મંદિર જોઈએ કે હોસ્પિટલ?

તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃

આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય.

હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ.

આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્રમાણે લોકશાહીમાં સરકારો તમને આપશે. પછી બુમો ના પાડતા કે હોસ્પિટલ્સ નથી, વેન્ટિલેટરવાળા કે વગરના બેડ નથી, શ્વાસ લેવા ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, સ્મશાનમાં જગ્યા નથી. સરકાર ચૂંટણીમાં મસ્ત છે, ચૂંટણીમાં જ મસ્ત રહે કારણ એ પણ તમારી ચોઈસ છે. સરકારને ખબર છે તમારે ચૂંટણીઓની મસ્તી જોઈએ છે, રેલીઓની મસ્તી જોઈએ છે, કુંભ અને ક્રિકેટની મસ્તી જોઈએ છે. તમે જે માંગશો એજ મળશે. :ભૂપેન્દ્રસિંહ રાઓલ, પીએ. યુએસએ.

3 thoughts on “મંદિર જોઈએ કે હોસ્પિટલ?”

  1. In India Hospitals/Medicines and Homes for girls/children as well people who died in uniform/no earning person there in situation Like Covid19 and its variants/Elderly homes with free food at temples and so on and for all those who are suffering due to lack of help and health needed from various Hindu temples be taken to support above here Hindu be given jobs and Hindu temple money used for Hindu people only as charity first begins at Home no hate for anyone or any religion.

    Like

Leave a comment