કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણuntitled

 

સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ.

યાદવોનો અંદરોઅંદર લડીને સર્વનાશ થઈ ચૂક્યો હતો. અર્જુનને સમાચાર મળી ચૂક્યા હતા. અર્જુન પુરપાટ એના પ્રિય સખા કૃષ્ણને મળવા દ્વારકા તરફ ધસી રહ્યો હતો. રસ્તામાં અંદરોઅંદર લડાવી મારવાની માનસિકતા કહેવાય તેવા નારદજી મળ્યા. એમણે અર્જુનને ચેતવ્યો હતો કે કાલે કૃષ્ણ મળે તો સ્પર્શ કરતો નહિ પછી કહેતો નહિ કે તને ચેતવ્યો નહિ, જો કૃષ્ણને સ્પર્શ કરીશ તો એવું બનશે કે મહાન ભારતવર્ષની મહાન જાતિ હમેશાં તને યાદ કરશે, ૫૦૦૦ વર્ષ પછી કેજરીવાલ નામનો આમ આદમી મહાન ભારતીયોનું અસ્પૃશ્ય(સફાઈમાં શરમ)રહેલું ઝાડુ હાથમાં લઈને કોઈ મહારથીને હરાવશે ત્યારે તારું નામ શરમજનક સ્થિતિમાં લેવામાં આવશે.

નારદ તો સુચના આપી જતા રહ્યા. અર્જુન ભાગ્યો, એના પ્રિય સખા, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મુશ્કેલીમાં હતા. એક વૃક્ષ નીચે પગમાં કોઈ અજાણ્યા શિકારીએ ભવિષ્યના ભગવાનને પશુ સમજી પગમાં મારેલા બાણને લીધે અત્યંત લોહી વહી જવાથી મરણતોલ હાલતમાં હતા. ભવિષ્યમાં અજરાઅમર તરીકે લાખો વર્ષ પૂજાતા રહેવાના હતા, પણ હાલ મરણાસન્ન હતા તેવા કૃષ્ણને મળવા અર્જુન આતુર હતો. આ અર્જુન મહાભારતનો અદ્વિતીય અજેય યોદ્ધો, એના સારથિ સલાહકાર કૃષ્ણ જેના લીધે, જેમની વાતો લખીને ભારતને ભવિષ્યમાં ૫૦૦૦ વર્ષ પછી પણ મહાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા તત્ત્વચિંતકો મળવાના હતા, એ કૃષ્ણને છેલ્લી વાર મળવા દોટ મૂકી રહ્યો હતો.

કૃષ્ણ ઘાયલ પગને બીજા પગ પર ચડાવીને વૃક્ષ નીચે બેઠા હતા. સર્જરી કરીને ટાંકા લઈને બચાવી લે તેવા શુશ્રુતને જન્મ લેવાને હજુ ઘણી વાર હતી. કૃષ્ણ અર્જુનને જોઈ હરખાઈ ગયા કહે મને છેલીવાર સરસ મજાનું હગ(આલિંગન) આપી દે. અર્જુનને નારદની સૂચના યાદ હતી તેણે સ્પર્શ કરવાની એજ યુજુઅલ ભારતીયની જેમ ના પાડી દીધી ભવિષ્યમાં તો ભવિષ્યમાં પણ બદનામ થવાનું ના પાલવે. કૃષ્ણ પણ ચાલાક હતા કહે કોઈ વાંધો નહિ ખાલી તારા બાણ વડે મારા આ ‘ઘા’ ને જરા ખોતરી આપ બહુ ખંજવાળ આવે છે. અર્જુનને થયું ક્યા જાતે સ્પર્શ કરવાનો છે? એના બાણ વડે પારધી વડે કરાયેલા ઘા ને ખોતરી આપ્યો. બસ એટલામાં કૃષ્ણ એમની રમત રમી ગયા.

યાદવોનો એડલ્ટ પુરુષવર્ગ તો નાશ પામી ચૂક્યો હતો. બાળકો અને યાદવોની વિધવાઓને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ જઈ રહ્યો હતો. એનું અજેય ગાંડીવ એની પાસે હતું. પણ રસ્તામાં કાબા જાતિના લુટારુ મળી ગયા અને અર્જુનને લુટી ગયા. કહેવાય છે બાણ વડે કૃષ્ણના ઘાવને ખોતરતા માયાવી કૃષ્ણે અર્જુનના બાણમાંથી રહસ્યમય શક્તિઓ શોષી લીધી હતી હવે બાણ કોઈ કામનું રહ્યું નહોતું. સમય બળવાન છે માણસ નહિ. કૃષ્ણની આ શીખ આપણે હજુ યાદ રાખતા નથી.

કાબાનો તળપદી ભાષામાં એક અર્થ ચતુર પણ થાય છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં કાબો ગણાય છે તો અર્જુને કાબાને પછાડ્યો કે તુચ્છ ગણાતા એવા કાબા કેજરીવાલે મોદી જેવા મહારથી અર્જુનને લુટી લીધો દિલ્હીની ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે જનતા બહુ હોશિયાર થઇ ગઈ છે, તમારી રેલીઓમાં આવશે, તમારો દારુ પી જશે, તમારી વહેચેલી ભેટ સોગાદો ખાઈ જશે પણ વોટ તો એના ગમતાને જ આપશે. હું તો કાયમ લખતો હોઉં છું કે તમારા ન્યુરોન્સ ઉપયોગમાં લો, એને જાગૃત કરો આ નેતાઓ વચનો આપે તેના પર ભરોસો કરશો નહિ, એ પછી કેજરીવાલ હોય કે મોદી.

કાળા નાણા અને ભ્રષ્ટાચારને મુદ્દે તમામ નેતાઓ વચનો આપતા હોય છે. પણ પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ ઠાલાં વચનો જ છે. કરપ્શન આપણી સંસ્કૃતિ છે. કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ. મને મારું કરપ્શન જરાય દેખાય નહિ સામેવાળાનું જ દેખાય તે હકીકત છે. સવારે પહેલા ઉઠીને ભગવાન સામે પ્રસાદ ચડાવી પ્રાર્થના કરીને આપણા ભ્રષ્ટાચારની શુભ સવાર શરુ થાય છે ત્યાં દેશમાંથી કરપ્શન દૂર કરવાની કે થવાની આશા રાખશો જ નહિ અને એવી આશા કોઈ બંધાવે તો માનશો જ નહિ. આમ આદમીથી માંડીને અંબાની સુધીના આપણે સહુ કરપ્શનમાં રચ્યા પચ્યા જ રહીએ છીએ. કરપ્શનનો એક જ ઉપાય છે તેને કાયદેસર બનાવી દો.

મોદી બહુ સારા રાજકારણી છે, હવે સારા રાજકારણીની વ્યાખ્યા દરેકની અલગ હોય તે વાત જુદી છે. પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે એ મુજબ ચૂંટણી જીતવી એક જાતનું યુદ્ધ જ છે. અને એ યુદ્ધ જીતવા બધા રાજકારણીઓ બધું ગેરવાજબી કરતા હોય છે, જે વાજબી ગણાતું હોય છે. પણ દરેકની એક લીમીટ હોય તેમ ગેરવાજબી કરવાની પણ એક લીમીટ હોય. ભાજપને અઢળક વોટ મળ્યા તેમાં ભાજપની સફળતા કરતા કોંગ્રેસની નિષ્ફળતા વધુ કામ કરી ગઈ હતી. પ્રજાને કોઈ વિકલ્પ જોઈતો હતો અને અને ભાજપા સિવાય બીજો કોઈ વિકલ્પ જડતો નહોતો. એમાં મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.

પક્ષ મહાન એના કાર્યકરોથી હોય છે. આખી જીંદગી જાત ઘસી નાખી હોય પક્ષ માટે એવા પક્ષના નિષ્ઠાવાન પાયાના કાર્યકરો અને પાયાના નેતાઓની અવગણના કરવી અને કદી વફાદાર રહેવાના નાં હોય એવા પાટલી બદલુઓને ફક્ત ચૂંટણી જીતવાનો એજન્ડા લક્ષમાં રાખી માથે ચડાવીએ તો લાંબા ગાળે બહુ મોટું નુકશાન કરે જ. જેમ સારો અર્થશાસ્ત્રી સારો વડાપ્રધાન સાબિત થતો નથી તેમ સારી પોલીસ ઓફિસર ચૂંટણીજીતું સાબિત થાય તે જરૂરી નહોતું. કિરણ બેદી જરૂર સારું કામ કરી શક્યા હોત પણ સારું કામ કરવા માટે સત્તા પર આવવું પણ જરૂરી હતું. અને તે માટે ચૂંટણી જીતવું જરૂરી હતું. આખી જીંદગી ઉચ્ચ પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું હોય એટલે સ્વાભાવિક તોછડાઈ અને આપખુદ હોય. મોદી ભલે ભાષણો કરતા અતિશય નમ્ર લાગતા હોય એમની તોછડાઈ અને આપખુદ વલણ તો એમની સાથે રોજ કામ કરતા લોકોને જ ખબર હશે. પણ તે ગ્રેટ અભિનેતા છે. અને એ પણ હકીકત છે કે આપખુદ બન્યા વગર નીચેના માણસો પાસે તમે જરૂરી કામ લઈ પણ નાં શકો.

ખેર! અમે નાના હતા ત્યારે ઉતરાણ ઉપર હું જોતો કે અમુક પતંગ આકાશમાં એટલા બધા ઉંચે હોય કે કપાયા પછી વધુ ને વધુ ઉપર જતા હોય. અમારો મિત્ર રાજુ બ્રહ્મભટ્ટ કહેતો કે આ પતંગ બીનહવામાં જાય છે. મતલબ હવા નાં હોય તેવા આકાશના ઉપરના ભાગે જતો જાય છે. હવે ભાગ્યેજ ધરતી પર પાછો આવે. એટલે પતંગ એટલો બધો દોર છોડીને ઉંચો ચગાવવો નહિ કે કપાયા પછી બીનહવામાં જતો રહે. પ્રજાએ વોટ આપ્યા છે છાપરે ચડી પતંગ બીનહવામાં ચગાવવા માટે નહિ. પ્રજાએ વોટ આપ્યા છે ધરતી સાથે જોડાયેલા રહીને આમ આદમીના કામ કરવા માટે, આમ આદમીની વ્યથા સમજી એમને જીવવા સહારો આપવા માટે.

આમ આદમીનું કામ કરવા થોડા વિશિષ્ટ આદમી બનવું જરૂરી છે. આશા રાખીએ મોદી જરા છાપરેથી નીચા ઊતરે અને કેજરીવાલ થોડા વિશિષ્ટ બને. બંને માટે ભારતની જનતાને બહુ મોટી આશાઓ છે. એમાં બંને ખરા ઊતરે તેવી શુભેચ્છાઓ..

કાળા મરી: ભક્તિસંપ્રદાયે ભારતની ઘોર ખોદી છે. કોઈના પ્રશંસક બનવું જરાય ખોટું નથી પણ ભક્ત અને તે પણ અંધ ભક્ત બનવું તે ભક્ત અને એના ભગવાન બંને માટે નુકશાનકારક છે.

 

14 thoughts on “કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ”

  1. Sir,Good Morning……The article is one valued post based on current situations in Delhi and in our country….Whatever view you have shared are truely based on the nature on our p.m. and C.M of Delhi….Time has come for them to improve there behaviour amongs the people….They have to improve themselves first rather than to take any action…..Nicely said with old incidence of Kaba and Arjun….Thanks a lot…Sir,Yours,Girish Dave.Baroda.

    Date: Thu, 12 Feb 2015 02:28:09 +0000
    To: girishdave1@hotmail.com

    Liked by 1 person

  2. “મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.”
    સરસ લેખ સાહેબ, વાંચવાની મજા આવી.
    મને પ્રવર્તમાન કોઈપણ નેતા અને તેના કોઈપણ પક્ષ ઉપર વિશ્વાસ કે માન નથી. આજના નેતા બહુ મોટા મનોવૈજ્ઞાનિક છે જે પ્રજાના માનસમાં રહેલો જુવાળને કેમ છંછેડવો, કેમ હિપ્નોટિઝમ કરી પોતાને જ અનુસરે, પોતાને જ જોવે તે જાણે છે, સાચા-ખોટા વચનો-શબ્દો-ભાષણોની માયાજાળ રચી પ્રજાને વશ કરે છે, અને વર્ષો જૂના કાટ ખવાઈ ગયેલા મગજ સહિત મૂર્ખ-નમાલી-બુદ્ધિહિન બનેલી પ્રજા તે નેતાના પગ પકડી તેની વાહ…વાહ કરવા લાગે છે.

    Liked by 1 person

  3. “AShaman main Udne wala ek din motti mai mit jayega……..” I always remeber this line from Film Upkaar……

    It was Kejriwal who was flying high and fail in 49 days…… and now it is BJP turn…. Yes Modi and/or BJP made mistake by choosing Kiran Bedi…… Lets hope that they are playing bigger and better planned game by having Kejriwal winning…… Only ‘Negative’ part of this result is : How much of promise Kejriwal will be able to keep????

    If it is free..free…free as he promissed then Aaapne pan Delhi shft thai javoo joi ye… Aa Christ Christi na raaj maa TAX bhari bhari ne thaki jaishu..;-)

    Liked by 2 people

  4. નરેન્દ્ર મોદી, અમીત શાહ, ભાજપના નેતાઓને ન સમજાયું એ ભાજપના કાર્યકરોએ બરોબર બદલો લઈ સમજાવી આપ્યું. લોકસાહી કે લોકતંત્રમાં લોકો મતદાન કરે એ જ સાચું હોય છે.

    Liked by 1 person

  5. Few Quotes,

    ” Never underestimate the power of stupid people in large group.”
    ” Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience.”
    ” Educating the mind without educating the heart is no education at all.”
    ” The comfort of the rich depends upon an abundant supply of the poor.”
    ” Great minds discuss ideas, Average minds discuss events and small minds discuss people.”
    ” Arguing with a fool only proves that there are two.”

    And for the people of India and elsewher…….

    ” Nothing changes, until you change, Everything changes, once you change.”
    ” Honesty is an expensive gift. Do not expect it from cheap people.”

    Collection.

    Like

  6. સાહેબ, આમાં મોદીની પછડાટ નથી … વોટ-શેર પણ નથી ઘટ્યા … પરંતુ કેજરી-તરફ બીજાપક્ષોના વોટ-શેર ખેંચાઈ ગયા … બીજા પક્ષના વોટ પોતાની તરફ બીજેપી ‘નાં’ ખેંચી શક્યા એટલું-જ … તેમ પાયાની હકીકત કહે છે …
    .
    શીખ એ-જ કે -“ફાલતુ નિવેદન-વિરોધ-વાયદાઓ થી દુર રહો …અને જે બોલો તે કરી બતાવો …” …
    .
    તો હવે “AAP” નું શું થશે કે જેમને ફક્ત અ-વાસ્તવિક વાયદા નિવેદનો કર્યા છે …કે કોઈ રીતે તે વાયદા-પાળવા શક્ય નથી ….અને આજ ખોટા-વાયદા-નિવેદન કારણે બીજેપીની હાર થઇ ચુકી છે … હવે એ-જ કારણે AAP ની હાર કે હાકલ-પટ્ટી થઇ તો? … તો ભારતીય-જનતા-પાર્ટી સામે કેન્દ્ર-કે-રાજ્યોમાં વિરોધપક્ષ કોણ રહેશે? … એ વિચાર કરો … કારણકે આજે AAP ઉપર 96%-સીટ આપી વિશ્વાસ મુકીને તેઓએ પોતાની જાત વેચી દીધી છે …જનતા હતાશ-નિરાશ થશે તે ચોક્કસ છે હવે …
    .
    આડવાત – બિન-દિશા-હવામાં પતંગ (ઉપર) ઉધર્વ-દિશાએ જાય … એટલેકે- જો હવા નાં હોય ત્યારે અમુક વખત જમીન-થી-આકાશ તરફ હવા જાય … અને જો તમે પતંગ ચઢાવો તો તમારા માથાની દિશાએ ઉપર ચઢે … જેને કોઈ દિશા નાં હોવાના કારણે બિન-દિશા-હવામાં પતંગ ગયો કહેવાય …

    Liked by 2 people

    1. Feku ni feku vat no Praja e virodh karyo e emdam sachu chhe feku ane asarm ni vani chaturya ma thi praja bahar nikli gai chhe teno aa sachot puravo chhe.

      Like

  7. આમા મોદી કે ભાજપ હાર્યો નથી…જુના બાદશાહો વખત થી દિલ્હી માં મુસ્લિમો ની વસ્તી વધુ છે..દેશ ના બીજા વિસ્તારો કરતા ડબલ કે તેથી વધુ…દેશ ના બીજા ભાગો માં લગભગ 40 થી,,45 ટકા મતો બંને પાર્ટી પાસે ફિક્ષ વોટ બેંક છે.અને ફક્ત ઉપર નાં 10 થી 15 % ફ્લોટિંગ મતો છે જે ઇસ્યુ આધારિત મુદ્દા આધારિત મતદાન કરતો વર્ગ છે…બાકી નાં બધા તો ફિક્ષ કોઈ પણ જાત ની વિચારસરણી કે પ્રોગ્રેસ કે ઈકોનોમી કે દેશ નું હિત કે બીજા તેવા મુદ્દાઓ ને વિચાર્યા વગર વર્ષો થી પરંપરાગત મત આપતો વર્ગ છે.ચાહે તે હિન્દુત્વ આધારિત હોય કે જ્ઞાતિવાદ આધારિત …આમ આ ફ્લોટિંગ કે તરલ 10% મતો જ ચુટણી નું પરિણામ નક્કી કરે છે.તે જે બાજુ જાય તે પાર્ટી જીતે..દિલ્હી માં ભાજપ ના ફક્ત ૩2 થી ૩5% મતો છે…બાકી ના 65% મતો પરંપરાગત રીતે એન્ટી બીજેપી હોઈ અહી ક્યારેય બીજેપી જીતી જ ના શકે..કારણ ફ્લોટિંગ 10% જેટલા મતો ઉમેરાય તો પણ 45% થી વધુ ટોટલ નાં થાય…બીજેપી અહી ફક્ત અને ફક્ત સામે ના 65% વોટ ના ડીવીઝન થી જીતી શકે…જે ભૂતકાળ માં ઘણી વખત બન્યું છે…અહી જનતાદળ યુનાઈટેડ,,બસપ,,કોગ્રેશ …અકાલીદળ વગેરે પાર્ટીઓ માં આ 65% મતો વહેચાયેલા હતા..બસપ 5 થી 10% કોગ્રેશ ૩૦ થી 40 % અને બાકીના બીજી પાર્ટીઓ આવું થતું રહેતું..આ વખતે આ 65 % મતો લગભગ એક થયા…ખાસ તો જનતાદળ યુનાઈટેડ નિતીશકુમાર અને બસપા જે કાયમ કોગ્રેસ ની આ વોટ બેંક માં ગાબડા પડી દેતા..ને કોગ્રેશ ને હરાવતા.તેને બદલે આ વખતે આ બધા મોદી ને હરાવવા (કેજરીવાલ ને જીતાડવા નહી.)માટે ભેગા થયા…તેમણે એક પ્રયોગ કર્યો કે એન્ટી બીજેપી મતો ભેગા કરવા થી શું થાય ..અને તેઓ તેમાં સફળ થયા…હવે તેઓ આ રીતે મેળવેલ જીત ને મોદી ની કામગીરી વિરુદ્ધ લોકો નો રોષ કે નિષ્ફળ કામગીરી વિરુધ્દ લોકો નું મતદાન વગેરે વગેરે પ્રચાર કરી સ્થિતિ તેમની તરફેણ માં કરવા પ્રયત્ન કરશે..અને દેશ ના બીજા રાજ્યો ની ચુટણીઓ માં આ પ્રયોગ આગળ વધારશે ..ચેનલો અને વેચાઉ છાપાઓ આ હકીકત જાણતા હોવા છતા લોકો ને જુઠી વાતો કરી મોદી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આ પક્ષો ને સહકાર આપશે .
    બાકી કેજરીવાલ ની એવી કોઈ કામગીરી છે જ નહિ કે ભણેલ ગણેલ સારો વર્ગ મત આપે..કેજરીવાલ ને અપર ક્લાસ વોટ લગભગ મળ્યા જ નથી..કોગ્રેશ ની 90% વોટ બેંક..1૦૦%મુસ્લિમ અને 90% દલિત મતો મળ્યા છે …1% મત પણ સમજદાર વર્ગ ના નથી મળ્યા..
    હા…દિલ્હી માં મોદી દલિતો ના મત ના મેળવી શક્યાં..મુસ્લિમો ના મત ના મેળવી શક્યા ..તે તમે કદાચ મોદી ની નિષ્ફળતા ગણી શકો ..તેનું કારણ કદાચ દિલ્હી ભાજપ પાસે આ વર્ગ ને આકર્ષી શકે તેવો કોઈ ચહેરો નથી તે હોઈ શકે …કારણ આ બંને વર્ગ વિકાસ જોઈને મત આપે તે માનવું બેવફૂફી છે…તેમના મત વિકાસ ના મુદ્દે થી નથી મળતા તે હકીકત છે.તે તેમનું પછાતપણું છે તેમાં મોદી શું કરે?
    કેટલીક સીટો પર આંતરિક મતભેદો થી હાર થઇ હોઈ શકે પણ મુખ્ય કારણ તો એન્ટી મોદી ફોર્સ દ્વારા 65% મત ને એકજુથ કરવાનું જે કાર્ય થયું તેને જ ગણી શકાય..

    Liked by 1 person

  8. વાહ, બાપુ વાહ,તમારી દરેક વાત સચોટ હોય છે.માણસાના શ્રી બી એમ રાઠોડ મારી સાથે જોબ કરતા હતા તે પણ ચમરબંધીને સાચી વાત કરતા ખચકાતા નહીં. નમો અને એકે સાથે મળીને ભારતના વિકાસ અને ભ્રસ્ટાચાર માટે કંઇક કરી શકે બાકી એક બીજા ઉપર કાદવ ઉછાળશે તો હરીઓમ તસ્ત્ ત..

    Like

    1. Namo abhan chhe te bijani buddhi thi chale chhe AK bhanela chhe je temna chutani pravachan ma vani dwara vyakt thai jyare modi e janta ne aapbadai sivai koi bhashan aapyu nathi jem ke nasibvala vagere

      Like

Leave a comment