આપણા અસુરક્ષિત વૈજ્ઞાનિકો

bhabha

મુંબઈ  હાઈકોર્ટમાં ચેતન કોઠારી નામના એક એક્ટિવિસ્ટે એમના વકીલ આશિષ મહેતા દ્વારા RTI ની રૂએ એક જાહેર હિતની અરજી કરી છે. એમની અરજી મુજબ ભારતીય પરમાણુ સંસ્થાનમાં કામ કરતા મહત્વના વૈજ્ઞાનિકોના રહસ્મય મોતની તપાસ કરવા એક તપાસ ટીમનું ગઠન થવું જોઈએ.

૧૯૬૬માં ભારતના મહત્વના અણુવૈજ્ઞાનિક ડૉ હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશ થવાથી મોત થયેલું. એમણે એમના મૃત્યુ પહેલા જાહેરમાં કહેલું કે ટૂંક સમયમાં ભારત ન્યુક્લિયર ડીવાઈસ બનાવવા સક્ષમ થશે. માઉન્ટ બ્લાન્ક નજીક સ્વિસની આલ્પ્સ પર્વતમાળામાં એમનું વિમાન તૂટી પડેલું નવાઈની વાત એ કે તૂટી પડેલા પ્લેનનો ભંગાર પણ અદ્રશ્ય હતો. ચાલો તે મૃત્યુ કદાચ અકસ્માત હશે પણ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધીમાં DAE (Department of atomic energy) માં કામ કરતા દસ વૈજ્ઞાનિકોના રહસ્યમય મોત થયા છે.

લોકનાથન મહાલીન્ગમ નામના ૪૭ વર્ષના, કર્ણાટકમાં આવેલા એટોમિક પાવર સ્ટેશનનાં(Kaiga atomic power station) સિનીયર સાયન્ટીફીક ઓફિસર, ૮ જુન ૨૦૦૯ ની વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા કદી પાછા ફર્યા નહિ. પાંચ દિવસ પછી એમની વિક્ષત લાશ કાલી નદી નજીકથી મળી. પોલીસે આત્મહત્યાનો કેસ બનાવી દીધો જે એમના કુટુંબીઓને કદી મંજુર નહોતો. ભારતીય મીડીયાએ આ સમાચારને હેડલાઈન સમાચાર બનાવવાનું મુનાસીબ સમજ્યું નહિ. દસ દિવસ પછી ટૂંકા સમાચાર પ્રગટ થયા કે આ એક આત્મહત્યા હતી અને વૈજ્ઞાનિક કોઈ મહત્વના દસ્તાવેજ સાથે ધરાવતા નહોતા.

BARC ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં કામ કરતા બે યુવાન વૈજ્ઞાનિકો ઉમંગસિંઘ અને પાર્થ બાગનું લેબમાં જ કામ કરતા સળગી જવાથી મોત થયું, કે લેબમાં જ્વલનશીલ પદાર્થોની ગેરહાજરી હતી. ડીફેન્સ મીનીસ્ટ્રી આને રૂટીન અકસ્માત ગણાવે છે અને સામાન્ય પોલીસ ઓફિસર જ એની તપાસ કરતો હોય છે.

BARC માં કામ કરતા મિકેનીકલ એન્જિનિયર મહાદેવન પદ્મનાભન ઐયરનું સાઉથ મુંબઈના એમના ફ્લેટમાં ફેબ્રુઆરી ૨૦૧૦મા મોત થાય છે, થોડા લોહીના ડાઘા સિવાય આખું ઘર વ્યવસ્થિત જ હતું, મર્ડર મિસ્ટ્રી હજુ ઉકેલાઈ નથી.

ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ સંસ્થામાં કામ કરતા ૨૪ વર્ષના યુવાન વૈજ્ઞાનિક મોહમ્મદ મુસ્તુફા નામના વૈજ્ઞાનિકની લાશ એમના ક્વાટરમાંથી મળે છે પોલીસને ડેથ નોટ એમના હાથે લખેલી મળે છે પણ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ જડતું નથી.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં કામ કરતા રવિ મુલે અને ઉમા રાવનું મોત પણ રહસ્યમય છે. પરમાણુ શક્તિ વડે ચાલતી INS અરીહંત સબમરીનનાં બે એન્જિનિયર કે.કે.જોશ અને અભિષ શિવમ વિશાખાપટ્ટનમમાં એક રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા ઓક્ટોબર ૨૦૧૩મા મળી આવેલા છે. એમના દેહ પર કોઈ રહસ્યમય ચિન્હો  દેખાતા નથી કે ટ્રેન દ્વારા એમના મૃતદેહો કચડાયેલા પણ નથી. એમના કુટુંબીઓનો આક્ષેપ છે કે બીજે ક્યાંક મારી નાખીને અહીં ફેંકી દેવાયા હોવા જોઈએ.

ભારત સરકારે જાતે કબુલ્યું છે કે ફક્ત ત્રણ વર્ષના સમયમાં BARC અને KAIGA માં કામ કરતા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સનાં થઈ ને કૂલ નવ જણાનાં મોત રહસ્યમય છે જેમાં ફક્ત બે આત્મહત્યા જણાઈ છે બાકીની ખબર નથી પડતી.

બીજા કોઈ દેશમાં આવા વૈજ્ઞાનીકોના મોત થયા હોય તો કલશોર મચી જાય પણ અહીં ચાલી જાય. અહિ શાહરુખને તાવ આવે કે સોનમને સ્વાઈન ફ્લ્યુ થઈ જાય તો ચોક્કસ કલશોર મચી જાય. એક મિત્રે બહુ કડવું સત્ય કહેલું કે ભારતની પ્રજા ડેવલપમેન્ટ ચાહક નહિ એન્ટરટેઈનમેન્ટ ચાહક છે. વિકાસ નહિ મનોરંજન જોઈએ. એટલે જ મનોરંજન આપતા લોકો અહીં તરત હીરો બની જતા હોય છે. લોકોને માનસિક દિલાસા જોઈએ એટલે ઠગ ધર્મગુરુઓ તરત હીરો બની જતા હોય છે. નેતાઓ તો છાશવારે ગમે તેમ બકવાસ કરી મનોરંજન પૂરું પાડતા જ હોય છે. હહાહાહાહાહાહાહ

મનોરંજન જીવનમાં બહુ અગત્યનું છે. એના લીધે આપણે રૂટીન લાઈફના કંટાળાજનક તણાવમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. પણ મનોરંજન પૂરું પાડનારાઓને હળવાશથી લેવા જોઈએ. એમને હીરો બનાવી એમની પૂજામાં રત રહેવું કોણે કીધું? અને આ લોકો મફતમાં મનોરંજન તો પૂરું પાડતા નથી અઢળક પૈસા વસુલે છે, અઢળક કમાય છે.

જે દેશ માટે જીવ આપે છે, દેશના વિકાસ માટે રાતદિવસ રીસર્ચ કરીને અને એનો સ્ટ્રેસ વેઠીને પણ કામ કરે છે તેમનો પગાર કેટલો? તેમનું દેશમાં માનપાન કેટલું? તેમની સુરક્ષા કેટલી?

અને જે લોકો પોતાના ફાયદા માટે રમે છે, પોતાના ફાયદા માટે મનોરંજન પૂરું પાડે છે, જેઓ પ્રજાનું હમેશાં શોષણ કરે છે, જેઓ નકલી દિલાસા આપવાની અઢળક કિંમત વસુલે છે તેમનું માનપાન કેટલું બધું હોય છે? એમની આવક પણ કેટલી બધી હોય છે?

આપણા હીરો લુચ્ચા ક્રિકેટર્સ, લફંગા ફિલ્મી ભવાયા, ભ્રષ્ટ નેતાઓ અને ગીધ જેવા ધર્મગુરુઓ છે.

માહિતીસ્ત્રોત: સન્ડે ગાર્ડિયન, ટ્રુથ આઉટ, ધ ન્યુઝ મિનીટ

9 thoughts on “આપણા અસુરક્ષિત વૈજ્ઞાનિકો”

  1. Wah ! Khub saras sarkar na badlav pachhal aava desh mate kam karta loko ni suraxa ni jvabdari ma pan bdlav aavvo jaruri che kemke aa desh ma bhavaya ne dhrmguru o to jaththa badhpake che pan aava rastra mate kam karta loko juj jnme che to navi sarkar ni aa jvabdari bane che aemni piri surxa arpe..

    Like

    1. Navi sarkar ane teno Vado murakh chhe tame sabhadyu hase navi sarkare yog guru bada ramdev( badiyo) ne z plus security aapi gangasuddhi sardarnu putlu swachchha bharat vagere na name paisa nu pani karse pan vaignanik sainik vagere kaij nathi karti .

      Like

  2. Taklif e chhe ke praja to aava banavo mate gambhir nathi j ,pan sarkar ke sansad ne pan aa gambhir babatni darkar nathi..!jemna sahare kharekhar swalamban thi deshno vikas thavo joie..eni darkar rakhya vagar bijane bharoshe vikas karva nikalya chhe..!Deshnu durbhagya j chhe bhai..

    Like

  3. “બીજા કોઈ દેશમાં આવા વૈજ્ઞાનીકોના મોત થયા હોય તો કલશોર મચી જાય પણ અહીં ચાલી જાય”!!!!!!!
    આ અવતરણ તો નમુનરૂપ છે, પુરો લેખ વાંચતા થાય કે:દેશના બુધ્ધિધનની કેવી અવદશા!!!

    અને
    સાવ સાચી વાત……..

    મનોરંજન પૂરું પાડનારાઓને હળવાશથી લેવા જોઈએ. એમને હીરો બનાવી એમની પૂજામાં રત રહેવું કોણે કીધું? અને આ લોકો મફતમાં મનોરંજન તો પૂરું પાડતા નથી અઢળક પૈસા વસુલે છે, અઢળક કમાય છે.”

    Like

  4. આપણા હીરો લુચ્ચા ક્રિકેટર્સ, લફંગા ફિલ્મી ભવાયા, ભ્રષ્ટ નેતાઓ અને ગીધ જેવા ધર્મગુરુઓ છે.

    Like

Leave a comment