શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

12 thoughts on “શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ”

  1. તર્કબઘ્ઘ અને સુશુપ્ત મગજના સેલોને કાર્યરત કરતો લેખ. શંકરે ત્રીજી આંખ ખોલેલી કે નહિં તેની ચિંતા છોડીને મને લાગે છે કે વાચકની ત્રીજી આંખ તો ખોલી જ નાંખી છે……જ્ઞાન તો અાપી દીઘુ જ છે. અભિવ્યક્તિના શ્રી મુરજી ગડાજીઅે આવાં લેખો તેમનાં બ્લોગ ઉપર મુકવાં જોઇઅે અેવું મારું મંતવ્ય છે. હાર્દિક અભિનંદન. લાભ મળશે કે નહિની ચિંતા છોડીને બાપુ તમે તમારો યજ્ઞ ચાલુ રખો..હમ આપકે સાથ હૈ….દયાનંદ સરશ્વતિ જેવો અંજામ ૨૧મી સદીમાં નહિ અાવે.

    Like

  2. હવે
    ઘણી જગ્યા પ્રતિકાત્મક દૂધ ચઢાવી બાકીનું ગરીબોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે
    બીલીપત્ર ધોઇ તેનો રસ કે સુકવીને ચૂર્ણ વાપરવામાં આવે છે
    વિષ્ણુ સહસ્ત્ર નામ વખતે ચઢાવવામા આવતી તુલસી તો અમે ભેગી કરી ધોઈ ઉપયોગ કર્યો છે
    હવે આવી તુલસીનું ચૂર્ણ અહીં પણ મળે છે
    ફૂલો જવી પુજા સામગ્રીનું ખાતર બનાવવામા આવે છે તે વાત જુની થઇ
    હવે ખેતીની સુધારેલી પધ્ધતિથી દવામા વપરાતી વનસ્પતિઓ નુ ઉત્પાદન વધ્યું છે અને અમેરીકા જેવા અનેક દેશોમા તેની નીકાશના આંકડા જોતા ખ્યાલ આવે છે

    Like

  3. Bhupendrabhai…aapna deshma kahevatu sikshan vadhya pachhi ane temay RSS ane BJPni lok manas par pakkad vadhya pachhi andh shraddhanu ghodapur umatyu chhe.Have e bhanelane kaink tarkik vat karo to evu kaheshe ke ame pan bhanela chhie….Amne samaj nahi padti hoy..?Ane abhan kahesheke tame amne shu doba hamjo chho?
    E rite banne na EGO tamari tarkik vat samjva taiyar hota nathi.!
    Baki tamara nprayaso stutya chhe.
    DUKH E VATNU CHHEKE SIKSHAN NA PRASAR PACHHI PRISTHITI VADHU NE VADHU VANASATI HOY EM LAGE CHHE.JEVU DESHNU BHAGYA!!
    pL.ACCEPT ME AS FRIEND IN FB.

    Like

  4. વેદમાં કશેક લખ્યું છે કે चराति चरतो भग: એટલે કે ચાલે તેનું ભાગ્ય ચાલે,
    સુતેલાનું સુતું રહે. તેથી જ તો ‘ડાહ્યો દીકરો દેશાવર ભોગવે’. તો યે બેસી
    રહેનારાઓ ચાલવાવાળાને વગોવવામાં કસર રાખતા નથી.

    જૂના મંદિરોના પાયામાં સોનું રૂપું અને ઝવેરાત દાટવાનો રીવાજ હતો તે કાઢવા
    માટે લુટારાઓ મંદિરો તોડતા હતા, ધાર્મિક વિરોધને લીધે નહિ.

    मा निषाद प्रतिष्ठां त्वमगम: शाश्वती समा: |
    यत्क्रौञ्चमिथुनादेकं अवधी: काममोहितम् ||

    કહેનાર વાલ્મીકિનો પણ સંદેશ એ જ છે કે સંભોગરત યુગલને ખલેલ ના પહોંચાડો.

    2014-07-30 7:43 GMT-04:00 “કુરુક્ષેત્ર” :

    > Bhupendrasinh Raol posted: “શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર
    > શરુ. અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે.
    > બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં
    > કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો
    > બ”

    Like

  5. Good!

    Mahendra Shah
    Cartoonist, Artist.

    2014-07-30 7:43 GMT-04:00 “કુરુક્ષેત્ર” :

    > Bhupendrasinh Raol posted: “શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર
    > શરુ. અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે.
    > બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં
    > કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો
    > બ”

    Like

  6. બહુ જ સચોટ ચાબખા।

    આપણા ઋષીઓ આપણું મનોવિજ્ઞાન સમજતા હતાં ! એમણે શાસ્ત્રોમાં એવી વાત મૂકી છે કે, ભૌતિક રીતે કરતી પૂજા કરતા માનસી (માનસિક કલ્પના) પૂજા દ્વારા વધુ ફળ મળે છે. દેવીભાગવતમાં નવરાત્રી પૂજનમાં આ વાત કહેલી મેં પોતે વાચી છે.

    તો, સાચા ભક્તો, બીલીપત્ર અને દૂધ ચઢાવવાને બદલે માનસિક કલ્પનાઓ દ્વારા શિવલિંગ પર દૂધ ચઢાવી બીલીપત્ર અર્પણ કરો. આવી રીતે મન પણ મજબુત થશે અને પર્યાવરણ પણ બચશે!

    Like

  7. એક નવું અને ઘણું જ ખતરનાક રૂપમાં ઉભરી રહેલું “ભક્તિ જેહાદ” શું છે ? અને આ કેવી રીતે કામ કરે છે ?
    એનાથી પણ વધારે શું તમે એવું વિચાર્યું છે કે માત્ર થોડા જ વર્ષોના પ્રયાસથી સાઈબાબા , નિર્મળ બાબા આશારામ અને બીજા દુનિયામાં મોટા મોટા મંદિરો બાંધવામાં માહેર વગેરે પોતાને ભગવાનના રૂપમાં સ્થાપિત કરવામાં કેવી રીતે સફળ થઇ ગયા ? આના જવાબમાં સાદી ભાષામાં એટલું જ કહેવાય કે લોકોની મૂર્ખતા અને અંધ ભક્તિ છે ….
    એવું લાગે છે કે આજના સમયમાં હિંદુ ધર્મ અને ધર્મગ્રંથોને સમજવા અને સમજાવવાવાળા ગુરુઓની અછત દેખાય છે . આપણા મંદિરમાં પંડિતો પુજારીઓ તો ઘણા છે પરંતુ તે બધી વાતો ધર્મ અને ભગવાનથી જોડી દે છે . આપણા મંદિરોના પુજારીઓ અને સંચાલકો આજના ઝડપી અને યાંત્રિક યુગમાં પણ ચંદ્રગુપ્ત જમાનાના નિયમોથી ધર્મને ચલાવવા અને સમજાવવા માગે છે જ્યારે આજે અંગ્રેજીમાં ભણેલા લોકો દરેક વાતને તર્કના સહારે સમજવા માંગે છે પરંતુ આપણા પૂજારી અને મંદિરના ટ્રસ્ટીઓ લોકોને તર્ક સંગત જવાબ આપી તેઓને સંતોષ કરવામાં અને ધર્મમાં લોકોની આસ્થા વધે તેની જગ્યાએ લોકોને અલગ જ શિખામણ આપે છે કે જો તમે આમ કરશો તો તેમ થશે. જો ભગવાન ને એક નારીયેલ ચઢાવશો તો તમારી નોકરી કે પ્રમોશન પાક્કું થઇ જશે.
    ભાવાર્થ એ છે કે જાણકારીનો અભાવ અને સ્વાર્થના કારણે હિંદુ સનાતન ધર્મ અને ભગવાનની પૂજાને આધ્યાત્મ અને શાંતિના માર્ગને બદલીને વ્યવસાયિક રૂપ આપી દીધું છે અને લોકોને કહેવામાં આવે છે કે ભગવાનને 251 કે 5001 રૂપિયા દાનમાં આપી ભગવાન પાસેથી મનનો માણીગર (વર) માગી શકાય છે અને આપણી આ કમજોરીને … શિરડી સાંઈના સ્થાપીતો બરાબર સમજી ગયા અને પછી આજ હથિયાર આપણા શ્રદ્ધાળુઓ પર ચલાવ્યું અને તેવોએ આધુનિક માધ્યમોનો ઉપયોગ કર્યો જેમ કે એસ એમ એસ કરવા , પત્રિકાઓ છપાવવી , પરચાઓની માહિતી છપાવવી , જો તમે સાંઈના દર્શન કરશો તો સાંઈ તમારું ભલું કરશે વગેરે વગેરે . વળી પાછા મેસેજમાં સંદેશો હોય કે જો તમે આ મેસેજ 20 વ્યક્તિને ફોરવર્ડ નહિ કરો તો મોટું નુકસાન થશે એવી વાહિયાત વાતો ફેલાવી ડરાવવામાં આવે છે. ભગવાન મનુષ્યના કલ્યાણ માટે હોય છે નહિ કે નુકસાન પહોચાડવા માટે માટે આવી ભ્રામક અંધશ્રદ્ધારૂપી માન્યતાઓથી બહાર આવવાની જરૂર છે આપણે પહેલાથી જ આવી ભલીભોળી વાતોથી ભરમાતા તેથી કઈ નવું વિશેષ પૂછવાનું કારણ નહતું એટલે આ રીતે આપણે તેવોની જાળમાં ફસતા ગયા અને સાંઈ ભગવાન થતા ગયા. બાકીના બીજા બાબાઓ આજ રાહ પર ચાલ્યા પણ સાંઈબાબા જલ્દી બજારમાં પ્રચલિત થઇ ગયા અને બીજા હજુ સંઘર્ષ કરે છે એટલા માટે જો આપણે ભવિષ્યમાં આવી ઘટનાઓ અને નવા નવા સ્વઘોષિત ભગવાનોને અટકાવવા હશે તો આપણે આપણા મંદિરોની વ્યવસ્થા સુધારવી પડશે અને તર્કના આધારે સનાતન ધર્મની વ્યાખ્યા અને પૂજાનું જીવનમાં મહત્વ વિષે જે સમજાવી શકે તેવા લોકોને સ્થાન આપવું પડશે અને વૈજ્ઞાનિક પધ્ધતિ અને પૂજાને સરખાવી પૂજા અને ભગવાનની આસ્થા જગાવવી પડશે અને જ્યાં સુધી આવું નહિ થાય ત્યાં સુધી કોઈપણ દેશી કે વિદેશી કોઈને પણ પકડી લાવી ભગવાન બનાવવાનો સાહજિક પ્રયત્ન કરશે અને હું સાંઈભક્તોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને સાંઈ બાબાનો ફોટો આપણા સનાતન ભગવાન સાથે મંદિરોમાં રાખી આપણા જ સનાતન ભગવાનનું અપમાન ના કરો કેમ કે હિન્દુઓની આસ્થાનો થતો આ તો નર્યો દુરુપયોગ છે .

    Like

  8. વાહ ! વાહ !! એમ લખું ?
    કે, મારી રીતે વખાણ કરૂં ?!

    તો, સૌ પ્રથમ તો લેખના મથાળામાં એક ભુલ છે ! “શ્રદ્ધા”ના નહિ, “અંધશ્રદ્ધા”ના મહાપુર…
    સ્વામી વિવેકાનંદે કહેલું: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે જ નાસ્તીક છે.’ અને મનાય છે કે નાસ્તીક હોય તે શ્રદ્ધાળુ ન જ હોય !! એટલે પછી બીચારા અંધશ્રદ્ધાળુ બને…જાતમાં શ્રદ્ધા હોય નહિ એટલે વધુ પડતા તો ધર્મસ્થાનકોના, બની બેઠેલા ઈશ્વરોના, કહેવાતા બાપુ બાવાઓના, ભુત ભુવાઓના, તાંત્રીક માંત્રીકોના, ઠેકઠેકાણેના, ચક્કરો લગાવે રાખે…બાર પૈસાની ટીકડીથી ભાગે તેવા તાવને ભગાડવા બાર રૂપિયાનાં નાળિયેરો ફોડતા રહે ! શું થાય ? જાતમાં શ્રદ્ધા નથી, દાક્તરમાં શ્રદ્ધા નથી, પેપર ભરી આવ્યા તો જે લખ્યું છે તે સાચું જ હશે એ વાતમાં શ્રદ્ધા નથી, મહેનત કરી છે તો પારિશ્રમિક પ્રાપ્ત થશે જ એ વાતમાં પણ શ્રદ્ધા નથી, અરે ઉપર એકાદ બે શાસ્ત્રવચન ટંકાયા છે એવા કોઈ શાસ્ત્રવચનમાં પણ શ્રદ્ધા નથી, એટલે પછી…પ્રાચીન મંદિરોની દિવાલો પરનાં પ્રેમમગ્ન જોડાંઓના શિલ્પોને, શ્રદ્ધાના અભાવે, વિસરી પ્રેમમગ્ન પારેવાઓને પથ્થરો મારે રાખે… ‘મા શૂચ’ના વચનમાં શ્રદ્ધા નથી એટલે ચિંતાતુર બની દોરાધાગા બાંધે રાખે..

    ટુંકમાં, શ્રદ્ધાને લીધે નહિ પણ શ્રદ્ધાને અભાવે અંધશ્રદ્ધામાં ગલોટીયાં ખાધે રાખે. બાકી ઉપનિષદ તો સિંહની જેમ ત્રાડી “અભો”નો પોકાર કરે છે. પણ “અભો” (અભય) શ્રદ્ધાવાન સબળ માટે છે, અંધશ્રદ્ધાળુ દૂર્બળને તો દોરાધાગા જ બરાબર છે !!! એમાં વળી આપના જેવા યોદ્ધાઓ (કુરુક્ષેત્રે વળી બીજું કોણ હોય ?) એ દૂર્બળોને ત્રાડતા શિખવવાની હઠ ઝાલે. એટલે હાલત થાય પેટ છૂટેલાએ શંખનાદ કીધા જેવી ! બાપુ, પ્રથમ તો અમ જેવા બીચારાઓનાં પેટ કઠણ કરવાનો કોઈક કિમિયો દેખાડો, શંખનાદનું શૂરાતન પછી ચઢાવજો ! સમજાયું ? ધન્યવાદ.

    Like

    1. અશોકભાઈ હું વિવેકાનંદ કરતા જરા જુદું કહું તો જેને પોતાનામાં શ્રદ્ધા છે તે જ નાસ્તિક બનવાની હિંમત કરતો હોય છે. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ભગવાન, ગુરુઓ ધર્મ, વગેરેના અવલંબનની જરૂર પડે. જે લોકો આત્મશ્રદ્ધાળુ નથી હોતા તે લોકો અંધશ્રદ્ધાળુ હોય છે. શ્રદ્ધા નું ઓપોજીટ અંધશ્રદ્ધા નહિ આ બંને તો ભાઈઓ જ છે. શ્રદ્ધાનું ઓપોજીટ અશ્રદ્ધા થાય.

      Liked by 1 person

  9. શ્રદ્ધા અને અશ્રદ્ધા બંનેના લાભાલાભ સમજીને તેમનો સુભગ સમન્વય કરવો જોઈએ. શ્રદ્ધા સિદ્ધાંતો પ્રત્યે રાખવી નહિ કે વ્યક્તિ કે વાર્તાઓ પ્રત્યે.

    Like

  10. Om Namah Shivay we must do Naam-Jaap in Kaliyug particularly in Shrawan and keep self confidence.Earlier temples were so reach like Somnath now Tirupati Balaji they must start investing for good of people like Hospital,educational help,Farmers are doing suicide so study it and help with temple money to come out of it case by case,solve water problem,do apply management of change by Managing its trust money for good of people who are donating for purpose to help Poors and needy in Hinduism,to prevent attacks of Gazani appoint retired military young persons with latest guns for Temple security make army of such people to protect Temple and Hinduism,free food as prasad every day and so on…..similarly use of recycled BilliPatra,Milk for Shivaji in value adding purpose of devotees
    ….. Hari Om Tat SAtt

    Like

Leave a comment