વિજ્ઞાનને ધર્મની શું જરૂર?
અંધશ્રદ્ધા અને શ્રદ્ઘા એકજ છે.
જીગ્નેશ દેસાઈ નામના મિત્રના કહેવા મુજબ થર્ડ યર બીએસસી ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુકના પાછલા મુખપૃષ્ઠ પર ગાંધીજી અને ટાગોરનો સંવાદ છપાયેલો છે કે ધર્મ વગર વિજ્ઞાન અંધ છે અને વિજ્ઞાન વગર ધર્મ પાંગળો. આ એક ધર્મને વિજ્ઞાનથી ઊંચો દેખાડવાની કાયમની પાંગળી દલીલ રહી છે. પછી વિજ્ઞાનને સારુ લગાડવા વિજ્ઞાન વગર ધર્મ પાંગળો છે એવી ચાપલૂશી કરવી પડે છે. મૂળ તો ગાંધી અને ટાગોર બંને ધાર્મિક હતાં વિજ્ઞાન એમનું ક્ષેત્ર જ નહોતું એટલે એવા મહાનુભવોના ડિસ્કશન થર્ડ યર બીએસસીની ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુક પાછળ છપાય જ નહિ. છાપ્યા એ બહુ મોટી ભૂલ કહેવાય સાયન્સના સ્ટુડન્ટ્સને ગેરમારગે દોરનારુ બને. ઇતિહાસના પ્રોફેસરને રીજર્વ બેન્કના ગવર્નર બનાવવા જેવું થાય પછી રીજર્વ બેન્ક ઇતિહાસ બની જાય.😃😃
વિજ્ઞાનને ધર્મની કોઈ જરૂર પડતી નથી. વિજ્ઞાનના નિયમો સર્વત્ર એક જ હોય છે. અમેરિકામાં ફિઝીક્સના નિયમ ભારતના ફિઝીક્સના નિયમથી જુદા ના હોય. હવે ધર્મો દરેક જગ્યાએ જુદા જુદા એમના નિયમ જુદા, માન્યતાઓ જુદી તો વિજ્ઞાનને તો એવા જુદા જુદા નિયમોના આધારની જરૂર જ ક્યાં પડે? વિજ્ઞાન પોતો પોતાનામાં નવી નવી શોધો વડે અપડેટ થતું રહેતું હોય છે એને કયા ધરમના નિયમની જરૂર પડે? એકેય નહિ. એને નમાઝ પઢવાની જરૂર ના પડે, કેન્ડલ સળગાવવાની જરૂર ના પડે, ના મંદિરમાં ઘંટડી વગાડવાની જરૂર પડે. એને ફક્ત સરસ લેબ જોઈએ. કોઈપણ ધર્મના એક પણ વિધીવિધાનની વિજ્ઞાનને જરૂર પડે નહિ. ધર્મ વગર વિજ્ઞાન અંધ છે જ નહિ. હા વિજ્ઞાન વગર ધર્મ જરૂર પાંગળો બની જાય છે. વિજ્ઞાનની અઢળક શોધો ધર્મગુરુઓ ધર્મના પ્રચાર માટે વાપરે છે એ હકીકત છે. આઝાન પોકારવા માઈક વાપરે છે, ધર્મગુરુઓ એમના પ્રચાર માટે માઈક વાપરે છે, ગાડીઓમાં ફરે છે, પ્લેનમાં ફરે છે. વિજ્ઞાનને ગાળો દેવા પણ વિજ્ઞાને શોધેલા માધ્યમો જ વાપરે છે. એટલે ધર્મ વિજ્ઞાન વગર પાંગળો છે જ. ધર્મ વગર વિજ્ઞાન અંધ કદાપી હતું નહિ, છે પણ નહિ, રહેવાનું પણ નથી.
અંધશ્રદ્ધા બહુ મોટી સમસ્યા છે એનું મારણ નિરીશ્વરવાદ, રેશનાલિજમ જ છે. સાચી શ્રદ્ધા કે શ્રદ્ધા બહુ મોટો ફેક શબ્દ છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે ખાલી થોડી ડિગ્રી્સ નો ફરક છે, અમિર ગરીબનો ફરક છે બાકી બધુ એકનું એક જ છે. ગરીબની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો અમિરની અંધશ્રદ્ધાને શ્રદ્ધા કહો છો. બીજા ધર્મની કે પંથની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો તમારા ધરમની પંથની અંધશ્રદ્ધાને તમે શ્રદ્ધા કહો છો આ બહુ મોટો દંભ છે. મુસલમાન બકરું વધેરે તમે અંધશ્રદ્ધા કહો છો, તમે નાળિયેર વધરો ચાર રસ્તે કોળાં વધેરો એને શ્રદ્ધા કહો છો. કોળુ વધેરનાર એને બકરુ વધેરનાર બંનેની બ્રેન સર્કિટ વધેરતી વખતે સરખીજ લપકારા મારે છે. તમે ય ચાર રસ્તે પહેલાં બકરુ જ વધેરતા હતા હવે જરા સુધરી ગયા છો એટલે કોળાં વધેરો છો.
શ્રદ્ધા થોપવામાં આવે છે. પરાપૂર્વથી ચાલે છે, સવાલ ના જોઈએ, કહીએ તેમ કરો. કુરાનમાં લખ્યું છે, ગીતામાં, બાયબલમાં લખ્યું છે માટે કરવું પડે કોઈ સવાલ ના જોઈએ. વિશ્વાસ કેળવવો પડે છે, લોંગ પ્રોસેસ છે. સવાલ પુછાય છે, સચોટ જવાબ આપવા પડે છે, ખાસ પ્રવૃત્તિ કરવી પડે છે પછી વિશ્વાસનું બોન્ડિંગ થાય છે. બાળકને ભૂખ લાગે છે, માતા તરત ધવડાવે છે, એને તૃપ્ત કરે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે પ્રેમ અને વિશ્વાસનું જનક એ ન્યુરોકેમિકલ સોશિઅલ ફેવિકોલ બોન્ડિંગ પેદા કરે છે. પિતા બાળકને ખભે બેસાડી ફેરવે છે, સાયકલ શીખવે છે, તરતાં શીખવે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે વિશ્વાસ પેદા થાય છે. તમારી શ્રદ્ધા કે અંધશ્રદ્ધામાં કોઈ લોંગ પ્રોસેસ છે જ નહિ કોઈ ન્યુરોકેમિકલ બોન્ડિંગ પેદા કરતાં નથી, બસ પુસ્તકમાં લખ્યું છે માની લો, ગુરુજીએ કહ્યું છે માની લો, પરાપૂર્વથી ચાલે છે માની લો, નો અપિલ નો દલીલ. તમારી શ્રદ્ઘા અંધશ્રદ્ધા એક જ છે. એટલે અંધશ્રદ્ધાનું મારણ વૈજ્ઞાનિક અભિગમ રેશનાલિજમ છે પોકળ શ્રદ્ધા નહિ.
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિન્ગટન, પીએ, યુએસએ.
” વિજ્ઞાનની અઢળક શોધો ધર્મગુરુઓ ધર્મના પ્રચાર માટે વાપરે છે એ હકીકત છે. આઝાન પોકારવા માઈક વાપરે છે, ધર્મગુરુઓ એમના પ્રચાર માટે માઈક વાપરે છે, ગાડીઓમાં ફરે છે, પ્લેનમાં ફરે છે. વિજ્ઞાનને ગાળો દેવા પણ વિજ્ઞાને શોધેલા માધ્યમો જ વાપરે છે. એટલે ધર્મ વિજ્ઞાન વગર પાંગળો છે જ. ધર્મ વગર વિજ્ઞાન અંધ કદાપી હતું નહિ, છે પણ નહિ, રહેવાનું પણ નથી.”
LikeLiked by 1 person
Rationality or Rationalism is the PROCESS of making decisions by the use of Reason. That process is the use of brain, common sense and proven facts. It is always consistent, never self contradictory.
Rationalism is not believing in something simply because someone has said it so. It is a method of properly using your own thinking capacity to arrive at consistent conclusions.
Faith (blind or lame or whatever you wish to call it) is deep and inconsistent belief without any logical reason to support it. It keeps varying with the speaker or the preacher.
Please apply the above principles and decide for yourself whether you like science or religion, or both, or neither of them.
—Subodh Shah
LikeLiked by 1 person