
ભૂકંપની આગાહી કૂતરા દ્વારા
કૂતરા અને બીજા પ્રાણીઓ આવનારા ભૂકંપને પારખવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે કે નહીં તે વિષય વૈજ્ઞાનિકો માટે હંમેશા ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. ભૂકંપ આવે તેની આગાહી કરવામાં કૂતરા અને બીજા પ્રાણીઓ માહેર હોય છે તેવું ઘણાનું માનવું છે. મહદંશે સાચું પણ છે. આવા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરીને ભૂકંપની આગાહી કરી શકાય છે. કૂતરા પાસે સૂંઘવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે તે તો જગજાહેર છે. પણ આવી બીજી કોઈ સાયકિક સેન્સરી એબિલીટી હોય તે ચર્ચાનો વિષય છે. આલ્પ્સ પર્વત ઉપર ફરવા જનારા ટુરિસ્ટને આવનારા હિમપ્રપાત વિષે કૂતરા દ્વારા ચેતવવાના સેંકડો પુરાવા મળ્યા છે. આવી દુર્ગમ પર્વતમાળામાં ફસાયેલા લોકોને બચાવનારી રેસ્ક્યુ ટીમને આવનારા avalanche સ્થળેથી કૂતરા દ્વારા દૂર લઈ જઈને સેફ રસ્તે લઈ જવાના અનેક દાખલા નોંધાયા છે. ત્યાં સુધી કે ભૂકંપ આવવાનો હોય તેના થોડા કલાકો કે ઘણીવાર દિવસ પહેલા તે બાજુ જવાનો કૂતરા ઇનકાર કરતા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા છે.
કૂતરા દ્વારા આવી ભૂકંપની આગાહીનો દાખલો ઈશા પૂર્વે ૩૭૩મા ગ્રીસમાં નોંધાયેલો છે. ચીન અને જાપાનમાં તો કૂતરા, ઉંદર, સાપ, ચકલી સ્થળાંતર કરવા માંડે તેને ભયાનક ધરતીકંપ માટેની રાષ્ટ્રીય ચેતવણી ગણવાનો રિવાજ છે. કૂતરા અને આવા બીજા પ્રાણીઓની વિચિત્ર વર્તણૂક દ્વારા ચેતીને ૧૯૭૫મા ચીનના Haicheng શહેરના સત્તાવાળાઓએ ત્યાંના ૯૦,૦૦૦ લોકોને શહેર છોડીને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપેલા. થોડા કલાક પછી ત્યાં ૭.૩ મેગ્નીટ્યુડ ભૂકંપે શહેરની ૯૦ ટકા ઈમારતો ધરાશાઈ કરી નાખેલી.
શિયાળામાં ઘણા લોકોને ડિપ્રેશન અને ઍંગ્ઝાયટિનાં હુમલા આવતા હોય છે. કૂતરા પરનાં આવા Seasonal Affective Disorder વિષે Stanley Coren Ph.D. નામના સાયકોલોજીસ્ટ અભ્યાસ કરી રહ્યા હતા. સપ્ટેમ્બર થી એપ્રિલ આઠ મહિના માટે ૨૦૦ કૂતરાની વર્તણૂકનાં અહેવાલ એમના માલિકો દ્વારા એમને નિયમિત મળતા હતા. રિસર્ચ ચાલુ હતું. એક ખાસ દિવસ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૧નાં દિવસે કૂતરાઓમાં બેચેની વધી ગઈ. એક જ દિવસમાં ૧૯૩ કૂતરા બેચેન હતા અને એમની બિહેવિયર વિચિત્ર લાગતા રિપોર્ટ આવી ગયા. ૪૭ ટકા કૂતરા તે દિવસે વધારે પડતા વિચિત્ર હરકત કરતા હતા અને ૪૯ ટકા કૂતરામાં સારા એવા પ્રમાણમાં ઍંગ્ઝાયટિ જણાઈ બીજા દિવસે પેસિફિક નોર્થવેસ્ટમાં ૬.૮ ભૂકંપ આવેલો જેના આંચકા કેનેડા vancouver લાગેલા જ્યાં આ સંશોધન ચાલતું હતું.
એક શક્યતા વૈજ્ઞાનિકોને એવી લાગે છે કે ભૂકંપની આગાહીમાં પ્રાણીઓમાં રહેલી સંભાળવાની ખાસ ક્ષમતા કામ કરતી હશે. ધરતીની અંદર નીચે થતી seismic એક્ટીવીટી આ પ્રાણીઓ સાંભળી શકતા હશે. જે કૂતરાના કાન મોટા લબડી પડેલા હતા તેવા કૂતરામાં આવી એક્ટીવીટી થોડી ઓછી જણાઈ. ધ્વનિ મોજા પ્રવેશ માર્ગને મોટા લબડી પડેલા કાન ઢાંકી દેતા હતા. આવા ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર પણ જુદા જુદા હર્ટઝ અને ડેસીબલ સાઉન્ડ વાપરીને સંશોધન થયું. સવાલ હતો હાઈ ફ્રિકવન્સી સાઉન્ડનો. જમીન નીચે ખડકો ખેંચાઈને તૂટતા પેદા થતા ધ્વનિ મોસ્ટ ક્રીટીકલ ગણાતા હોય છે.
બીજું એવું તારણ પણ છે કે જે પ્રાણીઓ પ્રમાણમાં નાનું મસ્તક ધરાવતા હોય છે તેની હાઈ ફ્રિકવન્સી ધ્વનિ સંભાળવાની ક્ષમતા વધુ હોય છે. આમાં ઈવોલ્યુશનરી અને અનુકૂલન કારણ કામ કરતું હોય તેમ લાગે છે. પ્રાણીઓ અવાજની દિશા અને અંતરની ગણતરી સમયના અનુંશન્ધાનમાં ચોકસાઈપૂર્વક કરતા હોય છે. દાખલા તરીકે મારી જમણી બાજુથી અવાજ આવે તો મારા જમણા કાને પહેલો પડે પછી ડાબા કાને પડે ભલે તેમાં સમયનો તફાવત સાવ નજીવો સેકન્ડના દસમાં ભાગ જેટલો કેમ નાં હોય? આ સમયના તફાવતને ગણતરીમાં લઈને પ્રાણીઓ અવાજની દિશા અને અંતર માપી લેતા હોય છે. બે કાન દ્વારા મળતા અવાજનો સમય ડિફરન્સ જેટલો ઓછો તેટલી ગણતરી ચોક્કસ હોય છે. નાનું મસ્તિક બે કાન વચ્ચે અંતર સ્વાભાવિક ઘટાડી દે છે. અહીં સમય ડિફરન્સ ઓછો થઈ જાય છે. આમ કુદરતે નાનું મસ્તિક આપ્યું તો ધ્વનિ તંત્ર સારું બનાવી દીધું. બહુ ઊંડા નહીં ઊતરીએ તો ચાલશે. એના માટે વૈજ્ઞાનિકો ખૂબ મહેનત કરે છે. આ વૈજ્ઞાનીકે નાની હેડ સાઇઝ અને મોટી હેડ સાઇઝ ધરાવતા કૂતરા જુદા જુદા તારવી પરીક્ષણ કરી લીધા. ભૂકંપના મોજા નાનું મસ્તક ધરાવતા કૂતરા જલદી પારખી લેતા જણાયા.
તારણ એવું હતું કે ભૂકંપના ૨૪ કલાક પહેલા કૂતરાની બિહેવિયર બદલાઈ જવાની શરુ થઈ જતી હતી. જે કૂતરા સાંભળવાની ક્ષમતા ધરાવતા નહોતા કે નજીવી ધરાવતા હતા તેમને કોઈ અસર થતી નહોતી, લબડી પડેલી ચામડી વડે ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર ઓછી અસર થતી હતી. નાનું મસ્તક ધરાવતા કૂતરા વધારે અસર પામતા હતા. આ કોઈ અંતિમ સત્ય છે તેવું નથી, પણ કૂતરાઓની હાઈ ફ્રિકવન્સી સાઉન્ડ પ્રત્યેની સ્પેશીયલ સેન્સીવીટી સાથેની સાંભળવાની વિશિષ્ટ ક્ષમતા ભૂકંપ અને avalanches પધારી રહ્યા છે તેની આગાહી કરી શકે છે.
ગુજરાત ના ભૂકંપ વખતે એક તાજી વિયાએલી કૂતરી ભૂકંપ પહેલા થોડીમીનિટ પહેલાજ એના ગલુડીયાઓને અમારા ધાબા પર લઈ ગઈ હતી …એને રોકેલી નહી અને ભૂકંપ પછે એજ ગલુડીયાઓને મૂળ સ્થાને લઈ આવી હતી !
LikeLike
મહેશભાઈ તે કુતરીને ભૂકંપ આવશે તેની જાણ થઇ ગયેલી તે હકીકત છે. જાપાનમાં ઘરેલું ચકલીઓ ભૂકંપના ૨૪ કલાક પહેલાથી દેખાવાની બધ થઇ જતી હોય છે. આભાર.
LikeLike
ઘણું જાણવા મળ્યું. જ્ઞાનપ્રદ લેખ. કૂતરાઓ (અને અન્ય ઘણાં પશુઓ)ને ભૂકંપ જેવી ઘટનાની આગોતરી જાણ થાય છે તેવું વાંચેલું તો ખરું પણ આજે આધારભૂત શક્યતાઓ સાથે (જેમ કે એ માટે ધ્વનિગ્રહણ શક્તિ કારણભૂત છે) સમજવા મળ્યું. ધન્યવાદ.
LikeLike
મને લાગતું હતું કે ધરતીના પેટાળમાં પેદા થયેલ શક્તિ અને દાબાણ થી કદાચ વરાળ સાથે કોઇ ગેસ નિકળતો હશે. કુતરાના નાક વિષે તો આપણે જાણીએ જ છીએ. કોઇ એવી વાસ આવતી હશે કે કુતરા ડરી જાય.
પણ હવે વિજ્ઞાનિક ધ્વની અને કાનની વાત લાવ્યા અને પ્રયોગ પણ કર્યા. તો એમનીજ વાત માનવી રહી.
LikeLike