લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

અમુક સંપ્રદાયોમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ ફરમાવેલી હોય છે. તામસિક ખોરાક ગણાય છે. લસણ ડુંગળી  ખાનારો તામસિક ગણાય. ખોરાક માત્ર ખોરાક હોય છે એમાં જાતજાતના ન્યુટ્રિશન હોય છે. ઘી દુધને સાત્વિક ખોરાક ગણવામાં આવે છે. અને ઘી જેવી જ સરખી ધરાવતું માંસ તામસિક ગણાય છે. લસણ ડુંગળી ખાધા પછી ખાસ તો મોઢામાંથી લસણ ડુંગળીની તીવ્ર વાસ આવતી હોય છે. કદાચ એના લીધે પણ મનાઈ ફરમાવેલી હોઈ શકે. બીજું એક માઈન્ડમાં કંડીશનિંગ થઈ જાય કે લસણ ડુંગળીની વાસ આવે તો ખરાબ ગણાય, બાકી કાયમ લસણ ડુંગળી ખાનારા કુટુંબમાં એની વાસ કોઈને ખરાબ લાગતી નથી.

માનવીના પરસેવાની ગંધમાં તેની જેન્ડર, જિનેટિક સુસંગતતા અને એની રીપ્રોડક્ટીવ અવસ્થા વિશેની અદ્ભુત માહિતી સંગ્રહાયેલી હોય છે. દરેક માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ માટે કારણભૂત જિન્સનું જૂથ માનવીની યુનિક ગંધ માટે પણ જવાબદાર હોય છે. આપણે અચેતનરૂપે શરીરની ગંધ શ્વાસમાં લઈએ છીએ અને તેના ઉત્પાદક પ્રત્યે આકર્ષાઈએ છીએ. શરીરની ગંધ પાછળ આમ સેકસુઅલ સિલેક્શન થિયરી જ કામ કરતી હોય છે. We sniff out the best mates. એરેન્જ મેરેજમાં આ લાભ જતો કરવો પડતો હોય છે.

આપણી નાસિકા નીચે આનાથી પણ વધુ રંધાતું હોય છે એવું સંશોધકો માનતા હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમને ધ્યાનમાં લઈને આપણે આપણાં લાઇફ પાર્ટનરની તંદુરસ્તીને નજરઅંદાઝ ના કરી શકીએ. એના પોષણયુક્ત ખોરાક લેવાની આદત વડે જાણી શકીએ કે એની તંદુરસ્તી કેવી હશે. સારી તંદુરસ્તી ઉત્તમ ફર્ટીલીટી અને મજબૂત  સ્ટેમિના દર્શાવે છે. પ્રાણી જગતમાં ઢગલો પુરાવા છે કે તંદુરસ્ત ખોરાક ખાવાવાળા સેક્સમાં વધુ ઊતરતા હોય છે. Meadow voles-એક જાતના ઉંદરમાં નર અને માદા એવા પાર્ટનરની ગંધ પસંદ કરે છે જે હાઈ પ્રોટીનયુક્ત ખોરાક ખાતા હોય છે. જે પ્રાણીઓને જે તે દિવસમાં ખોરાક ઉપલબ્ધ થતો નથી તે દિવસે એટ્રેક્ટીવ ગંધ ઓછી પેદા કરતા હોય છે. આ બધું જીવવિજ્ઞાનીઓ સંશોધનો બાદ કહેતા હોય છે.

તો પછી સ્ટ્રોંગ સ્મેલ મારતા હેલ્ધી ખોરાક લીધા પછી શું થતું હશે? જેવા કે લસણ…

સંશોધકોએ એક ગ્રૂપને ગાર્લિક ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ સ્લાઈસ એક અઠવાડિયા માટે રોજ ખાવાની સૂચના આપેલી. અને ત્યાર પછી બીજા અઠવાડીએ સાદી ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ ખવડાવેલી. આ સમયે દરેકે એક પેડ બગલમાં પહેરી રાખવાના હતા. પછી થોડી સ્ત્રીઓને પેલાં પેડ સૂંઘીને કઈ ગંધ એટ્રેક્ટીવ લાગી તે જણાવવાનું હતું. પુરુષો તો એના એજ હતા, પણ જ્યારે તે લોકો ગાર્લિક ચીઝ બ્રેડ ખાતા હતા તે સમયે બગલમાં પહેરેલા પેડની ગંધ સ્ત્રીઓને વધુ એટ્રેક્ટીવ અને સુખદાયી લાગેલી અને તે જ પુરુષોએ જે અઠવાડીએ સાદી ચીઝ લગાવેલી બ્રેડ ખાધેલી તે સમયના પહેરેલા પેડની ગંધ ઓછી એટ્રેક્ટીવ લાગેલી. આ પ્રાથમિક પરિણામો માનવામાં ના આવે તેવા હતા અને લસણનો ખાવામાં ઉપયોગ શરીરની ગંધ માટે હકારાત્મક છે તે માનવું પડે એવું  થયું.

વૈજ્ઞાનિકોનું માનવું થયું કે લસણ એના antioxidants વડે શરીરની ગંધ પર પ્રભાવી બને છે, જે ખરાબ ગંધ વિરુદ્ધ રક્ષણાત્મક બને છે અને બીજું લસણ એન્ટીબાયોટીક ગુણ પણ ધરાવે છે જે બગલમાં પેદા થતી ખરાબ ગંધ ઓછી કરે છે. બંને રીતે જોઈએ તો લસણનો ઉપયોગ અને તેના વડે પેદા થતી શરીરની ગંધ તમારા હેલ્ધી મેટાબોલીઝમની જાહેરાત કરે છે. ચાલો સીધી રીતે લસણ ખાવાથી મુખમાંથી આવતી ગંધ અપ્રિય લગતી હશે પણ તેના પેટમાં પચ્યા પછી અને લોહીમાં ભળ્યા પછી તેના વડે શરીરને પ્રાપ્ત થતી આડકતરી ગંધ અપ્રિય નહિ પણ ખુબ પ્રિય લાગે તેવી હોય છે, જે તમારી સારી તંદુરસ્તીની ચાડી ખાતી હોય છે. અને સારા તંદુરસ્ત લાઇફ પાર્ટનર કોને ના ગમે??

16 thoughts on “લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?”

  1. સાત્વીક કે તામસીક આહાર એ ધર્મગુરુઓએ ઉપજાવી કાઢેલ તુત છે. આ ધર્મગુરુઓ કાંઈ આહારના નીસ્ણાત ન હતા.

    દુધ એ તો માદા પ્રાણીના ધાવણા બચ્ચાનો આહાર છે અને ધાવણા બચ્ચાનો આહાર જાડા તગડા ધર્મગુરુઓ લે એ માહાપાપ ગણાય. આ સત્યને ધર્મગુરુઓ જરુર તુત ગણસે.

    Like

  2. 1} એરેન્જ મેરેજમાં આ લાભ જતો કરવો પડતો હોય છે. { અને જે પણ ગંધ મળે તે ચલાવી પડતી હોય છે 😀 }

    2} Almost ખનીજ તત્વો , લસણ અને ડુંગળીમાંથી મળતા હોય છે [ ઝીંક અને સલ્ફર મુખ્યત્વે ] અને ઘણા ધર્મ સંપ્રદાયોમાં મોટાભાગે કોઈક એવી મોટી ચીજોને જ નિશાન બનાવાય છે કે જેનાથી ખળભળાટ સર્જી શકાય અને આપણે બહાર એમ કહેતા ફરીએ કે હું તો ભાઈ એ બધું નથી ખાતો !

    3} અને હાં , હોટડોગ અને પિત્ઝાની શોપ્સમાં બીજા નંબરે મહદ અંશે , ગાર્લિક બ્રેડનો ઉપાડ થતો હોય છે

    Like

  3. એક વાર મેં મારા એક લેખમાં ક્યાંક લખ્યાનું યાદ આવે છે કે ગંદી અને જુગુપ્સાજનક ચીજો જોવા માત્રથી કેટલાક લોકોના “મોંમાં પાણી” છૂટે છે (!). હકીકતે કટાક્ષ એ વાત પર હતો કે જુગુપ્સાજનક ચીજને જોવાથી મોંમાં તિરસ્કાર કે સૂગને લીધે (પાણી નહી પણ) થૂંક આવતું હોય છે.
    તમારા આ મજાના લેખમાં આ બન્ને વાતોનો સુમેળ છે. જે જુગુપ્સા ઊભી કરનારું પણ હોય તે કોઈ બીજી દૃષ્ટિએ પ્રેમ કરાવનારું પણ હોય / હોઈ શકે.

    લસણના આયુર્વેદીય ગુણોનો કોઈ પાર નથી પરંતુ તમે એને સાવ અલગ વ્યૂ–પોંઈટથી સચોટ રીતે મૂક્યા છે. બાકી માછલીની માર્કેટમાં મળતી “ગંધ” એના ખાનાર માટે સુ–ગંધ હોય છે જ્યારે ન ખાનાર માટે તો “શું–ગંધ !!” જ હોય ને ?

    આયુર્વેદના ગ્રંથોમાં એના અવતરણની વાર્તામાં જઈશું તો એ ઈન્દ્ર જ્યારે સ્વર્ગમાં ઈન્દ્રાણીને અમૃતનો કટોરો મોંએ મંડાવીને પીવડાવતા હતા ને એમાંથી છલકીને પૃથ્વી પરના કોઈ ઉકરડા પર તે ઢોળાઈને લસણરુપે ઊગ્યું તેવી વાર્તા છે !! ઈન્દ્ર–ઈન્દ્રાણી, અમૃત અને ઉકરડાને પ્રતીકાત્મક રીતે જોઈએ તો તમારી વાતનું બહુમૂલ્ય છે જ.

    આભાર.

    Like

    1. શ્રી જુગલભાઈ
      આપની વાત સાચી છે આયુર્વેદમાં લસણના ઔષધીય ગુણોનો કોઈ પાર નથી. બીજું આપે જે લસણની ઉત્પત્તિ વિશેની વાત કહી તેમાં ઈવોલ્યુશન અને નેચરલ સિલેક્શન થિયરી સ્પષ્ટ દેખાય છે.

      Like

  4. THANKS AND CONGRATULATIONS FOR YOUR EVER STUDIED ARTICLES..

    NO COMMENTS..I LOVE ,..KEEP-WRITINGS… I AM READING YOURS AND ALSO “OH MY GOD” FILM.. AND SO MANY ARTICLES
    BUT AS BANIA I CAN’T DARE TO SPEAK AS GANDHIJI OR WRITE ….
    OUR RELIGIOUS BELIEFS
    LASHAN-DUNGRI.. MAY BE OR NOT GOOD FOR ALL AND EVERY ONE..ONE HAS TO APPLY MIND WHAT IS GOOD FOR HIM, BUT SORRY WE ARE BORN IN A FAMILY OR SAMPRADAYA OR RELIGION AND OUR GURU IS GURU FOR ALL WE HAVE TO FOLLOW..MAY BE OUR SHRADHA, ATI SHRADHA OR ANDHA SHRADHA AND WE DO WITHOUT APPLYING OF MIND, ATMA OR GOD WITHIN

    ..SORRY I KNOW VERY LITTLE AND AT AGE 90 NOW MORE I READ OR KNOW..NOW KNOW I KNOW NOT A BIT OR OR DROP OUT OF OCEAN..NEXT LIFE NO WORRY NO HURRY..”HARI KARE TE MAM HITNU.”.I DONT KNOW AT WHAT STAGE I AM IN 84 LAC CHAIN OF BIRTH AND RE-BIRTH…ATMA NOT THIS BODY OR NAME GIVEN TO ME….NO MORE THANKS

    Like

  5. પોતાના નબળા મનોબળના બચાવમાં નિર્જીવ વસ્તુઓને દોષ દઈ શકાય તે માટે આહારના ત્રણ વિભાગ પાડી તામસિક ખોરાક ખાવાની મનાઈ કરવામાં આવી હોય તેવું લાગે છે. બાકી લસણ કાંદા તો ‘ગરીબોની કસ્તુરી’ છે; તેની ના પડવાથી ગરીબોને નિષ્કારણ સજા કરવામાં આવે છે.

    Like

    1. મેં ક્યાંક વાંચ્યું હતું કે પિરામીડોના સર્જનમાં મજૂરો મોટે ભાગે લસણનો ઉપયોગ ખોરાકમાં છૂટથી કરતા.

      બીજી વાત. ડુંગળી પણ ખૂબ તાકાત આપનારી ચીજ છે. ગરીબોની અને કસ્તુરી એ બન્ને શબ્દો મહત્ત્વના અને સાચા છે.

      Like

  6. દરરોજ લસણ ખાવાથી હાઈપરટેન્શનથી બચી શકાય છે એવું તાજેતરમાં થયેલા સંશોધનનું તારણ છે. એડીલેડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ ખોરાકમાં લસણનો ઉપયોગ હાઈબ્લ્ડ પ્રેશરની સમસ્યાથી છુટકારો લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે….
    આ આજના ગુજરાત સમાચારમાં આવેલું Bhupendrasinh બાપુ આ છાપા વાળાઓને આપના લેખની લીંક તો નથી મળી જાતિને? હહાહાહા સરસ જાણકારી, મને તો લસણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલી જ ખબર હતી આપણને તો લસણ ડુંગળી વગર ચાલે જ નહિ… હું તો લસણની કળી ઘણીવાર શેકીને પણ આરોગું… અને આ સુગંધનું સરવૈયું પણ જબરું છે

    Like

  7. thank you very much for sharing which is very informative and true as well…
    i also have a garlic and a piece of ginger
    every morning…
    tx again, nisha patel
    [london]

    Like

  8. લસણ અને ડુંગળીની ગંધ કોઈને ગમતી નથી. પણ જો તેમાંથી ગંધ કાઢી નાખવામાં આવે તો તેના તમામ ગુણ નાશ પામે છે. લસણમાં ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામીન્સ A, B, C, કેલ્શિયમ, કેરોટિન, આયર્ન અને એલિસીનનું ભરપૂર પ્રમાણ હોય છે. આ એલિસીન, શરીરના સોજા અને હાનિકારક બેકટેરિયા નો પ્રતિકાર કરનાર મુખ્ય તત્વ ગણાય છે, પરંતુ આ એલિસીન જ લસણની લાક્ષણિક દુર્ગંધ માટે જવાબદાર હોય છે.

    Like

  9. લસણ અને ડુંગળી તામસિક આહાર છે એ વાત માં તથ્ય નથી, આ બન્ને ને અમ્રુત ગણવામાં આવ્યા છે, તેના ગુણો અપાર છે, જો એ તામસી હોય તો સાધુ સંતો ન ખાય એ બરાબર છે કારણ તેમને ક્ષમાશિલ જીવન જીવવાનુ હોય છે, પણ સામાન્ય માનવી ને સંસાર ના અનેક યુધ્ધો લડવાના હોય છે એટલે થોડા તામસી થાય તો ખોટુ નથી,બહુજ સાત્વિક રહી ને આ દુનિયામાં જીવી શકાતુ નથી એ બધા જાણે છે. રજોગુણ અને તમોગુણ પણ આ જગતમાં જીવતા રહેવા માટે જરુરી હોય છે, તેથી લસણ અને ડુંગળી શોખ થી ખાવ…!

    Like

Leave a comment