે. એના પુરાવા આજે પણ જીવતા છે જ. તો થોડા હજારો વર્ષ જૂની લગ્નસંસ્થા તૂટી પડશે તો સંસ્કૃતિ માથે કે લાખો વર્ષથી સર્વાઇવ થતા માનવો માથે કોઈ આભ તૂટી પડવાનું નથી. કોઈપણ વિચારધારા, કોન્સેપ્ટ કે વ્યવસ્થાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ તે મારા મતે મુર્ખામી છે. લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવેલી જ છે તો એનાય ફાયદા તો હોય જ. એમ જ ઉપરથી ટપકેલ તો છે નહિ. અને વિલુપ્ત થઈ જશે તો એનાય કોઈ ગેરફાયદા હશે કારણ ઉપરથી ટપકેલ તો છે નહિ. શ્વાસ લઈએ છીએ તે ઉપરથી ટપકેલ છે, એ ના લઈએ તો ઉપર પહોચી જવાય.

કોઈપણ સજીવ હોય સર્વાઈવલ એનો મુખ્ય ધર્મ હોય. અને આગળના સર્વાઈવલ માટે એના જિન્સ જીવતા રાખવા તે જિન્સ નવી પેઢી માં ટ્રાન્સફર કરવા પડે. મતલબ સંતાન પેદા કરો તો જ તમારી જિનેટિક સાઇકલ આગળ વધે. એટલે હવા, પાણી અને ખોરાક જેવી બેસિક નીડ વગર ચાલે નહિ તેમ સ્ત્રી-પુરુષ ને ભેગા મળીને સંતાન પેદા કરવાની તીવ્ર ઝંખના જન્મજાત હોય છે. વળી સંતાન પેદા કર્યા પછી જીવે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. અને માનવ બાળ બીજા પ્રાણીઓના બચ્ચા ની જેમ બે ચાર કલાકમાં ઊભું થઈ દોડવા માંડતું નથી, તે સાવ કમજોર હોય છે. એને ઘણા વર્ષો સાચવવું પડતું હોય છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ બંનેના જિન્સ ભેગા હોય છે માટે તે સાચવવા ની જવાબદારી બંનેની થઈ જતી હોય છે. માટે બંનેને સાથે વર્ષો લગી તે જવાબદારી નિભાવવા જોડે રહેવું જરૂરી થઈ પડતું હોય છે. આ જરૂરિયાતે ધીમે ધીમે લગ્ન સંસ્થા વિકસિત થઈ છે. લગ્ન સંસ્થા કોઈ લાખો વર્ષ જૂની છે નહિ. થોડાક હજારો વર્ષ જૂની છે. માનવ લગભગ ૨૫-૩૦ લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામ્યો છે. ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર-ગેધરર હતા. ગૃપમાં કે બેન્ડમાં રહેતા લોકોને બાળકો પેદા થાય તે આખા સમૂહની જવાબદારી ગણાતી. આમ માબાપ અકસ્માતે મૃત્યુ પામે તો પણ કોઈ વાંધો આવે નહિ બાળકને સમૂહ મોટું કરી જ લે. એક જાતનો 450px-Mosuo_woman_near_Lugu_Lakeસમાજવાદ જ થયો ને?

પતિ કે પત્ની બે માંથી એક પાત્ર બાળકને મોટું કરવાની જવાબદારી માંથી છટકી ને કોઈ બીજા પાત્ર સાથે ગોઠવાઈ નાં જાય ખાસ તો સ્ત્રીઓ માટે લગ્નવિધિ આવી. કે ભાઈ વિધિવત કરાર થયો છે હવે કોઈ છટકે નહિ આખી જીંદગી ભેગા રહેવાનું અને બાળકો મોટા કરવાના. એટલે પહેલા જ્યારે બર્થ કંટ્રોલ હતા નહિ અને દર બે ચાર વર્ષે બાળકો જોડે રહેવા થી સ્વાભાવિક પેદા થયે જતા ત્યાં વધુ ને વધુ વર્ષો જોડે રહેવાનું જરૂરી બની જતું ત્યારે ડિવોર્સના પ્રમાણ બહુ ઓછા હતા કે લગભગ હતા જ નહિ. બીજા ધર્મો માં લગ્ન એક કરાર છે તેવું કહીએ છીએ પણ આપણા ત્યાં આવા કરારને સપ્તપદીના વચનો જેવું રૂપાળું નામ આપી દીધું છે. વચનો મૌખિક કરાર તરીકે આપી એ અને કરારમાં લેખિત વચન આપી એ લઇએ બધું સરખું છે.

લીવ ઇન રિલેશનશિપ નવી તરાહના લગ્ન જ કહેવાય. થોડો મુક્ત શ્વાસ લઇ શકાય તેવા પ્રકારના પણ લગ્ન જ કહેવાય. એમાંય જોડે તો રહેવાનું જ છે, પણ નાં ફાવે તો બહુ કોઈ મોટી કાયદાકિય લડાઈ ની માથાકૂટ માં પડ્યા વગર છુટા થઈ શકાય. આપણે ત્યાં પણ સમર્થ લોકો એક કરતા વધારે સ્ત્રીઓ રાખતા ત્યારે પહેલી સ્ત્રી જોડે વિધિ વગેરે કરતા બાકી તો એમ જ વિધિ કર્યા વગર ઘરમાં ઘાલી દેતાં.. આ એક જાતનું લીવ ઇન રિલેશનશિપ જ હતું. ઘણી જગ્યાએ સ્ત્રી પાણી ભરેલું બેડું લઈને પેલા પુરુષના ઘેર આવતી તે પુરુષ બેડું ઉતારી તે સ્ત્રીને ઘરમાં લઈ લેતો, જોડે રહેવાનું શરુ. એક પુરુષ લગ્નવિધિ કરીને કે કર્યા વગર એક કરતા વધુ સ્ત્રીઓ ઘરમાં રાખતો તે પોલીગમી જ કહેવાય. આપણા દેશમાં હાલની આદર્શ ગણાતી મનોગમસ એક જ પતિ કે પત્ની હોય એવી લગ્ન સંસ્થા કાયદા વડે હમણાં આઝાદી વખતે જ અસ્તિત્વમાં આવી છે. બાકી આપણે ત્યાં પુરુષો ને લાભદાયી એક તરફી પોલીગમસ લગ્ન સંસ્થા જ ચાલતી હતી હવે તેને પવિત્ર કે મહાન ગણવી તે આપણા હાથની વાત છે. જો કે હાલના ઝાર ખંડ જેવા વિસ્તારોમાં બહુ પતિ રાખી શકાય તેવી કોમો હતી અને હજુ આજે પણ છે. એક જ પતિ કે પત્ની હોય તેવી મનોગમસ લગ્ન સંસ્થા ગ્રીક લોકોની દેન છે. બાકી મજબૂરીમાં પોસવાની તાકાત નાં હોય અને એક જ સ્ત્રી રાખો તે અલગ વાત છે.

પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં. એટલે જેમ લગ્ન સંસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે તેમ એમાં ધીમે ધીમે બદલાવ પણ આવવાનો છે. પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. બંધિયાર પાણી ગંધાય તેમ પરિવર્તનની શક્યતા ઓ વગરની કોઈ પણ સંસ્થા લાંબે ગાળે ગંધાય તેમાં કોઈ શક નહિ. લગ્નવ્યવસ્થાને બહાને આપણે સદીઓથી સ્ત્રીનું શોષણ જ કરે રાખ્યું છે. લગ્ન વ્યવસ્થા નાં હોય તો સ્ત્રી પામવા રોજ રોજ તાકતવર છીએ તેવી પરીક્ષા આપવાનું પોસાય નહિ. લગ્નવ્યવસ્થાને બહાને એકવાર સ્ત્રી મળી ગઈ પછી રોજ રોજ પરીક્ષા આપવાની ઝંઝટ મટી ગઈ મન ફાવે ત્યારે સેક્સ સેક્સ રમી શકાય. હવે જ્યારે સ્ત્રી કમાતી થઈ છે પુરુષ ની જોહુકમી સહન કરે તેવી રહી નથી અને છૂટી થવા માંડી છે એટલે હજારો વર્ષથી સ્ત્રીનું શોષણ કરતા પુરુષો ને ધ્રાસકો પડ્યો છે.

images-=-=0લગ્નવ્યવસ્થાને લીધે સૌથી મોટો ફાયદો બાળકોને છે. રોજ રોજ તુટતા અને બંધાતા આધુનિક લગ્નોને લીધે સૌથી મોટો ગેરફાયદો બાળકોને એમાં પણ ખાસ પુત્રીઓને થતો હોય છે. લોહીનો સંબંધ નાં હોય તેવા પર પુરુષ જેવા કે ઓરમાન પિતા કે માતાના બોય ફ્રેન્ડની ઘરમાં સતત હાજરીને નાની છોકરીનું બ્રેન નોટીસ કરતું હોય છે અને એના લીધે તે બિન જરૂરી વહેલી પુખ્ત બની જતી હોય છે. સ્ટેપ ફાધરના જાતીય શોષણ નો ભોગ પણ બની જતી હોય છે. પશ્ચિમમાં સ્ત્રીને સ્વતંત્રતાની કિંમત સિંગલ મધર બનીને ચૂકવવી પડતી હોય છે. લગ્ન કરીને, લગ્ન વિચ્છેદ કરીને, બહુપત્નીઓમાની એક પત્ની બનીને કે બહુપતિઓની એક પત્ની બનીને છેવટે સ્ત્રીને જ શોષાવું પડતું હોય છે.

ચાલો એક એવી સંસ્કૃતિના દર્શન કરાવું જ્યાં લગ્ન વ્યવસ્થા છે નહિ છતાં પરિવાર છે અને બાળકો આરામથી મોટા થાય છે. વળી આ સંસ્કૃતિ કોઈ જંગલમાં રહેતી નથી. સાઉથ વેસ્ટ ચીનના યુનાન અને સિચુઆન પ્રાંત માં વસતા મોસુઓ(Mosuo)અથવા મોસો લોકો એક વિશિષ્ટ માનવ વંશ છે. વસ્તીમાં સાવ ઓછા લગભગ આશરે ૪૦,૦૦૦ જેટલા મોસુઓ હિમાલયમાં સારી એવી ઊંચાઈએ આવેલા Yongning વિસ્તારમાં Lugu Lake ની આસપાસ રહે છે. આ સમાજ માતૃ પ્રધાન સમાજ છે. અહીં કોઈ લગ્ન કરતું નથી. અહીં બાળક પેદા કરનાર પિતા ભેગો રહેતો નથી કે નથી બાળકને મોટું કરવામાં સહકાર આપતો. અહીં સ્ત્રી પુરુષ ભલે ભેગા સૂઈ જાય પણ બંને જોડે રહેતા નથી. પશ્ચિમના લોકો આને ‘walking marriage’ કહે છે. અહીં છોકરી જાતીય રીતે પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ મળે છે. તે છોકરી એને ગમતા પુરુષ ને આમંત્રણ આપે છે જે રાત્રે આવીને એના બેડરુમમાં રાત ગાળે છે. સવાર પડતા પોતાના ઘેર જતો રહે છે. એના લીધે બાળક પેદા થાય તો એની કોઈ જવાબદારી નથી હોતી. બાળકને માતા અને તેના ભાઈઓ-બહેનો દ્વારા મોટું કરવામાં આવે છે. બસ એવી જ રીતે કહેવાતો પિતા પણ એના પોતાના ઘરમાં એની ઘરની સ્ત્રીઓના બાળકો મોટા કરવામાં સહકાર આપતો જ હોય છે. બાળકનો પિતા કોણ છે તેની ઘરમાં મોટા હોય તે બધાને ખબર હોય છે. બાળકોને ખબર નાં પણ હોય. વારે તહેવારે બાળકના પિતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પિતા બાળકો માટે ગીફ્ટ પણ લાવતો હોય છે.

આમ મોસુઓ પુરુષ પોતાના બાળકના ઉછેરમાં સહકાર ભલે નાં આપે પણ સામે પોતાની બહેનના બાળકો ઉછેરતો જ હોય છે. અહીં જુદા જુદા પુરુષો ને રાત્રે આમંત્રણ આપવાની છૂટ હોય છે પણ મોટા ભાગે મોસુઓ સ્ત્રીઓ આખી જીંદગી એક જ પાર્ટનર ને પકડી રાખતી હોય છે. ચાલો કોઈ સ્ત્રી નવો પુરુષ પસંદ કરે, પાર્ટનર ભલે બદલે પણ એની હાજરી સતત ઘરમાં દિવસે તો હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ ની હાજરી ઘરમાં હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ જેવા કે સ્ટેપ ફાધર કે માતાના બોય ફ્રેન્ડની સતત હાજરીને લીધે જે નાની દીકરીઓ પશ્ચિમના સમાજમાં જલદી પુખ્ત બની જતી હોય છે તેવું અહીં બનતું નથી. અહીં ઘરમાં જે પુરુષ હાજર હોય છે તે માતાનો ભાઈ જ હોય છે. એટલે એની હાજરીની કોઈ અવળી મનોવૈજ્ઞાનિક અસર પડતી નથી. મોસુઓ બહુ મોટા બહોળા ફેમિલીમાં રહેતા હોય છે. કોઈના પ્રાઇવેટ બેડ રૂમ હોતા નથી. છોકરી પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ આપવામાં આવે છે. મોટા ભાગની મોસુઓ સ્ત્રીઓ એક પુરુષ ને આખી જીંદગી પકડી રાખતી હોય છે છતાં તેને સ્ત્રીના ઘરમાં રહેવાની છૂટ હોતી નથી કે સ્ત્રીના ફેમિલીનો હિસ્સો પણ ગણાતો નથી. દીકરીઓ ને વળાવતી વખતે આપણા સમાજમાં જે વેદના માતાઓ વેઠતી હોય છે તે અહીં મોસુઓ માતાને વેઠવી પડતી નથી.images089

પતિ-પત્ની જેવો સંબંધ જ અહીં નથી એટલે એવા જોડલાએ સાથે રહેવાનું પણ નથી હોતું એટલે અહીં સિંગલ ફેમિલી કે વિભક્ત કુટુંબ જેવો કોન્સેપ્ટ જ નથી અહીં તો સંયુક્ત સંયુક્ત કુટુંબો જ છે તે પણ બહુ મોટી સંખ્યા ધરાવતા. લગ્ન વ્યવસ્થા વગર પણ બહુ મોટા બહોળા પરિવાર જોવા હોય તો ચાલો ચીન Yongning region Lugu Lake high in the Himalayas…

બળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

imagesZ4CSOFMQબળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

અમારી રેડબડ ગામગપાટા મંડળી ના નવોદિત અને હંગામી સભ્ય સુરેશ ભાઈને ટાઈમ પાસ કરવો અઘરો થઈ પડે છે. એમના દીકરાએ નેટફ્લીક્સ ની સુવિધા લીધેલ છે અંગ્રેજી ફિલ્મો ઑનલાઈન જોઈ શકાય તે માટે. એમાં અમુક હિન્દી ફિલ્મો પણ જોવા મળી જાય છે. મહામંદીના મોજામાં સપડાયેલા અમેરિકામાં Netflix નો ધંધો ઊલટાનો વધેલો.. કારણ જોબ વગરના લોકો ઘેર બેઠા ફિલ્મો વધુ જુએ. સુરેશભાઈ પણ ડેસ્કટોપ પર બેઠા બેઠા મનપસંદ અંગ્રેજી હિન્દી ફિલ્મો ટાઈમ પાસ કરવા જોતા. આજે ફિલ્મોની વાત કરતા કહે સાલું આ અંગ્રેજી ફિલ્મો એકલા જ જોવી પડે એમાં વાતે વાતે લોકો ગાળો બોલતાં હોય છે. હવે તો અમુક હિન્દી ફિલ્મોમાં પણ ગાળો બોલતાં હોય છે. ખાસ તો બેન્ડીટ ક્વીન ફિલ્મમાં ગાળો વધુ આવી ત્યાર પછી તે ટ્રેન્ડ વધતો જાય છે. અંગ્રેજી ફિલ્મોમાં સુરતી જેવું છે ગાળ બોલે પણ બોલનાર ને જ ખબર નાં હોય કે ગાળ બોલાઈ ગઈ છે. પાર્ટ ઓફ ભાષા જેવું..

અંબુકાકા કહે સાચી વાત છે ઘરમાં નાના હોય કે પુખ્ત પણ આપણા સંતાનો બેઠા હોય અને આવી ગાળો ફિલ્મો જોતા આવે તો ભારતીય માનસિકતા મુજબ સંકોચ પેદા થતો હોય છે. જો કે તેવો સંકોચ અહીં ઊછરેલી કે અહીંની મૂળ પ્રજાને થાય નહિ.

મેં કહ્યું સાચી વાત છે કાલે માઈકલ ડગ્લાસનું એક ડ્રગ સામે વૉર વિશેનું એક મુવી જોતો હતો તેમાં માઈકલ ડગ્લાસ પોતે સેનેટર હોય છે અને ડ્રગ સેવન અમેરિકામાં વધતું જાય છે તે સામે લડાઈ લડતો હોય છે પણ એની પોતાની દીકરી જ ડ્રગના રવાડે ચડી ગઈ હોય છે. આ એની દીકરી એક સંવાદમાં નશાની હાલત માં એના પિતાને જ fu_k you કહેતી હોય છે. મતલબ તમે કહ્યું તેમ સુરતી જેવું ગાળ બોલાવી સામાન્ય ગણાય. એનો કોઈ છોછ જ નાં હોય. હમણાં અમારા એક મિત્રનાં નાના દીકરાએ નિર્દોષ ભાવે એમને fu_k શબ્દનો અર્થ પૂછેલો, હવે આપણે સમજી શકીએ છીએ કે કેવા ક્ષોભ માં મુકાય ગયા હશે?

એટલા માં શાંતિ ભાઈ આવી પહોંચ્યા, તે કહે કેમ આજે શું વાત છે ગાળ પુરાણ માંડ્યું છે કે શું? બધા હસી પડ્યા. કમુબેન કહે અમારા જમાનામાં બૈરા ઉઘાડી ગાળો ક્યારેય બોલતાં નહિ. ઝઘડો થાય કોઈ બીજા બૈરા જોડે તો મારી હૉચ(શોક્ય નું અપભ્રંશ) શબ્દ ગાળનાં પર્યાય રૂપે વપરાતો. નિકિતા કહે વડીલો હવે તો ઇન્ડિયા માં પણ કૉલેજમાં છોકરીઓ ગાળો બોલતાં શીખી ગઈ છે. જોકે છોકરાઓ કરતા એનું પ્રમાણ ઓછું હોય અને છોકરાઓની હાજરીમાં ઓછું હોય.

મેં કહ્યું મહિલા મિત્રો એમના સમૂહમાં પુરુષોની ગેરહાજરીમાં ગાળો અને કહેવાતી વલ્ગર વાતોની મજા અવશ્ય માણતી હોય છે, પણ પુરુષોની હાજરી હોય તો ચુપ.. પછી શાંતિ ભાઈને સંબોધીને કહ્યું કે ભઈલા તમારું આ ગાળો પાછળનું વિજ્ઞાન શું કહે છે?

શાંતિ ભાઈ એ ‘ગાળ પુરાણ’ શરુ કર્યું, “ ગાળો તમે જુઓ ગુજરાતી હોય હિન્દી હોય કે અંગ્રેજી હોય એમાં એક તો સ્ત્રી પુરુષના ગુપ્ત અંગો સૂચક હોય છે. બીજી ગાળો માં કોઈ વ્યક્તિ પ્રત્યે કે તેની સાથે કામ ક્રિયા દર્શાવતા શબ્દો રૂપે હોય છે. સેક્સને એક તો ખરાબ ગણવાનું શરુ થયું એટલે તે દર્શાવતા શબ્દો બેડ વર્ડ તરીકે ગણાવા લાગ્યા. સેક્સ એક તો જાહેરમાં કરવાની વસ્તુ છે નહિ તે એકાંતમાં ગુપ્ત રૂપે કરવાની વસ્તુ છે એટલે તે ક્રિયા સૂચક શબ્દો જાહેરમાં બોલવા અસભ્ય ગણાવા લાગ્યું અને છેલ્લે કોઈને સંબોધીને એની સાથેની સેક્સ ક્રિયા સૂચક શબ્દમાં એના ઉપર આધિપત્ય જમાવવાની ભાવના પણ ભેગી ભળેલી છે. આધિપત્ય જમાવી સેક્સ જેવું કહેવાતું ખરાબ કર્મ કરીશ એવો અર્થ એમાં હોય છે. દાખલા તરીકે કોઈને માબેન સમાણ ગાળ દઈએ એનો મતલબ તારા પ્રિય અને સન્માન જનક પાત્ર(માં અને બહેન) ઉપર આધિપત્ય જમાવીને એમની સાથે સેક્સ જેવું હીન કામ કરીશ.”

મેં કહ્યું વાતો તમારી સાચી છે. અંગ્રેજીમાં તો આવું હીન કામ તારી જાત ઉપર કે જાત સાથે જ કર એવી ગાળ પણ બોલાય છે( fu_k યોર સેલ્ફ)..

શાંતિ ભાઈ કહે અંગ્રેજીમાં બેડ વર્ડ્ઝ ની સ્ટોરી Angles અને Saxons જાતો સાથે શરુ થયેલી પાછળથી એમાં Vikings ભળ્યા. જર્મેનિક અને સ્કેન્ડીન્વિયન ટ્રાઈબ્સ વેલ્સ અને આયરલેન્ડ પર ચડી આવેલા(ઈ. સ. ૪૫૦-૧૦૫૦). ગ્રેટ બ્રિટન પહેલા Angle-Land તરીકે અને પછી અપભ્રંશ થઈને England તરીકે ઓળખાવા લાગ્યું. Angles અને Saxons જૂની જર્મન ભાષા બોલતાં. હાલના કહેવાતા ગંદા શબ્દો તેઓ રોજીંદી ભાષામાં વાપરતાં અને તેને વલ્ગર મનાતું જ નહિ. સન. ૧૦૬૬ પછી નોર્મન ફ્રેંચ લોકોએ Anglo-Saxon ઈંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. નોર્મન ફ્રેંચ લોકોએ એમની જૂની ફ્રેંચ ભાષાને રાજ દરબારની અને ઉચ્ચ લોકો ભાષા તરીકે પ્રસ્થાપિત કરેલી. ફ્રેંચ ભાષા વોવેલ એટલે કે સ્વર વડે વધુ શણગારેલી કાવ્યાત્મક જાણે ગીત ગાતા હોઇએ તેવી મધુર હોય છે. જૂની રાજકુમાર ની હીર-રાંઝા ફિલ્મ જોઈ હોય તેને ખ્યાલ હશે તેમાં કાવ્યાત્મક ગાતા હોઈ એ તેવા સંવાદ હતા. એટલે ફ્રેંચ લોકોના આવા કાવ્યાત્મક ભાષા સાંભળી ટેવાયેલા કર્ણપટલ ઉપર જૂની જર્મન બોલતાં Anglo-Saxon લોકોની ભાષા અથડાતી ત્યારે તે સખત અને વલ્ગર લાગતી. નોર્મન લોકો જર્મેનિક પ્રોટો ઇંગ્લિશ સાથે ૩૦૦ વર્ષ બાખડ્યા. નોર્મન લોહી ધરાવતા ઈંગ્લેન્ડ ના રાજા ૧૪ મી સદી સુધી ઇંગ્લિશ(મિડલ ઈંગ્લીસ) બોલતાં નહિ. નવી ધરતી ઉપર એમની Melodic French સ્થાપિત કરવા નોર્મન લોકોએ બહુ પ્રયત્નો કરેલા પણ બહુ થોડા એંગ્લો-સેક્સોન લોકો તે શીખી શકે લા. એમણે એમની પ્રોટો ઇંગ્લિશ બોલવા નું ચાલુ જ રાખેલું જે સખત અને સીધી હતી. ફ્રેંચ લોકો ઈંગ્લેન્ડ માં ભાષા યુદ્ધ છેવટે હાર્યા, અંગ્રેજીમાં ઘણા બધા શબ્દો ફ્રેંચ માંથી આવેલા જ છે પણ મોટા ભાગે તે જર્મેનિક ભાષા છે. પણ ફ્રેંચ લોકો રોજીંદી ભાષા માંથી સેક્સને લગતા શબ્દો ને ખરાબ ગણવામાં અને નદારદ કરવામાં સફળ થયા, ૨૦મી સદી સુધી ડીક્ષનેરીમાંથી પણ નદારદ કરવામાં આવેલા. ગુપ્ત અંગ અને કામક્રીડા દર્શાવતા શબ્દો ગ્રાસ રૂટ લેવલે જોડાયેલા હોય છે માટે હજુ આપણી સાથે છે.”

શાંતિ ભાઈનું ગાળ પુરાણ શરુ થાય તે પહેલા જ કમુબેન ચાલ્યા ગયેલા. જોડે પરાણે નિકીતાને પણ ખેંચી ગયેલા. જો કે અમે સ્વસ્થ ચર્ચા કરતા હતા. છતાં થોડી ઘણી માનમર્યાદા જરૂરી પણ હોય છે. મેં શાંતિ ભાઈને પૂછ્યું આ બધી ગાળો નાં ગ્રાંડ ડેડી જેવો Fu_k શબ્દ શે માંથી આવ્યો હશે? અને એવા બીજા શબ્દો વિષે કશું નવું જાણતા હો તો કહો ને?

શાંતિ ભાઈ કહે, ‘ઓલ્ડ જર્મન ભાષામાં ‘fokken’ શબ્દ હતો તેનો અર્થ thurst, strike થતો અને એનું વિસ્તૃત થઈને copulate  માં પરિણમ્યો.. આશરે ૧૫૦૩માં પ્રિન્ટ માં આવ્યો તે પહેલા કોઈ લખવામાં નહોતું વાપરતું. Dunbar નામના કોઈ કવિ એ એની કવિતા માં copulation માટે fukkit શબ્દ વાપરે લો.’

મેં કહ્યું એવા બીજા કોઈ શબ્દો વિષે માહિતી આજે આપી જ દો.

શાંતિ ભાઈએ આગળ ચલાવ્યું, ‘CU_T શબ્દ Old Norse “Kunta” પરથી આવ્યો છે, એનો અર્થ સ્ત્રીનું ગુપ્તાંગ થાય. CU_T શબ્દ પ્રિન્ટ મીડિયામાં જુનો છે, FU_K  શબ્દ કરતા પણ ૩૦૦ વર્ષ પહેલાથી  ડર્ટી શબ્દ તરીકે સન ૧૨૩૦ થી લખાય છે. જો કે હાલ cu_t શબ્દ બહુ ઓછો વપરાય છે. તેવી રીતે CO_K શબ્દ જૂની જર્મન ભાષાના kok અથવા kukko પરથી આવ્યો છે. લેટીનમાં COCO શબ્દ પણ છે, તમામ નો અર્થ કૂકડો થાય. ફ્રેન્ચમાં પણ કુકડા માટે Coq અને જૂની ઈંગ્લીશમાં Cok શબ્દ છે જે મરઘા માટે વપરાય છે. વહેલી સવારે ઉન્નત થઇ ચુકેલા રમતિયાળ અંગ સાથે જગાડવાની આલબેલ પોકારતા મોજીલા પક્ષી ના નામ સાથે ઉત્ક્રાંતિ પામતા CO_K શબ્દને બહુ વાર લાગી હોય તેમ લાગતું નથી. જેમ પુરુષ જનનાંગ ને કુકડા સાથે સરખાવ્યું છે તેમ સ્ત્રીના જનનાંગ ને બિલાડી સાથે સરખાવવામાં આવેલું છે. Old Norse-Old German ભાષામાં Puss નો અર્થ બિલાડી Cat થાય છે. અને Pusa નો અર્થ પાઉચ થાય છે. આજે પણ કેથરીન માટે નીક નેમ તરીકે kat અને kitty વપરાય છે. આમ soft furry little pets માટે વપરાતો શબ્દ puss અને પાઉચ માટે વપરાતો pusa સ્ત્રીના બે પગ વચ્ચે રહેલી  soft furry પાઉચ જેવી જગ્યા માટે PUS_Y બની ગયો..

અંબુકાકા હસતા હસતા કહે ગાળો આગ માં ઘી હોમવાનું કામ પણ કરે છે અને દીવામાં થી તેલ કાઢી લેવા નું પણ કામ કરતી હોય છે. મેં કહ્યું કાકા કાઈ સમજાય તેવું બોલો. તો અંબુકાકા કહે કોઈની સાથે ઝઘડો થાય ત્યારે એકબીજાની હાજરીમાં ગાળો દઈએ તો આગ માં ઘી હોમવાનું કામ થાય ઝઘડો વધી પડે. ઘણીવાર ગાળ જ ઝઘડાનું મુખ્ય કારણ બની જતું હોય છે.

મેં કહ્યું અને દીવામાં થી તેલ કાઢી લેવા નું કામ કઈ રીતે થાય?

અંબુકાકા ઉવાચ- જુઓ કોઈના પર ગુસ્સો ભરાયો હોય અને તે હાજર હોય નહિ કે સંબંધ એવો હોય કે ઝઘડો કરી શકાય તેવું હોય નહિ તો એની ગેરહાજરીમાં એને ગાળો દઈ દેવાની કેથાર્સીસ થઈ જાય ગુસ્સો બહાર નીકળી જાય દીવામાં થી તેલ નીકળી જાય એટલે દીવો ઓલવાઈ જાય. ગુસ્સો શાંત પડી જાય..

imagesFCY31G0Sઅમે બધા હસી પડ્યા.. મેં કહ્યું ઉપાય સારો છે. આમ આજે ગાળ પુરાણ વાંચી બધા છુટા પડ્યા.

એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE