મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?

હમણાં એક સમાચાર વાંચ્યા કે એક છોકરીની સરેઆમ છેડતી થઈ, એના કપડાં ખેંચવામાં આવ્યા. એનો વીડીઓ કોઈએ ઉતારી લીધેલો. ખેર એમાં જેનો વાંક હોય તે કોર્ટ અને પોલીસ શોધી કાઢશે. પણ મધ્યપ્રદેશના ઉદ્યોગ પ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું કે મહિલાઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરતી હોવાથી આવું થાય છે. સમાજ વિચલિત થાય છે. બોલો આ મહાશયને શું કહેવું?? આ પહેલા પણ છોકરીઓના કપડાં બાબતે આવા મારઝૂડના બનાવો બનેલા છે, સંસ્કૃતિ રક્ષકોએ છોકરીઓના ચોટલા ઝાલી ખૂબ મારેલી છે.

એક વસ્તુતો છે જ કે ભારતની મહિલાઓ સાવ યુરોપિયન કે અમેરિકન જેવા ટૂંકા કે સેક્સી કપડાં પહેરતી નથી. ગુજરાતમાં સાડી માન્ય પહેરવેશ હતો અને આજે પણ છે જ. ઉત્તર ભારતમાં પંજાબ બાજુ સલવાર કુર્તા પહેરાય છે. હવે તમે કહો કે સાડી સેક્સી લાગે કે સલવાર કુર્તા?? બેશક સાડી જ. સાડી-બ્લાઉઝ તો વેસ્ટર્ન લોકોને પણ સેક્સી લાગે છે. સલવાર કુર્તા ખૂબ કમ્ફર્ટેબલ ડ્રેસ છે. શરૂમાં ગુજરાતમાં સલવાર કુર્તા માટે પણ વિરોધ નોંધાએલો છે. આજે વેરી લો કટ ચોલી પહેરીને યુવાન સ્ત્રીઓ ગરબા ગાવા જાય છે ત્યારે સંસ્કૃતિ રક્ષકોના ભવા ચડી જાય તેમને ખબર નહિ હોય કે આપણી દાદીમાઓ કાપડા પહેરતી તેમાં બરડા પાછળ ખાલી દોરી જ બાંધવામાં આવતી હતી. આજે પણ રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં  ગ્રામ્ય વિસ્તારમાં આવા પાછળ ફક્ત કાપડની બનાવેલી દોરી(કસ) જ હોય તેવા બ્લાઉઝ પહેરેલી મહિલાઓ જોવા મળશે. એ મહિલાઓને સેક્સી કપડાં શું કહેવાય તેનો જરાય અણસાર નહિ હોય.

આપણાં દેશમાં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા. સંત્રી બંદૂકો લઈ ઉભા હોય તો જેલમાં પણ વ્યવસ્થા સારી દેખાય છે. સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય, પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત બની નથી શકતો, જેટલો વિવાહવાળો મતલબ એરેન્જ મૅરેજ વાળો. વિવાહ જીવનભરની વ્યવસ્થા છે. એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતિકતાઓ પેદા કરવી પડી. એક પુરુષને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબૂર કરી દઈએ, તો યૌન સંબંધ તો થઈ શકે, પણ હ્રદયનો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો. અને આ ભાઈલો પાડોશીની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો? પાડોશીની પત્ની ટૂંકા સ્કર્ટમાં સારી લાગે પોતાની પત્ની નહિ. પાડોશી પુરુષો ભયભીત થવાના. એટલે બધા પુરુષો ભેગાં થઈ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય. જે સ્ત્રીઓની માલિકી કોઈની નહિ, અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે. આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામની સેનાનું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા. ત્યારે રામની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઈ ગયેલા.

હિન્દુસ્તાનમાં બુદ્ધ અને મહાવીરના સમયમાં દરેક ગામમાં નગરવધુ હતી. ગામની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા. તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામની પત્ની, વધૂ, વહુ. કારણ સુંદરતમ સ્ત્રીને વરવા માટે પછી પુરુષો વચ્ચે હરીફાઈ પેદા થાય. ઝંઝટ પેદા થાય. એટલે આખું ગામ જ પતિ બની જતું. આખું ગામ ઉપયોગ કરી શકે. વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે. અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું. એ કોઈ એક માણસને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય. આમ્રપાલી અને અજાતશત્રુની કથા લોકો જાણે છે. મંદિરોમાં દેવદાસીની પ્રથા આવી. પૂજારીઓ શું કામ બાકી રહે? પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને. હિન્દુસ્થાનની સાથે સાથે ગ્રીક મંદિરોની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.

મર્યાદા પુરુષના મનમાં હોવી જોઈએ, સ્ત્રીના કપડાં તો ગૌણ બાબત છે. વિક્ટોરિયન જમાનામાં બ્રિટનમાં સ્ત્રીઓ પગની પાની પણ દેખાવા દેતી નહોતી. ત્યારે તે જમાનાના પુરુષોને ભૂલમાં સ્ત્રીના પગની પાની કે અંગૂઠો દેખાઈ જાય તો પણ ઉત્તેજિત થઈ જતા હતા. શું બુરખા પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતા? મિત્ર ધ્રુવ ત્રિવેદીએ એક દાખલો નોંધ્યો છે-સાલ અને રાજ્ય ની ખબર નથી,  ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટમાં ગયો આરોપીઓ એ એવી દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચારિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દેવા જોઈએ. કોર્ટનો ચુકાદો એવો હતો કે  કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચારિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો. અહી બીચ ઉપર બીકીની પહેરેલી સ્ત્રીઓ સામે કોઈ જોતું પણ નથી. છતાં અહી મહિલાઓએ ડ્રેસકોડ પ્રમાણે ઑફિસમાં કપડાં પહેરીને જવાનું હોય છે. અહી પણ બળાત્કાર થતા હોય છે પણ તેનું કારણ ટૂંકા કપડાં નથી હોતા. અહી સ્ત્રીને સેક્સી કે સુંદર લાગે છે તેવું મોઢે કહેનારો બસમાં કે ટ્રેનમાં સીટ પાછળ હાથ લંબાવીને કોઈ જુવે ના રીતે અભદ્ર અડપલાં કરતો નથી. મર્યાદા ઉભય પક્ષે હોવી જોઈએ. પણ હરદમ સ્ત્રીઓનો જ વાંક કાઢવો તે તો બેશરમી જ કહેવાય.

પાંચ પાંચ પતિઓ બેઠાં હોય અને વૃદ્ધ વડીલોની હાજરીમાં જ્યાં સ્ત્રીના કપડાં ખેંચાતા હોય ત્યાં કહેવાતા ચોખલિયા વૃદ્ધો અને યુવાનો પાસેથી ઊલટા ચોર કોટવાલ કો ડાટે સિવાય શું અપેક્ષા રાખી શકો??

વૈશ્યા એ કોઈ સ્ત્રીઓનો શોધેલો કૉન્સેપ્ટ નથી. સન્ની લિયોન(મૂળ ભારતીય પોર્ન સ્ટાર) એ કોઈ સ્ત્રીનું સર્જન નથી, સન્ની લિયોન પુરુષોની બીમાર માનસિકતાનું સર્જન છે. સ્ત્રીનું અદભૂત સર્જન તો એનું બાલક હોય છે.

35 thoughts on “મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?”

  1. 1000 % સહમત ,,,,,,,,,,,,, એક આડ વાત ,,,,,,,,, મૂળ ભારતીય સની લીઓન ઉપર લોકો ને ગર્વ થતો હશે ?/////////

    Like

    1. આદત મુજબ ઘણા ગર્વ કરી લેતા હશે. પછી થતું હશે ભૂલ કરી. હહાહાહાહાહાહા!! જબરા સવાલ પૂછે છે. થેન્ક્સ..

      Like

  2. કપડાની મર્યાદા નું ધ્યાન આ લોકમા રાખવાનું હોય
    પરલોકમા મનની મર્યાદાનું !

    Like

  3. એક ગામડે મિત્ર સાથે તેની વાડીએ ગયો ,ત્યાં તેની યુવાન ભાભી કુવા પરની કુંડી પાસે ફક્ત ચણીયાભેર કપડા ધોતી હતી , જરાપણ સંકોચ વગર કે શરીર છુપાવ્યા વગર સહજ બોલી ‘ ભાઈ વાળી જોવા આવ્યા ? ‘ , મને પણ સહજ લાગ્યું .

    Like

  4. જો અહી ગર્વની જ વાત થતી હોય તો , પ્રભુના આટલા સુંદર સર્જન , સની લિયોન પર મને ગર્વ છે કે જે એક પોર્નસ્ટાર હોવા છતાં ગર્વથી માથું ઊંચું રાખીને ચાલી શકે છે , કે જે પોતે જેવી છે તેની બધાયને ખબર છે . તે પોતાની લીગલ કમાણી પર ટેક્ષ ભરીને કેનેડામાં એક નાગરિક તરીકે નું તેનું સન્માન જાળવી શકે છે . ( અને આ ભારતમાં કદાપી શક્ય થવાનું નથી કારણકે ભારત દંભી માં દંભી દેશ છે , માટે જ તો હાથીઓ કરતા માણસો પાસે ખાવાના જુદા અને દેખાડવાના દાત જુદા હોય છે !)

    એ ભારતની જ મેજોરીટી જનતા છે કે જે તેના અંગ ઉપાંગ ની એક ઝલક લેવા લાળ ટપકાવે છે અને ત્યાર બાદ તેને વૈશ્યા કહીને પોતાની અજડતા પ્રસ્તુત કરે છે ! તેને તો આપણે વેશ્યા કહી દીધી , પણ જેણે જેણે તેને ભોગવી છે તે સર્વે પુરુષોને કોઈ ” વેશ્યો ” કેમ નથી કહેતા ?

    કેમ હજી નારાયણ તિવારી જેવા ડોસા પોતાની પાછળ અનૌરસ સંતાનોની લાઈન લગાડતા જાય છે અને કહેવાતા સમાજ નું રુવાડું ય ફરકતું નથી !

    કેમ નિત્યાનંદ જેવા લંપટ લોકો ઓન કેમેરા જડ્પાયા હોવા છતાં નિર્લજ્જ થઈને ફરતા રહે છે અને વટથી કહેતા ફરે છે કે હું તો સ્ત્રીમાં પણ નથી અને પુરુષમાં પણ નથી ! આ તો મારી વિરુદ્ધનું ષડ્યંત્ર છે અને બેવકૂફ જનતા એ માની પણ લે છે !!!

    અને વાત રહી બળાત્કારની તો , જ્યાં સુધી ડરનું એક એવું સામ્રાજ્ય નહિ રચવામાં આવે કે જ્યાં કોઈ વ્યક્તિના મનમાં બળાત્કારનો વિચાર આવતા જ તે ફફડી ન જાય ત્યાં સુધી બળાત્કાર થતા જ રહેવાના . . .

    ચાણક્ય ના સમયમાં આ ગુના માટે શૂળીની સજા હતી , કે જે એટલી દર્દનાક હતી કે જોનારા ફફડી જાય અને સજા પૂર્ણ થતા પહેલા તો આરોપીનું મૃત્યુ થઇ ચુક્યું હોય !

    Like

  5. પ્રજ્ઞાબેને વ્યંગમાં કહ્યું લાગે છે. બાકી આ લોકમાં મનની મર્યાદા રાખે તેને જ સ્વર્ગ મળે. અને સ્વર્ગ લાભનો મુખ્ય એ કે ત્યાં અપ્સરાઓ મળે! એટલે ગુવાહાટીમાં છોકરી સાથે ગેરવર્તાવ કરનારા જરૂર સ્વર્ગમાં જવાના! ત્યાં પોષાકની મર્યાદાની જરૂર નથી,

    આ તો થઈ હળવી વાત. સમાજનાં પરિવર્તન સ્ત્રીનાં વસ્ત્રોમાં થતાં પરિવર્તનોમાં પ્રતિબિંબિત થાય છે. સ્ત્રી સમાજનાં પરિવર્તનનો માપદંડ છે. આજે સાડી વિદાય લેવા લાગી છે. કારણ કે સમાજ બદલાયો છે અને સ્ત્રી બદલાઈ છે.આમ જૂઓ તો સાડી પણ ભારતીય પહેરવેશ ક્યાં છે? એ તો ગ્રીકો લાવ્યા!

    આજે યુવાન છોકરીઓ માત્ર જીન્સ અને ટૉપમાં જોવા મળે છે. માત્ર કપડાં જ નહીં, એમને જૂઓ તો લાગે કે એમનામાં આત્મવિશ્વાસ વધ્યો છે. આ બહુ મોટું પરિવર્તન છે. પણ સેક્સપીડિત સમાજની નજર એનાં કપડાં પરથી હટે ત્યારે જ સ્ત્રીની આંતરિક ઓળખાણ એને મળશે.

    કોઈ દેશના વિકાસનું સ્તર જોવું હોય તો એ દેશની સ્ત્રીઓનાં વસ્ત્રો જુઓ. ખ્યાલ આવી જશે કે એ સમાજ કેટલો બદલાયો. એક વાતમાં નહીં બદલ્યો હોય તો બીજી બાબતોમાં પણ નહીં જ બદલ્યો હોય. યુરોપમાં વિક્તોરિયન યુગની સ્ત્રીઓનાં કપડાં જુઓ, પહેલા વિશ્વયુદ્ધ સુધીના સમયનાં વસ્ત્રો જુઓ અને તે પછીનાં વસ્ત્રો જુઓ. હવે યુરોપના વિકાસનો ઇતિહાસ પણ જોઈ લો.

    મેરઠની એક ખાપ પંચાયતે હુકમ કર્યો છે કે સ્ત્રીઓએ એકલા બજાર ન જવું અને મોબાઇલ ન વાપરવો. આપણે પાછળ જવામાં ગર્વ અનુભવીએ છીએ.

    Like

  6. sex jo bahaar hoy to aapanaa purano shaastro mandiro na shilp vagere par thi navi maryaadaa nakki karie jethi bharatiya sanskruti nu puru paalan kari shakie ane pachhi joie majaa!!!

    Like

  7. સ્ત્રીને વામા કહી છે. પતિની ડાબી બાજુ બેસનારી ! ડાબો હાથ અપવિત્ર ગણ્યો છે ને તે હાથે પૈસાની લેવડદેવડ થતી નથી !! (જનોઈને ડાબા ખભે રાખી છે જેથી એને જમણા હાથે ખેંચીને જમણા કાને ચડાવી શકાય…) આક્રોશ વ્યક્ત કરનારા પણ ડાબેરી ગણાય છે. કોઈને મારવા માટેનો શબ્દપ્રયોગ છે : “એક દઈ દઈશ ને ડાબા હાથની !”

    સમાજમાં દલીતોને, સ્ત્રીને, ગંદકીને ડાબી બાજુ રાખીને સાચા અર્થમાં અસામાજિકતા ઉભી કરી છે. બાકી ભુપેન્દ્રસિંહે લાલ અક્ષરોમાં લખેલું છેલ્લું વાક્ય બધાનો સાર છે.

    Like

      1. એક વાત તો તોય રહી જ ગઈ –

        તમે શરૂઆતમાં જ મુકેલું નારીરત્ન પોતાના જમણા હાથ વડે જે ચેષ્ટા કરી બતાવે છે તેમાં કાંઈ કહેવા જેવું ખરું ? સુંદરતા, વસ્ત્રની પસંદગીની સ્વતંત્રતા, પહરવેશ વગેરેમાટેની ફેશન એ બધું માન્ય પણ આ ચેષ્ટાને શું કહેશું ?

        Like

        1. જુગલભાઈ આ નારી રત્ન વિષે મેં લેખમાં છેલ્લું વાક્ય લખેલું છે. આ મૂળ ભારતીય પોર્ન સ્ટાર સન્ની લીઓન છે. હહાહાહા!!

          Like

        2. માન.જુ.ભાઈ પણ હવે આપણાં પૂંછડાં ખેંચી ખેંચી થાકી ગયા લાગે છે !!!
          કેમ કે, એક વાત તો તોય રહી જ ગઈ –
          અગાઉ પણ એક લેખમાં મેં આપને જણાવેલું કે શબ્દ “વૈશ્યા” નહિ “વેશ્યા” છે !!
          (વૈશ્યા = વૈશ્ય સ્ત્રી, વણિક સ્ત્રી)
          જોડણીની વાત તો મેલો ! અર્થની દષ્ટિએ સાચો શબ્દ જરૂરી ખરો કે નહિ ? હું લેખને ૧૦૦ માર્ક્સ આપી અને આ ગંભીર ક્ષતિ બદલ (બીજી વખત એ ની એ થઈ એટલે !) ૯૯ માર્ક્સ કાપી લઈશ ! 🙂 લેખના વિષય વિશે ચર્ચા તો ઘણી થઈ શકે પણ મને ઘરના રોટલા ખાઈને ગામમાં અપમાનીત થવાની આદત તો બાપદાદાના જમાનાથી નથી !! 😉 અને ગુસ્સા પર તો કોઈનો એકાધિકાર નથી. ધન્યવાદ.

          Like

  8. Bhupendrasinh Raol ભાઈ આપ હંમશા આપની વિચારધારા તરફ ખૂબ ક્લિયર છે.કે સ્ત્રી શુ પહેરે તે બીજા ના નક્કી કરી શકે..? ૧૦૦% તમારી વાત સાથે,
    અને આપ પણ કપડાની શોધ માનવી છે ભગવાનની નહી…! ભગવાને તો આપણને નગ્ન જ મોકલ્યા હતા,પશુઓ ક્યાં કપડા પહેરે છે…!
    પણ અહી સંસ્કૃતી/બંસ્કૃતિ ગઇ તેલ પીવા,પણ તરતા ન આવડતુ હોય તે પાણીમાં ન પડે તે હિસાબે છોકરીઓ એ મોડી રાત્રીએ કે સુમસાન જગ્યાએ એકલા નિકળવુ ના જોઇએ.
    -નોંધ: હુ અહી કોઇની તરફદાયી કે વિરોધ કરતો નથી માત્ર પોતાના બચાવમાં રહેવુ જોઈએ.

    Like

    1. ધ્રુવભાઈ હું તમારી વાત સાથે ૧૦૦ ટકા સંમત છું કે સલામતી ખાતર સ્ત્રીઓએ રાત્રે અને સુમસામ રસ્તે નીકળવું જોઈએ નહિ.

      Like

  9. ખરેખરતો આપણાં દેશમાં સ્ત્ર્રીઓ સ્વાવલંબી બની કમાવા લાગી અને તેણીને પોતાના સ્વમાન અને સ્વત્વ વિષે પણ સભાન બની જરૂર પડ્યે પોતાનો અવાજ ઊંચો કરતી થઈ તે આ દુનિયાના આપણાં દેશના એક નંબરના પુરૂષ પ્રધાન દંભી સમાજને પસંદ પડ્યું નથી તેનો આક્રોશ આવા પ્રધાનો અને અન્યો ધરાર થઈ પડેલા સંસ્કૃત્તિના રક્ષકો ઠાલવતા રહે છે અને કારણ વગરના વિવાદ ઉભા કરી સમાજનું વાતાવરણ કલુષિત બનાવે છે. આવી હરકતો કરનારના પરિવારની વહું દીકરીઓ કેવા વસ્ત્રો ધારણ કરે છે તે પણ તપાસ કરી જાહેર કરવું જોઈએ જેથી સમાજ્ના અન્ય લોકોને તેમના ખરા સ્વરૂપની ખબર પડે !

    Like

  10. ( 249). ((( સ્ત્રી ચરિત્ર ))) .
    સંયમ માં રહેશે નારી, એ સભ્ય સમાજ નો પાયો છે ,
    ઘડતર તારે હાથ સદા ને તારા કનેજ ઉપાયો છે ,
    સઘળા સમજે તુજને “ઘાયલ”, ઘર ની આબરૂ ઈજ્જત સમ ,
    છે આ દરજ્જો તારો ઉમદા, પુરુષ સદા વગોવાયો છે ,
    આઝાદી નો મતલબ સમજો , છકી જવું આઝાદી નથી ,
    સમોવડી થવા ની દોટે , મદ તારો ભરમાયો છે ,
    અનુકરણ કરવું છે સારું , સંસ્કૃતિ ના ભોગે નહિ ,
    પગ લપસે છે પળ માં પાછળ જીવ ભવભવ શરમાયો છે ,
    સુંદરતા ને શાલીનતા માં ઓછાપણ ને હક નથી ,
    કોઈ આઝાદી પૂર્ણ નથી એ ભેદ મને સમજાયો છે ,
    બંધન મા રહેવું છે સારું , ને હદ સારી મર્યાદાની ,
    થાય રામાયણ હદ જો ઉથાપો , ભૂતકાળ ચીતરાયો છે ,
    સોળકળાએ ખીલવું શોભે , સ્થાન એ ક્યાં તે તારી મરજી ,
    એક ભૂલ , કળી હો કે ફૂલ , બસ બાગબાનજ લુંટાયો છે .
    અમિત પંડ્યા”ઘાયલ બીજો”.

    Like

  11. સરસ લેખ છે, અભિનંદન આપણી દંભી મનસતાને ખુલ્લી પાડવા બદલ,,,,,,, હુ પણ થોડુ ઉમેરવાની ગુસ્તાખી કરી લઉ….

    આપણે હવે જરુરથી અધોગતીમય પ્રગતિશીલ છીએ.

    આજે ભારતનુ મન ખુલ્લુ પડી ગયુ, લોકોને ખાસ કરીને બહેનોને નગ્ન થવુ છે (ફક્ત ધન અને નામ ખાતર). અને પુરુષોને દબંગ બન્વુ છે.

    હુ સ્ત્રીઓને બહેન કહુ તો મને નકામો પુરુષ માને છે.

    સની લીઓનને આજે આપણે વધાવી લીધી, એનુ કારણ એનુ છળ છે. એનામાં હિંમત હોત તો ભારતીય નામે ભારતમાં પગ પસારી દેખાડત, કેમ કે પુનમ બેન ની પીપુડીએ હજુ જોઈએ એવો વિજય નથી મેળવ્યો. સની લિઓનની પ્રગતિ કેનેડાની સંસ્ક્રુતીને આભારી છે પણ પુનમ પાંડેની પ્રગતિ ભારતીય સંસ્ક્રુતીને કારણે વિજયી નથી થઈ શકી.

    હેલન બેન પણ ડોસી થઈ ત્યારે તેની કદર થવ લાગી. બિંદુ બેન, નાદીરાબેન અને એવી અન્ય બહેનો વેમ્પ કહેવાતી અને એને જોઈને ત્યારના મર્યાદાસભર ભારતીય વડીલો મોઢુ ફેરવી લેતા પણ આજનો સંપુર્ણ ભારત દેશ અમર્યાદાસભર સેક્સી બની ચુક્યો છે એનુ કારણ રાજકપુરને આપુ છુ જેઓ બીજાની સ્ત્રીઓને નગ્ન ચીતરવામાં પોતાને હિરો કહેવડાવતા પણ પોતાના ઘરની સ્ત્રીઓને ઘરની બહાર એટલે કે ફિલ્મમાં ઉતરવાની ચોખ્ખી નામર્દસભર મનાઈ રાખી હતી. તેને કળા બહાર દેખાય છે ઘરમાં એ જ કળા એને વિકૃતી કહેવાય છે.

    ભારતીય સંસ્ક્રુતી અને વિદેશી ખાસ તો ખ્રીસ્તી દેશોની સંસ્ક્રુતીમાં જમીન આસ્માનનો ફરક છે.

    તેઓ માનવતાની મર્યાદાથી ડરે છે આપણે દંડુકાની મર્યાદાથી માનવતાને ડરાવીએ છીએ.

    આપણે આપણા વાડાઓને ચોખ્ખા રાખીએ છીએ પણ બીજાના કે ઉતરતા વાડાઓને અભડાવવામાં કોઈથી ડરતા નથી રાજકપુરના જેમ.

    આપણે દંભી છીએ, આપણી દિકરીને મર્યાદામાં રાખીએ છે પણ બીજાની ખાસ કરીને મજબુરોની દિકરીઓને કેશ કરી લઈએ છીએ.

    સાચુ કહ્યુ દિવાને, કે ફિલ્મી સિતારાઓએ અજમેરની દરગાહમાં તેઓની જંગલિયાતોને સફળ કરવા માટૅ પગ ના મુકવા દેવો જોઈએ. બાગપતની મહિલાઓએ પણ જીન્સ ન પહેરવાનુ ફરમાન આપીને પણ ઉત્તમ કાર્ય કર્યુ છે. આપણુ પશ્ચિમ ભારત ભલે કરતુ કેમ કે ગુજરાત મહારાષ્ટ્ર અને થોડા બીજા પ્રગતિશીલ રાજ્યોના નાગરીકો શીક્ષિત હોઈને વધુ ફરક નથી પડવાનો પણ ગરીબો અને નીચલા વર્ગની બેનો દિકરીઓ શોષણનો ભોગ ના બનવા જોઈએ એનો ખ્યાલ રાખવો જરુરી છે.

    બારબાળાઓ મોટા ભાગે ધન ખાતર મર્યાદાઓનુ ખુન કરીને કે અપમાન કરીને પોતાને આગની જ્વાલામાં ધરબી દે છે. આજે રામના નામે રાજ કારણ કરાય છે પણ સિતા સમ અબુધ બાળા ઓના શીયળના લીરે લીરા ઉડાવય છે

    માનવતા ભારતના કુવામાં નથી એટલે મર્યાદા મનના હવાડામાં નથી દેખાતી….

    ….. વધુ સમય મળ્યે લખીશ.

    Like

  12. ‘મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં’ ની ચર્ચા માં ભગવાનને ઘસડી લાવવાની જરુર લાગતી નથી. દેવદાસી પ્રથાના મૂળ શોધશો તો હકીકત જણાશે.
    નગરવધૂની વધૂ વિગતો માટે http://books.google.co.in/books પર वैशाली की नगरवधू – आचार्य चतुर्सेन જોવા જેવી છે. શ્રી દિપકભાઈ ની જાણ માટે – આર્યો વિશે –
    http://hi.bharatdiscovery.org/india/%E0%A4%86%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AF
    Naturism ની પ્રેક્ટીશ ખુલ્લા સમાજમાં થતી નથી. મનની મર્યાદાઓ સુધી પહોંચવા કેટલીક મર્યાદાઓ પાડવી પડે. (અહીં ફક્ત કપડાંની જ વાત નથી).
    ‘મા’ ને ‘બાપની બૈરી’થી સંબોધિત ન કરી શકાય.
    આજની આ પોસ્ટનો ગુસ્સો છેલ્લા વાક્ય – સ્ત્રીનું અદભુત સર્જન તેનું બાલક છે – થી ઉતર્યો.

    Like

    1. શ્રી જીતુભાઈ
      હવે આપને ગુસ્સો કઈ બાબતે આવ્યો તે જણાવશો તો સમજ પડે કે ક્યા કોની ભૂલ છે? ૪૫ મીનીટ સુધી એક છોકરીને દસબાર જણા સિગારેટના ડામ આપી સતાવે તેમના ઉપર ગુસ્સો આવ્યો? કે પેલા વીડીઓ ઉતારનારા અને પોલીસને ફોન કરીને નહિ બોલાવનારા પત્રકાર ઉપર આવ્યો? કે નરાધમોને વાખોદાવાના બદલે સ્ત્રીઓને સલાહ આપનારા મીનીસ્ટર ઉપર આવ્યો? નગરવધુ પ્રથા સારી હતી? દેવદાસી પ્રથા સારી હતી? કે પૂજારીઓના ભોગવિલાસનું યુક્તિથી બનાવેલી સાધન હતું? ધર્મ તો વચમાં આવવનો જ. ધર્મના બહાને સ્ત્રીઓના શોષણ થતા જ હોય છે. મૂળ વાત સ્ત્રીઓના શોષણની છે અને એમને સલાહ આપાય કે તમારી ભૂલ છે ત્યારે મને પણ ગુસ્સો ગુસ્સો તો આવે જ છે. વૈષ્ણવ આચાર્યો ધર્મના બહાને ભક્તોની સ્ત્રીઓનું જાતીય શોષણ નથી કરતા?

      એક જોક વાંચી ગુસ્સો છોડી હસી લેજો..જજસાહેબ(ચુકાદો આપતા)–બહેન તે શોર્ટ સ્કર્ટ પહેરેલું માટે આ સજ્જનભાઈ શરમવાલાથી રેપ થઇ ગયો છે માટે તેને બા ઈજ્જત બરી કરવામાં આવે છે અને તને ૯ મહિના માટે જેલની સખત સજા કરવામાં આવે છે. જોકે તારા શરીર પર ૪૫ મીનીટ સુધી સિગરેટ વડે ચિત્રકારી કરવા દીધી છે તે માટે તને એક મહિનો માફી આપવામાં આવે છે અને આનો વીડીઓ ઉતારનારા પત્રકારને પદ્મભૂષણ મળે તે માટે સરકારને ભલામણ કરવામાં આવે છે. હહાહાહાહા!!

      ભારતમાં ડ્રગ પછી સૌથી મોટો ધંધો હ્યુમન ટ્રાફીકિંગનો છે. એમાં નાનાં બાળકો અને છોકરીઓની તસ્કરી થાય છે. છોકરીઓને ફ્લેશ ટ્રેડમાં જોતરી દેવાય છે. સવાલ કપડાનો નથી સવાલ પુઅર માનસિકતાનો છે.નવેમ્બર ૨૦૧૧ સુધીમાં ખાલી અન્ધ્ર્પ્રદેશ્માં ૧૨૯૧ બળાત્કાર થયેલા છે. દિલ્હીમાં ૭૦ વર્ષના માજી ઉપર રેપ થયેલો છે.

      એક સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ યાદ આવે છે (સાલ અને રાજ્ય ની ખબર નથી) ચાર/પાંચ લોકોએ એક વેશ્યા પર બળાત્કાર કર્યો આખો મામલો કોર્ટ માં ગયો આરોપીઓ એ એવે દલીલ આપી કે પીડિત મહિલા વેશ્યા/ચરિત્રહીન છે માટે કોઈ કેસ ના બને અમને નિર્દોષ છોડી દ્યો ………..
      કોર્ટ નો ચુકાદો એવો હતો ક કોઈ પણ સ્ત્રી વેશ્યા/ચરિત્રહીન હોય તો તેના પર બળાત્કાર કરવાનો પરવાનો નથી મળતો માટે તે છોકરી દારૂ પીવે કે ડાન્સબાર માં નાચે તે કારણે તેની છેડતી કરો તે મારી સમજ બહાર છે.-ધ્રુવ ત્રિવેદી

      Like

      1. નવાઈની વાત તો એ છે કે ગરીબો પેટનો ખાડો પુરવા મથે તો એને ગામડાંમાં માર પડે ને ઓલ્યા નટનટીયું કરોડો ને અબજોમાં આળોટતાં હોય તોય પૈસા માટે થઈને જાહેરમાં કપડાં ઓછાં, આછાં ને ક્યારેક નહીવત્ રાખે તોય તેમની વાહવાહ થાય !! ગયે વર્ષે આપણા મહાનટે કહ્યું હતું કે સિનેમાથી સમાજ હિંસા શીખતો નથી !!!!!!

        અબજો રુપિયાના માલિકોને તેલની શીશી કે સાબુની ગોટી વેચતા જોઈએ છીએ ત્યારે નફરત નહીં…..સૂગ ચડે છે ! પૈસા માટે થઈને આ બરબાદીયાઓ ક્યાં જઈ પહોંચ્યાં છે ! એમનાં લફરાંની ટીવીમાં સારા (!) માણસો દ્વારા ચર્ચાઓ થાય ને ગરીબની છોકરી સહેજ ચોટલો જુદો વાળે તો ધરતીકંપ થઈ જાય…

        Like

      2. શ્રી રાઓલજી,
        મારો ગુસ્સો એ મારી લાગણીની અભિવ્યક્તિ છે, અંગત છે. છતાં પણ આપે તેની કેર કરી પૂછ્યું એ બદલ આભાર.
        આપની પોસ્ટમાંથી –
        ‘ પથ્થર કે આરસની મૂર્તિને વાઈફની જરૂર પડે તેવું તો અહી જ બને.’
        વાક્ય કાઢી નાખીએ તો આપના સંદેશમાં શો ફરક પડે ? દેવદાસીની પ્રથામાં એવું ક્યાં આવ્યું કે તે મૂર્તિની વાઈફ છે ?
        ભગવાન (જો હોય તો) પથ્થરની મૂર્તિમાં નથી પણ મૂર્તિ એ શ્રધ્ધાનું પ્રતિક છે, જેમ, ખ્રીસ્તીઓ માટે ક્રોસ છે. મનુષ્ય જે કાર્યો કરી શકે છે તે ભગવાન ન કરે પણ તેની શ્રધ્ધા કરે. સમાજનો બહોળૉ વર્ગ આ વાત સમજી ન શકે એ માટે મૂર્તિઓ અસ્તિત્વમાં આવી અને જો એનાથી સમાજનું કામ ચાલી જતું હોય શા માટે ચચુંપાત કરવો ? ભગવાન વિષેની મારી માન્યતા અલગ છે –
        http://bestbonding.wordpress.com/2012/07/20/god/ અને

        ઉપરવાળાનો ત્રાસ –


        બીજો ગુસ્સો અમારા બુધ્ધીજીવીઓ પર છે, ‘આપણે દંભી’ કહીને બધાને સાથે ખેંચે છે. આ મિત્રો માટે – ‘સમાજના બે કોમન ભાગ’
        http://bestbonding.wordpress.com/2012/06/13/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97/

        બાકી સની લીઓન કેનેડામાં જઈ ‘પોર્ન સ્ટાર’ બની (બુધ્ધીજીવી મિત્રો તેને કેરીયર બનાવી તેમ કહે છે) ભારતની મજબુર, લાચાર સ્ત્રીઓ શરીરનો ઉપયોગ સાધન તરીકે કરી પેટનો ખાડો પૂરે છે. તેઓને ‘સ્ટાર’ની નહી ‘રોટલા’ની જરુર છે.
        તમે કંઈક આંકડાઓ આપેલા છે, જો આંકડાઓમાં રસ હોય તો નીચેની લીન્ક પર લટાર મારવા જેવું છે.
        http://www.nationmaster.com/compare/India/United-States/Crime

        તમે મારા ગુસ્સાની ચિંતા કરી એ બદલ ફરીથી આભાર.

        Like

    2. શ્રી જીતુભાઇ,
      મારી કઈ કૉમેન્ટના સંદર્ભમાં મને આર્યો વિશે વાંચવા કહ્યું છે, તે ન સમજાયું.આમ છતાં વાંચી ગયો. આમ છતાં આ લેખ સાથે એને શો સંબંધ તે સ્પષ્ટ કરવા વિનંતિ છે.

      Like

      1. શ્રી દિપકભાઈ,
        આપની સાડીની ગ્રીકથી ઇમ્પોર્ટ થયાના સંદર્ભમાં હતો. એક વાયકા એવી ચાલે છે કે આર્યો બહારથી આવ્યા હતા, જે પ્રસ્તુત લીન્ક માં ખોટી ઠરે છે. આપની પાસે સાડી અંગે કોઈ સંદર્ભ હોય તો મને કશું વાંચ્યા વિના સ્વીકાર્ય છે. હું માનું છું કે બ્લોગરર્મિત્રો જ્ઞાનની આપ-લે કરવા આ માધ્યમમાં આવ્યા છે, સ્પષ્ટતાઓ કરવા કે સાબીતિઓ આપવા નહીં.
        આભાર.

        Like

        1. શ્રી જીતુભાઈ,
          સાડી અંગે તમે પૂછ્યું છે. એવા સંદર્ભો તો છે જ, અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી, કારણ કે પુસ્તકમાં મેં વામ્ચું છે. કદાચ રાહુલ સાંકૃત્યાયન?
          પરંતુ તમારા માટે બ્લોગ પર શોધતાં મને કેટલીક નવી માહિતી પણ મળી. આમાંથી એક ટાંકું છું. – “People think that the sari originated form the Greek toga but actually there are records showing a statue of a Deity of some sort in the Hindu faith wearing one at least a thousand years before” Abraham Maxwell (http://www.helium.com/items/548359-the-significance-of-saris

          સાડી ગ્રીક લાવ્યા એમ કહેવા પાછળ સંદર્ભનું બળ હશે તે તો આ વાક્યની શરૂઆતથી જ સ્પષ્ટ થાય છે, આ ભાઈ ગ્રીસથી સાડી આવી એનો ઇન્કાર કરે છે, તે સાથે એનો સંબંધ હડપ્પન કલ્ચર સાથે જોડે છે. આ નવી માહિતી (કઈં નહીં તો મારા માટે) છે. આથી મારૂં વિધાન હાલ પૂરતું પાછું ખેંચી લઉં છું. આભાર.

          સંદર્ભ મળ્યા પછી પણ આ વિષય સંશોધકોનો હોવાથી વિવાદ રહેવાનો જ. કોણ સાચું તે નક્કી નહીં થઈ શકે.

          આમ પણ વેબપેજ સૌ કૉઇ બનાવી શકે અને લખી શકે. તમે આર્યો વિશેની જે લિંક આપી છે એવી કેટલીયે લિંક્સ હશે જેમાં એનાથી ઉલ્ટું સાબીત કરેલું હશે.સાડી બાબતમાં તમે વાંધો લીધો પણ આ વેબસાઇટની વાત કેમ તરત સ્વીકારી લીધી, તે સમજાયું નહીં. આ લિંક પણ જોઈ લેશોઃ http://www.indhistory.com/aryan.html

          આ ઉપરાંત શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો જેનોગ્રાફ પણ રસપ્રદ નીવડશે.

          તમારા જેમ હું પણ માનું છું કે ” બ્લોગરર્મિત્રો જ્ઞાનની આપ-લે કરવા આ માધ્યમમાં આવ્યા છે, સ્પષ્ટતાઓ કરવા કે સાબીતિઓ આપવા નહીં.”

          જો કે તમે સ્પષ્ટતા અને સાબીતી માગી જ છે અને મેં કરી છે, એટલું જ નહીં, સંદર્ભ ન આપી શકું ત્યાં સુધી મારૂં કથન પાછું ખેંચી લીધું છે. એ જ રીતે બીજી લિંક જ્ઞાનની આપ-લે કરવાના હેતુથી આપી છે.
          આભાર.

          Like

  13. રાઓલ સાહેબ તમારી ચર્ચા સારી રહી.
    મર્યાદા હમેશા મન માજ હોય તે સ્વાભાવિક છે. સ્ત્રી કે પુરુષ કપડા પહેરવાથી ચોક્કસ દેખાવ માં આકર્ષિત થઇ શકે.
    સુંદર પણ થઇ શકાય. કેમ માત્ર સ્ત્રી? પુરુષ પણ સારા કપડા પહેરી સ્ત્રીઓને આકર્ષવાનો પ્રયત્ન કરતો હોય છે.
    સુંદર દેખાવા સારા વસ્ત્રો પરિધાન કરવામાં કાઈ જ ખોટું નથી. જે કહે કે પેલી સ્ત્રી કેવા ટૂંકા વસ્ત્રો પહેર્યા છે? આ સવાલ માં પણ
    તેને તે સ્ત્રી એ આકર્ષણ તો ઉભું કર્યું જ છે . અંદર નો દેખાવ તો જોઈ શકતો નથી કોણ કેવું છે. પણ બાહ્ય દેખાવ જે સત્ય છે તે સ્વીકારવો જોઈએ
    સુંદર સ્ત્રી સારા વસ્ત્રો પરિધાન કરે એટલે એ ખરાબ છે તેમ માની લેવાનું કોઈ જ કારણ નથી. તે તેનો બિલકુલ અંગત મામલો છે .
    પછી તમે તેને વાસના થી જોવો તે તમારો ખોટો ખ્યાલ છે. વાસના ના લીધે જ તે સુદર સ્ત્રી તમને ખોટું પહેર્યું છે એમ લાગે છે.
    પણ જો તમને એ કદાચ પ્રેમ ની સારી વાત કરે ત્યારે તમને પછી એ એજ વત્રોમાં સારી લાગશે.
    ભારત માં આ બધું હજુ સ્વીકાર્ય થતા ઘણો સમય લાગશે . મહાપુરુષો પણ પ્રેમ માં પડતા હતા કેમ કે પ્રેમ કરવો એ તો જીવતા માણસ નું લક્ષણ છે

    Like

    1. શબ્દસુરભાઈ,
      તમારૂં આઅવલોકન બહુ ગમ્યું.
      “વાસના ના લીધે જ તે સુદર સ્ત્રી તમને ખોટું પહેર્યું છે એમ લાગે છે.
      પણ જો તમને એ કદાચ પ્રેમ ની સારી વાત કરે ત્યારે તમને પછી એ એજ વત્રોમાં સારી લાગશે.”
      ખરેખર તમે કહો છો તેવું જ છે. પુરુષ પોતાના મનમાં ઊભી થયેલી વાસનાના ઢાંકણ તરીકે સ્ત્રીનામ કપડાંનો વાંક કાઢે છે.

      Like

  14. હવે આ બધા જે કોમેંટ આપવાવાળા છે એમાંથી કોની તાકાત છે કે કોઇ સ્ત્રીની છેડતી કરી શકે કે બળાત્કાર કરી શકે ? કોઈની નહી. અને હુ દાવો કરું છુ કે આ બધા બુઢ્ઢા થઈ જશે પણ કોઇ હિમ્મત નહી કરે. હિમ્મત માટે રગોમા બદમાશનુ લોહી હોવુ જોઈએ. સમાજમાં મોટા ભાગના આવા જ છે. માનસિક રિતે ભલે ગમે તેટલા ઉઘાડા હોય. પણ બહાર બરાબર છે.
    અમુક બદમાશ લોકો ખાતર આખા સમાજ કે ધર્મોંને વચ્ચે નો લવાય. કપડા બહુ ગૌણ વસ્તુ છે. જેને બદમાશી કરવી છે એને કોઇ ફરક નો પડે કપડાનો. બદમાશ માણસોને હેન્ડલ કરવાનું કામ પ્રશાસનનુ . પ્રશાસન ઉપર જ ગુસ્સો કઢવાનો હોય.
    અને ભુપેન્દ્રસિહભાઈ, તમે શું બાળપોથીના ચોપડાઓમાંથી અવતરણો લખતા રહો છો. એ બધી લાઈનો મોરારીબાપૂ જેવાઓ પાસે ડિલીટ કરાવી નાખવાની હોય.

    Like

  15. જેવાં કપડાં એવી મર્યાદા…………
    શું મનની મર્યાદા કપડામાં છુપાયેલ છે? આ ગીત સાંભળો …………….

    Like

  16. “જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભેગા થઈને અનસુયાને નિર્વસ્ત્ર જોવા છળ કરે, જે સમાજમાં દેવોનો રાજા ઇન્દ્ર અહલ્યા જેવી સતી સ્ત્રીને ભ્રષ્ટ કરવા છેતરપીંડી કરે અને તેનો દંડ તે સ્ત્રીને મળે, ત્યાં પુરુષોના દુષ્કૃત્યો માટે સ્ત્રીઓને દોષ દેવાય તે સાહજિક છે.”— Rashmikant Desai..

    Like

Leave a comment