૧૯૪૭ હાથમાં દોરી લોટો.. : લે. ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનીયા.
૨૦૧૦માં સીટીઝન માટેની લેવાતી મૌખિક/લેખિત પરિક્ષા આપવા ગયો ત્યારે ત્યાં બેઠેલી શ્વેત મહિલા પરીક્ષકે પૂછ્યું કે અમેરિકામાં વસાહતીઓ કેમ આવેલા તેનું એક કારણ આપો. કુલ દસ સવાલો અમેરિકન ઈતિહાસ અને નાગરીકશાસ્ત્ર વિષે પૂછે એમાંથી છ સાચા પડવા જોઈએ. પહેલા છ સાચા પડી જય તો સાતમો સવાલ પૂછે પણ નહિ. મેં જવાબ આપ્યો કોઈ પણ ધર્મ પાળવાની છૂટ મળે માટે. તો કહે સાચું હવે બીજો સવાલ.
અમેરિકન નાગરિકોને બંધારણ દ્વારા મળતા કોઈ બે હક વિષે જણાવો.
મેં કહ્યું એક તો ફ્રીડમ ઓફ સ્પીચ અને બીજો કોઈ પણ ધર્મ પાળવાની છૂટ.
પેલી મહિલા કહે બે સવાલોના એક જ જવાબ તે આપ્યા કોઈ પણ ધર્મ પાળવાની છૂટ. હું કન્ફયુઝ થઈ ગઈ છું મારે કમ્પ્યુટરમાં ચેક કરવું પડશે. મેં કહ્યું કરો હું સાચો છું.
કમ્પ્યુટરમાં જોઈ કહે તું સાચો છે.
અમેરિકામાં યુરોપથી ખાસ તો બ્રિટનથી વસાહતીઓ એટલા માટે આવેલા કે કોઈપણ ધર્મ પાળવાની છૂટ મળે. બ્રિટનમાં રાજાએ પ્રોટેસ્ટંટ ધર્મ અપનાવી પ્રજાને ફરજ પાડવા માંડેલી એના વિરુદ્ધમાં રોમન કેથોલિક નવા શોધાયેલા અમેરિકામાં ઘૂસવા માંડ્યા હતા. અને અમેરિકા સ્વતંત્ર થયા પછી બંધારણ દ્વારા મૂળભૂત અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ. હથિયાર રાખવાનો હક પણ બંધારણ દ્વારા મળેલો છે.
અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જ્યોર્જ વોશિંગ્ટનની ભૂમિકા મહત્વની હતી. તમને ખબર નહિ હોય એની પાસે લગભગ ૧૫૦ ચોરસ કિલોમીટર જમીન હતી. આટલામાં તો ભારતનું એક રજવાડું ઉભું થઈ જાય. ૧૫૦ ચોરસ કિલોમીટરમાં જેટલા ગામડા હોય તે બધા એના હતા. એમાં રહેતા લોકો એના ખેતરોમાં કામ કરતા. અમેરિકન પ્રજાએ એકવાર તો એને રાજા બનાવવાની ઓફર પણ કરેલી. તે સમયે રાજાશાહી બધે ચાલતી જ હતી, પણ એમણે ના પાડી અને લોકશાહી સ્થાપી પહેલા પ્રમુખ બન્યા. સત્તા મળે પછી નેતાઓની સચ્ચાઈ બહાર આવી જતી હોય છે. ખાલી કપડાંની વાત કરીએ તો આપણા સાદગીનો અવતાર ગણાતા નેતાઓ સત્તા મળતા કરોડો રૂપિયા કપડાં પાછળ વાપરતા થઈ જતાં હોય છે. સાદગી હવાઈ જતી હોય છે. આપણે રાષ્ટ્રપિતા તરીકે ફક્ત ગાંધીજીને ક્રેડીટ આપી દીધી એમાં ખોટું નથી પણ અમેરિકન ફરક જુઓ એ લોકોએ કોઈ એકને બદલે ફાઉન્ડર ફાધર્સ કહીને વોશિંગ્ટન સાથે જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન, અલેક્ઝાન્ડર હેમિલ્ટન, જોહન જય(જય નામ અમેરિકનો પણ રાખતા હોય છે), થોમસ જેફરસન અને જેમ્સ મેડીસન બધાને ક્રેડીટ આપી. આ બધાએ ભેગા મળી નક્કી કરેલું કે અમેરિકાની પ્રગતિ ઇચ્છવી હોય તો કોઈપણ ધર્મોની દખલ રાજકીય વહીવટમાં ના જોઈએ, અને કાયદા બધા માટે સમાન. આજે ફક્ત ૨૫૦ વર્ષ જુનો દેશ નંબર વન મહાસત્તા અમસ્તો નથી બની ગયો. ધર્મના અફીણ પીને તમે કદી પ્રગતિ કરી શકો નહિ. અફીણ પીડાશામક હોય છે. પીડા તો ચાલુ જ હોય છે ફક્ત એના સંદેશા ચેતાતંત્ર દ્વારા મસ્તિષ્કને મળતા નથી એટલે રાહત લાગતી હોય છે. પ્રગતિ, વિકાસ બહુ મહેનત માંગી લે તેવું કામ હોય છે, જે પીડાદાયી હોય છે. શરીરની પીડા હોય કે સમાજની પીડા, છોડ પરથી મેળવેલું કે ધર્મનું અફીણ પીડાના સંદેશા મૂળ જગ્યાએ પહોચવા દેતું નથી એટલે તત્કાલીન રાહત લાગે પણ રોગના મૂળ સુધી પહોચાય નહિ. ધર્મને તમારે શયનકક્ષ સુધી સીમિત રાખવો જોઈએ, દીવાનખંડમાં પણ લવાય નહિ અને રસ્તા ઉપર તો કદાપિ ના લવાય.
આટલી લાંબી પ્રસ્તાવના એટલા માટે કરી કે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઝીરો જીડીપી સાથે એની પાસે કોઈ સ્ટ્રક્ચર હતું નહિ. ના સારી સ્કૂલો, કોલેજો, યુનિવર્સીટીઓ, વૈજ્ઞાનિક રીસર્ચ સંસ્થાઓ કશું નહોતું. લગભગ ઝીરોથી શરુ કરવાનું હતું. આપણે નથી કહેતા અમુક ભાઈ દોરી લોટો લઈને આવેલા આજે કરોડપતિ છે? આ મહાવરો એટલે પડેલો કે પાસે કશું ના હોય પણ માણસ પરદેશ જાય, બહારગામ જાય તો રસ્તામાં આવતા કુવામાંથી પાણી પીવા દોરી લોટો જરૂર રાખે. એટલે ફક્ત દોરી લોટો લઈને આવેલો માણસ મહેનત કરી કરોડો કમાય ત્યારે લોકો આવો મહાવરો એના માટે વાપરતા હોય છે. એક જમાનાના સોનેકી ચીડિયા ભારત પાસે આજે ફક્ત દોરી લોટો હતો, વધારામાં ભારતના ભાગલાને કારણે લાખોની હત્યાઓ થયેલી એની પીડા અસહ્ય હતી.
આઝાદ ભારતના હાથમાં ફક્ત દોરી લોટો હતો અને પ્રજા ખૂબ ધાર્મિક અને જાતજાતની અંધશ્રધ્ધાઓમાં ફસાયેલી હતી, હજુ ય એનું એજ છે. બીજી તકલીફ એ હતી કે અમેરિકાની જેમ ભારતના જ્યોર્જ વોશિંગ્ટન ગાંધીજી કાર્યરત હતા નહિ. જ્યોર્જ વોશિંગ્ટન આઝાદીની લડાઈ લડી બેસી ના ગયા સક્રિય રીતે બેવાર પ્રમુખ બની આજીવન પ્રમુખ બનવાની તથા કિંગ બનવાની ઓફર ઠુકરાવી પછી રીટાયર થયેલા. અમેરિકાને ફાયદો એ હતો કે તેની આઝાદીના તમામ મુખ્ય લડવૈયા હજુ કાર્યરત હતા. સરદાર બીમાર હતા, બહુ લાંબુ ખેચે તેવા નહોતા. એમને ખરેખર અતિશય દુષ્કર એવું રજવાડા ભેગા કરવાનું કામ સોપાયું હતું. હજુ ભારતનું પોતાનું બંધારણ પણ ઘડવાનું બાકી હતું. બ્રિટનમાં ટ્રીનીટી કૉલેજ કેમ્બ્રિજમાં ભણેલા બેરિસ્ટર બનેલા નહેરુ બહુ અભ્યાસુ હતા. તે જાણતા હતા ધર્મના અફીણની અસરો, માટે દેશને ધર્મનિરપેક્ષ રાખેલો. બંધારણ ઘડવા સભ્યોની કમિટી બનાવી તેના આંબેડકરને નીમી મહત્વનું કામ શરુ કરેલું. સરદારને અન્યાય અન્યાયની બૂમો પાડનારને ખબર નથી કે સ્વતંત્ર ભારતની પહેલી ચુંટણી લડવા સરદાર જીવિત રહ્યા નહોતા. ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦મા સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ૧૯૫૨મા પહેલી ચુંટણી થઈ, પણ સરદાર તો ૧૯૫૦નાં ડીસેમ્બરમાં અવસાન પામેલા. સરદાર વડાંપ્રધાન બન્યા હોત તો પણ નહેરુ સત્તરને બદલે ચૌદ વર્ષ વડાપ્રધાન રહેવાના જ હતા.
બીજી મહત્વની વાત એ કે હાલ નહેરુ ગાંધી ફેમીલી વિષે વિષાક્ત, ધરાર જુઠ ફેલાવવામાં આવે છે કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને અંધ, બોઘા, બુદ્ધિ વગરના, વિચારવાની બારીઓ સદાય વાખેલી હોય તેવા અભાન, ભણેલા અભણ ઘેટા એણે સાચું માની લે ત્યારે ખૂબ હસવું આવે. હિંદુ ધરામાં કોઈ મુસ્લિમ હિંદુ બનીને આવે તેવી કોઈ શક્યા છે જ નહિ. હિંદુ ધર્મ વન વે જેવો છે. એમાંથી બહાર જવાય પણ બહારથી અંદર અવાય નહિ. મુસ્લિમ ધર્મમાં તમે કોઈ પણ ધર્મના હોવ વટલાઈને જઈ શકો છો. હિંદુ ધર્મમાં એવી કોઈ સગવડ નથી, નહીતો મહંમદઅલી જિન્નાહના દાદા જે ઠક્કર હતા અને વૈષ્ણવ હતા તે મુસ્લિમ બન્યા જ ના હોત. એમણે ફક્ત માછલીઓનો વેપાર કરેલો તો પણ નાતબહાર મૂકીને પરત નાતમાં લેવાયા નહિ એટલે તેઓ મુસ્લિમ બનેલા. એવા હજારો દાખલા હશે કે મોતના ભયે કે બીજા કોઇપણ કારણે મુસ્લિમ બનેલા મૂળ હિન્દુઓને ફરી હિંદુ બનવા સખત મનાઈ ફરમાવાયેલી. આં સીધું સાદું ગણિત છે કે હિન્દુમાંથી મુસ્લિમ બની શકો પણ મુસ્લિમમાંથી તમે કદાપિ ફરી હિંદુ બની શકો નહિ તો તો અને તો નહેરુ ગાંધીના પૂર્વજો મુસ્લિમમાંથી હિંદુ તરીકે ઘૂસ્યા કઈ રીતે? કાશ્મીરના શેખ અબ્દુલા અને ફારુખ અબ્દુલના પૂર્વજો હિંદુ હતા પછી મુસ્લિમ બનેલા તે હકીકત છે.
ડૉ હોમી જહાંગીર ભાભા નામના પારસી અણુવૈજ્ઞાનિકને નહેરુ જહાજમાં મળી ગયેલા. તેમણે ભારત ખેંચી લાવી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર શરુ કરાવનાર નહેરુ હતા. ડૉ વિક્રમ સારાભાઈને લઇ ઈસરો સ્થાપનાર નહેરુ હતા. ભાખરા નાંગલ જેવા ભવ્ય બંધો આઈ.ઈ.ટી. જેવી કૉલેજો સ્થાપનાર નહેરુ હતા. ખેર આપણે નહેરુના કામ ગણાવવા નથી. પણ નહેરુ એક વિઝનરી નેતા હતા. પણ આખરે માનવી હતા તેમની ભૂલો પણ થઈ હશે. વગર ગુગલીંગ કરે નહેરુએ જેલમાં બેઠા બેઠા ડીસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું જે ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે ખૂબ જ પ્રમાણભૂત છે. એના પરથી ભારત એક ખોજ નામની એક ટીવી સીરીઝ પણ બનેલી જે ખૂબ લોકપ્રિય બનેલી. એમણે વર્લ્ડ હિસ્ટ્રી ઉપર પણ એક સરસ પુસ્તક લખેલું. દોમ દોમ સાહ્યબી છોડીને ઓલમોસ્ટ નવ વર્ષ જેલમાં રહેલાં નહેરુની સરખામણી આજના કોઈ નેતા જોડે થાય જ નહિ. આજે વિવેકાનંદ અને દયાનંદને સમકાલીન ઠરાવી દેનારા, થીમૈયા અને કરિઅપ્પાનાં ઇતિહાસની કઢી કરી નાખનારા સામાન્ય જ્ઞાનની સામાન્ય પરીક્ષામાં નાપાસ થાય એવા તુચ્છ નેતાઓ સતત નહેરુને ભાંડી એક રીતે સારું કામ કરી રહ્યા છે કે નહેરુના કામની નવી પેઢીને ખબર નહોતી તે ઉજાગર થયા. કારણ જૂઠને પગ હોતા નથી તે ક્યારેક તો ગબડવાનું જ છે.
દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની ઈમારત સાવ ધરાશાયી થઈ ગઈ હતી ત્યારે હાથમાં ફક્ત દોરી લોટો લઈને ફરીથી એને ભવ્ય રીતે ચણવા કેટલાક મરજીવા નીકળેલા એમાંના એક નહેરુ પણ હતા એક સરદાર પણ હતા.
હસતા રહો —- અમારાં ગામનો એક મુફલીસ મંગો મને એકવાર અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં મળી ગયો. હું ત્યારે જમાલપુર શાકમાર્કેટમાં ટ્રક લઈને શાકના જથ્થાબંધ વેપારીનું શાકભાજી ભરવા જતો. બાજુમાં જગન્નાથ મંદિર એટલે આ પરસાદીયા ભગત માલપુવાનો પ્રસાદ ખાવા પહોંચી જતાં, ત્યાં આ મંગો ભવ્ય દાઢીમાં ભગવા કપડામાં ભટકાણો. મને કહે બાપુ મૈને સબ મોહમાયા સંસાર સબ છોડ દિયા. મેં એના કાનમાં એક ગાળ દઈને કહ્યું ડો___ તારી જોડે હતું શું? કયા બંગલા મહેલ છોડ્યા તે? એક છાપરીમાં પડી રહેતો ને મજૂરી કરતો હતો. હવે અહિ શાંતિ, માલપુવા મફતમાં તોડવા મળશે અને બોલવાની આવડત હશે તો મોટો ગુરુ ય બની જઈશ. હસતા હસતા મને કહે બાપુ ચૂપ રહો મેરી પોલ યહાં મત ખોલો.
Today people compare Savarkarji and Gandhiji but they forgot these two personalities had different perspective but same goal of freedom of india..
LikeLike
Right Sir.
LikeLiked by 1 person
“ડૉ હોમી જહાંગીર ભાભા નામના પારસી અણુવૈજ્ઞાનિકને નહેરુ જહાજમાં મળી ગયેલા. તેમણે ભારત ખેંચી લાવી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર શરુ કરાવનાર નહેરુ હતા. ડૉ વિક્રમ સારાભાઈને લઇ ઈસરો સ્થાપનાર નહેરુ હતા. ભાખરા નાંગલ જેવા ભવ્ય બંધો આઈ.ઈ.ટી. જેવી કૉલેજો સ્થાપનાર નહેરુ હતા. ખેર આપણે નહેરુના કામ ગણાવવા નથી. પણ નહેરુ એક વિઝનરી નેતા હતા. પણ આખરે માનવી હતા તેમની ભૂલો પણ થઈ હશે. વગર ગુગલીંગ કરે નહેરુએ જેલમાં બેઠા બેઠા ડીસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું જે ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે ખૂબ જ પ્રમાણભૂત છે. ”
સાચી વાત.
LikeLike
આજની ભારત વર્ષની પરીસ્થિતી ને અનુલક્ષીને ખુબજ સરસ રીતે વાત ને વર્ણવેલી છે, જો ભારતનો દરેક નાગરીક પોતાના ઇતિહાસ ના પાના ફંફોળે તો એને એના દેશ વિશે જાણ થાય અને આ મિથ્યા રાજકારણીયો થી દેશ ને ફરી આઝાદ કરાવી શકે.
LikeLiked by 2 people
મોટા ભાગે હાલના સોસિયલ મિડિયામાં મોદી તથા હિન્દુત્વને મોટો ચિતરવા માટે નહેરુ તથા અન્યોની લીટી નાની કરવાની સ્પર્ધા ચાલી રહી છે. શા માટે આ લોકો પોતાના સારા કાર્યો દ્વારા પોતાની લીટી મોટી નથી કરતા દુખ એ વાતનુ છે કે દેશના વડાપ્રધાન પણ નહેરુ અને ઇન્દીરાની પીપુડી જ વગાડ્યા કરે છે. એમની કરતા સારા કામ કરીને પોતાની પીપુડી જોરથી નથી વગાડતા.. અને આમા થાય છે એવુુ કે સમજદાર વ્યક્તિઓ તરત જ ઇતિહાસની સચ્ચાઇ સાથે આજના નેતાઓની સરખામણી કરે છે… પણ એ સમયની પરિસ્થિતિને સામે નથી રાખી શકતા.. આજની પરિસ્થિતિએ એ સમયની સરખામણી કરે છે.. આજના યુવાનને એટલુ જ દેખાય છે કે પુલ બનાવવા એકાદ વર્ષ કે બે વર્ષ જોઇએ…જે આજની ટેક્નોલોઝીના કારણે શક્ય છે પણ એ સમયે 1950ના દાયકામાં પુલ બનાવવુ કેટલુ અઘરુ હશે તે તેમની કલ્પના બહારનુ છે. સોસિયલ મિડિયાનો ભરપુર દુર ઉપોયગ થઇ રહ્યો છે ત્યારે તમારી જેવા તટસ્થ લખનારને લીધે સચ્ચાઇ જાણી શકાય છે. બાકી તો મોટા મોટા લેખકો પણ મોદી ભક્તિના રવાડે ચડેલા છે….
LikeLiked by 1 person
I fully agree with the view expressed in this post.Nehru was a visionery.He made India out of nothing.What he got in heritage was almost nothing.In thise days it was not so easy to achieve what we get at our finger tips.So evaluation must be on the achievments keeping in view the circumstances and situation under which it was achueved.
LikeLike
Still I regret that the speed of growth should have in Nehru Gandhi era was not enough as compared to other countries became independent in same era…..tustukaran to htu j…
LikeLike
ફરી અમદાવાદ જાઓ તો ્માલપુવાનું એક પેકેટ મારા માટે ખાસ લેતા આવજો. એ સ્વાદ જ ભુલાઈ ગયો છે !
LikeLike