‘માનવ મન એક ચક્રવ્યૂહ’, મારું વધુ એક પુસ્તક.

વધુ એક પુસ્તક વાચકના માથે પ્રેમથી ફટકારું છું. મારા વાચકો પ્રેમપૂર્વક સહન કરી લેશે તેવી આશા છે જ.    scan0001book

પ્રસ્તાવના (માંથી થોડા અંશ)

ટોળાના ઘેંટા ઉભો રે’ જે, સાવજ ગરજે…..!

ફેસબુક ફ્રૅન્ડ દર્શિત ગોસ્વામીની વૉલ પર એક લેખ અનાયાસે જડી ગયો. ભાષા તેજાબી વિષય જવાબી. વર્ષો જૂના સવાલોના ધૂમધડાકેદાર ઉત્તર આપતો, અંધશ્રદ્ધાને ચીરતો સાયન્ટિફિક કન્ટેન્ટ. બચપણથી ફૉરિનના સાયન્સ મૅગઝીન્સ વાંચવાનો શોખ. બહુ ઓછા પ્રોફેશનલ ગુજરાતી પત્રકારો પણ આવા લેખો વાંચતા હોય છે. એવું જ ડિસ્કવરી, હિસ્ટ્રી, નેશનલ જિઅગ્રૅફિક જેવી ચેનલો પરની ડૉક્યુમેન્ટરીઝનું. એટલે નવાઈ લાગી કે આવું બધું વાંચી-જોઈને પછી એ ગુજરાતીમાં મૂકનારો સમરસિયો વળી કોણ હશે? નામ વાંચ્યું, ભૂપેન્દ્રસિંહ રાઓલ. જાણીતું ના લાગ્યું. લેખમાં લેખકો માટે તડાફડીની ભાષા એટલે કોઈ સાહિત્ય વિરોધી ‘કૅમ્પ’ના સદસ્ય હોવાની પણ શંકા ગઈ. આવું ઘણું વંચાઈને ભૂલાઈ જતું હોય છે, પણ આ ‘કુરુક્ષેત્ર’ (રાઓલ સાહેબના બ્લોગનું નામ)ના મહારથીના લખાણમાં જે જનોઈવઢ ઘાની રોકડી નિખાલસતા હતી, એ ભૂલાઈ જાય તેમ નહોતી.

ભારતને અને ગુજરાતને ભૂપેન્દ્રસિંહ રાઓલ જેવા ખુલ્લા મનના અભ્યાસુ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આધુનિક લેખકની જરૂર છે. કમ્પ્યુટર સ્ક્રીનથી બુકના પેજીઝ સુધીની આ સફર વાચકને પુસ્તક પુરુ કરે ત્યાં સુધીમાં વધુ બુદ્ધિમાન બનાવવા સક્ષમ છે. રાઓલસાહેબ ગોળ ગોળ જલેબી તળવામાં માનતા નથી. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી વાસ્તવિક વિચારોનો ધાણીફૂટ ગોળીબાર કરે છે. એમની આ આગવી સ્ટાઇલ અપીલિંગ બની ગઈ છે. ભૂપેન્દ્રસિંહ રાઓલને આવા કેસરિયા કરવા માટે ઝાઝેરા જુહાર. રંગ છે આ બુદ્ધિજીવી બાપુને. આવા પ્રકારના પુસ્તકના આતુર વાચક અને વિસ્મયવાદી લેખક તરીકે મને ઓવારણા લેવાનું મન થાય છે, ઘણી ખમ્મા વિજ્ઞાનવિચારક્રાંતિને !  :-જય વસાવડા, બ્લોક નં.-૯ અક્ષરધામ સોસાયટી , ગોંડલ: ૩૬૦ ૩૧૧,  ફોન નં.(૨૮૨૫)૨૨૩૭૭૬ મોબાઈલ- ૯૮૨૫૪૩૭૩૭૩  jayvaz@gmail.com    http://planetjv.wordpress.com/

નિવેદન (માંથી થોડા અંશ)

પ્યારા મિત્રો, મનોવિજ્ઞાન મારો પ્રિય વિષય રહ્યો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, બાયોલોજિ અને મનોવિજ્ઞાનનો સહિયારો અભ્યાસ કરીને વિકસાવેલા ઇવલૂશનરી સાઇકૉલોજી(Evolutionary psychology) વિષયને લક્ષમાં લઈને માનવ સ્વભાવના જટિલ રહસ્યો શોધવાનો પ્રયત્ન ઇવલૂશનરી સાઇકૉલાજિસ્ટ કરતા હોય છે. મેં પણ મારી અલ્પમતિ મુજબ આ બધાં વૈજ્ઞાનિકોને વાંચી, મનન ચિંતન કરી ભારતીય સંસ્કૃતિનાં સંદર્ભમાં લખવાનો પ્રયત્ન કરેલો છે. હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની સાઇકૉલોજી વિષે આપણાં સાઇકૉલાજિસ્ટ લખતા જ હોય છે, પણ મેં અહીં હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની બાયોલોજિ વિષે લખ્યું છે, જે ગુજરાતી લેખન જગતમાં આ રીતે લખવાનો કદાચ પહેલો પ્રયાસ હશે.

scan0002bookઅતિવ્યસ્ત હોવા છતાં જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં ‘અનાવૃત’ અને ‘સ્પૅક્ટ્રોમિટર’ કૉલમ લખતા સૌથી વધુ વંચાતા, હાલના સૌથી વધુ લોકપ્રિય લેખક, લોકપ્રિય મોટિવેશનલ પબ્લિક સ્પીકર અને પરમમિત્ર એવા શ્રી જય વસાવડાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું તે મારા માટે સૌભાગ્યની વાત છે. અમારી દોસ્તી વૈચારીક અખાડામાં કુસ્તી કરતા શરૂ થઈ હતી. એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે.

ડૉ શ્રી. અમૃત હઝારી અને શ્રી. દીપક ધોળકિયા સાહેબ જેવા મિત્રોએ આ પુસ્તક વિષે એમનો બહુમૂલ્ય અભિપ્રાય આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર દિનેશભાઈ પટેલ અને ડૉક્ટર કેતન પટેલ જેવા મિત્રો નિયમિત પ્રોત્સાહન આપતા રહેતા. મારા લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થાય તેવો એમનો ખૂબ આગ્રહ રહેતો. બંને મિત્રોએ આ પુસ્તક પ્રકાશન બાબતે આપેલો નૈતિક અને આર્થિક ફાળો પણ મારા માટે અમૂલ્ય છે. બંને મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

મારા નાના ભાઈશ્રી પ્રદીપસિંહ રાઓલ(લેખક-અંતહીન યાત્રા) જેમણે આ પુસ્તક પ્રકાશન બાબતે તમામ જવાબદારી સંભાળી તે માટે એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે. ગુજરાતી બ્લૉગ જગતના મિત્રોએ અવાનવાર પ્રતિભાવ આપી મને કાયમ પ્રોત્સાહિત કર્યો છે તે માટે તમામ બ્લૉગર મિત્રોનો પણ આભાર માનું છુ. ફેસબુક વિશ્વના મિત્રોએ કાયમ કૉમેન્ટ્સ-લાઈક આપી મારો લખવાનો ઉત્સાહ વધાર્યો છે. ફેસબુક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વૈજ્ઞાનિક રિસર્ચ અને માહિતીનાં મોતી મારા આગવા ચિંતમનન રૂપી દોરામાં પરોવીને મૂકેલી આ માળા એટલે આ પુસ્તક ‘માનવ મન એક ચક્રવ્યૂહ’. એકવાર જપશો તો વારંવાર આ માળા જપવાનું મન અવશ્ય થશે તેવી મને આશા છે.  :- Bhupendrasinh Raol , Edison, NJ 08817 U.S.A. Mobile No. +1 7324066937

e-mail : brsinh@live.com

પ્રાપ્તિસ્થાન :

૧) અશોક પ્રકાશન મંદિર, પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે ગાંધી રોડ, અમદાવાદ. ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦ Email: scan0003bookhareshshah@yahoo.co.in

૨) નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ફોન- ૨૨૦૧ ૭૨૧૩ , ૨૨૦૮ ૫૫૯૩ Email: nsmmum@yahoo.co.in

૩) નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨ પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ અને જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ.

૪) બુક શેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.

૫) રાઓલ પ્રદીપસિંહ રતનસિંહ , ૨૦૧ રાજમંદિર એપાર્ટમેન્ટ, ૫/૨ પટેલ કૉલોની જામનગર. ફોન- ૯૯૯૮૯૯૩૫૧૫ Email: praol1810@gmail.com

૬) http://www.gujaratibooks.com/ ટૂંક સમયમાં આ વેબસાઈટ પર ઓનલાઈન મળી શકશે.

8 thoughts on “‘માનવ મન એક ચક્રવ્યૂહ’, મારું વધુ એક પુસ્તક.”

  1. અભિનંદન રાઓલજી. આ પ્રકારના અન્ય પુસ્તકો આપો અને તેને એટલી સફળતા મળે કે બીજા પણ એ દિશામાં વાંચાવા-વિચારવા-લખવા પ્રેરાય એવી અભ્યર્થના.

    Like

  2. Khoob khoob abhinanadan. Atyarana samayama aapana jevana Point blank puastakoj loko par dhari asra upjavi shake. Gol gol vatoma lakhata pustako vachine granth garabad ubhi thai shake. Aapana vicharo aavkary chhe ane tethij vadhar vanchay chhe.

    Like

  3. Dear Raol sir,

    yesterday only i just came across your book @crossword ahmedabad, i pip up few pages. it is really enhancing from d knowledge point of view. i like your special writing style. Let me tell you sir here in india/gujarat, everyone is not enough tech-savvy to read blogs etc..moreover internet is still not available with many rural people. in such scenario your gujarati book will really make sense and will spread knowledge with scientific view among the people.

    Congratulations!!

    Mehul Sakhia

    Like

Leave a comment