ગપોડી લેખકો (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૫)

ગપોડી લેખકો (રેડબડ Jawaharlal_Nehru_and_his_family_in_1918ગામગપાટા,  ન્યુ જર્સી-૫)

થોડા દિવસથી અમારી ગામગપાટા મંડળીમાં સુરેશભાઈ ઉમેરાયા છે, છ મહિના માટે ઇન્ડીયાથી અહીં દીકરાના ઘેર રહેવા આવ્યા છે. દેશમાં તો નવરા હોય એટલે મિત્રો મળી જાય, પોળના નાકે બે ચાર મિત્રો ભેગા થઈ જાય થોડું આમતેમ ચાલી આવે એટલે સમય પસાર થઈ જાય, અથવા ઘરના ઓટલે બેઠા હોય ત્યાં બીજા અડોશપડોશનાં લોકો આવીને બેસે એટલે વાતોના દોર માં સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. પણ અહીં સમય પસાર ક્યાં કરવો? અહીં કોઈ નવરું હોય નહિ. પુત્ર અને પુત્રવધૂ બંને નોકરી કરતા હોય, બાળકો સ્કૂલમાં હોય કે કૉલેજમાં હોય તે પણ એમની કંપનીમાં મસ્ત હોય, વળી અહીં ગુજરાતી છાપાં પણ મળે નહિ અને મળે તો એક ડોલર આપવો પડે એટલે ગણતરી મનોમન થઈ જાય કે ૬૦ રૂપિયાનું એક છાપું? એટલે ખરીદવાનું મન થાય નહિ. થોડા દિવસ તો ઘરમાં ભરાઈ રહ્યા પણ સ્ટ્રીટમાં લોકોને ચક્કર મારતા જોઈ તે પણ બહાર આવ્યા અને ધીમે ધીમે અમારી મંડળીમાં જોડાઈ ગયા.

સુરેશભાઈ બહુ વિદ્વાન માણસ છે. એમની વાતોમાં ઓલ્ડ સ્કૂલની વાતો આવી જાય પણ નવું વિચારવા અને સ્વીકારવા પણ એટલા જ પ્રયત્નશીલ છે. આજે આવીને થોડી આમતેમ વાતો પછી કહે,

સાલું મોટા લોકોના મોટા પોલ હોય નહિ?

કેમ શું થયું? મેં સવાલ કર્યો.

‘અરે ! આ દીકરાએ કમ્પ્યુટર ઉપર સર્ચ કરીને ગુજરાતી છાપા વાંચવાનું શીખવ્યું છે તેમાં એક લેખ વાંચ્યો તો એમાંની વાતો વાંચી દુખદ આશ્ચર્ય ઉપજ્યું.’

‘હા ! પણ માંડીને વાત કરો તો ખબર પડે.’

‘અરે ! ભાઈ આ સુનંદા થરૂરે આપઘાત કર્યો તે વિષે લેખ વાંચતો હતો એમાં મોટા કહેવાતા લોકોના લફરાં વિષે વાંચ્યું તો જરા દુઃખ થયું. એમાં આપણા માજી મરદ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પતિ ફિરોજ ગાંધી કેમ છુટા પડી ગયા તેનું કારણ જાણી દુઃખ થયું.’

‘હું ખડખડાટ હસી પડ્યો, તમે જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુ અને ફિરોજ ગાંધીના અફેરની વાત વાંચી લાગે છે ખરું ને?’

‘હા ! તમને કઈ રીતે ખબર પડી ગઈ? કમલા નહેરુ અને ફિરોજ ગાંધીનો અફેર ઈન્દિરાજી જોઈ ગયા એમાં બંને પતિપત્ની છુટા પડી ગયા સાલું માનવામાં નથી આવતું.’

મેં કહ્યું, મને ખબર પડી ગઈ કારણ મેં પણ તે લેખ વાંચેલો જ છે અને માનવામાં નથી આવતું ને તો માનશો જ નહિ કારણ આખી વાત જ મહાગપ્પું છે.’

‘અરે ! ગપ્પું હોતું હશે અમથું છાપામાં છાપ્યું હશે? અને છાપું પણ બહુ પ્રસિદ્ધ છાપું છે, માતબર છાપું છે.’

‘મેં કહ્યું છાપામાં આવે એટલે બધું સાચું જ હોય તેવું કેમ માની લેવું? છાપાનો તંત્રી નવરો હોય નહિ કે બધા આર્ટીકલ પૂરતી ચકાસણી કરીને છાપે. બહુ ઓછા લેખકો પુરતું રીસર્ચ કરીને લખતા હોય છે બાકી મોટાભાગના તો ગપોડી હોય છે.’

‘તો આખી વાત ખોટી છે?’

‘મેં કહ્યું તદ્દન ખોટી છે. થોડા દિવસ ઉપર વૈભવ અમીન નામના એક યુવાન અને જાગૃત એવા ફેસબુક મિત્રે આના વિષે એક નોટ મૂકી હતી. અને પુરતું રીસર્ચ કરીને કારણો પણ આપેલા કે આખી વાત લેખકે ઉપજાવી કાઢેલી છે. તે વાંચીને અમુક બાબતોની મને ખબર હતી છતાં મેં જાતે એની ચકાસણી કરેલી.imagesKRCGXJWC

‘સુરેશભાઈ બોલ્યા સાબિતી શું કે આ વાત ગપ્પ છે?’

‘મેં કહ્યું તમે આ વાત સાચી છે તેની સાબિતી આપો, મારી પાસે સાબિતી માંગો છો પણ પેલા લેખક જોડે માંગવાના ખરા?’

નિખાલસ સુરેશભાઈ હસી પડ્યા કહે વાત તો વાજબી છે સાબિતી માંગવી હોય તો બંને જોડે માંગવી પડે અથવા જાતે ખાતરી કરી લેવી પડે.’

‘મેં કહ્યું ચાલો જવાદો હું તમને વિચારવા માટે મજબુર કરું, મને ખબર તો હતી જ કે કમલા નહેરુ ઈન્દીરા અને ફિરોજનાં લગ્ન પહેલા મૃત્યુ પામેલા પણ વૈભવ અમીનની પોસ્ટમાં એની સાલ સુદ્ધાં વાંચવા મળી અને મેં પણ પછી ખાતરી કરેલી. કમલા નહેરુ ૨૬ ફેબ્રુઆરીનાં રોજ ૩૬ વર્ષની યુવાન ઉંમરે ૧૯૩૬મા મૃત્યુ પામેલા, ઈન્દીરા ગાંધી અને ફિરોજ ગાંધીના લગ્ન ૧૯૪૨મા થયેલા, ૧૯૪૪માં રાજીવ ગાંધીનો જનમ, ૧૯૪૬માં સંજય ગાંધીનો જન્મ થયેલો, હવે તમે જ વિચારો કે કમલા નહેરુનું ભૂત અફેર કરવા ફિરોજ ગાંધી પાસે આવતું હશે કદાચ. કમલા નહેરુના અવસાનના ત્રણ વર્ષ પહેલા ૧૯૩૩માં ફિરોઝ ગાંધીએ ઈન્દીરા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરેલી પણ ઈન્દીરા હજુ નાના છે તેમ કહી કમલા નહેરુએ ના પાડેલી. કમલા નહેરુ ટી.બી.નાં દર્દી હતા અને તેમાં યુવાન વયે મૃત્યુ પામેલા. ૧૯૫૨માં ફિરોઝ ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે એના ચૂંટણી પ્રચારની દોર ઈન્દિરાજીએ સંભાળેલી. નહેરુના સમયમાં થયેલા આર્થિક સ્કેન્ડલ જાહેર કરવામાં ફિરોઝ ગાંધી બહુ આગળ પડતા હતા, તે સમયે તેમના સસરા જવાહરલાલ વડાપ્રધાન છે તેની શરમ તેઓ રાખતા નહિ. લેખમાં બીજું પણ એક મહાગપ્પ મારેલું છે કે રાજીવ ગાંધીના જન્મ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધી છુટા પડી ગયેલા પછી સંજય ગાંધીનો જન્મ થયો તો સંજય ગાંધીનો પિતા કોણ? ૧૯૫૨માં ફિરોઝ ગાંધી લોકસભાની ચૂંટણી જીત્યા હતા તે ચૂંટણી પ્રચારની લગામ ઈન્દિરાજીનાં હાથમાં હતી. મતલબ ત્યાં સુધી તો બંને સાથે જ હતા.’

સુરેશભાઈ કહે સાલું આ તો ખરાબ કહેવાય આપણે કોંગ્રેસના કે નહેરુ-ગાંધી ફેમિલીના વિરોધી હોઈએ છતાં નૈતિક રીતે આવા કીચડ ઉછાળવા સારું તો નાં જ કહેવાય.

એજ તો પ્રોબ્લેમ છે ભારતમાં, વ્યક્તિ પૂજા અને વ્યક્તિ વિરોધ બે વચ્ચે પ્રજા રમ્યા કરતી હોય છે, ગ્રે શેડ તો કોઈને દેખાતા જ નથી. પશ્ચિમની સંસ્કૃતિ વિષે પણ આપણા લેખકો વગર જોયે જાણે આડેધડ ભરડે રાખતા હોય છે જે અહી આવીને અહીંની લાઈફસ્ટાઈલ જોયા અને અનુભવ્યા પછી ખબર પડી કે કેવા ગપ્પ હાંકે રખાતા હોય છે. એવું જ ભારત વિષે પણ લખાતું હોય છે કે ભારત એટલે જાદુગરો, મદારીઓ અને સાપોનો જ દેશ છે.

હવે અંબુકાકાનો બોલવાનો વારો હતો. અંબુકાકા કહે મારી એક રસપ્રદ સ્ટોરી સાંભળો, ‘ હું ૧૯૭૧માં બરોડા અગિયારમાં ધોરણમાં ભણવા આવ્યો ત્યાં સુધી ચા બિલકુલ પીતો નહોતો. અમે નાના હતા ત્યારે ઘરમાં ફક્ત મારા માતુશ્રી એકલા જ ચા પીતા હતા મારા પિતાશ્રી પણ ચા પીતા નહોતા. અમે ક્યારેક ચા પીવાની ઈચ્છા જતાવતાં પણ મારા ફાધરને ચા અમે નાના બાળકો પીએ તે ગમતું નહિ માટે અમને ચા મળતી નહિ. એકવાર પિતાજીએ એમની પાસે રહેલું એક આઝાદી પહેલાનું પ્રકાશિત થયેલું પુસ્તક વાંચવા આપ્યું એમાં રહેલા ખાસ પાનાઓ ઉથલાવવાના હતા. એમાં લેખકે લખ્યું હતું કે અંગ્રેજો એમના મડદા સાચવવા કોફીન પેટીમાં લાશની આજુબાજુ સુકી ચા ભરતા હતા પછી તે મડદા દફનાવી દેવામાં આવે ત્યારે પેલી ચા કાઢી લેવામાં આવે અને બઝારમાં વેચવા મુકાઈ જાય માટે આવી મડદા સાચવવા વપરાયેલી ચા પીવાય નહિ. આવું વાંચી હું તે સમયે છક થઈ ગયેલો અને સાચું માની લઈને કદી ચા પીવાની ઈચ્છા જતાવતો નહિ. પુસ્તકમાં લખ્યું હોય એટલે સાચું જ હોય તેવી એક માનસિકતા બંધાઈ જતી હોય છે. મારા પિતાજીએ એમની આખી જીંદગીમાં ચા પીધી નહોતી. પણ હું બરોડા ભણવા આવીને મિત્રોને વાદે ચા પીતો થઈ ગયેલો. હવે આજે મને થાય છે કે તે સમયે પણ લેખકો આવા જુઠ લખતા જ હતા.’

અમ્બુકાકાની વાત સાંભળી મને નવાઈ લાગી ચા પીવી સારી નહિ તેવું સાબિત કરવા લેખકે એ જમાનામાં પણ કેવું જુઠ લખ્યું હશે? ટૂંકમાં લખેલું બધું સાચું જ હોય તેવું માની લેવું વધુ પડતું છે.

આમ ગપોડી લેખકોની વાતો કરતા કરતા આજે અમે છુટા પડ્યા.

4 thoughts on “ગપોડી લેખકો (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૫)”

  1. Nice…ઘણી વખત ક્યારેક કોઇ લેખ વાંચતો ત્યારે તેની સત્યતા વિશે વિચારતો, પછી થતુ કે કદાચ મારા ધ્યાનમાં નહી હોય એટલે બાકી લખ્યુ છે તે સાચુ જ હશે ને… પણ આજે તમારો લેખ વાંચીને ખાત્રી થઇ કે શંકા જાય તો સમાધાન કરવાના બદલે સચ્ચાઇ ચકાસવી જોઇએ….. અને હવે આ નેટ જગતના યુગમાં… ગુગલ અંકલના રાજમાં આવી સચ્ચાઇ શોધવી અઘરી નથી…

    Like

  2. પિતાજીએ એમની આખી જીંદગીમાં ચા પીધી નહોતી.
    चाय के रंग को क्या जाने पूछो तो कभी पी है ?

    हंगामा है क्यों बरपा थोड़ी सी जो पी ली है
    डाका तो नहीं डाला चोरी तो नहीं की है

    उस चाय से नहीं मतलब दिल जिससे हो बेगाना
    मकसूद है उस चाय से दिल ही में जो खिंचती है

    सूरज में लगे धब्बा फ़ितरत के करिश्मे हैं
    बुत हमको कहें काफ़िर अल्लाह की मरज़ी है

    ना तजुर्बाकारी से वाइज़ की ये बातें है
    इस रंग को क्या जाने पूछो तो कभी पी है

    हर ज़र्रा चमकता है अनवर-ए-इलाही से
    हर सांस ये कहती है हम है तो खुदा भी है

    Like

  3. long-back the power of printed media we realized when people of India use to discus the highest-values life-love-war of the Hero of the Story “Ramayana” … Indian people do take the character of the mythological stories as real-one even today … Isn’t that enough proof that Printed-News-Stories do rule their mind and so the heart …

    Like

  4. Maro nano bhai marathi tran varsh naano ,tene ajsudhi kadiye cha nathi pidhi . Ame oiye tyare tene test karva agrah karie to ene ekavar evu kahyuke cha dhalay ene kapada par jevo dagh padi jay tevo dagh chaapivathichhatima ane hrudayma padi jay.me ene poochheluke tane vali evu kone kahyu? tyare ene kahyuke me vachyu hatu. Have mare ene kya ane kyare vachyu hatu e chokkas poochhavuj padashe ane janavu padashe.

    Like

Leave a comment