બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.
ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?
ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.
સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.
જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.
આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.
પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.
સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?
આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.
ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.
A fire Cracker ! rather the unstoppable Nuclear Explosion .
1} ગાંધીજી પ્રજાની નાડ પારખવામાં એક મહાન નેતા હતા , પણ જ્યાં જ્યાં રેંટીયો , સ્વદેશી , કે બ્રહ્મચર્યની વાત આવતી ત્યાં તેઓ કોઈ નો પણ મત સ્વીકારતા નહિ ( He was biased there .), તેમના વિષે કિન્નર આચાર્યનું ” માઈક્રોસ્કોપમાં મહાત્મા ” પુસ્તક ગાંધીજી વિશેની ઘણી માન્યતાઓ [ Rather , ગેર માન્યતાઓ ] નું ખંડન કરી ચુક્યું છે !
2} અને ભારતમાં કશી પણ અવ્યવસ્થા સર્જાયી હોય , તો સમજી લેવું કે તેના પાયામાં ધર્મ અથવા જ્ઞાતિ/જાતિ કે Sex જ હશે !
LikeLike
stuunng!
LikeLike
“ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે”
“ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ….” Excellent…
ખુબ સરસ. ચારિત્ર્ય નો સચોટ અર્થ સમજાવતો લેખ. આભાર 🙂
LikeLike
રાઓલજી, ખૂબ સરસ લેખ છે, સાથે એક માહિતી દોષ વીસે જાણકારી આપું છું, વશીસ્થ અને અગ્ત્સ્ય ભાઈ નથી, અગ્ત્સ્ય ઋષિ તો પુલ્ત્સયા ઋષિ ના સંતાન છે, પુલ્ત્સ્ય એ ઋષિ કદર્પ ના નવમી દીકરી સાથે લગ્ન કર્યા છે, જેનું નામ છે હરવિભુ, હરવિભુ થી એમને બે સંતાન થાય છે એક નું નામ છે ” અગ્ત્સ્ય જે પ્રખર શિવ ભક્ત હોય છે બીજા પુત્ર નું નામ છે વિશ્ર્વાસ , આ વિશ્ર્વાસ ના બે પત્ની છે જેમથી એક નું નામ છે કેકષિ ને આ કેકષિ થી એમને 3 પુત્ર થાય છે, રાવણ , કુંભકર્ણ અને વિભિશણ, બીજી પત્ની થી એમને એક પુત્ર થાય છે એનું નામ છે કુબેર, મારા ખ્યાલ મુજબ આપને વશીસ્થ અને વિશ્ર્વાસ માં સમાજ ફેર થયો હોય એવું લાગે છે, તેમજ ….. કુંતીમાં ના 3 પુત્રો વિષે હું અલગ થી જાણકારી રજૂ કરીશ પણ મને માદ્રી ના 2 પુત્રો જો પાંડુ ના પુત્ર નથી તો કોના પુત્ર છે એ જાણકારી આપવા વિનતિ, ? તેમજ આપ જે ઉદાહરણ આપો છો કે સિંહ ના, તો સાથે એ પણ જાણકારી આપવા વિનતિ કે સિંહ ફૂલ માંસાહારી પ્રાણી હોવા છતાં તેના દાત પીળા કે નબળા કેમ નથી પડતાં ? દુનિયા ના કોઈ પણ પ્રાણી સવારે ઉઠી ને દાત સાફ નથી કરતાં જ્યારે મનુષ્ય માં સવારે પહેલું જ કામ દાત સાફ કરવા નું રહે છે, જે લોકો સવારે દાત સાફ નથી કરતાં એમની બુદ્ધિ નો વિકાસ કે જીવન પ્રગતિ વાદી નથી રહેતું, ફિજીકલી તો દાત ને બુદ્ધિ સાથે શું સબંધ હશે ? યુરોપ માં પણ ડાર્ક એજ માં સવારે દાત સાફ કરવા નો રિવાજ નોહતો, પણ આજે સોથી વધુ દાત ને લાગતું જ્ઞાન એમની પાસે છે, આપ હાલ અમેરું માં જ સ્થિર છો તો આપના ધ્યાન માં આવ્યું હસે જ કે ત્યાં ના લોકો પોતાના દાત પ્ર્તેએ ખૂબ સાવધાન રહે છે, બાળકો માં પણ જરાક દાત પ્રેતયે ફોલ્ટ આવે એટલે બ્રેસેલ્વ્સ પહેરાવી દે છે, દાત ના ચોક્ઠા બનાવા નું હબ રાજકોટ છે, તેમના સોથી વધુ એટલે માનો કે 90% ઉપર ના ગ્રાહક અમેરિકન છે, ટોપ ક્વોલોટી માટે તેઓ ના વેપારી રાજકોટ માં ધામા નાખે છે, તેમજ ગાંધીજી એ ક્યારેય સંપૂર્ણ બ્રહ્મચર્ય નું કહ્યું જ નથી, તેમના 4 સંતાન પછી પણ એમને કામ વિકાર આવતા રહતા એટલે તેઓ એ જિદ્દી બ્રહ્મચર્ય પાળવા ના પ્રયોગ કર્યા હતા, જેનો તેમણે ઉલ્લેખ કર્યો છે, ઉપદેશ નથી આપ્યો,તેમજ ફક્ત નાથ સંપ્રદાય માં જ સેક્સ નો વિરોધ હતો, જૂના સમય માં ઉતરા માં ઋષિ, આબુ મે બાબુ , ને ગિરનાર કે સિદ્ધ, આ ત્રણ પ્રકાર ની અલગ અલગ ઉપાશના પદ્ધતિ હતી, જેમાં ઋષિ પદ્ધતિ બ્રહ્મા ની છે જેમાં સંસાર માં રહી ને ઉપાશના કરવા માં આવતી, જેમાં ઋષિ ઑ વિધા જ્ઞાતા પણ રહેતા, ત્યાર બાદ આવતી વિષ્ણુ ની પદ્ધતિ જેમાં અમુક માત્રા માં સંસાર ને અમુક માત્ર માં વૈરાગી જીવન અથવા પદ્ધતિસર ઈશ્વર ની ઉપાશના પદ્ધતિ કરવા માં આવતી, જેમાં ઘર ને જ આશ્રમ કહેવા માં આવ્યું ત્યાર બાદ આવતું …. શંકર ની પદ્ધતિ, જેનો એક જ નિયમ આવતો કે ” કોઈ નિયમ જ નહીં “, ભેદી જીવન ને ભેદી રીતભાત વાળી આ પદ્ધતિ છે, નાથ સંપ્રદાય પણ આજ એક પદ્ધતિ માં આવે છે, તેમના 8 સંપ્રદાય માં સેક્સ નો ઇનકાર કરવા માં આવ્યો છે “તિરસ્કાર ” નહીં, તેમજ તેમાં જોડાવા ની જે પ્રક્રિયા છે તે જેવા તેવા નું કામ નહીં,તેમની અહિંશા સામે જૈન ના મહાવીર ની અહિંસા પણ સામાન્ય લાગે, આપની ઇરછા હશે તો એ વિષે પણ આપને જાણકારી આપીશ … જય મહા દેવ ….
LikeLike
ખુબજ સરસ માહીતી છે.
LikeLike
રાણા સાહેબ. માદ્રીના બે પુત્રો નકુલ અને સહદેવ દેવોના વૈદ્ય અશ્વિનીકુમારોના. કુંતામાતાના તમે જાણો છો. બીજું મને એક વેદોના અભ્યાસુ વિદ્વાને જણાવેલું કે વસિષ્ઠ અને અગત્સ્ય ભાઈઓ હતા. ખેર તે વાત ખોટી હોય તો પણ મૂળ કથામાં કોઈ ફરક પડતો નથી. મૂળ આપણે હ્યુમન સલાડ, ફળફળાદી અને માંસ ખાનારા. આપણે જાતજાતનું ખાવાનું શીખ્યા છીએ તેની અસર દાંત પર પડે છે. સિંહની જેમ કાચું માંસ ખાવાનું શરુ કરી દઈએ તો દાતણ કરવું નહિ પડે. હહાહાહાહા. નાનપણથી કેન્ડી, ચોકલેટ અતિશય ખાવાથી દાંત બગાડે છે તે અહી તેમજ હવે ભારતમાં પણ પ્રોબ્લેમ છે. અહી દેખાવ અને સુઘડતાના ખયાલ ઊંચા છે માટે તેના ઉપાય ત્વરિત થાય છે. આપણે સુઘડતામાં બહુ માનતા નથી, લઘરવઘર ફરવામાં ગૌરવ અનુભવીએ છીએ. એવા અહી પણ હોય જ છે. આપણો દેખાવ સામેવાળાને અપ્રિય ના લાગવો જોઈએ તેવા ખયાલ અહી હોય છે.
LikeLike
Thanks for the wonderful and universal truth !
LikeLike
wah very good aRTICLE
MAJA PADI GAYI
LikeLike
oh Salaam tamne, Sinh ni jemaj Garzna karine satya uccharyu chhe tame, pan apni dafol dambhi ane igoist prazama avu samzi shake evu bhezu kam nathi kartu…after all 1 lacks SALUTE to you.
LikeLike
એક વ્યક્તિ નો સ્વૈર-વિહાર તે તેને-નાં-ભોગવી શકતી વ્યક્તિ નાં મને વ્યભિચાર… કેટલું સહેલું છે બીજા લોકો નાં નીજાંદન ને નીચલી પંક્તિ માં મૂકી અને ખુશી દેખાડવી પણ મનમાં? “મન-માં-દાઝવું”… હા હા હા હા… આવા લોકો ને તમે નજીક થી જોયેલા જ હશે …
અને ચાલો આજે થોડું “વોયુરીસમ-થઇ-જાય’ અને તેમની ઘર ની દીવાલો ને બોલવા દઈએ…
ધરમ નાં ભાઈ-બેન નાં સંબંધ – બહુ લોચા-વાળો-સમબંધ (દરેક નહિ).. સાલું, ક્યાંય સુધી એમજ માનીએ કે છોકરાઓ બધા મામા જેવા દેખાય છે… આપણે ૧૫-વર્ષ નાં થઈએ ત્યારે સમજાય કે મામો બધાને મામા બનાવે છે… અમારા એક મિત્ર તેમના કહેણા-મામા-જેવા જ દેખાતા… પણ તેને વ્યભિચાર કહેવાય?
સાળી-બનેવી… પોતાની મોટી બહેન ની સુવાવડ કરાવવા આવે અને બીજા વર્ષે પોતાની સુવાવડ કરાવી ને જાય… વ્યભિચાર નો અચાર પાકે ત્યારે.. માં-બાપ નાં મોઢે તાળા વાગી ગયા હોય… . પણ તેને વ્યભિચાર કહેવાય?…
શેઠ-નોકરાણી કે નોકર-શેઠાણી … અમારી ધનાઢય-પડોશી સોસાયટી માં એક બંગલા માં રોજ રાત્રે૧૨ વાગ્યા પછી ઝગડા થતા.. ખબર પડી કે ભાઈ નો આગ્રહ છે કે નોકરાણી પણ શયનખંડ માં જ સુવે… ઘર માં જ સેટિંગ… તે રીતે આજથી ૧૦ વર્ષ પહેલા સુરત માં નોકરે અને શેઠાણી એ મળી ને શેઠ નું ખૂન કરી નાખ્યું અને લાશ ની બાજુ માજ બે વખત સેક્સ-માણ્યું… સમાજ સુન્ન થઇ ગયો… પણ તેને વ્યભિચાર કહેવાય?
જ્યાં-જુવો ત્યાં એકલ-દોકલ જાહેર માં અને ઘણા બધા નીજાન્દ નાં વ્યવહારો બંધ બારણે ભોગવાતા હોય છે… શું વ્યભિચાર અને શું સાચો વ્યવહાર?… દરેક નું સત્ય તેની જરૂરીયાત મુજબ જ હોય છે તે પૈસાની ભૂખ હોય કે શરીર ની… અને જે રીતે અત્યારે પણ છોકરીઓ / સ્ત્રીઓ નેતાઓ-અભિનેતાઓ અને પૈસાદાર ઉદ્યોગ પતિઓ ની પાછળ-પાગલ થઇ અને સમર્પણ કરે છે… તેમાં આ નામી-પ્રખ્યાત-પૈસાવાળા વ્યક્તિ નો વાંક કે વ્યભિચાર… સ્ત્રીઓ ની કોઈ ભુમીકા જ નહિ?… હવે તો જગજાહેર છે કે લોકો ને બ્રમચર્ય અપાવતા સાધુઓ ની બ્રમચર્ય-વૃતિઓ ની CD બહાર પડતી થઇ ગયી છે…
પણ હું સ્વીકારું છું કે લગ્ન-પ્રથા સમાજ માં અને લોકો નાં જીવન માં એટલી વણાયી ગયી છે કે એક આડંબર-ની-અકળાવવા વાળી-ફાયર વોલ ઉભી થઇ ગયી છે… અને હવે જે કોઈ આ ફાયરવોલ ને ઓળંગે છે તે લોકો-ઉપર સમાજ નો ફિટકાર વર્ષે છે… અને ઘણા મનમાં-એમ-માને-છે કે,”તે લયી ગયા ને અમે રહી ગયા’…
LikeLike
તમારું વોયરીઝમ મજાનું તો ખરું પણ હકીકત છે. અમેરિકન ભીમ માજી ગવર્નર અર્નોલ્ડ કેનેડી ફેમિલીની રૂપકડી પત્ની હોવા છતાં ઘરની નોકરાણીને બેબી આપવા મજબુર થઇ ગયેલા. નોકરાણી પણ પરણેલી હતી. અર્નોલ્ડ વડે બાળક પેદા થયું કે તરત પેલી નોકરાણીએ એના પતિને ડિવોર્સ આપી દીધા. સમજાયું? હવે એને જોઈતા જિન્સ ઉછેરવા મળી ગયા હતા.
LikeLike
Very true.સો ટકા સાચી વાત છે.
LikeLike
વાહ બાપુ , રૂઢિગત માન્યતાઓ ને ઝકઝોળી નાખતો કાબિલેતારીફ લેખ છે , પણ છેલ્લા પેરેગ્રાફ ( સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના …..) ની તમામ વાતો એ તમારા વિચારો છે કે પછી એની પાછળ કોઈ મજબુત રેફરન્સ રહેલા છે? જો રેફરન્સ હોય તો જણાવવા વિનંતી, એટલા માટે નહિ કે લખાણ પર ભરોસો નથી પણ પણ વધારે specification માટે .આભાર .
LikeLike
મિત્ર તમારા ભરોસા માટે આભાર. સિંહ પરિવારની જે હકીકતો લખી તે નગ્ન સત્ય છે. તેના માટે નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ પર જોવા મળે જ છે. જે સિંહણ એના બચ્ચને બચાવવા માટે સિંહ સામે લડે છે તે જ પછી હીટમાં આવી પોતાના જણ્યાને મારનાર જોડે પ્રેમ કરીને બીજા બચ્ચા પણ પેદા કરે છે. યુટ્યુબ પર જોવા મળી જશે. મને જડશે તો લીંક મોકલીશ.
LikeLike
ફક્ત સિંહ વાડી નહિ બાપુ, પણ એ છેલ્લા પેરેગ્રાફની તમામ વાતો … પણ ચાલશે હવે , તમારા પર ભરોસો છે.
LikeLike
I just like this nude truth…:)
LikeLike
jyare aa India no so called dambhi samaj aa samji jase tyar sudhi kaliyug no ant avi gayo hase……..
LikeLike
very good thoughts.
Article related links.
Sexuality and marriage/Muria people
http://en.wikipedia.org/wiki/Muria_people
http://en.wikipedia.org/wiki/Premarital_sex
http://ezinearticles.com/?Premarital-Sex—A-Responsibility-Or-Just-a-Game?&id=3717468
LikeLike
http://en.wikipedia.org/wiki/Infidelity
LikeLike
http://en.wikipedia.org/wiki/Sexual_abstinence
LikeLike
રાઓલ સાહેબ તમે વિષય ને દાખલાઓ આપી ન્યાય આપ્યો છે ગાંધીજી વધારે જીવ્યા હોત તો
ભારત માટે બોજા રૂપ હતા. તેમના વિચારો જળ અને સ્વીકારવા યોગ્ય નહાતા. મોટા માણસો
આવી ભૂલો કરી પ્રજાને ગેરમાર્ગે દોર્યા હતા. સેક્શ એ શારીરિક જરૂરિયાત છે અને તે બધામાં હોય છે.
વસ્તી વધારવા માટે જ સેક્શ નો ઉપયોગ કરવો એ તો ફક્ત પ્રણાલી માં જ ફેરવાઈ જાય છે.
સેક્શ આનંદ માટે હોય તેમાં વધારે મજા આવે. માનસ ની એક પ્રકાર ની ગંધ અને સુગંધ પણ
સ્ત્રીઓને સેક્ષ માટે નિમંત્રે છે. સેક્શ ને વાસના માં ફેરવી નાખી તેનો અપ્રચાર કરવો તે ખરેખા ગુનો હોવો જોઈએ
તમે શારીરિક જરૂરિયાત ને રોકી ના શકો એ પછી તે સ્વામી હોય કે સાધુ.
LikeLike
ભાઈ આ ગંધ સુગંધ વિષે મેં અગાઉ લેખ લખી ચુક્યો જ છું. અનુંક્રમ્નીકમાં ફેદાવાથી મળી જશે. આભાર.
LikeLike
લગ્ન વ્યયસ્થાથી ફક્ત સ્ત્રીઓના જ નહિ પરંતુ બળુકા પુરૂષોના હક્ક પણ છીનવાઇ ગયા છે… બ્રહ્માકુમારીમાં મારા શ્રીમતી પણ ગયેલા… પરંતુ મારી સમજાવટ અને થોડી એમની સમજદારીથી હું બચી ગયો(નહિતર ભાઇ બેનના સંબંધો નક્કી જ થયેલા હહાહાહા)… જેવાં બ્રહ્માકુમારી મને ફળ્યાં એવાં સૌને ફળજો… ગાંધીજીનું એવું સો ચુહે ખા કે બિલ્લી હજ કો ચલી… પોતાએ ધરમાં લાસ પડી હતી તોય પત્ની સાથે સેક્સ માણ્યો’તો અને સલાહ એવી આપે અવું ન કરાય “ભાયળો બધું ભોગવી લે અને અનુભવના નિચોડને ભોળાઓએ ભોગવવાનો” હહાહાહા સરસ લખ્યું બાપુ છળે ચોક
LikeLike
વાળા બાપુ હું એવા કપલ જાણું છું જેઓ બ્રહ્માકુમારી દ્વારા બ્રેઈન વોશ થયેલા છે. એમાં કપલમાનો એક વ્યક્તિ જો બ્રહ્માંકુમાંરીમાં ના માનતો હોય તો એનું જીવન નરક બની જતું હોય છે. અને ભાઈલો સીધી લીટીનો હોય તો એનું શું થાય??
LikeLike
સમજાવવા ના ચાર રસ્તા .. શામ દામ દંડ ભેદ
LikeLike
yet another time, you’ve exposed truth – a bitter truth, it is a nice reading
LikeLike
પ્રથાપિત મૂલ્યોને હેરાન-પરેશાન કરતો લેખ જૂનવાણીઓનો મતિ હ્રાસ થશે( ને તમને ભ્રહ્મ હત્યા લાગશે.).
LikeLike
આપના મંતવ્ય સાથે સહમત છું. છતાં એક વાત જણાવવાની છૂટ લઉં છું.
વસિષ્ઠ ‘અયોનિજ’ ગણાય છે એટલે કે સ્ત્રીની યોનિ વિના જન્મેલા. તેમને વિષે વેદમાં જે વાર્તા છે તેનો સાર નીચે જણાવ્યો છે.
“એમ કહેવાય છે કે, એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે. ત્યાં મિત્ર અને વરુણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું. તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું. આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે.” (ગુજરાતી વિકિપીડિયામાંથી ઉદ્ધૃત). દેવોને વીર્ય સ્ખલન થયું હોય તો પણ તે ઘડામાં કે પાણીમાં કેમ કરીને પડી શકે? તેઓ શું નિર્વસ્ત્ર અવસ્થામાં સમારંભમાં ગયા હતા? હા, તો આવા દેવોની પૂજા શા માટે કરવી જોઈએ? ના, તો આખી વાત વાહિયાત નથી તો શું છે?
LikeLike
શાંતનુંની બીજી પત્ની મત્સ્યગંધા તો લગ્ન કર્યા વિના જ પરાશર ઋષિના પુત્ર, જે પાછળથી વ્યાસ મુનિ તરીકે ઓળખાયા હતા, તેમની માતા બની હતી. છતાં ચારિત્ર્યહીન નહોતી ગણાઇ બલકે ‘સત્યવતી’ કહેવાઈ હતી.
LikeLike
પ્યારેલાલજીએ સંપાદન કરેલા ‘મહાત્મા’ પુસ્તકના ચોથા ભાગમાં ગાંધીજી અને માર્ગરેટ સેંગર વચ્ચેનો સંવાદ અક્ષરશ: આપ્યો છે. બેને અમેરિકામાં ‘પ્લાન્ડ પેરન્ટહુડ’ નામની સંસ્થા, જે હજુ હયાત છે, તેની સ્થાપના કરેલી અને ગાંધીજીનો ટેકો માંગવા આવેલા. તેમણે પોતાની વાતના સમર્થન માટે ઘણી સારી દલીલો કરેલી પણ ગાંધીજી તેમના “એક મારું ઉન્હું’ ને વળગી રહેલા કે પતિ પત્નીએ પણ ‘અસંભોગ’ (સંભોગ ના કરવો તે કંઈ બ્રહ્મચર્ય નથી) પાળવું જોઈએ. આખા સંવાદમાં ગાંધીજીને બદલે મારું નામ મુકો તો કોઈને પણ થાય કે આ તે કેવી વિચિત્ર વાત કરે છે. પણ ‘મહાત્મા’નું નામ હતું એટલે ચાલી ગયું.
LikeLike
બ્રહ્મચર્ય
એક ઘણું સન્માન પામેલા ધર્મગુરુ એક શિષ્ય યુગલના ઘરે રહેતા હતા. તેમના ઉપદેશથી પ્રભાવિત થયેલ ગૃહિણીએ ‘અસંભોગ વ્રત’ લીધું. (બ્રહ્મચર્ય તો ઘણી અઘરી સાધના છે.) અસંતુષ્ટ પતિ વેશ્યાગમન કરવા લાગ્યા. પત્નીને જાણ થઇ. તેણે પતિ અને ગુરુજી પાસેથી વચન લીધું કે બંને જ્યાં પણ જશે ત્યાં સાથે સાથે જ જશે. જયારે પતિથી સંયમ ના જ રાખી શકાયો ત્યારે તેઓ ગુરુજી સાથે વેશ્યાના ઘરે ગયા. ગુરુજી નીચે બેસી રહ્યા, પતિ થોડા સમય માટે ઉપલા માળે જઈ આવ્યા. ઘરે ગયા ત્યારે ગૃહિણીના પ્રશ્નના જવાબમાં ગુરુજીએ વાત કહી દીધી. પાછળથી શિષ્યો સાથે વાતચીત દરમ્યાન ગુરુજીએ કહ્યું કે તેઓ એટલા બધા સાચાબોલા હતા કે તેઓએ આ વાત ગુહિણીને કહી દીધી હતી. ઉપલક દૃષ્ટિએ ગુરુજી ઘણા મહાન જણાય પરંતુ સહેજ ઊંડો વિચાર કરીએ તો તેમનો દંભ જોઈ શકાય. ખરેખર તો તેમણે પહેલેથી જ ગૃહિણીને સમજાવવી જોઈતી હતી કે તેને માટે ‘અસંભોગ વ્રત’ લેવું યોગ્ય નહોતું. તે પણ પતિની સંમતિ વિના તો સાવ જ અનુચિત હતું. પતિ સાથે વેશ્યાગૃહ સુધી ગયા તો ખરા પણ નીચે શીદ બેસી રહ્યા? પતિને સમજાવવા જોઈતા હતા કે “ચાલો ઘેર પાછા, હું તમારી પત્નીને કહીશ કે તે તમારી શારીરિક જરૂરિયાત પૂરી પાડે.”
LikeLike
આ ગુરુજીનું નામ તો કહો? હહાહહા!! હું એમને લબડધક્કે ચડાવું.
LikeLike
ઘણા છે .. કોને કોને શોધશો અને કોને કોને મારશો ? હા પણ એટલું જરૂર કહીશ ક જડે તો છોડતા નઈ
LikeLike
બહુ સુંદર ચર્ચાઓ કરી છે. દરેક પોતાના વક્તવ્યનેજ સાચું માની લે છે અને મનાવવાનો પ્રયત્ન કરે છે……
LikeLike
ભાઈ ઓ જાણ્યે અજાણ્યે હું આ બ્લોગ પર આઈ ગયો … પણ ખરેખર સત્ય શું છે મોહન ગાંધી નું એ આજે જાણ્યું , એવું નથી ક આપણને કસું ખબર નથી એમના વિશે પરતું અહી ખરેખર નવું જાણ્યું… આ બધું તમે fb ઉપર પણ લખતા હો તો લાખો લોકો સુધી તમારી વાત પહોચશે
LikeLike
હું આ બ્લોગ ના વાચકો પાસે થી એક નાનકડી આશા રાખું છું કે તમે તમારા બાળકો ને ચાણક્ય નીતિ અને ભગવદ ગીતા ના પુસ્તકો ભૂલ્યા વગર વાંચવા આપશો
LikeLike
સાચી વાત છે… agreed.
LikeLike
”બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં” …..” મજબૂર મહાત્મા જેવા કુંવારા”
ચાબુકના બે ફટકા નો પ્રહાર પ્રભાવકારી લાગ્યો. સંપુર્ણ સહમતી
સાથે સત સત નમન !
LikeLike
બાપુ તમે આવું લખી ને કે માહિતી આપી ને લોકો ને ખોટા (કે સાચા ) ચાળે ચડવશો એવું લાગે છે . !
અને બ્રમ્હચર્ય ની વાત નો અમારા પરિવાર ના નજીક ના જ એક સગા ની દીકરી ની વાત કરું તો . બહુ નાની ઉંમરે એને પ્રેમ થઇ ગયો . અને એક વાર ભાગી ગઈ .સામેનું પાત્ર બધીજ રીતે નબળું હતું . હું અને બીજા મિત્રો એ સમજાવી-ધમકાવી અને એ દીકરી ને પછી લઇ આવ્યા .
દીકરી માં બાપ ને એમ કે કોઈ ધાર્મિક સંસ્થા માં રોજ કલાક મોકલીએ તો મન શાંત થઇ જાય . બ્રમ્હાકુમારી ના એક સાધ્વી ને ત્યાં મોકલવા નું શરુ કર્યું . આ વાત ને 2 વરસ થયા . એ દીકરી નું એવું બ્રેઈન વોશ કરી નાખ્યું એ લોકો એ કે દીકરી એ આજીવન બ્રમ્હ્ચારી નું વ્રત લઇ લીધું અને લગ્ન નથી કરવા . હવે આતો સુધારવા જતા દીકરી પણ ખોવા નો વારો આવ્યો .
LikeLike