સામૂહિક અપકૃત્યની પાછળ

સામૂહિક અપકૃત્યની પાછળimages13JTEBRR

ઇતિહાસનું પુનરાવર્તન કાયમ થતું હોય છે. લોકોના સમૂહ, સંસ્થાઓ અને ઘણીવાર આખા દેશ ભયાનક ચીતરી ચડે જેવા કે જેનસાઇડ, જાતિસંહાર, નરસંહાર, હુલ્લડ, દંગા, લૂંટફાટ અને ભ્રષ્ટાચાર એવા અનેક અનૈતિક કૃત્યોની એક શ્રુંખલા ખડી કરી દેતાં હોય છે. આવું કોઈ એકલદોકલ કરતું નથી પણ કોઈ ઝેરી નેતાની દોરવણી હેઠળ બહુ મોટો સમૂહ કરતો હોય છે.

હિટલરે એકલાં હાથે ૬૦ લાખ યહૂદીઓની હત્યા નહોતી કરી. એકલો કઈ રીતે કરી શકે ? કહેવાતા સારા માણસોનાં સમૂહ આવા અનૈતિક કામ કરતો હોય છે. પણ આપણે હંમેશા એના નેતા તરફ આંગળી ચીંધતા હોઈએ છીએ. આજે પણ આપણે એવું જ કહીએ છીએ કે હિટલરે ૬૦ લાખ યહૂદીઓને મારી નાંખ્યા. પણ પણ અને પણ આવા નેતાના અનુયાયીઓ, સમર્થકો કે શિષ્યોની ઇચ્છા, મરજી, સંમતિ, સહયોગ અને રાજીખુશી વગર આવો વિનાશ થઈ શકે નહિ. આપણે કંઈક સારું થાય ત્યારે પણ જરૂર કરતા વધુ ક્રેડિટ લીડર ને આપી દેતા હોઈએ છીએ અને ખરાબ થાય ત્યારે પણ જરૂર કરતા વધુ સજા કે વગોવણી લીડરને આપી દેતા હોઈએ છીએ. લીડર ને ક્યારેક સજા પણ થતી હોય છે ત્યારે અનુયાયી કે સમર્થક બચી જતા હોય છે કે ભાઈ હું તો ઑર્ડરનું પાલન કરતો હતો, કે મારી તો જૉબ જ છે હુકમનું પાલન કરવાની. જવાબદારીમાંથી છટકવાનું સરસ બહાનું.

images648હમણાં હું નાઝી હન્ટર નામની સિરીઝ જોતો હતો. બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયા પછી હિટલરનાં હુકમ પાળી ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારનાર જુદા જુદા ઓફિસર્સની શોધ ચાલેલી તેના વિષે આ ટીવી સિરીઝ હતી. દક્ષિણ અમેરિકાના દેશો ખાસ તો આર્જેન્ટીના આવા રાક્ષસો માટે સ્વર્ગ બનેલું. કોઈ ૩૦,૦૦૦ નાં મોત માટે જવાબદાર હતો તો કોઈ ૪૦-૫૦ હજારના મોત માટે, પણ આવી જૉબ કરતા હાથ કેમ નાં કંપ્યો કે હું આવી જૉબ નહિ કરું એવું કહેતા કોણે રોકેલા ? સમૂહ દ્વારા સામૂહિક હત્યાઓ આજે પણ આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક ચાલુ જ હોય છે.

આવા ઘણા દાખલાઓમાં લીડર્સ અને ફોલોઅર્સ પ્રાથમિક રીતે જોઈએ તો ખરાબ હોતા નથી. પ્રકિયા એવી ઊભી થતી હોય છે કે નેતા અને સમર્થકો એમની નૈતિક વિવેકબુદ્ધિ અને સિદ્ધાંતોથી ચ્યુત થઈને એમની ખરાબ વર્તણૂક ને વાજબી ઠેરવવાનું કામ કરતા હોય છે. લોકો હોય એના કરતા પોતાને વધુ નૈતિક માનતા હોય છે અને નૈતિકતા થી દૂર ખસવાની પ્રક્રિયા વધુ ને વધુ અનૈતિક કામ કરવા પ્રેરતી હોય છે અને પછી તે કામો ને વાજબીપણું આપી દેવાતું હોય છે.

ખરાબ વર્તણૂકને વાજબીપણું જુદી જુદી રીતે અપાય છે. પહેલું તો ઇપ્સિત ફળ તરફ ધ્યાન કેન્દ્રીત્ કરવામાં આવે છે. ફળ પ્રાપ્તિના માટેના સાધનો તર્કશુદ્ધ દલીલ વડે યોગ્ય બનાવી દેવાય છે. ફળ કે નિષ્પત્તિ વધારે મહત્વની હોય તો સાધનને વાજબી ઠરાવવાનું પણ બાજુ પર મૂકો. દાખલા તરીકે કોઈ શંકાયુક્ત ટેરરિસ્ટને ટૉર્ચર કરવામાં આવે છે કારણ ટૅરરિસ્ટ હુમલાથી નાગરિકોને બચાવવાના છે. તો ટૅરરિસ્ટ ગૃપને પણ એમના ઇપ્સિત ફળ પ્રાપ્તિ માટે નિર્દોષ લોકોના ખૂન વાજબી લાગે છે.

અનૈતિક વર્તણૂક ને સૌમ્ય પર્યાય વડે સજાવી દો. દાખલા તરીકે ડ્રોન એટેકમાં સિવિલિયન માર્યા જાય તો collateral damage કહી દેવાનું અથવા તો કોઈ પત્રકારનું ગળું કાપી નાખવું હોય તો જે તે સરકારનો જાસૂસ છે અને ભાંગફોડીયા પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે તેવું કહી દેવાનું.

બીજો મસ્ત રસ્તો છે બીજાના અનૈતિક કામો સાથે સરખામણી કરીને વાજબીપણું આપવાનો કે મેં તો કામ કરી આપવાનાં હજાર જ લીધા છે પણ imagesNR2WYR0Sમારા સાહેબ તો પાંચ હજાર લે છે. તોફાનો વખતે બધા લૂંટતા હતા મેં પણ હાથ મારી લીધો. હું નવો હતો કૉલેજમાં ત્યારે મારી પણ પજવણી કરવામાં આવેલી તો મેં પણ નવા છોકરાની પજવણી કરી. એણે છરી કાઢી તો મેં બંદુક ખેંચી, એ લાગનો જ હતો.

નીતિમત્તા તરફથી નિવૃત્તિ એકંદરે માનવસમાજ માટે ભયજનક છે.

એના માટે અંગત રીતે જવાબદારી લેવી પડશે. હું ટોળાની સાયકોલોજીમાં તણાઈ ગયેલો સભ્ય નથી, મારી અંગત જવાબદારી છે કે હું સમુચિત રીતે વર્તન કરું. એક ડગલું પાછળ ખસીને જાતને પૂછવું પડશે કે હું જે કરવા જઈ રહ્યો છું તે સામાન્ય સંજોગોમાં સારું હોત કે ખોટું ? મારી ભાષામાં કોઈ બહાનેબાજી તો નથી ને ? બીજાઓ ને દોષી ઠરાવી દોષમુક્ત બનવા તો નથી માંગતો ને ?

11 thoughts on “સામૂહિક અપકૃત્યની પાછળ”

  1. Well explained. Human is human physically however prefer life of Ship. “Ghenta o ne bharvaad jem haanke tem hankaai” Ane Jiyaare Jivan ma Hitler ke Sadaam Husen jevaa bharvaad hoi tiyaare baki na ghenta jem dorve tem dorai….. jaan jase to bijaa ni maari thidu jase! Ane jo hoon maaraa bharvaad na khaiya pramaane na karoo to maare tora maathi mukti levi pade. Ane aavi mukti mara jivan ne kem poshay?

    Etle j to aap ne kahiye ke jiske haath main laathi wo le jayegaa bhensh…..Ane aame y chor chori karti vakhate kiya vicharto hoi chhe!

    Like

  2. ઈંદીરા ગાંધીના મૃત્યુ પછી જે નરસંહાર થયેલો એ આવાજ પ્રકારનો હતો…… રાજધાની ટ્રેનમાં મથુરા અને દેલ્હી વચ્ચે ગાડી ઉભી રખાવીને સરદારોને ગોતી ગોતીને પાઘડી સહિત જલાવી-સળગાવી દીધા હતાં….., દીલ્હી તો ઠીક, ઠેઠ ઈંદોર અને મધ્ય પ્રદેશ સુધી આવો નરસંહાર ચાલેલો…. નાઝીઓના સંહાર પછી કોઈક મારાઓ ગોતાયા તો હતાં, જ્યારે આજે ૩૦ વરસ પછી પણ દીલ્હીના ભયંકર નરસંહાર માટે કોઈ ગોતાયુંજ નથી…..!!!!!

    લેખ વાંચતાં દિલમાં કંપારી છુટે-હચમચાવી દયે છે, તો એ લાચાર-કમનસીબ માણસોની કેવી દશા થઈ હશે…????…

    WordPress.co

    Like

  3. ઈંદીરા ગાંધીના મૃત્યુ પછી જે નરસંહાર થયેલો એ આવાજ પ્રકારનો હતો…… રાજધાની ટ્રેનમાં મથુરા અને દેલ્હી વચ્ચે ગાડી ઉભી રખાવીને સરદારોને ગોતી ગોતીને પાઘડી સહિત જલાવી-સળગાવી દીધા હતાં….., દીલ્હી તો ઠીક, ઠેઠ ઈંદોર અને મધ્ય પ્રદેશ સુધી આવો નરસંહાર ચાલેલો…. નાઝીઓના સંહાર પછી કોઈક મારાઓ ગોતાયા તો હતાં, જ્યારે આજે ૩૦ વરસ પછી પણ દીલ્હીના ભયંકર નરસંહાર માટે કોઈ ગોતાયુંજ નથી…..!!!!!

    લેખ વાંચતાં દિલમાં કંપારી છુટે-હચમચાવી દયે છે, તો એ લાચાર-કમનસીબ માણસોની કેવી દશા થઈ હશે…????…

    Date: Mon, 3 Nov 2014 00:37:45 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  4. નીતિમત્તા તરફથી નિવૃત્તિ એકંદરે માનવસમાજ માટે ભયજનક છે.
    સાચી વાત અનેક દ્રુષ્ટાંતથી સમજાવવા બ્દલ ધન્યવાદ

    Like

  5. કોઈના ગુન્હાનાં ઉલ્લેખે તમારા ગુન્હા સ્વીકારાય-પમ્પાળાય નહિ-જ …અને આજે એક તરફ ISIS નાં સાથી આતંકી-સાથી અલ-કાયદા+બોકોહરામ+IM+ISI છે તો બીજી તરફ અમેરિકાની સાથે NATO છે … અમેરિકા તે ઈરાકને બરબાદ કરી હવે સીરીયાને પણ સમાપ્ત કર્યું …અને વિશ્વ આ વિનાશકારી વિખવાદ ચુપચાપ જોઈ રહ્યું છે …
    .
    #
    દુનિયા જાય તેલ લેવા … અહી ભારતે કેરલા-બંગાળ-કાશ્મીરમાં આતંકીઓનો નાશ જરૂરી છે … પહેલા આપણે અહી દેશ-વિરોધી તત્વોનો નાશ જરૂરી છે જેમાં મોટા-નેતાઓના માથા લેવા પડે એમ છે … કારણકે આતંક-વાદને સપોર્ટ તે તેમની આડ-કતરી નીતિ છે …ઉઠાવો સાલાઓ ને …

    Like

  6. સૌથી પહેલો નરસંહાર કરનાર પરશુરામ હતા. તેમણે એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી તેમ મનાય છે. તે કાંઈ એકલે હાથે તો નહિ કરી હશે. જો આ વાત કાલ્પનિક હોય તો આવી કલ્પના કરીને તેમના વખાણ કરનારની અને તેમને અનુસરીને પૂજા કરનારી આપણી પ્રજાની મનોવૃત્તિ કેવી ગણી શકાય?

    પહેલા નરસંહારનો લેખિત દાખલો બાઈબલમાં છે. ઇઝારએલના બાર પુત્રો પૈકી સીમીઓન અને લેવાઈએ બધા હિવાઈટ પુરુષોને કપટથી મારી નાખ્યા હતા. તેની ટીકા નથી થઇ. એટલે તે કૃત્યને અનુમોદન આપેલું ગણી શકાય.

    ઉપરી અધિકારીના હુકમનું પાલન ના કરવાની છૂટ બધા લેવા માંડે તો અરાજકતા સર્જાય. છતાં આવા ગંભીર આદેશ સમયે તેનું પાલન ના કરવાની નૈતિક જવાબદારી બને છે.

    ઇન્દિરા ગાંધીના રક્ષણ માટે જેમની નિમણુક થઇ હતે તેમણે જ દગો કરીને ઇન્દિરાને મારી નાખ્યા. તે મૂળભૂત કારણને અવગણીને તે દુષ્કૃત્ય પ્રત્યેના પ્રજાના પ્રતિભાવમાં થઇ ગયેલા અતિરેકને જ વગોવ્યા કરવો તે વ્યાજબી નથી. તેવી જ રીતે ગોધારાકાંડ સમયે થયેલા હત્યાકાંડને મૂલવવો જોઈએ.

    Like

  7. સૌથી પહેલો નરસંહાર પરશુરામે કરેલો. તેમણે એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી એમ મનાય છે. એક વાર કરી હોય તો પણ ખરાબ, એકવીસ વાર તો અત્યંત ખરાબ. છતાં તેમની પૂજા કરવામાં આવે છે તે કેટલું યોગ્ય છે? આપણી મનોવૃત્તિ કેવી ગણાય?

    બીજો લેખિત પ્રસંગ બાઈબલમાં છે. (જીનેસીસ 20 મું પ્રકરણ). ઇઝારએલના બાર પુત્રો પૈકી બે, સીમીઓન અને લેવાઈએ કપટથી બધા હિવાઈટ પુરુષોને હણી નાખ્યા હતા. તેની કશી ટીકા કરવામાં નથી આવી. મૌન અનુમોદન આપ્યું ગણી શકાય.

    ઉપરી અધિકારીના હુકમનું પાલન ન કરવાની છૂટ બધા લે તો અરાજકતા સર્જાય. છતાં મારી નાખવા જેવી ગંભીર આજ્ઞા પાળવાનું ફરજીયાત ના ગણાય.

    ઇન્દિરા ગાંધીનું રક્ષણ કરવા માટે જેમને રાખવામાં આવ્યા હતા તેમણે જ દગાથી તેમને મારી નાખ્યા તે મૂળભૂત કારણને અવગણીને તેના પ્રતિભાવમાં પ્રજાના થોડા અંશોએ અતિરેક કર્યો તેની જ ફરિયાદ કર્યા કરવી તે યોગ્ય નથી. તેવી જ રીતે ગોધરાકાંડ સમયે લોકોના સ્વયંભુ પ્રકોપ માટે ગુજરાત સરકાર એકલીને દોષ દીધે રાખવો તે પણ ખોટું છે.

    Like

  8. સામુહિક નરસંહારનું બીજ ‘વયં’ (સામુહિક અહંમાં) હોય છે. તેનો અતિરેક થાય ત્યારે સામુહિક તિરસ્કાર પેદા થાય છે. ‘અમે આર્યનો સર્વશ્રેષ્ઠ છીએ’ તેવો વયં હિટલરે જર્મન પ્રજામાં જગાવ્યો અને તેમાંથી ‘યહુદીઓ જીવવાને લાયક નથી’ એવો સામુહિક તિરસ્કાર ઉભો કર્યો. પરિણામ હોલોકોસ્ટ માં આવ્યું.
    સ્પેનની રાણીએ કોલંબસને ‘ઇન્ડિયા’ જવા માટે આદેશ અને પૈસા આપ્યા તે વેપાર માટે નહિ પણ ત્યાની પ્રજાને ખ્રિસ્તી બનાવવા માટે. પશ્ચિમ ગોળાર્ધના ‘ઈન્ડિયનોનો’ (ભારતવાસીઓનો નહિ પણ અસલ સ્થાનિક અમેરિકાવાસીઓનો) કચ્ચરઘાણ તેણે અને તેના પછી પહોંચેલા યુરોપિઅનોએ કેવી રીતે કરેલો તેનું વર્ણન કમકમા ઉપજાવે તેવું છે.
    સામુહિક તિરસ્કાર દુધના ઉભરા જેવો અલ્પજીવી પણ હોઈ શકે. ઇન્દિરા ગાંધીના કપટવધ અને ગોધરાકાંડ પછી આવો જુવાળ થયેલો પણ શમી ગયેલો.

    Like

  9. આપણાં બધામાં એક હિટલર સુષુપ્ત અવસ્થામાં પડેલો હોય છે, સુષુપ્ત કેન્સર કોષ ની જેમ…. કયું ટ્રીગર એને જગાડે અને ફેલાવે છે એ શોધીને જ ઈલાજ થઇ શકે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s