સપ્પન્ની સાતી (૫૬ની છાતી)

સપ્પન્ની સાતી (૫૬ની છાતી) Isaac-Nesser-interview1

‘હમણાં ૫૬ ઈંચની છાતી વિષે બહુ ચગ્યું છે.’ વિષ્ણુભાઈ અમારી સમિત પોઈન્ટની ગપાટા મંડળીમાં આવતાવેંત બોલ્યા. આમ તો હાલ લગભગ માઈનસમાં તાપમાનનો પારો ગગડી ગયો છે એટલે ગપાટા મંડળી બહુ ઓછી ભરાય છે. પણ થોડું ચાલવું અને વિટામીન ડી માટે તડકી ખાવી પણ જરૂરી હોય છે.

વિષ્ણુભાઈ બોલ્યા એના જવાબમાં વિદ્વાન વિનુકાકા કહે, ‘માઈક ટાયસન જેવા બહાદુરની છાતી ૪૩ હતી. હોલીવુડના મશહૂર તારલા અને કેલિફોર્નીયાના માજી ગવર્નર અર્નોલ્ડ સાહેબની છાતી ૫૭ ઇંચ હતી. તો ડૉ ઇસ્સાક નાસિરની છાતી ૭૩ ઇંચ છે. પણ આ બધાં કસરતબાજો છે. જ્યારે એવરેજ પુરુષની છાતી ૩૨-૩૬ હોય તો બહુ થઇ ગયું.’

વિષ્ણુભાઈ એમની મૅહાંણી તળપદીમાં કહે, ‘સરેરાશ બૈરૉની સાતી ય સપ્પન્ની ઑતી નહિ, તાણઅ આ મોદી ચમ દિયોર સપ્પન્ની સાતી સપ્પન્ની સાતી બોલ્યા કરસઅ, અમારા પટેલીયૉના ઢેકા પોલીસવાળો જોડે ભગાઈ નૉસ્યા ન અવ દિયોર ઑન્તકવાદી રોજ ઉમલો કરીસી તાણ ચમ કૉય પગલાં લેતો નહીં, ન પાકીસ્તૉન જઈ શરીફની માનઅ પગે લાગવા ઉન્ધો પડી જાયસઅ. ચૉ જઈ સપ્પન્ની સાતી?

હહાહાહાહાહા વિનુભાઈ અને હું જોરથી હસી પડ્યા. પણ વિષ્ણુભાઈને આજે શૂર ચઢ્યું હતું. વિષ્ણુભાઈ મહેસાણી પટેલ હતા તો વિનુકાકા ચરોતરના પટેલ હતા. અહિ અમારે પટેલોની બહુમતી છે. આખાબોલો પટેલ દિલનો ભોળો ને ભલો હોય છે તેવું મારું અંગત માનવું છે. ગુજરાતમાં હાર્દિક પટેલનું આંદોલન થયું ત્યારના વિષ્ણુભાઈ નરેનબાબુ ઉપર બહુ ગરમ હોય છે, પણ એમના મનમાં જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દેતા હોય છે.

chest-main_Fullવિષ્ણુભાઈ આગળ વદ્યા, ‘અલ્યા રાઓલભાઈ હાચું કે જો, તમે મારી તમાકુ ખાતા હોય ક મું તમારી બીડી પીતો હઉ ક આપણા બે ઘર વચે વાટકીવેવાર હોય અનઅ આપણા સોકરાં લડી એકબીજાન મારી તો કોય આપણઅ બે જણા લડવાના સિયે? નહિ લડવાના. આપણા બે વચાળે લાગણીના સંબંધ હોય તો આપણે નહિ લડવાના. ભૈબંધી આડઅ આઈ જ જાય. રોજ ભેગા બેહી ન ભજિયૉ ખાતા હૈયે તો નહિ લડવાના. પણ રોજ તમારા સોકરાં મારા સોકરૉન મારી જતા હોય ન મારઅ તમારી જોડ બાજવુ હોય તો પેલ્લું તો મારઅ તમારી બીડી પીવાનું બંદ કરવું પડઅ, ભેગા બેહીન ભજીયૉ ઝાપટવાનું બંદ કરવું પડઅ. પસી લડી હકાય. આટલી સીધીસટ વાત સઅ.’

મેં કહ્યું સાચી વાત છે પણ હું ક્યા બીડી પીવું છું કે તમાકુ ખાઉં છું? મેં હસતા હસતા પૂછ્યું.

‘અલ્યા ભઈ મું તો એક દાખલો આલું સુ.’ વિષ્ણુભાઈ પણ હસી પડ્યા. હસતા હસતા આગળ કહે, ‘રોજ હાડીઓ આલી હોય ન લીધી હોય તો હેનું બાઝવાનું મન થાય? મું તો ઈને શાલ આલી અનઅ હાડી લીધી તાણનો હમજી જ્યો તો આ ભઈ પાકિસ્તાન હૉમું કોય પગલૉ લેવાનો નહિ. ગમે એટલા ઑન્તકવાદી ઉમલા કરસી આ સૈનિકો ન નાગરીકો મરસી આ ભઈલો હહડવાનો નહિ. સપ્પન્ની સાતી હાતની(૭) કરીનઅ બેહી જવાનો સ..

વિનુકાકા કહે, ‘સાચી વાત છે, લાગણીના સંબંધ બંધાય ત્યાં લડી ના શકો. પણ આ વેપારી છે. એને એના ભૈબંધોનો વેપાર વધે એમાં રસ છે. બીજું દુનિયામાં સારા કહેવડાવવા આપણા નેતાઓ જીતેલા યુદ્ધ ટેબલ પર આજ સુધી હાર્યા છે. પાકિસ્તાનમાં નેતાઓનું કશું ચાલતું નથી ત્યાં ખરું રાજ મિલિટરી જનરલો કરે છે. મહાસત્તાઓના દબાણને લીધે એમને થોડો સમય શરીફ જેવા પ્યાદાંને વડાપ્રધાન બનાવવા પડે છે પણ ખરું રાજ એમનું ચાલતું હોય છે. તમે શરીફ આગળ ગમે તેટલા શરીફ થાઓ એનું કશું ચાલતું જ ના હોય તો શું કામનું? આ લોકો કુરતા-પાયજામાં પહેરાવી પાક લશ્કરના માણસોને ભારતમાં ધકેલી નિર્દોષ નાગરિકોને મરાવે પણ ભારતીય સૈન્ય સામે ખરું વોર થાય તરત હથિયાર હેઠા. એ વખતે એમની ફાટી જાય છે. પછી મહાસત્તાઓને વચમાં રાખી તરત સમાધાન ઉપર આવી જતા હોય છે ત્યાં આપણા નેતાઓ માર ખાય છે. આપણા સૈનિકો યુદ્ધના મેદાનમાં લોહી વહાવે છે, નેતાઓ તે લોહીનું કરારના ટેબલ પર પાણી કરી મુકે છે.’

વિષ્ણુભાઈ કહે, ‘શાબાશ વિનુભઈ હાચી વાત કરી. પણ રાઓલભઈ આ સપ્પ્નની સાતીનું કાંક રહસ્ય મનઅ લાગસઅ, તમે જૉણતા હોય તો ક્યો.

મેં કહ્યું, ‘આપણે મર્દાનગી બતાવવી હોય તો છત્રીસની છાતી એમ કહીએ છીએ. છપ્પનની છાતી પાછળ બહુ મોટું દુઃખ, હાડમારી અને સ્ટ્રગલ રહેલી છે. ભારતમાં ૧૮૯૬માં ખુબ ઓછો વરસાદ પડેલો. તે વર્ષ અલ નીનો વર્ષ હતું. ૯૭-૯૮મા એની પૂર્તિ થાય ત્યાં પાછું અલ નીનો વર્ષ ૧૮૯૯ આવ્યું. અલ નીનો એટલે મહાસાગરોમાં એવી ઈફેક્ટ પેદા થાય એના લીધે ભારતીય ઉપમહાખંડમાં વરસાદ બહુ જ ઓછો પડે. ૧૮૯૭માં આગ્રા, અવધ બંગાળ અને મધ્ય ભારતમાં ત્રણલાખ ચોરસ માઈલમાં રહેતી પ્રજાને દુષ્કાળની ભયંકર અસર થઈ. તો ૧૯૦૦માં મુંબઈ પ્રેસિડેન્સી, મધ્યભારત, રાજસ્થાન ગુજરાત ઝપટમાં આવી ગયા. લગભગ એક કરોડ લોકોને એની અસર થયેલી. લાખો લોકો ભૂખે મરી ગયેલા. સોનું આપો તો સામે મૂઠી જાર કે બાજરી નો મળે તેવું થઈ ગયેલું. લાખો લોકો મરણશરણ થઈ ગયેલા. માણસ માણસને ખાય તેવી કારમી પરિસ્થિતિ ઊભી થયેલી. આ બધું બનેલું ત્યારે વિક્રમ સંવત ૧૯૫૬નું વરસ ચાલતું હતું માટે છપ્પનીયો દુષ્કાળ કે કાળ પડેલો એમ કહેવાય છે. ત્યાર પછીના વર્ષે વરસાદ વધારે પડ્યો તો કૉલેરા, મલેરિયા, પ્લેગ જેવી મહામારીઓ ફેલાણી એમાં બીજા હજારો મરી ગયા. હવે આવા કપરા, દારુણ કાળમાં હદ બહારની પીડા, મહાદુઃખ વેઠી જે જીવી ગયો તે છપ્પનીયો કહેવાતો કે ભાઈ મજબૂત કહેવાય. છપ્પનની છાતી મતલબ ઈંચમાં નહિ પણ છપ્પનનો દુષ્કાળ ખમી ચૂકેલો મર્દ માણસ. ખરેખર છાતીની દ્રષ્ટીએ મર્દ માણસ માટે છત્રીસની છાતી જેવો મહાવરો છે. છપ્પનની છાતી તો સ્પેશલ કસરત-મહેનત કરીને બનાવેલ પહેલવાનો અને કસરતબાજોની જ હોય સરેરાશ માનવીની હોય નહિ.’

‘લ્યૉ તાણ મોદી વરી ચ્યાં સપ્પ્નીયા કાળમાં જન્મેલા સ..અ.. એતો આઝાદી પસી પેદા થ્યા સી. મારી દાદી સપ્પનીયા કાળની વાતો કરતાં, તાણ ઈમની ઉંમરેય બૌ નૉની અતી.’ વિષ્ણુભાઈ બોલ્યા.

વિનુકાકા કહે મોદીએ કોઈનાં સ્ટેટમેન્ટનાં જવાબમાં છપ્પનની છાતી જેવું કશું કહેલું, મતલબ એવો થાય કે છપ્પનના દુષ્કાળ જેવા લોકોના દુઃખ જોયા હોય જાતે વેઠ્યા હોય તે બીજાના અનુભવી શકે ને દૂર પણ કરી શકે. હવે મોદીએ કયા અર્થમાં કહેલું તે મોદી જાણે.

વિષ્ણુભાઈ પાછા ઉકળ્યા, ‘ દિયોર એ હું જૉણઅ, ડંફાસો મારવામૉથી ઊંચો નહિ આવતો. આ દિયોર પઠૉણકોટમાં મૉય ઘરમાં પેહી જઈ ન મારી જ્યાં, આપણા લશ્કરના મૉણહો બિચારા અમથા અમથા કુટઈ જૉયસી. દીયોડો ન પૂરી ખબરેય ઑ   ય  નઇ, કી સી ઓપરેશન ઓવર. તંબુરો ઓવર અમણૉ મારા મૂઢાની કૉક હૉભળસે. દિયોર ગૃહ પ્રધૉન સ ક પટાવાળો? બદલો લેવો જોઈ અ ક નૈ?

મેં કહ્યું, ‘બદલો લઈએ એ વાત જુદી છે. પઠાણકોટ ટ્રેજેડી સરકાર અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતાનું પરિણામ. સુરક્ષા એજન્સીઓનો એકબીજા સાથે કોઈ તાલમેલ જણાતો નથી કે નથી સરકારનો એમના ઉપર કોઈ કાબૂ. ૪૮ કલાક પહેલા ખબર હતી કે આતંકવાદીઓ આવી ચુક્યા છે ને ખુલેઆમ ફરી રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષા પોલીસ અને ગૃહપ્રધાનની ફરજ છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાઈએ એમની નિષ્ફળતા કબૂલી જો એક છાંટો શરમ બચી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. શું કહો છો?

વિનુભાઈ કહે, ‘સાચી વાત છે. મારો પોઈન્ટ એ છે કે પહેલા તો ઘુસ્યા એજ આપણી નિષ્ફળતા. પોલીસ અધિકારીનું અપહરણ બીજી નિષ્ફળતા. એણે સમાચાર આપ્યા પછી તમામ તંત્રો ઊંઘતા રહ્યા. ૪૮ કલાક પછી હુમલો. ટૂંકમાં પોતાની જૉબ કોઈ સરખું કરતુ જ નથી. તમામ જવાબદાર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપર કડક પગલા લેવા જોઈએ. એમને જૉબ પરથી કાઢી મુકવા જોઈએ. એ તમામને સો કોલ્ડ મર્ડરર ઓફ આર્મી ઓફિસર્સ ગણી કેસ ચલાવવો જોઈએ તે પહેલા ગૃહ પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.’

મેં કહ્યું, ‘દેશની સુરક્ષા એજન્સીઓ અને ગૃહ પ્રધાનની નિષ્ફળતાને હાથે હણાયેલા દેશના વીર જવાનોને એમની કમોત શહીદી બદલ આદરાંજલિ આપી છુટા પડીએ.’

વિષ્ણુભાઈ પાછા બગડ્યા, ‘દિયોર આ બધાં પરધૉનૉ ન અંજલી હૉમટી આલી દેવા જેવી સ.

તાપમાન ધીમે ધીમે ગગડતું જતું હતું શૂન્ય થી નીચે એક-બે-ત્રણ. રાત્રે તો શૂન્યથી નીચે ૧૫ થવાનું હતું. મેં કહ્યું હવે ભાગીએ ઘેર કાલે વેધર સારું હશે તો મળીશું કહી બધા છુટા પડ્યા.            pathankot

9 thoughts on “સપ્પન્ની સાતી (૫૬ની છાતી)”

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    મારા વિદ્વાન અને પ્રસિધ્ધ મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ કે જેને હું ડો. બાપુ તરીકે સંબોધું છું એમનો આ લેખ વારંવાર વાંચવા જેવો અને મજાનો છે. બસ મિત્રો મારા ધર્મક્ષેત્ર જેવા બ્લોગમાંથી હળવે રહીને કુરૂક્ષેત્રમાં પ્રવેશો અને માણો મજા.

    Like

  2. કોઈ કોમેન્ટ નથી કરવી…..બસ રીબ્લોગ કરીને મારા બ્લોગમાં ચીપકાડી દીધો છે.

    Like

  3. “છપ્પન ઈંચની છાતી” પ્રયોગનો ખુલાસો કરવા બદલ આભાર. ન.મો. વિષે હું બહુ જાણતો
    નથી.

    Like

  4. 56 ni chhati Modi jeva ne anookool chhe kem ke Modi ye aamli ane ina chichoda joya chhe. Temaj, ye j ek evi vyakti chhe jene khooli chhati ye duniya ne dhore divase sapnaa jotaa kari didhaa chhe……

    Rahi vaat Pathankot ane security ni…. it is in system. Aaj soodhi mote bhaag ni bhaartiy system ma loko ye kaam kariyu j nathi….. aa enu j result chhe….

    Like

  5. Gruh pradhan pote kahta hata ke Pathankot par humlo thashe eni khabar hati, pan kyan thashe e khabar nahati!!!AATLI MAHITI PACHHI PAN AATLA NANA PATHANKOTNA BADHA VYUHATMAK STHANO PROTECT NA KARI SHAKAY???!!!..AAPNI POLAM POL NI AKHI
    DUNIYA NE KHABAR PADI GAI..!

    Like

  6. I would like to invite you for visit my blog
    inspiredbyinfant.wordpress.com
    Please come and share your experience.

    Like

Leave a reply to PM PATEL USA Cancel reply