સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
મિત્રો વધુ વાંચવા માટે નીચેની લીંક પર જઈ તમારા સ્માર્ટ  ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો. ફ્રીમાં ઘણુબધું ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

200px-Somnath_temple_ruins_(1869)

11 thoughts on “સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું”

  1. very balanced write up-Greetings
    vallabhi na raja ae allauddin ne bolavelo-te ne marg ma aavata Siddhpur no Rudra mahalay bhangyo-ne khilajee masjid aek bhag ma banavi…aaje y tya muslim paddhati pramane pooja etc thay chhe…jyare Hindu side ma ta ma ne juna bhagn shiv ling na sthane java ke pani chadava va mate pela tholiya ni raja levi pade chhe…!!!Jay naraya vyas aa election ma harya te ma nu aek aa karan pan chhe.siddhpur Gujarat ma uddichya means uttar thi uatari ne aavela-spell ma audichya lakhay chhe-te 1008 hata with family so-they are audichya sahastra brahman…kahe vaaya…
    muslim akraman ne lidhe and ratavali-abu na paramaro ne patan ne lidhe and patan-vadnagar bhanga ta ghana brahman parivar sthalantar kri gaya..je saurashtra-shior baju gaya te shihor -halvad baju vala halvad samaj and amadvad baju vala sattar taluka audichya sahastra thaya.-ke kahe vaya
    je yuddh ma ye taki rahya te patan na audichya sahastra aaj pan badha ma ucha ganay-te baad siddhpur ma taki gayela and dharm parivartan karya vagar rahya te haji tya j chhe…saika o thi…je samuday convert thaya te Vahora thaya…te ma na ghana ni family names ma ne dhyan chhe tya sudhi 1960 sudhi…dave-trivedi-vyas etc hati…te baad thoda kattar loko aavya jemane jya vasvaat hato te pramane ke dhandha pramane vahora o ni atako-family names badalavi didha.aa aek kadavu satya chhe
    vatal pravrutti…same jaan nu jokham…te thi aek sampraday ma aaje pan Gupti jamat tarike prachalit chhe…je mo each third pedhi ae aek hindu naam apavama aave chhe…lagan-maran-janam ma chhtthi etc thhay chhe…
    kher…somnath mahadev vishe anekanek historical facts chhe.sampatti mate temaj Hindu ne nicha dekhadava mate j aa dharm sthan ne todavama avatu hatu…dhan sampatti te ma ye MAIN cause hatu and chhe j.
    jay mahadev…aum namah shivaay…shivaay namah aum

    Like

  2. રોમિલા થાપરનું લૉજિક મને પણ સમજાતું નથી. ધર્મ સબકોન્શિયસમાં ઘૂસેલો હોય છે એ વાત સાચી છે. મોલેસલામ ગરાસિયાઓ મુસલમાન હોય છે અને મીંઢળ બાંધવા સહિતના બધા હિન્દુ રિવાજો કરે છે અને તે પછી કાઝી નિકાહ કરાવે. પ્રણામી સંપ્રદાય બાબતમાં પણ કદાચ એવું જ છે. સુજ્ઞ વાચક કહી શકે. એમાં પણ બન્ને ધર્મોનાં વિધિવિધાન ચાલતાં હોવાનું સાંભળ્યું છે..

    Like

    1. મુમના, મેમણ, મોલેસલામ બધામાં એવું જ છે. અમદાવાદ નજીક પીરાણા બાજુ ખેડૂત વર્ગ પણ આવું જ કરતો હોય છે. હું તો જાતે લગ્નવિધિમાં ફોટા પાડવા ગયેલો છું. અને જાતે બધું જોએલું છે. રોમિલા થાપરનું લોજીક અજબનું છે. છતાં એમને પણ વાંચવા તો જોઈએ જ.

      Like

  3. બહુ જ ઝીણવટભરી માહિતી. અલબત્ત, મદીંર વાંરંવાર તૂટ્યું અને ત્યાં વિદેશી આક્રમકો આકર્ષાયા એની પાછળ એકલી ધર્માંધતા જવાબદાર નથી પણ મને લાગે છે કે સંપત્તિનું કેન્દ્રીકરણ વધારે જવાબદાર છે. ઈતિહાસને તોડવા અને મરોડવા સતત લાગી રહેલા રોમિલા થાપર જેવા, ચોક્કસ નંબરના ચશ્મામાંથી ઈતિહાસને નિહાળતા વિકૃત માનસના ઈતિહાસકારો અને એના સ્થાનિક પિઠ્ઠુઓને સતત ખુલ્લા પાડતા રહેવા જરૂરી છે જેથી આમ જનતા સમક્ષ હમેશાં સાચી કહીકતો જ પહોંચે.

    આ સરસ અને સમયસરના પ્રયાસ બદલ અભિનંદન!

    Like

  4. very much balanced views. Somnath is our pride for these reasons for sure. Jai Somnath. At least, there is a symbol that can bring some bravery to Hindus.

    Like

  5. મીત્ર : આક્રમણકારી મુસ્લીમો માટે સમજાવટ કે શીક્ષણ આપવાનો સમય નહોતો, એમને માટે તલવારની ધાર જ ધર્મ પરીવર્તન માટે સીધોને ટુંકો ટચ રસ્તો હતો.

    ઉપરમાં થોડોક ફરક મને ડંખે છે એ ઉમેરું છું.

    લાલ કૃષ્ણ અડવાણીની રથ યાત્રાઓ અહીંથી એટલે કે સોમનાથ મંદીરથી શરુ થઈ અને ૧૯૯૨ની ડીસેમ્બર છ તારીખના ઝનુની ટોળાએ અયોધ્યામાં બાબરીના ઢાંચાને તોડી નાખ્યું.

    ઉપરની ઘટના પછી હીન્દુઓ સહીષ્ણુ છે એના ઉપર કલંક લાગી ગયેલ છે.

    હીન્દુ વીરોધી આંતકવાદીઓ વારંવાર બાબરી ઢાંચાના મુદ્દાને આગળ કરે છે…..

    એટલે હવે સોમનાથના મુદ્દાને બદલે બાબરીનો ઢાંચો ઉપસી આવેલ છે.

    Like

  6. ભૂપેન્દ્ર ભાઇ એ બહુ રસપ્રદ માહિતિ આપી છે. શિવ લિંગ અને તેનું થાળું એ પુરુષ અને સ્ત્રીની જનનેન્દ્રીયનું પ્રતિક છે તે વાત બરાબર નથી. જોકે આ વાતને અમુક પુરાણોનું સમર્થન છે. પણ આવી વાત જે લખાઈ છે તે પૂર્વ મધ્યયુગી સંસ્કૃતમાં લખાઈ છે. અને પુરાણોમાં ઘણું ઢંગધડા વગરનું લખાયું છે. જેમ મનુસ્મૃતિમાં છે તેમ અને તેથી વધુ પુરાણોમાં છે. તેથી જ વેદોથી વિપરિત વાતો સનાતન ધર્મમાં માનવામાં આવતી નથી.

    વેદોને સમજી શકાય તેમ ન હોવાથી ઉપનિષદો લખાયા. અને તેપણ સામાન્ય માણસો ન સમજી શકે તેથી ગીતા લખાઈ. છતાં વેદ અને ઉપનિષદોનું મહાત્મ્ય તો રાખવામાં આવ્યું જ છે.

    શિવલિંગ એ જ્યોતિનું પ્રતિક છે કારણ કે વેદોનો મુખ્ય દેવ અગ્નિ છે. ઋગવેદની શરુઆત જ અગ્નિના મંત્રથી થાય છે.

    પુરાણોની ઘણી વાતો પ્રતિકાત્મક છે. શિવ અને વિષ્ણુ અનુક્રમે અગ્નિ અને સૂર્ય છે અને આ બાબતમાં ઉપનિષદ અને વેદમાં વિરોધ નથી. પણ આર્યોના આક્રમણની થીયેરીને આગળ ધપાવવા માટે અગ્નિ અને સૂર્યની શિવ અને વિષ્ણુની એકાત્મતા અને તેમાં રહેલા એક સૂત્રીપણાને અવગણવામાં આવ્યું. એક પૌરાણિક પ્રસંગને લક્ષમાં રાખી ને લિંગના જાતીય અર્થને ઉકસાવામાં આવ્યો. અર્વાચિન યુગમાં તો જર્ક અને અવનવું લાગે એવું લખવાની એક ફેશન છે. તેથી શિવલિંગને પુરુષનું જાતીય લિંગ અને શિવલિંગના થાળાને સ્ત્રીનું જાતીય લિંગ એવી સમજ વિકસાવવામાં આવી. જોકે પૌરાણિક કથાઓ પ્રમાણે શિવ વિનાશના દેવ છે અને બ્રહ્મા સર્જન ના દેવ છે. તેથી શિવ લિંગનો પ્રચલિત અર્થ બ્રહ્મા માટે વધુ અનુકુળ બનતો હતો. તો પછી તે અર્થ, શિવ માટે શા માટે સર્જવામાં આવ્યો? આ પ્રશ્નનોનો કોઈ તાર્કિક ઉત્તર નથી.

    આમ તો વેદોમાં શિવ એ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એમ ત્રણેનું સંચાલન કરનારા દેવ છે તેથી તેમને ત્રીમૂર્ત્તિ કહેવાય છે.
    શિવમંદિર એ બ્રહ્માન્ડનું પ્રતિક છે, કેન્દ્રસ્થ શિવલિંગ એ ત્રીમૂર્ત્તિ (મૂલતઃ બ્રહ્મ રુપાય, મધ્યતઃ વિષ્ણુરુપિણે, અગ્રતઃ શિવરુપાય) છે, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણ પ્રવૃત્તિ રુપી પ્રકૃતિ છે. તે બ્રહ્માણ્ડનો આત્મા છે. શિખરો, ધ્વજા, પાણી, ઘંટ, ઢોલ, વૃષભ, કાચબો, વાનર, ગણેશ, શક્તિ વિગેરે ઉર્જાઓ, સજીવોના અને નિર્જીવોના પ્રતિકો છે.

    આ બધી વાતોને અવગણી ન શકાય. છતાં પણ સમાજને બિભત્સ લાગે એવા જાતીય લિંગોનું અસ્તિત્વ અનેક પરિબળો ઉત્પન્ન કરે છે. તેને અપવિત્ર ગણીને હિન્દુઓની અને તેમના ધર્મની હાંસી ઊડાડવી એ સામાજિક અને તત્વજ્ઞાનીય અજ્ઞાનતાની નિશાની છે.

    કામ ઈચ્છા જાગે અને તે વખતે અગ્નિ થી તમે દાઝી જાઓ તો તે સમયે કામવૃત્તિ નષ્ટ થાય છે. તેથી અગ્નિરુપ શિવે કામદેવનું દહન કર્યું એમ કહેવાય છે. “કામદહન”, “અશરીરી કામદેવ” પ્રાણીમાત્રમાં તેનું વસવું એ બધું પ્રતિકાત્મક છે.

    પરધર્મના મંદિરો તોડી પાડવા અને અથવા તેના ઉપર પોતાના ધર્મના મંદિરો બાંધવા તેવું વલણ ખ્રીસ્તીઓમાં અને મુસ્લિમોમાં સમાનપણે રહ્યું હતું. ખ્રીસ્તીઓએ આવી પ્રવૃતિ અમેરિકામાં મોટાપાયે ઓગણીસમી સદીના અંત સુધી કરેલી છે. મુસ્લિમો આ પ્રવૃત્તિ ક્યારે બંધ કરશે તે કોઈ જાણતું નથી.

    સુજ્ઞ મુસ્લિમો આવી પ્રવૃત્તિ વખોડે છે. પણ જોઇએ તેટલા સક્રીય નથી. પણ સમય સમયનું કામ કરશે. Cosmos hehaves and progresses like a stock market.

    વધુમાટે વાંચો treenetram.wordpress.com

    Like

Leave a comment