સ્મૃતિયર્વણા-૧

A hindu devotee in Nepal
Image via Wikipedia

સ્મૃતિયર્વણા-૧
આધુનિક સમાજને જ્યારે ઘણા બધા ધર્મોનાં નગારા જોરશોરથી સાંભળવાના હોય અને એમના ધર્મ ઝનૂનને વેઠવાનાં હોય ત્યારે એના વિષે વિચારવું અને મનન કરવું જરૂરી છે. હિન્દુઓની આત્મા, પુનર્જન્મ અને મુક્તિની માન્યતાઓ બીજા ધર્મો સ્વીકારતા નથી. અરે ધર્મની પોતાની જ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ધાર્મિક સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે પૂજ્યભાવ -ની પૂજા, ધર્મપ્રણાલી વગેરેના અગણિત સરોવરમાંથી કયા સરોવરમાં ડૂબકી મારવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મુખ્ય ધર્મો વચ્ચે મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો બધો ફરક હોય છે જેનો અભ્યાસ કરવો જોઈએ. કયો ધર્મ સાચો છે તે નક્કી કરવાનો કોઈ સચોટ રસ્તો જ નથી. પછી તો માની લેવું કે આપણને જે વારસામાં મળ્યો તે જ સાચો? ધર્મ વ્યક્તિગત માનસિક જરૂરિયાતો પૂરી કરતો હોય છે, પણ આધુનિક માનવને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ધર્મોની જૂની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા.  ધર્મોએ પણ ઉત્ક્રાન્તિના, વિકાસના ક્રમમાં વિકાસ કરવો પડે, પણ ધર્મો વિકસતા નથી. એમને એમને જૂની માન્યતાઓ બહુ સારી લાગતી હોય છે. માનવી ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હોય છે. વિજ્ઞાન પ્રગતિ કરતું જતું હોય છે. વિજ્ઞાન એની જૂની માન્યતાઓ ફેંકી દેતા વાર લગાડતું નથી. જ્યારે ધર્મો ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોય છે. આજે આધુનિક મેડિકલ સાયન્સ, ન્યુરો સયન્સ મનોવિજ્ઞાન બ્રેઈન વિષે, ચેતન અચેતન મન વિષે, સેલ્ફ અવેયરનેસ વિષે ખૂબ સંશોધન કરી રહ્યું છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ માને છે કે ખાલી માનવને આત્મા(SOUL) છે. બીજા પ્રાણીઓને આત્મા જેવું કશું હોતું નથી, માટે એ લોકોને ખાઈ શકાય. તેઓ આત્માનો ફરી ફરી જન્મ થાય તેવું માનતા નથી. આપણે હિંદુઓ માનીએ છીએ દરેકમાં આત્મા છે અને ફરી ફરી જન્મ થાય છે. હવે આનો અર્થ એ નથી કે આ માન્યતાઓ સાચી છે કે ખોટી. કોઈ પુરાવા છે નહિ. છતાં પ્રત્યેક હિંદુ દ્રઢપણે આશરે ૨૫૦૦ વર્ષથી તો ફરી ફરી જન્મ થાય તે માને જ છે. કોઈ તર્ક વગર એક માન્યતા એટલાં લાંબા સમયથી લોકો માનતા હોય તે એક ઐતિહાસિક ઘટના છે. હવે ધર્મોએ જે રીતે ભગવાનની કલ્પના કરી છે તેવી રીતનો હોય તેવું પણ શક્ય નથી.

ધર્મ શું છે અને શું નથી તે નક્કી કરવું પણ ખૂબ નવાઈ પમાડે તેવું છે. દુનિયામાં પાંચ મુખ્ય ધર્મો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને યહૂદી. તે સિવાય, જૈન, શીખ, તાઓ, શિન્ટો, બહાઈ અને બીજા ઘણા બધા. આ સાથે ઘણા બધા અગણિત કહી શકાય તેટલા પંથો સંપ્રદાયો છે. અમુકને ભગવાન સાથે સીધું હોટ લાઈન જોડાણ હોય છે. જેમકે ચાર્લ્સ મેન્સન યુ.એસમાં અને ઓમ જાપાનમાં. પોતાને સનાતન હિંદુ ધર્મનો ઝંડો લહેરાવતા કહેતા ૨૫૦૦૦ કરતા વધુ કલ્ટ તો ભારતમાં જ છે. દરેકની માન્યતાઓ અલગ, આચારવિચાર અલગ. અરે એક જ કલ્ટ સ્વામીનારાયણમાં પણ ચાર ચાર ફાંટાં અને બીજા પડતા જ જાય છે તે વધારામાં. મૂળ સહજાનંદ સ્વામી બ્રહ્મચારી હતા. એમના વારસો હાલ ગાદીપતિ છે તે શાદીશુદા હોય છે. એમાંથી અલગ પડેલા સંતો વળી પાછા સ્ત્રીઓના મુખ પણ જોતા નથી. ખાનગીમાં સ્ત્રીઓના પગની પાનીઓ ચાટતા હોય તે અલગ વાત છે.

વલ્લભાચાર્યના તો દરેક વારસો પોતે શ્રી કૃષ્ણ. વિચારો હાલ કેટલા બધા શ્રી કૃષ્ણ ભારતમાં વિચરતા હશે? રાસલીલાઓ રમતા હશે? હું, અશોકભાઈ, ધવલભાઈ બધા ખોટી માથાકૂટ રાધા અને કૃષ્ણ વિષે કરતા હતા કોઈ બાવાશ્રીને પૂછી લેવાનું હતું કે સત્ય શું છે? આટલાં બધા શ્રી કૃષ્ણો અહી વિરાજમાન હોય ને વિવાદ કરવા? પ્રમુખસ્વામીના ભક્તો વળી એમને પ્રગટ બ્રહ્મ કહે છે. વૈજ્ઞાનિકો ખોટી માથાફોડ કરે છે બિંગ બેંગ વિષે અને યુનિવર્સની રચના વિષે એમને જ પૂછી લેવાય. પણ બીમાર પડે તો તેઓશ્રીએ પણ ડૉક્ટરની સેવા લેવી પડે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસૈયો એમ જ તો નહિ કહી ગયો હોય ને? શું આ બધા ધર્મો છે??? કયા પાયા ઉપર? તો ધર્મ શું છે?

ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ લાંબો સમય સુષુપ્ત રહ્યા પછી પ્રકાશમાં આવ્યા. જૈન ધર્મના ફોલોઅર્સ બહુ ઓછા છે. બૌદ્ધ ધર્મ ખૂબ ઝડપથી વિકસ્યો અને ઠંડો પડી ગયો. ઘણા ધર્મો પેદા થયા પણ થોડાક બચ્યા. એક સંપ્રદાયને પુષ્કળ ફોલોઅર્સ મળે છે પછી તે ખુદ એક ધર્મ બની જતા હોય છે. ધર્મ જન્મે છે, એનો એક લાંબો જીવનકાળ હોય છે અંતે મૃતપાય થઈ જતા હોય છે. એક મસીહા વસંત ઋતુના ફૂલની જેમ ખીલે છે, પછી એને ખૂબ ભક્તો મળે છે, મસીહાની માન્યતાઓ પૂરી કરવા ઝનૂની બની લોહી રેડવા તૈયાર હોય છે. કાલાંતરે ધર્મઝનૂની બની જતા હોય છે. ત્યાં પછી બીજા ધર્મ માનનાર માટે કોઈ દયા ભાવ હોતો નથી. ઝનૂની ધર્મોની માન્યતાઓ અને ધર્મોની ઝનૂની માન્યતાઓને સમજવી જોઈએ. એક પાગલ અસંગત માન્યતા જુઓ, નૉર્થ અમેરિકાનો ક્રિશ્ચિયાનિટીનો એક Mormons  પંથ જોસેફ સ્મિથે સ્થાપેલો, એને દેવદૂત Moroni જાતે મળેલા. બહુસ્ત્રીગામી, શ્વેત લોકો શ્રેષ્ઠ છે, અને ક્રાઇસ્ટનાં નામે હત્યાઓ કરવાનો હક, શું તમે માની શકો?

હિંદુ ધર્મમાં છ અલગ વિચારધારાઓ છે—-સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અને બે મીમાંસા. આ તમામ વિચારધારાઓ પાસે ભગવાન વિષે એમનું અલગ તત્વજ્ઞાન છે. સાંખ્ય તો વળી ભગવાનનો ઇનકાર કરે છે. વળી એટલું બધો વાળનાં ભાગ કરવા જેટલો વિતંડાવાદ કે એક સુપર માઈક્રોસ્કૉપ જોઈએ એમના મતને સમજવા. ખાલી વેદાંત હાલ પ્રચલિત છે. બાકીના ખોટા છે તેવું પણ કઈ રીતે કહી શકાય? કર્તા અને ભોક્તા તરીકે આત્માની વિચારધારા પોતે વિવાદાસ્પદ છે. ખૂબ આદરણીય હિંદુ સ્કોલર એલ.એસ.જોશી કહે છે બુદ્ધિશાળી માણસ કર્મની થિયરીમાં માનતો હોય કે જેવું કર્મ કરો તેવું ફળ મળે તો પછી ૧) એક્સીડેન્ટ વિષે શું માનવું? ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, હજારો લોકો એક સાથે મરી ગયા, શું આ તમામ લોકે સાથે પાપ કર્યા હશે? હિટલરે ૬૦ લાખ યહૂદીઓને એક સાથે મારી નાખ્યા, નાના બાળકોને પણ છોડ્યા નહોતા. એમના શું કર્મ હતા? ૨) મરણ પછી શ્રાદ્ધની શું જરૂર? ૩) પશ્ચાતાપ શું કામનો? ચાલો ફરી ભૂલ ના કરીએ પણ કર્મ માફ થઈ જાય તેવું કહેવાય છે . ૪) જો ભગવાનમાં માનતા હોય તો કર્મનો નિયમ શું કામનો? કેમકે ભગવાનની પ્રાર્થના કરો, દયા મેળવો અને નિયમમાંથી છુટકારો. આમ કર્મનો નિયમ ખુદ એક તુક્કા કે તરંગ જેવો સાબિત થાય છે. સંચિત કર્મો કઈ સંદૂકમાં કે બૅન્કમાં જમા થતા હશે?

હીરાભાઈ ઠક્કરે કર્મનો નિયમ નામની બેસ્ટ સેલર બુક લખી છે. એમાંથી એક દાખલો કહું. એક ખૂનીને સબળ પુરાવારૂપે ફાંસીની સજા ન્યાયાધીશે આપી. ન્યાયાધીશ જાણતાં હતા કે આ માણસ ખૂની નથી. કારણ જ્યારે ખૂન થયેલું તે એકાંત જગ્યાએ સવારમાં ન્યાયાધીશ પોતે લોટે જવા મતલબ સંડાસ કરવા ખુલ્લામાં ગયેલા. એમણે ખૂનીને જોયેલો. હવે પોલીસે બીજાને પકડીને સબળ પુરાવા રજૂ કરેલા એ ન્યાયે આ ન્યાયાધીશ જાણતા હોય છતાં કે આ માણસ ખૂની નથી, એને ફાંસીની સજા આપે છે. પછી ચેમ્બરમાં બોલાવી એને પૂછે છે કે હું જાણું છું તું નિર્દોષ છે છતાં પુરાવા સબળ છે માટે મારે તને ફાંસીની સજા આપવી પડે છે તે કોઈ ભૂતકાળમાં એવું કર્મ કરેલું? પેલો કહે છે એણે ભૂતકાળમાં એક ખૂન કરેલું. બસ ન્યાયાધીશને સંતોષ થઈ જાય છે. પહેલા બચી ગયેલો પણ આ વખતે જુના સંચિત કર્મનો હિસાબ મળી ગયો. મેં ટૂંકમાં મારા શબ્દોમાં હિરાભાઈની વાર્તા લખી છે. બીજા મિત્રોએ જેણે આ બુક વાંચી હોય એણે ખબર હશે. આખી વાર્તા હમ્બગ, જૂઠી લાગે છે. હીરાભાઈનાં ફળદ્રુપ ભેજાની પેદાશ લાગે છે. અમદાવાદમાં ન્યાયાધીશ સવારમાં કોતરોમાં સંડાસ જવા જાય લોટો લઈને?? પછી ત્યાં એમની રૂબરૂમાં ખૂન થાય તો લોટો લઈને પેલાંના માથામાં પછાડી શકાય. ચાલો ડરપોક હોય તો જવાદો વાત. પણ ખૂન થયા પછી પોલીસ કેમ ના બોલાવી? ગુપચુપ ચાલ્યા ગયા? પછી પોલીસ સ્ટેશને જઈને ખબર આપી કે નહિ? એક ન્યાયાધીશ થઈને ફરજ કેમ ચૂકે? પોલીસને જાણ કેમ ના કરે? એમને ખબર છે કે અસલી ખૂની બીજો છે તો કેસ બીજા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સ્ફર કરી પોતે સાક્ષી કેમ ના બન્યા? નજરે જોનાર સાક્ષી હતા. એક નિયમ જે પોતાનામાં ખરો ઊતરતો નથી તેને સાચો સાબિત કરવા આપણાં ફિલસૂફ મનગડન્ત વાર્તાઓ બનાવી કાઢે છે. આ પુસ્તક વળી બેસ્ટ સેલર છે. મારા ઘરે પણ હતું. આવા તો કેટલાય પુસ્તકો હશે.

બધા ધર્મો વચ્ચે મૂળભૂત અને જેન્યુઈન ભેદભાવ હોય છે. આચરણમાં પણ ખૂબ ભેદ હોય છે. ખાલી સમાનતા હોય તો નીતિમત્તા, સદાચરણ વિષે. મોરલ કમાંડ સિવાય પ્રાણીઓ સાથે વર્તન, સેક્સ, પશ્ચાતાપનું મહત્વ અને બીજા ઘણા બધા વિષયો વચ્ચે ખૂબ ફેરફાર જોવા જોવા મળતો હોય છે. સદાચારની વાતો તો એથીક્સ કહેવાય કે નહિ? ઇસ્લામ મૂર્તિભંજક છે, હિંદુ મૂર્તિપૂજક, પરમાત્મા વિષે, આત્મા, પુનર્જન્મ, અહિંસા, એવા ઘણા બધા તદ્દન ભિન્ન માન્યતાઓ ધર્મો વચ્ચે છે. જીસસના પ્રભુ પ્રેમના દેવતા છે, અલ્લાહ શિક્ષા કરનારા તો વળી બ્રહ્મા કશું કરતા નથી ખાલી દેખરેખ રાખે. ક્રિશ્ચિયન કહેશે જીસસ પ્રભુના પુત્ર છે, જરા યહૂદીને પૂછી જુઓ.  હિંદુ કહેશે બીફ ખાવું પાપ છે બીજાને પૂછી જુઓ. અરે પ્રાચીન હિંદુ બીફ ખાતા અને આજે?

20 thoughts on “સ્મૃતિયર્વણા-૧”

  1. બીન્ગો ભૂપેન્દ્રસિંહજી,

    સ્વામી,આચાર્ય,પરમહંસ વિગેરે પદો જુના જમાનામાં વ્યક્તિ ને તેનાં જ્ઞાન ના આધારે અપાતાં, આજે ગમ્મે તે આલિયા માલિયા ને સ્વામી કે આચાર્ય બનતાં જોયા છે.

    ગાદી જે તે ગુરુ ના શ્રેષ્ઠ અને કુશળ અનુયાયી ને આપવામાં આવતી, જેનો નિર્ણય ગુરુ પોતાના જીવતાં જીવે કરતાં ( અથવા મૃત્યુ સમયે વસીયત ની જેમ કરતાં) , જો કદાચ એવું ના બન્યું હોય તો ડેમોક્રેટીક રીતે કુશળ શિષ્યોમાંથી પસંદગી કરવામાં આવતી. પણ ક્યાંય પરિવારવાદ કે વારસાગત ગાદી કોઇ ને ધર્મમાં તો નહોતીજ મળતી. વૈષ્ણવ સંપ્રદાય ની તો વાત જ અલગ છે. મેં અગાઉ આપને એક સંપ્રદાય ની વાત કરી હતી કે જેમાં “શિવ” નું નામ ના લેવાય એવો નીયમ છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો જ એક ભાગ છે.

    એક સંપ્રદાય એવું તૂત ચલાવતું ફ઼રે છે કે પૃથ્વી ઉપર તમારો જન્મ ફ઼ક્ત સેવા માટે થયો છે. એટલે ફ઼રજીયાત બ્રમ્હચર્ય પાળવું ( ઓફ઼કોર્સ ફ઼ક્ત જાહેરમાંજ ). અને તમારા આ કર્મો ના આધારે તમને સ્વર્ગ માં અપ્સરાઓ મળશે. બોલો, માનવદેહ મળ્યો છે તો અહિં મળતી જીવતી જાગતી અપ્સરાઓ ને છોડી દો. અને જેની ખબર નથી કોઇ ખાત્રી નથી એવી અપ્સરાઓ નાં સ્વપ્ન સેવો… આ તે કેવું બ્રમ્હચર્ય ??

    તસ્લીમા નસરીન જેવી બૌદ્ધિક સ્ત્રી પોતાનાંજ ધર્મ વિશે એવું લખે છે કે સારું છે કે કોઇ મુસલમાન કુરાન ને આખું સમજતો નથી. નહિંતર એ જાતેજ ઇસ્લામ નો નાશ કરી દે.

    Liked by 1 person

    1. બ્રહ્માકુમારી જેવા પંથો વળી એક સંતાન પછી ભાઈ બહેનની જેમ રહેવાનું કહે છે.એમાં તો પતિપત્ની બેમાંથી એક બ્રહ્માકુમારી હોય તો શું થાય?

      Liked by 1 person

  2. પચાસેક વર્ષ પહેલા હીરાભાઈ ઠક્કરનું પુસ્તક વાંચેલું ત્યારથી પેલા કર્તવ્યભ્રષ્ટ ન્યાયધીશ વિષે તમારા જેવા જ વિચારો આવતા હતા. તમે લખી નાખ્યા તે ઘણું સારું કર્યું.

    ફક્ત ઇસ્લામ જ મૂર્તિભંજક નથી. બાઈબલના જુના કરાર (Old Testament) માં ઘણા નાયકો (hero) મૂર્તિભંજક હતા. જો કે તે મૂર્તિઓ માનવસ્વરૂપની નહોતી.

    Liked by 1 person

    1. ભાઈ મને તો હીરાભાઈ ઠક્કરનું આખું પુસ્તક જુઠથી ભરેલું લાગ્યું.એમની દાખલા દલીલો બધી જાતે બનાવી કાઢેલી લાગી છે.

      Liked by 1 person

  3. ઘણા વખતે તમે પાછા આજે તમારા મૂળ રંગમાં આવ્યા લાગો છો. સુંદર વિષય પકડ્યો છે. ઘણા બધા મુદ્દા છેડ્યા છે તમે તેમાંથી અમુક પર ટિપ્પણ કરીશ.

    વેદાંતસૂત્રમાં કહ્યું છે કે “અથતો બ્રહ્મ જિજ્ઞાસા” એટલે કે હવે બ્રહ્મ શું છે એ પ્રશ્ન કરીએ. એવું નથી કહ્યું કે તો હવે બ્રહ્મ શું છે એ સ્વિકારી લઈએ. તો જો લોકો સ્વામીને વગર વિચાર્યે સ્વિકારી લેતા હોય તો તેમાં સ્વામીનો દોષ કાઢવાની જરૂર નથી. મૂર્ખ લોકોનો વાંક છે. જે બ્રહ્મની કે સત્યની જિજ્ઞાસા કરવાને બદલે શરણું લઈ લે છે તેનો દોષ છે. માટે જ હું સ્વામીઓ, બાબાઓ કે સંપ્રદાયોના વડાઓ કે સ્થાપકો વિષે કશું નહી લખું. મારા મતે તે લોકો કશું ખોટું નથી કરતાં. વહેતી ગંગામાં હાથ ધોવાનું કોને ના ગમે? આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બીચારી ભોળી જનતાને એ લોકો લૂંટે છે, પણ ભોળા કે મૂર્ખા? હવે જો મૂર્ખા લૂંટાતા હોય તો તેમાં વાંક લુંટાનારાનો કે લૂંટનારનો?

    મૃત્યુ પછીના જીવનની અને પૂનર્જીવનની માન્યતા ફક્ત હિંદુ ધર્મમાં જ છે એવું નથી, ક્રિશ્ચિયાનિટી, યહુદી, ઈસ્લામ, વગેરે જેવા જાણિતા ધર્મોના અમુક ફાંટાઓમાં પૂનર્જન્મમાં વિશ્વાસ રાખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અને તેમાંથી ઉદ્ભવેલા તાઓ ધર્મમાં પણ પૂર્નર્જન્મ છે.

    કર્મનો સિદ્ધાંત ખ્જુબ અટપટો છે, તેને સમજવો ઘણું અઘરૂં કામ છે. આપણી પેલી બે કહેવતો જેવું, બોલે એના બોર વેચાય અને ના બોલ્યામાં નવગુણ. એજ રીતે કર્મના સિદ્ધાંતનો પણ બંને રીતે ઉપયોગ કરી શકાય. સાચવી-સંભાળીને અનુસરવા જેવો સિદ્ધાંત છે, અને માટે જ હિતાવહ એ છે કે ના વાપરવો. જેમ તલવાર ચલાવતા ના આવડતી હોય અને હાથમાં પકડી હોય તો આપણને પોતાને ઈજા થાય એવું છે, અને આજકાલ આ કર્મના સિદ્ધાંતની તલવાર ચલાવતા શિખવી શકે તેવું કોઈ દેખાતું નથી, તો પછી શું કામ હાથે પકડવી?

    રહી વાત દરેક ધર્મની અલગ-અલગ માન્યતાઓની, તો એવું છે એટલે જ તો દરેક ધર્મો અસ્તિત્વમાં છે, નહિતો એક માત્ર ધર્મ ના હોત? જેમ સંયુક્ત કુટુંબમાં ૪ છોકરા હોય, જ્યારે તેમના લગન થાય ત્યારે જુદી-જુદી વિચારસરણી વાળી ચાર વહુઓ ઘરમાં આવે અને બધાનો મેળ એક સાથે ના પડે એટલે ઝઘડા થાય, સુખરૂપ માર્ગ એક જ હોય કે બધા અલગ થાય અને પોતપોતાના ઘર બનાવે. એવં જ ધર્મોમાં છે. ધર્મ પાળવો દરેક માટે જરૂરી છે (કેમ એવું ના પુછશો) અને જે ધર્મ છે તે મને મંજુર નથી, તો પછી હું મને મંજ્રુર હોય તેવો ધર્મ બનાવીને મારો માર્ગ મોકળો કરું. આમ ધર્મો પણ ઉત્તરોઉત્તર પ્રગતિ કરતાં કરતાં જુદીજુદી વિચારસરણીને વાચા આપતા જ રચાયા છે. જેને જે માફક આવે તે અપનાવે છે. ન્હાવાના સાબુને નામે બજારમાં એક જ ગચીયું મળતું હોય તો શું વાંધો છે? પણ એવં તો નથી થતું. ૫૦ બ્રાન્ડના સાબુ મળશે, અને દરેક સાબુ પોતાનામાં કાંઈક વિશેષ છે તેનો દાવો કરશે. ખરિદનાર પોતાને કયું લક્ષણ અને કઈ જાહેરાત ગમે છે તેના પરથી સાબુ કયો ખરિદવો તે નક્કી કરે છે. પણ એવું કોઈ વિજ્ઞાન કહે છે કે ન્હાવા માટે સાબુ જોઈએ જ? અને કોઈ ચોક્કસ બ્રાન્ડનો જ સાબુ શ્રેષ્ઠ એવું કોઈ દૃઢપણે કહી શકે? ના! જેને જે સાબુમાં શ્રદ્ધા તેનાથી તે ન્હ્યાય. સાબુમાં શ્રદ્ધા નહી રાખનારા તેના વિના ન્હ્યાય. એવું જ ધર્મનું છે. તકલિફ ત્યારે જ ઉભી થાય છે જ્યારે તમે કહ્યું તેમ ધર્મો ચુસ્તપને જુનાને વળગી રહેવામાં માનતા થાય અને તેને કારણે ઘૃણા અને હિંસાને ધર્મના નામે જન્મ આપે. એવું જે ધર્મમાં થાય તેના મૂળ ઉદ્દેશો અને મૂળ ઉપદેશો ચકાસવા તે બુદ્ધિશાળી વ્યક્તિનું કર્તવ્ય છે. ધર્મ ફક્ત માણસને આચાર (કે વધુ સ્પષ્ટતાથી કહું તો સદાચાર) શીખવવા માટે હોય છે. જેમ દક્ષિણભારતમાં રોજીંદો ખોરાક ભાત છે, તેથી તેમને કોઈ નુક્સાન નથી. પન આપના ગુજરાતમાં એવી માન્યતા છે કે ભાત ખાઈએ તો ફુલી જઈએ. અને માટે ડાયેટિંગનો પહેલો નિયમ, ભાત ખાવાનું બંધ કરવું. એ ઉપરાંત માંદા પડીએ ત્યારે ઘઉં ભારે પડે માટે ચોખાની ખીચડી ખાવી. જ્યારે તેથી તદ્દન ઉલ્ટું દક્ષિણમાં માંદા પડે ત્યારે તે લોકો ચોખા ત્યજીને ઘઉં કે નાગલીનો સહારો લે છે. હવે આ બંનેમાં ખોટું કોણ? ગુજરાતી કે મદ્રાસી? કદાચ બંને સાચા. કેમકે તેમના જનિનો અને જીવનશૈલી પ્રમાણે તેમને એક ધાન્ય માફક આવી ગયું છે તો તે તેમનો સહારો. એવા પણ કેટલાક લોકો હશે જે ઉપવાર કરતા હોય, મારા પપ્પાના ફુઆ હતાં જેમને કદી અન્ન ખાધું જ નહોતું (એટલિસ્ટ મેં તેમને ૨૫ વર્ષ જોયા તે દરમ્યાન તો નહી જ.) ફક્ત ફળ, દૂધ અને ક્યારેક બટાકા જેવા શાક પર જીવતાં. એવું જ ધર્મનું છે, મુસલમાનને માટે એનો ધર્મ સાચો, હિંદુ માટે એનો અને નાસ્તિક માટે એની નાસ્તિકતા. કોઈને પન ખોટાં કહી ના શકીએ, કેમકે જે વસ્તુથી તેનું પાલનકરનાર સુખી હોય ત્યાં સુધી તે સાચી અને સારી.

    Like

    1. ભાઈ મુરખો લુંટાય તેમાં પહેલો વાંક તો હું પણ કાયમ મુરખોનો જ ગણાતો હોઉં છું.માટે હું અંગ્રેજોને પણ બહુ દોષ દેતો નથી કે તે લોકો પણ લુંટવા જ આવેલા.આપણે શું કામ લુંટાયા?પણ મને લાગે છે કે જેમ થોડા બહાદુરોને લાગ્યું કે હવે બહુ લુંટાયા અને બાકીની મુરખ પ્રજા ને કશી પડી નથી,પણ હવે બસ બહુ થયું તો એક પ્રયત્ન ૧૮૫૭મા થયો અને પછી બીજા પ્રયત્ને ગાંધીજીની રાહબરી હેઠળ ક્વિટ ઇન્ડીયાનું અંદોલન શરુ થયું.તેમ માનીએ છીએ કે બાબાઓ ખૂબ લુંટે છે.લુંટાય તેનો દોષ તો છે જ પણ હવે બહુ થયું,બસ હવે કોઈએ તો મુરખ પ્રજાની ભેર કરવી પડશે કે નહિ?જુઓ એક સત્યસાઈ બાબો એની પર્શનલ રૂમમાં કેટલું બધું સંતાડીને બેઠો હતો?ભાઈ સમાજ એક સામુહિક સર્વાઈવલનો માર્ગ છે.આ સમાજને બાબાઓ પ્રીડેટર બની ખાઈ જવા માંગતા હોય તો કોઈએ તો મુરખ પ્રજાને જગાડવાનું કામ કરવું પડશે કે નહિ?મુરખ પ્રજાની જોડે બીજા સીધા માણસો પણ ચવાઈ ના જાય?

      Like

      1. સાચી વાત છે, કોઈકે તો જાગીને મૂર્ખોને બચાવવા પડશે. અંગ્રેજોની ગુલામી સ્વિકારવી તે વ્યક્તિગત પસંદગી નહોતી. એક તો એ આક્રમણ હતું અને બાકી રહ્યું તે તે સમયના રજવાડાઓએ અંગ્રેજોનું શરણું સ્વિકાર્યુ. એટલે એ સમયે આપણે જે સહન કર્યું તેને મૂર્ખામી પ્રજાની ના કહી શકીએ કે ના તો પ્રજાને મૂર્ખ કહી શકીએ. હા, રાજાઓને મૂર્ખ જરૂરથી કહી શકીએ. જ્યારે બાબાઓ પાસે જવું એ વ્યક્તિગત નિર્ણય છે. એટલે તે મૂર્ખામી પણ વ્યક્તિગત ધોરણે આચરાતી મૂર્ખામી છે. બીજી વાત, એક વખત એમને મૂર્ખા માની લઈએ તો એ સમયે મૂર્ખોને બચાવવા ૧૮૫૭માં વિપ્લવકારીઓ અને પછી ગાંધીજી મેદાને પડ્યાં, પણ તે વખતે દેશનો દરેક નાગરિક અંગ્રેજ બાબાઓનો વિરોધ કરતો હતો, એ અંગ્રેજોએ નોકરી આપી હોય તેવા ભારતીયો સિવાય સહુ તેમના વિરોધમાં હતાં જ્યારે આ બાબાઓ, સંપ્રદાયના વડાઓ, સાધુઓ વગેરેની વિરોધમાં નહી પણ તેમનામાં શ્રદ્ધા રાખનારા વધારે છે. એમનામાં શ્રદ્ધા રાખનારાઓને કારણે કે તેમને લીધે, શ્રદ્ધા નહી રાખનારાને કોઈ નુકશાન નથી. જો એ લોકોએ ના જાગવું હોય તો એ તેમની પસંદ છે, જે દિવસે તેમને લાગે કે હવે એ બાબાઓની ગુલામીમાંથી મુક્ત થવું છે ત્યારે જ આંદોલન યોગ્ય ગણાય ને સફળતા પણ મળે. દરેકના વ્યક્તિગત નિર્ણય છે. કાલે ઉઠીને કોઈક બાબા દેશના વડાપ્રધાન અને બીજા ધધૂપપુ મહારાજ રાષ્ટ્રપતિ બની જાય અને પ્રજાને પોતાની વાતો મનાવવા માટે ફોર્સ કરવા માંડે તો, જરૂર ઘેરઘેર જઈને સૂતેલાઓને ઢંઢોળીને જગાડાય. પણ જ્યાં લોકો જાણી જોઈને પોતાના જ પગ પર કુહાડી મારતા હોય તો તેને એ કુહાડી છે, વાગી જશે, તેમ કહેવાથી કોઈ અર્થ સરવાનો નથી.

        આપણે આપણી સોનાની જાળ પાણીમાં શું કામ નાંખવી? આ બાબાઓ અને સાધુઓની પોલ જાહેરવામાં પુરતા પુરાવાઓ સાથે ખોલવી જોઈએ. તેમની ચાલાકી રંગેહાથે સાબિત કરવી જોઈએ, તો જ આંધળાઓની આંખો ખુલશે. બાકી આપણે ગમે તેટલી વાતો કરીશં એ લોકો જાગવાના નથી.

        Like

  4. ભૂપેન્દ્રસિંહજી સાચી વાત છે જ્યારે લોકોને સામેથી મૂર્ખ બનવું હોય તો તમારે સોનાની જાળ પાણીમાં નાખવાની જરૂર ખરી? આપના બ્લોગમાં જ પ્રતિભાવમાં વાંચેલું કે આટલા બધા સંપ્રદાયો અને ધર્મના નામે ચાલતો અધર્મ એ લોકોની ડિમાન્ડ હશે એટલે જ આટલો સપ્લાય હશે ને! જો લોકોની ડિમાન્ડ હોય તો આપણે શું કામ ચિંતા કરવી કે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ? શું ગુલામી પણ આપણી ડિમાન્ડ હશે? એટલે જ તો હજાર વર્ષ ગુલામીમાં જીવ્યાને. શું ભ્રષ્ટાચાર પણ આપણી ડિમાન્ડ હોય તેમ લાગે છે એટલે જ તો રાજા, કલમાડી…કોઇને કોઇ મોટા ભ્રષ્ટાચારીઓ પેદા થાય છે. આઝાદી પછી આપણા નેતાઓનો ભ્રષ્ટાચાર પણ એક ડિમાન્ડ જ હશે ને?

    આમેય જાગૃતિ લાવવાથી શું ફાયદો થશે? પહેલાં યજ્ઞો-કર્મકાંડો અને પછી મૂર્તિપૂજા અને હવે વ્યક્તિપૂજા લોકોને કોઇ કોઇને સ્વરૂપે આવા આધારની જરૂર છે એમની ડિમાન્ડ છે એટલે સપ્લાય પણ મળી રહે છે. અને અબજથી વધારે વસ્તી માટે આટલા સંપ્રદાયો કે ધર્મો કંઇ વધારે ના કહેવાય. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ હજુ ફુગાવો તો નથી જ થયો. એ માટે રાહ જુઓ. અને ચમત્કારીઓના ચમત્કારો જનતાનીથી અજાણ તો છે નહીં સમયસમયે મિડિયામાં અને ઇન્ટરનેટના માધ્યમથી જ ખુલ્લા પાડવામાં આવે જ છે. છતાં લોકોની આંખ નથી ખૂલતી.

    એક સમયે દીકરી દૂધ પીતી કરવાની પ્રથા હતી તેના માટે જાગૃતિફેલાવી તે બંધ કરાયું પણ આજે તે ભ્રૂણ હત્યા ને નામે ચાલુ જ છે. ટેક્નોલોજીનો આવો દુરપયોગ મારા ખ્યાલથી ભારત બહાર કોઇએ નહિં કર્યો હોય.

    Like

    1. મીતાબહેને તેમના પ્ર્તીયાઘાત માં પૂછેલા આ પ્રશ્ન [ આપના બ્લોગમાં જ પ્રતિભાવમાં વાંચેલું કે આટલા બધા સંપ્રદાયો અને ધર્મના નામે ચાલતો અધર્મ એ લોકોની ડિમાન્ડ હશે એટલે જ આટલો સપ્લાય હશે ને! જો લોકોની ડિમાન્ડ હોય તો આપણે શું કામ ચિંતા કરવી કે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ?]

      નો જવાબ મારું મન પણ શોધવામાં પડી ગયું હતું.

      તેનો જવાબ મને ભાઈ ભુપેન્દ્રસિંહ ના આ પ્ર્તીયાઘાત માંથી મળી ગયો [ જે બે અભ્યાસી એન્જીનીયરો બાખડી પડ્યા તેવું દરેક ધર્મગુરુ સાથે થવું જોઈએ.આભાર.]

      વિષય નો અભ્યાસ અને ભણેલો અને ગણેલો સમાજ અંધશ્રદ્ધા અને અંધકાર ને ધીરે ધીરે બદલી રહ્યો છેજ.
      ભાઈ ભુપેન્દ્રસિંહ નો શબ્દ પ્રયોગ [વાયરીંગ બદલી રહ્યો છે]

      [એક સમયે દીકરી દૂધ પીતી કરવાની પ્રથા હતી તેના માટે જાગૃતિફેલાવી તે બંધ કરાયું પણ આજે તે ભ્રૂણ હત્યા ને નામે ચાલુ જ છે. ટેક્નોલોજીનો આવો દુરપયોગ મારા ખ્યાલથી ભારત બહાર કોઇએ નહિં કર્યો હોય.] મીતાબહેન ની કોમેન્ટ.
      હા જરૂર આ સામાજિક દુષણ દુખદ છેજ. પરંતુ ૧૦૦૦ પુરુષ અને ૯૫૦ સ્ત્રી જેવો ભારત નો પુરુષ/સ્ત્રી જેવો ratio વાંચવા મળે છે. Demand supply નો સિધાંત લાગુ પડશે અને સરખું પણ થશે. ગુજરાત માં છોકરો પરણે ત્યારે છોકરી ના માં/બાપ દહેજ કે પૈઠણ આપે તેવો અમુક કોમોમાં રીવાજ પ્રચલિત છે/હતો. મેં સંભરીયું છે કે ગુજરાત માં રબારી કોમ માં (ગાય / ભેંશ અને બીજા પ્રાણીઓ રાખતી કોમ) લગ્ન વખતે છોકરી ના બાપ ને છોકરા ના બાપ પૈસા (દહેજ/પૈઠણ) આપતા હોય છે.

      Like

  5. ભૂપેન્દ્રભાઈ,
    મૂછમાં મરકતાં કહું છું કે હીરાભાઈ ઠક્કરની તો વાત જ ન્યારી છે!
    અમારી કોલેજમાં એ પ્રવચન માટે આવેલા – અને ધુંવાફુંવા થઈને જતા રહ્યા હતા. કારણ એ કે એમણે “કર્મના તમામ સિદ્ધાંતો સાચા છે અને એક જ છે” તેવું – સેલ્સમેનનું વલણ રાખેલું. એમની સામે તંત્રના અને જૈન તત્ત્વજ્ઞાનના એમ બે અભ્યાસી એન્જિનિયરો બાખડી પડેલા.

    Like

    1. ભાઈ કર્મના નિયમમાં ઘણા બધા છીંડા છે.હીરાભાઈએ સાવ બકવાસ વાતો એમાં કરી છે.પણ આપણે ત્યાં ડાઉટ કરવાની છૂટ નહિ એટલે બેસ્ટ સેલર બની ગઈ.પહેલું તો કર્મની નિયમ સત્ય હોય તો ભગવાનની જરૂર જ નથી.માટે મહાવીરે કદી પ્રાર્થના,પૂજા કરી નથી કે નથી કદી દેરાસર બાંધ્યા.હાલના જૈનો તો જૈન ધર્મની ખાલ ઓઢેલા હિન્દુઓ જ છે.જે બે અભ્યાસી એન્જીનીયરો બાખડી પડ્યા તેવું દરેક ધર્મગુરુ સાથે થવું જોઈએ.આભાર.

      Like

  6. Religion is the knowledge of living life in best possible manner. Hence according to different perceptions many religions have emerged. They may be half true or half wrong.
    The human beings have yet to find a perfect religion which is also equally impossible task, the reasons you know. The truth always changes with time. A day might come when we will have to eat each other, then it will be a new religion. All present day religions (which is a way of living good life) have become obsolate considering addition of foolish items in them.Incomplete article but well taken up. Religion is an age old issue for
    us to fight and debate , however the purpose should be to unite.This is a sheer waste of energy.

    Like

    1. Sir, Raol Pradipkumar:

      In my opinion your comment of religion/s seems very close to absolute truth.
      Enjoyed reading your comment.

      Like

  7. Bhupendrasinh – Interesting subject… read the comments in your blog and here too…
    ધર્મ નાં સિદ્ધાંતો અને કર્મ નાં સિદ્ધાંતો…
    ધર્મ એટલે આચરણ નાં નિયમો કે દરરોજ કે જીવન માં સમયાન્તરે કે સમય પ્રમાણે કરાવા જેવા કાર્યો. ટૂંક માં- સારા કાર્યો કરો અને સારા કાર્યો કરવા તે આચરણ માં મુકવા તે ધર્મ. કેટલું સહેલું છે પોતાની રીતે ધરમ ને સમજવું અને આચરવું.
    પણ… આપણા કહેવાતા ધર્મગુરુઓ-પ્રપંચી ગાદીપતિઓ-ફાંટા વાદી સંપ્રદાયો એ…. ધર્મ ને ઇન્ડિયન-ટેક્ષેશન કરતા પણ અઘરા આચરણ-કર્મ નાં નિયમો સિદ્ધાંતો બનાવી-બનાવી ને બસ વાડા-માં-ઘેટા પૂર્યા અને અનુયાયીઓ એટલા તો કન્ફયુઝ કર્યા… કે… તેમને સમજ માં જ નાં આવ્યું કે સારું કર્મ-આચરણ-ધર્મ શું… માનવ સહજ સારો-ધર્મ એટલે શું?… બચારા સામાન્ય માણસો ની બુધ્દી ગંઠાઈ ગયી… એટલે તેમને એમ માન્યું કે આ બાબા-ગાદીપતિ-કથાકાર-ઓલિયો-ફકીર કહે છે તે જ સાચું છે ભલે મને સમજણ નથી પડતી કે તેશું કહ્યી રહ્યા છે પણ તે સાચું છે…. અને ઘેટા નો રેલો ચાલ્યો…
    બાબા-ગાદીપતિ-કથાકાર-ઓલિયો-ફકીર કેટલું જોરદાર કહ્યું છે –
    “માયા પૈસા મિથ્યા છે… ખલી હાથે આવ્યો છું ખાલી હાથે જવાનું છે” – આ તરફ આ સ્વામીઓ કરોડો પતિ હોય છે…
    “સ્ત્રીઓ ની પાછળ નાં જવું, બ્રહમ-ચર્ય પાળવું અને સેવા કરાવી” – બીજી તરફ આ જ સ્વામીઓ બીજી સ્ત્રીઓ ને ભોગવે અને CD -ઓ બહાર પડે… રે સંસાર…
    “મારો ચેલો બની જા તને બ્રહમ સંબંધ આપું” – તો તેઓ જ કેમ બ્રહ્મ નથી બનતા અને તમારા દાન દક્ષિણા તેઓ કેમ વ્યાજે ફેરવે છે? … વિચાર્યું છે ક્યારેપણ?
    બસ… અઘરી-અઘરી વાતો કરાવી છે… અને તેમની પાછળ નું કારણ આપણી શ્રધ્ધા ને નિચોવવા ની તરકીબ છે… તેમને ધન-સ્ત્રી-સત્તા ભોગવવા છે…
    છોડો મિત્રો બધા ધર્મો-ફાંટા-સંપ્રદાયો-સ્વામીઓ…
    આવો આપણેને જે સારો લાગે અને જેમાં માનવતા લાગે તે આપણો પોતાનો-એકલા-નો-જ-ધરમ બનાવીએ… ૧૨૯-કરોડ અલગ-અલગ માનવ ધર્મ બનાવીએ… અને ભગવાન ને પ્રેમ કરીએ પ્રેમ થી રહીએ…

    Liked by 1 person

  8. માનવ કુદરતદત્ત બુદ્ધિ , તર્ક અને આંતરપ્રેરણા ( છઠી ઇન્દ્રિય ) ને અનુસરે , સહજ જીવે , બીજાને નડે/પીડે નહીં ,શક્તિ , સમૃદ્ધિ , સામર્થ્યનો જનહિતમાં સદઉપયોગ કરે એટલે બસ ..અને તો ધર્મના કોઈ પણ લેબલની જરૂર નથી.

    Like

  9. there are few things why human believe in that there is some one and he is god. because human do not know few things like what is death.he recognise it by some characteristics like no movement is body,mind and heart etc…. and problem of human is he want to kow it and this type of things of life and existance.when human cant understand the secrets regarding existance of all universe , life and death he believe that there is someone supreme power “god” exists and he has created all these wonder..other animals on earth do not want to know what is death and other things about existance. other animal born live and simly gets death as human but they dont want to know or they dont care actully what is birth,life and death and all existance around us. so there is no any beliefe of god in all other animals life.human want to know all secrets of existance of univerce, life and death and when he finds himself unable to know the secrets of all these exsstence he believes in one super power who has created all existence call him as GOD.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s