ભારતની દીકરી જોખમમાં

ભારતની દીકરી જોખમમાં230px-Tizian_094

લેસ્લી ઉડવીન, ૧૯૫૭મા ઇઝરાયલમાં જન્મેલી યહૂદી બાઈ. Eldorado નામના ટીવી શોમાં અભિનય કરતી કરતી ફિલ્મ મેકર બની ગઈ. India’s Daughter નામની ડોક્યુમેન્ટરી બનાવીને ભારતમાં વિવાદાસ્પદ બની ગઈ છે. નિર્ભયારૅપ તરીકે પંકાઈ ગયેલા કાંડ ઉપર એણે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજાએ કાગારોળ મચાવી દીધી. એ પ્રજા ભૂલી ગઈ કે આજના આધુનિક શહેરોમાં રહેતી ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ક્યાં સેફ છે? હજુ સ્ત્રીઓની દશા એવી જ છે. દિલ્હી જેવા મહાનગરમાં રોજ બળાત્કાર થાય છે. રોજ એક જ્યોતિ બલાત્કાર સહન કરીને એની બોલવાની જ્યોત બુઝાવતી હોય છે. હરામીઓએ એક જ્યોતિના તો બસમાં આંતરડા પણ બહાર કાઢી નાખ્યા. સાલું આ લાંબું લાંબું હાથમાં શું આવ્યું? આંતરડા જ હોવા જોઈએ. જગજાહેર બીબીસી પર કહેતા શરમ પણ નો આવી? લાખો લોકોની વિચારસરણી એક રૅપીસ્ટ, એક બળાત્કારી જેવી છે તે ઉજાગર થઈ ગયું. અને તે આખી દુનિયા જાણી જાય તો આબરૂ જાય.

‘આ આબરૂ જાય’ માનસિકતાએ લાખો છોકરીઓ બચપણથી બળાત્કાર સહન કરવાની ટેવ પાડી દેતી હોય છે. તમને ખબર નહિ હોય કાયદેસર સૌથી ઓછા બળાત્કાર ભારતમાં નોંધાયા છે. એકલી સ્ત્રીઓ નહિ પણ પુરુષો ઉપર પણ બળાત્કાર થતા હોય છે. ખાલી અમેરિકામાં ૨૦૦૮માં આશરે ૪૦,૦૦૦ પુરુષો ઉપર અને ૧૬૪૦૦૦ સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયા છે એવું કહેવાય છે. ફ્રાન્સમાં ૨૦૧૨માં ૭૫,૦૦૦ રૅપ કેસ નોંધાયેલા. ટૂંકમાં યુરોપના દેશમાં કેસ વધુ નોંધાય તે સ્વાભાવિક છે કે જ્યાં વર્જિનિટીનું બહુ મહત્વ હોય નહિ. જે દેશોમાં વર્જિનિટીનું મહત્વ અતિશય હોય ત્યાં રૅપ થયા પછી સ્ત્રીઓ ઉપર બહુ મોટું જોખમ હોય છે. સંબંધીઓ દ્વારા જ મારી નખાય તેવું બને. ભારતમાં શરમના માર્યા અને આબરૂ જવાની બીકે કેસ નોંધાતા નહિ હોય તે વાત જુદી છે. Date rape, gang rape, marital rape, incestual rape, child sexual abuse, prison rape, acquaintance rape, war rape and statutory rape વગેરે વગેરે રૅપની કૅટેગરી છે. રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં રૂપાંતર થયું એની પાછળ ઉમરાવ પત્ની Lucretia ઉપર થયેલો રૅપ કારણભૂત હતો. Lucretia એ પછી આત્મહત્યા કરેલી.

રૅપ એકલાં ભારતમાં જ થાય છે તેવું તો હોય નહિ. આખી દુનિયામાં રૅપ થતા જ હોય છે. હવે એક ભારતમાં બનેલા રૅપ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી જોઈ આખી દુનિયામાં ભારતની આબરૂ જશે, આખી દુનિયાના લોકો ફિટકાર વરસાવશે તેવું માની લેવું વધુ પડતું છે. કારણ દરેક દેશમાં રૅપ થતા જ હોય છે. એક રૅપીસ્ટનો ઈન્ટરવ્યું જોઈ ભારતના તમામ યુવાનો આવા જ હશે તેવું માની લે તેવા બાકીની દુનિયાના લોકો મૂરખ તો હોય નહિ. પણ લેસ્લી ઉડવીન અને BBC એ બનાવેલી ડોક્યુમેન્ટરીનો વિરોધ કરવા આવા બધા બહાના ભારતની મૂરખ-દંભી પ્રજા દ્વારા અને મીડિયા દ્વારા કરવામાં આવે છે. વિરોધનું મૂળ કારણ ભારતની આબરૂ જાય છે અને આબરૂની ચિંતા સૌથી વધુ આપણને હોય છે.

એક રૅપ આખા રોમન કિંગડમને રોમન રિપબ્લિકમાં બદલી નાખે તેમાં પ્રજાની જાગૃતિને જ સલામ કરવી પડે. રોમન Lucretia પછી કદાચ જ્યોતિસિંઘ પર દિલ્હીમાં થયેલો બળાત્કાર પહેલો એવો હશે જેમાં પ્રજાએ પ્રચંડ વિરોધ દર્શાવ્યો હશે. બાકી દુનિયામાં એક રૅપ થાય વિકટીમ અને વિકટીમનાં સગાઓ સિવાય કોઈને કાઈ પડી હોતી નથી. બસ આ પ્રચંડ વિરોધ જોઇને લેસ્લી ઉડવીનને ભારતની જાગૃત પ્રજા માટે એક માન પેદા થયું અને એને વિચાર આવ્યો કે આના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવીએ તો દુનિયા આમાંથી બોધપાઠ લે. એણે આ ગેંગ રૅપનાં એક સભ્યનો ઈન્ટરવ્યું લીધો. ડિફેન્સ વકીલોના ઈન્ટરવ્યું લીધા. ડિફેન્સ વકીલોની માનસિકતા જાણીને મને તો ખરેખર ચક્કર આવી ગયા. પણ ડીફેન્સનાં એક વકીલે નગ્ન સત્ય કહ્યું કે બળાત્કારના આરોપો જેમના માથે હોય એવા કેટલાય ચૂંટાયેલા સભ્યો સંસદમાં બેઠાં છે તેમનું શું? બળાત્કારીઓ અને બળાત્કાર કરવાની માનસિકતા ધરાવતા લોકો જ સંસદમાં બેસીને રાજ કરતા હોય ત્યાં કોને કહેવાનું? બસ લાખો લોકોએ જોયું કે આ તો આપણી જ માનસિકતા છે. અને દુનિયા હવે આપણી ચીપ માનસિકતા જાણી જશે, બસ કાગારોળ મચી ગઈ. જાતજાતની બાલીશ, અર્થ વગરની દલીલો થવા લાગી. અરે આ વિરોધમાં સ્ત્રીઓ અને તે પણ બુદ્ધિશાળી ગણાતી સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ. છે ને કરુણતા? ગોરા ત્રિવેદી સાચું જ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પહેલી હોય છે.

મહાન કટાર લેખકો એમનો શબ્દ વૈભવ વાપરવા લાગ્યા કે લેસ્લીએ બ્રિટનમાં ૨૦૧૨માં મૂળ પાકિસ્તાનીઓ દ્વારા આચરેલા સેક્સ સ્કેન્ડલ વિષે કેમ ફિલ્મ નાં બનાવી? બનેલી છે ભાઈ જરા ગુગલ વાપરો. તો કહે પણ લેસ્લીએ જ કેમ નાં બનાવી? હહાહાહાહાહ આ ઈમેચ્યોર ગુજરાતી કટાર લેખકોને શું કહેવું? BBC ની બધી ડોક્યુમેન્ટરીઓ લેસ્લીએ જ બનાવવી પડે તેવું થોડું હોય? BBC આખી દુનિયામાં ફરીને જુદા જુદા ફિલ્મ મેકર્સ દ્વારા ડોક્યુમેન્ટરીઓ બનાવે છે. આપણા ફિલ્મ મેકર્સ પણ એમાં જોડાઈ શકે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહિ હોય જ્યાં BBC અને નેશનલ જિયોગ્રાફી પહોચીને દસ્તાવેજી ફિલ્મો નાં બનાવતું હોય. આપણું ભાંડ મીડિયા પોલિટિકલ પ્રોસ્ટીટ્યુશન કરવાથી ક્યાં કદી ઊંચું આવે છે? તે સમાજની આંખ ઉઘાડે તેવી ફિલ્મો બનાવે? યુરોપ અમેરિકામાં કોઈ પણ સ્કેન્ડલ થાય તરત એનું દસ્તાવેજીકરણ થઈ જતું હોય છે. પાપી પશ્ચિમ એ બાબતમાં દંભી નથી.

લેસ્લી ઉડવીન
લેસ્લી ઉડવીન

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ કે ભૂગર્ભ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સૂતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી. આ દસ્તાવેજી ફિલ્મનો વિરોધ કરનારા તરીકે આજે પણ પેલાં દેવતાઓ હાજર છે.

આબરૂ નાં જતી હોય અને લોકો જાણી જતા નાં હોય તો છો ને રોજ એક જ્યોતિ મરતી? છો ને રોજ એક જ્યોતિના આંતરડા એની યોનિમાં હાથ નાખીને બળાત્કારીઓ કાઢી નાખતા? આ આપણું અસલી ચિત્ર છે. લેસ્લીની ડોક્યુમેન્ટરીનો વિરોધ કરનારા લોકોમાં બે જાતની માનસિકતા ધરાવતા લોકો છે ૧) પુરેપુરા પુરુષપ્રધાન માનસિકતાના પ્રતિનિધિ, સ્ત્રીઓને વસ્તુ સમજનારા, સ્ત્રીમાં કોઈ આત્મા છે તેવું નહિ માનનારા, બિલકુલ પેલા રેપિસ્ટ અને તેના વકીલ જેવી માનસિકતા ધરાવનારા, ૨) પેલા રેપિસ્ટ જેવી માનસિકતા નહિ ધરાવનારા પણ કાયર, કમજોર, પોતાની દીકરી ઉપર રેપ થયો હોય તો પણ કહેશે ચુપ મર સાલી સમાજમાં મારી આબરૂ જશે, છાની રહે..

19 thoughts on “ભારતની દીકરી જોખમમાં”

  1. સાચો આક્રોશ છે.મારી કોલમમાં હું ડોક્યુમેન્ટરીની ફેવરમાં લખી ચુકી છું.

    Like

  2. ”કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા.” આવા પ્રકારના, આ લેખમાં આવતા વિધાનો ઉત્તમ ‘કારણમિમાંસા’ નુ દ્ષ્ટાંત છે. બળાત્કારની ઘટનાનું વૈજ્ઞાનિક વિવરણ એટલે જ કારણ મિંમાસા. વિજ્ઞાન અને સંસ્ક્રુતિના પ્રેમી લેખકો–ઘટનાઓની માત્ર વિગતોમાં જ નથી ઉતરતા….પણ ઘટનાની સામે પાર—કાર્ય-કારણ નો પ્રદેશ છે, ત્યાં જઈને ખેડાણ કરે છે. આ લખાણ ઘણું જ ગમ્યું.

    બળાત્કારના ‘કારણો’ છે….ધર્મ કે ધર્મનું શિક્ષણ બળાત્કારની પ્રેરણા પુરુષ માનસને આપે છે. ધર્મ એટલે ? જવાબ વૈજ્ઞાનિક છે….કે સ્ત્રી_પુરુષ વચ્ચે ભેદ હોવાનું, પુરુષને માલિક અને સ્ત્રીને ગુલામ હોવાનું મનાવતો, પુરુષને મોક્ષ માર્ગનો અધિકારી અને સ્ત્રીને માયાવી કહીને વગોવણી કરતા લખાણોનો સમુદાય ધર્મ છે. આવા લખાણોના લેખકો—સંતો—ને ઓળખવા, તેમના ઈરાદાને ઉઘાડા પાડવા…કે સાધુ-સંતો-સન્ય્તાસીઓ ગ્રહશ્તીના વિરોધી છે, શત્રુ છે, અને તેઓના અવળા શિક્ષણને કારણે જ સ્ત્રી વિષયક અપરાધો સર્જાતા ગયા છે….અન્યથા સિંધુ સંસ્ક્રુતિની બહાર આવેલી વિગતોનો અભ્યાસ કરો…..એ એક સ્વસ્થ અને વૈજ્ઞાનિક સમાજનું ઉદાહરણ છે.

    બળાત્કારના અપરાધને સામાન્ય પોલિસ અને સામાન્ય નાગરિક અદાલતોથી અલગ કરીને તેને મિલિટરી–એટલે લશકરી શાસન અને લશકરી અદાલતના તાબા હેઠળ દશેક વરસ સુધી લાવવાની ભલામણ થવી જોઈએ.

    Like

  3. Good article. Congratulations !
    Actually, we need more such documentaries, no matter who makes them.

    We had a custom of drowning unwanted new born girls in milk, with a fancy name of “Dudh Peeti Karo” meaning Make her drink milk !

    Sita or Draupadi; Dudh Peeti or Rape; Dahej killing or “Bhruna Hatyaa”; — all are the same kind of stories where a woman is mis-treated or killed in our society.

    By the way, if somebody else is also bad, how does that make us good?

    Like

  4. balatkar e guno che.
    balatkar kem kare che loko, balatkar na thay eva pagla levane badle koi ne balatkar karvani icchha j na thay evi koi system banavi pade.

    Like

  5. રાઓલજી આપની દરેકેદરેક વાત સાથે સહમત છું.

    સ્ત્રી અભણ હોય કે શિક્ષિત, ઘરમાં હોય કે જાહેર સ્થળમાં, દુનિયાના કોઈ ખૂણે સુરક્ષિત નથી જ.
    સ્ત્રી ને પહેલી દુશ્મન સ્ત્રી જ છે. વળી, સ્ત્રીની અસુરક્ષામાં સ્ત્રીની ‘બિચારી માનસિકતા’ પણ એટલી જ જવાબદાર છે. સ્ત્રીને પોતાને સશક્ત થવાની જરૂર છે. સશક્ત અર્થન શારીરિક અને માનસિક તો ખરું જ સાથોસાથ સામાજિક સશક્તા. સ્ત્રીઓ વચ્ચેનું ગઠબંધન જેટલું મજબૂત થશે એટલી એમની જ સુરક્ષા વધશે.

    સ્ત્રી એ ઘર, સમાજ, સંસ્કૃતિની જડ છે. ‘જડ-મૂળ’ મજબૂત હશે તો ઘટાદાર વૃશની આશ રહેશે ને વર્ષો સુધી છવ આપશે. ઘરથી માંડીને સમાજ..દેશ..વિશ્વને જાગૃત કરવાં જેટલી સક્ષમતા સ્ત્રીમાં છે.
    અફસોસ એ જ કે, ભાગ્યેજ કોઈ સ્ત્રી પોતાની સક્ષમતા વિષે જાગ્રત છે.

    પુરૂષને જન્મ આપનાર, સંસ્કારસિંચન કરનાર સ્ત્રી જ છે. એ અર્થે જુઓ તો, આ બળાત્કારી પુરૂષો પાછળ એક નાકામિયાબ ‘સ્ત્રી/મા/બહેન/પત્ની’ જ જવાબદાર છે.

    મે ‘લેસ્લી ઉડવીન’ની બહુચર્ચિત ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ નથી. પરંતુ, મારી દ્રષ્ટિએ તો એક સ્ત્રી તરફથી આ સશક્ત શરૂઆત છે. અહીં, પુરૂષ, જે-તે સમાજ/દેશની માનસિકતા છતી થાય એટલે હોબાળો મચશે જ, સામાન્ય બાબત છે. આમપણ, આપણો દેશવાસીઓની માનસિકતા ગાડરિયાપ્રવાહ જેવી છે. હો..હા.. કરવામાં પહેલાં નંબરે..ઠોસ કામ કરવાનું કહો તો પંચ બેસાડવાની જરૂર પડે. કોઈ જવાબદારી લેવાં તૈયાર નથી.

    સ્ત્રી તરફથી એક સશક્ત શરૂઆતની જરૂર છે.
    એક સશક્ત શરૂઆતની જ જરૂર છે. “કાયદા કી ઐસીતૈસી” કરી બળાત્કારી પુરૂષને જાહેરમાં જ એની મા/બહેન/દીકરી કે પત્ની નપુંસક બનાવે અને જીવતાં રહેવાં મજબૂર કરે…. જુઓ પછી ચમત્કાર…

    પણ, સાલ્લો પ્રોબ્લેમ અહીં જ છે. મોટાભાગના કિસ્સાઓમાં બળાત્કારી પુરૂષને એની મા/બહેન/પત્ની જ સૌથી પહેલો સાથ આપે છે. એ અર્થે જ સ્ત્રી સ્ત્રીની સૌથી પહેલી દુશ્મન સાબિત થઇ જાય છે.

    Liked by 1 person

    1. now a days women come little forward. read news .in mp. bombay. surat. even father rap his daughter. daughter come forward with her teacher. and save her future life.. but this things need very fast with public support.

      Like

  6. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. ..saras article..

    Like

  7. Tamara lekh parthi ek taran kadhi shakay ke aapne mahan Bhartiya Sanskruti na khokhala gana bandh karva joie.ANE BIJU AGATYANU E KE RAPE MANUSHYOMA UNIVERSAL CHHE.
    ANE CHINTAJANAK TO E CHHE KE ENO UPAY NATHI WEST PASE KE NATHI EAST PASE.kATHOR KAYADA KE ENO AMAL PAN ENO PARYAPT UPAY NATHI J.STREE JAGRUTI THODA ANSHE FER PADI SHAKE ETLU J.
    PAN AA KADVI NE VARVI VAST VIKATA AAPNE SARVE E,PACHHI E STREE HOY KE PURUSH SWIKARVI RAHI.

    Like

  8. હેટસ્ ઓફ ટુ રાઓલજીને. સચોટ અને આંછ, કા, નાક, હૃદય અને મગજને ઢંઢોળીને જગાડનારો આર્ટીકલ. ઘર્મને નામે ચરી ખાતા કથાકારો, બાવાઓ, મહારાજો, મહાત્માઓ, પૂજારીઓ પુસ્તકોમાં આવેલાં રામ અને બળાત્કારી બીજા પાત્રોના આવાં કારનામાઓને કેમ આંઘળા ભક્તોના અંઘાપાને દૂર કરવાં કેમ કહેતા નથી ? આ બઘા ઘર્મ (?)ના પાલકો જો સત્ય કબુલ કરે તો તેમનામાનાં ૫૦ થી ૭૦ ટકા બળાત્કરી આસારામના સાથીદાર નીકળે. આસારામની બાનતમાં તો આ કુટુંબમાં ઉતરેલો રોગ છે..તેનો દિકરો નારાયણ???? વાત ના પૂછો. અને પેલાં રાજકારણીઓ ? પેલાં ફિલ્મ ઇનડસટરીવાળા ? હિરોઇન બનવા આવતી દરેક નવી છોકરીને પૂછો તેણે શું કિંમત ચૂકવી છે? જાતને છેતરીને સચ્ચાઇની ઢોલ પીટવાવાળા કેટલાની સ્લેટ કોરી છે? બી.બી.સીઅે સરસ કાર્ય કર્યુ છે. ઓપનમાં પીવાવાળા અને છાનુ છપનું પીવાવાળાની જેમ ઓપનમાં બળાત્કાર કરવાવાળાં અને છાનું છાનું પદડાની પાછળ બળાત્કાર કરવાવાળાં કાંઇ ઓછા નથી. ભાઇ…ટેસ્ટોસ્ટેરોનની બઘી કમાલ છે…….નિયતી, વિવેક, સજ્જનતા, પવિત્રતા જેવાં શબ્દોને છાપરે ફેંકી દો…..પુરુષો ઉપર થતાં બળાત્કારો પણ સમાજની આંખ ખોલવાં માટે જાહેર કરવાં રહ્યા. મહાભારત કે રામાયણ તે સમયને આવરી લેતી તે સમયના સમાજની નવલકથાઓ જ કહેવાય…..આજે પણ ગુજરાતીમાં લખાતી ઘણી નવલકથાઓ કે નવલીકાઓ આજના સમયના સમાજને ડીપીકટ કરે જ છે જેમાં બળાત્કાર…અનૈતિક સંબંઘો આવરી લેવામા આવે જ છે. જો નવલકથામાં લખી શકાતું હોય તો બી.બી.સીની ડોક્યુમેનટરીમાં કેમ નહિં?
    બાપુ, તમે સુંદર સમજ આપતો, સમાજને સમજ આપતો લેખ ગુજરાતીમાં લખ્યો છે જે દરેક, નાના, મોટા…વાચી શકતાં ગુજરાતીઓના મગજ અને હૃદય સુઘી પહોંચવો જ જોઇઅે. અગ્રેજીમાં ભાવાનુવાદ કરીને પૂરા ભારતમાં પહોંચતો થાય તે પણ યોગ્ય રહેશે.
    આભાર.

    Like

  9. અેક કરેક્શન…..પહેલી લાઇનમાં….આંખ, કાન વાચવું.

    Like

  10. રાઓલજી આપની દરેકે વાત સાથે સંપૂર્ણ સહમત. ખુબજ સરસ આર્ટિકલ. મેં આ ડોક્યુમેન્ટરી જોય છે અને તેમાં કશું છુપાવા જેવું કે વિરોધ કરવા જેવું ના લાગ્યું. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજા પોતાની માનસિકતા છતી થાય એટલે કાગારોળ મચાવે તે સ્વાભાવિક છે પરંતુ આંખ આડા કાન કરવાથી હકીકત છુપાવાની નથી. શહેર માં કે ગામડામાં નાની બાળકી થી માંડી કોઇપણ ઉમર ની સ્ત્રી જરાય સલામત નથી તે હકીકત આપણે બધ્ધાજ જાણીએ છીએ.અપરાધ થતા અટકવાને બદલે આવી ડોક્યુમેન્ટરી નું પ્રશરણ અટકાવવું એ મૂર્ખાઈ નું પ્રદર્શન છે. ઉપરાંત પુરૂષ પ્રધાન સમાજને પોતાની મા/બહેન/પત્ની/ દીકરી કરતા પોતાની આબરૂ વિશેષ વહાલી છે એટલેજ ઓનર કિલિંગ અને કન્યા ભૃણ હત્યા જેવા ભયંકર દુષણો પણ ફૂલ્યા ફાલ્યા છે. જ્યાં શુધી સ્ત્રીઓ શારીરિક અને માનસિક રીતે સશક્ત નહિ થાય, પુરુષો સ્ત્રીઓ ને સન્માન આપતા નહિ થાય અને કડક કાયદા અમલ માં ના આવે ત્યાં શુધી આવા અપરાધો અટકાવવા અશક્ય છે.

    Like

  11. જ્યાં સુધી આપણે સીતાજીની અગ્નિપરિક્ષા લેનાર રામની પૂજા કર્યા કરીશું ત્યાં સુધી આપણી માનસિકતા નહિ સુધરે, બળાત્કારો થતા રહેશે, જ્યોતિઓ બુઝાતી રહેશે.

    Like

  12. આ બનાવમાં વપરાયેલી બસના ડ્રાયવરનું નામ રામસિંહ હતું! વિધિની કેવી વક્રતા!

    Like

  13. ખુબજ સરસ આર્ટિકલ. અને આમાં કશું છુપાવવા જેવું કે વિરોધ કરવા જેવું નથી. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજા અને પ્રજાનું રક્ષણ ન કરી શકનાર લબાડી રાજકારણીઓ પોતાની માનસિકતા છતી થાય એટલે કાગારોળ મચાવે તે સ્વાભાવિક છે પરંતુ આંખ આડા કાન કરવાથી હકીકત છુપાવાની નથી.

    Like

Leave a comment