ગાંધીજી, અહિંસા અને આઝાદી.

Mohandas K. Gandhi
Image via Wikipedia

ગાંધીજી,અહિંસા અને આઝાદી.
ગાંધીજી અને મહાવીરની અહિંસામાં આભજમીનનો ફેર છે. ગાંધીજીની અહિંસાએ ભારતને આઝાદી અપાવી તેવું ઘણા બધા માનતા હોય છે. આઝાદી કોઈ એક વ્યક્તિના કાર્યોનું ફળ નથી. હજારો લાખો વ્યક્તિઓના સામૂહિક કાર્યનું ફળ આઝાદી છે. ગાંધીજી બહુ પાછળથી આઝાદીની લડતમાં દાખલ થયા. તે પહેલા પણ આઝાદીની ચળવળ શરુ થઈ ચૂકી હતી. અરે ઝીણા સુધ્ધા ગાંધી પહેલા આ ચળવળમાં જોડાઈ ચૂકેલા હતા. એ હિસાબે ઝીણા સીનીયર હતા. આજ અહંકાર ઝીણાને છેક સુધી નડ્યો. મોટાભાગે તૈયાર પ્લેટફોર્મ પર ગાંધીજીને બેસવા મળી ગયું હતું. પણ એકવાર ચળવળમાં દાખલ થયા પછી તમામ દોર ગાંધીજીના હાથમાં ચાલ્યો ગયો. બીજી બાજુ ભગતસિંહજી જેવા ક્રાંતિકારો એમની રીતે લડતા હતા.
ચાલો માર ખાઈને જીતવાનું મનોવિજ્ઞાન જોઈએ. ધારો કે તમારે કોઈ સાથે ઝઘડો થયો. હાથાપાઈ શરુ થઈ. સામેવાળો પ્રતિકાર કરશે તો લડવાનું ઓર શૂરાતન ચડશે. સામસામી મારવાનું થશે તો લડવાનું ઓર થવાનું, એક જોર ચડવાનું. પણ સામેવાળો નબળો હોય અને ફક્ત માર જ ખાય અને કોઈ પ્રતિકાર ના કરે તો તમારું મારવાનું જોર ઘટી જવાનું, શૂરાતન ઓછું થઈ જવાનું, કોઈ મજા નહિ આવે મારવાની. થોડીવાર આવેશમાં તમે માર્યા કરશો પછી અચાનક બધું જોર ઓસરી જશે. કોઈ શરણે થઈ જાય પછી એને મારવાનું કોઈ પ્રયોજન હોતું નથી. કોઈ ખાલી માર જ ખાધે રાખે તો તમે થાકી જવાના. સામો મારે તોજ લડવાનું મન થશે. પ્રાણી જગતમાં પણ તમે જોયું હશે. શેરીમાં બે કૂતરા લડતા જોયા જ હશે. એક કૂતરું પૂછડી દબાવી આળોટી પડે તો બીજું એને બહુ મારી નહિ શકે. તમે નિઃશસ્ત્ર માણસને મારી મારીને કેટલો મારો તમને પોતાને અપરાધભાવ પેદા થવાનો.

ઓશોએ એક રમુજભરી વાર્તા કહેલી. એક ગામમાં એક છોકરો ગામના મુખિયા જેવા માણસની છોકરીના પ્રેમમાં પડ્યો. પેલીનો બાપ કડક હતો. હવે કરવું શું? કોઈએ ઉપાય બતાવ્યો સત્યાગ્રહ ઉપર ઊતરી જા, ઉપવાસ ઉપર ઊતરી જા. પેલો તો ટેન્ટ લગાવી થોડા બૅનર ચીતરાવી ઉપવાસ પર ઊતરી ગયો કે પેલાની છોકરી સાથે લગ્ન કરવા છે નહીતો આમરણ અનશન. પેલી છોકરીનો બાપ હતો તો બહુ કડક, મારી નાખે તેવો પણ સત્યાગ્રહ આગળ શું કરે? કોઈ ડાહ્યાં માણસની સલાહ લીધી કે ભાઈ આ લડવા આવ્યો હોત કે મારી છોકરીને લઈ જવા આવ્યો હોત તો એની સામે બંદુક ખેંચત, પણ આતો ગાંધી માર્ગે અહિંસક ચળવળ ચલાવે છે શું કરું? પેલાએ કહ્યું ચિંતા ના કરો, એનો ઉપાય હું કરું છું. પેલા ડાહ્યાં માણસે એક ઘરડી વૈશ્યાને પૈસા આપી તૈયાર કરી, એને બધું સમજાવી દીધું. બીજા દિવસે પેલા છોકરાના ટેન્ટ સામે એક નવો ટેન્ટ ઊભો કરી પેલી ડોસી બેસી ગઈ, કે તું મારી સાથે લગન કર બાકી આમરણ અનશન. રાતમાં કોઈને કહ્યા વગર પેલો છોકરો ભાગી ગયો.

ગાંધીજી અજાણતાં જાણતાં હતા કે લડવું આપણી ભારતની પ્રકૃતિ રહી નથી. એના માટેનું કૌશલ્ય રહ્યું નથી, એના માટેનું જોમ રહ્યું નથી, એના માટેની   શિસ્ત રહી નથી. અહી ટોળાં ભેગાથાય, કોઈ આયોજન હોય નહિ. લડવા માટે આયોજન જોઈએ. એક ખુમારી જોઈએ. એક આક્રમકતા જોઈએ. માર ખાવા માટે એક સહન શક્તિ જોઈએ જે આપણે હજારો વરસથી મેળવી ચૂક્યા છીએ. શિસ્તબદ્ધ માર ખાવાની, આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી. અંગ્રેજો થાકી ગયા. સામસામી લડવામાં ઓછો થાક લાગે. એક તરફી લડવામાં જલદી થાકી જવાય. ઘણા બધા સામૂહિક પરિબળોએ ભારતને આઝાદ કરવામાં ફાળો આપ્યો છે. ભલે બળવાન બ્રિટન હિટલર સામે જીત્યું પણ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું હતું. એ રીતે નિર્બળ બની ચૂક્યું હતું. એનો પોતાનો પથારો અડધી દુનિયા પર ફેલાવીને બેઠેલું, હવે એનો ભાર ખમાતો નહોતો. સબળતા અને નિર્બળતા સાપેક્ષ છે. કોઈ ક્યારે સબળ બની જાય ક્યારે નિર્બળ, કહેવાય નહિ. બળવાન હિટલર મિત્ર દેશોના સ્વાર્થી સંગઠન આગળ નિર્બળ બન્યો. યહૂદીઓ આખી દુનિયામાં ફેલાયેલા હતા તે કોઈ એક જગ્યાએ સંગઠિત નહોતા તે એમની નિર્બળતા. વાવાઝોડા સમયે અકડું એકલું વૃક્ષ ગબડી જાય તે એની નિર્બળતા અને ઘાસ નમીને બચી જાય તે એની સબળતા. ભલ ભલી સંસ્કૃતિઓ નાશ પામી, પણ અતિશય વસ્તી વધારી સાવ નમીને આક્રમણકારો આગળ પૂછડી પટપટાવી સર્વાઈવ થઈ ગયા તે આપણી સબળતા જ ગણાય. એકલાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવું કહેવું અને માનવું વધારે પડતું છે. અહિંસાએ આઝાદી અપાવી તેવું કહેવું પણ વધુ છે. આપણે હિંસક તો છીએ, પણ ટોળામાં. કોઈ શિસ્તબદ્ધ સૈન્ય સામે નહિ. આપણે અહીન્સકો ભાગલા પડ્યા ત્યારે એકબીજાને પોતાના ભાઈઓને સામસામી મારીને બહાદુર બની ગયા. આશરે ૧૦ લાખ લોકો માર્યા ગયા. ક્યાં ગઈ અહિંસા?

ગાંધીજીની અહિંસા અને મહાવીરની અહિંસામાં બહુ મોટો ફરક છે. સત્યનો આગ્રહ કદી હોય નહિ. દરેકના સત્યો અલગ અલગ છે. સત્ય સાપેક્ષ છે. સત્યનો આગ્રહ સૂક્ષ્મ હિંસા છે. કોઈના ઉપર દબાણ કરી પોતાની વાત મનાવવી તે પણ હિંસા જ કહેવાય. કોઈના આત્મા ઉપર હુમલો કહેવાય. મહાવીર ક્યારેય કોઈ ઉપર દબાણ ના કરી શકે કોઈના આત્માને જરા જેટલી પણ ઈજા પહોચાડી ના શકે. એમને સંન્યાસ લઈ સંસાર છોડવો હતો પણ ઘરના કોઈ ના પાડે તો એમના આત્માને દુખ ના પહોચે માટે રોકાઈ જતા. એમની હાજરી પણ જણાવા ના લાગી ઘરમાં ત્યારે બધાને થયું કે આને રોકી રાખવો નકામો છે.  છતાં ગાંધીજીની અહિંસક ચળવળે ભારતને આઝાદી અપાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો તો એમનો આભાર માનવો.  આપણે માર ખાઈને જીત્યા, દેશ આઝાદ થયો, બહુ મોટું પરાક્રમ કર્યું, માર ખાવાની શક્તિમાં, માર સહન કરવાની શક્તિમાં વધારો થયો. આનંદો!!!!!!

124 thoughts on “ગાંધીજી, અહિંસા અને આઝાદી.”

  1. માર ખાઇને જીતવાનું મનોવિજ્ઞાન તમે સરસ સમજાવ્યું છે. ગાંધીજી આપણી પ્રજાની આ લાક્ષણિકતા સમજી ગયા હતા એ પણ માની શકાય એવું છે. આઝાદી માત્ર ગાંધીજીને કારણે ન આવી, બ્રિટન પોતે પણ લડાઇ જીત્યા પછી પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું હતું એ પણ આઝાદીનું એક કારણ હતું, એ પણ સાચું છે.

    આમ છતાં કેટલાક મુદાઓ પર વધારે વિચાર કરવાની જરૂર છે. એક તો, સબળ પુરવાર થવા માટે હિંસા કરવી જ જોઈએ એવું સિદ્ધ નથી થયું. આવું માનવ સમાજની બહાર સાચું છે, પણ માણસે પોતાની સબળતા સિદ્ધ કરવા માટે મગજનો બહુ અસરકારક ઉપયોગ કર્યો છે. વળી માણસ શારીરિક રીતે એટલો બધો નબળો છે કે કોઈ પણ પ્રાણી એને ભોંયભેગો કરી શકે છે. આમ માનવ-જીનને સર્વાઇવલ માટે હિંસા કરતાં સહકારની વધારે જરૂર રહી.આમાં હિંસા પર નિયંત્રણ પહેલી શરત છે.

    ગાંધીજીને જે તૈયાર પ્લેટફૉર્મ મળ્યું એ ભાષણબાજીનું હતું અને પાર્લામેન્ટરી રીતે સુધારા કરવાની માગણીઓ એના પરથી થતી. ગાંધીજીએ આ પ્લેટફૉર્મને જ બદલી નાખ્યું. ઝીણા, એની બિસેન્ટ, મોતીલાલ નહેરૂ વગેરે પાર્લામેન્ટરી લડાઈમાં માનતા હતા.ગાંધીજીએ જનતાને જોડીને કોંગ્રેસને નવું જ રૂપ આપ્યું. ગાંધીજી આ પહેલાં દક્ષિણ આફ્રિકામાં સફળ રહ્યા હતા.

    ગાંધીવાદીઓ કદાચ મારી વાતનો સ્વીકાર નહીં કરે.પરંતુ હું નથી માનતો કે અહિંસા ગાંધીજીનો પહેલો સિદ્ધાંત હતો. એમનો મૂળ સિદ્ધાંત ‘માસ મોબિલાઇઝેશન’ (જન સંગઠન)નો હતો. ગાંધી પહેલાંની કોંગ્રેસમાં લોકમાન્ય તિલક ગોખલેથી વિરુદ્ધ જલદ (જહાલ) હતા પણ એમણે આખી જનતા સામેલ થાય એવું કઈં નહોતું કર્યું.

    જનતાને સંગઠિત કરવા માટે સશસ્ત્ર ક્રાન્તિનો રસ્તો લેવો હોય તો સરકારની સેનાને મહાત કરે એટલાં શસ્ત્રો જનતા પાસે હોવાં જોઈએ, જે શક્ય નહોતું. એટલે ગાંધીજીએ ખરેખર તો નિર્ભય બનવાનો સંદેશ આપ્યો. માણસ શસ્ત્રો હોય તો પણ મરે છે, એ્ટલે સશસ્ત્ર સંઘર્ષમાં પણ મૃત્યુની બીક ન હોય તે જ જઈ શકે.ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ,ચન્દ્રશેખર આઝાદ, રા્જગુરુ, સુખદેવ, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ, અશ્ફાક-ઉલ્લાહ વગેરે આવી નિર્ભયતાનાં પ્રતીકો છે.મરવાની બીક છોડો તો શસ્ત્ર હોય તો પણ શું અને ન હોય તો પણ શું? મરવાની બીક હોય તો શસ્ત્રો હોય તો પણ અર્થ નહીં.

    ગાંધીજીએ અહિંસાને જે રીતે સમજાવી છે તે હું આ રીતે સમજ્યો છું.તે સિવાય મૂંગે મોઢે અત્યાચાર સહન કરવા કરતાં તો હિંસા કરવી સારી એવું તો ગાંધીજી ઘણી વાર કહી ચૂક્યા છે.
    ગાંધીજીની અહિંસાને મહાવીરની અહિંસા સાથે ન સરખાવી શકાય એ તમારું કથન પણ સાચું જ છે. હકીકતમાં અહિંસાનો ઉપદેશ પહેલાં પણ અપાતો પરંતુ એ ચોખલિયા વ્યવહાર પુરતો રહી ગયો. અહિંસાનો ઉપયોગ રાજકીય હેતુ બર લાવવા માટે પ્રજાકીય આંદોલન ભાગ રૂપે પહેલાં કદી નહોતો થયો.
    આમ છતાં, રસપ્રદ વાત એ છે કે પહેલા વિશ્વયુદ્ધ માટે સૈનિકોની ભરતી કરાવવામાં ગાંધીજી સૌથી મોખરે હતા! એમની દલીલ જોવા જેવી છેઃ દેશની આઝાદીમાં સૈનિક જેવી શિસ્ત જોઇએ. લશ્કરમાં જઈને આ શિસ્તની તાલીમ લઈને પાછા આવે તે જનતાની લડતમાં કેટલા કામ આવે?! શું ગાંધીજીના મનમાં કોઇક ખૂણે જનતાનું સૈન્ય ઊભું કરવાનો વિચાર હશે? લશ્કરમાંથી પાછો આવે તે શસ્ત્રો પણ ચલાવી જાણે. (કોઈ મિત્રને રે્ફરન્ફસ જોઇતો હશે તો હું આપી શકીશ).

    ગાંધીવાદી રીતો માર્ટિન લ્યૂથર કિંગે અમેરિકામાં શ્યામ પ્રજાના અધિકારો માટે અખત્યાર કરી. આજે ઓબામા પ્રેસીડન્ટ બન્યા તે આ જ આંદોલનનો પરિપાક છે. ફિલિપીન્સમાં ફર્ડિનાન્ડ માર્કોસના વિરોધી નેતા બેનિન્યો અકીનો અમેરિકામાં રહીને આંદોલન ચલાવતા હતા. ત્યાં એમણે રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોઈ. તે પછી એમણે કહ્યું કે કોઈ પોતાનું જ બલિદાન આપે તે દેશ માટેનું સર્વોચ્ચ બલિદાન છે.એમણે ફિલિપીન્સ પાછા ફરવાની જાહેરાત કરી. એમનું વિમાન ઊતર્યું ત્યારે માર્કોસના સૈનિકોએ એને ઘેરી લીધું અને અકીનો બહાર નીકળ્યા કે તરત જ એમને ટાર્મૅક પર જ મારી નાખ્યા. તે પછી જનતાનો રોષ ફાટી નીકળ્યો. માર્કોસે ટૅન્કો ચલાવી તો લોકો મરવાની બીક છોડીને રસ્તાઓ પર સુઇ ગયા. સૈનિકો માટે આ નવું હતું એમણે ટેન્કો ચલાવવાનો ઇન્કાર કર્યો. અંતે માર્કોસને જવું પડ્યું અને બેનિન્યોનાં પત્ની કોરાઝોન અકિનો પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં

    હમણાં ટ્યૂનિશિયા અને ઇજિપ્તમાં જે પરિવર્તનો આવ્યાં એમાં નિઃશસ્ત્ર જનતાની હિંમતની જ ભૂમિકા છે. નેલસન મંડેલા ૨૭ વર્ષ જેલમાં રહ્યા. ગાંધીજીની અસર હોવા છતાં એમણે આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ પણ બનાવી પરંતુ જેલની બહાર નીકળ્યા તે પછી એમને બદલો લેવાની વાત પન ન કરી!

    ગાંધીજીના આંદોલન છતાં જનતા ખરેખર અહિંસક બની ગઈ એવું ન થયું અને ભાગલા પડ્યા ત્યારે એમને એકબીજાનાં ગળાં કાપ્યાં એ હકીકત તરફ તમે યોગ્ય જ ધ્યાન દોર્યું છે.

    પરંતુ, એકંદરે હિંસા અને અહિંસાના મુદા પર અને ગાંધીજીના આંદોલન પર વધારે વિચારની જરુર જણાય છે. આશા છે કે મિત્રો આ ચર્ચાને આગળ વધારશે,એતલે મેમ અલ્ગ દૃષ્ટિકોણ અહીં રજૂ કર્યો છે.

    Like

    1. દિપકભાઇ :
      આપ નુ એનાલિસિસ ખરેખર ઉત્તમ છે. ગાંધીજી ની અહિંસા અને મહાવિર ની અહિંસા બન્ને અલગ જ છે.
      જે અહિંસા ની વાત ગાંધીજી એ કરી , એ અહિંસા ૧૯૪૭ ( ભાગલા સમયે ) , ૧૯૮૪ ( શિખ હત્યાકાંડ) , ૧૯૯૦ ( કાશ્મીર માં પંડીતો ની હત્યા ) , ૧૯૯૨ ( મુમ્બઈ ) , ૨૦૦૨ ( ગોધરા) જેવા પ્રસંગો એ નિર્મુલ્ય સાબીત થઈ. કહેવાનો મતલબ કે પોતાના થી સમર્થ લોકો સામે જ આ “અહિંસા” નુ શસ્ત્ર ઉગામવા મા આવે છે કારણ કે ત્યાં “હિંસક” લડાઇ માં જીતવાની શક્યતા ઓછી છે. અને એ અહિંસા પણ અન્ય લોકો નો સહકાર લઈ ને જન આંદોલનો કરી ને. જેટલા “અહિંસક” લડવૈયા “ગાંધીજી” ની સેના માં હતા એના કરતાં જો ત્રીજા ભાગ ના લોકો પણ ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ ની સાથે હોત તો દેશ ની શકલ અને સુરત આજે કંઇક અલગ જ હોત. આઝાદી ની તારીખ પણ ખુબ વહેલી હોત. ભેંટ મા મળેલી આઝાદી એ દેશ ને નપુંસક બનાવી દિધો છે એ પણ એક વરવી હકિકત છે જે ગાધીજી ની અહિંસા ને આભારી છે. અંગ્રેજો ને વહાલાં થવા માટે દેશ ના નવયુવાનો ને લશ્કર માં ભરતી કરવા, સુભાષચંદ્ર બોઝ ની આગેકુચ કરતી સેના ને ઉત્તર-પૂર્વ માં રોકવા ગયેલા એજ આપણા દેશ ના નવયુવાનો હતા. નેતાજી એ ધારેલું કે હિન્દુસ્તાની સૈનીકો આઝાદ હિંદ ફ઼ોજ નો સાથ આપશે પણ એ ખોટાં ઠર્યાં એના મુળ માં ગાંધીજી જ હતા.
      “અહિંસા” જે “હિંસા” કરવા સમર્થ હોય તેનું આભૂષણ છે. બાકી નમાલાં ઓ એને હથીયાર તરીકે વાપરી જાણે છે.

      Like

      1. દર્શિતભાઈ,
        મેં માર્ટિન લ્યૂથર કિંગથી માંડીને ઇજિપ્તમાં હાલમાં થયેલા સત્તાપલટાનાં ઉદાહરણ આપ્યાં છે. ફિલિપીન્સમાં બેનિન્યો અકિનોના બલિદાનનો પણ દાખલો આપ્યો હે. આના પર તમે કશુંક લખ્યું હોત તો ગાંધીની માસ મોબિલાઇઝેશનની નીતિ વિશે વધારે ચર્ચા થઈ શકી હોત.

        ૧૯૪૭, ૧૯૮૪, ૧૯૯૨, ૨૦૦૨ આ બધાં હિંસાનાં ઉદાહરણો છે, પરંતુ હિંસા વિજયી રહી હોવાનાં ઉદાહરણ નથી.

        આઝાદ હિન્દ ફોજને જાપાને જ એકલી કરી દીધી હતી, કારણ કે જાપાન પોતે ભારત તરફ આવવા નહોતું માગતું. સુભાષબાબુ ત્યાં જ એકલા પડી ગયા હતા.આઝાદ હિન્દ ફોજની રચના પછી એને થોડાં શસ્ત્રો આપવા સિવાય જાપાન બહુ આગળ વધવા નહોતું માગતું. અહીં બ્રિટિશ આર્મીની તુલનામાં આઝાદ હિન્દ ફોજ પાસે દેશભક્તિની અદમ્ય ભાવના સિવાય કઈં નહોતું. માત્ર બસ્સો વર્ષ પહેલાં લડાઈ થઈ હોત તો તલવારથી કે હાથોહાથની સામસામી લડાઈ થઈ હોત.એ વખતે આવી દેશદાઝની ભાવના કામ આવે પણ આધુનિક હથિયારો સામે તો એવાં જ હથિયારો જોઇએ.

        આ દેશમાં ગાંધીજીની પાછળ જેટલા માણસો હતા એના ત્રીજા ભાગના માણસો ભગતસિંહની પાછળ હોય એવું બની જ ન શકે. ગાંધીજી પાછળ આખો દેશ હતો એમ કહેવું વધારે પડતું હોય તો પણ પાંચ ટકા માણસો હતા એમ માનીએ જે બે કરોડ થતા હશે. આનો ત્રીજો ભાગ એટલે દુનિયાનું સૌથી મોટું લશ્કર! શસ્ત્ર વિના?

        બીજી વાત. હું પહેલાં પણ કોઈ ચર્ચામાં લખી ચૂક્યો છું કે ભગતસિંહ સૌથી છેલ્લા શહીદ હતા. તે પછી સશસ્ત્ર ક્રાન્તિનો રસ્તો સૌએ છોડી દીધો.રામ પ્રસાદ બિસ્મિલ તો ફંસી પર જતાં પહેલાં યુવાનોને ખુલ્લો પત્ર લખીને ગયા કે આ રસ્તો સાચો નથી,અને સૌએ કોંગ્રેસના આંદોલનમાં જોડવું જોઇએ.

        ૧૯૧૫ સુધી પહોંચતાં તો બંગાળમાં અનુશીલન અને યુગાંતર જેવાં સશસ્ત્ર આંદોલનો પણ બંધ પડી ગયાં હતાં અને એના એક લીડર અરવિંદ ઘોષ ફ્રેન્ચ વસાહત પોંડીચેરીમાં જઈ વસ્યા હતા. વીર સાવરકર પણ સશસ્ત્ર આંદોલનમાં માનતા હતા અને તમે જાણો છો કે ગાંધીજીના એ વિરોધી હતા.પણ કાળા પાણીની સજા થઈ તે પછી માફી માગી લીધી, રાજકારણ છોડીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવાનું વચન આપ્યું.ગાંધીજીના આંદોલન સામે એમની ભૂમિકા શી રહી તે ઇતિહાસમાં નોંધાયેલું છે

        આઝાદી ભેટમાં મળી, એ કથન પર ફરી વિચાર કરવા વિનંતિ છે.કારણ કે આ રીતે ઇતિહાસમાં અને વર્તમાનમાં પણ ઘણાબધા બનાવોને આપણે ‘ભેટ’ કહેવા લલચાઇશું.
        આઝાદી લડાઈ વગર મળી એટલે ખોટી થઈ જાય છે, એ ન સ્વીકારી શકાય એવી દલીલ છે. એક ઉદાહરણ આપું. માર્ક્સનું માનવું હતું કે જ્યાં મૂડીવાદ ચરમ સીમા પર હશે ત્યાં ક્રાંતિ થશે. પણ ક્રાંતિ થઈ રશિયામાં, જે પછાત દેશ હતો! ટ્રોટ્સ્કીએ લેનિનને કહ્યું કે આ સાચી ક્રાંતિ નથી. લેનિને જવાબ આપ્યો, તો હવે શું કરવું ઝારને પાછો બોલાવીને સત્તા સોંપી દેવી જોઇએ?
        આઝાદી અહિંસક માર્ગે મળી એટલે આપણે આવા થઈ ગયા એ તારણ પણ ખોટું છે. યુદ્ધો તો આપણે મહાભારતકાળથી જ કરતા આવ્યા છીએ, પણ અંગ્રેજોના ગુલામ કેમ બની ગયા. આવા મહાન પરાક્રમી રાજાઓ હતા તો પણ? એ બધા ઇંગ્લેન્ડનો ક્રાઉન પ્રિન્સ ભારત આવ્યો ત્યારે કિંમતી આભૂષણો પહેરીને દિલ્હી દરબારમાં કુર્નિશ બજાવતા હતા. અને છેક સુધી અંગ્રેજોની સાથે રહ્યા.માત્ર પોતાની પ્રજા ઉપર જુલમો ગુજારવામાં, ક્રિકેટ રમવામાં, અંગ્રેજ ગવર્નેસો પાસે પોતાનાં બાળકોને અંગ્રેજી શીખવવામાં મસ્ત હતા.

        અંગ્રેજો સામે ગાંધીજી ૧૯૧૫માં મેદાનમાં આવ્યા તે પછી અહિંસક આંદોલનનો ઇતિહાસ શરૂ થાય છે પણ યુદ્ધોનો ઇતિહાસ તો અઢી હજાર વર્ષ જૂનો છે.હિંસાને કારણે ચારિત્ર્ય ઘડતર થતું હોત તો આપણે દુનિયામાં સર્વશ્રેષ્ઠ પ્રજા હોત!

        Like

        1. મહાભારત પછી કોઈ મોટું યુદ્ધ થયું નથી અને ચંદ્રગુપ્ત સિવાય કોઈ ચક્રવર્તી રાજા પેદા થયો નથી.જે ક્રાંતિકારીઓ સશસ્ત્ર આંદોલનમાં માનતા હતા તેમની સંખ્યા સાવ ગણી ગાંઠી હતી,એમની પાસે કોઈ લશ્કર હતું નહિ,કે પુરતા આધુનિક સશ્સ્ત્રો પણ હતા નહિ.જેવા આજે ત્રાસવાદીઓ પાસે હોય છે.પછી શું કરે?હથિયાર હેઠા મુકવા પડે અને ગાંધી આંદોલનમાં જોડાઈ જાઓ તેવું જ કહેવું પડે.કોઈ છુટકો નહોતો.

          Like

          1. ભૂપેન્દ્રસિંહભાઈ, કોઈ ચક્ર્વર્તી ન થયો એનો અર્થ એ નથી કે લડાઈઓ નથી થઈ. ખિલજીઓ, ઘોરીઓ, લોદીઓ, મુગલો અહીં અંગ્રેજો જેમ વેપાર કરવા નહોતા આવ્યા. લડાઈ કરીને જીત્યા. હર્ષ, પુલકેશી, બૌદ્ધ બન્યા પહેલાંનો સમ્રાટ અશોક, ચોલ. ચાલુક્ય, ગુર્જરો,ચૌહાણો, સોલંકીઓ, વિજયનગરનું સામ્રાજ્ય, અકબર. ઔરંગઝેબ, સૌરાષ્ટ્રના ભાયાતો અને નાનામોટા રાજાઓ…ક્યારે આ દેશમાં લડાઈ નથી થઈ? લડતા જ રહ્યા છીએ. પણ આ લડાઈઓને કારણે શું થયું?

            આજે જેવાં શસ્ત્રો ત્રાસવાદીઓ પાસે છે એવાં તો ૬૦ વર્ષ પહેલાં હિટલર, સ્ટાલિન, ચર્ચિલ કે રૂઝવેલ્ટ પાસે પણ નહોતાં! પરંતુ જે હતાં એવાં શસ્ત્રો પણ એક અલગ સેના બનાવી શકાય એટલી સંખ્યામાં કેમ એકત્ર કરી શકાયાં હોત? અને આજે ત્રાસવાદીઓ પાસે જે શસ્ત્રો છે તેની શરૂઆત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રશિયા સામે લડવા માટે આપેલાં શસ્ત્રોથી થઈ. તે પછી અફીણના વેપારમાંથી પૈસા પેદા કર્યા.સાઉદી અરેબિયાના પૈસા આવ્યા. ઓસામાના પૈસા આવ્યા. અને ઓસામા બિન લાદેનને મારીને અમેરિકાએ દેખાડી આપ્યું છે કે કોઈ પણ સરકાર ત્રાસવાદીઓ કરતાં તો વધારે શક્તિશાળી હોય છે

            Like

            1. તો શું લડાઈ બંધ કરી બેસી જઈશું?આપે જે ગણાવ્યા તે તમામ પ્રાદેશિક બહાદુરો હતા.મુસલમાનો બહારથી આવ્યા,એક સાવ ક્ષેત્રફળમાં નાનું રાજ્ય કે દેશ ઇંગ્લેન્ડ આખા વિશ્વમાં એનો ઝંડો લહેરાવી શકે આપણા આ બધા બહાદુરો પોતાના રાજ્ય બહાર જવા તૈયાર જ નહોતા.એમાં ભારત બહાર તો કોણ જાય?લડાઈ થી કશું પામી શકતું નથી તો શું માર ખાઈને બેસી રહેવાનું?અહિંસામાં ના માનવું તેનો અર્થ એવો તો નથી જ કે રોજ લડાઈ કર્યા કરવી,પણ કોઈમારવા આવે ત્યારે અહિંસા પરમોધર્મ રટીને બેસી રહીશું?આપણાં રાજાઓ હાર્યા કે એમની માનસિકતા બુદ્ધ અને મહાવીર પછી આક્રમક રહી જ નહોતી,દયાળુ રાજાઓ બની ગયા હતા.નાની મોટી લડાઈ પછી સમાધાન કરી લેતા,કે મજબુરીમાં સમાધાન કરી લેતા.વિદેશીઓ બહુ ક્રૂર હતા.ભાલાઓ ઉપર પ્રજાના માથા ભેરવી પ્રદર્શન કરતા તે આ રાજાઓથી જોવાતું નહોતું,અને નમી પડતા.અને ખાસ તો નજીવી સંખ્યામાં હતા અને સમાજનો એક જ વર્ગ ક્યા સુધી અસંખ્ય આક્રમણો સામે ટક્કર લઇ શકે?બહુ બધા કારણો ભેગા થાય છે.એક વાત બહુ સાચી આપે કહી કે કોઈ પણ સરકાર ત્રાસવાદીઓ કરતા વધારે શક્તિશાળી છે,પણ આપણી કેમ નથી????

              Like

              1. સ્વામી શ્રી સચિદાનંદ (પેટલાદ દંતાલી પાસે) ના એક લેખ માં એવું વાંચ્યા નું યાદ છે કે હિંદુઓ ની વર્ણ વ્યવસ્થા
                સારા એવા પ્રમાણ માં હિંદુઓ ની રણભુમી માં હારો પામવા માટે જવાબદાર છે.
                મોટા પાયે ફક્ત ક્ષત્રિઓજ લડાઈ માં જતા. બહુજ rough / crude ગણતરી મૂકતા ૨૫% ક્ષત્રિઓ તેમાં
                અડધી બહેનો મુકીએ તો વસ્તી ના ૧૨ કે ૧૩% ભાઈઓ જ રણમેદાન માં જતા. બીજી કોમ ના ભાઈઓ જતા હશેજ
                તો પણ વધારી ને ગણતરી મુકીએ તો વસ્તી ના ૨૦ કે ૩૦ % લડવા જતા. લગભગ આવું ગણિત મેં શ્રી સચિદાનંદ
                ના લેખ માં વાંચ્યું હોય તેમ યાદ છે. સાથે સાથે હિંદુઓ માં કોમવાદ ના લીધે એકતા પણ નો સારો એવો અભાવ હતો.

                અંગ્રેજો એ ભારત મા ઘણા વર્ષો રાજ કરીયા પછી ભારતીઓ ના માનસ ને સમજી નીચે લખેલ કહેવત બનાવી હતી
                તેમ ભૂતકાળ મા કોઈક લેખ મા વાન્ચીયા નું યાદ છે.
                One Indian is a Philosopher, two starts jealousy and three starts fighting!
                અંગ્રેજોએ તેમના માનસ માટે જણાવ્યું
                One Britisher is an Idiot, two starts a club and three built an Empire!

                Like

              2. ભૂપેન્દ્રસિંહભાઈ,
                તમારૂં એક વાક્ય અહીં ટાંકું છૂં – “સમાજનો એક જ વર્ગ ક્યા સુધી અસંખ્ય આક્રમણો સામે ટક્કર લઇ શકે?બહુ બધા કારણો ભેગા થાય છે.”

                તમારો સંકેત વર્ણવ્યવસ્થાને કારણે સમાજમાં જે ભાગલા પડી ગયા હતા એના તરફ છે. જન્મના આધારે વર્ણવ્યવસ્થા સ્થાપિત થઈ ચૂકી હતી અને એમાં ઉચ્ચ વર્ણોને ફાયદો હતો.તમારા કેટલાયે લેખોમાં આની ચર્ચા આપણે કરી છે એટલે પુનરાવર્તન નથી કરતો.
                મૂળ ચર્ચા શરૂ થઈ તે એ છે કે ગાંધ઼ીજીની અહિંસાને કારણે દેશ આજે નિર્માલ્ય બનીને અધઃ પતન તરફ ગયો છે. હું કહું છું કે એ સાચું નથી. હું એ પણ કહું છું કે ગાંધીજી વર્ણવ્યવસ્થામાં માનતા હોવા છતાં પહેલા નેતા હતા જેમણે સમાજના બધા વર્ગોને એક કર્યા અને બધા સામેલ થઈ શકે એવી લડત આપી.

                ઉપરોક્ત વાક્ય સાથે તમે આપણા સમાજના મૂળ રોગ તરફ પાછા ફર્યા તે સારૂં થયું બાકી આ દેશમાં ગાંધી જ એક એવો માણસ છે કે જેના પર દરેક જાતાના દોષ મઢી શકાય છે.નહેરૂ, સુભાષ, સરદાર પટેલ, ઝીણા કે બીજા કોઈ પણ લો – કોઇકને કોઇક એનો બચાવ કરનારો નીકળી આવશે. ગાંધી વિશે કઈં પણ બોલો – પૂરી આઝાદી છે. તમારા જેવા રેશનલ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાના લેખમાંથી પણ આ જ સુર નીકળતો હોય ત્યારે માત્ર ઇતિ્હાસ નહીં વર્તમાનમાં ચાલતાં અહિંસક અને પ્રજાના વ્યાપક સમર્થ્નથી ચાલતાં આંદોલનો તરફ ધ્યાન દોરવાનું જરુરી લાગ્યું. ગાંધીનો વિરોધ ભલે કરીએ પણ જેટલું ખોટું છે તે એ માણસને કારણે એમ કહેવું એક સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે.

                Like

      1. હિંસા કર્યે જ જિતાતું હોત તો દીપકભાઈનાં ઉદાહરણો ખોટાં હોત.

        અહિંસા કર્યે જ જો જિતાતું હોત તો આરબ, સ્પેનિશ કે મંગોલ સામ્રાજ્યો કદી ન બન્યાં હોત.

        અર્થાત વિજય માટે હિંસા કે અહિંસા મહત્ત્વનાં નથી.

        વિજય માટે જિગિષા (જીતવાની ઇચ્છા) જોઇએ.

        ભૂપેન્દ્રસિંહજી ત્યાં ઉતાવળા સાબિત થાય છે. એઓ અહિંસા અને નિર્જિગિષા વચ્ચે ભેદ પાડી શકતા નથી.

        એમનો વાંક નથી. આપણને સ્વાતંત્ર્યોત્તર સમયમાં આ ભ્રમ પાવામાં આવ્યો છે. જેથી આપણે પ્રશ્નો ન પૂછીએ.

        આવા અનેક ભ્રમ આપણને પવાયા છે.

        આપણને કહેવામાં આવ્યું છે કે ભારતે કદી વિદેશો પર આક્રમણ નથી કર્યું. તો રામચંદ્ર લડવા ક્યાં ગયા હતા? ચંદ્રગુપ્ત મૌર્યને હેરાત લોટરીમાં મળ્યું હતું? ચોળ રાજા રાજરાજે જાવા પર નૌસેના પોતાને માટે કન્યા જોવા મોકલી હતી? રાજા રણજિતસિંઘના સેનાપતિ બાબા જસ્સાસિંઘ અહલુવાલિયા ખોરાસાન અને તિબેટમાં હનીમૂન પર ગયા હતા?

        આપણને કહેવામાં આવ્યું છે કે અહિંસા ભારતના તત્ત્વજ્ઞાનનો અભિન્ન પાયો છે. તો તંત્રની ફ઼િલસૂફ઼ી કોણ, ચીના શિખવી ગયા? હાથમાં શસ્ત્રો ધારણ કરેલા બધા દેવી-દેવતા રોમન છે? આપણી ભાષા પર દૃષ્ટિપાત કરો: “ઊંચાં મન”, ખટરાગ, ઝઘડો, બોલાચાલી, બાથંબાથ, બઘડાટી, ધિંગાણું, લડાઈ, મોરચો, યુદ્ધ, મહાયુદ્ધ, હુલ્લડ, જનસંહાર – આટલા બધા શબ્દો અહિંસક પ્રજાની વોકેબ્યુલરી છે?

        Like

  2. ગાંધીજી નો “મૂળ સિદ્ધાંત ‘માસ મોબિલાઇઝેશન’ (જન સંગઠન)નો હતો”. દીપકભાઈ નો વિચાર.
    દીપકભાઈ ના આ વિચાર માં સારું એવું સત્ય લાગે છે. માટેજ ગાંધીજીએ દરિદીય નારાયણ અને હરીજન શબ્દો
    બનાવી સમાજ ના નીચલા વર્ગો ને પણ સંગઠિત કરિયા હોય તેમ લાગે છે.
    ગાંધીજી એ સતીય અને અહિંસા નો ઝંડો પકડી : સત્ય થી england ના બૌદ્ધિક વર્ગ નો સહકાર ભારત ની આઝાદી માટે મેળવ્યો હશે.
    અને હિંસા ના રસ્તે ભારત અંગ્રેજો ને ના હરાવી શકે તેમ સ્પષ્ટ હતું. ૧૮૫૭ ના બળવા ની નીસ્ફરતા જાણીતી હશેજ તેમ માનું છું.
    ૧૮૫૭ ના હિંસક બળવા થી જો ભારત આઝાદ થયું હોત તો? અનુમાન કરું છું કે ભારત ૪-૫ કે ૬ નાના દેશો માં વહેચાયું હોત.
    ગાંધીજી ના સત્ય અને અહિંસા ના આદર્શો ને લીધેજ ભારત અનેક ભાષાઓ, ધર્મો, સંસ્કૃતિઓ અને રીત રીવાજો વચ્હે આજે એક
    દુનિયા ની સૌથી મોટી લોકશાહી છે.

    Like

    1. વર્ણ વ્યવસ્થા ની “એસીતેસી” કરી નાખી અને હરીજનો ને મુખ્ય ધારા માં ભેળવવા ની કોશીશ કાબીલ-એ-દાદ હતી પણ આજે “રીઝર્વેશન” ના નામે દેશ ની જે ઘોર ખોદાઇ રહી છે એનાં પર પ્રકાશ પાડવા વિનંતી.

      ૧૮૫૭ નો બળવો એક એવો વિષય છે કે જેમાં ભારતીય પ્રજા ની ખુમારી ની સાથે સાથે ઘણા ષડયંત્રો , હુંસાતુસી , કાવાદાવા વિગેરે પણ સામેલ હતા. અને મુખ્ય વાત કે તેમાં ગાંધીજી સામેલ ના હતા…. નહિતર એ બળવો જેટલો થયો એટલો પણ ના થાત એ પણ ચોક્કસ વાત છે.
      ૪-૫-૬ કે ૭ નાના દેશ માં વિભાજીત હોત તો આજે ભારત વર્ષ દુનિયા પર રાજ કરતું હોત એ પણ હકિકત છે. નાના પ્રદેશ નું “એડમિનિસ્ટ્રેસન” પ્રમાણ માં સહેલું અને વધુ કારગર છે. જો કે આપણી પાસે રાજ્યો જેવી વ્યવસ્થા છે પણ એ કેટલા અંશે અમુક રાજ્યો માટે નુકશાનકર્તા છે એ નીચે લખીશ.
      એક આડવાત વચ્ચે કહીશ. દક્ષિણ કોરીઆ ભારત થી એક વર્ષ પછી આઝાદ થયું , આજે એ “વિકસીત” રાષ્ટ્ર છે. કોરીઆ ની સેમસંગ કે એલજી કે દેવુ કે હ્યુન્ડાઇ જેવી કંપની ઓ ભારત માં તથા આખા વિશ્વ માં ધુમ મચાવે છે. ૮૦% ઉપર ની ઇન્ટરનેટ “લિટરસી” ધરાવે છે. આપણે ૩જી નવું છે કોરીઆ / અમેરીકા/ ઓસ્ટ્રેલીયા જેવા દેશો માં ૪જી જુનુ થઈ ચુક્યુ છે. આઇટી સુપરપાવર હોવા ની બાંગો પોકારતું આ રાષ્ટ્ર ૭૦-૮૦% કામ ફ઼ક્ત વિકસીત દેશો માટે કરે છે. મારા ધંધા પુરતીજ જો વાત કરું તો “NSE(National Stock Exchange of India)” ટેકનોલોજી ની બાબત માં અમેરીકા કે અન્ય વિકસીત દેશો ની સરખામણી એ હજુએ “પાષાણ યુગ ” માં છે એવુ કહિ શકાય. કારણ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારી દંભી “અહિંસા”, પ્રજા માં જનૂન નામ નું તત્વ નથી. લગભગ આપણી સાથે જ આઝાદ થયેલુ “ઇઝરાએલ” આજે ભારત ને હથીયારો થી માંડી “ઇરીગેશન” ની ટેકનોલોજી વેંચે છે. તો શું ભારતીયો માં મગજ નથી? અમેરીકા માં “ટેકનોલોજી” નાં ટોપ પર ભારતીયો બેઠાં છે , એ કામ ભારત માં કેમ નથી કરતાં?? દેશ દાઝ હોવી ઘટે.
      હવે થોડી ચર્ચા ગુજરાત ના સાપેક્શ મા કરીએ. કે આ રાજ્યો ની વ્યવસ્થા “ગુજરાત” ને કેટલી હદે નુકશાન કર્તા છે.
      ભારત ભર માં “ઇન્કમટેક્ષ” ની આવક નો કુલ ૩૦-૩૭% હિસ્સો ગુજરાત ભરે છે ( આમાં અન્ય રાજ્યો માં રજીસ્ટર્ડ થયેલી કંપની ઓ તથા અન્ય રાજ્યો માં વસવાટ કરતાં ગુજરાતીઓ બાદ છે. એ આંકડો ઉમેરીએ તો આ ટકાવારી વધી પણ શકે છે.) જ્યારે આ ટેક્ષ માં ભરેલાં પૈસા પાછા ગુજરાત ના વિકાસ માટે વાપરવા માટે કેન્દ્ર સરકાર આગળ ભીખ માંગવી પડે છે. રાષ્ટ્ર ની કુલ આવક ની સરખે ભાગે થતી વહેંચણી અનુસાર ગુજરાત જેવા રાજ્ય નાં પૈસા એ આપણે બિહાર / ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો ને પાળી આપવા નાં આવે છે. પ્રાક્રુતિક વિપુલ સંપદા ધરાવતા આ રાજ્યો ખરાબ એડમિનિસ્ટ્રેસન ને કારણે / ભ્રષ્ટાચાર ને કારણે હજુ દેશ ની વિકાસ યાત્રા માં જોડાઇ શક્યા નથી.
      મારા એક “સ્ટેટેસ્ટીક્સ” ના જાણકાર મિત્ર ( ચેન્નઈ) થી કહે છે કે “ગુજરાત” જો દેશ હોય તો સરેરાશ અમેરીકન કરતાં વધુ સંપન્ન હોય શકે. એટલાં પૈસા ગુજરાતી પ્રજા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી દેશ નાં અર્થતંત્ર માં આપે છે.

      દેશપ્રેમ ની વાતો કરનારા ને કદાચ પસંદ ના પણ આવે ,, છતાંયે એક વાત ચોક્કસ છે કે ૨૦૫૦ સુધી માં ભારત અનેક ટુકડા ઓ માં વહેંચાયેલું હશે. ગુજરાત એક સ્વતંત્ર અને વિકસીત દેશ હશે એમાં લેશમાત્ર શંકા નથી. ઉત્તરપૂર્વ ના રાજ્યો ને ચીન ગળી ચુક્યું હશે. કાશ્મીર ચીન નાં અધિપત્ય નીચે હશે. નેપાળ , બર્મા અને ભુટાન જેવા દેશો “તિબત” ની જેમ ચીન માં ઓગળી ચુક્યા હશે. હા ખુશ થવા જેવી અને હરખાવા જેવી બાબત એ છે કે પાકિસ્તાન પણ ઘણા ટુકડા ઓ માં વહેંચાઇ ગયુ હશે. ( આમેય આપણ ને આપણી પ્રગતી કરતાં પાકિસ્તાન ની અધોગતી માં વધુ રસ રહ્યો છે. )

      આપણે દુનીયા ની સૌથી મોટી “લોકશાહી(??)” હોવા નુ ગર્વ લઈ શકીએ છીએ પણ સૌથી “ભ્રષ્ટ લોકશાહી” માં પણ ટોપ ૧૦ માં આવીએ જ છીએ. જ્યાં ત્યાં ક્ચરા નાં ઢગલાં , ગંદવાડ અને ભયાનક અશિસ્તતા પણ આપણા જેવું બીજા કોઇ દેશ નું ગજું છે ??

      Like

      1. દર્શીતભાઈ
        મને ઈતિહાસની આપ સૌ જેટલી જાણકારી ના હોવા છતાં આજે જે રીતે દેશને અધોગતિ તરફ લઈ જવાઈ રહ્યો છે અને આજના આ ટૂંકી દ્રષ્ટિના રાજકીય નેતાઓ જે રીતે લોકોના માનસમાં એક બીજા તરફ વેર કે અણગમાની લાગણી પેદા કરી રહ્યા છે તે ઊંડે ઊડે મારાં મનમાં આપના જેવીજ એક દહેશત ઉભી થયા કરે છે જે મને આપના અભિપ્રાયમાં તથ્ય હોય તેવું લાગે છે.
        “દેશપ્રેમ ની વાતો કરનારા ને કદાચ પસંદ ના પણ આવે ,, છતાંયે એક વાત ચોક્કસ છે કે ૨૦૫૦ સુધી માં ભારત અનેક ટુકડા ઓ માં વહેંચાયેલું હશે. ગુજરાત એક સ્વતંત્ર અને વિકસીત દેશ હશે એમાં લેશમાત્ર શંકા નથી. ઉત્તરપૂર્વ ના રાજ્યો ને ચીન ગળી ચુક્યું હશે. કાશ્મીર ચીન નાં અધિપત્ય નીચે હશે. નેપાળ , બર્મા અને ભુટાન જેવા દેશો “તિબત” ની જેમ ચીન માં ઓગળી ચુક્યા હશે. હા ખુશ થવા જેવી અને હરખાવા જેવી બાબત એ છે કે પાકિસ્તાન પણ ઘણા ટુકડા ઓ માં વહેંચાઇ ગયુ હશે. ( આમેય આપણ ને આપણી પ્રગતી કરતાં પાકિસ્તાન ની અધોગતી માં વધુ રસ રહ્યો છે. )

        આપણે દુનીયા ની સૌથી મોટી “લોકશાહી(??)” હોવા નુ ગર્વ લઈ શકીએ છીએ પણ સૌથી “ભ્રષ્ટ લોકશાહી” માં પણ ટોપ ૧૦ માં આવીએ જ છીએ. જ્યાં ત્યાં ક્ચરા નાં ઢગલાં , ગંદવાડ અને ભયાનક અશિસ્તતા પણ આપણા જેવું બીજા કોઇ દેશ નું ગજું છે ??”
        આવનારા 25-50 વર્ષોમાં આ દેશ અનેક ભાગોમાં વહેંચાઈ ગયો હશે તેમ હું પણ માનતો થઈ ગયો છું કારણ મોટાભાગના લોકોમાં દેશાભિમાન જેવી કોઈ ભાવના આજ સુધીમાં કોઈ રાજ્યકર્તાઓએ પેદા કરવા પ્રયાસો કર્યા નથી. આઝાદીના પ્રથમ દસ્કામાં જે નેતાગીરી આવી તેમણે દેશ માટે પોતાનું તમામ ન્યોછાવર કર્યું અને ત્યાર પછીની મોટાભાગની નેતાગીરી એ પોતાના ઘર ભરવામાં અર્થાત દેશને લૂંટવામાં તમામ મર્યાદાઓ વટાવી ચૂકયા છે અને તે વિષે નથી કોઈને શરમ કે ક્ષોભ ! જાણે આવી લૂંટ ચલાવવાનો કાયદેસર હક્ક મળી ના ગયો હોય ! અને મોટા ભાગની પ્રજાતો નસીબમાં માનનારી છે તે ક્યારે ય આ વિષે લડવા તૈયાર થાય તેમ માનવા મન થતું નથી. અસ્તુ !

        Like

        1. નબર વન ઉપર કેમકે સ્વીસ બેન્કોમાં નંબર વન ઉપર છીએ ૧૫૦૦ બિલિયન અમેરિકન ડોલર્સ.બાબારામદેવ ઉપવાસ ઝડપથી શરુ કરો.

          Like

      2. રિજર્વેશન તો બાબા સાહેબ આંબેડકરેફક્ત દસ વર્ષ માટે જ કહેલું,પછી પછાત લોકો એમની જાતે આગળ આવશે.પણ એકવાર ચાન્સ આપો અનામત રાખી,પણ કોંગ્રેસીઓએ એમના સ્વાર્થ માટે હજુ પણ ચાલુ રાખ્યું છે અને બીજા પક્ષોએ પણ એમાં હા મિલાવી છે,વોટ નું રાજકારણ છે.ગુજરાતના ભોગે બીજા રાજ્યો લહેર કરે છે તે વાત સાચી.

        Like

        1. dear sir,,, Dr..b r ambedkar ae aem pan kahyu tu ke 1o varas ma caste system puri thai jase ane loko na man mathi ae dur thai jase .. su ae thai che ?

          jo tame ek dalit tarike peda thaya hot to tamne khabar padat ke upar caste na loko ae su julam karyo che …ok…biju to atyar suthi sudra ne study no hak j na hato ae tamne khabar che ok… fakt 50 years thi j ae loko study kare che to tamne atlo problem kem….5000 varso thi to tme aemna par raj karta ta tyare to tame avu na kahyu ke aemane have study karva do….ane rahi vat gandhi ni to te fakt upar caste ni freedom mate j ladya che……aenu ek saras kara tamne apu… congress 1885 ma avyu ok… ane tene freedom no kharado 1920 ma pasar karyo ? kem ?

          Like

          1. મયંકભાઈ,
            તમારી વાત સાચી છે કે દલિતોને માત્ર પચાસ વર્ષથી જ ભણવાનો મોકો મળ્યો છે. પચાસ વર્ષે પહોંચતાં એક વ્યક્તિની અર્ધી જિંદગી નીકળી ગઈ હોય છે પરંતુ સમાજના કે રાષ્ટ્રના જીવનમાં આ બહુ નાનો ગાળો છે. અને પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનનો સિદ્ધાંત તો અમેરિકામાં પણ માન્ય છે.આથી હું રિઝર્વેશનનો વિરોધ નથી કરતો.પરંપરાઓ એકાદ-બે પેઢીમાં સ્થાપિત થઈ જતી નથી.બ્રાહ્મણોમાં શિક્ષણની પરંપરા સદીઓથી છે. દલિતોમાં માનસિક વાયરિંગ બદલતાં હજી પણ સમય જશે.

            ઉલ્ટું રિઝર્વેશનને કારણે ઉપર આવેલી એક વ્યક્તિ તો ઉપર આવે છે પરંતુ એનો આખો પરિવાર ઉપર નથી આવી જતો એ પણ હકીકત છે. મારા એક દલિત ત્રને પ્રમોશન મળ્યું અને દિલ્હી આવી ગયા.તે પછી એમની સ્થિ્તિ વધારે બગડી. કારણ કે એમન પિવારજનો તો એ સ્થિતિએ પહોં ચ્યાં નહોતાં એમની પાસેથી એમની અપેક્ષાઓ વધી ગૈ. માર મિત્ર એમને સંતોષવાના પ્રયાસોમાં કરજમાં ડૂબતા ગયા. ઉધાર આપનારો એમની પાસેથી દારૂની બાટલી લે તે પછી જ કરજ આપે! આમ એ દારૂની લતે ચડીગયા. અંતે લિવર ખરાબ થઈ ગયું. એ કહેતા કે શું ફેર પડે છે, આપણે હોઇએ, ન હોઈએ તેનો? અંતે માત્ર ૪૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા. આખું કુટૂંબ જીવવાલાયક જીવન ન મેળવે ત્યાં સુધી એકની સ્થિતિ સુધારવામાં નુકસાન થતું હોય છે.

            આમ છતાં દલિતોમાં પણ ઊંચનીચ છે જ. રૂઢિઓનું જોર પણ વધારે છે. અમારા એક સવર્ણ મિત્રે દલિત છોકરી સાથે લગ્ન કર્યાં ત્યારે છોકરીનાં માતાપિતા અને ભાઈઓને વાંધો એવાતનો હતો કે નાતબહાર લગ્ન કરે છે! એમણે લગ્નમાં ભાગ ન લીધો પણ અમારા મિત્રનાં સગાં સંબંધીઓ તો સામેલ થયાં આજે તો એ દંપતી દાદા- દાદી બની ગયાં છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે દલિતોએ પોતાની અંદર પણ જોવાની જરુર છે.આબન્ને કેસમાં હું તમને વ્યક્તિગત રીતે નામઠામ આપવા તૈયાર છું, જેથી તમે જાતે ખાતરી કરી શકો. અહીં જાહેરમાં એમનાં નામ આપવાનો મને અધિકાર નથી.

            એક બીજી વાત. દલિતો સુશ્રી માયાવતીને પોતાની લીડર માનતા હોય તો સમજી લેશો કે તમારૂં ધ્યેય બસો વર્ષ સુધી પૂરૂં નહીં થાય. પોતાનાં જ પૂતળાં કોઈ મૂકે એ તો વિચિત્ર વાત છે.

            બાબાસાહેબ આંબેડકરે ધર્મ પરિવર્તન કર્યું ત્યારે એમણે વિદેશી ધર્મ્ પસંદ ન કર્યા પણ બૈદ્ધ ધર્મ પસંદ કર્યો. એમણે જ કારણ આપ્યું છે કે એ ભારતીય સંસ્કૃતિની બહુ નજીક છે! એવું શું દેખાયું ભારતીય સંસ્કૃતિમાં સમ્સ્કૃતિમાં?
            ગાંધીજી વિશે તમે લખ્યું છે એ બાબતમાં મા્ટે એટલું જ કહેવાનું છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મહાત્મા નહોતા, એટલે સામાન્ય માણસ કરે એવી ભૂલો એમણે પણ કરી.
            .

            Like

            1. pehla to dipakbhabhi tame aem ko cho ke reservation na lithe manas niche ave che ne etc….hu fakt tamne aetlu j kehva magu chu ke su fakt dalit loko j drink kare che ane potani jindagi puri kare che….

              tame tarari caste ma j thodu jovo…biju to ek navu saras movie ave che ”reservation” jarur jojo…

              second Dr.b r amedkare budhism aetla mate choose karyu ke ae religion ma koi j caste nathi atle…ane te religion no aim che ”samanata”..

              haji kai janvu hoy to kejo…ane ha specially caste system and gadhi par …..

              Like

              1. પ્રિય મયંકભાઈ,
                મેમ આ કૉમેન્ટ હવે વાંચી. તે પહેલાં ‘આ પ્રશ્ન મારા મા્ટે પણ છે” એનો જવાબ આપી દીધો છે. અફસોસ એ છે કે તમે મારી હીં ની કૉમેન્ટ પૂરી વાંચી જ નથી અને લખી નાખ્યું છે. આમ છતાં મેં મારા મિત્રના લગ્નનો પ્રસંગ કહ્યો છે તેનો તમે જવાબ નથી આપ્યો! એટલે ‘સિલેક્ટિવલી’ વાંચો છો અને જે અર્થ ન નીક્ળે એવા અર્થ કરો છો. ચર્ચામાં રસ હોય તો મુદ્દા પકડી રાખવા વિનંતિ કરૂં છું. તમે એ જવાબ નથી આપ્યો કે દલિતોમાં ઊંચનીચ છે કે નહીં?
                આમ છતાં, મારા મિત્રના મૃત્યુની વાત કરી એમાંથી એવો અર્થ ક્યાં નીકળે છે કે માત્ર દલિતો દારુ પીએ છે? એનો અર્થ એ છે કે સરકારે આખા દલિત સમાજને શિક્ષણ અને સારા જીવનની સગવડ આપવી જોઇએ, સરકારી નીતિઓ એવી સર્વાંગી હોવી જોઇએ કે સમાજના તરછોડાયેલા વર્ગને ખરી રાહત મળે.મારા એ મિત્રને કાંધ મેં આપી છે, તમે નહી. એટલું યાદ રહ્યું હોત તો તમે જરા સમજીને લખ્યું હોત.અમારી મિત્રતા બાબતમાં સવાલ પૂછીને તમે માત્ર મને આઘાત જ પહોંચાડી શક્યા છો.
                બીજી વાત. ડ્રિંક હું પણ કરૂં છું પણ એમની સામાજિક સ્થિતિ એવી હતી કે અમને બન્નેને એક સાથે જ પ્રમોશન મળ્યું પણ મારા માટે એ થોડા વધારે રૂપિયા હતા, એમના માટે એ માત્ર થોડા રૂપિયા થોડી વધારે સમસ્યાઓ પણ લાવ્યા. સદીઓનું શોષણ એમને ભરખી ગયું અને ઉત્કર્ષના અધકચરા પ્રયાસો એમને બચાવી ન શક્યા. આમાંથી તમને દલિત વર્ગની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ નથી દેખાતો? પણ અમારી મિત્રતા તમારી દલીલો જેમ ગૂંચવાયેલી નહોતી. વધારામાં એ પણ કહી દઉં કે અમે બન્ને ક્લાસ-વન પદે હતા. એમની વિધવા પત્ની સાથે સાસરિયાંનું શું વર્તન રહ્યું તે જુદી જ વાત છે.
                તમારા ધ્યાનમાં એ પણ નથી આવ્યું કે હું પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનની તરફેણ કરૂં છું અને પચાસ વર્ષ પછી પણ ચાલુ રહેવું જોઇએ એમ કહું છું.સમાજનો કોઇ પણ વર્ગ પાછળ રહે ત્યાં સુધી આખા દેશે પ્રગતિ કરી એમ ન કહેવાય. બીજી બાજુ, ભાઈ દર્શિત રિઝર્વેશન કૅટેગરીમાં હોવા છતાં ખુમારીથી એનો વિરોધ કરે છે! દર્શિત કઈંક તો વિચારતા હશે ને? આ મુદ્દા પર એમની સાથે મારી દલીલો પન થઈ છે. એ વખતે તો મને એમની જતિની ખબર નહોતી. (એમની અને મારઈ ચર્ચાઓ અહીં જ છે, વામ્ચવાનો સમય કાઢવા વિનંતિ છે.
                રિઝર્વેશન એટલે શું તે સમજવા માટે ફિલ્મ જોઉં એમ તમે કહેવા માગો છો?
                જાતિ પ્રથા વિશે માત્ર બાબાસાહેબ આંબેડકરે નથી લખ્યું; ઘણાએ લખ્યું છે. તમે માત્ર ડૉ.આંબેડકરને જ વાંચો છો, મેં એમને તો વાંચ્યા જ છે અને બીજું પણ ઘણું વાંચ્યું છે. આમ છતાં આ બાબતમાં તમારી મદદની જરૂર પડશે તો ચકાઇશ નહીં. હમણાં તો જરૂર નથી જણાતી.
                ડૉ. આબેડકરે બૌદ્ધ ધર્મ શા માટે સ્વીકાર્યો તેનો તમારો ખુલાસો અદ્‍ભુત છે. શું ઇસ્લામમાં નાતજાત છે? ખ્રિસ્તી ધર્મમાં નાતજાત છે? જૈનોમાં નાતજાત છે? શીખોમાં નાતજાત છે? યહૂદીઓમાં નાતજાત છે? ડૉ. આંબેડકરે આ ધર્મ એટલા માટે સ્વીકર્યો કે એ ભારતીય પરંપરાની સૌથી વધારે નજીક લાગ્યો અને એમાં કર્મકાંડ નથી. એ સાદો સર્ળ ધર્મ છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો ભારતીય ભૂંમિના નથી, એમ એમને લાગ્યું.જીવનશૈલીમાં ધરખમ ફેરફાર કરવા પડે એમ હતા. બૌદ્ધ ધર્મમાં નાતજાત નથી તો પણ આજે બૌદ્ધ થયેલા દલિતોની સ્થિત શી છે, એ વિચાર્યું કદી?
                ખરી જરૂર તો બધા જ ધર્મ છોડીને નાસ્તિકતા જાહેર કરવાની હતી.
                હવે ચર્ચા ચાલુ રાખવાની ઇચ્છા હોય તો મારી આ તેમ જ આના પછીની, બન્ને કૉમેન્ટ્સ ધ્યાન પૂર્વક વામ્ચીને માર પ્રશ્નોના જવાબ આપશો.

                Like

                1. pehla to jo marathi tamari lagni hurt thai hoy to i m heartly sorry….maro vicahr tamaro dil dukhavano n hato…

                  pehla to tame vat kari ke su dalito ma pan unch-nich che ?

                  to teno jawab ha che,,kem ke mane khotu bolvu pasand nathi,,,,biju to mane tamari comment khub j gami…have tamne ek interesting vat janavu chu….aa caste system kone banvi ?

                  mari pase aeno jawab che ke te brahmano ae…brahmano ae aevi saras rite caste system banavi ke batha andaro andar ladya j kare ke hu uncho….tenu ek example api dav tamne ke brahmano caste system ma sauthi unche che…temane khabar hati ke agad jata loko ne aa vat ni khabar padse atle temne darek caste ni niche ek caste rakhi jethi lokone aevu lage ke koi to mara karta nichu che…

                  atle kadi koi aem na vichare ke pote nicho vhe brahmno karta..example tarike dalito ma pehla vankar,chamar,nadia,bhangi,turi ave che…..atle vankar to aem j vichare ke chamar to mara kata niche che ne ……sachi vat….aa mansik samaj sadio thi bathana magaj ma gar kari gai che….

                  biji vat ke khaliu dalito ma unch nich che aem nathi open category ni vat karo to rajput ae vania karata,vania ae luharo karta,luhar ae sutthar karta,nicha che aem caste system ke che……

                  aana lithe j bathi problem thai che ke darek jati ni niche ek jati che j…..

                  biji vat ke haji pan reservation ma avnari ketliy caste haji educated nathi atle haji jya suthi temnu level pan open caste na level jetlu na thay tya suthi to jarur che j tame mano ke na mano…..

                  biji ek vat karu ke america ma sweeper ni job mate badha j hoy pan apna bharat ma fakt bhagi samaj na lokone j kem ?

                  kem koi brahman ke vanio ae sweeper ni job nathi kartu ?

                  reservation kadi nakhvathi to aa loko ni condition vahtare kharan thai sake aem nathi lagtu ?

                  jo reservation kadi daie to bhagi samaj to kadi study vishe vicahrse j nay ane bija 5000 varas sweeper tarike j kam karse ……

                  tame kahyu tu ke caste system par bija loko ae ganu lakhyu che to mari vat pat jara dhyan apo ke jyare koi ae kai nath lakhyu tyare Dr.B.R.Ambedakare caste system par 5000 book lakhi nakhi hati temathi ketliy haji prakashit nathi thava dithi brahmano a….

                  biju to je manas upar viti hoy ae j aene vathre sari rite lakhi sake nahi ke bija…

                  biju to islam ma pan thoda anse nat-jat che, pathan,vora,siya ane sunny….

                  christan ma pan be part che,,,sukh ma pan jat,pure sikh,punjabi pandit ane etc….

                  asha rakhu chu ke me tamari comment no saro ans apyo hase..ane agian tamri lagni dubhava badal sorry….

                  ane ek vat kahu mara father ne navu house levenu hatu to ane naranpura area ma gaya to tamne amari castepuchi ne amne house na apyu ?

                  boli bhai have tyare amara par si viti hase ?

                  Like

                  1. ભાઈ મયંકભાઈ,
                    આની નીચે મારી મે 15, 2011 at 7:42 amની કૉમેન્ટ છે એ વાંચી જશો. મેં એ વાત પર ભાર મૂક્યો છે કે ભારતમાં ‘રિઝર્વેશન પોલિસી’ હજારો વર્ષથી અમલમાં છે. બે હજાર વર્ષ પહેલાં જે કામો અમુક જાતિઓ માટે રિઝર્વ હતાં એકામો તો એના માટૅ આજે પણ રિઝર્વ રખાયેલાં છે.

                    જાતિ પ્રથા બ્રાહ્મણોએ બનાવી એ સાચું છે. ભારતમાં આ જાતિ પ્રથા માત્ર દલિતો જ નહીં, મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં પણ ઘુસી ગઈ છે. બૌદ્ધ વિદ્વાન ડી. ડી. કૌસાંબીનું કહેવું છે કે ભારતમાં ધર્મ બદલી શકો પણ જાતિ ન બદલી શકો.
                    તમારા પિતાજીને જે અનુભવ થયો તે ખરેલ્હર દુઃખદ છે.આના ઉપરથી એક વાત યાદ આવે છેઃ

                    મારા દાદા ગાંધીવાદી હતા અમે અમારા શહેરમાં જ્યાં રહિએ ચિએ તે અમારી જ્ઞાતિના નામે જ ઓળખાય છે. આપને ત્યામ શએરો અને ગામોમાં પણ રહેનાકો જ્ઞાતિ આધારિત હતી. આજ્થૉ ૪૫-૫૦ વર્ષ પહેલામ મારા વિચારો પરિપક્વ નહોતા. અમારા દાદા સાથે મારી દલીલ થતી કે હવે અસ્પૃશ્યતા નથી અને હરિજનોને (એ વખતે આ નામ હતું) માથે ન ચડાઅવવા જોઇએ. દાદા ગાંધીવાદી હતા એટલે હરિજનવાસમાં પણ જતાં અચકાતા નહીં. હું તો૧૪-૧૫ વર્ષનો હોઈશ. દાદાએ મારી દલીલોનો જવાબ આપ્યો હતો કે ‘તો જાઓ અને કોઈ હરિજનને આપણા એરિયામાં મકાન ભાડે અપાવી દો”.આનો વળતો જવાબ મને આજ સુધી નથી મળ્યો! ્તમારા ઉપર શું વીતી હશે તે ફીલ કરી શકાય છે.

                    ભાઈ દર્શિતનો દૃષ્ટિકોણ સંઘર્ષનો છે. આપણી આર્થિક વ્યવસ્થામાં લડીને પોતાનું સ્થાન મજબૂત બનાવો. દયા ન માગો. આ વાત સાચી છે. કર્ણે કહ્યું હતું કે ” કુળ તો મને ભાગ્યે આપ્યું છે, પણ મારૂં પૌરુષ મરી જ મહેનતથી પ્રાપ્ત થયું છે” દર્શિતભાઈનો ઍટીત્યૂડ આ છે, એમ મને લાગે છે. પરંતુ હું માનું છું કે બધા લડી ન શકે એટલે ટેકાની જરૂર છે. પરંતુ ટેકો જે રીતે અપાય છે તે બરાબર છે કે કેમ એ તમારે વિચારવાનું છે.

                    Like

                    1. bhai me to ladi ne maru states banvi dithu che,,,

                      kem aje pan bhandi samaj j rasta saf karvabu kan kare ?

                      kem aa to caste system na karne j che ne ,…

                      kem koi brahmin ,rajput nathi jato ratsa saf karva mate ?

                      bhai 5000 varaso pehla to koi brahman ne daya nati ?

                      ame koi daya nathi nmagi rahya we r just fighting aginst catse system through reservation …ane ek samay aevo pan avse jyare reservation ni jarur nay hoy….

                      su bhai jo tamari jati 5000 varas thi bhani j na hot ot tame su karat ?

                      adivasio ,,jemne hanesa thi samaj ni bahar rakhaya che te loko atare bhani rahya che..kem ?

                      because of reservation ….so bhanva do ane tame pan bhno…reservation thi study karnarani sankhya ma vahtaro j thayo che nay ke gatado…

                      jo tamare reservation na joitu hot to hatavi do pehla aa caste system ,,,reservation apoap j hati jase….

                      band kari do tamari jat ne brahmin,rajput,vana,patel thi odkhavanu,,,

                      kadi do man mathi ..

                      Like

                  2. મયંકભાઈ નારણપુરા મકાન ની કિંમત સુ હતી હું જાણી શકું? પછી સરસ વાત કરું. અમે ઓ.બી.સી અનામત નું આંદોલન કરી રહ્યા છીએ. જે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. મારો મત તો એવો છે કે કોઈની પણ નાગરિકની જાત પાત નાત હોવી જ ના જોઈએ પોતાનું નામ પિતાનું નામ છેલે દાદાનું નામ થી દરેક નાગરિક ઓળખાવો જોઈએ.

                    Like

                    1. અલ્પેશ ભાઈ ,
                      ૧૨ લાખ હતી ,,હમણા ૨૦૦૯ માં મણીનગર ,ખોખરા ખાતે રાધે બંગલો માં કોઈ પણ દલિત ને મકાન ના હતું આપ્યું ,,પાચળ થી કેસ થયો તો પણ જે દલિત ને મળ્યું એ c બ્લોક માં મળ્યું ,,,,

                      મને લાગ્યું તમને મારી વાત પર વિશ્વાસ નથી એટલે હમણા ૨૦૦૯ ની જ વાત કરી એ પણ નામ સાથે ,ખોખરા સર્કલ પાસે જ છે ,,,તપાસ કરી શકો છો ,,ભાઈ ,,,
                      બીજી વાત કે ભારત માં ઓં ,બી, સી ની વસ્તી ૫૨ % છે અને તેને ૨૭ %મળ્યું છે અને એમાંથી પણ ૪.૫% તો મુસ્લિમ ને આપ્યું છે ,,,,કદાચ તમને કહાબર જ હશે કે ગુજરાત સિવાય ભારત માં પટેલ એ ઓં,બી,સી માં આવે છે ,,,તમારું અંદોલન સારું છે પણ તમારે ઓં,બી,સી ની જાતિ આધારિત જન ગણના થાય એ માટે પણ પ્રયાસ કરવો જોઈએ ,,,

                      Like

          1. ભાઈ ધર્મેન્દ્રસિંહ,મજામાં હશો.ફોન કરો તો ગંભીરસિંહ કાકા ને મારી યાદ આપશો. અને એમનો ફોન નંબર આપશો.

            Like

      3. દર્શિતભાઈ, તમે લખો છો કે ” વર્ણ વ્યવસ્થા ની “એસીતેસી” કરી નાખી અને હરીજનો ને મુખ્ય ધારા માં ભેળવવા ની કોશીશ કાબીલ-એ-દાદ હતી પણ આજે “રીઝર્વેશન” ના નામે દેશ ની જે ઘોર ખોદાઇ રહી છે એનાં પર પ્રકાશ પાડવા વિનંતી.”
        આ મને સંબોધીને નથી લખાયેલું પણ એક વાત તરફ ધ્યાન દોરવા માગું છું. આ દેશમાં ‘રિઝર્વેશન’ હજારો વર્ષથી ચાલે છે. આ નવી વાત નથી. હવે જે ચાલે છે તે ઉચ્ચ વર્ણના લોકો માટે રિઝર્વ કરાયેલાં કામોમાં સૌ કોઈ આવી શકે એવી લોકશાહી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આપણે કોઈ પણ કામ વર્ણ વ્યવસ્થાના બંધન વિના કરી શકીએ છીએ. મનુસ્મૃતિ મુજબ ચાલો તો તમે શેરબજારમાં કામ ન કરી શકો. કારણ કે આ કામ વૈશ્યો માટે ‘રિઝર્વ’ છે.આજે આપણે સ્વતંત્ર છીએ.અહીં “આપણે”માં હું અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોને પણ સામેલ કરૂં છું. ૧૯૪૭ સુધી દેશમાં વર્ણવ્યવસ્થા હતી જ.

        તમે દેશ નાના ખંડોમાં વિભાજિત થઈ જાય એને સારૂં માનો છો એટલે અહીં દેશપ્રેમનો અર્થ પણ અમુક ખંડ પૂરતો મર્યાદિત થઈ જાય છે.આખા ભારતની તો વાત જ ન રહી. આપણા દેશમાં ઉપરાષ્ટ્રવાદી વલણો વધતાં જાય છે એ જ આના પરથી દેખાય છે. આપણે ગુજરાતીઓ મહાન છીએ – તો મહારાષ્ટ્રીયનો, બંગાળીઓ, તમિલો એ બધા પોતાને શું મહાન નહીં માનતા હોય? આપણે આખા દેશને એક માનવા તૈયાર નથી તો કાશ્મીરનું શું નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમનું શું? ભલે છૂટાં પડી જાય? ગુજરાતમાંથી તો કઈં નથી જતું ને? પછી સૌરાષ્ટ્ર અને કચ્છ કોઈ કારણસર અલગ થવા માગે તો ગુજરાત ક્યાં રહેશે? (વનરાજ ચાવડાના વખતમાં જે ગુજરાત હતું તે આ ગુજરાત હતું?. ભૂપેન્દ્રસિંહભાઈ બરાબર કહી શકશે).

        મુ.અરવિંદભાઈએ ગાંધીજીની મૂવમેન્ટ કેમ જનતા સુધી પહોંચી એ બહુ સારી રીતે સમજાવ્યું છે. બાકી જે કઈં ખરાબ દેખાય તેને ગાંધીજી સાથે જોડી દેવાના પ્રયાસ પણ નવા નથી.

        Like

        1. દિપકભાઇ :
          આરક્ષણ એ એક એવી વસ્તુ છે કે જેને ખરા અર્થ માં દેશ ને ખોખલો કર્યો છે. મેં લખ્યું જ છે કે વર્ણ વ્યવસ્થા ની “એસીતેસી” કરી અને આરક્ષણ આવ્યું , આપણે સ્વિકાર્યું પણ ખરું. આઝાદી સમયે જરૂર હતી પણ આજે આપને લાગે છે કે જ્ઞાતી આધારીત આરક્ષણ હોવું જોઇએ? જો આરક્ષણ જરૂરી જ હોય તો આર્થિક સ્તર આધારીત હોવુ જોઇએ કે જેથી કરી ને નિચલા સ્તર ના લોકો ને લાભ મળે અને એ પણ અમુક હદ સુધી જ.
          મુળ વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી એવું મેં આજ બ્લોગ પર વાંચ્યુ છે. નહિં કે જન્મ આધારીત તો હું શેરબજાર માં ચોક્કસ કામ કરી શકું. અને આ કામ કરવા વાળો હું મારા કુટુંબ મા ત્રીજી પેઢી એ છું મારી અગાઉ ની બે પેઢી થી આ કરીએ છીએ.

          ઉપરાષ્ટ્ર વાદ કોઇ કપોળ કલ્પના નથી. આ જે મેં કહ્યું છે તે અગાઉ ઘણા અમેરીકન અભ્યાસુઓ કહી ચુક્યા છે. એમની ચિંતા ગુજરાત અલગ રાષ્ટ્ર બને એની તો નથી જ , એમના રીપોર્ટ્સ “ચીન” આધારીત છે. ૨૦૫૦ સુધી મા આ અખંડ ભારત નહિં જ રહે. જ્યાં અસમાનતા આવશે ત્યાં ટકરાવ રહેવાનો જ. ગુજરાતી ઓ ને અસમાનતા દેખાશે તો એ અલગ પડશે , એવું જ બંગાળીઓ કે બિહારીઓ પણ કરી શકે છે.

          માન્યુ કે રાષ્ટ્ર ના કદ સાથે વિકાસ ને સીધો સંબંધ નથી પરંતુ આડો તો ખરો જ. શ્રેષ્ઠ ઉદાહરણ ભારત જ છે. ભારત અને કોરીઆ બે રાષ્ટ્રો મેં કહ્યા જ છે. જેમ દેશ નું કદ મોટું રહેશે તેમ તમે લશ્કરી તાકાત મોટી કરી શકો , રીસોર્સિસ વધુ મળી રહે પણ સાથે સાથે મોટું એડમિનિસ્ટ્રેશન પણ જોઇએ અને એ પણ ઇમાનદાર. આપણા દેશ માં ઇમાનદારી ની ટકાવારી જોઇ જાણી લિધા જેવી ખરી. અને વિચારવું પણ રહ્યું કે આપણે કેટલા રાજાઓ , કલમાડીઓ , જયલલીતાઓ , ડાબેરીઓ , કરુણાનીધીઓ , શિલા દિક્ષિતો , સોનીયાજીઓ , દિગ્ગીઓ , યેદુયેરપ્પાઓ , થોમસો , ગિલાનીઓ વિગેરે વિગેરે ને દૂર કરી શકશું?? વિકલ્પ જ નહિં બચે ત્યારે ??? લોકો આગળ યા તો આવા રાજકારણીઓને સહન કર્યા કરવા નુ આવશે ,યા તો અલગ રાષ્ટ્રો બનશે. સહન કર્યા કરશે તો અહિં બ્લોગ પર લખનારા ઓ બદલાશે , કદાચ ઓછે વતે અંશે ભાષા બદલાશે. પણ વિષય તો આજ રહેશે. કે આનું સમાધાન શું??

          Like

          1. ઇઝરાયેલ કચ્છ જેવડું છે,ઇંગ્લેન્ડ કરતા નિઝામનું હૈદરાબાદ મોટું રાજ્ય હતું,યુરોપના કેટલાય દેશો ભારતના રાજ્યો કરતા નાનાં હશે.નાનાં દેશો હોય તેમાં શું વાંધો આવે?ઈઝરાયેલમાં જેટલી વસ્તી એટલી મીલીટરી ગણાય.અખંડ ભારતના ત્રણ ટુકડા પડી જ ગયા છે.ભારત,પાકિસ્તાન અને બંગલા દેશ.કાતો અમેરિકા જેવી સગવડ હોવી જોઈએ,કે દરેક રાજ્યના કાયદા અલગ અને ટેક્સનું માળખું અલગ.અને ફેડરલ લો અલગ.જેથી બીજા રાજ્યોને એકના ભોગે સહન કરવાનું ના આવે.જેમ ગુજરાત સહન કરે છે.જસ્ટ ક્વેશ્ચન કરું છું,હું કોઈ ભાગલાવાદી નથી.આતો ગુજરાત મહેનત કરે અને બહુમતી સંસદ સભ્યો યુ પી ના હોય કે બિહારના હોય તો એ લોકો બધી મદદ ખેંચી જાય જતા હોય છે.અને બિહાર જેવા રાજ્યો કોઈ વિકાસ કરવામાં સમજે નહિ,મફતમાં લહેર કરવા મળતી હોય તો કામ કોણ કરે?જેમકે ચન્દ્રાબાબુ અંધરામાં વાવાજોડું આવેલું તો ૭૦૦ કરોડ ખેચી ગયેલા કે એમની ગરજ હતી દિલ્હી બેઠેલાઓને હતી.જયારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે સાવ નજીવી રકમ કેન્દ્ર તરફથી મળેલી.સાચું છે ને???

            Like

            1. આભાર ભૂપેન્દ્રસિંહજી ,
              મારા મુદ્દા ને વ્યવસ્થીત રીતે તટસ્થતા થી મુલવવા બદલ.

              દિપકભાઇ , ભાગલાવાદી કે અલગાવવાદી હું પણ નથી પરંતુ આ જે દિલ માં ખુંચે છે એની વ્યથા છે. હું દેશ નાં ટેક્ષ બંધારણ ( જે ખરા અર્થ માં લુંટ છે ) પ્રમાણે ટેક્ષ ભરું અને એ ટેક્ષ ના પૈસા યા તો ભ્રષ્ટ નેતાઓ ખાઇ જાય યા તો આવા ઓશિયાળા રાજ્યો ખાઇ જાય. અને મારા જ કુટુંબ ના / શેરી ના / જીલ્લા ના કે રાજ્ય ના યુવાનો ને બેકાર રખડવું પડે ત્યારે દુ:ખ તો ચોક્કસ થાય જ. તમને કદાચ આ વિચાર આજ દિન સુધી નહિં આવ્યો હોય કારણ એવું વિચારવું એ રાષ્ટ્ર વિરોધી પ્રવ્રુતી ગણાય. પણ જો પ્રગતી કરવી હોય તો આ બધું વિચારવું પડે.

              તાજેતર માં જે ઓઇલ માર્કેટીંગ કંપની ઓ ની સરકાર સાથે ની મિલિભગત થી જે જનતા નુ શોષણ થઈ રહ્યુ છે તે વિચારો,..!! એક તરફ઼ થી સરકાર કહે છે કે આ કંપની ઓ ખોટ કરે છે એટલે ભાવ વધારો ફ઼રજીયાત છે. જ્યારે હકિકત એ છે કે પેટ્રો પેદાશો ની મુળ કિંમત કરતા ૫૨% નો વધારો આપણે ફ઼ક્ત ટેક્ષ તરીકે ચુકવીએ છીએ. એટલે કે એક લિટર પેટ્રોલ પર આશરે ₨ ૨૪ ફ઼ક્ત સરકાર ટેક્ષ લઈ જાય છે અને ઉપર થી હાથ રાખે છે કે અમે સબસિડી નો બોઝ વેઠી શકિએ તેમ નથી. અહો , આશ્ચર્યમ ,………..
              ના તો કેન્દ્ર કે રાજ્ય સરકાર ને ટેક્ષ ની આવક ઓછી કરવા મા રસ છે. છો ને જનતા હો હા દેકારો કરે. હવે બોલો શું પેટ્રોલ ના ભાવ વધારા સામે તમે ફ઼રી થી જંતર-મંતર ઉપર ધરણા કરવા બેસસો? કદાચ એક વાર બેસી પણ જાઓ તો પણ ૧ મહિના પછી ફ઼રી આ ભાવ વધારો ઝિંકિ દેવામાં આવશે , શું ફ઼રી થી કામ કાજ પડતાં મુકી ને બેસી જશો ??

              આજ પેટ્રોલ પાકિસ્તાન જેવા દેશ મા ૪૪.૮૦ ₨ પ્રતિ લિટર વેંચાય છે , શું પાકિસ્તાન ભારત કરતાં વધુ સદ્ધર છે ?? મોટાભાઇ , આ એવાં ગુન્ચવાડા ઓ છે કે જેનો કોઇ લોકપાલ કંઇ બગાડી શકે તેમ નથી. આ આખું માળખું “સડી” ગયું છે. જો નિષ્ઠા થી કામ કરવા માં આવે તો “ચીન” જેવો અફ઼ીણીયો દેશ પણ આજે દુનીયા ની માથે રાજ કરવા ની તાકાત ધરાવે એવો બને તો ભારત કેમ નહિં.

              ભૂપેન્દ્રસિંહજી નુ સુચન આવકાર્ય છે કે અમેરીકા ની જેમ દરેક રાજ્ય ને સ્વતંત્રતા હોવી જોઇએ. અહિં તો કામ કરે કોઇ અને ફ઼ળ ખાઇ કોઇ. કશ્મીર માં પાઇ ની પેદાશ નથી. પ્રજા ગરીબી માં જીવે છે. લશ્કર થી લઈ ને પ્રજા બધા ગુજરાત, હરિયાણા કે પંજાબ જેવા રાજ્યો ની આવક ની દયા ઉપર જીવે છે.
              ઘર માં પણ છોકરો અમુક ઉમર સુધી પહોંચ્યા બાદ પગભર ના થાય તો મા-બાપ તથા સમાજ નો ઠપકો મળતો હોય છે પણ આવા રાજ્યો ને ઠપકો આપવા માં કેન્દ્ર ની કોઇ પણ સરકાર સક્શમ નથી , બધી મતબેંક નુ રાજકારણ છે.

              બની શકે હું ખોટો હોંઉ, પણ હું હજુ કહિશ કે જો આવું ને આવું ચાલ્યું તો “દેશ ગુજરાત” બહુ દૂર ની વાત નથી. કદાચ જીવતા જીવે જોઇશું. આભાર ….. 🙂

              Like

              1. દર્શિતભાઈ,
                વિષયાંતર બહુ થયા કરે છે. મૂળ ચર્ચા ગાંધીના અહિંસક આંદોલનને કારણે આપણી પ્રજા નિર્માલ્ય બની ગઈ એ હતો. મારો પહેલો પ્રતિભાવ એ જ સંદર્ભમાં હતો. ખેર!

                તમે લખેલી બધી ફરિયાદો મારી પણ છે એટલું જ નહીં, મારી ફરિયાદ એ પણ છે કે આ દેશના ૭૭% લોકો દરરોજ ૨૦ રૂપિયા પણ ન કમાતા હોય એ દેશમાં જોરદાર નીતિગત પરિવર્તનની જરૂર છે. ઉપાય જનતાના હાથમાં છે.માસ મોબિલાઇઝેશનનો. હમણાં જ અણ્ણા હઝારેએ એ કરી દેખાડ્યું છે.ખેર, આમાંથી તમને ગાંધીજીની ગંધ આવી શકે છે,પણ હું એ બાબતમાં લાચાર છું.

                તમે કહો છો કે તમે અલગાવવાદી નથી. એ જાણીને આનંદ થયો. તો જ આપણે દેશની વાત કરી શકીએ.ને તો જ તમારી ફરિયાદોને મારી ફરિયાદો માની શકું.

                ભૂપેન્દ્રસિંહભાઈનું અમેરિકન મૉડેલ તમને પસંદ પડ્યું છે તો એના વિશે ગંભીરતાથી વિચારવા માટે આપણા અને અમેરિકા વચ્ચે જે તફાવત છે તે તરફ ધ્યાન દોરૂં. કદાચ ભૂપેન્દ્રસિંહભાઈ પણ એના પર વિચાર કરશે.

                અમેરિકામાં પચાસ રાજ્યો (દેશો) અલગ હતા અને એક ટ્રીટી હેઠળ એકઠા થઈને એમણે સંયુક્ત રાજ્ય બનાવ્યું છે. એમાં દરેક રાજ્યે પોતાના અમુક અધિકારો અબાધિત રાખ્યા. આમ છતાં આજે ફેડરલ સરકારનો પ્રમુખ જ દુનિયામાં મહત્વનો ગણાય છે. પેટા રાજ્યોના ગવર્નરો નહીં (એમને પ્રેસીડન્ટ નામ નથી અપાયું, એ નોંધવા વિનંતિ છે).
                આપણે ત્યાં બ્રિટિશ ઇંડિયા વત્તા ૫૬૨ સ્વાધીન દેશી રજવાડાં હતાં, જે બ્રિટિશ સર્વોપરિતાને અધીન હતાં. એમને એક વાર માટે છેલ્લો નિર્ણય લેવાનો અધિકાર અપાયો કે એ ભારતમાં કે પાકિસ્તાનમાં ભળે.અથવા સ્વતંત્ર થાય. આમ બે જ વિકલ્પ હતા.એટલે વડોદરા સ્વાધીન દેશ તો બની શકે પણ જોડાવું હોય તો માત્ર ભારતમાં જ જોડાઈ શકે. કાશ્મીર જેવા રાજ્યને ભારત અથવા પાકિસ્તાન અથવા સ્વાધીનતાનો હક હતો.આમાં વસ્તીનું સ્વરૂપ, શાસકની ઇચ્છા વગેર પણ મહત્વનાં હતાં. આમાં પણ જે સરહદ ઉપર હતાં એમના માટે આ શરત મહત્વની હતી, તે સિવાય એમને માત્ર ભારત સમ્ઘમાં અથવા પાકિસ્તાનમાં ભળવાનું હતું. એમની ટ્રીટી એ હતી કે એ પોતાનું રાજ્ય ભારતમાં ભેળવી દેશે અને ભારત સરકાર નવાં વહીવટી રાજ્યોની રચના કરશે. આમ ભારતમાં અમેરિકન મૉડેલ લાગુ ન પડી શકે અને લાગુ કરવા જાઓ તો વડોદરા ગાયકાવાદના હાથમાં હતું. એનું અલગ રાજ્ય,અલગ કરવેરા, અલગ ધ્વજ, અલગ રાષ્ટ્રગીત હોઈ શકે. કચ્છ, રાજકોટ, ગોંડળ, જૂનાગઢ, વાંકાનેર, ધ્રોળ. પટિયાલા, ત્રાવણકોર-કોચીન, ગ્વાલિયર, જમ્મુ-કાશ્મીર વગેરે ૫૬૨ રાજ્યો અલગ બનવાં જોઇએ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે નહીં.

                આ રાજ્યો એક રીતે વહીવટી એકમો ્છે એમની સીમાઓમાં ફેરફાર થઈ શકે છે, અમેરિકામાં એ ન કરી શકાય. આપણે ત્યાં વહીવટી સરળતા અથવા લોકોની લાગણીને ધ્યાનમાં લઈને રાજ્યોમાં ફેરફાર કરીને નવાં રાજ્યો બનાવી શકાય છે. ગુજરાત દ્વિભાષી મુંબઈ રાજ્યમાં હતું અને પછી અલગ રાજ્ય બન્યું. આમ અમેરિકન મૉડેલ અહીં લાગુ જ ન પડી શકે.

                તમે એ તો જાણતા જ હશો કે બંધારણમાં રાજ્ય અને કેન્દ્રના વિષયોની અલગ યાદીઓ છે.એક કેન્દ્રની, એક રાજ્યની અને એક સહિયારી યાદી. રાજ્યના વિષયમાં કેન્દ્ર સરકાર કાયદો ન બનાવી શકે,તે ઉપરાંત નાણા પંચ, આયોજન પંચ આ બધાં કેન્દ્રના ભંડોળની રાજ્યોને ફાળવણી કરે જ છે. આમાં બધી જાતના કેન્દ્રીય કરવેરામાંથી રાજ્યોને ભાગ અપાય છે. અમેરિકામા પણ ફેડરલ બજેટ હોય જ છે.

                આ બધી વ્યવસ્થાઓ છે. બધું બરાબર ચાલે છે એમ નથી કહેવા માગતો. અમેરિકામાં પણ રાજકીય સમસ્યાઓ ઊભી થાય જ છે. પરંતુ, એમ કહેવું કે આપણે લુંટાઇએ છીએ એ રાજકીય પ્રચાર છે. કેન્દ્ર અને રાજ્યમાં સરકારો જુદા પક્ષની હોય ત્યારે આવી વાતો ઊછળતી હોય; એક જ પક્ષની સરકાર હોય ત્યારે દબાઈ જાય.

                પરંતુ, ઉપરાષ્ટ્રવાદ (પ્રદેશવાદ) લોકોની લાગણીઓ ભડકાવવાથી વકરે છે અને તે પછી એને કોઇ કાબુમાં લાવી શકતું નથી.એટલે અફવાઓ ન સાંભળીએ એ જ સારૂં છે.

                આપણે ઇશ્વર અને ધર્મની વાત કરીએ છીએ ત્યારે તો તર્ક વાપરીએ છીએ પણ તર્ક માટે તો બધાં ક્ષેત્રમાં સ્કોપ હોય છે. એક વાતનાં બધાં અંગોનું વિશ્લેષણ કરીએ તો એ સર્વજન હિતાય ગણાય.

                Like

                1. આપની વાત સાચી છે,જેતે સમયે શક્ય નહોતું.અને તે સમયે બ્રિટીશરો હતા,એટલે તે કહે તેમ કરવાનું હતું.વિચારવાજેવું છે બધું.ભાઈ જેને સારી રીતે રાજ કરવું હોય તો કોઈ પણ પદ્ધતિ હોય ચલાવી શકાય,પણ દાનત ખોરી હોય તો ગમે તેટલા સારા મોડેલ હોય ચોરો તો ચોરી કરવાના જ.

                  Like

          2. દર્શિતભાઈ અને ભૂપેન્દ્રસિંહભાઈ,
            વર્ણવ્યવસ્થા કર્મ આધારિત હતી એ સાચું છે પરંતુ એ વકહ્ત જતાં, કઈં નહીં તો છેલ્લાં બે હજાર વર્ષથી તો જન્મ આધારિત છે જ.
            દર્શિતભાઈ, ભૂપેન્દ્રસિંહભાઈએ હાલમાં જ મનુસ્મૃતિ વિશે એક લેખ લખ્યો જ છે. એમાં આગળ જતાં આ વાત વિગતે સ્પષ્ટ થશે. એના પરથી ખ્યાલ આવશે કે કેવા સામાજિક અત્યાચારોને કારણે આ જ્ઞાતિઓ બની છે અને આપણો દેશ ખોખલો કેમ થયો
            આર્થિક આધાર પર આરક્ષણ હોવું જોઇએ એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું પરંતુ, આ વિચાર બે હજાર વર્ષ પહેલાં અમલમાં મુકાયો હોત તો સારૂં થયું હોત. આજે પણ જે દેશમાં બ્રાહ્મણ પટાવાળો ‘પંડિતજી’ કહેવાતો હોય અને SC ઉપરીને ખાનગી ખૂણે “ઢે…” તરીકે ઓળખાવતા હોઈએ આપણી નજરે દેશ એટલે શું તે પણ છતું થઈ જાય છે.વળી જ્ઞાતિઓના અસ્તિત્વનો નહીં પણ એના આધારે આરક્ષણ હોય તો એનો વિરોધ કરીએ એ કેમ ચાલશે?

            ઉપરાષ્ટ્રવાદ કપોળ કલ્પના નથી, એટલું જ નહીં હવે એ માથું ઊંચકવા લાગ્યો છે.
            દર્શિતભાઈ, તમે કહો છો કે ગુજરાતીઓને અસમાનતા લાગશે તો એ છૂટા પડશે.ભૂપેન્દ્રસિંહભાઈએ આના સમર્થનમાં કહ્યું છે કે ગુજરાત સહન કરે છે અને નાના દેશો હોય તેમાં વામ્ધો શો હોઈ શકે. બરાબર છે. સિંગાપુર તો એક શહેર માત્ર છે.ગુજરાત પણ અલગ દેશ બની શકે.જે રાજ્ય ૩૦થી ૩૭ ટકા દેશને આપતું હોય એ પોતાના બળે ટકી શકશે એમાં પણ શંકા નથી. પરંતુ, આ સમૃદ્ધિ માટે દેશની સરહદોનું રક્ષણ કરનારા જવાનોને કઈંક તો ક્રેડિટ આપશો કે નહીં,શાંતિ હોય તો સમૃદ્ધિ આવે. એ જવાનો તો ગુજરાતના નથી! એ મૃત્યુને વરે અને ગુજરાત સમૃદ્ધ બન્યા કરે…માફ કરશો મને આ ઉપરાષ્ટ્રવાદી તર્ક સમજાતો નથી. સ્વતંત્ર ગુજરાત દેશ માટે આર્મી ક્યાંથી લાવીશું? ગુજરાતપ્રેમ(નવા અર્થમાં દેશપ્રેમ!)થી ભરેલા આપણે આર્મીમાં તો છોકરાઓને મોકલશું નહીં. કઈં વાંધો નહીં. ૩૦થી ૩૭ ટકા ઇન્કમ ટૅક્સ ગુજરાતમાં જ રહી જશે એમાંથી ભાડૂતી આર્મી મળી જશે. ક્યા દેશને કોન્ટ્રૅક્ટ આપીશું, મહારાષ્ટ્ર દેશને કે મણિપુર દેશને?

            Like

            1. આપ્નો પ્રશ્ન યોગ્ય છે દિપકભાઇ ,
              સરહદો ની સુરક્ષા માટે જવાનો ક્યાં થી લાવશું? પણ ઇતિહાસ સાક્ષિ રહ્યો છે કે જ્યારે આઝાદી નું શુરાતન ઉપડે છે ત્યારે ફ઼ોજ તો આપમેળે તૈયાર થઈ જાય છે. અને જો એવું ના કરવું હોય તો એક સજેશન છે. યોગ્ય લાગે તો ભારત આખા માં અપનાવવા જેવું મોડેલ પણ છે.

              એક નાનકડો પણ દુનિયાભર ના બે નંબરી નાણાં અને ઘડીયાળો ને કારણે સમ્રુદ્ધ દેશ એટલે સ્વિટઝરલેન્ડ. આ દેશ ક્યારેય કોઇ યુદ્ધ માં જોતરાતો નથી. તટશ્થ જ હોય છે છતાંયે દેશ ના હર એક નાગરીક માટે ૧૦૦ દિવસ ની લશ્કરી તાલીમ ફ઼રજીયાત છે. જરૂર પડ્યે દેશ નો હર એક નાગરીક એક સૈનિક ની ભૂમિકા અદા કરી શકે એમ સક્ષમ છે. ફ઼ક્ત લડાઇ પૂરતી જ વાત ના કરીએ તો આ લશ્કરી તાલીમ ના કારણે જે શિસ્ત નું ઘડતર થાય છે તે દેશ ના નાના મોટાં કાયદા નું પણ રક્ષણ કરે છે. મેં ઘણા વર્ષો “દીવ” માં વિતાવ્યાં છે અનેક વિદેશી લોકો સાથે વાર્તાલાપ કર્યો છે. એક સ્વિસ કપલ બસ માં સાથે બેઠું હતું, કેળાં ખાઇ ને છાલ પોતાની સાથે રાખેલી એક પ્લાસ્ટીક ની બેગ માં ભરતું જતું હતું. અને સ્ટેશન પર ઉતરતાંજ કચરા ટોપલી શોધી અને તેમાં એ પ્લાસ્ટીક ની બેગ પધરાવી દીધી. મેં પુછ્યું કે “આપે અન્ય લોકો ને બસ માં થી કચરો વિગેરે બહાર ફ઼ેન્કતા જોયા , આ “ઇન્ડીયા” માં તો આવું ચાલે , આપે પણ એ કર્યું હોત તો ચાલેત.” એમનો જવાબ સરળ હતો કે ” અમે આ બધુ એકદમ સહજતા થી કરીએ છીએ કારણ કે આજ અમારી લાઇફ઼ સ્ટાઇલ છે. અમારા દેશ માં તો દંડ ની બીકે શિસ્ત પાળતાં લોકો કરતાં સ્વયંશિસ્ત પાળતાં લોકો વધુ છે. “ઇન્ડીયા” ખરેખર મહાન છે. અમે જ્યાર થી આવ્યા છીએ ત્યાર થી અમને પણ લાગે છે કે આ દેશ માં ખરેખર ભગવાન છે નહિંતર આટલી અવ્યવસ્થા વચ્ચે દેશ ચાલે કેમનો ? ” એ ભાઇ એ ભગવાન વાળો જોક અગાઉ સાંભળેલો હશે પણ એમણે કરેલો કટાક્ષ કદાચ સમજી શકે એટલાં લોકો આજુબાજુ માં નહોતા.

              ( આ મોડેલ માટે નું સજેસન પણ મુખ્ય પ્રધાન ને મેઇલ કરેલું જ છે. )

              પણ ફ઼રી થી , જો આવું બધું ગુજરાત એક ચાલું કરે તો એને (હિન્દુ)આતંકવાદીઓ માટે ની લેબોરેટરી નું બીરૂદ મળે, અલગાવવાદી નું બીરૂદ પણ મળે.

              “જન ગણ મન .. ” જેવા બ્રિટન ની રાણી ની પ્રશસ્તી માટે લખાયેલા ગીત ને રાષ્ટ્રગાન બનાવી ને હરખાઇએ છીએ. અને “વંદે માતરમ” ને ધર્મ સાથે જોડી દઈએ છીએ. એ પ્રજા પાસે થી મને પણ કોઇ અપેક્ષા તો છે જ નહિં કે ક્રાંતિ કરે. પણ આ તો મન માં આવતા વિચારો છે, જેની ચર્ચા થાય તો ગમે. આને જો દેશદ્રોહ કહેવાતો હોય તો મારે કોઇ ખુલાસા આપવાની જરૂર ખરી ?

              Like

            2. નવમાં ગુરુ સુધી શીખ પ્રજા હાલના જેવી નહોતી,ગુરુ ગોવિંદ સિંહનું નામ ગોવિંદરાય હતું.શીખ એક વૈશ્ય પ્રજા હતી,કોઈ ક્ષત્રિય નહોતી.એક વૈશ્ય પ્રજાને ક્ષત્રિય બનાવવાનું શ્રેય એકલા દસમાં ગુરુ ગોવિંદ સિંહને જાય છે.નામની પાછળ લાલ,દાસ અને ભાઈને બદલે સિંહ લાગતું કરી દીધું.આ વાણીયા આજે દેશના સૌથી વધારે લડાયક છે.શીખ વગર આર્મી?કેવી લાગશે?દસ વાણીયા મારીને એક યહુદી બનાવ્યો છે.આ યહુદી આજે ઈઝરાયેલમાં બેઠા ચારે બાજુના ખૂંખાર દેશોને પાણી ભરાવે છે.દેશની તમામ વસ્તીને માટે લશ્કરી તાલીમ ફરજીયાત છે.વિમલ શાહ જયારે ખભે ધનુષ બાણ લગાવી હાથમાં તલવાર લઈને ભીમદેવ સોલંકીના લશ્કરના સેનાપતિ બની શકતા હોય તો ગુજરાતમાં એકલા વાણીયા તો રહેતા નથી.મેર,અહીર,ભરવાડ,રબારી,ખારવા,ઠાકોર અને રાજપૂતો જેવી અનેક લડાયક કોમો રહે જ છે.ચાલો પ્રદેશવાદ ખોટો છે,પણ ગુજરાતનું લશ્કર કેમ ના બની શકે?કોઈ દેશને કોન્ટ્રેક્ટ આપવો ના પડે.કે ભાડે લાવવું ના પડે.અણહિલ ભરવાડ અને ચાપો વાણીયાનો સાથ લઈને અમારા પૂર્વજ વનરાજ ચાવડા ગુજરાતના રાજવી બનેલા અને પાટણ વસાવેલ.પ્રદેશવાદ ખોટો માનતા હશે માટે મોરારજીએ મારી લાશ ઉપરથી ગુજરાત મળશે એવું કહ્યું હશે,આજે આપણે મહાગુજરાતની ચળવળ વખતે મોરારજીએ બોલેલું વાક્ય યાદ કરી એમને વખોડીએ છીએ.

              Like

              1. આભાર ભૂપેન્દ્રસિંહજી ,
                બસ આજ વિચાર છે. દુનિયા માં કોઇ પણ રાષ્ટ્ર લશ્કર સાથે પેદાં નથી થતું, પણ લશ્કર રાષ્ટ્ર પેદા કરે છે.

                પણ છો ને ચાલતું, આવી વાતો કરીએ તો દેશદ્રોહી કહેવાઇએ. સ્વતંત્ર અને અખંડ ભારત નું સપનું જોવા વાળા પણ દેશદ્રોહી જ હશે. સૌ ની જેમ , ઘેટાંચાલ ચાલો ને બોલો ,.. હિન્દુસ્તાન ઝિન્દાબાદ….

                Like

            3. dipak bhai 2000 varas pehla des par brahmano nu raj hatu atle to reservation ni vat kya thi ave…ane tamari patawada vadi vat ekdam sachi che….i like it

              Like

            4. tamari vat thi hu agree chu bhai apne caste no nay pan tena reservation no viroth karie che ae…to ae kem chale hu pan ketlay divashthi aej samjavu chu pan kadach bathne aem lage che ke hu biju kai kahi rahyo chu..

              ane tamara dada ne hu salute karu chu ,,,,ke temna man ma mansik ashaprushta pan na hati ae khub j sari vat che…

              Like

          3. pehla to darshit bhai tame open caste ma avo cho atle tamne julam su kehvay aeni to lhabar j nay hot… ok…tame je arkhsan ni vat karo cho ae tmari j caste system par thi avyu che,,brahmano ae potana swarth khatar sudra no je upyog karto che te vat thi tane ajan lago cho ? i m right ///
            tame pan brahman caste thi j belong karo cho….jo tamne reservation nath pasand to tame caste system ne kem mano cho……tame mano j cho ae vat to paki j che….

            bibju to tame kadash caste system na rudi vadi lago cho…ek interesting vat kahu tamne …tame kaho cho ke gandhi best che to te haakikat ma ek vansvadi ane caste vadi manas hato ena karne j haji suthi tene noble price nahi malyu…mane khabar che tame sachu nay manu pan mari pase proof che,,,,jyare gandhi africa ma hata tyare gora ane kala no bhedbhav chalto hato gora mate alag an kala mate alag door hata ofice ma avava jave mata bharat na loko ne gora na door thi enrty nati atle aemne kala loko na door thi javu padtu …gandhi ae ladat kari navi gate kholavyo…jo ae vansvadi na hot to ae kala loko sathe java ma su vantho hato

            Like

            1. મયંકભાઇ,

              રીઝર્વેશન વાળી જ જ્ઞાતિ માં થી આવું છું. અને એટલેજ વિરોધ કરું છું. થોડાંમાં ઘણું સમજી જશો એવી આશા રાખું છું.

              Like

              1. tame to uper caste ma cho pachi sani proble…aa tamne lokone j dalit thi problem hoy che….ane ha thoda ma samjavu mane nathi avadatu…je kai kehvu hoy ae mukt man thi ko…

                Like

            2. મયંક ભાઇ,
              તમારો “અપર કાસ્ટ” અને “દલીત” પ્રત્યે ના પુર્વાગ્રહ ને જોતાં તમને ખુલાસાપુર્વક લખવું જરૂરી પણ નથી સમજતો કારણ કે તમે ખુલ્લા મને અને મગજે મારી વાત સ્વિકારવા તૈયાર નહિં થાઓ.
              છતાંએ, એક નાનકડી કોશિશ કરું છું.

              મારા એકાદ બે સવાલો ના જવાબ નામે “આરક્ષણ” નો લાભ ખાટનારી જ્ઞાતિઓ ( જેમાં મારી પણ આવે છે.) તેના પ્રત્યે છે.
              > પહેલાં એ નક્કિ કરવું જરૂરી બને કે તમે તમારી જાત ને ઉતરતી કક્ષાની ગણો છો ? જો હા, તો આજ ની પરિસ્થિતિ માટે જવાબદાર તમે પોતેજ છો. અને ૧૦૦ વર્ષ પછી પણ પરીસ્થિતિ આ જ રહેશે. કારણ, તમે પોતેજ તમારી જાત ને હિન ગણો છો.
              > જો તમે તમારી જાત ને ઉતરતી કક્ષા ના નથી ગણતાં તો આરક્ષણ ની મગજમારી શું કામ ? જો બધા પરમ કૃપાળુ ઇશ્વરનાં સંતાનો છે તો આ ભેદ તમે શા માટે ચાલુ રાખવા માંગો છો? વર્ણ વ્યવસ્થા જો ખતમ કરવી હોય તો શરુઆત તો તમારે અને મારેજ કરવાની છે. ઇશ્વર નથી આવવાનો એને ખતમ કરવા.
              > રાજકારણી ઓ ના હાથ ના રમકડાં બની અને આરક્ષીત બેઠકો ( અભ્યાસ તેમજ નોકરીમાં ) ની લાલચ રાખનાર સાથે હું શું ચર્ચા કરું?

              મિત્ર, સમાજ એક રાત માં નથી બદલાતો. પણ પોતાના મન ને બદલવાનો નિર્ધાર તો તમારે કરવો જ પડે. તમારી જાત ને હલકી માનશો તો હર એક તમને હલકા ગણશે. જ્યારે આરક્ષણ ને લાત મારી ને ફ઼ગાવી દેશો ત્યારે જોજો કે કહેવાતા સવર્ણો પણ કેવી રીતે તમારી સાથે જોડાશે. વાત બૌદ્ધિક રીતે વિચારવાની છે. મગજ ને આરક્ષણ ની તરફ઼ેણ માં દોડાવવા કરતાં “સમાનતા” તરફ઼ લઈ જાઓ તો કંઇક નક્કર થશે. એક તરફ઼ સમાનતા ની અપેક્ષા રાખવી અને બીજી તરફ઼ આરક્ષણ માટે આંદોલનો અને તોડફ઼ોડ કરવી એ બન્ને વાતો સાથે ના ચાલે. એક પકડો , આરક્ષણ જોઇએ છે તો સમાનતા ની વાત ભૂલી જાઓ અને સમાનતા જોઇએ છે તો આરક્ષણ ભૂલો.

              અસ્તુ.

              Like

              1. આઝાદીને સાઈઠ વર્ષ વીતી ગયા હવે આરક્ષણની જરૂર નથી.મહેનત કરીને ભણવું જોઈએ.સારા માર્ક્સે ઉચ્ચ ડીગ્રી મેળવવી જોઈએ.૪૦ ટકે મેડીકલમાં એડમિશન લઈને ડોક્ટર બનવું જોખમકારી છે.સમાન કાયદા કાનુન વગર સમાજ સમાન કઈ રીતે બનવાનો?

                Like

                1. sir,,tamari vat chalo hu ek divas mate mani lav ke reservation ni jarur nathi …ok…

                  to su potane brahman,rajput,vania kehvdavani pan jarur che khari ?

                  apne apni jat ne indian thi kem na kahi sakie..

                  tame kahyu ke reservation ….sir aevi ka=etliy jati che je loko haji pan study nathi kari sakta…aeva ketlay gam che ….

                  tame kahyu ke 40% vado medical ,to sir jo adivasi bahle 40% ae doctor banase to aeni samaj mathi koi doctor banava mata inspiration lese….jo ae akhi jindagi banavanu nay vichare to aeni avnari pethi pan aej vichar se j ne….

                  sir america ma koi pan manas sweeper ni job kare che pan bharat ma fakt bhangi samaj j kem ?

                  kem koi brahman ke rajput sweeper ni job nathi karta…

                  jo tame reservation kadi nakhyu to aa loko to kadi bhanavana j nay ne….sir reservation ni haji ketliy jati ne jarur che ae vat samjava jevi che,,,,

                  sir tamne ek utam vat kahu ke ajthi 25 varas pehla kelta lower caste na csudy karta hata ane aje ketla kare che ?
                  sana karne ? its nly for reservation…

                  Like

                2. અરે વાહ શું વાત છે! આ દેશ ને આરક્ષણની જરૂર નથી અને દલિતોની પણ જરૂર નથી.દેશ ને જરૂર છે અતિ બહાદુર ક્ષત્રિયોની ,અતિ કુશળ વેપારીઓં ની અને અતિ તીવ્ર મેઘા ધરાવતા બ્રાહ્મણોની.ભાઈ શ્રી ભુપેન્દ્ર ગોલાણા દલિત હત્યાકાંડ આઝાદી પછી ચાલીસ વર્ષે થયો હતો અને આજે સાઠ વર્ષે પણ થાય છે.ખાલી આકડા થી જ સમાજ પડતી હોય તો માનવ અધિકાર પંચ અને એસ.સી કમિશન માંથી દલિતોને આઝાદીના સાઠ વર્ષ પછી સહન કરવા પડતા અત્યાચારના આકડા ટાકુ.શબ્દો થોડા આકરા જરૂર લાગશે પણ સાચું છે કે નહિ એ તમે નક્કી કરજો.ઉપર દર્શિત ગોસ્વામી કરીને એક ભાઈ કહે છે કે હું રીઝરવેશન નો લાભ લાવુ છુ એટલે ટૂંકમાં સમજી જાઓ.હું શરત સાથે કહેવા તૈયાર છું કે ભાઈ નિશંક પને ઓં.બી.સી માંથી આવતો હશે.હકીકતમાં ઓં.બી.સી માં ભરવાડ.કો.પટેલ,કારડીયા રજપુત્ જેવી અઢળક જ્ઞાતિઓં આવે છે જે લોકો આભડછેટ માં માને છે ,પોતાને ઊંચા ગણે છે અને પાછા અનામતનો લાભ લઇ દલિતોને ભાંડે છે.આવા લોકો થી ચેતવાની દલિતોને ખુબ જરૂર છે.હવે જે લોકો એવું કહે છે કે અમે જ્ઞાતિમાં નથી માનતા એમને મારો એક માત્ર પ્રશ્ન શું એવી વ્યક્તિ યોગ્ય.સારું કમાતા દલિત સાથેના એની બહેન કે દીકરીના લગ્નની સંમતિ રાજી ખુશી થી આપશે? જવાબ મનમાં જ મળી જશે.

                  Like

                  1. ઉત્તમ વાત ,આપની વાત માન્ય છે ,,
                    આપના દેશ માં સર્વ ને અનામત નો પ્રશ્ન જ મોટો લાગે છે પણ કદી અસમાનતા ના પ્રશ્ન સામે કોઈ વાત નથી કરતુ ,,,એક આદિવાસી નો છોકરો ૪૦ % મેડીકલ માં એડ્મીસન લે એનાથી દ્વેષ છે પણ પોતે એની સાથે હીનતાની લાગણી લાગે છે એનાથી નથી ,,,

                    શું બ્રાહ્મણો ને અનામત આપી દો છે અછુત બનવા તૈયાર ?,,,,આતો બધા પછાત લોકો સમજ્યા નથી નહિ તો ખબર પડી જાય કહેવાતા ઊંચ જાતિને ,,લો હાલ પટેલ ને પણ ગુજરાત માં અનામત જોઈએ છે ,,,,

                    ૨૦૦૭ નો સેન ગુપ્તા કમિટી ના રીપોર્ટ મુજબ ૩ % બ્રાહ્મણ ૭૦ % પ્રશાશન અને શિક્ષણ માં છે ,,તો આ શું છે ,,,અનામત વગર પણ એટલો લાભ ?…શું એમને ૩ % આનામાં આપી દો ,,તો ૭૦ % થઇ જશે ફક્ત ૩ % માં ,,,,

                    અનામત કરતા વધુ મોટો પ્રશ્ન તો અસમાનતા નુંછે ,,,કરો ચર્ચા અને ઉઠાવો અવાજ ,,,અનામત નો ફક્ત એક શાખા છે જેના મૂળ અસમાનતા માં છે ,,તો પહેલા મૂળ કાઢવા કે શાખા ?,,,વિચારો ,,,

                    Like

              2. bahi mane tamari vat gami ….mare dalit word vaparvo aetla mte padyo aeni vat kahu …ke hu ane mara father amdavad na naranpura ma house leve mate gaya to tamne amari caste puchi ne makan na apyu ….

                have tame j kaho ke jo ame OBC thi belong hot to ae apat ke na apat ?

                biju jayare mari sathe aa va kissa bane che to kevu lagtu hase tame jara vichar jo…

                tamari reservation par ni dalil sachi che..

                pan su reservation kadi nakhvathi caste system khatam thai jase ?

                su mari sathe je house vadi mater ma thayu ae bija koi sathe nay thay ?

                bhai ,,, su india ma fakt sweeper nu kam bhagi samaj vada loko ae j karvanu ?

                kem koi brahman ke rajput avine nathi kehto ke hu sweeper ni job karis…ae samaj to haji 10 varash thi j bhanato thayo che….tamne nathi lagtu ke aemne agad vathava no samaj apavo joie….

                jo reservation hatavathi samanata avi jat jo bahi kyarnu ae hati gayu hot…

                ajthi 60 varash pehla dr. ambedkar ganda nat ake temne reservation ni hakal kari ?
                ae vakhate gandhi ae aem pan kayu ke 10 varas ma loko na man mathi unch nich dur tahi jase …su haji thai che ?

                tame j ano jawab apo….

                reservation to ek pagahtiyu che educate banvanu ane level unchu karvanu ….

                ane jo tame aem manta hoy ke gandhi ae samanta na effort karya hoy to bhuli jajo….ae vat ne …..

                mane ek vat no jawab apo ke jo Dr. ambedkar na janmya hot to su aje ek bhagi bhanato hot ?
                ke loko na gaeni safai j karto hot …

                ane hu kadi marij jat ne nicho manto j nathi…….

                bhai jo tame paisa vada ane educated haso to tamne koi nay ke ke tu nicho che tyare batha j tadiaya chatva avse,,,,,,

                tamaro viroth pan ek rite sacho che pan bahi reservation ma avati bathi j jati haji atli level ni nathi thai jetli hovi joie…

                reservation che atle j nichi jati na loko aje IAS,IPS jevi post par che….vicharjo bhai/..

                kadi tamara man ma aem vichar avyo che ke azadi na 60 varash gay pan koi dalit ke nichi caste vada ni company joie nathi….

                bathi j moti company brahman ,vania ni j che koi pan lai lo,,,cricket ma pan vinod kambali pachi koi sc avyo nathi….kem su aeman ma telent nathi ?
                ke upper caste aemne agad nathi ava detu…..

                Like

                1. ભાઇ મયંક,
                  તમારા મકાન વાળી વાત સાંભળી, તમારા પ્રત્યે સંવેદના છે પરંતુ માફ઼ કરજો એનાં મુળીયાં તો વર્ણ વ્યવસ્થા અને અનામત માં જ છે.

                  ચાલો તમને એક ચોખવટ સાથે વાત કરું કે “ગોસ્વામી” એ કઈ કોમ છે. જ્યારે બૌદ્ધ ધર્મ નો પ્રચાર તેની પરાકષ્ટાએ હતો ત્યારે સનાતન ધર્મ ( હિંદુ) ધર્મ ની રક્ષા માટે અમુક “બ્રામ્હણો” એ વર્ણ વ્યવસ્થા નાં નિયમો બદલી અને હાથ માં હથીયાર લીધા. એ બ્રામ્હણો ને જ્ઞાતી ની બહાર મુકાયા અને એ લોકો એટલે દશનામ ગોસ્વામી સમાજ. આજે પણ દક્ષિણભારત તેમજ ગુજરાત સહિત અનેક જગ્યાએ બ્રામ્હણો ગોસ્વામીઓ ને “અછુત” ની કેટેગરીમાં નાખે છે કારણ કે તેમણે વર્ણ વ્યવસ્થાને પડકારી અને ધર્મ રક્ષા કાજે આગળ આવ્યાં.

                  હા એ માન્યું કે “બ્રામ્હણો” ને બાદ કરતાં લગભગ હર એક જ્ઞાતી એ “ગોસ્વામી” ઓ ને પુજનીય ગણ્યા અને એમનાં માનપાન જાળવ્યાં.

                  તો શું? એનો મતલબ એવો કે બ્રામ્હણો પ્રત્યે કાયમી ધૃણા રાખી અને થયેલાં અન્યાય બદલ રડ્યાં કરવાનું ? હવે આ કોઇ એવો જમાનો તો છે નહિં કે તમે હાથ માં તલવાર લઈ ને નીકળી પડો અને પૃથ્વી ને “ન-બ્રામ્હણી” કરી દો. સમાજ બદલાય જો તમે બદલવા ધારો તો. ડો. આંબેડકર પછી ક્યા દલિત નેતા એ દલિતો નાં વિકાસ અને ઉત્થાન માટે કાર્ય કર્યું ? મને જણાવશો ?? મતબેંક નું રાજકારણ રમતાં લોકો ની વાત મારી સમક્ષ ના કરશો. મને આમેય તેમનાં પ્રત્યે ચીડ છે.

                  ૬૦ વરસ નો ગાળો તમને કદાચ નાનો લાગતો હશે પરંતુ એ ગાળા ને કારણે તમારીજ કોમ ને થયેલું નુકશાન ભયંકર છે. તમને કદાચ નહિં દેખાય કારણ કે તમારી દ્રષ્ટી અને બુદ્ધી એ દીશા માં જોવા જાણવા પ્રયાસ નહિં કરે.

                  ગાંધી ને તો બન્ને બાજુ થી સાંભળવાનું રહ્યું, સવર્ણો એમ કહિ ને ભાંડે છે કે ગાંધી દલીતો તથા મુસ્લિમ પક્ષી રહ્યા. અને દલિતો તમારી જેમ મનઘડંત અર્થ કાઢી ને તેના જીવન ચરિત્ર ઉપર શંકા કરો છો… વાહ…. મારું માનો તો ગાંધી જેટલું દલીતોનું પેટમાં આ દેશ માં કોઇ ને બળ્યું નથી, ખુદ દલીતો ને પણ નહિં. “હરીજન” જેવો આપેલા શબ્દ બદલ તેમનો આભાર માનો મિત્ર, નુગરા ના બનો.

                  છેલ્લે અને ફ઼રી વખત, વર્ણ વ્યવસ્થાને ફ઼ગાવી દેનારા મારા દલીત મિત્રો પણ છે. સ્વમાન ભેર પોતાનું અને પરીવાર નું ભરણપોષણ તથા રક્ષણ કરે છે. અને સમાજને પણ જાગૃત કરવાનું કાર્ય કરે છે. પણ એમની પણ એકજ ફ઼રીયાદ છે, સમાજ ને જાગવું જ નથી. કાયમી દયા યાચના કરી ને જીવવું છે. એ લોકો ની મદદ કેમ કરવી ??

                  આ લખનાર ને કદાચ તમે દલીત વિરોધી ગણી શકો પરંતુ લખનાર પોતે સેંકડો વાર પોતાના દલીત મિત્રો ના ઘરે જમવાં થી લઈ ને એમના સુખ દુ:ખ ના પ્રસંગમાં હાજર રહેલો છે અને એ મિત્રો પણ મારા ઘર ને પોતાનું ઘર સમજે છે.

                  તમે હિનતા ની લાગણી છોડો. નહિંતર ૧૦૦ નહિં પણ ૧૦૦૦ વરસે પણ આ “અસમાનતા” રહેશે. એની પાછળ યાદ રાખજો, “અનામત” મુખ્ય પરીબળ હશે , નહિં કે વર્ણ વ્યવસ્થા.
                  આભાર…. અને અસ્તુ….

                  Like

                  1. bahi,,, tamne ek vat kahi dav ,ke satya hamesha kadvu j hot che…

                    biji vat tamne kahu ke tamne ”Harijan” word nu meaning je thay che ae kahu kadach tame manva taiyar na thavo,,,Bangal ma ek mandir ni ajubaju ni safai mate sudra kanya ao hati ,,,tya na brahman pujario ae ae kanya sathe physical ralation karyu ane pachi je chokra thaya aemane brahman pujari apnava taiyar n hata ane temnu nam ”Harijan” padyu …ok..aa vat kadach tamne nay khabar hoy ane tame manso pan nay…ane aa nam gandhi ae sudra ne apyu…

                    bolo bhai have kevu lagyu…

                    juo nahi hu kai nano chokro nathi hu M.E. chu ane private company ma job karu chu ok..atle mane kai khabar hase toj hu bolto hoise…

                    ane bahi tame aem kaho cho ke mari jovani drasti nathi to aem rakho bas…

                    ane bahi ame jagya chea atle j hu tamne comment kari rahyo chu….

                    ane hinata ni lagni amari koi na mate nathi pan bija ni amara mata che je tamne khabar j che..aje pan gam no thakor ek dalit mate kevu beheve kare che ae tame koi gam ma jaine joi sako cho….vache j divya bhaskar ma lekh hato ke gujrat ma ek gam ma haji pan dalito ne mandir ma entry nathi …..

                    su aema pan dalito no hath che bhai…

                    ane bharat aje no 1 nathi aenu karan pan asamanat a j che…koi pan country lai lo kya j avu nathi..

                    swami vivekanand ae kahyu tu ke aa des ma pachato par jetla julam thaya che atla kyay nay thaya hoy…

                    ane bhai caste system ne fagavi che atle to mane mari jat par proud che
                    ane ha mari gar ni vat na muliya fakt caste sytem ma j che..

                    ane bhai ame jagi j gay che…aje tame chandkheda ne lai lo 70% loko dalito j che je well educated che…

                    Like

                2. ભાઈશ્રી મયંક, તમે ટાંકેલા કે ઉભા કરેલા એકાદ બે મુદ્દા પર લખું તો, પહેલું તો તમે એક જગ્યાએ એમ પુછ્યું છે કે કેટલી જાતિઓ અને કેટલા ગામડાઓ છે જે હજુ ભણી નથી શક્તાં. તો શું હજું તમે એમ કહેવા માંગો છો કે એવું થવા છતાં અનામત અસરકારક છે? ભાઈ, જે જાતિ કદી છેલ્લાં ૬૦ વર્ષમાં ભણી નથી તે આ અનામતને કારને આવતા ૬૦૦ વર્ષમાં પણ ભણશે કે નહી તેની શું ખાતરી? અને આ જ તર્ક ગામો માટે વાપરીએ તો? શું તમે એવો દાવો કરો છો કે આખે આખા ગામો જે ફક્ત ‘દલિતો’ની જ વસ્તિ ધરાવે છે, તે જ શિક્ષણથી વંચિત છે? ભાઈ, શિક્ષણ તો અનેક ક્ષત્રિય, વાણિયા અને બ્રાહ્મણના છોકરાઓને પણ આજે નથી મળતું જેની પાસે પૈસા નથી કે જેના ગામમાં શાળા નથી. એ લોકોને આ દલિત નહી હોવાનો અફસોસ હશે અને તમને દલિત હોવાનું દુખ છે. જીવનને ક્યારેક અન્ય આયામથી પણ જોવું જોઈએ. આ સમગ્ર અનામત પ્રથા ખોટી છે. હા, તેને શરૂ કરનારનો ઉદ્દેશ કાંઈક અન્ય હતો, પણ હવે તેનો અર્થ ફક્ત મત સિવાય બીજો કશો રહ્યો નથી.

                  શું તમને જાણ છે કે તમારે અનામત સિટમાં એડમિશન લેવું કે નહી તે તમારા પોતાના ઉપર આધાર રાખે છે? તમે કોઈક ફોર્મમાં પરમાર, વાઘેલા, ચાવડા કે એવી કોઈ અટક લખી નાંખો એટલે આપોઆપ આપનું ફોર્મ અનામત કેટેગરીમાં ગણતરીમાં નથી લેવાઈ જતું. તમારા દલિત પરિવારોમાંથી તમે કોઈ પણ પરિવાર એવો જોયો જ નથી જેના દાદા ૬૦ વર્ષ પહેલા આ જ અનામતનો ફાયદો લઈને ડોક્ટર બન્યા હોય, અને પછી એના પપ્પા ૪૦ વરસ પહેલા એન્જીનિયર પણ એ જ અનામત સિત પર બન્યા હોય, અને આજે એ જ તમારો દલિત મિત્ર એ જ અનામત સિટ પર ૩૭.૫ ટકાએ એમ.બી.એ.માં એડમિશન લઈ આવે અને કહેવાતો સવર્ણ વિદ્યાર્થી ૭૩ ટકાએ પણ મોં વકાસીને બેસી રહે? અનામત પ્રથાનો ઉપયોગ મહદંશે એવા જે લોકોએ કર્યો કે જેને એક વખત તેનો લાભ મળી ચુક્યો હતો. નવા લોકોતો બહુ ઓછા ઉમેરાયા. આંબેડકરે ક્યારેય એવું નહોતું કહ્યું કે એકને એક વ્યક્તિને મદદ કરતા રહો. આવું બધું થાય છે માટે કહેવામાં અને માનવામાં આવે છે કે અનામત પ્રથા ખોટી છે. શું એવા ડોક્ટરો કે એન્જીનિયરો કે સરકારી ઓફિસોમાં અનામતના જોરે પ્રમોશન લઈ બેઠેલા અને (ઉપરની અને નીચેની બંને આવકથી) અઢળક કમાતા તમારા કહેવાતા દલિતોએ ક્યારેય પોતાના બાળકોને ઓપન કેટેગરીમાં જ એડમિશન અપાવવાનું વિચાર્યું સુદ્ધાં છે?

                  બીજો મુદ્દો તમારા મકાન ખરિદવાના પ્રસંગનો, હા, તે ખરેખર ખેદની વાત છે. પણી એવું ફક્ત તમારી સાથે જ કે દલિતો સાથે જ થાય છે એવું પણ નથી. વેચનારને પોતાનું મકાન કોને વેચવું તેનો પુરેપુરો હક્ક હોય છે. તમને તો ખબર હશે કે આપણા દેશમાં એટ્રોસિટીનિ કાયદો છે, તો શું તમે તે સોસાયટીની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ કરવાનું ના વિચાર્યું? કેટલીય સોસાયટીઓ છે અમદાવાદમાં જેનું નામ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી કે જૈન સોસાયટી, ખ્રિસ્તી કોલોની, વગેરે છે. આ બધી જ હાઉસિંગ સોસાયટી તરિકે રજીસ્ટર થયેલી હોય, અને દરેકના પોતાના એમઓયુમાં અમુક નિયમો લખેલા હોય તેને હેઠળ જ તે મકાનો વેચી શકે. મારા પપ્પાએ એક ફ્લેટ બાંધ્યો હતો, જેમાં અમે રહેતાં હતાં. એ ફ્લેટ પણ આવો જ હાઉસિંગ સોસાયટી એક્ટ હેઠળ બાંધેલો હતો, અને તે હાઉસિંગ સોસાયટીના ઠરાવમાં એવું લખેલું હતું કે તે સોસાયટીનો સભ્ય ફક્ત એ માણસ જ બની શકે (એટલેકે તે ફ્લેટમાં મકાન ફક્ત એ માણસ જ ખરિદી શકે) કે કોઈક ચોક્કસ બેંક (જે બેંકમાં મારા પપ્પા કામ કરતા હતાં તે)માં નોકરી કરતો હોય કે એ બેંકમાંથી રિટાયર થયો હોય. અમારા ફ્લેટમાં એક મુસલમાન અને એક ખ્રિસ્તી, અમુક બ્રાહ્મણો, બે લોહાણા, ૧-૨ પટેલ એમ બધાં જ રહેતાં. કોઈક દલિત (જો કે મને હજુ ખબર નથી કે દલિત એટલે કોણ) ફ્લેટ લેવા આવ્યો હોત તો તે પણ અમારી સાથે રહેતો હોત. હવે કેમકે મારા પપ્પા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કામ નહોતા કરતાં, સ્ટેટ બેંકના કોઈક કર્મચારીને અમારા ફ્લેટમાં મકાન જોઈયું હોય તો સોસાયટીએ તેને ના પાડી જ હોય, અને એવા એક-બે નહી અનેક દાખલા હતાં જેમાં બ્રાહ્મણોને અમારી સોસાયટીએ ફ્લેટ રિસેલ કરવાની પરવાનગી ના આપી હોય. હવે આ વાતમાં આખો દલિત પ્રશ્ન કેવી રીતે ફીટ કરી શકો? જુહાપુરાની અલ ફઝલ (કે એવી કોઈ પણ) સોસાયટીમાં હું જાતે બ્રાહ્મણ અને અનુકરણે શૂદ્ર એવો વ્યક્તિ મકાન ખરિદવા જઉં તો કદાચ મુસલમાન ના હોવાને કારણે તે મને મનાઈ પણ કરી દે, તેમાં મને કશું ખોટું નથી દેખાતું.

                  તમે કહ્યું છે કે ગાંધીએ સમાનતા લાવવા પ્રયત્ન કર્યો હોય તો એ વાત ભુલી જજો, તો શું હરિજન જેવો શબ્દ ભંગી કોમને આપ્યો તે શું સુચવે છે? એની કોમેન્ટ ઓન ધેટ ભાઈ? અને જો આંબેડકર ના જન્મ્યા હોત તો અન્ય કોઈક જન્મ્યું હોત કે કદાચ ગાંધીજીને આઝાદી પછી થોડો વધારે વખત જીવવા મળ્યું હોત અને તેમણે સમાજની હાલત જોઈ હોત તો તેમને જ કશુંક કર્યું હોત. જે માણસ આખા દેશ માતે લડી શકે, આંબેડકરને એમ કહી શકે કે ૧૦ વર્ષમાં ઉંચનીચના ભેદભાવ મટી જશે, તે વ્યક્તિએ તમને એમ લાગે છે કે કશું ના કર્યું હોત? તમારે આભાર માનવો જોઈએ ગોડસેનો કે તેમણે તમને આ બધી દલિલો કરવાનો અને ગાંધીને ગાળો દેવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આનંદો!!

                  કેમ કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય એ કામ કરવા નથી જતો, એ પ્રશ્નનો અર્થ શું અમારે એમ સમજવો કે પટેલ, વણિક, અને અન્ય દલિત કોમો જેવીકે નાઈ, લુહાર, ચમાર, આદિવાસી વગેરે તે કામ કરવા જાય છે? ભાઈ દલિત એટલે શું ઝાડું વાળનારા એકલા જ? ચાલો એક સમયે માની લઉં કે બ્રાહ્મણ હોવા છતાં મારી પાસે કોઈ નોકરી નથી. મારે ઝાડું વાળાની નોકરી કરવી છે, તો શું મને એ નોકરીનું ફોર્મ પણ ભરવા મળશે? તમે જરા એ તપાસ કરીને મને જણાવશો તો આગળ ચર્ચા કરવાની મજા પડશે. તમે કોઈક છાપાંમાંથી સફાઈ કામદારની જગ્યા માટે છપાયેલી એકાદી જાહેરાત જોશોને તો પણ તમને ખબર પડી જશે કે કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય જ નહી, વાણિયા, પટેલ, સોની, ખાર, આદિવાસી, વાળંદ કે એવી અન્ય દલિત-અદલિત પ્રજામાંથી કોઈ આજ સુધી એ કામ કરવા નથી ગયું. ચાલો, આજે તમારા માટે પુરતું ઘરકામ અપાઈ ગયું છે, એટલે અહીં અટકું છું.

                  Like

                  1. bhai pehla to tame brahman cho atle hu je kahis ae kadach tamne nay game… pehla to tamne janavi dav ke ajthi 60 varas pehla ketla dalito study karta hata ane aje ketla kare che ?

                    jo reservation khotu j hot to study karnarni sankhya ma vatharo thayo na hot….bhai 5000 varaso suthi tamne j study no hak hato ane amne fakt 60 varas thi malyo aema to tamne problem thava lagyo…

                    bhai tame mane kaho cho ke jivan ne kyare biji najar thi pan jovu to have tamnari vari che jovani..

                    bhai ane tamne ek biji vat janavu hu briliant hato atle j me admision open category ma j lithu hatu jethi koi bija ne reservation no faydo thay…tame kadach na mano pan mara 12th sci ma 90% hata…atle j me poen ma j admision lithu hatu atle mehrbani karine tamata vaicharo ne thodu navu vicharvano time apo…

                    biju to tame jyare 5000 vara thi kem tamara brahman parivare aem na kahyu ke have sudra ne study no hak apo ?

                    kem 5000 varas pan ocha padta hata tamara mate ?

                    uparthi tamne to aem thavu joie ke have batha j same educated thai rahya che,,to bharat agad avse …ok atle tame ae vat to naj karo…

                    biji ke su tamne unchi post par avela dalit sathio thi problem che…kem tamne na gamyu ke koi dalit apni upar hoy..ane su fakt dalito j lanch le che bhai ?

                    100 govt. employ ma thi fakt 10 j reservation thi hoy to pan tamne problem..90 to open category na che ne bhai aem to vicharo kadi…ane ha

                    tame kehta ta ke 40 varash pehla koi anamat thi bhanto to mara mama indian railway ma class 1 che,mara masa ONGC ma class 1 che,mara father bank ma che bolo have ?

                    bhai ek vat kahu jyare pan gandhi ae fast karya tyare fakt ek j resean hatu dr. ambedkar aemni pase dalito na sawal laine jay…

                    ane ha su tamne dr. ambedkar nu kam na gamyu ? kem bhai temne to samaj mathi achut system j todi nakhvano efort karyo …
                    me to kadi koi open category vada na mothi dr . ambedkar na vakhan j nathi sambhadya ….kem ?

                    ane rahi vat mara garni to ae flt hato ane aema brahman,rajput,vania batha ne admisoin hatu atle garni vat par tamari bachav ni vat khoti j che,,,ane ha hindu ma j avu che,,ame atyare christion flat ma rahie che ,,temne to amne na n kahyu ?

                    biji vat ke mane ek example apo ke bhangi samaj sivay koi brahman.rajput,ke vania ae rasts saf karvani sweeper ni job karta hoy ?

                    atle khoti vat na karo bhai koi j nathi kartu ..tamne pan khabar che.,,,khoti dalil na karo…hu aeno j opose karu chu kem tame apply kari do ?

                    jou bhai hu bgandi samaj no nathi to pan aemno support karu chu kenke mare samanata joie che….

                    ane ok,,ajnu homework karu balinu kale apis ….jay mata di

                    Like

                    1. મયંકભાઈ, તમને પુછેલા સવાલનો જવાબ તો તમે મને આપ્યો નથી, અને આશા રાખો છો કે હું તમને તમારા સવાલોના જવાબ આપું? તમે ગુજરાતી ભાષામાં લખો છો એટલે મને થયું કે તમને ગુજરાતી ભાષા અને ગુજરાતી લિપી આવડતા હશે, એટલે જ મેં મારો ઉપરનો સંદેશો ગુજરાતીમાં લખ્યો હતો. જો તમને તે સમજવામાં તકલિફ પડતી હોય તો કહો જેથી મેં શું સવાલ તમને પુછ્યો હતો અને તમને શું ઘરકામ સોંપ્યું હતું તે તમને સમજાય તે ભાષામાં જણાવી શકું. મહેરબાની કરીને મેં પુછેલા સવાલના જવાબ ના મળે ત્યાં સુધી એકે વખત એ વાત રિપિટ ના અક્રશો કે “કેમ કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય રસ્તા સાફ કરવા નથી જતો?”.

                      આ પહેલા પણ દીપકભાઈ અને દર્શિતભાઈ તમને જણાવી ચુક્યા છે કે તમે વાતને સમજતા નથી અને તેમાં ના લખેલા અર્થો કાઢી તમે તમારી નિરર્થક દલીલો કરો છો. તમને કદાચ મારી વર્ણવ્યવસ્થા પર લખેલી પોસ્ટ વાંચવાથી અંદાજ આવશે કે અસ્પૃશ્યતા માટે મારા શું વિચારો છે. જો સમય મળે તો http://dsvyas.wordpress.com/2011/06/06/bg413 આ લિંક પર ક્લિક કરીને તે વાંચી જોજો, મેં બ્રાહ્મણે શેરી વાળવાની નોકરી જોઈતી હોય તો તે સંદર્ભે તમને પુછેલા સવાલના જવાબ જો આપી શકો તો મારી સાથે આગળ ચર્ચા કરજો, નહીતર જય શ્રી કૃષ્ણ!

                      Like

  3. I am not Gandhivaadi. Keeping this in mind, read further.

    મોટાભાગે તૈયાર પ્લેટફોર્મ પર ગાંધીજીને બેસવા મળી ગયું.
    First, it is really poor to bring down a character (who contributed tremendously by putting himself & his life at stake) by simplistic analysis in form of a blog post. Whether you agree with somebody’s way of thinking/doing is a different debate, but to pull someone down despite what has been done is not graceful, when one compares Gandhi to your/my contribution to the community.

    As I had commented earlier, try & mobilize a few people to see how much strength of a character is needed.

    શિસ્તબદ્ધ માર ખાવાની,આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી.અંગ્રેજો થાકી ગયા.
    Are you serious?

    એકલાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવું કહેવું અને માનવું વધારે પડતું છે.અહિંસાએ આઝાદી અપાવી તેવું કહેવું પણ વધુ છે.
    I agree.

    આપણે હિંસક તો છીએ,પણ ટોળામાં.કોઈ શિસ્તબદ્ધ સૈન્ય સામે નહિ.
    To fight “શિસ્તબદ્ધ સૈન્ય”, one needs “શિસ્તબદ્ધ સૈન્ય”. Do we not have army/navy/air-force?

    આપણે અહીન્સકો ભાગલા પડ્યા ત્યારે એકબીજાને પોતાના ભાઈઓને સામસામી મારીને બહાદુર બની ગયા.આશરે ૧૦ લાખ લોકો માર્યા ગયા.ક્યાં ગઈ અહિંસા?
    In one’s own house, not all the children might listen to father’s advice. With that in mind, do you think everyone followed Gandhi’s advice?

    If you think everyone was influenced by Gnadhi, why did Bhagat singh/Netaji choose the other route?

    Gandhi wasn’t against British as long as the empire treated people equally as they were, in England. The kind of discipline (which we lack, even today) could be achieved, if we were under the empire. Gandhi fought against the government & its different attitude towards India & its people.

    A request: Don’t summarize things such as life of an individual, his character, his deeds are too small to fit in a blog post. How much does one understand oneself, to be able to comment on other’s life, character?

    Like

    1. આઝાદી સમયે સૈન્ય અંગ્રેજોનું હતું.એમાં ભારતીય લોકો હતા જે અંગ્રેજોના વફાદાર હતા અને જનરલ ડાયરના ઓર્ડરથી લોકો ઉપર ગોળીઓ છોડનારા આજ લોકો હતા.

      Like

      1. yes i agree with you sir,

        8 out of 10 were indian people in British Army in India that time

        — bharat parmar (Rajkot)

        Like

  4. “ભેંટ મા મળેલી આઝાદી એ દેશ ને નપુંસક બનાવી દિધો છે એ પણ એક વરવી હકિકત છે જે ગાધીજી ની અહિંસા ને આભારી છે.”

    આપણે સાવ નપુંસક નથી, એટલું જ કે સ્વાર્થ હોય તો જ લડીએ છીએ. તેને માટે ગાંધીજીને દોષ ના દઈ શકાય. અમારા બચપણમાં સેવાદળમાં જતા. ત્યાં ગાંધીજીએ આપેલા અગિયાર વ્રતોનું પારાયણ કરાવતા. તેમાં “સ્વાર્થત્યાગ” પણ એક હતું. પરંતુ તે પણ સહેલું તો નથી. આપણે તે પણ સ્વીકારી ના શકયા. નપુંસક તો ઠીક, આપણે તો સ્વદેશપ્રેમ વિહીન પ્રજા બની ગયા છીએ. તેનો દોષ કોને દઈશું?

    Like

  5. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ સ્વતંત્રતાની લડતમાં તાત્કાલિક જોડાવાને બદલે ગાંધીજીએ દેશ આખાનો પ્રવાસ કરેલો અને સામાન્ય જનતાની વાસ્તવિક પરિસ્થિતિનો સુક્ષ્મ રીતે જાતેજ અભ્યાસ કરેલો. ગાંધીજી આવ્યા પહેલાં સ્વતંત્રતાની લડત શરૂ થઈ ગયેલી પરંતુ આ ચલવળ શહેરો પૂરતી મર્યાદિત હતી. છેક છેવાડેના આદમી સુધી આ ચળવળ પહોંચી નહિ હતી. ગાંધીજીએ દેશના પ્રવાસ દરમિયાન લોકોમાં પ્રવર્તતી દારુણ ગરીબી જોઈ. કોઈ ગામમાં એક ઘરમાં બે સ્ત્રીઓ વચ્ચે માત્ર એક સાડી જેવું કપડું અંગ ઢાંકવા જોયું અને જે સ્ત્રી બહાર જાય તે આ ઓઢણું ઓઢીને જાય બીજી ઘરાના ખૂણામં નગ્ન બેસી રહે. આ પરિસ્થિતિ જોયા બાદ ગાંધીજીએ પોતે પણ માત્ર એક નાનું એવું ધોતીયું ધારણ કરવાની શરૂઆત કરી જેથી સામાન્ય જન સમુદાયને ગાંધીજી પોતા માહ્ય્લા જણાયા અને બાદ આ ચળવળ દેશના ખૂણે ખૂણે અંતરિયાળ ગામડાં સુધી વિસ્તરી. ગાંધીજીના જીવનની એક વાત વિચાર-વાણી અને આચરણમાં એક સંવાદિતાએ તેમને લોક નાયક બનાવી દીધા. ઉપરાંત તેમની સાધ્ય મેળવવા સાધન શુધ્ધિના આગ્રહમાં ભાગયેજ છૂટછાટ લીધી.એવા અનેક પ્રસંગો નોધાયા છે કે જ્યારે પણ આંદોલન હિંસા તરફ વળતું તો તેઓ આંદોલન પાછું ખેંચી લેતા અચકાયા નથી. એક વાત સાથે હું સહમત છું કે જો બ્રિટન આર્થિક રીતે દેવાળ્યું ના થયું હોત તો આઝાદી ના મળી હોત. એક બીજી વાત મને લાગે છે કે જો બ્રિટનને બદલે બીજા કોઈ દેશ જેવાકે ફ્રાંસ,જર્મની કે પોર્ટુગ્લ સામે આઝાદીની લડાઈ લડવાનું આવ્યું હોત તો કદાચ આવા દેશોએ ચલવળ વેગ પકડે તે પહેલાં જ કડક હાથે દબાવી દીધી હોત અને ગાંધીજીની હત્યા કરતા પણ અચકાયા ના હોત !

    Like

    1. એકદમ સાચું અવલોકન.ગાંધીજીએ પોતડી પહેરવાની શરુ કરી દીધી કે મારા દેશના લાખો લોકો પાસે પુરતા કપડા નથી અને હું આટલા બધા પહેરું?હવે આજે મોરારીબાપુ આની નકલ કરે છે ગાંધી બનવાનો ટ્રાય કરે છે અને ધનના ઢગલામાં આળોટે છે.બાપુ ઓરિસ્સાના કોઈ આદિવાસી સ્ત્રીને કંબલ આપી આવેલાં.

      Like

  6. હું દીપકભાઈ સાથે સંપૂર્ણ સહમત છું. જો કે એ વાત તો સહુ સ્વિકારે છે કે અંગ્રેજો બે-બે વિશ્વયુદ્ધ લડીને નબળા ના પડ્યા હોત, પાયમાલ ના થયાં હોત તો ભારતને આઝાદી ૧૯૪૭માં ના મળી હોત, પણ એનો અર્થ એ નથી કે આઝાદી મેળવવામાં ગાંધીજીની ચળવળનો કોઈ ફાળો નથી. કોઈપણ ચળવળ આગળ ધપાવવા માટે બળની જરૂર પડે છે, આ બળ બે પ્રકારનું હોય છે, એક તો આર્થિક બળ અને બીજું શારિરીક બળ. આમાંથી શારિરીક બળ જો મળી જાયતો આર્થિક બળની વ્યવસ્થા અવશ્ય થઈ શકે છે, પરંતુ તેથી ઉલટું ફક્ત આર્થિક બળની મદદથી બધું કામ પાર પાડી નથી શકાતું. ગાંધીજીની લડતમાં શારિરીક બળતો જનતા પુરું પાડતી જ હતી, અને આર્થિક બળ માટે તેમણે કેટલેક અંશે જવાહરલાલ નહેરૂને સાથે રાખ્યાં. આ વાતનો જીવતો જાગતો દાખલો આતંકવાદને ગણાવી શકીએ. આતંકવાદીઓ વિશ્વભરમાંથી મનીલોન્ડરિંગ કરીને અબજો રૂપિયાનું ભંડોળ એકઠું કરે છે, પણ છેવડે તેમના બોમ્બ્સ ડિપ્લોય કરવા માટે અને તેને ફોડવા માટે તેમને ‘સ્વયંસેવકો’ની જરૂર પડે જ છે. કેમકે ગાંધીજી મહદંશે અહિંસક માર્ગે લડવાની તરફેણમાં હતાં તેથી તેમણે આવા આત્મઘાતી લોકો તૈયાર ના કર્યાં, પણ જે લોકો તેમની ચળવળમાં જોડાયા તેઓ હજુ આજે પણ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ઘણા લોકોએ વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો, ઘણા લોકોએ ખાદી ધારણ કરી હતી, જો ગાંધીજીએ આહ્વાહન કર્યું હોત તો ચોક્કસ તેમાંથી અનેક લોકો આત્મઘાતી હુમલા કરીને અંગ્રેજોને લડત આપી શક્યા હોત, એટલે એવું કહેવું તદ્દન સત્યથી વેગળુ લેખાય કે આપણી નિર્માલ્ય પ્રજાએ નબળાઈને કારણે હિંસા ત્યાગીને અહિંસાનો માર્ગ અપનાવ્યો.

    તમે આપેલા મૌક ઉદાહરણો અને તર્કો પણ તદ્દન ખોટાં છે, જેમકે “શેરીમાં બે કૂતરા લડતા જોયા જ હશે.એક કૂતરું પૂછડી દબાવી આળોટી પડે તો બીજું એને બહુ મારી નહિ શકે” શું તમે એનિમલ સાયકોલોજીના જાણકાર છો? જાણકાર તો હું પણ નથી, પણ તમે જે વર્ણવ્યું છે તે લક્ષણ કોઈપણ લડાઈના મૂળભુત સિદ્ધાંતોનું છે, અને એ છે કે બે પક્ષમાંથી એક પક્ષ હાર સ્વિકારી લે તેના ચિહ્નરૂપે તે શસ્ત્ર હેઠા મુકી દે. અને હાર સ્વિકારી લીધા પછી લડાઈનો અવકાશ નથી રહેતો. આ ઉદાહરણમાં આળોટતું કુતરું પોતાની હાર સ્વિકારે છે તે કારણે ઉભેલું કુતરું તેને છોડી દે છે તેવું પૃથક્કરણ કોઈપણ સમજદાર વ્યક્તિ કરી શકે. તમારા તર્ક પ્રમાણે તો લડાઈ લડતા-લડતા એક પક્ષના હાથમાંથી અકસ્માતે હથિયાર પડી જાય કે તે કોઈ કારણે થાકી જાયતો સામે વાળો પક્ષ (તમારા કહેવા પ્રમાણે) લડાઈ છોડી દે કારણે તેને હવે સામે વાળાને મારવામાં કોઈ રસ રહેતો નથી? તમે ખરેખર સિરીયસલી આ વાતો લખી છે? શું ખરેખર આવું થાય? અરે ભાઈ, હથિયાર પડી જાય તો સામેનો પક્ષ તરતજ પ્રબળ વાર કરીને તેનો વધ કરી નાખે. હા, સત્યાગ્રહ બાબતે તમે કહેલી વાત અને રજનીશજીનું દૃષ્ટાંત ચોક્કસ બંધબેસતું છે.

    “શિસ્તબદ્ધ માર ખાવાની,આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી.અંગ્રેજો થાકી ગયા.સામસામી લડવામાં ઓછો થાક લાગે.એક તરફી લડવામાં જલદી થાકી જવાય.”… અંગ્રેજો કદી એક તરફી લડતા નહોતા, તેમની સામે ગાંધીજીએ અનેક પડકારો મુક્યા હતાં, જેમાં લોકો સડક પર આવીને લડતા હતાં, શસ્ત્રો સાથે લડવું અને નિશસ્ત્ર લડવું બંને એક સમાન વાત છે. વાત છે લડતની. અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, પિકેટિંગ, વગેરે અનેક ઉદાહરણો છે સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોને આપેલી લડતની, એટલે તમે કદાપિ એવું ના કહી શકો કે અંગ્રેજોને સામે લડત નહોતી મળતી એટલે તે થાકી ગયાં, ઉલટાનું એવું કહેવું જોઈએ કે અંગ્રેજોને ડગલેને પગલે જનતાનો વિરોધ સહન કરવો પડતો જે લડતનો જ એક પ્રકાર હતો, જેને કારણે તેઓ ધાકી ગયા હતાં.

    હવે ઘણા લોકોએ ઉઠાવેલા મુદ્દા “બ્રિટન નાનો દેશ હોવા છતાં અડધી દુનિયા પર રાજ કર્યું” પર ચર્ચા કરીએ તો, તેનું એક માત્ર કારણ એ હતું કે તે દેશ ચાંચિયાઓનો દેશ હતો અને હજુ આજે પણ છે. સમુદ્રની વચ્ચેવચ રહીને તેની પ્રજા દરિયો ખેડવામાં પાવરધી બની જાય અને તેથી ચાંચિયાવૃત્તિ ચાલું કરીને લોકોને લુંટીને અઢળક નાણું એકઠું કર્યું હોય તો દુનિયાના ગમેતે ભાગ પર રાજ કરી શકે. અડધી દુનિયા પરજ કેમ રાજ કર્યું એ પ્રજાએ એ સવાલ ઉભો થવો જોઈએ. તેની સાથે દેશના કદને કોઈ લેવા દેવા નથી.અમેરિકા અને રશિયા બંને ઘણા વિશાળ દેશો છે, છતાં તે દેશો સુપેરે ચાલે છે.

    દર્શિતભાઈની દલિલ પણ ખોટી છે કે ભારતમાં ૩૭ ટકા આવકવેરો ગુજરાતમાંથી જાય છે, માટે ગુજરાતે ભારતમાંથી અલગ થઈને એક દેશ બની જવું જોઈએ. દેશ ચલાવવા માટે ફક્ત નાણા નહી શક્તિ પણ જોઈએ. ભાઈ, ભારતમાં ગુજરાતનો કેટલો ટેક્સ જાય છે તે તો કહ્યું પણ એ જ ભારત દેશને વિદેશીઓથી બચાવી રાખવા માટે સૈન્યની પણ જરૂર પડે છે, બોર્ડર પર નોટોનો વરસાદ કરીને દુશ્મનોને પાછા નથી ધકેલી શકાતાં. તો પછી જરા એ પણ તપાસ કરી જોઈએ કે ભારતના સૈન્યમાં કેટલા ટકા ગુજરાતીઓ છે? જો ૩૭%ની આવકને કારણે ગુજરાત એક દેશ બની જશે તો શું તેની પાસે પુરતું સૈન્ય તૈયાર થઈ શકશે વિદેશીઓની સામે લડવા માટે? કે પછી ફરી પાછો ભુપેન્દ્રભાઈએ બ્લોગ લખવો પડશે કે “પૈસાને જોરે સ્વતંત્ર થયેલા નિર્માલ્ય ગુજરાતે સ્વતંત્રતા કેમ ગુમાવી?” ચાલો, એક સમય માટે એમ માની પણ લઈએ કે ભારતીય સૈન્યમાં પણ ગુજરાતીઓ ૩૦% છે, અને માટે ગુજરાતનો બોર્ડર પર સંપૂર્ણ સુરક્ષા મળી રહેશે. પણ તમે અને તમારા સ્ટેટેસ્ટિશ્યન મિત્રએ એ તપાસ કરી છે કે આખા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક સરખો ટેક્સ આવે છે? બનાસકાંઠા કે જે સુક્કો વિસ્તાર છે અને ઘણોબધો ભાગ આદિવાસી પ્રજાથી ભરેલો છે, શું તેમાંથી પણ સરેરાશ ૩૦-૩૭ ટકા ટેક્સ મળી રહે છે? બધાજ જિલ્લાઓ એક સરખા ખેતી અને ઉદ્યોગોમાં સક્ષમ છે? શું કચ્છ તેના ટુરિઝમ અને હસ્તકલાની આવકમાંથી આ ૩૦-૩૭ ટકાનો રેશિયો જાળવી શકશે? તો જ્યારે ગુજરાત દેશ બની જશે ત્યારે અમદાવાદ-વડોદરા-સુરત એમ કહેશે કે અમે જ સહુથી વધુ ટેક્સ ભરીએ છીએ, તો પછી અમારા ટેક્સના પૈસામાંથી બનેલી આ નરબદા કેનાલનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી શું કામ જાય? અને આમારા દેશના આવા નબળા અને ગરિબ રાજ્યો (કેમકે કચ્છ અને બનાસકાંઠાને આપણે રાજ્યનો દરજ્જો આપવો પડશે ને?) અમારી આવકમાંથી શું કામ ભાગ પડાવી જાય? તો પછી એક કામ કરીશું? આપણે અમદાવાદ દેશ, સુરત દેશ, વડોદરા દેશ, રાજકોટ દેશ એવા અમુક દેશો બનાવીએ અને ભલે બનાસકાંઠા જેવા ગરીબ વિસ્તારો ભારતમાં રહે, એથી આપણને શું?

    મોરારીબાપુએ ક્યારેય એવું કહ્યું છે કે ગાંધીજી પોતડી પહેરતા હતા એટલે હું પહેરું છું? આપણે તો કાલે ઉઠીને સોનિયા ગાંધી સાડી પહેરે છે તેની સાથે કસ્તુરબાને જોડી દઇએ તો શું એ સત્ય બની જશે? મોરારીબાપુ અને ગાંધીજીની સરખામણી કોઈ કાળે થઈ શકે નહી, અને તે પણ ફક્ત એ કારણે તો નહી જ કે બંને જણાએ ધોતીને પોતાનું વસ્ત્ર બનાવ્યું છે, (જો કે બંનેની ધોતીની લંબાઈમાં કદાચ અડધોઅડધ ફરક હશે) અને બંનેના માનમાં ‘બાપુ’ શબ્દ આવે છે…

    Like

    1. બહુ સરસ વિચારવા લાયક ડીસ્કશન થઇ રહ્યું છે.શિસ્તબદ્ધ મારા ખાવાની યોજનાઓ વાક્ય જરા કટાક્ષમાં લખાયેલું છે,કે અસહકાર,પીકેટીંગ અને બીજી લડતની યોજનાઓમાં ભાગ લેનારને લાઠીઓનો ખૂબ માર પડતો.માટે લખ્યું છે.પણ લાઠીઓ ખાવા માટે લોકોને તૈયાર રહેવા માટેનું માનસિક બલ ગાંધીજી પૂરું પાડતા તે હકીકત છે.ભાઈ અમે ગાંધીજીના કોઈ વિરોધી નથી તે સમજી લેજો ફક્ત તાત્વિક ચર્ચા કરીએ છીએ.બીજું મોરારીબાપુએ પોતડી વાત કરી નથી,પણ ગાંધીજીએ જે વાત ઉપર વધારે વસ્ત્રો પહેરવાનું ત્યજી દીધું તેવું અનુકરણ મોરારી બાપુએ કરેલું છે ઓરિસ્સામાં કોઈને કંબલ આપીને,પછી એસી હોલમાં કથા કરવાની,કુંભના મેળામાં ૧૫ લાખના સિંહાસન બેસવાનું લાખ રૂપિયાના ટેન્ટમાં રહેવાનું ત્યારે ગરીબો યાદ નથી આવતા.ગાંધીજી આવું ના કરી શકે,તડકામાં ઉભા ઉભા લોકોને સંબોધતા.મેં ધોતીની વાત કરી નથી.આપનો પ્રતિભાવ વિચારવા લાયક છે જ.

      Like

    2. ધવલભાઈ, આભાર, મને લાગે છે કે આપણે દૂર હોવા છતાં એક જ તર્કવૃત્ત પર હતા.(‘તર્કવૃત્ત’ શબ્દ માત્ર ‘કર્કવૃત્ત’ પરથી મેં ઉપજાવ્યો છે!)

      Like

      1. ગાંધીજી વિષે એક વિદ્વાન પ્રોફેસરે લેખ લખ્યો છે તે વાચી જવા વિનંતી,એની લીંક અહીં મુકું છું.એમના કહેવા પ્રમાણે ગાંધીજીએ પ્લાન કરેલો કે એમની હત્યા થાય અને ફેમસ થઇ જવાય,અને આઝાદી કોણે અપાવી??વાંચીને પછી કોમ્યુટર ઉપર રોષ ના કાઢતા.શાંતિથી બંધ કરજો.ધવલભાઈની કોમેન્ટ પણ તેમાં છે.http://vicharo.com/2011/04/18/non-violence-free-india/

        Like

        1. ભૂપેન્દ્રસિંહભાઈ,
          લેખ બધી કૉમેન્ટૉ સહિત વાંચ્યો!મઝા આવી. લેખકને પણ તમારા આ જ મંચ પર મળ્યો છું કે કેમ?

          Like

      2. એકદમ સાચી વાત કરી દીપકભાઈ, પણ મને આ તર્કવૃત્ત શબ્દ ના સુઝ્યો… ગુજરાતી વર્ડ ઓફ ધ ડે કે વર્ડ ઓફ ધ ઇયર તરિકે યાદ રાખવો ઘટે.

        ભુપેન્દ્રભાઈ, તમારી મોરારીબાપુ અને અન્ય બાપુઓ પ્રત્યેની દૃષ્ટિ સમજી શકાય તેવી છે, હું પણ તે કાંઈક અંશે એવા જ વ્યુહ તે બધા માટે ધરાવું છું. પણ સાથેસાથ પુરેપુરો દોષ તેમને દેવાને બદલે અંધ લોકોને વધારે દોષ દઉં છું જે એમની પાછળ લાખો-કરોડો ખર્ચે છે.

        કલ્પેશભાઈના બ્લોગનો ઉલ્લેખ મેં જાણી જોઈને ટાળ્યો હતો, કેમકે ત્યાં ઘણા જુદા મુદ્દા ચર્ચાયા હતાં, અને મેં મારા સંદેશામાં લખ્યું છે તેમ મને તે લેખમાં ઘણા માહિતીદોષ જણાયા છે. તમે લખો છો તેવું એ બ્લોગમાં સાબિત નથી થતું કે ગાંધીજીએ પોતાની આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હતો. તે ફક્ત એક તર્ક માત્ર છે, જેનો એક પાયો ઝીણાના મૃત્યુરૂપે હતો, જેની મેં ટીકા પણ કરી છે. એક માત્ર પાયા પર ટકેલો તર્ક કેવી રીતે સુદૃઢ હોઈ શકે? અને તે પણ ત્યારે કે જ્યારે એ એકમાત્ર પાયો પણ લંગડો હોય? હા, ગાંધીજીને આઝાદીનો પુરેપુરો યશ ના આપી શકીએ એ વાત સાચી, પણ સાથેસાથે તેમને આપણે આઝાદી પછી વિકસાવેલી બદીઓને લીધે અપયશ પણ ના જ આપી શકીએ. આજે ભારતની જે હાલત છે તે ગાંધીજીને કારણે, અંગ્રેજોને કારણે કે ભુપેન્દ્રસિંહજીની વખતોવખતનિઇ દલિલ રૂપ ભારતીયોની ધર્માંધતાને કારણે નહી પણ આપણા તદ્દન ચરિત્રહિન રાજકારણીઓ અને નૈતિકતાવિહોણી જનતાને કારણે છે. જ્યાં સુધી આપણી જનતા (જેમાં પરદેશમાં વસતા મારા તમારા જેવા સહુનો સમાવેશ થઈ જાય છે) નૈતિકતાથી વર્તવાનું અને જીવવાનું નહી શીખે ત્યાં સુધી ભારતના આ ભ્રષ્ટ રાજકારણીઓનો વાળ પણ કોઈ વાંકો નથી કરી શકવાનું.

        આપે કરેલા વર્ણાશ્રમ અને જ્ઞાતિપ્રથા પર ક્યારેક અલગથી ચર્ચા કરીશું, ખરૂં કહું તો ઘણા વખતથી આ વિષય પર લખવાનું મન થાય છે, બધી કડીઓ બરાબર ગોઠવાતા મારા બ્લોગ પર લખીશ, આશા છે કે એ વિષય પર આપ, દીપકભાઈ અને દર્શિતભાઈ સાથે ત્યાં વિગતે ચર્ચા કરવાનો અવસર મળશે.

        Like

        1. એમના તર્ક વાંચીને ઘણીવાર રડવું આવે છે.બીજુ અંધ લોકોનો દોષ પહેલો ગણાય.હુએવું કહેવા માંગું છું કે અહીં ધર્મોએ નૈતિકતા કેમ શીખવી નહિ?અહીં ધર્મ અને નૈતિકતા જુદું જુદું છે.તો નૈતિકતા વગરના ધર્મો અને ધર્માંધતા શું કામની?

          Like

          1. ભાઈ ધર્મોએ તો નૈતિકતા શીખવી જ છે, પણ ધર્મોએ શીખવેલી બધી ચીજ ધાર્મિક વ્યક્તિઓ અમલમાં નથી મુકતા, માટે જ મેં તમારી અન્ય એક પોસ્ટમાં સવાલ કર્યો હતો કે કયો ધર્મ? આપણે નૈતિકતા શિક્ષણમાં પણ ભણ્યા છીએ પણ ગુજરાતને ૧૬૦૦ કિમી નો દરીયાકીનારો છે એવું યાદ છે, પણ ગાંધીજીની કવિતા “સત્ય, અહિંસા ચોરી ના કરવી…” કેટલા લોકોને યાદ છે? આપણે ધર્મ અને શિક્ષણ પાસેથી જેટલું શીખીએ છીએ તેથી અનેકગણું વધુ આસપાસમાંથી શીખીએ છીએ. એટલે દરેક બાબત માટે ધર્મને દોષ દેવો એ આપણી અન્ય પરિબળો પ્રત્યેની દુર્લક્ષતા લેખાય. નિર્ણય શક્તિ માટે તટસ્થતા જરૂરી છે, અને આ જ તટસ્થતા દોષારોપણ માટે પણ એટલીજ આવશ્યક છે.

            Like

    3. દિપકભાઇ તથા ધવલભાઇ તથા અન્ય મિત્રો.

      પહેલાં તો હું મારુ સ્ટેન્ડ “ક્લિઅર” કરી દેવા માગુ છું કે હું હળાહળ ગાંધી વિરોધી કે રાષ્ટ્ર વિરોધી નથી.

      હવે , ધવલભાઇ એ ઉઠાવેલા પ્રશ્નો ની વાત કરીએ. જ્યારે અલગ રાષ્ટ્ર ની માંગણી થશે ત્યારે આપે કહ્યું એમ સુરક્ષા નો પણ વિચાર થશે જ. ( આ વિષય પર એક મિત્ર સાથે ખુબ લાંબી ચર્ચા કરેલી છે, પ્રાઇવેટ મેસેજ માં ). મેં જે વાત કરી એ ફ઼ક્ત પર કેપિટા ઇન્કમ ( સરેરાશ માથા દિઠ આવક ) ની વાત કરી છે. એ આપે ધ્યાન થી વાંચવી જરૂરી છે.

      આપનો તર્ક કે ગુજરાત નાં બનાસકાંઠા જેવા જીલ્લાઓ જે હજુ અલ્પ વિકસીત / અવિકસીત છે તેમાં વિકાસ ના કાર્યો થઈ શકે છે કે નહિં? જો આપણે ૬૦ વર્ષ સુધી દેશ નાં અન્ય રાજ્યો ને જલસા કરાવી શકીએ તો કેમ કોઇ જીલ્લા નો વિકાસ ના કરી શકિએ. ? ભાઇ, મારી ચર્ચા તો મગજ ને થોડું ખોલી અને વિચારવા માટે છે. હાડોહાડ દેશપ્રેમ વિશે ભાષણો અને લેખો મેં પણ ખુબ વાંચ્યા જ છે. હજુ પણ હું તમને દેશ માં સર્વે કરાવી ને એક વખત ખાત્રી કરી લેવાનું કહિશ. તપાસ કરજો ,.. હજુ લોકો પહેલા તો બ્રામ્હણ , વાણીયા , પટેલ , રાજપુત , ગોસ્વામી , કોળી , હરીજન , મેર , આહીર , રબારી વિગેરે વિગેરે છે. પછી હિન્દુ કે મુસલમાન છે . પછી આગળ જતાં કાઠીયાવાડી કે અમદાવાદી વિગેરે છે . અને પછી ગુજરાતી કે મરાઠી છે અને પછી જો કંઇ વધે તો “ભારતીય” છે. આપ દેશપ્રેમી હશો તો મારી આ વાત નો પણ છેદ ઉડાડી દેશો એ મને ખાત્રી જ છે.

      અલગાવવાદ, કે જેનો આજે આપ વિરોધ કરો છો એજ આપ જ્યારે આપની સહનશક્તિનો બાંધ તુટશે ત્યારે સમર્થન માં આવશો. આ આજે અથવા કાલે થઈ જાય એવું પરિવર્તન તો નથી જ અને નજીક ના ભવિષ્ય માં પણ નહિં થાય પણ થશે એ ચોક્કસ વાત છે. આ અસમાનતા વધુ વકરશે ત્યારે પરિવર્તન આવશે જ. અને જો આપણી સરકારો એટલીજ સક્ષમ હોત તો “તિબેટ” આજે ય એક સ્વતંત્ર દેશ હોઇ શકેત પણ આપણી નબળી નેતાગીરી એ એક “બફ઼ર ઝોન” ગુમાવી દીધું છે. આજ ચીન અરુણાચલ પ્રદેશ અને લદાખ ને ક્યારે ગળી જશે એ ખબર પણ નહિં પડે અને લોકો દેશભક્તિ ની બાંગો પોકાર્યા કરશે. મામલો “યુએન” માં લઈ જશે અને કાયમી વિવાદ ઉભો કરી દેશે. શું આપ ચીન ની “પાકિસ્તાન ઓક્યુપાઇડ કશ્મીર” માં સૈન્ય જમાવટ નથી જોઇ શકતાં? અને આપણી સરકારે ૪૦ વર્ષ પુર્વે મંજુર કરેલો અરુણાચલ પ્રદેશ માં લશ્કરી ટુકડીઓ ની સરળતા ખાતર ઇન્ફ઼્રાસ્ટ્રકચર નો પ્રોજેક્ટ હજુ ચાલુ પણ નથી થયો. ત્યાં શસ્ત્ર સરંજામ કે ટ્રુપ્સ પહોંચાડવા માટે “ઢંગ” નો રસ્તો પણ નથી. બીજી સુવિધાઓ ની તો વાત જ જવા દો. જ્યારે ચીન બોર્ડર થી ફ઼ક્ત ૫૦૦ મિટર થી ૧.૫ કિલોમીટર ની સરહદો પર પાક્કા રસ્તાઓ , હવાઇ મથકો ( જેને અત્યારે સિવિલ સર્વિસિસ નુ નામ આપેલું છે. ગૂગલ અર્થ પર સહેજ તપાસ કરજો , ઘણાં બંધ બંકરો પણ દેખાશે. ) બાંધી ચુક્યું છે. બર્મા માં ચીન ના ચારે હાથ છે. ( ભારતે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વ નો એક ટાપુ બર્મા ને દાન માં આપ્યો , હવે એ ટાપુ પર ચીને લશ્કરી મથક સ્થાપ્યું છે.) શ્રીલંકા ને પણ ચીન અત્યારે બંદરગાહો બાંધવા માં છુટે હાથે મદદ કરે છે ( સીધી વાત છે બદલા માં ત્યાં ચીની લશ્કર ની હાજરી. ) પાકિસ્તાન માં પણ ઇન્ફ઼્રાસ્ટક્ચર ઉભું કરી રહ્યું છે. અને સહુ થી ઉપર , વટ થી દુનીયા ને વગાડી ને કહિ પણ દીધું છે કે “Indian Ocean is not Indian anymore.” અને ભારત સમસમી ને બેઠું છે. અરુણાચલ અને કાશ્મીર ના લોકો ને “સ્ટેપલ્ડ વિઝા” આપવા માં આવે છે. અને આપણે બસ ફ઼રીયાદો કરીએ છીએ , ક્યારેક યુનાઇટેડ નેશન્સ સામે તો ક્યારેક અમેરીકા સામે.

      આ આખી આડવાત કરવા નો મતલબ એજ કે સરકાર ને પોતાને રસ નથી અથવા સામર્થ્ય નથી કે ચીન ને રોકી શકે. દેશ માં નક્સલવાદ , બોડો વાત , કાશ્મીર માં અલગાવવાદ , આતંકવાદ કેટ કેટલાં વાદ છે , અનેક ધર્મ અને એમાં હજારો ફ઼ાંટા ઓ છે અને તમે એકતા ની વાત કરો છો ? ઉત્ક્રાંતી ના નીયમ પ્રમાણે જે મજબૂત હશે તે સર્વાઇવ કરશે.

      Like

  7. વચમાં મારા વાંચવામાં આવ્યું હતું કે ૧૯૪૬માં બ્રિટને ભારત વેચવાની ઓફર અમેરિકાને કરી હતી. પણ અમેરિકાએ ના પડી પછી જ ભારતને આઝાદી આપવાનું વિચારેલું. આ વાત ખરી કે ખોટી તે આપનામાંથી કોઈ કહી શકે?

    Like

    1. નેતાઓ દેશને સ્વીસ બેન્કો પાસે ગીરવી મૂકી રહ્યા જ છે.એના કરતા તો અમેરિકાને વેચાઈ ગયો હોત તો સારું.

      Like

    2. ના, આવું નથી,
      નીચે ભૂપેન્દ્રસિંહભાઈની કોમેન્ટ છે તેના અનુસંધાનમાં – અરે આજે તો અમેરિકા જ માલિક છે! ગાંધી કઈ વાડીનો મૂળો? ખેર, કરપ્શન આપણી જ મૌલિકતા છે. એના માટે કોઈને દોષ ન અપાય.

      Like

      1. ઇન્દિરાજીએ મને યાદ છે તે મુજબ ૧૯૭૦ ના દસકા ની શરુ માં કરપ્શન માટે “It is a universal phenomenon” જેવા શબ્દો વાપર્યા હતા.

        છતાં અમેરિકા કે બ્રિટન કરપ્શન વિના આજે જે સ્થિતિ પર છે તેમ માનવા ને કોઈ કારણ નથી. કાગડા બધેજ કાળા હોય છે. ચીન જેવા દેશ માં પણ કરપ્શન સમાંનીય છેજ.
        કરપ્શન દિવસ અને રાત જેવું ચોખું વ્યાખ્યા બાંધી ને સ્પસ્ટ કરવાનું ઘણું મુશ્કેલ છે. એક વ્યાપારી તરીકે મને મારું કામ જેટલું સરળતા અને ઝડપી થાય તેમાં મને ફાયદો છે. આ જાતનું વ્યાજબી પણું ટેરવી કરપ્સન ની તરફેણ નથી કરતો પણ તેની વાસ્તવિકતા અપનાવું છું.

        દીપકભાઈ ના શબ્દો “કરપ્શન આપણી જ મૌલિકતા છે. એના માટે કોઈને દોષ ન અપાય” નું વ્યાજબી પણું ઠેરવવા માટે થોડી રમુજ સાથે !!!

        Like

  8. શ્રીભુપેંદ્રસિંહજી, શ્રી દર્શીતજી અને શ્રી દીપકભાઈ
    માંરા બ્લોગ ઉપર જુન, 2009ના રોજ એક લેખ “ આપણાં ( ભારત ) દેશની એકતા કેટ્લી આભાસી કેટલી પોકળ અને ભ્રામક ? !! ???” મૂકેલો જે જોઈ જવા વિનંતિ અને બાદમાં આપના પ્રતિભાવ જણાવવા વિનંતિ. આ લેખની લીંક નીચે આપી છે, અલબત્ત શ્રી ભુપેંન્દ્રસિહજીએ તો જે તે સમયે પોતાનો પ્રતિભાવ જણાવેલ જ છે.

    આપણાં (ભારત) દેશની એકતા કેટ્લી આભાસી કેટલી પોકળ અને ભ્રામક ? !! ???

    Like

  9. શ્રીભુપેંદ્રસિંહજી, શ્રી દર્શીતજી અને શ્રી દીપકભાઈ તથા અન્ય બ્લોગર મિત્રો,
    ચર્ચા ખૂબજ રસિક તબક્કે પહોંચી હોઈ આપ સૌના વિચારો વાંચવાનો/માણવાનો આનંદ આવે છે અને નવું જાણવાનું અને જુદી રીતે વિચારવા માટે પ્રેરણા પણ મળતી રહે છે.અને તેથી જ મને મારો લેખ યાદ આવ્યો અને આખો લેખ અત્રે મૂકતા ખૂબ લાંબુ થાય તેથી લીંક આપી છે તો જરૂર અનુકૂળતાએ વાંચી આપના પ્રતિભાવ જણાવશો.
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  10. તમામ તમામ મિત્રોનો ખૂબ આભાર.ચર્ચા ખૂબ વિચારણીય બની રહી છે.પ્રીતિની ભાષામાં કહીએ તો મજા પડી ગઈ.ગાંધીજી ગ્રેટ હતા,છે અને રહેવાના છે ગમે તેટલી એમના વિષે ચર્ચા થાય.ગાંધીજીની પણ એક માનવ તે ના ભુલાય.હવે બીજા નેતાઓમાં શું છે તે લખીએ?ગાંધીજીની તમામ વાતો કે તમામ વિચારો સાથે સહમત થવું જરૂરી નથી.આતો આપણે આટલી એમની ચર્ચા કરીએ છીએ,બાકી નેતાઓએ તો એમને કોરાણે મૂકી દીધા જ છે,અરે જીવતા હતાને જ બાજુ પર મૂકી દીધેલા.હા,જયારે એમની દુકાન ચલાવવી હોય ત્યારે આ નેતાઓ ગાંધીજીને યાદ કરતા હોય છે.

    Like

  11. સૌ શાબ્દિક ચિત્રકારો
    (સૌ લેખકો ના બદલે મને લેખકો ને શાબ્દિક ચિત્રકારો સંબોધવાનું વધારે યોગ્ય લાગે છે!!!)

    જુદા જુદા દ્રસ્તીકોનો અને વિશ્લેશનો થી ગાંધીજી ને વધારે સારી રીતે સમજવા મળે છે. ગાંધીજીએ તેમના સમય દરમિયાન તેમની પાસે જે જે resources હતા તેનો સૌ થી સરસ ઉપયોગ કરી ને ભારત ને આઝાદી અપાવી.

    [ગાંધીજી ગ્રેટ હતા,છે અને રહેવાના છે] ભુપેન્દ્રભાઈ નું આ કથન મને સનાતન સત્ય લાગે છે.

    મૂળ ચર્ચા શરૂ થઈ તે એ છે કે ગાંધ઼ીજીની અહિંસાને કારણે દેશ આજે નિર્માલ્ય બનીને અધઃ પતન તરફ ગયો છે.

    આઝાદી પછી ભારતે કૃષિ, શિક્ષનિક અને ઔદ્યોગિક ક્ષેત્રો માં કેટલી પ્રગતી કરી છે તેમ જોઈશું તો આપણને સારી એવી પ્રગતી દેખાશે.

    એક લેખ માં લેખકે પ્રગતી જોવા એકદમ સરળ ઉદાહરણ આપેલું તે સૌ મિત્રો સાથે ફાળવું છું :
    આંખો બંધ કરીને વિચારો : તમારા દાદા / દાદી શું ખોરાક ખાતા હતા, કેવા કપડા પહેરતા હતા, કેટલા કપડા તેમની પાસે હતા.
    દાદા / દાદી નું રહેઠાણ (સ્વચતા અને હવા ઉજાસ ને લક્ષીને) કેવું હતું. દાદા-દાદી માંદા સાજા હોય તો તેમની દવાઓ કેવી હતી અને
    તેમના જીવન ની લંબાઈ (longevity) કેટલી હતી.
    હવે તમારા માતા-પિતા માટે વિચારો
    હવે તમારા માટે વિચારો
    તમારી બીજી પેઢી માટે
    તમારી ત્રીજી પેઢી માટે.
    સમાંનીય રીતે મોટાભાગે આ રીતે આપણે ૬ પેઢી જોઈ હોય છે. દર્રેક પેઢી એં પ્રગતી દેખાશે.

    કોઈ મોટા અને નામાંકિત અર્થશાસ્ત્રી ના આંટી ઘુટી ભરેલા રીસર્ચ પેપર વાચીયા વગર પ્રગતી જોઈ શકાય છે.

    હા મારા દાદા (ગાંધીજી ના અનુયાયી હતા) રેટીયો કાંતિ તેમનું કાપડ બનાવતા હતા તે યાદ છે!!

    Like

  12. આખી ચર્ચાનો સાર એકે ગાંધીજી માટે અહિંસા એક સાધન હતું,શસ્ત્ર હતું.જે તે સમયે વ્યાજબી હતું,આજે પણ હોય છે.શસ્ત્રવિહીન આમ પ્રજા માટે આ એક અસરકારક શસ્ત્ર છે.એના માટે મરવાની અને લાઠીઓ ખાવાની હિંમત જોઈએ.જે ગાંધીજી ઉભી કરી શક્યા હતા.
    મહાવીર માટે અહિંસા સાધ્ય હતી,ગાંધીજી માટે સાધન.
    નાનામાં નાના માણસે એક લાઠી ખાધી હોય તે તમામને આઝાદી માટે યશ આપવો ઘટે,પણ આ બધાને ભેગા કરી એક પ્રચંડ નેતૃત્વ ગાંધીજીએ પૂરું પાડ્યું તેનો યશ એમને રાષ્ટ્રપિતા કહીને આપીએ છીએ જ.

    Like

    1. તમે ચર્ચાનું સમાપન કરતા હો એમ લાગે છે.ભલે, જાજમ તમારી છે એટલે શું થાય, અમારાથી? માત્ર હજી વાઘ નથી આવ્યો એટલું કહી દઉં. ભલે,આ ચર્ચા પૂરતું.. આવજો!

      Like

      1. વાઘની રાહ જોઈને થાક્યા,પણ આ મહત્વની ચર્ચામાં દહાડ મારી નહિ.ચર્ચા ચાલુ જ રાખો.મને તો મજા પડે છે.જાજમ આપણી સહિયારી ગણો ભાઈ.ધવલભાઈ,જે લોકે લાઠીઓ ખરેખર ખાધી છે તે લોકો તો સાવ બાજુ પર હડસેલાઈ ગયા છે.અને આજે અહિંસાના નામે કાયરોની જમાત દેશ ઉપર ચડી બેઠી છે.જયારે મક્કમ પગલા લેવાના હોય છે ત્યારે અહિંસાનું નામ આગળ કરાય છે કે ભારત અહિંસક છે.મોહન ભાગવત અમદાવાદમાં બોલેલા કે હિંદુ ધર્મ અહિંસક છે.મેં તે દિવ્યભાસ્કરના રીપોર્ટ નીચે કોમેન્ટ્સ લખેલી કે હિંદુ ધર્મ અહિંસક ક્યારે બન્યો?

        Like

        1. સો ટકા સાચી વાત કે જે લોકોએ લાઠીઓ ખાધી તે તો બાજુમાં હડસેલાઈ ગયા. પણ માફ કરજો, તમારું આ વાક્ય સુધારીશ કે “આજે અહિંસાના નામે કાયરોની જમાત દેશ ઉપર ચડી બેઠી છે” ખરેખર “આજે અહિંસાના નામે સ્વાર્થી લાલચુઓ અને (નાણાંના) ખાઉધરાઓની જમાત દેશ ઉપર ચડી બેઠી છે” કેમકે તે બધા કાંઈ કાયર નથી, પોતાના સ્વાર્થ ખાતર કોઈને પણ જાનથી હણી નાંખવામાં તેઓ ક્ષણવાર પણ ખચકાતા નથી.

          Like

      2. આ જાજમ ઉપાડી લેવાય તેવી નથી,બહુ જુના લેખોમાં પણ કોમેન્ટ્સ આવે છે.એક જુના લેખ ઉપર હિરલ અને દર્શિતભાઇ વચ્ચે સારું ડીસ્કશન ચાલેલું.ગાંધીજી વિષે બીજો લેખ તૈયાર જ છે.

        Like

    2. જો અહિંસાની લડત લડવા માટે હિંમત જોઈએ તેમ સ્વીકારતા હોઈએ તો પછી આ આખી કારચા અહીંજ સમાપ્ત થઇ જાય છે, કેમકે લેખની શરૂઆત એ જ અહિંસાને એક નબળાઈ તરીકે ગણાવવાવાથી થઇ હતી, હવે જયારે એ જ નીર્માલ્યતાને હિંમત માની લીધી છે તો આ ચર્ચાને જે’ શ્રી ક્રષ્ણ કરી દઈએ.

      Like

  13. ગાંધીજી એ સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ગાંધીજીની એક હાકલ થી લાખો લોકો સામેથી માર ખાવા તૈયાર થઇ જતા હતા. કારણ કે તેમના માં કોઈ અંગત સ્વાર્થ નહોતો, જે કઈ કરતા તે માત્ર ને માત્ર દેશ ખાતર કરતા. અત્યારના કોઈ નેતા માં દેશ દાઝ નથી, માત્ર અંગત સ્વાર્થ છે. અત્યારે છે કોઈ એવો નેતો કે જે માર ખાવા માટે લાખો લોકો ભેગા કરી શકે છે? ગાંધીજી એ ગરીબી જોઈ હતી એટલે કદાચ એવું વિચાર્યું હોય કે જે લોકો પાસે પૂરતા ખાવા ના કે કપડા પહેરવાના પૈસા ના હોય તે શસ્ત્રો તો ક્યાંથી ખરીદવાના હતા.એટલે કદાચ અહીસાનો માર્ગ પસંદ કર્યો હશે.

    Like

  14. dear sir,,,tame gandhi ni sari vato j lakhi che…ok…fine pan tame gandhi ane caste system ne laine topic vicharjo…pachi kai lakho then u realize…ok…ane ha Dr. b r ambedkar vise lakhso to khabar padse ke jyare koi suport na hoy to kevi rite andolan karay,,,gandhi ne khub suport hato

    Like

  15. bhai dhavl pehla to tame mari comment vancho ?

    tame je kahyu tu ke kadi koi dalit ae open ma admosion lithu to teno pn tamne mast jawab apyo to …

    ane tame je vat karo ke mare safai karva mate form bharvu pade to tamne vat janavi dav ke rasta saf karva tame nikdi pado koi form nathi bharvu ok…….karo pehla pachi vat karo …..

    kahu chu tamne ke atyar suthi koi ae nathi karyu to pan ek vat ne chodi ne chiknu karo cho…

    Like

    1. હા ભાઈ, તમે મહાન છો, કેમકે તમે મારો ભ્રમ ભાંગ્યો છે. તમે ૯૦ ટક સાથે ઓપનમાં એદમિશન લીધું તેમાં શું નવાઈ કરી? કેટલા એવા છે કે જેમને ૪૦ ટકા મળ્યા હોય અને માલેતુજાર બાપનો દિકરો હોય તો પણ રિઝર્વેશન ફગાવીને ઓપનમાં જાય છે? મારો સવાલ એમ હતો. કદાચ લાગે છે કે તમને દરેક વાત અક્ષરશ: સમજાવવી પડશે. વાંક તમારો નથી, અમારો બ્રાહ્મણોનો છે, જેમણે તમને દલિતોને છેલ્લાં ૫૦૦૦ વર્ષથી ભણવા નથી દીધા તેથી તમારી સમજશક્તિ એટલી નબળી થઈ ગઈ છે કે દરેક વખતે તમને સમજાવવા માટે અમારે બ્રાહ્મણોએ આટલું કષ્ટ ભોગવવૌં પડે છે. જુઓ, દીપકભાઈ, દર્શિતભાઈ અને હું, અમે ત્રણે બ્રાહ્મણો જ તમ દલિતને સમજાવવાની કોશિશ કરી રહ્યાં છીએ, પણ હવે આ છેલ્લા પ્રયત્ન સાથે હું પણ હથિયાર હેઠાં મુકી રહ્યો છું. અમારી બ્રાહ્મણોની ભૂલ (જે મને તો ભૂલ લાગતી નથી)નો ભોગ હું જ બની રહ્યો છું એવું કબુલ કરૂં છું.

      શું તમે ભિખારીને ભિખ એટલા માટે આપો છો કે તેનો છોકરો પણ મોટો થઈને ભિખારી જ બને કે પછી એટલા માટે કે એતો ભિખ માંગે છે, બે પૈસા રળશે તો મોટો થઈને એનો છોકરો કશુંક બની જશે? હવે ભિખારી પાસે પૈસા હોય, તેના છોકરાને ભણાવે પણ ખરો, પણ છોકરો મોટો થઈને એ જ મંદિરની બહાર બેસીને ભિખ માંગે તો તમે તેને શું કહેશો? મિત્ર, ભિખ આપનારા પણ ક્યારેકતો થાકે ને?

      તમે દલિત નહી હોવાનો અને દલિતોના પક્ષે બોલવાનો દાવો કરો છો અને વ્યર્થ દલિલો કરો છો કે કેમ કોઈ બ્રાહ્મણ અને ક્ષત્રિય કરસ્તા વાળવા નથી જતો, મેં પુછેલા એક સીધાસાદા સવાલનો તો તમને દલિત હોવા છતાં જવાબ ખબર નથી, કયા મોઢે તમને દલિત ગણાવો છો? અને જે રસ્તા તમારા દલિત સમાજ દ્વારા પગાર લેવા છતાં સાફ નથી થતાં તે અમારે બ્રાહ્મણોએ સાફ કરવા જ પડે છે. અમારી ખાડીયાની પોળોમાં જઈને જુઓ, દરેક ઘર વાળો તેના ઘરની બહારનો ભાગ વાળે જ છે. હા, પડોશીનું આંગણું વાળવા નથી જતો, કેમકે તેને માટે તેને પગાર નથી મળતો. તમે જે પ્રાઇવેટ કંપનીમાં કામ કરો છો તેમાં તમે ટાઈપિસ્ટનું કામ, પટાવાળાનું કામ, સિનિયર એન્જિનિયરનું કામ, માર્કેટિંગ અને સેલ્સ, એડ્વર્ટાઈઝિંગ, બધાંજ કામો કરો છો? મહેરબાની કરીને “હા!” ના કહેશો. તો જેમ તમે તમારું પોતાનું જ કામ કરો છો અને અન્યોના કામ તેમની ઉપર છોડી દો છો તેમ બધા લોકો અવું જ કરે છે. હવે હું તમને કહું કે ભંગી સમાજ (માફ કરજો, હું દલિત સમાજ શબ્દ નહી વાપરું, કેમકે તેમ કરવાથી હું માનું છું કે અન્ય અનેક દલિતોને નુકશાન છે, દલિત એટલે ગરિબ, કચડાયેલો, વગેરે અર્થ થાય, અને દલિત હોવા માટે શિડ્યુલ કાસ્ટમાં હોવું જરૂરી નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વણિક, પટેલ પણ દલિત હોઈ શકે છે) પાસે જ શેરીઓ સાફ કરવાનો પરવાનો છે. મેં તમને કહ્યું હતું કે છાપામાંથી એક જાહેરાત બતાવજો આ પોસ્ટ માટેની વેકન્સીની. તો ભાઈ, એ જાહેરાત મોટેભાગે છપાતી જ નથી, કેમકે તે જગ્યા વંશપરંપરાગત આપવામાં આવે છે. જે શેરી વાળતો હોય તેના અવસાન કે નિવૃત્ત થયા બાદ તેના કુટુંબના જ એક વ્યક્તિને તે નોકરી આપવામાં આવે છે. જો કોઈ સંજોગોમાં તે વ્યક્તિ નિઃસંતાન હોય કે તેણે અંગત કારણોસર તે જગ્યા તેના કુટુંબના કોઈને ના આપવી હોય તો એ જગ્યા ભંગી સમાજમાં પણ જેના કુટુંબ પાસે પરવાનો હોય શેરી વાળવાનો તેને જ મળે છે. એટલે બ્રાહ્મણ ભુખે મરતો હોય, ભિખ માંગતો હોય અને ઇમાનદારીથી શેરી વાળીને રોટલો રળવો હોય તો પણ તેને તે નોકરી ના મળી શકે. મને ખબર છે કે તમારા પુર્વગ્રહયુક્ત મગજમાં આ વાત નહી ઉતરે. તો જરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તપાસ કરાવી જોજો.

      આ સમગ્ર ચર્ચાનો સાર એ જ નિકળે છે કે તમને સાંધાની પણ ખબર છે નહી અને નાહકનઅ ચર્ચાઓ કર્યે રાખો છો. માફ કરજો, આથી વધુ સમય તમારી કોઈપણ ધડમાથા વગરની દલિલો માટે નહી ફાળવી શકું, તો તમે હવે આહીં કોઈ પણ ચર્ચાનો મુદ્દો ઉઠાવો તેનો જવાબ મારી પાસેથી મેળવવાની આશા ના રાખશો. પણ હા, ખુલ્લા મને વિચારતા થશો તો અન્ય ક્યાંક ભટકાઈશું તો ત્યાં અચુક ચર્ચા કરીશું.

      Like

      1. ભાઈ હાલ તો બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્યને સરકારી નોકરી તો નસીબમાં હોય તો મળે.ધીમે ધીમે આ લોકો દલિત બની જવાના.

        Like

      2. hmana tame keta ta ke koi pan dalito ae haji suthi open ma admission nathi litu have me tyare tamne maro example apyo to tame kaho cho ke aema su navai kari ..

        bhai su bolya che ae to yad rakho …

        mani lithu ke tame loko pol ma tamara rasta saf karo cho pan bije ? kon jay che….

        bhai me tamne british vadi je vat kahi tamne na gami kem ke satya kadvu hoy bhai….

        ane tamare koi amara mate fadvano jaruri nathi….

        ane 50 varash na reservation thi tame atla kem hali gaya cho ae j khabar nathi padti ,,,

        sudra ae to 5000 varash ma vorodh karyu hoy aem me to mnathi sambhadyu…

        ane bhai maro ek frd pan bangi samaj no hato atle mane khabar j che tamru knowledge tamari pase rakho…

        tamara ma jawab apvani capacity nathi aem kahi do to vat pate…..ane rasta vadvani vat ne ame to nahi pan tame loko ae j pehla na jamanama reserve kri ti….

        Like

  16. mr.gandhi na chahko mata ek speech between gandhi and ambedkar….

    Statement by Dr.B.R.Ambedkar on Gandhi’s Fast

    (Statement on Mr.Gandhi’s attitude at the Round Table Conference towards the untouchables and their demand for Constitutional Safeguards, 19th September 1932.)

    I need hardly say that I was astounded to read the correspondence between Mahatma Gandhi, Sir Samuel Hoare and the Prime Minister, which was published recently in the Papers, in which he has expressed his determination to starve himself unto death till the British Government of its own accord or under pressure of public opinion revise their opinion and withdraw their scheme of communal representation for the Depressed Classes. The unenviable position, in which I have been placed by the Mahatma’s vow of self-immolation, can easily be imagined.

    It passes my comprehension why Mr. Gandhi should stake his life on an issue arising out of the communal question which he, at the Round Table Conference, said was one of a comparatively small importance. Indeed, to adopt the language of those of Mr. Gandhi’s way of thinking, the communal question was only an appendix to the book of India’s constitution and not the main chapter. It would have been justifiable, if Mr.Gandhi had resorted to this extreme step for obtaining independence for the country on which he was so insistent all through the R.T.C. debates. It is also a painful surprise that Mr.Gandhi should single out special representation for the Depressed Classes in the Communal Award as an excuse for his self-immolation. Separate electorates are granted not only to the Depressed Classes, but to the Indian Christians, Anglo-Indians, Europeans, as well as the Mohammedans and the Sikhs. Also separate Electorates are granted to landlords, labourers and traders. Mr. Gandhi had declared his opposition to the special representation of every other class and creed except the Mohamedans and the Sikhs. All the same, Mr. Gandhi chooses to let everybody else except the Depressed Classes retain the special electorates given to them.

    The fears expressed by Mr.Gandhi about the consequences of the arrangements for the representation of the Depressed Classes are, in my opinion, purely imaginary. If the nation is not going to be split up by separate electorates to the Mohamedans and the Sikhs, the Hindu society cannot be said to be split up if the Depressed classes are given separate electorates. His conscience is not aroused if the nation is split by the arrangements of special electorates for classes and communities other than the Depressed Classes.

    I am sure many have felt that if there was any class which deserved to be given special political rights in order to protect itself against the tyranny of the majority under the Swaraj constitution it was the depressed classes. Here is a class which is undoubtedly not in a position to sustain itself in the struggle for existence. The religion to which they are tied, instead of providing for them an honourable place, brands them as lepers, not fit for ordinary intercourse. Economically, it is a class entirely dependent upon the high-caste Hindus for earning its daily bread with no independent way of living open to it. All ways are not closed by reason of the social prejudices of the Hindus but there is a definite attempt all through out the Hindu society to bolt every possible door so as not to allow the Depressed Classes any opportunity to rise in the scale of life. Indeed it would not be an exaggeration to say that in every village the caste Hindus, however divided among themselves, are always in a standing conspiracy to put down in a merciless manner any attempt on the part of the Depressed Classes who form a small and scattered body of an ordinary Indian citizen.

    In these circumstances, it would be granted by all fair-minded persons that as the only path for a community so handicapped to succeed in the struggle for life against organized tyranny, some share of political power in order that it may protect itself is a paramount necessity.

    I should have thought that a well-wisher of the Depressed Classes would have fought tooth and nail for securing to them as much political power as might be possible in the new Constitution. But the Mahatma’s ways of thinking are strange and are certainly beyond my comprehension. He not only does not endeavour to augment the scanty political power which the Depressed Classes have got under the communal award, but on the contrary he has staked his very life in order to deprive them of little they have got. This is not the first attempt on the part of the Mahatma to completely dish the Depressed Classes out of political existence. Long before, there was the Minorities pact. The Mahatma tried to enter into an agreement with the Muslims and the Congress. He offered to the Muslims all the fourteen claims which they had put forth on their behalf, and in return asked them to join with him in resisting the claims for social representation made by me on behalf of the Depressed Classes.

    It must be said to the credit of the Muslim Delegates, that they refused to be a party to such a black act, and saved the Depressed Class from what might as well have developed into a calamity for them as a result of the combined opposition of the Mohammedans and Mr.Gandhi.

    I am unable to understand the ground of hostility of Mr.Gandhi to the Communal Award. He says that the Communal Award has separated the Depressed Classes from the Hindu Community. On the other hand, Mr.Moonje, a much stronger protagonist of the Hindu case and a militant advocate of its interests, takes a totally different view of the matter. In the speeches which he has been delivering since his arrival from London, Dr.Moonje has been insisting that the Communal Award does not create any separation between the Depressed Classes and the Hindus. Indeed, he has been boasting that he has defeated me in my attempt to politically separate the Depressed Class from the Hindus. I am sure that Dr.Moonje is right in his interpretation of the Communal Award although, I am not sure that the credit of it can legitimately go to Mr.Moonje. It is therefore surprising that Mahatma Gandhi who is a nationalist and not known to be a communalist should read the Communal Award, in so far as it relates to the Depressed Classes, in a manner quite contrary to that of a communalist like Mr.Moonje. If Dr.Moonje does not sense any separation of the Depressed Classes from the Hindus in the Communal Award the Mahatma ought to feel quite satisfied on that score.

    In my opinion, that Communal Award should not only satisfy the Hindus, but also satisfy those individuals among the Depressed Classes such as Rao Bahadur Rajah, Mr.Baloo or Mr.Gavai, who are in favour of Joint Electorates. Mr.Rajah’s fulminations in the Assembly have amused me considerably. An intense supporter of Separate Electorates and the bitterest and the most vehement critic of caste Hindu tyranny, now professes faith in the Joint Electorates and love for the Hindus! How much of that is due to his natural desire to resuscitate himself from the oblivion in which he was cast by his being kept out of the Round Table Conference and how much of it is to his honest change of faith, I do not propose to discuss.

    The points on which Mr.Rajah is harping by way of criticism on the Communal Award are two: One is that the Depressed Classes have gained lesser number of seats than they are entitled to on the population basis, and the other is that the Depressed Classes have been separated from the Hindu fold.

    I agree in his first grievance, but when the Rao Bahadur begins to accuse those who represented the Depressed Classes at the R.T.C. for having sold their rights, I am bound to point out what Mr.Rajah did as a member of the Indian Central Committee. In that committee’s report, the Depressed Classes were given in Madras 10 seats out of 150; in Bombay 8 seats out of 14; in Bengal 8 seats our of 200; in U.P. 8 seats our of 182; in the Punjab 6 seats out of 150; in Bihar and Orissa 6 out of 150; in C.P. 8 out of 125; and in Assam 9 seats for the Depressed Classes and the indigenous and primitive races out of 75. I do not wish to overburden this statement by pointing out how this distribution compares with the population ratio. But there can be no doubt that this meant a terrible under-representation of the Depressed Classes. To this distribution of seats Mr.Rajah was a party. Surely, Mr.Rajah, before he criticizes the Communal Award and accuses others, should refresh his memory of what he accepted as Member of the Indian Central Committee on behalf of the Depressed Classes without any protest. If the population ratio of representation was to him a natural right of Depressed Classes and its full realization was to him a necessity for their protection, why did not Mr.Rajah insist upon it in the Central Committee when he had the opportunity to do so?

    As to his contention that in the Communal Award, the Depressed Classes have been separated from the Hindus, it is a view to which I cannot subscribe. If Mr. Rajah has any conscientious objection to separate electorates, there is no compulsion on him to stand as a candidate in the Separate Electorates. The opportunity to stand as a candidate in the general electorate as well as the right to vote in it are there, and Mr.Rajah is free to avail himself of the same. Mr.Rajah is crying at the top of his voice to assure to the Depressed Classes that there is a complete change of heart on the part of the Caste Hindus towards the Depressed Classses. He will have the opportunity to prove that fact to the satisfaction of the Depressed Class, who are not prepared to take his word by getting himself elected in the general constituency. The Hindus who profess love and sympathy for the Depressed Classes, will have also an opportunity to prove their bona fides by electing Mr.Rajah to the legislature.

    The Communal Award, therefore, in my opinion, satisfied both those who want separate Electorates and those who want joint electorates. In this sense, it is already a compromise and should be accepted as it is. As to the Mahatma, I do not know what he wants. It is assumed that although Mahatma Gandhi is opposed to the system of separate electorates, he is not opposed to the system of Joint electorates and Reserved Seats, That is a gross error. Whatever his views are today, while in London he was totally opposed to any system of Social representation for the Depressed Classes whether by Joint electorates or by Separate Electorates. Beyond the right to vote in a general electorate based upon Adult suffrage, he was not prepared to concede anything to the Depressed Classes by way of securing their representation in the legislatures. This was the position he had taken at first. Towards the end of R.T.C. he suggested to me a scheme, which he said, he was prepared to consider. The scheme was purely conventional without any constitutional sanction behind it and without any single seat being reserved for the Depressed Classes in the electoral law.

    The scheme was as follows:
    Depressed Class candidates might stand in the general electorate as against other high caste Hindu candidates. If any Depressed Class Candidate was defeated in the Election, he should file an election petition and obtain the verdict that he was defeated because he was an untouchable. If such a decision was obtained, the Mahatma said he would undertake to induce some Hindu members to resign and thus create a vacancy. There would be then another election in which the defeated Depressed Class candidate or any other Depressed Class candidate might again try his luck as against the Hindu candidates. Should he be defeated again, he should get similar verdict that he was defeated because he was an untouchable and so on ad infinitum. I am disclosing these facts as some people are even now under the impression that the Joint Electorates and Reserved Seats would satisfy the conscience of the Mahatma. This will show why I insist that there is no use discussing the question until the actual proposals of the Mahatma are put forth.

    I must, however, point out that I cannot accept the assurances of the Mahatma that he and his Congress will do the needful. I cannot leave so important a question as the protection of my people to conventions and understandings. The Mahatma is not an immortal person, and the Congress, assuming it is not a malevolent force, is not to have an abiding existence. There have been many Mahatmas in India whose sole object was to remove untouchability and to elevate and absorb the Depressed Classes, but every one of them has failed in his mission. Mahatmas have come and Mahatmas have gone but the untouchables have remained as untouchables.

    I have enough experience of the pace of Reform and the faith of Hindu reformers in the conflicts that have taken place at Mahad and Nasik, to say that no well-wisher of the Depressed Classes will ever consent to allow the uplift of the Depressed Classes to rest upon such treacherous shoulders. Reformers who in moments of crises prefer to sacrifice their principles rather than hurt the feelings of their kindred can be of no use to the Depressed Classes.

    I am therefore bound to insist upon a statutory guarantee for the protection of my people. If Mr.Gandhi wishes to have the Communal Award altered, it is for him to put forth his proposals and to prove that they give a better guarantee than has been given to us under the Award.

    I hope that the Mahatma will desist from carrying out the extreme step contemplated by him. We mean no harm to the Hindu Society, when we demand separate electorates. If we choose separate electorates, we do so in order to avoid the total dependence on the sweet will of the caste Hindus in matters affecting our destiny. Like the mahatma we can claim our right to err, and we expect him not to deprive us of that right. His determination to fast himself unto death is worthy of a far better cause. I could have understood the propriety of the Mahatma contemplating such extreme step for stopping riots between Hindus and Mohammedans or between the Depressed Classes and the Hindus or any other national cause. It certainly cannot improve the lot of the Depressed Classes. Whether he knows it or not, the Mahatma’s act will result in nothing but terrorism by his followers against the Depressed Classes all over the country.
    Coercion of this sort will not win the Depressed Classes to the Hindu fold if they are determined to go out. And if the Mahatma chooses to ask the Depressed Classes to make a choice between Hindu faith and possession of political power, I am quite sure that the Depressed Classes will choose political power and save the Mahatma from self-immolation. If Mr. Gandhi coolly reflects on the consequences of his act, I very much doubt whether he will find this victory worth having. It is still more important to note that the Mahatma is releasing reactionary and uncontrollable forces, and is fostering the spirit of hatred between the Hindu Community and the Depressed Classes by resorting to this method and thereby widening the gulf between the two. When I opposed Mr. Gandhi at the R.T.C there was a hue and cry against me in the country and there was a conspiracy in the so-called nationalist press to represent me as a traitor to the nationalist cause, to suppress correspondence coming from my side and to boost the propaganda against my party by publishing exaggerated reports of meetings and conferences, many of which were never held. “Silver bullets” were freely used for creating divisions in the ranks of the Depressed Classes. There have also been a few clashes ending in violence.

    If the Mahatma does not want all this to be repeated on a larger scale, let him, for God’s sake, reconsider his decision and avert the disastrous consequences. I believe the Mahatma does not want this. But if he does not desist, in spite of his wishes these consequences are sure to follow as night follows the day.

    Before concluding this statement, I desire to assure the public that although I am entitled to say that I regard the matter as closed, I am prepared to consider the proposals of the Mahatma. I however trust the Mahatma will not drive me to the necessity of making a choice between his life and the rights of my people. For I can never consent to deliver my people bound hand and foot to the Caste Hindus for generations to come.
    Dr.B.R.Ambedkar

    Like

    1. મયંકભાઈ,
      ડૉ. આંબેડકરનું આ નિવેદન મેં પહેલાં વાંચ્યું હતું પણ હવે ફરી તાજું થયું. ડૉ. આંબેડકર વિદ્વાન હતા અને એમણે હિન્દુ કોમની અંદરના દલિતો માટે ઘણું કામ કર્યું છે. એમણે જ દલિતોને અસ્મિતા અપાવી. આ દેશના ઇતિહાસમાં એક મહાત્મા ગાંધી જ એવા છે કે જેના વિશે જેને જે બોલવું હોય તે બોલી શકે છે. તમે પણ એ જ કરો છો. હવે હું ડૉ. આંબેડકરના આ નિવેદનનો સમગ્ર સંદર્ભ રજૂ કરૂં તો તમે સમજી શકશો એવી આશા છે.

      રાઉંડ ટેબલ કોન્ફરન્સની દરખાસ્તો એવી હતી કે દેશ તૂટી પડે (જે અંતે થયું). એકમાત્ર ગાંધીજી ખરેખર તો ‘વન મૅન વન વોટ’ના હિમાયતી હતા. ડૉ. મુંજે તો હિન્દુ મહાસભાના નેતા હતા અને એમને હિન્દુઓ માટે અલગ મતાધિકાર હોય એમાં વાંધો નહોતો. તેમાં પણ ડૉ. આંબેડકર આ નિવેદનમાં કબૂલ કરે છે તેમ ડૉ.મુંજેએ ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ’ માટે અલગ મતદાર મંડળો રચવાની ફેવર કરી! કારણ? ડિપ્રેસ્ડ ક્લાસિસ અલગ થઈ જાય તો સવર્ણો માટે અલગ અને રિઝર્વ સીટો હોત! ડૉ. આંબેડકર આ વાત સમજતા હતા પરંતુ કહેવા નહોતા માગતા. એમના નિવેદનમાંથી ડૉ. મુંજેવાળૉ ભાગ ફરી વાંચી લેશો. “I am sure that Dr.Moonje is right in his interpretation of the Communal Award although, I am not sure that the credit of it can legitimately go to Mr.Moonje.” જુઓ, અહીં આંબેડક્રર પોતાને મુંજેથી અલગ કરે છે! પરંતુ, સવર્ણ હિન્દુઓ અલગ મતાધિકાર માગે તો આંબેડાકરનું કામ સરળ થતું હતું. ડૉ. મુંજે માત્ર કોંગ્રેસનો કોમી ધોરણે આધાર જ ન રહે તે માટે આ માગણી કરે છે. આમ કોમી ધોરણે વિચારતા બધા નેતાઓ અંદરથી સંમત હતા. મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે આ બાબતમાં મતભેદ નહોતા! એમાં આંબેડકર પણ જોડાયા.

      તમે પૂછશો કે મુસલમાનો માટે અલગ મતાધિકાર ગાંધીજીએ કેમ સ્વીકારી લીધો? ના. સ્વીકાર્યો નહીં, એમને ફરજ પડી હતી. કારણ કે અંગ્રેજો ઝીણાનું પત્તું કેટલું કામનું છે તે જાણતા હતા અને વાપરતા હતા. હવે એવો પણ સવાલ થશે કે ઝીણાને શી જરૂર પડી અલગ મતાધિકારની? ઝીણા હંમેશાં નૅશનલ પોલિટિક્સમાં રહ્યા અને આખા દેશમાં મુસલમાનો ફેલાયેલા હતા અને કોઈ એક જગ્યાએ એમની બહુમતી નહોતી. માત્ર બંગાળમાં ફઝલુલ હકનું અને પંજાબમાં સિકંદર હયાત ખાનનું જોર હતું. પરંતુ તેઓ ઝીણાને ગણકારતા નહોતા. મુસલમાનોનું અલગ મતદાર મંડળ બનાવવાથી આ બન્નેનું જોર નરમ પડે એમ હતું. કારણ કે એમના પક્ષોમાં તો હિન્દુઓ પણ હતા પરંતુ બધા જમીનદારો હતા. ત્યાં હિન્દુ અને મુસલમાનની સમસ્યા નહોતી. (શ્યામાપ્રસાદ મુખરજી પણ ફઝલુલ હકની સરકારમાં હતા!) છેવટે એમને રાષ્ટ્રીય સ્તરે ઝીણાનું નેતૃત્વ સ્વીકારવું પડ્યું. આમ ઝીણા પણ અંદરખાને તો આ મુસ્લિમ નેતાઓ સામે પણ લડતા હતા.

      આ સ્થિતિમાં હિન્દુ નેતાઓ અને મુસ્લિમ નેતાઓ તો કોંગ્રેસને નબળી પાડવા તત્પર હતા અને અંગ્રેજી હકુમત પણ એ જ ઇચ્છતી હતી,
      એકલા ગાંધીજી એની સામે ઊભા રહ્યા. હવે આંબેડકરની માંગનો આધાર કોમ તો નહોતી! એમણે એ નથી કહ્યું કે ડિપ્રેસ્ડ ક્લાસિસ અલગ કોમ છે. તો એમના માટે અલગ મતદારમંડળ માગવાનો સવાલ જ તર્કબદ્ધ નહોતો. સવર્ણ હિન્દુઓને જે સારૂં લાગતું હતું તે ડૉ.આંબેડકરને પણ કેમ સારૂં લાગ્યું? આ સવાલ પર વિચાર કરવા જેવું છે.

      એમણે ગાંધીજીની શરતો ન માની. કારણ કે ગાધીજી આવી શરતો દ્વારા કોંગ્રેસ તરફથી ડિપ્રેસ્ડ ક્લાસિસને સીટો આપવાનું વચન આપતા હતા. પરંતુ, ડૉ. આંબેડકર કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નહોતા! એવખતે બધા પક્ષો અને જૂથોમાં અમ્ગ્રેજ હકુમત પાસેથી કૈંક ‘માગવાની હોડ લાગી હતી. એકલા ગાંધીજી એ ચેપથી મુક્ત હતા. માત્ર એમનુંવલણ હતું કે આ અમારો દેશ છે, અમને જે ફાવે તે કરિએ, ભાગલા પાડવા હોય તો પણ અમે પાડીશું, અંગ્રેજો કોણ જજ બનનારા? એમની પાસે કશું જ ન માગવું અને આખા દેશની એકતા દેખાડવી. તે સિવાય બધા પોતપોતાના દાવ રમતા હતા. અંતે એ બધી નેતાગીરીની ખેંચતાણ હતી.

      હવે એક વાત આ વિચારો. ડૉ. આંબેડકરને ભારતના બંધારણના જનક માનવામાં આવે છે. બરાબર? ગોળમેજી પરિષદમાં તો એમણે અલગ મતદાર મંડળ બનાવવાની માગણી કરી હતી, પરંતુ દેશનું બંધારણ બનાવ્યું ત્યારે એમણે એ વાત પડતી મૂકી દીધી અને ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંત પ્રમાણે સાર્વત્રિક અને સમાન પુખ્ત મતાધિકાર આપ્યો! એ જ તો ગાંધીજી કહેતા હતા! ડૉ. આંબેડકરે દેશ આઝાદ થયો ત્યારે એ જ વાત લાગુ કરી. આમ કેમ? આ મહત્વનો સવાલ છે. આઝાદી પછી શું તેઓ કોઈ દબાણમાં આવી ગયા? ના. ગોળમેજી પરિષદમાં એમનું વલણ હતું તે હવે જરૂરી નહોતું ડૉ. આંબેડકરની અંદરનો રાજકારણી અને પ્રખર વિદ્વાન એ વાત સમજતો જ હતો કે અલગ મતદાર મંડળ ન ચાલે. એમ કરવાથી ફરી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ અલગ પ્રતિનિધિત્વ માગશે અને ફરી દેશના ટુકડા થઈ જશે. આ સંયોગોમાં અલગ પ્રતિનિધિત્વની માંગ બધા માટે રસ્તા ખોલી આપવા જેવી પુરવાર થાય એમ હતી.

      આજે એમના ગોળમેજી પરિષદ વખતના નિવેદનને ટાંકવાનો અર્થ આ કારણસર નથી રહેતો. માત્ર ગાંધીજી દલિતોના કેવા મહાન દુશ્મન હતા એવી ભ્રાન્તિ ફેલાવવા માટે આજે પક્ષીય રાજકારણમાં કદાચ એ કામ આવે બાકી ડૉ. આંબેડકરે પોતે જ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર આપીને પોતાની જૂની દલીલોને નકામી ઠરાવી દીધી છે.
      ગોળમેજી પરિષદ વખતે કોમી નેતાઓનું પોતાનું રાજકારણ હતું, ગાંધીજીનું પણ નૅશનાલિસ્ટ પક્ષ કોંગ્રેસને બચાવવાનું રાજકારણ હતું. ડૉ. આંબેડકરનું પણ પોતાનું રાજકારણ હતું જૂઓ, બીજા દલિત નેતા રાજા માટે એમની દલીલો! આ બધી વાતોનો ભક્તિભાવથી નહીં, તટસ્થતાથી અ્ભ્યાસ કરવો જોઈએ

      Like

      1. dipakbhai tamaro abhar tame je vat kahi ae kharekhar vicharis hu,

        biji vat tamne kahu ke ambedkar atla par swathi nata ke potane swarth mate desh na bhagla padavi dey,,,jeena ni jem,,,

        bhai tamrri pase aevi koi vat hoy ke jyare gandhi ae ambedkar pehla achut nivarana kam karya hoy,,,,

        hu pan kai gandhi virothi nathi …pehla hu nano hato jyare avu kadi vicharyu natu ke caste system hoy che,,,jyare 11th sci. ma bahar gayo tyare loko na man ni achut ni lagni ae mane vicharva mate preryo bhai..

        ane tamne ek vat janavu bhai jo teme tamne koi bhul dekhay to plz..janavjo

        tmane khabar che ke congress ni sthapna 1885 ma thai,,,te 3 brahman chetraji,mukhraji,benraji ae kari ok ….to cingress no hetu freedom hato to bhai congress no president kem british hato,, Allan Octavian Hume, … bhai aa su batave che,,,

        ane biji vat ae samaye congress ma batha j brahman sadasyo j hata ..

        mudalo ae 500 jeva varash bharat par raj karyu jyare koi kranti nati thai pan britisho na 150 varash ma thai kem ?

        tamne ek vat ni khabar che ke mugalo na raj ma brahmano ne 33 % reservation hatu …ane temne job malti hati…

        babar ni vasiyat ma aene kahyu tu ke jo bharat par raj karvu hot to brahmano ne jode laine raj karjo…

        lolmaya tilake kahyu swaraj maro janmsith adhikar che,,,,sachi vat che bhai pan aemne aeni aej book ma aem pan kahyu ke swaraj no matlab aem nathi ke britisho bhrat chodi ne jay ,,,,pan raj ae kare pan brahmano ne pratinithi banave,,,,

        aa sentence koi nathi kehtu ….kem ?

        aa pan aemni book ma nu j sentence che me to nathi kahyu..

        ana par tamau mantavya janavaso dipakbhai….

        Like

        1. પ્રિય મયંકભાઈ,
          તમે મેં કહેલી વાત પર વિચારવા સંમત થયા તે બદલ આભાર. વિચારવાનું એ છે કે ડૉ. આંબેડકરે ગોળમેજી પરિષદમાં જે વલણ અખત્યાર કર્યું તે જ્યારે એમણે બંધારણ બનાવવામાં આટલો મોટો ભાગ ભજવ્યો ત્યારે કેમ બદલી નાખ્યું.

          ડૉ.આંબેડકર, ઝીણા, હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને બીજા બધાનું લક્ષ્ય એક જ હતું કે કોંગ્રેસ નબળી પડે. અંગ્રેજોને એ ફાવતું હતું આ બધી વાતો હું વિગતે કહી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરૂં. માત્ર તમારા ફોકસમાં રહે એ માટે ફરી યાદ આપું છું, આપણે ઉપસંહારમાં કેમ મૂળ મુદ્દાઓનો ટૂંકમાં ફરી ઉલ્લેખ કરતા હોઇએ તેમ.

          આંબેડકર દેશના ટુકડા થઈ જાય એટલા સ્વાર્થી નહોતા અને દેશભક્ત હતા. એમ તો ઝીણા પણ એટલા સ્વાર્થી નહોતા અને દેશભક્ત જ હતા. માત્ર એમણે જે કહ્યું તે અંગ્રેજોએ પકડી લીધું અને અંતે ભાગલા પડ્યા.એક વિચાર તરીકે કહું કે ધારો કે ડૉ. આંબેડકરની વાત અંગ્રેજોએ પકડી લીધી હોત તો શું ભાગલા ન પડ્યા હોત? મુસ્લિમ લીગના પ્રતિનિધિઓએ તો એમનો વિરોધ નહોતો કર્યો. ફરીથી એ વાત પર ભાર મૂકીશ કે ગાંધીજી સિવાય બીજા બધા અંગ્રેજો જાય તે પહેલાં મારૂં કામ કરતા જાય એમ ધારીને ચાલતા હતા. દેશની આઝાદી એમની મુખ્ય ચિંતા નહોતી. જૂઓ ડૉ. આંબેડકરનું આ કથનઃ ”બ્રિટિશરોના હાથમાંથી હિન્દુસ્તાનીઓના હાથમાં સત્તા તરત આવે તે માટે ડિપ્રેસ્ડ ક્લાસિસ આતુર નથી, કે એ માટે માગણી પણ નથી કરતા, અથવા એમણે એના માટે આંદોલન પણ શરૂ નથી કર્યું.” ડૉ. આંબેડકરના લખાણો અને ભાષણોના સંગ્રહ્ન(અંગ્રેજી)ના ત્રીજા ખંડમાં બીજી ગોળમેજી પરિષદ સમક્ષ એમનું ભાષણ જોઈ લેશો. અહીં તો મેં એનો મુક્ત અનુવાદ આપ્યો છે. પછી આપણે વિચારશું કે ડૉ. આંબેડકર ત્યાં શા માટે ગયા હતા. અને અંગ્રેજોએ એમની વાત પકડીને દેશના ભાગલા કર્યા હોત તો તમે એમને ઝીણા જેટલા સ્વાર્થી ગણાવત કે નહીં.

          એક બીજી વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે બાબાસાહેબ બ્રાહમણવાદના વિરોધી હતા, વ્યક્તિગત રીતે બ્રાહ્મણોના નહીં. એમણે પોતાની અટક પણ એમના બ્રાહ્મણ શિક્ષકની યાદમાં ‘આંબેડકર’ રાખી હતી. એમનાં બીજાં પત્ની પણ બ્રાહ્મણ જ હતાં. એમના બ્રાહ્મણ મિત્રો અને મદદગાર પણ હતા. એમણે એમના જાહેર જીવનની શરૂઆતમાં પાણી માટે અને બીજા ‘સત્યાગ્રહ’ કર્યા. એમાં એમને ગાંધીજી પાસેથી જ પ્રેરણા મળી હતી.

          હવે તમે નવી લોકમાન્ય તિલકની વાત લાવ્યા છો. એમનો સનાતન ધર્મવાદી દૃષ્ટિકોણ હતો એ સાચું છે. ગાંધીજી ૧૯૧૫માં પાછા આવ્યા ત્યારે જ તિલક અને ગાંધીજી બન્ને સમજી ગયા હતા કે એમના રસ્તા જુદા છે. પરંતુ તિલકના મૃત્યુને ૨૦૨૦માં સો વર્ષ પૂરાં થશે. આઝાદીથી ૨૮ વર્ષ પહેલાં તો એમનું અવસાન થઈ ગયું હતું. હવે એમના વિચારો પર ટિપ્પણી કરવાનો અર્થ શું? ચર્ચા જ કરવી હોય તો ડૉ. આંબેડકર અને ગાંધીજી વિશે જ કરો.

          કોંગ્રેસની સ્થાપના હ્યૂમે કરી અને એ એના પહેલા અધ્યક્ષ બન્યા. આમાં શું રહસ્ય તમે શોધો છો એ તે જ મારા માટે રહસ્ય છે. એ વાતને સંબંધ શો છે, સિવાય કે વિષયાંતર.

          અંતમાં, એક વાત સ્પષ્ટ કરી દઉં, અહીં ચર્ચામાં સક્રિય ભાગ લેનારા ધવલભાઈ, દર્શિત, ભૂપેન્દ્રસિંહભાઈ તથા બીજા મિત્રો જેઓ માત્ર વાંચે છે, તેઓ વર્ણવ્યવસ્થાના સમર્થક નથી. એના કારણે નુકસાન થયાં હોવાનું પણ માને છે. આમ છતાં બધા અક્ષરેઅક્ષર એકબીજાનું સમર્થન જ કરે છે એમ પણ નથી.બીજી બાજુ તમે વાંચ્યા-વિચાર્યા વિના જ બધાને ખોટા અને તમારા દુશ્મન માનીને વાત કરવા લાગ્યા.

          અમે દલિત પેદા નથી થયા અને તમે બ્રાહ્મણ પેદા નથી થયા. અમે તમારી વ્યથા સમજી ન શકીએ તો તમે પણ કોઈ ગરીબ બ્રાહ્મણ છોકરાની વ્યથા નહીં સમજી શકો, કારણ કે તમે જન્મ-આધારિત વ્યવસ્થાને અટળ માનો છો. તમારી નજરમાં કોઈ માત્ર બ્રાહ્મણ હોય એટલા જ કારણસર સુખી જ હોય. ના. દુનિયામાં જાત અને જન્મનાં દુઃખો ઉપરાંત પણ ઘણાં દુઃખો છે, જેનો અનુભવ બધાંને એકસરખો થાય છે. દાખલા તરીકે હમણાં દાળોના ભાવ આસમાને પહોંચ્યા છે, એ માત્ર દલિતો માટે નથી વધ્યા. આ પણ દુઃખ છે. આ બાબતમાં તમારો શો મત છે? તમે ૧૯૩૦ના આંબેડકર અને ગાંધીના વિવાદોમાં પડ્યા રહેશો તો દુનિયા આગળ નીકળી જશે.

          Like

          1. મયંકભાઈ,વર્ણ વ્યવસ્થાથી દરેકને નુકશાન થયું છે.એકલા દલિતોને નહિ.જુઓ બ્રાહ્મણો દરિદ્ર રહી ગયા,ક્ષત્રિયો સંખ્યામાં ખૂબ ઓછા રહ્યા અને આઝાદી પછી એકદમ દરિદ્ર બની બેઠા એજ્યુકેશનમાં પછાત રહી ગયા.ખાલી વૈશ્ય પ્રજા પૈસાના જોરે બધાથી આગળ રહી છે.પણ તે સાવ સસલા જેવી બની.હવે ધીરે ધીરે બધું ઠીકઠાક થઇ રહ્યું છે.

            Like

            1. sir,,, tamari vat ekdam sachi j che ke વર્ણ વ્યવસ્થાથી darek ne loss j thayo che …pan ae vat pan apne manvi jaruri che ke ae loss freedom pehla pachat loko no hato ane have batha loko ne aena lithe loss thay che,,,,

              bathu saru tahi jase have aevu batha ishe che j sir,,,,,amuk vato aevi pan che jya samanata nathi jevi ke cricket….

              Like

              1. ભાઈ તમે ગુગલ ઈન્ડીક ટ્રાન્સ લિટરેસનમાં જઈને ટાઈપ હિન્દી માં જઈને ગુજરાતી સિલેક્ટ કરી બધું ગુજરાતીમાં લખી અહીં કોપી પેસ્ટ કરો તો વધુ મજા આવશે.

                Like

                1. પ્રિય સર ,
                  અપનો આભાર ,
                  પેહલા કરતો તો ત્યારે થતું ન હતું .એટલે પછી મેં એ જવા દીધું ..
                  પણ હવે થયું છે તો ગણી મજા આવી …
                  ફરીથી તમારો આભાર માનું છુ..

                  અને તમારા લેખ ઘણા સરસ હોય છે.અમુક વાતો જે સાચી હોય છે અને લોકો એને છુપાવતા હોય છે પણ તમે હિંમત થી કહો છો તેના માટે
                  ખરેખર તમને અભિનંદન છે ….

                  Like

          2. dear Dipakbhai tame mari vat no khano saras rite jawab apyo ae badal tamaro aabhar…

            tame je Dr.ambedkar par vat kari ae sari che bhai ,,,,temne bhagla na thay atle to reservation ni vat lavya hase,,,

            pan apne ae pan samjavu rahyu bhai ke me tamne je kahyu tu mugal vansh vishe tena par tame koi comment na kari bhai,,,kari hot to amne game,,,

            biji tame kahyu ke lokmanya tilak ,,to bhai aemto gandhi ji ke nato ambedkar pan rahya nathi to aemni vat pan na karvi joi ne…

            sawal she tilak ni rajniti no bhai,,,aemna vicharo sara janata na hata..

            ane biji vat che bhai mane jagado karvani maja thodi avti hase bhai hu pan kai british nathi ,,,hu pan indian j chu ne ,,,,vat ae che bhai hu je kehva magto hato te dhaval bhai biju samjya…

            tamari j ek vat tamne yad karavu

            આજે પણ જે દેશમાં બ્રાહ્મણ પટાવાળો ‘પંડિતજી’ કહેવાતો હોય અને SC ઉપરીને ખાનગી ખૂણે “ઢે…” તરીકે ઓળખાવતા હોઈએ આપણી નજરે દેશ એટલે શું તે પણ છતું થઈ જાય છે.

            aa vat jhaji pan thay che ane mara relation vada sathiyo jode pan thay che j bhai..

            hamna amaru family amara gam gayu hatu bhai,,ame loko Maritu Alto lani gay hata ..10 varash jevu thai gayu tu atle rasto bhuli gaya ame amara j gam ma jaine ek bhai ne puchu ke vankar vas kyathi javu …to tene mo bagadyu ane chalyo gayo ae kehta ke “ઢે…” kyathi avya …..

            avu city ma khub j ochu thay che ae sari vat che ,,,pan gam ma raheta aeva ketlay pachat loko jode avu j thatu hase ,,,ae divase mane ae vicher avyo….

            ane tahi vat confress ni to hu aem kehva magto hato ke jo tame freedom mate j congress ni sthapna karo cho to aema british ne president banavani si jarur hati ae samaye ?

            tamari vat sachi che ke dal na bhav vadi… i m agree bhai…

            ane biji me jara vat thodi kharab rite kari hase atle dhawalbhai,ke darshit bhai jode thodu interaction thayu hu manu chu pan bhai mari vat jou me koi khoti vat to nati kari ne….

            tamra ketlay jawabo thi mane saru lagyu che ane asha che ke hu pan sara jawabo api sakyo hois…

            ane bhai apne vivado pachad padva thodi karie che aato man na problem solve thay atle karie che,,,,

            jay hind

            Like

            1. ગાંધીજીના આગમન પછી માત્ર પાંચ વર્ષમાં જ તિલકનું અવસાન થઈ ગયું. તે પછી જે કઈં થયું તે બધું ગાંધીજીની દોરવણી હેઠળ. ટેકો મળ્યો તો ગાંધીજીને, અને વિરોધ થયો તો પણ ગાંધીજીનો. તમે ચર્ચાની શરૂઆત કરી ત્યારે પણ ગાંધીજી અને આંબેડકર જ હતા. એટલે મેં કહ્યું કે આપણે ચર્ચા એમના વિશે જ કરીએ. તિલક સંદર્ભની બહાર થઈ ગયા છે. મને લાગે છે કે એ ચર્ચા પણ ઘણી થઈ ગઈ છે. હવે આપણે આપણી જાતને જ રિપીટ કર્યા કરીશું. એટલે આ ચર્ચા પણ બંધ થવી જોઇએ.
              મુગલો વિશે મેં કઈં નથી લખ્યું કારણ કે મારા ધ્યાન બહાર રહી ગયું છે. પરમ્તુ, મૂળ ચર્ચા માં એને કારણે વિઘ્ન નથી આવ્યું.
              તમે કહો છો એવી સ્થિતિ ગામડાંઓમાં છે અને એ દુઃખદ વાત છે.પરંતુ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ કહ્યું છે તેમ વાયરિંગ બદલવામાં વાર લાગે.
              મયંકભાઈ તમારો ઘણૉ આભાર. મારા/અમારા મનમાં તમારા પ્ર્ત્યે કે દલિતો પ્રત્યે કશો દુર્ભાવ નથી એની ખાતરી રાખશો.
              હવે તમે ગુજરાતીમાં ટાઇપ કરતા થયા છો તો વાંચવાની મઝા આવી.

              Like

              1. દીપકભાઈ ,
                આપનો આભાર,જે રીતે તમે મારી સાથે ચર્ચા કરી એ માટે ,ઘણી મજા આવી અને ઘણું જાણવા મળ્યું,..શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ કહ્યું એમ વાયરીંગ બદલવામાં હજી વાર લાગશે અને એ વાત પણ સાચી છે.મુગલ સમ્ર્યાજ્ય ની વાત મેં કહી એટલા માટે કે કઈ નવું જાણવા મળે ..કદાચ તમારાથી ધ્યાન ના અપાયું હોય તો કોઈ વાંધો નહિ ..પણ અપની ચર્ચા થી ઘણો લાભ થયો ….એ બદલ હું પણ અપનો આભારી છુ…

                જાણીને આનંદ થયો કે આપ લોકો ના મન માં અશ્પૃશ્યતાની લાગણી નથી …અને હું પણ તમારા લોકો વિષે સારું જ વિચારું છુ ભાઈ …અને ભૂપેન્દ્રસિંહભાઈએ એ કહ્યું કે ગુજરાતી માં લાખો અને તેમની મદદ થી લખી શકાયું….

                છેલ્લા આપનો આભાર …

                Like

  17. મયંકભાઇ,
    લાગે છે મારા બધા જવાબ “ભેંસ આગળ ભાગવત” કરી એવું થયું.

    સારું, બ્રામ્હણો એ તમને દલીત કહ્યા. મર્દ થાઓ અને પૃથ્વી ને બ્રામ્હણો અથવા સવર્ણો વિહોણી કરી નાખો જાઓ.

    ડો. આંબેડકર વિશે ના લખીએ એટલે અમે દલીતો ના વિરોધી થઈ ગયા?? ડો. આંબેડકર વિશે લખાશે ત્યારે તેની પણ ચર્ચા – પ્રતિચર્ચાઓ થશે. પણ મને બીક છે કે તમે “એસ્ટ્રોસીટી” મારી દો તો ?? એટલે નથી લખતો.

    મારી વાત હજુ સમજો. ટુંકમાં સમજો. અહિં આવી ને બળાપો કાઢવાની જરૂર નથી. એક તો તમે જે મુખ્ય ટોપીક છે તેનાં થી “ટોટલ ઇર્રીલેવન્ટ” વાત કરો છો. આ તો મને થયું કે કદાચ તમેં અહિં ચર્ચા કરતા લોકો ની બુદ્ધી ને સમજી ને ચર્ચા માં ઉતરશો પણ તમે ફ઼ક્ત આરોપ ઘડો છો. નક્કર કામ તમે કેટલું દલીતો માટે કર્યું એ તમે ક્યાંય જણાવ્યું નથી.

    તમારું કુટુંબ “એજ્યુકેટેડ” છે અને આપ એમ.ઇ. સુધી ભણેલા છો તો ભાઇ મારા આટ આટલી ભાષાની ભૂલો કેમ પડે છે ? “સ્પેલીંગ મીસ્ટેક્સ” પણ ચેક કરી લેતા જાઓ. માની પણ લંઉ કે તમે “ઓપન કેટેગરી” માં ભણ્યા હશો. ૯૦% પણ લાવ્યા હશો. તો ?? મીર માર્યો ??

    અહિં ચર્ચા કરનાર બધા એ અગાઉ વર્ણ વ્યવસ્થાને વખોડીજ છે. અમે પણ માનીએ છીએ કે અત્યાચાર થયો છે પણ એ પણ માનીએ છીએ કે “અનામત” એ કંઇ સોલ્યુશન નથી. અને જે અનામત પ્રથા ને જીવતી રાખવા માગે છે તે મારા માટે આ દેશ નો સૌથી મોટો દુશ્મન છે.

    મારા માટે આ ચર્ચા આપની સાથે અહિં પૂરી થાય છે. મેં અગાઉ કહેલી વાતો પર ક્યારેક નિષ્પક્ષ બની ને વિચારજો અથવા કોઇ બૌદ્ધિકમિત્ર ની મદદ લેજો. અને તોયે ના સમજાય તો તમારા નસીબ.

    આભાર અને અસ્તુ….

    Like

    1. kem bhai amto tame kaho cho ke bhano open ma ?

      have me tamne maru j example apyu to tame aem kaho cho ke mir maryo ?

      to ha me to maryo j che….tame to nathi bhanya ne open category ma ….atle i thin tame mane to na j kahi sako…

      ane biji vat ke speling mistake to bhai kai hu mistake nathi karto fakt short lakhu chu atla mate..

      ok…ane biji vat kem nave tame harijan word par comment na kari…

      ane bhai tame pan shantithi vicharjo reservation vishe …kem ke mara jeve ketlay ae reservation no faydo nathi litho,,,hu kai mara mate reservation nu nathi kehto tame samjo….

      me to teno use pan nathi karyo ….atle hu to proud thi kahi saku chu ke hu mari ability par j bhanyo chu…..ok…bija na mate jivta sikho,,,,am pan reservation kadi nakhvani atyare jarur nathi…

      ane bhai tame je kahyu ke 90 % lavine mir maryo to je vakhte hu 90% lavyo to tyare ae bahu kehvata hata bhai….koi na education ne vakhodvathi tame kai mota nathi thai javana….

      ok…i dont want to continue this topic with you…thanx

      Like

    2. વર્ણ વ્યવસ્થાને અહીં બધાએ વખોડી છે,તે એક પ્રકારની અનામત પ્રથા જ હતી.આપણે એક અનામત પ્રથા દૂર કરવાનો પ્રયત્ન કરીને બીજીને લાવી બેઠા છીએ.

      Like

      1. tamari vat thi hu 100% agree chu sir,,gandhiji ae kahyu tu ke 10 varas ma achut ni problem dur thai jase..ok…aje saririk aspruahyata nathi pan mansik aspruahyata avi gai che….

        sachi vat che ?

        ane sir govt. ma 100 ae fakt 10 loko j tamne pachat category na jova malse…

        engg. ma 100 seat hoy to fakt 7 seat j sc caste ni hoy che nahi ke 99 seat

        ane ek biji vat kahu chu jo ae tamne khoti lage to jarur janavajo

        pan bhai mane ae nathi samjatu ke jo apni atli saras system hati to ae kharab kone kari hase ?

        jo kari hase to aema aeno faydo thay aena mate j kari hase,,,,tamraru su kehvu che?

        ane tame kaho cho ke british loko avya pachi temne caste system ne veg apyo to ae vishe hu tamari sathe sahmat nay thav,,aena mate ek vat kahu

        britisho avya ae pehla bharat ma manushmruti na kayda chalta hata ae mujab ,,,tame bhupendra sir na blog ma vanchu j hase ke manushmruti ae fakt koi god no asesh janato nathi pan fakt potano swarth j atave che,,,,ok to pehla manushmruti na kayda chalta hata te mujab brahman ne kadi pan koi guna mate fanshi thati nay ,,,,

        britisho avya ane temne nand dev namna ek brahman ne fanshi api atle brehmano ae aeno opose karyo…ok to ana parthi ek vat to naki j che ke britisho manushmruti na kayda manva taiyar na hata…

        biji vat ke aemne darek caste ni study no athikar apyo…..je pehla na hato atle j to Dr..Abmedkar na father bhanya ane subedar thaya ane potana dikara ne bhanavyo aethi to Dr.Ambedkar M.A.,PH.D.,D.Sc.,LL.D.,D.LITT.,BARRISTER-AT-LAW suthi bhanya ae to ae jamanama kadach savarno pan nathi bhanya to ana parthi ae to naki j che ke britisho ae caste system ne todvama apni madad kari che ,,temaj sati-pratha,dahej pan aemna karne j dur thaya che,,,,

        te loko ae bhale bharat loko ne gulab banavya pan apna samaj na kurivajo ne hatavama te loko ae help kari j che,,,,atle have apne aem jo na j kahi sakie ke ae loko ae caste system ne veg apyo hase,,,,

        ane biji vat kahu ke bharat ma jyare peshwa ao nu raj hatu tyare sudra loko ae potana gala ae matlu rakhvu padtu ane pachad jadu …jethi temna thi pruthvi achut na htay ae to kadach tamne khabar j hase…to ana parthi apne aem kahi to na sakie ke raja garibo nu dhyan rakhto hase….

        Like

      2. sir jo tamne na pasand hoy comment to kahi do ,,mari comment dekhati j nahthi…

        pehla to thnax ke mari vat no sarash rite jawab apava mate ,,,,
        pan bhai mane ae nathi samjatu ke jo apni atli saras system hati to ae kharab kone kari hase ?

        jo kari hase to aema aeno faydo thay aena mate j kari hase,,,,tamraru su kehvu che?

        ane tame kaho cho ke british loko avya pachi temne caste system ne veg apyo to ae vishe hu tamari sathe sahmat nay thav,,aena mate ek vat kahu

        britisho avya ae pehla bharat ma manushmruti na kayda chalta hata ae mujab ,,,tame bhupendra sir na blog ma vanchu j hase ke manushmruti ae fakt koi god no asesh janato nathi pan fakt potano swarth j atave che,,,,ok to pehla manushmruti na kayda chalta hata te mujab brahman ne kadi pan koi guna mate fanshi thati nay ,,,,

        britisho avya ane temne nand dev namna ek brahman ne fanshi api atle brehmano ae aeno opose karyo…ok to ana parthi ek vat to naki j che ke britisho manushmruti na kayda manva taiyar na hata…

        biji vat ke aemne darek caste ni study no athikar apyo…..je pehla na hato atle j to Dr..Abmedkar na father bhanya ane subedar thaya ane potana dikara ne bhanavyo aethi to Dr.Ambedkar M.A.,PH.D.,D.Sc.,LL.D.,D.LITT.,BARRISTER-AT-LAW suthi bhanya ae to ae jamanama kadach savarno pan nathi bhanya to ana parthi ae to naki j che ke britisho ae caste system ne todvama apni madad kari che ,,temaj sati-pratha,dahej pan aemna karne j dur thaya che,,,,

        te loko ae bhale bharat loko ne gulab banavya pan apna samaj na kurivajo ne hatavama te loko ae help kari j che,,,,atle have apne aem jo na j kahi sakie ke ae loko ae caste system ne veg apyo hase,,,,

        ane biji vat kahu ke bharat ma jyare peshwa ao nu raj hatu tyare sudra loko ae potana gala ae matlu rakhvu padtu ane pachad jadu …jethi temna thi pruthvi achut na htay ae to kadach tamne khabar j hase…to ana parthi apne aem kahi to na sakie ke raja garibo nu dhyan rakhto hase….

        Like

  18. sir tame mari comment apruve thava nathi deta…kem sir,,,me kai kharb natu lakhu…

    pehla to thnax ke mari vat no sarash rite jawab apava mate ,,,,
    pan bhai mane ae nathi samjatu ke jo apni atli saras system hati to ae kharab kone kari hase ?

    jo kari hase to aema aeno faydo thay aena mate j kari hase,,,,tamraru su kehvu che?

    ane tame kaho cho ke british loko avya pachi temne caste system ne veg apyo to ae vishe hu tamari sathe sahmat nay thav,,aena mate ek vat kahu

    britisho avya ae pehla bharat ma manushmruti na kayda chalta hata ae mujab ,,,tame bhupendra sir na blog ma vanchu j hase ke manushmruti ae fakt koi god no asesh janato nathi pan fakt potano swarth j atave che,,,,ok to pehla manushmruti na kayda chalta hata te mujab brahman ne kadi pan koi guna mate fanshi thati nay ,,,,

    britisho avya ane temne nand dev namna ek brahman ne fanshi api atle brehmano ae aeno opose karyo…ok to ana parthi ek vat to naki j che ke britisho manushmruti na kayda manva taiyar na hata…

    biji vat ke aemne darek caste ni study no athikar apyo…..je pehla na hato atle j to Dr..Abmedkar na father bhanya ane subedar thaya ane potana dikara ne bhanavyo aethi to Dr.Ambedkar M.A.,PH.D.,D.Sc.,LL.D.,D.LITT.,BARRISTER-AT-LAW suthi bhanya ae to ae jamanama kadach savarno pan nathi bhanya to ana parthi ae to naki j che ke britisho ae caste system ne todvama apni madad kari che ,,temaj sati-pratha,dahej pan aemna karne j dur thaya che,,,,

    te loko ae bhale bharat loko ne gulab banavya pan apna samaj na kurivajo ne hatavama te loko ae help kari j che,,,,atle have apne aem jo na j kahi sakie ke ae loko ae caste system ne veg apyo hase,,,,

    ane biji vat kahu ke bharat ma jyare peshwa ao nu raj hatu tyare sudra loko ae potana gala ae matlu rakhvu padtu ane pachad jadu …jethi temna thi pruthvi achut na htay ae to kadach tamne khabar j hase…to ana parthi apne aem kahi to na sakie ke raja garibo nu dhyan rakhto hase….

    Like

    1. એવું બને નહિ.ગુગલ સર્ચમાં જાવ ટાઈપ હિન્દી એવું લખો.પછી ટાઈપ હિન્દી એવી વેબ ખુલશે એમાં જાવ.હવે ડાબી બાજુ હિન્દી લખ્યું હશે તેની બાજુમાં નાનો ઉંધો ત્રિકોણ હોય છે ત્યાં ક્લિક કરો,ઘણી બધી ભાષાઓના ઓપ્શન ખુલશે તેમાં ગુજરાતી છે જ.એને સિલેક્ટ કરો,અને લખવા માંડો.અહીં જેમ અંગ્રેજીમાં ગુજરાતી લખો છો તેમ.સ્પેસ દબાવશો એટલે ટ્રાન્સ્ફર થઇ જશે.નહિ તો પછી વિશાલ મોણપરાના પ્રમુખ ટાઈ પેડ માં જાવ.ત્યાં એક એક અક્ષર ગુજરાતીમાં બદલાશે.મ માટે એમ અનેં એ ટાઈપ કરવો પડશે મા માટે એમ અને ડબલ વાર એ ટાઈપ કરવો પડશે.એનું કી બોર્ડ પણ હોય એમાજોઈ શીખી લેવાશે.

      Like

  19. I cant believe it , Still this Dalit based discussion is on..

    Mayank , u seem to be really impossible man. When will u try to understand that whats gone u can not undo it unless ur having some supernatural powers. Why not talk about today and start build a better future for u and ur generations to come ?
    Do u really think, indulging urself into such arguments will lead to any loveable and fruitful conclusion? Grow up man , ur heart is full with hatred. First u will need to see things with love. Don’t expect world to love u unless u start loving the world with full of ur heart.
    I will again say, may be reservations can bring some kind of equality on economical levels but on mental level, this bullshit like reservation is extending the gap between communities. Even if a bramhin or sawarna doesn’t want to hate Dalit , he will start hating them when he will see a dalit is getting into medical with 50-60% and he couldnt get in even having 90% in his bag. Do u think this will bring any equality in the society? When u talk equal, all should be treated as equal.
    When u said there is no uppercaste lower caste in other countries other then India. I felt pity on u, how insufficient knowledge u have. Each n every country ( western/ eastern) is having either caste or racism issue. But its also true that no other country other then India is having such different laws for different casts. I have not seen reservation in Japan , Korea, China , Australia or any other country ( not sure about pakistan though).
    Bro, think logically and stop crying. Consider this as a brotherly advise.

    Like

    1. thanks for advice bro…
      but what should i do ?

      when i want to forget all thing bludy thing,the accident always took place with me …

      and it will destroy my mind…i had an example of my village last week…
      when u suggested me last time ,i decided to forgot but suddenly it took place with me yar…

      i feel like,is it a crime to be dalit in india or be lower caste ?
      i knew when brahmin hate dalit ,,,

      but there is also fact that to neglect reservation is a solution of this bludy caste system ?
      anyway ,,thnax brother …and forgive if i hurt you ..by…

      Like

  20. ભાઈ એકલા આંબેડકર દલિતોનો ઉદ્ધાર કરી શક્યા ના હોત.ગાંધીજીની પ્રમાણિકતા બાબતે શંકા ના કરી શકાય.એમના વગર દલિતોનો આટલો ઉદ્ધાર થવો અશક્ય હતો.એમના હૈયે દલિતોનું હિત વસેલું હતું.છતાં ૫૦૦૦ વર્ષ જુનું વાયરિંગ બદલવું એકદમ શક્ય નથી.માટે દલિતોને કડવા અનુભવો થતા હોય છે.અરે આંબેડકરનો બ્રાહ્મણ પટાવાળો એમના હાથમાંથી ફાઈલો લઈને પાણીના છાંટા નાખતો.એટલે વાયરિંગ બદલવાની શરૂઆત ગાંધીજીએ કરી તે મહત્વનું છે.આ પહેલા છૂટાછવાયા બનાવોમાં નરસિંહ મહેતા જેવાએ આવું વાયરિંગ બદલવાનો પ્રયત્ન કરેલો,હરિજન વાસમાં ભજન કરી.પણ તેઓ ભારતમાં ગાંધીજી જેવા દેશમાન્ય નેતા નહોતા,એક ભક્ત હતા.

    Like

  21. મિત્રો, આપની રસપ્રદ ચર્ચા વાંચી મજા આવી, ખાસ કરીને’ ‘બુધ્ધ ડોસા’ ગાન્ધી વિશે ફેલાયેલી ભ્રામક માન્યતા માંથી નવી પેઠીને આપણે સાચી માહિતીથી વાકેફ કરવા પડ્શે. ગાંધી ના સમજાતા હોય તો છોડી દેવા જોઇએ, ગાન્ધીને સમજવા માટે આપણી બુધ્ધી કદાચ ઓછી પડ્શે. કારણ તે મહામાનવ હતો, વધરે પડ્તુ કહેવશે પણ આવતારવાદમા માનતા હોઇએ તો ગાન્ધી એ અવતાર હતો,ક્રુસ્ણ એ તો મંજીલ પ્રાપ્ત કરવા (અનિસ્ટોને નાબુદ કરવા) સાધન સુધ્ધિમા પીછેહઠ કરી છે. શસ્ત્ર નહિ ઉઠાવવાની પ્રતિગ્ના તોડી તે. પણ ગાન્ધી એ સાધન અને સાધ્ય સુધ્ધ રાખ્યા છે. બે બે વિશ્વ્ યુધ્ધો લદાઇ ચુક્યા હોય, અણુ પ્રયોગો થઇ ચુક્યા હોય ત્યરે એક ડોસો અહિંસા, સત્યાગ્રહથી અંગ્રેજ જેવી મહાસતા સામે જુકાવ્યુ એ ડોસાની નૈતિક હિમ્મત કેટ્લી હશે? ધોલકીયા સહેબ અને ભુપેન્દ્રસિહ ની ચર્ચ ઘ્ણી સારી છે, મનનીય છે.

    Like

  22. ગાંધીજી અહિંસક dictator હતા , એમને પોતાનું ધાર્યું બધુજ ઉપવાસ ના જોરે કરાવડાવ્યું. વલ્લભભાઈ વડાપ્રધાન ના બની શક્યા એ આં dictator ના પાપે ,સંપૂર્ણ બહુમતી થી ચૂંટાઈ આવનાર સુભાસબાબુ એ જો રાજીનામું આપવું પડ્યું હોય તો આં ગાંધીજી ના કારણે.. જો કોઈ નું મન દુખ પણ પાપ કેવાતું હોય (જેવું રઓલજી બાપુ એ કહ્યું છે એ મુજબ) તો આં બે વ્યક્તિ માટે ગાંધીજી એ કરેલ પાપ ધોવા એમના ૮૪લાખ જન્મ પણ પૂરતા નહિ થાય.

    રહી વાત ‘વર્ણ-વ્યવસ્થાની’ તો એના પર ‘અધોગતિ નું મૂળ વર્ણ-વ્યવસ્થા’ પુસ્તક લખનાર પરમ પૂજ્ય સ્વામી સચિદાનાન્દજી એમના હાલ માં પ્રકાશિત થયેલ પુસ્તકો માં કહે છે કે જાતિ પ્રમાણે ગુણ હોવાના. આ સ્વામીજી ના વિચારો છે મારા છે એમ કોઈ ના સમજે. બીજી વાત સ્વામીજી એમના દરેક પુસ્તકની પ્રસ્તાવના માં લખે છે કે મારા નવા પુસ્તકના વિચારો સાચા સમજવા કેમ ક સમય જતા વિચારો બદલાય છે .

    ગાંધી જી સફળ થયા કારણકે તડ કે ફડ કરવાને બદલે સમા ને ગૂંગળાવી નાખતું મોન ધારણ કરી ધાર્યું કરાવવા ની ફાવટ એમના જેટલી કોઈ ને ન હતી ,અને તડ કે ફડ ન કરવાની પોલીસી ને કારણે તે સમય ના દરેક નેતા છૂપો આશાવાદ રાખતા કે નિર્ણય સત્ય ના પક્ષ માં હશે ,પણ બનતું એમ કે નિર્ણય મહાત્મા ના પક્ષ માં રેહતો .ગાંધીજી મહાત્મા થઈ ગયા અને દેશ ,દેશ ના લોકો નિર્માલ્ય.

    Like

  23. ૧૫ ઓગસ્ટ ૨૦૧૨
    આજ ના વિચાર
    ૧૮૫૭ નો બળવો થયો ત્યારથી આપણી અધિકૃત આઝાદી ની લડાઈ ની શરૂઆત થઇ ,, આ બળવો અહિંસક નહોતો આપને ફેલ ગયા કારણ?
    હિંસા કે અહિંસા નહોતી આપણે અસંગઠિત હતા ,, આજ ની જેમ જ ૧૫૫ વરસ પહેલા પણ એકબીજા નાટાંટિયા જ ખેચતા અને અસંગઠિત જ હતા ,
    એવું પણ નહોતું કે હથિયાર નહોતા કેમકે તોપ અને તલવારો આપણા બધાય રાજા અને બાદશાહો પાસે હતા જ , લશ્કર પણ હતું ,, ખાલી કલ્પના કરો કે ૫૬૨ રાજ્ય હતા ,, નાના માં નાના રાજ્ય પાસે ૫૦૦૦ ની સેના તો હોય ને ? ખાલી એવરેજ ગણો તો ૨૮ લાખ નું લશ્કર થાય ,,, આપણે અડધું ગણીએ તોપણ ૧૪ લાખ થયા આટલું આર્મી તો અત્યારે પણ ઘણું મોટું કહેવાય તો એ સમયે આની લડાયકતા કલ્પી જુવો? પણ એ સમય ના મોટાભાગ ના રાજાઓ પોતા ના અંગત સ્વાર્થ અને ટૂંકી દ્રષ્ટી ના લીધે મોકો ચુક્યા ,,,હિંસક ક્રાંતિ કરવાની અને આઝાદ થવા ની એમની જવાબદારી અને ફરજ બંને હતા કોણે નિભાવી? એ લોકો અખંડ ભારત જેવા સપના જ નહોતા સેવતા ,,,,,,,,,, જે છુટફૂટ લડાઈઓ થઇ એ પણ ભારત માટે નહોતી થતી એમના પોતા ના રાજ્ય માટે થતી (મોટેભાગે અપવાદ આમાં પણ હતા )
    શહીદ ભગતસિંહ , રાજગુરુ જેવા સહસ્ત્ર ક્રાંતિકારીઓ ભારત માતા માટે લડતા હતા અને એમનો કોઈ જ સ્વાર્થ નહોતો,, પણ અખિલ ભારતીય સ્વરૂપે કોઈ સ શસ્ત્ર લડાઈ અંગ્રેજો સામે નહોતી લડાઈ ,, બાકી અંગ્રેજો ને ખતમ કરવા અઘરા નહોતા ,,
    ગાંધીજી ભારત માં પરત આવ્યા લગભગ 1914 માં ત્યાંસુધી આઝાદી ની લડત તો ચાલુ જ હતી ,, પણ અંગ્રેજો પર જોઈએ એવો પ્રભાવ નહોતો પડતો ,, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકા માં રંગભેદ સામે અહિંસક અંદોલન નું સફળ પરિક્ષન કર્યું જ હતું એ જ શસ્ત્ર નો ઉપયોગ ગાંધીજી એ ભારત માં કર્યો ,, અસંગઠિત ભારતવાસીઓ ને એકત્ર કર્યા, હિંદુ, મુસ્લિમ ,શીખ , રાજાઓ, પ્રજાનો મોટો વર્ગ પણ ગાંધીજી અને કોંગ્રેસ ના જન આંદોલનો માં ગાંધીજી ના સાથ માં હતો ,, અસહકાર , દાન્ડીમાંર્ચ, ભારત છોડો જેવા આંદોલનો એ અંગ્રેજો ને દેશ છોડવા માટે મજબુર કર્યા ,

    એવી કોઈ ગલત ફહમી નથી કે ગાંધીજી એક જ હીરો હતા ,, તમામ શહીદો , અને આઝાદી માટે લડવા વાળા લાખો લોકો આ સફળતા ના હકદાર છે ,, પણ એમાંથી ગાંધીજી ને બાકાત કોઈ કાલે ના રાખી શકાય ,,જેમને એવી શેખી હોય કે ગાંધીજી નો આઝાદી ની લડત માટે કોઈ ફાળો નહોતો એમને ઈતિહાસ ફરી ભણવો જોઈએ ,, ગાંધીજી માટે સત્ય , અહિંસા , અસ્પૃશ્યતા , સફાઈ આ બધા જીવ થી પણ વહાલા સીધાન્તો હતા , પણ અહિંસક લડાઈ ના શસ્ત્ર ને ગાંધી એ બહુ જ ચાલાકી થી ઉપયોગ કર્યો હતો ,, પ્રણામ ગાંધીબાપુ ,, અમે તમારી ભૂલો તો કાઢી શકીએ છીએ પણ તમારા નાના મોટા ગુણ ને ભૂલી જવા માંડ્યા છીએ ,, ગાંધીજી ટોયલેટ જાતે સાફ કરતા ,, ગરીબો માટે પુરા કપડા નહોતા પહેરતા , ગાંધીજી એ બ્રિટીશ લશ્કરમાં ભરતી થવા ની અપીલ કરી હતી તો ભારતીય લશ્કર વિખેરવા ની તો વાત જ ક્યાં રહી? , ગાંધીજી એ ક્યારેય દલિતો ને પોતાના થી દુર નહોતા રાખ્યા ,, જયારે આઝાદ ભારત ઉજવણી માં મસ્ત હતું ત્યારે ગાંધીજી કલકત્તા માં ઉપવાસ કરતા હતા ,, ઈતિહાસ ની સહુથી મોટી ઘટના માં તેઓ હાજર નહોતા , તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું ,,
    અને ગાંધીજી ના એ નસીબ હતા કે એમને સરદાર , મણીલાલ જેવા અનુયાયીઓ અને એ સમયની જનતા નો અવિરત સાથ મળ્યો ,, કદાચ આપણા જેવા લોકો એ સમયે હોત તો ગાંધીજી પણ સફળ ના થાત ,,,,,,,,

    Like

  24. પણ અતિશય વસ્તી વધારી સાવ નમીને આક્રમણકારો આગળ પૂછડી પટપટાવી સર્વાઈવ થઈ ગયા તે આપણી સબળતા જ ગણાય. BAPU tamaru aa vakya NEVER BEFORE, very very sharp..

    Like

  25. આ લેખ ની ચર્ચાઓ બહુ જ સરસ થઇ છે ,, એ કોમેન્ટો માં થી ઘણું જાણવા મળે એમ છે ,, જેને ઈતિહાસ અને સમસ્યાઓ વિષે જાણવા માં રસ હોય એને આ બધી કોમેન્ટો વાંચવા ની જરૂર છે ,,,,,,,,,

    Like

  26. મેં જ્યારે ગાંધીજી ને વાંચ્યા ન હતા,ત્યારે મને પણ તેમના વિષે ગેરમાન્યતાઓ હતી…!
    બાકી ભૂપેન્દ્રભાઈ જે અહિંસાની (સત્યાગ્રહ,અનશન) વાત કરે છે,તે સુક્ષ્મ દ્રષ્ટીએ અહિંસા તો નથી જ.

    ઉપર ની કોમેન્ટમાં યુવાનો ગાંધીજીને સમજી શક્યા નથી તે વાત એકદમ સાચી છે,ગાંધીજી ને વાંચો નહી તો તેને પૂર્ણ રીતે ન સમજી શકો.
    મે કંઇક વાંચ્યુ હતુ “અઘૂરુ જ્ઞાન પીડા આપે છે.”

    Like

Leave a comment