Category Archives: આરોગ્ય

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)images09-87

અમારી ગપાટા મંડળીના સભ્ય શાંતિભાઈ આજે જરા ઉગ્ર મિજાજમાં હતા. કેબીનેટ મીનીસ્ટર ડૉ હર્ષવર્ધન ઉપર ગુસ્સામાં હતા. આવતાવેંત કહે, ‘આ ડૉ ગાંડો થયો લાગે છે. કહે છે જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ અને યોગ શીખવવો જોઈએ.’

‘ આમાં અડધું સજેશન ખોટું છે અને અડધું સારું’, મેં કહ્યું.

‘એટલે સમજ્યો નહિ.’

‘જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ તે ખોટું અને યોગ શીખવવો જોઈએ એમાં એક સુધારા સાથે કહું તો મેડીટેશન ખાસ શીખવવું જોઈએ તે સારું’.

‘આ જાતીય શિક્ષણ ની જરૂર શું કામ પડે? આ પ્રાણીઓને તો જરૂર પડતી નથી ?’ અંબુકાકા બોલ્યા.

મને થયું આ મનોવિજ્ઞાનનાં માજી શિક્ષક શાંતિભાઈ, અંબુકાકા ઉપર પણ ગુસ્સે થવાના છે. એટલે મેં વાત વાળી લેતા કહ્યું કાકા પ્રાણીઓ સહજ હોય છે, સેક્સ એમના માટે બેસિક નીડ અને બેસિક ઇન્સ્ટીન્કટ છે અને તે રીતે તેનો સહજ ઉપયોગ કરે છે. જ્યારે આપણે પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી એટલે આપણે સેક્સને સહજ રહેવા દીધો નથી માટે આપણે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે.

‘વધારે ડાહ્યા વધારે ખરડાય’, કમુબેન બોલ્યા.

શાંતિભાઈ હસી પડ્યા. હસતા હસતા ઉમેર્યું, ‘ પ્રાણીઓ કરતા આપણી પાસે કોર્ટેક્સ બહુ મોટું છે મતલબ વિચાર કરવાવાળું બ્રેન બહુ મોટું છે માટે આપણે સેક્સને સુસંસ્કૃત અને વિકૃત બંને બનાવી શકીએ છીએ, એટલે સંસ્કૃત બનાવવા અને વિકૃત નાં બને તે માટે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે એવું મારું માનવું છે.’

મેં કહ્યું બધા આ વાત પર ઠોકો તાલી.

મંજુબેન જરા જુનવાણી વિચારો ધરાવતા તે બોલ્યા આ જાતીય શિક્ષણ આપવાથી પછી કામાચાર વધી નહિ જાય? લોકો લગ્ન કર્યા વગર પણ સેક્સ ભોગવવા લાગશે.

મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર? ચાલો આજ સુધી ભારતમાં જાતીય શિક્ષણ ક્યા અપાતું હતું છતાં ૧૨૫ કરોડનો દેશ અમસ્તો થોડો બની ગયો હશે? અને જે સાધુ મહાત્માઓ સેક્સને કાયમ વખોડતા હોય છે તે લોકો પણ ખાનગીમાં સેક્સ વગર રહેતા નથી. જે સાધુઓ સ્ત્રીઓના મુખ પણ જોતા નથી તેવા લોકો નાના છોકરાઓનો દુરુપયોગ કરે જ છે. ઉલટાનો આવા લોકો સેક્સનો વધુ ઉપયોગ અને તે પણ વિકૃત રૂપે કરે છે. એક ખોટી માન્યતા છે કે સેક્સ શિક્ષણ આપવાથી લોકો પછી ચોરે ને ચૌટે સેક્સ માણ્યા કરશે.

હવે વારો શાન્તીભાઈનો હતો. ‘ઘણા બુદ્ધુઓ માને છે કે સેક્સ એડ્યુકેશન એટલે નિરોધ વાપરવાનું કહેવું અને પહેરાવવાનું શીખખવું બસ આટલામાં જ બધું આવી ગયું. ઘણા મુરખો એવી દલીલ પણ કરે છે કે સેક્સ એડ્યુકેશન મેળવવા તમારા સંતાનોને કોઈ પારકી વ્યક્તિ પાસે મોકલવા રાજી છો? ભાઈ તમે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા કે થિઅરી ઓફ રીલેટીવીટી શીખવા ન્યુટન કે આઇન્સ્ટાઇન પાસે ગયેલા ખરા? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું એક જ કલાસરૂમમાં ૫૦-૧૦૦ વિધાર્થીઓ સાથે બેસી ને જ શીખેલા કે નહિ? બધી વસ્તુઓ પ્રેક્ટીકલ શીખવી જરૂરી છે ખરી? મુલે સેક્સ ને પાપ ગણનારા જાતજાતની દલીલો કરશે. ઘણા બુદ્ધુઓ કહેશે સાચું સેક્સ શિક્ષણ દીકરીને માતા જ આપી શકે. તો દીકરાઓને કોણ આપશે? ચાલો પશ્ચિમનો સમાજ તો ઓપનનેસ ધરાવે છે ત્યાં માતા આપશે પણ ભારતની માતા કઈ રીતે આપશે? શરમ નહિ આવે? એના કરતા આનો નિષ્ણાંત શિક્ષક વર્ગ ખંડમાં આપે તે શું ખોટું? ઘણા બુદ્ધુઓને છાપાઓમાં પીરસાતા નગ્ન અર્ધનગ્ન ફોટાઓ, ગ્લેમરસ જાહેરાતો અને ડૉ મુકુલ ચોકસી કે ડૉ મૃગેશ વૈષ્ણવ કે ડૉ હંસલ ભચેચ જેવા નિષ્ણાંતો વડે પીરસાયેલા જ્ઞાન વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. મારી તો બચપણની ઘણી બધી સેક્સ વિશેની ખોટી માન્યતાઓ અને ગીલ્ટ ફક્ત ડૉ મૃગેશ વૈષ્ણવનાં પુસ્તકો વાંચીને જ દૂર થઈ ગયા હતા, નાં તો મારે કોઈની જોડે પ્રેક્ટીકલ શીખવા જવું પડેલું કે નાં કોઈ ડોક્ટરની મુલાકાત લેવી પડેલી.’

મેં કહ્યું ઘણા મિત્રો એવી પણ દલીલ કરતા હોય છે કે આજ સુધી ક્યાં તમે સ્કૂલમાં જાતીય શિક્ષણ લેવા ગયેલા? ભાઈ પહેલા ભણવા જ કોણ જતું હતું તો હવે સ્કૂલ કૉલેજો બંધ કરી દઈશું? લાખો વર્ષ લગી ડોક્ટર્સ હતા જ નહિ લોકો એમ જ બીમાર પડતા ને મરતા પણ ખરા તો શું હવે તમામ ડોક્ટર્સ ને ગોળી મારી દઈશું?

કમુબેન બોલ્યા આ લોકો સેક્સ એડ્યુકેશનનો વિરોધ કેમ કરે છે તેનું મૂળ કારણ શું છે ખબર છે?

મેં કહ્યું નાં તમે કહો.

અરે ! આ મુર્ખાઓ એવું સમજે છે કે સેક્સ એડ્યુકેશન એટલે સેક્સ કરતા શીખવવું? એની જ આ બધી મોકાણ છે. અલ્યા સેક્સ કરતા કોઈને શીખવવું નાં પડે એ તો બધાને સમય થાય આવડી જ જાય. હહાહાહાહાહાહાહા.. સેક્સ એડ્યુકેશનમાં સેક્સ વિષે સાચી સમજ, એના અતિરેક અને એના આત્યંતિક વિરોધ બધાથી કઈ રીતે બચવું, એમાંથી કઈ રીતે શક્ય આનંદ મેળવવો, એની વિકૃતીઓથી બચવું આવું  બધું શીખવાનું હોય. એને કરતા શીખવાનું તો બધાને જન્મજાત આવડતું જ હોય, પ્રાણીઓ પણ વગર શીખે કરતા જ હોય છે.

મેં કહ્યું ખરેખર તો સેક્સ એડ્યુકેશન સેક્સ વિકૃતિઓ થી બચી શકવામાં બહુ કામ લાગે. ખોટી માન્યતાઓને લીધે થતા અપરાધબોધનું નિવારણ થાય અને તેના લીધે થતી માનસિક બીમારીઓ માટે પણ બહુ કામ લાગે. ઉલટાનું સેક્સ એડ્યુકેશન વડે સેક્સના અતિરેકથી પણ બચી શકાય.

શાંતિભાઈ બોલ્યા આપણા લોકોનો દંભ જુઓ એક મામી અને ભાણેજના સેક્સ સંબંધો માન્ય, એમના મંદિરો બનાવશે, એમની પૂજા કરશે પણ કોઈ કૉલેજના છોકરાએ બિચારાએ ભૂલ કરી હશે કોલેજની અગાસીમાં તો સજા કરશે.

અરે ! કાઈ સમજાય તેવું બોલો.

આખા ભારતમાં રાધાકૃષ્ણનાં મંદિરો છે કે નહિ? લોકો એમની પૂજા કરે છે કે નહિ?

હા કરે છે.

રાધા યશોદાના ભાઈની વહુ હતી, કૃષ્ણની મામી થઈ કે નહિ? બાલકૃષ્ણને પટાવનારી પીડોફેલીક થઈ કે નહિ? આ દેશમાં સ્ત્રીઓના મોઢા નાં જોનારા મહાન પુણ્યશાળી બાવાઓ નાના છોકરાઓના ગુદાદ્વાર એમની જાતીય વૃત્તિ સંતોષવા ફાડી નાખે તે ચાલે, આ દેશમાં અમે જ કૃષ્ણ છીએ અમને બધું અર્પણ કરો કહી ગુરુઓ ભક્તોની નાજુક કન્યાઓની યોનીઓ ચીરી નાખે તો ચાલે પણ સેક્સ એડ્યુકેશનની વાત કરો તો નાં ચાલે.

મેં કહ્યું બસ બસ શાંતિભાઈ વધુ કહેશો નહિ લોકો મારવા આવશે.. આ શાંતિભાઈ માર ખવડાવશે ચાલો  ભાગીએ અહીંથી કહી અમારી મંડળી છૂટી પડી..

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)

ઈંડા મૂકતાં સસ્તન
ઈંડા મૂકતાં સસ્તન

૧- ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૧
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મૂકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મૂકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.

સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર આવીને બેઠાં, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઈ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઈ જાય.

મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં શોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઊતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે “નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ.”

મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું હારું કેવાય?

આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, “સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચું ઊછરવાનું અને પછી જીવિત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું.”

કીડી ખાઉં
કીડી ખાઉં

મંજુબેન બોલ્યા “ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઊછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું તેવું કહેવા માંગો છો?” મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.

મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, “વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઊછરવાનું પછી, વધુમાં ફોસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફોસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદ્ભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં ઍડ્વાન્સ સરિસર્પના લાંબાં સૂંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઊગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવું ઊગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકીકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી.”

“પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?” અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,

“ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉ) બંને ઈંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારું જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવિત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઇલ પેદા કરતી ગ્રંથિઓ વિકસી. આ તૈલી ગ્રંથિ sebaceous ગ્રંથિમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે.”
કમળાબેન કહે, “આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઈ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી.”

મેં કહ્યું, “લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ.”

કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મૂકેલી છે.

મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.

શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ. images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી..

ધાવણ અને ધાવમાતા

untitled-0-=

 બાળઉછેરની ચર્ચાઓ સ્ત્રીઓમાં ચાલતી હોય ત્યારે Breast vs Bottle વિષય મહત્વનો બની જતો હશે. બ્રિટીશ સરકારે બ્રેસ્ટ ફીડીંગને ઉત્તેજન આપવા એક પાઇલટ સ્કીમ શરુ કરી છે એના અંતર્ગત જે સ્ત્રીઓ એમના બાળકોને બ્રેસ્ટફીડીંગ કરતી હોય તેને છ અઠવાડિયા સુધી ૧૨૦ પાઉન્ડ શોપિંગ વાઉચર તરીકે આપવા અને છ મહિના સુધી બ્રેસ્ટફીડીંગ કરે તો આ રકમ ૨૦૦ પાઉન્ડ સુધી વધી શકે. ઘણી સ્ત્રીઓ પૌષ્ટિક ખોરાકના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન જોઈએ તેવું કરી શકતી નહિ હોય તેવું ધારી કદાચ આવો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે. ઘણી સ્ત્રીઓ પૂરતું દૂધ ઉત્પાદન કરી શકતી ના હોય તે નવું નથી.

તાજાં જન્મેલા બાળકોને પહેલાં કોઈ બીજા પ્રાણીનું દૂધ આપતું નહિ. ૧૯મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં શરૂ થઈ સ્ત્રીઓ કારખાનામાં કામ કરતી થઈ અને બાળકોને સર્વપ્રથમ ગાયનું દૂધ આપવાનું શરુ થયું. બ્રેસ્ટફીડીંગ કરતાં બોટલથી દૂધ આપવું ઝડપી અને સ્ત્રીઓ કામના કલાકો વધુ ખેંચી પણ શકે. વધુને વધુ સ્ત્રીઓ કામ કરતી થઈ તેમ કામ કરતી નવી બનેલી માતાઓને તો બ્રેસ્ટફીડીંગ અઘરું લાગવા માંડતા બોટલ ફીડીંગ ઝડપથી ફેલાવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ત્રીજા ભાગના બાળકો એમનો પહેલો જન્મદિવસ જુએ અને ઊજવાય તે પહેલા પૃથ્વી પરથી કાયમી વિદાય લેવા લાગ્યા. ૨૦મી સદીમાં એમાં થોડો સુધારો આવ્યો કે દૂધ આપવાની બોટલ હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવાનું અને વાપરવાનું શરૂ થયું, સાથે સાથે દુધને બદલે તૈયાર ફૉર્મ્યૂલા-ફીડ પણ વપરાવા લાગ્યા. ભારતમાં તો બોટલ વડે દૂધ આપવાનું બહુ પાછળથી શરૂ થયેલું. અમારી પેઢી સુધી તો હતું જ નહિ.

હવે આપણે શીખ્યા કે formula-feeding ભવિષ્યમાં બાળકની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે જેવું કે ભવિષ્યમાં ડાયબીટિઝ અને ઓબેસિટી વડે પીડાવાનું જોખમ વધી શકે છે. પણ હવે જાદુઈ ચિરાગમાંથી બહાર છટકી ગયેલો જિન પાછો પૂરવો મુશ્કેલ છે. જો કે ૧૯૦૦માં પોતાના બ્રેસ્ટફીડીંગ તરફથી નવા વિકલ્પ પ્રત્યે સ્ત્રીઓ અચાનક ધ્યાન આપતી નહોતી શરુ થઈ ગયેલી. એની શરૂઆત બહુ જૂની છે. ૧૯મી સદીમાં શરૂ થયેલા બોટલ-ફીડીંગ ને લીધે એક સદીઓ જુનો વ્યવસાય wet nursing નદારદ થઈ ગયો. ભારતમાં એને ધાવમાતા કહેતા(breastfeeding another woman’s baby). ભારતમાં રાજઘરાનાના લોકો આવી ધાવમાતાઓ રાખતા. wet nursing(ધાત્રીકર્મ) વિશેના સૌથી જુના લગભગ હજાર વર્ષ જુના ઉલ્લેખ ઇઝરાયલ, ઈજીપ્ત અને ગ્રીસમાં મળે છે. કોઈ શારીરિક ખામીને લીધે કોઈ સ્ત્રી એના બાળકને દૂધ આપી શકતી ના હોય ત્યારે આવી ધાવમાતા તરીકે સ્ત્રીઓ પગાર આપી રાખવામાં આવતી જે પેલી સ્ત્રીના બાળકને ધવડાવવાનું કામ કરતી.

ભારતમાં તો આવી માતાઓ બાળકની તમામ સારસંભાળ રાખતી. જરૂર પડે જે તે બાળક માટે બલિદાન આપી દેતી. મુઘલ બાદશાહ અકબરને ના નમનાર એકમાત્ર મહારાણા પ્રતાપ ઉપર આજે આપણે બહુ ગર્વ કરીએ છીએ એના મૂળમાં પન્ના નામની ધાવમાતાનું બલિદાન બોલે છે. પન્ના મહારાણા પ્રતાપના પિતાશ્રી મહારાણા ઉદયસિંહનાં ધાવમાતા હતા. બાળ ઉદયસિંહને મારી નાખવા વનવીર નામનો હંગામી રાજા આવેલો ત્યારે ભવિષ્યના મહારાણા બાળક ઉદયસિંહને બચાવી લેવા એમની જગ્યાએ પોતાના બાળકને ઘોડિયામાં મરવા માટે સુવડાવી ઉદયસિંહને પન્ના દ્વારા બચાવી લેવાયા હતા. પોતાના બાળકને મરવા દઈ ભવિષ્યના એક ગ્રેટ લીડર(રાજા)ને બચાવી લેનાર પન્નાનું બલિદાન ભારતીય ઇતિહાસમાં અજોડ છે. એ મહારાણા ઉદયસિંહે ઉદયપુર નામનું સુંદર શહેર વસાવ્યું અને એમના પુત્ર તે અજોડ મહારાણા પ્રતાપ…

imagesપશ્ચિમના જગતમાં તો હવે કોઈ સ્ત્રી બ્રેસ્ટફીડીંગ માટે મુશ્કેલી અનુભવતી હોય તે ટીકાનો ભોગ બને તેવું થવા લાગ્યું છે. લોકો મનાવા તૈયાર જ ના થાય કે આવું પણ બની શકે. પણ ઈજીપ્તનો ૧૫૫૦ BC પહેલાનો એક મેડિકલ રિકોર્ડ બતાવે છે કે બાળકને દૂધ આપવા સક્ષમ ના હોય તેવી સ્ત્રીઓ માટે સારવાર ઉપલબ્ધ હતી. સ્વોર્ડફિશના ગરમ હાડકા વડે આવી સ્ત્રીઓના પીઠ પર માલીશ કરવામાં આવતી. મતલબ સ્ત્રી બાળકને પોતાનું દૂધ પિવડાવવા સક્ષમ ના હોય તે પ્રૉબ્લેમ નવો નથી.

ઈશા પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા પૈસાદાર રોમનો પોતાના બાળકોને દૂધ આપી શકે તેવી wet nurses સ્ત્રીઓ ગુલામ તરીકે રાખતા. પણ યુરોપમાં મધ્યયુગમાં એવો વિચાર વહેતો થયો કે wet nurse બાળકને દૂધ પિવડાવે તો એના ગુણો દૂધ મારફતે બાળકમાં આવી જાય. જેથી ધીમે ધીમે wet nurse રાખવાનું બંધ થવા લાગ્યું. ભારતમાં પણ આવી વાર્તાઓ પ્રચલિત હોય છે કે દાસીનું દૂધ તારા પેટમાં બે છાંટા આવી ગયું માટે તુ આવો પાક્યો. આમ ધાવમાતાનું મહત્વ અકારણ ઓછું થવા લાગ્યું.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાના સ્તનોમાં ધીમે ધીમે જે દૂધ ભરાય છે તે બહુ કીમતી હોય છે. એમાં તમામ રોગપ્રતિકારક શક્તિઓ ભરેલી હોય છે જે માતા ધરાવતી હોય છે. બાળક જન્મે તરત આ જમા થયેલું દૂધ પહેલું આપવાનું હોય છે, પણ આપણે મૂર્ખાઓ આ દૂધ વેડફી ને ઘી અને ગોળ ચટાડીએ છીએ જે હાલ બાળકને પચે તેવું ના પણ હોય. ગાય-ભેંસના આ સુવાવડ પછીના પ્રથમ દૂધમાંથી બરફી જેવા ચોસલાં પાડી એમાં ઇલાયચી વગેરે નાખી બળી બનાવવામાં આવતી હોય છે. WHO સજેસ્ટ કરે છે કે બાળકને બ્રેસ્ટફીડીંગ ઓછામાં ઓછું બે વર્ષ તો કરાવવું જ જોઈએ.

અમેરિકામાં ગર્ભવતી મહિલાઓ માટે તે બાબતનું જ્ઞાન આપવા સારી સારી હોસ્પિટલો વર્ગ ચલાવતી હોય છે અને તેવી મહિલાઓ સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે જેવા કે દૂધ, ઈંડા, બ્રેડ અને ફ્રુટ્સ માટે ૫૦ ડોલર્સના વાઉચર આપવામાં આવે છે. બ્રેસ્ટફીડીંગનાં પોતાના ફાયદાઓ બહુ મહત્વના છે તેમાં કોઈ શક છે જ નહિ. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે. થોડીવાર લાગશે પણ ઘડિયાળનું લોલક પાછું એના સ્થાને જતું હોય તેવું લાગશે. 1364583545260_cached

ચુંબનમીમાંસા

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. સેક્સ વર્કરને એના ક્લાયન્ટને ચુંબન કરવામાં કે કરાવવામાં જરાય રસ હોતો નથી. ધંધાના ભાગરૂપે કરે તે જુદી વાત છે.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઓષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે

Sylvia Plath
Sylvia Plath

રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ઠ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

 Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd ( Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College  Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.136497-136494

આ ચુંબનમીમાંસાનો વારંવાર પાઠ કરનારનું કલેસ્ટરૉલ ઓછું થશે, વધારે હશે તો ઓછું થશે બાકી સરખું જ રહેશે, સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો થવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે. અલ્યા ભાઈઓ અને બહેનો આનો વારંવાર પાઠ કરવાને બદલે પોતપોતાના જીવનસાથીને ચુંબનો વધુ ચોડશો તો ફાયદો થશે. આ કોઈ સત્યનારાયણની કથા નથી તે રોજ રોજ જપ્યા કરવાથી ફાયદો થાય. વાંચો વંચાવો અમલમાં મુકો.

Bhupendrasinh Raol, Edison NJ.  11 November 2013

મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

imagesCA8VIC92ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

જ્યારે આપણે કોઈ અજાણ્યા ને જોઈએ ત્યારે કે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થાય ત્યારે આપણું એમિગ્ડલા (amygdala) સ્ટ્રેસ હૉર્મોન રિલિસ કરતું હોય છે. આ એક ચેતવણી સૂચક છે. અજાણ્યો જોખમકારક પણ હોઈ શકે. આપણી સોસાયટીમાં કોઈ અજાણ્યા ચહેરાને ચક્કર મારતા જોઈએ કે કોઈ નવો રહેવાસી આવે ત્યારે પણ આવું જ થાય. મતલબ અજાણ્યાથી દૂર રહેવું સારુ કે એનાથી દૂર ભાગી જવું, ખોટું જોખમ લેવું ? પણ સાથે સાથે અચેતનરૂપે  Social Engagement System શરૂ થતી હોય છે. કારણ અજાણ્યો માનવી પણ અચેતનરૂપે સિગ્નલ મોકલતો હોય છે, જેવું કે સામે જોઈને હસવું. હવે આ સિગ્નલ વડે લાગે કે કોઈ જોખમ જેવું લાગતું નથી કે અજાણ્યાનો વિશ્વાસ કરાય તેવો છે ત્યારે સોશિઅલ ઇંગેજમન્ટ સિસ્ટમ “Vagal Brake” શરુ કરે છે, (neurological stimulation of the vagus nerve, that slows the heart and causes the parasympathetic nervous system to reduce arousal).

ધારો કે આપણને કોઈ પાર્ટી કે કોઈ લગ્ન પ્રસંગે જવાનું આમંત્રણ મળી ગયું છે અને તે દિવસ આવતાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ છીએ. હવે જેણે આમંત્રણ આપ્યું હોય તે આવકારવા દેખાય નહીં અને સાવ અજાણ્યા ચહેરા નજરે આવે તો એમિગ્ડલા તરત સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરશે. તો પહેલો રિસ્પૉન્સ એવો આવશે કે ચાલો ઘેર જતા રહીએ. સ્થળ છોડી જવાથી તરત રાહત થઈ જાય પણ ભલે અજાણ્યો હોય કોઈ માનવી સામે જોઈ મલકાશે અથવા કેમ છો કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરશે તો તરત પેલી તાત્કાલીક ઘેર જવાની ઇચ્છા અદ્રશ્ય થઈ જશે. છતાં હજુ એમિગ્ડલા સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરવાનું ચાલું જ રાખશે કારણ હજુ પેલો માનવી અજાણ્યો છે. આ સ્ટ્રેસ હૉર્મોનના લીધે હાર્ટ બીટ મિનિટના ૧૦૦ કરતાં વધી જવાના. થોડી વધુ વાતચીત થાય, કોઈ નવી ઓળખાણ નીકળે અને આપણી સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ વાંચી લે કે અજાણ્યો લાગતો માણસ કોઈ જોખમી નથી Vagal Brake શરૂ જે હાર્ટ બીટ ૧૦૦ ઉપરથી ૭૦ ઉપર લાવી મૂકશે.

સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ પાસે એક બીજી વધારાની સગવડ છે તમને શાંત પાડવાની. તે anti-anxiety hormone oxytocin સ્ત્રાવ કરશે. જે ફિઅર સિસ્ટમનું શટર બંધ કરશે. ઑક્સિટોસિન એમિગ્ડલાને સતત સ્ટ્રેસ હૉર્મોન છોડતું હંગામી ધોરણે અટકાવશે. ફિઅર સિસ્ટમના દ્વાર બ્રેન કેમ બંધ કરતું હોય છે ? Nothing is more important in biology than reproduction. હવે આ અજાણ્યા ભાઈ જે આપણી સાથે વાતચીત કરીને સંબંધ વધારી રહ્યા છે તેમની બાજુમાં કોઈ યુવતી આવી જાય એમને શોધતી શોધતી તો ? એમિગ્ડલા જે સ્ટ્રેસ હૉર્મોન્સ સ્ત્રાવ કરતું હોય છે તેના ઉપર નિયંત્રણ આવી જશે. Inhibition of the amygdala facilitates mating with a person who is genetically dissimilar. હવે ઘેર જવાનું મન નહીં થાય. હાહાહાહાહાહા ! ! !

ઑક્સિટોસિન મન ઉપર “do not disturb” લખેલું પાટિયું સમજો. બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે. એક માતા એના બાળકને ધવરાવતી હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે.

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

 imagesCANE1PHGભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

ખાવાની ઇચ્છા ઘણીવાર કાબૂ બહાર જતી રહેતી હોય છે. વજન વધી ગયું હોય, કોલેસ્ટેરોલ વધી ગયું હોય, શુગર વધી જતી હોય છતાં ખાવાની ઇચ્છા કાબૂમાં રહેતી નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. સ્ત્રીઓને ગળ્યું ખાવાની ઇચ્છા પુરુષો કરતાં ઍવરિજ વધુ થતી હોય છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે હોર્મોનલ બૅલન્સ ખોરવાઈ જતું હોય છે. એની અસર ઍપિટાઇટ અને ઇટિંગ બિહેવ્યર ઉપર પડતી હોય છે. ઑવ્યુલેશન અને પિરિઅડ પ્રથમ દિવસ વચ્ચે સ્ત્રીઓને વધારે એનર્જી ની જરૂર પડતી હોય છે. તેવા સમયે ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે એનું કારણ એ કે શર્કરા સીધી લોહીમાં ભળીને એનર્જી આપતી હોય છે. આવા સમયે ઘણી સ્ત્રીઓને કઠોળ ખાવાની ઇચ્છા પણ જાગતી હોય છે. કારણ છે તે સમયે લીન પ્રોટીન પણ વધુ જોઈએ. ટૂંકમાં આ બધું સભાનપણે થાય નહીં અને શરીરને ચોક્કસ શું જોઇએ છે તે સમજ પડે નહીં પણ વધુ ખાવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.

એક બીજુ કારણ એ પણ છે કે ઑવ્યુલેશન પછી “feel good” hormone (serotonin) લેવલ ઓછું થઈ જતું હોય છે જે સ્ત્રીઓમાં ડિપ્રેશન લાવતું હોય છે. તેવા સમયે કાર્બોહાઇડ્રેટ ખાવા મતલબ ગળ્યું ખાવું સિરોટોનિન લેવલ વધારતું હોય છે. પહેલા સ્ત્રીઓ લાપસી, શીરો, સુખડી ખાવામાં રસ વધુ ધરાવતી તો આજની આધુનિક  યુવતીઓ ચોકલેટ આઇસક્રીમ ખાવામાં વધુ રસ ધરાવતી હોય છે. આમ વધુ ખાવાની ઇચ્છા તે ડિપ્રેશન દૂર કરવાની દવા છે જે શરીર જાતે જ કરતું હોય છે. મતલબ સિરોટોનિન લેવલ વધારવા અને એક્સ્ટ્રા એનર્જી મેળવવા ખાવાની ઇચ્છા વધી જતી હોય છે અને ખાસ તો ગળ્યું ખાવાની. છે ને ઇન્ટરેસ્ટિંગ?

હૉર્મોનની વાત કરીએ છે તો સ્ટ્રેસ હૉર્મોન cortisol ને ભૂલાય નહીં. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે cortisol પેદા થતું હોય છે. કોઈ જોખમ ઊભું થવાની સંભાવના ઊભી થાય ત્યારે બ્રેન Cortisol and adrenaline સ્ત્રાવ કરતું હોય છે જે લોહીમાં ભળીને આવનારા જોખમ સામે લડવા તૈયાર કરી દે. આપણા હાથ અને પગ તરફ લોહી ધસી જતું હોય છે જેથી આપણે લડી શકીએ અથવા ભાગી શકીએ. દા.ત. રાતનો સમય હોય ને કોઈ ભયાનક ચહેરાવાળો માનવી આગળ આવી જાય તો આપણે જોખમ અનુભવીએ ત્યારે  Cortisol and adrenaline તમને લડવાની કે ભાગવાની ઍકસ્ટ્રા શક્તિ આપે.

પણ અહીં એક પ્રૉબ્લેમ છે, ભયાનક ચહેરો ધરાવતો માનવી આગળ આવી જાય અને તમે મહત્વની મિટિંગ છે અને ઑફિસ જવામાં લેટ પડ્યા હોવ તે બે વચ્ચેનો તફાવત શરીર સમજતું નથી. A stressor is a stressor. ઑફિસ જવામાં લેટ પડો ત્યારે પણ સ્ટ્રેસ પેદા થવાનો અને Cortisol and adrenaline સ્ત્રાવ બ્રેન કરવાનું જ છે. અહિ તો તમે લડી પણ ના શકો અને ભાગી પણ ના શકો. આ હૉર્મોન્સ અનહૅપી કેમિકલ તરીકે ભલે ઓળખીએ પણ છે તો કામના. પ્રૉબ્લેમ એ થાય કે આના કારણે ભાગવા અથવા લડવા વધારાની તાકાત જોઈએ તે માટે શરીરને લાગે એક્સ્ટ્રા કેલરીની જરૂર છે તો પછી શું કરવાનું, ખાઓ વધારે. આજે અકુદરતી લાઈફસ્ટાઈલ જીવતો માનવી સતત સ્ટ્રેસમાં જ રહેતો હોય છે. ખોરાકની તીવ્ર ભૂખ અને ઇમોશનલ ઇટિંગ્ એ મોટી સમસ્યા છે.

તો શું કરીશું? એક તો નક્કી કરીએ કે સ્ટ્રેસ ભોગવવો નથી. નથી ભોગવવો તો શોચો ઑફિસે લેટ પડાશે તો કોઈ મારી નાખવાનું છે? ના તો પછી એના માટે શક્ય વધુમાં વધુ શુ કરી શકાય? ઑફિસમાં એક ફોન કરી લેવાય કે આજે જરા મોડું થયું છે. આ તો દાખલો આપું છું રોજ ઑફિસે મોડા જતા નહીં. બૉસ કાઢી મૂકશે. બૉસને ફોન કરી બે ઊંડા શ્વાસ લો. બીજો દાખલો આપું કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય કે ફિલમ જોવા જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈને બહાર ઊભા રાહ જોતા હોઈએ પણ શ્રીમતી અંદર શું કરતાં હોય સમજ પડે નહી. ત્યારે સ્ટ્રેસ ઊભો થઈ જતો હોય છે. પાર્ટી પતી જાય પછી પહોચવાનું છે? કન્યાવિદાય થઈ જશે પછી પહોંચવાના, ફિલમ અડધી પતી જવાની એમ બુમો પાડતા હોઈએ છીએ. મને પોતાને આવો સ્ટ્રેસ થતો હોય છે. હાહાહાહાહાહા . આનો કોઈ ઉપાય નથી. જે વસ્તુ આપણાં હાથમાં ના હોય તેની ફિકર છોડી દેવી સારી..

લડવૈયો જીન MAO-A

 th=લડવૈયો જીન MAO-A

ઘણા માણસો જન્મજાત આક્રમક સ્વભાવના હોય છે. હવે આક્રમક સ્વભાવના એટલે રોજ લડવા બેસતા હોય તેવું સમજવું પણ વધુ પડતું છે. આસપાસના વાતાવરણ, અને સર્વાઇવલની જરુરીયાત પ્રમાણે માનવીનો સ્વભાવ ઘડાતો હોય છે. આમ વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ ઘડાતો હોય છે, તે પ્રમાણે કલ્ચર ઘડાતું હોય છે, તેની અસર જિનેટિકલી માનવીના શરીર ઉપર પડતી હોય છે. પરસ્પર દેવો ભવઃ પ્રમાણે બધું અરસપરસ એકબીજા ઉપર અસર કરતું હોવાથી જેનિસની અસર સ્વભાવ ઉપર પડતી હોય અને તે પરમાણે કલ્ચર ઘડાય તેવું પણ બનતું હોય છે અને તે પ્રમાણે પાછો સ્વભાવ અને શરીર ઘડાય તેવું પણ બનતું હોય છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરાજના ખંડિયા દેશોના લશ્કરો બ્રિટન તરફથી જર્મનો સામે લડેલા. બ્રિટનનો સૂરજ કદી આથમતો નહિ. એ ન્યાયે ઘણાબધા દેશોના લશ્કરો આમાં જોડાયેલા. યુદ્ધ પત્યા પછી જે તે સૈનિકોએ યુદ્ધમાં બહાદૂરી બતાવી હોય તેમને બ્રેવરી માટે મેડલ વહેંચાયેલા. એના પછી સર્વે થયેલો કે કોણ સૌથી વધુ મેડલ લઈ ગયું છે ? આખી દુનિયામાં સૌથી વધુ બ્રેવરી માટેના મેડલ ભારતના રાજપૂત સૈનિકો લઈ ગયેલા. વર્ણવ્યવસ્થા અને લગ્નવ્યવસ્થાના આકરાં ધારાધોરણોને લીધે લડાયક સ્વભાવ ફક્ત એક જ વર્ગ પૂરતો સીમિત રહી ગયો. અને એમાં તે વર્ગ પણ સંખ્યામાં સીમિત બની ગયો.

રૉકસ્ટાર હેનરી રોલિન્સ એના પોતાના આક્રમક સ્વભાવ માટે આખી જીંદગી ચિંતિત રહ્યો. નેશનલ જિયોગ્રાફી ટીમ સાથે મળીને એણે એક ડૉક્યુમેંટરી બનાવેલી. એમાં રસસ્પ્રદ અભ્યાસ કરવામાં આવેલો. એમાં હાર્ડ્કોર બાઇકર્સ સામેલ કરવામાં આવેલા. આ લોકો કાયમ મોટી મોટી મોટર સાઇકલ જ ફેરવતા હોય, હટ્ટાકટ્ટા દેખાવે જ આક્રમક લાગતા હોય. મિક્સ્ડ માર્શલ આર્ટ ફાઇટર્સ પણ સામેલ કરવામાં આવેલા. લોસ એન્જલસની હિંસક ગણાતી ગેંગના બે સભ્યો પણ આવરી લેવાયા હતા. ત્રણ બૌદ્ધિષ્ઠ સાધુઓ સાથે એક અમેરિકાની વિખ્યાત સીલ ટીમનો સભ્ય પણ સામેલ કરાયેલો. આ બધાના ઇન્ટરવ્યૂ સાથે એમના ગાલ અંદરથી ખોતરીને એમના જીન ચેક કરવા નમૂના લેવામાં આવેલા કે આ લોકો વૉરિઅર જીન ધરાવે છે કે નહિ ?

 Monoamine oxidase A, also known as MAO-A, is an enzyme that in humans is  encoded by the MAOA gene. Monoamine oxidase A is an isozyme of monoamine oxidase. આનું મુખ્ય કામ norepinephrine (noradrenaline), epinephrine (adrenaline), serotonin, અને dopamine જેવાં ન્યુરૉકેમિકલ્સનું રિસાઇક્લિંગ કરવાનું રહેતું હોય છે. એને હળવા કરવાનું હોય છે. આમાં ગરબડ થાય અને આ જીનનું કામકાજ ધીમું હોય તો સ્વાભાવિક પેલાં રસાયણોનું જોર વધતું રહે તો આક્રમકતા વધુ રહે. Mutation in this gene results in monoamine oxidase deficiency, or Brunner syndrome. આ જીનનું કામકાજ વધી જાય તો પેલાં ન્યુરૉકેમિકલ્સનું વધારે પડતું રિસાઇક્લિંગ થઈ જાય તો માણસ બહુ મોટું ડિપ્રેશન અનુભવતો થઈ જાય. આપઘાત કરવાનું મન થાય, અનિંદ્રા જેવું પણ થઈ જાય. Serotonin તો આપણે જાણીએ છિયે કે જ્યારે કોઈના ઉપર પ્રભુત્વ અનુભવીએ ત્યારે હેપિનેસ અર્પતું હોય છે. Adrenaline એટલે “ એક મરણિયો ૧૦૦ ને ભારે “ સમજવું. જ્યારે જીવ ઉપર આવી જઈએ, ‘જાન કા ખતરા’ ઊભો થઈ જાય ત્યારે માણસમાં ભયંકર તાકાત આવી જતી હોય છે.

એક ઘાંચી અને દરબારનું ફેમિલી જોડે જોડે રહેતાં હતાં. ઘાંચી તો સ્વાભાવિક તેલની ઘાંણીએ કામ કરતો એટલે તગડ્મસ્ત હતો, દરબાર બિચારાં સુકલકડી. ઘાંચણ કાયમ દરબારની વહુ ને ચીડવે કે જુઓ મારો ઘાંચી કેવો અલમસ્ત છે અને તમારો દરબાર જુઓ સાવ સુકલકડી. દરબારનાં વહુ દરબારને ફરિયાદ કરે પેલી ઘાંચણ આમ કહે છે. દરબાર એક જ વાક્ય કહેતા કે ઢોલ વાગવા દે, બૂંગિયો વાગવા દે ત્યારે વાત.

એકવાર ગામમાં લૂંટારા આવ્યા અને જુના જમાનાના રિવાજ પ્રમાણે ગામના લોકોને ભેગાં કરવા ઢોલ વાગ્યો, દરબારને શૂરાતન ચડ્યું adrenaline  ન્યુરૉકેમિકલનો ફ્લો વધી ગયો. પ્રચંડ તાકાત અનુભવવા લાગ્યાં, બાજુમાં પડેલી લોખંડની કૉશ ઉઠાવી પેલાં ઘાંચીના ગળામાં ભેરવીને વાળી દીધી અને તલવાર ઉઠાવી લૂંટારા સામે લડવા નીકળી પડ્યા. બધું પતી ગયા પછી ઘેર આવ્યા ઘાંચી કહે આ મારી ગળે ભેરવેલી કૉશ કાઢો બાપા મારી નાખ્યો તમે તો. દરબાર કહે હવે ના બને ફરી ઢોલ વાગે ત્યારે સામો આવી ને ઊભો રહેજે. ‘જાડા દેખકર ડરના નહી પતલા દેખકર લડના નહી’, એવું મારા ફાધર કાયમ કહેતા. Adrenaline નું કામ આવું હોય છે.

monoamine oxidase-A gene ને warrior gene કહેતાં હોય છે. હિંસક વર્તણૂક ફક્ત જીન આધારિત હોય તેવું પણ નથી. સર્વાઇવલ માટે બચપણમાં આક્રમક બનવાનું હાર્ડ વાયરિંગ બ્રેનમાં થયેલું હોય તો પણ હિંસક વર્તણૂક ઊભી થતી હોય છે. દેશની બૉર્ડર ઉપર રહેતાં લોકોને વારંવાર યુદ્ધોનો સામનો કરવો પડતો હોય ત્યારે ત્યાં વસતી પ્રજા સામાન્યતઃ લડાયક હોય છે. રૉકસ્ટાર હેનરી રોલિન્સને હવે બધાં રિઝલ્ટ મળી ગયાં હતાં. તે પોતે આક્રમક સ્વભાવ ધરાવતો હતો પણ વૉરિઅર જીન એનામાં નહોતો. બચપણમાં સ્કૂલમાં એને બીજા છોકરાઓ ખૂબ હેરાન કરતા. એને ખૂબ મારતા, એમાંથી બચવા તે ખૂબ આક્રમક બની જતો. આમ બચપણમાં તોફાની છોકરાઓથી બચવા આક્રમક બનવું જરૂરી હતું અને તે સ્ટ્રેટેજીનું હાર્ડ વાયરિંગ એના બ્રેનમાં કાયમી થઈ ગયેલું. એટલે પુખ્ત બન્યા પછી પણ એ આક્રમક વલણ દાખવતો.

હાર્ડકોર બાઇકર્સમાથી ત્રણ જણા વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા અને જેણે ખૂબ હિંસાનો સામનો કરેલો તે જ વૉરિઅર જીન વગરનો નીકળ્યો. પેલાં ગૅંગ્સ્ટર તો વૉરિઅર જીન ધરાવતા જ નીકળ્યા. ત્રણે બૌદ્ધિષ્ઠ સાધુઓ વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા જેઓ તદ્દન શાંત હતા. મતલબ મેડિટેશન આ લોકોને શાંત બનાવતું હતું. નેવી સીલ ટીમનો સભ્ય વૉરિઅર જીન ધરાવતો પણ એની આક્રમકતા પોઝિટિવ હતી કે તે જિમ ચલાવતો હતો. લોકોને સ્વરક્ષણ શીખવતો હતો.

વૉરિઅર જીન ધરાવતો માણસ આર્મીમાં જઈને દેશની સેવા કરી હીરો બની શકે છે અથવા ગૅંગ્સ્ટર બની દેશની કુસેવા કરી વિલન પણ બની શકે છે. th

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:

ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા124650-123409

એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ  આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.

એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.

બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને  Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.

સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.

સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા

ચુંબન રહસ્ય (Science of Kiss)

ચુંબન રહસ્ય (Science of Kiss)136497-136496

“Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઔષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ટ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd (Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.

હમણાં વૅલન્ટાઇન ડે ઉપર એક મિત્રે ફેસબુક ઉપર ફ્રેંચ કિસ French kiss કરીને વૅલન્ટાઇન દિવસ ઊજવી મોજ કરવાનું સૂચવ્યું હતું. બંધ બાથરૂમમાં કપડાં પહેરીને સ્નાન કરતી મોટાભાગની પ્રજાને ખબર તો હોવી જોઈ ણે કે ફ્રેંચ કિસ કોને કહેવાય? અહીં તો કિસ કરવાથી ગર્ભવતી બની જવાય તેવું ભણેલી છોકરીઓ માનતી હોય ત્યાં કિસ કરવાની વાત કરવી મહાપાપ બની જાય. અમેરિકા જેવા ઍડ્વાન્સ દેશમાં પણ છોકરીઓ આવું ક્યારેક માનતી હોય છે. તો ઘણા દેશોમાં પત્નીને ચુંબન કરવા માટે પણ રાત પડે તેની રાહ જોવી પડતી હોય છે.

ચુંબન માટે અંગ્રેજીમાં જુદાજુદા શબ્દ વૈભવ છે જેવા કે smooching, necking, snogging, making out, lip locking, bussing (archaic), and osculation. પ્રેમીઓ માટે ચુંબન સૌથી વધારે કામોદ્દીપક બની રહેતું હોય છે પણ કામપ્રચૂર સાહિત્યમાં પણ ચુંબન વિષે ખાસ લખાતું નથી તે જરા વિષમ જણાય છે. ચુંબન સાહિત્યમાં ઉપેક્ષિત બનેલું છે. એનું એક કારણ એવું પણ હોઈ શકે કે ચુંબન સેક્સ સિવાય બીજા સામાન્ય પ્રસંગે પણ વપરાતું હોય છે. આપણે ત્યાં તો સગા સંબંધીઓ કે ઓળખીતાંને મળીએ ત્યારે ચુંબન કરવાનો રિવાજ નથી.

પશ્ચિમની સંસ્કૃતિમાં એકબીજાને મળતી વખતે ગાલ સાથે ગાલ અડાડી ચુંબન કરવાની રસમ છે તેમાં મોટાભાગે હોઠ ગાલને અડતા હોતા નથી. આમાં આભાર, ધન્યવાદ અને આવકારની ભાવના દર્શાવાતી હોય છે. પોપની વીંટી કે રાજાના હાથને ચુંબન કરવાનો રિવાજ હોય છે, એમાં ઊંડો આદર અને વફાદારી દર્શાવાતી હોય છે. Dice પાસાને ચુંબન કરીને ફેંકવામાં ગુડ લક ઇચ્છવામાં આવતું હોય છે. બાળક પડી જાય કે કશું વાગે તો એને ઊચકીને ચુંબન કરવામાં આવે એમાં એના આરોગ્યની કામના ભરેલી હોય છે.

એક એવું ચુંબન પણ હોય છે જેમાં નિંદા (condemnation- કૉન્ડેમ્નેશન), દગાખોરી ભરેલી હોય છે તેને Judas’ kiss કહેવામાં આવે છે. The Mafia’s kiss of death, “kiss my ass” જેવા રૂઢિપ્રયોગ પણ વપરાતા હોય છે. આમ ચુંબન વ્યાપક erotic અને non-erotic અર્થોમાં વપરાતું હોવાથી શૃંગારિક સાહિત્યમાં પણ એનો ઉપયોગ ઓછો થતો હોય છે.

કવિરાજ Percy Bysshe Shelley માટે ચુંબન એટલે “ પ્રેમીઓના હોઠ ઉપર આત્માથી આત્માનું મિલન” છે. “Soul meeting soul on lovers’ lips” ચુંબન માટે આનાથી વધુ સારી કોઈ વ્યાખ્યા હોય તો જણાવો. પ્રેમની ઊંડી અભિવ્યક્તિ માટે પ્રેમીઓ એકબીજાના હોઠ સાથે હોઠ ભીડીને ચુંબન કરતા હોય છે પણ પણ અને પણ આત્માથી આત્માના મિલન માટે પ્રેમીઓ હોઠ સાથે હોઠ ભીડીને અને જિહ્વા સાથે જિહ્વાનો સ્પર્શ કરીને આ મિલનને અલૌકિકતા અર્પતા હોય છે-open-mouth kissing with tongue contact. આને અંગ્રેજી બોલતા જગતમાં French kissing કહેવામાં આવે છે. બધા નહિ પણ મોટાભાગના લોકો જીભ સાથે જીભના સ્પર્શ વડે કરાયેલા ચુંબનને અત્યંત ગાઢ લાગણીઓની અભિવ્યક્તિ તરીકે સ્વીકારતા હોય છે. ઘણા એને સંભોગ જેવી પ્રક્રિયાનો અંશ જ માનતા હોય છે. ધંધાદારી સેક્સ વર્કર પણ ચુંબન કરવા દેતી હોતી નથી, કે ચુંબન એમના માટે વધુ પડતી લાગણી ગણાતી હોય છે.

ચુંબન વિશેના સૌથી જુના ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં મળે છે, છતાં ચુંબનને સૌથી વધુ ઉપેક્ષાનો સમાનો ભારતમાં જ કરવો પડે છે. પ્રાચીન યુરોપમાં લોકો ચુંબન તો કરતા હશે પણ એના ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં પણ બહુ ઓછાં જોવા મળે છે. ઓસ્ટ્રેલીયા, તાહિતી અને આફ્રિકન લોકોમાં ચુંબન પ્રચલિત કરનારા યુઅરપિઅન હતા. એશન(એશિયાનાં) દેશોમાં ચુંબન ખાનગીમાં થાય છે જાહેરમાં નહિ. જાહેરમાં ચુંબન કરવું અસભ્ય ગણાય છે. ભારતમાં પતિપત્ની જાહેરમાં ચુંબન કરતા નથી. જૂની ફિલ્મોમાં ચુંબન દ્ગશ્યો હોય તો સેન્સર બોર્ડ દ્વારા કાપી નખાતાં.

એકવાર ઐશ્વર્યા અને અભિષેક ઓપ્રાહનાં શોમાં ચુંબન વિષે ચર્ચા કરતા હતા. ચુંબન એ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનું પશ્ચિમના સમાજમાં સામાન્ય પણ મહત્વનું છે. પણ ભારતીય ફિલ્મ અને દર્શકો માટે ખાસ જરૂરી નથી, પણ એના બદલામાં અમારી પાસે સૉન્ગ છે, એવી ચબરાક ચર્ચા કરતા ઐશ્વર્યા, અભિષેકને કમ-ઑન બેબી કહી ચુંબન કરવા નિમંત્રણ આપે છે. અભિષેક ઐશ્વર્યાને ચુંબન કરતા દર્શકોની તાળીઓથી સ્ટુડીઓ ગાજી ઊઠે છે.

માનવી સિવાય આ રહસ્યમય ચુંબન કરનારી ફક્ત બે જ જાતો જાણવામાં આવી છે, એક છે ચિમ્પૅન્ઝી અને બીજી છે બોનોબો. સંલગ્નતા જતાવવા અને ગ્રૂપમાં ઊભું થયેલું ટૅન્શન ઓછું કરવા માટે આ બંને જાતો ચુંબન કરતી હોય છે. પરંતુ ફક્ત માનવો અને બોનોબો સંભોગ દરમ્યાન ગાઢ ચુંબન કરતા હોય છે.

ચુંબન કઈ રીતે ઉત્ક્રાંતિ પામ્યું તે વિષે વૈજ્ઞાનિકોમાં જાતજાતના ખ્યાલો પ્રવર્તે છે. ઘણા વૈજ્ઞાનિકોને ચુંબનનાં મૂળિયાં સસ્તન પ્રાણીઓના બચ્ચાંની માતાને ધાવવાની પ્રક્રિયામાં દેખાય છે. ઘણા પ્રાણીઓ ખોરાક ચાવીને પોતાના બચ્ચાના મોઢામાં મૂકે છે તેમાં ઘણાને ચુંબનના મૂળ દેખાય છે. વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ચુંબન દરમ્યાન બે વ્યક્તિઓના નાક એકબીજાની નજીક આવે છે જેના લીધે એકબીજાના શરીરમાંથી છૂટતા pheromones ની ગંધ પામી શકાય. આ એવા કેમિકલ છે જે આકર્ષણ, આસક્તિ, અનુરાગ અને વળગણ માટે કારણભૂત હોય છે.

ચુંબન dopamine, serotonin, endorphins જેવા ન્યુરોટ્રૅનિઝ્મટર્સ કહો કે ન્યુરોકેમીકલ્સ કહો એમાં વધારો કરે છે. Dopamine કામેચ્છાને નિયંત્રિત કરતું હોય છે જ્યારે serotonin અને endorphins એને ઉન્નત કરે છે. ચુંબન લોહીમાં oxytocin હૉર્મોન વધારે છે જે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને અનુરાગ વધારે છે, સાથે સાથે સ્ટ્રેસ હોર્મોન cortisol લેવલ ઘટાડે છે. આમ ચુંબન બ્લડ પ્રેશર ઓછું કરે છે અને એના લીધે અસ્વસ્થતા પણ ઘટે છે.

ચુંબન સહઅસ્તિત્વ ક્ષમતા ચકાસવામાં પણ કામ લાગે છે. એક સર્વે એવું જણાવે છે કે ૫૯ ટકા પુરુષો અને ૬૬ ટકા સ્ત્રીઓ ફક્ત એમના પાર્ટનર ચુંબન ખરાબ રીતે કરે છે માટે સંબંધ તોડી નાખવા માંગતા હતા.

પહેલા વિશ્વયુદ્ધ સુધી ખુદ ફ્રેંચ લોકો જિહ્વાસ્પર્શચુંબન(French kissing) શબ્દ વિષે જાણતા નહોતા. છે ણે મજાની વાત? અંગ્રેજ અને અમેરિકન સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ફ્રાન્સમાં લડેલા. ત્યારે આ ફ્રાંસ માટે વિદેશી એવા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોએ જોયું કે જીભ વડે જીભનો સ્પર્શ કરીને ચુંબન કરવા ફ્રેંચ લોકોમાં સામાન્ય છે, સહજ છે. એટલે તે લોકોએ આવા પ્રકારનાં ચુંબનને ફ્રેંચ કિસિંગ શબ્દ અર્પી દીધો. તો પછી ફ્રેંચ લોકો આવા ચુંબનને શું કહેતા હશે? ફ્રેંચ લોકો baiser amoureux (the kiss of love) or baiser avec la langue (kissing with the tongue) તરીકે ઓળખાતા હોય છે.

અભ્યાસ એવું જતાવે છે કે ચુંબન કામોદ્દીપક તરીકે પુરુષ કરતા સ્ત્રીમાં વધુ અસરકારક બનતું હોય છે. મતલબ એક સારું ચુંબન પુરુષ કરતા સ્ત્રીને વધુ વિહ્વળ બનાવી શકે છે. માટે સ્ત્રીઓ સંભોગ પહેલા, સંભોગ સમયે અને સંભોગ પછી ચુંબન વધુ ઇચ્છતી હોય છે. મનોવૈજ્ઞાનિકો કે સેકસોલોજિસ્ટ પાસે ચુંબન વિષયક ફરિયાદો સ્ત્રીઓ જ વધુ કરતી હોય છે. માટે ચુંબન સ્ત્રી માટે કેટલું અગત્યનું છે તે સમજી લો. એક સારું ચુંબન સ્ત્રીનો આખો દિવસ સુધારી શકે છે અને એક સારું ચુંબન પુરુષની આખી રાત સુધારી શકે છે.

ચુંબન આપણને પોતાના પ્રત્યે સભાન બનાવે છે. ખાસ તો તાજગીભર્યા શ્વાસોચ્છ્વાસ માટે ચુંબન તમને ખૂબ સભાન બનાવે છે. એના લીધે શ્વાસમાં દુર્ગંધ નાં મારે તે માટેના ઉપાયોની વસ્તુઓનું એક આખું બઝાર ઊભું થયેલું છે. જેવાકે breath mints, toothpaste, and dental floss વગેર વગેરે.

૧૦૪૧ પુખ્ત વયના લોકોને સારા ચુંબન વિષે પૂછતા જાણવા મળ્યું કે તાજગીભર્યા શ્વાસ, ચોખ્ખા દાંત સારા ચુંબન માટે પૂર્વપેક્ષિત છે. મોટાભાગના લોકોને પોચા અને થોડા ભીના હોઠ વધુ પસંદ હતા. સામા પાત્ર માટે લાગણી, ફિકર અને તમારી પ્રેમમાં દ્ગઢતા તમે ચુંબનમાં ચોક્કસ ઠાલવી શકો છો. છતાં સારા ચુંબનની શરૂઆત બંધ હોઠ વડે થાય છે તે હકીકત છે. આપણે બહુ સંસ્કારી પ્રજા છીએ માટે ભારતમાં ચુંબન ખૂબ ઉપેક્ષિત છે.

નાના બાળકો સિવાય કરાતા દરેક ચુમ્બનમાં આપણે સેક્સ કૉન્શ્યસ થઈ જતા હોઈએ છીએ. આપણે બંધ હોઠના હોઠ સાથેના ચુંબન ખાસ કરતા નથી. બહુ ખુશ થઈએ જોઈએ કોઈના પ્રત્યે તો ગાલ પર ચુંબન કરતા હોઈએ છીએ. જોકે બાળકોને પુષ્કળ ચૂમીઓ ભરીને વહાલ કરવાનું ભારતમાં સામાન્ય છે. દીકરીઓને કપાળમાં ચુંબન કરવાની રસમ અજાણતાં પળાતી હોય છે. પશ્ચિમના જગતમાં પતિપત્ની અને પોતાના સંતાનો દીકરી હોય કે દીકરો બંધ હોઠના હોઠ સાથેના ચુંબન કરવા સહજ છે. બાળકોને ગુડનાઈટ કિસ કરીને સુવાડાવવાનો પણ અહીં રિવાજ છે.

હા! તો મિત્રો આજથી કામ પર જતા પોત પોતાના જીવનસાથીને એક તસતસતું ચુંબન ચોટાડવાનું પાકું ને?

References:

Kirshenbaum. Sheril. The Science of Kissing: What Our Lips Tell Us. Grand Central Publishing, 2011.

Ryan, Christopher and Cacilda Jetha. Sex at Dawn: The Prehistoric Origins of Modern Sexuality. Harper-Collins, 2010.

Teifer, Lenore. “The Kiss: The Kinsey Institute 50th Anniversary Lecture,” Oct. 24, 1998.

ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

નિષિદ્ધ સંભોગ No Incest

નિષિદ્ધ સંભોગ

લગભગ દરેક ધર્મ હોય દેશ હોય કે જાતિ-પ્રજાતિ કે સમાજ હોય એમાં એક સામાન્ય નિયમ છે કે “Don’t have sex with first degree relatives.” ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ એટલે ૫૦ ટકા જિન્સ સરખાં હોય એવા વ્યક્તિઓ. આમાં માબાપ, સંતાનો, ભાઈબહેનો આવી જાય. મુસ્લિમોમાં પણ એક પેટે અવતરેલા ભાઈ બહેનો વચ્ચે સેક્સ નિષિદ્ધ છે. નોન-હ્યુમન એટલે પ્રાણીઓ પણ આવા અગમ્યગમન રોકવાની યોજના ઇવોલ્વ કરી ચૂક્યા હોય છે તેની સાબિતી વૈજ્ઞાનિકોને મળી ચૂકી છે. અરે વનસ્પતિ પણ anti-incest મીકેનીઝમ ધરાવતી હોય છે.

માનવજાત સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે આવા સંભોગ પ્રત્યે વિરોધનું મીકેનીઝમ ધરાવે છે( Miami psychologists Debra Lieberman and Adam Smith). થોડા અપવાદો બાદ કરતા ભાઈ બહેનો અને માતાપિતાના એમના સંતાનો સાથેના લગ્નો માનવ સંસ્કૃતિમાં હંમેશા નિંદાને પાત્ર રહ્યા છે. ક્યારેક પિતા અને દીકરીના અને ભાઈ બહેન વચ્ચેના સેક્સ સંબંધની વાત સાંભળી મોટાભાગના લોકો અપસેટ થઈ જતા હોય છે. Jonathan Haidt નામના મનોવૈજ્ઞાનિકે એક અભ્યાસ કરેલો. એક સ્ટોરી બનાવેલી કે એક ભાઈબહેન ગર્ભધારણ રોકી શકાય તેવા તમામ ઉપાયો કરીને સેક્સ કરે છે તો તમારું શું માનવું છે? ભલેને પ્રેગનન્સી રોકી શકાય તેવા ઉપાય કરેલા હોય પણ સર્વેમાં ભાગ લેનારા તમામે આવા સેક્સને ગેરવાજબી ગણાવેલો.

વંદા અને ચિમ્પાન્ઝી anti-incest મીકેનીઝમ ધરાવે છે તેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. શા માટે incest એવોઈડ કરવાનું મીકેનીઝમ કુદરત અને માનવમાં વિકસ્યું હશે? ઉત્તર સાવ સહેલો છે, કે નજીકના લોહીના સગા સાથે સમાગમ વડે જન્મ પામતા બાળકો સીરીયસ ખામીઓ લઈને પેદા થતા હોય છે. ચેકોસ્લોવાકિયામાં એક અભ્યાસ કરવામાં આવેલો. આમાં એવા બાળકો સામેલ કરાયેલા જેમના પિતા એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ હતા. બધા માબાપ ખૂબ હેલ્ધી હતા. ૪૨ ટકા બાળકો જન્મથી કોઈ ને કોઈ સીરીયસ ખામી લઈને પેદા થયા હતા. એમના ઘણા વહેલા મૃત્યુ પામેલા અને ૧૧ ટકા બાળકો માનસિક ક્ષતિગ્રસ્ત હતા. આવા ચાર અભ્યાસ થયેલા એમાં સરેરાશ ૪૦ ટકા બાળકો autosomal recessive disorders, congenital physical malformations, or severe intellectual deficits ધરાવતા હતા. અને ૧૪ ટકા બાળકો mild mental disabilities ધરાવતા હતા. સગા ભાઈ બહેન દ્વારા અને પિતા અને દીકરી દ્વારા પેદા થયેલા બાળકોમાં ૫૦ ટકા માનસિક ક્ષતિગ્રસ્ત હતા અને વહેલા મૃત્યુ પામેલા હતા.

ટૂંકમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ વચ્ચે સંભોગ એટલાં માટે દરેક સંસ્કૃતિમાં અક્ષમ્ય ગણવામાં આવેલો છે.

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

અમુક સંપ્રદાયોમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ ફરમાવેલી હોય છે. તામસિક ખોરાક ગણાય છે. લસણ ડુંગળી  ખાનારો તામસિક ગણાય. ખોરાક માત્ર ખોરાક હોય છે એમાં જાતજાતના ન્યુટ્રિશન હોય છે. ઘી દુધને સાત્વિક ખોરાક ગણવામાં આવે છે. અને ઘી જેવી જ સરખી ધરાવતું માંસ તામસિક ગણાય છે. લસણ ડુંગળી ખાધા પછી ખાસ તો મોઢામાંથી લસણ ડુંગળીની તીવ્ર વાસ આવતી હોય છે. કદાચ એના લીધે પણ મનાઈ ફરમાવેલી હોઈ શકે. બીજું એક માઈન્ડમાં કંડીશનિંગ થઈ જાય કે લસણ ડુંગળીની વાસ આવે તો ખરાબ ગણાય, બાકી કાયમ લસણ ડુંગળી ખાનારા કુટુંબમાં એની વાસ કોઈને ખરાબ લાગતી નથી.

માનવીના પરસેવાની ગંધમાં તેની જેન્ડર, જિનેટિક સુસંગતતા અને એની રીપ્રોડક્ટીવ અવસ્થા વિશેની અદ્ભુત માહિતી સંગ્રહાયેલી હોય છે. દરેક માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ માટે કારણભૂત જિન્સનું જૂથ માનવીની યુનિક ગંધ માટે પણ જવાબદાર હોય છે. આપણે અચેતનરૂપે શરીરની ગંધ શ્વાસમાં લઈએ છીએ અને તેના ઉત્પાદક પ્રત્યે આકર્ષાઈએ છીએ. શરીરની ગંધ પાછળ આમ સેકસુઅલ સિલેક્શન થિયરી જ કામ કરતી હોય છે. We sniff out the best mates. એરેન્જ મેરેજમાં આ લાભ જતો કરવો પડતો હોય છે.

આપણી નાસિકા નીચે આનાથી પણ વધુ રંધાતું હોય છે એવું સંશોધકો માનતા હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમને ધ્યાનમાં લઈને આપણે આપણાં લાઇફ પાર્ટનરની તંદુરસ્તીને નજરઅંદાઝ ના કરી શકીએ. એના પોષણયુક્ત ખોરાક લેવાની આદત વડે જાણી શકીએ કે એની તંદુરસ્તી કેવી હશે. સારી તંદુરસ્તી ઉત્તમ ફર્ટીલીટી અને મજબૂત  સ્ટેમિના દર્શાવે છે. પ્રાણી જગતમાં ઢગલો પુરાવા છે કે તંદુરસ્ત ખોરાક ખાવાવાળા સેક્સમાં વધુ ઊતરતા હોય છે. Meadow voles-એક જાતના ઉંદરમાં નર અને માદા એવા પાર્ટનરની ગંધ પસંદ કરે છે જે હાઈ પ્રોટીનયુક્ત ખોરાક ખાતા હોય છે. જે પ્રાણીઓને જે તે દિવસમાં ખોરાક ઉપલબ્ધ થતો નથી તે દિવસે એટ્રેક્ટીવ ગંધ ઓછી પેદા કરતા હોય છે. આ બધું જીવવિજ્ઞાનીઓ સંશોધનો બાદ કહેતા હોય છે.

તો પછી સ્ટ્રોંગ સ્મેલ મારતા હેલ્ધી ખોરાક લીધા પછી શું થતું હશે? જેવા કે લસણ…

સંશોધકોએ એક ગ્રૂપને ગાર્લિક ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ સ્લાઈસ એક અઠવાડિયા માટે રોજ ખાવાની સૂચના આપેલી. અને ત્યાર પછી બીજા અઠવાડીએ સાદી ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ ખવડાવેલી. આ સમયે દરેકે એક પેડ બગલમાં પહેરી રાખવાના હતા. પછી થોડી સ્ત્રીઓને પેલાં પેડ સૂંઘીને કઈ ગંધ એટ્રેક્ટીવ લાગી તે જણાવવાનું હતું. પુરુષો તો એના એજ હતા, પણ જ્યારે તે લોકો ગાર્લિક ચીઝ બ્રેડ ખાતા હતા તે સમયે બગલમાં પહેરેલા પેડની ગંધ સ્ત્રીઓને વધુ એટ્રેક્ટીવ અને સુખદાયી લાગેલી અને તે જ પુરુષોએ જે અઠવાડીએ સાદી ચીઝ લગાવેલી બ્રેડ ખાધેલી તે સમયના પહેરેલા પેડની ગંધ ઓછી એટ્રેક્ટીવ લાગેલી. આ પ્રાથમિક પરિણામો માનવામાં ના આવે તેવા હતા અને લસણનો ખાવામાં ઉપયોગ શરીરની ગંધ માટે હકારાત્મક છે તે માનવું પડે એવું  થયું.

વૈજ્ઞાનિકોનું માનવું થયું કે લસણ એના antioxidants વડે શરીરની ગંધ પર પ્રભાવી બને છે, જે ખરાબ ગંધ વિરુદ્ધ રક્ષણાત્મક બને છે અને બીજું લસણ એન્ટીબાયોટીક ગુણ પણ ધરાવે છે જે બગલમાં પેદા થતી ખરાબ ગંધ ઓછી કરે છે. બંને રીતે જોઈએ તો લસણનો ઉપયોગ અને તેના વડે પેદા થતી શરીરની ગંધ તમારા હેલ્ધી મેટાબોલીઝમની જાહેરાત કરે છે. ચાલો સીધી રીતે લસણ ખાવાથી મુખમાંથી આવતી ગંધ અપ્રિય લગતી હશે પણ તેના પેટમાં પચ્યા પછી અને લોહીમાં ભળ્યા પછી તેના વડે શરીરને પ્રાપ્ત થતી આડકતરી ગંધ અપ્રિય નહિ પણ ખુબ પ્રિય લાગે તેવી હોય છે, જે તમારી સારી તંદુરસ્તીની ચાડી ખાતી હોય છે. અને સારા તંદુરસ્ત લાઇફ પાર્ટનર કોને ના ગમે??

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.