આ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?
પ્યારા મિત્રો,
તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.
બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.
માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે, ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ, મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.
કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.
હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે તે ઘેર બેઠા મેળવીને વાંચવું હોય તો અહી ક્લિક કરો.. ધૂમખરીદી.કોમ
Did not work. A message appeared stating that the details would be
transmitted to an unsafe web unscripted site from which a third party could
read the info about my credit card. Therefore, I cancelled my order by
closing the browser.
LikeLike
Bhupendrasinh – (તમ)ને 2-વર્ષથી વાંચું છું … એટલે અમુક તારણ તમારા લખાણ ઉપર કરી શકું અને તેમાનું એક એટલે કે –
“આ પુસ્તક ને “પુસ્તક” કે “બુક” નાં કહેવાય …
તેમાં જે પણ અભિગમ-કારણો-તથ્યો-પુરાવા આલેખાય છે તે મુજબ આ તે પ્રિન્ટેડ-આવૃત્તિને – “માનવ વિચાર-આચરણ-વર્તન ની વૈજ્ઞાનિક-અભિગમ ધરાવતી – “Hand-Book = માર્ગ-દર્શિકા” કહી શકાય …”
LikeLike
આપણી બધી સમશ્યાઓ સેક્સને લગતી નથી હોતી. બધી જાતે ઊભી કરેલી પણ નથી હોતી.
LikeLike