બાજીરાવ મસ્તાની

બાજીરાવ પહેલાં,bajirao-peshwa-in-pune

એટલે શિવાજીના વારસદાર મરાઠા છત્રપતિ શાહુ મહારાજના પેશ્વા (પંત પ્રધાન). એમના પિતા બાલાજી વિશ્વનાથનાં હાથે તાલીમ પામેલા, પિતાના મૃત્યુ પછી ફક્ત ૨૦ વર્ષની ઉંમરે પેશ્વા બન્યા. દુશ્મનને અંદાઝ ના હોય એટલી ચીલ ઝડપે ઓચિંતો હુમલો કરનાર ૧૯ વર્ષની કારકિર્દીમાં ૪૧ યુદ્ધ લડનાર અને તમામ જીતનાર ૩૯ વર્ષની યુવાન વયે તાવમાં મૃત્યુ ના પામ્યા હોત તો દિલ્હીના તખ્ત પર વિરાજમાન હોત એમાં કોઈ શક નહિ. મધ્ય ભારતના નામાંકિત બુંદેલખંડનાં મહારાજા છાત્રશાલને મોગલો સામેના યુદ્ધમાં મદદ કરનાર બાજીરાવ પર મહારાજા છત્રશાલ ઓવારી જાય એમાં કોઈ નવાઈ નહિ. બાજીરાવને એમણે ઝાંસી, સાગર અને કાલ્પીની જાગીર સાથે ૩૩લાખ સોનાના સિક્કા અને એક હીરાની ખાણ સાથે એમની પર્શિયન મુસ્લિમ પત્ની વડે થયેલી મસ્તાની નામની દીકરી સાથે લગ્ન પણ કરાવી આપેલા. મસ્તાની પોતે સારી ઘોડેસવાર, ભાલા અને તલવાર ચલાવવામાં ઘણી કાબેલ હતી. યુદ્ધમાં તે બાજીરાવ સાથે કંપની આપતી તેવું પણ કહેવાય છે. આ લગ્ન રૂઢીચુસ્ત ચિતપાવન બ્રાહ્મણ કુંટુંબના બાજીરાવના માતા, ભાઈ અને એમની પ્રથમ પત્ની કાશીને મંજુર નહોતા. મસ્તાની બાજીરાવના સત્તાવાર નિવાસસ્થાન શનિવારવાડામાં થોડો સમય રહેલી પછી એના માટે બાજીરાવે મસ્તાની મહેલ બનાવેલો. મસ્તાની બાજીરાવના કોર્ટ કચેરીના કામોમાં પણ સહભાગી થતી અને એક્ટિવ ભાગ ભજવતી.

બાજીરાવ મસ્તાનીનો પુત્ર શમશેર બહાદુર બાજીરાવના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષનો હતો પાછળથી તે બાંદાની જાગીર સંભાળતો અને મરાઠાઓના પક્ષે ૧૭૬૧મા અહમદશાહ અબ્દાલી સામેની પાણીપતની લડાઈમાં લડેલો અને મૃત્યુ પામેલો. શમશેર બહાદુર(કૃષ્ણરાવ)નો વારસદાર અલી બહાદુર(કૃષ્ણસિંહ) બાંદાના નવાબ કાયમ મરાઠા તરફે રહેલા, અને એમનો પૌત્ર શમશેર બહાદુર બીજો ૧૮૦૩મા એંગ્લો-મરાઠા વોર સમયે મરાઠા પક્ષે અંગ્રેજો સામે લડેલો.  બાંદાના આ નવાબોએ હમેશાં મરાઠાઓ ને યુદ્ધોમાં સાથ આપેલો. એપ્રિલ ૧૭૪૦મા બાજીરાવ ઓચિંતા તાવમાં પટકાયા અને મૃત્યુ પામ્યા ત્યારે કાશીબાઈ, ભાઈ ચીમનાજી, પુત્ર બાલાજી સાથે મસ્તાની પણ આવેલી. મસ્તાની પછી બહુ લાંબું જીવી નહોતી પણ એના મૃત્યુ વિષે જાત જાતની કથાઓ છે. એક કથા પ્રમાણે સતી થયેલી તો કોઈ કહે છે ઝેર ખાઈને જીવન ટૂંકાવેલું. પણ તેના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષના એના પુત્ર શમશેર બહાદુરને કાશીબાઈએ પોતાના પુત્રની જેમ ઉછેરેલો તેવું કહેવાય છે. બાજીરાવના હાલના વારસદાર ઉદયસિંહ પેશ્વા સાથે બાજીરાવ-મસ્તાનીના હાલના વારસદારો ઓવૈસ બહાદુર નવાબ સાહેબ, નવાબ ઝુલ્ફીકાર બહાદુર IV, શાહીન બહાદુર, નવાબ ઉસ્માન બહાદુર (નવમી પેઢી), આ બધા એક યાં બીજા કારણોસર બાજીરાવ-મસ્તાની ફિલ્મના નિર્માતા, દીર્ગદર્શક અને સંગીતકાર એવા સંજયલીલા ભણશાળી થી નારાજ છે.

ખેર હવે ફિલ્મની વાત કરું તો ઐતિહાસિક દ્રષ્ટીએ સંજયલીલા ભણશાલીએ થોડા નજીવા ફેરફાર સિવાય કોઈ ખાસ ફેરફાર કર્યો હોય એવું લાગતું નથી. મસ્તાની નૃત્ય કલામાં માહેર હતી તેના કરતા વોરિયર વધુ હતી. એનું અડધું લોહી તો હિંદુ હતું પણ રૂઢીચુસ્ત બાજીરાવના કુટુંબ તરફથી અવહેલના સાથે તકલીફો પણ પામેલી તે અહિ બરોબર બતાવ્યું છે. રાજપૂત રાજાઓ તો અનેક પત્નીઓ રાખવા ટેવાયેલા હતા તેમ એમની પત્નીઓ પણ પતિની અનેક પત્નીઓ હોય એમાં ખાસ વાંધો નો લેતી. ઉલટાની રાજા નવી પત્ની લઈ ને ઘરમાં આવે ત્યારે જૂની પત્ની જ એને પોંખી ઘરમાં આવકાર આપતી. પણ આ બાજીરાવ તો મરાઠી ચિતપાવન બ્રાહ્મણ હતાં. અહીં પત્નીઓ આવી રીતે ટેવાયેલી ના હોય કે બ્રાહ્મણ સમાજ પણ ટેવાયેલો ના હોય એમાંય મસ્તાનીનું અડધું લોહી મુસ્લિમ હતું. બાજીરાવના ટૂંકા જીવનકાળમાં યુદ્ધોમાં અતિશય વ્યસ્ત રહેવું, લગભગ દર છ મહીને એક યુદ્ધ એવા ૪૧ યુદ્ધની કથા તો અહિ ત્રણ કલાકમાં એક આખી વોર ફિલ્મ બનાવીએ તો પણ બતાવી નો શકાય. સંજયલીલા ભણશાલીએ કોઈ વોર ફિલ્મ નહિ લવસ્ટોરી બનાવી છે. છતાંય આ પ્રેમકહાનીને ઘડનારા યુદ્ધને બરોબર બતાવ્યું છે.

એક મહત્વની બીજી બાબત સંજયલીલા એ યુદ્ધ સમયે બતાવી છે તેના માટે હું એમને ખાસ દાદ આપવા માંગુ છું. નવી પેઢીને જુના સમયે યુદ્ધમાં વપરાતાં શસ્ત્રો વિષે ખાસ માહિતી હોય નહિ તે સ્વાભાવિક છે. એમને ખાલી તલવાર, તીર કે ભાલા વિષે માહિતી હોય. તલવાર ટૂંકી અને એની બ્લેડ કડક હોય છે. સરખી વાપરતાં નો આવડે તો તલવારના બે ટુકડા પણ થઈ જાય. અહિ ફિલ્મમાં બાજીરાવ બનેલા રણવીરસિંહનાં હાથમાં સંજયે પટાબાજીમાં વપરાતો પટો બતાવ્યો છે. પટો તલવાર કરતાં બહુ લાંબો હોય છે. બીજું એની બ્લેડ તદ્દન વળી જાય તેવી ફ્લેક્સીબલ હોય છે. એની મૂઠ તલવાર કરતા અલગ હોય છે પણ લાંબા પટાની અણી એની મૂઠને વાળીને અડાડી શકો પણ બટકાય નહિ. તલવારબાજી કરતાં પટાબાજી કરવામાં બહુ વધારે કાબેલિયત જોઈએ. આવડત નો હોય તો પટો તમને પોતાને જ કાપી નાખે. પટો બહુ લાંબો હોવાથી દુશ્મન ખાસો દૂર હોય તો પણ એને ચીરી શકાય છે.તલવાર અને પટો

ફિલ્મમાં રણવીરસિંહ અદભુત કૌશલ્યથી પટો ફેરવતો બતાવ્યો છે. તો બીજા યુદ્ધમાં તો બંને હાથે બે પટા હાથમાં લઈને પટાબાજી કરતો બતાવ્યો છે તે અદ્ભુત હતું. તલવાર કરતા દસગણું જીવલેણ આ હથિયાર વાપરતા નો આવડે તો પોતાને જ મારી નાખે. અહિ હોલીવુડની નકલ કરવાની કોઈ ગુંજાશ જ નહોતી. અહિ તો હોલીવુડે આ ભારતીય મરાઠા યોદ્ધાની પટાબાજીની નકલ કરવી પડશે. બંને યુદ્ધોમાં રણવીરસિંહ પટાબાજી કરે છે હું માનું છું દુનિયાના તમામ ફિલ્મી યુદ્ધ દ્રશ્યોમાં યુનિક છે. જ્યારે આપણો ફિલ્મ ઉદ્યોગ કાયમ હોલીવુડની નકલ કરવા વર્ષોથી ટેવાયેલો હોય ત્યારે ખાસ ક્રેડીટ ગોઝ ટુ સંજયલીલા ભણશાળી.

રણવીરસિંહ, બન્દેમે દમ તો પહેલેસએ હી બહોત થા. ફક્ત ૨૦ વર્ષની યુવાન વયે પેશ્વા બની બીજા ૧૯ વર્ષમાં ૪૧ યુદ્ધ લડી જીતી ૩૯ વર્ષે મૃત્યુ પામવું એટલે આવા ડેશિંગ પાત્ર માટે પચાસ પચાસ વર્ષ વટાવી ચુકેલી ખાન ત્રિપુટીની વરણી તો નકામી જ હતી. બીજું ત્રણે ય ખાનની એક સ્પેશલ ઈમેજ ઉભી થઇ ગઈ છે. એમાં તે બાજીરાવ ને બદલે વધારે સલમાન, શાહરૂખ કે આમીર લાગે. રણવીર હજુ નવો છે અને ભલે ઘણીબધી ફિલ્મો આવી હશે એની, પણ સફળ ફિલ્મોમાં આ એની બીજી ફિલ્મ છે. પ્રિયંકા, દીપિકા જેવી સક્ષમ અભિનેત્રીઓએ સૌ સૌના પાત્ર બરોબર નિભાવ્યા જ છે.

હવે હિન્દી ફિલમ હોય એટલે નાચગાન તો રહેવાના જ. એમાં કાઈ બહુ વાંધો કાઢવા જેવું છે નહિ. ભવ્યાતિભવ્ય સેટ માટે તો સંજયલીલાને કશું કહેવું જ નો પડે. અસલ શનિવાર વાડો કે મસ્તાની મહેલ પણ આટલો ભવ્ય નહિ હોય.

બાજીરાવ એક વોર હીરો મુખ્ય હતા, અને વીર યોદ્ધાનાં ચરણોમાં સૌંદર્ય ઢળી ના પડે તો તે વીર શાનો? વીરો એક જ સ્ત્રીના મોહપાશમાં બંધાયેલા રહે તે માન્યતા જ ખોટી છે અને એ માન્યતા ખોટી હોવામાં એમના પ્રેમમાં પડી જતી અનેક સ્ત્રીઓનો બહુ મોટો હાથ છે. રણમેદાનમાં ઘોડા પર મારમાર કરતી સબોસબ તલવાર વિંઝતી રૂપાળી રમણી જોઈ કયો વીર પુરુષ એના પર મોહિત ના થાય? સૌંદર્ય અને વીરતા હમેશાં એકબીજાના પ્રેમમાં પડી જતાં હોય છે. સૌંદર્ય વીરતાની કમજોરી છે તો વીરતા સૌંદર્યની.

બાજીરાવે દખ્ખણમાં નિઝામ, ઉત્તરમાં મુઘલો સાથે માળવા, ગુજરાત, રાજસ્થાન બધા સર કર્યા હતા અને અનેક રાજાઓ સાથે સંધિઓ કરી ચોથ ઉઘરાવી લેવાના કરાર કર્યા હતા. બાજીરાવ એકલા યોદ્ધા નહોતા કુશળ રાજકર્તા અને મિત્ર રાજાઓ સાથે સારા સંબંધ રાખનાર અણીના સમયે મદદ કરનાર પણ હતા. યુદ્ધમાં હિંસા તો કરવી પડતી હોય છે, પણ ચંઘેઝ, તૈમુર, નાદિર અને હિટલર જેવા અનેક શાસકો ક્રૂર હત્યારા સાબિત થયા છે જ્યારે સિકંદર, નેપોલિયન અને બાજીરાવ જેવા વીરોને હજુ ય લોકો યાદ કરે છે. બાજીરાવની જેમ ગુરુ ગોવિંદસિંહ પણ વીર યોદ્ધા હતાં. એમના ટોટલ ચાલીસ વર્ષના જીવનકાળમાં ૨૦ વર્ષ કારકિર્દીના ગણીએ તો તેઓ પણ ૨૦ મોટા બેટલ લડેલા. સરેરાશ દર વર્ષે એક યુદ્ધ. બાજીરાવ દર છ મહીને એક યુદ્ધ લડેલા. બંનેનો જીવનકાળ આશરે ફક્ત ૪૦ વર્ષનો. મને લાગે છે યુદ્ધનો અતિશય સ્ટ્રેસ એમના ઓછા આયુષ્ય માટે કારણભૂત હોઈ શકે. જો કે ગુરુ ગોવિંદસિંહ ઉપર તો બે પઠાનોએ જીવલેણ હુમલો તેઓ આરામ કરતા હતા ને કરેલો. બાબુ મોશાય જીંદગી લંબી નહિ બડી હોની ચાહીએ. બાજીરાવ લાંબું જીવ્યા હોત તો અંગ્રેજોનો ગજ કદાચ વાગ્યો ના હોત. બાજીરાવે પોર્ટુગીઝોને પણ ભગાડેલા.

એક દૂરંદેશી સફળતમ યોદ્ધાનો જીવનકાળ ટૂંકો રહ્યો તે ભારત માટે અને ભારતની પ્રજા માટે બહુ મોટી કમનસીબી હતી, અને આ વિચાર સાથે બાજીરાવના મૃત્યુના દ્રશ્યો ફિલ્મમાં જોતા મારું હૃદય દ્રવી ઉઠેલું. તો ફિલ્મ પૂરી થઈ જાય અને ઘણીવાર તો પૂરી પણ ના થઈ હોય ને લોકો ઊભા થઈને ભાગવા માંડતા હોય છે. અહિ ફિલ્મ પૂરી થઈ ગઈ હતી પણ આખું થિયેટર સ્તબ્ધ હતું કોઈ ઉભું થવાનું નામ નહોતું લેતું જાણે હજુ કશું બાકી છે સંજયલીલા ભણશાળી હજુ વધુ બતાવો. આપણે યુદ્ધ પ્રિય પ્રજા નથી બાકી હું સંજયલીલાને કહેત કે બાજીરાવ ઉપર એક ટોટલ વોર મુવી બનાવો અને દુનિયાનાં ફિલ્મ ઉદ્યોગ પર છવાઈ જાઓ તમારામાં એ ક્ષમતા છે. છેવટે સખત કોમવાદમાં અને નબળા રાષ્ટ્રવાદમાં જીવતી પ્રજાની કમનસીબી પર ભારતના અજેય યોદ્ધા બાજીરાવના અકાલ મોતનાં દ્રશ્યો જોતા આંખો ભીની હતી અને હું સૌ પ્રથમ ઊભો થયો થિયેટર બહાર જવા માટે.baji-rao-video-647_121015095832

 

 

22 thoughts on “બાજીરાવ મસ્તાની”

  1. બાપુ…બાપુ….

    વધારે કાંઈ કહેવાની લાયકાત કે આવડત નથી.

    Like

  2. Very very factual and balanced review…..Proper tribute to Bajeerao and Sanjay Bhansali. 

    | | | “When the Last Tree Is Cut Down, the Last Fish Eaten,and the Last Stream Poisoned,You Will Realize That You Cannot Eat Money.” |

    |

    |

    From: કુરુક્ષેત્ર To: yhbhatt@yahoo.com Sent: Sunday, December 27, 2015 7:53 AM Subject: [New post] બાજીરાવ મસ્તાની #yiv2842347327 a:hover {color:red;}#yiv2842347327 a {text-decoration:none;color:#0088cc;}#yiv2842347327 a.yiv2842347327primaryactionlink:link, #yiv2842347327 a.yiv2842347327primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2842347327 a.yiv2842347327primaryactionlink:hover, #yiv2842347327 a.yiv2842347327primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2842347327 WordPress.com | Bhupendrasinh Raol posted: “બાજીરાવ પહેલાં,એટલે શિવાજીના વારસદાર મરાઠા છત્રપતિ શાહુ મહારાજના પેશ્વા (પંત પ્રધાન). એમના પિતા બાલાજી વિશ્વનાથનાં હાથે તાલીમ પામેલા, પિતાના મૃત્યુ પછી ફક્ત ૨૦ વર્ષની ઉંમરે પેશ્વા બન્યા. દુશ્મનને અંદાઝ ના હોય એટલી ચીલ ઝડપે ઓચિંતો હુમલો કરનાર ૧૯ વર્ષની ક” | |

    Like

  3. બાપુ…..બાપુ……

    આ પોષ્ટ વિષે વધારે કાંઈ કહેવા જેવી આવડત કે લાયકાત નથી.

    Like

  4. બાજીરાવ ઍક કુશળયોદ્ધા તો હતોજ અન યુવાન પણ હતો ઍટલેજ મસ્તાની ની પ્રથમ દ્રાસ્ટિેઍજ દિલ ડાઇ બેઠો. મસ્તાની ઍ ઍનો જીવ બચાવેલો ઍ વાત બંનેના પ્રેમ પ્રકરણ માટે ખાસ હતી. મસ્તાની ની માતા મહારાજ ચ્છત્રશાલ ની બ્યાહતા પત્ની ના હતી. અને આ વાત સૅંજા લીલા ભણુશાળી ઍ બરાબર બતાવી છે.

    બાજીરાવ ના મૃત્ય સમય ની ઍનિ વેદના ઍક ખુબજ સરસ સંવાદ મા કહેવામા આવી છે અન આ સંવાદ ઍટલો ટૂંકો છે ક લોકોના ધ્યાનમા પણ નથી આવતો. અમે આટલાં યુદ્ધો લદ્યાં અન જીત્યાં પરંતુ પરિવાર યુદ્ધ મા હારી ગયા. આ સંવાદ બોલતી વખતે રણવીર સિંહે જી દર્દ પોતાના ચહેરા પર બતાવ્યું છે ઍનો જોતો જડે નહીં.

    ગયા અઠવાડિયે ટોરોઁટો થી પ્રકાશિત થતા ગુજરાત ન્યૂજ઼ લાઈન પેપર મા મસ્તાની વિષે મારો લેખ છ્પાયો હતો. ગુજરાત ન્યૂજ઼ લાઈન ડોટ કૉમ પર વાંચી શકો છો.

    બ્રાહ્મણો અન કાશીબાઈ ના ખુબજ વિરોધ ના કારણે મસ્તાની ની શનિવારવાડા થી દૂર કોથરૂદમા બાજીરાવે મસ્તાની માટે નવો મહેલ બનવેલોઽઅ મહેલ મા મસ્જીદ ની સાથે મંદિર પણ હતું. મસ્તાની ની કબર (સમાધી) આજે પણ ત્યાં છે જેની દેખરેખ ઈનામદાર નામક વ્યક્તિ કરે છે. આજ ઈનામદાર નુ નામ પિક્ચર ના ટાઇટલ્સ મા પણ બતાવાયું છે.

    બજીરાવ ના હાલના વંશજો નો વાંધો કાશીબાઈને માતાની જોડે નૃત્ય કરતાં બતાવી ઍ વિષે હતો.

    ફિરોજ ખાન
    ટોરોઁટો, કેનેડા.

    Like

  5. Adbhut varnan film baad ni lagnio nu ane balanced ane dhardaar itihaas ni vaat.. Aapni shbdo ni pasandagi ane vaat ne marmik rite samjav vano andaaz khub gamyo..
    Vadhu ne vadhu lakhta raho..
    Yup SLB & Ranveer rocked..!

    Like

  6. ઘણા વખતે એક સારી ફીલમ માટે સારો અને well balanced કહી શકાય તેવો રીવ્યુ વાંચ્યો. લોકો ૫-૧૦ ડોલર કે ૨૦૦-૫0૦ રૂપિયા ખર્ચીને મનોરંજન માણવા ફીલમ જોવા જાય છે. હવે જો તેણે સંપુર્ણ વાસ્તવિકજ જોવું હોય તો તેની આજુબાજુંમાંજ નજર નાંખે, ગરીબી, ભુખમરો, અમીરી, ગુંડાગીરી, કુટુંબ કલેશ, પેમલાપેમલી, રાજકિય કાવાદાવા…. આવું બધુંજ પૈસા ખરચ્યા વગર જોવા મળશે, હવે મનોરંજન માટે જ જોવા જવું અને પાણીમાં પોરા કાઢવા એવી ઘણાની ટેવ હોય છે.

    સરસ લેખ છે. હવે તો ફીલમ જોવા જવું પડશે….૬ કે ૮ ડોલર લાગશે, રીવ્યુ સારો છે એટલે તમારી પાસે નહીં માંગું….

    Like

      1. Saras explanation,pan mane ek prashna che j jyare history wanchati tyarthi j che aje apane puchawanu man thayu!k ape ek jagyaye warnawyu che k “viro ek j strina mohpashma bandhayela rahe a manyata j khoty che” to Great Marayada pursotam Ram vir j hata ane kshatriya pan hata to km Rajputo or viro a follow na kari sake !!!?Baki Ram thi mota vir to nathi j bija koi j aj sudhi history ma thai gaya.

        Like

        1. રામ અપવાદ હતાં.. અપવાદ બતાવે છે કે નીયમ સાચો છે. રાજપૂતો કોઈને ફોલો ના કરે. હાહાહાહા

          Like

  7. Raol Saheb.. me a film kalej joi. Khub Saras film.. Pan maru manvu chhe ke film na ant ma Nana Saheb peshva and Bajirao ni mata je khel mande chhe e kadach reality ma atlo krur nai hoy.. (Me itihas vanchyo nathi khali guess karu chhu). Karan ke Nanasaheb peshva pan history ma ek saru patra chhe.

    Bharat ma rudhi vadi parampara na name ava to ghana bajirao agad na avi sakya.. Mastani ne koi bhav natu aptu etle bajirao khud ene vadhu bhav apta evu lagyu like spring action ane ema Rudhivadi mata and kutumbi jano etlaj javabdar chhe kashi ne anyay mate.

    Like

    1. આ નાના સાહેબ એટલે બાલાજી બાજીરાવ અને એમણે મસતાનીને કેદ કરેલી એકવાર બાજીરાવ ની ગેરહાજરીમાં. અને નાના સાહેબ પેશવા ૧૮૫૭ના બળવા વખતે અંગરેજો સામે લડેલા તે અંતિમ પેશવા હતાં

      Like

  8. ખુબ જ સરસ રીવ્યુ. મુવી જોતી વખતે એક કવિતા રંગીન પરદા પર જોતા હોઈએ એવી લાગણી થઇ આવી. અને મુવી નો એન્ડ તો ખરેખર સ્પીચલેસ કરી નાખનારો હતો.

    Like

  9. Irony e chhe ke Bhrahmano nu aa deshma uchch adhyatmik world best philosophy aapvama jetlu pradan chhe,etlu j pradan vastvik samaj ne khoti rudhio ane prathao ma jakadi rakhava ma, ne ene karne deshni rajkiya padti ma pan chhe.
    Veer yoddha Bajirao ne aa aantarik sangharsh j mari nakhe chhe.

    Like

  10. બાપુ ફિલ્મ તો જોઇ પણ તમે જે નોલેજ અહીં આપ્યુ એમા મજા આવી ગયી…

    Like

Leave a comment